________________
૨૧૧
સાધનાપથ અને આત્મજ્ઞાન
સાચા સજ્જન પ્રત્યે પણ દુર્જન તો એના સ્વભાવ મુજબ વર્તવાના. સજ્જન પણ સંયમ ચૂકી એવો જ વર્તાવ કરવા લાગી જાય તો એનું સજ્જનપણું ક્યાં રહ્યું છે. સામાની ગમે તેવી ગેરવર્તણુક પણ સહજભાવે ખમી ખાય એનું જ નામ સજ્જન છે.
સોય અને સૌજન્યશીલ પ્રકૃતિ હોવી એ ઘણી વિરલ સિદ્ધિ છે. ઘણીવાર કહેવાતા સંત મહાત્મામાં પણ જેવી સૌમ્યતા નથી હોતી એવી સૌમ્યતા સાધારણ દેખાતી વ્યક્તિમાં સહજ હોય છે. સૌમ્યપ્રકૃતિ એ ઘણી અસાધારણ ગુણિયલતા છે.
જે કાંઈ કરવું તે સૌમ્યભાવે જ કરવું...કોઈના ઉપદ્રવ વખતે કે એવી ઉપાધિની વેળાએ પણ સૌમ્યતા જાળવી રાખવી અને લેશ ઉચાટ ન અનુભવવો એ સંતહૃદયનું સૂચક છે. આવી પ્રકૃતિ ધરાવનાર સ્વભાવધર્મને સહજપણે સાધી આરાધી શકવા સમર્થ છે.
પ્રકૃતિ જ ન બદલાવનાર વ્યક્તિ આ જીવનમાં પણ સુખ-ચેન માણી શકતો નથી. વળી ઉપલબ્ધ ભોગપભોગ પણ સારી રીતે માણી શકતો નથી. કોઈની સાથે નિર્મળ પ્રેમનું આદાન-પ્રદાન પણ કરી શકતો નથી. એનું જીવન ખરે જ ખૂબ વિષમ બની જાય છે.
પ્રકૃતિને ઉદાર-સૌમ્ય-પ્રશાંત બનાવી જાણનાર, જીવનના સુખ કેવી રૂડી પેરે માણી શકે છે એ વર્ણન માત્રથી સમજાવી શકાય તેમ નથી. એનું આ જીવન તો ધન્ય બની જાય છે...ઉપરાંત, ભાવી જન્મો પણ ઘણાં રળીયામણાં બની જાય છે.
પ્રેમ પવિત્ર પ્રેમ... વિના જીવન જીવવું કેટલું કપરૂં છે ? જીવન જીવવાનો કોઈ અર્થ જ એ વિના આમ આદમીને રહેતો નથી. અલબત, અધ્યાત્મરસી પુરુષોની વાત નિરાળી છે – જીવન જીવવાનો ગહેરો અર્થ એવી પરમાર્થસાધનાનો એને લાવી ચૂકેલ હોય છે.
જીવન જીવવાની હામ હારી ચૂકેલા જીવો મહદ્ઘાય: પ્રેમના અભાવે જ એવી સ્થિતિ પામ્યા હોય છે. સિવાય નિર્ચાજપ્રેમભર્યા કોઈ સત્યરુષ જીવનની આ આકરી કમી પુરાનાર નથી. અહાહા...એવા અનંતપ્રેમવાન કોઈ સંતપુરુષનો સમાગમ મળે તો જ ઉદ્ધાર છે.