Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 369
________________ ૩૬૦ સાધનાપથ અને આત્મજ્ઞાન પ્રભુભક્તો કહે છે કે કોઈપણ સ્થિતિ – સંજોગોમાં – કોઈપણ કાર્ય કરતાં પણ – પ્રભુને યાદ રાખોઃ પળપણ પ્રભુને વિસરો નહીં. અધ્યાત્મપ્રવણ પુરુષો કહે છે કે તમે ખૂદ ભગવત્સ્વરૂપ છોઃ તમારા એ પરમ આત્મસ્વરૂપને એક પળ પણ વિસારો નહીં. ©Þ મોહરાજા જીવને સતત સમજાવે છે કે હે જીવ, આપણો સંબંધ અનાદિનો છે. એ સંબંધ વિસારવા તું વિચારતો પણ નહીં. ધરમનો ભેખ ભલે ધરે પણ ભીતરથી આપણા પક્ષનો બની રહેજે. ભૂલેચૂકેય ભોળવાયને તું પક્ષપલટો કરીશ નહીં. 70 અર્જુનને મહાભારત ખેલતા - સંબંધીઓ પર બાણ ફેંકતા - જેવી અવઢવ થયેલી એવી જ વિમાસણ જીવને અનાદિના સંગાથી મોહ સામે જંગ ખેલતા થાય છે. એ જંગ ખેલતા એનું જીગર કમજોરી અનુભવે છે. સદ્ગુરુના પ્રેરણાબળની જરૂર પડે છે. મોહ સામેનો સંગ્રામ સમજણની કેવી સ્પષ્ટતા અને ભાવનાની કેવી સઘનતા માંગે છે એ અનુભવી સિવાય અન્યને અંશાંશ જેટલું પણ સમજણમાં આવતું નથી. ૫૨મ સત્વશીલ પુરુષોનાય પાણી મપાય જાય એવો આ ભીષણ સંગ્રામ છે. 0 આંતરશત્રુ સામે અથાગ જંગ ખેલીને જેઓ જિન થયા છે એમણે કેવું અનંતભવ્ય પરાક્રમ કર્યું છે એ જેના ખ્યાલમાં આવી શકે છે એનામાં જ ખરી પરમાત્મભક્તિનો ઉદ્ભવ થાય છે. એવી ભક્તિ ભક્તનેય ભગવાન બનાવીને જ પરિપૂર્ણ થાય છે. 0 જેની ભક્તિ કરે છે. જીવ જો એવો થઈ ન જાય. . . તો ભક્તિમાં જરૂર ખામી વા ખરાબી છે. ખૂબ ખરૂ કહીએ તો આપણી ભક્તિથી ભગવાન-અંતર્યામિ ખૂબ પરેશાન છે. જે એમને બિલકુલ પસંદ નથી એવું જ આપણે સતત માંગમાંગ કરીએ છીએ ! જી મહાવીરની ભક્તિ કરવી હોય તો માયકાંગલાપણું મૂકી દેવું જોઈશે. આત્માને ઓળખી-ધ્યાવીને આત્મશક્તિઓ સ્ફૂરાયમાન કરવી જોઈશે. આત્મલીનતા વધા૨ીને અનંત આત્માનંદના ઉદધિમાં ડૂબી જવું જોઈશે. મહાવીર બની જવાય એ જ મહાવીરની ખરી ભક્તિ છે.

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406