Book Title: Kayakalp Man nu
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005278/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આ કાયાક૯૫ મનનું. યુવાચાર્ય મહાપ્રજ્ઞ Jain Educationa interational For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ કાયાક૯૫ મનનું યુવાચાર્ય મહાપ્રજ્ઞ Jain Educationa international For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ કાયાકલ્પ મનનું હિન્દી આવૃત્તિ પ્રકાશક : તુલસી અધ્યાત્મ નીડમ જૈન વિશ્વ ભારતી લાડનું (રાજસ્થાન) ગુજરાતી આવૃત્તિ પ્રકાશક : અનેકાન્ત ભારતી ૮/૧૫૨૬ ગોપીપુરા સુરત Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદક : મુનિ દુલહરાય પુસ્તક કયાક૫ મનનું ગુજરાતી અનુવાદક ડૉ. ધનસુખ એન. કાયસ્થ M.A., M.Ed., Ph.D. રેકટર્સ કવાર્ટર્સ વી.ટી. ચોકસી સાર્વજનિક કોલેજ અઠવા લાઈન્સ, સુરત ગુજરાતી અનુવાદ કરાવનાર ઉષાબહેન કુસુમચંદ ઝવેરી જૈન મંદિર, અઠવા લાઈન્સ સુરત ગુજરાતી પ્રથમ આવૃત્તિ ૧૦૦૦ નકલ સં. ૨૦૪૧ વિતરણમૂલ્ય રૂ. ૨૦-૦૦ પ્રાપ્તિસ્થાન અનેકાન્ત ભારતી ૮/૧૫૨૬ ગોપીપુરા સુરત મુદ્રક મેહન પરીખ સુરુચિ છાપશાળા બારડોલી ૩૯૪૬૦૧ આ ગ્રંથ છાપવા છપાવવા વગેરે સર્વ હક જૈન વિશ્વભારતી લાડનું (રાજસ્થાન)ને આધીન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ प्रस्तुति कायाकल्पनी पद्धति घणी जूनी छे, काया ज्यारे जीर्ण थाय छे, त्यारे तेनो कल्प करवामां आवे छे. औषधीय उपचार, रसायण अने भूगृहनी शरणमां रहीने मानवी पोतानी जीर्ण-शीर्ण कोशिकाओने नवीन बनावी ले छे. कोशिकाओमां नवीन बनवानी सहज शक्ति छे. प्रयोग द्वारा तेनुं नवीनीकरण वधु गतिशील बनी जाय छे. मन पण घसाई - घसाईने जूनुं थई जाय छे. तनाव (ताणTension)ने लीधे ते जीर्ण-शीर्ण थई जाय छे, ते वृद्ध मनने कल्प द्वारा यौवन बक्षी शकाय छे. कल्पनी पद्धति छे परम आत्मा साथे तादात्म्यनो अनुभव अने आराधना. जयाचार्ये तेनी पद्धति बतावी छे. में तेने आजना संदर्भमां प्रस्तुत करी छे. आ बधुं आचार्य तुलसीना सान्निध्यमां थयुं छे. निमित्त बन्यो प्रेक्षाध्यान शिबिर, ते शब्दोनुं संकलन-संपादन मुनि दुलहराजजीए कर्तुं छे, पाठको माटे कायाकल्पनुं विधि-विधान प्रस्तुत थई गयुं छे. १-१-१९८२ सरदार शहर राजस्थान Jain Educationa International युवाचार्य महाप्रज्ञ For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વ-કથ્ય તેરા પંથ ધર્મ-સંધના ચોથા આચાર્ય શ્રીમદ્ યાચાર્ય થયા. શ્રીમદ્ જયાચાર્યનું વ્યક્તિત્વ અને કત્વ વિલક્ષણ હતું. એમણે પિતાને જીવન-કાળમાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું. સંપૂર્ણ આગમ-સાહિત્યને સરળ અને સરસ રાજસ્થાની ભાષામાં પદ્યાનુવાદ એમના જેવા મર્મજ્ઞ મનીષી ગસાધક જ કરી શકયા. શ્રીમદ્દ જયાચાર્યની બે વિશિષ્ટ કૃતિઓ છે- “ચૌબીસી' અને “આરાધના'. આ બે કૃતિઓને આધાર-સ્વરૂપ રાખીને યુવાચાર્ય શ્રીમહાપ્રણે પ્રેક્ષા-યાન અભ્યાસ-શિબિરમાં આત્મ-દર્શનથી લઈને મનના કાયાકલ્પની જે વિવેચના કરી, તેનું સુવ્યવસ્થિત સંકલન સંપાદન મુનિ શ્રી દુલહેરાજજીએ કુશળતાપૂર્વક આ ગ્રંથના હિન્દી સંસ્કરણમાં ઉપસ્થિત કર્યું છે. જયાચાર્ય કૃત “ચૌબીસી’ અને ‘આરાધના–બે મહાન ગ્રન્થ છે. એમાંથી “ચૌબીસી' તીર્થકરની સ્તુતિ છે. જયાચાર્ય તીર્થંકર પ્રત્યે સંપૂર્ણ સમર્પણ કર્યું છે. તેમની એક-એક સ્તુતિથી, એક-એક પદ્યથી અને એક-એક શબ્દથી પ્રતિભાસિત થાય છે કે તેઓ સર્વાતમના સમર્પિત હતા. તીર્થકરો પ્રત્યે. સંપૂર્ણપણે મનને સાધી ચૂક્યા હતા, આત્મા સાથે સાક્ષાત્કાર સિદ્ધ કરી ચૂક્યા હતા. આવા સિદ્ધ પુરુષો જ મનના કાયાકલ્પને માર્ગ દેખાડી શકે છે. આ પુસ્તકના પહેલા પાના પર જ એક પંક્તિ છે. “ગુરુ તે નથી જે બુદ્ધિમાન છે. ગુરુ તે જે પ્રજ્ઞાવાન છે.” પ્રજ્ઞાવાન ગુરુ જ તન-મનની બધી ગ્રથિઓનું વિમોચન કરી શકે છે, સત્યને સાક્ષાત્કાર કરાવી શકે છે. મનને સમજવું તથા મનથી અ-મન બનવું સહેલું નથી. મન છે સ્મૃતિઓ + કપનાઓ + ચિંતન. મન અવિરામ સ્મૃતિઓના જાળમાં અથવા કલ્પનાઓના તાણાવાણામાં જ ગુંથાયેલું રહે છે, મનને સંકલ્પ વિકલ્પના ઘેરામાંથી બહાર કાઢવું અને આત્મ-સાક્ષાત્કારના માર્ગે નિયોજિત કરવું—એ જ મનના કાયાકલ્પને મહત્વપૂર્ણ માર્ગ છે. યુવાચાર્ય શ્રીમહાપ્રરે આ ગ્રન્થમાં વિવેચનાપૂર્વક આત્મા, પ્રજ્ઞા, પ્રાણ, સત્ય, મન, સ્વભાવ, વિભાવ આદિ સાથે સંબંધિત વિભિન્ન અંગોનું વિશ્લેષણ કર્યું છે અને આપણું માટે એગ જેવા ગૂઢ વિષયને સરળ અને સરસ ભાષામાં રજૂ કરીને આપણને ઉપકૃત કર્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત ભારતી પ્રકાશન યુવાચાર્ય શ્રીમહાપ્રજ્ઞ દ્વારા રચિત હિન્દી સાહિત્યના ગુજરાતી અનુવાદ તેમ જ પ્રકાશનનો એક ઉપક્રમ છેલાં કેટલાંક વર્ષોથી ચલાવી રહ્યું છે. અમારી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં “સમસ્યા-સમાધાન', જેન ગ”, “સંબોધિ-સાર”, “સાસુ-બદ્ધ' વગેરે મહત્ત્વનાં પુસ્તકનું હિન્દીમાંથી ગુજરાતીમાં પ્રકાશન થઈ ચૂકયું છે. સમસ્યા–સમાધાનની તો બીજી આવૃત્તિ પણ અમે ગુજરાતીમાં પ્રકાશિત કરી ચૂક્યા છીએ. અમારા સુવિજ્ઞ અને શ્રદ્ધાળુ ગુજરાતી વાચકેએ અમારા આ પ્રયાસને સાદર સ્વીકાર કર્યો છે; જૈન પરંપરાઓમાં પ્રાપ્ત યેગ-સાધનાની આ પ્રક્રિયાઓનું દરેક સ્તરે સ્વાગત કર્યું છે, અનુશીલનનો પ્રયાસ કર્યો છે, તથા ઉદાર હાથે આર્થિક સહકાર પણ પ્રાપ્ત કરાવ્યું છે. અમે એ બધાઓ પ્રત્યે આભારની લાગણી પ્રકટ કરીએ છીએ, તેમ જ આવા જ પ્રકારના સહકારની અપેક્ષા રાખીએ છીએ. હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ તેમ જ પ્રકાશનના સમગ્ર કાર્યની દેખરેખ માનનીય શ્રી કુસુમચંદભાઈ ઝવેરી પોતે કરે છે, આ અમારી પ્રેરણું તથા ઉત્સાહની મહત્વપૂર્ણ કરી છે. ભવિષ્યની પેઢીઓ પણ આને યાદ કરી ગૌરવ અનુભવશે. “મન કા કાયાકલ્પ' પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ આપની સમક્ષ ઉપસ્થિત કરતા અમને આત્મગૌરવનો અનુભવ થાય છે. સુરત ૯ ઓગસ્ટ ૧૯૮૫ -રૂપચંદ સેઠિયા Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કાયાકલ્પ–મનનું લેચન ૧ આત્મદર્શનનું પહેલું કિરણ . ૨ વા દશા કિશુદિન આવસી ૩ તમે તટસ્થ નથી ૪ પ્રેયથી શ્રેય તરફ ૫ અનુશાસન સંહિતા ૬ નિરાલંબનું આલંબન ૭ જીવન દર્શન ૮ રગને દબાવીએ કે મટાડીએ ૮ અન્તર્જગતને વૈભવ ૧૦ સ્વાથ્ય અને સમાધિ - ૧૬૮ • ૧૮૧ આત્મચન ૧ નવી સૃષ્ટિ–નવી દષ્ટિ ૨ મહાનતાની ચાવી ૩ મનનો કાયાકલ્પ ૪ પ્રગતિનાં સુવર્ણ સૂત્રે ૫ ધમ્મ શરણં ગચ્છામિ ૬ મનની પ્રાકૃતિક ચિકિત્સા ૭ મૈત્રી શક્તિનું વરદાન ૮ બ્રેઈન-શિંગ - ૧૮૫ • ૨૧૧ ૨૨૭ .. ૨૫૭ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ આત્મદર્શનનું પહેલું કિરણ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ yયત : ૧ સંકેતિકા अनुकूल प्रतिकूल सम सही, तप विविध तपंदा । ચેતન તન મન તેરવવી, દયાન, શુષ દયાવંા છે २ संवेग सरवर झूलता, उपशम रस लीना । निंदा स्तुति सुख-दुःखमें समभाव सुचीना ॥ ३ वासी चंदन सम पणे थिर चित जिन ध्याया । इम तन सार तजी करी, प्रभ केवल पाया ॥ (ચોવીસી 9/૨, ૪, ૬) ગુરુ તે નથી જે બુદ્ધિમાન છે, ગુરુ તે છે જે પ્રજ્ઞાવાન છે. 1 પ્રજ્ઞાનું ઘટક છે સમર્પણ 1 ગુરુ વ્યક્તિ નથી, મહાયાત્રાનો સહયાત્રી છે. 1 શરણુમાં જવાનો અર્થ છે – ... તન્મય થઈ જવું. • તપ થઈ જવું. .. અભિન્ન થઈ જવું. o ભક્તિનું રહસ્ય – પ્રભુ .... હું તમારે અતીતકાળ છું. તું મારે ભવિષ્યકાળ છે. ... વર્તમાનમાં હું તારા પથને પથિક છું. 0 આત્મદર્શન અને વસ્તુદર્શન. ઇ કાયોત્સર્ગના ત્રણ અર્થો ... • સહિષ્ણુતા. ••• અભય. ... શિથિલીકરણ. n અભયનું પ્રથમ બિન્દુ છે – . શરીરની ચિંતાથી મુક્ત થઈ જવું. = આચાર્ય સુહસ્તિી અને હાર, n કાયોત્સર્ગથી પ્રજ્ઞા જાગે છે. પ્રજ્ઞાથી સમતા ઘટિત થઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આત્મદર્શનનું પ્રથમ કિરણ ગુરુ તે છે જે પ્રજ્ઞ હેય એક ભાઈએ પૂછયું, “શું આત્મા છે? મેં કહ્યું, “મેં સાંભળ્યું છે કે આત્મા છે. હું માનું છું કે આત્મા છે. હું તેને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું.’ આત્માને જાણવાનો પ્રયત્ન ઘણે મોટે પ્રયત્ન છે. એમાં એકલાનું કામ નથી; સહારો જોઈએ; અવલંબન જોઈએ. મેં મારા ગુરુનું આલંબન લીધું છે–આત્માને જાણવા માટે...તેને સાક્ષાત્કાર કરવા માટે, આ એક લાંબી યાત્રા છે. એમાં સહારે પણ નાનો નહિ, મોટો જોઈએ. ગુરુનો ઘણે મોટે સહારે જોઈએ. ગુરુનો સહારો ઘણો મોટો હોય છે. શ્રીમજજયાચાર્ય ઘણું મોટા ગુરુ છે. તેઓ આચાર્ય છે, સાથેસાથે ગુરુ પણ નાના ગુરુ નહિ, મોટા ગુરુ. ગુરુ તે હોય છે, જેમની પ્રજ્ઞા જાગી ગઈ હોય. અધ્યાત્મના ક્ષેત્રમાં તે ગુરુ નથી જે (માત્ર) અત્યંત બુદ્ધિમાન હોય. આજીવિકાલક્ષી શિક્ષણના ક્ષેત્રમાં ગુરુ બુદ્ધિમાન થઈ શકે છે. અધ્યાપક કે પ્રાધ્યાપક ગુરુ થઈ શકે છે. પરંતુ અધ્યાત્મના ક્ષેત્રમાં માત્ર બુદ્ધિમાન માણસ ગુર નથી બની શકતો. આ ક્ષેત્રમાં તે જ ગુરુ બની શકે છે, જે બુદ્ધિની સીમા પાર કરીને પ્રજ્ઞાની સીમામાં પ્રવેશ કરી જાય છે. એક તરફ બુદ્ધિ છે, બીજી તરફ પ્રજ્ઞા છે. બુદ્ધિની સીમા ઉલંઘને પ્રજ્ઞાની સીમામાં ચાલ્યા જવું એ ગુરુત્વનું લક્ષણ છે. તે જ વ્યક્તિ બુદ્ધિની સીમાને ઓળંગીને પ્રજ્ઞાની સીમામાં પ્રવેશી શકે છે, જેણે સમર્પણ સાધી લીધું છે. જેને સમર્પણનું સૂત્ર નથી મળ્યું, જેણે સમર્પણનું મૂલ્ય નથી આંકયું, જેણે સમર્પણ સાધ્યું નથી તે વ્યક્તિ બુદ્ધિથી દૂર ખસીને પ્રજ્ઞામાં નથી જઈ શકતી; તેને માટે પ્રજ્ઞાનાં દ્વાર સર્વથા બંધ છે; પ્રજ્ઞામાં પ્રવેશ તેને માટે નિષિદ્ધ છે. સમર્પણનું સૂત્ર પ્રથમ પ્રશ્ન છે–સમર્પણ કોના પ્રત્યે ? વાસ્તવમાં સમર્પણ ચૈતન્ય પ્રત્યે જ હોઈ શકે. કેઈ વ્યક્તિ પ્રત્યે સમર્પણ નથી થઈ શકતું ? વ્યક્તિનું શું? એના પ્રત્યે સમર્પણ કેવું? જ્યાં સુધી એવું લાગે છે કે વ્યક્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ મારા પ્રત્યે અનુકૂળ છે, ત્યાં સુધી સમર્પણ રહે છે. જે દિવસે એવું લાગે છે કે વ્યક્તિને મારા પ્રત્યે અનુકૂળતા નથી તે દિવસે એ સમર્પણુ કાચના વાસણની જેમ ટુકડે ટુકડા થઈ જાય છે. કાચનું વાસણ હાથમાંથી પડે, તે તૂટે નહિ—એ કદાપિ શકય નથી. તેવી જ રીતે પ્રતિકૂળતા આવે અને સમર્પણભાવ તૂટે નહિ, એય કદાપિ સંભવ નથી. સમર્પણુ સત્ય પ્રત્યે હોઈ શકે છે, સમર્પણુ આત્મદર્શન પ્રત્યે થઈ શકે છે. સમર્પણુ ચૈતન્ય પ્રત્યે હોઈ શકે છે. જે વ્યક્તિ સત્યને માટે સમર્પિત થઈ ગઈ, જે વ્યક્તિ આત્મા પ્રત્યે સમર્પિત થઈ ગઈ, જે વ્યક્તિ ચૈતન્ય પ્રત્યે સમર્પિત થઈ ગઈ——તેનું સમર્પણુ કદી પણુ તકલાદી સમણુ હેાતું નથી. ગુરુ પ્રત્યે એટલા માટે સમર્પણુ થઈ શકે છે કે ગુરુ કાઈ વ્યક્તિ નથી હોતા; તે આત્મદર્શન અને ચૈતન્યની મહાયાત્રાના સહયાત્રી હૈય છે, સહયાગી હોય છે; તેઓ કાઈ વ્યક્તિ નથી હેાતા. જો તેઓ કાઈ વ્યક્તિ હાય, બુદ્ધિના સ્તર પર જીવનાર મનુષ્ય હાય, તા કદાપિ તેમના પ્રત્યે સમર્પણુ નથી થઈ શકતું; પછી ભલે તે તે ગુરુના આસન પર વિરાજમાન કેમ ન હેાય! ગુરુ પ્રત્યે સમર્પણુ ત્યારે જ સમર્પણુ થઈ શકે છે, જ્યારે ગુરુ સ્વયં આત્મદન અથવા અધ્યાત્મની યાત્રા કરતા હાય છે. ચૈતન્યના મહાપથ પર પ્રસ્થિત થયા હૈાય છે અને આત્મા પ્રત્યે સર્વાત્મના સમર્પિત થયા હૈાય છે. એટલા માટે ગુરુ પ્રત્યે સમર્પણું, સત્ય પ્રત્યે સમર્પણ, આત્મદર્શન પ્રત્યે સમર્પણુ અથવા ચૈતન્ય પ્રત્યે સમર્પણ—આ બધા પર્યાયવાચી બની જાય છે; એમાં કાઈ ભેદ રહેતા નથી. શરણમાં જવાના અ જયાચાયે તીથ કર પ્રત્યે, આત્મા પ્રત્યે ઘણું મેાટું સમર્પણું કર્યું . એટલું માટુ. સમર્પણુ કે જે એક અધ્યાત્મપુરુષમાં હોવુ જોઈએ, જે એક પ્રજ્ઞા-પુરુષમાં હાવું જોઈએ. તેમણે અનેક ગ્રન્થા લખ્યા. એક ગ્રન્થનું નામ છે ‘ચાવીસી', એમાં ચાવીસ તીથ કરાની સ્તુતિ છે. ગ્રન્થમાં દરેક સ્થાને જાણ્યે-અજાણ્યે તેમના મુખમાંથી એ સ્વર ગુ ંજાયમાન થતા રહ્યો છે કે—હું પ્રભુની શરણમાં જઈ રહ્યો છું.' તે પ્રભુની શરણમાં Jain Educationa International ૪ For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ગયા છે. પ્રભુની શરણમાં ગયા વગર કોઈપણ વ્યક્તિ આ મહાયાત્રાના મહાપથને પાર કરી શકતી નથી. શરણાગતિનું રહસ્ય ધણું મટુ છે ‘શરણમાં જવા'ના અર્થ છે—તન્મય થઈ જવું.' ‘શરણમાં જવા’ને અર્થ છે—તરૂપ થઈ જવું.' ‘શરણમાં જવા’ના અર્થ છે—દ્યૂતમાંથી અદ્વૈત સાધી લેવું.' ‘શરણમાં જવા’ના અર્થ છે—અભિન્ન થઈ જવું; ભેદને સમાપ્ત કરી અભેદને સાધી લેવા.’ એક ‘શરણ' અને ખીજો ‘શરણાગત'—તેમાં કાઈ અન્તર રહેતું નથી. એક શરણુ આપનાર' અને એક શરણુ લેનાર’—એવા ભેદ સમાપ્ત થઈ જાય છે. સપૂર્ણ પારિામિક ભાવ ઘટિત થાય છે. આપણું સમગ્ર જીવન પરિણમનને આધારે ચાલે છે. જેવું પરિણમન થાય છે, વ્યક્તિ તેવી જ બનતી જાય છે. જો વારંવાર ભયનું પરિણમન થાય તા વ્યક્તિ ડરપોક, ભીરુ અને કાયર બની જાય છે. જે અભયનું પરિણમન થાય તેા વ્યક્તિ પરાક્રમી બની જાય. બૂરાઈનું પરિણમન થાય તે। માણુસ ખૂરી ખની જાય; અને સારાશનું પરિણમન થાય તા માણસ સારા બની જાય. માણસ તે બને છે, જે અંતરાલમાં પરિણમન થાય છે. પરિણમનનું ચક્ર નિર'તર ચાલી રહ્યું છે. એક પણ ક્ષણ એવી નથી વીતતી, જેમાં પરિણમન થતું ન હેાય. સૂતાં-ાગતાં, ખાતાંપીતાં, હરતાં-ફરતાં—એમ હરેક ક્ષણે એ ચક્ર નિરંતર અબાધિત ગતિથી ચાલ્યા જ કરે છે. એમાં વચમાં કાઈ જ પ્રકારની અડચણ નથી આવતી—કાઈ વિઘ નથી આવતું. પ્રતિક્ષણુ પરિણમન ચાલ્યા જ કરે છે. શરણની પરિણતિ આંતરિક પરિણમનને આધારે બાહ્ય વ્યક્તિત્વ સારું-નરસું બને છે. બાહ્ય વ્યક્તિત્વ સમજવા માટે આંતરિક પરિણમન સમજવું અન્યન્ત આવશ્યક છે. જે વ્યક્તિનું પરિણમન શરણની દિશામાં છે, જે સત્યની દિશામાં જાય છે, એ સ્વયં સત્ય બની જાય છે. જયાચાયે સમપ ણુના સ્વીકાર કર્યાં. સમપ ણુમાં ભક્તિના સ્વર પણ મુખરિત થાય છે અને સ્તુતિ પણ પ્રસ્ફુટિત થાય છે. સમણમાં આત્મનિવેદન પણ થાય છે; અને સમર્પણમાં સાક્ષાત્કારની ઉત્કટ આકાંક્ષા Jain Educationa International ૫ For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પણ પરિલક્ષિત થાય છે. આ બધું સમર્પણ સાથે જોડાયેલું છે. શરણમાં જવું એ કંઈ મામૂલી બાબત નથી. જે વ્યક્તિ પરાજિત થાય છે, તે કાં તો શરણમાં જાય છે, તે વિજયનું શરણ લે છે, જેથી મુકિત મળી જાય; અથવા તે શરણમાં તે વ્યકિત જાય છે, જેના મનમાં સ્વયંને જાણવાની અદમ્ય આકાંક્ષા જાગી જાય છે. એવી વ્યક્તિ પરાજિત થઈને નહિ, પણ પરાજિત થવાની સ્થિતિને સમાપ્ત કરીને વિજેતા બનવા માટે શરણમાં જાય છે. પ્રજ્ઞાની શરણમાં જનાર સ્વયં પ્રજ્ઞા બની જાય છે. અહેતની શરણમાં જનાર સ્વયં અહંત બની છે. તીર્થકરની શરણમાં જનાર સ્વયં તીર્થકર બની જાય છે. આજપર્યત જેમણે પિતાના પૂર્વવર્તી અહંતની શરણ લીધી છે. તે જ અહંત થયા છે. અહંતની શરણમાં જઈને તેઓ સ્વયં અહંત બની ગયા. તીર્થકરની શરણમાં જઈને તેઓ સ્વયં તીર્થકર બની ગયા. જે વ્યક્તિએ અહંતની શરણ લીધી નથી, તે કદી પણ અહંત બની શક્તી નથી જે વ્યક્તિએ તીર્થકરની શરણ લીધી નથી તે કદીય તીર્થકર બની શકતી નથી. ભક્તિનું રહસ્ય એક ભાઈએ આચાર્ય વિનોબાને પૂછ્યું: આપની ભક્તિનું સ્વરૂપ શું છે ? વિનોબાએ અત્યંત માર્મિક ઉત્તર આપ્યો. તેમણે કહ્યું: મારી ભક્તિનું સ્વરૂપ છે... “પ્રભુ'. હું તમારો અતીત છું અને તમે મારા ભવિષ્યકાળ છે. વર્તમાનમાં હું તમારો અનુભવ કરું, એ જ મારી ભક્તિ છે; એ જ મારી ભક્તિનું લક્ષ્ય છે. અત્યન્ત માર્મિક કથન છે. હજારો વર્ષો પહેલાં એક ભકતે કહ્યું : “કઈ જમrfમ, રિપુ સંયમ,–ગના પંજવણfમ–ભગવાન ! હું અતીતનું પ્રતિક્રમણ કરું છું, વર્તમાનમાં આત્માભિમુખ થાઉં છું અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન કરું છું. આચાર્ય વિનાના જવાબમાં એનું જ પુનરુચ્ચારણ જોઉં છું. શબ્દનું રૂપાન્તરણ થઈ શકે છે. તાત્પર્યમાં ડેઈ અન્તર નથી. વિનેબા કહે છે, પ્રભુ ! હું તમારે અતીત છું; કારણ કે તમે પણ એક દિવસ મારા જેવા હતા. અતીતમાં તમે જેવા હતા તેવો હું આજે છું. પ્રભુ ! Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ તમે મારા ભવિષ્યકાળ છે; કેમ કે ભવિષ્યમાં હું પણ તમારે જે.. બનીશ; આજે સાધારણ સ્તર પર છું ભવિષ્યમાં તમારા સ્તર– પરમાત્મા-પદ–સુધી પહોંચી જઈશ. પ્રભુ ! વર્તમાનમાં હું તે જ રસ્તે ચાલું જે રસ્તે ચાલીને તમે “પ્રભુ બન્યા છે. પ્રભુ! આ જ મારી ભક્તિ છે. મારી ભક્તિનું આ જ રહસ્ય છે. અતીતનું પ્રતિક્રમણ, વર્તમાનને સંવર અને અનાગતનું પ્રત્યાખ્યાન. અનાગતમાં થવાનું છે, અતીતને છોડવાનું છે અને વર્તમાનમાં એવા જ રહેવાનું છે. - વર્તમાનને સંવર હશે તો અતીતનું પ્રતિક્રમણ થઈ જશે અને અનાગત (ભવિષ્ય)માં જે થવાનું છે, તે સ્થિતિ આપમેળે જ ઘટિત થઈ રહેશે. આપણે વર્તમાનને સંવર કરવાને છે. અહંત બનવાની પ્રક્રિયા ગરુડનું ધ્યાન ધરનાર સ્વયં ગરુડ બની જાય છે. હાથીના બળની ભાવના કરનાર હાથીના જેટલું બળ પ્રાપ્ત કરે છે. અહંતની ભાવના કરનાર–રાખનાર, એની શરણમાં જનાર સ્વયં “અહ” બની જાય છે. જયાચાયે અર્વતનું શરણું લીધું. તેમણે બુદ્ધિની સીમા પાર કરી અને પ્રજ્ઞાની ભૂમિકામાં પહોંચી ગયા. તેઓ એમાં પ્રતિષ્ઠિત થઈ ગયા. પછી એમણે “વીસી'નું પ્રણયન કર્યું–ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરી–અર્વતની સ્તવના કરી. “અહંત' તે વ્યક્તિ હોય છે, જે લક્ષ્ય સુધી પહોંચી જાય છે, આત્મદર્શન કરી લે છે, આત્મ-સાક્ષાત્કાર કરી લે છે; અને તે જ વ્યક્તિ તીર્થકર હોય છે, અન્ય નહિ. જેને આત્મસાક્ષાત્કાર નથી થયો તે કદી પણ “અહંત' નથી બની શકતે. ચૈતન્યદર્શન અને વસ્તુદર્શન જીવનની બે વૃત્તિઓ છેઃ એક છે “આત્મદર્શન અથવા “ચૈતન્યદર્શનની; બીજી છે “વસ્તુદર્શનની. વસ્તુ-દર્શન પ્રત્યેક વ્યક્તિ કરે છે; પરંતુ આત્મદર્શન દરેક વ્યક્તિ નથી કરી શકતી. કેટલીક વ્યક્તિઓમાં આ ભાવના જાગે છે–આત્માને જોઈને આત્માને જાણે. તેઓ આત્મદર્શનની ભાવનાથી તે દિશામાં પ્રસ્થાન કરે છે. આ એક અતિ સક્ષમ વાત છે. એ છેઃ અમૃત તત્વનું દર્શન કરવું, સક્ષ્મ તત્વને પખવું, Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્થળની બધી જ મર્યાદાઓને તોડીને સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવો. આ એક અતિ મૂંઝવણ ભરેલી સમસ્યા છે; પરંતુ કેઈપણ સમસ્યા સમાધાનથી મુક્ત નથી હોતી. સમસ્યા હોય એટલે સમાધાન હોય જ. જ્યારે પણ સમાધાનની વાત આવે છે, ત્યારે અધ્યાત્મદર્શન આપણું સમક્ષ આવે છે. આપણે એ અધ્યાત્મને સમજીએ; અને તેને અહંતના માધ્યમથી જ સમજીએ. અધ્યાત્મયાત્રાઃ ભગવાન ને પરિચય ચોવીસી'માં પહેલું સ્તવન ભગવાન ઋષભનું છે. ભગવાન આ યુગના પ્રથમ અહંત અને પ્રથમ તીર્થકર હતા. તેઓ “ગી'ના સ્વરૂપે ઓળખાય છે. બધા તીર્થકર યોગીઓ હોય છે; પરંતુ ભગવાન ઋષભનું વ્યકિતત્વ એટલું બધું વિરાટ હતું કે માત્ર જૈન પરંપરાએ જ નહિ, વૈષ્ણવ પરંપરાએ પણ તેમને યોગીના રૂપમાં માન્યતા આપી. ભકિત પરંપરાએ, ભાગવત પરંપરાએ ભગવાન ઋષભદેવને એક “અવતાર માન્યા અને યોગીના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કર્યા. મેગીના માધ્યમથી, અહંત ઋષભના માધ્યમથી આત્મદર્શનની યાત્રામાં આવનારી મુશ્કેલીઓને પાર કરવાની છે. ભગવાન ઋષભને સમજી લે. એટલે અધ્યાત્મની યાત્રા આપમેળે સમજમાં આવી જશે. આપણે પાણું પીવા માટે અલગ અલગ ખાડાઓ દવાને પ્રયત્ન ન કરીએ. એક જાણકાર માણસે બતાવ્યું; આ સ્થળે એક સ હાથ નીચે પાણી છે. દવાનું શરૂ થયું; વીસ હાથ ખાડો ખોદ્યો; પણ પાણી નહિ મળ્યું. તે ખાડાને ત્યાં રહેવા દઈને બીજે ખાડો બીજા વીસ હાથ ખોદી નાખે. વીસ-વીસ હાથના પાંચ ખાડાઓ ખોઘા; બધા મળીને સો હાથ જેટલું ખોદકામ થઈ ગયું; છતાંય પાણું નહિ મળ્યું. ગણિતને આધારે પાણું મળવું જોઈએ, પણ ન મળ્યું. એક જ સ્થાને સો હાથ ખોદકામ કરવાથી પાણી મળી આવ્યું. ગણિત બધે ચાલતું નથી. ખોદકામ એક સાથે થવું જોઈએ, ઊંડાણ હોવું જોઈએ; ત્યારે પાણી નીકળી શકે છે; નહિતર પાણું નહિ નીકળી શકે. માણસ આત્મદર્શનની યાત્રામાં આવું જ કરે છે. તે અનેક ખાડાઓ ખોદી વળે છે; પરંતુ એક પણ ખાડો એ નથી ખદત કે જે ઊંડો હેય–સંપૂર્ણ હોય. તે ક્યારેક કંઈક જુદું કરે છે. તે વળી Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ કયારેક અન્ય કંઈક કરે છે, પણ તેથી સફળતા મળતી નથી. એથી એમાં નિરાશાય ઉત્પન્ન થાય છે; ને એવો ભાસ થાય છે કે ગણિત સાચું નથી; વિચાર બરાબર નથી. સૂત્રકારો, ગ્રંથકારો અને શાસ્ત્રકારોએ એવી જ કોળકલ્પિત બાબતો પ્રસ્તુત કરી દીધી. એમાં વાસ્તવિક્તા નથી. આ આરોપ એવા લેકે પર છે, જે જ્ઞાનને આધારે સચ્ચાઈને પ્રસ્તુત કરે છે, પરંતુ ક્રિયાત્મક રૂપે તેનું પાલન કરતા નથી. તેઓ ગણિતના ચક્રમાં ફસાઈ જાય છે. અધ્યાત્મના યાત્રી આ ગણિતીય પ્રક્રિયાથી અનેક ખાડા ખોદવાની વાત છેડી દે અને એક એવે ખાડો ખોદે, જે ઊંડો હોય, પાણીના સ્રોતને ઉપર લાવી દેતો હેય. એનાથી આત્મદર્શનની અંમિટ પ્યાસ છિપાવી શકાય છે. કાસગનાં ત્રણ ત - પ્રશ્ન છે–શું ખાડે છે? કેટલો મોટો ? કેટલો ઊંડો? કાત્સર્ગને એક ખાડો બાદો છે. તે અત્યન્ત વિશાળ અને ઊંડે હવે જોઈએ. એ સિવાયના અન્ય ખાડાઓ ખોદવાની કંઈ જ આવશ્યકતા નથી રહેતી. જે પ્રાપ્ય છે, તે આપોઆપ પ્રાપ્ત થઈ રહેશે. કોત્સર્ગના ત્રણ અર્થો છે– સહિષ્ણુતા, અભય અને શિથિલીકરણ. લકે કાર્યોત્સર્ગને ખૂબ જ સીમિત અર્થમાં સમજ્યા છે. કાર્યોત્સર્ગ અર્થાત્ શરીરનું શિથિલીકરણ. શરીરને સંપૂર્ણ શિથિલ કરી કાર્યોત્સર્ગ થઈ ગયે. આ સંપૂર્ણ અર્થ નથી. આ માત્ર પચીસ ટકા અર્થ છે. કાયોત્સર્ગને પચીસ ટકા અર્થ છેઃ સહિષ્ણુતા; અને પચાસ ટકા અર્થ છેઃ અભય; કાયોત્સર્ગ ત્રિમૂર્તિ છે. એ ત્રણ પ્રતિમાઓનો બનેલો છે. - ભગવાન ઋષભ પ્રવૃજિત થયા. તેમણે અધ્યાત્મની યાત્રા શરૂ કરી. સર્વપ્રથમ એમણે કાયેત્સર્ગ કર્યો. તેઓ કાયોત્સર્ગમાં ઊભા થઈ ગયા. બંને પગ થોડા ફેલાવી દીધા. પગની એડીઓ બરાબર એક બીજા સાથે અડાડી દીધી–ભીસી દીધી. પંજામાં ચાર આંગળાંઓનું અંતર રાખ્યું. બંને હાથને નીચે લટકાવી દીધા. કરોડરજુ ટટાર રાખી ઊભા થઈ ગયા. ડોક સીધી રાખી. આંખે અધીં મીંચી દીધી– કાર્યોત્સર્ગની મુદ્રા. Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ એ રીતે એક દિવસ નહિ, બે દિવસ નહિ, પૂરા બાર માસ–ત્રણસે સાઠ દિવસ એ ને એ જ મુદ્રામાં ઊભા રહ્યા. શરીર સ્થિર, એક જ મુદ્રા, એક જ સ્થાન..બાર માસ વીતી ગયા. જે થવાનું હતું, તે થઈ ગયું; જે પ્રાપ્ત થવાનું હતું–કરવાનું હતું–તે મળી ગયું. કાયોત્સર્ગનું પહેલું તત્વ છે—શરીરની શૂન્યતા, શરીરનું શિથિલીકરણ. સહિષ્ણુતા કાયોત્સર્ગનું બીજું તત્વ છે. સહિષ્ણુતા; ધર્મનાં ચાર દ્વારમાં પ્રથમ દ્વાર છેઃ “ક્ષાન્તિ.” “ક્ષાન્તિનો અર્થ છે “સહન કરવું, “સહિષ્ણુતા. કાયોત્સર્ગમાં પણ એનું મહત્વ છે. સાધક કાયોત્સર્ગની મુદ્રામાં ઊભો છે. જે કંઈ થઈ રહ્યું છે તે થવા દે. પગને પીડા થઈ રહી છે, થવા દે. શરીર દુખી રહ્યું છે, દુખવા દે. પાણી વરસી રહ્યું છે, વરસવા દે. આંધી અને તોફાન આવી રહ્યાં છે, આવવા દે. કંઈક બહારથી (અંદર) આવી રહ્યું છે, એનેય આવવા દે. અંદરથી કંઈક (બહાર) આવી રહ્યું છે, તેનેય આવવા દો. સહિષ્ણુતા–સહન કરવું અને સહન કરતા રહેવું. તથાતા તથાતાની પ્રતિક્ષણ સ્મૃતિ અને આચરણ. જે થવાનું હોય તે થવા દોકેઈ ચિંતા નથી આ ચિંતાથી મુક્ત થઈ જવું—એ જ કાયોત્સર્ગ છે. જેનામાં સહિષ્ણુતાને ભાવ વિકસિત નથી, તે કદી પણ કાર્યોત્સર્ગ કરી શકતો નથી. શરીરમાં દર્દ થતાં જ સ્થિરતા તૂટી જાય છે, આસન બદલી નાખવામાં આવે છે. માખી કે મચ્છરને સ્પર્શ થતાં જ હાથ ઊડી જાય છે. સમગ્ર શરીર અસ્થિર થઈ જાય છે–ચંચળ થઈ જાય છે. કાયેત્સર્ગ નથી સધાતા. અવાજ થતાં જ મસ્તક તે તરફ ફરી જાય છે. આગળ-પાછળ, ડાબે-જમણે જેવા પ્રયત્ન થાય છે. સહિષ્ણુતા વગર કોત્સર્ગ નથી થઈ શકતો. ફાતિ વિના કાયોત્સર્ગ કદીય સંભવી શકતો નથી. સહિષ્ણુતા વિના કાયોત્સર્ગ થઈ શકતા નથી–કાયાને ત્યાગ થઈ શકતા નથી. અભય, અભય અને અભય જ્યારે સહિષ્ણુતા સધાય છે ત્યારે અભય ઘટિત થાય છે. સમગ્ર ધર્મનું રહસ્ય છે. “અભય” સમગ્ર ધર્મનું આદિ બિન્દુ છે. “અભય” અને Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અતિમ બિન્દુ પણ છે. “અભય” ધર્મને અથ અને ઈતિ છે... “અભય.” ધર્મ અભયથી પ્રારંભ થાય છે; અને અભયને નિષ્પન્ન કરી કૃતકૃત્ય થઈ જાય છે. વીતરાગતાને પ્રારંભ અભયથી થાય છે; અને વીતરાગતાની પૂર્ણતા પણ અભયમાં જ થાય છે. જે વ્યક્તિ ભયમુક્ત નથી હોતી, તે કદીય ધાર્મિક નથી બની શકતી–કાયેત્સર્ગ નથી કરી શકતી. કાયોત્સર્ગને અર્થ છે–અભય.” કાયોત્સર્ગને અર્થ છે –શરીરની ચિંતાથી મુક્ત થઈ જવું; અભયનું એ પહેલું બિન્દુ છે. શરીરની ચિંતાથી મુક્ત થઈ જવું –એ વાત આમ સરળ લાગે છે; પરન્તુ તે એટલી બધી સરળ વાત નથી; શરીર પ્રત્યે બનેલા ભયથી છુટકાર પ્રાપ્ત કરી લે –એ સરળ વાત નથી, “મેરું શરીર –આ શરીર મારું છે. જે ક્ષણે આ સ્વીકૃતિ થાય છે, તે જ ક્ષણે ભય પેદા થઈ જાય છે. ભયની ઉત્પત્તિનું મૂળ કારણ આ છે. શરીર પ્રત્યેનું મમત્વ ભય ઉત્પન્ન કરે છે. મમત્વ અને ભય એમ બે નથી. જ્યાં મમત્વ છે. ત્યાં ભય છે. અને જ્યાં ભય છે ત્યાં મમત્વ છે. મમત્વને છેડવું ભયમુક્ત થવા બરાબર છે, અને ભયમુક્ત થવું એટલે મમત્વ છેડવા બરાબર –મમત્વહીન થવા બરાબર–છે. મમત્વને છોડવું ચૈતન્ય પ્રતિ જાગ્રત થવાનું છે. શરીર પ્રત્યે જે જાગૃતિ છે, એનાથી છુટકારો પ્રાપ્ત કરવો એ ઘણુ મોટી સિદ્ધિ છે. - જે વ્યકિતએ અધ્યાત્મને માર્ગે ચરણ મૂક્યા છે, જે અધ્યાત્મ તરફ જાગ્રત થવા ઈચ્છે છે, તેણે સર્વ પ્રથમ ભયમુક્તિની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. બે રેખાઓ છેઃ એક છે ભયની રેખા. બીજી છે અભયની રેખા. બંને સમાન્તર રેખાઓની જેમ સાથે સાથે ચાલે છે. બધાં જ દુઃખની જડ છે આ ભયની રેખા. જે વ્યક્તિએ ભયની રેખા સાથે યાત્રા શરૂ કરી છે, એના અન્તરૂમનમાં ભય પળાતો જશે. ભય તનાવ (તાણુ પેદા કરે છે. બધા પ્રકારની તાનું મૂળ આ જ છે. મનુષ્ય તાણમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; પરંતુ ભયની રેખા પર ચાલનાર માનવી કદી પણ તાણથી મુક્ત થઈ શકતો નથી. મમત્વની રેખા પર યાત્રા કરનાર યાત્રી તાણથી મુક્ત થવા ઇચ્છે–એ મૂતં ન મવષ્યતિ-કદી બન્યું Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ નથી, કદી બનશે નહિ—કયારેય સભવ નથી. ભય અને મમત્વની ઉપસ્થિતિમાં તાણુની ખીમારી અસાધ્ય બની રહે છે. તેના કાઈ જ ઈલાજ થઈ શકતા નથી. યાત્રા-પથનુ પરિવત ન તાણુથી મુક્ત થવા માટે, આ સર્વ વ્યાપક બીમારીઓથી છુટકારા મેળવવા માટે માનવીએ પેાતાના યાત્રાને! માર્ગ બદલવા પડશે. ધર્મ ખીજુ શું કરે છે? તે માત્ર રસ્તા બદલે છે. ધર્મ કહે છેઃ આટલા દિવસ તમે ભયની સાથે ને સાથે ચાલી રહ્યા હતા; હવે અભયની સાથે ચાલા. ભયની રેખાથી દૂર રહીને અભયની રેખા પર ચાલેા. જે થવાનું હશે તે થશે. પુરુષાર્થ કરવા હાય તે પુરુષાર્થ પણ કરા. બદલવાના પ્રયત્ન કરે. માથે હાથ દઈને, નકામા થઈને, નિરાશ થઈને બેસી ન રહેા, ધર્મોના સિદ્ધાન્ત પુરુષાર્થહીનતાના સિદ્ધાન્ત નથી; તે પરમ પુરુષાતા સિદ્ધાન્ત છે. તે કહે છેઃ અટકે નહિ, પુરુષા કરતા રહેા. પરિસ્થિતિ બદલવાને ઉપક્રમ કરતા રહેા, પરન્તુ અંતર્મનમાં ભયનું પાલન-પાષણ ન કરે. ભયનું પાષણ કરશેા તે પરિસ્થિતિ વધુ વિકટ બનશે; શક્તિ વધુ નષ્ટ થશે. પરિસ્થિતિને પહેાંચી વળવાનુ સૌથી માટું સૂત્ર છે—સમયની સાધના અને પરાક્રમની સાધના. અભય અને પરાક્રમઅંતે સાથે સાથે ચાલે. ભયની સાથે પરાક્રમને નહિ જોડે. જ્યાં ભય સાથે પરાક્રમ જોડાય છે, ત્યાં ખીને મારવા, ખીજાને પ્રતાડિત કરવા, ખીજાને ફેંકી દેવાની વાત પ્રસ્તુત થાય છે કે જ્યાં અભય સાથે પરાક્રમ જોડાય છે, ત્યાં માત્ર પેાતાની શક્તિ પ્રગટ કરવાની વાત આવે છે; ખીજની ચિંતા સમાપ્ત થાય છે. અભયા માર્ગ ઘણા વિશાળ છે. આચાય સુહસ્તી કાયાત્સની મુદ્રામાં એક વૃક્ષ નીચે ઊભા હતા. તેમણે સ’કલ્પ કર્યાં કે આખી રાત કાયેટ્સની મુદ્રામાં રહીશ. તેએ મેાટા શક્તિશાળી આચાય હતા. આખી રાત, ચાર પ્રહર સુધી કાયાત્સગ મુદ્રાના અભ્યાસ કરવે એ કાયેત્સગ પ્રતિમા કહેવાય છે. આચાય સ્થિર ઊભા છે; શિષ્યા આવે છે; સંભાળ લઈને ચાલ્યા જાય છે. C આચાર્ય ના ગળામાં હાર સયેાગની વાત છે. મહારાજા શ્રેણિકની રાણી ચિલ્લના તળાવ પર સ્નાન કરવા ગઈ. બધાં જ આભૂષા કિનારા પર મૂકી દીધાં. ગળાના Jain Educationa International ૧૨ For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ હાર પણ બહાર કાઢીને કિનારે મૂકી દીધો. તે રાણી પોતાની સખીઓ જોડે જલક્રીડામાં મગ્ન હતી. એટલામાં એક વાર ત્યાં આવ્યો. એની દષ્ટિ હાર પર પડી ને એ હાર લઈને ચાલ્યો ગયો. કેઈને પણ આ બાબતની ખબર પડી નહિ. પેલો વાનર હારને લઈને એક વૃક્ષથી બીજા વૃક્ષ પર કૂદતો-ઓળંગતે રમત કરવા લાગ્યો. તે એ વૃક્ષ ઉપર આવીને બેઠે જ્યાં આચાર્ય સહસ્તી કાર્યોત્સર્ગ પ્રતિમામાં ઊભા રહ્યા હતા. વાનરે હાર હાથમાં લીધો. સારે અવસર જે. સૌથી સારી વ્યક્તિ જોઈ વિચાર્યું કે આવી કઈ બીજી વ્યક્તિ મળશે, જેના ગળામાં હાર પહેરાવવામાં આવે ? જે વ્યક્તિ ખુદ હાર માટે ઉત્સુક હોય છે એને કંઠમાં હાર પહેરવાને ખાસ અર્થ નથી હોતો; પરતુ જેના મનમાં હાર પહેરવાની આકાંક્ષા સમાપ્ત થઈ ચૂકી છે, તેના કંઠમાં હાર પહેરાવવો અર્થ યુક્ત હેય છે. વાનર વૃક્ષ પરથી નીચે ઊતર્યો. હારને આચાર્યને કંઠમાં નાખીને ફરીથી વૃક્ષ પર જઈ બેઠા. હાર વિશિષ્ટ રત્નને બનેલો હતો. રત્નનાં કિરણો તરફ પ્રસરી ગયા. જે દિવ્ય હાર રાણું ચિલ્લનાના કંઠની શોભા વધારતો હતો તે આચાર્યના કંઠમાં શોભાયમાન થઈ રહ્યો હતો. આચાર્ય સહિષ્ણુ છે, અભય છે તેમને કેાઈ ભય નથી કે લેકે હાર જઈને શું કહેશે ? મુનિના કંઠમાંને હાર લેકે જોઈ લે તો મૂંઝવણમાં પડી જાય છે; અને આચાર્યના કંઠમાં દિવ્ય રત્નને હાર જોઈ લે તે સમસ્યા વધુ જટિલ બની જાય. આચાર્ય ભયમુક્ત હતા. અભય બની ચૂક્યા હતા. કાર્યોત્સર્ગમાં લીન હતા. તેઓ સ્વયંમાં છે. હાર પિતાની જગ્યાએ છે. તેઓ ચૈતન્યમાં સ્થિત છે અને હાર શરીર પર પડે છે. તેમને શરીરની ચિંતા હતી નહિ, તે પછી હારની ચિંતા શા માટે કરે ? કોઈ પ્રકારની ચિંતા હતી નહિ. રાતને પહેલો પ્રહર વી. જે શિષ્ય સેવામાં હતા, તેઓ દૂર બેઠા હતા. તેઓ અભયકુમાર પાસે ગયા. અભયકુમાર વ્રતની આરાધના કરી રહ્યો હતો. તેઓ બેલ્યા, ગરો મય, ગો મયં અભયકુમારે સાંભળ્યું; વિચાર કર્યો : અરે આ શું ? મુનિને ભય કેવો ! શું એમને ભય હજી ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સુધી નથી ગયો ? તેઓ કહી રહ્યા છે—અહો , કહો માં. તેમણે કહેવું જોઈએ સો વિરમય, સો વિરમય ! આત્મા પ્રત્યે “અહો !' હોવું જોઈએ આ મુનિ ભય સાથે “ગરો જોડી રહ્યા છે. અભયકુમારે પૂછયું: મુનિવર ! આપનામાં હવે ક ભય બાકી રહી ગયા છે ? મુનિ બેલ્યા નહિ, જતા રહ્યા. રાત્રિને બીજે પ્રહર વી. બીજા મુનિ અભયકુમાર પાસે આવીને બેલ્યા : “મમાં, મમાં !” અભયકુમારે વિચાર્યું કે શું બધા સાધુ ભયભીત જ થાય છે? શું બધી કાયર વ્યક્તિઓ જ સાધુ બને છે ? એમને ભય જ ભય દેખાય છે! એક આત્મસાધક વસ્તુનો ત્યાગ કરવાની ક્ષમતા રાખે છે; સર્વસત્તાઓ અને અધિકાર છોડી દેવામાં સક્ષમ હોય છે. બધી મર્યાદાઓ અને પરંપરાઓ છોડી દઈને ચૈતન્ય પ્રતિ સમર્પિત થઈ જાય છે, તેમના મનમાંથી પણ ભય નથી નીકળતા તો પછી અભય કેણ થઈ શકે છે ? આ તો જાણે પાણુમાં જ આગ લાગી ગઈ છે. ખૂબ આશ્ચર્યજનક બાબત લાગે છે. રાત્રિને ત્રીજો પ્રહર પણ વીતી ગયો. બીજા મુનિઓ આવ્યા અને અભયકુમારને કહ્યું : “તમય, અતિમય !' અભયકુમાર આશ્ચર્યમાં ડૂબી રહ્યો હતો. સમસ્યા વધુ ગૂંચવાઈ રહી હતી. રાત્રિને ચોથે પ્રહર વીત્યો. સવાર થઈ. સૂર્યનાં કિરણે પથરાવા લાગ્યાં. તેની આભાથી ભૂમંડળ આલોકિત થવા લાગ્યું. એટલામાં જ કેટલાક મુનિઓ આવ્યા અને મોટે મોટેથી બાલવા લાગ્યા : “તમાં, મામ; મમ, તમય ' અભયકુમારે વિસ્મિત નેત્રો વડે તેમને જોયા અને વિચાર્યું – આજે ગગનમાંથી ભય વરસી રહ્યો છે. બધા જ ભયની વાત કરી રહ્યા. છે. તે ઊડ્યો, બહાર આવ્યો. એક વૃક્ષ તરફ તેની નજર ગઈ. ત્યાં આચાર્ય કાર્યોત્સર્ગની મુદ્રામાં સ્થિત હતા. અભયકુમારે દૂરથી જોયું– આચાર્યના કંઠમાં કોઈ વસ્તુ પડી છે તે ચમકી રહી છે. સૂર્યનાં કિરણની સાથે એને ચળકાટ પણ વધી રહ્યો છે. તેઓ થોડા નિકટ - ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ગયા... જોયું : આચાય ના કઠમાં હાર છે ! એ ખાલી ઊઠયા : અરે ! આ તા તે જ હાર છે, જે કેટલાક સમય પહેલા ગુમ થઈ ગયા હતા ! રાણી ચિલ્લનાના જ આ હાર છે. આ હાર માટે જ રાજએ મને કહ્યું હતું : અભય ! આ હાર શેાધી નહિ કાઢશે। તા તમારે એના પરિણામ માટે તૈયાર રહેવું પડશે. પરિણામ કેટલુ ભયંકર હશે, એ તેા તમે જાણા જ છેા. હું એ હારની શેાધમાં નીકળ્યા. એને કયાંય પત્તો લાગ્યા નહિ. છેવટે હું ધર્માંના શરણમાં ગયા; વ્રતની આરાધનામાં લાગ્યા. ચિત્તને નિ`ળ બનાવ્યું. ચેતના શુદ્ધ કરી, જેથી કાઈ આભાસ મળી જાય. અ ંતે ધર્મનું શરણુ સફળ થઈ રહ્યું ——હાર મળી ગયા. અભય આચાર્ય પાસે ગયા અને તેમના કઠમાંથી હાર કાઢી લીધે. આચાયે કાયાત્સગ પૂર્ણ કર્યા. રાતભર હાર કઠમાં પડી રહ્યો —તેમને એના કાઈ આનદ ન હતા; હાર નીકળી ગયા, એનેા તેમને કાઈ વિષાદ નહોતા, આ હતી અભયની સાધના ! અભય ત્યારે જ આવી શકે છે, જ્યારે કાર્યોત્સર્ગ થાય છે. રૂમ તનુસાર તેની રી પ્રભુ જેવલ પાયા । ' ~જે શરીરની સાર-સંભાળ ત્યજી દે છે, કાયાત્સગ સાધે છે, તેમાં કૈવલ્ય ઉત્પન્ન થાય છે. મનુષ્ય શરીર પ્રત્યે પણ જાગ્રત બને અને ચૈતન્ય માટે પણ જાગતા રહે એ શત્ર નથી. બંને એક સાથે જાગી ન શકે. કૈવલ્ય પણ જોઈએ અને શરીરનું મમત્વ પણ ન છૂટે—એ કેવી રીતે સંભવિત છે? જ્યારે શરીર પરત્વેનું મમત્વ છૂટી જાય છે ત્યારે ચૈતન્ય જાગ્રત થાય છે. જ્યારે શરીર પ્રત્યેનું મમત્વ જાગતું રહે છે ત્યારે ચૈતન્ય તેલું પડી રહે છે. તેનું એક સાથે જાગરણ નથી થઈ શકતું. એકના સૂવાથી જ બીજુ જાગી શકે છે. ચચળતાની નિવૃત્તિ : શિથિલીકરણ છે કાયાત્સગના ત્રીજો અર્થ ‘શિથિલીકરણ ' છે. ‘શિથિલીકરણ ’ના અર્થ છે : ચંચળતાની નિવૃત્તિ. શરીર સંપૂર્ણ સ્થિર થઈ જાય; કાઈ પણુ અંગ હૂલે નહિ; શરીરની તમામ પ્રવૃત્તિઓનું વિસર્જન કરવામાં આવે, એ ‘ શિથિલીકરણ ” છે. " Jain Educationa International ૧૫ For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ બે પ્રકારનાં નાડી-સંસ્થાન છે. સ્વત:ચાલિત નાડી-સંસ્થાન અને ઈચ્છા-ચાલિત નાડી-સંસ્થાન. પ્રથમ આપણે ઈચ્છા-ચાલિત નાડી-સંસ્થાન સ્થિર કરવાનું શીખીએ. જેમ જેમ ટેવ પડશે, સ્થિરતા પ્રાપ્ત થતી જશે. જ્યારે ઈચ્છા-ચાલિત નાડી-સંસ્થાન પર નિયંત્રણ સ્થાપિત થઈ જશે, ત્યારે સ્વત:ચાલિત નાડી-સંસ્થાન પણ સ્વયં જ સ્થિર થવા લાગશે –હૃદયની ધડકન પણ ઓછી થવા લાગશે; શ્વાસ મંદ થઈ જશે, એની સંખ્યા ઘટશે. રક્તચાલનની ક્રિયા પણ મંદ પડી જશે. પ્રાણવાયુ (ઓકિસજન)ને વપરાશ પણ ઓછો થઈ જશે; સર્વ અપેક્ષાઓ ઓછી થઈ જશે; અને ભીતરમાં—અંદરની દુનિયામાં–અકલ્પિત શાન્તિનું વાતાવરણ સર્જાઈ જશે. કાયેત્સર્ગનાં બે ફલિત ભગવાન ઋષભે બાર માસને કાર્યોત્સર્ગ કર્યો. એમણે ઈચ્છા-ચાલિત નાડી-સંસ્થાન પર નિયંત્રણ સ્થાપિત કર્યું. શું આ કંઈ જેવી તેવી ને સામાન્ય વાત છે? પૂરા બાર માસ હાલ્યા ચાલ્યા વિના ઊભા રહેવું એ શું ઓછા મહત્ત્વની બાબત છે? ભૂખ-તરસ, ઠંડી-ગરમી આદિ સહન કરવાં એ પણ મહત્ત્વપૂર્ણ તથ્ય છે. ઈચ્છી-ચાલિત નારીસંસ્થાન પર નિયંત્રણ પૂર્ણ થતાં સ્વત:ચાલિત નાડી-સંસ્થાન વશવર્તી બની જાય છે. સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત થતાં જ કાયોત્સર્ગ સધાઈ ગયો કહેવાય; અને જ્યારે કાસર્ગ સધાઈ ગયો એટલે “નેતન તન મન – ચિંતન અને શરીરની ભિન્નતા સ્પષ્ટ થઈ ગઈ–સાક્ષાત્કાર થઈ ગયો. આ રહ્યું શરીર ને આ રહ્યું ચૈતન્ય. આ રહ્યો દેહ અને આ રહ્યો આત્મા. વલેણું કર્યું. એક બિન્દુ આવે છે–આ રહી છાશ અને આ રહ્યું માખણ. તલ પીલવામાં આવે છે.એક બિન્દુ આવે છે–આ રહ્યો ખોળ ને આ રહ્યું તેલ. સેનું તપાવવામાં આવે છે... એક (સમય) બિન્દુ આવે છે–આ રહી માટી ને આ રહ્યું શુદ્ધ સુવર્ણ. વિવેક થઈ જાય છે; પૃથક્કરણ થઈ જાય છે. આ શરીર એ કંઈ માત્ર જડ જ નથી; આ શરીરની ભીતર આત્મા છે–પરમાત્મા છે. સૌથી વધુ મૂલ્યવાન અને અત્યન્ત શક્તિશાળી તથ્ય છે શરીરમાં. જે વ્યક્તિએ પોતાના શરીરની અંદર રહેલા પ્રભુને ઓળખવાનો પ્રયત્ન નહિ કર્યો, જેણે પોતાની વિપન્નતાઓને સમાપ્ત નહિ કરી, તેવી વ્યક્તિ આવે છે અને ચાલી જાય છે, તેણે જીવનને સાર નથી કાઢવ્યો. તેણે શરીરનું મૂલ્યાંકન પણ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ નહિ કયું વાસ્તવમાં શરીરનું મૂલ્યાંકન તે જ વ્યક્તિ કરી શકતી હોય છે, જેણે કાયોત્સર્ગને અભ્યાસ કર્યો હોય છે. વાસ્તવમાં શરીરને સાર તે જ કાઢી શકે છે, જેણે કાત્સર્ગ સાથે છે. ભગવાન ઋષભે કાયસર્ગની સાધના કરી. કાયોત્સર્ગની સાધનાની બે નિષ્પત્તિઓ છે : જે વ્યક્તિ કોત્સર્ગની સાધના કરે છે, એને આત્માનાં દર્શન થાય છે–ચૈતન્યને સાક્ષાત્કાર થાય છે–તેની પ્રજ્ઞા જાગ્રત થાય છે. જે વ્યક્તિ કોત્સર્ગની સાધના કરે છે, તેનામાં સમતાને વિકાસ થાય છે. લાભ-અલાભ, સુખ-દુઃખ, નિન્દા-પ્રશંસા, જીવન-મૃત્યુ–આવાં ઠંદ્વોમાં સમ રહેવાની ક્ષમતા તે વ્યક્તિમાં વિકસિત થાય છે. જે કાયોસર્ગને સાધી લે છે; જ્યારે કાર્ગ દ્વારા પ્રજ્ઞાનું જાગરણ થાય છે, ત્યારે સમતા પણ જાગ્રત થાય છે. બુદ્ધિમત્તા બુદ્ધિ અને પ્રજ્ઞામાં એટલું જ અન્તર છે કે બુદ્ધિ પસંદગી કરે છે : આ પ્રિય છે–આ અપ્રિય છે. પ્રજ્ઞામાં પસંદગી પ્રવૃત્તિ સમાપ્ત થઈ જાય છે. એની સમક્ષ પ્રિયતા-અપ્રિયતાને પ્રશ્ન જ ઊઠતો નથી. એની સમક્ષ સમતા જ પ્રતિષ્ઠિત થાય છે. પ્રજ્ઞામાં પ્રિય-અપ્રિય ભેદ જ નથી હોતા. બંને આયામ સમાપ્ત થઈ જાય છે; પ્રિયતાને આયામ પણ સમાપ્ત થઈ જાય છે; અને અપ્રિયતાને આયામ પણ સમાપ્ત થઈ જાય છે અને એક ત્રીજે જ આયામ ઉઘાટિત થાય છે-તૃતીય લોચન (ત્રીજી આંખ) ખૂલી જાય છે. તે આયામ છે “સમતાને. એ આંખ છે સમતાની. એ જ આપણી પ્રજ્ઞા. જે પ્રજ્ઞાની ભૂમિકામાં પ્રતિષ્ઠિત નથી, તે સમતાની ભૂમિકામાં નથી જઈ શકતા. કાયોત્સર્ગ દ્વારા પ્રજ્ઞા જાગે છે અને પ્રજ્ઞાથી જીવનમાં સમતા આવે છે. જો આપણી અંદર આત્મદર્શનની આકાંક્ષા હેય, તો આપણે સત્ય પ્રત્યે સમર્પિત થવું પડશે અને સત્યની યાત્રા કરવા માટે ગુરુ પ્રત્યે સમર્પિત થવું પડશે. ગુરૂની પસંદગી કરીએ અને એમને સત્યની આ યાત્રાના સહયોગી બનાવીએ-ગુરુના અનુભવોને લાભ ઉઠાવીએ. મ-૨ ૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું આદિ-બિંદુ પ્રશ્ન થાય છે? ધર્મ ક્યાંથી શરૂ કરીએ? ધર્મનું પ્રથમ બિંદુ છે “કાયોત્સર્ગ. કાત્સર્ગ વિના ધર્મની યાત્રાને પ્રારંભ નથી શકતો. કાયેત્સર્ગ ધર્મનું પ્રથમ સૂત્ર છે. કાયોત્સર્ગને અભ્યાસથી બુદ્ધિનું પહેલું નીચું નમતું જશે અને પ્રજ્ઞાનું પહેલું ઉપર ઊઠતું જશે. આમાં ભારે નથી બનવાનું, હલકા-હળવા બનવાનું છે; ઉદર્વગામી બનવાનું છે. જીવનમાં જે દિવસે પ્રજ્ઞાનું પ્રથમ કિરણ ફૂટશે, આપમેળે સમતાનાં દર્શન થશે. આત્મદર્શનને અર્થ છેઃ પ્રજ્ઞાનું જાગવું. આત્મદર્શનને અર્થ છેઃ સમતાના પ્રથમ કિરણનું કૂટવું. Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ વા દસા કિષ્ણુ દિન આવસી (તે દશા ક્યા દિવસે આવો) Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કર્ સંકેતિકા 9 संभव साहिब समरिये, ध्यायो है जिन निर्मल ध्यान के । इक पुद्गल दृष्टि थाय नै, कीधो है मन मेरु समान के 11 તન પંચછતા મેટ મૈં, દુકા હૈ બનથી રવાસીન છે । धर्म शुक्ल थिर चित धरै, उपशम रसमें होय रह्या लीन कै ॥ ૨ ३ राजिमती छांडी जिनराय, शिव सुन्दर स्यूं प्रीत लगाय । प्रभु नेम स्वामी ! तूं जगनाथ अंतरजामी ॥ (ચૌવીસી ૩/૬, ૨ ૨૨/૨) D એ તટવર્તી જીવન. ० किं सारं सारं सारंगलोचना. ૩ અનુભવ જ સાચા નિષ્કર્ષ સુધી લઈ જાય છે. ૩ ભે!ગ ભયંકર કટુ ફળ-કેવી રીતે? ઘ સુખ શું છે? સુખ કાં છે? m અનુમસ્તિષ્ક અને મસ્તિષ્કના પાછળના ભાગ અત્યન્ત મહત્ત્વપૂર્ણ ત્ત અન્તર્દષ્ટિનું જાગરણ કેવી રીતે? ॥ અપ્રાપ્ત માટે પ્રાપ્તના ત્યાગ મૂર્ખતા છે. ...પ્રેક્ષા-ધ્યાન—રસાયણ પરિવર્તનની પ્રક્રિયા ॥ ધ્યાનની પ્રક્રિયા મસ્તિષ્કના નિયંત્રણ-સૂત્રેાને સમજવાની પ્રક્રિયા. ઘે ગાયમા ‘આય માટે બની ગયા. Jain Educationa International २० For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ वा दसा किण दिन आवसी ? બે તટેનું જીવન તટ બે છે, એક નહિ. જે એક જ તટ હેત તે મનુષ્ય ડામાડોળ નહિ થાત. તટ બે છે–કિનારા બે છે. એટલે પસંદગીને પ્રશ્ન ઊઠે છે. ચિત્ત ડામાડોળ થાય છે. જીવનના પણ બે તટ છે. એક આ તરફને તટ અને બીજે સામે પારને તટ. હવે પસંદગીની વાત આવે છે કે આ તરફનું જીવન જીવવામાં આવે કે પેલી તરફનું જીવન જીવવામાં આવે? મનમાં એક પ્રકારને સન્દહ પેદા થાય છે. મનુષ્ય વિમાસણમાં પડી જાય છે. નિર્ણય કરવો અત્યન્ત કઠિન છે કે કઈ તરફનું જીવન જીવવું? આ તરફને કિનારો અત્યન્ત સ્પષ્ટ છે; એમાં કઈ સદૈવ નથી; એ સંપૂર્ણ સ્પષ્ટ છે; એનું સ્પષ્ટ ચિત્ર બિલકુલ નજર સમક્ષ છે. પિલી તરફને કિનારે અસ્પષ્ટ છેઝાંખે છે. એ બાબતમાં અનેક માન્યતાઓ છે—ધારણાઓ છે. પેલી તરફના કિનારામાં આધ્યાત્મિક સુખ છે. એ સુખ એવું છે, જે ભૌતિક પદાર્થોથી દૂર છે. તે સુખની પત્તિમાં પદાર્થને કઈ ભાગ નથી કેાઈ હિસ્સો કે સહકાર નથી. એ છે પદાર્થાતીત સુખ. એની સમક્ષ વિશ્વનાં તમામ સુખો નગણ્ય છેતુચ્છ છે. બીજી બાજુ જોઈએ તે આ તરફના કિનારાનું સુખ ખૂબ જ લેભામણું છે; તે ઇન્દ્રિયોને લલચાવે છે; મનને આકર્ષિત કરે છે. સમગ્ર ચેતના તેમાં ડૂબી જાય છે; એમ લાગે છે કે જે વિશ્વમાં કઈ સારભૂત તત્વ હોય તે તે આ જ છે; એનાથી અધિક સારભૂત તત્વ અન્ય કેઈ નથી. એક તરફ પ્રત્યક્ષ અનુભવ છે; જ્યારે બીજી તરફ સોનેરી સપનું છે; એક તરફ બધું જ સાક્ષાત છે; જ્યારે બીજી તરફ માત્ર કલ્પના છે. કલ્પનાનું સુખ સારું હોય છે; પરંતુ જ્યારે યથાર્થના ધરાતલને સ્પર્શ થાય છે ત્યારે તેની વિસ્મૃતિ થઈ જાય છે. વળી જે પ્રત્યક્ષ હોય છે એના પ્રતિ મન આકર્ષાય છે. આ બે તટ-કિનારાઓની સ્મૃતિ મનુષ્યને ડામાડોળ બનાવી દે છે. મનુષ્ય નિર્ણય નથી કરી શકતા કઈ તરફના તટનું જીવન જીવવું– ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ આ તરફના તટનું કે પેલી તરફના તટનું? કયારેક મન લલચાય છે કે પેલી તરફના તટ પર જાઉં અને એ જીવનને રસાસ્વાદ લઉં, પરતુ વર્તમાનને જોઈને મન પાછું પડે છે; મનમાં સન્દેડ પેદા થાય છે. એવા સન્દેહ પેદા થાય છે કે સાંભળ્યું છે કે પેલી તરફનું જીવન અત્યન્ત સુખદ છે; પરંતુ ખબર નથી કે તે ક્રેવુંક છે—તે એવું છે કે નહિ... લખનારે કેવળ કલ્પના તા નથી કરી ને! એણે માત્ર સ્વપ્નિલ ભાખતા જ તેા નથી લખી તે! એના લખાણમાં વાસ્તવિકતા છે કે નહિ? મનમાં અનેક પ્રકારના સંશયા પેદા થાય છે; અને પરિણામે સામેના કિનારા તરફ પગ માંડવાની બધી જ ભાવનાએ સૂઈ જાય છે—મરી જાય છે. આ સ્થિતિમાં અધ્યાત્મ માત્ર એક કલ્પના બની રહે છે; ધ એક દિવાસ્વપ્ન સમાન બની રહે છે; અને યથાર્થ રહે છે કેવળ ઇન્દ્રિયાનું જગત—મનનું જગત—પદાર્થનુ` જગત અથવા ભ્રમણાઓનું જગત. એવી માન્યતા બની જાય છે કે ત્યાગની સંપૂર્ણ ધારણા ફક્ત તે લેાકેાની સ્વપ્નિલ કલ્પના છે, જેમણે યથાને જાણ્યું નથી, ભેગવ્યું નથી; એમણે કલ્પનાની પાંખા પર ઉડ્ડયન કર્યું અને જેમ ઇચ્છા આવી તેમ લખી નાખ્યું, ઉપરોક્ત સમસ્યા——ભૂતકાળમાંય રહી છે અને આજે પણ યથાવત્ છે. આ સમસ્યાને માનવી આજ સુધી ઉકેલી શકયો નથી. માનવી સાંભળે છે, જાણે છે—આ વિશ્વ પૌદ્ગલિક છે; પૌદ્ગલિક સુખ અનિત્ય છે—અસાર છે. મો મા તુ —ભાગ ભયંકર છે અને તેને વિપાક કડવા હાય છે’—એક તરફ આ ધારણા છે. સાર' સારગલે ચના ખીજી તરફ એથી વિપરીત ધારણા છે. વિદ્વાનાની સભામાં સમસ્યાપૂર્તિ માટે એક પદ્ય આપવામાં આવ્યું—f સારમ્ ?' વિદ્વાનેએ સમસ્યાપૂર્તિમાં અનેક શ્લેાકેા કહ્યા. દરેકના પોતપોતાની રીતના અભિપ્રાય હતા; પોતપોતાની રીતને દષ્ટિકાણુ હતા. મહાકવિ કાલિદાસે પણ પોતાના એક શ્લાક કહ્યો: અમારે લનુ સંસારે, સારું સારંગલોષના' આ અસાર સંસારમાં જો કાઈ સારભૂત તત્ત્વ-વસ્તુ—છે તેા તે છે—સ્ત્રી.’ સ્ત્રી શબ્દ સમસ્ત પૌદ્ગલિક વિશ્વનું પ્રતીક છે. સ્ત્રી વિના બધું જ અસાર છે. Jain Educationa International ૨૨ For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ બે વિદ્યાઓ છે; એક છે ત્યાગની વિદ્યા અને બીજી છે ભેગની વિદ્યા. એક તરફ ત્યાગ સાર છે તો બીજી તરફ ભેગ સાર છે. એ બંને તટોની વચ્ચે રહીને દરેક વ્યક્તિએ એ નિર્ણય કરવાનો હોય છે કે વાસ્તવમાં સાર શું છે? શું આપણુ પાસે એવું કોઈ સાધન છે, જેને દ્વારા આપણે આ નિર્ણય કરી શકીએ –વસ્તુસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરી શકીએ ? - સાચો નિર્ણય અને નિષ્કર્ષ સુધી પહોંચવા માટેનું આપણુ પાસે એક અત્યન્ત મૂલ્યવાન સાધન છે–અનુભવ.” બુદ્ધિથી આપણે સાચા નિર્ણય પર નથી આવી શકતા. બુદ્ધિ યા તર્ક દ્વારા આજ સુધી લોકોએ પૌગલિક જગતનું સમર્થન કે ખંડન કર્યું. તે સમર્થન પણ અધૂરું છે અને તે ખંડન પણ અધૂરું છે. તે સમર્થન યા ખંડનમાં કઈ પ્રાણવત્તા નથી. એક દિવસ બધાએ મરવાનું છે હું કહું. કહેલી-સાંભળેલી વાતનું પુનરાવર્તન કરું કે “જગત અસાર છે; શરીર અનિત્ય છે; પરિગ્રહ તમામ પાપનું મૂળ છે; પૌદ્ગલિક પદાર્થ દુઃખ આપનાર છે; ભોગોમાં કાઈ સાર નથી”. આ વાતનું નિરંતર પુનરાવર્તન કરે અને જીવન એની વચ્ચે વીતાવતો રહે; તે તેથી કોઈ લાભ થતું નથી. પરિગ્રહ વિના માનવી એક ઈંચ પણ ચાલી શકતો નથી. રોટલી અને પાણી માટે પરિગ્રહ જરૂરી છે; કપડાં માટે પરિગ્રહ જરૂરી છે. સમગ્ર જીવનયાત્રા ચલાવવા માટે પરિગ્રહની અનિવાર્યતા છે; તે પછી આપણે શી રીતે કહી શકીએ કે પરિગ્રહ પાપનું મૂળ છે ? એ વિધાન શી રીતે માનીએ ? યથાર્થતાની ભૂમિકા પર એને સ્વીકાર કરવામાં મુશ્કેલી પડે છે. “ભગ ભયંકર છે–એ શી રીતે માનીએ ? મનુષ્યને જે સુખ મળે છે, તે બધું પાંચ ઇન્દ્રિયને ઉપભેગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. જ્યારે અમુક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે માણસ સિદ્ધાંતને ભૂલી જાય છે અને પ્રત્યક્ષ પ્રાપ્ત થનાર ક્ષણિક સુખમાં વીંટળાઈ જાય છે. બીમાર માણસને ડોક્ટર સલાહ આપે છે મીઠાઈ ખાઓ નહિ; ઘી નહિ ખાવો. આ સલાહ તેને સારી લાગે છે અને તે વિચારે છે કે આવું કરવાથી જ સ્વાશ્યલાભ થઈ શકે છે. પરંતુ મીઠાઈ અને ઘી સામે આવે છે ત્યારે લાળ ટપકવા લાગે છે. તે સલાહને ભૂલી જાય છે અને તર્ક પ્રસ્તુત કરે ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ છે.જો આ વસ્તુઓનેા ત્યાગ કરીને (કદાચને) પાંચ વર્ષ વધુ છવાઈ જાય તા તેમાં કઇ મેાટી સિદ્ધિ પ્રાપ્ત થઈ જવાની છે; અને વળી ખાતાં ખાતાં જતાય રહ્યા તે તેમાં કયું માટુ નુકસાન થઈ જવાનુ` છે? એક દિવસ બધાએ મરવાનું જ છે, તેા પછી શે! ફેર પડશે? અસાર કેવી રીતે? સ્વાસ્થ્ય-સ ંગને તમાકુ પીવાથી થતાં હાનિ-લાભ પર અનેક સશાધના કર્યાં અને સંસાર સમક્ષ નવા નવા આંકડા અને તથ્યા પ્રસ્તુત કર્યાં. એણે એવી ઘાણા પ્રસારિત કરી—તમાકુના એક કશ ખેંચનાર પાંચ દિવસેાનું આયુષ્ય આછું કરી દે છે.' બધાંએ આ વાંચ્યું-સાંભળ્યું. પછી તમાકુ પીનારાઓને પૂછવામાં આવ્યું—આ ઘાષણાના શે। પ્રભાવ પડજો?' તેમણે કહ્યું : ‘પ્રભાવ તે વળી શે। પડવાના? તમાકુના એક કશ ખે ચવામાં કેટલી મજા આવે છે! કેટલા ધે! આનંદ આવે છે!—એ મા તે આનંદ પેલા આંકડા રજૂ કરનારા બિયારા શું જાણે? એમને શી ખખ્ખર કે એક કશમાં કેટલા બવા આનદ આવે છે! જે પીએ તેને ખબર પડે કે એક કશમાં કેવા બ્રહ્માનદ આવે છે! એથી કેટલી બધી તન્મયતા આવે છે! મધું જ બદલાઈ જાય છે; ચિંતાના નાશ થાય છે. જે માત્ર ણિતનું જીવન જીવે છે, તે વાસ્તવિકતા જાણી શકતા નથી. જો તમાકુ છેડી દઈને લાંબુ જીવવાનું હેાય તે! તે જીવન એકાર છે; અને તમાકુ પીતાં પીતાં જલદીથી મરી જવાય તેા તે તે જીવનની એક સાકતા છે.' આ સ્થિતિમાં આપણે કેવી રીતે સ્વીકારી શકીએ કે પદાર્થ જગત વ્ય છે—અસાર છે? સામે એક સુંદર રૂપ આવે છે; કાનામાં સ્વર લહરી ગૂજે છે; સરસ સુવાસ અને ભીની ભીની ખુશબૂ આવે છે; અને કામળ સ્પર્શ થાય છે, ત્યારે રામ-રામ ઝંકૃત થઈ ઊઠે છે. કેવી રીતે માનવામાં આવે કે આ બધું અસાર છે!એ એક વિશાળ પ્રશ્ન છે. વા રસા (તે દશા) ધર્મની વાતા વાંચતાં-વાંચતાં, ધર્માંના સિદ્ધાંતાનું પ્રતિપાદન કરતાંકરતાં સે’કડા-હારા વર્ષો વીતી ગયાં; પરંતુ મનુષ્ય આજે પણ પાર્થા પ્રત્યે. એટલા જ આસક્ત છે, જેટલા આજથી પાંચ હાર વર્ષો પહેલાં હતા; અને આગામી પાંચ હજાર વર્ષામાં પણ આ વૃત્તિમાં કાઈ જાતનું પરિવર્તન થાય, એવા સાઁભવ દેખાતા નથી. આચાય કહે છે.વા વસા Jain Educationa International ૨૪ For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વા વન અવસી–તે દશા, તે અવસ્થા કયા દિવસે આવશે, જેમાં પહોંચી જતાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ—આ સુરતિઓ અને આ કલ્પનાઓ–એ બધાની મધુરતા સમાપ્ત થઈ જશે? એનાથી પ્રાપ્ત સુખ ફીક લાગવા માંડશે અને એક દિવસ નવા સુખને ઉદય થશે?— એવી દશા ક્યારે આવશે? સુખ શું? શા માટે? પ્રશ્ન થાય છે–શું એવી દશાના ઉદયની સંભાવના છે? શું એ દશા આવી શકે છે? એને જવાબ છે–હા. વર્તમાન વૈજ્ઞાનિક સંશાધનોથી એ ખૂબ સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રાચીનકાળમાં જે વાતો માત્ર કહેવામાં આવતી, તે વાતે આજે પ્રત્યક્ષ અનુભવની ભૂમિકા પર ઉતારી શકાય છે. એ જ વૈજ્ઞાનિક યુગની વિશેષતા છે. તે વાતો પરીક્ષણસિદ્ધ અને પ્રસિદ્ધ થઈ ચૂકી છે. સુખ શું છે? સુખ ક્યાં છે? સુખ તે આપણું મસ્તિષ્કમાં છે. એ કેવળ વિદ્યુત પ્રવાહ છે. શરીરમાં વિદ્યુત છે. જે આ વિદ્યુતની ગતિ અને સ્થાન બદલી નાખવામાં આવે તો સુખની બધી ભાવના બદલાઈ જાય. જ્યારે પણ બ્રેઈનશિંગ (Brain-Washing)-મગજની અંદર ધેલાઈ થાય છે ત્યારે બધી ધારણાઓ અને માન્યતાઓમાં પરિવર્તન આવી જાય છે. વર્તમાન રાજકારણમાં બ્રેઈન-વૈશિંગને પ્રયોગ વિશેષ થાય છે. મસ્તિષ્કની ધોલાઈ કરીને વિચારોને બદલવામાં આવે છે. આ પદ્ધતિ અર્વાચીન નથી; અતિ પ્રાચીન છે. સુખ શા માટે થાય છે? સુખાનુભૂતિનું મૂળ કારણ છે–રસાયણ. આપણા શરીરમાં અનેક પ્રકારનાં રસાયણે છે. એ રસાયણો (chemicals કેમિકલ્સ) જ સુખ-દુઃખનું કારણ બને છે. જે એ રસાયણ ન હોય તે ન સુખ થાય, ન દુઃખ થાય. જે કેમિકલ-ચેઈન્જ (chemical-change) –રસાયણુ પરિવર્તન કરવામાં આવે તો સુખની ધારણું બદલાઈ જશે. ભય, શક, ઈર્ષ્યા, સંતાપ-આ બધાં રસાયણે દ્વારા નિર્મિત થાય છે. આપણે આન્તરિક રસાયણ પર ધ્યાન દેતા નથી. માત્ર બાહ્ય પરિસ્થિતિ બદલીને માણસને બદલવા ઈચ્છીએ છીએ. પરંતુ “ મૂતં ન ભવિષ્યતિ– ન કદી એવું થયું છે, ન કદાપિ એવું થશે. બાહ્ય પરિસ્થિતિને બદલીને આપણે થોડુંક તાત્કાલિક પરિવર્તન લાવી શકીએ છીએ. સામયિક ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ; સ્થિતિ થાડી બદલી શકીએ કિન્તુ સ્થાયી પરિવર્તન એનાથી થઈ શકતું નથી. સ્થાયી પરિવર્તન આંતરિક રસાયણાને બદલવાથી થાય છે. જે આપણે આંતરિક રસાયણા બદલી શકીએ તેા સમૂળગા માણુસ બદલાઈ જાય છે, એની ધારણા બદલાઈ જાય છે, સુખની માન્યતા બદલાઈ જાય છે. ઉંદરને જોતાં જ બિલાડી એના પર તરાપ મારે છે અને બિલાડીને જોતાં જ ઉંદર ભયભીત થઈને ભાગી જાય છે. પ્રયાગ કરવામાં આવ્યા... વિદ્યુત પ્રવાહ બદલી નાખ્યા. બિલાડીની આક્રાન્ત ભાવના સમાપ્ત થઈ ગઈ અને ઉંદરની ભયવૃત્તિ પણ સમાપ્ત થઈ ગઈ. હવે ને પરસ્પર રમે છે. ઉંદર બિલાડી પર ચડે છે, ઊતરે છે, કાઈ ભય નથી. બિલાડી ખિલાડી ન રહી; ઉંદર ઉંદર ન રહ્યો; બંને બદલાઈ ગયાં. મસ્તિષ્કના મહત્ત્વપૂર્ણ લાગ પ્રત્યેક પ્રાણીની મનેાવૃત્તિ બદલી શકાય છે, બદલાઈ ગઈ છે. મસ્તિષ્કના ત્રણ ભાગ છે: જમણા, ડાખા અને પાછલા એક છે કલ્પનાના, એક છે વિચારને, અને ત્રીજો છે અજ્ઞાત, રહસ્યમય. વિજ્ઞાનની આટઆટલી શેાધખેાળા થવા છતાં પણ આજ સુધી એ પાછો ભાગ રહસ્યમય જ રહ્યો છે—બની રહ્યો છે. મસ્તિષ્કના વિષયમાં ઘણી શેાધેા થઈ છે અને આજે પણ થઈ રહી છે. આ વર્ષે` મસ્તિષ્કની બાબતમાં લગભગ પંદર લાખ લેખેા લખવામાં આવ્યા છે. હજારા—હજારા વ્યક્તિએ આ દિશામાં શોધ કરી રહી છે. તાપણુ હજી સુધી અનુમસ્તિષ્ક તથા મસ્તિષ્કના પાલા ભાગની સંપૂર્ણ ભાળ મળી નથી. શરીરશાસ્ત્રીએ અને માનસશાસ્ત્રીઓ——ફિઝિયેલાજિસ્ટ્સ અને સાયંકાલેજિસ્ટ્સ પણુ હજી સુધી એના સંપૂર્ણ રહસ્યને પામી શકયા નથી. વાસ્તવમાં સૈાથી મેાટુ રહસ્ય મસ્તિષ્કના આ પાછળના ભાગ છે, જે કરોડરજજુના હાડકાને માથા સાથે જોડે છે. આ રેટિકયુલર ફ્રામેશન સાથી વધુ રહસ્યમય છે. જે દિવસે એ પૂરેપૂરું જ્ઞાત થશે, જે દિવસે એને ક્રિયાલાપ બદલવામાં આવશે, તે દિવસે સંપૂર્ણ વ્યક્તિ બદલાઈ જશે. એનાથી આપણી દિષ્ટ બદલાઈ જાય છે, અન્તર્ દિષ્ટ જાગી જાય છે, સભ્ય-દષ્ટિ ઉપલબ્ધ થઈ જાય છે. સમ્ય-ષ્ટિ ઉપલબ્ધ થયા વિના, ભાગ અસાર છે, પદા અસાર છે”—આ માત્ર રટણ હાય છે, વાસ્તવિકતા નથી હતી. જે દિવસે મનુષ્યમાં સમ્યગ્દષ્ટિ જાગે છે, તે દિવસે સ્પષ્ટ પ્રતીત Jain Educationa International ૨૬ For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ થાય છે–આ સાર છે અને આ અસાર છે; આ શાશ્વત છે અને આ અશાશ્વત છે; આ સુખ નજીવું છે ને આ સુખ મહાન છે. અન્તર દષ્ટિ જાગતાં જ વિવેક બુદ્ધિ જાગે છે. અન્તર્ દષ્ટિનું જાગરણ પ્રશ્ન છેઃ અન્તર્ દષ્ટિ જાગે કેવી રીતે ? જયાચાર્યું એક મહત્વપૂર્ણ સૂત્ર આપ્યું છે: “હુવા પુત્ર દૃષ્ટિ થાજો, વો હૈ મન મેર સમાન મસ્તિષ્કના પાછલા રહસ્યમય હિસ્સાને સક્રિય કરવાને–અન્ત દષ્ટિને પ્રાપ્ત કરવાને–એક મહત્વપૂર્ણ ઉપાય છે. એક પુદ્ગલ પર દષ્ટિ ટકાવવાને; આ છે–અનિમેષ પ્રેક્ષા. આપણે ખુલ્લી આંખે જોવાનું છે. આપણે કોઈપણ વસ્તુની પસંદગી કરીએ અને એને ખુલ્લી આંખે જોઈએ—-બિલકુલ અનિમેષ દષ્ટિ...