________________
E
E
ભા.-૨
શ્રી ઓઘ-.
શ્રમણધર્મના ગ્રહણ દ્વારા જ તે બેનું ગ્રહણ થઈ જાય છે.' નિર્યુક્તિ 1 પણ આ પણ બરાબર નથી. કેમકે સંયમ અને તપ મોક્ષના પ્રધાન કારણ છે. માટે એ જુદા ગ્રહણ કરાયા છે.
પ્રશ્ન : એ બે શી રીતે મોક્ષના પ્રધાન કારણ? | ૫ol.
સમાધાન : મોક્ષ માટે બે વસ્તુ જરૂરી છે. નવા કર્મોનો બંધ અટકવો અને જૂના બાંધેલા કર્મોનો ક્ષય થવો.... બેમાંથી - એકપણ ન હોય તો મોક્ષ ન થાય. એમાં નવા કર્મોના આશ્રવને અટકાવવાનું કારણ સંયમ છે. અને પૂર્વે ભેગા કરેલા કર્મોના
ક્ષયનું કારણ તપ છે. એટલે આ બે ય પ્રધાન છે. એટલે શ્રમણધર્મના ગ્રહણ દ્વારા ગ્રહણ કરાયેલા એવા પણ આ બેનો જુદો ઉપન્યાસ કર્યો છે.
વળી આ રીતે પ્રધાનવસ્તુનો જુદો ઉપન્યાસ કરવો એ લોકમાં ય ન્યાયાનુસારી જ છે. આવો ન્યાય દેખાયો જ છે કે બ્રાહ્મણો આવી ગયા છે, વશિષ્ઠ પણ આવી ગયા છે – આ વાક્યપ્રયોગમાં બ્રાહ્મણ શબ્દના ગ્રહણ વડે વશિષ્ઠનું પણ ગ્રહણ થઈ જ જાય છે. તે બ્રાહ્મણ જ છે તો પણ બધા બ્રાહ્મણોમાં એની પ્રધાનતા હોવાથી તેનો જુદો ઉપન્યાસ કરેલો છે.
वृत्ति : तथा यच्चोक्तं-तपोग्रहणे वैयावृत्त्यविनययोर्न ग्रहणं कर्तव्यं, तदप्यचारु, "वैयावृत्त्यविनययोर्यथा स्वपरोपकारकत्वात्प्राधान्यं नैवमनशनादीनां तपोभेदानामिति ।
ચન્દ્ર.: (૪) તમારી ચોથી શંકા એ હતી કે “તપનું ગ્રહણ કરેલું હોવાથી, “વૈયાવૃત્ય+વિનયનું ગ્રહણ કરવાની જરૂર
F
=
= ‘ક
ડે
-
| ૫oll