Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 378
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૬૯ સન્માર્ગનો સચોટ નિર્ણય કરવો એ જીવનનું પરમ આવશ્યક કાર્ય છે. મારા ભાવી અનંતહિતનો અચૂક ઉપાય આ જ છે એવી અચલ-શ્રદ્ધા એ પરમપૂર્લભ સૌભાગ્યની ઘટના છે. આવા નિશ૬નિર્ણયનંત જીવો જ નિર્વાણના અધિકારી છે. સંશયવાન જીવ કોઈ સિદ્ધિ અર્થે સમ્યગુ-સંપૂર્ણ પુરુષાર્થ કરી શકતો નથી. નિર્વાણમાં અસીમ-અનંત સુખ હશે કે કેમ – એવો સંગુપ્ત પણ સંશય રહે તો એની સાધનામાં પ્રાણાધિક પ્રેમ અને અનન્યરુચિ ક્યાંથી ઉમટશે? પ્રથમ.... કાંઈ કરવાની જરૂર નથી પણ કરવાની જ જરૂર છે. નિર્મળ નિર્ણય પામ્યા પછી જ પુરુષાર્થ ફોરવવાનો છે. શ્રદ્ધાવિહોણા અસીમ પુરુષાર્થને પણ પ્રબુદ્ધપુરૂષો પ્રશસ્ય લેખતા નથી. નિર્મળશ્રદ્ધા ઝળહળે પછી જ સમ્યગુ સાધનાનો પ્રારંભ થાય છે. જ્ઞાનીનેય અસ્થિરતાજન્ય રાગ, દ્વેષ, ક્લેશ, ઉદ્વેગ હજુ સંભવી શકે છે. અલબત એવા ભાવો જ્ઞાનીને ગોઠતા નથી – અંદરમાં ખટકે છે. પણ સ્થિરતા ન સધાણી હોય ત્યાં સુધી એવા ભાવો થઈ જાય છે. એ વેળા પણ એમનું અંતરદળ તો ઉદાસીન હોય છે. s જ્ઞાનીની ઉન્મત જેવી ચેષ્ટાથી ક્યારેક અન્નજીવોને સંદેહ થાય કે આવા કંઈ જ્ઞાની હોતા હશે ? ગમે તેવો ઝંઝાવાતી સાગર પણ એના ભીતરીય દળમાં તો સ્થિર અને શાંત જ હોય છે, એમ જ્ઞાની પણ હરહાલતમાં અંદર તો ખૂબખૂબ ઠરેલા ને ઉચાટરહિત હોય છે. જ્ઞાની ક્યારેક રોતા પણ બતાય તો પણ અંદરમાં એ હર્ષ-શોકથી પર થયેલા છે તે પર જ છે. અંતરંગની ટાઢય તો વેદનાર જ જાણી શકે – બીજા એ ક્યાંથી દેખી શકે ? નરકમાં ય સમ્યફદષ્ટિ હાયવોય કરતા હોવા છતાં ભીતરમાં તો ઘેરી પ્રશાંતિ પથરાયેલી હોય છે. ખરેખરા આત્મધ્યાનની વાત તો ખૂબ ન્યારી છે – પરિભાષાથી એ સમજાવી ન શકાય. એ ધ્યાન કરવું નથી પડતું એ તો શ્વાસોશ્વાસની જેમ સહજ ચાલે છે. કોઈપણ પ્રવૃત્તિ કરતા થકા પણ ભીતરમાં એ ધ્યાનની ધારા અતૂટ ચાલે છે.

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406