Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 336
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૨૭ = - કહેનાર આપ્તપુરૂષે બોધેલી વાત – જેમ બોધી છે તેમ જ, યથાતથ – સમજાવી એ મહાન સદ્ભાગ્યની વાત છે નહીંતર તો કહેનાર કહે કંઈક અને સાંભળનાર સમજે કંઈક, ખરે જ જ્ઞાનીપુરુષના વિરાટ્ હાર્દ કળવા એ મહાભાગ્યની બીના છે. 05 `સગાવહાલા' શબ્દ વપરાય છે. સગા સાથે વહાલા વિશેષણ જોડાય છે – પણ, વસ્તુતઃ કોણ સગા, કોને કેટલા વહાલા છે એ ગવેષણાનો વિષય છે. અલબત વહાલા હોવાનો દેખાવ અરસપરસ ઘણો કરવામા આવે છે – પણ.....! 70T અવલ્લકક્ષાના કલ્યાણમિત્ર બની રહે એવા સુજન-સાથીને ઊંડા હાર્દથી ઝંખી રહ્યો છું. જેનામાં ગહન સમજદારી... ગહન વિવેકશીલતા... ગહન તત્વરુચિ... ગુણની કદરદાની અને અધ્યાત્મની નીતનવી ગહેરાઈઓ ખેડવાની ખેલદિલી હોય... ©` પ્રભુ ! પ્રભુ ! દ્વિધામાં ને દ્વિધામાં સાધકની બહુમૂલ્ય શક્તિનો અને સમયનો કેટલો દુર્વ્યય થાય છે ? સાધક સ્પષ્ટ નિર્ણય કેમ નહીં કરી શકતો હોય કે મુક્તિની વાટ પકડવી છે કે માયાનગરની ? દોરાહા સ્થિતિથી તો અપાર નુકશાન થાય છે. 05 હૈયું અહર્નિશ નવી નવી હરણફાળ ભરવા ઈચ્છે છે. દૂર-સુદૂર જવા તડપે છે... પણ રાહભાન નથી. નિરંતર આ જ વિમાસણ ચાલે છે. શોચી શોચીને હૈયું નિરંતર થાક અનુભવે છે. સુવર્ણ પિંજરમાં બેસવું કે અનંત મુક્તાકાશમાં વિહરવું? © મળ્યું તો છે અણમોલમાં અણમોલ જીવન – પણ માનવી પાત્ર નથી. ગમાર આદીવાસીને ગંધર્વના ગાન સુણવા મળ્યા જેવું થયું છે. આ ખરે જ કરુણ હકીકત છે કે માનવીને શું મળ્યું છે એનું એને ખૂદને કાંઈ જભાન નથી. મૂઢ... અવિચારી...!! મધુરજનીની વેળાએ કોઈ, મામુલી બાબતની માથાફોડ કરવા બેસી જાય તો એ કેવી બેહદ બેહુદી ઘટના લેખાય ? એમ સત્ય આરાધવાના અણમોલ અવસરે જેઓ વાદવિવાદમાં વ્યસ્ત રહે છે એ કાગડાને ઉડાડવા કોહીનૂર ફેંકી દે છે.

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406