કઈ પલક ઝપકી નહિ, આંખને પલકારાય ન થાય. નિર્નિમેષ નેત્રાથી અપલક એક વસ્તુને જોતા જઈએ. આ અનિમેષ ધ્યાન છે. હઠગમાં એને “ત્રાટક' કહેવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. એનાથી અનુમસ્તિષ્ક જાગે છે, શક્તિઓ જાગે છે. આગમનું વાક્ય છે જ જોવા નિવિવિ. ભગવાન મહાવીર એક પુદ્ગલ પર દષ્ટિ ઠેરવીને ધ્યાન ધરતા હતા. ધ્યાનની આ પદ્ધતિને ઉલ્લેખ મળે છે; પરિણામને ઉલ્લેખ નથી મળતો. એક પુદ્ગલ પર દષ્ટિ ઠેરવવાનું શું પરિણામ હોય છે, નિષ્પત્તિ શું હોય છે—એને ઉલ્લેખ સૂત્રોમાં નથી મળતો. જયાચાયે આ પદ્ધતિની સાથે સાથે એના પરિણામનો ઉલ્લેખ કરતાં લખ્યું છે : ધો છે મન મેં સમાન ઢો–એક પુદ્ગલ પર દષ્ટિ સ્થિર ટકાવી રાખવાથી મન મેરુની જેમ અચલ અને અપ્રકંપ બની જાય છે. પર્વત અડલ-અચલ હોય છે. મેરુ પર્વતરાજ છે. તે પર્વતમાં શ્રેષ્ઠ છે; તે કદી પ્રકંપિત થતો નથી. ગમે તેટલા મહાપ્રલયકારી ઝંઝાવાત આવે, પરંતુ મેરુ કદીય ચલાયમાન થતું નથી. જ્યારે એક પુદ્ગલ પર દષ્ટિ સ્થાપિત કરવાની સાધના સફળ થાય છે, ત્યારે મન પ્રશાંત થઈ જાય છે, તે કદી કેઈપણ પરિસ્થિતિમાં ઉલિત થતું નથી–પ્રકંપિત થતું નથી; પછી ભલે ને મધુર વાણુ સામે આવે, ભલે સુંદર રૂપ સામે આવે, ભલે સુવાસને અનુભવ થાય, ભલે ને મૃદુ-કેમલ સ્પર્શ થાય-સ્મૃતિ કે ક૯૫ના આવે પરન્તુ મનને આ મેર કદીય પ્રકંપિત થતો નથી, પ્રતાડિત થતું નથી. જ્યારે મનની આવી સ્થિતિ સર્જાય છે, ત્યારે મનનું પેલું ચૈતન્ય જાગે છે–પાછળનું મસ્તિષ્ક ૨૭ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ખૂલે છે. તાંત્રિકશાસ્ત્રમાં એ બાબત સંમત છે કે ત્રાટકથી પાછળના મસ્તિષ્કના ભાગ જાગ્રત થાય છે. તે ચેતનાને સક્રિય કરવાની આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. ભગવાન મહાવીર ઘણા દિવસેા સુધી અનિમેષ ધ્યાન ધરતા-ત્રાટક કરતા. ધ્યાનની આ લાંખી અવધિમાં એમની આંખા લાલ થઈ જતી. એ આંખે। એટલી બધી ડરામણી બની જતી કે નાનાં બાળા એ જોઈને ડરી જતાં —ચીસ પાડી ઊઠતાં. એ વખતે દેહમાંથી એટલી બધી વિદ્યુત નીકળતી કે આસપાસ આવનાર ભયભીત થઈ જતાં. આ નિનિમેષ કે અપલક ધ્યાન મનને વિલીન, પ્રશાંત અથવા સમાપ્ત કરવાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે—બધાં સાધનામાં અગ્રસાધન છે. જ્યારે અપલક ધ્યાનથી એ પૃષ્ઠમસ્તિષ્ક્રીય ચેતના જાગે છે, ત્યારે અન્તર્દન સ્પષ્ટ થાય છે. આંતરિક નેત્રા ઉદ્ઘાટિત થાય છે; અને તે સમયે, ભાગ ભયકર છે, અનિત્ય છે, વાસ્તવિક સુખ તેા ખીજુ` જ કંઈક છે, આ ત્યારે ગાખી-ગેાખાયેલી વાતા રહેતી નથી, અનુભવગત બની રહે છે. એવી વ્યક્તિ ગેાખી-ગેાખાયેલી વાત નથી કરતા, પુસ્તકમાંથી વાંચીને નથી કરતા, પરન્તુ પોતાની અન્તર્દિષ્ટથી સાક્ષાત્કાર કરીને કરે છે પરન્તુ જે લેાકા સાધના નથી કરતા, સાધનાને અનુભવ નથી કરતા, કેવળ પુસ્તકિયા જ્ઞાન અને બૌદ્ધિકતાના આધારે એની ચર્ચા કરે છે, તેઓ કદી ચિત્તની અસ્થિર સ્થિતિથી પાર નથી ઊતરતા—શકય પણ નથી. મજા કાપીને શેરડી વાવવી શ્રેષ્ઠીપુત્ર જમ્બુકુમાર દીક્ષા માટે પ્રસ્તુત થયા. વિચિત્ર યાગ છે. વિચિત્ર વાર્તા છે ભારતીય સાહિત્યના ઇતિહાસમાં. એટલેા બધો સમ્પન્ન મનુષ્ય : આઠે આઠ સુન્દરતમ યુવતીએ સાથે આજે જ લગ્ન થયાં છે. દહેજમાં એને એટલું બધું તા અઢળક ધન મળ્યું છે કે અત્યારની વ્યક્તિ એની કલ્પના પણ કરી શકે નહિ. આજે લગ્ન થયાં છે, કાલે સવારે દીક્ષા ગ્રહણ કરવાની છે—ધ્રુવા વિચિત્ર યાગ ! રાત્રિને સમય; આઠેય યુવતીએ જમ્બુકુમારને ઘેરીને બેઠી છે. જમ્મુકુમાર દીક્ષા લેવા કૃતસંકલ્પ છે; અને આઠેય યુવતીએ ઇચ્છે છે કે એમને દીક્ષિત ન થવા દઈએ. ખૂન્ને તરફ સધ છે. તેને પેાત-પેાતાના તર્ક છે અને પેાતપેાતાનું સમાધાન છે. જમ્મૂકુમાર ઇચ્છે છે કે આઠેય પત્નીઓને સાથે જ Jain Educationa International ૨૮ For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજિત થવા માટે રાજી કરે; અને પત્નીઓ ઇચ્છે છે કે જન્ કુમારની દીક્ષા લેવાની ભાવનાને તેડી નાખીએ. બને તરફથી ૮ જામ્યો છે. એક યુવતીએ કહ્યુંઃ પતિદેવ ! ઘણું મેટી ભૂલ કરી રહ્યા છે, મોટા ભ્રમમાં છે; પાછળથી પસ્તાવું પડશે. જમ્બુ કુમાર બાલ્યા: “શા માટે પસ્તાવું પડશે ?” યુવતીએ સસ્મિત કહ્યુંઃ જમ્મુ કુમાર! આટલી મોટી મૂર્ખાઈ! વર્તમાનમાં જે પ્રાપ્ત છે તેને છોડીને ભવિષ્યના પ્રાપ્તવ્યની કલ્પના કરી રહ્યા છે. કેટલી બધી મૂઢતા! તે વ્યક્તિ હમેશાં દુઃખી થાય છે, જે વર્તમાનમાં પ્રાપ્ત ભાગોને ઠુકરાવીને કલ્પનાના ભેગમાં લપેટાઈ જાય છે; વર્તમાનનું છીનવાઈ જાય છે અને ભવિષ્યની ખબર નથી કે તે મળશે કે નહિ. આપ મોટી ભૂલ કરી રહ્યા છે. હું એક વાર્તા સંભળાવું છું મસ્થળને એક ખેડૂત સાસરે ગયે. સાસરું હતું ફળદ્રુપ જમીનમાં. સાસરિયાઓએ એની આગતા-સ્વાગતા કરી. ત્યાં શેરડી ધણી થતી હતી. તેમણે તેને તાજો ગોળ ખવડાવ્યો; શેરડીનો રસ પિવડાવ્યો; ગોળના માલપૂડા ખવડાવ્યા. એણે ધરાઈને ભોજન કર્યું. તે બિચારો તે રણપ્રદેશમાં બાજરાના રોટલાઓનું ભોજન કરતો હતો. એણે કદી શેરડી જઈ નહતી. ગોળનું ગળ્યું ભેજન એને સ્વાદિષ્ટ લાગ્યું. તેણે શેરડીની ખેતીની માહિતી પ્રાપ્ત કરી. શેરડીના ટુકડા લઈને તે પિતાને વતન આવ્યો. બાજરાની વાવણી થઈ ચૂકી હતી. વરસાદે સાથ આપ્યો હતો. બાજરાનાં ખેતરો લહેરાઈ રહ્યાં હતાં. તેણે વિચાર્યું : બાજરો ખાતાં ખાતાં દાંત તૂટી ગયા; હવે તો ગોળની મીઠાઈ જ ખાવી જોઈએ. આખાય ખેતરમાં શેરડી જ કેમ ન રોપી દઉં !” તેણે અધ પાકેલી ફસલ (પાક) કાપવાનું શરૂ કરી દીધું. જોકેએ કહ્યું: “કસમયે પાક કેમ કાપી રહ્યા છે ?” તેણે કહ્યું: “તમને ખબર નહિ પડે. આ ઊભો પાક બેકાર છે; હું તે શેરડી વાવીશ. એની મા તમે નથી જાણતા હું જાણું છું.” એણે બધે જ ઊભો પાક કાપી નાખે. શેરડી રોપી દીધી. રણપ્રદેશમાં પાણી ક્યાંથી હોય ? ભરપૂર પાણી વિના શેરડીની ખેતી થાય કેવી રીતે? પહેલા પાક તો નષ્ટ જ થઈ ગયા હતા; અને પાણીના અભાવમાં શેરડી ઊગી જ નહિ. નહિ બાજરો અને નહિ શેરડી; ન અહીંના રહ્યા, ન ત્યાંના રહ્યા. – આ રીતે જ બૂકુમાર ! આપની સ્થિતિ પણ આવી જ છે. વર્તમાનમાં ઉપલબ્ધ સુખને છેડી રહ્યા છે; બાજરાની ઊભી ફસલ કાપી ૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ રહ્યા છે! અને અપ્રાપ્ત તથા કાલ્પનિક ભવિષ્યના સુખની પ્રાપ્તિ માટે મુનિ બની રહ્યા છે.—શેરડીની આશા રાખી રહ્યા છે. આ બેવડી મૂર્ખતા હશે. આપની દશા એવી જ થવાની, જેવી પેલા ખેડૂતની થઈ હતી. રસાયણ-પરિવત ન જ્યાં સુધી સમ્યક્ દૃષ્ટિ જાગે નહિ, જ્યાં સુધી અન્તર્ ષ્ટિને વિકાસ થાય નહિ, ત્યાં સુધી મનુષ્યને એ અનુભવ થાય છે કે આટલાં વર્ષા સુધી ધ કર્યાં, પરન્તુ મળ્યું કશું નહિ; નવે। અનુભવ પણ થયે નથી. એનાથી સારું તેા એ હતું કે આપણે કંઈક બીજુ કરતે—પૈસા કમાતે. પરન્તુ ધર્મના સિદ્ધાન્ત માનીને ચાલ્યા; એટલે પૈસા ન મળ્યા. ન વૈભવ મળ્યા, ન ત્યાગની મા આવી, ન ભાગની મજા આવી. કેટલાય લેાકેાના મનમાં ઢળતી ઉંમરે આવા વિચાર આવે છે; અને તે જીવનમાં નિરાશ થઈ જાય છે. એવુ એટલા માટે થાય છે કે એ લેક સમ્યક્ દષ્ટિને જગાડવાના પ્રયત્ન કરતા નથી; અન્તર્ ચક્ષુ ઉદ્ઘાટિત કરતા નથી. તેએ રસાયણ બદલવાની પ્રક્રિયા નથી જાણતા; અને જ્યાં સુધી રસાયણ-પરિવર્તનની પ્રક્રિયા હસ્તગત થતી નથી, ત્યાં સુધી એ સ્થિતિ સાથે પતાવી શકાતું નથી. પ્રેક્ષા-ધ્યાનની સમગ્ર પ્રક્રિયા રસાયણ-પરિવર્તનની પ્રક્રિયા છે. એક પદાર્થના રસ છે, અને બીજો સંવેગને રસ છે. પદાર્થ ને રસ જ્યાં સુધી શિર પર સવાર રહે છે, ત્યાં સુધી સંવૈગને રસ નગતા નથી—સક્રિય થતા નથી. જે દિવસે સવેગના રસ જાગી જશે, તે સમયે પદાર્થ ના રસ આપમેળે સૂઈ જશે—નિષ્ક્રિય થઈ જશે. આ સ્થિતિમાં વ્યક્તિને લાગશે કે સાર કશે। જ નથી. પુત્રે કહ્યું : પિતાજી! આજે તા અભ્યાસમાં એટલે તન્મય થઈ ગયા હતા—એટલે લીન થઈ ગયા હતા કે વીજળી કચારે જતી રહી તેને ખ્યાલ સરખા આવ્યા નહિ; હું તા વાંચતા જ રહ્યો!’ આ વાત કા'માં ડૂબી જવાની છે, એ તન્મયતાની વાત છે, તન્મયતામાં ખબર જ નથી પડતી કે સામે શું થઈ રહ્યું છે! Jain Educationa International ૩૦ For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ નવી શોધ : નવી સંભાવના આજે એક એવી પદ્ધતિની શોધ કરવામાં આવી રહી છે કે જેનાથી મસ્તિષ્કની પાછળ ભાગ જાગ્રત કરી શકાય; વિદ્યુતના સાધારણ ઝટકા આપીને તેને સક્રિય બનાવી શકાય; એના સક્રિય થવાથી કૃત્રિમ હર્ષ ને કૃત્રિમ શોક પેદા કરી શકાય છે. એક વ્યક્તિની સમક્ષ ભયાનક શાક-દુઃખની ઘટના બને છે; પરન્તુ અનુમસ્તિષ્ક પર ઇલેકટ્રેિડ લગાવીને તે વ્યક્તિને પરમ પ્રસન્નતાની સ્થિતિનો અનુભવ કરાવાય છે. તે ઘટનાથી વિસંબંધિત બની જાય છે. હકીકતમાં ઘટનાને કારણે શોક થતું નથી–હર્ષ થતો નથી. હર્ષ કે શેક રસાયણો દ્વારા થાય છે. ઘટનાઓ દ્વારા ઘટિત થતા નથી. આપણે ભ્રાન્તિવશ કહી દઈએ છીએ કે ઘટના બની અને શાક ઉત્પન્ન થઈ ગયે; પ્રસંગ બને ને હર્ષ પેદા થયો. કૃત્રિમ પદ્ધતિથી હર્ષ કે શોક પેદા કરી શકાય છે. એક વ્યક્તિ સમ્પન છે. ચારે તરફ સન્નતાનું વાતાવરણ છે–સુખ ને સુખનું જ વાતાવરણ છે; પરંતુ જે તે વ્યક્તિને ઇલેકટ્રેડ લગાડીને અનુમસ્તિષ્કના અમુક ભાગ સક્રિય બનાવી દેવામાં આવે તો તે સમ્પન્ન વ્યક્તિ પણ શેકસાગરમાં ડૂબી જશે–ચારે તરફથી તે શોકને વાતાવરણથી ઘેરાઈ જશે. એવી જ રીતે શેકથી સંતપ્ત વ્યક્તિમાં આ પદ્ધતિથી હર્ષનું વાતાવરણ સર્જી શકાય—તેને હર્ષ સિવાય અન્ય કશું જ દેખાશે નહિ. આજે કૃત્રિમ હર્ષ-શેક પેદા કરી શકાય છે; કૃત્રિમ સુખ-દુઃખ પેદા કરી શકાય છે; કૃત્રિમ સંજ્ઞા-ન્યતા પેદા કરી શકાય છે. હવે મેજર પરેશન વખતે દર્દીને સંજ્ઞાશન્ય બનાવવા માટે એનેસ્થેશિયાને પ્રયોગ કરી શકાય છે. દર્દીને મૂછિત કર્યા સિવાય એનું ઓપરેશન થઈ શકતું નથી. મૂછી લાવનાર અનેક દવાઓ પ્રચલિત છે; પરંતુ આગામી દાયકાઓમાં કોઈપણ પ્રકારના એનેસ્થેશિયાને પ્રવેગ જરૂરી નહિ હશે. ઈલેક્ટ્રિોડથી શરીરના કેઈપણ ભાગને શૂન્ય કરી શકાશે. વેદના પેદા કરનાર જે કેન્દ્ર છે, તેને નિષ્ક્રિય કરવામાં આવશે. પછી ભલે ને શરીરના ટુકડે-ટુકડા કરી નાખવામાં આવે, કોઈ પ્રકારનું કષ્ટ પડશે નહિ. ૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ જેમ જેમ અનુમસ્તિષ્કનું સૂત્ર વિજ્ઞાનીઓના હાથમાં આવી રહ્યું છે, તેમ તેમ બધી ભાવનાઓ બદલાઈ રહી છે. અધ્યાત્મ પણ મસ્તિષ્કના નિયંત્રણનું સૌથી મોટું સૂત્ર છે. આજે જે નિયંત્રણ યંત્રો દ્વારા નથી કરી શકાતાં તે નિયંત્રણ અધ્યાત્મ દ્વારા કરી શકાય છે. કહેવાય છે કે ભગવાન મહાવીરને એક રાત્રિમાં વીસ મરણાંતિક કષ્ટો થયાં. એમણે એ તમામ કષ્ટ હસતાં હસતાં સહી લીધાં. તેઓ હસતા રહ્યા. કષ્ટ આવતાં રહ્યાં, અને જતા રહ્યાં. એમને દુઃખને અનુભવ જ ન થયા. આવું બન્યું. પણ શંકા આવે છે કે શું આવું બનવું સંભવ છે? હા, સંભવ છે. પણ એવું એવી વ્યક્તિ માટે સંભવ છે, જેને મસ્તિષ્કના નિયંત્રણનું સૂત્ર હાથ લાગી જાય. એવી વ્યક્તિને એક રાત્રિમાં વીસ નહિ, પણ પ્રત્યેક પળે મરણાંત કષ્ટ આપવામાં આવે, તે પણ તે વ્યક્તિ અવિચલ ભાવથી એ સર્વ કષ્ટોને સહન કરી લેશે. ધ્યાનની પ્રક્રિયા એ મસ્તિષ્કના નિયંત્રણ સૂત્રને સમજવાની પ્રક્રિયા છે–રહસ્યોને ઉદ્ઘાટિત અને અનાવૃત કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા સંવેગ-રસોને વિકાસ થાય છે અને ઇન્દ્રિય-રસોને હાસ થાય છે. પ્રાચીન ગ્રંથોમાં “કરસની ચર્ચા જોવા મળે છે. આજે શરીરશાસ્ત્રની દષ્ટિએ ગ્રંથિ-સ્ત્રાવનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. રસાયણેની ચર્ચા જોવા મળે છે. જે આજે કર્મશાસ્ત્રના આધારે સત્યની શોધ કરવામાં આવે, તો કમરસાયણ અથવા કર્મ-વિપાકની તુલના ગ્રંથિ-સ્ત્રાની સાથે કરી શકાય છે. પિટ્યુટરી અને પિનિયલ–આ બંને ગ્રંથિઓથી જે હર્મન્સ બને છે જે રસને સ્રાવ થાય છે, તે જીવનનાં તમામ કાર્યોને નિયંત્રિત કરે છે. ભૂમિકા-ભેદની યથાર્થતા એક વ્યક્તિમાં વિકારની ભાવના જાગે છે–વાસના જાગે છે. પુરુષને સ્ત્રી સારી લાગે છે; સ્ત્રીને પુરુષ સારો લાગે છે. શું આપ એમ સમજે છે કે ચામડીને કારણે આવું થાય છે? શું રૂપ-રંગને કારણે એવું થાય છે? ના. એ બધું રસાયણ દ્વારા–રસાયણને કારણે થાય છે. જે ગ્રંથિઓના સ્ત્રાવને બદલી નાખવામાં આવે તો રૂપવતી યુવતી પણ સામે આવે તે પુરુષને તે માટીની પૂતળી સિવાય બીજું કશું લાગશે ૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ નહિ, શ્રીમદ્ રાયચન્દ્ર ઠીક જ લખ્યું છે ને હાની પૂતલી’—જે પુરુષ અધ્યાત્મમાં રસ લે છે, તે રૂપવતી યુવતીને પણ કાષ્ઠની પ્રતિમા માત્ર માને છે, શું આવું માનવુ સંભવ છે? એવું ત્યારે જ સંભવિત તે છે જ્યારે રસાયણામાં પરિવર્તન થાય—અન્યથા નહિ. આચાર્યાએ જે ભૂમિકા પર જઈને સચ્ચાઈનું પ્રતિપાદન કર્યું હતું, તે ભૂમિકા સુધી આપણે જ્યાં સુધી નથી જતા, ત્યાં સુધી આપણા ચિત્તની ડામાડાળ સ્થિતિ કદી પણ સમાપ્ત નથી થતી. કહેનાર કહે છે, પણ વાંચવાસાંભળવાવાળી વ્યક્તિ એને કદી સમજી નથી શકતી. ભલે વ્યક્તિ મહાવીર તે બુદ્ધને વાંચે, કૃષ્ણ અને રામને વાંચે, પરંતુ એને કશું જ પ્રાપ્ત થતું નથી. એ તા વિપરીત જ અર્થ લગાવશે. કેમ કે તેની એવી ભૂમિકા નથી, કે તે એ પરમ સત્યને સમજી શકે, જૈન મુનિ પ્રવચન કરી રહ્યા હતા. ભગવતી સૂત્રની વ્યાખ્યા થઈ રહી હતી. પરિષદમાં એક વૃદ્ધા હતી. ભગવતી સૂત્રમાં ગૌતમ અને મહાવીરના અનેક સૌંવાદ છે. મુનિજી વારંવાર ગાયમા! ગાયમા!'ને ઉચ્ચાર કરી રહ્યા હતા. આ ગૌતમનું પ્રાકૃત ભાષાગત સખેાધન છે. પ્રવચન પૂરું થયું. વૃદ્ધા ધરે ગઈ. તેણે પેાતાના પુત્રાને કહ્યું—દાડા, વૈદ્યને લઈને મુનિજીની પાસે ાએ; તેમના પેટમાં અસહ્ય દર્દ થઈ રહ્યું છે. આજે પ્રવચન વેળા તેમના મુખથી ‘ગાય માં આય માં’ને અવાજ મેં પચાસ વખત સાંભળ્યા છે. (ગોયમા’ ‘ગાય માં” બની ગયા.) કહેનાર જે ભૂમિકા સુધી પહેાંચીને કહે છે, જ્યાં સુધી એ ભૂમિકા સુધી નથી પહેાંચાતું, ત્યાં સુધી એના કથનના વાસ્તવિક અં—અભિપ્રાય Àાતાજનાને હસ્તગત નથી થતા. શ્વેતાની ભૂમિકા અલગ હેાય છે; તે પેાતાની સમજની ભૂમિકાને આધારે કથનના અર્થ તારવે છે. Àાતા જ્યાં સુધી કહેનારની ભૂમિકા સુધી પહેાંચતા નથી ત્યાં સુધી કહેનારની વાતાના કાઈ અર્થ જ નથી હેાતા. કહેનારની વાત શ્વેતાને ત્યારે સમજાય છે, જ્યારે તે કહેનારની ભૂમિકા સુધી પહેાંચી જાય. મહાવીરને સમજવા માટે મહાવીરની અવસ્થામાં પહેાંચી જવું આવશ્યક છે. કાઈપણ વ્યક્તિની વાત સમજવા માટે એની અવસ્થામાં પહેાંચી જવું આવશ્યક છે. જે વ્યક્તિએ કહ્યું છે—સુખ અનિત્ય છે, અસાર છે, નશ્વર છે, મૂલ્યહીન છે, તેણે જે રસાયણ બદલાઈ જવાથી તે ભૂમિકા પ્રાપ્ત કરી મ-૩ Jain Educationa International ૩૩ For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ છે, અને તે ભૂમિકા પર પહેાંચીને આ કહેવામાં આવ્યું, નીચલી ભૂમિકાએ ઊભેલી વ્યક્તિ સાંભળી લે છે; શ્રદ્ધાવશ માની લે છે; સ્વીકારી લે છે; પરંતુ જ્યારે તે યથાની સ્થિતિએ પહેાંચે છે, ત્યારે ટકરાય છે. ભગવાન કહે છેઃ સુખ નહિ; સુખ અસાર છે; પરંતુ લાગે છે કે વિશ્વમાં એથી વધુ કાઈ સુખ નથી. આ ર્દૂ ઉત્પન્ન થાય છે; ચિત્ત ડામાડાળ થાય છે. આ હાલક-ડાલક સ્થિતિ કયારે સમાપ્ત કરી શકાય; જ્યારે આપણે સંવેદ-રસમાં લીન બની જઈએ, સ ંવેદ-રસને જાગ્રત કરી દઈએ; તાત્પ ની ભાષામાં રસાયણ બદલી દઈએ, તેા ચિત્તની ડામાડેાળ સ્થિતિ સમાપ્ત થઈ જાય છે. રસાયણ પરિવર્તનની પ્રક્રિયા : ધ્યાન રસાયણેાની પરિવર્તનની પ્રક્રિયા ધ્યાન વિના પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રેક્ષા ધ્યાનની પ્રક્રિયાથી રસાયણુ મદલાય છે. જ્યેાતિ-કેન્દ્ર પર શ્વેત રંગનું ધ્યાન ધરવાથી ત્યાંથી રસાયણ બદલાય છે. ત્યાં જે પિનિયલ ગ્વાડ છે, એને સાવ બદલાય છે અને વ્યક્તિ ઉત્તેજના અને આવેશથી મુક્ત થઈ જાય છે. ક્રેાવ આછા થઈ જાય છે; આપણ પ્રેક્ષા ધ્યાનનું ઊંડાણપૂર્વક અધ્યયન કરીએ અને એ સત્યને માનીને ચાલીએ કે ધ્યાન વિના રસાયણો બદલવા અત્યન્ત કઠિન છે. દ્વન્દ્વોને સમાપ્ત કરવા માટે તથા એ તટા પર થનાર સ ંવેદનાને સમાપ્ત કરવા માટે ધ્યાન પ્રબળ સાધન છે. ગાયની સ્થિતિ ડગમગ હેાય છે. આપણે એને સમાપ્ત કરીએ. ગાય એક કિનારે ધાસ ચરે છે; અને એ સામે કિનારે પુષ્કળ હરિયાળી જુએ છે. એનું મન લલચાય છે કે સામે કિનારે જઈને ધાસ ચરું. તે કિનારા સારા છે. આથી તે ગાય કયારેક અહીં જાય છે, કયારેક ત્યાં જાય છે, તે નથી આ બાજુ પૂરું ચરી શકતી, નથી પેલી બાજુ પૂરું ચરી શકતી. આજના ધાર્મિકાની પણ આ જ સ્થિતિ છે. એમને કયારેક એમ લાગે છે કે આ કિનારાનુ જીવન સારું છે. કયારેક એમને એમ લાગે છે કે પેલા કિનારાનુ જીવન સારુ છે. તે કદીક વિચારે છે કે ખૂબ ભાગ ભાગવું; આ જ આનંદમય જીવન છે. કયારેક તે વિચારે છે કે આ કિનારાનું જીવન ભયાનક છે; પેલે કિનારે જવુ જોઈએ; ત્યાં આનંદ જ આનં↓ છે. પેલા તટ પર જવાથી આ તરફના તટનું જીવન Jain Educationa International ३४ For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સારુ લાગે છે; અને આ તટ પરના જીવન પર જવાથી પેલા તટ પરનુ જીવન સારું લાગે છે. કાઈક વાર અહીં આવે છે, કાઈક વાર ત્યાં જાય છે. તે નથી આ તરફના રહેતા, નથી પેલી બાજુના રહેતા, આ અહીં— તહીંની બે કિનારાની સ્થિતિથી મુક્ત થવા માટે આપણે અવશ્ય ‘ધ્યાન’ની પ્રક્રિયાનું આલંબન લેવું જ પડશે, આ જ એક માત્ર ઉપાય છે. Jain Educationa International ૩૫ For Personal and Private Use Only IN Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૩ તમે તટસ્થ નથી Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ : ૩ સંકેતિકા 9 મધુ૨ મચંદ્ર તળી પરે, સુત્ર નર બત સહાની | तो पिण राग व्यापै नहीं, जीत्यो मोह हरामी हो ॥ ૨ जे जोधा जगमें घणां सिंघ साथ संग्रामी हो । तैं मन इंद्री वश करी जोडी केवल पामी हो ॥ ↑ इन्द्रिय नो इन्द्रिय ३ ४ आकरा साहिबजी ! दुर्जय नैं दुर्दात हो निसनेही । મ करी साहिबजी ! धर उपशम चित्त शांत हो निसनेही ॥ तैं जीया मन थिर अहो प्रभु ! उभय बंधण आप आखिया, राग-द्वेष विकराल हो । अहो प्रभु ! हेतु ए नरक निगोद ना, राच्या मूरख बाल हो ॥ (ચૌવીસી ૨/૬, ૬; ૧૦/૧; ૨/૨) દીવા તળે અંધારું. D પ્રિયતા અને અપ્રિયતાની જાળમાં ફસાયા છે, પછી તટસ્થ કેવી રીતે ? n વસ્તુ-જગત પ્રત્યે જે તટસ્થ નથી હેાતા, તે ચૈતન્યજગત પ્રત્યે કદી તટસ્થ નથી બની શકતા. D પ્રેમ મારા થકી નહિ, રૂપ અને સૌન્દર્ય સાથે છે. જ્ઞ બન્ધુના વિલય, કૈવલ્યની પ્રાપ્તિ. æ તે કેવા વિચક્ષણ છે, જે પારસમણિને ઠોકર મારી રહ્યો છે ? n ઇન્દ્રિય-સવરની પ્રક્રિયા. નેય અને વિકાર વચ્ચે છે સુક્ષ્મ ભેદરેખા, n હેય અને ઉપાદેય. D જે વસ્તુ સાથે જોડાવાથી મૂર્છા જાગે છે, તે વસ્તુ હેય. ત્ત જે વસ્તુ સાથે જોડાવાથી મૂર્છા તૂટે છે, તે વસ્તુ ઉપાદેય. n પેાતાની પરિક્રમા જ સફળતાનુ સૂત્ર. Jain Educationa International ૩૭ For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ તમે તટસ્થ નથી દીવા તળે અંધારું મારા મિત્રને કહ્યું તમે તટસ્થ નથી. તેને ખૂબ ખોટું લાગ્યું. કોઈ માણસને કહેવામાં આવે કે તમે તટસ્થ નથી, પક્ષપાતી છે, તે એને ખૂબ ખોટું લાગે છે. દરેક વ્યક્તિ પોતાની જાતને તટસ્થ પ્રમાણિત કરવા ઇચ્છે છે. કોઈ એવું ઈછતું નથી કે લેકે તેને પક્ષપાતી કહે. આ લાંછન તેને સ્વીકાર્ય નથી. પક્ષપાત કરનાર પણ પિતાને પક્ષપાતી કહેવડાવવા નથી. તે એને સહન નથી કરી શકતે. મિત્રે મને પૂછયું કે તમે કેવી રીતે કહે છે કે હું તટસ્થ નથી? બધી જ બાબતોમાં તટસ્થતા જાળવું છું; કોઈ સાથે પક્ષપાત નથી કરતો. પછી આ આરોપ મારા પર શાને? મિત્રનું કહેવું પણ યોગ્ય હતું. દરેક વ્યક્તિ આ આધારે પિતાનું ઔચિત્ય સ્થાપિત કરે છે. મેં કહ્યું? ઘણીવાર એવું બને છે કે પ્રકાશની નીચે અંધકાર છુપાયેલો રહે છે. દીવા તળે અંધારું'—આ પ્રસિદ્ધ કહેવત છે. પિતાની ઓળખ આપણે જાતે જ શોધીઓ-ક્યાંક આપણું પોતાના જ પ્રકાશની નીચે અંધકાર તો નથી છવાયેલે ને ? બીજાને જાણવા-ઓળખવા અત્યન્ત સરળ છે; પરંતુ પોતાની જાતને જાણવી, સ્વયંને ઓળખવું, એ ખૂબ જ મુશ્કેલ છે. બીજાઓની બાબતમાં આપણું ધારણુઓ ખૂબ જ નિશ્ચિત હોય છે. આપણું સિદ્ધાંત ખૂબ જ સ્પષ્ટ હોય છે. પિતાની બાબતમાં આપણી ધારણા એકપક્ષીય (સ્વપક્ષીય) હોય છે. દરેક બાબતમાં એવો તર્ક થાય છે કે સારો છું; હું કોઈ ભૂલ નથી કરતો, હું તમારા જેવો નથી, જે બીજાની વાતોમાં આવી જાઉં કે એવું કહ્યું. આ તર્કબધા સમક્ષ પ્રખર રૂપે રહે છે. પિતાની દુર્બળતા સ્વીકારવી, એ એને માન્ય નથી. હજારોમાંથી એવી કોઈ વ્યક્તિ વિરલ મળી આવશે, જે એ સત્યને સ્વીકાર કરે કે પોતાનામાં કાઈ નબળાઈ કે દુર્બળતા છે. કોઈક વાર તે શાબ્દિક રીતે સ્વીકાર કરી પણ લે છે, પણ તેને અંતરાત્મા સાક્ષી નથી પૂરતો કે તે એવો છે. હૃદયમાં એ જ તર્ક ચાલે છે કે પિતાને કઈ દેશ નથી; વાતાવરણને કારણે મારે આમ કરવું પડયું; લાચાર થઈને આવું કરવું પડ્યું. “પોતે દુર્બળ છે–એ બાબતને સ્વીકાર કરવા માટે તેને અંતરાત્મા તૈયાર નથી થતા. 38 Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ તટસ્થ કયો છે? આ સ્થિતિમાં મારા મિત્રનું કહેવું અસ્વાભાવિક નહોતું કે તે તટસ્થ નથી, આ મિથ્યા આરોપ છે; વ્યવહારના ધરાતલ પર આ વાત સાચી છે. મેં વ્યવહારથી દૂર જઈને અંતર જગતના દરવાજા ખોલીને ચર્ચા આગળ વધારી. દરેક વ્યક્તિ આ સંદર્ભમાં પોતાની જાતને જુએ, આત્માલોચન કરે. ત્યારે મેં કહ્યું? મિત્ર! તમે ભોજન કરે છે? તેણે કહ્યું : અવશ્ય કરું છું. ભોજન વિના જીવન કેવી રીતે ચાલે ? કોણ છવધારી ભજન નથી કરતો ? જીવવા માટેની અનિવાર્ય શરત ભેજન” છે. ભોજન કરે છે, તે સ્વાદ પણ લે છે ? હા, સ્વાદ જરૂર લઉં છું.” કંઈક સારું પણ લાગે છે ને કંઈક ખરાબ પણ લાગે છે ને ? હા એમ લાગે છે. મનુષ્ય છું, પશુ નથી. પશુ પણ ખેરાકમાં પસંદગી કરે છે. તેઓ બધા જ પ્રકારનું ઘાસ નથી ખાતાં. પસંદગી કરે છે. હું પણ ભેજનમાં પસંદગી કરું છું. બધું નથી ખાતો. સ્વાદિષ્ટ ભેજન જમું છું. સ્વાદ કેમ ન લઉં ? જીભ મળી છે; સ્વાદના જ્ઞાનતંતુઓ મળ્યા છે; ને તેથી ભોજન સારું લાગશે અને ખરાબ પણ લાગશે. સારા પદાર્થો ભોજનમાં લઉં છું; ખરાબ છોડી દઉં છું. જ્યારે મનભાવતું સારું ભોજન સામે આવે છે ત્યારે મન પ્રફુલ્લિત ને પ્રસન્ન થઈ જાય છે; એથી ખૂબ જ તૃપ્તિ થાય છે; પ્રિયતાને ભાવ જાગે છે. જ્યારે અરુચિકર ભોજન સામે આવે છે ત્યારે મોઢું મચકોડાઈ જાય છે; અપ્રસન્નતા પેદા થાય છે, ક્રોધ પણ આવી જાય છે.” ત્યારે મેં મિત્રને કહ્યું: “મિત્ર! તો પછી તમે તટસ્થ ક્યાં રહ્યા? તમે કહો , તટસ્થ છું. એ બરાબર નથી. એક બાજુ પ્રિયતાને ભાવ રાખો છો, બીજી બાજુ અપ્રિયતાને ભાવ રાખે છે. એકને સારું માને છે, એકને ખરાબ-અપ્રિય. એકના આગમનથી રોમ-રોમ પુલકિત થઈ જાય છે, અને બીજાના આગમનથી મન ઉદાસ થઈ જાય છે– તિરસ્કાર આવે છે. આ સ્થિતિમાં તમે તટસ્થ ક્યાં રહ્યા ? તકની જાળ તે મિત્રે કહ્યું : “શું આ બધાથી તટસ્થતા ખંડિત થાય છે ? જે આનાથી પણ તટસ્થતા ખંડિત થતી હોય તો પછી દુનિયામાં કઈ ૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પણ તટસ્થ રહી જ ન શકે. શું આપણે પોતાનો વિવેક પણ છોડી દઈએ? મનુષ્યને એટલી બુદ્ધિ મળી છે, એટલે વિવેક મળે છે કે તે સારાને સારું અને ખરાબને ખરાબ જાણું બતાવે, સારા પ્રત્યે પ્રિયતાને ભાવ સંપાદિત કરે અને બૂરા પ્રત્યે અપ્રિયતાનો ભાવ રાખે–આ વિવેક છે; આ બુદ્ધિનું પરિણામ છે. આ વિવેકબુદ્ધિને ત્યાગ એટલે પશુ બની જવું–પશુની કેટિથી પણ નીચે જતા રહેવું. એટલા માટે એ આરોપ બરાબર નથી, કે આવું કરીને હું પિતાની તટસ્થતા છોડી રહ્યો છું.” તર્કની પિતાની સીમા હોય છે. તર્કના ક્ષેત્રમાં સ્વીકાર કરવાની વાત નથી હોતી. વિશ્વમાં એવું કશું જ નથી, જેનું તર્કના આધારે સમર્થન ન કરી શકાય અને તર્કને આધારે ખંડન ન કરી શકાય. દરેક વાતનું સમર્થન તર્કને આધારે કરી શકાય છે અને દરેક વાતનું ખંડન પણ તકને આધારે કરી શકાય છે. તેનું કામ જ છે સચ્ચાઈને સ્પર્શ ન કરવો; ખંડન-મંડનને સ્પર્શ કરતા રહેવું. તર્કને પિતાનું કામ હોય છે. જેને તર્ક એટલે પ્રબળ, તેટલા પ્રમાણમાં તે વાત મંડિત થઈ જાય છે; ને જેને તર્ક એટલે નિબળ તેટલા પ્રમાણમાં તે વાત ખંડિત થઈ જાય છે. સચ્ચાઈ સાથે આને કોઈ સંબંધ નથી. બસ, તર્કની પ્રબળતા જોઈએ. આપણે બધા તર્કની જાળમાં ફસાઈ ગયેલા છીએ. બુદ્ધિને પરમાત્મા માનીને ચાલનાર આ વાતને અસ્વીકાર કેવી રીતે કરે ? અખહિત તટરથતા ક્યારે ? મારો મિત્ર મારી વાતને સ્વીકાર ન કરી શક્યો. મારો મિત્ર મારી વાત માનતા નથી–એનું મને દુઃખ ન થયું. સ્વાભાવિક છે, આ ધરાતલ (સ્તર) પર ચાલનાર દરેક વ્યક્તિ આ સત્યને અસ્વીકાર કરશે. તેણે પૂછયું : “જે પદાર્થ પ્રત્યે આપણી તટસ્થતા નથી હોતી તે શું આપણે તટસ્થ ન થઈ શકીએ ?” ' મેં કહ્યું : વસ્તુ-જગત પ્રત્યે જેઓ તટસ્થ નથી રહી શકતા તેઓ ચૈતન્ય-જગત પ્રત્યે પણ કદીય તટસ્થ રહી શકતા નથી; પ્રાણ- જગત પ્રત્યે કદીય તટસ્થ રહી શકતા નથી. તટસ્થતા એક સ્થાન પર ખંડિત હોય છે, તો તે પછી દરેક સ્થાને ખંડિત થતી ચાલી આવે છે; પછીથી તે કદીય અભંગ અને અખંડ રહી શકતી નથી. બંધમાં એક છિદ્ર પડી જાય પછી તો તે છિદ્ર વિશાળ–વિસ્તૃત થતું જ જાય છે; ૪૦ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ અને એક ક્ષણ એવી આવે છે કે સંપૂર્ણ બંધ તૂટી જાય છે; બધું પાણી ફેલાઈ જાય છે. સર્વ પ્રથમ તટસ્થતા વસ્તુ જગત પ્રત્યે હોય છે. જે વ્યક્તિ વસ્તુ-જગત પ્રત્યે તટસ્થ થઈ જાય છે, તે પ્રાણુ જગત પ્રત્યે તટસ્થ થઈ જાય છે. એક પિતાને બે પુત્ર છે. પિતા તટસ્થ નથી. મોટા પુત્રના મનમાં ફરિયાદ છે કે પિતા મારા નાના ભાઈ પ્રત્યે પક્ષપાત રાખે છે; મારા અધિકારોથી મને વંચિત કરે છે; પિતા પિતાના નાના પુત્રને સર્વ ધન આપી દેવા ઈચ્છે છે અને મોટા પુત્રને કશું આપવા ઈચ્છતા નથી. એમ શા માટે બને ? એવું એટલા માટે બને કે વસ્તુ-જગત પ્રત્યે તેના મનમાં તટસ્થતા નથી. એના મનમાં ચૈતન્યનું મૂલ્ય નથી; એના મનમાં પ્રાણીનું મૂલ્ય નથી; એના મનમાં મનુષ્યનું મૂલ્ય નથી, પદાર્થનું મૂલ્ય છે તે વિચારે છે કે જે મને પ્રિય છે, એને વધારે પદાર્થો મળે અને જે અપ્રિય છે, એને ઓછા પદાર્થો મળે. પદાર્થ-જગતની આ પ્રિયતાઅપ્રિયતા પ્રાણ-જગતમાં પણ પ્રિયતા અને અપ્રિયતાના રૂપમાં ઊતરી આવે છે. સર્વ પ્રથમ આપણી પ્રિયતા-અપ્રિયતા આપણું ઈન્દ્રિ સાથે જોડાયેલી છે. ઇન્દ્રિયો પાંચ છે. આપણે પ્રિય શબ્દ સાંભળવા ઈચ્છીએ છીએ, અપ્રિય શબ્દ સાંભળવા ઇચ્છતા નથી. પ્રિય શબ્દો પ્રત્યે અનુરાગ હેય છે અને અપ્રિય શબ્દ સાંભળતાં જ પગથી માથા સુધી અગ્નિજવાલા ભભૂકી ઊઠે છે. ગુલાબનું ફૂલ કે રાતની રાણી જ્યારે મહેકે છે ત્યારે નાકને બહુ ગમે છે. જ્યાં પ્રિયતા અને અપ્રિયતાને ભાવ છે, ત્યાં તટસ્થતા કેમ રહી શકે? જ્યારે શબ્દ પ્રત્યે આપણી પ્રિયતા અને અપ્રિયતા, રૂપ પ્રત્યે આપણી પ્રિયતા અને અપ્રિયતા, રસ અને સ્પર્શ પ્રત્યે આપણી પ્રિયતા અને અપ્રિયતા છે, ત્યારે તટસ્થતા ક્યારેય સંભવિત નથી હોતી. જે વ્યક્તિ તટસ્થ બનવા ઈચ્છે છે, તેણે સર્વ પ્રથમ પ્રિયતા-અપ્રિયતાના ભાવથી મુક્ત થઈ જવું જોઈએ. તટસ્થતાને અવરોધક એક છોકરી જઈ રહી હતી. તે અત્યન્ત સુન્દર હતી એક યુવક એને પીછો કરવા લાગ્યો. છોકરીએ એને જોઈ લીધો. પાછી વળીને બેલીઃ “મારી પાછળ પાછળ કેમ આવી રહ્યા છે ?” તે બોલ્યોઃ “હું તમને પ્રેમ કરું છું.' છોકરી બેલીઃ “ઘણું સરસ; પરંતુ મારી બહેન ૪૧ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ પાછળ આવી રહી છે, તે મારા કરતાં પણ સુન્દર છે.' આટલું સાંભળતાં જ એ યુવક ત્યાં જ થેાભી ગયા; ને પેલી છેાકરી આગળ નીકળી ગઈ. પાછળથી એક ખીજી છેકરી આવી. યુવકે જોયું. તે કુરૂપ અને ખેડાળ હતી. યુવકે વિચાર્યું —દગા થયા છે. ત્યાંથી તે દાડચો અને પ્રથમ છેાકરી પાસે પહેાંચીને ખેલ્યા : તમારી બહેન તા ઘણી જ કુરૂપ છે. હું તમારી સાથે જ રહેવા ઇચ્છું છું. તમારા પર મને અપાર પ્રેમ છે.' તે ખાલી : ‘તમે અસત્ય ખાલે છેા. જો મારા પર પ્રેમ હેાત તા તમે કદી પાછળ નહિ રહેતે. તમારા પ્રેમ મારી સાથે નહિ પરન્તુ રૂપ અને સૌન્દર્ય સાથે છે. પાછળ આવતી છેકરી કુરૂપ તે ખેડાળ જોવા મળી એટલે મારી પાછળ આવ્યા. જો તે છેાકરી મારા કરતાં વધુ રૂપાળી હેત તા તમે મારી પાસે કદી ન આવત.' આ પ્રિયતા અને અપ્રિયતાના ભાવ વ્યક્તિને કદી તટસ્થ નથી રહેવા દેતા. મારા મિત્રને એ વાત સમજમાં આવી ગઈ કે જ્યાં સુધી વસ્તુજગત પ્રત્યે, ઇન્દ્રિય-વિષયા પ્રત્યે આપણા પ્રિયતા અને અપ્રિયતા ના ભાવ સમાપ્ત નથી થતા, ત્યાં સુધી તટસ્થતા ફલિત થતી નથી. એવી વ્યક્તિ મધ્યસ્થ નથી થઈ શકતી; એનામાં સમતા કદીય અવતરિત નથી થઈ શકતી. તટસ્થતા કેવી રીતે ? પૂછવામાં આવ્યું : ‘તટસ્થતા કેવી રીતે સંભવ છે?' મેં કહ્યું : ‘તટસ્થતા ઇન્દ્રિય-સંવર દ્વારા આવે છે. જે વ્યક્તિએ ઇન્દ્રિય-સંવર સાંધી લીધા છે, તે તટસ્થ બની જાય છે. જ્યારે મનથી પ્રિયતા અને અપ્રિયતાને ભાવ સમાપ્ત થઈ જાય છે, ત્યારે પદાર્થ પદાર્થ માત્ર રહી જાય છે, પ્રાણી પ્રાણી માત્ર રહી ય છે. આપણે ઘણી વાર એવું કહી દઈએ છીએ કે સારી વસ્તુ પ્રત્યે અમારી પ્રિયતા જોડાયેલી છે અને નઠારી વસ્તુ જોડે અમારી અપ્રિયતા જોડાયેલી છે—આ ભ્રાન્તિ છે. પ્રિયતાને કારણે વસ્તુ રુચિકર લાગે છે અને અપ્રિયતાને કારણે વસ્તુ અરુચિકર લાગે છે. પ્રિયતા અને અપ્રિયતાના સસ્કાર ધાવાઈ (મટી) જાય ત્યારે વસ્તુ વસ્તુ જ રહે છે—પદાર્થ પદાર્થ જ રહે છે અને યથાર્થ યથા જ રહે છે. શું એવું બનવા સ ંભવ છે ખરેા કે પ્રિયતા-અપ્રિયતાના ભાવ સમાપ્ત થઈ જાય ? ધણું સંભવ છે. જો આપણે પ્રાયેાગિક જીવન જીવીએ તા Jain Educationa International ૪૨ For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ એવું સંભવ છે કે પદાર્થ છે, પ્રાણી છે, પરંતુ પ્રિયતા-અપ્રિયતાના સંસ્કાર સમાપ્ત, પ્રશ્ન થાય છે કે: શું આંખ અને કાન બંધ રાખીએ? શુ' ઇન્દ્રિયાના દરવાજા બંધ રાખીએ, જેથી આ સ્થિતિ બની જાય ? ઇન્દ્રિયાના દરવાન દીર્ઘકાલ સુધી બંધ નહિ રાખી શકીએ. જીવનની લાંબી અવધિમાં—એવી દીકાલીન યાત્રામાં—આ કદીય સંભવ નથી કે માનવી આંખા બધ કરીને બેસી જાય, કાનના પડદા ફાડી નાખે એવું બનવા કદીય સંભવ નથી. ઇન્દ્રિયાનાં દ્વારા ખુલ્લાં રહેશે. પાણી આવશે પણ ગંદકી નહિ આવે. ઇન્દ્રિયાનું કામ છે જાણવું, સંવેદન કરવું, નાન કરવું. લાàાએ ભ્રાન્તિવશ એવું માની લીધું છે કે ઇન્દ્રિયાનું કામ છે રાગદ્વેષ કરવા, પ્રિયતા-અપ્રિયતા-ભાવ રાખવેા. ખરેખર તા ઇન્દ્રિયાનું એ કામ નથી. આંખાનું કામ મૂતિ થવાનું નથી; આંખાનું કામ પ્રિયતાઅપ્રિયતા પેદા કરવાનુ નથી. આંખા તા જ્ઞાનની એક ધારા છે. ચૈતન્યની એક ધારા છે. એમાં પ્રિયતા દેવી અને અપ્રિયતા કેવી ? જ્ઞાન અને મૂર્છાના યાગને આપણે એક માની લીધાં; આ એક ખૂબ મેાટી ભ્રાન્તિ થઈ ગઈ. જ્ઞાનની ધારા ભિન્ન છે, મૂર્છાની ધારા ભિન્ન છે. રાગ અને દ્વેષની ધારા જ્ઞાન ધારા સાથે જોડાઈ જાય છે અને આપણે બન્નેને એક માનીને પ્રિયતા-અપ્રિયતાના ભ્રમમાં ફસાઈ જઈએ છીએ. જ્યારે આ બ્રાન્તિ તૂટે છે—ચૈતન્યના અનુભવ થાય છે, ત્યારે ઇન્દ્રિયોની સ ંયમશીલતાની સ્વાભાવિક રચના થાય છે. બિચારું હરણ દોડી રહ્યુ છે—મૃગ મરીચિકા ભણી દોડી રહ્યું છે. સૂર્યાં કિરા રેતીના વિસ્તૃત મેદાન પર પડી રહ્યાં છે. મૃગને બ્રાન્તિ થાય છે કે (રેગિસ્તાનમાં) જલ લહેરાઈ રહ્યું છે. તે જલ પીવા તે તરફ દાડે છે. નજીક જતાં ત્યાં જલ દેખાતું જ નથી. ત્યાંથી વળી દૂર નજર નાખે છે તેા ત્યાંય જલ-આભાસ થાય છે. વળી તે દાડે છે; પણ ત્યાંય જલ મળતું નથી. અન્ધન બે : રાગ અને દ્વેષ માણસે પણ એવા ભ્રમને જાળવી રાખ્યા છે. તે માને છે કે હજી વધુ સ્વાદ મળે, વધુ પ્રિયતાના ભાવ જાગે. હજી વધુ તૃપ્તિ મળે. આ તૃપ્તિની આકાંક્ષાથી દરેક માનવી દોડી રહ્યો છે. એ હરણની જેમ—જે હરણ સૂર્યકિરણાની પ્રવચનામાં ચક્કર લગાવ્યા કરે છે, પરન્તુ એક પશુ જલબિંદુ પ્રાપ્ત નથી કરી શકતું—એમ માણસને પણ તૃપ્તિ મળતી નથી; તે તેથી તે વધુ ને વધુ ચક્કર લગાવવાની સ્થિતિમાં આવી જાય Jain Educationa International ૪૩ For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ છે. દરેક મનુષ્ય બે પ્રકારનાં અન્યનેાથી જકડાયેલેા છેઃ એક છે રાગનું અન્ધન, અને ખીજું છે દ્વેષનું બન્ધન. રાગનું બંધન પ્રિયતાનું બંધન છે, અને દ્વેષનુ બંધન અપ્રિયતાનું બંધન છે. આ બન્ને બન્ધતાથી કાઈ મુક્ત નથી. બધાં જ આ બે બન્ધનાથી જકડાયેલાં છે. જયાચાયે પ્રભુની સ્તુતિમાં કહ્યું, ‘આપ રાગ અને દ્વેષ-બે બન્ધના સમજ્યા છે, જાણ્યાં છે અને તેમને તાડયાં છે. જેવાં એ બન્યને તૂટવાં કે કૈવલ્ય પ્રાપ્ત થઈ ગયું—આપ કેવલી થઈ ગયા.' કેવલજ્ઞાન, અનાવૃત જ્ઞાન મળવામાં કાઈ વાર નથી લાગતી. અતીન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કરવામાં વિલમ્બ નથી થતા, જો આ પ્રિયતા અને અપ્રિયતાનાં અન્યને તૂટી જાય તેા. આ બન્ને બન્ધનેએ એક દીવાલ ઊભી કરી દીધી છે; એથી આપણું ચૈતન્ય જાગતુ નથી. ચૈતન્ય ત્યારે જાગી શકે છે, જ્યારે આકાંક્ષાએ સમાપ્ત થઈ જાય છે. જેમ જેમ આકાંક્ષાએ સમાપ્ત થતી જાય છે. તેમ તેમ ચૈતન્યનેા વિકાસ થતા જાય છે. સભવ—અસ’ભવ રૈદાસ ઘણા મેાટા સંત થઈ ગયા. તે ચમાર જાતિના હતા. પરંતુ પેાતાની તપસ્યાથી મહાયાગી બની ગયા. એક દિવસ એક મહાત્મા એમને ત્યાં આવી ચઢવા; પ્રણામ કરીને ખેલ્યાઃ મહાયાગી! એક તુચ્છ ભેટ હું આપને આપવા ઇચ્છું છું.' રૈદાસે પૂછ્યું: 'શુ' છે ભાઈ?’ આ પારસમણિ છે; લાખડને સેાનું બનાવી દે છે.' મને તેા એ કાઈજ કામના નથી, ભાઈ!' કામા નથી? એ કેવી રીતે? આપ તા જોડા સીવી રહ્યા છે. રાટલા માટે. પારસમણિથી આપની સમસ્યા હલ થઈ જશે. પછી આપની પાસે ધન જ ધન થઈ રહેશે; આજીવિકા માટે જોડા સીવવાની જરૂર નહિ રહેશે.’ આપ વિચારી શકે છેા, રૈદાસ સમજદાર ન હતા. જો સમજદાર હોત તા એવા જવાબ કદી ન આપત; પારસમણિને સ્વીકાર કરી લેત. પારસમણિનું નામ સાંભળતાં જ માણસના મેાઢામાંથી લાળ ઝરવા માંડે છે. તેા એ માણસ કેવા અદ્ભુત હશે કે જેણે પારસમણિને પણ ઠાકર મારી. બુદ્ધિહીન માણસ જ આવું કરી શકે. Jain Educationa International ૪૪ For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ મહાત્માએ ખૂબ આગ્રહ કર્યો. અતિ આગ્રહ જોઈને રૈદાસે કહ્યું : આ રહ્યું છાપરું; એમાં કયાંક પારસમણિને બેસી દે—લટકાવી દે.” મહાત્માએ પણ એમ જ કર્યું. બે વર્ષો વીતી ગયાં. તે જ મહાત્મા ફરીથી રૈદાસને ઘરે આવ્યા. તેણે જોયું. સંત રૈદાસ ચમારનું કામ કરી રહ્યા છે; જોડા સીવી રહ્યા છે. તેમના મનમાં એ કલ્પના હતી કે રૈદાસ પારસમણિની સહાયથી ધનપતિ બની ગયા હશે. હવે એમની પાસે ઊંચી ઊંચી ઈમારત હશે; આ હશે; તે હશે; બધું જ હશે. પરંતુ એમણે તે રૈદાસનું એનું એ જ જિંદુ કામ જેયું અને એ જ જૂનું ધામ; નહિ ઘર, નહિ પૈસા. મહાત્માનું મન ઉલિત થઈ ઊઠયું. તેમણે સચ્ચાઈ સમજવાને પ્રયત્ન કર્યો, પણ સમજી શક્યા નહિ. મહાત્મા બોલ્યા : “સંતજી! મેં એક ભેટ આપી હતી તે કયાં છે? - રૈદાસે કહ્યું: “જ્યાં મૂકી હતી ત્યાં જ પડી છે. એને મેં સ્પર્શ સુદ્ધાં નથી કર્યો. મહાત્મા વિમાસણમાં પડી ગયા. જોયું, પારસમણિ ત્યાં જ લટકી રહ્યો હતો, જ્યાં બે વર્ષ પહેલાં એમણે લટકાવ્યો હતો. રૈદાસે એને ઉપયોગ જ નહોતો કર્યો. મહાત્માએ વિચાર્યું એ કેવી રીતે શક્ય છે કે પારસમણિ પાસે હોય અને વ્યક્તિ એને ઉપયોગ ન કરે? સમાધાનની ભાષામાં જવાબ મળ્યોઃ જે વ્યક્તિ પ્રિયતા અને અપ્રિયતાની દુનિયામાં જીવે છે, એને માટે એવું કરવું અસંભવ છે; પરંતુ જે વ્યક્તિ આ બંધનથી દૂર છે—જેનું એ બંધન તૂટી ગયું છે, તેને માટે આવું સંભવ છે. એવી વ્યક્તિ પારસમણિને જુએ અને એને અતિરિક્ત–વધારાનું મહત્ત્વ આપે એ કદાપિ સંભવ નથી.” આપણી દુનિયા બે અસંભની દુનિયા છે. એક વાત છેડીને એક વાત અસંભવ બની જાય છે; બીજી વાત છેડીને બીજી અસંભવ બની જાય છે. આપણે બે અસંભવોની વચ્ચે આપણી યાત્રા કરીએ છીએ. ધ્યાનની યાત્રા એક અસંભવ છેડાની યાત્રા છે. ભોગની યાત્રા એક અસંભવ છેડા પ્રત્યેની યાત્રા છે. પ્રેક્ષા ધ્યાનના ઊંડાણમાં જવાથી. અસંભવ લાગતી વાત સંભવ લાગવા માંડે છે; અને જે વાત સંભવ ૪૫. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ લાગે છે તે અસંભવ બની જાય છે. આ બધું પરિવર્તન ઈન્દ્રિય-સંવર દ્વારા શક્ય છે. ઈન્ડિય- સંવરની પ્રક્રિયા આ પ્રશ્ન થાય છેઃ ઈન્દ્રિય-સંવર કેવી રીતે થાય છે? શું ઇન્દ્રિયને સંવર કરી શકાય? શું જીભ પર કોઈ ચીજ મૂકીએ અને તે સારી છે કે ખરાબ એ ભાવથી બચી શકાય ખરું ? શું સામે રૂપ હોય અને તે સુંદર છે કે અસુંદર–એનાથી બચી શકાય ખરું? હા, બધું શક્ય છે. જીભ પર વસ્તુ મૂકીએ તે ખ્યાલ આવી શકે કે તે મીઠી છે કે કડવી કે તીખી. આગળની સ્થિતિમાં એ ખ્યાલ આવો પણ બંધ થઈ જાય છે. જીભના જ્ઞાનાંકુર પિતાનું કામ બંધ કરી દે છે. સંવેદનકેન્દ્ર પણ પિતાનું કામ સમાપ્ત કરી દે છે. એ સંભવ છે; કેમ કે વ્યક્તિ સંવેદનાની ભૂમિકાથી ઉપર ઊઠીને જ્ઞાનની ભૂમિકા પર જાય છે, ચૈતન્યના અનુભવમાં જાય છે, ત્યારે સંવેદનાની ભૂમિકા નીચે રહી જાય છે અને જ્ઞાનની ભૂમિકા ઊપર આવી જાય છે. એ શક્ય છે. એના ઉપાયને નિર્દેશ કરતાં જયાચાર્યે લખ્યું છે? તે ગીત્યા મન થિર ’ મનને સ્થિર કરીને ઈન્દ્રિય જીતી શકાય છે. આપણે ઈન્દ્રિયોને જીતવાને સીધો પ્રયત્ન કરીએ છીએ. ઈન્દ્રિયને સીધી જીતી લેવી એ કદી સંભવ નથી. વાસ્તવમાં એને જીતવાની જ નથી હતી; તે તો લડતી જ નથી. ઈન્દ્રિયો બિચારી ક્યારે લડે છે, કયારે આપણને સતાવે છે, કે આપણે તેને જીતીએ. તે બિચારી કશું પણ નથી કરતી. તે તે જ્ઞાનની ધારાઓ છે. તેમની સાથે લડવું એ આપણી એક બ્રાન્તિ છે. પેલી ચકલી દર્પણમાં જોઈને પિતાના જ પ્રતિબિંબ પર ચાંચ માર્યા જ કરે છે, બરાબર એના જેવી આ વાત છે. એક સિંહ કૂવાના થાળા પર ગયો. અંદર પાણીમાં પિતાનું પ્રતિબિબ જોયું. પિતાના જ જેવા અન્ય સિહની આકૃતિ જોઈને એની સામે ગર્જના કરી. પ્રતિબિબે પણ ગર્જના કરી, એણે વિચાર્યું, “અંદર મારે કઈ અન્ય પ્રતિદ્વન્દી ગર્જના કરી રહ્યો છે, એમ વિચારીને એની સાથે લડવા માટે તે તે કૂવાની અંદર કૂદી પડ્યો. અન્યને મારી નાખવાની ઇચ્છાવાળા સ્વયં પાણીની અંદર તરફડી તરફડીને સ્વધામ પહોંચી ગયો. ૪૬. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આજે મનુષ્ય પણ આવું જ કરી રહ્યો છે. તે પેાતાના જ પ્રતિબિંબ સાથે લડવાનું વિચારી રહ્યો છે. ઇન્દ્રિયા આપણી જ્ઞાન-ધારા છે. એમની સાથે લડવું એટલે આપણા પોતાના પ્રતિબિંબ સાથે લડવા બરાબર છે. ઇન્દ્રિયા સાથે સંઘર્ષ કરવાની કાઈ જરૂર નથી. મન સાથે લડવું જરૂરી છે. જેણે પેાતાના મનને સમજી લીધું છે, તે ઇન્દ્રિયા સાથે આવનાર મૂર્છાને સમાપ્ત કરી દે છે. પ્રિયતા અને અપ્રિયતા, રાગ અને દ્વેષ, મૂર્છા—આદિ મન સાથે જોડાયેલાં છે. આ ઇન્દ્રિયાની જ્ઞાનધારાઆમાં મળે છે. આપણે તે મૂર્છાને સમજીએ-મેાહને સમજીએ. હકીકતમાં તેને જ સમજવાને છે. તેને સમજી લેવાથી તટસ્થતા આવી શકે છે. ઇન્દ્રિયાના સવર પહેલાં આવશ્યક છે મનના સંવર. મનને સ ંવર થવાથી ઇન્દ્રિયાને! સંવર આપમેળે થઈ જાય છે. જે વ્યક્તિનું મન શાંત છે, જેનું ચિત્ત શાંત છે, જેની વ્રુદ્ધિ શાંત છે, તેની સમક્ષ રૂપ આવે તા તે રૂપ રૂપ હરો, જ્ઞેય હશે, પરન્તુ વિકાર નહિ થાય. જ્ઞેય અને વિકાર વચ્ચે ઘણી સૂક્ષ્મ ભેદરેખા છે. બન્નેને અલગ અલગ સમજવાં જોઈએ. શબ્દ, રૂપ, રસ, ગધ સ્પ—આ બધાં જ્ઞેય છે. જાણવા યાગ્ય છે. હેય-ઉપાદેય ત્રણ પ્રકારના પદાર્થો છે. કેટલાક પદાર્થો હેય છે, કેટલાક ઉપાદેય છે; પરન્તુ જ્ઞેયતા બધા જ છે. કાદવ-કીચડ, કચરા-પૂજાને ઢગલા—આ બધું પણ તૈય છે. રેયની કાઈ સીમા હૈતી નથી. પદાર્થ ભલે પવિત્ર હાય કે અપવિત્ર હાય, નિત્ય હૈાય કે અનિત્ય, રમણીય હાય કે અરમણીય હાય, સારા હેાય કે ખરાબ હેાય—બધાં જ જ્ઞેય છે. ાણવા યોગ્ય છે. એક પદાર્થ એવા નથી જે જ્ઞેય ન હેાય. જ્ઞાનની સીમાથી પાર ક્રાઈ પદાર્થ હાતા નથી. જ્ઞાન અનન્ત છે તેા જ્ઞેય પણ અનંત છે. બધું જ જ્ઞેય છે. એક બીજો પ્રશ્ન છે ઃ હેય અને ઉપાદેયા; ત્યાગવાના અને સ્વીકારવાને. આ કંઈ જ્ઞાનની સીમા નથી; એ મૂર્ખની સીમા છે. જે વસ્તુ સાથે જોડાવાથી આપણી મૂર્છા જાગે છે, તે વસ્તુ હેય બની જાય છે; અને જે વસ્તુ સાથે જોડાવાથી આપણી મૂર્છા તૂટે છે, તે વસ્તુ આપણે માટે ઉપાદેય બની જાય છે. હેય અને ઉપાદેય વચ્ચે ભેદરેખા દ્વારી શકાય છે; પરન્તુ જ્ઞેયની શકાતી નથી. જ્યારે મૂર્ખ અલગ હેાય છે, અંદર કાઈ ભેદરેખા દ્વારી ચૈતન્યની ધારા અલગ હોય Jain Educationa International ४७ For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ છે, ત્યારે ય ય રહી જાય છે; હેય અને ઉપાદેયની સીમા જુદી થઈ જાય છે. વિવર્તવાદ | વેદાન્ત એક સિદ્ધાન્તને વિકાસ કર્યો છે. તેને “વિવર્ત-સિદ્ધાન્ત' કહેવામાં આવ્યો છે. તે પ્રમાણે કેવળ ચૈતન્ય જ સત્ય છે; સંસાર સમગ્ર અસત્ય છે, માયા છે, પ્રપંચ છે. માણસ ભ્રાંતિમાં જીવે છે. કેઈક માણસ અંધકારમાં જ હોય છે. ત્યાં દેરી પડેલી હોય અને તે માની લે છે કે એ તો સાપ છે; અને સાપના ભયથી તે ભાગવા માંડે છે. દોરીમાં સાપનો ભ્રમ થઈ ગયો. દોરી સાપની જેમ કદી કરડી શકતી નથી; પરન્તુ ભ્રાતિ કે મિથ્યા ધારણાને કારણે દેરીમાં સાપનું આપણું કરવામાં આવે છે. તેવી જ રીતે સમગ્ર વસ્તુ-જગત મિથ્યા ધારણું છે. વાસ્તવમાં ચૈતન્ય જ યથાર્થ છે. આ એક દષ્ટિ છે. અને વાસ્તવિક જૈન દર્શન અનુસાર ચેતન પણ વાસ્તવિક છે અને અચેતન પણ વાસ્તવિક છેઃ બને વાસ્તવિક છે. અચેતન ભ્રમ નથી. જેમ ચેતનનું સ્વતંત્ર અસ્તિત્વ છે, તેવી જ રીતે અચેતનનુંય સ્વતન્ન અસ્તિત્વ છે. બન્નેના અસ્તિત્વમાં કેઈ અન્તર નથી; અને વાસ્તવિક છે, યથાર્થ છે. સાધનાની દૃષ્ટિએ બન્નેમાં કેઈ અન્તર નથી રહેતું; અન્તર રહે છે સ્વયંને પરિપાર્શ્વમાં. શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછયું: “સોમાંથી એકાવન નીકળી જાય તે બાકી શું રહે ? જવાબ જુદા જુદા મળ્યા. એકે કહ્યું: “એગણપચાસ બચશે. એક ઉદ્યોગપતિના દીકરાએ કહ્યું : “બાકી કશું જ રહેશે નહિ; સમગ્ર કંપની ડૂલ થઈ જશે.” જેની પાસે એકાવન ટકા શેર છે, તે કંપનીને માલિક હોય છે. બહુમતના હાથમાં માલિકી આવી જાય છે. બાકીનાઓના હાથમાં કશું રહેતું નથી. સત્તા એકાવન ટકાના હાથમાં આવી જાય છે; પાછળ રહે છે વિરોધી દળ, જેના હાથમાં સત્તા નથી રહેતી. આ દરેકને પોત-પોતાને દષ્ટિકેણ છે. ४८ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ચિત્તની સક્રિયતા સાધનાના ક્ષેત્રમાં દૃષ્ટિકોણ ભિન્ન નથી હોતો. દર્શનના ક્ષેત્રમાં દષ્ટિકોણ ભિન્ન હોઈ શકે છે. જ્યાં સાધનાને પ્રશ્ન છે, ત્યાં વેદાન્તને દષ્ટિકોણ પણ આ જ છે, કે આપણે કેવળ ચૈતન્યનો અનુભવ કરીએ. જૈન દર્શનને દૃષ્ટિકોણ પણ આ જ છે કે આપણે માત્ર ચૈતન્યને અનુભવ કરીએ. ઈન્દ્રિો પર વિજય પ્રાપ્ત કરવાને સહજ-સરલ માર્ગ છે ચૈતન્યનો અનુભવ કરવો. આ કાયોત્સર્ગ ચૈતન્યના અનુભવની પ્રક્રિયા છે શરીરના કણેકણમાં ચિતને લઈ જઈએ અને તેમાં ચૈતન્યને અનુભવ કરીએ. - શરીર પ્રેક્ષામાં પણ પ્રત્યેક અવયવમાં ચૈતન્યને અનુભવ કરાયા છે. આ પ્રક્રિયાથી જ્ઞાનતંતુઓને સક્રિય તથા નાડી-સંસ્થાનને જાગ્રત કરવામાં આવે છે. આખરે લક્ષ્ય એક છે-ચિત્તને સક્રિય કરવું; ચૈતન્યને જાગ્રતા કરવું, ચૈતન્યને અનુભવ કરવો. જ્યારે ચૈતન્યનો અનુભવ થાય છે, પિતાની પરિક્રમા થાય છે ત્યારે ઇન્દ્રિયો આપમેળે વિજિત થઈ જાય છે, મૂછની ધાર વિછિન્ન થઈ જાય છે. આવશ્યક છે પિતાની પરિક્રમા કરવાનું. સ્વયંની પરિક્રમા મહાદેવજીએ પોતાના બન્ને પુત્રોને કહ્યું : “જાઓ, ત્રણ લેકની પરિક્રમા કરી આવો. જે પહેલો આવશે એને પુરસ્કૃત કરવામાં આવશે–તે વિજયી બનશે; અને જે પછીથી આવશે તે પરાજિત માનવામાં આવશે.” બે પુત્રો-એકનું નામ ગણેશ અને બીજાનું નામ કાર્તિકેય. કાર્તિકેયને ખૂબ આનંદ થયો. તેણે વિચાર્યું: ‘મારું વાહન મયૂર છે. તે ખૂબ જ શક્તિશાળી અને તીવગામી છે. હું જ વિજયી થઈશ.” ગણેશે વિચાર્યું : મારું વાહન ઉંદર છે; હું કેવી રીતે પરિક્રમા કરી શકીશ? હું તે ભારેખમ ને ઉંદર તે નાનકડું. વિજયી થવાને પ્રશ્ન જ નથી. તે નિરાશ થઈ ગયો. કાર્તિકેય પિતાના વાહન પર બેઠો અને ત્રિલોકની પરિક્રમા કરવા નીકળી પડ્યો, મ-૪ ૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ગણેશે વિચાર કર્યો : “નિરાશ થવાથી શું વળે? મારે ચિન્તા નહિ પણ ચિન્તન કરવું જોઈએ; કેઈ ઉપાય જરૂર મળી જશે. - આચાર્ય તુલસીએ એક સૂત્ર આપ્યું: ‘ચિન્તા નહિ, ચિન્તન કરે. જે માણસ ચિન્તામાં ડૂબી જાય છે, તે પ્રથમ ક્ષણે જ હારી જાય છે; તેણે વિજયની આશા જ છેડી દેવી જોઈએ. જ્યાં જ્યાં ચિન્તાનાં વાદળો ઘેરાય છે, ત્યાં ત્યાં પરાજય વ્યક્તિને વ્યથિત કરી દે છે. જ્યાં ચિન્તામાંથી મુક્ત થઈ જવાય છે અને ચિન્તન આવી જાય છે, ત્યાં સફળતા ચરણ ચૂમવા લાગી જાય છે. આ જ ભેદ છે પદાર્થ અને મૂછમાં. જે મૂછમાં ડૂબે તે પદાર્થમાં ડૂબનાર બની ગયે. મૂર્છાથી અલગ થતાં જ પદાર્થ પણ ઉપયોગી બની જાય છે. જે અન્તર આપણે પદાર્થ અને મૂછમાં રાખી શકીએ, તે અન્તર ચિન્તા અને ચિન્તનમાં મૂકી શકાય. ચિત્તાને જે માથે ન આવે. ચિન્તાના પાણીથી ભરેલો ઘડો આપણા મસ્તક પર ન લદાય; જે તે લદાઈ ગયે, તો આપણું ગતિ નરમ પડી જાય—મન્દ પડી જાય. ચિન્તન કરવાથી સફળતા આપોઆપ સામે આવીને ઊભી રહે છે. ગણેશે ચિન્તા છોડીને ચિત્તનો આરંભ કર્યો; સમસ્યા પર કેન્દ્રિત-એકાગ્ર થયો. સંભવ છે એણે ચૈતન્ય-કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એને સમસ્યાનું સમાધાનનું સૂત્ર મળી ગયું. તે આનન્દ્રિત થઈ ગયો. . પ્રેક્ષા-યાનનું એક સૂત્ર છે. જ્યારે કોઈપણ જટિલ સમસ્યા સામે આવે, ત્યારે દશ મિનિટ સુધી આનન્દ કેન્દ્ર પર પીળા રંગનું ધ્યાન ધરો. સાધકને અનુભવ થશે કે સમસ્યાના સમાધાનનું સૂત્ર ઉપરથી નીચે ઊતરી રહ્યું છે. ગણેશને સફળતાનું સૂત્ર મળી ગયું. તેણે તરત જ શિવની પરિક્રમા પ્રારંભ કરી દીધી. ત્રણ પરિક્રમા કરી તે બેસી ગયા. કાર્તિકેય મોડેથી પહોંચ્યો. ગણેશને ત્યાં બેઠેલે જેઈને પિતાના વિજય પર પ્રસન્ન થયો; વિચાર્યું “આ બુદ્ધ છે; અહીં બેઠો છે. બિચારે જાય પણ કેવી રીતે. પૂજા મને મળશે; પુરસ્કાર મને જ મળશે.” ગણેશે કહ્યું: “પહેલાં મેં પરિક્રમા કરી છે; પુરસ્કાર મને મળવા જોઈએ. કાર્તિકેયે કહ્યું : “તું જો છે. ઉંદર પર કેવી રીતે પરિક્રમા કરી ૫૦. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ આવ્યો ? મેં ત્રણ લોકની પરિક્રમા કરી છે. હું વિજયી છું. તું હારી ગયો; હું જીતી ગયો.” કાર્તિકેય અને ગણેશ વચ્ચે વિવાદ થવા લાગ્યો. મહાદેવે ગણેશને કહ્યુંઃ “ગણેશ, તું તારી પોતાની વાત સિદ્ધ કરી બતાવ. ગણેશે કહ્યું : “મેં તમારી પરિક્રમા કરી. તમારામાં ત્રણે લેક સમાયેલાં છે. શિવથી ભિન્ન કઈ સંસાર નથી. સમગ્ર સંસાર શિવમાં સમાયેલાં છે. શિવની પરિક્રમા કરવી, એને અર્થ સંસારની પરિક્રમા કરવી.” મહાદેવે ગણેશની વાતનું સમર્થન કર્યું. ગણેશ જીતી ગયે. કાર્તિકેય હારી ગયે. જે વ્યક્તિ પિતાની પરિક્રમા કરી લે છે, પોતાના ચૈતન્યની પરિક્રમા કરી લે છે, તે જીતી જાય છે. ચૈતન્યમાં બધું સમાયેલું છે. ચૈતન્ય જગતની પરિક્રમા કરનાર જીતી જાય છે. અને પદાર્થ જગતની પરિક્રમા કરનાર હારી જાય છે. મનુષ્યને સ્વભાવ જ એવો છે કે તે પદાર્થનું અને સમસ્ત સંસારનું ચક્કર લગાવવા ઈચ્છે છે; તેને ક્યારેય સફળતા નથી મળતી. જેણે ચૈતન્યની પરિક્રમા કરી લીધી, પિતાના શિવની પરિક્રમા કરી લીધી, પિતાના મહાદેવની પરિક્રમા કરી લીધી, તે સફળ થઈ ગયો. પતાને અનુભવ આપણી સમગ્ર સફળતાનું સૂત્ર છે– સ્વયં ચૈતન્યનો અનુભવ. ચૈતન્યને અનુભવ કરવાથી ઈન્દ્રિયોની સમસ્યા, મૂછ અને રાગ-દ્વેષની સમસ્યા, પ્રિયતા અને અપ્રિયતાના સંવેદનની સમસ્યા આપમેળે સમાપ્ત થઈ જાય છે. એનાથી તટસ્થ ભાવ જાગ્રત થાય છે, અને સમતા જાગ્રત થઈ જાય છે. તેના જાગ્રત થવાથી દુઃખનાં બધૂને આપોઆપ તૂટી જાય છે; અતૃપ્તિ અને આકાંક્ષા દ્વારા પેદા થનાર બન્ધને અને દુઃખ પિતાના મોતે મરે છે; વ્યક્તિ એક નવા સંસારને અનુભવ કરે છે. તેવા અનુભવની સૃષ્ટિમાં પ્રવેશ કરીને તે આ ભાષામાં બોલી ઊઠે છે: સંસારની પરિક્રમા કરીને જે પ્રાપ્ત નહિ થયું, જે નહિ મળ્યું, તે સ્વયંની પરિક્રમા કરીને બધું જ મળી જાય છે–ને જેના મળી જવાથી તે પછી બીજી કોઈ વસ્તુ મેળવવાની આકાંક્ષા બાકી રહેતી નથી.' Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૪ પ્રેયથી શ્રેય તરફ Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૪ 9 ૨ ३ સ કૃતિકા राजिमती छांडी जिनराय, शिव सुन्दर स्यूं प्रीत लगाय । પ્રશ્રુ નેમ સ્વામી ! તૂ બનનાથ સંત-નામી || अहो प्रभु ! शरण आयो तुझ साहिबा बस रह्या हीया मांय हो । अहो प्रभु ! आगम-वयण अङ्गीकरी, रह्यो ध्यान तुझ ध्याय हो । संग छांड मन वश करी, इन्द्रिय दमन करी दुर्दन्त के । विविध तपे करी स्वामजी, घाती कर्म नौ कीधो अंत के ॥ ४ हो प्रभु ! शरण आयो तुझ साहिबा, तुम ध्यान धरूँ दिन रैन हो । तुझ मिलवा मुझ मन उमह्यो, तुम संमरण स्यूं सुख चैन हो । (ચૌવીસી ૨૨/૨; ૨/૬; ૨/૭; ૮/૬) પ્રેયસ્થી શ્રેયસ્ તરફ પ્રસ્થાન કેવી રીતે થાય ? n પ્રેયસ અસાધ્ય નહિ, કષ્ટ-સાધ્ય રોગ છે. n અરિષ્ટનેમિએ રાજીમતીને ત્યાગ કેવી રીતે કર્યો? æ મેાટા આકર્ષણનું આગમન થતાં જ નાનું આકર્ષણ આપમેળે છૂટી જાય છે. ॥ મૂર્ત માટે થનાર પ્રિયતાને સમાપ્ત કરવાનું સૂત્ર છે— અદ્ભૂત પ્રત્યે પ્રિયતા પેદા કરવી. ūપ્રિયતા સમાપ્ત કરવાનાં પાંચ સૂત્ર : ♦ અમૂર્ત પ્રત્યે પ્રિયતા પેદા કરવી Jain Educationa International ♦ શરણ ♦ અમૂર્ત નું ધ્યાન • સાક્ષાત્કારની ઉત્કટ અભિલાષા સુમિરન. કર્મી-વિલય ચૈતન્ય જાગરણના ઉડ્ડય. ૫૩ For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ યથી શ્રેય તરફ પ્રિયતા છે કષ્ટસાધ્ય બીમારી એક ભાઈએ કહ્યું: “હું પ્રેયથી શ્રેય તરફ જવા ઈચ્છું છું પરંતુ ખબર નથી પડતી કે “કેમ મનથી પ્રિયતાને ભાવ નીકળી જ નથી શકતો. મારા મનમાંથી અપ્રિયતાને ભાવ મોટેભાગે સમાપ્ત થઈ ચૂક્યો છે; પરંતુ જાણતા અજાણતામાં પ્રિયતાનો ભાવ તો આવી જ જાય છે. પ્રયત્ન કરવા છતાં હું તેને છોડી શકતો નથી.' આ ઘણી મોટી સચ્ચાઈ છે. અપ્રિયતા છૂટી જાય છે, પ્રિયતા બાકી રહી જાય છે; ઠેષ છૂટી જાય છે, રાગ બચી જાય છે. રાગ એ મૂળ બીમારી છે; &ષ એને ઉપજીવી છે. ઠેષ મૂળ બીમારી નથી. પ્રિયતા છે તેથી અપ્રિયતા હોય છે. રાગ છે એટલે ઠેષ થાય છે. અપ્રિયતા અને દેષ મૌલિક નથી. શું પ્રેય અસાધ્ય બીમારી છે? ના, એ અસાધ્ય નહિ પણ કષ્ટસાધ્ય અવશ્ય છે. આયુર્વેદમાં ત્રણ પ્રકારના રોગ માનવામાં આવે છે–સાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય. કેટલાક રોગો સહજ સાધ્ય હોય છે. થોડીક જ દવા લેવાથી મટી જાય છે. કેટલાક રોગો કષ્ટસાધ્ય હોય છે; ભારે મુશ્કેલીથી એના પર નિયત્રંણુ રાખી શકાય છે. કેટલાક રોગો અસાધ્ય હોય છે. એમના પર કોઈ દવા કે ચિકિત્સા કામ નથી આપતી. તે અચિકિત્સ્ય હોય છે. પ્રેયનો રોગ અસાધ્ય નથી, તે કષ્ટસાધ્ય છે; એને સમાપ્ત કરી શકાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે તેને સમાપ્ત કરવાનો ઉપાય શો છે? સાધકે હમેશાં એ શોધમાં રહ્યા છે કે આ રોગની ચિકિત્સા શી રીતે કરવામાં આવે ? એનાં સાધને ક્યાં હોઈ શકે? ભિન્ન ભિન્ન ચિકિત્સકેએ ભિન્ન ભિન્ન સાધને બતાવ્યાં. શ્રીમજજયાયાયે પણ કેટલાંક સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જેના દ્વારા કષ્ટસાધ્ય બીમારીથી છુટકારો મેળવી શકાય છે. પહેલું સાધન છે–અમૂર્ત સાથે પ્રીતિ, પ્રીતિને વિઘટિત કરવા માટે પ્રીતિને જ સાધન બનાવવાનું રહેશે. કાંટાથી કાંટે કાઢવાને છે; ઝેરથી ઝેરને પ્રતિકાર કરવાનો છે. આપણી પ્રીતિ મત પ્રત્યે છે. જે સ્થૂલ છે, મૂર્ત છે, તેની સાથે સ્વાભાવિક પ્રિયતા (સ્નેહ-મમતા) જોડાઈ જાય છે. વ્યક્તિ તેના તરફ ઝૂકી જાય છે–આકષ્ટ થઈ જાય છે. કેઈને સ્પર્શ ૫૪. Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ કર્યાં, સ્પર્શી સારા લાગ્યા; પ્રીતિ બંધાઈ ગઈ. ક્રાઈએ મીઠી વાત કરી; સ્તુતિ પ્રત્યે પ્રીતિ થઈ બેઠી. સ્વાદ પ્રત્યે પ્રીતિ થઈ જાય છે. આ બધી મૂર્ત સાથે થનારી પ્રીતિ છે. અમૂર્ત પ્રત્યે પ્રીતિ બાંધવી અત્યન્ત કઠિન છે. જ્યાં સુધી અમૂર્ત સાથે પ્રીતિ બંધાતી નથી, ત્યાં સુધી પ્રિયતાના ભાવ સમાપ્ત થઈ શકતા નથી. આ ખીમારી એકદમ દૂર થઈ શકતી નથી. પરમ સુન્દરીને કેવી રીતે છેડી અરિષ્ટનેમિ લગ્ન માટે જઈ રહ્યા છે. રાજીમતી એક સુંદર કન્યા —રાજકુમારી—–સ્રી-સૌન્દર્યાં અને લાવણ્ય તથા બધા જ ગુણાથી યુક્ત, અરિષ્ટનેમિ અને રાજીમતી બન્નેના મનમાં ઉત્સાહ છે. અરિષ્ટનેમિ લગ્ન કરવા ઇચ્છે છે. રાજીમતી સાથે એની પ્રિયતા જોડાયેલી છે. રાજીમતી અરિષ્ટનેમિ સાથે પરિણય માટે અત્યન્ત આતુર છે. અરિષ્ટનેમિ બનીઠનીને જાન લઈ જઈ રહ્યા છે. હજી લસમ ડપમાં પહેાંચ્યા નથી. વચમાં એક ઘટના બની ગઈ. તેમણે પ્રાણીઓના આતુર કાલાહલ સાંભળ્યા. તેમણે સારથિને પૂછ્યું: 'આ શારભાર શેતેા થઈ રહ્યો છે? પશુએ ને આ નાદ કાંથી આવી રહ્યો છે?’ સારથિ માલ્યા ઃ મહારાજ ! લગ્નમાં ભાજન આપવા માટે મેટી સંખ્યામાં પશુએ હત્યા કરવા માટે ભેગાં કરવામાં આવ્યાં છે. તેઓ મેાતના ભયથી આત સ્વરમાં કકળાટ કરી રહ્યા છે.' અરિષ્ટનેમિએ આ સાંભળ્યુ. અને એ તા અવાક્ થઈ ગયા. તેમણે ચિંતનની ધારા ખલી નાખી. તેમણે વિચાયુ : એકનું ધર વસશે, અનેકાનાં ધરા ઉજ્જડ થઈ જશે; એક સુખ પ્રાપ્ત કરશે ને અનેકાનાં સુખ ઝૂટવાઈ જશે. ચિંતનનું ઊંડાણુ વધતું ગયું. તે તત્કાલ ત્યાંથી પાછા ફરી ગયા અને પોતાના મુકામ તરફ ચાલી નીકળ્યા. એમણે રાજીમતીના ત્યાગ કરી દીધે।. તે તેના તરફથી મેઢુ ફેરવી ચાલી નીકળ્યા. પ્રશ્ન થાય છે કે રાજીમતી જેવી પરમ સુંદરીને તેમણે શી રીતે છેડી દીધી ? એ કેવી રીતે શકચ બતી શકયું? મૂક પ્રાણીએ માટે અપાર સુખ આપનાર, કામિનીને ક્રાણુ કેવી રીતે છેડી શકે છે? આ પ્રશ્નનું સુંદર સમાધાન જયાચાયે પ્રસ્તુત કર્યું છે. તેમણે લખ્યું છે ‘નિમતી બ્રાંડી નનરાય, શિવ સુંવર સ્પૂ પ્રીત નગાય ।' રાજીમતી એક અનુપમ સુંદરી હતી. તેમાં તેમની પ્રીતિ હતી. તેમણે તે પ્રીતિને ત્યાંથી હટાવી શિવ-સુંદરી સાથે જોડી દીધી. જ્યાં સુધી મહાન સુંદરી સાથે : Jain Educationa International ૫૫ For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિ જેડાતી નથી, ત્યાં સુધી નાની સુંદરીને છોડી નથી શકાતી–એ નાની સુંદરી સાથે જોડાયેલી પ્રીતિને તેડી શકાતી નથી. કેઈ મહાન આકર્ષણ (પ્રેરક બળ) સામે ન હોય તે નિમ્ન કક્ષાનું આકર્ષણ છેડી શકાતું નથી. મહાન આકર્ષણના પ્રવેશ સાથે જ નિમ્ન આકર્ષણ આપોઆપ અદશ્ય થઈ જાય છે. તેને માટે બીજા પ્રયાસની જરૂર નથી રહેતી. આ “મનુરાજ વિરાજ:' ને સિદ્ધાંત છે. આ વેગનું, અધ્યાત્મનું ઘણું મહાન સૂત્ર છે. એક પ્રત્યે અનુરાગને અર્થ છે, અને પ્રત્યે વિરાગ. એકના પ્રત્યે વિરાગને અર્થ છે, અને પ્રત્યે અનુરાગ. જેને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રત્યે અનુરાગ છે, તેને ચૈતન્ય પ્રત્યે વિરાગ આપમેળે થઈ જાય છે. જેના મનમાં ચૈતન્ય પ્રત્યે અનુરાગ જાગી જાય છે તેના મનમાં શબ્દ વગેરે ઇન્દ્રિય વિષય પ્રત્યે વિરાગ થઈ જાય છે. બંને પ્રત્યે વિરાગ કે અનુરાગ નહિ થઈ શકે. બંનેમાંથી એક પ્રત્યે અનુરાગ રહેશે, એક પ્રત્યે વિરાગ થશે. બે માર્ગોમાં એકસાથે યાત્રા નથી થઈ શકતી. બે ઘેડા પર એકસાથે સવારી નથી થઈ શકતી. બે દિશાઓમાં એક સાથે નથી જઈ શકાતું. પૂર્વમાં જવાશે કે પશ્ચિમમાં અથવા ઉત્તરમાં કે દક્ષિણમાં. એકસાથે પૂર્વમાં અને પશ્ચિમમાં અથવા એકસાથે ઉત્તરમાં અને દક્ષિણમાં જવું અસંભવ છે. ચૈતન્યની દિશામાં પ્રસ્થાન થશે તો અચેતન્યની દિશામાં અગ્રસ્થાને રહેશે. અચેતન્યની દિશામાં પ્રસ્થાન થશે તો ચૈતન્યની દિશામાં અપ્રસ્થાન રહેશે. અરિષ્ટનેમિન યાત્રા પથ બદલાઈ ગયું. શિવસુંદરી સાથે એની પ્રીતિ જોડાઈ અને સુંદરી રામતી તેમને માટે અર્થહીન બની ગઈ. શિવસુંદરી માટે અનુરાગ જાગ્યો અને આ તરફ રાજીમતી માટે વિરાગ પેદા થઈ ગયા. અમૂર્ત પ્રત્યે પ્રિયતા જ્યાં સુધી અમૂર્ત સૌન્દર્ય અને અમૂર્ત રમણીયતા પ્રત્યે અનુરાગ નથી જાગતા ત્યાં સુધી મૂર્ત સૌન્દર્ય અને મૂર્ત રમણીયતાને ત્યાગ નથી થઈ શકતો. સંતાએ ભગવાનની ઉપાસના એક સખાના રૂપમાં કરી છે. તે એક સ્ત્રી અથવા સુંદરીના રૂપમાં પણ કરી છે. આખરે કેઈપણ માણસ સૌન્દર્યને છેડી શકતો નથી. મધુરતા છોડી નથી શકતા. કોઈને કડવાશ ગમતી નથી. કુરૂપતા પ્રિય નથી. સાપેક્ષ કથન છે. જ્યારે વધુ સુંદરતા નજીક આવે છે ત્યારે ઓછી સુંદરતા વ્યર્થ બની જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વધારે મીઠી ચીજ નજર સમક્ષ આવે છે ત્યારે ઓછી મીઠાશવાળી ચીજ એની મેળે છૂટી જાય છે. એને છોડવામાં નથી આવતી. તે છૂટી જાય છે. છેડવી મુશ્કેલ હોય છે. છૂટી જવી મુશ્કેલ નથી દેતી. વસ્તુને ત્યાગ કરવામાં નથી આવતા, તે આપમેળે ત્યક્ત બની જાય છે. મૂર્ત પ્રત્યે રહેનારી પ્રિયતાને સમાપ્ત કરવાનું એક સૂત્ર છે— અમૂર્ત પ્રત્યે પ્રિયતા પેદા કરવી. શિવસુંદરી અમૂર્ત છે. મેક્ષ અમૂર્ત છે. આત્મા અમૂર્ત છે. પરમાત્મા અમૂર્ત છે. ચૈતન્ય અમૂર્ત છે. અમૂર્ત પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરવી સરળ નથી, મુશ્કેલ છે. પરંતુ કેઈકવાર સૌભાગ્યથી એવી ક્ષણ આવે છે જ્યારે અમૂર્ત સાથે પ્રીતિ જોડાઈ જાય છે. એ ક્ષણે મૂતને પ્રેમ બેકાર થઈ જાય છે. અર્થહીન થઈ જાય છે. - જ્યારે અમૂર્ત સાથે મીરાંને લય જોડાઈ ગયા ત્યારે મહારાણા પ્રત્યે કઈ દિલચસ્પી ન રહી. મીરાં પાગલ બની ગઈ અમૂર્ત પ્રત્યે. તેણે મૂર્તને ત્યાગ કર્યો. વર્તમાન છેડયો. જે પ્રત્યક્ષ ઉપસ્થિત હતા તેના પ્રત્યે તેના મનમાં કોઈ આકર્ષણ ન રહ્યું. સંપૂર્ણ સંત સાહિત્યમાં મૂર્ત તરફ થનાર પ્રિયતાને સમાપ્ત કરવાનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર રહ્યું છે–અમૂર્ત પ્રત્યે પ્રિયતા ઉત્પન્ન કરવી. આ શૃંખલામાં બીજું સૂત્ર છે—શરણ. ત્રીજુ સૂત્ર છે–અમૂર્તનું ધ્યાન. ચેથું સૂત્ર છે–સાક્ષાત્કારની ઉત્કટ અભિલાષા-મળવાની ઉત્કટ અભિલાષા જાગી જાય છે. તડપ જાગી જાય છે. મીરાં પોતાના પ્રિયતમને, પિતાના ભગવાનને મળવા ઇરછે છે. એમનો વિયોગ તે સહન નથી કરી શકતી. જયાચાર્ય પણ કહે છે-“તુલ મિત્ર મુક્ષ મન મો' પ્રભુ! મારા મનમાં એક ઉમંગ જાગી રહી છે. હું પ્રભુને મળવા ઈચ્છું છું. સાક્ષાત્કાર કરવા ઈચ્છું છું. પાંચમું સૂત્ર છે—સુમિરન. આ પાંચ સૂત્રે જ્યાચાથે પ્રસ્તુત કર્યા છે. સંત સાહિત્યની પરંપરામાં આ પાંચેય સૂત્ર ઉપલબ્ધ છે. કબીર, સૂરદાસ, મીરાં, જાયસી–બધાના સાહિત્યમાં એને સ્વીકૃતિ પ્રાપ્ત છે. પ૭ Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ શરણમાં જવુ એ ઠેર મ છે શરણે જવુ એ અત્યંત મુશ્કેલ વાત છે. દરેક વ્યક્તિ વિચારે છે કે ખીજાને શરણ આપું, પણ બીજને શરણે જવા નથી ઇચ્છતી. ખીજાને શરણે જવું એ ઘણી મેાટી વાત છે. જ્યાં સુધી અહંકારના વિલય નથી થતા, કાઈ વ્યક્તિ ક્રાઈના શરણમાં નથી જઈ શકતી. શરણમાં જવું એ અત્યંત માટી સમસ્યા છે. જે વ્યક્તિ બીજને શરણે જવા તૈયાર થઈ જાય છે તેનું સમગ્ર વ્યક્તિત્વ બદલાઈ જાય છે, ખાદ્ય વ્યક્તિત્વ સમાપ્ત થઈ જાય છે. બાકી કશું નથી રહેતું. બીજાનું શરણુ લીધા પછી બચ્ચુ શું? કંઈ પણ નહિ, જે સામે આવે છે તે તેવા જ અતી જાય છે. શરણમાં જવું ઘણું કઠાર કર્મ છે. મહાત્મા રડી પડચા આરમ બજારમાં ગુલામેનું વેચાણ થઈ રહ્યું હતું. ખેાલી ખેલાઈ રહી હતી. એક મહાત્મા તે બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે જોયું—લેાકા ગુલામે તે ખરીદીને લઈ જઈ રહ્યા છે. હજારા ખરીદનાર અને હારા ગુલામ. મહાત્માએ એક ગુલામને પૂછ્યું — શું તું વેચાઈ ગયા ? ’ ‘હા મહારાજ.’ કયાં જઈ રહ્યો છે? જ્યાં માલિક લઈ જશે ?' ‘શું કામ કરશે?’ ‘જે માલિક કહેશે.’ ‘શું ખાશે?’ જે કાંઈ માલિક ખાવા આપશે તે.’ કાં રહેશે?’ જ્યાં માલિક રાખશે.’ મહાત્માએ સાંભળ્યું. અવાક્ થઈ ગયા. આંખેામાંથી આંસુ વહેવા લાગ્યાં. તેમણે કહ્યું: એક ગુલામ પેાતાના માલિક પ્રત્યે કેટલેા સમર્પિત છે. સમર્પિત નથી. નાનકડી અપ્રિય હું મારા માલિકભગવાન પ્રત્યે આટલે ઘટના બને છે, મનતે ક ંઈક નિંદા કરવા લાગી જાઉં છું. લાગે છે અને હું ભગવાનની સમર્પણુ ? કંઈ કેટલીયે વાર Jain Educationa International પ્રતિકૂળ કાં ૫૮ છે For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ગાળ દઈ દઉં છું. માની લઉં છું કે ભગવાન નથી. જે ભગવાન હેત તે આવી ઘટના કદી ન બનત. શું આ સમર્પણ છે? આ ગુલામ કેટલો શ્રદ્ધાળુ છે, કેટલે શરણાગત છે કે માલિક જે કહેશે તે જ થશે, બીજે કંઈ વિકલ્પ એના મનમાં નથી. આ ગુલામ રોટલા માટે, જીવન ગુજારવા માટે માલિક પ્રત્યે આટલે સમર્પિત થઈ ગયો છે, શરણાગત થઈ ગયો છે. પરંતુ હું હજી સુધી એ બની નથી શક્યો.” મહાત્મા રડી પડયા. આંખોમાંથી અશ્રુ ટપકવા લાગ્યાં એમને પિતાની અસમર્થતા પર ગ્લાનિ થઈ. તેમના મનમાં નવો ભાવ ઉત્પન્ન થયો. સમર્પણ કરવું, શરણમાં જવું ખૂબ જ મુશ્કેલ છે. જે વ્યક્તિ શરણમાં ચાલી જાય છે તે બધી ચિંતાઓથી મુક્ત થઈ જાય છે. તેને માટે ચિંતા રહેતી નથી. ચિંતા કરનાર કરે. તે નિશ્ચિત થઈ જાય છે. હું સૂતી છું પ્રભુ જાગે છે યુદ્ધના દિવસોની વાત છે. લંડનમાં જોબવર્ષા થઈ રહી હતી. સમગ્ર વાતાવરણ ભયાક્રાન્ત હતું. લોકો ઘરને છોડીને નંદકો અને ખાઈઓમાં રહેતા હતા. આખું શહેર રાત્રે ખાલી થઈ જતું. પરંતુ એક વૃદ્ધ મહિલા પિતાના ઘરમાં મજાથી સૂતી હતી. પડોશીઓએ પૂછયું: ડોસી શું તને ડર નથી લાગતું? શું તું રાત્રે જાગતી નથી ? વૃદ્ધા બેલી: મારે જાગવાની શી જરૂર છે? મારો પ્રભુ જાગતા રહે છે. હું પ્રભુને પ્રાર્થના કરીને સૂઈ જાઉ છું. બંનેએ જાગવાની જરૂર નથી. ક્યાં તો હું જાગતી રહું, ક્યાં તે પ્રભુ જાગતા રહે. હું સૂઈ જાઉં છું, મારો પ્રભુ જાગે છે. હું જાણું છું, મારો પ્રભુ સૂએ છે. બંને એક સાથે જાગતાં નથી અને સાથે સૂતાં નથી. જે વ્યક્તિ આટલા ઊંડા સમર્પણમાં પહોંચી જાય છે, આટલી તન્મયતા સાધી લે તેને માટે જાગવાની જરૂર નથી. જાગનાર સ્વયં જાગે. ચિન્તા કરનાર સ્વયં ચિન્તા કરે. ગુરુ નાનકે ખૂબ માર્મિક વાત લખી છે કે આ ઘર બન્યું અને ઘરના માલિકે ગુરુના હાથમાં ચાવી સોંપી દીધી. ચાવી ગુરુ પાસે છે. “ને સાવ નો પર વિનુ સતગુણો સરળ–સતગુરુનાં શરણ વગર કેઈ ઉપાય સફળ નહિ નીવડે. - ૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ સાધનામાં પ્રેમને સમાપ્ત કરવાનું ઘણું મોટું સાધન છે–શરણ. આ સાધનથી અહંકારને સંપૂર્ણ વિલય થઈ જાય છે. જ્યાં અહંકારની ગ્રંથિ તૂટી જાય છે. ત્યાં તેની સાથે સાથે અનેક ગ્રંથિઓ આપોઆપ તૂટી જાય છે. પ્રેયને સમાપ્ત કરવાનું ત્રીજુ સાધન છે—ધ્યાન. ધ્યાનને અર્થ છેતન્મયતા સાધી લેવી, તદ્દરૂપ થઈ જવું–એકાત્મકતાની અનુભૂતિ કરવી. પ્રભુને મળવાની અભિલાષા પ્રેયને સમાપ્ત કરવાનું ચોથું સાધન છે–મળવાની ઉત્કટ અભિલાષા. પ્રભુને મળવાની તડપ શ્રેયની દિશામાં પ્રસ્થાનનું પ્રથમ ચરણ છે. જ્યારે આ તડપ ઉતકટ હોય છે ત્યારે માનવી શાંતિથી બેસી શકતો નથી. તે પ્રભુને મળવાના અનેક પ્રયત્ન કરે છે–તડપ વધતી જાય છે અને તે પ્રભુને મળ્યા બાદ જ શાંત થાય છે. એક ભાઈએ આચાર્ય ભિક્ષને પૂછયું : આપ જ્યારે આવો છો ત્યારે લોકોમાં હર્ષની લહેર દેડી જાય છે. જેમાં ઉત્સાહ જાગી જાય છે. બધા ઉત્કંઠિત થઈ જાય છે. તેમનામાં નવી ચેતનાનું જાગરણ થાય છે. એમ શા માટે ? આચાર્ય ભિક્ષુ બેલ્યા : પતિ ઘણાં વર્ષોથી પ્રવાસે હતા. તેના કોઈ સમાચાર ઘર પર મળતા ન હતા. પત્ની અધીરી થઈ ગઈ, પ્રતીક્ષાની ઘડીઓ ઘણી લંબાઈ ગઈ. એક દિવસ એક માણસે અચાનક આવીને કહ્યું : શેઠાણુ! હું તમારા પતિનો સંદેશો લઈને આવ્યું છું. આ સાંભળતાં જ પત્ની રોમાંચિત થઈ ઊઠી, પુલકિત થઈ ગઈ. તેણે તે માણસને ખૂબ અતિથિ-સત્કાર કર્યો. એને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું. સારું ભોજન ખવડાવ્યું. પત્નીને એટલે આનંદ થયો કે તે ખુશીથી ઝૂમવા લાગી. એના હર્ષનું એકમાત્ર કારણ હતું–પતિને સંદેશ. આપણે પણ જ્યાં જઈએ છીએ ત્યાં પ્રભુને સંદેશ આપીએ છીએ. પ્રભુ ચિરપ્રવાસી છે. પ્રભુને મળવાની લોકોના મનમાં ઘણી તડપ છે. પ્રભુને સાક્ષાત્કાર કરવાની ઉત્કંઠા પણ ઘણી. પ્રભુ આવે કે ન આવે, આપણે એમને સંદેશો લેકેને સંભળાવીએ છીએ. પ્રભુનો સંદેશ સાંભળીને લેકે હર્ષથી ઝૂમી ઊઠે છે. તેઓ પુલક્તિ થઈ ઊઠે છે. તેઓ માને છે કે પ્રભુને મળવાની વાત તો દૂર છે, જે પ્રભુને સંદેશ પણ પ્રાપ્ત થઈ જાય તે ઘણી મોટી વાત કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક આત્મવાદી દર્શને સાક્ષાત્કારને સ્વર ખૂબ મુખરિત કર્યો છે, આત્મદર્શન, આત્મ-સાક્ષાત્કાર–આ આત્મવાદીનું લક્ષ્ય છે. પ્રત્યેક ધર્મ સંપ્રદાયમાં આ સ્વર મુખરિત છે કે પ્રભુ ક્યારે મળે, પ્રભુનું દર્શન ક્યારે થાય. પ્રભુને મેળવી આપો એકવાર હું પ્રવચન પૂરું કરીને નિવાસ પર પાછા ફરી રહ્યો હતા. રસ્તામાં એક વૃદ્ધ મહિલાએ મને રોક્યો. તેણે કહ્યું, મહારાજ ! સત્સંગ ઘણા દિવસોથી થઈ રહ્યો છે. મને ઘણું સારું લાગી રહ્યું છે. બસ. હવે આપ એક કામ કરો. પ્રભુને મેળવી આપે. હું મારા પ્રભુને મળવા ઈચ્છું છું. આપ જ મારે તેમની સાથે મેળાપ કરાવી શકે છે. તે વૃદ્ધા રડી પડી. આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. તેણે પોતાની માગ વારંવાર દેહરાવી એની ભાવમુદ્રા આજે પણ મારી સમક્ષ સ્પષ્ટ છે. પ્રભુને મળવા માટેની ભાવના એનામાં ઉત્કટ હતી. જે વ્યક્તિના મનમાં આ તડપ જાગી જાય છે ત્યારે કેટલી વ્યાકુળતા થાય છે, તે જ વ્યક્તિ જાણી શકે છે, બીજી જાણી શકતી નથી. સુમિરન પ્રેયને સમાપ્ત કરવાનું પાંચમું સાધન સુમિરન છે. એને અર્થ છે સ્મરણ કરવું, યાદ કરવું. સંત સાહિત્યમાં બે સાધન પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે–એક છે શરણ અને બીજ છે સ્મરણ. સ્મરણની એક પ્રક્રિયા છે. એને ઘણે મોટો પ્રભાવ હોય છે. ચેતનાનું ઉદર્વાહણ આપણી ચેતના મુખ્યત્વે બે કેન્દ્રોમાં વિચરણ કરે છે. એક છે નાભિથી નીચેનું કેન્દ્ર અને બીજુ છે નાભિથી ઉપરનું કેન્દ્ર –હૃદયથી મસ્તિક સુધીનું કેન્દ્ર. જ્યારે જ્યારે ચેતના નાભિથી નીચેના કેન્દ્રમાં જાય છે ત્યારે લાલચ, ક્રોધ, ભય અને સ્વાર્થની વૃત્તિઓ જાગે છે. જ્યારે ચેતના હૃદયથી મસ્તિષ્કની દિશામાં પ્રસ્થાન કરે છે, ઊર્ધ્વગામી થાય છે. ત્યારે અભય, અહિંસા, પરમાર્થની ભાવના જાગે છે. નાભિથી નીચેની તરફ ચેતનાનું પ્રસ્થાન પ્રેયની દિશામાં થનાર પ્રસ્થાન છે અને હૃદયથી મસ્તિષ્ક તરફ થનાર ચેતનાનું પ્રસ્થાન શ્રેયની દિશાનું પ્રસ્થાન છે. ૬૧. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ' જયાચાયે અત્યંત માર્મિક શબ્દોમાં લખ્યુ છે—વસ રહ્યા રીયા માંચ'—પ્રભુ! આપ મારા હૃદયમાં વાસ કરી રહ્યા છે. આ સાધનાને મહત્ત્વપૂર્ણ પ્રયાગ છે. જ્યારે પ્રભુનું ધ્યાન હૃદયમાં થવા લાગે છે ત્યારે પ્રેયા મા છૂટી જાય છે અને શ્રેયના માર્ગમાં પ્રસ્થાન થઈ જાય છે. જેટલી પણ નિમ્ન કાટિની વૃત્તિઓ છે. ઇન્દ્રિયોની લેાલુપતા, કામવાસના, ક્રૂરતા વગેરે—એ બધી નીચેનાં કેન્દ્રોમાં ઊપજે છે. જેટલી પણ ઉદ્દાત્ત ભાવનાઓ છે, પરમાની ભાવનાઓ છે એ બધી હૃદય, કંઠ, ભૃકુટી અને મસ્તકનાં ચક્રોમાં ઉત્પન્ન થાય છે. જ્યારે પ્રભુ હૃદયમાં વસી જાય છે ત્યારે ચેતનાનું ઊČરાહણ થાય છે. સગયાગની ફલશ્રુતિ જ્યારે અંત્ કે ભગવાનનું ધ્યાન હૃદયમાં થવા લાગે છે ત્યારે તેનું પરિણામ આવે છે—સંગત્યાગ, આસક્તિના ત્યાગ. જયાયાયે લખ્યું છે—યંગ છાંડ મન વસ વિજ્જો ।' જ્યારે સ`ગ કે આસક્તિ છૂટે છે ત્યારે મન વશ થઈ જાય છે. પહેલી વાત છે—સંગના ત્યાગ. સંગના ત્યાગનું ફલિત છે—મનનું વશ થઈ જવુ. જ્યારે મન વશમાં હૈય છે ત્યારે ઇન્દ્રિયા શાંત થવા લાગી જાય છે. જ્યારે ઇન્દ્રિયા શાંત થાય છે ત્યારે શ્રેયની દિશા સ્પષ્ટ થઈ જાય છે. કર્માંને અંત થવા લાગે છે. જયાયાના શબ્દોમાં કમેના અંતની આ સુ ંદર પ્રક્રિયા છે—— સંગ—આસક્તિને ત્યાગ. આસક્તિના ત્યાગથી મનનું વશીકરણ. મનના વશીકરણથી ઇન્દ્રિયેાની શાંતિ. છ ઈન્દ્રિયેાની શાંતિથી કર્મોને વિલય. જ્યારે કર્માને વિલય થાય છે ત્યારે ચૈતન્યની દશાનું જાગરણુ થાય છે, અનુભવ-દાના ઉદ્દય થાય છે. સત્ય કહેવાની નિષેધાજ્ઞા આપણે જે દુનિયામાં જીવીએ છીએ તે અજખ્ખ છે, વિચિત્ર છે. અહીં સત્યને અનુભવ કરવેા તા દૂર રહ્યો પણ સત્યને સ્પષ્ટ કરવાનું પણ અત્યંત કઠિન છે. આપણા વ્યવહારના પ્રતિબંધ એવા હાય છે કે જ્યાં સત્ય કહેવાની નિષેધાજ્ઞા પણુ મનુષ્યના મસ્તક પર ઘૂમતી હોય છે, ખરી વાત નથી કહી શકાતી. એક વાર્તા છે. Jain Educationa International ૬૨ For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ રાજા શ્રોણકે ગામલેકેને એક ઘરડો હાથી સોંપતાં કહ્યું–લઈ જાઓ આ હાથીને. એની સારસંભાળ રાખજો. એના સ્વાસ્થના સમાચાર રેજ મને મોકલતા રહેજે. અને બધું જ તમે કહી શકશે, પરંતુ એના મૃત્યુની વાત કદી પણ કહેશો નહિ. એવું નહિ કહેતાહાથી મરી ગયે. જે કઈ આવું કહેશે તેને ભારે દંડ થશે. તે અપરાધી ગણશે. ગામલેકે વિમાસણમાં પડી ગયા. હાથી ઘરડે હતો. મરિયલ હતો. મૃત્યુની નજીક હતા. સમગ્ર ગામ ચિંતામાં ડૂબી ગયું. દસ દિવસ વીત્યા. હાથીનું મૃત્યુ થઈ ગયું. હવે સમસ્યા એ હતી કે રાજાને શું કહેવામાં આવે. ઉકેલ નહિ મળે. તે ગામમાં રેહક નામે એક બુદ્ધિશાળી વ્યક્તિ રહેતી હતી. ગામલેકે તેની પાસે ગયા. તેને બધી વાત બતાવી. તેણે કહ્યું–ચિન્તા નહિ કરે. સમસ્યાઓનું સમાધાન થઈ જશે. રોકે એક માણસને સમજવી પટાવીને રાજા પાસે મોકલ્યા. રાજાએ કહ્યું–બોલે, કેમ આવ્યા છે? મહારાજ! આપશ્રીએ જે હાથી મોકલે છે તે નથી ખાતે કે નથી પીતા. ગઈ કાલ સુધી સારું ભોજન કરતો હતો. પાણી પીતા હતા. પરંતુ આજે એણે બધું જ છોડી દીધું. સાથે સાથે નથી ઊઠતો કે નથી બેસતા. તે ચાલતા પણ નથી. અરે તે શ્વાસ સુદ્ધાં નથી લેતા. ઓહ! તે શું તે મરી ગયો ?” એ તો હું નથી જાણતા. આપ જ જાણે. હું એના મરી જવાની વાત નથી કહેતા. આપ જ કહી શકે છે.” આવી છે આપણી આ દુનિયા. અહીં જીવિતને જીવતો અને મૃતને મરેલો કહેવાને પણ અધિકાર નથી. આ વ્યવહારની દુનિયા છે. આવી દુનિયામાં પ્રેય છેડવાની વાત કેવી રીતે કરી શકાય છે? પ્રિયતા જીવિત છે, એ પણ નથી કહી શકાતું અને પ્રિયતા મરી ગઈ એ પણ નથી કહી શકાતું. બંને વાતો કહી નથી શકાતી. સચ્ચાઈને સ્વીકાર કરવાને પણ અપરાધ છે. અને સચ્ચાઈ કહેવાને પણ અપરાધ છે. જ્યારે આપણે પ્રેયની દિશામાંથી હટીને આગળ વધીએ છીએ તો શ્રેયનો દરવાજો ખૂલી જાય છે. એક વાર જ્યારે આ દરવાજો ખૂલી જાય છે ત્યારે બીજા દરવાજ પણ ખૂલી જાય છે, માત્ર એ જ પ્રયત્ન કરવાને છે કે એ એક વાર એ દરવાજો ખૂલી જાય કે જે દ્વાર હંમેશા માટે બંધ હતાં, જે દિશા નિષિદ્ધ હતી. તે દ્વાર ખૂલી જાય છે. તે ૬૩ Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ દિશા સ્પષ્ટ થઈ જાય છે. એ તરફ એક ચરણ આગળ વધે છે. અને આગળથી ગતિ પકડી લે છે. જે ઉપલબ્ધ થવાનુ હાય છે તે ઉપલબ્ધ થતું રહે છે. દરવાજો ખૂલી જાય પાછલી શિખિરમાં એક ડૅાકટર ધ્યાનના અભ્યાસ કરવા આવ્યા. તે વખતે તે પૂરા દશ દિવસ નહિ રહી શકયો. પાંચમા દિવસે એણે જવુ પડયુ. હવે તે આ શિબિરમાં પેાતાની પત્ની સાથે આવ્યા. પાંચ દિવસમાં જે પરિવર્તન થયું તેથી તે ચક્તિ થઈ ગયા. તે ધંધે કાક્ટર હતા પરંતુ એક રાગમા શિકાર બન્યા હતા. દવાએ ખાતા હતા. પરંતુ શિબિર પછી તેની બધી દવાએ છૂટી ગઈ. રાગ એા થઈ ગયા. મે. વિચાયુ – —આ કેવા જાદુ? નદુ હતા જ નહિ. પરંતુ એક વાત છે. દરવાજો ખૂલી ગયા. પાંચ દિવસમાં પણ દરવાજો ખૂલી શકે છે. તે ત્રણ દિવસમાં ખૂલી શકે છે અને દસ દિવસમાં પણ દરવાજો ખૂલી શકે છે. દરવાજો ખૂલી જાય, બસ એટલી જ અપેક્ષા છે. દરવાજો ખૂલવાથી નવી દિશા ઊડે છે. દરવાજો ખૂલ્યા પછી ચાલવાની જરૂર હેાય છે. જો પગ જકડાઈ ગયા, અને જો એવું ચિન્તન પ્રવેશી ગયું કે કાણુ ચાલે તા પછી કશું થઈ નહિ શકે. કશું પણ ઉપલબ્ધ થશે નહિં. દરવાજો ખાલવા જરૂરી છે તે કરતાં તે દરવાજામાં પ્રવેશ કરીને ધીરે ધીરે ચાલતા જવું વધારે જરૂરી છે. ગતિ નિરંતર થતી રહે. જો દરવાજો ખૂલે અને આગળ ડગલું ન ભર્યું" તેા દરવાજા પર જ અટકી જવું પડશે, કાઈ લાભ નહિ થશે. એ અપેક્ષા છે કે પ્રેક્ષા ધ્યાન દ્વારા નવી દિશા ઉદ્ઘાટિત થાય. તે દરવાજો ખૂલે જે અત્યાર સુધી બંધ પડયો હતા. તે દિશામાં પગ નિર'તર વધતા રહે જે દિશાના પહેલેથી સ્પષ્ટ ખ્યાલ ન હતા, આટલું થતાં જે બીમારી કષ્ટસાધ્ય છે તે મટી જાય છે. તે રાગ સમાપ્ત થઈ જાય છે. સાધક ત્યારે અવશ્ય અનુભવ કરે છે કે પ્રિયતાના ભાવ તૂટી રહ્યો છે. જો ગતિ નિર ંતર રહેશે તા આપણું શરીર, આપણું મન અને આપણું ચૈતન્ય પૂર્ણ સ્વસ્થ, નિરામય અને નિર્મળ થઈને આલેક ફેલાવશે, Jain Educationa International ૬૪ For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : અનુશાસન સંહિતા Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રથથત : પ સકેતિકા 9 तन चंचलता मेट नैं, हुआ है जग थी धर्म शुकल थिर चित धरै, उपशम रसमें होय २ हूं तुझ शरणे आवियो, कर्म विदारण तूं प्रभुवीर कै । तन मन वच वस किया, दुःकर करणी करण महाधीर के ॥ अंजन मंजन स्यूं अलगा, बलि पुष्प विलेपन नहिं वलगा । कर्म काट्या ध्यान- मुद्रा ठाणी, प्रभु वासुपूज्य भजलै प्राणी ॥ तिहां बैठा ते तुम ध्यान ध्यावे रे, तुम योग- मुद्रा चित चावे रे ते पण आपरी भावना भावे, प्रभु नमिनाथजी मुझ प्यारा रे । ॥ ३ ४ ५ " तन चंचलता मेट नैं पद्मासन आप विराज रे । उत्कृष्ट ध्यान तणो कियो, आलम्बन श्री जिनराज रे ॥ (વીવીસી ૩/૨, ૬; ૧૨/૨; ૨૧૬; ૬૬/૨) उदासीन के । रह्या लीन के ॥ n પ્રશ્ન હતા—હુ” સ્વતંત્ર છું કે પરતંત્ર ? મેં કહ્યું —તમે સ્વતંત્ર પશુ છે! અને પરતત્ર પણ છે. ધ્યેયની પસંદગીમાં સ્વતંત્ર છે, તેની પૂર્તિમાં પરતંત્ર. યાત્રાની પસદગીમાં સ્વતંત્ર, પરંતુ વાહનમાં બેસી જવાથી તેના નિય’ત્રણમાં. D વૈધાનિક ભાષામાં અનુશાસનને અર્થ છે—નિયત્રંણુ. . અધ્યાત્મની ભાષામાં અનુશાસનનેા અર્થ છે—સયમ. n અધ્યાત્મની સાધનાથી આંતરિક અનુશાસન જાગે છે. બાહ્ય અનુશાસન તેનું આલંબન હેાય છે. U અધ્યાત્મ શરીર, વચન અને મનના અનુશાસનની અનેક પદ્ધતિઓ આવિષ્કૃત કરી. TM પદ્માસનથી પ્રાણ-પ્રવાહ પર નિયંત્રણ થાય છે. ∞ સિદ્ધાસનથી કામસ વેગા પર નિય ત્રણ થાય છે. D શરીરના અનુશાસનના ઘટક આસન, મુદ્રા, ભ્ધ વગેરે, Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ અનુશાસનની સહિત એક વિદ્યાર્થીએ પૂછયું : હું સ્વતંત્ર છું કે પરતંત્ર? મેં કહ્યું : તું સ્વતંત્ર પણ છે, અને પરતંત્ર પણ તેણે પૂછયું : બંને કેવી રીતે ? મેં કહ્યું કે પ્રત્યેક વ્યક્તિ બે પરિમાણમાં જીવે છે. કોઈપણ વ્યક્તિ પૂર્ણ પણે સ્વતંત્ર નથી હોતી અને સંપૂર્ણ પરતંત્ર પણ નથી દેતી. ધ્યેયની પસંદગીમાં વ્યકિત સ્વતંત્ર હોય છે. પરંતુ ધ્યેયની પૂર્તિમાં તે પરતંત્ર હોય છે. દરેક વિદ્યાથી પિતાના અધ્યયનની દિશા નિશ્ચિત કરે છે. તે વિચારે છે કે તેણે ડોક્ટર થવું છે કે વકીલ? તેણે બી. કોમ. કરવું છે કે બી.એ.? જે દિશા તે પિતાના અધ્યયન માટે નિર્ધારિત કરે છે તેણે તે દિશામાં પ્રસ્થાન કરવું પડે છે. એની સીમામાં જ ચાલવું પડે છે. એવું કદી નથી હતું કે જીવવિજ્ઞાનને વિષય નક્કી કરનાર વિદ્યાર્થી શિ૯૫-વિજ્ઞાન શીખવામાં જ સમય ગુમાવે. તેણે જે જીવ વિજ્ઞાનમાં જ નિષ્ણાત થવું હોય તો જીવવિજ્ઞાનની સીમામાં જ અધ્યયન કરવાનું રહેશે, ચાલવું પડશે. વ્યક્તિ એક ધ્યેય બનાવે છે તે ધ્યેયની પૂર્તિ માટે તેને અનુકુળ સાધનનું પણ તેણે ચયન કરવાનું હોય છે અને તે સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે. યાત્રા કરવા માટે વ્યક્તિ સ્વતંત્ર છે. જે દિશામાં યાત્રા ઇચ્છે ત્યાં યાત્રા કરે. વાહનને ઉપયોગ કરવા માટે પણ તે સ્વતંત્ર છે. ઇચછે તે તે બળદગાડાને ઉપયોગ કરે કે કારનો ઉપગ કરે. ઇચછે તો તે રેલવેનો ઉગ કરે કે વિમાનને ઉપયોગ કરે. આ પસંદગીમાં તે સ્વતંત્ર છે. પરંતુ જ્યારે તે વાહન તરીકે રેલગાડીની પસંદગી કરી લે છે ત્યારે તેણે રેલવેના નિયમો (અનુશાસન) માનવા પડે છે. તે નિયમો અનિવાર્ય બની જાય છે. રેલવે ગાડી જે ગતિએ ચાલશે, તેણે તે ગતિએ જ ચાલવું પડશે. એ કદી એવું વિચારી શકતી નથી કે હું સ્વતંત્ર છું. રેલવે પિતાની ગતિએ ચાલે પણ હું મારી ગતિએ જ ચાલીશ. એવું કઠી થઈ શકતું નથી. વિમાનની પસંદગી કરી છે તે તેનું અનુશાસન માન્ય કરવું પડશે. તેની ગતિમાં જ ચાલવું પડશે. ' એક વ્યક્તિ વિમાનમાં ચઢી. વિમાન આકાશમાં ઊડવા લાગ્યું. તે વ્યક્તિ પણ તીવ્ર ગતિએ વિમાનમાં એક ખૂણાથી બીજા ખૂણા સુધી Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ દેાડવા લાગી, સહયાત્રીઓએ પૂછ્યું, આ શુ કરી રહ્યા છે? શુ` પાગલ તા નથી થઈ ગયાને ? તેણે કહ્યું, તમે નથી જાણતા. મને એક અગત્યનું કામ યાદ આવી ગયું. જલદી પહાંચવુ' છે. વિમાન પહેાંચે કે નહિ, મારે તેા જલદી પહોંચવુ' છે. વાયુયાનમાં બેઠેલી વ્યક્તિ વિમાન સાથે જ ગ ંતવ્ય સ્થાન પર પહેાંચશે. પહેલાં કે પછી નહિ. તેણે વિમાનનું અનુશાસન માન્ય કરવું પડશે, તે તેના નિયમેાથી બધાયેલા છે, નિયંત્રિત છે. વ્યક્તિ જે ધ્યેય બનાવી લે છે, તે એનાથી ખંધાઈ જાય છે. પછી એની મર્યાદામાં જ બધી હિલચાલ, પ્રવૃત્તિએ ચાલવી જોઈએ, જે એવુ થાય છે તેા જ ધ્યેયની સિદ્ધિ સુધી પહેાંચી શકાય છે. ધ્યેય ત્યારે સફળ થાય છે. ધ્યેયપૂર્તિનું સાધન અનુશાસન છે અનુશાસન ખીજું કશું નથી, તે ધ્યેયપૂર્તિનું સાધનમાત્ર છે. ચેવીસ કલાકમાં અનુશાસન એક સરખું નથી હાતુ. તે જુદા જુદા પ્રકારનું હેાય છે. જ્યારે ગાયને આરામ આપવાના હોય છે ત્યારે એને ખૂટા સાથે બાંધવામાં આવશે, જ્યારે ગાયને જંગલમાં ચરાવવી હાય તા તેને ખુલ્લામાં છેડી દેવી પડશે. એવુ` કદી બની શકશે નહિં કે ગાયને જગલમાં ચરાવવી છે, પરંતુ તે ખૂટે બધાઈ રહે એ બંને વાર્તા કદી શકય નથી બની શકતી. ભિન્ન ભિન્ન અવસ્થાએમાં અનુશાસનનુ રૂપ પણ ભિન્ન ભિન્ન થઈ જાય છે. આપણે જે પ્રકારની પ્રવૃત્તિ કરવાની હેાય છે, જે પ્રકારની ક્રિયા કરવાની હાય છે, તેવા પ્રકારનું અનુશાસન પસંદ કરવાનું હાય છે, વ્યાવહારિક ભાષામાં અનુશાસનના અર્થ છે નિયંત્રણ અને અધ્યાત્મની ભાષામાં અનુશાસનના અર્થ છે—સંયમ. અધ્યાત્મ અનુશાસનની બાબતમાં ખૂબ વિકાસ કર્યાં અને એક નવી દિશાને ઉધાડી. વૈધાનિક જગતમાં અનુશાસન પાળવામાં આવે છે. વિધાનનું જીવન જીવનાર વ્યક્તિ, ભલે સેા વર્ષનું જીવન જીવે, તે અનુશાસનને માનતા રહેશે. તે વ્યક્તિમાં પેાતાનું અનુશાસન પેદા થશે નહિ. અધ્યાત્મના ક્ષેત્રમાં એક નવી ક્રાન્તિ થઈ. વ્યક્તિ-વ્યક્તિમાં ભીતરનું અનુશાસન જાગે એ દિશામાં ઘણું કાર્યં થયું. તેણે ખાદ્ય અનુશાસનને છેડયું નહિ, તેનું આલંબન લીધું, સહારે લીધા, પરંતુ એ સહારા એટલા માટે કે ભીતરનુ અનુશાસન જાગી જાય જે ૬૮ Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ જીવનભર ખાદ્ય અનુશાસનમાં ચાલે, બહારના નિયંત્રણમાં ચાલે તે કદી આધ્યાત્મિક નથી થઈ શકતી, જ્યારે બાહ્ય નિયંત્રણ ઓછું થઈ જાય છે કે સમાપ્ત થઈ જાય છે ત્યારે આધ્યાત્મિક ચેતના જાગે છે. મહત્ત્વપૂર્ણ રોષ ભગવાન મહાવીરે સંધની વ્યવસ્થા કરી . । . વ્યવસ્થામાં અનેક ભૂમિકાઓનું નિર્માણ કર્યું. પહેલી ભૂમિકામાં વિધાન બનાવ્યું, વિધાન આપ્યું, નિયમે બનાવ્યા. અને સાધના કરતાં કરતાં તે ભૂમિકાનું વિધાન કર્યું કે જ્યાં પહેાંચવાથી સાધક કલ્પાતીત થઈ જાય છે. ત્યારે તેને માટે કાઈ શાસ્ત્ર નથી હેાતું, કેાઈ નિયમ નથી હાતા. તે સ્વયં શાસ્ત્ર અને સ્વયં નિયમ બની જાય છે. આ અધ્યાત્મની દિશાની એક મહત્ત્વપૂર્ણ શેાધ છે. આર, એન, એ, મસ્તિષ્કીય નિય ંત્રણની દિશામાં વર્તમાન વિજ્ઞાન ખૂબ કાર્ય કરી રહ્યું છે. ચેતનાને બદલવા માટે વિવિધ પ્રયેાગા કરવામાં આવી રહ્યા છે અને એ માન્ય થઈ ગયું છે કે ચેતના બદલી શકાય છે, આવેગા અને ટેવાને બદલી શકાય છે. આપણી મસ્તિષ્ક્રીય ચેતનાના આધાર છે —આર. એન. એ—રિવેાન્યુક્લિક એસિડ, એની માત્રામાં ઘટાડા-વધારા કરીને ચેતનાના વિભિન્ન સ્તર પેદા કરી શકાય છે. ઇલેટ્રેડ દ્વારા વિદ્યુત્ પ્રવાહ બદલી શકાય છે અને ચેતનામાં પરિવર્તન કરી શકાય છે. અને ચેતનાના પરિવનની દિશામાં હજરાહારા વૈજ્ઞાનિકા વિભિન્ન પ્રયાગેગા કરી રહ્યાં છે અને અત્યંત આશ્ચર્ય જનક પરિણામે આપણી સમક્ષ આવી રહ્યા છે. અધ્યાત્મ પણ ચેતનામાં પરિવર્તન લાવવા માટે ઘણા મોટા-મોટા પ્રયેગા કર્યા હતા. આજે વિજ્ઞાન જે કરી રહ્યું છે એનાથી વધારે ચમત્કારપૂર્ણ પરિવર્તનના પ્રયોગા કર્યા હતા. તેમણે શારીરિક અનુશાસન, માનસિક અનુશાસન, પ્રાણિક અનુશાસન અને વાર્ષિક અનુશાસન—આ બધી દિશાઓમાં એટલા પ્રયાગા પ્રસ્તુત કર્યા, એટલું સંશાધન કર્યું કે આજે ધણીબધી ચાવીએ ખાવાઈ જવા છતાં સેંકડા-સે કડા પ્રયાગા જીવિત છે. આજે પણ ખૂબ મૂલ્યવાન શેાધા ઉપલબ્ધ છે. અનુશાસન ચતુષ્ટી જયાચાયે` કહ્યું : ‘તન યંત્રતા મેટને, પદ્માસન આપવાને પ્રભુ ! આપ શરીરની ચંચળતા છેાડીને પદ્માસનમાં વિરાજમાન છે. Jain Educationa International ૬૯ For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ એ શા માટે? પાસનમાં બેસવું શા માટે જરૂરી છે? એટલા માટે એ આવશ્યક છે કે શરીરને અનુશાસિત કરવું છે. જે અધ્યાત્મ શારીરિક અનુશાસન નથી જામત કરતું, પ્રાણિક અનુશાસન નથી જાગ્રત કરતું, માનસિક અનુશાસન નથી જાગ્રત કરતું તે અધ્યાત્મ વાસ્તવમાં અધ્યાત્મ જ નથી હોતું. જે સંન્યાસી, મુનિ સંન્યાસ ધર્મમાં દીક્ષિત થયા પછી કેવળ અધ્યયન અને અધ્યાપનમાં રહે છે. ફક્ત બૌદ્ધિક સીમામાં જ રહે છે, બુદ્ધિ વધુ તીક્ષ્ણ કરવાની જ પ્રવૃત્તિમાં રહે છે અને શારીરિક, માનસિક, વાચિક અને પ્રાણિક અનુશાસનની પ્રક્રિયાઓના પ્રયોગ નથી કરતા, તેમણે અત્યંત જટિલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શું બ્રહ્મચર્યની સમસ્યા ઓછી છે? શું સત્ય બેલવું જટિલ સમસ્યા નથી ? શું અહિંસક રહેવું, મનસા, વાચા, કર્મણ કોઈને પ્રત્યે અનિષ્ટને ભાવ ન લાવો–ઓછી સમસ્યા છે ? આ સમસ્યાઓની મહાનદીઓને સહજતાથી પાર નથી કરી શકાતી. જ્યાં સુધી શારીરિક વાચિક, માનસિક અને પ્રાણિક અનુશાસન નહિ જાગે ત્યાં સુધી સમસ્યાઓ પાર નથી કરી શકાતી.. ત્રણ કટિ (ત્રણ કરોડ) સુવર્ણમુદ્રાઓ આર્ય સુધર્મા પ્રભાવશાળી ગણધર હતા. એકવાર તેમને એક શિષ્ય આવીને વિનંતીના સ્વરોમાં બે • ભંતે! આપ મારા પર દયા કરે. અહીંથી તુરત પ્રસ્થાન કરવાનું વિચારે. આ રાજગૃહ નગરમાં મારું રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે.” સુધર્માએ કહ્યું : “કેમ ? એ તે કો બનાવ બની ગયો? હજી હમણું તો તમે પ્રજિત થયા છે.” શિષ્ય બેલ્યો : “ભંતે! શું કરું જ્યાં કશે પણ જાઉં છું કે મારી મશ્કરી છે. તેઓ કહે છે, “અરે ! આ મુનિ કઠિયારો છે. ગઈકાલ સુધી એ લાકડીઓનો ભાર વહન કરતો હતો. આજે મુનિ બની ગયું છે. આ વાક્ય સાંભળી સાંભળીને હું હેરાન થઈ ગયો છું. બધા મારી તરફ આંગળી ઉઠાવે છે. હું અહીં કેવી રીતે રહી શકું ?” તે નસ હતા. હજી અનુશાસિત થયું ન હતા. આંતરિક અનુશાસન જાગ્યું ન હતું. આર્ય સુધર્માએ તેની વાત માનીને વિહારની તૈયારી કરી લીધી. અમાત્ય અભયકુમારને જાણવા મળ્યું કે આર્ય સુધર્મા અચાનક વિહાર ૭૦ Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ કરી રહ્યા છે. તેઓ તુરત સુધર્મા પાસે ગયા. પૂછયું : “ભતા એવું શું થઈ ગયું કે આપે તાત્કાલિક વિહારને નિર્ણય લઈ લીધો? આપ તે અહીં લાંબા સમય સુધી રહેવાના હતા. આર્ય સુધર્માએ અભયને બધી પરિસ્થિતિ જણાવી. અભયકુમારે કહ્યું : આપ આપને વિહાર સ્થગિત કરે. જોઈએ શું થાય છે. બીજે દિવસે અભયકુમાર ત્રણ કરોડ સુવર્ણ મુદ્રા લઈને બજારમાં આવ્યા અને તે લઈને એક ચોતરા પર ઊભા રહ્યા. અમાત્ય ઊભા છે અને તેની સમક્ષ ત્રણ કરોડ સુવર્ણમુદ્રા પડી છે, તેથી ત્યાંથી પસાર થનારના પગ અટકી જાય છે. ચમકતું ધન સામે દેખાઈ રહ્યું છે. ઘોષણા થઈ રહી છે–જે વ્યક્તિ અમાત્ય અભયકુમારની શરતો પૂર્ણ કરશે, તેને આ ત્રણ કરોડ સુવર્ણમુદ્રા પ્રાપ્ત થઈ શકશે. તે ત્રણ શરતો આ છે – ક વ્યક્તિ પૂર્ણ બ્રહ્મચારી હેય. * વ્યક્તિ પૂર્ણ સત્યવાદી હોય. * વ્યક્તિ પૂર્ણ અહિંસક હોય. લે એ શરતે સાંભળી. એ બધાનું મન વિકલ્પથી ચકરાવા લાગ્યું. ભીડમાંથી એક સ્વર આવ્ય–જે પૂર્ણ બ્રહ્મચારી થઈ ગયો છે તેને સુવર્ણમુદ્રા શા માટે? એને ધન શા માટે જોઈએ ? ધન જોઈએ કામનાઓની પૂર્તિ માટે, વાસનાઓની પૂર્તિ માટે. જે વ્યક્તિ કામનાઓ અને વાસનાઓથી પર થઈ ચૂકી છે, તેને ધનનું શું પ્રયોજન ? જે પૂર્ણ સત્યવાદી હશે તે ત્રણ કરોડ સુવર્ણમુદ્રાઓનું શું કરશે ? ધન સાથે છળ અને પ્રવંચન ચાલે છે. ધન સાથે જૂઠાણું ચાલે છે. એ કદી બની શકતું નથી કે ધનને તો ઢગલે હેય અને વ્યક્તિ પ્રવેચનાઓથી બચી જાય. આ કદી સંભવિત નથી. જે ધનની આટલી મોટી શશિનો માલિક હેય તે પૂરેપૂરો અહિંસક કેવી રીતે થઈ શકે? તેણે આરંભ-સમારંભમાં પ્રવૃત્ત થવું જ પડશે. તે બસ-સ્થાવર જીવોની હિંસાથી કેવી રીતે બચી શકશે? જીવન નિર્વાહ માટે રોટલી જોઈએ. રોટલીનું ઉત્પાદન હિંસા-સાપેક્ષ છે. ધન પ્રત્યે રહેલું મમત્વ સ્વયં હિંસા છે. તેવી વ્યક્તિ પૂર્ણ અહિંસક થઈ જ નથી શક્તી. આ ત્રણે વિધી શરતે છે. એને કેણ સ્વીકાર કરશે? ૭૧ Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારે પ્રશ્નની ભાષામાં કહ્યું : હવે હું આપ સર્વેને એક પ્રશ્ન પૂછું છું કે જે વ્યક્તિ પૂર્ણ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે, પૂર્ણ સત્યવાદી છે અને પૂર્ણ અહિંસક છે તેણે શું ત્રણ કરોડ સુવર્ણ મુદ્રાઓને ત્યાગ નથી કર્યો? જે આટલા ધનને ત્યાગ કરે છે તે શું મહાન નથી ? જે કઠિયારાએ મુનિવ્રતને સ્વીકાર કર્યો છે તે શું પૂર્ણ બ્રહ્મચારી નથી બન્યો? તે શું પૂર્ણ સત્યવાદી નથી બન્યો? તે શું પૂર્ણ અહિંસક નથી બન્યું ? લેકે તર્ક સમજ્યા અને હવે તેઓ તે કઠિયારા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાનત બની ગયા. આંતરિક અનુશાસન કેટલું મુશ્કેલ છે? જ્યારે આંતરિક અનુશાસન જાગે છે ત્યારે વ્યક્તિ બદલાઈ જાય છે. આંતરિક અનુશાસન કેવી રીતે જાગ્રત થાય ? એને મૂળ હેતુ શું છે ? આ મોટો પ્રશ્ન છે. પવાસન: શારીરિક અનુશાસન પદ્માસન શારીરિક અનુશાસન છે. પદ્માસનમાં બેસનાર સાધક પિતાને પ્રાણ-પ્રવાહ બદલી નાખે છે. કામ-કેન્દ્ર તરફ જતે તેને પ્રાણપ્રવાહ ઊર્ધ્વગામી બની જાય અને તે જ્ઞાન કેન્દ્ર સુધી પહોંચી જાય છે. જ્યારે પ્રાણ પ્રવાહ જ્ઞાન કેન્દ્ર સુધી પહોંચે છે ત્યારે વાસનાઓની જાળ આપમેળે તૂટવા લાગે છે. મુદ્રા અને તેને પ્રભાવ જયાચાર્યે લખ્યું છેઃ પ્રભુ! આપની ગમુદ્રા મને ખૂબ સારી લાગે છે. આપની ધ્યાનમુદ્રા ઘણી મહારી છે. મુદ્રાઓ અનેક પ્રકારની હોય છે. જિનમુદ્રા, ગમુદ્રા વગેરે વગેરે. મુદ્રાનું ઘણું મહત્વ છે. આપણા શરીરમાં ચાલી રહેલે સૂક્ષ્મ ભાવોને પ્રવાહ જયારે શરીરના માધ્યમથી પ્રગટ થાય છે ત્યારે તે મુદ્રા બની જાય છે. તર્જની આંગળીને અંગૂઠાના મૂળમાં લગાડવાથી જ્ઞાનમુદ્રા બની જાય અંગુઠા તથા આંગળીઓને કાન, આંખ, નાક, મેં પર લગાડવાથી સર્વેન્દ્રિય સંયમમુદ્રા બની જાય છે. જ્યારે મુદ્રાઓ બને છે ત્યારે આંતરિક પરિવર્તન શરૂ થઈ જાય છે. જેવી બહારની મુદ્રા થાય છે, તેવું જ પરિવર્તન થવા ૭૨ Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. એમ પણ કહી શકાય કે જ્યારે આંતરિક પરિવર્તન પ્રારંભ થાય છે ત્યારે બહારની મુદ્રા તેવી જ બની જાય છે. બંને વચ્ચે ઘણો ગાઢ સંબંધ છે. અંદર ચિત્તની વૃત્તિઓ જેવી હોય છે, બહાર પણ તેવી જ અભિવ્યક્તિ થાય છે અને બહાર જેવી મુદ્રા બને છે, અંદર તેવું જ થવા લાગે છે. કોઈ વ્યક્તિ માથે હાથ મૂકીને ઉદાસ થઈને બેસે છે, તે તે મુદ્રામાં ઉદાસી અને ચિંતા ઊતરી આવશે. તે અચાનક ચિંતિત થઈ જશે. કઈ વ્યક્તિ પ્રસન્ન મુદ્રામાં બેસે છે, તે અંદરથી પણ પ્રસન્નતાને ભાવ ઊતરે છે અને તે અભિવ્યક્ત થઈ જાય છે. બે મુદ્રાઓ મહત્ત્વપૂર્ણ છે ? એક છે યોગની મુદ્રા, બીજી છે જિનમુદ્રા. તીર્થકર ઊભા ઊભા ધ્યાન ધરે છે તેમની બંને એડીઓ અડેલી હોય છે, ચાર-પાંચ આંગળ અંતર રહે છે. બંને હાથ નીચે લટકતા તથા જાંઘ સાથે અડીને હોય છે. શરીર સીધું, ડોક સીધી અને નાસિકા પર દષ્ટિ સ્થિર થયેલી હોય છે. આ છે જિનમુદ્રા. પદ્માસન, સ્વસ્તિકાસન કે અર્ધ પદ્માસનમાં વ્યકિત બેઠી છે. ભ્રકુટિ કે નાસાગ્ર પર તેની દષ્ટિ રહેલી છે. બંને હાથ મેળામાં છે. ડાબો હાથ નીચે અને જમણે હાથ ઉપર છે. આ યોગમુદ્રા છે. આ પ્રકારની મુદ્રા બનતા જ ધ્યાન ઊતરવા લાગે છે. એમાં એકાગ્રતાનું અવતરણ શરૂ થઈ જાય છે. ચિત્તની વૃત્તિઓ બદલાવા લાગે છે અને સાધક ધ્યાનના ઊંડાણમાં પ્રવેશ કરવા લાગી જાય છે. કેગના આચાર્યોએ મુદ્રાઓ અને આસનને ઘણે વિકાસ કર્યો. આજે પણ સેંકડો મુદ્રાઓ અને આસને ઉપલબ્ધ છે. આ મુદ્રાઓ અને આસનોને પ્રવેગ કરવાથી પિતાનામાં પરિવર્તન થવા લાગે છે. જે આપણે ખરેખર બદલાવા ઇચ્છીએ તે આપણી સમક્ષ આત્માનુશાસનને જાગ્રત કરવાની બહુ સુંદર પ્રક્રિયા છે. પ્રશ્ન છે કે બદલવાની યથાર્થ ચાહ હેય, અનુશાસનને જગાડવાની યથાર્થ ભાવના હોય. બદલાવાની પ્રબળ આકાંક્ષા હોય તો અમેરિકાને અબજોપતિ જેન્સ એક વખત વિક્ષિપ્ત થઈ ગયે. એનું મન ચિંતાઓથી ભરાઈ ગયું. તે ખૂબ ઉદાસ રહેવા લાગે. મિત્રોએ ૭૩ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ સલાહ આપતા કહ્યું : “જેન્સી આપણા દેશના પ્રસિદ્ધ મનોચિકિત્સક ડે. ફલેમિંગ છે, એની પાસે જઈને ઉપચાર કરાવો.” જેન્સ મનોચિકિત્સક પાસે પહોંચ્યો. ડોક્ટરે કહ્યું કે શું મનેચિકિત્સામાં તમને વિશ્વાસ છે? હા, વિશ્વાસ છે. જે વિશ્વાસ ન હતા તે શા માટે આવત? પરંતુ હું કેટલાય માનસચિકિત્સકે પાસે ચિકિત્સા કરાવી ચૂક્યો છું. પરંતુ હજી સુધી કોઈ લાભ નથી થયો. ડે. ફલેમિંગ નિઃસ્પૃહ વ્યક્તિ હતા. તેમણે કહ્યું ચાલ્યા જાઓ અહીંથી, તમારી ચિકિત્સા નહિ કરીશ. અબજોપતિ પાસે કંઈ કેટલું ધન એને મળત. પરંતુ ફલેમિંગ એનાથી ચઢિયાતો હતો. જે વ્યક્તિના મનમાંથી સ્પૃહા નીકળી જાય છે, તે અબજોપતિને અબજોપતિ હોય છે. તેણે અબજોપતિની કોઈ પરવાહ ન કરી. જેન્સ ઘરે ચાલ્યો ગયો. બીમારી વધતી ચાલી. તે પીડાવા લાગે. ફરીથી તે તે જ મને ચિકિત્સક પાસે આવ્યો. ફલેમિંગના સેક્રેટરીએ કહ્યું ડોક્ટર સાહેબને અત્યારે સમય નથી. આપ ત્રણ દિવસ પછી આવો. આ સાંભળી જેન્સ અવાક થઈ ગયો. એક અબજોપતિ ત્રણ દિવસની વાત કેવી રીતે સહન કરી શકે? પણ બીજો કોઈ ઉપાય ન હતો. ત્રણ દિવસ પછી જેન્સ ફરીથી આવ્યો. ડે. ફલેમિંગે પૂછ્યું : શું ખરેખર તમે આ વ્યથાથી મુક્ત થવા ઈચ્છો છો? આ સાંભળી જેન્સ ગુસ્સે થઈ ગયો. તેણે રોષમાં કહ્યું : જે મુક્ત થવાની ભાવના ન હોતા તે અહીં રઝળપાટ કરવા શા માટે આવત? તમે એવી નકામી વાત કરી મારો સમય બગાડો નહિ. ડોક્ટર બોલ્યા : ચાલ્યા જાઓ, હમણાં ઈલાજ નહિ થશે. જોન્સ વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ ગયા. કરે પણ શું? જે કેઈ બીજો વિકલ્પ હેત તે તે ફલેમિંગને બારણે આવત જ નહિ, પરંતુ બીજે કઈ વિકલ્પ ન હતું. તેના જેવો મનોચિકિત્સક અન્યત્ર દુર્લભ હતો. આખરે અપમાનને ઝેરી ઘૂંટડે પીને ત્રીજી વાર ફલેમિંગ પાસે ગયા. ફલેમિંગે ફરીથી પ્રશ્નો પૂછળ્યા. આ વેળા એનામાં અબજોપતિનું અહમ્ ન હતું. તેણે વિચારી લીધું હતું કે ડોકટર જે લેભી હોત તો પહેલી વારે જ કામ બની જાત. પણ ડોક્ટર સાચા છે. જો સરળતાથી ઉત્તર આપ્યા. ફલેમિંગે પ્રસન્ન થઈને કહ્યું : મિ. જોન્સ તમારી ચિકિત્સા ७४ Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ એ જ છે કે તમે પેાતાના હાથે એક મકાન તૈયાર કરી. શ્રમ થશે તા ખીમારી મટી જશે. મકાન ભલે નાનું હોય પણ કાર્યની મદદ નહિ લેવી. બધું જ કામ જાતે કરવું. જોન્સે ડોક્ટરનું કહ્યું માની એક નાનું મકાન ઊભું કરી દીધું. ખૂબ શ્રમ કર્યાં. ખીમારી જતી રહી. સ્વસ્થ થઈને તે ડૉક્ટર પાસે આવ્યા. ડૅૉક્ટરે તપાસ કરી અને તેને સંપૂર્ણ તંદુરસ્ત જાહેર કર્યાં. આત્માનુશાસનની સહિતા જ્યાં સુધી બદલવાની આકાંક્ષા નથી જાગતી ત્યાં સુધી આત્માનુશાસન જાગ્રત નથી થતું. અધ્યાત્મના ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં આ એક ધણી મેાટી ચિંતા છે કે આજે આત્માનુશાસનનું જાગરણ નથી થઈ રહ્યું. આજે કાયદાના જગતમાં જેટલી મેાટી આચારસહિતા અને દંડસંહિતા છે, સંભવ છે, ધાર્મિક જગતમાં એટલી જ મેાટી આચારસંહિતા અને દંડસહિતા છે. તા પ્રશ્ન થાય છે કે શુ' ધર્મનું કામ તે જ છે કે જે એક રાજ્યનું, સત્તાનું અને ન્યાયાલયનું કામ છે? વ્યક્તિ ભૂલ કરતી જાય અને દડસહિતાના પ્રયાગ થતા રહે. જો આ જ કા હાય તા ધની કાઈ વધારાની આવશ્યકતા નથી રહેતી. ધર્મનું કાઈ ખીજું કામ નથી રહેતું. ધર્માંના ક્ષેત્રમાં એક વધુ ઘટના બની હતી. એક એવી સંહિતાનું નિર્માણ થયું જેનાથી આત્માનુશાસનની સંહિતાને વિકાસ થયેા. શરીરને અનુશાસિત કરવાની સંહિતા પ્રાણુ, અને મનને અનુશાસિત કરવાની સહિતાના વિકાસ થયા. જયાચાર્યે લખ્યું છે પ્રભુ! આપે તન, મન અને વયન બધાંને વશ કરી લીધાં. આપનું બધાં પર અનુશાસન સ્થાપિત થઈ ગયું. જે વ્યક્તિનું શરીર, પ્રાણ, મન અને વચન અનુશાસિત થઈ જાય છે, તે જ વ્યક્તિ સાચા અર્થાંમાં આત્માનુશાસિત હાય છે. આત્માનુશાસન કાઈ અમૂ શબ્દ નથી. એવા શબ્દ નથી જે અવ્યાકૃત કે અવક્તવ્ય હેાય. શકાય છે. એની સ્પષ્ટ વ્યાખ્યા પ્રાપ્ત છે, જેના ઉલ્લેખ ઉપર કરવામાં આત્માનુશાસન કાઈ એની વ્યાખ્યા આપી આવ્યા છે. Jain Educationa International hs For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કાયક્લેશના સાથે અર્થ એક વ્યક્તિ એક જ આસન પર કલાક સુધી બેસી નથી શકતી. એના અર્થ એ છે કે એનું શરીર પર અનુશાસન નથી. ભગવાન મહાવીરે કાયલેશનું પ્રતિપાદન કર્યું છે. એને ખાટા અર્થ સમજી લેવામાં આવ્યા કે કાયકલેશના અર્થ છે—કાયાને કષ્ટ આપવું. કાયલેશના અર્થ શરીરને કષ્ટ આપવાના નથી થતા. એના ચાચા અર્થ છે—શરીરને અનુશાસિત કરવું. શરીરને એટલું સાધી લેવું કે દસ કલાક ઊભા રહી શકાય, બેસી શકાય. મહાવીરનું શરીર પર એટલુ' અનુશાસન હતું કે તે સેાળ-સેાળ દિવસ અને રાત ઊભા ઊભા ધ્યાન કરી લેતા હતા. તેમને શરીર પર અનુશાસન કરવાનાં અનેક સૂત્ર પ્રાપ્ત હતાં, એટલા માટે તેએ એવું કરી શકા, તે સિવાય એમ થવુ સભવ ન હતું. ભગવાન ઋષભે એક વર્ષ સુધી ઊભા ઊભા કાયાત્સ કર્યો. ભગવાન બાહુબલીએ લાંબા સમય સુધી કાર્યાત્સગ કર્યો. કહેવાય છે કે સમય એટલા લાંખા વીત્યા બાહુબલીના શરીર પર વેલે ચઢી, પક્ષીઓએ માળા બાંધી દીધા. સાપાએ દર ખેાદી કાઢવા. તેએ વનસ્પતિ જગતથી ઘેરાઈ ગયા. પ્રશ્ન થઈ શકે છે—શું આ સંભવ છે? હા, આ સંભવ ત્યારે છે જ્યારે શરીર પર અનુશાસન સ્થાપિત થઈ જાય છે. જ્યાં સુધી શરીર પર અનુશાસન સ્થાપિત નથી થતું ત્યાં સુધી આ અસંભવ જ ખતી રહે છે. મનુષ્ય જ યાત્રા નથી કરતા, શબ્દ અને અર્થ પણ યાત્રા કરે છે. કાયલેશના મૂળ અર્થ હતા—શરીરને અનુશાસિત કરવું. આ મૂળ અર્થ કાળની લાંખી અવધિમાં વિસ્તૃત થઈ ગયા અને એના અ—કાયાને કષ્ટ આપવું—પ્રચલિત થઈ ગયા. એના આધારે એ ધારણા બની ગઈ કે જૈન ધર્માં કષ્ટ આપનાર ધર્મ છે. તે કહે છે—શરીરને સતાવેા, શરીરને તપાવેા, શરીરને કષ્ટ આપે!. કેટલી ભ્રાન્ત ધારણા ? યથાર્થીમાં કાયકલેશ છે—શરીરના અનુશાસનની પ્રક્રિયા. જૈન દર્શનમાં એક તપનું નામ છે—પ્રતિસ લીનતા, આ ઇન્દ્રિય અનુશાસનની પ્રક્રિયા છે. વિનય આંતરિક તપનેા એક ભેદ છે. આ અહંકારની ગ્રંથિ તાડવાની પ્રક્રિયા છે, Jain Educationa International ૭ For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ જ્યારે આ બધી પ્રક્રિયાઓની વિસ્મૃતિ થઈ ગઈ ત્યારે એના અર્થ પણ બદલાઈ ગયા. સુપર હ્યુમન આજે સમગ્ર સંસારમાં એક નવે અવાજ ઊઠી રહ્યો છે. તે એટલા માટે ઊઠી રહ્યો છે, કે બાહ્ય નિયંત્રણા દ્વારા મનુષ્યની ચેતના વિકસિત નથી થઈ. અતિચેતનાનું જાગરણુ નથી થયું. આજે દરેક સમજુ વ્યક્તિ એ અનુભવ કરે છે કે જ્યાં સુધી અતિચેતનાનું જાગરણુ નહિ થશે, સૂપર ઘૂમના વિકાસ નહિ થશે, ત્યાં સુધી સમસ્યાઓનું સમાધાન નહિ થશે, ત્યાં સુધી દ્વન્દ્વોની મુક્તિ નહિ થશે. અતિચેતનાને જાગ્રત કરવા માટે લાંબા સમયથી પ્રયાગ થઈ રહ્યા છે. મહર્ષિ અરવિંદે સમગ્ર સૌંસારમાં અતિચેતનાને જામત કરવાના પ્રયત્ન કર્યાં. ખીજ પશુ અનેક ચેાગીઓએ તે પ્રયત્ન કર્યાં. આજે તે પ્રયાગ વિજ્ઞાન જગતમાં ઊતરી આવ્યા છે. વૈચારિક પરિવર્તન કરવામાં આજના વૈજ્ઞાનિકા ખૂબ સફળ થઈ રહ્યા છે. મસ્તિષ્કમાં વિદ્યુતીય પ્રહાર આપીને વિચાર બદલી શકાય છે. આજને વૈજ્ઞાનિક ભૂતકાળની સ્મૃતિએને જગાડવામાં સફળ થઈ ગયા છે. વિદ્યુતના પ્રયાગેથી પચાસ સે। વર્ષ પહેલાં બનેલી ઘટનાની એવી સ્મૃતિ કરાવી દે છે, જાણે તે હમણાં જ પ્રત્યક્ષ બની રહી હોય. આંતરિક અનુશાસન શા માટે ? આજ સુધી જે વ્યક્તિ અમુક વિચારેાથી બધાયેલી હતી. અના વિચાર। બદલી દેવાય છે. એના વિચારા ખીજા થઈ જાય છે. તે મૂળના વિચારાથી પ્રતિબદ્ધ નથી રહેતા, તેની વિચારવાની રીત બદલાઈ જાય છે. આ આત્માનુશાસનની પ્રક્રિયા અથવા મસ્તિષ્ક્રીય નિય ંત્રણની પ્રક્રિયા ખૂબ અદ્ભુત રીતે પ્રસ્તુત થઈ રહી છે. બાહ્ય નિય་ત્રણનું કામ છે—વ્યક્તિને સાવધાન કરી દેવી. તે મૂળનુ પરિવર્તન કરી શકતી નથી. જ્યાં સુધી ચેતના નથી બદલી શકાતી ત્યાં સુધી સંપૂર્ણ પરિવર્તન નથી થતું. એક વખત અસાવધાન થતાં જ તે ભૂલ ફરીથી કરવામાં આવે છે. કેમ કે મૂળ ભીતરમાં કાંઈ બદલાતું નથી. માત્ર બાહ્ય જાગૃતિ આવી. ખીજી સ્થિતિમાં તે જાગૃતિ સમાપ્ત થઈ જાય છે. ત્યારે વ્યક્તિ તેવી જ બની રહે છે. બસ તેવું જ આચરણ અને તેવા જ વ્યવહાર કરે છે. Jain Educationa International ७७ For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓને ઘરેણાં પ્રત્યે અપાર મેહ હોય છે. ક્યારેક ઘરેણુને કારણે ખબર પડી જાય છે કે અમુક સ્ત્રી છે કે પુરુષ. એક પુરુષ સ્ત્રીને બુરખો ઓઢીને બજારમાંથી નીકળી રહ્યો હતો. પિલીસે તેને પકડી પાડયો. ઈસ્પેકટરે પૂછ્યું : અરે, સ્ત્રીને કેમ પકડી લાવ્યા ? પોલીસોએ કહ્યું ઃ આ સ્ત્રી નહિ, પુરુષ છે. તમે એને બુરખામાં કેવી રીતે ઓળખી લીધો ?” સર! અમે બજારમાંથી જઈ રહ્યા હતા. ઘરેણુનું બજાર હતું. પરંતુ તેણે એકવાર પણ ઘરેણાં તરફ નજર નહિ કરી. અમે સમજી ગયા. આ સ્ત્રી નહિ પુરુષ છે. સ્ત્રી હતા તે ચોક્કસ ઘરેણાં તરફ લાલચભરી નજરે જેતે. પતિએ પત્નીને ખૂબ સમજાવ્યું કે આભૂષણને મોહ છોડી દે. એક દિવસ પતિ-પત્ની બજારમાંથી જઈ રહ્યાં હતાં. આભૂષણોની દુકાન આવતાં જ પત્નીની ચેતના જાગ્રત થઈ ગઈ. પત્નીએ કહ્યું ઃ ગળામાં ખાંસી થઈ ગઈ છે. કોઈ ઉપાય કરો. પતિ બેલ્યો; ડોક્ટરને બોલાવું ? પત્નીએ કહ્યું ઃ આટલો ખર્ચ શા માટે કરે છે? દવા લેવાને બદલે આ૫ મને ગળાને હાર આપી દે. ગળું ઠીક થઈ જશે. આભૂષણો પ્રત્યે કેટલો મોહ હોય છે ! ઉપાદાનનું જાગરણ જ્યાં સુધી આંતરિક ચેતના નથી બદલાતી, ભીતરનું અનુશાસન નથી જાગતું ત્યાં સુધી બાહ્ય પરિસ્થિતિ વ્યક્તિને વારંવાર સતાવતી રહે છે. તે વ્યક્તિને જકડી રહે છે. ભગવાનની સ્તુતિ–તીર્થકરની આરાધના અધ્યાત્મની અનુભૂતિ આ બધાને અર્થ છે ચેતનાનું પરિવર્તન. જે ચેતના આપમેળે અનુશાસિત નથી હોતી, તે ચેતનાને આસને, મુદ્રાઓ અને શ્વાસના વિભિન્ન પ્રયોગો દ્વારા બદલી શકાય છે. પ્રતિસલીનતા અને મને વિકાસનાં સૂત્રો દ્વારા ચેતનામાં પરિવર્તન થઈ શકે છે. જ્યારે આ બધા ઉપાયોથી આંતરિક અનુશાસન જાગી જાય છે ત્યારે નિમિત્ત પ્રાપ્ત થવાથી પણ ચેતના તે તરફ વળતી નથી. નિમિત્ત વ્યર્થ થઈ જાય છે. જ્યાં ઉપાદાન જાગી જાય છે ત્યાં નિમિત્ત બેકાર બની જાય છે. નિમિત્ત ત્યાં સુધી જ સતાવે છે જ્યાં સુધી ઉપાદાન નથી જાગતું. ७८ Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનું એક બહુ મૂલ્યવાન વાકય છે—‘મૂળ ૨ મૂક્ત ૨ નિષ ધાર' અત્ર અને મૂળનું છેદન કરે।. ફક્ત પાંદડાને કાપે નહિ. એને કાપવાથી કામ નથી થતું. મૂળને પકડેા. મૂળ સુધી જાએ. ઉપાદાનને બદલા. જ્યારે ઉપાદાન બદલાઈ જાય છે ત્યારે પાંદડાં વગેરે બધું જ વ્યર્થ થઈ જાય છે. આપણે અધ્યાત્મની ભાષાને સમજીએ અને ઉપાદાનને જગાડવાની ટેવ પાડીએ, પ્રેક્ષાલ્યાન ઉપાદાનને જગાડવાને અભ્યાસ છે. જે વ્યક્તિ પ્રેક્ષાધ્યાનની પ્રક્રિયામાંથી પસાર થાય છે તે ચેતનાને જગાડવાના ઉપાદાના વિકાસ કરે છે. જ્યારે આ ઉપાદાન થાડું પણ જાગી જાય છે. ત્યારે દષ્ટિ બદલાઈ જાય છે, નવું ચિંતન અને નવી અનુભૂતિએ નગી જાય છે. શિબિરમાં ઉપસ્થિત સાધકો કાલ-પરમ દિવસ સુધી કહી રહ્યા હતા કે એમને કંઈપણ નથી મળી રહ્યું, આજે સવારે તેઓ મારી પાસે આવ્યા અને માલ્યા : અમારી સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે અને આજે જીવનમાં એવા અનુભવ થયે! જે પહેલાં કદી પણ થયા ન હતા. મેં કહ્યું: થાય પણ કેવી રીતે? આપે ભીતરનું અનુશાસન જગાડવાને પ્રયત્ન જ કયારે કર્યા હતા? આપે અંદર જોવાના પ્રયત્ન જ કારે કર્યા હતા? આટલા દિવસે સુધી આપ બુદ્ધિના દરવાજા પર ઊભા ઊભા જ બહારથી સર્વ કાંઈ જોવાના પ્રયત્ન કરતા રહ્યા છે. જ્યાંથી ભીતર ઈ જ દેખાતું નથી. માત્ર ધાર અંધકાર જ દેખાય છે. હવે જેમ જેમ ભીતરમાં પ્રવેશ થઈ રહ્યો છે, તે દરવાજો એની મેળે ખૂલી રહ્યો છે જ્યાં દેવળ પ્રકાશ જ પ્રકાશ છે. આંતરિક રહસ્યો સ્વયં ઉદ્ઘાટિત થઈ રહ્યાં છે અને પ્રત્યક્ષ થઈને દર્શન આપી રહ્યાં છે. આ દર્શન જ આપણી આંતરિક ચેતનાને જગાડવાનેા ધણા માટે હેતુ બને છે. Jain Educationa International ૭૯ For Personal and Private Use Only : Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૬ નિલંબનું આલંબન Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૬ સંકેતિકા 9 गज कुम्भ दले मृगराज हणी, पिण दोहिली निज आतम दमणी । इम सुण बहु जीव चेत्या जाणी, प्रभु वासुपूज्य भजले प्राणी ॥ २ ३ ४ संजम तप जप शील ए, शिवसाधन महा सुखकार रे । अनित्य अशरण अनन्त ए, ध्यायो निर्मल ध्यान उदार रे ॥ स्त्रीयादिक ना संग ते, आलंबन अशुद्ध आलंबन छांड नै, धाय ध्यान अहो प्रभु ! उपशम रसभरी आपरी, वाणी सरस विशाल हो । अहो प्रभु ! मुगत निसरणी मनोहरू, सुण्यां मिटै भ्रम जाल हो ॥ ( चौबीसी १२ / ६ : ११/५, ६, २ / २ ) भ - १ दुख दातार रे । आलंबन सार रे ॥ D મનનું અનુશાસન બહુ સારું છે પણ બહુ સરળ નથી. ñ વિવિધ અનુશાસનેાની સીમા પાર કરીને મનના અનુશાસન સુધી પહેચાય છે. अनुशासननां खास जन— संयम, तयु, भय, शीस, अनित्य अनुप्रेक्षा, अशरण અનુપ્રેક્ષા, અનન્ત અનુપ્રેક્ષા, નિર્મળ ધ્યાન કે ચૈતન્ય ધ્યાન 1 स्वाध्याय, Jain Educationa International ૮૧ For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ નિરાલંબનું આલંબન આચાર્ય શ્રી તુલસીએ એક ગ્રંથ લખે, જેનું નામ છે–મનનુશાસનમ.' એને અર્થ છે–મનનું અનુશાસન. એક ભાઈએ કહ્યું કે મેં તે ગ્રંથ વાંચ્યો. મારા મનમાં હતું કે મનનું અનુશાસન શીખું. તે ગ્રંથ વાંચતાં ખ્યાલ આવ્યો કે તેમાં અનુશાસનની જાળ બિછાયેલી છે. તેમાં અનેક અનુશાસન છે – આહારનું અનુશાસન, શરીરનું અનુશાસન, ઇન્દ્રિયોનું અનુશાસન, શ્વાસનું અનુશાસન, ભાષાનું અનુશાસન અને મનનું અનુશાસન. મન પર અનુશાસન કરવા માટે પાંચ બીજાં અનુશાસન શીખવા આવશ્યક હોય છે. એક મન દેવતાને સિદ્ધ કરવા માટે પાંચ અન્ય દેવતાઓને સાધવા એ લાંબી પ્રક્રિયા છે. એવી સીધી પ્રક્રિયા હેવી જોઈએ જેમાં મન પર અનુશાસન આવી જાય. પછી ન તે આહાર પર અનુશાસન કરવાની આવશ્યકતા છે અને ન તો ભાષા અને ઈન્દ્રિો પર અનુશાસનની જરૂર છે. સીધું મન પર અનુશાસન થઈ જાય–આ સાંભળવામાં ઘણું સારું લાગે છે અને તર્ક યુક્ત લાગે છે કે જ્યારે મન પર જ અનુશાસન સાધવાનું છે તે પછી આટલી લાંબી પ્રક્રિયાની શી જરૂર છે? આટલે. લાંબે માર્ગ શા માટે? સંસ્કૃત વ્યાકરણમાં નિષ્ણાત થનાર જાણે છે કે તેણે માત્ર શબ્દાનુશાસન જ નથી વાંચવું પડતું તેને એની સાથે સાથે છન્દાનુશાસન, લિંગાનુશાસન વગેરે વગેરે પણ વાંચવાં પડે છે. જ્યારે બધાં અનુશાસન હસ્તગત થઈ જાય છે ત્યારે શબ્દાનુશાસન વાંચવા કેઈ અર્થ હેય છે. લેકે ઈચ્છે છે કે આહાર જેવો ચાલી રહ્યો છે તેવો જ ચાલે. એના પર અનુશાસનની શી જરૂર છે? મન અને આહારને શું સંબંધ? સ્થિર કરવાનું છે મનને, મન પર અનુશાસન સાધવું છે તે ભેજનના અનુશાસનને એની સાથે શું સંબંધ છે? ભોજનને સંબંધ છે પેટ સાથે, લીવર સાથે, આમાશય અને પક્વાશય સાથે, આંતરડાં સાથે, જીભ તથા મોઢાની લાળ સાથે. મનની સાથે તેને શો સંબંધ છે કે સાધક બધા કરતાં પહેલાં આહારનું અનુશાસન કરે, શીખે? મનેનુશાસનમાં અનુશાસનની સુવ્યવસ્થિત પ્રક્રિયા છે. પ્રાચીન ગ્રંથમાં તેવી પ્રક્રિયા પ્રાપ્ત નથી. અનુશાસનની પ્રક્રિયાનાં છ અંગ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પરંતુ સવાલ તે જ આવે છે કે શરીર પર અનુશાસન શા માટે કરીએ? શરીર અને મનને સંબંધ જ શું છે? શા માટે ઈન્દ્રિયો પર અનુશાસન કરીએ? બિચારો શ્વાસ પોતાની ગતિ મુજબ આવે છે, જાય છે. જાગીએ છીએ તે પણ તે આવે છે અને સૂઈએ તે પણ આવે છે. બેસીએ છીએ તો પણ તે આવે છે અને ચાલીએ તે પણ તે આવે છે. આપમેળે ચાલે છે. તેના પર નિયંત્રણ કે અનુશાસન શા માટે કરવામાં આવે છે મનમાં ઉપસ્થિત થનારા આ પ્રશ્નો છે. લેકે સીધા મનને જ પકડવા ઇચ્છે છે. આ એક એવો માર્ગ છે જેમાં દોરડાને સહારો જોઈએ. આકાશ નિરાલંબ છે. તેમાં જે ચાલવું હોય તો આલંબન લેવું પડશે. એક પહાડ પરથી બીજા પહાડ પર જવાનું છે. વચ્ચે કરું આકાશ છે. કેવી રીતે જવાય? મનુષ્ય ઉપાય ખેળી કાઢયો. દેરડાના માર્ગને વિકાસ થયો. રજજુ માર્ગથી યાત્રા કરે. એક પહાડ પરથી બીજા પહાડ પર પહોંચી શકાશે. પહાડની નીચે ઊતરવાની જરૂર નથી. અધ્યાત્મની સાધના એક નિરાલંબ માર્ગ છે. અધ્યાત્મ સ્વયં નિરાલંબ છે. ત્યાં કેઈ આલંબન કે સહારાની જરૂર નથી. અધ્યાત્મમાં કઈ આલંબનની અપેક્ષા નથી પરંતુ અધ્યાત્મમાં પહોંચવા માટે આલંબન આવશ્યક છે, સહારો લેધવાને હોય છે. અધ્યાત્મની યાત્રા કરનારાઓએ, મન પર અનુશાસન કરનારાઓએ, આલંબને શોધ્યાં છે. અધ્યાત્મ સાધકોએ વિવિધ આલંબનોનું શરણ લીધું છે. આલંબને વગર ત્યાં પહોંચી નથી શકાતું. આલંબન ખૂબ મહત્વ છે. તેથી તેમણે નાનાં-મોટાં બધાં આલંબનની એક શંખલા બનાવી. જયાચાર્યો આલંબનની એક પૂરી યાદી પ્રસ્તુત કરી છે. નિરાલંબ સુધી પહોંચવામાં જે આલંબનની અપેક્ષા છે, તેમાં સંયમ, તપ, જપ, શીલ, સ્વાધ્યાય, અનિત્ય અનુપ્રેક્ષા, અશરણ અનુપ્રેક્ષા. અનન્ત અનુપ્રેક્ષા અને નિર્મળ ધ્યાન–એ મુખ્ય છે. આ આલંબનનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ સાધક નિરાલંબ સુધી પહોંચી નથી શકતા. અશુદ્ધ આલંબને છોડીને શુદ્ધ આલંબનેને સ્વીકાર કરવો–એ પ્રથમ નિયમ છે. વાસના અશુદ્ધ આલંબન છે. ચેતના શુદ્ધ આલંબન છે. શરીરના બે છેડા છે–એક છે કામનાને અને બીજે છે ચેતનાને. કામના ચેતનાથી ભિન્ન નથી. પરંતુ ત્યાં ચેતના ગૌણ થઈ જાય છે અને કામને મુખ્ય બની જાય છે. તેથી તે કામના કે વાસનાને છેડો છે. ૮૩ Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ બીજો છેડો છે ચેતનાને. યોગશાસ્ત્રમાં શરીરને ચેતનાની દષ્ટિએ બે ભાગમાં વહેંચવામાં આવ્યું છેઃ ૧ નીચેનો ભાગ જે મૂળાધાર કે શક્તિ કેન્દ્ર કહેવાય છે. તે કામના - કે વાસનાનું કેન્દ્ર છે. ૨. ઉપરને ભાગ, મસ્તકનો ભાગ, જ્ઞાન કેન્દ્ર. આ ચેતનાનું કેન્દ્ર છે. : અશુદ્ધ આલંબનેને છોડવા અને શુદ્ધ આલંબને સહારો લેવો એ ધ્યાનની પ્રક્રિયાનું મૂળ છે. એનું તાત્પર્ય છે કે કામ-કેન્દ્ર તરફ પ્રવાહિત થનારી ચેતનાને ઊંચે લઈ જઈને જ્ઞાન કેન્દ્રમાં લાવવી. નીચેના પ્રવાહને બદલીને તેને ઉપર તરફ વાળી દેવો. એ શુદ્ધ આલંબનની સ્વીકૃતિ છે. આ પ્રયત્ન અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રયત્ન છે. આ પ્રયત્નથી. બધી વૃત્તિઓને પરિષ્કાર થાય છે. ચેતનાના ઊધ્વરોહણની પ્રક્રિયા છે—યાન. ચેતના નીચેથી હટીને ઉપર તરફ જાય છે. આ પ્રક્રિયામાં પહેલું આલંબન છે સંયમ. સંયમ વગર ઉપર જઈ શકાતું નથી. આપણે નાભિ પર ધ્યાન દઈએ છીએ, આપણે આનંદ કેન્દ્ર પર ધ્યાન કરીએ છીએ. આ આપણે સંયમ છે. બધી વૃત્તિઓમાંથી ચિત્તને હટાવીને કેઈ એક પુદ્ગલ કે પરમાણુ પર તેને કેન્દ્રિત કરી દેવું સંયમ છે. ધ્યાનમાં ઇન્દ્રિય સંયમ પરમ આવશ્યક તત્ત્વ છે. ધ્યાન કરવા બેસે અને ચારે બાજુ જતું રહે તે ધ્યાન કેવી રીતે થશે? ધ્યાનકાળમાં બાહ્ય કેલાહલને સાંભળવા ઉત્સુક રહીએ તો "કદી થાન થઈ શકતું નથી. ચિત્તને કેન્દ્રિત કરવા માટે ઇન્દ્રિય-સંયમ ખૂબ જરૂરી છે.. બીજ આલંબન છે–તપ. એ પણ ધ્યાન માટે ખૂબ જરૂરી છે. ઓછો આહાર લે, ઓછી ઊંઘ લેવી તપ છે. સાધના કરનાર વ્યક્તિ જ્યાં સુધી આહાર ઓછો નથી કરતી, ઊંધ ઓછી નથી કરતી, ત્યાં સુધી અધ્યાત્મના ક્ષેત્રમાં તે પ્રગતિ નથી કરી શકતી. ઉપવાસ કરવો, ઓછું ખાવું, વારંવાર ન ખાવું એ ખૂબ મોટું આલંબન છે. ઉપવાસની બાબતમાં આજે જેટલી વૈજ્ઞાનિક શોધખોળ થઈ છે પહેલાં ન થઈ હતી. પ્રાચીન સાહિત્યમાં તપસ્યા કરવા પર ઘણે ભાર મૂકવામાં આવતો પરંતુ તેના લાભ-અલાભની વિસ્તૃત ચર્ચા નહિ કરવામાં આવી. આજે એનું વૈજ્ઞાનિક ઢબે નિરૂપણ ઉપલબ્ધ છે. ઉપવાસ ઉપર ८४ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ઘણું બધું સાહિત્ય પ્રાપ્ત છે. ભોજન વિષયક સાહિત્ય પણ પ્રચુર છે. ઓછું ખાવાથી શો લાભ છે અને વધુ ખાવાથી કઈ કઈ બીમારીઓ થાય છે, તેનું સંપૂર્ણ વિવેચન સાહિત્યમાં પ્રાપ્ત છે. : ઉપવાસ કરવો કે ઓછું ખાવું મુશ્કેલ વાત છે. આજને માણસ એટલો ચોરો થઈ ગયો છે કે જે ભોજનમાં મસાલા ઓછા હોય, મીઠું મરચું ઓછું હોય કે ન હોય તે તેને એ ભજન અટપટું હોય એવું લાગે છે. તે માને છે કે આ તે પશુઓનું ભોજન છે. પશુ મસાલા નથી ખાતાં, મીઠું, મરચું પણ નથી ખાતાં. જે સહજ નિષ્પન્ન છે તે જ ખાઈ લે છે. વગર મસાલાનું ભજન, મીઠા મરચા વગરનું ભોજન માણસનું ભેજન નથી. પશુનું ભજન છે આ ભ્રાન્ત વિચાર છે. ” આજે ચિકિત્સાના ક્ષેત્રમાં ભજન સંબંધી અનેક વર્ષના પ્રચલિત છે આજને ડોક્ટર ભજનના વિષયમાં જાગ્રત છે તે પણ અનેક પરેજી પ્રસ્તુત કરે છે. આ નહિ ખાઓ, તે નહિ ખાઓ. ધર્મના ક્ષેત્રમાં જે વર્જનાઓ હતી તે ચિકિત્સાના ક્ષેત્રમાં પણ પ્રચલિત છે. બીજું આલંબન છે–તપ. આ મહત્વપૂર્ણ છે. જોકે વાચિક પ્રયત્ન ઘણું કરે છે. કર્મ કરવા નથી ઈચ્છતા. જે બધી વાતો વાણી માત્રથી જ સિદ્ધ થાત તો માનવીને શ્રમ કરવાની જરૂર જ પડત નહિ. વાણ માત્રથી કશું જ નથી થતું. કશી ફલપ્રાપ્તિ નથી થતી. ' એક અમેરિકન અંતરિક્ષયાત્રી આયલેન્ડ પહોંચ્યો. તે બજારમાં ગયો. એક દુકાનદાર એને ઓળખી ગયો. તેણે પૂછવું ? તમે ચંદ્રની વાત્રા કરી આવ્યા? અમારી પાસે પણ અન્તરિક્ષયાન છે. ખૂબ આશ્ચર્ય સહ અમેરિકન અન્તરિક્ષયાત્રીએ પૂછ્યું: “ક્યાં છે તમારું અન્તરિક્ષયાન? દુકાનદારે કહ્યું: મારી “દુકાનની પાછળ પડયું છે!” પેલાનું આશ્ચર્ય વધ્યું. અંતરિક્ષયાન અને દુકાનની પાછળ? દુકાનદારે કહ્યું : “એવું ઘમંડ ન કરતા કે તમે જ ચાંદની યાત્રા કરી છે. મારા દેશના લેકેએ સૂરજની યાત્રા કરી છે.” તે બોલ્યો : સૂરજ પાસે તે કઈ જઈ નથી શકતું. તેને તાપ એટલો છે કે જનારે દૂરથી જ ભસ્મ થઈ જાય છે. દુકાનદારે કહ્યું કે તમે રહસ્ય નથી જાણતા, અમે દિવસે સૂર્યની યાત્રા નહોતી કરી, રાત્રે કરી હતી. . . . . .. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ માણસ વાતચીત કરવામાં ખૂબ કુશળ છે. તેને વાણીની કુશળતા પ્રાપ્ત છે. તે દરેક વાતને વાણી દ્વારા જ પ્રમાણિત કરવા ઇચ્છે છે, જો વાણી માત્રથી સૂરજની યાત્રા થઈ જતી હેત તે આજે આયલેન્ડના નિવાસી જ નહિ, સમગ્ર સંસારના લેાકા સૂરજથી હજી દૂર અન્તરિક્ષની યાત્રા કરી આવત. કાય` માત્ર વાણીથી નથી થતું, તે થાય છે કથી, પ્રયત્નથી, સમગ્ર શક્તિ એમાં નિયાજિત કરવાની હાય છે. અધ્યાત્મની સાધનાના માર્ગ બિલકુલ સરળ કે સીધા નથી. તેને પ્રાપ્ત કરવા માટે મેાટી તપસ્યા કરવી પડે છે. ત્રીજુ આલંબન છે—જપ, આ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. મહર્ષિ પતંજલિના મત મુજબ જપને અર્થ છે—તર્ નપ: તર્થમાવના —જાપમાં પ્રયુક્ત શબ્દના અથી ભાવિત થઈ જવું. જે શબ્દને જપ કરી રહ્યા છીએ તેના અર્થમાં તન્મય થઈ જવું તે જપ છે. માત્ર શબ્દનું ઉચ્ચારણ પર્યાપ્ત નથી હોતું. શબ્દના અર્થથી પાતાની જાતને ભાવિત કરવી, પ્રભાવિત કરવી, તન્મય કરવી, એકાત્મ કરવી—તે જપ છે. ઘણીવાર એ પ્રશ્ન આવે છે કે અમુક મત્રનેા જપ કરીએ છીએ, નમસ્કાર મહામંત્રને જપ કરીએ છીએ, પરંતુ પરિણામ કશું નથી આવતું. આ એક વાત છે. આપણે એ સારી રીતે જાણી લેવું જોઈએ કે શબ્દના ધ્વનિનું પણ કંઈક પરિણામ હેાય છે. ઉચ્ચારણને પણુ પોતાના પ્રભાવ હાય છે. પ્રભાવ નથી હેાતા એવી વાત નથી. પરંતુ જ્યારે ધ્વનિ સાથે ભાવના જોડાય છે ત્યારે તે પ્રભાવ હજાર ગણા વધારે થઈ જાય છે, જ્યારે શબ્દભાવનાથી ભાવિત યા પુટિત થઈને બહાર આવે છે ત્યારે તદાકાર પરિણામ શરૂ થઈ જાય છે. જપ ખૂબ શક્તિશાળી સાધન છે. મધ્યયુગીન સ ંતાએ એનું આલંબન પ્રચુર માત્રામાં લીધું. આજે પણ ભારતની સાધના પદ્ધતિએમાં ધ્યાન કરતાં જપના પ્રયાગ વધારે ચાલે છે. આજે ધ્યાન ધરવાવાળા આછા છે, જપ કરનાર વધારે, જેટલા પશુ સંત સૌંપ્રદાયના અનુયાયી છે, પછી ભલે તે કબી-૫ થી હાય, રાધાસ્વામી-૫થી હાય કે અન્ય પથને માનનારા હાય તે ખવા જપના જ વધારે પ્રયાગ કરે છે. તઆ જપતે ધણું મહત્ત્વ આપે છે, એ સાચું છે કે જપથી પરમના સા‚િષ્યની અનુભૂતિ થાય છે. સાધકને એ સ્પષ્ટ અનુભવ થવા લાગે છે કે તે જેતેા જપ કરી રહ્યો છે, એની સન્નિધિ એને પ્રાપ્ત છે. તે એ પરમ આત્માની સન્નિધિમાં ખેડે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ આ સતત સ્મૃતિ થવી અથવા સાનિધ્ય થવું પણ ઘણું મહત્વની ઘટના છે. આ વાસ્તવમાં ઘણું મેટું આલંબન છે. જ્યારે જ્યારે આ સાનિધ્ય થાય છે ત્યારે બધી સ્થિતિ બદલાઈ જાય છે. જાપ કરનારાના અનુભવ અમે સાંભળ્યા. એક ભાઈએ કહ્યું કે ભિક્ષ સ્વામીને જાપ કર્યો અને એક દિવસ સાક્ષાત તેમનાં દર્શન થઈ ગયાં. દર્શન જ નહિ તેમની સાથે વાતચીત થઈ. છેડા વખત પર જ વર્ષી તપના પારણુના અવસર પર એક બહેને એક ઘટના સંભળાવી અને તે ઘટનાના સાક્ષી હતા તેના પરિવારના લેકે અને તેને પતિ. તેઓ બિહારમાં રહે છે. એક વખત એક છોકરી બીમાર થઈ ગઈ. અસાધ્ય બીમારી, ડોક્ટર, વૈઘ, બધા નિરાશ થઈ ગયા. ચિકિત્સાનું કેઈ પરિણામ નહિ આવ્યું. છોકરી બેલતી બંધ થઈ ગઈ, નાડી ચાલતી બંધ થઈ ગઈ. હવે લાગી રહ્યું હતું કે છોકરી ડી ક્ષણની જ મહેમાન છે. જાદુ ટોણું કરનારને બોલાવ્યા, મંત્ર જાણનારાઓને યાદ ક્યું પણ કોઈ અસર ન થઈ. આ બહેન ત્યાં પહોંચ્યાં. મરણાસન છોકરીને જોઈ. તે બેહોશ હતી પણ હજુ શ્વાસ લઈ રહી હતી. બહેને તે છોકરીના મસ્તક પર હાથ મૂક્યો અને પિતાના ઈષ્ટદેવ ભિક્ષસ્વામીને જપ શરૂ કરી દીધો. તે જાપમાં તન્મય થઈ ગઈ. થોડા જ વખત પછી તે બહેનના મુખમાંથી ઊંચે અવાજ નીકળે. બીમાર છેકરી પથારીમાંથી ઊઠીને બેસી ગઈ. આળસ મરડીને તે પથારી પરથી નીચે ઊતરી અને ચાલવા લાગી ગઈ. બધા આશ્ચર્યચકિત આ વડે જોતા રહી ગયા. થોડી ક્ષણો પહેલાં જ્યાં મૃત્યુનું નનનૃત્ય દષ્ટિગોચર થઈ રહ્યું હતું ત્યાં થોડી જ ક્ષણમાં જીવનને સંચાર થયો. નિરાશા આશામાં બદલાઈ ગઈ. ઘરના બધા નાચી ઊઠયા. આ વાત સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ લેકેનાં ટોળાં આ આશ્ચર્યને પિતાની આંખો વડે નિહાળવા આવવા લાગ્યાં. ડોકટરો પણ આવ્યા, વૈઘ પણ આવ્યા અને માંત્રિકે પણ તેમણે તે બહેનને પૂછયું : તમે એ ક્યા મંત્ર કુંક્યો કે આ મરણુસન છોકરી જીવિત થઈ ગઈ? અમને પણ એ મંત્ર શિખવાડે. તે બહેને કહ્યું કે મેં તે કશું જ નથી કર્યું. જે કંઈ પણ થયું તે મારા ઈષ્ટદેવના જાપથી થયું છે. જાપ ચમત્કારિક હેાય છે. જ્યારે વ્યક્તિને તે આત્માની સનિધિ મળે છે ત્યારે તેના આત્માનું તેજ, તેની શક્તિ હજાર ગણું થઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ઈબ્રાહીમ ખવાસ ઘણા મોટા સંત હતા. તેઓ તેમના શિષ્ય સાથે યાત્રા કરી રહ્યા હતા. એક જંગલ આવ્યું છેડે દૂર જઈને બને એક સઘન વૃક્ષની નીચે આરામ કરવા બેસી ગયા. સંત ધ્યાનસ્થ થઈ ગયા. શિષ્ય પાસે બેસી ગયો. થોડા સમય પછી એક વાઘ તે જ વૃક્ષની તરફ આવતો દેખાયે, શિષ્ય વિચાર્યું ઃ વાઘ બનેને મારી નાંખશે. ગુરુજી ધ્યાનમાં બેઠા છે, આંખ બંધ છે, તેમણે વાઘને નથી જોયો! શા માટે મરું? મારો બચાવ કરી લઉં. તે તે જ વૃક્ષ પર ચઢી ગયો અને સૌથી ઊંચી ડાળી પર બેસી ગયો. એટલામાં જ વાધ ત્યાં આવી પહોંચે. તેણે સંતની ચારે તરફ ચક્કર લગાવ્યું, સુંબું અને ચાલ્યો ગયો. વાઘને જોતાં જ શિષ્યનું સમગ્ર શરીર કંપી ઊઠયું. તેને કણ કણ ભયથી આક્રાન્ત થઈ ગયો. જ્યારે ભય સમાપ્ત થયો ત્યારે તે ધીરે ધીરે વૃક્ષની નીચે ઊતર્યો. તેટલામાં જ સંતે ધ્યાન પૂર્ણ કર્યું. આંખો ખોલી. સ્વસ્થ થઈને શિષ્યને કહ્યું કે ચાલો, હવે આગળ ચાલી એ. શિષ્ય બોલ્યો : ગુરુદેવ! હમણાં જ અહીં એક વાઘ આવ્યો હતો. સંતે કહ્યું ઃ આવ્યો હશે. શિષ્ય બો : આપને તેણે સ્થા. સંતે કહ્યું ઃ સૂચે હશે. આપની આસપાસ ચક્કર લગાવ્યું. સંત બોલ્યા : લગાવ્યું હશે. શું આપને ભય નથી લાગે? સંત બોલ્યા : નહિ, કોઈ ભય નથી લાગ્યો. તેમણે સહજ ભાવથી ઉત્તર આપ્યો. - તેઓ આગળ વધ્યા. ચાલતાં ચાલતાં સંતને એક મચ્છર કરડ્યો. સંત શરીર ખંજવાળવા લાગ્યા. ત્યાં જ ઊભા રહી ગયા અને શિષ્યને કહ્યું : મરછર કરડયો છે. ગભરામણ થઈ રહી છે. દર્દ પણ થઈ રહ્યું છે. હવે આગળ કેવી રીતે જઈશું? શિષ્ય બોલ્યો : ગુરુદેવ ? આ શી વાત છે? જ્યારે વાઘે તમને સ્થા, આપની ચારે બાજુ ચક્કર લગાવ્યું ત્યારે તે આપને કાંઈ ભય ન લાગ્યો. અને આ એક તુરછ મછર કરડવાથી આ૫ આટલા બધા ડરી ગયા? સંત બોલ્યા : વાત કંઈક આવી જ છે. વાધથી નહિ ડર્યો કેમ કે તે વખતે ભગવાન મારી સાથે હતા અને હવે મચ્છરથી ડરી રહ્યો છું કેમ કે તું મારી સાથે છે. છે જ્યારે પરમ આત્માનું, પરમ શક્તિનું સાન્નિધ્ય પ્રાપ્ત હોય છે. ત્યારે મનુષ્ય બદલાઈ જાય છે. ભય અને વાસના સમાપ્ત થઈ જાય છે. આવેગ અને આવેશ નષ્ટ થઈ જાય છે અને એક નવા જીવનનું નિર્માણ થાય છે. ૮૮ , Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્યારે કેાઈ સાધારણુ આત્માનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે તે તેવો જ બની જાય છે જેવું વાતાવરણ હોય છે. જેવી પ્રકંપન હોય છે તેવી જ પરિણતિ થઈ જાય છે. જ્યારે સાધના પ્રજ્ઞા-પ્રદીપનું સાનિધ્ય હોય છે ત્યારે એક પ્રકારનું વાતાવરણ નિર્મિત થાય છે. જ્યારે નાઈટ ક્લબની સંનિધિ હોય છે ત્યારે બીજા પ્રકારનું વાતાવરણ નિર્માણ થાય છે. પહેલા વાતાવરણમાં ભિન્ન પ્રકારનાં પ્રકંપન થાય છે અને બીજા વાતાવરણમાં ભિન્ન પ્રકારનાં પ્રકંપન થાય છે. પ્રકંપનેનો પ્રભાવ હોય છે, જ્યારે ઉદાત્ત ભાવનાથી પરિપૂર્ણ વ્યક્તિ પાસે બેસીએ છીએ તો નો ઉલ્લાસ મનમાં જગે છે અને જે કઈ ચુગલીખેરને (ચાડિયા) સાનિધ્યમાં તે અકારણે જ મનમાં ઉદાસી છવાઈ જાય છે. સાન્નિધ્યને ઘણો ફરક હોય છે. જપનો અર્થ માત્ર શબ્દનું ઉચ્ચારણ માત્ર નથી. જપને અર્થ થાય છે–શબ્દના ઉચ્ચારણના માધ્યમથી કોઈ પરમ શક્તિની સનિધિ પ્રાપ્ત કરી લેવી. ચેથું આલંબન છે– શીલ. વ્રતનું ઓછું મૂલ્ય નથી. લેકે વ્રતોનાં મૂલ્યોને નથી જાણતા. જે સંકટ અને આપત્તિઓ મેટાં-મોટાં સાધનોથી ટળતાં નથી તે ક્તની આરાધનાથી દૂર થાય છે. વ્રત છે– સંકલ્પની શક્તિના વિકાસ. જ્યારે મનુષ્યનું નિશ્ચયબળ દૃઢ હોય છે, સંક૯૫ની શક્તિ જાગી જાય છે ત્યારે બીજી બધી શક્તિઓ તેની સમક્ષ નિરસ્ત થઈ જાય છે. સંકલ્પ શક્તિને સહારે વ્યક્તિ પૂર્ણ નિર્ભય અને નિશ્ચિત થઈ જાય છે. તેને પ્રેતનું નડતર કે અન્ય પ્રાકૃતિક મુશ્કેલીઓ નથી સતાવતી. જેનામાં વ્રતની શક્તિ છે તે અજેય છે. કઈ પણ એને પરાજિત નથી કરી શકતું. કોઈ પણ તેને ડરાવી નથી શકતું. સિકંદર ભારતથી પોતાના દેશ પાછો ફરી રહ્યો હતો. તેના મનમાં એક આકાંક્ષા બાકી રહી ગઈ. તે ઈચ્છતો હતો કે ભારતીય મહાત્માઓને પિતાને દેશ લઈ જાઉં. તે એક મહાતમા પાસે ગયો અને હાથ જોડીને બોલ્યો : મારા દેશમાં ચાલે. ત્યાં આપને બધી સુવિધાઓ આપીશ. સંતે કહ્યું : હું નહિ જઈશ. સિકંદરે કહ્યું? મહાત્મના સમ્રાટ સિકંદર સ્વયં આપને લેવા આવ્યો છે. આપ ચાલે. - સંતે કહ્યું કે મારે શી લેવાદેવા છે સમ્રાટ સિકંદર જડે. હું નહિ જઈશ. Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ સિકંદરે કહ્યું: સમ્રાટની આજ્ઞા છે, આપે જવું જ પડશે. સંતે કહ્યું કે કદી નહિ જઈશ. સિકંદર ઃ નહિ જવાનું પરિણામ શું આવશે, આપ જાણે છે? સંત ? નથી જાણતા. સિકંદર ઃ આજ્ઞાનું પાલન ન કરશે તે મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. મસ્તક અને ધડ અલગ-અલગ થઈ જશે. સંત : એની મને કઈ પરવાહ નથી. મતથી હું નથી ડરતે. મારી પિતાની સ્વતંત્રતા છે. મારે નિશ્ચય છે કે હું ભારતને છોડી કદી નહિ જઈશ. સમ્રાટે મહાત્માની વાત સાંભળી, દઢ નિશ્ચય આગળ તે ઝૂકી ગયો. સમ્રાટની અંતિમ શક્તિ છે કેઈને મારી નાખવો. એનાથી આગળ તે કશું નથી કરી શકતા. જે વ્યક્તિ મરવા માટે તૈયાર છે ત્યાં સમ્રાટ બિચારે શું કરી શકે ? વિશ્વવિજયી સમ્રાટ સિકંદર એક ફકીર આગળ હારી ગયો, પરાજિત થઈ ગયો. તે હારેલો તે હતા જ. વિજયનું બધું જ શ્રેય ભયને મળે છે. જે આપણી દુનિયામાં ભય ન હોય તો કોઈ કોઈને છતી નથી શકતે. ભય મુખ્ય છે, એક છે ડરાવનાર અને બીજે છેડરનાર. ડરાવનાર જીતી જાય છે, ડરનાર હારી જાય છે. જે મનમાંથી ભય સમાપ્ત થઈ જાય તો કઈ શક્તિ નથી, કેઈ સત્તા મળી તેને પરાજિત કરી શકે. સમ્રાટ સિકંદર એક અપરાધીની જેમ મહાત્મા સમક્ષ ઊભો છે. તે મૌન છે. ડી ક્ષણે પછી તેણે વિનંતીના સ્વરમાં કહ્યું ! : મહાત્મન ! શું હું આપની બીજી કોઈ સેવા કરી શકું છું? આપ મારી સાથે ન આવો પરંતુ બીજી કઈ સેવાને અવસર મને આપે. સંત બોલ્યા : કઈ સેવા નથી, હું ખુલ્લા તડકાનું સેવન કરવા ઈચ્છું છું. તમે તેને રોકી રહ્યા છે. જરા હટી જાઓ, તડકે આવવા દે. જે સૂર્ય પ્રકાશ, સૂર્યને તાપ મારા શરીરને પવિત્ર બનાવી રહ્યો છે, તમે વચ્ચે ઊભા રહીને તેના આગમનમાં વિનરૂપ બની ગયા. બસ, મારી સેવા એ જ હશે કે તમે અહીંથી ચાલ્યા જાઓ, હટી જાઓ. આ છે વ્રતની શક્તિ. આ છે સંકલ્પશકિતને વિકાસ જે વ્યક્તિમાં સંકલ્પશક્તિને વિકાસ થઈ જાય છે તેને કોઈ પરાજિત નથી કરી શક્ત. તે સર્વથા અજેય બની જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વ્રતનું ઘણું મોટું મહત્ત્વ છે. લાકાએ વ્રતને રૂઢિ માની લીધી છે. વ્રત રૂઢિ નથી, આ જીવનના પ્રયાગ છે. વ્યક્તિએ એ વ્રત લીધું કે આજે હું મીઠું નહિ ખાઈશ કે ખાંડ નહિ ખાઈશ. એ રૂઢિ કેવી રીતે હેાઈ શકે? આ તા પ્રયાગ છે. વ્યક્તિ જાણવા ઇચ્છે છે કે મીઠું ન ખાવાનું શું પરિણામ આવે છે? ખાંડ ન ખાવાનું પરિણામ શું આવે છે? આપણી પાસે હજી સુધી એટલું સવેદનશીલ ઉપકરણુ નથી જે એના લેખા-જોખા પ્રસ્તુત કરી શકે. આપણી પાસે તે વૈજ્ઞાનિક ઉપકરણ નથી જેનાથી પ્રત્યક્ષતઃ અનુમાપન કરી શકાય કે આજે મીઠું કે ખાંડ ન ખાવાથી શરીરની રકત પ્રક્રિયામાં શું પરિણામ આવ્યું? શરીર પર તેને કેવા પ્રભાવ પડ્યો ? વૈજ્ઞાનિકાએ પ્રયાગ કરીને પરિણામ જાણ્યું છે. ઉંદરાના બે વર્ગ મનાવ્યા. એક વર્ગને મીઠું આપવામાં આવ્યુ અને ખીન્ન વર્ગને મીઠું આપવામાં નહિ આવ્યું. પરિણામ એ આવ્યું કે જે ઉંદરાને મીઠું ખવડાવવમાં આવ્યું. તેમનું લેાહીનું દબાણુ વધી ગયુ. અને તેઓ જલદી મરી ગયા, જે ઉંદરાને મીઠું નહિ ખવડાવ્યું હતું તેમનું લે! હીનું દબાણુ સ ંતુલિત રહ્યું અને તેએ લાંબા સમય સુધી જીવતા રહ્યા. આજે પાષણશાસ્ત્ર અને ભેાજનશાસ્ત્ર મુજબ એ પ્રમાણિત થાય છે કે સાડિયમને જેટલે પ્રયાગ થાય છે તેટલુ જ પોટેશિયમ આછુ થવા લાગે છે. પોટેશિયમ ઓછુ થવાતા અર્થ છે—જીવનની શક્તિ આછી થવા લાગવી. આપણી જીવનની શક્તિ માટે, કાશિકા માટે પોટેશિયમની માત્રા હાવી ખૂબ જરૂરી હેાય છે અને પોટેશિયમ આ મીઠાને કારણે વધારે વહી જાય છે. જો આપણી પાસે આ બધાં ઉપકરણ હાય તા પ્રત્યેક વાત ને પ્રમાણિત કરી શકાય છે. વ્રત ઘણુ મેાટુ. આલંબન છે આપણે તેનું આછુ.. મૂલ્યાંકન ન કરીએ. રૂઢિને છેડી દઈએ. હું રૂઢિનું સમર્થન નથી કરી રહ્યો. આપણે માયેાગિક દૃષ્ટિએ વ્રતનું મૂલ્યાંકન કરીએ. આપણે એ સમજીએ કે જેટલાં વ્રત છે ત બધાં પ્રાયોગિક છે. એકાદશીનું વ્રત ચાલ્યું હતું; ધણું પ્રાયોગિક હતું. અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાસનું વ્રત ચાલ્યું હતું, બહુ પ્રાયેાગિક હતું. જૈન શ્રાવકા પૂર્ણિમા, ચતુર્દશી, અમાસ વગેરે પર્વના દિવસે મેલા કરતા. બે દિવસના ઉપવાસ કરતા. એ દિવસ ધ્યાનમાં Jain Educationa International ૯૧ For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ વીતાવતા. શા માટે વિતાવતા, એની વૈજ્ઞાનિક વ્યાખ્યા તે વખતે જ્ઞાત ન હતી. આજે એની વૈજ્ઞાનિક વ્યાખ્યા ખૂબ સ્પષ્ટ થઈ ચૂકી છે. ચૌદસ અને પૂર્ણિમા તથા ચૌદસ અને અમાસ—આ ચાર દિવસ માનસિક દષ્ટિએ ખૂબ ખતરનાક હોય છે. આપણા શરીરમાં એંસી ટકા પાણી હોય છે. જેમ ચન્દ્રમાં સમુદ્રના પાણીને પ્રભાવિત કરે છે, તેમાં ભરતીઓટ આવે છે, તેવી જ રીતે પાણીના ભાગની અધિકતાના કારણે ચંદ્રમા આપણા મનને પણ પ્રભાવિત કરે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચંદ્રમાનો સંબંધ મનથી અને મનનો સંબંધ ચન્દ્રમાં સાથે છે. ચન્દ્રમાં સમુદ્રના પાણીને પણ પ્રભાવિત કરે છે અને આપણું શરીરમાં થતા પાણીના અંશ અને મનને પણ પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકે, સર્વેક્ષણ કરીને એ નિર્ણય પર પહોંચ્યા છે કે જેટલા અપરાધ આ દિવસોમાં થાય છે, તેટલા અન્ય દિવસોમાં નથી થતા. તેથી ચૌદસ અને પૂણિમા તથા ચૌદસ અને અમાસ—આ દિવસો ધ્યાનમાં, સ્વાધ્યાયમાં અને તપમાં વીતાવવા જોઈએ. આ પરંપરા ચાલુ થઈ ગઈ. આજે આ તથ્યને વિસ્તૃત કરીને એને રૂઢિ માની લેવામાં આવી. આજે ઘણું લેકે પૂછે છે, ચૌદસે ઉપવાસ કરવામાં આવે છે, બિચારી તેરસે શું બગાડયું ? અષ્ટમીએ અમુક વસ્તુ ન ખવાય, આયંબિલ કરવામાં આવે, તે બિચારી સપ્તમીએ શું બગાડયું? અજબ પ્રશ્ન છે. જ્યારે જ્યારે અર્થની વિસ્મૃતિ થાય છે ત્યારે ત્યારે અનેક પ્રકારના પ્રશ્ન કે તર્ક ઉત્પન્ન થાય છે. આજના વૈજ્ઞાનિક યુગ હજારો વિસ્મૃત અર્થોને વૈજ્ઞાનિક પ્રયોગ અને પરીક્ષણ દ્વારા સિદ્ધ કરી રહ્યો છે તે બધાની સાર્થકતા અને અર્થવત્તાને તે પ્રમાણિત કરી રહ્યો છે. - પાંચમું આલંબન છે–સ્વાધ્યાય. જયાચાયે પિતાના ગ્રંથ ચોવીસીમાં જિનવાણી પર ઘણે ભાર મૂક્યો છેઆપશ્રીએ લખ્યું છેઃ પ્રભુ ! આપની ઉપશમ રસથી પરિપૂર્ણ વાણી સાંભળવા માત્રથી જ મનુષ્યનું દિલ બદલાઈ જાય છે. છઠું આલંબન છે–ધ્યાન. આ નિર્મળ ચૈતન્ય, નિર્મળ ચેતનાના અનુભવને માર્ગ છે. આ બધાં શુદ્ધ આલંબન છે. એના સહારે વ્યકિત પરમ આત્મા સુધી પહોંચી જાય છે. જે આલંબન ન હોય તો નિરાલંબ સુધી પહોંચી નથી શકાતું. પરમ આત્મા નિરાલંબ છે. પ્રાચીન આચાર્યોએ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક સમસ્યાના ઉકેલ માટે આલ બન પ્રસ્તુત કર્યા. આગળ વધવા માટે સહારે જોઈએ છે. કહેવાય છે-નિરાતની 7 મતે, gfreતા વનિતા તા: ' ત્રણ વસ્તુઓ નિરાલંબ થઈને શોભતી નથી–પંડિત, સ્ત્રી અને લતા. પંડિત નિરાલંબ થઈને જીવનયાપન નથી કરી શકતો, પંડિત કમાઈ નથી શકતો. જે તે કમાવા લાગી જાય તો વિદ્યાનું અધ્યયન નથી કરી શકતો. વિદ્યાનું અધ્યયન ચાલુ રાખે તો કમાવામાં સમય નથી આપી શકતો. તેનું પેટ ખાલી રહેશે. આ મુશ્કેલીને ઉકેલ રાજાઓએ આણ્યો. તેમણે પંડિતને રાજ્યાશ્રય આપીને જીવન યાપનનું એક પુષ્ટ આલંબન પ્રસ્તુત કર્યું. આ આલંબનને લીધે પંડિતોએ વિદ્યાઓને પૂરત વિકાસ કર્યો. સ્ત્રી દુર્બળ હોય છે. તેને આલંબનની ખૂબ જ અપેક્ષા હોય છે. આલંબન વગર તે જીવી નથી શકતી. પ્રાચીનકાળની અર્થશાસ્ત્રીય વ્યવસ્થામાં સ્ત્રીઓને અર્થોપાર્જન કરવાનો અધિકાર ન હતો. તેનું ભરણ પિષણ બીજા પર નિર્ભર રહેતું હોય છે. બીજી વાત છે. સ્ત્રીઓ ભીર હોય છે. તેમને ખતરો પણ વધારે હોય છે. પુરુષને તેટલે ખતરો નથી હેત એટલે સ્ત્રીને હોય છે. તેને સહારાની અત્યંત આવશ્યકતા હોય છે. લતા જાતે ઉપર નથી જઈ શકતી. તેને સહારે જોઈએ. સહારે મળતાં જ તે ઉપર ચઢી જાય છે. આપણી ચેતનાને પણ ઊર્ધ્વરેહણ કરવા માટે આલંબન અપેક્ષિત હોય છે. સંયમ, તપ વગેરે આલંબન છે. તેનો સહારો લઈને ચેતનાને પ્રવાહ ઉદર્વગામી થઈ જાય છે. જયાચાર્યો આલંબનની ખૂબ જ સરસ ચર્ચા પ્રસ્તુત કરી છે. જે સ્થિતિમાં જે આલંબનની આવશ્યકતા હોય છે, તેની ચર્ચા તેમણે કરી છે. ચોવીસ સ્તવમાં યત્રતત્ર અનેક આલંબન ચર્ચિત થયા છે. એક પ્રસંગ છે. મંત્રી મુનિ મગનલાલજી સહારો લીધા વગર જ બેસતા હતા. ઘડપણ હતું, તોપણ તેઓ ટેકે નહિ લેતા. એકવાર આચાર્યશ્રીએ કહ્યું : આપના શરીરમાં તકલીફ છે. આપ ભીંતનો સહારો લેતા રહો. તેમણે તરત જ કહ્યું : એક આપને સહારો લીધો છે પછી બીજા સહારાની શી આવશ્યકતા છે? એક સહારે જ પૂરત છે. હું Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ બાજુમાં જ બેઠા હતા. મેં સાંભળ્યું અને તેમના સહજ ઉત્તરથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયે. આલંબન અનેક છે. જે વ્યક્તિ એક મોટું આલંબન લઈ લે છે તે નાનાં-નાનાં સેંકડો આલંબન જાતે જ આવવા લાગે છે. સૈાથી મોટું આલંબન છે–વીતરાગ-ભાવને અનુભવ, શુદ્ધ ચૈતન્યને અનુભવ. જ્યારે આપણે પ્રેક્ષા-ધ્યાનની પદ્ધતિના માધ્યમ વડે શરીરના કણ કણમાં ચૈતન્યને અનુભવ કરવા લાગીએ છીએ; પ્રત્યેક કેશિકામાં ચૈતન્યને અનુભવ થવા લાગે છે ત્યારે સમગ્ર પ્રાણુધારા ચેતનાની દિશામાં પ્રવાહિત થવા લાગી જાય છે. તે સમયે આપણું શરીરનાં બધાં રસાયણો, શરીરને વિદ્યુતપ્રવાહ-એ બધા ચેતન્યની, અનુભવની દિશામાં વ્યાપ્ત થઈ જાય છે. સંલગ્ન થઈ જાય છે. તે વખતે આપણને અનુપમ અનુભવ પ્રાપ્ત થાય છે. એવી સ્થિતિમાં આહાર-સંયમ, ઇન્દ્રિય-સંયમ વગેરે સ્વયં ઘટિત થાય છે. તપ, શીલ, સ્વાધ્યાય, અને ધ્યાન–આ બધી ઘટનાઓ સહજ ભાવથી ઘટિત થવા લાગી જાય છે. આપણી સાધનાનું આદિબિન્દુ છે ચેતન્યને અનુભવ અને ચરમબિંદુ છે ચેતન્ય અનુભવ. આપણું સંપૂર્ણ યાત્રા ચૈતન્યના અનુભવની યાત્રા છે. આ યાત્રાનો પ્રારંભ આપણે ચૈતન્યના અનુભવથી કરીએ અને યાત્રાની સંપૂર્ણતા પણ ચૈતન્યના અનુભવની સાથે જ કરીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૭ જીવન-દર્શન Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન . 9 २ ३ ४ સ કૃતિકા राग रहित शिव सुख सूं प्रीत, कर्म हर्णे बलि द्वेष रहीत । प्रभु नेम स्वामी! तूं जगनाथ अंतरजामी ॥ संगम दुख दिया आकरा पिण, सुप्रसन्न निजर जग उद्धार हुवै मो थकी रे, ए डूबे इण लोक अनारज बहु किया रे, उपसर्ग विविध में हरष ध्यान सुधारस लीनता जिन मन इन्द्र थकी अधिका ओपै, करुणागर कदेय नहीं कोपै । वर साकर दूध जिसी वाणी, प्रभु वासुपूज्य भजलै प्राणी ॥ ५ शुकल ध्यानामृत रस लीना, संवेगे रसे कर जिन भींना । प्याला प्रमु उपशम ना पीना, अहो प्रभु परम देव प्यारा ॥ ( चौबीसी २२ / ५ : २४/२, ३; १२/४; १५/२ ) D શિબિર-સાધના અલ્પકાલિક વિશ્રામ છે કે એનાથી વિશેષ? D સાધનાનું લક્ષ્ય છે—જીવન દૃષ્ટિનું પરિવર્તન, વિશ્રામ અને સ્વાસ્થ્યલાભ—એ ગૌણ પ્રશ્ન છે. n મૂર્છા તૂટતાં જાગૃતિના વિકાસ m સાધનાને અ છે: m જનહાનિ વગર યુદ્ધ સમાપ્ત થઈ ગયું. D નિમિત્ત અને ઉપાદાન નેનુ પરિવત ન D બધા મનુષ્યા દાર્શનિક છે. » ઉપાદાનને અનુભવ Jain Educationa International दयाल । काल ॥ प्रकार । अपार ॥ મસ્તિષ્ક પર નિયંત્રણ વિદ્યુત્ પ્રવાહ અને રસાયણા પર નિયંત્રણ સ્વરસની અનુભૂતિ ૯૬ ખેલવાના એક માત્ર ઉપાય છે—ચૈતન્યતા For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ જીવન-દર્શન ધ્યાનનું પ્રજન બધા જ સાધકે દસ દિવસના શિબિરમાં ભાગ લેવા ધ્યાનને અભ્યાસ કરવા માટે આવ્યા છે. એકાન્ત અને સ્વચ્છ વાતાવરણ છે. બધાનું મન પ્રસન્ન છે. સારું લાગી રહ્યું છે. દસ દિવસ પછી ઘરે જશે. ત્યાં ઘરનું વાતાવરણ, સમાજનું વાતાવરણ રહેશે. ત્યાં તે જ સ્પર્ધા, તે જ હેડ, તે જ આવેશ અને આવેગ. તે જ તાણ અને માનસિક અશાંતિથી આપ ઘેરાઈ જશો. તે શું દસ દિવસના શિબિરને માત્ર વિરામ કે વિશ્રામ માનીએ? શું એનાથી વધુ કશું જ નહિ? આ સહજ જિજ્ઞાસા હોય છે. આ એક વિરામ છે, આરામ કરવાનું એક સ્થાન છે. એકાન્ત વાતાવરણમાં ચિંતાઓથી મુક્તિ મળે છે. સ્વાશ્ય પણ સુધરે છે–જો આટલું જ એનું મૂલ્ય છે તે આ એક વિશ્રામાલય કે ચિકિત્સાલય હશે, એનાથી વધુ નહિ. પરંતુ ધ્યાનનું લક્ષ્ય બીજુ છે. તે છે જીવનની દૃષ્ટિનું પરિવર્તન. ધ્યાનથી વિશ્રામ મળે છે. સ્વારશ્ય સુધરે છે–આ બહુ ગૌણ વાત છે, મુખ્ય નથી. ધ્યાનનું મૂળ પ્રયોજન છે કે જીવનની દષ્ટિ બદલાઈ જાય. જીવનદર્શનના બે પ્રકાર આજે સૌથી મોટી મુશ્કેલી એ છે કે જીવન પ્રત્યેને આપણે દષ્ટિકોણ નથી બદલાતે જ્યારે દષ્ટિ બદલાય છે ત્યારે સર્વ કાંઈ બદલાઈ જાય છે. જ્યારે દષ્ટિ નથી બદલાતી ત્યારે કશું નથી બદલાતું. સમાજ અને વ્યક્તિ સમક્ષ એક પ્રકારનું જીવન-દર્શન છે. તે જીવન-દર્શનથી ફલિત થાય છે–દેધ, ક્રૂરતા, ઈર્ષ્યા, સ્પર્ધા, કેઈકવાર હર્ષ, ક્યારેક શક. કેઈકવાર કંઈક અને કેઈકવાર કંઈક. ત્યાં વિવિધ પ્રકારની અવસ્થાઓનો અનુભવ થાય છે. તેમાં વ્યક્તિ પિતાના રસને અનુભવ નથી કરતા, માત્ર પારકા રસને–પદાર્થના રસનો જ અનુભવ કરે છે. આ એક પ્રકારનું જીવન દર્શન છે. એનાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ધ્યાન દષ્ટિ–પરિવર્તનનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. તેના દ્વારા એક જુદા જ પ્રકારનું જીવન-દર્શન સામે પ્રસ્તુત થાય છે. તે જીવન-દર્શનમાં કરુણને વિકાસ થાય છે. ક્રોધ નથી આવતો, ક્ષમાનો પ્રાદુર્ભાવ થાય છે. 'મ- ૭ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ કરુણાની ફલશ્રુતિ જયાચાર્ય તીર્થકર વાસુપૂજ્યની સ્તુતિમાં લખ્યું છે : “પ્રભુ! આ૫ કરુણાના સાગર છે. આપની કરુણાએ ક્રોધના સ્ત્રોતને જ સૂકવી નાંખે છે. ક્રોધ ત્યારે, આવે છે જ્યારે કરુણાની ખોટ હોય છે. ઉત્તેજના અને આવેશનું કારણ પણ કરુણાની ન્યૂનતા છે. કરુણું જ્યારે અસીમ બની જાય છે ત્યારે ક્રોધ માટે કેઈ અવકાશ જ નથી રહેતું. કરૂણાનો વિકાસ સમ્યક્ દષ્ટિને વિકાસ છે. કરુણાનો વિકાસ વ્રતને વિકાસ છે. કરુણાને વિકાસ અપ્રમાદને વિકાસ છે. કરુણાનો વિકાસ અકષાયને વિકાસ છે, વીતરાગતાને વિકાસ છે. જ્યારે કરુણાનો અતિરેક થાય છે જીવનમાં ત્યારે વ્યક્તિ સહજ જ સુન્દર બની જાય છે. તેને ચામડીની સુંદરતા નહિ, તરંગોની સુંદરતા ઉપલબ્ધ થાય છે. તેનું આભામંડળ એટલું સુંદર બની જાય છે કે પાસે આવનાર પ્રત્યેક વ્યક્તિ અપૂર્વ આનંદ અને પ્રમોદનો અનુભવ કરે છે. વાણીની મધુરતા સ્વતઃ ફલિત થઈ જાય છે. વાણીમાં કેધ દ્વારા કટુતા આવે છે. જ્યારે કરુણાને વિકાસ થાય છે ત્યારે વાણી મીઠી બની જાય છે. તેની મધુરતા બધાને આકર્ષિત કરે છે. વાણી જ નહિ, જીવનનું સમગ્ર વાતાવરણ મધુર બની જાય છે. હમણુને એક પ્રસંગ રજૂ કર્યું. આ પ્રસંગ હમણાં જ બન્યો છે. આ કલ્પના નહિ, યથાર્થ છે. કોધના પરમાણુ કડવા : કરુણના પરમાણુ મીઠા મુંબઈના એક સંભ્રાન્ત વ્યક્તિ છે—જેઠાભાઈ ઝવેરી. તેમની પુત્રીનું નામ છે આશા. તે એક રેલવે અફસરનાં પત્ની છે. એકવાર તે આવીને બોલ્યાં : મહારાજ! ક્રોધથી ખૂબ પીડિત છું, ક્રોધને કારણે ઘરનું સમગ્ર વાતાવરણ નિરંતર વિષાક્ત રહે છે. ન તો હું શાંતિથી રહી શકતી અને ન તે ઘરનો કેઈ સભ્ય શાંતિનો અનુભવ કરતે. બાળમાં પણ ચિડિયાપણું આવવાનું શરૂ થઈ ગયું છે. એ બધાનું કારણ હું પિતાને માનું છું. હવે હું આ પિશાચથી છુટકારો પ્રાપ્ત કરવા ઈચ્છું છું. કોઈ ઉપાય બતાવે. મેં તેને ઉપાય બતાવ્યો, તમે ભ્રકુટિ વચ્ચે પૂર્ણ ચન્દ્રમાનું ધ્યાન કરે. આ ક્રમ નિરંતર ત્રણ મહિના સુધી ચાલતું રહે. ગુસ્સો એ છે થઈ જશે. ૯૮ Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ તેણે પૂર્ણ અધ્યવસાય સાથે પ્રયોગ કર્યો. બીજી વાર ત આવી. તેનું મન પ્રસન્ન હતું. તેણે કહ્યું મહારાજમારે ક્રોધ પૂરતી માત્રામાં શાન્ત થઈ ગયો છે. ઘરનું વાતાવરણ ધીરે ધીરે વળાંક લઈ રહ્યું છે. મહારાજ, એક વિચિત્ર વાત હું આપને બતાવું, મારા પતિ ખાવાની બાબતમાં શેખીન છે. હું તેને સંતુષ્ટ કરવા હમેશાં તત્પર રહું છું. અનેક પ્રકારનાં ભોજન બનાવું છું, પરંતુ આજ સુધી ત માં પ્રસન્ન નથી થયા. રોજ ભેજનની નિંદા કરે છે અને સાથે સાથે કહે છે : આશા, તને ભોજન બનાવતા આવડતું નથી. અત્યાર સુધીમાં તેં કદી સ્વાદિષ્ટ ભોજન નથી ખવડાવ્યું. હું પરેશાન હતી. હમણાં થોડા દિવસ પહેલાં તેમણે કહ્યું ઃ આશા! શું થઈ ગયું ? આજકાલ જે કાંઈ પણ તું બનાવે છે તે સ્વાદિષ્ટ લાગે છે. સારું ભેજન બનાવે છે. શું આજકાલ તે પાકશાસ્ત્રને અભ્યાસ કર્યો છે! હું કાંઈ બોલી નહિ. હું મનમાં ને મનમાં પ્રસન્ન થઈ રહી હતી. મહારાજ! આનું કારણ હું આજ સુધી સમજી શકી નથી. આપ કંઈક સમજાવો. મેં તેની રામ-કહાની સાંભળી. મેં કહ્યું ઃ આશાબહેન, પહેલાં તમે ભજનની સાથે સાથે ક્રોધના પરમાણુ પણ પીરસતાં હતાં. ક્રોધના પરમાણુ કડવા હોય છે. હવે તમે ક્રોધથી છુટકારો પ્રાપ્ત કરી ચૂક્યાં છે. હવે તમે જે પીરસો છે. તેની સાથે કરુણાના પરમાણુ પણ પીરસો છે. કરુણાના પરમાણુ મીઠા હોય છે. વિકિરણને પ્રભાવ આપણું ચિતમાંથી નીકળતા ભાવ તરંગોને અને તેના પરમાણુ એને એટલે પ્રભાવ હોય છે કે આપણે સમજી નથી શકતા. સમગ્ર પરિપાર્શ્વ તેનાથી પ્રભાવિત થાય છે. એક વ્યક્તિની સનિધિમાં જઈએ છીએ. મન આનંદથી ઓતપ્રોત થઈ જાય છે, અને એક વ્યક્તિની પાસે બેસતાં જ મન સુબ્ધ થઈ જાય છે, આકાશમાંથી દુઃખ વરસી પડે છે. એવું એટલા માટે થાય છે કે પ્રત્યેક વ્યક્તિમાંથી ભિન્ન-ભિન્ન પરમાણુએનું વિકિરણ થાય છે. તે વિકિરણ નિરંતર ચાલતું રહે છે. ક્ષણભર માટે પણ અટકી નથી શકતું. જે વ્યક્તિ અક્રોધ બની ગઈ. જેનામાં ક્રોધ લેશ પણ નથી બચે તે વ્યક્તિના પરમાણુ કરુણાનું વિકિરણ કરતા રહે છે. તેનાથી આભામંડળ સુંદર સ્વચ્છ બને છે. તે વ્યક્તિની પ્રત્યેક પ્રવૃત્તિમાં મધુરતા અને નિર્મળતી આવી જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ જયાચાર્યે લખ્યું: પ્રભુ! આપ અક્રોધ બની ગયા. આપનામાં ક્રોધનું અસ્તિત્વ જ નથી રહ્યું. તેથી આમ એટલા સુંદર બની ગયા કે ઈન્દ્ર પણ આપની તુલનામાં સુંદર નથી. ઇન્દ્રની સુંદરતા ચામડીની સુંદરતા બની શકે છે. ઇન્દ્રની સુંદરતા રંગની સુંદરતા હોઈ શકે છે. પરંતુ બીજી વ્યક્તિના મનને પ્રભાવિત કરનાર, તેને શાંતિ આપનાર સુંદરતા ઇન્દ્ર પાસે નથી. તે આપની પાસે છે. આપની વાણીમાં એટલી મીઠાશ આવી ગઈ અને એ માટે આવી ગઈ કે ક્રોધને કારણે જે કટુતા બહાર નીકળતી હતી, તે બધી સમાપ્ત થઈ ગઈ. કેવળ કરણ, કેવળ સુંદરતા અને કેવળ મધુરતા જ આપની ચારે બાજુ વેરાયેલી છે. • જ્યારે આપણું જીવન દર્શન બદલાય છે, ત્યારે આપણે આ સચ્ચાઈને સમજીએ છીએ, કે ક્રોધને કારણે કેવળ ઘરનું વાતાવરણ જ નથી બગડતું. કંકાસ, ઝઘડે અને સંઘર્ષ જ નથી થતો. પરંતુ ઘરનું સમગ્ર વાતાવરણ પ્રદૂષિત થાય છે. વાસ્તવિક પ્રદૂષણ શું છે? પ્રદૂષણ આજની યુગીન સમસ્યા છે અને આજે આ સમસ્યા એટલી મોટી બની ગઈ છે કે તેનાથી નાનાં-મોટાં બધાં રાષ્ટ્ર ચિંતિત છે. ચારે બાજુ પોલ્યુશન જ પોલ્યુશન છે. સમગ્ર વાયુમંડળ દૂષિત છે. માનવીને શુદ્ધ પ્રાણવાયુ પણ નથી મળતું. વાયુ પ્રદૂષિત છે. પાણી પ્રદૂષિત છે. એનું કારણ છે આજનાં યંત્ર અને કારખાનાંઓ, યાન-વાહન વગેરે. આ ગંભીર સમસ્યા છે, પરંતુ એનાથી પણ ગંભીરતમ સમસ્યા છે. ફોધના પ્રદૂષણની–બાહ્ય પદાર્થોથી થનાર પ્રદૂષણની વાત બધાને સમજમાં આવી રહી છે. પરંતુ મનુષ્યને આંતરિક દોષોથી ઉત્પન્ન પ્રદૂષણની વાતને ગંભીરતાથી લેવામાં નથી આવી રહી. ક્રોધ, કલહ અને સંધર્ષથી વિકિરણ થનાર પરમાણુ વાયુમંડળને કેટલું પ્રદૂષિત બનાવે છે. બાહ્ય પ્રદૂષણને અટકાવવા માટે ઉપાય શોધવામાં આવી રહ્યા છે અને આ પ્રયત્ન તીવ્રતાથી થઈ રહ્યા છે કે વાયુમંડળને શુદ્ધ કરી શકાય, પ્રદૂષણ ન આવે. પરંતુ મનુષ્યની શુદ્ધિને ઉપાય શોધવામાં નથી આવી રહ્યો. આ ખૂબ આશ્ચર્યની વાત છે. અખંડિતતા કેવી રીતે? - જ્યારે જીવન-દર્શન બદલાય છે ત્યારે આ સચ્ચાઈ સ્પષ્ટ રીતે સમજમાં આવી જાય છે. વ્યક્તિ આ સત્યને પકડી લે છે કે ક્રોધ, ઉત્તેજના, Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ આવેગ અને આવેશ દ્વારા માત્ર પરિવારનું નહિ, માત્ર સમાજનું નહિ પરંતુ સમગ્ર માનવ જાતિનું, સમગ્ર સ`સારના વાયુમંડળનું પ્રદૂષણું ઘટિત થાય છે અને સમગ્ર વાયુમંડળ વિષાક્ત પરમાણુઓથી આક્રાન્ત થઈ જાય છે. જીવન દૃષ્ટિ બદલાઈ જાય છે ત્યારે હું અને પ્રસન્નતા અખંડ બની જાય છે. આજના મનુષ્યની સ્થિતિ તે એ છે કે તે ક્ષણમાં પ્રસન્ન થાય છે અને ક્ષણમાં અપ્રસન્ન. એક ક્ષણમાં હ તા ખીજી ક્ષણમાં શાક. તે ખીજાના હાથનું રમકડુંક પણ બની બેઠા છે, ખીન જ્યારે ઇચ્છે ત્યારે તેને હમાં લાવી શકે છે અને જ્યારે ઇચ્છે ત્યારે તેને વિષ્ણુ કરી શકે છે, એક માણસ પ્રસન્ન લાગે છે. તે ખૂબ આનંદિત છે. જો તમે ઇચ્છો કે તેને દુ:ખી કરવા છે. તા તમારે વધારે પ્રયત્ન કરવાની જરૂરિયાત નહિ રહેશે. બે-ચાર અપશબ્દ કહે! અને તે વ્યક્તિ ગુસ્સે થઈ જશે. તેના હ ચાલ્યેા જશે. તે ક્ષુબ્ધ બની જશે. ઉદ્દિગ્ન થઈ જશે. ઉત્તેજિત થઈ જશે. કાઈને દુ:ખી બનાવને! પ્રત્યેક વ્યક્તિના હાથમાં છે. જ્યારે ઇચ્છા ત્યારે દુઃખી બનાવી દે, જ્યારે ઇચ્છા ત્યારે કાઈ વ્યક્તિમાં ઊભરા લાવી દા, નચાવે, વાંદરાની જેમ. આપણી પ્રસન્નતા અખંડ નથી. આપણા હ અને સુખ અખંડ નથી. જીવન-દર્શીન જ્યારે બદલાય છે ત્યારે તે અખડ થઈ જાય છે. મારે કારણે ભારી બની રહ્યો છે જયાચાર્યે ભગવાન મહાવીરની સ્તુતિમાં બતાવ્યું છેઃ પ્રભુ! દેવ, મનુષ્ય અને તિર્યંચ દ્વારા આપને કષ્ટ આપવામાં આવ્યું, પરંતુ આપની પ્રસન્ન દષ્ટિમાં કાઈ પરિવર્તન નહિ આવ્યું, સંગમ નામના દેવ મહાવીરને ભયંકર કષ્ટ આપ્યા, મારણાંતિક કષ્ટ, દુ:ખના ડુંગરા તૂટી પડયા. સંગમ એક પછી બીજુ કષ્ટ આપી રહ્યો છે. એક તરફ આ જધન્ય પ્રયત્ન છે તે ખીજી તરફ ભગવાન મહાવીર વિચારી રહ્યા છે ઃ એહ! કેટલું આશ્ચર્ય ? મને નિમિત્ત બનાવીને હજારા વ્યક્તિએ કષ્ટ દૂર કરી રહી છે યા દૂર કરશે પરંતુ આ સંગમદેવ મને નિમિત્ત બનાવીને કર્માથી ભારી બની રહ્યો છે. કષ્ટાના ભાર વધારી રહ્યો છે. જીવન દર્શન : આ પણ અને તે પુણ્ શું કદી એવું ચિંતન કરી શકાય છે? શું કાઈ પણ વ્યક્તિ એવું વિચારી શકે છે? એવું કરવું દરેક વ્યક્તિ માટે સ ંભવ નથી લાગતું. થેાડું Jain Educationa International ૧૦૧ For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂળ આચરણ જોતા મદલાની ભાવના જાગી ઊઠે છે. માણસ વિચારવા લાગે છે, દિવસે તારા ન બતાવું તે મારું નામ નહિ. હું શું માટીને લેા છું. તેણે મારા તિરસ્કાર કર્યાં છે. જ્યાં સુધી મારા અપમાનનો બદલે નહિ લઉં ત્યાં સુધી હું સુખે ઊંઘીશ નહિ. આ ચેટલી બાંધીશ નહિ, દાઢી નહિ કપાવીશ. થેાડું સરખું અનિષ્ટ થઈ જવાથી તીવ્ર ક્રોધની ભાવના જાગે છે. પ્રતિશેાધની ભાવના ઊભરાય છે. આ પણ આપણું એક જીવન-દર્શન છે અને આ અત્યંત વ્યાપક જીવન-દર્શન છે. દરેક વ્યક્તિ એની સીમામાં ચાલી રહી છે. પરંતુ આ પણ એક જીવન-દર્શન છે કે અનિષ્ટ કરનાર ભરપૂર અનિષ્ટ કરી રહ્યો છે. કષ્ટ આપી રહ્યો છે પરંતુ વ્યક્તિમાં મૈત્રીભાવ વૃદ્ધિંગત થઈ રહ્યો છે. તે વિચારે છે—આ અજ્ઞાની છે. તે સચ્ચાઈ નથી જાણતા તેથી મારી ટીકા કરી રહ્યો છે. મશ્કરી કરી રહ્યો છે. એમાં એના દોષ નથી. જે દિવસે આ સચ્ચાઈને સમજી લેશે, આવું આચરણ કદી કરશે નહિં. હું એવા પ્રયત્ન કરું કે એમાં આ સચ્ચાઈ સમજવાની દૃષ્ટિ જાગે. એને આત્મા જાગે, એની ચેતના જાગે. એનું કલ્યાણ થાય. એનું ભલું થાય. એનું મગળ જ મંગળ થાય. એક તે જીવન-દર્શીન છે છે અને એક એ જીવન દર્શન ન જે.'—નું સૂત્ર ચાલે છે. ખીજુ છે અધ્યાત્મનું જીવન દર્શન. જેમાં શકે શાર્ચ સમાવત્'નું સૂત્ર ચાલે છે જેમાં ‘મંત્તિ ને સવ્વમૂસું ચેર મળ્યું પહેલું છે વ્યવહારનું જીવન-દર્શન અને ધ્યાનની સાધનાથી આ અધ્યાત્મના જીવન-દર્શનના વિકાસ થાય છે કે ખીન્ન દ્વારા સતાવવામાં આવ્યા છતાં પણ પેાતાની પ્રસન્નતા ખંડિત ન થાય. પેાતાને હર્ષી અને સુખ ખંડિત ન થાય. સુખ અવ્યાબાધ બની જાય. તે સુખમાં વિઘ્ન પહેાંચાડવાની શક્તિ અથવા તેને ખડિત કરવાની શક્તિ દુનિયાની ક્રાઈ શક્તિમાં નથી હેાતી. કોઈપણુ સત્તા એને તાડી નથી શકતી. જ્યારે જીવનની દષ્ટિ બદલાય છે ત્યારે કર્મ બંધ બંદ નથી હેતું. કર્મ બંધ નિર ંતર ચાલુ રહે છે. પછી માણસ કર્મથી કેવી રીતે ખચી શકે છે? તે પ્રવૃત્તિને કેવી રીતે છેાડી શકે છે? જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પ્રવૃત્તિને છેાડી નથી શકાતી. કિંતુ પ્રવૃત્તિ સાથે આવતી મૂર્છા અને આસક્તિને છેડી શકાય છે, ઓછી કરી શકાય છે. Jain Educationa International ૧૦૨ For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ રાગ-દ્વેષ શૂન્ય કર્મ જયાચાર્યે અરિષ્ટનેમિની સ્તુતિ કરતા કહ્યું છે : પ્રભુ! આપ પ્રીતિ પણ કરે છે, પરંતુ કેાઈ પ્રત્યે આપને રાગ નથી. તમે જે દૂર કરવાનું છે તે દૂર પણ કરે છે. સમાપ્ત પણ કરો છો. પરંતુ કોઈના પ્રત્યે આપને દ્વેષ નથી. આ રાગ-શૂન્ય કર્મ, આ ષ શૂન્ય કર્મ-એક જીવનદષ્ટિ છે. જ્યારે આ જીવનદષ્ટિ જાગે છે ત્યારે કર્મ બચી જાય છે. મૂછ સમાપ્ત થઈ જાય છે અને જાગૃતિ વધી જાય છે. ધાનનું સૌથી મોટું પરિણામ છે–જાગૃતિનો વિકાસ. એક જ દિવસમાં કોઈપણ વ્યક્તિ વીતરાગ નથી બની જતી. એક કે દસ દિવસમાં કોઈપણ વ્યક્તિને વીતરાગતા કે સિદ્ધતા પ્રાપ્ત નથી થતી. પર તુ અભ્યાસ દ્વારા જાગૃતિ વધે છે. દષ્ટિ બદલાય છે ? દિશા બદલાય છે દિલ્હીની વાત છે. એક ભાઈ આચાર્ય પ્રવર પાસે આવીને બોલ્યા : મહારાજ જ્યારથી હું અણુવતી બન્યો છું. ત્યારથી મારી જીવનદષ્ટિ બદલાઈ ગઈ છે. એ તો હું નથી કહી શકતો કે મારાથી કઈ ભૂલ જ નથી થતી, પરંતુ જ્યારે જ્યારે ભૂલ થાય છે ત્યારે અંદર બેઠેલે પ્રહરી મને સાવધાન કરતા કહે છે, સાવચેતીથી વર્તો. પ્રમાદ નહિ કરો. મારી દષ્ટિ બદલાઈ ગઈ છે, જાગૃતિ વધી ગઈ છે. જ્યારે દષ્ટિ બદલાય છે ત્યારે દિશા પણ બદલાઈ જાય છે, મનુષ્યને આચાર વ્યવહાર પણ બદલાવા લાગી જાય છે. મનુષ્ય વધારે ભૂલો કરે છે પ્રમાદને કારણે. તે ભૂલ કરતો જાય છે પરંતુ તેને એ ભાન નથી હોતું કે તે ભૂલ કરી રહ્યો છે. ભૂલનું ભાન ન હોવું એ ખતરનાક સ્થિતિ છે. ભૂલ કરવી જેટલી ખતરનાક છે એનાથી અનેક ગણું ખતરનાક છે ભૂલોનું ભાન ન હોવું. માણસ બકવાસ કરે છે, તો પણ તે માને છે કે તેનામાં વસંયમ છે. આ ખતરનાક સ્થિતિ છે. બકવાસ કરનાર નથી માની રહ્યો કે તે બકવાસ કરી રહ્યો છે. એક છોકરાએ પિતાના સાથી મિત્રને કહ્યું : “મારી મા ગજબની વિદુષી છે. તે કોઈ પણ વિષય પર કલાક સુધી બોલી શકે છે.” બીજા છોકરાએ કહ્યું : “બસ આટલી જ વાત છે. મારી માની વાત સાંભળ. તે ૧૦૩ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ એટલી બુદ્ધિશાળી છે કે વિષય હોય કે ન હોય, આખો દિવસ બેલતી રહે છે.” નિરતર પ્રવૃત્તિ દિવસભર બકવાસ ચાલ્યા કરે છે. ચિત્તનની ઘંટી અને બેલવાની ઘંટી કદી બંધ નથી થતી. પ્રવૃત્તિ પણ નિરંતર થાય છે. જાગતા પ્રવૃત્તિ થાય છે તે સૂતા પણ પ્રવૃત્તિ થાય છે. કેટલા લે કે એવા છે જે સૂતાં સૂતાં ચિન્તન નથી કરતા? ધણુ બધા લેકે સૂતી વખતે એટલું ચિંતન કરે છે કે તેમની ઊંધ સપનામાં જ વીતી જાય છે. તેઓ આખી રાત સપનામાં વિવિધ પ્રકારના અભિનય જોતા રહે છે. કેટલીક વ્યક્તિ ઊંઘમાં ખૂબ બબડે છે, બેલે છે. તેમની પાસે કેઈ સૂ તું હોય તે ડરી પણ જાય છે. કેટલાક લેકે ઊંઘમાં દૂર દૂર સુધી ચાલ્યા જાય છે. સૂએ છે કયાંક અને જ્યારે ઊઠે છે ત્યારે પથારી નથી હોતી કે સ્થાન નથી હોતું. ઊધમાં પણ શરીરની ચંચળતા, વાણીની ચંચળતા અને મનની ચંચળતા ચાલતી રહે છે. તે કદી બંધ થતી નથી. જાગૃતિને વિકાસ જ્યારે મૂછ તૂટશે, જાગૃતિ વધશે ત્યારે શરીર દ્વારા માત્ર જરૂરી પ્રવૃત્તિ થશે. સંપૂર્ણ જાગૃતિ તે પ્રવૃત્તિ સાથે જોડાયેલી રહેશે. વચનની પ્રવૃત્તિ થશે પણ સંપૂર્ણ જાગૃતિ તેની સાથે જોડાયેલી હશે. ચિંતનની પ્રવૃત્તિ થશે પણ પૂરી જાગરૂકતા તેની સાથે જોડાયેલી હશે. તોપણ ઊંઘ ન હશે; સ્વપ્ન નહિ હશે. મૂછ નહિ હશે. આ જાગૃતિને વિકાસ ધ્યાનનું ઘણું મોટું પ્રયોજન છે. ઘણી મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. જે વ્યક્તિ જાગ્રત બની જાય છે, જે પ્રત્યેક પ્રવૃત્તિમાં, પ્રત્યેક કાર્યમાં પૂર્ણ જાગ્રત છે તેનું જીવનદર્શન ભિન્ન પ્રકારનું હોય છે. તે ભૂલ કરે છે તો તે ભૂલ અજાણતામાં નથી રહેતી. જે જાણવા છતાં ભૂલ કરે છે તો તે ઘણીવાર ભૂલ નહિ કરશે. કઈ કઈવાર ભૂલ થઈ જશે. જાગૃતિનું બિંદુ જેમ જેમ વિકસિત થશે તેની ભૂલ થવાની ભાવના પણ સમાપ્ત થતી જશે. આ પ્રસંગે એક ચર્ચા પ્રસ્તુત કરું છું. પુરુષને સ્વપ્નદોષ થાય છે. સૂતા સૂતા વીર્ય ખલિત થઈ જાય છે. આ એટલા માટે થાય છે કે પુરુષ મૂછમાં છે. ઊંધમાં છે. પરંતુ જાગૃતિ વધે છે ત્યારે શું થાય છે ૧૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ એ પણ આપણે સમજી લઈએ. જ્યારે અપાનવાયુ દૂષિત થાય છે ત્યારે સ્વપ્નદાષ થાય છે. મળ, મૂત્ર, વીય અને રજ—આ બધાને બહાર ફેકવાનુ` કા` અપાનવાયુનું છે. આ આપણી એક પ્રાણધારા છે. જે સફાઈનું કામ કરે છે. પરંતુ સાધના કરતાં કરતાં જ્યારે પ્રાણવાયુ જાગી જાય છે ત્યારે સ્વપ્નમાં વીર્ય સ્ખલનની સ્થિતિ આવવાથી તે (પ્રાણવાયુ) વ્યક્તિને જગાડી દે છે. અને ત્યારે વીર્ય સ્ખલન અટકી જાય છે. જ્યારે જાગૃતિ વધે છે ત્યારે અજાણતામાં થતી ભૂલેા પર નિય`ત્રણ આવી જાય છે. અંકુશ લાગી જાય છે. સાધનાનેા અર્થ છે—મસ્તિષ્ક પર નિયંત્રણ કરવું, પ્રાણ અને વિદ્યુત-પ્રવાહ પર નિયંત્રણ કરવું, શરીરના રસાયણે પુર નિયંત્રણ કરવું. એ બધા પર કાબૂ સ્થાપિત કરવા. જ્યારે એના પર સંપૂર્ણ નિય ત્રણ હાય છે ત્યારે જાગૃતિના પૂરા વિકાસ થાય છે, સ્વ-રસને અનુભવ જ્યારે વનદૃષ્ટિ બદલાય છે ત્યારે સ્વ-રસના અનુભવ થવા લાગે છે. બાહ્ય રસ છેા થઈ જાય છે અને આંતરિક રસ વધતા જાય છે. ત્યારે વ્યક્તિમાં પોતાની દૃષ્ટિ પેાતાનું ચિંતન અને પેાતાના રસ પ્રમુખ ખતી જાય છે. જ્યાં સુધી અધ્યાત્મનું આ જીવન-દર્શન ઉપલબ્ધ નથી થતું ત્યાં સુધી વ્યક્તિને રસ બહાર હાય છે. પદાર્થ માં હેાય છે. તે એ દિશામાં જ ચાલે છે જે દિશામાં બધા લેકે ચાલી રહ્યા છે દૃષ્ટિ પણ તે જ હાય છે જે ખીન્ન દ્વારા ઉપલબ્ધ થાય છે. જ્યારે વ્યક્તિની પેાતાની દૃષ્ટિ નથી જાગતી. તે ખીજાની દૃષ્ટિથી જુએ છે અને ચાલે છે ત્યારે ઘણું માટું જોખમ પેદા થઈ જાય છે. બીજા લેાકેા છેતરવા ખેડા છે સત્ર છલ, પ્રવચના જ પ્રવચના દૃષ્ટિ બદલાઈ ગઈ મહારાજ ચંડપ્રદ્યોતે અચાનક મગધ પર આક્રમણ કર્યું. મગધની રાજધાની રાજગૃહ શત્રુસેનાથી ઘેરાઈ ગઈ. ચડપ્રદ્યોતની મેાટી સેના, મેટુ રાજ્ય. મગધની નાની સેના, નાનું રાજ્ય. પૂર્વી સૂચના વગર અચાનક આક્રમણ થઈ ગયું. મગધના Jain Educationa International ૧૦૫ For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટ શ્રેણિક ગભરાઈ ગયેા. હવે તેના બચવાના અને જીતવા કાઈ ઉપાય જ નહિ રહ્યો. તેણે પેાતાના પ્રધાનમંત્રી અભયકુમારને મેલાવીને કહ્યું : મોંત્રીશ્વર! હવે શું કરીએ? અત્યંત વિકટ સ્થિતિ આવી ગઈ છે, એનાથી બચવાના કાઈ ઉપાય જ દેખાતા નથી. શ્રેણિક ખૂબ ગભરાઈ ગયા હતા. શ્રેણિક ગભરાઈ શકે છે, કેમ કે તેની પાસે માત્ર સત્તા છે. સત્તાની શક્તિ છે. પરંતુ જેની પાસે બુદ્ધિ અને પ્રજ્ઞાની શક્તિ હાય છે, તે કદી ગભરાતા નથી. અભયકુમારમાં સત્તા કરતાં બુદ્ધિ-બળ અને પ્રજ્ઞા-બળ પ્રખર હતું. તે જેટલે બુદ્ધિમાન હતા. તેટલેા જ પ્રજ્ઞાવાન હતા. જેટલા અંશેામાં મંત્રીત્વ અભિવ્યાત હતું તેટલા અંશેામાં સાધકત્વ પણ અભિવ્યકત હતું. તેણે કહ્યું : મહારાજ! ચિંતા શા માટે કરા છેા? ઉપાય છે બધું જ ઠીક થઈ જશે. મહારાજે સાંભળ્યું. વિશ્વાસ નહિ આવ્યા. પરંતુ આત્માના અવાજ કહી રહ્યો હતેા—અભયકુમાર બધું જ કરવામાં સમર્થ છે. સમ્રાટ માન રહ્યો. અભયકુમાર પોતાના સ્થાન પર આવ્યા. તેણે એક પત્ર લખ્યું અને પેાતાના ગુપ્તયરેાની સાથે મહારાજ ચંડપ્રદ્યોત પાસે મેકલ્યા. પત્ર ચડપ્રદ્યોત પાસે પહેાંચ્યા. તેમાં લખ્યું હતું: મહારાજ! આપ મારા માસા છે. હું મારી માતા ચેતના અને આપની પત્ની શિવા દેવીમાં કાઈ અંતર નથી જોતા. આપ અહીં આવી ગયા છે, પણ હું જોઉં છું કે આપને ભયંકર મુસીબતાના સામનેા કરવા પડશે, આપને કેદ કરવામાં આવશે. મારી સલાહ છે કે આપ શીઘ્ર જ પેાતાના સ્થાને ઉજજૈન પાછા ફરે. બંદી બનાવવાનું કારણ આપ ાણવા ઈચ્છશે. એ ખૂબ સ્પષ્ટ છે. મહારાજ શ્રેણિકે આપના સામન્તાને વશ કરી લીધા છે. ધન સર્વ કાંઈ કરી શકે છે. આપના સામન્તા ધન આગળ ઝૂકી ગયા છે. પહેલાં જ તે આપને અને તેમણે વચન આપ્યું છે કે સવાર થતા છંદી બનાવીને મહારાજા શ્રેણિકને સોંપી દેશે. જો મારા આ કથન પર આપને વિશ્વાસ ન હેાય તેા આપ આપના સામન્તાના તબુએની આસપાસ જમીન ખેાદાવીને તેમાં દાટેલું ધન જોઈ લેા. તે જ સેનામહેરાએ આપના સામન્તાને ખરીદ્યા છે. શેષ કુશળ. ચડપ્રદ્યોતે પત્ર વાંચ્યા. દૃષ્ટિ બદલાઈ ગઈ. તેણે વિશ્વાસુ સૈનિકાને ખેાલાવીને કહ્યુ : જાએ, આપણા સામતાના તખ઼ુએ પાસે જમીનમાં શું શું દાટવુ' છે તે લઈ આવેા. સૈનિÈા ગયા અને સુવર્ણ - Jain Educationa International ૧૦૬ For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ મુદ્રાઓથી ભરેલાં પાત્ર લઈ આવ્યા. ચડપ્રદ્યોતને અભયકુમારની વાત પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયા. તેણે પેાતાની સેનાને ઉજ્જૈન તરફ કૂચ કરવાના આદેશ આપી દીધા. તે સીધા ઉજ્જૈન આવી ગયા. કારણને કાઈને ખ્યાલ નહિં આવ્યા. માનવહાનિ વગર યુદ્ધ સમાપ્ત થઈ ગયું. આવું કેમ થયું ? એવું એટલા માટે થયું કે દષ્ટિ બદલાઈ ગઈ. જ્યારે દષ્ટિ બદલાઈ જાય છે ત્યારે સર્વ કાંઈ બદલાય જાય છે. પ્રશ્ન છે દૃષ્ટિ બદલવાના. એવી બુદ્ધિ મળે, એવી પ્રજ્ઞા જાગે કે દૃષ્ટિ બદલાઈ જાય. વ્યવહારની દુનિયામાં પણ દૃષ્ટિનું પરિવર્તન થાય છે. મસ્તિષ્કમાં એવા કેટલાક રસાયણ છે. કંઈક વિદ્યુત-પ્રવાહ છે. તેને બદલી નાખવાથી દિષ્ટ બદલાઈ જાય છે. ડા. ડેલગાડાના પ્રયાગ ડા. ડેલગાડાએ એક ખતરનાક પ્રયાગ કર્યાં. એક મેદાનમાં ખે ભયંકર સાંઢ છેાડી દેવામાં આવ્યા, સાંઢાની લડાઈ જોવા માટે હજારા માણસા એકત્રિત હતા તે સાંઢાના મસ્તક પર ઇલેકટ્રોડ લગાડેલા હતા. આ એક પ્રકારનું એરિયલ હતું જે રેડિયા ટ્રાન્સમીટર દ્વારા છેડવામાં આવેલા તરંગાને પકડી શકતું હતું. તે વૈજ્ઞાનિક મેદાન વચ્ચે ઊભા રહી ગયા. અને સાંઢાની ભયંકરતાથી બધા દકાનુ દિલ ધડકી ઊઠયું. દર્શ કાને લાગ્યું કે હવે થાડી જ ક્ષણામાં આ સાંઢા ડૉ. ડેલગાડા તે મૃત્યુધામ પહેાંચાડી દેશે, જેવા તે સાંઢ ડેલગાડાની પાસે પહેાંચ્યા તેણે એક સંદેશ પ્રેષિત કર્યાં—લડવું સારું નથી. શાંત રહે।. આ તરંગા તેમના મસ્તિષ્કમાં પહેાંચ્યા. તેમની ભયંકરતા દૂર થઈ ગઈ. તે બંને પાસે આવીને બકરીઆની જેમ શાંત ઊભા રહી ગયા. ડૅા. ડેલગાડે એમના મસ્તક પર હાથ ફેરવવા લાગ્યા. ભયંકર બનવું કે શાંત થવું—આ બધું મસ્તિષ્કનાં રસાયણા પર આધાર રાખે છે. જ્યારે મસ્તિષ્કને ગુસ્સા માટે ઉપયુક્ત રસાયણુ નથી મળતા, રસને વિપાક નથી થતા, સાધન સામગ્રી અને નિમિત્ત નથી મળતા તે કોઈ પણ માણસ કુપિત અથવા ભયંકર નથી થઈ શકતા. જ્યારે બધા નિમિત્ત મળી જાય છે ત્યારે પ્રત્યેક માણસ ભયંકર થઈ શકે છે. Jain Educationa International ૧૦૭ For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ થાન-સાધનાનું શરણ શા માટે? નિમિત્ત અને ઉપાદાન–બંનેને બદલવા ઘણું મોટું સૂત્ર છે— અધ્યાત્મ જગતનું, વ્યવહારના જગતમાં વૈજ્ઞાનિક ઉપકરણ નિમિત્તોને બદલી શકે છે અને નિમિત્તાને બદલતા વિચાર અને ચિંતનને બદલી શકાય છે. પરંતુ અધ્યાત્મની સાધના વધારે ઊંડાણમાં જાય છે. સાધના દ્વારા મસ્તિષ્કનાં રસાયણ પણ બદલાય છે. જે રસાયણ પેદા થાય છે, તે પેદા કરનાર ઉપાદાન પણ બદલાઈ જાય છેબીજા શબ્દોમાં, આ કર્મ શરીર પણ પ્રભાવિત થાય છે, આ સ્થૂળ શરીર પણ પ્રભાવિત થાય છે. બંનેને પ્રભાવિત કરવાની પ્રક્રિયા છે ધ્યાન. ધ્યાન દ્વારા માત્ર રસાયણનું જ પરિવર્તન નથી થતું, માત્ર નિમિત્તોનું જ પરિવર્તન નથી થતું, જે એકલા રસાયણ જ બદલવાના હોત, એકલા નિમિત્ત બદલવાના હોત તો પછી આપણે વૈજ્ઞાનિકની શરણમાં જાતે, ધ્યાન સાધનાની શરણમાં જવાની જરૂરિયાત ન હોત, પરંતુ આ પરિવર્તન ક્ષણિક હોય છે. જેવું ઈલેકટ્રડ હટવું, વિદ્યુત-પ્રવાહ હટ કે વ્યક્તિ મૂળ રૂપમાં આવી જાય છે. તેવી ને તેવી બની જાય છે. પરંતુ ધ્યાન દ્વારા નિમિત્તે પેદા કરનાર ઉપાદાનમાં પણ પરિવર્તન થાય છે. જે વિકૃતિઓ પેદા કરનાર તો છે તેમાં પરિવર્તન થાય છે. અધ્યાત્મની સાધના દ્વારા જીવનની દષ્ટિ બદલાઈ જાય છે. સંપૂર્ણ જીવન-દર્શન જ બદલાઈ જાય છે. જ્યારે જીવન-દર્શન જ બદલાઈ જાય છે તે પછી માણસ પહેલાં જેવો નથી રહે તે બદલાઈ જાય છે. આ પરિવર્તનને તે સ્વયં અનુભવ કરે છે. અને તેના સંપર્કમાં આવનાર બીજી વ્યક્તિઓ પણ અનુભવ કરે છે. અમે જોયું છે ધ્યાનની સાધનામાં આવનાર વ્યક્તિઓનું પૂર્વ જીવન અને અમે જોયું છે તેમનું ઉત્તર જીવન. એવું લાગે છે કે પૂર્વ જીવન અને ઉત્તર જીવનમાં કઈ તાલમેલ જ નથી. રામચરિતના બે ભાગ છેઃ એક છે પૂર્વ રામચરિત અને એક છે ઉત્તર રામચરિત. આચાર્ય જિનસેને મહાપુરાણ લખ્યું. તેઓ પિતાના જીવનકાળમાં તેને પૂરું ન કરી શક્યા. ડું બાકી રહી ગયું. તેમના ગ્ય શિષ્ય ગુણભદ્રે તેને પૂરું કર્યું. એક પૂર્વ થઈ ગયું અને એક ઉત્તર રહી ગયું. એ બંનેમાં તફાવત ઓળખી શકાય છે. એવી જ રીતે ધ્યાન સાધના કરતાં પહેલાંના પૂર્વજીવન અને ઉત્તર જીવનને જાણી શકાય છે. વચ્ચે એક રેખા દેરી શકાય છે જે ઓળખ ૧૦૮ Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ કરાવવામાં સહાયક બને છે. તે રેખાની પેલી તરનું જીવન પૂર્વજીવન હોય છે અને તે રેખાથી આ તરફનું જીવન ઉત્તરનું જીવન હોય છે. બંને વચ્ચે મેટું અંતર આવી જાય છે. આ અંતર કોઈ આરોપિત અંતર નથી. આ અંતર છે જીવન દષ્ટિ બદલાઈ જવાનું. માનવી ચાહે ભણેલ ગણેલ હોય કે અભણ તે એક દર્શનના આધારે ચાલે છે. અભણ માણસ પણ દર્શન વગર ચાલી શકતા નથી. દર્શન પેદા કરવાની વાત નથી હોતી. દર્શન ધારણાથી મળે છે કે કંઈક અંદરના પ્રયત્નોથી પિતાની મેળે જાગે છે. દરેક વ્યક્તિ દાર્શનિક હોય છે. એક પણ માણસ એવો નથી હોતે જે દાર્શનિક ન હોય. આપણે કેટલીક વ્યક્તિઓને દાર્શનિક માની લઈએ છીએ. એ બ્રાન્તિ છે. કો માણસ દાર્શનિક નથી હોતો? જીવન-દર્શન વગર માનવી એક ડગલું પણુ આગળ નથી ચાલી શકતો. સમાજને બધે આચાર–વ્યવહાર, સમાજમાં બધા રીતિ-રિવાજ, સમાજની આખી પ્રક્રિયા દર્શનને આધારે ચાલે છે. એક પ્રકારનું જીવન-દર્શન વ્યક્તિને એક પ્રકારની દિશા કે માર્ગ પર ચલાવે છે. અને જ્યારે જીવન-દર્શન બદલાય છે ત્યારે દિશા પણ બદલાઈ જાય છે અને માર્ગ પણ બદલાઈ જાય છે. તે સ્થિતિમાં લાગે છે કે વ્યક્તિ બદલાઈ ગઈ. ખરેખર તે બદલાઈ જાય છે કે તેની ઓળખ મુશ્કેલ બની જાય છે. આપણે ધ્યાન સાધનાના મૂળ લક્ષ્યને સમજીએ. ધ્યાનના મૂળ પ્રજનને સમજીએ. તેને સ્વાશ્ય, વિશ્રામ આદિ તાત્કાલિક કે વર્તમાનિક લાભે સુધી જ સીમિત ન રાખીએ. એ પણ ઉપયોગી છે. એનું પણ મૂલ્ય છે. જે ધ્યાન-સાધનાથી સ્વાસ્થ સુધરે છે, વિશ્રામ મળે છે, તનાવ મટે છે તો આ પણ ઓછી વાત નથી. ખૂબ મૂલ્યવાન વાત છે. એનાથી પણ ઘણું મૂલ્યવાન છે જીવન દષ્ટિનું પરિવર્તન. આ છે ઉપાદાનનું પરિવર્તન. ધર્મ કે અધ્યાત્મનું સૌથી મોટું પ્રદાન છે—ઉપાદાનનું પરિવર્તન. વૈજ્ઞાનિકે અને વૈજ્ઞાનિક ઉપકરણો નિમિત્તાને બદલી શકે છે, પરંતુ તેઓ હજાર-હજાર પ્રયત્ન કરવા છતાં પણ ઉપાદાનને નથી બદલી શકતા. ઉપાદાનને બદલવાન, મૂળ સ્ત્રોતને પકડવાને એક માત્ર ઉપાય છે પિતાના ચૈતન્યને અનુભવ. ૧૦૯ Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૮ રોગને દબાવીએ કે મટાડીએ? Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ अवयन:८ સંકેતિકા १ आठमा थी दोय श्रेणि छ रे, उपशम खपक पिछाण । उपशम जाय इग्यारमै रे, मोह दबावतो जाण ॥ २ श्रेणि उपशम जिन ना लहे रे खपक श्रेणि धर खत । चारित्र मोह खपावतां रे, चढिया ध्यान अत्यंत ॥ ३ अहो ! वीतराग प्रभु तूं सही, तुम ध्यान ध्यावै चित रोक हो । प्रश्नु! तुम तुल्य ते हुवै ध्यान सूं, मन पायां परम् संतोख हो ॥ ४ वंदै निदै तो भणी साहिबजी! राग-द्वेष नहीं ताम हो निसनेही । मोह-दावानल तै मेटियों साहिबजी! गुण निप्पन तुम नाम हो निसनेही ॥ ५ नृत्य करे तुझ आगले साहिबजी! इंद्राणी सुर-नार हो निसनेही । राग भाव नहीं ऊपजे साहिबजी! ते अंतर तप्त निवार हो निसनेही ॥ क्रोध मान माया लोभ ए साहिबजी! अग्नि सूं अधिकी आग हो निसनेही । शुक्ल ध्यान रूप जल करी साहिबजी ! थया शीतलीभूत म्हाभाग हो निसनेही ॥ ७ अंतरजामी ! आपरा साहिबजी ! ____ ध्यान धरूं दिन रैन हो निसनेही । उवाही दशां कद आवसी साहिबजी! होसी उत्कृष्टो चैन हो निसनेही ॥ (चौबीसी १४, ४, ५, ८/३; १०/२, ३, ४, ६) ૧૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ D ચિકિત્સા જગતનેા પ્રશ્ન છે—રાગને દબાવી દે. D રાજનીતિના પ્રશ્ન છે—શત્રુને શાંત કરી દે, તેનું મેાં બુધ કરી દે. ૩ અધ્યાત્મના પ્રશ્ન છે—વૃત્તિઓને ખાવેા નહિ, શાંત કરી દે. D ઉપશમન અને ક્ષય n અભિવ્યક્તિનું સ્થળ અને ઉદ્ગમ સ્થળ ખે છે. વૃત્તિને ક્ષીણુ કરવાના માર્ગ છે—ઇન્દ્રિય સંયમ, શ્વાસસંયમ, સ્વાધ્યાય વગેરે વગેરે. ત્તવૃત્તિને જડ મૂળથી નાશ કરવાના માર્ગ છે—શુક્લ ધ્યાન, કૈવલ શુક્લ ધ્યાન. ન ધાતુ શેાધનની પ્રક્રિયા અને ધ્યાનની પ્રક્રિયા. n ભૂમિકા મેધ આવશ્યક હાય છે, D શરીર-પ્રેક્ષા શ્વાસ-પ્રેક્ષા, લેશ્યાધ્યાન વગેરે મધ્ય વિશ્રામ છે. અંતિમ લક્ષ્ય છે—મૂર્છાની સમાપ્તિ અને જાગરણું. Jain Educationa International ૧૧૨ For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ રેગને દબાવીએ કે મટાડીએ? પ્રભ સ્વાભાવિક છે એક ભાઈએ પૂછયું : જયાચાર્ય કહે છે, પ્રભુ! કઈ આપને વંદન કરે છે તે આપ લાગણીમાં નથી ખેંચાતા, પ્રસન્ન નથી થતા. કેાઈ આપની નિંદા કરે છે તે આપ ડેષમાં નથી આવતા, અપ્રસન્ન નથી થતા. શું આ કથન અતિશયોક્તિપૂર્ણ નથી? શું આ માત્ર આકાશી ઉડ્ડયન નથી ? શું એક માણસ માટે સંભવ છે કે પ્રશંસા કરવા છતાં પણ તે આનંદિત ન થાય અને નિંદા કરવા છતાં પણ લાનિયુક્ત ન બને? ભલે તે વ્યક્તિ બહારથી કશું પ્રગટ ન કરે, પરંતુ તેના અન્તઃકરણમાં રાગ અને દ્વેષની ઊર્મિ ન જાગે, શું એ સંભવ છે? હું માનું છું કે મનુષ્ય માટે એવું થવું સંભવ નથી. આ માત્ર અધ્યાત્મની અતિશયોક્તિ છે. અધ્યાત્મશાસ્ત્ર પણ અતિશયોક્તિ પૂર્ણ કથન કરવામાં કેઈથી પાછળ નથી. ભાઈએ આ પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન સ્વાભાવિક છે. જે આપણા અંતઃકરણને ઢઢાળીએ તે એ જવાબ મળશે કે પ્રશંસા, સ્તુતિ અને વંદનને પ્રસંગ આવતાં જ મન જાણે અજાણે પણ આનંદથી ઊછળતું હેાય છે અને જ્યારે ટીકા, નિંદા કે અપયશની વાત આવે છે ત્યારે મન ગુસ્સે થાય છે. ખિન્ન થઈ જાય છે. કુબ્ધ બને છે. દરેક વ્યક્તિમાં આવું બને છે. તેથી આ પ્રશ્ન અસ્વાભાવિક નથી. યથાર્થ છે, પરંતુ એને સમજવા માટે આપણે ઊંડાણમાં ઊતરવું પડશે. આ જગતને છોડીને બીજા જગતની યાત્રા કરવી પડશે. જે જગતમાં આપણે જીવી રહ્યા છીએ, તે જગતમાં એનું સમાધાન પ્રાપ્ત નથી થઈ શકતું અને ત્યાં એને અત્યુક્તિ જ માનીને ચાલવું પડશે. પરંતુ બીજા જગતની યાત્રા કરતા એની બીજી બાજુ આપણી સમક્ષ આવે છે. નિમિત્ત અને ઉપાદાન બે પ્રકારનાં જગત હોય છે. એક છે–પરિસ્થિતિઓનું જગત, નિમિત્તોનું જગત, વાતાવરણનું જગત. બીજુ છે–વાતાવરણ અને નિમિત્તથી દૂરનું જગત. એક છે ભીતરનું જગત જે નિમિત્તોથી દૂર છે અને એક છે બહારનું જગત જે નિમિત્તોનું જગત છે. જે નિમિત્ત અને વાતાવરણથી દૂરનું જગત છે; ત્યાં ગુરુત્વાકર્ષણ સમાપ્ત થઈ જાય છે. ગુરુત્વાકર્ષણ સમાપ્ત થઈ જતાં જે ભારહીનતાની સ્થિતિ આવે છે, તે મ-૮ ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ગુરુત્વાકર્ષણુની સીમામાં કદી નથી આવતી. ગુરુત્વાકર્ષણુની સીમામાં રહેનારતે સિદ્ધાંત એક પ્રકારના હશે અને ભારહીનતાની સ્થિતિના સિદ્ધાંત ખીજ પ્રકારા હશે. કાળની સ્થિતિ બદલાઈ જાય છે. ભારની સ્થિતિ બદલાઈ જાય છે. ત્યાં કાઈ વિકૃતિ નથી હોતી. ધડપણ નથી આવતું. ચીજ જરિત નથી હોતી. ત્યાં બધા નિયમ બદલાઈ જાય છે. આપણે નિમિત્તોના જગતમાં જીવી રહ્યા છીએ. આપણું એક જગત છે ઉપાદાનનું. આ જગતનું જીવન હજી સુધી આપણે જીવ્યા નથી. જીવવાનું જાણતા પણ નથી. જયાયાયે જે લખ્યું છે તે આ ઉપપદાનના જગતના અનુભવ છે. તે નિમિત્તોના જગતમાં જીવતા લેાકેાને સહજરૂપથી કેવી રીતે સમજમાં આવી શકે? એમને અત્યુક્તિ જ લાગશે. તે એ જ માનશે કે આ સચ્ચાઈ નથી. એમનુ આ ચિંતન ખોટું નથી કેમ કે એમને! આ અનુભવ છે. જેને જેવા અનુભવ છે, તે તે જ મર્યાદામાં વિચારી શકે છે. તેથી દૂર હટીને તે વિચારી પણ નથી શકતા. તેમનું અલગ ક્ષેત્ર છે. દરેકનું પાત-પાતાનું ક્ષેત્ર છે. શિક્ષકે વિદ્યાર્થીને ગણિતને! એક પ્રશ્ન હલ કરવાને આપ્યા. વિદ્યાર્થીએ તે પ્રશ્નના જવાબ લખ્યા. શિક્ષકે કહ્યું : 'જવાબ ખોટા છે. ખીજી વાર કર'. વિદ્યાર્થીએ ફરીથી પ્રયત્ન કર્યાં. પણ જવાબ સાચા િ આવ્યા, ચાર વાર તેણે તે પ્રશ્નના ઉત્તર લખ્યા અને ચારે વખત તે ખાટા પડયો. પાંચમી વાર્ં જ્યારે તે એના ઉકેલ લઈને શિક્ષક પાસે પહેાંચ્યા ત્યારે શિક્ષકે કહ્યું: જવાબ ખાટા છે. હજી પણ પચીસ પૈસાના ગેટાળા છે. વિદ્યાર્થી ખાલ્યે! • સર! હું થાકીને લાથપેાથ થઈ ગયા છું. આ પચીસ પૈસા લેા, મને ધરે જવા દેા, કકડીને ભૂખ લાગી છે. તેણે પચીસ પૈસા કાઢીને ટેબલ પર મૂકી દીધા. બધાનુ... ધરાતલ અલગ અલગ હેાય છે. શિક્ષકની ભૂમિકા અલગ હાય છે. બંને એક નથી હેાતી શિક્ષકને પચીસ પૈસા સાથે કઈ લેવા-દેવા નથી. પરંતુ વિદ્યાર્થી તા એ જ સમજે છે કે શિક્ષક પચીસ પૈસા માટે મને રાકી રહ્યા છે. તે એવુ એટલા માટે માને છે કે તેની ભૂમિકા અલગ છે. વંદના થતા ખુશ ન થવું અને નિંદા થતા નારાજ ન થવું—એવું ત્યારે જ સંભવ છે. જ્યારે વ્યક્તિ નિમિત્તોથી દૂર જઈને ઉપાદાનના પરિષ્કાર કરી લે. Jain Educationa International ૧૧૪ For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ મૂળ દોષ છે મૂર્છા રાગ અને દ્વેષ મૂળ દેષ નથી. મૂળ દોષ છે, માહમૂર્છા. એ બધા દોષોની જડ છે, જ્યાં સુધી મૂર્છા ઉપસ્થિત છે ત્યાં સુધી રાગદ્વેષ ઉછરે છે. જ્યાં સુધી મૂર્છાને અન્ત નથી આવતા ત્યાં સુધી કાઈક વાર રાગ ઊભરે છે અને કાઈ વાર દ્વેષ ઊભરે છે. એને રોકી નથી શકાતા. અંદર જે આગ સળગી રહી છે, તેનેા તાપ અવશ્ય બહાર આવશે. અંદર માહ અને મૂર્છાની આગ છે. રાગ અને દ્વેષ એના તાપ છે, જ્યાં સુધી મૂર્છા છે ત્યાં સુધી એવું બનતું રહેશે. જયાચાયે જે લખ્યુ છે તે આ નિમિત્તોની દુનિયા નજર સમક્ષ રાખીને નથી લખ્યું. તેમણે અધ્યાત્મની દુનિયામાં, ઉપાદાનની દુનિયામાં પ્રવેશ કરીને લખ્યું છે. તેએ લખે છેઃ પ્રભુ! આપે દાવાનળ હેાલવી નાખ્યા. સમાપ્ત કરી દીધા.’જ્યારે દાવાનળ જ મુઝાઈ ગયા. ભયંકર આગ જ ખુઝાઈ ગઈ. અંદર સળગતી આગ જ હેાલવાઈ ગઈ તેા પછી તેના કાઈ તાપ બહાર નહિ આવશે. પછી ભલે વદના હોય કે નિંદા હાય, તેના કાઈ પ્રભાવ ન હશે, સર્વ કાંઈ અંદરથી આવે છે. જ્યારે ભીતરની જડ લીલીછમ રહે છે. ત્યારે બહારનું વૃક્ષ ફૂલે ફાલે છે, અંદરની જડ જો સુકાઈ ગઈ તા બહાર કશું પણ નહિ આવશે. નિમિત્તને બદલીએ કે ઉપાદાનને? એ દષ્ટિએ છે, એક છે નિમિત્તોને મિટાવવાની દષ્ટિ, વાતાવરણને બદલવાની દૃષ્ટિ, અને ખીજી છે ઉપાદાનને પરિષ્કૃત કરવાની દષ્ટિ. પ્રત્યેક ક્ષેત્રમાં તે ષ્ટિએ મળે છે. ચિકિત્સાના ક્ષેત્રમાં પણ ભંતે ષ્ટિએ છે. એક છે રાગ ખાવવાની. રાગને દબાવ્યા. થેાડા સમય સુધી લાગશે કે રાગ શાંત થઈ ગયા છે. પછી નિમિત્ત મળવાથી તે ઊભરાઈ આવે છે. આ છે નિમિત્ત દૂર કરવાની દૃષ્ટિ. એલાપેથિક ચિકિત્સા પદ્ધતિ ગ દબાવવાની પદ્ધતિ છે. મટાડવાની નહિ. તેથી એક રાગ દુખાવવા માટે દવા આપવામાં આવે છે. તે રાગ શાંત થઈ જાય છે. ખીજો ઊભરાઈ આવે છે. આ ક્રમ નિરંતર ચાલતા રહે છે. એલેપેથિક ચિકિત્સા ક્ષેત્રના ડૅાકટર સ્વય' કહે છેઃ આ કાઈ સ્થાયી ચિકિત્સા પદ્ધતિ નથી. એક વખત દવાના કાસ કરી લેા. રાગ દબાઈ જશે. પછી ચાર પાંચ મહિના પછી એ કૈાસને બેવડાવતા રહેા. રાગ ઊભરાઈને સામે નહિ આવશે. પણ રાગ કદી સમાપ્ત નહિ થશે. જ્યાં સુધી જીવશે। ત્યાં Jain Educationa International ૧૧૫ For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ સુધી આ ક્રમ ચાલતા રહેશે. આ છે એક દષ્ટિ કાણુ રાગને દબાવવાના, શાંત કરવાના. ખીજો દષ્ટિક્રાણુ છે—રાગને દૂર કરવાનેા, જડ મૂળથી તેને નષ્ટ કરવાના. મહાન રાજનીતિમાં પણ બંને દૃષ્ટિએ પ્રાપ્ત છે. પ્રાચીન ઇતિહાસમાં પ્રાપ્ત થાય છે કે કેટલાક રાજાએ પેાતાના શત્રુઓને ખાવતા હતા અને કેટલાક રાજાએ શત્રુઓના વહેંશને જ નષ્ટ કરી દેતા હતા. રાજનીતિજ્ઞ ચાણકયે લખ્યું છે : નાના સરખા અંકુરને પણ ઊખેડી ફેકા. ખબર પડે કે આ શત્રુ છે, તેના વંશને ખતમ કરી દે. જ્યારે અંકુર વધીને વૃક્ષ બની જાય છે. ત્યારે તેને ઊખેડી નાખવામાં ખૂબ શ્રમ કરવા પડે છે. શત્રુ ઉત્પન્ન થતા જ તેને નષ્ટ કરી દે. કાળની પ્રતીક્ષા નહિ કરે. પૃથ્વીરાજ દબાવવાની નીતિ પર ચાલી રહ્યો હતા. જો આ સ્થિતિ નહિ હેત તે। તે પરાસ્ત નહિ થાત અને હિન્દુસ્તાન પરાધીન ન થાત. એક તરફ શત્રુ આક્રમણ કરી રહ્યો છે અને પૃથ્વીરાજ તેને દુખાવવાના કે શાંત કરવાના પ્રયત્ન કરી રહ્યો છે પણ તે, વિલાસમાં ડૂબેલા છે. વાસ્તવિકતા પર ધ્યાન જ નહિ આપ્યું. તે પરાસ્ત થઈ ગયા. ખીજી તરફ એવાં પણુ ઉદાહરણ ધણાં છે. જેના વડે એ ફલિત થાય છે કે સત્તા શત્રુઓને નાશ કરવાથી જ સ્થાયી રહી શકે છે. ઉપશમન અને ક્ષય અધ્યાત્મના ક્ષેત્રમાં પણ બંને દૃષ્ટિ જોવા મળે છે. એક છે દુખાવવાની દૃષ્ટિ અને ખીજી છે સમાપ્ત કરવાની દૃષ્ટિ. એક હદ સુધી પહેલી દૃષ્ટિ પણ આવશ્યક રહે છે. કાઈ ખીમારીને! વેગ ધણા તીવ્ર છે. તેને તાત્કાલિક દબાવવાના ઉપાય આવશ્યક હોય છે. કેમ કે જો તેને દબાવવામાં ન આવે તેા વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તે સમયે કાઈ વિચારે કે તેના સ્થાયી ઇલાજ જ કરાવવમાં આવે તેા ઇલાજ કાના થશે? ત્યાં સુધી રાગી રહેશે નહિ. પહેલાં જ ઊપડી જશે. તેથી એકવાર તે તીવ્રતાને દૂર કરવી કે આછી કરવી પણ અનાવશ્યક નથી હેાતી પર ંતુ તેની પાછળ તે દૃષ્ટિ બની રહે કે ખીમારીને જડથી ઉખેડી નાખવાની છે. જો આ દૃષ્ટિ ગૌણુ થઈ જાય તેા તાત્કાલિક ઉપચારની દૃષ્ટિ ખતરનાક બની શકે છે. Jain Educationa International ૧૧૬ For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ જયાચાર્યે લખ્યું છે. પ્રભુ, આપે બે રસ્તા અપનાવ્યા. પહેલા આપે શાંત કરવાનો માર્ગ લીધો અને પછી સમાપ્ત કરવાનો માર્ગ અપનાવ્યો. પહેલા જ્યારે જ્યારે રાગદેષ ઊભર્યા આપ એને શાંત કરતા ચાલ્યા પરંતુ પછીથી આપે મેહ નિર્મૂળ કરવાને રસ્તો લીધો. ગુણસ્થાન અથવા કર્મશાસ્ત્રીય ભાષામાં બે શ્રેણીઓ માનવામાં આવે છે–એક છે ઉપશમ શ્રેણી અને બીજી છે ક્ષપક શ્રેણ. ઉપશમ શ્રેણીમાં કષાય નિર્મળ નથી થતા. શાંત હોય છે. તે અવસ્થા પણ કષાયોની સમાપ્ત અવસ્થા જેવી જ હોય છે. તે ક્ષણમાં કષાયને કઈ અંશ પ્રગટ નથી થતો. પરંતુ થોડા સમય પછી ઉપશાન્ત કષાય ફરીથી ઊભરાઈ આવે છે અને વ્યક્તિને એવો ધક્કો મારે છે કે તે નીચે પડી જાય છે. મૂળ સ્થિતિમાં આવી જાય છે ક્ષપક શ્રેણું નિર્મુલનની પ્રક્રિયા છે. તેમાં ગયા પછી અધ:પતન નથી થતું. સાધક આગળ આગળ વધતો જાય છે. અભિવ્યક્તિ અને ઉદ્દગમ આપણે આ બંને શ્રેણીઓને બીજી રીતે સમજીએ. શરીરમાં બે પ્રકારનાં ચૈતન્ય કેન્દ્ર છે. એક છે ઉપરનાં ચૈતન્ય કેન્દ્ર અને બીજો છે નીચેનાં ચૈતન્ય કેન્દ્ર નાભિ નીચેનાં જે ચૈતન્ય કેન્દ્રો છે તેમાં આવેગ અને આવેશની વૃત્તિઓ અભિવ્યક્ત થાય છે. તે અભિવ્યક્તિનાં કેન્દ્રો છે. ઉદ્દગમનાં કેન્દ્રો નથી. તેનાં ઉદ્ગમ કેન્દ્ર છે પિયૂટરી અને પિનિયલ લેન્ડ. તે ઉપરનાં ચૈતન્ય કેન્દ્ર છે. આ શરીર-શાસ્ત્રીય દષ્ટિકોણ છે. આ દષ્ટિથી પર જઈને જે આપણે વૃત્તિઓના ઉદ્દગમ સ્થળ શોધીએ તે આપણને તે કર્મમાં મળે છે. વૃત્તિઓનું ઉદ્ગમસ્થાન છે કર્મ શરીર, સૂક્ષ્મ શરીર. એનાથી આગળ જઈએ તે વૃત્તિઓનું ઉદ્ગમ સ્થાન છે કષાય. આ રીતે એક છે અભિવ્યક્તિનું સ્થાન અને એક છે ઉદ્ગમનું સ્થાન, માત્ર અભિવ્યક્તિનું સ્થાન નિષ્ક્રિય બનાવી દેવું, એ છે આપણું ઉપશમનની પ્રક્રિયા. નિમિત્તોને સમાપ્ત કરવાં, પરિસ્થિતિને બદલવી, અભિવ્યક્તિના કેન્દ્રને નિષ્ક્રિય કરવું–એ છે ઉપશમનની પ્રક્રિયા. પરિસ્થિતિ બદલાઈ ગઈ. અભિવ્યક્તિનું સ્થાન બદલાઈ ગયું હોય તો ઉપશાન્ત થઈ ગયું. વૃત્તિ શાંત થઈ ગઈ. તે બહાર નથી આવી શકતી. બહાર કેવી રીતે આવશે. વિદ્યુતપ્રવાહ ચાલુ છે. પરંતુ બબ યૂજ ૧૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયે હેત તે પ્રકાશ નહિ આવશે કેમ કે પ્રકાશને અભિવ્યક્તિ આપનાર સાધન નકામું થઈ ગયું છે. જ્યારે સ્વસ્થ સાધન પ્રયુક્ત થાય. છે તે પ્રકાશની ફરીથી અભિવ્યક્તિ થઈ જાય છે. અભિવ્યક્તિના કેન્દ્રને નિષ્ક્રિય બનાવી દેવાથી યથેષ્ઠ ફળ નથી મળતું. કેમ કે મૂળ હજી સુધી હાજર છે અને જેવું તે સક્રિય બનશે, કામ ચાલુ થઈ જશે. ઉપવાસ કર્યો. તપસ્યા કરી. ખાવાનું નહિ મળ્યું તે ઇન્દ્રિ શાંત થઈ જશે. બીજે દિવસે પારણુ કર્યા. ખાધું તે ઇન્દ્રિઓ ફરીથી પુષ્ટ થઈ ગઈ અને પિતાનું કામ કરવા લાગી ગઈ. વૃત્તિઓ સતાવવા લાગી ગઈ. ઉપશમ પ્રક્રિયાનું આ જ ફલિત છે. ઉપાદાન સુધી પહોંચીએ મનમાં ખરાબ વિચાર આવ્યો. સ્વાધ્યાય શરૂ કર્યો. વિચાર બદલાઈ ગયો. ખરાબ વિચાર જતો રહ્યો. સ્વાધ્યાય બંધ થયો. નિમિત્ત મળ્યું. ખરાબ વિચાર ફરીથી આવ્યું. આ બધી ઉપશમનની પ્રક્રિયા છે. આપણે ઘણુબધા જે પ્રવેગ કરી રહેલા છીએ તે ઉપશમના પ્રાગ છે, વૃત્તિઓને શાંત કરવાના પ્રયોગ છે, નિમિત્તોને બદલવાના પ્રયોગ છે. પરંતુ જ્યારે ઉપાદાન પરિષ્કાર થાય છે ત્યારે વાસ્તવમાં વૃત્તિઓને નાશ કરવાનો પ્રયોગ થાય છે. આ છે ક્ષપક શ્રેણીની પ્રક્રિયા. એમાં નિમિત્તની બાબતમાં કંઈ લેવા દેવા નથી. નિમિત્ત હોય યા ન હોય, પિતાની ઈચ્છા. પરિસ્થિતિ રહે કે ન રહે પિતાની ઈચ્છા. તેનો નિમિત્ત સાથે, પરિસ્થિતિ સાથે કે અભિવ્યક્તિનાં કેન્દ્રો સાથે કોઈ સંબંધ નથી. આ દષ્ટિએ તે બધા અર્થહીન છે. જ્યારે ઉપાદાનને પકડી લીધું, તેને શુદ્ધ કરવાને પ્રારંભ કરી દીધો, તેણે પરિષ્કાર કરી દીધે તે બધું જ થઈ ગયું. એ આવશ્યક છે કે આપણી સાધનાની દષ્ટિ ઉપશમ પર જ નહિ. અટકી જાય, પરંતુ તે ઉપાદાન સુધી પહોંચે. દોષને ક્ષીણ કરવાની પ્રક્રિયા સુધી પહોંચે. આપણે રોગને મટાડીએ, દબાવીએ નહિ. મટાડવાની પ્રક્રિયા વગર સાધને નકામી જેવી બની જાય છે અને એ જ કારણ છે કે સાધના કરતી વખતે ખૂબ સારા વિચારો આવે છે, પ્રશસ્ત ભાવ ઉત્પન્ન થાય છે અને લાગે છે કે વૃત્તિઓ શાંત થઈ ગઈ છે. પરંતુ સાધક જેવો પરિસ્થિતિ વચ્ચે આવે છે કે બધું જ વિપરીત જેવું બની જાય છે. લેકેને લાગે છે કે તેની સાધના કૃત્રિમ હતી. ૧૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પતિએ પત્નીને કહ્યું : મેં આજે ત્રણ વ્યક્તિઓના ઉપકાર કર્યા છે. પત્નીએ પૂછ્યું : એ કેવી રીતે? તેણે કહ્યું : મારી પાસે દસની નેટ હતી. મે' મન્તરમાંથી મીઠાઈ ખરીદી, પહેલા ઉપકાર મીઠાઈવાળા પર થયા કે એની દસ રૂપિયાની મીઠાઈ વેચાઈ ગઈ, મીઠાઈ લઈ હું આગળ વધ્યા. એક ભિખારી ભૂખથી તરફડતા હતા. અડધી મીઠાઈ તેને આપી દીધી. ખીજો ઉપકાર તે ભિખારી ઉપર થયેા. મારી નેટ નકલી હતી તે પશુ ચાલી ગઈ. ત્રીજો મારા ઉપકાર થયા. ત્રણ વ્યક્તિઓને ઉપકાર એકસાથે થઈ ગયે. શુકલ ધ્યાન એકમાત્ર ઉપાય કાઈ કાઈવાર લાગે છે કે ઉપકાર થઈ ગયા. સાધકને લાગે છે કે દસ દિવસની સાધનાથી મારા ઉપકાર થયા. ધરમાં શાંતિ રહી. એમ પણ લાગે છે શિબિરના ઉપકાર થઈ રહ્યો છે. આટલા લેાકા સાધના કરી રહ્યા છે. એ ઠીક છે. પરંતુ જો આપણે ક્ષીણુ કરવાની પ્રક્રિયાને સ્વીકાર ન કરીએ તેા આ ઉપકાર પણ નકલી આપણે વાસ્તવિકતાને સમજીએ, સચ્ચાઈને જ્યાચાયે પ્રગટ કરી છે અને જેના પર ભાર મૂકયો છે તે સચ્ચાઈ એ છે કે આપણે વૃત્તિએને ક્ષીણુ કરવાના રસ્તા અપનાવીએ. પ્રશ્ન થાય છે તે મા કયા છે જેથી વૃત્તિએ ક્ષીણ થાય છે? ઉપવાસ કે તપસ્યા કરવી, આસન કરવા ઇન્દ્રિયાના સંયમ કરવા. ભાજનને સંયમ કરવા, સ્વાધ્યાય કરવા, ધ્યાનની તાલીમ લેવીશું આ માગ વૃત્તિને ક્ષીણુ કરવાના નથી? આ ક્ષીણુ કરવાના માર્ગ તેા છે. પરંતુ મૂળને ઉખેડી ફેકવાનેા મા` એનાથી આગળ છે. આ મધ્યવર્તી ને સમાપ્ત કરવાને માગ છે. ઉપકાર બની જાય છે. સમજીએ. જે સચ્ચાઈને વચલા અર્થાત્ મધ્યવર્તી, મધ્યમ ધણા ખતરનાક હાય છે. આજની દુનિયામાં લાલ જેટલા ખતરનાક છે તેટલા ખતરનાક ખીજો ક્રાઈ નથી. રાજનીતિના ક્ષેત્રમાં જ શું. બધાં ક્ષેત્રમાં દલાલ ખતરનાક હાય છે. તે સ્થિતિને પરખવા જ નથી દેતા. ધ ક્ષેત્રના દલાલ છે -પડિત અને પૂજારી. તે માલિકને કદી મળવા જ દેતા નથી, કેમ કે તેમને પેાતાની લાલી પકાવવી છે. જો ભક્ત સીધા ભગવાનને મળી લે તા દલાલ શું કરશે ? Jain Educationa International ૧૧૯ For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ વચલાનો નાશ કરવો પણ આવશ્યક છે. આપણે જે પ્રયોગ કરીએ છીએ તેનાથી આ વચલાઓ અવશ્ય નષ્ટ થાય છે. મૂળ કારણ સમાપ્ત નથી થતું. ઉપાદાન સમાપ્ત નથી થતું. પરંતુ મૂળ કારણથી જે બંધ હોય છે-કર્મના, રાગના, ઠેષના—તે સમાપ્ત થઈ જાય છે. તે ક્ષીણ થઈ જાય છે. તે પણ મૂળ બાકી રહી જાય છે. આપણે ત્યાં સુધી પહોંચવું છે ધ્યાન દ્વારા. જયાચાર્યના શબ્દોમાં શુકલ ધ્યાન જ તેનો એકમાત્ર ઉપાય છે. તપસ્યાના બધા પ્રકાર નીચે રહી જાય છે. ધર્મધ્યાન પણ નીચે રહી જાય છે. માત્ર શુક્લ ધ્યાન જ એક એવો ઉપાય છે જે ઉપાદાન પર પ્રહાર કરે છે. બીજાં સાધનોમાં આ ક્ષમતા નથી કે તે ઉપાદાન પર પ્રહાર કરે. શુકલ ધ્યાન આત્માનું ધ્યાન છે. આ ચૈતન્યનું ધ્યાન છે. આ નિર્મળ ધ્યાન છે. આપણે ચિતન્યને અનુભવ કરવાનું છે. બધી સાધના ચૈતન્યના અનુભવ માટે છે. સાધનાથી એવી પરિસ્થિતિ નિર્મિત થાય કે ચૈિતન્યને અનુભવ થઈ શકે. વ્યક્તિ ચૈતન્ય સુધી પહોંચી શકે. જ્યારે ચિત્ત શુદ્ધ બને છે શુદ્ધ ચૈતન્ય અનુભવ થાય છે. ત્યારે ઉપાદાન પણ સમાપ્ત થવા લાગે છે. શુદ્ધ ચૈતન્ય જાગી ઊઠે છે. ધાતુશાધનની પ્રક્રિયા આજના વૈજ્ઞાનિક યુગમાં જીવનાર ધાતુ-શોધનની પ્રક્રિયા જાણે છે. અન્તરિક્ષયાન માટે દઢતમ ધાતુની આવશ્યકતા રહે છે. તે ધાતુ-ધનથી પૂર્ણ થાય છે. આ ધાતુ મજબૂત અને પ્રત્યેક પ્રહારને સહન કરવામાં સક્ષમ હોય છે. ધાતુ-શાધનની પ્રક્રિયા આ છે–ધાતુને એક દંડ બનાવવામાં આવે છે. તેમાં એક પણ વિજાતીય ધાતુનો કણ રહેવા દેવામાં નથી આવતું. બધા કાઢી નાખવામાં આવે છે. હવે તે દંડ ફેરવવામાં આવે છે. નીચે બીજી ધાતુ રાખવામાં આવી છે જેમ જેમ દંડ ફરે છે તેમ તેમ નીચેની ધાતુના વિજાતીય કણ આપમેળે અલગ થઈ જાય છે. આ પ્રક્રિયાથી ધાતુ શુદ્ધ બની જાય છે અને તે સુદઢ બની જાય છે. શુદ્ધ ધાતુ દ્વારા ધાતુને શુદ્ધ કરવામાં આવે છે, વિજાતીય કણને હટાવવામાં આવે છે. આપણે પણ ચિત્તને નિર્મળ કરીએ. આ બધી પ્રક્રિયા ચિત્તને નિર્મળ બનાવવાની પ્રક્રિયા છે. શ્વાસ-ધ્યાન, લેસ્ય ધ્યાન, શરીર પ્રેક્ષ, ૧૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્વાસ પ્રેક્ષા, ચૈતન્ય-કેન્દ્ર પ્રેક્ષા—આ બધાં આ પ્રક્રિયાનાં અંગ છે. આ પ્રક્રિયાથી ચિત્ત નિર્મૂળ થાય છે. એનાં બધાં વિજાતીય તત્ત્વ સમાસ થઈ જાય છે. પછી તે નિર્મળ ચિત્ત દ્વારા સ્વ-પ્રેક્ષા કરેા, પોતાની જાતને જુઓ, પેાતાને અનુભવ કરેા. નિર્મળ ચિત્ત દ્વારા જેમ જેમ પ્રેક્ષા થશે. વિજાતીય કણ ચૈતન્યથી અલગ થવા લાગશે. જાગૃતિ વધતી જશે, શુદ્ધ ચેતનાને અનુભવ થશે. જેમ જેમ શુદ્ધ ચૈતન્યને અનુભવ વધતા રહેશે. ઉપાદાન પરિષ્કૃત થતું ચાલ્યું જશે; જડતા સમાપ્ત થશે અને એક ક્ષણ એવી આવશે કે જેમાં શુદ્ધ ચૈતન્ય અભિવ્યક્ત થઈ જશે. જ્યારે શુદ્ધ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે જ્યારે બધાં વિન્નતીય તત્ત્વ દૂર થઈ જાય છે, ત્યારે વંદના થવાથી પ્રસન્નતા નથી થતી અને નિંદા થવાથી ખિન્નતા નથી થતી. કેમ કે પ્રસન્નતાનું અને ખિન્નતાનું કારણ જ ત્યાં સમાપ્ત થઈ જાય છે. પ્રસન્ન થવુ પણ મૂર્ખ છે અને ખિન્ન હાવું પણ મૂર્છા છે. જ્યારે મૂર્છાજ તૂટી ગઈ છે તેા પ્રસન્ન અને ખિન્ન થવાનું મૂળ કારણ જ સમાપ્ત થઈ ગયુ. વંદના થવાથી રાગ નગવાને નથી અને નિન્દા થવાથી દ્વેષ જાગવાના નથી. જયાચાયે આ સ્થિતિનુ આલેખન કર્યું છે, આકલન કર્યુ” છે. તે સ્થિતિમાં પહેાંચીને જ આપણે તે અવસ્થાના અનુભવ કરી શકીએ છીએ. તે ચરમ અવસ્થા છે, પરંતુ પહેલા પણ તેના અનુભવ થવા લાગે છે, જ્યારે વ્યક્તિ ધ્યાનના અભ્યાસ કરે છે, ધ્યાનની સ્થિતિમાં જાય છે ત્યારે તેને સ્વયં અનુભવ થાય છે કે ક્રોધ શાંત થઈ રહ્યો છે, વાસના અને ઉત્તેજનાએ શાંત થઈ રહી છે, વૃત્તિઓ ક્ષીણ થઈ રહી છે, મૂર્છા તૂટી રહી છે. દસ વર્ષોંની મૂર્છા એકસાથે નથી તૂટતી. તેનું તૂટવું ધીરે ધીરે થાય છે. ધ્યાનનેા અભ્યાસ જેમ જેમ આગળ વધે છે, મૂર્છા ઓછી થઈ જાય છે. મનુષ્યમાં ભાજનની મૂર્છા છે, સ્થાનની મૂર્છા છે અને રહેણીકરણીની મૂર્છા છે. શિબિરમાં પહેલા બે દિવસ અટપટા લાગે છે. ભાજન પણ નથી રુતું અને સ્થળ પણ સારું નથી લાગતું. પરંતુ ત્રીજે જ દિવસે આ બધા પ્રશ્નો સ્વયં શાંત થઈ જાય છે. માત્ર ભૂમિકા-ભેદ સાધના કરનારાઓમાં હમણાં બે પ્રકારના લેાકેા છે. કેટલાક લેાકાના આગ્રહ રહે છે કે ગરમી ખૂબ છે, તેથી પંખા ચાલવે! જોઈએ. કેટલાક લેાકા ઈચ્છે છે કે \'ખે ન ચાલે તેા સારું. પ ́ખા ચાલે, તેમને Jain Educationa International ૧૨૧ For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ તર્ક છે કે ગરમી ખૂબ છે. પંખા ન ચાલે, તેમને તક છે કે જ્યારે ધ્યાનના ઊંડાણમાં જઈએ છીએ, ત્યારે બહારની હવાને સ્પર્શ થતાં જ એવું લાગે છે કે જાણે મસ્તક પર વજન જેવું વરસી રહ્યું છે. ધ્યાનના ઊંડાણમાંથી ચિત્ત હટી જાય છે. અને તે બહારની હવામાં જ ફસાઈ જાય છે. આ તકે ખોટો નથી. ખૂબ યથાર્થ તર્ક છે. જ્યારે ધ્યાનનું ઊંડાણ આવે છે ત્યારે બહારના જેડાને ખખડાટ, પગને અવાજ કાનમાં પડતા જ એવો અનુભવ થાય છે કે કોઈ ઘા લાગી રહ્યો છે. તેથી ઊંડું ધ્યાન કરનારાઓને નિર્દેશ આપવામાં આવે છે કે ધ્યાન એવી જગ્યાએ ધરવામાં આવે જ્યાં બીજી વ્યકિત ન આવે, કઈ સ્પર્શ ન કરે, અવાજ ન કરે. નહિ તો ઘણું મોટા ધક્કા જેવું લાગે છે. આ બધી પરિસ્થિતિઓ સામે આવે છે. પરંતુ જેમ જેમ સાધના આગળ આગળ વધે છે. ધ્યાન પ્રબળ બને છે, આ બધી પરિસ્થિતિઓ આપમેળે સમાપ્ત થતી ચાલી આવે છે. જ્યારે આ થેડી સાધના દ્વારા પણ બદલવાને અનુભવ થાય છે તે જે સાધક તે પરમ અવસ્થામાં પહોંચી જાય છે જ્યાં ચેતના દ્વારા વિજાતીય ક્ષણ નીકળી જાય છે, ત્યાં સમતાને ચરમ વિકાસ કેમ નહિ થાય? પછી નિંદા અને પ્રશંસામાં સમ રહેવાને પ્રશ્ન અતિશયોક્તિ કે અતિ કલ્પનાનો નહિ રહેશે. આ માત્ર ભૂમિકા ભેદ છે. આ ભૂમિકા પર ઊભી રહેનાર વ્યક્તિ એક રીતે વિચારે છે અને બીજી ભૂમિકા પર ઊભી રહેનાર વ્યક્તિ બીજી રીતે વિચારે છે. આ ભૂમિકાભેદ હમેશાં રહે છે. આચાર્ય પ્રવર ઘણીવાર કહે છે : “હું મારી રીતે વિચારું છું અને સાધુ-સાધ્વીઓ પિતાની રીતે વિચારે છે. તે મારી ભૂમિકાને સમજી નથી શકતા. તેમની તથા મારી ભૂમિકા એક નથી. તેઓ કેઈ એક દૃષ્ટિએ જ વિચારે છે. અને મારે બધી દષ્ટિએ વિચારવું પડે છે. શિબિરમાં આવનારાઓનું પહેલા દિવસનું ચિંતન ભિન્ન પ્રકારનું હોય છે અને દસમા દિવસનું ભિન્ન પ્રકારનું. દસ દિવસની સાધનામાંથી પસાર થયા બાદ તેમને સમગ્ર દષ્ટિકેણુ જ બદલાઈ જાય છે. તે ભૂમિકાને આ પહેલા તેમણે કદી અનુભવ કર્યો જ નહિ હતો. તેથી તેમને દૃષ્ટિકોણ એક પ્રકારને હતો. જ્યારે તે ભૂમિકાને સ્પષ્ટ અનુભવ થઈ જાય છે ત્યારે દષ્ટિકોણ બદલાઈ જાય છે. જ્યાં સુધી સ્વયંને અનુભવ નથી થતો ત્યાં સુધી કશું નથી થતું. ૧૨૨ Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ જો કાઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે ધ્યાન ધરનાર જ્યારે ધ્યાનના ઊંડાણમાં જાય છે, ત્યારે તેને ધણા આનંદ આવે છે, તૃપ્તિના અનુભવ થાય છે, સુખ અને શાંતિ મળે છે. જે અન્યત્ર દુર્લભ છે. તે વ્યક્તિ ચોક્કસ વિચારશે કે આ અતિશયેક્તિ છે, ગપ્પુ છે. ધ્યાન વડે સુખ કયાં છે; સુખ છે સારું ભોજન કરવામાં, વાતાનુકૂલિત ભવનમાં રહેવામાં. સુખ સુવિધાએ હાય । ત્યારે તા સુખની વાત વિચારી શકાય છે. પરંતુ ગરમી હાય, કાઈ પ્રિય પદાર્થના યાગ નહિ હાય, પછી કહેવામાં આવે કે ખૂબ સુખ મળે છે, આનંદ મળે છે તેા તે અયથાર્થ વાત જ હશે અને જો કાઈ વ્યક્તિ ધ્યાન કરનાર વ્યક્તિની વાત માનીને ધ્યાન શિબિરમાં આવી જાય છે તા પહેલા અનુભવ થશે કે અહીં આવી ફસાઈ ગયા. હવે જો કહે, ફસાઈ ગયા તેાપણુ સારું નહિ લાગે, તા પેાતાની પ ́ગત (સંખ્યા) વધારે છે અને ખીજી વ્યક્તિઓને પણ ખેંચે છે. જે વ્યક્તિએ પાતાની ભીતરના અનુભવ નથી કર્યાં. જેણે અંતર્યાત્રા નથી કરી, જેણે બાહ્ય જગતની સીમાથી દૂર જઈને અંતર્ જગતની સીમામાં પેાતાના ચરણુ નથી મૂકવા, તે વ્યક્તિ અઘ્યાત્મની સચ્ચાઈઓને કદી સ્વીકાર નહિં કરશે, કદી નહિ સમજશે. આપણે ભૂમિકા-ભેદને બરાબર ધ્યાનમાં રાખીએ અને ઉપાદાન તથા નિમિત્તના ભેદને કદી નહિ ભૂલીએ. દર્દી શીખાય છે દ સ્વાભાવિક નથી હાતું. માનવી શીખે છે. વાતાવરણમાં આ તથ્ય ખૂબ વિચિત્ર જેવું લાગે છે કે ૬ છે. કાણુ શીખનાર છે? કેવી રીતે શીખી શકાય છે? ઊંડાણમાં જવાથી અનેક નવાં તથ્ય પ્રગટ થાય છે. ઈ પણ શીખી શકાય છે. સામાજિક વાતાવરણથી અલગ રહેનાર વ્યક્તિ જે ઈના અનુભવ નથી કરતી, તે ને અનુભવ સામાજિક વાતાવરણમાં રહેનાર વ્યક્તિ કરે છે. એનું કારણ પણ ખૂબ સ્પષ્ટ છે. ૬ હાય છે ભીતરના રસાયણને. સ્નાયુ કાશિકાઓમાં એક પ્રકારનું રસાયણ હેાય છે. તે ઈને ખૂબ પકડે છે. જે સામાજિક વાતાવરણમાં નથી રહેતા તેમની સ્નાયુકાશિકાઓમાં દઈ શકનારું રસાયણ વધારે માત્રામાં બને છે. તેથી બહારથી કાઈ સાય ધેાંચવામાં આવે તેા કાઈ નહિ થાય. શરીરને કાઈ ભાગ કાપી નાખવામાં આવે તેા કાઈ દર્દી નહિ થશે. જ્યાં સેાય Jain Educationa International ૧૨૩ For Personal and Private Use Only સામાજિક શીખી શકાય પ્રત્યેક વાતના Page #133 -------------------------------------------------------------------------- ________________ ઘેચાય છે, જે ભાગ કાપી નંખાય છે ત્યાં તે કઈ દર્દ થતું જ નથી. દર્દ થાય છે પીડા સંવેદન કેન્દ્રોમાં. પીડા સંવેદન કેન્દ્રને જે નિષ્ક્રિય બનાવી દેવામાં આવે ત્યારે દર્દી ક્યાં રહેશે? આજે સંવેદન કેન્દ્રને સંજ્ઞાશૂન્ય બનાવવાની વિવિધ પદ્ધતિઓ ચાલુ છે. મૂછ લાવનાર દ્રવ્ય સુંઘાડવામાં આવે છે અને કેન્દ્ર નિષ્ક્રિય થાય છે. સંમેહન વડે પણ કેન્દ્ર નિષ્ક્રિય થઈ જાય છે. આ રીતે અવયવોને નિષ્ક્રિય કરીને મોટાં મોટાં ઓપરેશન કરવામાં આવે છે. એક્યુપંકચર દ્વારા પણ એવું કરવામાં આવે છે. જે સંવેદન કેન્દ્રને નિષ્ક્રિય બનાવનાર રસ બની જાય તે પછી કંઈ પણ થાય, દર્દને અનુભવ નથી થતો. એક વ્યક્તિ સ્વાધ્યાય અથવા ધ્યાનમાં એટલે લીન થઈ ગયો કે તેનું પીડા-સંવેદન કેન્દ્ર નિષ્ક્રિય થઈ ગયું, પછી કંઈપણ કરે, તે વ્યક્તિને કશી ખબર નહિ પડશે. દર્દ આપમેળે નથી થતું એનું પણ એક કારણ હોય છે. આપણે ધ્યાન દ્વારા એવી પ્રક્રિયાઓનું આલંબન લઈએ છીએ, એવા પ્રયોગો કરીએ છીએ, જેથી બાહ્ય નિમિત્ત નિષ્ક્રિય બની જાય. આ પણ એક મહત્વપૂર્ણ વાત છે. વૃત્તિઓના જાગરણનાં જેટલાં કેન્દ્રો છે, તેમને એકવાર નિષ્ક્રિય કરવા ખૂબ જરૂરી છે, જેથી એ વૃત્તિ ન જાગે અને સાધના આગળ વધી જાય. સાધકને મૂળ સુધી પહોંચવાનો અવસર મળી જાય. તેથી આ કેન્દ્રોને નિષ્ક્રિય કરવા જરૂરી છે. આ અંતિમ નથી આટલી લાંબી ચર્ચા એટલા માટે કરી કે સાધક એને જ અંતિમ માનીને બેસી ન જાય. શરીરપ્રેક્ષા, શ્વાસપ્રેક્ષા, ચૈતન્ય–કેન્દ્ર પ્રેક્ષા, વેશ્યાધ્યાન–આ અંતિમ નથી. આ મધ્યવર્તી માર્ગનાં સાધન છે. મધ્ય વિશ્રામ છે. એ મંઝિલ નથી. આપણે ત્યાં સુધી પહોંચવાનું છે જ્યાં ચૈતન્યને અનુભવ થવા લાગે, અપ્રમાદ જાગી જાય, મૂછ તૂટે, જાગૃતિ વધે. આપણું અંતિમ લક્ષ્ય છે–મૂછની સમાપ્તિ અને જાગરણ. જે દિવસે આ બને છે ત્યારે આપણે પિતાની મૂળ ભૂમિકા પાસે પહોંચી જઈએ છીએ. જ્યાં પહોંચ્યા પછી બધી રેખાઓ સીધી થઈ જાય છે. તેમની વક્રતા દૂર થાય છે. સાધના કરનાર વ્યક્તિ સીધી રેખામાં પહોંચી જાય, મૂળ સ્થાને પહોંચી જાય. ધર્મ અને વક્તાને કેઈ સંબંધ છે જ નહિ. . ૧૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમામાં મેાક્ષને પર્યાયવાચી શબ્દ છે ઋજુ. ઋજુદર્શીને અ છે—મેાક્ષદર્શી. ઋજુતા એક અર્થ છે—સયમ. મેક્ષ ઋજુ છે. સંયમ ઋજુ છે. સાધના ઋજુ છે. કાંય કુટિલતાનેા અંશ ખચી જાય તા સાધના સમાપ્ત થઈ જાય છે. આપણે તે સીધી રેખા પર પહેાંચીએ જે બધી વક્રતાઓથી પર છે. ત્યાં પહોંચવાથી જે અનુભવ થશે તે શુદ્ધ ચૈતન્યનેા જ અનુભવ હશે અને આ બધા પ્રશ્નો જે આ ભૂમિકા પર ઊભરાય છે, તે આપમેળે શાંત થઈ જશે. Jain Educationa International ૧૨૫ For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૯ Jain Educationa International અન્તર્જગતના વૈભવ For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ प्रवचन : સંકેતિકા १ कल्प पुष्पमाल जे सुगंध तन सुहायो । सुरवधू वर नयन-भ्रमर, अधिक ही लिपटायो ॥ शब्द-रूप-रस-गंध-फरस, प्रतिकूल न हुवै तुम आगे । ज्यं पंच दरशन थां सूं पग नहीं मांडे, तिम अशुभ शब्दादिक भागे ॥ ३ सुरकृत जल स्थल पुष्प पुजवर, ते छांडी चित दीनो । तुझ निस्वास सुंगध मुख परिमल, मन-भ्रमर महा लीनो ॥ ४ पंचेन्द्री सुर वर तिरि तुम स्यूं, किम होवे दुखदायो । एकेन्द्री अनिल तजे प्रतिकूलपणूं, बाजे गमतो वायो ॥ (चौबीसी १९/२; २०/३. ५) પદાર્થની પ્રચુર સંપન્નતા છે. પણ માનવી અશાંત કેમ ? n સંપન્નતા અને વિપક્ષતા શું છે? 0 થિયરી ઓફ કેમ્પલેકસ રિલેટિવિટી. n મનુષ્યની દષ્ટિ બાઈકલ હેવી જોઈએ. - गध-विज्ञान में वैज्ञानि४ सच्याई. ચેતન્ય શક્તિ સૌથી મહાન શક્તિ છે. D આંતરિક સંપદાથી સંપન્ન કેણ? D પ્રાણશક્તિના વિચિત્ર પ્રયોગો. 0 અધ્યાત્મને વૈભવ અનોખી સંપત્તિ. ૧૨૭ Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ અન્તજ ગતના વૈભવ અશાંતિનું મૂળ દરિદ્રતા દરેક વ્યક્તિના મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે આજે જગતમાં પદાર્થોની સૌંપત્તિના ખૂબ વિકાસ થયા છે. મનુષ્ય ભૂતકાળમાં કદી પણ આટલે સ...પન્ન ન હતા. આટલી સમૃદ્ધિ હાવા છતાં પણ આજે આટલી અશાંતિ ક્રમ ? આ પ્રશ્નના ઉત્તર પદાર્થ જગતની પરિધિમાં કદી પ્રાપ્ત ન થાય. કાઈ કાઈવાર એવું થાય છે કે કેાઈ પ્રશ્નના ઉત્તર અજ્ઞાત પાસેથી મળી જાય છે. અજ્ઞાતની ભારીમાંથી એક સ્વર આવ્યો કે મનુષ્ય ખૂબ વિપન્ન છે. ખૂબ દરિદ્ર છે. દરિદ્રતા અને શાંતિ ને એકસાથે નથી હાઈ શકતાં. દરિદ્ર માનવી કદી શાંતિના અનુભવ નથી કરી શકતા. દુનિયામાં સૌથી મોટા અભિશાપ છે દરિદ્રતા. એક દરિદ્રતા આવે છે અને બધુ સારું સમાપ્ત થઈ જાય છે. એક સંપન્નતા આવે છે અને બધી બૂરાઈઓ, નબળાઈએ નીચે ખાઈ જાય છે અને વ્યક્તિ ખૂબ સારી લાગવા માંડે છે. સૌથી મોટા અભિશાપ છે—વિપન્નતા, દરિદ્રતા, દરિદ્ર માનવીને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? મૃત માન માનવથી ગરીબ કેમ? જવાબ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સ્પષ્ટ હતા. પરંતુ સમજમાં આવતું ન હતું કે આજના મનુષ્ય દરિદ્ર કેવી રીતે છે? કયાં છે? હારા હજારા વર્ષો પહેલાં જે સુખ સુવિધાઓને ઉપભેગ રાજા મહારાજા શેઠ કે સામંત કરતા હતા, તે સુવિધાઓને ઉપભેાગ આજની સામાન્ય વ્યક્તિ, એક નેાકર કરી શકે છે. તે કરે છે. આવી પરિસ્થિતિમાં માણસ દરિદ્ર કળ્યાં છે? વિપન્ન કયાં છે ? આજના યુગમાં પ્રત્યેક વ્યક્તિને જેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે. પહેલાં કદી પણ નહિં હતી. આજે પંખાની સુવિધા, વીજળી અને પાણીની સુવિધા, યાતાયાતની સુવિધા, સંદેશવ્યવહારની સુવિધા—આ બધી સગવડા પ્રાપ્ત છે. ભૂતકાળમાં મેાટા-મોટા લેાકેાને પણ આ સગવડ પ્રાપ્ત ન હતી. રાજા-મહારાજા પણ કશે જતા તા બળદના રથ કે ઘેાડાને રથ અથવા હાથીની સવારી પ્રાપ્ત હતી. એથી વધારે નહિ. આજે સામાન્ય માનવી પણ વિમાનમાં મુસાફરી કરી Jain Educationa International ૧૨૮ For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ લે છે. સમ્રાટાએ કદી વાયુયાન જોયું ન હતું. તે લેાકાએ એવી કલ્પના પણ નહેાતી કરી કે પ'ખીની જેમ ઊડી શકાય છે. અને એક છેડેથી ખીજે છેડે એટલી જ શીવ્રતાથી જઈ શકાય છે. આટલુ બધુ હોવા છતાં આજે વિન્નતા કાં ? પ્રશ્ન પણ સ્વાભાવિક છે અને આ ઉત્તર પણ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ બંને વચ્ચે જે સાપેક્ષતાનું સૂત્ર છે તેને પકડવુ ખૂબ જરૂરી છે. દુનિયાના પ્રત્યેક પદાર્થમાં વિરોધ પ્રતીત થાય છે. એક પણ તત્ત્વ એવું નથી જે વિરાધાભાસ પેદા ન કરતું હાય. આપણી દુનિયા વિરાધાભાસાથી ભરેલી છે. તે વિરેાધાભાસે વચ્ચે જો આપણે સમાધાન મેળવી શકીએ છીએ તેા તે માત્ર સાપેક્ષવાદ દ્વારા જ મેળવી શકીએ છીએ. અધ્યાત્મના ક્ષેત્રમાં ભગવાન મહાવીરે સાપેક્ષવાદનું સૂત્ર આપ્યું. એના દ્વારા અનેક દાનિક સમસ્યાઓ ઉકેલાય છે. થિયરી એફ કેમ્પ્લેકસ રિલેટિવિટી વિજ્ઞાનના જગતમાં, ભૌતિક પદાર્થના જગતમાં આઈન્સ્ટાઈને સાપેક્ષતાનું સૂત્ર આપ્યું. એનાથી વૈજ્ઞાનિક જગતની ઘણી બધી સમસ્યાએ હલ થઈ. આજે પણ સાપેક્ષવાદને વિકાસ થઈ રહ્યો છે. આઈન્સ્ટાઈને ‘થિયરી ઑફ રિલેટિવિટી' [Theory of Relativity] ના સિદ્ધાંત પ્રસ્તુત કર્યાં હતા અને અત્યારે ફ્રાન્સના એક વૈજ્ઞાનિક જોન ફરતે ‘થિયરી એક્ કાલેસ રિલેટિવિટી' [Theory of copmlex Relativity] ને સિદ્ધાંત વિકસિત કર્યાં છે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયા છે. આઈન્સ્ટાઈને જે કંઈ કહ્યું તેમાં ઘેાડા સુધારા થયા છે. એમાં કેટલીયે બાબતા નવી ઉમેરાઈ છે. ડૅા, જોન ફારેને જે વાત કહી, તે ભૌતિક જગતમાં આજે સૌથી વિશેષ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કાઈપણ ભૌતિક વિજ્ઞાનીએ આત્માના અસ્તિત્વને આજ સુધી સ્વીકાર નથી કર્યો, કેમ કે વૈજ્ઞાનિક જગત જ્યાં સુધી પરીક્ષણા દ્વારા તથ્યની સચ્ચાઈ નથી જાણી લેતું, ત્યાં સુધી તે કાઈપણ સચ્ચાઈને સચ્ચાઈના સ્વરૂપમાં સ્વીકૃત નથી કરતું. પછી ભલે તે સચ્ચાઈ હારેા ગ્રંથામાં પ્રતિપાદિત હેાય. જોન ફ્રારેને ભૌતિક પરીક્ષણેાના આધારે એ સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યા કે આત્માનું અસ્તિત્વ છે. આ એક નવી વાત ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સ્વીકૃત થઈ. મ૯ Jain Educationa International ૧૨૯ For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ પટ્ટાથ જગત અને આત્મ જગત એ પ્રકારનાં જગત આપણી સમક્ષ છે : એક છે પદાર્થનું જગત અને ખીજુ` છે. આત્માનું જગત. એક છે સ્થૂળ જગત અને ખીજું છે સૂક્ષ્મ જગત. એક છે બાહ્ય જગત અને ખીજુ છે અન્તર્ જગત. આપણે સૌ બાહ્ય જગતથી પરિચિત છીએ, સ્થૂળ અને પદાર્થ જગતથી પરિચિત છીએ. આપણે સક્ષમ અને અ-પદાર્થના જગતથી પરિચિત નથી. જોન ફેરેને મૂળ ની શેાધ કરતાં કરતાં તેના પત્તો મેળવ્યા. આજે વૈજ્ઞાનિક જગતમાં મૂળ કણની શેાધને પ્રશ્ન ખૂબ મહત્ત્વના છે. તે જાણવા ઇચ્છે છે કે મૂળકણુ શું છે? આ શેાધના સંદર્ભમાં જોન ફૉરેનને આત્માના અસ્તિત્વને અનુભવ થયેા અને આત્માના પરીક્ષણના સ્તરની એમને ખબર પડી. હવે આંતરિક જગતની વાત વાર્તા માત્ર નથી રહી, વણઉકેલ્યા ક્રાયડેા નથી રહી, તે ખૂબ સ્પષ્ટ થવા માંડી છે. આઈફલ લેન્સ જોઈએ ચશ્મામાં બે પ્રકારના લેન્સ હાય છે. નજીકનું જોવા માટે પ્લસને લેન્સ હેાય છે અને દૂરનું જોવા માટે માઈનસના લેન્સ હેાય છે. ક્રેટલીક વ્યક્તિ દૂરનું સ્પષ્ટ નથી જોઈ શકતી. તેએ માઈનસ લેન્સના ચશ્મા પહેરે છે. કેટલીક વ્યક્તિ નજીકનું સ્પષ્ટ નથી જોઈ શકતી, તે પ્લસ લેન્સના ચશ્મા પહેરે છે. પરંતુ આજે જરૂર છે એવા ચશ્માની જે એક સાથે તે કામ કરી શકે. જ્યારે વ્યક્તિ દૂરનું જોવા ઇચ્છે તેા દૂરનું જોઈ શકે અને નજીકનુ જોવા ઇચ્છે તા નજીકનુ જોઈ શકે. હવે એને ખાઈફાકલ લેન્સવાળા ચશ્માની જરૂર છે. એનાથી ખંને કામ એકસાથે થઈ શકે છે. એક પ્રકારની માછલી હેાય છે. જેની આંખેા બાઈફીકલ હેાય છે. એની આંખામાં બે પૂતળીએ હેાય છે. જ્યારે પાણીની અંદર હાય છે ત્યારે નીચેની પૂતળી કામ કરે છે અને જ્યારે પાણીની ઉપર આવે છે ત્યારે ઉપરવાળી પૂતળી કામ કરે છે. તેની દૃષ્ટિ ખાઈફાલ છે. આજે પ્રત્યેક માનવીએ તે માછલી જેવા બનવાની જરૂર છે કે બાઈફેકિલ ચશ્મા લગાડવાની જરૂર છે. જેનાથી તે સ્થૂળ જગતને પણ જોઈ શકે અને સૂક્ષ્મ જગતને પણ જોઈ શકે. જેનાથી તે પદાર્થ જગતને પણ જોઈ શકે અને અ-પદાર્થ જગત—ચૈતન્ય જગતને પણ જોઈ શકે, અને જેનાથી તે Jain Educationa International ૧૩૦ For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય જગતને પણ જોઈ શકે અને ભીતરી જગતને પણ જોઈ શકે તે જડને પણ જોઈ શકે અને આત્માની સત્તાને પણ અનુભવ કરી શકે. જ્યારે આ બંને વાત આવે છે ત્યારે અન્તર જગતમાં થતી સમૃદ્ધિને અનુભવ થઈ શકે છે અને ત્યારે એ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આજને માનવી આટલે સાધન-સંપન્ન હોવા છતાં પણ કેટલો વિપન્ન છે? કેટલે દરિદ્ર છે? જ્યાં સુધી અન્તર જગતની વિપન્નતા દૂર નહિ કરવામાં આવે ત્યાં સુધી શાંતિને પ્રશ્ન અનુત્તરિત જ રહેશે, પછી ભલે માનવી ગમે તેટલી ઊંઘની ગોળીઓને પ્રયોગ કરે. શાંતિ ત્યારે જ સંભવ છે જ્યારે ભીતરની સંપત્તિનો વિકાસ થયો હોય, અનુભવ થયો હોય અને આંતરિક તોને પ્રયોગ થયો હોય. અન્તજગતને ચકવર્તી આપણુ અન્તર્જગતની સંપત્તિ અપાર છે. જે વ્યક્તિ અંતર્યાત્રાને અભ્યાસ કરે છે. ધ્યાનના ઊંડાણમાં જાય છે, તેને સ્પષ્ટ અનુભવ થાય છે કે ભીતર શું છે. આટલા સમય સુધી મનુષ્ય પિતાની જાત સાથે પરિચિત થવાને પ્રયત્ન જ નથી કર્યો. જ્યારે સ્વને છેડે સરખે. પરિચય થયો કે તેની દૃષ્ટિ જ બદલાઈ ગઈ. તેને એ અનુભવ થયો કે ભીતરમાં એટલી સંપત્તિ છે કે જેની કોઈ સીમા નથી. તીર્થકર તે હોય છે જેને અન્તર્જગતને બધે વૈભવ ઉપલબ્ધ થઈ જાય છે. તે ચક્રવતી થઈ જાય છે. તીર્થકરનું એક વિશેષણ છે. – ઘHવરવાડતરવટ્ટી” એક હોય છે પદાર્થ જગતને ચક્રવર્તી અને એક હેાય છે, ધમ જગતને ચક્રવતી. એક હોય છે બાહ્ય જગતને ચક્રવર્તી અને એક હોય છે અંતર જગતને ચક્રવતી. બંનેને વૈભવ અપરિમિત હોય છે. એકને બાહ્ય વૈભવ અપરિમિત હોય છે અને એકને આંતરિક વૈભવ અપરિમિત હોય છે. અહંત કે તીર્થકર અન્તર્ જગતના ચક્રવર્તી હોય છે. તેમનું ઐશ્વર્ય, તેમને વૈભવ અપાર હોય છે. આચાર્યોએ તે વિભવનું થોડું વર્ણન કરવા પ્રયત્ન કર્યો છે. તેને સમજવો પણ સરળ નથી. ગધ વિજ્ઞાન : એક યથાર્થ જયાચા અખ્તર જગતનું સુંદર ચિત્ર દોર્યું છે. તેમણે એક વાત તરફ ઇશારે કરતા કહ્યું છે કે પ્રભુ! આપના શરીરમાંથી એટલી સુગંધ ૧૩૧. Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ફૂટે છે કે ખીજાની તા વાત જ શી. અરે! દેવીએ અને ઇન્દ્રાણીએ સ્વયં તે સુગ ંધથી મુગ્ધ થઈ જાય છે. મનુષ્યા તા મુગ્ધ થઈ જાય જ છે. તેમના ચિત્ત રૂપી ભ્રમર તે સુગંધમાં લપેટાઈ જાય છે. પ્રશ્ન થાય છે કે આ ગંધ આવે છે કાંથી? શું અત્તર કે સેન્ટની સુગધ તા નથી? પ્રત્યેક પ્રાણીના શરીરમાં ગંધ હોય છે. કાઈપણ પ્રાણી એવું નથી હેતું જેના શરીરમાં ગંધ ન હેાય. તીથૅ કર માટે લખવામાં આવ્યું—તેષાં ત્ર વેદ્દોન્મુત વધ:' તેમના શરીરનું રૂપ તથા ગંધ અદ્ભુત હાય છે. આ વાત સમજમાં આવતી નહેાતી, પરંતુ આજે આ વાત સ્પષ્ટ સમજમાં આવી રહી છે. કૂતરાની પ્રાણશક્તિ ખૂબ તીવ્ર હેાય છે. તે ગંધના આધારે અપરાધીઓને પકડી લે છે. આજે પેાલીસ વિભાગમાં કૂતરાના મેટા પાયા પર પ્રયાગ થઈ રહ્યો છે. અદાલતમાં કેસ ચાલી રહ્યો હતા. ન્યાયાધીશ સમક્ષ સાક્ષી આપવામાં આવી. જજે પૂછ્યું કે પત્તો કેાણે લગાડયો ? કયા આધારે આ કહેવામાં આવી રહ્યું છે? પેાલીસવાળાઓએ કહ્યું ઃ કૂતરાના આધારે. ન્યાયાધીશે કહ્યું કે કૂતરા પણ શું સાક્ષી હાઈ શકે છે? શું એના આધારે નિર્ણય કરી શકાય છે? પોલીસે કહ્યું : એને પ્રત્યક્ષ પ્રયાગ કરવામાં આવે. જજને રૂમાલ કૂતરાને સૂધાડવામાં આવ્યા, એમાં ખીજ પાંચ-સાત રૂમાલ ભેગા કરી બહાર મૂકી દેવામાં આવ્યા. કૂતરાને નિર્દેશ કરવામાં આવ્યા કે સૂંધેલા રૂમાલવાળા માણુસને પકડવાનેા છે. કૂતરાએ રૂમાલના ઢગલામાંથી પહેલા સૂંથેલા રૂમાલને મેાંમાં પકડયો અને અંદર આવીને જજ તરફ ધસ્યા. જજને કુર્સી પર બેઠેલા જ ગરદનમાંથી પકડી લીધા. આ બધું ગંધને આધારે થયું. આજે આ ગન્ધ-વિજ્ઞાન અસ્પષ્ટ નથી. આજના જીવશાસ્ત્રીઓએ ખીજી પણ અનેક શેાધેા કરી છે. પત`ગિયું ખૂબ નાનું અને અવિકસિત પ્રાણી છે. એક નર પતંગિયું અહીં બેઠુ છે. બે ત્રણ માઈલ દૂર તેનું માદા પતંગિયું છે. ગન્ધથી તે તેને એળખીને તેની પાસે ચાલ્યું જશે, હારે-હજાર માદા પતંગિયાંઓ વચ્ચે હાય છે પણ તે સીધે પોતાની માદા પાસે પહેાંચી જશે. ક્રમ કે તે માદાની ગધથી પરિચિત છે. આ એક વૈજ્ઞાનિક શેાધ છે. Jain Educationa International ૧૩૨ For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક પ્રાણીના શરીરથી ભિન્ન ભિન્ન પ્રકારની ગંધ નીકળે છે. પ્રાચીન સાહિત્યમાં “પમિની સ્ત્રી ને ઉલ્લેખ આવે છે. તેના શરીરમાંથી કમળ જેવી સુગંધ આવે છે. શરીરમાં કોઈ કમળ નથી હોતું, પરંતુ શરીરની ગંધ કમળ જેવી હોય છે. ભ્રમરો પણ તે કમળની સુગંધથી આકૃષ્ટ થઈને તે સ્ત્રીના શરીર પર ભ્રમણ કરતા રહે છે. અધ્યાત્મના ક્ષેત્રમાં ગંધને આ સિદ્ધાંત કસોટી રૂ૫ માનવામાં આવ્યો છે. ગંધના આધારે એ નિર્ણય લેવામાં આવી શકે છે કે વ્યક્તિ સાધનાની કઈ ભૂમિકાને સ્પર્શ કરી રહી છે. સાધનામાં પ્રયુક્ત કરવા પહેલા ગુરુ શિષ્યની કસોટી કરતા હતા. એમાં બે મુખ્ય કસોટીઓ હતી. એક રંગની અને બીજી ગંધની. રંગને વલય–આભા મંડળને જોઈને ગુરુ જાણું જતા કે શિષ્યની અધ્યાત્મ ભૂમિકા શી છે? એ ક્યાં સુધી વિકાસ કરી શકે છે? ગંધના આધારે જ જાણી શકાય છે. તીર્થકરની એક મોટી કોટી છે કે તેમના શરીરમાંથી અભુત ગંધ નીકળે છે. સુગંધને આધાર પર જાણી શકાય છે કે આ વ્યક્તિ તીર્થકર છે. અહંત છે. કોઈ અન્ય નથી. બીજી ઓળખ શી હોઈ શકે છે ? જ્ઞાનથી ઓળખી નથી શકાતું. જ્ઞાન દેખાતું નથી. આ અન્તર જગતની ઘટના છે. અન્તર્જગતની કોઈપણ ઘટનાથી વ્યક્તિને ઓળખવી દરેક વ્યક્તિ માટે સંભવ નથી હોતું. વ્યક્તિને ઓળખવા માટે કોઈ ને કોઈ બાહ્ય જગતની ઘટના અવશ્ય જ હેવી જોઈએ. ગધ બાહ્ય જગતની ઘટના છે. તેને શરીર સાથે ગાઢ સમ્બન્ધ છે. જે સાધકના શરીરથી અભુત ગંધ પ્રગટ થવા લાગી જાય તો સમજવું કે તે ઉપરની ભૂમિકા સુધી પહોંચી ગયો છે. તીર્થકર કે અહંત થઈ ગયો છે. પ્રકૃતિ પણ અનુકૂળ હોય છે. બીજી વાત જયાચાયે લખી છે ? પ્રભો! મનુષ્ય, તિર્યંચ અને પશુ એ બધાં પ્રાણ પોતાના વિરોધભાવને છેડીને અનુકૂળ બની જાય છે. બધા પરસ્પર મિત્ર બની જાય છે. આ કેઈ આશ્ચર્યની વાત નથી. પણ આશ્ચર્યજનક વાત તો એ છે કે આપ જ્યાં પણ જાઓ છો ત્યાં પ્રકૃતિ આપને અનુકૂળ થઈ જાય છે અને નાનામાં નાના પ્રાણુંએક ઇન્દ્રિયવાળા પણ આપને અનુકૂળ આચરણ કરવા લાગી જાય છે. તેમણે ખૂબ જ માર્મિક રીતે લખ્યું છે ? અશુભ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ બધાં બદલાઈ જાય છે. એ બધાં શુભ અને પ્રિય બની ૧૩૩ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ જાય છે. જેમ પાંચ દાર્શનિક સાંખ્ય બૌદ્ધ વગેરે આપની સામે ટકી શકતા નથી, તે પણ બદલાઈ જાય છે. તેવી જ રીતે પ્રકૃતિમાં રહેનારા બધાં પરમાણુઓમાં પરિવર્તન આવે છે, અશુભ અને અમના પરમાણુ શુભ અને મનોજ્ઞ બની જાય છે. પ્રતિકૂળ હવા અનુકૂળ બની જાય છે. પ્રકૃતિના કણ કણમાં અનુકૂળતા આવી જાય છે. તેમાં એક વિચિત્ર પ્રકારનું પરિવર્તન થાય છે. કેટલાક સમય પૂર્વે એક સાધકે પ્રયોગ પ્રસ્તુત કર્યો. હજારો લોકોએ જોયું કે આકાશમાં કઈ વાદળ નથી. તે સર્વત્ર ખાલી હતું. સાધક મંચ પર આવ્યો. આકાશ તરફ જોયું અને દશ મિનિટની અંદર તે સમગ્ર આકાશ વાદળોથી ભરાઈ ગયું. પછી સાધકને વાદળ વિખેરવાનું કહેવામાં આવ્યું. દશ મિનિટ પછી જોયું કે આકાશ વાદળોથી શૂન્ય છે. બધાં વાદળે અદશ્ય થઈ ગયાં. સૌથી મટી ચૈતન્યશક્તિ છે પ્રકૃતિના પરમાણુ ચૈતન્યની શક્તિથી પ્રભાવિત થાય છે. વિશ્વમાં જેટલી શક્તિઓ છે. તેમાં સૈથી મોટી શક્તિ ચૈતન્યની શક્તિ છે. પરમાણુ ની શક્તિ પણ અનંત અસીમ છે. પણ ચૈતન્યની શક્તિ સમક્ષ બધી શક્તિઓ પ્રભુત થઈ જાય છે. ખૂકી જાય છે. જ્યારે ચૈતન્યની શક્તિ જાગે છે ત્યારે પરમાણુ પ્રભાવિત થાય છે. માણુ શક્તિને પ્રભાવ આજે પરામને વિજ્ઞાનના ક્ષેત્રમાં પદાર્થને પ્રભાવિત કરવાના અનેક પ્રયોગ થઈ રહ્યા છે. આ માનવામાં જ નથી આવતું, પરંતુ પ્રમાણિત પણ કરવામાં આવ્યું છે કે ચૈતન્ય શક્તિ દ્વારા પ્રાણશક્તિ દ્વારા–પદાર્થોને પ્રભાવિત કરી શકાય છે. તેને બદલી શકાય છે. એક ભારી વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાય છે. તેને ઉચ્ચ સ્થાને લઈ જઈ શકાય છે અને તેનું રૂપાંતર પણ કરી શકાય છે. આ એક વિક્રિયાને સામાન્ય પ્રયોગ છે. વૈક્રિયલબ્ધિ અર્થાત વિક્રિયાને પ્રયોગ. એના દ્વારા અનેક પ્રયોગ કરી શકાય છે. એના માધ્યમથી અનેક વસ્તુઓનું નિર્માણ અને રૂપાંતરણ કરી શકાય છે. જ્યારે ભીતરને વૈભવ જાગે છે. વ્યક્તિ સ્વયં સમર્થ બની જાય છે. જ્યાં સુધી ભીતરનું ઐશ્વર્ય નથી જાગતું ત્યાં સુધી હજારે શક્તિઓ ૧૩૪ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ હાવા છતાં પણ માનવી ભીતર ખીતાખીતા રહે છે. કમજોર રહે છે. તે કશું પણ નથી કરી શકતા. બધા લેાકા જાણે છે કે જેના હાથમાં સત્તા છે, વિવિધ પ્રકારની શક્તિઓ છે, તે બધાંને નબળાઈએ સતાવે છે. ભય સતાવે છે. કાઈ પણ રાષ્ટ્રપતિ અંગરક્ષકેા વગર જીવતા નથી. ક્રાઈષ્ણુ પ્રધાનમ ́ત્રી અંગરક્ષાની ફેજ વગર અને સત્રીઓના પહેરા વગર ખુલ્લા આકાશમાં નથી જીવતા. જેટલા પણ મેાટા માટા માણસે છે તે બધા દબાયેલા રહે છે. ભયભીત રહે છે. એનું કારણ છે કે તેમની ભીતરની કમજોરી તેવી ને તેટલી જ રહે છે. તે કદી સમાપ્ત થતી નથી. મનના ભય સદા વિદ્યમાન રહે છે. સત્તા કે વૈભવનું કામ હૈાય છે કે વ્યક્તિને બહારથી સમૃદ્ધ બનાવી દેવી અને ભીતરથી તેટલી જ કમજોર અને દુર્ગંળ બનાવી દેવી. મહાન સંત કાન્ફ્યુશિયસે કહ્યું : હું સમ્રાટ છું, લેાકેાએ કહ્યું : કેવું પાગલપન ! ફકીર છે અને પેાતાની જાતને સમ્રાટ કહેા છે. વાત સમજમાં નથી આવતી. સમ્રાટની પાસે સેવા હાય છે. તમારી પાસે સેવક્રા કયાં છે? સંતે કહ્યું : હું આળસુ નથી. હું શ્રમ કરું છું. સેવક એનૈ જોઈએ જે આળસુ હોય છે. શ્રમથી દૂર ભાગે છે. હું કર્મણ્ય છું. અકલ્પ્ય નથી. સેવÈાનું ન હાવું સમ્રાટ થવામાં બાધક નથી. તમારી પાસે શસ્ત્ર કયાં છે? સમ્રાટ પાસે ખૂબ વિશાળ શસ્ત્રાગાર હાય છે. તમારી પાસે શસ્ત્રાગાર કન્યાં છે? હું કાયર અને ડરપોક નથી. કાયર અને ડરપેાક વ્યક્તિને શસ્ત્રોની જરૂર હેાય છે. તમારી પાસે સેના કયાં છે? સમ્રાટ પાસે વિશાળ સેના હાય છે. હું શક્તિશાળી છું. મારા પર ઠ્ઠાઈ પણ આક્રમણુ નથી કરી શકતું. મને કાઈના ભય નથી. મારે માટે સેના અનાવશ્યક છે. સેના એને જોઈએ જે ભયભીત છે. ખીજાના આક્રમણની આશંકાથી ભરાયેલે હાય છે. તમારી પાસે ધન કયાં છે જે સુખ-સુવિધા આપી શકે. સમ્રાટ પાસે અપાર ધન હેાય છે. ધન ગરીબ અને દરદ્રને જોઈએ. હું દરદ્ર નથી. હુ* આંતરિક સંપદાથી સપન્ન છું. લેાકેાએ માની લીધું કે કન્ફ્યુશિયસ જ સમ્રાટ છે. Jain Educationa International ૧૩૫ For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં જ્યારે આંતરિક ચક્રવર્તિત્વ જાગ્રત થાય છે. ભીતરનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે ત્યારે વ્યક્તિમાં એટલી શક્તિ જાગે છે, તેને એટલું પરાક્રમ તથા સામર્થ્યને અનુભવ થાય છે કે તેને કઈ પણ ઘટના ભયભીત નથી કરી શકતી. પરાજિત નથી કરી શકતી. આપણે અન્તર્જગતને વૈભવ અધ્યાત્મને વૈભવ છે. આત્માને વૈભવ છે. જે વ્યક્તિએ એને અનુભવ કર્યો છે. તેનું મનોબળ અવશ્ય જગ્યું છે. એનું શરીરબળ પણ જાગ્યું છે અને તેનું વચનબળ પણ જાગ્યું છે. આપને આશ્ચર્ય થશે કે ધન અને સત્તા પ્રાપ્ત કરવાની ઉત્સુકતા રાખનાર બધા લેકે સંન્યાસીઓના આશીર્વાદ લેવા જાય છે. એમને બારણે આંટા-ફેરા મારે છે. કેઈક કાઈ મહાત્માના આશીર્વાદ લેવા દોડે છે અને કેઈક કોઈ માના આશીર્વાદ લેવા માગે છે. બધાં તે અકિંચને પાસે જાય છે અને વિચારે છે કે એક પણ વચન નીકળી ગયું તે નિહાલ થઈ જઈશું. સમ્રાટ પણ ફકીરોની પાસે જાય છે. આજે પણ લોકોના મનમાં એ વિશ્વાસ રહે છે કે અધ્યાત્મના વૈભવથી યુક્ત વ્યક્તિના આશીર્વાદ જ સર્વ કાંઈ છે. જે તે નથી મળતા તે બધું હોવા છતાં પણ લાગે છે કે કંઈ પણ નથી. વચનનું બળ જાગે છે અધ્યાત્મની સાધન દ્વારા, મને બળ પણ અધ્યાત્મ વડે જ જાગ્રત થાય છે. સંકલ્પમાં એટલી શક્તિ આવી જાય છે કે વ્યક્તિ કેટલીય દૂર બેઠી હાય, ઊભી હાય, મનના સંક૯પ પ્રમાણે તેણે કાર્ય કરવું પડશે. મનનું બળ જ્યાં સુધી જાગતું નથી ત્યાં સુધી સંદેહના ઘેરામાં જ રહે છે. તેને એ પણ વિશ્વાસ નથી થતો કે આ કામ થઈ શકશે. સંદેહ કદી દૂર હટ જ નથી. તે હમેશાં તે ને તે જ રહે છે. શરીરનું બળ પણ જાગી જાય છે. મેગની સાધના કરનાર વ્યક્તિમાં શરીરનું બળ જાગે છે. પ્રાણુ પર નિયંત્રણ કરનાર વ્યક્તિમાં શરીરનું બળ જાગે છે, તેટલું બળ બીજામાં નથી જાગતું. ટોનિક બેકાર બની જાય છે. હાથી કે ટ્રકને પિતાની છાતી પરથી કેાઈ પસાર કરી શકતું નથી. પરંતુ પ્રાણ પર નિયંત્રણ પ્રાપ્ત કરનાર વ્યક્તિ એ વાતને અત્યંત સાધારણ સમજે છે અને તે પોતાની છાતી પરથી હાથી અને ટ્રકને પણ લઈ જઈ શકે છે. હમણાં પાછલી શિબિરમાં એક સંન્યાસી દિલ્હીથી આવ્યા હતા. તમને મનમાં પ્રેક્ષા ધ્યાનને શીખવા-સમજવાની આતુરતા હતી. તેઓ શિબિરમાં રહ્યા. એક દિવસ તેમણે પોતાની પ્રાણશક્તિનો ચમત્કાર ૧૩૬ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ દેખાડયો. હજારાની પરિષદમાં તેમણે એક સધન લેાખંડની સાંકળને શ્વાસનું નિયંત્રણ કરીને કાચની જેમ તાડી નાંખી. તેના અનેક ટુકડા થઈ ગયા. આ શ્વાસની શક્તિનેા પ્રયાગ છે. જ્યારે ભીતરને! વૈભવ જાગે છે ત્યારે શરીરબળ, મનેાખળ અને વચનબળ જાગે છે. માનવી અત્યંત શક્તિશાળી બની જાય છે. જયાચાયે લખ્યું છે : પ્રભુ! આપની તેા વાત જ શી, આપનું ધ્યાન ધરનાર વ્યક્તિ, આપની સાથે તન્મયતા કે એકાત્મકતા સ્થાપિત કરનાર વ્યક્તિ પણ સ`પન્ન બની જાય છે. તેને આધ્યાત્મિક ચેતનાના અશ્વની સાથે સાથે સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. તે અનેક ઋદ્ધિએ ને સ્વામી બની જાય છે. જૈન ગ્રંથામાં અનેક ઋદ્ધિનું વિસ્તૃત વર્ણન છે, જેની પ્રાપ્તિ યેાગીઓને થાય છે. મહર્ષિ પતંજલિએ ‘વિભૂતિ' શબ્દના પ્રયાગ કર્યા છે અને જૈન આગમામાં ઋદ્ધિ' શબ્દના પ્રયાણ પ્રાપ્ત છે. બે પ્રકારના મનુષ્ય હેાય છે ઋદ્ધિ પ્રાપ્ત અને ઋદ્ધિ શૂન્ય. ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, અર્હત્, તીર્થંકર વગેરે-વગેરે વિશિષ્ટ વ્યક્તિ ઋદ્ધિ પ્રાપ્ત હેાય છે. વિશિષ્ટ સાધના કરનાર ઋદ્ધિએથી સપન્ન હાય છે. હુિ હાય તા લેવા-દેવા છે? સાધુ ઋદ્ધિમાન હેાય છે. જો તેમની પાસે અશ્વ લે! શા માટે તેમના દ્વારે આંટા મારતા હેાય છે? શુ શું મળે છે એમની પાસેથી? તે ધન કંઈક ખીજુ જ હાય છે, સ એટલું જ અંતર છે. આ દષ્ટિએ કહી શકાય છે કે ધનવાન વ્યક્તિ ધનવાનને ત્યાં જ ચક્કર લગાવે છે, નિધનને ત્યાં નહિ. જો નિધનને ત્યાં જ ચક્કર લગાવતે તા એક ભિખારીનું ચક્કર લગાવતે. ` એક ભિખારી શેડની કાઠી પર ગયા. ખેાલ્યા : શેઠ સાહેબ, પૈસા આપે. શેડ બેલ્યા : પૈસા નથી. ભિખારીએ કહ્યું ઃ રેટલી આપે. રોટલી પણ નથી. સારું, ફાટેલાં કપડાં આપી દે. કપડાં પણ નથી. આટલું સાંભળતા જ ભિખારી ખેાલ્યેા : તેા પછી અહીં શા માટે ખેડા છે, મારી સાથે ચાલે. આપણે બંને ભીખ માગીશું. કાઈપણ વ્યક્તિ ભિખારીની સાથે નથી જતી. દરિદ્રથી પણુ દરિદ્ર વ્યક્તિ પણ દરિદ્રના દ્વારે આંટા નથી મારતી. ત્યાગી સાધુએ અને Jain Educationa International ૧૩૭ For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ સંન્યાસીઓની પાછળ, જ્યાં પણ આધ્યાત્મિક વૈભવને અનુભવ થાય છે, હજારો ધનકુબેર અને સત્તાધીશ દેડતા દોડતા જાય છે. એને ફલિતાર્થ એ થાય છે કે આધ્યાત્મિકતાથી સંપન્ન વ્યક્તિ કદી વિપન્ન નથી હોતી, દરિદ્ર નથી હોતી. તે ખૂબ વૈભવશાળી હેય છે, સંપન્ન હોય છે. સંપન્ન વ્યક્તિ હમેશાં પિતાનાથી વધારે સંપન્ન વ્યક્તિનું જ દ્વાર ખખડાવે છે. પિતાનાથી ઓછા વૈભવશાળી વ્યક્તિને તારે કદી નથી જતી. આ નિયમ સમજવામાં આપણને જરા પણ મુશ્કેલી પડતી નથી. અધ્યાત્મને અનુભવ એક અનોખી સંપદા છે. જયાચાર્યો આ રહસ્યને સ્તુતિના માધ્યમ દ્વારા ખૂબ જ ઉપસાવ્યું છે અને એનું એક હદયગ્રાહી ચિત્રણ પ્રસ્તુત કર્યું છે. વાંચનાર વ્યક્તિ વાંચતા વાંચતા આપમેળે આ અનુભવની ભૂમિકા પર પહોંચી જાય છે કે અધ્યાત્મની સાધના સંપન્નતાની સાધના છે. એ વિપન્નમાંથી સંપન્ન થવાની સાધના છે. જે વ્યક્તિ આ સંપન્નતાની ભૂમિકા પર પહોંચી જાય છે તેને ધનની વિપન્નતા કદી સતાવતી નથી. ૧૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧૦ સ્વાશ્ય અને સમાધિ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ अवथन : १० સંકેતિકા 9 नील वर्ण मल्लि जिनेश्वर, ध्यान निर्मल मांही प्रभू परमज्ञान अल्पकाल ३ २ श्वेत वरण प्रभु शोभता, वारु वाण अमामी हो । उपशम रस गुण आगली, मेटण भव-भव खामी हो ॥ द्वादशमा जिनवर भजिए, राग द्वेष मच्छर माया तजिये । प्रभु लाल वरण तन छिव जाणी; प्रभु वासुपूज्य भजले प्राणी ॥ (चौबीसी १९/१ : ९ / २, १२/१) D સિદ્ધની આરાધના રંગોના આધારે. n સ્વાસ્થ્યને આધાર નાડી-સસ્થાન. – શિવાદેવી બધાની અંદર છે. D પ્રજ્ઞાનું ઘર જ વાસ્તવિક ધર છે. Jain Educationa International ध्यायो । पायो ॥ समाधि स्वास्थ्य छे. समाधिनी ऋण मुस्लीओ - व्याधि, व्याधि ने उपाधि રંગવિજ્ઞાન १४० For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સ્વાસ્થ્ય મગળ છે मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम् ॥ મંગનું મતિમાત્ મિક્ષુ: મંગામજી: मंगलं रायचन्द्राद्या: मंगलं तुलसीगुरुः ॥ 1 સ્વાસ્થ્ય અને સમાધિ ચિંતન કરનાર અને ચિંતન ન કરનાર બધી વ્યક્તિ પોતાના જીવનને મૉંગલમય બનાવવા ઇચ્છે છે. અમંગળ કાઈ ઇચ્છતું નથી. મંગળનુ' સર્વ પ્રથમ ચરણ છે. સ્વાસ્થ્ય, આ શરીરનું મૉંગળ છે. મનનું મંગળ મનનું સ્વાસ્થ્ય. ભાવનાનું મ ́ગળ ભાવનાનું સ્વાસ્થ્ય. જ્યારે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય, અને એના કરતાં પણ વધારે ભાવાત્મક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે ત્યારે સમાધિ આપમેળે પ્રાપ્ત થાય છે. સમાધિ માટે વધુ પ્રયત્ન કરવાની જરૂર નથી. સમાધિ તેા આપણી સ્વાભાવિક અવસ્થા છે. વચ્ચે જે વિઘ્ન આવે છે, તે મુશ્કેલીઓને દૂર કરી દઈએ. શિલાચટ્ટાનેાને હટાવી દઈએ. તા તે સ્વાભાવિક અવસ્થા પ્રગટ થઈ જાય છે. સમાધિનું નિર્માણ નહિ કરવું પડે, તે તે અંદર સ્થિત છે. માત્ર મુશ્કેલીએ દૂર કરવાથી તે અભિવ્યક્ત થઇ જાય છે. ત્રણ મુશ્કેલીએ સમાધિની ત્રણ મુશ્કેલીએ છે : ૧ વ્યાધિ—શરીરની ખીમારી ૨ આધિ—મનની ખીમારી ૩ ઉપાધિ—ભાવનાની બીમારી આ ત્રણે ખીમારીએ એકખીજાથી ચઢિયાતી છે. આ ત્રણેને દૂર કરવાથી સમાધિની ઘટના સ્વયં અને છે. પ્રેક્ષાધ્યાનને ક્રમ છે. આ ત્રણે મુશ્કેલી કે બીમારીઓને સમાપ્ત કરવાના ક્રમ છે. અનેક સાધકને અનુભવ છે કે પ્રેક્ષાધ્યાનથી અનેક શારીરિક રોગ મટે છે, એનાથી આદતા બદલાય છે. અનેક વ્યક્તિએને પેાતાની ચિર-પેષિત આદતાથી છુટકારા મળે છે. Jain Educationa International ૧૪૧ For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ મંગલ ભાવના સમાવિરમુત્તમં તુિ———આ સૌથી માટી મંગલભાવના છે. એમાં ત્રણ વસ્તુઓની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. ૧ સ્વાસ્થ્ય મળે ૨ ખેાધિ—સમ્યગ્ દષ્ટિ મળે ૩. સમાધિ મળે. આરોગ્યની પ્રાપ્તિ—આ સૈાથી માટી મગલભાવના છે. રાગી બિચારા શું કરી શકે? શું કરશે ? તે બેસે છે તેા પગ સાથ નથી દેતા. પ્રેક્ષા કરે છે તે! મસ્તક સાથ નથી આપતું, મસ્તક ફાટવા લાગે છે. જેનું નાડી-સંસ્થાન મજબૂત નથી તે સાધના કેવી રીતે કરી શકશે, સ્વાસ્થ્યનું લક્ષણુ છે. નાડી-સ ંસ્થાનનું શક્તિશાળી હોવું. નાડી-સંસ્થાન જેટલું શક્તિશાળી હાય છે માનવી તેટલા જ સ્વસ્થ હાય છે. મેાધિ મળે—આ પણ મોંગલ ભાવના છે. ખેાધિના અર્થ છે— સમ્યગ્ દૃષ્ટિ. જ્યારે દષ્ટિ સમ્યગ્ હાય છે ત્યારે કાર્ય ચાગ્ય થાય છે. જ્યારે દષ્ટિ મિથ્યા હાય છે ત્યારે કા યોગ્ય નથી થતું. સમ્યગ્ દૃષ્ટિની પ્રાપ્તિ પણ સહેજ નથી હેાતી. સમાધિ મળે—જ્યારે આરાગ્ય પ્રાપ્ત થાય છે, મેાધિ થાય છે ત્યારે સમાધિ આપમેળે ઉપલબ્ધ થાય છે. એને ખૂબ જ સુન્દર ઉપાય બતાવવામાં આવ્યા છે. હમણાં અમે તેના પર સંપૂર્ણ ધ્યાન નથી આપ્યું. આ ઉપાય લાગસ્સ'ની પાટીમાં નિર્દિષ્ટ છે. લેગસ્સ'નું ધ્યાન ધરનાર જાપ કરનાર પણ તેના પર પૂરું ધ્યાન નથી આપી રહ્યા. લેગસ્સનું એક મહત્ત્વપૂર્ણ પદ્ય છેઃ चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥ સિદ્ધની આરાધના રંગાના આધારે : ત્રણ ઉપલબ્ધિ છે ૧ સિદ્ધની આરાધનાથી આરેાગ્ય મળી શકે છે. ૨ સિદ્ધની આરાધનાથી ખેાધિ મળી શકે છે. ૩ સિદ્ધની આરાધનાથી સમાધિ ઉપલબ્ધ થઈ શકે છે. Jain Educationa International ૧૪૨ For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધની આરાધના આપણે ત્રણ રૂપમાં કરીએ ? ૧ ચાંદના રૂપમાં સિદ્ધનું ધ્યાન કરીએ. શ્વેત રંગનું ધ્યાન કરીએ. ૨ સૂર્યના રૂપમાં સિદ્ધનું ધ્યાન ધરીએ. લાલ રંગનું ધ્યાન કરીએ. ૩ સાગરનાં રૂપમાં સિદ્ધનું ધ્યાન કરીએ. સમુદ્રને રંગ ભૂરો, હોય છે. આપણે ભૂરા રંગનું ધ્યાન ધરીએ. જયાચાર્યે આ ત્રણે રંગો—ત, લાલ, અને ભૂરાના યાનની ચર્ચા કરી છે. પશ્ચિમના ઓકટ સાયન્સના લેકે માને છે કે ભૂરો વર્ણ અધ્યાત્મનું પ્રવેશદ્વાર છે. વિશુદ્ધિ કેન્દ્ર પર ભૂરા રંગનું ધ્યાન ધરવામાં આવે છે. વિશુદ્ધિ કેન્દ્ર એક મુખ્ય ચૈતન્ય-કેન્દ્ર છે. આ અધ્યાત્મનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. લાલ વર્ણનું ધ્યાન દર્શનકેન્દ્ર પર કરવામાં આવે છે. શ્વેત વર્ણનું ધ્યાન જ્યોતિકેન્દ્ર પર કરવામાં આવે છે. જે વ્યક્તિ પ્રતિદિન આ ત્રણ રંગો –ભૂરે, લોલ અને શ્વેતનું ધ્યાન ધરે છે તે શારીરિક સ્વાસ્થને પણ અનુભવ કરે છે. વૈદિક સાહિત્યમાં સંધ્યાયાનનું વિધાન છે. સંધ્યા સમયે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું ધ્યાન ધરવામાં આવે છે તેમાં આ ત્રણે રંગે–લાલ, શ્વેત અને કૃષ્ણનું ધ્યાન હોય છે. કૃષ્ણને અર્થ કાળો નહિ પણ ભૂરો છે. આ ધ્યાનના પરિણામની ચર્ચામાં બતાવ્યું છે કે આ ત્રણ રંગોનું ધ્યાન કરનાર પિતાના સ્વાસ્થને પણ પ્રાપ્ત કરે છે, નાડી સંસ્થાના સ્વાસ્થને આધાર છે સર્વ પ્રથમ વાત છે–સ્વાસ્થની ઉપલબ્ધિ. જ્યારે શારીરિક સ્વાશ્ય ઠીક હોય છે ત્યારે માનસિક સ્વાશ્ય પણ સારું રહે છે. માનસિક સ્વાથ્યમાં સૌથી મોટી મુશ્કેલી છે શારીરિક સ્વાસ્થે. જેનું નાડી-સંસ્થાન મજબૂત નથી હતું, તે વ્યક્તિ માનસિક બીમારીથી ગ્રસ્ત હશે. માનસિક સ્વાસ્થ માટે નાડી-સંસ્થાનને શક્તિશાળી બનાવવું ખૂબ આવશ્યક છે. નાડી-સંસ્થાન જેટલું નિર્મળ અને શક્તિશાળી હશે, માનસિક સ્વાશ્ય તેટલું જ સ્થિર અને નિર્મળ હશે, ભાવનાત્મક ગરબડામાં પણ આ બને કારણે હોય છે. શરીરની બીમારી માણસને ચીડિયા બનાવી દે છે. તેમાં ક્રોધની વૃત્તિ વધુ થાય છે. સ્વભાવ અને ટેવો બગડી જાય છે. માનસિક બીમારીમાં સ્વસ્થ ટેવો રહી નથી શકતી. ભાવનાત્મક બીમારીનાં આ બંને કારણ છે. જ્યારે આ બંને કારણ બરાબર હોય છે ત્યારે ભાવનાત્મક બીમારી આપમેળે ઠીક થવા ૧૪૩ Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. પ્રેક્ષા ધ્યાનની પ્રક્રિયા પારલૌકિક નથી. આ પરલોકને સુધારવાની પ્રક્રિયા નથી. આચાર્ય તુલસીએ જ્યારે અણુવ્રત આંદોલનનું પ્રવર્તન કર્યું ત્યારે એ ઘેષણ કરી હતી કે હું તે ધર્મ ને મહત્વ નથી આપતા જે કેવળ પરલેકની ચર્ચા કરે છે. પરલોકની ચર્ચા વ્યર્થ છે. વર્તમાનની ક્ષણ જે સુધરતી હોય તે આગલી ક્ષણની ચિંતા કરવી આવશ્યક નથી. જે વર્તમાનની ક્ષણ સુધરતી હોય તો ભવિષ્યની ક્ષણ પણ સુધરી જાય છે. આગલું જીવન વર્તમાન જીવનનું પરિણામ છે. પરિણામની ચિંતા જરૂરી નથી હોતી. પ્રવૃત્તિની ચિંતા કરવાની આવશ્યકતા હોય છે. આજનો ધાર્મિક પરિણામની ચિંતામાં ગૂંચવાઈ ગયો છે. જે પ્રવૃત્તિની ચિંતા નથી કરતો, જે વર્તમાનની ચિંતા નથી કરતો, પરિણામની ચિંતા કરે છે, તે કદી સફળ નથી થઈ શકત. સફળ તે જ થાય છે જે વર્તમાનની ચિંતા કરે છે. વર્તમાનની ચિંતા કરે, ભવિષ્યની નહિ પ્રાચીન કાળની વાત છે. એક રાજ્યમાં એવી વ્યવસ્થા કરવામાં આવી કે જ્યારે રાજા ઘરડો થઈ જાય, અમુક અવસ્થાને પાર કરી જાય, પછી તે પોતાનું રાજ્ય પોતાના ઉત્તરાધિકારીને સોંપીને અરણ્યવાસી બની જાય. તે રાજ્યના બધા રાજા ભયભીત રહેતા. આજે આટલા મેટા સામ્રાજ્યને અધિકાર અને કાલે અરણ્યવાસ. ધણુ રાજાએ આ અરણ્યવાસના ભયથી રાજ્ય છેડીને ચાલ્યા ગયા. ભયને લીધે જીવનની બધી સક્રિયતા પહેલેથી જ સમાપ્ત થઈ ગઈ. અરણ્યવાસના જીવનને સ્વીકાર ઘણી પાછળની ઘટના હોય છે, પરંતુ જે દિવસે રાજાના રૂપમાં અભિષેક થત તે દિવસથી ચિંતા ઘેરી લેતી. પહેલા દિવસથી જ અરણ્યવાસી બની જતા અને ચિંતાઓમાં ડૂબી જતા. તેઓ નિરંતર દુખી રહેતા. રાજ્યનું કોઈ સુખ અનુભવમાં આવતું નહિ. એક વાર એક કુશળ રાજા બન્યો. તેણે વિચાર્યું: ત્રીસ-ચાળીસ વર્ષ પછી આવનાર દુઃખ માટે આજથી જ દુઃખી બની જવું એ બુદ્ધિનું લક્ષણ નથી. આ તે અનાગત દુઃખને મેલ લેવા જેવી વાત છે. તેણે રાજ્ય-ભાર સંભાળે, જંગલને સુંદર બનાવવાનો પ્રારંભ કર્યો. કાર્ય આગળ વધ્યું. એક દિવસ એ આવ્યું કે જંગલ રાજમહેલ કરતાં પણ સુંદર અને સુખદ બની ૧૪૪ Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ગયું. હવે અરણ્યવાસ તેને માટે ચિંતાના વિષય નહિ રહ્યો. તે સુખી જીવન જીવતા રહ્યો. જે વમાનની ચિંતા કરી લે છે તેને વિષ્યની ચિંતા નથી રહેતી. પ્રેક્ષા-ધ્યાનની સંપૂર્ણ પ્રક્રિયા વમાનની ચિંતા છે, ચિંતન છે. વ્યક્તિ સદા એ વિચારતી રહે કે વમાનની ક્ષણ કઈ રીતે ઉજ્જવળ અને. સાધના માટે શરીર શક્તિશાળી બને, મન શક્તિશાળી બને, અને ભાવના શક્તિશાળી બને. આટલુ થયા પછી સમાધિ માટે કાઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. સમાધિ પ્રવૃત્તિ નથી, પરિણામ છે. આપમેળે થનારી ટના છે. એને ઘટિત કરવા માટે અલગ પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી હતી. સમાધિ અને ત્રિપદી સમાધિની ઉપલબ્ધિનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર આપણને મળ્યું છે. તેને ચલિત થવા માટે ત્રણ ખાળત આવશ્યક છે—શ્રદ્ધા, સમર્પણુ અને પરાક્રમ. સર્વ પ્રથમ તથ્ય છે~શ્રદ્ધા. જેનામાં શ્રદ્ધાનાં ખીજ અંકુરિત નથી થયાં એવી કાઈ પણ વ્યક્તિ દુનિયામાં કાઈ પણ ક્ષેત્રમાં સફળ નથી થઈ. શ્રદ્ધાને લેાકેા યથાર્થ રીતે નથી સમજ્યા. તેઓ માને છે કે શ્રદ્ધા અને અ ંધવિશ્વાસ એકજ છે. આ ભ્રાન્ત માન્યતા છે. શ્રદ્ધા અને અંધવિશ્વાસના કાઈ મેળ જ નથી. શ્રદ્ધાના અથ છે—સચ્ચાઈ જાણી લીધા પછી એના પ્રત્યે ધનીભૂત આસ્થા પ્રગટ થવી. જાણ્યા પછી શ્રદ્ધા હાય છે. ાણુતા પહેલા શ્રદ્ધા હેાતી જ નથી. શ્રદ્ધા હેાવાના પ્રશ્ન જ નથી ઊડતા. કાણે કહ્યું આ અંધવિશ્વાસ છે? જ્યાં સુધી સચ્ચાઈ પ્રત્યે ઘનીભૂત આસ્થા નથી હેાતી, તે સચ્ચાઈ જીવનમાં કદી ફળતી નથી. જે વ્યક્તિમાં શ્રદ્ધા-ખીજવવાયું નથી તે કદી સફળ થઈ નથી અને કદી સફળ થશે નહિ. શ્રદ્ધા પછી હેાય છે—સમર્પણુ. જ્યારે શ્રદ્ધા હાય છે ત્યારે આપણે તે ધ્યેય પ્રત્યે સર્વાત્મના સમર્પિત થઈ જઈએ છીએ, સંપૂ સમર્પણુ હાય છે. પછી એ શરત નથી હાતી કે આ ઘટના બનવાથી હું આવું કરીશ. આમ થાય તા હું આવુ કરીશ. અનેક શિષ્યા પેાતાની જાતને ગુરુ પ્રત્યે સમર્પિત માને છે. પરંતુ તે એ શરત રાખે છે કે જો મ-૧૦ Jain Educationa International ૧૪૫ For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ આપ મારા પ્રત્યે એવો વ્યવહાર કરશે તો હું પણ આ વ્યવહાર કરીશ. નહિ તે નહિ. આ કેવું સમર્પણ; એનાથી કંઈ પણ થયું હોય એવું જાણ્યું નથી. સમર્પણ તે હોય છે જે સર્વાત્મના હોય, જે સર્વથા શરત કે પ્રતિબદ્ધતાથી મુક્ત હાય. તેમાં પછી જે પણ આવે, તે સ્થિતિને જેતા જાઓ, સહન કરતા જાઓ, પરંતુ સમર્પણ પર કેઈ આંચ આવે નહિ. શ્રદ્ધા અને સમર્પણ પછી આવતું તત્ત્વ છે–પરાક્રમ. કઈ પણ ગુરુ એ નથી કહેતા કે તમે શ્રદ્ધા અને સમર્પણ કરીને બેસી જાઓ. બધું જ બનવા પામશે. ગુરુ ગતિ આપશે. ગુરુ ચલાવશે. તે કહેશેઃ પરાક્રમ કરો. બેસી ન જાઓ. ચાલે અને ચાલતા જ રહે. પરાક્રમના દીપકને ન હોલવવા દે. એક વ્યક્તિએ જાહેરાત કાઢી કે એક નોકરની જરૂર છે. એક વ્યક્તિ નેકરી કરવા આવી. તેણે પૂછયું : આપ પગાર કેટલે આપશે ? માલિકે કહ્યું ઃ ફક્ત ભોજન અને બીજું કાંઈ નહિ. સારું, તે કામ શું કરવાનું રહેશે? માલિકે કહ્યું : કામ બીજુ કશું નહિ. લંગર પર જઈને ભજન કરી લેવાનું અને આવતી વખતે મારે માટે ભોજન સાથે લઈ આવવાનું. બસ આટલું સરખું કામ છે. ખૂબ જ સરળ અને સીધું. જે વ્યક્તિ પરાક્રમ નથી કરતી, મફતનું ખાય છે તે જીવનમાં કદી પણ સફળ નથી થઈ શકતી. જેણે પ્રયત્ન છેડી દીધે, જેણે પરાક્રમને તિલાંજલિ આપી દીધી, તે શું કરી શકે છે? તેને કંઈ પણ પ્રાપ્ત નથી થઈ શકતું. શ્રદ્ધા, સમર્પણ અને પ્રયત્ન કે પરાક્રમ–આ ત્રણ તત્વ સફળતાનાં ધ્રુવબિન્દુ છે. તેના અસ્તિત્વથી સફળતા મળે જ છે. એમાં કઈ સંદેહ નથી. બધાની ભીતરમાં શિવદેવી છે. સફળતા બહારથી નથી આવતી. તે આપણી ભીતર છે. તેને માત્ર પ્રગટ કરવાની છે. બહારથી કશું પણ લેવાનું નથી. સર્વકાંઈ ભીતરમાં છે, થેડા પરાક્રમથી જ તે અભિવ્યક્ત થઈ જાય છે. પુરાણી વાત છે. ઉજ્જયિની નગરીને ભવ્ય રાજમહેલ. તેમાં એકવાર અચાનક આગ લાગી ગઈ. આગ વિચિત્ર હતી. તેને હલાવવા માટે પાણી છાંટવામાં આવી રહ્યું હતું અને તે વધુ ને વધુ ભભૂકી રહી ૧૪૬ Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ હતી. પ્રશ્ન થઈ શકે કે પાણી આગને હાલવે છે, પાણીથી આગ ભભૂકતી નથી, હોલવાય છે. પાણી મળે અને આગ ન હોલવાય એ કદી સંભવ નથી. આ પ્રશ્નના સંદર્ભમાં તમે તમારા દિલને ઢઢળા. દિલમાં ભયંકર આગ લાગી છે. તમે પાણી નાખતા જાઓ છે. તે ભભૂકતી જાય છે. ઈન્દ્રિય-વિષયોની તૃષ્ણામાં ભયાનક આગ છે તેને શાંત કરવા માટે માનવી ભોગ ભેગવી રહ્યો છે. તે અમિટ પ્યાસ ભોગેનું ઈધણ મેળવીને –વૃતસિક્ત અગ્નિની જેમ વધુ પ્રજવલિત થઈ રહી છે. તે તરસ છિપાતી નથી. માનવી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું પાણું નાખે છે તે આગને બુઝાવવા માટે પણ તે આગ આ પાણી પ્રાપ્ત કરીને વધુ ભભૂકી ઊઠે છે. ફલિતાર્થ એ થયો–જેમ જેમ પાણી નાખ્યું આગ ભભૂકતી ગઈ. રાજમહેલ ઘૂ ઘૂ કરતો સળગી રહ્યો હતો. રાજ ખૂબ ચિંતિત થઈ ઊઠયા. આગને હલાવવાનું એકમાત્ર સાધન છે પાણી. તે પાણી પણ આગને હોલવવામાં અસમર્થ હતું. રાજાએ વિચાર્યું—પણ કોઈ હલ ન મળે. તેમને અમાત્ય અભયકુમાર યાદ આવ્યા. તે વખતે અમાત્ય અભયકુમાર બન્દી બનેલ હતો. જેલમાં હતો રાજા જાતિ એની પાસે ગયા અને બેલ્યા અમાત્યપ્રવર! રાજમહેલ બળીને ખાક થઈ રહ્યો છે. પાણીથી આગ હેલવાતી નથી. હજી થોડા સમયમાં કોઈ ઉપાય પ્રાપ્ત ન થશે તો રાજમહેલ જ નહિ, સમગ્ર નગર બળીને ભસ્મ થઈ જશે. અમે સૌ હતાશ થઈ ગયા છીએ. હવે તમે જ કેઈ ઉપાય બતાવો. અભયકુમાર પ્રજ્ઞાવાન હતા. તેણે કહ્યું ઃ મહારાજ ! ચિંતા ન કરો. હું ઉપાય બતાવું છું. ઉપાય બહાર નથી મારી પાસે છે. આપના અતઃપુરમાં શિવાદેવી રાણી છે. તેણે સ્નાન કરેલું પાણી લાવીને આગ પર છોટે. આગ હોલવાઈ જશે. સ્નાન-જળના છેડા છાંટા જ પર્યાપ્ત છે. તે રાણીનું શીલ-સૌરભ અભુત છે. તેનું તેજ પ્રચંડ છે અને તેનું આભામંડળ ખૂબ જ શક્તિશાળી છે. આપ તેનું સ્નાન કરેલું પાણી આગ પર નાખે, તે તરત હોલવાઈ જશે. - રાજાએ સાંભળ્યું. તે અવાફ થઈ ગયા. તેમણે વિચાર્યું–ઉપાય ઘરમાં જ છે અને હું તેને શોધવા બહાર ભટકી રહ્યો છું. શિવાદેવીને સ્નાન કરાવ્યું. સ્નાન કરેલું પાણી આગ પર છાંટયું. આગ તરત જ હોલવાઈ ગઈ. રાજા અને પ્રજાનું મન હર્ષથી ભરાઈ ગયું. ૧૪૭ Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ શિવાદેવીનું સ્નાન જળ આપની ભીતર છે. પ્રેક્ષાધ્યાન શિવાદેવીનું સ્નાન જળ છે. આપ શરીરને નિર્મળ ચિત્ત દ્વારા સ્નાન કરાવો અને તે જળનું સિંચન કરો. આ તૃષ્ણ અને લાલસાની અમિટ આગ આપમેળે હેલવાઈ જશે. સમસ્યાનું સમાધાન થઈ જશે. પ્રજ્ઞાનું ઘર જ વાસ્તવિક બધા શિબિરાર્થીઓ દસ દિવસની અન્તર્યાત્રા પછી પિતાપિતાના સ્થાન તરફ પ્રસ્થાન કરશે. પિતાના સ્થાન પર જઈને પણ તેઓ આ સાધનાના અભ્યાસને ભૂલશે નહિ. આટલા દિવસો સુધી તેમનું ઘર હતું, માટી, ચૂને ઈંટ અને પથ્થરથી બનેલું. હવે તેમણે બીજુ ઘર બનાવી દીધું. તે બીજુ ઘર છે–પ્રજ્ઞાનું ઘર, પ્રજ્ઞા પ્રદીપ. એક છે બહિર્જગતનું ઘર અને એક જ છે અન્તર્જગતનું ઘર. આ અન્તર્જગતના ઘરની કદી વિસ્મૃતિ ન થાય. હું ઈચ્છું છું કે આ પ્રજ્ઞા પ્રદીપ વાસ્તવમાં આપનું ઘર બની જાય અને જે મૂળ ઘર છે તે માત્ર રાત્રિ-નિવાસ બની જાય. આ રહેવાનું ઘર બની જાય અને તે વિશ્રામગૃહ બની રહે. પંખી હમેશાં માળામાં રહે છે. જ્યારે તેણે દાણે-પાણું કર હોય છે ત્યારે તે માળામાંથી ઊડીને આકાશની અનન્તયાત્રા કરે. અધ્યાત્મનીડ સાધના-જીવનનું ગૃહ રહે અને તે મૂળ ઘર કાર્ય-ગૃહ રહે. જીવન યાપનની પ્રવૃત્તિનું ધર રહે. જ્યારે આપ જુઓ કે જીવનયાપનનો પ્રશ્ન હલ થઈ રહ્યો છે, થઈ ગયો છે ત્યારે આપ વિશ્રામ કરવા માટે, સાધના કરતા વિશ્રામ કરવા માટે આ નીડનું શરણ લો. આભાર અને કૃતજ્ઞતા શા માટે? આપણે સૌ આચાર્યપ્રવર પ્રત્યે કૃતજ્ઞ છીએ જેમનું આપણને પથ-પ્રદર્શન મળ્યું. આલોક મળ્યો અને આપણે માર્ગ પ્રશસ્ત થઈ ગયે. આ સાધના શિબિરમાં નિરંતર સાધનાનો અભ્યાસ કરનાર શિબિરાર્થી રહ્યા છે, પરંતુ એવા પણ લેકે છે જેમણે વખતો-વખત આવીને સાધના માટે પોતાની અભિરુચિ બતાવી, રસ લીધે, પ્રવચનમાં રસ લેનારાઓની સંખ્યા અત્યધિક રહી છે. પ્રવચન સાંભળવાની તેમની તત્પરતા અને તન્મયતા પ્રશંસનીય હતી. આચાર્ચપ્રવર મારે માટે સર્વ કાંઈ છે. હું એમને માટે શું કહું ? કઈ પણ કહેવું યોગ્ય નથી માનતો. હું એમ માનું છું કે હું જે કાંઈ કરું છું. ૧૪૮ Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ તે બધું આચાર્યશ્રી કરાવે છે. તેઓ સ્વયં કરે છે. આભાર કે માનું ? કઈ બીજુ હોય તે આભાર માનું એવું અંતરાળ પણ નથી, જેની વચ્ચે આભાર અને કૃતજ્ઞતા મૂકી શકાય. આભારને પ્રશ્ન જ નથી. મધ્યાહન ધામધકતા તડકામાં આચાર્યપ્રવરનું દરરોજ આવવું. શક્તિને વધુ પ્રગુણિત કરે છે. સાવી પ્રમુખ તથા અન્ય સાધ્વીઓએ હજી ઘણું તાપને સામનો કરવો પડ્યો, કેમ કે તેમનું સ્થાન દૂર હતું. તે બધી અહીં આવતી. તેમનું અહીં આવવું એ વાતની પ્રતીતિ કરાવે છે કે તેમના મનમાં સાધના પ્રત્યે લગન છે, રહી છે. નહિ તે અનેક બહાનાં કાઢી શકાય છે. બહાનાં માટે ઘણો અવકાશ છે. આજે તાપ વધારે છે. પગ બળી રહ્યા છે. સ્થળ ઘણું દૂર છે. આ બહાનાંઓનાં સંસારમાં બહાનાંઓ ઓછી નથી. જ્યારે ઈરછીએ ત્યારે બહાનું બનાવી શકીએ છીએ. પરંતુ જ્યારે અંતરને રસ જાગી જાય છે ત્યારે બહાનાં હતાં જ નથી. અવરોધ પણ સમાપ્ત થઈ જાય છે. બધા લોકોને સાધના પ્રત્યે સભાવ છે, આકર્ષણ છે. એનાથી એટલું શક્તિશાળી વાતાવરણ બને છે કે અનેક લોકોને અજ્ઞાત રૂપે સાધનાની પ્રેરણા મળે છે. અને તેઓ બધા સાધનાથી લાભાન્વિત થાય છે. સાધના કરવાની બધામાં જાણે સ્પર્ધા જાગી છે. હવે વધુ પ્રેરણાની આવશ્યકતા નથી લાગતી. આ પ્રકિયા પહેલા પ્રાપ્ત થતે તે મહાલચન્દ્રજી ભંસાળી શ્રદ્ધાળુ શ્રાવક છે. તેઓ સિત્તેર વર્ષની અવસ્થા પ્રાપ્ત કરીને આઠમા દસકામાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ શિબિરમાં રહ્યા. તેમણે કહ્યું : મહારાજ ! મારાં સિત્તેર વર્ષ નકામાં ચાલ્યાં ગયાં. નકામા એ અર્થમાં કે હું જે પણ ધાર્મિક ક્રિયાઓ કરતા, મારું મન કદી પણ સ્થિર નહોતું રહેતું. તે સદા ભટકતું રહેતું. આ શિબિરમાં બીજા થયેલા લાભમાં મને એ લાભ અવશ્ય થયો છે કે હવે હું જ્યારે માળા જપું છું ત્યારે મને માત્ર તે જ દેખાય છે જે માળાને જાય છે. મારું મન સ્થિર રહે છે, એક જ લય પર ટકેલું રહે છે. જે આ પ્રક્રિયા મને પહેલેથી પ્રાપ્ત થઈ હોત તો મને ઘણો લાભ થાત. ખેર, હવે હું આ પ્રક્રિયામાં આવી ગયું. મારા પર ઘણે મોટા ઉપકાર ૧૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ થયા છે. આવા અનુભવે! એક સાધકના નહિ અનેક સાધના છે. આપણે સાચે જ ખૂબ સૌભાગ્યશાળી છીએ કે આજે આ માનસિક સમસ્યાના જટિલયુગમાં, આ ચંચળતા અને વિક્ષેપના યુગમાં આ પાગલપણના યુગમાં પ્રેક્ષાવ્યાન જ એવી સ`જીવતી મળી છે, જેનુ સેવન કરીને આપણે આનંદ અને સુખવડે પેાતાને ભરી શકીએ છીએ, Jain Educationa International ૧૫૦ For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૨ આત્મ લોચન આરાધના Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ Jain Educationa International નવી સૃષ્ટિ ઃ નવી દૃષ્ટિ For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૧ સંકેતિકા a આપણી સૃષ્ટિનાં બે મોટાં તરવો–૧ માનવ ૨ બુદ્ધિ-ચેતના –આ બને જૂનાં પડી ગયાં. નવાં તત્તવો જરૂરી છે–૧ અતિમાનવ ૨ પ્રજ્ઞા-ચેતના. આ સૃષ્ટિમાં રોગ છે; વાર્ધક્ય છે, મોત છે. 0 એવી સૃષ્ટિ જોઈએ જ્યાં રોગ ન હોય, વાર્ધકય ન હોય, મોત ન હોય. આ સૃષ્ટિમાં કેધ છે, ઈર્ષ્યા છે, ઘણા છે. n એવી સૃષ્ટિ જોઈએ જ્યાં ક્ષમા હેય, અમેદ હોય, મિત્રી હેય. ઘ રગ ન હોય તેનો અર્થ –રોગનું કષ્ટ ન હોય, વૃદ્ધાવસ્થા ન હોય તેનો અર્થ – ઘડપણનું કષ્ટ ન હોય. મોત ન હોવાને અર્થ છે-મૃત્યુનું કષ્ટ ન હોવું. g વૃદ્ધાવસ્થાનાં ચાર કારણ છે: ૧ માનસિક તનાવ ૨ કેશિકાઓની કઠોરતા ૩ આહારનું અપાચન ૪ લેહીની વિષાક્તતા. 1 ઘડપણમાં ઓછી થાય છે? • સ્મરણ શક્તિ • નિર્ણય શક્તિ ૦ આત્મ-નિયંત્રણ શક્તિ. વૃદ્ધાવસ્થા વર્ષોથી અંકાતી નથી, ક્ષતિથી, અંકાય છે. * ૧૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ નવી સૃષ્ટિ : નવી દષ્ટિ આરાધનાની આંખ એક ભાઈએ કહ્યું : હું આ દુનિયાથી કાંટાળી ગયે। છુ. આ જીવનથી થાકી ગયા છું. આ સંસાર મને ગમતા નથી. કાઈ નવી દુનિયા જોઈએ, નવી સૃષ્ટિ જોઈએ. મેં પૂછ્યું : ‘શા માટે?” તેણે કહ્યું : આ દુનિયામાં રાગ છે, ઘડપણુ છે, મેાત છે, દુઃખ છે. આવી દુનિયા મને નહિ જોઈએ. મને એવી દુનિયા જોઈએ જ્યાં રોગ નથી, ઘડપણુ નથી, મેાત નથી અને દુ:ખ નથી. આ દુનિયામાં જ્યાં હું જીવી રહ્યો છું ત્યાં ક્રોધ છે, ધૃણુા છે, ઇર્ષ્યા છે, માનવી માનવીને મારવા ઇચ્છે છે, માનવી માનવીને અસ્પૃશ્ય માને છે, અછૂત માને છે, માણુસ માણસને ધુત્કારે છે, માણસ માણસ પ્રત્યે ઘાર અન્યાય કરે છે, તેને લૂંટે છે, તેને ઠગે છે. આવી દુનિયા મતે ઇષ્ટ નથી. મને એવી દુનિયા જોઈએ જ્યાં આ બધા દાષા ન હોય, જ્યાં માનવી-માનવી પ્રત્યે વિશ્વસ્ત હાય, માનવી-માનવીને પ્રેમ કરતા હેાય, માણસ-માણસને ભાઈ માનતા હાય, મિત્ર માનતા હાય.' આપ સૌ આ સાથે સહમત છે? આપના મનમાં પણ આ કલ્પના જાગે છે કે આવી દુનિયામાં જીવવાની મજા છે. આવી દુનિયા જ જોઈએ. પ્રત્યેક માનવીના મનમાં એવું મીઠું સ્વપ્ન ઊપસે છે અને તે વિચારે છે કે તે ભાઈએ ઠીક જ કહ્યુ.. આપણુને પણ એવી જ પવિત્ર અને નિર્દેળ દુનિયા જોઈએ; સ્પિષ્ટ જોઈએ. મેં કહ્યું : તમને જેવી સૃષ્ટિ જોઈએ તેવી સૃષ્ટિ આપણી આંખે સમક્ષ પ્રતિપળ નાચી રહી છે, ષ બિચારી સૃષ્ટિના નથી દેષ આપણી દૃષ્ટિના છે. દાષ આપણા પેાતાને છે. તે સૃષ્ટિને જોનારી આંખ હાવી જોઈએ. જો તે આંખ આપણને પ્રાપ્ત થઈ જાય અને જો આપણે તે સૃષ્ટિને જોઈ શકીએ તા આપણુ' સ્વપ્ન સાકાર થઈ શકે છે. તેણે પૂછ્યું : કઈ આંખ! મે કહ્યું : આરાધનાની આંખ એ આખા હેાય છે. એક આરાધનાની આંખ અને ખીજ વિરાધનાની આંખ. જો આરાધનાની આંખ પ્રાપ્ત થઈ જાય તે આપણી Jain Educationa International ૧૫૪ For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ સમક્ષ એક નવા સંસારનું સર્જન થઈ જાય છે જ્યાં તે બધા દોષો નથી, જેને પ્રહાર માનવીએ ડગલેને પગલે સહન કરવો પડે. તેણે પૂછવું ? આરાધના કોની ? મેં કહ્યું કે જ્ઞાનની આરાધના, દર્શનની આરાધના, ચારિત્રની આરાધના, તપની આરાધના અને વીર્યની આરાધના. આ આરાધનાની આંખ વડે તેવી નવી સૃષ્ટિનાં દર્શન થઈ શકે છે. એવી દષ્ટિ મળે તો તેવી સૃષ્ટિ પ્રસ્તુત છે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ પ્રકૃતિને સિદ્ધાંત પ્રતિપલ પરિવર્તિત થઈ રહ્યો છે. પહેલે મરી રહ્યો છે, નવો પેદા થઈ રહ્યો છે, એક ક્ષણ પણ એવી નથી જતી જેમાં સમગ્ર સૃષ્ટિ મરી ન રહી હોય, એક ક્ષણ એવી નથી જતી જેમાં સૃષ્ટિનું નવું સર્જન થતું ન હોય. પ્રતિક્ષણ એક સૃષ્ટિ મરે છે; બીજી સૃષ્ટિ પેદા થાય છે. નવી સૃષ્ટિ દૂર નથી. તે આપણાથી ખૂબ નિકટ છે. તે આપણી ભીતર પણ છે. અને તે આપણી બહાર પણ છે. તે આપણું ડાબી-જમણું બાજુ પર પણ છે. આસપાસ પણ છે અને જ્યાં સુધી દષ્ટિ પહોંચે ત્યાં સુધી નવી સૃષ્ટિ આપણું માટે ઉપસ્થિત છે. માત્ર તેને જોવા માટે આંખ હોવી જોઈએ. જે આરાધનાની આંખ મળી જાય તે નવી સૃષ્ટિ માટે પછી કેઈ નવો પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. જ્યાં જુઓ ત્યાં નવી સૃષ્ટિ. પ્રશ્ન થાય છે–શું પછી તે સૃષ્ટિમાં વૃદ્ધાવસ્થા નહિ હશે, રોગ નહિ હશે? મત નહિ હશે? જ્યારે પ્રત્યેક ક્ષણ સમગ્ર સૃષ્ટિ પેદા થાય છે, મરે છે, તે પછી આ બધા પરિવર્તન કેમ ન થાય? જ્યારે પરિવર્તન અનિવાર્ય જ છે તો પછી રોગ કેમ ન થાય? ધડપણ અને મૃત્યુ કેમ ન આવે? આ બધું આવશે....પણ એનું કષ્ટ નહિ થશે. ઘડપણ આવશે પણ તેનું કષ્ટ નહિ થશે રોગ આવશે પણ તેનું કષ્ટ નહિ રહેશે. મોત પણ આવશે પણ તેનું કષ્ટ નહિ રહેશે. તેને ભય નહિ રહેશે. સૌથી મોટું કષ્ટ છે, ભય. રેગન ભય, ઘડપણને ભય, અને મોતને ભય. ઘટનામાં જેટલું કષ્ટ નથી થતું એટલું કષ્ટ હોય છે માત્ર ભયમાં. ૧૫૫ Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ભયનું ભૂત યમરાજે યમદૂતને બેલાવી ને પૂછયું : જુઓ, અહીંને એક ભૂ-ભાગ ખાલી થઈ ગયો છે. તેને ભરવાનો છે, તેથી મૃત્યુલોકમાં જાઓ અને હજાર માનવીઓને મારીને અહીં લઈ આવો. બસ, એટલાઓને માટે જ અહીં સ્થાન ખાલી છે, વધારે માટે નહિ. કેવી વિડંબણા. માનવીને સ્વભાવ જ છે કે તે ખાલી રાખવા નથી ઈચ્છતે. તે સદા ભરવા ઈચ્છે છે. માનવી પોતાના મગજને પણ ખાલી રાખવા ઈચ્છતી નથી. તે એને વિચારોથી ભરવા ઈચ્છે છે, નકામાં વિકલ્પથી ભરવા ઈચ્છે છે. વિચાર નકામા, વિકલ્પ નકામા અને ચિંતન નકામું. બધુ નકામું જ નકામું. તોપણ માણસ વિચારે છે, ક્યાંક મગજ ખાલી નહિ રહી જાય. ખાલી મગજ શેતાનનું ઘર હોય છે – આ દૂષિત ધારણાએ મનુષ્યને એટલે બ્રાન્ડ બનાવી દીધો કે તે ખાલી રહેવા ઇચ્છતું જ નથી. વાસ્તવમાં ખાલી રહેવું શેતાનનું ઘર નથી, ભગવાનનું ઘર હોય છે. કહેનારે એ જ દૃષ્ટિએ કહ્યું હશે કે નકામો માનવી શેતાન જે દુષ્ટ હોય છે. ખાલી રહેવાને અર્થ નકામા રહેવાને નથી. માનવી ખાલી રહે જ છે ક્યારે! તે નિરંતર પિતાના મગજને વિચારોથી ભરત રહે છે. એટલું ભરી દે છે કે શેતાન તે શું, મહાશેતાન તેમાં ક્રીડા કરતા રહે છે. તે માનવીમાં વાહિયાત વાત જન્મ લે છે. તે વાત જ શેતાન છે. - યમરાજને આદેશ લઈને યમદૂત મર્યલેકમાં આવ્યો. તેણે એક સાથે હજાર માનવીઓના પ્રાણ હરી લીધા. સમગ્ર નગરમાં ભય વ્યાપ્ત થઈ ગયો. એક સાથે એક હજાર વ્યક્તિઓની મૃત્યુ સાંભળીને બધા નગરવાસી ભયભીત થઈ ગયા. અત્યંત ભયને કારણે પાંચ હજાર માનવી બીજા મરી ગયા. યમદૂત છ હજાર વ્યક્તિઓને લઈને યમરાજ સમક્ષ ઉપસ્થિત થયા. યમરાજે કહ્યું ઃ આ શું? હજાર માનવીને લાવવાનું કહ્યું હતું અને તમે પાંચ હજાર વધારે લઈ આવ્યા ? યમદૂત બોલ્યા સ્વામી! મેં આપની આજ્ઞાનું ઉલંધન નથી કર્યું. મેં હજાર માનવીઓને જ માર્યા હતા, પરંતુ પાંચ હજાર વ્યક્તિ તે મોતના ભયથી જ મરી ગઈ. ભયથી મૃત્યુ થાય છે. ભયથી બીમારીઓ ઉત્પન્ન થાય છે અને ભયથી ઘડપણ જલદી આવે છે. આરાધનાને અર્થ છે–ભયનું વિસર્જન, ભયનું મનમાંથી. નીકળી જવું. ૧૫૬ Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ભાવનાને ચમકાર રોગથી જેટલા માનવી દુઃખી નથી થતા તેટલા માનવી દુઃખી થાય છે રેગના માનસિક ચિંતનથી. આ સુત્ર સ્વાથ્ય માટે પણ લાગુ પડે છે. દવાઓથી જેટલા માણસો સ્વસ્થ નથી થતા તેટલા સ્વસ્થ સ્વાશ્યને ચિંતનથી થાય છે. એક બીમાર ડોક્ટર પાસે આવ્યો. તેની બીમારી ભયંકર હતી. ડોક્ટરે તેને ઈજેકશન આપીને કહ્યું : આ ઇજેકશન ખૂબ શક્તિ આપનારું છે. એનાથી તમે તુરત શક્તિ પ્રાપ્ત કરી લેશે. આવું ઇજેકશન નસીબમાં હોય તેને મળે છે. તમે ભાગ્યશાળી છે. ઈજેકશનની પ્રશંસાએ કામ કરવું શરૂ કરી દીધું. બીમાર સ્વસ્થ થઈ ગયે. બીમારના મિત્રે ડોક્ટરને પૂછ્યું: તે ઈજેકશન કર્યું હતું, જે આટલું જલ્દીથી અસર કરી ગયું ? ડૉકટરે કહ્યું : બીમાર પર વધુ અસર કરે ભાવના. મેં માત્ર પાણીનું ઇજેકશન આપ્યું હતું, પરંતુ બીમારના મનમાં તે ઇજેકશને એટલી અસર કરી દીધી કે પાણીનું ઇજેકશન પણ તેને માટે સંજીવની બૂટી બની ગઈ. ડોકટરે બીજું એક પરીક્ષણ કર્યું એક રોગીને ખૂબ કીમતી દવા આપતાં કહ્યું ઃ આ સાધારણ દવા છે. લઈ લે જ્યારે આનાથી ઊંચી જાતની દવા આવશે ત્યારે બીજી આપીશ. રોગી દવા લેતે ગયો, કેઈ અસર ન થઈ. આ પણ ભાવનાનું જ પ્રતિફલન છે. કરી રાખથી લાભ થઈ જાય છે અને હીરાની ભસ્મથી પણ કોઈ લાભ નથી થતો. એક વૈદ્ય સર્દી માટે દવા આપી. રોગીએ પૂછ્યું : દવાનું નામ શું છે ? વૈદ્ય કહ્યું : આ છે મહાપ્રતાપલકેશ્વરી રસ. નામ સાંભળતા જ રોગીએ વિચાર્યું કે કેટલી મૂલ્યવાન આ ઔષધિ હશે ? આટલું મોટું અને સારું નામ છે તે ગુણ પણ એવા જ હશે. “સ” પણ છે. પ્રતાપ પણ છે, અને “લંકેશ્વરી, પણ છે. ત્રણે એક સાથે છે. ઔષધિનું સેવન કર્યું. રોગી સ્વસ્થ થઈ ગયો. મેં પૂછયું : વૈદ્યજી! આટલી બગડી ગયેલી સર્દી હતી તે આપની ઔષધિથી સારી થઈ ગઈ. એ દવા કઈ છે? “રસ છે તો “પા” એમાં જરૂર હશે. તથા પ્રતાપ અને લંકેશ્વરી છે તે કઈ તેજ ધાતુને યોગ હોવો જોઈએ. ૧૫૭ Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ વૈદ્ય સ્મિતપૂર્ણાંક કહ્યું: મુનિજી ! ઔષધિની ફોર્મ્યુલા બતાવવા નથી ઈચ્છતા, પણુ આપને છતાવી દઈશ તેમાં એ ચીજો છે—રાખ અને કાળાંમરી. રાખ લાકડાની નહિ, રણુના છાણાની. બસ આ જ ઔષધિની ફાચ્યુલા છે. નામની અસર પણ ગજળની હેાય છે. મેાટી માટી ખીમારીએ સારી થઈ જાય છે. દવાનું જે નાનું સરખું' નામ રાખવામાં આવે, તેની ગુણગાથા ન ગાય તા લેનાર વિચારે છેઃ સામાન્ય જ ઔષધિ છે. બીમારી માટી છે. તેમાં આ શું અસર કરી શકશે? મનની સ*ચુતિથી કષ્ટ થાય છે પ્રત્યેક ઘટના સાથે માનસિક પ્રભાવનું પેાતાનું મહત્ત્વ હાય છે. કષ્ટમાં પણ આવું થાય છે. કષ્ટ થાય છે રેાગના સવેદનથી. એકરાગી તરફડી રહ્યો છે, ચીસ પાડી રહ્યો છે, કરાંજી રહ્યો છે અને અસહ્ય કષ્ટથી મરવા જેવા અનુભવ કરી રહ્યો છે મક્રિયાનું એક ઇન્જેક્શન આપ્યું અને તેનું બધુ કષ્ટ મટી ગયું. તેના ખરાડા પાડવા, કરાંજવું અને રડવું—આ બધું બંધ થઈ ગયું. શું નષ્ટ થઈ ગયું ? ૬ કાં જતું રહ્યું? દર્દ નષ્ટ નહિ થયું. દર્દ જ્યાં હતું ત્યાં છે, કૈાઈ ફેર નહિ પડયો પરંતુ માદક દ્રવ્યના પ્રયાગથી તેનું સ ંવેદન કેન્દ્ર શૂન્ય કરી દેવામાં આવ્યું. હવે કષ્ટની અધિકતા હેાવા છતાં તેને તેની અનુભૂતિ નથી થતી. સ ંવેદનથી થાય છે, સ્થાન કે રેગથી નથી થતું. સંવેદનને શૂન્ય કરી દેવાથી તે કષ્ટની અનુભૂતિ સમાપ્ત થઈ જાય છે. સંવેદન-કેન્દ્ર સક્રિય હાય છે તા કષ્ટ થાય છે. સંવેદન કેન્દ્ર નિષ્ક્રિય હાય તા કષ્ટ નથી થતુ ં. જ્યારે મન સંવેદન-કેન્દ્ર સાથે જોડાય છે ત્યારે તીવ્ર વેદનાનેા અનુભવ થાય છે. અને જ્યારે મન અન્ય કશામાં લાગી જાય છે તેા વેદનાની અનુભૂતિ નથી થતી. પ્રશ્ન છે મનના ચેગને, મનની સયુતિને મનનાં બે કેન્દ્ર આરાધના દ્વારા મનનુ કેન્દ્ર બદલાઈ જાય છે, જે ન્દ્ર શરીર હાય છે મનનું, તે કેન્દ્ર બદલાઈ જાય. અને તેની જગ્યા પર મનનું કેન્દ્ર ચૈતન્ય બની જાય છે. મનનું ચૈતન્ય-કેન્દ્રિત થવું—આ નવી સૃષ્ટિનું નિર્માણ છે અને મનનું શરીર-કેન્દ્રિત થવું— —આ આપણી દુનિયા છે જેમાં આપણે જીવી રહ્યા છીએ. આપણે જે નવી સૃષ્ટિની કલ્પના કરીએ છીએ તે Jain Educationa International ૧૫૮ For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય-કેન્દ્રિત સૃષ્ટિ છે. જ્યારે દષ્ટિ બદલાઈ જાય છે, મનનું કેન્દ્ર બદલાઈ જાય છે. ત્યારે બધી વાતો બદલાઈ જાય છે. રેગ, વૃદ્ધાવસ્થા અને નેતને નિમંત્રણ આપણે જોયું છે કે એવી પણ વ્યક્તિઓ છે જેના શરીરમાં ભયંકર રોગ છે પણ તેને કઈ કષ્ટને અનુભવ નથી. આપણે જોયું કે કેટલીક વ્યક્તિઓ અત્યંત વૃદ્ધ છે. પરંતુ તે અનુભવ નથી જ કરતા કે તેમને ઘડપણનું કષ્ટ છે. આપણે જોયું કે એવા પણ મનુષ્ય છે જે મોતને નિમંત્રિત કરે છે અને ખુશી ખુશી તેનું વરણ કરવા ઉત્સુક છે. આપણે એ વિચારીએ કે રોગને કણ નિમંત્રિત કરે છે? વૃદ્ધત્વને કોણ નિમંત્રિત કરે છે? મોતને કણ નિમંત્રિત કરે છે ? આજે મત જેટલું જલદી આવે છે એટલું જલદી નહિ આવવું જોઈએ. દરેક વ્યક્તિએ સામાન્યતઃ સે વરસ તે અવશ્ય જીવવું જ જોઈએ. સો વર્ષ સુધી જીવવાનો અધિકાર છે. પ્રત્યેક માણસને ઘડપણને દૂર ધકેલવાને અધિકાર છે. પ્રત્યેક વ્યક્તિને રોગથી બચવાને અધિકાર છે. પરંતુ માનવી તે અધિકારનો ઉપયોગ નથી કરતો. એક માણસ જે ખાવામાં સંયમ નથી રાખતા, તે રોગને નિમંત્રે છે. કેટલાક લેકે માને છે કે જે ચીજે છે તે બધી ઈશ્વરે ખાવા માટે પેદા કરી છે. આ મિશ્યા ધારણાને લઈને ચાલનાર વ્યક્તિ શું રોગને નિમંત્રણ નથી આપતી ? જે માણસને શ્વાસ લેતા નથી આવડતું તે શું ઘડપણને નિમંત્રણ નથી આપતો? ઘડપણ કેમ આવે છે? ઘડપણનું કારણ શું છે? ચાલીસ વર્ષ પછી ફેફસાંની શક્તિ ક્ષીણ થઈ જાય છે. એટલે પ્રાણવાયુ લેવો જોઈએ તેટલે પ્રાણવાયુ લેવાની તેનામાં શકિત નથી હોતી. તે વખતે લાંબે શ્વાસ લેવો ખૂબ જરૂરી હોય છે. માનવી જેટલે લાંબે શ્વાસ લઈ શકે છે, લે છે તેટલો તે સ્વસ્થ રહી શકે છે. યુવાન રહી શકે છે. એક બાળક જે દીર્ધશ્વાસ નથી લેતું તો કોઈ વિશેષ શારીરિક હાનિ નથી થતી. પરંતુ જે ચાલીસ-પચાસ વર્ષની વ્યક્તિ દીર્થ શ્વાસને પ્રયોગ નથી કરતી તે તે જાણી જોઈને ઘડપણને નેતરે છે. દીર્ધ શ્વાસ : પહેલો પાક, અન્તિમ પાઠ પ્રશ્ન થાય છે કે ફેફસાં અને શ્વાસનું આટલું શું મહત્ત્વ છે? ઘડપણ જલદી ત્યારે આવે છે જ્યારે આપણું શરીરમાંથી મળાનું નિષ્કાસન નથી થતું. ઘડપણુ જલદી ત્યારે આવે છે. જ્યારે આપણા શરીરમાં લોહીનું ૧૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ અભિસરણ બરાબર નથી થતું, શુદ્ધ લોહીનું સંચરણ બરાબર નથી થતું. મળોને નિષ્કાસન માટે તથા શુદ્ધ લોહીને સંચરણ માટે દીર્ઘશ્વાસને પ્રવેગ અત્યન્ત આવશ્યક છે. દીર્ઘશ્વાસથી ઓકિસજનની પર્યાપ્ત માત્રા મળી જાય છે. પ્રાણવાયુની પર્યાપ્તતાને કારણે રક્તનું શોધન થાય છે અને શુદ્ધ રક્ત જેટલું ધમનીઓમાં જાય છે તેટલું મળાનું નિષ્કાસન થાય છે. જ્યારે શુદ્ધ રક્ત પહોંચતું નથી ત્યારે મેલ એકઠા થતાં જાય છે. મલાવરોધ થાય છે અને શરીરની પ્રત્યેક કોશિકા મળથી અવરુદ્ધ થઈ જાય છે. રક્તના અભાવમાં તેની સફાઈ નથી થતી. તે પ્રાણ-શૂન્ય થઈ જાય છે. ફલતઃ અવરોધ જ અવરોધ થતો રહે છે. અને ત્યારે માનવીને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. શુદ્ધ રક્ત જોઈએ અને શુદ્ધ રક્ત માટે પૂરો ઓકિસજન–પ્રાણવાયુ જોઈએ. અને પૂરા પ્રાણવાયુ માટે લાંબે શ્વાસ, દીર્ઘશ્વાસ જોઈએ. પ્રેક્ષા-ધ્યાનને પહેલો પાઠ છે, દીર્ધ શ્વાસના અભ્યાસ. જેમ આ પહેલો પાઠ છે તેમ અંતિમ પાઠ પણ છે. આ કથન અત્યુક્તિપૂર્ણ નથી. જે કોઈ વ્યક્તિ બીજી બીજી પ્રક્રિયાઓ ન શીખી શકે, પોતાની અપાતા, કે અક્ષમતાને કારણે તે પ્રક્રિયાઓની જટિલતામાં ન જઈ શકે તે પણ જે માત્ર દીર્ધ શ્વાસને પ્રવેગ અને તેની સાથે ચિત્તને જોડવાને અભ્યાસ કરે તે અસંભવ નથી કે તે પણ પિતાના લક્ષ્ય સુધી પહોંચી જાય. તે પણ પિતાની મંજિલ પ્રાપ્ત કરી લે. આ એટલે મહત્વનો પ્રયોગ છે તેથી એને નાને પણ નહિ કહી શકાય, અને આ સાધનાનું પ્રથમ ચરણ છે. તેથી તેને ઘણે મોટે પણ નહિ કહી શકાય. જે વ્યક્તિ શ્વાસ લેવાનું નથી જાણતી તે શું ઘડપણને આમંત્રણ નથી આપી રહી? માનસિક તનાવને કારણે ઘડપણ જલદી આવે છે. જે વ્યક્તિ દીર્ઘશ્વાસનો પ્રયોગ નથી કરતી તે માનસિક તનાવને વિસર્જિત કેવી રીતે કરશે? આજનું જીવન જ એવું છે કે તેમાં પ્રતિક્ષણ તનાવ પેદા કરનારી ઘટના બનતી રહે છે. તે તનાવને વિસર્જિત કરવાને એક માત્ર ઉપાય છે દીર્ઘશ્વાસ. જે કેાઈ વ્યક્તિ પંદર-વીસ મિનિટ સુધી દીર્ઘશ્વાસને પ્રયોગ કરે છે તે દિવસભરમાં સંગૃહીત તનાવ નીકળી જાય છે. અનેક ગ્રંથિઓ ખૂલી જાય છે. માનસિક તનાવથી શરીરની કેશિકાઓ કઠોર બની જાય છે. જયારે કેશિકાઓ કઠોર હોય છે ત્યારે ઘડપણ જલદી આવે છે. ૧૬૦ Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ થાન સાથે આસન શા માટે? કેટલાક લોકો કહે છે–ધ્યાન સાથે આસનોને શો સંબંધ છે? ધ્યાન સાથે આસન પણ શા માટે કરાવવામાં આવે છે. આસન ખૂબ જ આવશ્યક છે. જેમ જેમ અવસ્થા વધે છે, કેશિકાઓ કઠોર થતી જાય છે. મજા અને હાડકાંઓ પણ કઠોર થઈ જાય છે. કરોડરજજુ સ્થિતિસ્થાપક રહેતી નથી તેથી વૃદ્ધાવસ્થા આવી જાય છે. જેટલી સ્થિતિસ્થાપકતા તેટલું યૌવન. જેટલી કઠોરતા તેટલું ઘડપણ શ્વાસના પ્રયોગો દ્વારા અને આસને દ્વારા લચીલાપણું આવે છે. લચીલાપણું હોવું બહુ જરૂરી છે. લચીલાપણું વહારનું પણ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે જે વ્યક્તિ વ્યવહારમાં લચીલી હોતી નથી તે કેાઈને સાથે લઈને ચાલી શકતી નથી. અક્કડ માણસ બીજા માટે કોઈ રીતે ઉપયોગી નથી હોત. માણસ લચીલે બનીને ઉપયોગી થઈ શકે છે. લચીલો માણસ ઘટના સાથે સમજૂતી અને સામંજસ્ય સ્થાપિત કરી શકે છે. ખોરાકનું પૂરું પાચન નથી થતું અને માણસ ખાતો જ રહે છે તો તે માણસ ઘડપણને કસમયમાં નિમંત્રણ આપી દે છે. પચતું નથી પણ માણસ ભજન કરતો જ રહે છે. પેટને આરામ નથી મળતો ખવડાવતા ખવડાવતા હાથ થાકી જાય છે. ચાવતાચાવતા દાંત ઘસાઈ જાય છે. પણ માણસ ખાવાનો એટલે જ શેખીન બની રહે છે. એવો ખાઉધરો માણસ અસમયમાં જ ઘરડો થઈ જાય છે. યુવા-વૃદ્ધ અને વૃદ્ધ યુવા કેણુ? એક પ્રશ્ન છે. ઘડપણની ઓળખ શી છે? ઘડપણને સંબંધ અવસ્થા સાથે નથી. આયુ-વિશેષજ્ઞ વૈજ્ઞાનિકોએ એ સૂત્ર આપ્યું કે ઘડપણ સાથે વર્ષોને સંબંધ નથી. જ્યારે સ્મૃતિ-શક્તિ, નિર્ણયશક્તિ અને આત્મ-નિયંત્રણની શક્તિ ક્ષીણ થઈ જાય છે ત્યારે માણસ ધરડો થઈ જાય છે. એક માણસ ચાલીસ વરસનો છે, જે તેની સ્મૃતિ-શક્તિ નિર્ણય-શક્તિ અને આત્મ-નિયંત્રણની શક્તિ ક્ષીણ ગઈ, તે યુવાન હોવા છતાં પણ વૃદ્ધ છે. એક વ્યક્તિ એંસી વર્ષની છે. જે તેની સ્મૃતિ શક્તિ તેજે છે, તેની નિર્ણયશક્તિ પણ સારી છે અને તે આત્મ-નિયંત્રણ કરવામાં પણ સક્ષમ છે તો તે વૃદ્ધ હોવા છતાં પણ યુવાન છે. તે વૃદ્ધ-યુવા છે. મ- ૧૧ ૧૬૧ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ મેાતને નિમ ંત્રણ તે જ આપે છે જે ઘડપણને નિમંત્રણ આપે છે. મેાત અને ઘડપણુ બે નહિ, એક જ ઘટનાનાં બે નામ છે. એક છે પૂનામ અને એક છે ઉત્તર. નામ. અને પર્યાયવાચી શબ્દ છે. જેમ ઘરડા થયા અને મેાતના મેાંમાં ચાલ્યા ગયે. જે પણ માણસ મરે છે. ભલે તે વીસ વર્ષીને હાય કે પચાસ વર્ષાંતે, તે ધરડા થઈને જ મરે છે. ઘરડા થયા વગર કાઈ નથી મરતે, ભલે કાઈ દસ વર્ષના બનીને મરે છે તેા પણ ઘરડા થઈને જ મરે છે. બરડા તે છે જેની પ્રાણશક્તિ ક્ષીણ થઈ ગઈ હાય. પેાતાના મનની ઉ ંખલતાઓને કારણે જેણે પ્રાણશક્તિના વ્યય વધારે કરી દીધા હાય, તે મરી જશે. મરવાના અર્થ છે—શક્તિનેા અપવ્યય, શક્તિ ખર્ચાઈ જવી, પછી ભલે તે કાઈ પણ કારણે હાય. દૃષ્ટિ : સૃષ્ટિ જ્યારે દષ્ટિ બદલાય છે ત્યારે નવી સૃષ્ટિનું નિર્માણ થાય છે. તે નવી સૃષ્ટિમાં ત્રણે વાતા બદલાઈ જાય છે. રાગ ત્યારે એટલે નહિ હશે જેટલા આ દુનિયામાં હોય છે. ડપણ એટલું જલદી નહિં આવશે. જેટલું જલદી આ દુનિયામાં આવે છે. મેાત એટલું જલદી નહિ આવશે જેટલું જલદી આ દુનિયામાં આવે છે. રાગ હશે પણ રાગનુ કષ્ટ નહિ હશે. ધડપણુ હશે પણ ઘડપણનુ કષ્ટ નહિ હશે. માત હો પણ મેાતનું કષ્ટ નહિ હશે, સેક્રેટીસ ઝેરના પ્યાલા પી રહ્યા હતા. મિત્રાએ પૂછ્યું ——વેશ લાગી રહ્યો છે? શું વિચારી રહ્યા છે ? સેક્રેટીસ મેલ્યા—કશુ પણ નથી લાગી રહ્યું. પુછ્યું—શું મેાતના ભય નથી. સેાક્રેટીસે કહ્યુ—મારી સમક્ષ એ દર્શન છે. એક છે આસ્તિક દર્શન અને ખીજું છે નાસ્તિક દર્શન. નાસ્તિક કહે છે—આત્માનું અસ્તિત્વ જ નથી. આત્મા જ નથી તા મેાતના ભય જ કેવે!? મરી જાઉં તે મને ભય જ શાને? આસ્તિક કહે છે-આત્મા અમર છે. હું મરી જઈશ તે કઈ વાતના ભય ? આત્મા તે મરશે જ નહિ. પછી ડર શાના? મને કાઈ ભય નથી. જ્યારે દૃષ્ટિ બદલાય છે ત્યારે સૃષ્ટિ ખરેખર બદલાઈ જાય છે. મેાત પેાતાનું મૂલ્ય ગુમાવી બેસે છે. મેાતનું મૂલ્ય ત્યારે હાય છે જ્યારે લેાકેા ડરતા હાય. સત્તાનું મૂલ્ય ત્યારે હોય છે જ્યારે સત્તાથી લોકો ભય પામતા હાય. જે સત્તાથી લેાકેા ડરતા ન હેાય તા સત્તા પેાતાનું મૂલ્ય Jain Educationa International ૧૬૨ For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુમાવી બેસે છે. દંડ કે પાલિસનું મૂલ્ય ત્યારે હાય છે જ્યારે જનતા ડરતી હોય, જ્યારે જનતા ડરતી જ નથી ત્યારે દંડ કે પોલિસનું મહત્ત્વ જશું રહે? પ્રત્યેાજન જ શુ' ? આજે સત્તાના ભય એટલા માટે છે કે તે કાંસી આપી શકે છે. જો મેાતના ભય જ ન હેાય તા બિચારી સત્તા નકામી થઈ જાય છે. જો સૃષ્ટિમાં એવા કાઈ સમય આવે કે પ્રત્યેક મનુષ્ય મેાતથી ડરવાનું બંધ કરી દે તા સત્તા પણ એના માતે મરી જશે, પછી કઈ થશે નહિ. પોલિસ કે સત્તા શું કરશે? દંડ શુ` કરશે ? ફ્રાંસી શું કરશે ? વૃદ્ધાવસ્થાના આનઃ જો પણ ભય દૂર થઈ જાય અને એ વાત સમજમાં આવી જાય કે ધડપણુના પણ પેાતાને આનદ હોય છે તે! ધડપણુ કષ્ટદાયક નથી થતું. માણસ વિચારે છે—ઘરડા થઈ જઈશ, પછી કાઈ પૂછશે નહિ, કાઈ પાસે આવશે નહિ. એકલેા પડી જઈશ. તે આ ચિંતામાં ડૂબી જાય છે. પરંતુ જ્યારે દષ્ટિ બદલાઈ જાય કે વૃદ્ધાવસ્થાના પણ પેાતાના આનંદ ાય છે, એકાંતમાં રહેવાને પોતાના આનંદ હોય છે, તે તે વ્યક્તિ સત્ર આનંદ જ આનંદ માણસ સદા લેાકેાની વચ્ચે રહે છે, જેણે કદી નથી કર્યાં, તે સમજી શકતા નથી કે એકાંતને શે! આનંદ હોય છે? જે વ્યક્તિ જેને માટે જીવી રહી છે, એ જે સાથે નહિ આવે તા તેને ધણું દુ:ખ થાય છે, પરંતુ જેણે એકલા હેાવાનેા અનુભવ કરી લીધેા છે કે જાતને સત્યને માટે સમણુ કરી દીધી છે તેને કૈટલે! આનંદ થાય છે, તે તે જ જાણી શકે છે, ખીજો માણસ નથી જાણી શકતા. પ્રાપ્ત કરશે. જે એકાંતને અનુભવ રાગતા આનંદ જો હું એમ કહુ` કે રાગના પણ એક આનંદ હૈાય છે. તે બધાને લાગશે કે હું ઊંધી વાત કરી રહ્યો છું. રાગ અને આનંદને સંબંધ શા છે? પણ એ સાચું છે કે રાગના આનંદ હેાય છે. રાગની અવસ્થામાં માનવી જેટલી મેાટી ઉપલબ્ધિ મેળવે છે તેટલી માટી ઉપલબ્ધિ કદાચ નીરેાગી અવસ્થામાં પણ પ્રાપ્ત નથી થતી. નીરાગી વ્યક્તિની એક ચિંતનધારા હૈાય છે અને રાગી વ્યક્તિની ખીજી ચિંતનધારા હાય છે. કુંતીએ પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું : ‘પ્રભુ ? મને દુઃખ જોઈએ.’ કૃષ્ણે કહ્યું ; આ શું માંગ્યું? કાંઈક સારી વસ્તુ માગવી હતી. દુઃખ ૧૬૩ Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ તે કંઈ ઈચ્છવાની વસ્તુ છે કુંતીએ કહ્યું : “અન્તરયામી ! આપ સર્વ કાંઈ જાણે છે. મને આપત્તિ જોઈએ, દુઃખ જોઈએ, રોગ જોઈએ કેમ કે ધન, રાજ્ય, વૈભવ અને સત્તા–આ બધાં ઉન્માદ પેદા કરે છે. વ્યક્તિ એનાથી પ્રમત્ત થઈ જાય છે. હું તો આપની શરણમાં રહેવા ઈચ્છું છું. મારા જીવનમાં વૈભવ ન આવે. મારા જીવનમાં કદી પ્રમાદ અને ઉન્માદ ન આવે. મને કદી પ્રમાદ અને ઉન્માદ ન સતાવે તેથી એક સજાગ પ્રહરી જોઈએ. હું દુઃખને સજાગ પ્રહરી માનું છું. આપ મને દુઃખનું વરદાન આપે. મને દુઃખ મળે.” દુનિયામાં ઊલટું વિચારનારાઓની ઊણપ નથી. કેવી કેવી વિપરીત વાતો વિચારવામાં આવે છે. રોગને આનંદ અપાર હોય છે. મહારાજ સનકુમાર ચક્રવર્તી હતા. તેમણે પિતાને અપાર વૈભવ છેડીને દીક્ષા ગ્રહણ કરી લીધી. તેઓ મુનિ બની ગયા. થોડા જ સમયમાં તેમનું શરીર અનેક રોગોથી આક્રાંત થઈ ગયું. મોટા રોગોની સંખ્યા સોળ છે. તે બધા તેમના શરીરમાં દેખાવા લાગ્યા. તેમણે ચિકિત્સાને પ્રયત્ન નહિ કર્યો. કેમ કે તેઓ રોગોને આનંદ લેવા ઇચ્છતા હતા. તેઓ આનંદ લઈ રહ્યા હતા–એટલે આનંદ કે સામાન્ય માનવી તેની કલ્પના પણ નથી કરી શકતા. એક અનુભવી વૈદ્ય આવ્યા. રોગોની ભયંકરતા જોઈને બોલ્યાઃ મુનિ! સમગ્ર શરીર રોગોથી આક્રાન્ત થઈ ગયું છે. શું આપને કષ્ટ નથી થઈ રહ્યું. એ કેવી રીતે સંભવ છે કે રેગ હેાય અને દુઃખ ન હોય? આપ મારી દવા કરો, બધા રોગો સમાપ્ત થઈ જશે. મુનિ સનકુમારે સ્મિત કરતાં કહ્યું : “વૈદ્યરાજ! મારે દવા નથી જોઈતી. મારે કોઈ ચિકિત્સા નથી કરાવવી. વૈદ્ય કહ્યું કે આપણું શરીર સડી રહ્યું છે. મારી પાસે કીમતી ઔષધિ છે આપ એનું સેવન કરો. સ્વસ્થ થઈ જશે. વૈદ્ય કીમતી ઔષધિ આપી રહ્યા હોય અને રોગી તેને લેવાની ના પાડી રહ્યો હોય એવું નથી બનતું. જે એવું થાય તે આશ્ચર્યની વાત કહેવાય. રોગી રોગમુક્ત થવા માટે પ્રત્યેક ઔષધિ પર વિશ્વાસ કરી જ લે છે અને ઔષધિના ચક્રથી બહાર નથી નીકળતા. વૈદ્ય આગ્રહ કર્યો. ૧૬૪ Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ મુનિએ પૂછયું : “શું તમને સોળઆની વિશ્વાસ છે કે ઔષધિથી બધો રોગ મટી જશે!' વૈદ્ય કહ્યું : વિશ્વાસ તે છે પણ કોઈ રોગ ઉપશાંત ન પણ થઈ શકે. આખરે દવાઓ જ તે છે. કોઈ અસર કરે અને કોઈ અસર ન પણ કરે.' મુનિ સનકુમારે કહ્યું કે મારી પાસે ઔષધિ છે જે બધા રોગોને સમાપ્ત કરી દે છે. તમને તેને પ્રભાવ બતાવું? મુનિ સનકુમારે પિતાના મોંમાં આંગળી નાખી ધૂકના છાંટા પિતાના શરીર પર ઝરતા કેઢ પર લગાડ્યા. એક જ ક્ષણમાં ચમત્કાર જેવું બની ગયું. જ્યાં જ્યાં ધૂકના છાંટા પડયા હતા. શરીરનું તે સ્થાન કંચન જેવું ચમકતું અને સ્વચ્છ થઈ ગયું. વૈદ્ય જોતા જ રહી ગયી. તેમના વિસ્ફારિત નેત્ર અચળ રહી ગયા. તેમનું શરીર મુનિના ચરણોમાં મૂકી ગયું. તે બોલ્યા–મુનિપ્રવર ! આ કેવું આશ્ચર્ય ! આપનું શરીર બીમારીથી સડી રહ્યું છે. કોઢ ઝરી રહ્યો છે. શરીરનું અણુ અણુ રોગ ગ્રસ્ત છે. આપની પાસે ચમત્કારિક ઔષધિ છે, તો પણ આપ સ્વસ્થ થવાને પ્રયત્ન નથી કરતા. મુનિ સનકુમારે કહ્યું : રોગને પણ પિતાને આનંદ હાય છે. જ્ઞાની મનુષ્યની આ એક કસોટી છે કે રોગ વેળાએ તે કેવી રીતે જીવે છે? કસોટીનો સમય કઈ કઈ વાર આવે છે. કેઈપણ માણસ પોતાની જાતને જ્ઞાની માની શકે છે અને બીજાને અજ્ઞાની માની શકે છે. પરંતુ વાસ્તવમાં જ્ઞાની કોણ હોય છે અને અજ્ઞાની કોણ હોય છે તે કસોટી કરીએ ત્યારે જ જાણી શકાય છે. આરાધનાની દૃષ્ટિમાં અને નવી સૃષ્ટિમાં જ્ઞાનીની એક પરિભાષા છે–જે વ્યક્તિ આવનારી બીમારી અને વેદનાને સમભાવપૂર્વક સહન કરી લે છે, તે જ્ઞાની હોય છે. અને જે આવી સ્થિતિમાં સમભાવ નથી રાખી શકતી, રડે છે, ચીસ પાડે છે, બરાડે છે, હાય, હાય કરે છે તે અજ્ઞાની હોય છે. જે બધી પરિસ્થિતિ ને પ્રસન્નતાપૂર્વક ચિત્તની પૂર્ણ નિર્મળતાથી સહન કરે છે તે જ્ઞાની હોય છે.” આપણી નવી સૃષ્ટિમાં રોગ હોઈ શકે છે, પણ રાગનું કષ્ટ નથી હતું. ત્યાં એને પિતાનો આનંદ હોય છે. ત્યાં રોગોને સમાધિનું નિમિત્ત બનાવી શકાય છે. ધ્યાનનું સાધન બનાવી શકાય છે અને તેને અનેક બુરાઈઓથી બચાવવાનું સાધન બનાવી શકાય છે. ૧૬૫ Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધાવસ્થા: શક્તિ સંરક્ષણનું સાધન આપણી નવી સૃષ્ટિમાં ધડપણ હોઈ શકે છે. પણ ઘડપણનું કષ્ટ નથી હોઈ શકતું. એને શક્તિસંરક્ષણનું સાધન બનાવી શકાય છે. ઘડપણ શક્તિ સંરક્ષણનું સારું સાધન છે. જેટલું જીવન જીવ્યા, તેમાં શક્તિઓને અંધાધુંધ ખર્ચ કર્યો, અપવ્યય કર્યો પરંતુ હવે જે શક્તિઓ છે તેને યોગ્ય ઉપયોગ કરવામાં આવે. નવી શક્તિઓની પ્રાપ્તિ અને પ્રાપ્ત શક્તિઓનું સંરક્ષણ અને ઉપયોગ કરી શકાય છે. આવી સ્થિતિમાં જીવનમાં નવો આનંદ ઉત્પન્ન થઈ જાય છે. મેટું સમર્પણ : માટી ઉપલબ્ધિ નવી સૃષ્ટિ માટે નવી દષ્ટિ પ્રત્યે સમપિત થવું જોઈએ. જ્યાં સુધી આપણે સમર્પિત નથી થતા ત્યાં સુધી વાસ્તવિક પ્રાપ્તિ નથી થતી. મોટી ઉપલબ્ધિ માટે મોટા પ્રત્યે સમર્પિત થવું જરૂરી છે. નાના પ્રત્યે સમર્પણ કરવાથી કાર્ય નથી થતું. મેટા પ્રત્યે સમર્પણ થાય છે તો નવી દષ્ટિની મેટી ઉપલબ્ધિ થાય છે. અકબરે કહ્યું : તાનસેન! હું તમારા ગુરુ પાસેથી સંગીત સાંભળવા ઈચ્છું છું. તાનસેન બેલ્યો ઃ આ અશક્ય છે. આપ બોલાવશે તે પણ તે નહિ આવશે, કેમ કે તેમને આપની સાથે લેવા-દેવા જ શી ? આપ કહેશે : ગાયન સંભળાવો. તેઓ મૌન રહેશે, બેલશે નહિ. બાદશાહ વિમાસણમાં પડી ગયા. ભાવના ઉત્કટ થઈ આવી. એક ઉપાય શોધી કાઢ્યો. બાદશાહે પિતાને વેશ બદલ્યો. તાનસેનને સાથે લઈને તે નીકળે, ગુરુ ઝૂંપડીમાં બેઠા હતા. બાદશાહ બહાર ઊભા રહી ગયા. તાનસેન અંદર ગયો. તેણે ગાવાનું શરૂ કર્યું. જાણી જોઈને ખોટો રાગ ગાવા લાગે. ગુરુએ તરત એને ટોક્યો. ભૂલ જાણ્યા પછી એને સહન નથી કરી શકતા. આચાર્યશ્રી કહે છે ? મારી તે એ ટેવ છે કે જ્યાં કશે ભૂલ દેખાય છે ત્યાં હું તરત ટકું છું. તાનસેનને ખોટું ગાતા ગુરુએ એને ટક્યો અને કહ્યું : ચૂપ રહે. ગાવાનું નથી જાણતા. તંબૂરો મને આપો., ગુરુએ ગાવાનું શરૂ કર્યું. બાદશાહ ગાયન સાંભળીને મુગ્ધ થઈ ગયા. તેણે માન્યું કે આજે જીવન સફળ થયું છે. ૧૬૬ Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ બાદશાહ અને તાનસેન પાછા ફર્યા. બાદશાહે કહ્યું : તાનસેન હવે તારું ગાયન મને ફીકું લાગે છે. એમાં કોઈ રસ નથી પડત, એમ કેમ? તાનસેન બોલ્યો : હજૂર! હું દિલ્હીના બાદશાહને રાજી રાખવા માટે ગાઉં છું. પ્રસન્ન કરવા માટે ગાઉં છું. મારા ગુરુ પરમાત્માને રાજી રાખવા માટે, પ્રસન્ન રાખવા માટે ગાય છે. જેટલું મોટું સમર્પણ હશે. તેટલી જ મોટી ઉપલબ્ધિ હશે. આરાધના છે મૃત્યુનું દર્શન આપણે જ્ઞાન, દર્શન અને ચરિત્ર પ્રત્યે સમર્પિત થઈએ છીએ. સત્ય અને વીર્ય પ્રત્યે સમર્પિત થઈએ છીએ. આપણું આરાધનાની શક્તિ જાગે છે ત્યારે નવી સૃષ્ટિની ઉપલબ્ધિ થવામાં કઈ મુશ્કેલી નથી પડતી. જ્યાચાયે આરાધનામાં નવી દષ્ટિ અને નવી સૃષ્ટિનું એટલું સુંદર ચિત્રણ પ્રસ્તુત કર્યું છે કે આજના આ સમસ્યા સંકુલ સમયમાં આવનાર દરેક વ્યક્તિ માટે તે આરાધનાની દૃષ્ટિને જાણવી અને તેને ઉપલબ્ધ કરવી ખૂબ આવશ્યક છે. જો તે ઉપલબ્ધ થઈ જાય, નવી દષ્ટિ ઉપલબ્ધ થઈ જાય, મૃત્યુનું દર્શન ઉપલબ્ધ થઈ જાય તો ખરેખર જીવનનું દર્શન પ્રાપ્ત થાય છે. આજની સૌથી મોટી મુશ્કેલી એ જ છે કે માનવીને જીવનનું દર્શન તો પ્રાપ્ત થાય છે, પણ મૃત્યુનું દર્શન પ્રાપ્ત થતું નથી. આરાધનાને મર્મ એક શબ્દમાં આ છે –મૃત્યુના દર્શનને ઉપલબ્ધ કરવું. જ્યારે મૃત્યુનું દર્શન ઉપલબ્ધ થઈ જાય છે ત્યારે જીવનનું દર્શન પ્રાપ્ત થાય છે. ૧૬૭, Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ મહાનતાની ચાવી ૧ ૬૮ Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૨ સંકેતિકા १ रेकारा तूंकारा किण में, राग द्वेष वस दीध । तेहथी खमत खामणा म्हारा, एम वदै सुप्रसीध ॥ २ मोक्ष साधक व्रत पालण विधमें, बलवीर्य गोपवियो । वीर्य आचार विराधना कीधी तो, मिच्छामिदुक्कडं उच्चरियो रा॥ अतिचार मूल उत्तर गुणमें, लाग्यो ते संभारी-संभारी । माया रहित आलोई लिये दंड, कपट प्रपंच निवारी रा॥ ४ छोटा-मोटा दोष आलोवै पिण लाज शरम नहीं ल्यावै - ૩ત્તમ જીવ pણી તેને, દ્વૈત નરેન્દ્ર સરાવૈ | ५ क्रोध, मान, माया, लोभ तणे वस, वचन काढयो मुख बार । હાસ છતો કરી હ, હિપ હૂં તો, મિમિત્તડું હારે વા (આરાઘના ૩/૮; ૧/૪ ૬, ૧૪, ૬૨, ૨૨) 1 જીવનનું દર્શન જીવનની સફળતાનું સૂત્ર બની શકે છે. પણ મૃત્યુનું દર્શન જીવનની સફળતાનું સૂત્ર કેવી રીતે બની શકે છે? 'n જીવનની અસફળતાનું સૌથી મોટું સૂત્ર છે–અહંકાર 0 અહંકાર-વિલયનું સૌથી મોટું સૂત્ર છે–મૃત્યુદર્શન. 0 મૃત્યુદર્શન જીવનની સફળતાનું સૌથી મોટું સૂત્ર. 0 સફળતા મહાનતાને જન્મ આપે છે, અને પોતાની અલ્પતાઓને જાણ્યા વગર કોઈપણ મહાન નથી બની શકતું. n મહાન બનવાની એક ચાવી છે–પિતાની આલોચના, પિતાની ક્ષુદ્રતાઓની ક્ષણોને જોવી. 0 સંત ફાંસિસે ક્ષુદ્રતાના નવ અવસરોની ચર્ચા કરી. તે જયાચાર્ય ની આરાધનાને ભાવાનુવાદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ મહાનતાની ચાવી મૃત્યુનું દર્શન એક ભાઈએ પૂછ્યું–જીવનની સફળતાનું સૂત્ર કયું છે? મેં કહ્યું–જીવનની સફળતાનું સૂત્ર છે—મૃત્યુનું દર્શન. તેણે ફરીથી જિજ્ઞાસાના સ્વરમાં પૂછ્યું–આ કેવી રીતે શક્ય છે? જીવનની સફળતાનું સૂત્ર જીવનનું દર્શન હોઈ શકે છે. પરંતુ મૃત્યુનું દર્શન જીવનની સફળતાનું સૂત્ર કેવી રીતે થઈ શકે છે? આ વાત સમજમાં આવે એવી નથી. મેં વિનમ્ર સ્વરોમાં કહ્યું–જીવનની અસફળતાનું સૂત્ર છે— અહંકાર. અને અહંકાર-વિલયનું સૌથી મોટું સૂત્ર છે-મૃત્યુદર્શન. જ્યાં સુધી અહંકાર તૂટતા નથી ત્યાં સુધી મનુષ્ય જીવનમાં સફળ નથી થઈ શકતો. આજ સુધીના વિશ્વ-ઈતિહાસને જુઓ, ત્યાં જોવા મળશે કે જે સત્તા જે સમાજ વિનમ્રતા ગુમાવીને, અહંકારના હિમાલય પર ચઢી ગયો, તે સીધો ત્યાંથી પડ્યો છે અને તેનું અધઃપતન થયું છે. જીવનની વિનમ્રતા જ્યારે જ્યારે નષ્ટ થાય છે. ત્યારે ત્યારે પતનની ક્ષણે નજર સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે. અહંકારને દૂર કરવાને જીવન દર્શનમાં કોઈ ઉપાય નથી. જીવન-દર્શન અહંકારને વધારે છે. અહંકાર જ્યારે વધે છે, ત્યારે ત્યારે પતનનો માર્ગ સ્પષ્ટ થઈ જાય છે. આપણે જીવનને ખૂબ જાણુએ છીએ, મૃત્યુને જાણતા નથી. આપણે જીવનને ખૂબ પ્રેમ કરીએ છીએ. મૃત્યુને પ્રેમ કરતા નથી. તેને પ્રેમ કરતાં ગભરાઈએ છીએ. ખૂબ આશ્ચર્ય થાય છે. જીવન અને મૃત્યુએ એક સાથે ચાલનારી બે ધારાઓ છે. માનવી એકની સાથે ચાલે છે. બીજીને કુકરાવે છે. જ્યારથી જીવન પ્રારંભ થાય છે, ત્યારથી મૃત્યુને પણ પ્રારંભ થઈ જાય છે. કેઈપણ માનવી એક દિવસમાં કદી મરતો. નથી. આજ સુધી એવું બન્યું નથી કે એક જ દિવસ, ઘડી કે ક્ષણમાં માનવી મર્યો હોય, જે ક્ષણે તે જીવવાને આરંભ કરે છે. તે જ ક્ષણે મરવાનો પણ આરંભ કરી દે છે. જે જીવવાનું શરૂ થાય અને મરવાનું શરૂ ન થાય તો તે અમર થઈ જાય, પછી તે કદી મરી જ નહિ શકે. તેને મારવાની કઈમાં શક્તિ જ નહિ રહે, તર્કશાસ્ત્રમાં ખૂબ મોટો પ્રસંગ આવે છે–જે ક્ષણે ઘડે પેદા થયો તે ક્ષણે જ નષ્ટ થ શરૂ થઈ ગયે. જે પહેલી ક્ષણમાં ઘડો નષ્ટ નથી થતો તે તે કદી પણ ૧૭૦ Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ નષ્ટ નહિ થશે. જન્મ સાથે મૃત્યુ આવે છે. નિર્માણ સાથે વંસ આવે છે. જેમ જન્મ એક બાજુ છે તે તેની સાથે જોડાયેલ બીજી બાજુ મૃત્યુ છે. આ આપણી ખૂબ મોટી બ્રાન્તિ હોય છે કે આપણે એક બાજુને સ્વીકાર કરીએ છીએ અને બીજી બાજુને સ્વીકાર નથી કરતા. આપણે જન્મને જોઈએ છીએ જીવનને જોઈએ છીએ, પરંતુ જીવનની સાથે સાથે સમાનાન્તર રેખા પર ચાલી રહેલ મૃત્યુને નથી જતા. વિચારીએ છીએ-માણસ એંસી વરસ થઈને મરી ગયો. મોત આવી ગયું. શું એંસી વર્ષની અંતિમ ક્ષણે મત આવ્યું અને માનવી મરી ગયો ? ના મત તો જીવનની સાથે સાથે ચાલી જ રહ્યું હતું. જેવી રીતે જીવનનું ચક્ર ચાલી રહ્યું હતું તેવી રીતે મોતનું ચક્ર પણ ચાલી રહ્યું હતું. બંને પૈડાં સાથે સાથે ચાલી રહ્યા હતાં. આ આપણી ભ્રાન્તિ છે કે આપણે એક પંડાને જોઈ લઈએ છીએ અને બીજા તરફ ધ્યાન નથી આપતા. મૃત્યુ નિષેધાત્મક પક્ષ આજ સુધી જેટલા પણ લેકે જીવનમાં સફળ થયા છે. તેમની સફળતાનું રહસ્ય હતું–મૃત્યુદર્શન. મૃત્યુનું દર્શન નિષેધાત્મક દર્શન છે. એક હોય છે—વિધેયાત્મક દર્શન અને એક હોય છે.–નિષેધાત્મક દર્શન. આ વિદ્યુત યુગમાં એ ખૂબ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. કે માત્ર વિધેયાત્મક કશું નથી કરી શકતું. જ્યાં સુધી પિઝિટિવ અને નેગેટિવ –બંને પ્રકારના વિદ્યુતને મેળ નથી થતું ત્યાં સુધી પ્રકાશ નથી થતો. જીવનમાં બંને જોઈએ—પોઝિટિવ (ધનાત્મક) પણ જોઈએ. અને નેગેટિવ (ઋણાત્મક) પણ જોઈએ. ધન અને ઋણ –એ બંને શક્તિઓ મળે છે ત્યારે પ્રકાશ ઘટિત થાય છે. જીવન પણ એક પક્ષે ચાલી નથી શકતું. બંને જોઈએ. મૃત્યુ : અહંકાર-મુક્તિને ઉપાય મૃત્યુ આપણું જીવનનો નિષેધાત્મક પક્ષ છે. તે માનવીને બચાવે છે. મનુષ્ય ઘણી બધી મુશ્કેલીઓ મૃત્યુદર્શનને આધારે પાર કરી જાય છે. મોત ન હોત તો અંહકારનું સામ્રાજ્ય છવાઈ જતું. મત ન હોત તે મેટા માણસોના અહંકારને તૂટવા માટે અવસર જ ન મળત. પ્રકૃતિને આ આઘાત જ્યારે જ્યારે લાગે છે, ત્યારે ત્યારે માનવીને ૧૭૧ Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ વિચારવાને અવસર પ્રાપ્ત થાય છે. તે વિચારે છે–નધરને અનશ્વર માનવો ભ્રાન્તિ છે. આ દુનિયામાં અનશ્વર કંઈ પણ નથી. જે કાંઈ દેખાય છે તે બધું વિનશ્વર છે, ચાલ્યું જનારું છે. પિોતાના શરીર પર ગર્વ કરનારને ગર્વ ચૂર-ચૂર થઈ જાય છે. જ્યારે તે રોગગ્રસ્ત થઈને ક્ષીણ થઈ જાય છે. પિતાને યૌવન પર ગર્વ કરનાર વૃદ્ધ થાય છે ત્યારે તેને બધો ગર્વ દૂર થઈ જાય છે. પિતાના જીવન પર ગર્વ કરનાર જ્યારે મોતના મુખમાં ફસાઈ જાય છે ત્યારે બધે જ ગર્વ તૂટી જાય છે. તેને જ નહિ, આસપાસવાળાઓને પણ અહંકાર તૂટી જાય છે. જે મત નહિ હેત, બધું જ અમર હેત તો સૌથી મોટી મુશ્કેલી એ હેત કે વસ્તી ખૂબ વધી જતે. તે એટલી બધી વધી જતે કે પ્રલય જ નહિ, મહાપ્રલયની જરૂર પડતું. બીજી વાત એ છે કે, જે મોત નહિ હોત તે અહંકારને સમાપ્ત કરવાનો કેઈ પ્રયાસ કરત નહિ અહંકાર સમાપ્તિ માટે મૃત્યુ અસરકારક ઉપાય છે. સફળતાનું સૂત્ર છે—મૃત્યુનું દર્શન. ક્ષુદ્રતાનું જ્ઞાન જે લોકોએ પોતાની અલ્પતા જોઈ નથી, તેઓ મૃત્યુના દર્શનને સમજી નથી શકતા. એમ પણ કહી શકાય કે જે લેકે મૃત્યુના દર્શનને જાણતા નથી. તે પિતાની ક્ષુદ્રતાઓ અને અલ્પતાઓને જોઈ નથી શક્તા. સંત ફ્રાન્સિસે પિતાની નવી મુદ્રતાઓનું વર્ણન કર્યું છે. જ્યારે મેં તે વાંચી ત્યારે મને લાગ્યું કે આ તો આરાધનાનું પ્રતિબિંબ છે. આ તે આરાધનાનો ભાવાનુવાદ છે. દુનિયામાં માત્ર મનુષ્ય જ યાત્રા નથી કરતો, વિચાર પણ યાત્રા કરે છે. વિચારયાત્રાની વાત ઘણું અદ્ભુત છે. કેઈ એક દેશ અને કાળમાં આવતા વિચાર બીજા દેશ અને કાળમાં આ રીતે સંક્રાંત થાય છે કે માનવી વિચારી નથી શકતો. પછી તો આ શેધને વિષય બની જાય છે કે પહેલાં કેણે વિચાર્યું હતું અને પછી કેણે વિચાર્યું હતું. આકાશ એક અનન્ત. ખજાને છે. જેમાં પહેલાં પછીને પ્રશ્ન જ નથી. આકાશમાં વિચારના પરમાણુઓ એટલા ભરેલા પડ્યા છે કે તેની રેંજમાં જે પણ આવી જાય છે, તેનું મસ્તિષ્ક તે વિચારે પ્રગટ કરવાનું માધ્યમ બની જાય છે. જયાચાર્ય જે વાત આરાધનામાં કહી રહ્યા છે તે ૧૭૨ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ વાત સંત ફાન્સિસે પિતાના અનુભવમાં ફરીથી કહી રહ્યા છે. તેમણે લખ્યું છે. મેં મારા જીવનમાં નવ સુદ્રતાઓને અનુભવ કર્યો છેઃ ૧ જ્યારે મેં મારા સાથીઓ પર, પિતાનાથી નબળી વ્યક્તિઓ પર રોબ જમાવવાનો પ્રયત્ન કર્યો તે મેં અનુભવ કર્યો કે આ મારા જીવનની એક શુદ્ધતા છે. મેં ક્ષુદ્રતાની ક્ષણને અનુભવ કર્યો. ૨ મારી સમક્ષ બે માર્ગો હતાઃ એક હતો કર્તવ્યપરાયણતાને માર્ગ અને બીજો હતો સસ્ત સુવિધાને માગી. સસ્તો સુવિધાનો. માર્ગ પસંદ કર્યો ત્યારે મને અનુભવ થયે, આ જીવનની ક્ષુદ્રતાની બીજી ઘડી છે. ૩ જ્યારે મેં કઈ અયોગ્ય કાર્ય કર્યું. અપરાધ કર્યો અને એનું પ્રાયશ્ચિત્ત નહિ કર્યું, જ્યારે મનમાં આવ્યું કે અનુચિતનું પ્રાયશ્ચિત થવું જોઈએ તો વળી મનમાંથી અવાજ ઊડ્યો–એવું જ થાય છે, એવું જ ચાલે છે, કેઈ નવી વાત નથી. બસ, આ તકે પ્રાયશ્ચિત્તને ઠાકર મારી. ત્યારે મને મારા જીવનની ત્રીજી ક્ષુદ્રતાને અનુભવ થયો. ૪ મેં મનના અવાજને આત્માને અવાજ માની લીધો. મને મારા જીવનની ચેથી ક્ષુદ્રતાને અનુભવ થયે. ૫ યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા માટે માનવી સમક્ષ આજીજી કરી. મને અનુભવ થયો કે આ મારી કમજોરી છે. ૬ મેં કુરૂપતાને ઘણની દૃષ્ટિએ જોઈ. મેં એ ન વિચાર્યું કે ઘણાને જ એક પડદે કુરૂપતા છે. આ પણ મારી એક ક્ષુદ્રતા હતી. ૭ પ્રશંસાને મેં મારી મેટાઈની કસોટી માની લીધી. લોકો પ્રશંસા કરતા, હું માનતો કેટલે મોટો માણસ . એક દિવસ મને અનુભવ થયો કે આ મારી અપતાને ઘાતક છે. ૮ મેં સ્વની ચિંતા ઓછી કરી. હંમેશા બીજાને જ જતો રહ્યો. ૮ વિપત્તિ આવતા આત્મવિશ્વાસ ગુમાવી દીધો. યાચના શરૂ કરી દીધી. સુકતાની આ નવ ક્ષણ હતી. ૧૭૩ Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ આત્માને અવાજ શા માટે? ઘણુ બધા લેકે બ્રાતિમાં છે. વારંવાર એ સાંભળવા મળે છે કે આ મારા આત્માનો અવાજ છે. ખબર નથી. આત્મા શું છે? મનના અવાજને દરેક માણસ આત્માને અવાજ માની લે છે. ઘણાં વર્ષો પહેલાંની વાત છે. આચાર્ય પ્રવર હાંસી (હરિયાણા)માં ચાતુર્માસ વિતાવી રહ્યા હતા. એક યુવક આવ્યા. ખૂબ ભણેલ ગણેલો. એમ. એ. થઈ ચૂક્યો હતો. તેણે કહ્યું : ધર્મ-અધર્મ શું છે? પુણ્ય-પાપ શું છે. જે આત્માને અવાજ છે એનાથી ખબર પડે છે કે આ ધર્મ છે, આ અધર્મ છે. આ પુણ્ય છે. આ પાપ છે. કોઈપણ ગ્રંથ કે શાસ્ત્રની કઈ જરૂર નથી. મેં સાંભળ્યું. હું ચકિત થઈ ગયો. મેં કહ્યું : તમે વાત તે ઠીક કહે છે, પરંતુ શું તમે જાણે છે કે આત્માનો અવાજ કો હોય છે? તે યુવકે કહ્યું : મહાત્મા ગાંધીએ લખ્યું કે આત્માને અવાજ જ નિર્ણાયક હોઈ શકે છે. ' મેં કહ્યું : મહાત્મા ગાંધી ખૂબ મોટા સાધક હતા. અહિંસા પ્રત્યે તેમને ઊંડી નિષ્ઠા હતી. તેમનામાં અહિંસાની ભાવના પૂર્ણતઃ જાગૃત | હતી. પરંતુ એક સાધારણ માણસ જેનામાં અહિંસાની ભાવના નથી જાગી. જેનામાં રાગદ્વેષ છે, જે પ્રિયતા અને અપ્રિયતાના સંવેદનથી મુક્ત નથી, તે જે કહી દે કે જે મારા મનમાં આવે છે તે જ મારા આત્માને અવાજ છે, તે સમગ્ર દુનિયાને ન્યાય સમાપ્ત થઈ જશે. ખૂબ વિચિત્ર વાત છે. આજે પ્રત્યેક વ્યક્તિ કહે છે કે આ મારા આત્માને અવાજ છે. ચેર પણ આવી જ વાત કરે છે. ન્યાયાધીશે ચેરને પૂછયું : તેં ચોરી કેમ કરી? ચોર બોલ્યો : મારા આત્માને અવાજ હતો. મેં ચોરી કરી દીધી. આ પરિસ્થિતિમાં કાનૂન શું કરશે ? આત્માના અવાજ સામે કાનૂન સમાપ્ત થઈ જાય છે. પ્રત્યેક અપરાધી એમ જ કહેશે કે મારા આત્માને અવાજ હતો. સંત ફ્રાન્સિસે લખ્યું કે મેં મારા મનના અવાજને આત્માને અવાજ મા ત્યારે મને મારા જીવનની ક્ષદ્રતાને અનુભવ થ. આલોચના : મહાનતાનું સૂત્ર આ બધી વાત જ્યારે વાંચી ત્યારે એવું લાગ્યું જાણે આરાધના બેલી રહી છે. સંત ફાંસિસે નવ ક્ષુદ્રતાઓ ગણાવી છે. તે-જયાચાયે ૧૭૪ Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ઘણી બધી શુદ્ધતાઓને ઉલ્લેખ કર્યો છે. મનુષ્યના જીવનમાં અપતાએ અને ક્ષુદ્રતાઓ આવે છે. તે એને સફળ નથી થવા દેતી, મહાન બનવા નથી દેતી. સફળતા મહાનતાને જન્મ આપે છે. મહાનતાની ચાવી છે. આલેચના. આરાધનાનું પહેલું સૂત્ર છે આલોચના. આચને બીજાની નહિ, પિતાની. આપ વિચારશે, જે આલોચના સફળતાનું સૂત્ર છે તે ભારત બધાથી મહાન છે. અહીંની પ્રત્યેક વ્યક્તિ આલોચક છે. અહીંની માટીને જ આ પ્રભાવ છે કે માનવી ભલે વિષય જાણ હોય કે નહિ જાણતા હોય, તે આલોચના કરવા તત્પર રહે છે. રાજનીતિને “ક', “ખ”, “ગ” ન જાણનાર વ્યક્તિ પણ મોટા મોટા રાજનીતિજ્ઞોની આલોચના કરી લે છે. ધર્મને કક્કો પણ ન જાણનાર વ્યક્તિ મોટામોટા ધર્માચાર્યોની આલોચના કરી દે છે. ભારતમાં જ આ પ્રવૃત્તિ વધારે છે. અન્યત્ર નહિ. આવી આલોચનાથી કોઈ મહાન નથી થતું. બીજાની આલોચનાથી વ્યક્તિનું અધઃપતન થાય છે. મહાનતાનું સૂત્ર છે—પોતાની જાતની આલોચના. પિતાની ભૂલનું નિરીક્ષણ, પિતાના પ્રમાદનું સિંહાલેકને, પિતાની અ૯૫તાઓ અને મુકતાઓનું સમીક્ષાકરણ. આરાધનાનું પહેલું સૂત્ર સફળતાનું મોટું રહસ્ય અને મહાનતાને રાજપથ છે. પિતાની જાતને જેવી, પિતાની આલોચના કરવી ખૂબ મુશ્કેલ છે. જ્યાં સુધી એનો આપણને અનુભવ નથી થતો ત્યાં સુધી એવું કરી શકવું સંભવ નથી. એક રાજા સાગરની સફર કરી રહ્યો હતો. તેની સાથે પ્રધાન, કર્મચારી વગેરે અનેક લેકે હતા. જહાજ ચાલ્યું તેફાન આવ્યું. જહાજ ડોલવા લાગ્યું. બધા જાગ્રત હતા, શાંત બેઠા હતા. પરંતુ એક સિપાઈ રડતો-કકળતો હતો. જ્યારે જ્યારે જહાજ શાંત થઈ જતું, તે શાંત થઈ જતો. જ્યારે પણ જહાજ ડગમગતું, તે રડવા લાગી જતો. રાજાએ પ્રધાનને કહ્યું ઃ એને સમજાવો. ડરવાની કેઈ વાત નથી. મંત્રીએ સમજાવ્યું. તેણે માન્યું નહિ. અંતે પ્રધાનને એક ઉપાય સૂઝયો અને તે માણસને ઉઠાવીને પાણીમાં ફેંકી દીધો. પાણીમાં પડતા જ તે જોરથી ચીસ પાડવા લાગ્યો. થોડીક વાર સુધી તે બરાડા પાડતે રહ્યો. પ્રધાનના આદેશથી તરત જ એક તરવૈયા કૂદ્યો અને તેને પાણીમાંથી બહાર કાઢ્યો. તે એક ખૂણામાં શાંત થઈને બેસી ગયે. જહાજ આગળ ચાલ્યું. તે ડગમગવા લાગ્યું. પણ તે સિપાઈ શાંત અને ચૂપ થઈને બેસી રહ્યો. રાજાએ કહ્યું : પ્રધાન આ શું થઈ ૧૭૫ Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ગયું? તે ચીસ પાડતા હતા. ડરતો હતો. હવે શું થઈ ગયું? પ્રધાન બેલ્યો ઃ મહારાજ પહેલાં એને ખબર નહિ હતી કે પાણીમાં ડૂબવાથી કેટલી મુશ્કેલી પડે છે? શ્વાસ કેવી રીતે બંધ થઈ ગયેલું લાગે છે? માનવી ડૂબે છે ત્યારે મનમાં શે ભાવ આવે છે? એને ખબર નહિ હતી, તેથી જહાજમાં બેઠો બેઠો ગભરાતો હતો. હવે તેને ખબર પડી ગઈ છે કે પાણીમાં ડૂબવામાં અને જહાજમાં બેઠેલા રહેવામાં કેટલું અંતર હોય છે? હવે જહાજ એને સુરક્ષાત્મક લાગવા માંડયું જે પહેલાં બિહામણું લાગતું હતું. માણસ નથી જાણતો કે પોતાની આલોચનામાં કેટલી સુરક્ષા છે. સ્વયંની આલોચના કરવી સરળ કાર્ય નથી, પિતાની નબળાઈઓને અનુભવ કરવો, બીજા સમક્ષ તેને કહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આરાધનાનું ઘણું મોટું સૂત્ર છે–આલેચના. આ ભાવનાને વિકાસ એક નવી સૃષ્ટિમાં થઈ શકે છે. આપણી સૃષ્ટિમાં માનવી છે, બુદ્ધિ છે. એવી નવી સૃષ્ટિની જરૂર છે જેમાં માનવીની પણ જરૂર નથી અને બુદ્ધિની પણ જરૂર નથી. કેમ કે માનવી પુરાણ પુરુષ થઈ ગયો. જીવન-જીવતા મનુષ્યને એટલે સમય વીતી ગયો કે હવે મનુષ્ય એક કૂદકાની જરૂરિયાત છે. વૈજ્ઞાનિકે પ્રત્યેક વસ્તુની નવી જાત તૈયાર કરી રહ્યા છે. પશુઓની પ્રજાતિઓ પ્રકાશમાં આવી છે. પરંતુ મનુષ્યની જાત બદલવામાં તે હજી સફળ થયો નથી. જીન્સનું વિજ્ઞાન ઘણું આગળ વધી રહ્યું છે. તેનાથી મનુષ્યની જાત બદલવાને અથવા ઈછે એવા મનુષ્યને પેદા કરવાનો પ્રયત્ન ચાલુ છે. પરંતુ હજી આ પ્રયોગ પૂર્ણ સફળ નથી થયે. બુદ્ધિને ભય મનુષ્યને બદલવાની જરૂર છે. સાથે સાથે બુદ્ધિને પણ બદલવાની જરૂર છે. આજના યુગને બુદ્ધિની જરૂર નથી, પરંતુ તેણે એટલા ખતરાઓ અને સમસ્યાઓ પેદા કરી દીધી કે તેનાથી આજે સંપૂર્ણ જગતમાં ભય વ્યાપ્ત થઈ ગયો. આટલે ભય પહેલાં કદી ઊભો થયે ન હતે. જૂના જમાનામાં તલવારોથી લડવામાં આવતું હતું. પછી બંદૂકથી લડાઈ લડવામાં આવી. પછી તો આવી. આજે સ્થિતિ કંઈક બીજી જ બની ગઈ. આજે એવા ઝેરીલા ગેસની શોધ થઈ છે કે તેના પ્રયોગથી સંપૂર્ણ વિશ્વને ૧૦-૧૨ મિનિટમાં સમાપ્ત કરી શકાય છે. આ બધું ૧૭૬ Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ કામ બુદ્ધિનું છે. અબુદ્ધિએ કંઈ પણ ખતરા પેદા નથી કર્યો. બધા ખતરાનું સર્જન બુદ્ધિએ કર્યું છે. આ બધા ખતરાને જોતા આજે બે વાતોની ખૂબ જરૂર છે. ૧ માનવના સ્થાન પર અતિ માનવની સૃષ્ટિ થાય. ૨ બુદ્ધિને સ્થાને પ્રજ્ઞાનું સર્જન થાય. આજે અતિમાનવ કે અતિ ચેતન તથા પ્રજ્ઞાની જરૂર છે. અતિમાનવ કે અતિ ચેતનાનું અવતરણ આરાધના દ્વારા થઈ શકે છે. પ્રશ્ન થઈ શકે કે આરાધના શું છે? આરાધના કોઈ નવી વાત નથી. એ માત્ર ધર્મના ક્ષેત્રની જ વાત નથી. પ્રત્યેક ક્ષેત્રમાં આરાધનાની આવશ્યક્તા છે. દરેક ક્ષેત્ર માટે આ જ સફળતાનું સૂત્ર છે. આજની સમસ્યાઓ પાછળ વિરાધને વધી ગઈ. તેથી સમસ્યાઓની જાળ અનન્ત થઈ ગઈ. એને ક્યારેય અત જ નથી આવતું. આચાર્યપ્રવરે કાલે જ કહ્યું હતું કે, કેઈપણુ માનવી વિરાધક થવાનું ઈરછત નથી, વિરાધના નથી ઈચ્છતા. પરંતુ આજની દુનિયામાં વિરાધક થનારાઓની સંખ્યા ઓછી નથી. આરાધનાનાં સ આરાધનાનાં પાંચ સૂત્ર છે : ૧ જ્ઞાનની આરાધના ૨ દર્શનની આરાધના ૩ ચારિત્રની આરાધના ૪ તપની આરાધના ૫ વર્ષની આરાધના. એક તરફ મારી સમક્ષ ધર્મનું ક્ષેત્ર છે તો બીજી તરફ સમાજ અને રાજનીતિનું ક્ષેત્ર છે. રાજનીતિની પિતાની આરાધના હેાય છે. ધર્મની પિતાની આરાધના હેાય છે. જેવું લક્ષ્ય, જેવું સાધન તેવી આરાધના. ત્રણે એકસાથે હોય છે–સાધ્ય, સાધન અને પૂર્તિની પ્રક્રિયા અર્થાત સાધના કે આરાધના. કહેવાય છે કે ભારતના લકે વાતો અધિક કરે છે. કામ ઓછું કરે છે. એનું કારણ છે કે તેઓ વીર્યની આરાધન નથી કરતા. જ્યારે વીર્યની આરાધના નથી થતી ત્યારે કામ નથી થઈ શકતું. સમસ્યાઓ પેદા થાય છે, જ્યારે વીર્યની વિરાધના હોય છે, ત્યારે વાત વધારે 'મ- ૧૨ ૧૭૭ Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આરામપ્રિયતા વધી જાય છે અને કામ કરવાની મનેવૃત્તિ સમાપ્ત થઈ જાય છે. ભગવાન મહાવીરે કહ્યું : ધર્મની સાધના કરનાર સાધક ને વીની વિરાધના કરે છે, પેાતાની શક્તિનુ ગેાપન કરે છે, જે કામ કરી શકે છે પણ તે કરતા નથી. કામચેારી કરે છે તા તે વિરાધક બની જાય છે. વીની આરાધના ત્યારે થાય છે, જ્યારે વ્યક્તિ પેાતાની શક્તિના પૂરા ઉપયેગ કરે છે, જેનામાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ તે કામાં વાપરે છે. આચાય ભિક્ષુ અંતિમ સમય સુધી ઊભા ઊભા પ્રતિક્રમણ કરતા, ગાયરી પણ કરતા અને કાય પણ કરતા. તે એટલા માટે કરતા કે તેઓ પેાતાની શક્તિનુ ગેાપન કરવા નહિં ઈચ્છતા હતા. આ છે વીની આરાધના, આ છે શક્તિની આરાધના. જે મહાન વ્યક્તિ હૈાય છે, તે કદી પાતાની શક્તિની વિરાધના નથી કરતી. તે હમેશાં શક્તિની આરાધના કરે છે. જ્યારે વીની આરાધના હાય છે ત્યારે સફળતા ચેાક્કસ જ મળે છે. તપની આરાધના થાય છે અને તપની વિરાધના થાય છે. આજે ઘણીવાર સાંભળવામાં આવે છે કે અમુક વ્યક્તિએ કંઈ કર્યુ” નહિં. તે સીધી સત્તા પર આવી ગઈ, તેણે તપ નહિ કર્યું', કાઈ તપસ્યા નહિ કરી. તે પણ તે સત્તા પર આવી ગઈ. જે વગર તપ કર્યું સીધે! સત્તા પર આવે છે, તેણે તેવું જ પરિણામ ભાગવવું પડે છે. જેની પાછળ તપસ્યા કે સાધના નથી હાતી. તેનું પરિણામ પણ ઘણું સારું નથી આવતું. મહાત્મા ગાંધી યશસ્વી બન્યા, યશ પ્રાપ્ત કરવામાં તેમણે ખૂબ તપવું પડયુ હતુ, ખૂબ ખપી જવુ' પડયુ હતુ. એકવીસ વર્ષની ઉંમરથી તેમણે મુશ્કેલીએ સહન કરવાના પ્રારંભ કર્યા હતા. તેને સહન કરતાં કરતાં તેઓ એવા તપ્યા કે સેાનામાંથી કુન્દન બની ગયા. જેના જીવનમાં તપ નથી હેતુ, સાધના નથી હેાતી, ત્યાં સમસ્યાઓ પેદા થાય છે. આરાધનાનું બીજું સૂત્ર છે—તપની આરાધના. આરાધનાનું ત્રીજુ` સૂત્ર છે—ચારિત્ર્યની આરાધના. જ્યાં ચારિત્રની આરાધના નથી હોતી, આચારનું મૂલ્ય નથી હેતું, ત્યાં અનેક મુશ્કેલીઓ પેદા થાય છે, આજના યુગ મૂલ્યાના સ ́કટને યુગ છે. મૂલ્યાના સંકટનું કારણુ છે—ચારિત્રને મૂલ્ય ન આપવું. માનવી સારું ઇચ્છે છે. પણ તે આચારને મૂલ્ય આપવાની વાતને વિચારતા નથી. તેથી આ આચારની વિરાધનાએ અનેક સમસ્યાએને જન્મ આપ્યો છે, Jain Educationa International ૧૭૮ For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનું ચેાથું સૂત્ર છે—દનની આરાધના માટું આશ્ચય થાય છે. રાજનીતિ અને સમાજના મેાટા મેટાસસ્થાન ચાલે છે. તેમાં સંબદ્ધ વ્યક્તિને ખબર જ નથી પડતી કે તેમનું દર્શીન શું છે? એક વિદેશી પત્રકારે ચીની મજૂરાને પૂછ્યું : માવાદ શું છે? તેમણે કહ્યું : અમને ખબર નથી. પત્રકારને ધણું આશ્ચર્ય થયુ કે માર્ક્સવાદની ધાષણા અને સંકલ્પના આધારે ચાલનારાએને એ ખબર જ નથી કે માર્ક્સવાદ શું છે. માકર્સવાદ ગરીમા અને મજૂરા માટે ચાલ્યા, પણ મજૂર જો તેની પરિભાષા નથી જાણતા તે ધણા આશ્વની વાત છે. લાગે છે આ તા માત્ર ભીડ છે. તેએ નથી જાણતા કે તેમનું દર્શન શુ છે? આજે મજૂરાતે જ નહિ, ખુરશી પર બેસનારાઓને પણ પૂરી ખબર નથી હેાતી કે તેમનુ દર્શન શું છે? તે દનને આધાર શે! છે? આજે ભારતમાં રાજનીતિના ક્ષિતિજ પર જેટલા લેાકેા કામ કરી રહ્યા છે, તેમને પૂછવામાં આવે કે તેમનુ દન શું છે? તા સંભવ છે કે નકારાત્મક જવાબ જ મળશે. દિલ્હીની એક ઘટના છે. આચાર્યશ્રીના સાન્નિધ્યમાં રાજનૈતિક કાર્યકર્તાઓનું એક સંમેલન થઈ રહ્યું હતું. ચર્ચા ચાલી. અમે તે કાર્યકર્તાઓને એક પ્રશ્ન પૂછ્યો : આપ બતાવશે! કે આપનું દર્શન શું છે? સારા સારા કાર્ય કર્તા ખેલ્યા : એનું તેા અમને પૂર્ણતઃ જ્ઞાન નથી. અમે કહ્યું : આપને આપના દર્શનની ખબર નથી. આપને આપના ગન્તવ્યની જ ખબર નથી તે। પછી આપ કયાં જશે! અને કઈ આંખથી જોશે? આપનું મૂલ્યાંકન શું હશે? આજે દૃષ્ટિની આરાધના જ કયાં થઈ રહી છે? આરાધનાનું પાંચમું સૂત્ર છે—જ્ઞાનની આરાધના. આજે જ્ઞાનની આરાધનાને પણ હાસ થયા છે. લેાકેા ભાગ્યે જ સ્વાધ્યાય કરવા ઇચ્છે છે. સ્વાધ્યાયથી તે દૂર ભાગે છે. કરવા નથી ઇચ્છતા. સ્વાધ્યાય સફળતાના મહત્ત્વપૂર્ણ મંત્ર છે. જે કાઈ મેટા થયા છે તેમણે સ્વાધ્યાયનું આલ બન અવશ્ય લીધું છે. આરાધના પેાતાના અનુભવની જ્ઞાનની આરાધના છે. આરાધનાની ફલશ્રુતિ આ પાંચ પ્રકારની આરાધના છે. જ્યારે આ આરાધના નથી હૈતી તા પછી ખાકી રહે છે વિરાધના. સમસ્યાએનું મૂળ ખીજ છે Jain Educationa International ૧૭૯ For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ વિરાધના અને સમસ્યાઓના સમાધાનનું મૂળ બીજ છે આરાધના. આપણે આરાધનાના રહસ્યને સમજવું જોઈએ. એવું માનવું ન જોઈએ કે આરાધના કરનાર અસફળ થતા જ નથી. આરાધના કરનાર પણ અસફળ થઈ શકે છે પરંતુ અંતે તે ચક્કસ જ સફળ થાય છે. આરાધના એક બળ છે. એક શકિત છે. જ્યારે પણ નિરાશા આવે છે. આરાધના દ્વારા ફરીથી આશાનું બીજ અંકુરિત થાય છે અને નિરાશાને ભાવ તૂટી જાય છે. સ્કેટલેન્ડને રાજા રોબર્ટ બ્રુસ યુદ્ધમાં પરાજિત થઈ ગયો. તે ભાગે અને ગુફાઓમાં સંતાઈ ગયો. તે ખૂબ નિરાશ જીવન જીવવા લાગ્યો. રાજ્ય-પ્રાપ્તિની આશા જતી રહી. તેણે વિચાર્યું–જંગલનું જીવન જીવવું છે. હવે એ વૈભવ અને સુખ-સુવિધાઓ ક્યાં! નિરંતર નિરાશાના ઘેરામાં ફસાવા લાગ્યો. એક દિવસ તે બેઠો હતો. તેની દષ્ટિ એક કરોળિયા પર ઠરી. તે જાળું બનાવી રહ્યો હતો પણ તે જાળું વારંવાર તૂટી જતું હતું. કોળિયો ફરીથી પ્રયાસ કરતા. સેંકડે વાર તેણે પ્રયાસ કર્યો. જાળુ વણવાનો પ્રયાસ તેણે છોડી દીધે નહિ. એક ક્ષણ એવી આવી કે જાળું બાંધવામાં સફળ થઈ ગયો. રાજાએ જોયું. તેની આંખ ઊઘડી ગઈ. તેને નવી દૃષ્ટિ મળી. તેણે વિચાર્યું. આટલી બધી વાર નિષ્ફળ થઈને પણ આ કળિયો નિરાશ નહિ થયો અને અંતે જાળું બાંધવામાં સફળ થયે. તેણે તેની સફળતાનું સંવેદન છોડયું નહિ. હું એકવારની અસફળતાથી જ નિરાશ થઈ ગયો. એ ખૂબ ખરાબ થયું. રાજાની ચેતના જાગી. સૈનિકે ભેગા કર્યા. પૂણું પરાક્રમથી લો. શત્રુ પરાજિત થઈ ગયા. રાજા વિજયી થઈ ગયો. અસફળતાઓથી ગભરાનાર માણસ જીવનમાં કદી સફળ થઈ શકતો નથી. આરાધનાના ક્ષેત્રમાં વારંવાર અસફળતાઓ આવે છે. ભૂલો થાય છે. પ્રમાદ થાય છે. ક્ષુદ્રતાઓના અવસર પણ સામે આવે છે. અ૯૫તાઓ પણ ઘેરી લે છે. પરંતુ જે એનાથી ગભરાતા નથી. પિતાની ક્ષુદ્રતાઓને સમજે છે, તેનો અનુભવ કરે છે, તે એકસપણે મહાનતાની ચાવીને પ્રાપ્ત કરી મહાન બની જાય છે. ૧૮૦ Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૩ મનનો કાયાકલ્પ Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ अवथन 3 સંકેતિકા २ 9 ज्ञान तणी तथा ज्ञानवंतनी, अवज्ञा असातना कधी । तेहनों पिण मुझ मिच्छामिदुक्कडं, हिव निंद्रा तज दीधी रा॥ त्यांरी करी निषेधणा जाणी । मिच्छामिदुक्कडं पिछाणी रा ॥ अठ गुण सहित कही जे । ते ज्ञान तणा पंच भेद कह्या छे, ज्ञानतणो वलि उपहास कीधो तो, दर्शन आचार निःशंकता प्रमुख, ते गुण सम्यक् प्रकारै न धारया तो, मिच्छामिदुक्कडं दीजै रा ॥ गहन बात कोई देखी सिद्धान्त नीं, शंका भरम मन आण्यो । तेहनो पिण स मिच्छामिदुक्कडं, हिव में सत्य कर जाण्यो रा ॥ छ काय जीवां मांही शंका राखी, अथवा सिद्ध संसारी । भ्रम जाल पड्यो तुच्छ लेखवकर, मिच्छामिदुक्कडं विचारी रा ॥ एकम चवदश पूनम चन्द सम, मुनि कह्या जती धर्म धारी । त्यां में साधपणां री शंका राखी तो मिच्छामिदुक्कडं उदारी ॥ 19 बलि याद करी करी करै आलोयण, न्हाना मोटा अतिचारो | पाप-पंक परखाली ने निशल्य हुवै, मुक्ति साहमी दृष्टी धारो रा ॥ ( आराधना १ / ५, ६, ८, १०, ११, १४, ४७ ) ५ ३ ४ ६ મનના કાયાકલ્પ માટે પાંચ નિર્દેશ a આરાધનાની કુટિરનું નિર્માણુ કરવું. D બહારની હવા તથા પ્રકાશથી બચવું. પ્રદૂષણથી બચવું. प्रयोग ४२ - 'मिच्छामिदुक्कड'. आमसी रसायनुं सेवन ४२५ - पुनरकरणयाए. D પૃથ્યનું ધ્યાન રાખવું—માનસ શરીરને જીર્ણ-શીણું કરનાર ક્ષણેાથી બયતા રહેવુ. માનવ શરીરને જીણુ કરનાર તથ્ય. ॥ જ્ઞાન અને જ્ઞાનીની અવહેલના આસ્થા અભાવ શંકા ત્ત ગહન સત્યમાં સંદેહ ॥ સાધનાનું તારતમ્ય पौगसि मलिलाषा - क्षा aફળમાં સંદેહ—વિચિકિત્સા Jain Educationa International ૧૮૨ For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ મનને કાયાક૯૫ કાયાકલ્પ એક અપરિચિત માણસ આવીને બેલ્યો ઃ મહારાજ! હું કાયાક૯૫ કરવા ઇચ્છું છું. મેં કહ્યું : કાયાકલ્પ કરવો હોય તો કોઈ વૈદ્યને શરણે જાઓ, મારી પાસે કેમ આવ્યા છો ? તેણે કહ્યું કે શરીરથી સ્વસ્થ છું, કોઈ બીમારી નથી. હું શરીરને નહિ, મનને કાયાક૯પ કરવા ઈચ્છું છું. મેં કહ્યું : આવો, બેસો. તમારી નાડી જોવા ઈચ્છું છું. હું નિદાન કરવા ઈચ્છું . તે બેસી ગયે. મેં નાડી જોઈ. મને લાગ્યું રોગ અસાધ્ય નહિ, સાધ્ય છે. કાયાક૯૫ થઈ શકે છે. મનના ટિસ્યુ જીર્ણ-શીર્ણ અવશ્ય થયાં છે, પણ મન તૂટયું નથી. મેં કહ્યું : તમારો કાયાકલપ થઈ શકે છે. પણ કેટલીક શર્તે છે. જે તે તમને માન્ય હેય તે હું પ્રયત્ન કરું, નહિ તે તમે તમારું જાણો. તેણે કહ્યું : આપની બધી શોં હું માનીશ. આરાધનાની કુટિર : પ્રદૂષણથી બચાવ મેં પહેલી શર્ત મૂકી કે તમારે કાયાકલ્પ કરવા માટે એક કુટિર બનાવવી પડશે. તે આરાધનાની કુટિર હશે. કાયાકલ્પ માટે જરૂરી છે કે વ્યક્તિ બહારની હવાથી બચે, બહારના પ્રકાશથી બચે અને બધાં પ્રદૂષણથી બચે. જૂના જમાનામાં જ્યારે આટલો બચાવ કરવામાં આવતો હતે તો આજે તો એ બધાથી બચવું અત્યંત જરૂરી બન્યું છે. આજની હવા પણ શુદ્ધ નથી. આજનો પ્રકાશ પણ શુદ્ધ નથી. સમગ્ર પર્યાવરણ પ્રદૂષણોથી ભરેલું છે. ઉદ્યોગીકરણની અસર આપણી સમક્ષ છે. જેમ જેમ ઉદ્યોગે વધી રહ્યા છે તેમ તેમ પ્રદૂષણ વધી રહ્યું છે. બધું જ વાયુમંડળ પ્રદૂષિત થઈ ગયું છે. ઈટલીના વૈજ્ઞાનિક પ્રોફેસર ટોરીએ ભવિષ્યવાણી કરી છે કે જે પ્રદૂષણની માત્રા આ માત્રા જેટલી જ વધતી રહેશે તો એક દિવસ એવો આવશે જ્યારે માત્ર સ્ત્રીઓ જ બચશે, પુરુષો નહિ બચશે. આપણી દુનિયા પુરુષોવિહાણ બની જશે. માત્ર સ્ત્રીઓ જ સ્ત્રીઓ રહેશે. એનું કારણ પ્રસ્તુત કરતાં તેમણે કહ્યું કે આજે પ્રદૂષણ એટલું વધી રહ્યું છે કે ભૂણમાં નરનું નિર્ધારણ કરનાર ગુણસૂત્ર, ક્રોમેરોમ નષ્ટ થઈ જશે. તેમાં એટલી ક્ષમતા નથી કે મર્યાદાથી વધુ પ્રદૂષણને સહન કરી શકે. ભૂણ ખૂબ કમળ હોય છે. તે અમુક હદ સુધી જ ૧૮૩ Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રદૂષણ સહન કરી શકે છે. તે ખૂબ સંવેદનશીલ હોય છે. તે હદથી વધારે પ્રદૂષણ નથી સહન કરી શકતું. આજે પ્રદૂષણ હદ વટાવી ગયું છે. તેથી ભૂણમાં નરનું નિર્ધારણ કરનાર ક્રોસો નષ્ટ થઈ જશે. પુરુષ જન્મશે નહિ. ફક્ત સ્ત્રીઓ જ જન્મશે અને તે પણ કયાં સુધી રહેશે તે કહી શકાય એમ નથી. પુરુષો વગર સ્ત્રીઓ ક્યાં સુધી રહેશે ? રહીને પણ શું કરશે? એને અર્થ એ થયો કે સૃષ્ટિ સમાપ્ત થઈ જશે. ઉદ્યોગીકરણ દ્વારા માત્ર વાયુમંડળ દૂષિત નથી થઈ રહ્યું, માત્ર પાણી દૂષિત નથી થઈ રહ્યું પણ મનુષ્યનું મન પણ દૂષિત થઈ રહ્યું છે. મન એટલું તનાવગ્રસ્ત થઈ રહ્યું છે કે એક પ્રકારે તે તૂટી રહ્યું છે. હવે તેનામાં સહન કરવાની ક્ષમતા નષ્ટ થઈ ચૂકી છે. એક એક સમયનું અનુદાન હેય છે, આજે જેટલા ઉદ્યોગ, જેટલો. વિકાસ, જેટલી સુવિધા મનુષ્યજાતિને આપવામાં આવે તેટલી જ વૈજ્ઞાનિક યુગની જવાબદારી અને મહાન ફળ હશે. પરંતુ આપણે બીજા પક્ષને ભૂલાવી ન દેવે જોઈએ કે પ્રકૃતિના એક કણમાં પણ કોઈક તૂટફૂટ હાય છે, બૂરાઈ હોય છે, તે આખી સૃષ્ટિમાં તોડફેડ શરૂ થઈ જાય છે. વિજ્ઞાનની એક શાખા છે–ઈકેલો છે. તેને ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે. એ તથ્ય વારંવાર પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે કે પ્રકૃતિ સાથે જે છેડછાડ કરવામાં આવી રહી છે, તેને બદલવાને જે આટલો ભગીરથ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તે મનુષ્ય માટે શુભકારક નથી, જીવલેણ છે. આજને વૈજ્ઞાનિક કૃત્રિમ રીતે કીટાણુ પેદા કરી રહ્યો છે. પણ તે વિજ્ઞાનિકે પિતે ખૂબ મોટી શંકા ધરાવે છે કે કોઈ એવો કીટાણુ કે જીવાણુ પેદા ન થઈ જાય, જે સમગ્ર મનુષ્યજાતિને ગળી જાય. કીટાણું બનાવી લેવાનું સરળ પણ હોઈ શકે. પણ એને સંભાળવા ખૂબ મુશ્કેલ વાત છે. બધા વૈજ્ઞાનિકે ચિંતિત છે. - પ્રદૂષણના જમાનામાં મનનું તૂટવું ખૂબ સ્વાભાવિક છે. પ્રદૂષણથી બચવું જોઈશે. પહેલાના જમાનામાં કહેવામાં આવતું કે–સવારે સૂર્ય કિરણેનું સેવન કરવું જોઈએ, બાલસૂર્યનાં કિરણમાં વિટામિન “ડી” વધારે હોય છે. બીજા પણ ઘણું લાભ થાય છે. આજે તે કિરણે ખતરનાક બની ગયાં છે. આજે સમગ્ર વાયુમંડળમાં અણુરજ તથા રેડિયમનાં એટલાં વિકિરણ છે કે પ્રાતઃકાલીન સૂર્યનાં કિરણોનું સેવન કરવું ખતરાથી ખાલી નથી. કિરણે બીમારીઓ દૂર કરે છે તે કેન્સર ૧૮૪ Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ જેવો ભયંકર રોગ પણ ઉત્પન્ન કરે છે. જ્યાં શારીરિક દષ્ટિએ પણ પ્રદૂષણ સામે આટલે બચાવ જરૂરી છે તે જ્યાં મનને કાયાકલ્પ કરવાને છે ત્યાં પ્રદૂષણથી બચવું અત્યંત આવશ્યક બની જાય છે. મેં કાયાકલ્પના ઈચ્છુક વ્યક્તિને કહ્યું : તમે એવી કટિર બનાવો, આરાધનાની કુટિર બનાવે; જેમાં બહારની હવા પણ નહિ લાગે, જેમાં બહારનો પ્રકાશ અને પ્રદૂષણ પણ ન પહોંચે. આ બધાની પહોંચથી દૂર એવી એ કુટિર હોય. પંચકર્મની અનિવાર્યતા બીજી શરત છે–તમારે પંચકર્મ કરવાનું રહેશે. કાયાક૯પ માટે પંચકર્મ જરૂરી છે. પંચકર્મની પદ્ધતિ શોધનની મહત્વપૂર્ણ પદ્ધતિ છે. તે પાંચ કર્મ છે–વમન, વિરેચન, નિરહણ, વસ્તિકર્મ, અને સ્નેહન. તમારે મન કાયાકલ્પ કરવા માટે પંચકર્મ કરવાનું રહેશે. પંચકર્મની પદ્ધતિની પાંચેય ક્રિયાઓમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ છે. વમન, વિરેચન અને સ્વેદન–બધી મુશ્કેલ ક્રિયાઓ છે. વમન કરાવવા માટે મદન ફળ કે તેવી જ કોઈ બીજી ઔષધિ વૈદ્ય આપે છે. જ્યારે ઔષધિ શરીરમાં જઈને કાર્ય કરે છે ત્યારે જીવ ગૂંગળાય છે, જીવ અકળાય છે, આકાશ-પાતાળ એક થઈ જાય છે. હું ખુદ પંચકર્મમાંથી પસાર થયો છું. મને તેની મુશ્કેલીઓને ખ્યાલ છે. તેણે કહ્યું : આપ મને આટલે મુશ્કેલ કેર્સ આપી રહ્યા છે. શું આપને પરંપરાનું જ્ઞાન છે? હા, હું પરંપરાને જાણું છું. મને ખબર છે. કેઈ નવી વાત નથી. મેં આચાર્ય તુલસી પાસેથી પરંપરા જાણું છે, અને એની પાછળ મહાદ્યોની પરંપરા પણ જોડાયેલી છે. સંપૂર્ણ એક શંખલા છે. હું તમને મહાવૈદ્ય જયાચાર્ય પાસે લઈ જાઉં. તેઓ મનનો કાયાકલ્પ કરવામાં કુશળ હતા. હું તમને આચાર્ય શિવકેટિ પાસે લઈ જાઉં, જે આરાધનાની કુટિર બનાવવામાં અને પંચકર્મ કરાવવામાં કુશળ શિપી હતા. બીજ પણ કેટલાં નામ ગણાવું? હું તે બધા મહાવૈદ્યોની, આચાર્યોની પરંપરા જાણું છું. તેથી હું કહું છું કે આ તો કરવી જ પડશે. એ સિવાય કંઈ પણ થશે નહિ. તેણે કેટલીક ક્ષણ સુધી ચિંતન કર્યું. તેણે મનને કાયાકલ્પ કરાવવાનો નિશ્ચય કરીને બધી શરતે સ્વીકારી લીધી. ૧૮૫ Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ મિચ્છામિ દુક્કડ’—લ ગડા ન હય મેં કહ્યું : હવે તમે ક્રમને આરંભ કરો. તમે આરાધનાની કુટિર બનાવી છે. હવે પાંચકની ક્રિયાના પ્રારંભ કરા. 'पडिक्कमामि, निंदामि गरहामि आलोएमि, मिच्छामि दुक्कड' " ~~આ પાંચ કમ છે. આરાધના ગ્રંથના પ્રત્યેક પદના ત્રીજા ચરણ પછી ચેાથું ચરણ છે. મિચ્છામિ દુૐ. તેમાં વારવાર આ પદા ઉચ્ચાર થાય છે. પંચકર્મ માટે આ જરૂરી છે. પંચકર્મની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. શેાધન થઈ ગયું. વમન, વિરેચન, સ્નેહન અને સ્વેદન—બધું જ કરી લીધું. શરીર શુદ્ધ થઈ ગયું. તેના બધા દાષા નાશ પામ્યા. મિચ્છામિ દુક્કડ'નું વારંવાર ઉચ્ચારણ કરીને મનને શુદ્ધ કરી લીધું. પરંતુ આગળની એક મહત્ત્વપૂર્ણ વાત બાકી રહી જાય છે. પંચકર્મ થી શરીર શુદ્ધ થઈ જાય છે. પરંતુ તે શુદ્ધિને ટકાવી રાખવા માટે પછી યેાગ્ય ઔષધિનુ સેવન આવશ્યક હેાય છે. તેવી જ રીતે મનને શુદ્ધ કર્યાં પછી ફરીથી તે દૂષિત ન બને, તેટલા માટે કંઈક કરવાનું બાકી રહી જાય છે, નહિ તેા ‘મિચ્છામિ દુક્કડ' કાંઈ ખીજું બની જાય છે. જેમ કે આજે બની રહ્યું છે, તે લંગડા બની જાય છે. માત્ર ‘મિચ્છામિ દુક્કડ'થી કંઈ થતું નથી. આગળની વાત થવાથી તેને પ્રભાવ ટકાઉ બની શકે છે. એક જાણીતી વાર્તા છેઃ એક ગુરુ પેાતાના નવદીક્ષિત શિષ્ય સાથે એક ગામથી ખીજે ગામ વિહાર કરી રહ્યા હતા. એક દિવસ તેએ નાનકડા ગામમાં આવ્યા અને એક કુંભારને ત્યાં રહ્યા. ભાજનથી નિવૃત્ત થઈને ગુરુ વિશ્રામ કરવા લાગ્યા. શિષ્ય બેઠે। હતા. કુ ંભાર ચાક પર ધડા ઉતારી રહ્યો હતા. કુંભારે એક ઘડા તૈયાર કરીને જમીન પર મૂકયો. શિષ્યનું મન કુતૂહલથી ભરેલું હતું. તેણે એક નાના કાંકરા ઘડા પર ફેકવો. ઘડા ફૂટી ગયા. કુંભારે કહ્યું ઃ મહારાજ! આ શું કર્યું ? શિષ્યે તરત કહ્યું : ‘મિચ્છામિ દુક્કડ” મારી ભૂલ થઈ ગઈ. કુ ભારે ખીજો ઘડા તૈયાર કર્યાં. જમીન પર મૂકો અને શિષ્યે ક્રીથી એક કાંકરા ફેકીને તેને પણ ફાડી નાંખ્યું. કુંભારે કંઈક ઊંચા સાદે કહ્યું : મહારાજ! આ શું? શિષ્ય ફરીથી બાલ્યા : ‘મિચ્છામિ દુક્કડ' ભૂલ થઈ ગઈ. ભારે ત્રીજો, ચોથા અને પાંચમા ઘડા તૈયાર કર્યો, શિષ્ય તેને ફાડતાં ફાડતાં ‘મિચ્છામિ દુક્કડ'નુ ઉચ્ચારણ કરતા રહ્યો. કુંભાર છંછેડાઈ ગયા. મહારાજનુ` ફક્ત ‘મિચ્છામિ Jain Educationa International ૧૮૬ For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ દુક્કડં” ઉચ્ચારણ કરવાનું થતું અને કુંભારને બધે શ્રમ નિરર્થક જતો. તે સમજી નહિ શક્યો કે આ “ મિચ્છામિ દુક્કડં કઈ બલા છે. તે આવ્યું. શિષ્યને કાન પકડીને એક તમાચે લગાવી દીધે. શિષ્ય બોલ્યા : પ્રજાપતિ!. આ શું કરી રહ્યા છો ? કુંભાર બોલ્યો : “મિચ્છામિ દુક્કડ બે, ત્રણ, ચાર તમાચા લગાવ્યા અને દરેક વખતે “મિચ્છામિ દુક્કડ કહેતે ગયો. આ અધરે “મિચ્છામિ દુક્કડ છે. આ પૂર નથી. એમાં સંપૂર્ણ અર્થ ગર્ભિત નથી. તે કઈ કામને નથી હોતું. આ માનસિક ચિકિત્સામાં–મનનાં કાયાકલ્પમાં—એને કેઈ ઉપયોગ નથી થઈ શકતે. શોધન અને રસાયણ સંપૂર્ણ “મિચ્છામિ દુક્કડ' ત્યારે બને છે જ્યારે એની સાથે આગળનું સૂત્ર—ક્લાMિ નો બહં પુવાસી gg” જોડાઈ જાય છે. “મિચ્છામિ દુક્કડ'ને અર્થ છે. “મેં ભૂલથી આ કામ કરી દીધું. તેના ઉત્તર સૂત્રને અર્થ થાય છે. હવે હું તે ભૂલ નહિ કરીશ, જે મેં પહેલાં કરી હતી. પુનમરણયાણ સન્મકૃમિ'–હું ચેતી જાઉં છું કે ફરીથી આ ભૂલ હું કરીશ નહિ. ભૂલ કરવી એ દોષ છે, તો ભૂલને ફરીથી કરવી મહાદેષ છે. જે વ્યક્તિ ભૂલ ફરીથી નથી કરતી તે ભૂલેમાંથી ઘણું ખરું શીખી જાય છે. આ રસાયણ છે. શોધન પછી રસાયણને પ્રયોગ આવશ્યક હોય છે.. “મિચ્છામિ દુ:” એ શોધન છે. “પુનમરણયાણ અભૂમિ–આ રસાયણ છે. “યા નો નમé gવમાસી માપ' –એ રસાયણ છે. પશ્યની અનિવાર્યતા રસાયણના સેવનથી પણ કામ પૂરું નથી થતું. શેધન કરી લીધું. રસાયણ લઈ લીધું. પણ સાથે સાથે પથ્યનું સેવન પણ થવું જોઈએ. જે વ્યક્તિ શરીરનું શોધન બરાબર કરી લે છે પછી પૌષ્ટિકતા માટે રસાયણનું સેવન પણ કરી લે છે પણ જે તે પથ્યાપથ્યને વિવેક ન રાખે, જે ઈચ્છા થઈ તે ખાવા લાગી જાય તે બિચારું શોધન પણ શું કરશે અને રસાયણનું સેવન પણ શું કરશે ? પશ્યનું સેવન પણ જરૂરી છે. એના વગર પ્રક્રિયા પૂરી નથી થતી. સંસ્કૃતમાં કહ્યું છે. ય િચ્યું છે? ઘાર્થે મિૌsઘેર–જે પશ્ય છે તે ઔષધિ સેવનથી શું ? જે અપશ્ય ૧૮૭ Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ છે તે ઔષધિ સેવનથી શું ? જે લાભ દવા નથી કરતી તેટલો લાભ પશ્ય કરે છે. શિબિરમાં રહેનાર વ્યક્તિ, સાધના કરનાર વ્યક્તિ પથ્ય પ્રત્યે જાગ્રત બની જાય છે. તેઓ માત્ર રસાયણને પ્રયોગ નથી કરતા, તેમાં પશ્યનો પણ પૂરો વિવેક જાગી જાય છે. એક સાધક કહી રહ્યો હતો. હું પાછલા શિબિરમાં ઘેડા પ્રાગ શીખ્યું હતું. દરરોજના ભોજનમાં પરિવર્તન કર્યું. મીઠું છોડી દીધું, ખાંડ છોડી દીધી. ભેજનની માત્રા ઓછી કરી દીધી. પણ મારી શક્તિ યથાવત્ બની રહી. આળસ ઘટી, ફૂર્તિ વધી અને કામ કરવાની ક્ષમતાને વિકાસ થયો. હવે સ્વાશ્ય પણ પહેલાં કરતાં વધુ સારું છે. આ બધું પથ્યનું જ પરિણામ છે. જે પશ્ય ન હય, ભોજનને ક્રમ ન બદલાય અને ધ્યાન પણ ચાલુ રહે તો કોઈ પરિણામ નહિ આવી શકે. પશ્યનો વિવેક હય, ભેજનનો ક્રમ બદલાય, ચય બદલાય, આળસ ન રહે, શ્રમ થાય તે ધ્યાન ફળદાયક થઈ શકે છે. તે જ સુથાર : તે જ ઓજાર દસ દિવસના શિબિરકાલીન પ્રયોગથી ખૂબ મેટો લાભ થઈ જશે–એવું માનવું ખૂબ મોટી ભ્રાન્તિ હશે. દસ દિવસને પ્રયોગ જીવનદિશા બદલવાને એક ઉપાય માત્ર છે. જે દસ દિવસ પછી ફરીથી પહેલાના જેવું જ જીવન ચાલશે તે દસ દિવસ સુધી કરેલો પ્રયાસ વ્યર્થ જ જશે. તે જ સુથાર અને તે જ એજાર –એનાથી કશું જ થવાનું નથી. ઘર ગયા પછી પણ જીવનની દિશા બદલે, આહાર બદલે, ચર્યા બદલે, જીવનનો ક્રમ બદલે, શ્રમને ક્રમ બદલે, નાના મોટાની ભાવના બદલે, શ્રમને હીન માનવાની ભાવના બદલે, જો આવું થાય છે તો નિશ્ચિતપણે ધ્યાન ફળદાયી બને છે. તેનાથી જ વ્યક્તિત્વનું રૂપાંતર સંભવ થઈ શકે છે. થાન છે-બદલવાની પ્રક્રિયા મૂળ વાત છે–દિશાનું પરિવર્તન. જે તે બનતું નથી, તે ગમે તેટલી સાધના કરવામાં આવે, માણસ તેવો ને તે જ રહે છે. કાળે કાગડો સાબુથી ગમે તેટલે નહાય તે કદી સફેદ નથી થઈ શકતે. દષ્ટિ બદલવી જોઈએ, ચિંતન અને વિચાર બદલવો જોઈએ, જીવનનો કાર્યક્રમ અને આચારસંહિતા બદલાઈ જવી જોઈએ. ૧૮૮ Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનને અર્થ છે—બદલવાની પ્રક્રિયા ધ્યાનને અર્થ છે–દિશાનું પરિવર્તન ધ્યાનનો અર્થ છે–સ્વભાવનું પરિવર્તન. જે આ પરિવર્તન ન થયું અને માત્ર કાયોત્સર્ગની મુદ્રા, બંધ આંખો અને ધ્યાનને પ્રયોગ હોય તો એવું લાગે છે કે જે બિન્દુ પર પહોંચીને ધ્યાન થાય છે, બદલવાની પ્રક્રિયા શરૂ થાય છે, હજી તે બિંદુ પકડમાં આવ્યું નથી. પશ્ય શું? શા માટે? પ્રશ્ન થાય છે–પશ્ય શું છે? પશ્ય છે મનની શાંતિ, મનની નિર્મળતા. જે માનસ-શરીર જીણશીર્ણ થઈ ગયું છે, તૂટીફૂટી ગયું છે, તેને સંભાળવું છે, તે તેના પર ધ્યાન આપવું પડશે. મન પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. ખૂબ વિચિત્ર સ્થિતિ છે. આપણું જીવનમાં સૌથી વધુ શક્તિશાળી છે ચિત્ત, મન અને ચેતના. તેના પર આપણે ધ્યાન જ નથી આપતા, સમગ્ર ધ્યાન શરીર પર કેન્દ્રિત કરી દઈએ છીએ. જ્યાં શરીરને કષ્ટ થાય છે ત્યાં માણસ મન અને ચેતનાને પણ ગૌણ કરી દે છે. સુખનું સાધન છે—શરીર. શરીરને આરામ મળવો જોઈએ. શરીર પર પસીને આવો ન જોઈએ. શરીરને તડકે લાગવા નહિ જોઈએ. માણસ પ્રત્યેક વાત શરીરની દષ્ટિએ વિચારે છે તે ચેતનાને ગૌણ કરી દે છે. જે સમજદારીની આ જ વાત હોત તો આચાર્યશ્રી એક દિવસ પણ અહીં નહિ આવત, તેઓ અહીં આવે છે. ધગધગતા તાપમાં. શરીર પસીનાથી લથપથ થઈ જાય છે. પગ બળે છે. તડકાથી માથું તપી ઊઠે છે. તે પણ તેઓ આવે છે. શરીરની ચિંતા કરનાર વ્યક્તિ કદી આટલા સખત તાપમાં નહિ આવશે. આચાર્ય સ્વતંત્ર હોય છે. તેઓ મરજી હોય તે આવે, મરજી હોય તે ન આવે. કોઈ પ્રતિબંધ નથી. તેમના પર કોઈ નિયંત્રણ કે નિયમન નથી. તેઓ ઈચ્છા મુજબ ચાલનાર હોય છે. તેઓ આ સખત તાપમાં આવે છે. પ્રશ્ન થાય છે કે શા માટે આવે છે? જવાબ સ્પષ્ટ છે, જે વ્યકિતએ શરીરને ગૌણ માન્યું છે અને કર્તવ્યને, સેવાને, ઉદાત ભાવનાને અને પરમાર્થ ચેતનાને મૂલ્ય ગયું છે—તે કદી શરીરનો વિચાર કરતા નથી. તેને વધારાનું મહત્ત્વ ૧૮૯ Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ નથી આપતા. કેમ કે તેનું લક્ષ્ય જ બદલાઈ જાય છે. પરંતુ આ દુનિયામાં છત્રનાર નવ્વાણું ટકા લેાા શરીરથી પ્રતિમૃદ્ધ હોય છે. તેએ શરીરની દષ્ટિએ વિચાર કરે છે, ધ્યેયની દૃષ્ટિએ વિચાર નથી કરતા. મનની દૃષ્ટિએ વિચાર કરવા ખૂબ સખત પથ્ય છે. મન કેટલું વક્ર છે. મનના ઘેાડા વધુ છે એક પ્રાચીન કથા છે. એક રાજા ધાડાએ ધણા શાખીન હતા. તબેલામાં તેણે અનેક ઘેાડાએ એકત્રિત કર્યા હતા. તે સ્વયં ઘેાડાની પરીક્ષા કરતા અને જે શ્રેષ્ઠ ધાડા હાય તેને ખરીદી લેતા. એક દિવસ તેણે ધાડા પસંદ કર્યાં. તેનેા આકાર ભવ્ય, ગતિ સુંદર અને સર્વાંગુણ સપન્ન હેાય એવા લાગતા હતા. પરીક્ષા કરવા તેના પર સવારી કરવા નીકળ્યા. પેાતાની સાથે એક કુશળ અશ્વ-પરીક્ષક પણ લઈ લીધા, ઘેાડેસવારેાની એક નાની ટુકડી સાથે ચાલી, બધા જ ગલ તરફ ગયા. જંગલમાં ખૂબ દૂર નીકળી ગયા. ઘેાડાની ચાલ અને ત્વરિત ગતિ પર રાજા મુગ્ધ થઈ ગયા. રાજાએ વિચાયુ —કેટલેા સુંદર અને સુખદ ઘેાડે! છે. એની ગતિ એટલી સેાહામણી છે કે એ મનમાં વસી ગયા છે. રાજા થાકીને લેાથાથ થઈ ગયેા હતા. તે વિશ્રામ કરવા ઇચ્છતા હતા. રાજાએ ઘેાડાને રાકવા માટે લગામ ખેંચી. લગામ ખેંચતાં ઘેાડા ઊભા ન રહ્યો, પવન વેગે દાડવા લાગ્યા. ગતિ ખૂબ જ તીવ્ર થઈ ગઈ. રાજાએ ઘેાડાને ઊભા રાખવા વધુ જોરથી લગામ ખેંચી. ઘેાડા તે ખેંચાણથી વધુ તીવ્ર ગતિએ દોડવા લાગ્યા. જાણે તે હવામાં ઊડી રહ્યો હોય એવુ લાગવા માંડયું. અશ્વ-શિક્ષક સાથે હતા. તેમણે કહ્યું ઃ મહારાજ ! લગામ ખેંચવાથી ઘેાડાની ગતિ તીવ્ર બને છે. આપ લગામ ઢીલી કરી દા. આ વક્ર ગતિના ધાડા છે. વક્ર અશ્વ છે. રાજાએ લગામ ઢીલી કરી દીધી. અશ્વની ગતિ સ્ખલિત થઈ ગઈ અને તે ત્યાંજ અટકી ગયે. મનને અશ્વ પણ ખૂબ વક્ર છે. તે વક્ર ગતિથી ચાલે છે. મનના અશ્વની લગામ ખેંચશે! તા તે ઊછળવા લાગી જશે. ધ્યાનમાં બેસીને જેવા આપણે મનને એકાગ્ર કરવાના પ્રયત્ન કરીએ છીએ કે તે મનની અશ્વ જે પહેલાં શાંત હતા, ઊભા હતા, તે દેડવા લાગી જશે. કામમાં સલગ્ન હાઈએ છીએ તે! મન શાંત રહે છે. જેવા માળા જપવા બેસીએ છીએ, કશેક મનને ટકાવવાના પ્રયત્ન કરીએ છીએ, કે મન વધુ ચંચળ Jain Educationa International ૧૯૦ For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે, દેાડવા લાગે છે. આ વક્ર અશ્વ છે. આ અશ્વને સંભાળવાનું કામ ખૂબ મુશ્કેલ છે. નિય ત્રણથી ત હાથમાં નહિ આવશે. જ્યારે એને શિથિલ કરી દેવામાં આવે છે, નિયત્રણથી મુક્ત કરી દેવામાં આવે છે ત્યારે તે હાથમાં આવે છે. ધ્યાન : શિથિલીકરણ ધ્યાનને પ્રયાગ શિથિલીકરણને પ્રયાગ છે. ધ્યાનના પ્રારંભ કાયાત્સથી થાય છે. કાયાત્સના અથ શિથિલીકરણ. શરીરનું શિથિલીકરણ, વાણીનું શિથિલીકરણ અને મનનું શિથિલીકરણ, નિયત્રિત નહિ કરે. વિચાર આવે તા એને રાકે નહિં. આવે તે આવવા દે. એની પ્રેક્ષા કરી, તેને જુએ, પ્રેક્ષા જોવાની પ્રક્રિયા છે રોકવાની નહિ. વિચાર આવે તા એને જુએ; સંકલ્પ અને વિકલ્પ આવે તા એને જુઓ, કંપન આવે તેા કંપતાને જુઓ. કાંઈ પણ કરવાનું નહિં. માત્ર જોવાનું છે. જાણી લેવાનું છે કે આવું થઈ રહ્યું છે. જેવું વિચારાતે જોવાનું શરૂ કરીએ છીએ કે વિચારનું આગમન અટકી જાય છે. સંકલ્પાને જોઈએ તેા સકલ્પ સમાપ્ત થઈ જાય છે. પ્રેક્ષા માત્ર જોવાની પ્રક્રિયા છે, શિથિલનની પ્રક્રિયા છે. રાકવાની કે બળજબરીથી નિયંત્રણ કરવાની પ્રક્રિયા નથી. કઠેર પથ્થ આપણું શુદ્ધ રૂપ છે—કેવળ જ્ઞાતા ભાવ, કેવળ દ્રષ્ટાભાવ, કેવળ જાણવુ', કેવળ જોવું. આ મનના કાયાકલ્પનું સૌથી મહત્ત્વપૂર્ણ પથ્ય છે, ન પ્રિયતાનું સ ંવેદન, ન અપ્રિયતાનું સંવેદન—કંઈ પણ નહિ, કેવળ જાણવું, દેવળ જોવું. આ કઠેર પથ્ય છે. પરંતુ જો મનને કાયાકલ્પ કરવા હાય તે આ પૃથ્યનું પાલન કરવુ' પડશે. પથ્ય સાથે ખીજી પણ અનેક મહત્ત્વપૂર્ણ વાતા જોડાયેલી છે. મનનું ઘડપણું : ત્રણ કારણ આપણે આ કારણેા પર પણ વિચાર કરીએ કે મન ઘરડુ કેમ થાય છે? મન ખીમાર કેમ થાય છે? મન તૂટી કેમ જાય છે, તેના કાષા ખરાબ કેમ થાય છે, નવા કાષ! ક્રમ નથી બનતા ? શરીર ખીમાર થવાનું મૂળ કારણ એ જ છે કે નવા ટિસ્યૂ બનતા નથી અને જૂના ઋણું થઈ જાય છે. આ સમસ્યા મનની છે. Jain Educationa International ૧૯૧ For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ મનના તૂટવાના, બીમાર થવાના ઘર થવાના, ત્રણ કારણ છે – શંકા, કાંક્ષા, અને વિચિકિત્સા. જયાચાયે આ જ ત્રણ કારણેનો ઉલ્લેખ કર્યો છે. મનુષ્ય સ્વભાવે શંકાશીલ છે. તે બીજાને શંકાની નજરે જુએ છે, બીજાની આલોચના કરે છે, બીજાની ત્રુટિઓ જુએ છે. માણસની વાત આપણે છેડી દઈએ, સ્વયં ભગવાન પણ જે અહીં આવી જાય તે માણસ તેમને પણ શંકાની દૃષ્ટિએ જોશે, તેની ગુટિઓ અને દુર્બળતાઓને જેશે. પહેલું કારણ શંકા એકવાર ભગવાન મર્યલેકમાં આવ્યા. એક નગરમાં પ્રવેશ કરીને ચોરા પર ઊતર્યા. ત્યાં અનેક લેકે ભેગા થયા હતા. બધા અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા. ભગવાન તેમની પાસે આવ્યા. તેમને પૂછયું: સારું બતાવો, સૃષ્ટિ કેવી લાગી? લેકાએ પૂછયું : તમે કેણ છે? હું સૃષ્ટિને રચયિતા છું. ભગવાને કહ્યું ઃ અહીં કેમ આવ્યા છે ? એક વ્યક્તિએ પૂછી નાખ્યું. ભગવાન બોલ્યા : હું એ જાણવા આવ્યો છું કે આ સૃષ્ટિ કેવી બની છે ? બધા લેકે શ્રદ્ધાથી અભિભૂત થઈ ગયા. તેઓ બોલ્યા : પ્રભુ ! આપની લીલા અપરંપાર છે. આપની સૃષ્ટિ ખૂબ સુન્દર, સુખદ અને મનમોહક છે. આપે સુંદર ફૂલ, તળાવ, ઉદ્યાન, પર્વત બનાવ્યા. આપે સમુદ્ર કેટલું વિશાળ બનાવ્યો. એક માણસ બોલ્યો : પ્રભુહું મારા મનની વાત આપને કહું. આપની સૃષ્ટિને જોઈને એ નહિ કહી શકાય કે આ કોઈ બુદ્ધિશાળી માણસે બનાવી છે. દુનિયામાં જે કંઈ અબુદ્ધિમાન હોય તો તે આ સૃષ્ટિને કર્તા છે. જુઓ, આપે સમુદ્રો આટલા મોટા બનાવ્યા પણ તેનું ખારું પાણી બનાવી દીધું. આપ તેનું પાણી મીઠું બનાવી દેતે તે શું બગડી જત? જો એવું હોત તો આજે પાણીની સમસ્યા જ ન હોત. આપે એટલા ઊંચા પહાડ બનાવ્યા, તેના પર ચઢવા માટે માણસે કેટલે શ્રમ કરવો પડે છે? જ્યારે આપે પહાડોનું નિર્માણ કર્યું ત્યારે સાથે સાથે નિસરણી બનાવી દેત, સડકેનું નિર્માણ કરી દેત તો ! આપને માટે તે ચપટી વગાડવા જેટલા ખેલ છે. મને લાગે છે કે સૃષ્ટિમાં એવું કંઈ પણ નથી જેને સમજદારી પૂર્વકની રચના કહી શકાય. આનાથી સારું સર્જન આજને એન્જિનિયર કરી શકે છે. આપે એટલું ધન બનાવ્યું, ૧૯૨ Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પણ દાતાઓને તે નહિ આપ્યું. બધું ધન કંજૂસ વ્યક્તિઓ પાસે ભેગું કરી દીધું. શું આ સમજદારીનું કામ છે? પ્રભુ! આપ દરેક સ્થળે ભૂલી ગયા છે. આપે એટલી ભૂલો કરી છે કે એની યાદી રજૂ કરું કે કહું તો આપ સાંભળવા નહિ ઈચ્છશો. તેને સહન નહિ કરી શકશે. માણસ દરેક વાતમાં ખામી જઈ લે છે. તે પ્રત્યેક વાતમાં સંદેહ અને શંકા કરે છે. શંકા મનને તેડે છે. જ્યારે કેઈ ગહન સત્ય સામે આવે છે તે માણસ તેને જ પાડવાને પ્રયત્ન કરે છે. તે તરત કહે છે કે આ વાત ખોટી છે. ગમ્યું છે. જ્યારે એ તથ્ય નજર સમક્ષ આવ્યું કે ભાષાના પરમાણુઓ લકાન્ત સુધી ફેલાઈ જાય છે. ત્યારે માનવીએ શંકા કરી કે એ કેવી રીતે સંભવ હોઈ શકે છે? ચિન્તનના પરમાણુ સમગ્ર આકાશમાં વ્યાપ્ત થઈને હજારો, લાખો કરોડો વર્ષો સુધી જેમના તેમ રહી જાય છે. તેને લાંબા સમય પછી જાણી શકાય છે, જોઈ શકાય છે. આ વાત પ્રત્યક્ષ થતાં જ માણસ બેલી ઊઠે છે–ખોટું છે. ગયું છે. પ્રત્યેક ગહન સત્યને ગપનું નામ આપવામાં આવે છે અને તેને પરાણિક વાત કહેવામાં આવે છે. પરંતુ આજે તે બધાં તો પ્રસ્થાપિત થઈ ચૂક્યાં છે. વિજ્ઞાને તેને પ્રતિષ્ઠિત કરી દીધાં છે. હમણાં થોડા દિવસ પહેલાં મેં એક સમાચાર વાંચ્યા. તેમાં એ ઉલ્લેખ હતો કે કેટલાક વૈજ્ઞાનિકે એવો કેમેરો બનાવી રહ્યા છે જેમાં એક કરોડ વૈદ બિલિયન વર્ષ પહેલાના પ્રચારિત વિચારોના ફોટા લઈ શકાશે. દસ લાખના એક મિલિયન થાય છે અને દસ બિલિયનને એક મિલિયન થાય છે. કેટલું લાંબા સમય! આકાશ મંડળમાં આપણા શરીરમાંથી નીકળતા પરમાણુ વ્યાપ્ત છે, આપણી ભાષાના પરમાણુ વ્યાપ્ત છે. આ બધું આજે પ્રસ્થાપિત તથ્યના રૂપમાં સ્વીકૃત છે. પરંતુ મનુષ્યમાં શંકા હોય છે અને તે ગહન સત્યને અસ્વીકાર કરી લે છે. શંકાથી મને તૂટવા લાગે છે, તૂટી જાય છે. બીજુ કારણઃ કાંક્ષા માણસમાં કાંક્ષા હોય છે, આકાંક્ષા હોય છે. તે કંઈક મેળવવા ઈચ્છે છે. કરે છે સાધના અને મેળવવા ઈચ્છે છે કંઈક બીજુ. ધ્યાન ભ - ૧૩ ૧૯૩ Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ કરનારાઓમાં આધ્યાત્મિક લાભની આકાંક્ષા હાય છે તેા પૌદ્ગલિક લાભની પશુ આકાંક્ષા હેાય છે. માનવીમાં પ્રાપ્ત કરવાની આકાંક્ષા નિરંતર બની રહે છે. પુરુષા મેળવવા ઇચ્છે છે. તેા સ્ત્રીઓ પણ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. અધ્યાપકે વિદ્યાર્થીને પૂછ્યું : તારા પિતાજીને બે હાર રૂપિયા મળ્યા અને તેણે એક હજાર રૂપિયા તારી મમ્મીને આપ્યા તા કેટલા માકી રહ્યા? વિદ્યાર્થી મેલ્યા : કશું બાકી નહિ રહ્યું. કેમ કે એક હજાર તે તેણે પપ્પા પાસેથી મેળવી જ લીધા છે. અને એક હાર તે જાતે કાઢી લેશે. જાતે લઈ લેશે પ્રત્યેક વ્યક્તિના મનમાં પ્રાપ્ત કરવાની લાલસા હેાય છે. તે મેળવવા ઇચ્છે છે. ત્રીજું કારણ : વિચિકિત્સા વિચિકિત્સાના અર્થ છે—મૂળ પ્રત્યેની આશંકા, હું આ સાધના કરી રહ્યો છું, એનું ફળ મળશે કે નહિ, આ વિચિકિત્સા છે. આ ત્રણ દોષ——શંકા, કાંક્ષા, અને વિચિકિત્સા—માનસ— શરીરને તેાડનાર છે. તેને જીણુ-શીણું બનાવનાર છે. સાધક! તારે પથ્ય કરવું પડશે. આ બધાં તત્ત્વાથી બચવું પડશે. આ છે મનના કાયાકલ્પની પૂર્ણ પ્રક્રિયા. જયાચાર્યે આ સંપૂર્ણ પ્રક્રિયાને આરાધનામાં પ્રસ્તુત કરી છે. આપણે આપણી દૃષ્ટિને વિકસિત કરીએ. જો આપણે આરાધનાને નવા સંદર્ભમાં જોઈએ તા મનના કાયાકલ્પની પૂર્ણ કલ્પના પ્રસ્તુત થશે. Jain Educationa International ૧૯૪ For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૪ પ્રગતિનાં સુવર્ણ સૂત્ર ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ प्रश्न : ४ સંકેતિકા १ प्राणातिपात प्रथम अघ आख्यो, दजो मषावाद । अदतादान तीजो अघ कहिये, चोथो मिथुन विषाद ॥ २ पंचम पाप परिग्रह ममता, क्रोध मान माया लोभ । दशमो राग एकादशमो फुन, द्वेष करै चित्त क्षोभ ॥ बारमो कलह अभ्याखान तेरम, पर-शिर आल विवाद । चवदमी पिशुन तिको खाय चुगली, पनरम परपरिवाद ।। ___ मोक्ष नूं मारग संसर्ग तीहां ही, विघ्नभूत कहिवाय । फुन दुर्गति ना कारण छै ए, पाव अठारे ताय ॥ (आराधना ४/१, २, ३, ६) प्रगतिनां व सूत्र० पोतानी नतनेमा . ૦ પિતાની ક્ષમતા વધારે. પિતાની ઉપયોગિતા જાળવી રાખો. ० सीमा मेध. _n મહાનતાનાં બાધક તરો– ० ५, मान, माया, सोम, ४, मारे।