Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah
View full book text
________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
૩૪૩
આજનો માનવી કેટલી પાર વિનાની પંચાતો કરે છે ! એ દુનિયાભરની નવાજૂની ચર્ચા ડાહ્યો દેખાવા મથે છે. એને ખરેખર ડાહ્યા થવું નથી પણ ડાહ્યા દેખાવું છે ! દેખાવાની આ ભ્રામક ધૂન ખાતર એ દિનરાત વ્યર્થ વાતોમાં જ રચ્યો-પચ્યો રહે છે.
©`
આપણો આત્મા હળુકર્મી તો અનંતવાર થયો છે... હળવા કર્મના પ્રતાપે એ દેવલોકમાં પણ અનંતવાર જઈ આવ્યો છે. પણ... નિષ્કર્મી થવાની નેમ એણે કદી ધરી નથી. સકળકર્મથી વિમુક્ત એવી સિદ્ધદશાની
અભીપ્સા એના દિલમાં ઉગી નથી.
70
હકીકત એ છે કે નિર્વાણસુખનો કોઈ નમૂનો જીવે કદીયેય દિલભર આસ્વાદ્યો જ નથીઃ નિષ્કર્મી થવાની નેમ એ ક્યાંથી ધરી શકે ? જો એકવાર પણ નિવાર્ણસુખની નાની શી ઝાંખી જાણવા-માણવા પામે તો નિષે એની નીયત પલટાય જાય.
70
નિર્વાણસુખની ઝાંખી મળી શકે તો નિજસ્વરૂપના ધ્યાન દ્વારા જ મળી શકે તેમ છે. આથી જીવે પ્રથમમાં પ્રથમ કાર્ય કેવળ નીજસ્વરૂપની ભાળ પામવાનું કરવાનું છે. બીજા બધા અનુષ્ઠાનો કરવા કરતા ઉપયુક્ત કાર્ય જ સર્વ પ્રથમ' કરવું ઘટે છે. મુમુક્ષુની આ બુનિયાદી જરૂરિયાત છે.
0
સુખ ગમે ત્યારે પણ ઊપજે છે તો ભીતરમાંથી જ ઊપજે છે: એ બહારથી આવતુ દેખાય તો એ ભ્રાંતિ છે. સહજસુખ આપણો સ્વભાવ છે. ગુલાબમાંથી સુગંધ પ્રસરે એમ સહજતઃ આત્મામાંથી સુખ પ્રતિક્ષણ પ્રસરી રહ્યું છે. સુખ માટે માત્ર લક્ષ સ્વભાવ બાજુ વાળવવાનું છે.
©Þ
રાગ-દ્વેષ આદિ હ્રદયમાં ઉત્પન્ન જન થાય એવી પ્રખર જ્ઞાનદશા ખીલવી જાણવી એ ખરી આલોચના છે. રાગાદિની વ્યર્થતા અને વિનિપાતકતાનું એવું વિશદ્ભાન ખીલી આવે કે એને ઉત્પન્ન થવા અવકાશ જ ન બચે એ ખરેખરું પ્રાયશ્ચિત છે.
70
રાગ મારા સુખનું કારણ છે એવી મતિ એ મોટું મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ નિવારે નહીં અને આલોચના કર્યા કરે – વિકારનું પ્રાયશ્ચિત કર્યા કરે – તો એમ કોઈ કાળે ય રાગાદિ મૂળથી દૂર થાય નહીં. ‘રાગ મારા સુખનું નહીં પણ દુઃખનું કારણ છે.' – એવું સચોટ ભાન જોઈએ.

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406