Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 323
________________ ૩૧૪ - સાધનાપથ અને આત્મજ્ઞાન માણસ દુઃખીત અને પતીત તો પોતાના વિચિત્ર સ્વભાવના કારણે જ થાય છે પણ દોષ કરમનો કાઢે છે. પોતાના અસંતુષ્ટ અને અસરળ સ્વભાવના કારણે પોતે દુઃખી છે એવું માનવા સુદ્ધાં એ તૈયાર નથી ને નસીબનો – નીયતીનો વાંક કાઢયો કરે છે ! માણસના ઉમદા કે ગંદા જીવનનો મદાર કર્મો ઉપર છે કે એની સમજદારી પર છે ? પોતાનામાં રહેલ ઉણપ કે ઊંધાઈ દેખવા-પેખવા ય માનવા તૈયાર નથી. કાશ, અવળી સમજણ જો સવળી કરે તો જીવનનો રંગ સમૂળગો પલટાય જાય તેમ છે... પણ – કેવું ભગીરથ કામ કરવાનું છે સાધકે – અવળી સમજણો તમામ સવળી કરવાનું. અહાહા...! આ કેવું વિરાટું કાર્ય છે કે જીવન આખું સમર્પ દો ત્યારે એમાં સફળતા મળે... એ માટે તો ભેખ લેવો પડે... એ માટે સતત-અનવરત મગ્ન બની જવું પડે. માણસ પરમાત્મા પાસે પ્રતિદિન પાર વગરની કાકલૂદીઓ કર્યા કરે છે. પણ જે મેળવવું છે એ મેળવવા પાત્ર થતો નથી. અપાત્રને પરમાત્મા કે પ્રકૃતિ કંઈ જ આપતા નથી. ન ભૂલો: પાત્ર થયા વિના... સુપાત્ર થયા વિના... કશું જ મળતું નથી. માનવીની બધી જ પ્રાર્થનાઓ જો ફળીભૂત થતી જ હોત તો આ જગત પર હાહાકાર જ હોત. માનવી કેવી કેવી બેહુદી ને સ્વાર્થી પ્રાર્થનાઓ કરે છે કે ભગવાન પણ એના શોરબકોરથી તોબા પોકારી જાય છે. નિઃશબ્દ “મૌન એ મોટી પ્રાર્થના છે. પોતાની ભીતરમાં વસેલ ભગવાનનું સ્મરણ-ધ્યાન કરી, માત્ર એ પ્રભુ પાસે કૃપાની જ યાચના કરવી. એની કુપારૂપે જે પણ ઉપલબ્ધ થાય . ધનિપણું કે નિર્ધનતા - સુખ કે દુઃખ - જીત કે હાર - જે પણ ઉપલબ્ધ થાય એ પરમવરદાન છે. જDON ભીતરના ભગવાન કેવા પરમનિર્વિકાર છે ? એમની સમીપે શી યાચના થાય? સતીનાર પતિ પાસે શું યાએ ?- ચરણની ચીરકાળ સેવા સિવાય એને શી ઉમેદ હોય ? એમ અંતર્યામ પાસે કશી યાચના ન શોભેઃ સિવાય અભેદભક્તિ.

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406