SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૩૭ સાધકને અમુક હદ સુધી પ્રશસ્ત-કષાય હોય છે એની ના નથી. પણ ઘણી ઘણી શોચનીય વાત એ છે કે ‘પ્રશસ્ત’ કહેવો કોને ? જીવ આપમેળે માની લે કે મારો કષાય પ્રશસ્ત છે – તો એ એની ભૂલભ્રમણા પણ હોઈ શકે છે. – 710 સ્વ-પરના હિતની જ ભાવના ભરપૂર હોય, અને પરમ આત્મસ્થભાવે સેવાતો હોય, દુન્યવી કોઈ કામના – લાલસા ન હોય, જે આત્માને લગીર બેચેન નહીં પણ ઉલ્ટો સ્વસ્થ બનાવી રાખતો હોય તો એ કષાય પ્રશસ્ત કહી શકાય. 710 જે સત્ જોયું-જાણ્યું... એનો અંતરના ઊંડાણમાંથી પ્રતીતિપૂર્ણ રણકાર ગુંજવો કે અહો... આ પરમ સત્ય છે : આ જ પરમહિતકારી પથ છે. ને હ્રદય ભક્તિભાવપૂર્ણ બની અહોભાવથી છલકાય જવું બન્ને તેનું નામ સમ્યક્શ્રદ્ધાન છે. © સત્ત્ની - અંતસ્થલમાંથી ઉઠતી - પ્રગાઢ શ્રદ્ધેયતા એ પરમ આત્મોત્થાનની જનની છે. સત્ય સમજવું અને એની અગાધ અહોભાવના પેદા થવી એ અલગ જ વસ્તુ છે. સદર્શન પશ્ચાત ઊપજતો નૈસર્ગિક અહોભાવ અલૌકિક વસ્તુ છે. 70 સત્યને જાણ્યા પછી... ‘એ એમ જ છે’ એવો ગહેરાઈમાંથી અંતર્નાદ ગુંજે અને હ્રદય આદર-ભક્તિથી ઉભરાય રહે - અંતઃકરણમાં સંપૂર્ણ નિઃશંકતા વ્યાપી જાય - એનું નામ સમ્યગ્દર્શન છે. સત્ અને સ્વ ઉભય એકરૂપ ભાસી રહે છે. પોતે જ સત્' છેઃ અનંત સત્યોનું ઉદ્ગમસ્થાન. 10 સૌ રૂડા વાના થઈ રહેશે... બધું જ સારૂ બની રહેશે... એવી ગહન આસ્થાવાળો જીવ જે કાંઈ બને તે સકળ સારૂ જ માને છે. મારૂ સર્વ પ્રકારે સારૂ બની રહેશે એવી સાધકહ્રદયમાં ઊંડી ને ઉજાસમયી ધરપત હોય છે. કુદરત ખૂબ દયાળુ છે – એ અંતરાત્માની સાચી ભાવનાને ન્યાય આપે જ છે. 1001 કોઈને રૂડું લગાવવા સત્યની અવગણના કરવી કે અવમૂલ્યન કરવું એ કાતિલ માનસંજ્ઞા છે. લોકોને ખુરા કરવા સત્યનું ખૂન કરાય નહીં. હા, સામો અપાત્ર જણાય તો મોન જરૂ૨ સેવાય પણ ભળતી વાતમાં ભળી જઈ અસત્યને સમર્થન અપાય નહીં.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy