Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah
View full book text
________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૩૭
સાધકને અમુક હદ સુધી પ્રશસ્ત-કષાય હોય છે એની ના નથી. પણ ઘણી ઘણી શોચનીય વાત એ છે કે ‘પ્રશસ્ત’ કહેવો કોને ? જીવ આપમેળે માની લે કે મારો કષાય પ્રશસ્ત છે – તો એ એની ભૂલભ્રમણા પણ હોઈ શકે છે.
–
710
સ્વ-પરના હિતની જ ભાવના ભરપૂર હોય, અને પરમ આત્મસ્થભાવે સેવાતો હોય, દુન્યવી કોઈ કામના – લાલસા ન હોય, જે આત્માને લગીર બેચેન નહીં પણ ઉલ્ટો સ્વસ્થ બનાવી રાખતો હોય તો એ કષાય પ્રશસ્ત કહી શકાય.
710
જે સત્ જોયું-જાણ્યું... એનો અંતરના ઊંડાણમાંથી પ્રતીતિપૂર્ણ રણકાર ગુંજવો કે અહો... આ પરમ સત્ય છે : આ જ પરમહિતકારી પથ છે. ને હ્રદય ભક્તિભાવપૂર્ણ બની અહોભાવથી છલકાય જવું બન્ને તેનું નામ સમ્યક્શ્રદ્ધાન છે.
©
સત્ત્ની - અંતસ્થલમાંથી ઉઠતી - પ્રગાઢ શ્રદ્ધેયતા એ પરમ આત્મોત્થાનની જનની છે. સત્ય સમજવું અને એની અગાધ અહોભાવના પેદા થવી એ અલગ જ વસ્તુ છે. સદર્શન પશ્ચાત ઊપજતો નૈસર્ગિક અહોભાવ અલૌકિક વસ્તુ છે.
70
સત્યને જાણ્યા પછી... ‘એ એમ જ છે’ એવો ગહેરાઈમાંથી અંતર્નાદ ગુંજે અને હ્રદય આદર-ભક્તિથી ઉભરાય રહે - અંતઃકરણમાં સંપૂર્ણ નિઃશંકતા વ્યાપી જાય - એનું નામ સમ્યગ્દર્શન છે. સત્ અને સ્વ ઉભય એકરૂપ ભાસી રહે છે. પોતે જ સત્' છેઃ અનંત સત્યોનું ઉદ્ગમસ્થાન.
10
સૌ રૂડા વાના થઈ રહેશે... બધું જ સારૂ બની રહેશે... એવી ગહન આસ્થાવાળો જીવ જે કાંઈ બને તે સકળ સારૂ જ માને છે. મારૂ સર્વ પ્રકારે સારૂ બની રહેશે એવી સાધકહ્રદયમાં ઊંડી ને ઉજાસમયી ધરપત હોય છે. કુદરત ખૂબ દયાળુ છે – એ અંતરાત્માની સાચી ભાવનાને ન્યાય આપે જ છે.
1001
કોઈને રૂડું લગાવવા સત્યની અવગણના કરવી કે અવમૂલ્યન કરવું એ કાતિલ માનસંજ્ઞા છે. લોકોને ખુરા કરવા સત્યનું ખૂન કરાય નહીં. હા, સામો અપાત્ર જણાય તો મોન જરૂ૨ સેવાય પણ ભળતી વાતમાં ભળી જઈ અસત્યને સમર્થન અપાય નહીં.

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406