५, यारी मावी निन्। ४२वी. p બીમારીને હેતુ : પ્રતિશોધની ભાવના. પ્રતિબિંબ સાથે લડાઈ. ૧૯૬ Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિનાં સુવર્ણ સૂત્રે પ્રગતિનું પહેલું સુત્ર : પિતાની જાતને જુએ એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો. તેણે કહ્યું કે હું પ્રગતિ કરવા ઈચ્છું છું. હું જેવો છું તેવો રહેવા નથી ઇચ્છતો. જ્યાં છું ત્યાં નથી, રહેવા ઈચ્છ, આગળ વધવા ઈચ્છું છું.” મેં કહ્યું : તારું સ્વપ્ન ઘણું સારું છે. હું ઈચ્છું છું તું તારા સ્વપ્નને સાકાર કર. પ્રગતિના સૂત્રોમાંથી તું ગ્રહણ કર.' તેણે જિજ્ઞાસાપૂર્વક પૂછયું : પ્રગતિનાં સૂત્ર કયાં કયાં છે? પ્રગતિનું પહેલું સૂત્ર છે–પોતાની જાતને જુઓ.” “આત્મ દ્વારા આત્માને જુઓ.” “સ્વયં ને જુઓ.’ પિતાને માટે શું જોવાનું છે? પિતાને બધા જાણે છે. તેણે કહ્યું. જાણીએ છીએ એ ઠીક વાત છે. પણ જાણતા નથી એ પણ ઘણું છે. જ્ઞાત ઘણું ઓછું છે, અજ્ઞાત ઘણું વધારે છે. આપણે ખૂબ ઓછું જાણુએ છીએ. જાણવાની વાત વધારે છે. સમુદ્રની ઉપલી સપાટી પર મળશે કીચડ, ઘાસ, કરચલા અને સી. જે માણસ ઊંડાણમાં નથી જતો તેને સમુદ્રનું તળિયું નથી મળતું. જે સમુદ્રનો સાર હોય છે તે નથી મળતો. મૂલ્યવાન મોતી સમુદ્રમાં ઊંડી ડૂબકી મારનાર કોઈ મરજીવાને જ મળે છે. સમુદ્ર તટ પર ફરવા આવેલી વ્યક્તિને નથી મળી શકતા. કઈ પત્થરની ખાણ પર જાઓ. ત્યાં મળશે પત્થર અને ધૂળ. હીરા અને પ્રાપ્ત થશે નહિ. જે વ્યક્તિ ખાણના ઊંડાણમાં ખોદે છે તેને હીરાપન્ના મળે છે. સમુદ્રના ઊંડાણમાં અમૂલ્ય ચીજો પ્રાપ્ત થાય છે. ખાણનાં ઊંડાણમાં બહુમૂલ્ય ચીજો મળે છે. ચેતનાના ઊંડાણમાં બહુમૂલ્ય ચીજો મળે છે. જે વ્યક્તિ પોતાની ચેતનાનાં ઊંડાણમાં નથી જતી, તેને કશું નથી મળતું. જે ચેતનાની સપાટી પર યાત્રા કરે છે તેને મળે છે: ક્રોધ, અહંકાર અને વાસનાઓ. ત્યાં સારની વાત નથી મળતી. પિતાને ઓળખો—એને અર્થ છે–ચેતનાના ઊંડાણમાં પ્રવેશ કરો, અન્તસ્તલના ઊંડાણમાં ડૂબકી મારે અને અંદર જે કાંઈ છુપાયેલું છે તેને અનાવૃત્ત કરો. બહાર લાવે અને ઉપયોગ કરો. ૧૯૭ Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ - પિતાને ઓળખનાર ખરેખર પ્રગતિ થે આગળ વધે છે. મહાનતા અન્તસ્તલમાં છુપાયેલી રહે છે. શુદ્ધતા સપાટી પર તરે છે. પ્રત્યેક વ્યક્તિમાં મહાનતા હોય છે, પણ તે સદા છુપાયેલી રહે છે. જે ચેતનાના ઊંડાણમાં ડૂબકી નથી મારતો તેને મહાનતા નથી પ્રાપ્ત થતી. પ્રોઢ વ્યક્તિત્વ, મહાન વ્યક્તિત્વ તેને પ્રાપ્ત થાય છે, જે નિરંતર પિતાને જુએ છે અને પિતાના ઊંડાણમાં ડૂબકી લગાવે છે. લોકોને સામાન્ય વિશ્વાસ એવો હોય છે કે આંખે ખુલ્લી રહેવાથી રંગ દેખાય છે. પ્રકાશ દેખાય છે. આંખ બંધ થવાથી ન તે રંગ દેખાય છે ન પ્રકાશ, આશ્ચર્યની વાત છે કે સાધનાકાળમાં આંખો બંધ હોવા છતાં પણ રંગ દેખાય છે, પ્રકાશ દેખાય છે. કોઈકને બબને. પ્રકાશ કોઈકને ટયૂબલાઈટને પ્રકાશ અને વિચિત્ર રંગ દેખાય છે. સામાન્ય રીતે એના પર વિશ્વાસ નથી કરી શકાતો. પરંતુ આ યથાર્થ અનુભવ છે. જે વ્યક્તિ ચેતનાને સાગરમાં પ્રવેશ કરે છે, તેને અજ્ઞાત સત્યની ખબર પડવા લાગે છે. જે વ્યક્તિ ચેતનાને સાગરમાં ડૂબકીએ લગાવવાનો પ્રારંભ કરે છે તેને તે બધું સાક્ષાત થવા લાગી જાય છે, જે પહેલાં જાણ્યું ન હતું, પહેલાં વિચાર્યું ન હતું. પ્રગતિ કે સફળતાનું પહેલું સત્ર છે–પિતાની જાતને જેવી. મહાનતાના બાધક તત જે વ્યક્તિ પિતાને નથી જતી, તે બીજાને જુએ છે. બીજાને જે મહાનતાની અનુભૂતિની સૌથી મોટી મુશ્કેલી છે. દેધ, અહંકાર, માયા, લોભ, ઈર્ષા, દોષારોપણ, કલહ, નિન્દા–આ બધા મહાનતાના બાધક તો બીજાને જેવાથી થાય છે. જે બીજાને ઓછે જુએ છે તેને ગુસ્સે એ આવશે. જે બીજાને વધારે જુએ છે તેને ક્રોધ વધારે આવે છે. નેકરે કામ બરાબર ન કર્યું. ગુસ્સે થઈ જશે. પત્ની એ વાત નહિ માની, ક્રોધથી ઊછળી પડશે. સહગીએ કામ બરાબર નહિ કર્યું. ચહેરો લાલચોળ થઈ જશે. જ્યારે જ્યારે માનવી બીજાને જુએ છે અને જ્યારે જ્યારે તેની રુચિ અથડાય છે ત્યારે ગુસ્સે ઊભરાઈ આવે છે. ક્રોધ બીજાને જોવાનું પરિણામ છે. પિતાની જાતને જોવાનું શરૂ કરો. ગુસ્સો અદશ્ય થઈ જશે. ક્રોધ આવશે જ નહિ. કેના પર ગુસ્સો આવશે? કેધ બીજા સાથે સંબંધ રાખે છે. કેધ આવવા માટે બે વ્યક્તિ જોઈએ. ૧૯૮ Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ અહંકાર પણ ખીજને જોવાથી આવે છે. અહંકાર નાના પર આવે છે. જ્યારે વ્યક્તિ ખીજાતે પેાતાનાથી નાની જુએ છે, ત્યારે અહંકાર પેદા થાય છે. તે અનુભવ કરે છે—આમની પાસે કશુ· નથી. એમની પાસે જ્ઞાન કયાં છે? તેમની જાતિનું મહત્ત્વ શું છે? એની પાસે કાં છે વૈભવ અને સત્તા, એની પાસે કયાં છે અધિકાર? મારી પાસે કેટલે વૈભવ અને સત્તા છે. મારી તિ કેટલી મેાટી છે ! તુલના કરવામાં હંમેશા અહંકાર જાગે છે અને જ્યારે માનવી પોતાનાથી મેટાને જુએ છે ત્યારે એનામાં હીન ભાવના જાગે છે. આ અહંકારની જ ખીજી બાજુ છે. એક બાજુ છે—અહંભાવના અને ખીજી ખાજુ છે હીન ભાવના. માનવી પોતાનાથી મેટાને જુએ છે, હીન ભાવના જાગી ઊઠે છે. અને પેાતાનાથી નાનાને જુએ છે, તેા અહંભાવના જાગી જાય છે. બન્નેનું નગરણ થાય છે, ખીન્નને જોવાને લીધે. પર-દર્શન દ્વારા. જે વ્યક્તિ પેાતાની જાતને નથી જોવાનું જાણતી, જે વ્યક્તિ પેાતાને નથી જોતી તે કળ્યાં તે। અહંકારથી ભરાઈ જશે, કે હીન ભાવનાથી ભરાઈ જશે. માયા પણ ખીજાને જોવાનુ પરિણામ છે. માયા પેાતાનામાં તેા હોતી નથી. કાઈને ઠગવા હોય તે માયા કરવી પડે છે. ઠગવાને પ્રશ્ન ન હેાય તે। છળ નથી થતું. નથી પ્રવંગના થતી અને કપટ પણ નથી થતું. જે ખીજને જુએ છે, જ્યાં ખીજાને ઠગવાના પ્રશ્ન છે ત્યાં માયા કરવી પડે છે. ત્યાં મેટુ કપટ કરવું પડે છે. લેાભ ખીજાના દર્શનથી થાય છે, ખીજાના દર્શનથી જાગે છે. જો પદાર્થને જુએ છે તે લાભ જાગે છે. પર-દર્શન દ્વારા જ લેાભને વિકાસ થાય છે. બીમારીઓના હેતુ-પ્રતિશાધની ભાવના પેાતાને જોનાર કલહુ નથી કરી શકતા. ખીજાને જોનાર કલ કરે છે. કલહુ એમાં થાય છે. એકમાં કલહ થતા નથી. જે પેાતાને જુએ છે તે કલહ કેવી રીતે કરશે? જ્યારે સામે ખીજાને જુએ છે ત્યારે તરત જ કલહની આગ સળગી ઊઠે છે. કાઈ કાઈ વાર કલહ કરવાનું મન થઈ આવે છે. આક્રોશ ઊભરાઈ આવે છે. પ્રતિશેાધની ભાવના જાગી જાય છે. પ્રતિશાધ અને કલડુ—એ ભયંકર મનેાવિજ્ઞાન આ વિષયમાં અનેક સ્પષ્ટતા ખીમારીએ છે. આજનું આપણી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યું છે. અનેક શારીરિક ખીમારીઓના હેતુ છે—પ્રતિશોધની ભાવના. Jain Educationa International ૧૯૯ For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ એક છાત્ર કાલેજમાં ભણતા હતા. તે ભણવા બેસતા ત્યારે દસ મિનિટ સુધી બરાબર ભણુતા અને પછી તરત જ પોતાની જાતને ભૂલી જઈને ખખડવા લાગી જતા. ઘરના પરેશાન, પ્રાપાપક પરેશાન, બધા પરેશાન હતા. આ ચીડાવાનું કારણ ખબર પડતું ન હતું. ડૅક્ટરેાએ ઈલાજ કર્યાં પણ બધું જ વ્ય. વ્ય કેમ ન નીવડે ? ખીમારી મનની અને ઈલાજ શરીરના કરવામાં આવતા. પરિણામ કેવી રીતે આવશે? ખીમારી કયાં અને ઈલાજ કયાં. ખીમારી કાઈ હોય અને ઈલાજ કાઈ ખીન્ના થઈ રહ્યો છે. ખીમારી કેવી રીતે દૂર થાય ? આજે રાગી અને ડૉક્ટર બને એ સમજવું જરૂરી છે કે શારીરિક નિદાન પછી માનસિક નિદાન પણ થવું જોઈએ. આજે કાઈ પણ ડૅક્ટર કે વૈદ્ય ત્યારે સફળ થઈ શકે છે, જ્યારે તે રોગીના શારીરિક નિદાનની સાથે સાથે માનસિક નિદાન પણ કરે છે અને પછી દવાના નિર્દેશ કરે છે. અનેક ખીમારીઓ માનસિક હોય છે અને તેનું નિદાન કરવામાં આવે છે શારીરિક, કાઈ-ક્રાઈવાર રૅક્ટિર મળ-મૂત્ર અને લેાહીનું પરીક્ષણ કર્યા પછી પણ રાગને નિર્ણય નથી કરી શકતા. એક રાગી ડોક્ટર પાસે ગયા. ડાક્ટરે બધી પરીક્ષા કરી દીધી. રાગની ખબર નહિ પડી. ડોક્ટરે રાણીને કહ્યું—પરીક્ષણમાં રાગના કાઈ સંકેત પ્રાપ્ત નથી, તમારું લેાહી શુદ્ધ છે; લીવર ઠીક કામ કરી રહ્યું છે. શરીરના બાકીનાં અવયવેા પણ સ્વસ્થ છે. તમને કાઈ રાગ નથી. ડૅાકટર વિમાસણમાં પડી ગયા. જ્યાં ખીમારી છે ત્યાં વૈજ્ઞાનિક ઉપકરણ પહેાંચી નથી શકતા, યંત્રાથી જો ખીમારી પકડી નથી શકાતી તા ડૉક્ટર બિચારા શુ' કરે. તે કહે છે કેાઈ રાગ નથી. રાગી નિરાશ થઈ ગયા. અનેક મેટા-મેટા ડોક્ટરાના દરવાજા ખખડાવ્યા. ક્ષુધા પાસેથી એક જ જવાબ મળ્યા, તમે નીરાગી છે. તમને કાઈ રાગ નથી. અંતે તે રાગી એક મનોચિકિત્સકના દ્વારે ગયા. માનસિક ચિકિત્સકે પૂછતાછ કરી. વાતચીત દરમિયાન ચિકિત્સકને રાગના મૂળ કારણની ખબર પડી ગઈ. તેણે જાણી લીધું કે રાગીના દાદાના કાઈએ તિરસ્કાર કર્યાં હતા. અપમાન કર્યું હતું. રાગી જોઈ રહ્યો હતા. તે એ અપમાનજનક સ્થિતિને સહન નહિ કરી શકો. તેનુ લેાહી ઊકળા ઊડયુ. તેના મનમાં એક ઊંડી ગાંઠ બંધાઈ ગઈ કે જ્યાં સુધી તે વ્યક્તિ પાસે બદલે! નહિ લઉં ત્યાં સુધી ચેનથી સૂઈશ નહિ. ગાંઠ બંધાઈ ગઈ. Jain Educationa International ૨૦૦ For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ તે સંવેદન તીવ્ર થતું ગયું. ઘટના જ્યારે પણ યાદ આવતી તે પિતાની જાતને ભૂલી જતો. અને તે ગ્રંથિની અસરમાં બબડવા લાગી જતો અને એક બીમાર જેવો વ્યવહાર કરવા લાગી જતો. માનસિક ચિકિત્સકને રેગનું ઉપાદાન મળી ગયું. મૂળ કારણ જાણવા મળી ગયું. તેણે કહ્યું–જુઓ રોગને હું ઓળખી ગયો છું. આના પર કઈ દવા કારગર નહિ નીવડશે. જ્યાં સુધી પ્રતિશોધની ગ્રંથિ ખૂલી નહિ જશે, તમે બીમાર જ રહેશે. બદલાની ભાવના જ્યાં સુધી તમારા મનમાંથી નીકળશે નહિ ત્યાં સુધી ગમે તેટલે ઉપચાર કરો, રેગ દૂર થશે નહિ. અનેક બીમારીઓ માનસિક દુર્બળતાઓને કારણે વધે છે. એક ભાઈને મેં પૂછયું : તમે સ્વસ્થ હતા. હૃષ્ટપુષ્ટ હતા. તમારું શરીર દઢ મજબૂત હતું. એવી સ્થિતિ કેમ થઈ ગઈ? આજે આખું શરીર થાકેલું માંદુ લાગે છે. શી વાત છે ? તેણે કહ્યું ઃ મારા પરિવારને એક સભ્ય અત્યંત બીમાર થઈ ગયો હતો. તેની સ્થિતિને જોઈને મને ખૂબ આઘાત લાગ્યો, તે ચાલી શકતો નથી. ઊઠી, બેસી શકતા નથી. નથી પામું ફેરવી શકતો. એવી અવસ્થાએ મને આઘાત ભારે પહોંચાડ્યો છે. તે દિવસથી મારી આ સ્થિતિ થઈ રહી છે. ખાધેલું પચતું નથી કે કોઈ વસ્તુ સારી લાગતી નથી. તે દિવસથી હું બીમાર થઈ ગયે. મહત્વપૂર્ણ ચિકિત્સા સૂત્ર આ મનની બીમારી છે, શરીરની નહિ, મનની બીમારી પોતાની જાતને ન જેવાથી પેદા થાય છે. “આત્મા દ્વારા આત્માને જુઓ.” આ એક નાનકડું સુત્ર લાગે છે. પણ આ એટલું મહત્ત્વપૂર્ણ ચિકિત્સા સૂત્ર છે. એની અકસીર દવા છે. કે જે એક સૂત્ર હૃદયંગમ થઈ જાય છે તે ધ્યાન સમજમાં આવી જાય છે. જ્ઞાન સમજમાં આવી જાય છે. બધી પદ્ધતિઓ સમજમાં આવી જાય છે. બધી ચિકિત્સા પદ્ધતિ અને મેથસ આપણું હાથમાં આવી જાય છે. બીજા પર આરોપ લગાવવાના ભયંકર પરિણામો આવે છે. બીજા પર આરોપ લગાડનાર બીજા પર આરોપ લગાડતાં પહેલાં સ્વયં આરોપિત થઈ જાય છે, અને અજાણતામાં જ મન તે વાતને એટલી પકડી ૨૦૧ Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ લે છે કે તે વ્યક્તિ અપરાધીની જેમ મનમાં ને મનમાં ઘેળાવા લાગી જાય છે. આ એક પ્રકારનું કેન્સર છે. કેન્સરની અંતર-વણની—ખબર નથી પડતી. શલ્યની ખબર નથી પડતી. પણ અંદર ને અંદર તે એટલી વિકતિ પેદા કરી દે છે કે એક દિવસ જ્યારે વિસ્ફોટ થાય છે. ત્યારે ખબર પડે છે કે કેટલું ભયંકર પરિણામ આવ્યું છે. અન્તઃશલ્ય કેન્સર છે ભગવાન મહાવીરનાં દર્શનમાં પહેલું સૂત્ર છે—નિઃશલ્ય થવું. શલ્યને સમાપ્ત કરી દેવું. અન્તાશલ્યને આજની ભાષામાં કેન્સર કહેવામાં આવે છે. જ્યાં સુધી માયાનું શિલ્ય, આકાંક્ષાનું શલ્ય, મિથ્યા દષ્ટિનું શલ્ય, હોય છે ત્યાં સુધી ધર્મની આરાધના નથી કરી શકાતી, ત્યાં સુધી વ્રતને સ્વીકાર થઈ શકતો નથી. તસ્વાર્થ સૂત્રનું પ્રસિદ્ધ સૂત્ર છે–નિઃશલ્યો વતી, વતી એ જ હોય છે જે નિઃશલ્ય છે. જેનું અંદરનું કેન્સર સમાપ્ત થઈ જાય છે, તે જ વતી બની શકે છે, નહિ તો કેન્સર હોય ત્યાં સુધી કઈ વતી બની શકતું નથી. શુગલખેર ખતરનાક હોય છે પશુ –ચાડી (ચુગલી) પણ બીજાને જેવાથી થાય છે. માણસ બીજાને જુએ છે કેધ કરે છે. ત્યારે ચાડી થાય છે. પિતાની જાતને જેનાર કદી કોઈની પણ ચાડી નથી ખાઈ શકતે. તે કદી યુગલોર નથી થઈ શકતે. ચુગલોર (પીઠ પાછળ ફરિયાદ કરનાર) ખૂબ ખતરનાક હોય છે. તે બે વ્યક્તિઓને અંદરોઅંદર લડાવી મારે છે. અને પિતે તટસ્થ રહીને તમાશો જોતો રહે છે. તે એવી વાત કરે છે કે બંને વ્યક્તિઓનાં મન ફાટી જાય છે. ચક્રવર્તી ભરત ઈચ્છતા હતા કે તેમના અનુજ બાહુબલી તેમના શાસનનો સ્વીકાર કરે. તેમણે દૂત મોકલીને આ સંદેશો કહેવડાવ્યો, બાહુબલી માટે આ ઘણી અપ્રિય વાત હતી. તેમણે અગ્રજ ભાઈના અનુશાસનને સ્વીકાર નહિ કર્યો. દૂત જવા લાગ્યોબાહુબલીએ કહ્યું : દૂત! મારાભાઈ ભરતને એક વાત કહી દે કે તેઓ અયોધ્યામાં બેઠા છે અને હું તક્ષશિલામાં બેઠો છું. વચ્ચે ઘણું અંતર છે. વચ્ચે અનેક પહાડ અને નદીઓ છે. વચ્ચે સમુદ્ર પણ છે. આ બધા આપણી વચ્ચે હાય, કઈ મુશ્કેલી નથી. પરંતુ આપણી વચ્ચે કોઈ યુગલખેર ન આવે આ ધ્યાન રાખવાનું છે. નહિ તો અનર્થ થતાં વાર નહિ લાગશે. ૨૦૨ Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ નવતા નીશ્ચત્તરોત્ત૨T વિષમોડસ્તુ ક્ષિતિકૃદયોનેરી | सरिदस्तु जलाधिकान्तरा, पिशुनो माऽस्तु किलान्तरावयोः ॥ ચુગલોર મધુરભાષી હોય છે. તે વાતને એ રીતે પ્રસ્તુત કરે છે કે સામેની વ્યક્તિને વિશ્વાસ આવવા લાગે છે કે એના જેવો મોટે હિતચિંતક કેઈ નથી. મારા જ હિતની વાત કરી રહ્યો છે. પેલે યુગલોર તે હિતચિંતામાં અહિતની એવી મીઠી ગોળી આપી દે છે, એવી સુગર-કેટેડ પડીકી આપી દે છે કે જે ખાવામાં તે મીઠી હોય છે પણ અંદરથી કડવું ઝેર હોય છે. નિંદા પણ બીજાને જોવાથી થાય છે. જે પિતાને જુએ છે તે કોઈની નિંદા નથી કરી શકતો. જ્યારે જ્યારે માણસ બીજાને જુએ છે, બીજાની નબળાઈઓ અને બુરાઈઓ જુએ છે, બીજાની અ૯પતાઓ અને હીનતાઓને જુએ છે, ત્યારે જ નિંદા કરવા લાગી જાય છે. વદન છે છવાતુ મહાનતામાં મુશ્કેલીઓ નાખનાર આ તો પરદર્શનથી પ્રાપ્ત થાય છે. જે આત્મદર્શન, સ્વદર્શનને અભ્યાસ વધુ થાય અને પરદર્શનની વાત ગૌણ થઈ જાય તે આ બાધક તત્ત્વ આપ મેળે સમાપ્ત થઈ જાય છે. સમજુ માણસ આ બીમારીઓ, આ વિદને દૂર કરવા ઈચ્છે છે. કોઈ પણ એને પાળવા ઇચ્છતા નથી. તે દૂર થતી નથી. એ ત્યારે દૂર થઈ શકે છે જ્યારે સ્વદર્શનને અભ્યાસ વધે છે. જ્યાં સુધી પિતાની જાતને જોવામાં રસ કે આકર્ષણ પેદા નથી થતું, રુચિ કે તલ્લીનતા ઉત્પન્ન નથી થઈ જતી ત્યાં સુધી આ બીમારીઓ દૂર થનાર નથી. પછી ભલે વ્યક્તિ હજાર વાર પ્રયત્ન કરે, હજાર વાર સાંભળે, માની લે કે એ બધી બુરાઈઓ છે. એને સમાપ્ત કરવાનું એક માત્ર ઉપાય છેઆત્મદર્શન. સ્વદર્શનની ભાવનાને વિકસિત કરવી. પ્રગતિનું પહેલું સૂત્ર છે—પોતાની જાતને જુએ. મૂળ સાથે નહિ, પ્રતિબિંબ સાથે લડે છે આજને માનવી પ્રતિબિંબ સાથે લડે છે. કોઈ લડનાર સામે નહિ હોય તે બીજાના પ્રતિબિંબને સામે રાખીને લડી લે છે. માણસ ૨૦૩ Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ કોણ જાણે કેટલી વાતે યાદ કરીને ખરાબ વાતે વિચારે છે. તેણે મારું આ કરી દીધું. તે કરી દીધું. તે સ્મૃતિઓના પ્રતિબિંબ ઊભા કરીને રાત દિવસ લડતો રહે છે, બેચેન રહે છે. રાત્રે ઊંઘ હરામ થઈ જાય છે. અને દિવસે ભોજન હરામ થઈ જાય છે. મહારાજા શ્રેણિકે ગામલેકેને આદેશ કર્યો કે એક મરઘાને લડાઈ ખેર બનાવવાનું છે, પણ બીજા મરઘા સાથે લડાવીને નહિ. ગામલેકેને આ આદેશ મુશ્કેલ લાગે. બે હોય નહિ તો લડાઈ કેવી રીતે થાય. લડાઈ માટે વધારે નહિ તે ઓછામાં ઓછા બે તો અવશ્ય જોઈએ. ગામલેકે ચિંતામાં ડૂબી ગયા. તેઓ રાહક પાસે પહોંચ્યા. તે ખૂબ બુદ્ધિમાન હતા. રાજાએ એની પરીક્ષા કરવી હતી. રોહકે ગામલોકોને કહ્યું : ચિંતા નહિ કરે. બધું શક્ય બનશે. રેહકે એક ઉપાય ખોળી કાઢો. મરઘાની સામે એક કાચ મૂકી દીધો. મરઘાએ કાચમાં બીજા મરઘાને જોયો. તેને પ્રતિબિંબ મળી ગયું. પ્રતિબિંબ જોઈએ. માણસ પ્રતિબિંબ સાથે લડે છે. મૂળ સાથે લડે જ કેણુ છે? બંને લડનાર જે મૂળ સુધી પહોંચી જાય તો લડાઈઓ સમાપ્ત થઈ જાય. માનવી હંમેશા સ્મૃતિનાં પ્રતિબિંબ અને કલ્પનાનાં પ્રતિબિંબ સાથે લડે છે. માણસ મનમાં ને મનમાં કલ્પના કરે છે કે આ થઈ જશે, તે થઈ જશે. અને લડાઈ શરૂ થઈ જાય છે. આજે સમગ્ર વિશ્વમાં મોટાં-મોટાં રાષ્ટ્ર આયુને ભંડાર ભરી રહ્યાં છે, અસ્ત્રશસ્ત્રોને વિકાસ કરી રહ્યા છે. એ બધા પાછળ કલ્પનાનું એ પ્રતિબિંબ જ કારણ છે કે જે અમે ઘાતક શસ્ત્રાની દોડમાં પાછળ રહી ગયા તે મરી જઈશું. ખલાસ થઈ જઈશું. બધાં રાષ્ટ્ર એકબીજાથી ભયાક્રાન્ત છે. બધાં પોતપોતાની કલ્પનાના પ્રતિબિબ ઊભાં કરે છે. અને શસ્ત્રોના ભંડાર ભરવાનું ઔચિત્ય સ્થાપિત કરે છે. મરઘાએ સામેના કાચમાં પિતાનું પ્રતિબિંબ જોયું. તરત જ તે લડવાની મુદ્રામાં આવી ગયા. તે પિતાના જ પ્રતિબિંબ સાથે લડવા લાગ્યો. થોડા દિવસ સુધી આ ક્રમ ચાલ્યો અને મરઘે લડાઈખોર બની ગયો. લડવા માટે બીજુ કોઈ જોઈએ. પછી તે બીજે મૂળ માણસ હોય કે તેનું પ્રતિબિંબ હેય. આ સંદર્ભમાં આપણે પ્રેક્ષાધ્યાનના મૂળ સૂત્ર “આત્મા દ્વારા આત્માને જુઓ'નું મૂલ્યાંકન કરીએ. આપણને ૨૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ જણાશે કે આપણે બીમારીની જડને પકડી લીધી છે, તેને નષ્ટ કરવાને ઉપાય પણ પ્રાપ્ત કરી લીધો છે. પ્રગતિનું બીજું સૂત્ર : પિતાની ક્ષમતા પર આસ્થા પ્રગતિનું બીજું સૂત્ર છેઃ પોતાની ક્ષમતા વધારો, પિતાની ઉપયોગિતા વધારે. અક્ષમ અને શક્તિશૂન્ય વ્યક્તિ કદી આગળ વધી શકતી નથી. જેને પોતાની શક્તિના વિકાસમાં ભરોસો નથી, જે પિતાની શક્તિ વધારતો નથી, તેને સ્વયં ભગવાન પણ સહારો આપવા ઈછે, આગળ વધારવા ઈચ્છે તો પણ તે આગળ વધી શકતો નથી. આગળ વધવા માટે સ્વયંની શક્તિને વિકસિત કરવી જ પડે છે. કેઈ છે કે હું કલેકટર બનું, મુખ્ય મંત્રી બનું, મુખ્ય સચિવ બનું–તે કોઈ પણ બની શકે છે. કેઈ માટે નિષેધ નથી. પરંતુ તે જ વ્યક્તિ બની શકે છે. જેણે પિતાની શક્તિનો વિકાસ કરી લીધો છે. જેનામાં શક્તિ નથી, પિતાની શક્તિ પર ભરોસો નથી તે ઈચ્છે તો પણ કશું નથી કરી શકતો. પિતાની ઉપયોગિતા જાળવી રાખે. પોતાની શક્તિને વિકાસ થવો જોઈએ –તેની સાથે જોડાયેલી વાત છે–પિતાની ઉગિતા વધારવી. પ્રગતિ તે જ કરી શકે છે, જે પિતાની ઉપયોગિતા વધારે છે. જે પિતાની ઉપયોગિતા વધારતો નથી તે પાછળ પડી જાય છે, સાથે ચાલી શકતો નથી. માણસના મનમાં એક વિચાર આવે છે કે હું તે આગળ વધી રહ્યો હતો, તેણે મને પાછળ ધકેલી દીધો. જ્યાં સ્પર્ધાઓ હોય છે માણસ એ જ વિચારે છે કે તેણે મને પાછળ પાડી દીધા. દુનિયામાં કોઈ કોઈને પછીડવાને પ્રયત્ન નથી કરતો. જે પોતાની ગ્યતાને વધારે સક્ષમ બનાવી લે છે, જેની ઉપયોગિતા અનિવાર્ય બની જાય છે, તે આગળ વધી જાય છે. “મને પાછળ પાડી દીધો.” આ ફરિયાદ કરનાર પાછળ રહી જાય છે. તેથી પ્રગતિનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે–પિતાની ઉપયોગિતા વધારતા જાઓ. દેશ-કાળની ઉપયોગિતા છે. જે આ ઉપયોગિતા નહિ હાય તે માણસ આગળ વધી શકતા નથી. આચાર્ય તુલસી નિરંતર ઉપગી બન્યા રહ્યા અનુભવ કર્યો કે આચાર્ય તુલસી ખૂબ આગળ વધી ગયા. ધર્મને ક્ષેત્રમાં તેમનું નેતૃત્વ માત્ર તેરાપંથ સમાજ માટે નહિ, માત્ર જૈન ૨૦૫ Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ સમાજ માટે નહિ, પરંતુ સમગ્ર ધર્મ અને અધ્યાત્મ જગત માટે સમાન્ય થઈ ગયું. પ્રશ્ન થાય છે, એમ કેમ થયું? તેમણે કદી કૃપાની ભીખ માંગી નહિ. તેમણે કદી ઈચ્છા કરી નહિ કે એવું થાય. તે પેાતાની ઉપયેાગિતા વધારતા ગયા. તેમણે પેાતાની ઉપયેાગિતા પ્રમાણિત કરી દીધી. અણુવ્રત આંદાલનનુ પ્રવત ન કરીને એક ઉપયોગિતા પ્રમાણિત કરી દીધી. સાહિત્ય-સર્જનને ભગીરથ પ્રયત્ન કર્યા. નવા વિચારા, નવાં દનને નવા રૂપમાં જનતા સમક્ષ પ્રસ્તુત કરી બીજી ઉપયેાગિતા પ્રમાણિત કરી દીધી. ધ્યાન પદ્ધતિને પુનર્જીવિત કરીને ત્રીજી ઉપયેાગિતા પ્રમાણિત કરી દીધી. એક પછી એક ઉપયોગિતા આવતી ગઈ. હવે તેમની ઉપયાગતા એટલી અનિવાર્ય બની ગઈ કે ફ્રાઈ પણ વ્યક્તિ અને અસ્વીકાર કરી શકતી ન હતી. તેમણે ખીજાની કૃપા પર જીવવાનું પસંદ ન કર્યું. ઉપયોગિતા વધી એ ખીજાની કૃપાનું પરિણામ ન હતું. યુગપ્રધાન બન્યા તે। તે ખીજાની કૃપાનું અનુદાન નહિં હતું. સમાન્ય બનવા માટે કાઈ પાસે યાચના નહિ કરી. એક વાત છે, જે વ્યક્તિ પેાતાની ઉપયેાગિતાને અનિવાર્ય બનાવી દે છે તે સ્વતઃ સમાન્ય થઈ જાય છે. કોઈપણ વ્યક્તિ એને અસ્વીકાર નથી કરી શકતી. પંડિત દલસુખ માલણિયા ભારતીય દર્શનના સુપ્રતિષ્ઠિત વિદ્વાન છે. એક વખત આચાર્ય તુલસીના જન્મ દિવસના ઉપલક્ષમાં આયાજિત એક સભામાં ખેલી રહ્યા હતા. તેમણે અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા તેમણે કહ્યું—અણુવ્રત આંદોલનનું પ્રવન આચાર્ય તુલસીએ જ શા માટે કર્યું? શું કાઈ ખીજા ધર્માચાય તેનુ પ્રવતન નહિ કરી શકતા હતા? પ્રેક્ષાધ્યાનનું પ્રવન તેમણે જ શા માટે કર્યું? શું કાઈ બીજી વ્યક્તિ તેનુ પુનઃ વન નહિ કરી શકતી હતી ? પૉંડિતજીએ આઠ-દસ પ્રશ્ન ઉપસ્થિત કર્યા અને કહ્યું—હું આચાય તુલસીને જ આચાર્ય માનું છું, કેમ કે તેમણે જ આ માં કાર્યા કર્યાં. ખીજાએ નહિ. પ્રગતિનું સૂત્ર છે—પેાતાની ક્ષમતાને વધારેા. પેાતાની ઉપયેાગિતાતે વધારા, નિરંતર ઉપયેાગી બન્યા રહેા, દેશકાળની સાથે ચાલેા. મહાવીર જૂના નથી થયા ભગવાન મહાવીરને ૨૫૦૦ મેા નિર્વાણુ મહેાત્સવ ઉજવાઈ રહ્યો હતા. એક પત્રકાર આવ્યે. તેણે પૂછ્યુ——ભગવાન મહાવીરના નિર્વાણુને Jain Educationa International ૨૦૬ For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ અઢી હજાર વર્ષ થઈ ગયાં. હવે નિર્વાણ વર્ષ મનાવવાનો શો અર્થ છે? ખૂબ સમય વીતી ગયો છે. કથા જૂની થઈ ગઈ છે. હવે શું પ્રયોજન છે? મેં કહ્યું : હું મહાવીરને જૂના નથી માનતો. મહાવીરની આજે પણ ઉપયોગિતા છે. જે મહાવીર આજની ઉપયોગિતા ન હોય, જો મહાવીર આજની સમસ્યાઓનું સમાધાન ન હોય તે મહાવીરનું નિર્વાણ વર્ષ ઉજવવું વ્યર્થ છે. તેની કોઈ સાર્થકતા નથી. મહાવીર જૂના નથી. તેઓ આધુનિક છે. આજની સમસ્યાઓના તેઓ સમાધાન છે. અને આજની બધી અનુપયોગિતાઓ વચ્ચે સૌથી વધુ ઉપયોગી છે. આ તથ્યપૂર્ણ વાત છે કે જૂના પ્રત્યે આપણો મેહ ન હોવો જોઈએ. આપણો કઈ પરત્વે મેહ નથી. જેની ઉપયોગિતા સમાપ્ત થઈ ચૂકી છે તેને ભાર વહન કરવા આપણે નથી ઈચ્છતા. કાપડ ઉપયોગી છે તેથી બધા તેને પહેરે છે. કાપડ ફાટી ગયું. તેનામાં ઠંડી રોકવાની, ધૂળથી બચાવવાની તાપને રોકવાની શક્તિ ન રહી તો કોઈ પણ માણસ એને નહિ પહેરશે. તે એ નહિ વિચારશે કે બિચારાએ આટલું કામ આપ્યું હતું. મારી આટલી સુરક્ષા કરી હતી. આ દુનિયા સ્વાર્થી છે. આ સ્વાર્થી દુનિયામાં પોતાની ઉપયોગિતા ખોઈ દેનાર કંઈ પણ વ્યક્તિ પિતાનું મૂલ્ય જાળવી શકતી નથી. આપણે પ્રગતિનું આ સૂત્ર સમજીએ. અને પિતાની ઉપયોગિતા વધારતા જઈએ, ઉપયોગિતાને અનિવાર્ય બનાવી દઈએ. પ્રગતિનું ત્રીજું સુત્ર : સીમાબેધ પ્રગતિનું ત્રીજું સૂત્ર છે—સીમાબેધ. વ્યક્તિ પોતાની સીમાઓને સમજે. આ સંસારમાં શક્તિમાન વ્યક્તિ હોય છે, પણ એવી એક પણ વ્યક્તિ નથી હોતી જે સર્વ શક્તિ-સંપન્ન હોય. શક્તિની સીમાઓ છે. પ્રત્યેક વ્યક્તિની શક્તિની મર્યાદા છે. સીમાતીત કોઈ નથી હોતું. અસીમ અને અનંત કેઈ નથી હોતું. દરેક વ્યક્તિ સાથે સીમા જોડાઈ ગઈ છે. જે પિતાની સીમા નથી જાણતા તે પ્રગતિ નથી કરી શક્તા. સીમા બોધ અત્યન્ત આવશ્યક છે. આપણું શક્તિની સીમા, આપણું આનંદની સીમા, આપણા સુખની સીમા, સર્વ કાંઈ સીમિત છે. આ સીમા બંધની વિસ્મૃતિને કારણે પ્રગતિને આ રથ ઊલટે ચાલવા લાગી ગયો. એક માણસની પાસે બુદ્ધિ છે. તે વિચારે છે–મારી પાસે બુદ્ધિ છે તો હું ૨૦૭ Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ જેટલું ઈચ્છું તેટલું ધન ભેગું કરી લઉં. વ્યાવસાયિક બુદ્ધિ વડે તે ધનકુબેર બની શકે છે. જો તે આ સીમાને નથી જાણતા કે એક માણુસ વધારે ધન ભેગું કરે છે તા ખીજાએ તેનું કેટલું કટુ પરિણામ ભોગવવું પડે છે, તે એનું ધનકુબેર થવું જોખમમાં, આવી પડે છે. આ સીમા ખેાધના અતિક્રમણના અર્થ થાય છે—ત્ક્રાંતિ, યુદ્ધ, સધર્ષી અને લડાઈએ. જો બધા લેાકા પોતાની સીમામાં હોત તે આજે પ્રગતિનું ચક્ર ખૂબ ઝડપથી ઘુમવા લાગી જતે. જ્યારે પ્રગતિ ખીન્ન માટે પ્રતિગતિ ખની જાય છે, પછાતપણાનું કારણ બની જાય છે ત્યારે મુશ્કેલીએ આવે છે. કેટલાંક રાષ્ટ્રાને ભોગેાલિકતાને કારણે પ્રાકૃતિક સ`પત્તિની પ્રચુરતા પ્રાપ્ત થાય છે. તેમને પ્રગતિ કરવાની અનેક સુવિધા પ્રાપ્ત થાય છે. બુદ્ધિમાન અને વ્યાવસાયિક બુદ્ધિ કૌશલથી સંપન્ન આ લેાકાતે વૈભવ પ્રાપ્ત કરવાની સુવિધા પ્રાપ્ત છે. એક માણુસ એક દિવસમાં દસ લાખ રૂપિયા કમાઈ લે છે. એક એક શણુની મિલ (જૂટમિલ) એકએક દિવસમાં લાખા રૂપિયા કમાવી લે છે. કેટલા ઉદ્યોગ છે. કમાણીને કાઈ પાર નથી. ભારત વિકાસશીલ દેશેામાંને એક છે. પરંતુ જે દેશ પૂતઃ વિકસિત છે ત્યાં ધન જાણે ઉપરથી વરસી રહ્યું છે. ત્યાં એક દિવસમાં શુંનું શું થઈ જાય છે. આટલું હેાવા છતાં એનું પરિણામ શું આવી રહ્યું છે? અનુભવ એ બતાવે છે કે એનું પરિણામ—સંધ, લડાઈ અને ક્રાન્તિ. આજે સમગ્ર સસાર એક પ્રકારની ક્રાન્તિના કિનારા પર ઊભા છે. શા માટે? એટલા માટે કે બુદ્ધિના ઉપયેગ સીમાથી અતિક્રાન્ત થઈને થઈ રહ્યો છે. પ્રશ્ન થાય છે—તેની સીમા શી છે? સીમા એ હાવી જોઈએ કે બુદ્ધિ શક્તિનેા ઉપયેગ પોતાના સુખ માટે અવશ્ય થાય. પણુ બીજાના સુખમાં કાંઈ મુશ્કેલી નહિ આવવી જોઈએ. જ્યારે બુદ્ધિ સીમાને પાર કરીને આગળ કામ કરે છે ત્યાં લડાઈએ અને ક્રાંતિ માટે મા પ્રશસ્ત થઈ જાય છે. પેાતાની પ્રગતિ માટે જરૂરી છે—સીમાને ખેાધ, જ્યારે સીમાએધની ચેતના સ્પષ્ટ થઈ જાય છે ત્યારે પ્રગતિની મુશ્કેલીએ સમાપ્ત થઈ જાય છે. જો સીમાબેાધની ચેતના નથી જાગતી ત્યારે જે વ્યક્તિ પેાતાની શક્તિના ઉપયાગ કરે છે તેના પ્રત્યે ખીજાના મનમાં પ્રતિહિંસાની ભાવના જાગે છે. હિંસા અને પ્રતિહિંસા, ક્રિયા અને પ્રતિક્રિયા——આ Jain Educationa International ૨૦૮ For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ બધા સીમાના અતિક્રમણનાં પરિણામ છે. પ્રગતિ માટે સીમાબેધને મૂલ્ય આપવું આવશ્યક છે. મેં પ્રગતિનાં થોડાં સૂત્રોની વિવેચના પ્રસ્તુત કરી છે. જે આ બધાં સૂત્રો આપણું બુદ્ધિમાં સમાઈ જાય તે પ્રગતિનો માર્ગ પ્રશસ્ત થઈ જાય અને અઢાર પાનાં વ્યુત્સર્ગની ચેતના પણ જાગી જાય છે. જયાચાર્ય આરાધનામાં પાપની વ્યુત્સર્ગનું સુંદર પ્રકરણ લખ્યું છે. અતીતનું શેધન થાય, આદતો બદલાય, અને ભવિષ્ય માટે એવી વ્યવસ્થા થઈ જાય જેથી પાપનું આગમન ન થાય. ટેવ બદલવાની પ્રક્રિયા પ્રેક્ષા ધ્યાનની પ્રક્રિયા ટેવોને બદલવાની પ્રક્રિયા છે. પ્રશ્ન છે—ટેવ કેવી રીતે બદલીએ? પ્રત્યેક વ્યક્તિ ઇચ્છે છે કે આદત બદલાય પણ આદત બદલાતી નથી. કેમ નથી બદલાતી ? રોટલી પૂરી નથી ખાધી. ભૂખ મટી નહિ, પૂરતું પાણું નથી પીધું. તરસ નથી મટી. દવાને પૂરે કેર્સ નથી લીધો. બીમારી મટી નથી. આ રીતે ટેવોને બદલવાનો પૂરો કેર્સ છે. આ મનોવિજ્ઞાનની ભાષા છે. અધ્યાત્મની ભાષામાં પણ એ જ કોર્સ છે. - વિલિયમ જેમ્સ મનોવિજ્ઞાનિક દૃષ્ટિએ ટેવોને બદલવાને કર્સ પ્રસ્તુત કર્યો છે, તેમાં ત્રણ વાતા મુખ્ય છેઃ ૧ બદલવાની તીવ્ર ઈચ્છા ૨ દઢ નિશ્ચય ૩ નિરંતરતા. પહેલી વાત છે કે વ્યક્તિના મનમાં તીવ્ર અભીપ્સા જાગે કે તેણે પિતાની ટેવ બદલવાની છે. જ્યાં સુધી આ ઈછા જ પેદા નથી થતી તો પછી બદલવાનો પ્રશ્ન જ નથી થતો. માની લે કે બદલવાની ઈચ્છા પેદા થઈ ગઈ. પરંતુ એનાથી પણ પ્રયજન સિદ્ધ નથી થતું. માણસ રોજ એ ઈચ્છા કરતો જાય કે મારે ક્રોધ નથી કરવો, ક્રોધ ઉત્પન્ન થવામાં કેઈ ફેર નહિ પડશે. ઈચ્છા સાથે દઢ નિશ્ચય પણ જોઈએ. ઈચ્છાને દત નિશ્ચયમાં બદલવી જોઈએ. નિશ્ચય એ જોઈએ કે મારે બદલાવું જ છે, બદલાયા વગર હું ચેન નહિ લઉં. નિશ્ચય દઢ હશે તે રૂપાન્તરણ પ્રારંભ થઈ જશે. દઢ નિશ્ચયની સાથે સાથે નિરંતરતા પણ હોવી જોઈએ. મ-૧૪ ૨૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ નિશ્ચય કર્યો, પછી દસ દિવસ સુધી તેની સમૃતિ જ નહિ રહી તે કંઈ પણ રૂપાન્તરણ થશે નહિ. નિરંતરતાથી આદત આપ મેળે બદલાવા લાગી જશે. રૂપાન્તરણના ત્રણ ઉપાય જયાચાર્ય પ્રમાણે બદલાવાના ત્રણ મુખ્ય ઉપાય છે: ૧ વર્તમાનમાં પાપને વ્યુત્સર્ગ કરે–પાપ ન કરવાનો નિશ્ચય કરે, ૨ અતીતનું શોધન કરે–પ્રાયશ્ચિત્ત દ્વારા, ઉમરામ સુવડ દ્વારા પૂર્વ અજિત પાપનું શોધન કરે. ૩ ભવિષ્ય માટે પ્રત્યાખ્યાન કરેલ છે જમદું વાસી THI” – હવે હું એવું કામ નહિ કરીશ, જે મેં પહેલાં પ્રમાદવશ કર્યું હતું. આ ત્રણે ઉપાય જ્યારે એક સાથે કામમાં લેવામાં આવે છે ત્યારે રૂપાન્તરણ થવા લાગી જાય છે, પ્રગતિ થવા લાગે છે. આરાધનામાં આ માનસિક ચિકિત્સા પદ્ધતિ નિરૂપિત છે. ભાષા પુરાણું છે. આજની મને ચિકિત્સા પદ્ધતિની ભાષા નવી છે. જે આ પુરાણું ભાષાને નવી ભાષામાં બદલવામાં આવે તે આ આરાધનાને માનસિક ચિકિત્સાને એક મહાન ગ્રંથ કહી શકાય છે. ૨૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૫ ધર્મ સરણું ગચ્છામિ Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ अयन: ५ સંકેતિકા १ बीस भेद संवर तणा, बले निर्जरा ना भेद बार हो । जिन आणा, जिन आणा, विषै ए सर्व हो॥ कर्म रुकै कटै तेह थी, आख्यो तेहिज धर्म उदार हो । मुझ . शरणो, मुझ शरणो, जिनाज्ञा धर्म नौ ॥ भव तरणं भव तरणं वरण शिव शर्म नौ॥ सूत्र धर्म प्रश्न आखियो, बलि चारित्र धर्म उदार हो । हलुकर्मी, हलुकर्मी जीव तसु ओलवै ॥ ए दोनूं ही जिन आज्ञा मझे, तिण सूं धर्म कहीजे सार हो। मुझ शरणो, मुझ शरणो जिनाज्ञा धर्म नों॥ भव तरणं भव तरणं वरण शिव शर्म नों॥ संजम ने तप शोभता वर संजमथी रुकै फर्म हो । तप सेती तप सेती बन्ध्या अध निर्ज । ए दोनुं ई जिन आज्ञ। मझे, तिण सुं धर्म कहीजे पर्म हो । मुझ शरणो मुझ शरणो जिनाज्ञा धर्म नौं । भवतरणं भवतरणं वरण शिव शर्म नौ ॥ (आराधना ५/१५, १६. १७) p ગરીબી એક અભિશાપ છે. 0 અર્થશાસ્ત્રીની સલાહ વડે તેમાંથી છુટકારો મળી શકે છે. D માનસિક વિષાદ ભયંકર અભિશાપ છે. 0 તેનાથી મુક્તિ પ્રાપ્ત કરવાનું એક માત્ર ઉપાય છે—ધર્મનું શરણું. ० ४या धमनु श२९ ? ० मात्र धर्म श२९. ० तेनाथा शुं थशे ? પદાર્થના શરણમાં જવાથી જે થયું, તેનાથી મુક્તિ મળી જશે. 9 ધર્મનો અર્થ છે – ૦ પદાર્થપ્રતિબદ્ધતાથી મુક્તિ ૦ પિતાના આનંદનું શરણ. ૦ પિતાની જાતને શોધવી, પોતાનું શરણ. ૦ પિતાની શક્તિનું શરણ. ૦ પોતાના ચૈતન્યનું શરણ. ૨૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ધમૅ સરણું ગચ્છામિ ગરીબી અભિશાપ છે. એક ધનપતિ મારી પાસે આવી બેલ્યો : હું ગરીબીથી ખૂબ પીડિત હતા. ખાવાને પૂરતું ભજન પ્રાપ્ત થતું ન હતું. ચારે બાજુ અભાવ જ અભાવ. ખૂબ દુઃખના દિવસે વિતાવી રહ્યો હતો. એક યુગ પ્રાપ્ત થયે. એક અર્થશાસ્ત્રીની સલાહ લીધી. તેણે ખૂબ સારો ઉપાય બતાવ્યા. મેં તે ઉપાયને કાર્યાન્વિત કર્યા. મેં ઈચ્છાઓ વધારી. શ્રમ કર્યો. ઉત્પાદન વધ્યું. ધન વરસવા લાગ્યું. હું ધનપતિ બની ગયો. ગરીબીને અભિશાપ સમાપ્ત થઈ ગયા. દુનિયામાં સૌથી મોટો અભિશાપ છે–ગરીબી. એનાથી મોટો કેઈ બીજે અભિશાપ નથી હોતે. ગરીબ માણસની બધી વિશેષતાઓ સમાપ્ત થઈ જાય છે. જેમની પાસે પૈસા નથી હોતા, તેમની પાસે કશું પણ નથી હોતું. જેમની પાસે પૈસા હોય છે તેમની પાસે સર્વ કાંઈ હેાય છે. મારા ધનની કઈ સીમા ન રહી. પરંતુ એક મુશ્કેલી વધી ગઈ. મારું મન વિષાદથી ભરાઈ ગયું. મન દુર્બળ થઈ ગયું. ખૂબ પીડિત છું–માનસિક વિકૃતિઓથી. હવે હું આપની પાસેથી સલાહ ઈચ્છું છું. મારે શું કરવું જોઈએ? આ દુનિયામાં બે ધારાઓ બરાબર ચાલી રહી છે. એક છે અમીરીની ધારા અને બીજી છે ગરીબીની ધારા. ક્યાં તો માનવી અમીર છે અથવા ગરીબ છે. આ સિવાય ત્રીજા વિકલ્પમાં હોવું કેઈ જણાતું નથી અને માનતું પણ નથી. જ્યારે ગરીબ અમીર બની જાય ત્યારે કઈ ત્રીજું સોપાન ચઢવા માટે નથી. જે કોઈ ત્રીજું પાન હોય, સીડી હોય તો તે સત્તાની, ગરીબીથી અમીરી, અમીરીથી સત્તા. બસ અંત આવી ગયો. સત્તા કે અધિકાર ભલે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ આગળ કોઈ જગ્યા નથી, કેઈ માર્ગ નથી. મેં તે વ્યકિતને પૂછયું : શું ખરેખર તમે આ રોગથી છુટકારો મેળવવા ઇચ્છે છે? જે “હા” હોય તો ધર્મના શરણમાં જાઓ. ૨૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શું? કયો? એક પ્રશ્નચિહ્ન ઉપસી આવે છે–ધનપતિ અને ધર્મ? ધન અને ધર્મને સંબંધ જ શે? અજબ જેવી વાત લાગે છે. પ્રશ્ન થયો–ધર્મ શું છે? કે ધર્મ ? ધર્મની સાથે “ક” શબ્દ જોડાઈ ગયો. વિશેષણ વગર ધર્મની ઓળખ જ નથી થતી. જેમાં કોઈ માણસ સાથે જાતિવાચક શબ્દ ન જેડીએ તે તેની ઓળખ નથી પડતી. તેવી જ રીતે ધર્મની સાથે વિશેષણ ન જોડાય તો તેની ઓળખ નથી પડતી. આજે સંપ્રદાયનો ધર્મી પર એટલે બધો પ્રભાવ છે કે સંપ્રદાયના માધ્યમ વડે જ ધર્મ જાણી શકાય છે, નહિ કે ધર્મના માધ્યમથી સંપ્રદાય. ધર્મને માટે સંપ્રદાય બન્યા, પરંતુ સંપ્રદાય મુખ્ય થઈ ગયા અને ધર્મ ગૌણ થઈ ગયો. સંપ્રદાય પ્રથમ હરોળમાં આવી બેઠો અને ધર્મ પાછળ ખસી ગયો. આજે સ્પષ્ટ છે કે ધર્મ માટે સંપ્રદાય નથી, સંપ્રદાય માટે ધર્મ છે. પ્રશ્ન સ્વભાવિક હતા. મેં કહ્યું કે હું નિર્વિશેષણ ધર્મમાં વિશ્વાસ કરું છું. અણુવ્રત આંદોલન નિવિશેષણ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. તે ધર્મ છે, પણ કયો ? એ તેની સાથે વિશેષણ નથી જેડાયું. તે નિર્વિશેષણ ધર્મ છે. જૈન, બૌદ્ધ, શીખ, ઇસ્લામ, ઈસાઈ, વૈદિક–આ બધાં ધર્મના વિશેષણો છે. સંપ્રદાય છે. અણુવ્રત વિશેષણ-મુક્તધર્મ છે. તે માત્ર ધર્મ છે. આ એ જ રીતે ધર્મનો અર્થ છે–પદાર્થની પ્રતિબદ્ધતાથી મુક્તિ. આ ધર્મમાં કોઈ વિશેષણ આવશ્યક નથી. આચાર્ય ભિક્ષુને પૂછ્યું : ધર્મ શું છે? અધર્મ શું છે? તેમણે સંક્ષેપમાં ખૂબ જ સારગર્ભિત જવાબ આપ્યો. ત્યાગ-ધર્મ છે. ભોગ અધર્મ છે. બે અક્ષરોની પરિભાષા. ખૂબ જ માર્મિક પરિભાષા. ત્યાગમાં તે બધું આવી ગયું જે ધર્મ છે. ભોગમાં તે બધું આવી ગયું. જે અધર્મ છે. પછી પ્રશ્ન થયું. ત્યાગ શેને? ભેગ શેને ? પદાર્થને નહિ, પ્રતિબદ્ધતાને ત્યાગ પદાર્થને ત્યાગ સંભવ નથી હોઈ શકતો. પદાર્થને ત્યાગ નહિ, પદાર્થની પ્રતિબદ્ધતાનો ત્યાગ. મનુષ્ય જેમ જેમ ધન અજિત કરે છે, જેમ જેમ પદાર્થ જગતની યાત્રા કરતો જાય છે, તેમ તેમ પદાર્થથી પ્રતિબદ્ધ થતો જાય છે. તે પદાર્થથી એટલે બંધાઈ જાય છે કે પછી તે ૨૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ પદાર્થને સ્વામી નથી રહેતો. તેને સેવક બની જાય છે. તે પદાર્થને ભક્તા નથી રહેતેપદાર્થને ભાગ્ય બની જાય છે. પછી તે પદાર્થ માટે રહી જાય છે, પિતાને માટે નથી રહેતો. આ છે–પદાર્થની પ્રતિબદ્ધતા. પદાર્થની પ્રતિબદ્ધતાએ સંસારને એક વિચિત્ર સ્થિતિમાં લાવીને મૂકી દીધો છે. આજે જેટલે માનસિક વિષાદ છે, માનસિક ડિપ્રેશન છે, માનસિક વિકૃતિઓ છે, એટલી ભૂતકાળમાં ન હતી એનું સ્પષ્ટ કારણ છે કે આજે પદાર્થની પ્રતિબદ્ધતા જેટલી તીવ્ર છે, તેટલી ભૂતકાળમાં ન હતી. ન જ હતી એવું કહેવા નથી ઈચ્છતે. તે વખતે એક મનોવૃત્તિ અવશ્ય ન હતી. ધનનું અજન “માસરમાણુ સાતમી પેઢી માટે કરવામાં આવતું હતું, ધન માત્ર પોતાના જીવનનિર્વાહ માટે જ નહિ, પરંતુ સાતમી પેઢીને સુખી કરવા માટે પ્રાપ્ત કરવામાં આવતું હતું. આ એક મનોવૃત્તિ હતી. જે દુનિયામાં પિતાના જીવનનો જ ભરોસે નથી હોતો, ત્યાં સાતમી પેઢીની વાત વિચારે, કેટલી નાદાનિયત. ત્રીજી પેઢી સુધી કઈ ધનવાન રહી જાય તે આશ્ચર્ય માનવું જોઈએ. ત્રીજી પેઢી આવતા આવતા કોઈ ધનવાન ન રહે તે કોઈ આશ્ચર્ય નથી. ધન કમાનાર પહેલી પેઢી સારી હોઈ શકે છે. બીજી પેઢી ડામાડોળ થતી સારી હોઈ શકે છે ત્રીજી આવતા આવતા સમગ્ર જીવન વ્યસનગ્રસ્ત થઈ જાય છે. ધનની સાથે પ્રમાદ વધે છે. આળસ આવે છે. આરામપ્રિયતા વધે છે. ટે બગડે છે ત્યારે ચક્ર ઊંધું ફરવા લાગી જાય છે, તો પછી સાતમી પેઢીની વાત જ ક્યાં આવે છે? પ્રતિબદ્ધતાનું પરિણામ પદાર્થની પ્રતિબદ્ધતાએ આજે વિચિત્ર પ્રકારની માનસિક સ્થિતિ પેદા કરી દીધી છે. જ્યારે માનસિક વિષાદ અને વિકૃતિ વધી ત્યારે લેકેને વિચારવાનો અવસર મળે. આજે ભારત પદાર્થથી એટલે મુક્ત નથી જેટલું અમેરિકા છે. અમેરિકા પાસે ધન ઘણું છે. પદાર્થો ઘણાં છે. પરંતુ પદાર્થોની શરણમાં જઈને એણે અનુભવ કર્યો કે સમગ્ર દેશ પાગલપણું તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે એની સ્પષ્ટ અનુભૂતિ થઈ ત્યારે તેણે કરવટ બદલી. આજે તે રૂપાંતરણ કરવાને સંપૂર્ણ પ્રયત્ન કરે છે. ૨૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ફ્યૂચર શાક હમણુાં એક પુસ્તક બહાર પડયું છે. તેનું નામ છે—ચર શૅક (Future shock). આજનાં બહુ ચર્ચિત પુસ્તકમાંનુ તે એક છે. તેમાં ભવિષ્યનું જે ચિત્ર પ્રસ્તુત છે. તે અજન્મ છે. અનેખું છે. તેમાં આજના પાશ્ચાત્ય દેશની સભ્યતા અને સંસ્કૃતિનું સ્ફુટ ચિત્રણ છે. અને સાથે સાથે ભવિષ્યમાં વિસ્તૃત થનારી સભ્યતા અને સસ્કૃતિનું પણ ચિત્રણ છે. ભારતમાં તમે ગમે ત્યાં જાએ, ઘર સામાનથી ભરપૂર જોવા મળશે, ધરમાં કાઈપણ ચીજ આવી ગઈ, એક લાખંડની ખીલી આવી ગઈ તા તેને સુરક્ષિત મૂકી દેવામાં આવશે, ધર ભરેલું મળશે, અમેરિકાનાં ઘરેામાં આવું નહિ મળશે. તે થ્રો અવે (Throw away) સંસ્કૃતિનું પાલન કરી રહ્યા છે. વસ્તુના ઉપયાગ કર્યો તેને ફેંકી દીધી. પછી ખીજીવાર ખીજી ખરીદી તેના ઉપયાગ કર્યો અને તેને ફેંકી દીધી, તેના ઘરમાં પદાર્થાના સંગ્રહ જ નથી થતા. બધા પદાર્થ આ જ દૃષ્ટિકાણથી બને છે. આજે ત્યાં એટલી પરિવર્તનશીલતા છે કે હવે મકાન ”નાવવાની વાત પણ ભુલાઈ રહી છે. કાઈ સ્થાયી મકાન બનાવવાની જરૂર જ નથી. આજે આ મેદાનમાં મકાન જોઈએ છે. ઠેકેદારને કહી દો. બે ચાર દિવસમાં તે મકાન ફીટ કરી દેશે. પછી છ માસ બાદ ઈચ્છા થઈ કે નગરના દક્ષિણ છેડે સમય વીતાવવા છે તે! તે મકાન ત્યાંથી ઉખેડીને —દક્ષિણ છેડા પર જોડી દેવામાં આવશે. ન સ્થાયી સ્કૂલા, ન સ્થાયી હાસ્પિટલે, ન સ્થાયી દુકાનğ* જ ગતિશીલ. ન કપડાં સ્થાયી ન વેશ સ્થાયી, જ્યાં ઈચ્છા થઈ ત્યાં ભાડે કપડાં લઈ લીધાં, પહેર્યા અને આપી દીધાં. લગ્ન પણ સ્થાયી નહિ. બધું જ અસ્થાયી. પુસ્તક ખરીદ્યું, વાંચ્યું અને ત્યાં જ મૂકી દીધું. ટ્રેન કે બસમાંથી ઊતર્યા અને ચાલવા માંડયું. પુસ્તકની કાઈ ચિંતા નહિ. આ એક દષ્ટિએ પદાર્થ પ્રતિબદ્ધતાની મુક્તિ તરફનું પ્રયાણ છે. મુનિચર્યામાં પ્રાતિહારીય વસ્તુઓના ઉપયાગનું વર્ણન છે. પ્રાતિહારીને અર્થ છેઃ લાવ્યા અને પાછું આપી દીધું. જે વસ્તુ કામમાં લઈને પાછી આપી શકાય તેને પ્રાતિહારીય વસ્તુ કહે છે, ખેસવા, સૂવા માટે પાટ લાવ્યા. થે!ડા દિવસ કામમાં લીધા, જતી વખતે તે પાછા આપી દીધા. મકાનની માપણી કરીને તેમાં દસ-વીસ પચાસ દિવસ રહ્યા. જતી વખતે સ્વામીને સંભાળવા આપી દીધું, પેાતાનુ કશું પણ નહિ. એને અ` છે— પદાર્થ ની પ્રતિબદ્ધતા ૨૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ નહિ, પરંતુ પદાર્થને ઉપયોગ માત્ર છે. ઉપયોગિતા અને પ્રતિબદ્ધતા વચ્ચે ઘણું મોટું અંતર છે. મન કેમ તૂટે છે? ભગવાન મહાવીરે એક શબ્દ આપ્યો–લાઘવ.” મુનિ “લાઇવ'નું પ્રતીક હોવો જોઈએ. તેણે હલકા થવું જોઈએ. જેટલો પદાર્થથી બંધાય છે, તેટલે ભારી થઈ જાય છે અને પદાર્થથી જેટલું મુક્ત થાય છે. તેટલો હલ થઈ જાય છે. જેમ જેમ પદાર્થની પ્રતિબદ્ધતા વધે છે તેમ તેમ મન ભારી થઈ જાય છે. ચિન્તન ભારી થઈ જાય છે, મન તૂટવા લાગે છે. ફરીથી દુર્બળતાઓ આવે છે. જેમ જેમ અવસ્થાને પરિપાક થાય છે, મન ક્ષીણ અને દુર્બળ થઈ જાય છે. પછી માનવી એને સંભાળી શકતા નથી. એકિમ જાતિ આ પરિવર્તનશીલ સંસારમાં, આજે પણ એવું પ્રતીત થઈ રહ્યું છે કે સચ્ચાઈ સમજાઈ નથી રહી, અને માનવી પદાર્થને અપરિવર્તનશીલ માનીને તેને ચીટકી રહ્યો છે. ધર્મને અર્થ છે–ત્રીજી ધારા. પદાર્થને નિષેધ નહિ, પદાર્થની પ્રતિબદ્ધતા નહિ, પરંતુ પદાર્થને માત્ર ઉપયોગ, કેવળ ઉપગ. એસિક જાતિના લેકે તેનું પ્રતીક છે. જે ધ્રુવીય પ્રદેશની યાત્રા કરે છે તે આ જાતિના લોકોના સંપર્કમાં આવે છે. એસ્કિમે ાતિના લેકે બરફના પ્રદેશમાં પ્રાપ્ત થતાં જાનવરોના વાળમાંથી બનેલાં કપડાં પહેરે છે. તે ખૂબ ગરમ હોય છે. સુંદર હોય છે. યાત્રી એના પર મુગ્ધ થઈને કપડાંની માંગણી કરે છે. તે તરત જ તે ઉતારીને આપી દે છે. કોઈએ પૂછી લીધું–આપ આટલા ઉદાર કેમ છે ? તેને જવાબ હોય છે–અમે તે કપડાંને ઉપયોગ કરી લીધો છે. હવે અમારા મનમાં તેમના પ્રત્યે કોઈ ઉત્કંઠા, આકાંક્ષા કે આકર્ષણ રહ્યું નથી. જેમણે આજ સુધી આ કપડાં પહેર્યા નથી, તેના મનમાં ઉત્કંઠા છે. અમે તેમની ઉત્કંઠા પૂરી કરીએ છીએ. અમારી તરસ છિપાઈ ચૂકી છે. તેમના મનમાં હજી પણ તરસ બાકી રહેલી છે. અમે તેમની તરસ છિપાવવી એ કર્તવ્ય માનીએ છીએ. આ એક વાત છે. બીજી વાત એ છે કે કોઈ વ્યક્તિ વસ્તુની માંગણી કરે અને અમે ન આપીએ. તે એને અર્થ એ થશે કે અમે વસ્તુના ગુલામ છીએ. હકીકતમાં આપણે ૨૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ પદાર્થના ગુલામ નથી, માલિક છીએ. જ્યારે ઈચ્છીએ ત્યારે એને ત્યાગ કરી દઈએ છીએ. બીજાને આપી દઈએ છીએ. પદાર્થોનું વિયેાજન કે પ્રાણેનું? આ વિચાર પદાર્થની પ્રતિબદ્ધતાથી ભિન્ન છે. જે માણસ પદાર્થની પ્રતિબદ્ધતામાં જીતે છે તે પદાર્થ જવાથી એને એવો અનુભવ થાય છે કે પદાર્થને વિયોગ જ નથી થઈ રહ્યો, સાથે સાથે પ્રાણને વિગ પણ થઈ રહ્યો છે. બંને એક સાથે જવા લાગે છે. કેઈ કઈવાર એવું પણ વિચારવામાં આવે છે કે પ્રાણનું વિયોજન ભલે થઈ જાય, પદાર્થનું વિજન નહિ થવું જોઈએ. આ મેટી સમસ્યા છે. મનને વિષાદ શા માટે? ખરેખર કંઈપણ આપવામાં નથી આવતું. આપવું દુર્લભ છે. લેવું સરળ છે. પદાર્થની પ્રતિબદ્ધતા એટલી તીવ્ર હોય છે કે માણસ તેને છેડી નથી શકતા. ધર્મને અર્થ છે–એક એવી નવી ધારાને ઉત્પન્ન કરવી, જેનાથી પદાર્થની પ્રતિબદ્ધતા સમાપ્ત થઈ જાય. અને પ્રતિબદ્ધતાથી પેદા થનાર માનસિક રોગ અને માનસિક વિષાદ સમાપ્ત થઈ જાય. મનને વિષાદ શા માટે પેદા થાય છે? તે પેદા થાય છે મૂછ અને આસક્તિને કારણે, તથા તેમની ઉપજીવી ઈર્ષ્યા, ઘણું વગેરે વૃત્તિઓને કારણે એસ. ટી. એચ.ને પ્રભાવ શરીરમાં એક મહત્વપૂર્ણ ગ્રંથિ છે. પિટ્યુટરી. તેના સ્ત્રાવનું નામ છેઃ એસ. ટી. એચ. આ સ્ત્રાવ ઍડ્રીનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને ત્યારે વિવિધ પ્રકારની વિકૃતિઓ પેદા થાય છે. અર્ધ અને વિષાદ પેદા થાય છે. આતુરતા અને ગ્લાનિ પેદા થાય છે. વિવિધ પ્રકારની મનોવૃત્તિઓ વિકસે છે. તે ગ્રંથિ વિકૃત થાય છે ભાવનાના લોભ દ્વારા. જ્યારે મનુષ્ય વધારે લાલચુ હોય છે, વધુ આતુર હોય છે તે તે નિમ્ન વૃત્તિઓ પેિદા થાય છે.. ધર્મ અને ગ્રંથિઓ ધર્મને અર્થ છે મંથિઓનું સંતુલન. ભાવનાઓનું સંતુલન. જ્યારે ભાવનાઓનું સંતુલન હોય છે, ભાવનાના મહાસાગરમાં કઈ તરંગ ૨૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ પેદા થતું નથી. ક્ષેભ પેદા થતો નથી, ત્યારે ગ્રંથિઓને સાવ પણ સંતુલિત રહે છે. આપણે ધર્મને સંપ્રદાયના રૂપમાં સમજ્યા છીએ. કેાઈ ધ્યાનનો અભ્યાસ કરવા કેઈની પાસે જાય છે તે પહેલો પ્રશ્ન થાય છે–તમે પ્રેક્ષાધ્યાનનો અભ્યાસ આચાર્ય તુલસી પાસે કરતા હતા–ત્યાં જાઓ. ત્યાં સર્વ કાંઈ થશે. મારી પાસે શા માટે આવો છો ? લાગે છે, લોકે ધર્મને બેટે સમજ્યા છે. ધર્મ પદાર્થની પ્રતિબદ્ધતાથી મુક્તિ અપાવનાર છે. જેમ પદાર્થની પ્રતિબદ્ધતા હોય છે, તેવી જ રીતે સંસ્કારની પ્રતિબદ્ધતા હોય છે. માન્યતાઓ અને ધારણાઓની પ્રતિબદ્ધતા હોય છે. જ્યાં સુધી આ પ્રતિબદ્ધતાઓથી મુક્તિ નથી મળતી, માનવી ધાર્મિક નથી બની શકતા. પરિવર્તનની તીવગામિતા આજે પરિવર્તનની ગતિ ખૂબ તીવ્ર છે. જે પરિવર્તને ગયાં પચાસ વર્ષોમાં થયાં, તે ગયા એક દશકમાં થઈ ગયાં. જે દસ વર્ષમાં થયાં છે તે આજે એક વર્ષમાં થાય છે. પરિવર્તનની ખૂબ ગતિ છે. કોઈ કલ્પના જ નથી કરી શકાતી કે આગલા દશકમાં શું થશે? એક પ્રોફેસર બતાવી રહ્યા હતા કે ચાળીસ વર્ષ પૂર્વે કેમેસ્ટ્રીના સિદ્ધાંત જે હું ભર્યો હતો આજે એમાં ઘણાં બધાં પરિવર્તન આવ્યાં છે. આજે મને કેમેસ્ટ્રીની પરીક્ષામાં બેસાડવામાં આવે તે હું કદી પાસ નહિ થઈ શકું. ચાળીસ વર્ષનો સમય લાંબે હોય છે. આજે વિજ્ઞાન એટલું ગતિશીલ છે કે સવારે જે સિદ્ધાંત પ્રતિપાદિત થાય છે. સાંજ થતા થતા નવી શોધને આધારે તે બદલાઈ જાય છે. સવારને સિદ્ધાંત સાંજે જૂને પડી જાય છે. જીનેટિક સાયન્સમાં જે નવી શોધ થઈ રહી છે તેના આધારે એ કલ્પના કરી શકાય કે આજે બજારમાં જેમ ઘી, તેલ, લોટ મળે છે. કપડાં અને દવાઓ મળે છે, તેવી જ રીતે વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં છોકરા-છોકરીઓ મળશે. વૈજ્ઞાનિક પૂછશે –કેવો છોકરો જોઈએ છે? દાર્શનિક કે સાહિત્યકાર કે વિજ્ઞાનિક ? જેવું બાળક જોઈએ તેવું ઉત્પત્તિ બીજ-જીન મળશે અને તેવું જ બાળક ઉત્પન્ન થશે. આ કઈ કલ્પના નથી. આજે એ શક્ય બની રહ્યું છે. ૨૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ યુનિ પ્રભુત એક પ્રાચીન પ્રસંગ છે. આચાર્ય પિતાના શિષ્યોને એક ગ્રંથનું અધ્યાપન કરાવી રહ્યા હતાં તે ગ્રંથનું નામ હતું–ોનિ પ્રાભૂત. ખૂબ અદ્દભુત ગ્રંથ. તેમાં બધા પ્રકારના જીવ અને અજીવ પદાર્થોની નિનું નિરૂપણ છે. વિભિન્ન રાસાયણિક સંયોગથી જીવ અને અજીની નિર્માણ પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ગ્રંથ શીખવવાને સમય પણ વિચિત્ર છે. તેનું એકાંતમાં અધ્યાપન કરાવવામાં આવે છે. જ્યારે રાત્રે બાર વાગ્યે બધા લેકે સૂઈ જાય ત્યારે તેની વાચને આપવામાં આવે છે, જેથી કોઈ વ્યક્તિ તેનો દુરુપયોગ ન કરે. આચાર્ય ભણાવી રહ્યા હતા. શિષ્યો ભણી રહ્યા હતા. તે વખતે પાડાના ઉત્પાદનનું વિવરણ ચાલી રહ્યું હતું. એક વ્યક્તિ ચેરી છૂપીથી બધું વિવરણ, સમગ્ર પ્રક્રિયા ધ્યાનપૂર્વક સાંભળી રહી હતી. આચાર્યને એની ઉપસ્થિતિનો ખ્યાલ ન આવ્યું. તેઓ ભણાવતા જ રહ્યા. તેણે એકચિત્તે બધું જ સાંભળી લીધું. વાચના પૂરી થઈ. તે ઘેર ગયે. સાંભળેલી પ્રક્રિયા પ્રમાણે તેણે પ્રયોગ કર્યો. જોતજોતામાં પાડો તૈયાર થઈ ગયો. સંપૂર્ણ યુવાન. તેણે પાડાને વેપાર શરૂ કરી દીધો. રોજ પાડા બનાવો અને વેચતો. તે ઘણું ધન કમાયે. ગામમાં ચર્ચા થવા લાગી કે આટલા પાડા ક્યાંથી આવે છે. આચાર્ય સુધી આ વાત પહોંચી ગઈ. તેમણે મનમાં જાણું લીધું કે કોઈએ આ પ્રકરણ ચોરી છૂપીથી સાંભળી લીધું છે, અને તે કહેવાયેલી વિધિ પ્રમાણે પાડાનું નિર્માણ કરી રહ્યું છે. આચાર્યો તે વ્યક્તિને બોલાવી. પૂછયું. તેણે સાચી વાત બતાવી દીધી. આચાર્યે કહ્યું કે એનાથી પણ એક વધુ ઉપયોગી વિદ્યા છે. તે છે રત્નનિર્માણની અને સ્વર્ણ-નિર્માણની વિદ્યા. તમે એ વિદ્યા સાંભળે અને પછી પ્રગ કરે. ધનકુબેર બની જશો. તેણે બધાં સાધન મંગાવ્યાં. પ્રક્રિયા મુજબ બધાં રસાયણેનું નિર્માણ કર્યું. તેમાંથી એક ભયંકર સર્પનું નિર્માણ થયું અને તે સર્વે પ્રોક્તાને ડંખ દીધો. તે તરત જ મૃત્યુ પામે. અને સર્પ પણ મૃત્યુ પામે. આ બનેલી ઘટના છે, કાલ્પનિક કથા નથી. એવી રીતે આજનું વિજ્ઞાન જે ઇચ્છિત ઉત્પાદનને વિકાસ કરી રહ્યું છે, તે માટે પણ આ અસંભવ નથી. ૨૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ચતુર શરણનું મહત્વ આટલું બધું બદલાઈ રહ્યું છે. અનેક ધારાઓ બદલાઈ ચૂકી છે, બદલાઈ રહી છે. પરંતુ પદાર્થ પ્રતિબદ્ધતાની ધારા હજી બદલાઈ નથી. જ્યાં સુધી ધર્મના શરણમાં જવાની વાત સમજમાં નથી આવતી, ત્યાં સુધી આ ધારા નથી બદલી શકાતી. હું સંપ્રદાયના શરણમાં જવાનું નથી કહી રહ્યો. હું ધર્મના શરણમાં જવાની વાત કરી રહ્યો છું. જૈન પરંપરામાં ચતુઃ શરણ ખૂબ પ્રસિદ્ધ છે. अरहंते सरणं पवज्जामि । સિદ્ધ સરળ vasણીમ साहू सरणं पवज्जामि । વપિન્નૉ ઘ— સU garMામ ! એમના શરણમાં જવું ખૂબ જરૂરી છે. પદાર્થોના શરણમાં જઈને સમગ્ર માનવજાતિએ પરિણામોનું અધ્યયન કરી લીધું, તેને ભેળવી લીધું. તે પરિણામોથી એ કંટાળી ગયા છે. હવે તે ધર્મનાં શરણમાં જઈને તેનાં પરિણામોને અનુભવ કરવા ઈચ્છે છે. તે સંયમ તરફ વળવા ઈચ્છે છે. પદાર્થોનું સમ્યફ નિયોજન અને પદાર્થોના સમ્યફ નિયોજનની પ્રક્રિયા જાણવા ઈચ્છે છે. પદાર્થોનું સમ્યફ નિયોજન ઘણું જરૂરી હોય છે, નહિ તે–સંયમ ફલિત થતું નથી. પદાર્થનું સમ્યમ્ નિયંજન હિન્દુ વિશ્વવિદ્યાલયના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. માલવીયજી એક શેઠના ઘરે ફાળે માંગવા ગયા. શેઠે તેમને આતિથ્ય સત્કાર કર્યો. આમતેમની વાતો થઈ રહી હતી. માલવીયજીએ જોયું કે શેઠને એક નાને છોકરો રમી રહ્યો છે. તેના હાથમાં દીવાસળી છે. રમતા રમતા છોકરાએ એક દીવાસળી સળગાવી અને ત્યાં પડેલા લાકડીના એક ટુકડાને સળગાવી દીધો. લાકડું બળવા લાગ્યું. શેઠ ઊઠયા. છોકરા પાસે ગયા અને એક તમાચો લગાવી દીધો. છોકરાના ગાલ લાલ થઈ ગયા. શેઠ આવીને માલવીયજી સાથે વાત કરવા લાગી ગયા. માલવીયજીએ કહ્યું : હું જઈ રહ્યો છું, નમસ્કાર. શેઠ બોલ્યા : આપે અહીં આવવાનું પ્રયેાજન નહિ બતાવ્યું. કંઈપણ જણાવ્યા વગર ચાલ્યા જાઓ છે. એમ કેમ? માલવીયજી બોલ્યા : આવ્યો હતો ફાળો લેવા માટે. પણ ૨૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ તમારી કંજુસાઈ જોઈને દંગ રહી ગયા. એક લાકડીના ટુકડાને ખાળી નાખવાથી જે વ્યક્તિ પેાતાના પુત્રને બેરહમ માર મારે છે તે શું ફાળા આપશે. હું જઈ રહ્યો છું. શેઠે સ્મિતપૂર્ણાંક કહ્યું : બેસે, આપને ફાળા આપું છું. તેમણે તરત જ પચાસ હારના ચેક માલવીયજીને આપી દીધેા. પચાસ હજાર રૂપિયાના ચેક જોઈને માલવીયજી આશ્ચ ચકિત થઈ ગયા. આ શું? આમ કેવી રીતે બન્યું? તે પેાતાના વિકલ્પે!માં જ અટવાઈ ગયા. રહસ્ય સમજમાં ન આવ્યું કે લાકડીના ટુકડા માટે બાળકને મારનાર માગ્યા વગર પચાસ હજાર આપી દે. એ કેવી રીતે ખની શકે? શેઠે મૌનભંગ કરતા કહ્યું : માલવીયજી હું વાણિયા છું, વેપારી છું. વ્યનું નુકસાન હું સહી નથી શકતા. થાડા નુકસાનને સહન કરવું પણ મૂર્ખતા છે. પ્રયેાજનના પ્રસંગેામાં જ ઉદારતા બતાવી શકાય છે. અપ્રયેાજનમાં ઉદારતાના પ્રશ્ન જ નથી ઊઠતા. ત્યાં સયમની વાત પ્રાપ્ત થાય છે. ખાટા ખર્ચ કરવામાં આપણે સંયમ રાખવેા જોઈએ, જ્યાં ખર્ચ સાર્થક હેાય ત્યાં પચાસ હજાર તા શું દસ લાખને ખર્ચ પણ કરી શકાય છે. માલવીયજીને એક બેાધપાડ મળ્યા. આ છે પદાર્થના સમ્યક્ નિયેાજનની વાત. માણસ પેાતાના પ્રસંગમાં ખૂબ ઉદાર રહે છે, જ્યાં પેાતાને માટે ખ કરવાને પ્રશ્ન આવે છે ત્યાં સાર્થ અને વ્યને ગૌણુ કરીને લાખા રૂપિયા પાણીની જેમ ખર્ચી નાખે છે. ત્યાં મુખ્ય હેાય છે પેાતાની બડાઈ, પેાતાની ધનાઢયતાનું પ્રદર્શન. ત્યાં ઉપયાગતા ગૌણ થઈ જાય છે. ઉપયેાગિતા માટે બે ચાર હાર આપવાની વાત પણ તેને મુશ્કેલ લાગે છે. તે કહી દે છે. આ વર્ષે ધરમાં એટલા પ્રસંગેા એક સાથે આવી ગયા કે ખર્ચ ખૂબ થઈ ગયા. હવે બજેટ બાકી નથી. પદાર્થના સમ્યક્ નિયેાજનની વાત આજે મુશ્કેલ બની રહી છે. એનું કારણુ છે—પદાની પ્રતિબદ્ધતા, પદ્મા નામેાહુ અને પદાર્થની મૂર્છા. વ્યક્તિગત સયંમ ધર્મનાં શરણનું વાસ્તવિક સૂત્ર આ છે—શુદ્ધ સાધના દ્વારા વ્યક્તિ ગમે તેટલું પ્રાપ્ત કરે પણ વ્યક્તિગત જીવનમાં તે સંયમનું પાલન કરે. શ્રાવકનું એક વ્રત છે—ભેગાપભાગપરિમાણુ. આનંદ શ્રાવક અબજપતિ હતા. તેની પાસે અપાર ધન હતું. ખૂબ મેટા વેપાર ચાલતા હતા. Jain Educationa International ૨૨૨ For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ આવક અને ખર્ચ પણ તે જ પ્રમાણમાં હતાં. પરંતુ આનંદ વ્યક્તિગત જીવનમાં ખૂબ સંયમી હતો. શરીર નિર્વાહ માટે તે અપતમ સાધનો જ ઉપગમાં લે. પહેરવાનાં કપડાંનું પરિમાણ, ખાવાપીવાની વસ્તુઓનું પરિમાણ, યાતાયાતનું (જવા-આવવાનું) પરિમાણ, કંઈ કેટલાંયે પરિમાણુ કરી રાખ્યાં હતાં, તે ધનકુબેરે. તેનું વ્યક્તિગત જીવન ખૂબ સંયમિત હતું. સાધન સામગ્રીની પ્રચુરતા અને સુલભતા હોવા છતાં પણ તે એને અલ્પતમ ઉપયોગ કરતા હતા. તેટલો જ ઉપયોગ કરતો એટલે જીવનનિર્વાહ માટે અત્યંત જરૂરી હતો. એક તરફ વ્યક્તિગત જીવનમાં આટલો સંયમ, બીજી તરફ અપાર સંપત્તિ. કે વિચિત્ર ગ! યથાર્થ ગ! કંજૂસની મનઃસ્થિતિ આજે મનુષ્ય આનાથી વિપરીત રીતે ચાલી રહ્યો છે. તે ધન અજિત કરે છે, અને પિતાના જીવન માટે વધારે ને વધારે તેને વ્યય કરે છે. પિતાની સુખ-સુવિધા માટે વ્યય કરતાં કદી ખંચકાતો નથી. પરંતુ જ્યાં સ્વને પ્રશ્ન નથી હોતો, પર પ્રશ્ન આવે છે, ત્યાં તે કૃપણું બની જાય છે. મુઠ્ઠી બાંધી દે છે, એક પૈસે આપો પણ તેને મુશ્કેલ કામ લાગે છે. એક કંજૂસ હતા. ઘરે મહેમાન આવ્યા. તે પિતાની મુઠ્ઠીમાં એક રૂપિયો લઈને શાકભાજી લેવા બજારમાં ગયો. માલણ પાસે પહોંચ્યો. શાકભાજીના ભાવ નક્કી કર્યા. માલણ શાકભાજી તાલવા લાગી. શેઠે મુઠ્ઠી ખેલી. તે પસીનાથી તરબતર હતી. પરસેવો ટપકી રહ્યો હતો. તેણે રૂપિયાને સંબોધન કરીને કહ્યું ઃ યારા દોસ્ત! તું મારાથી દૂર થવા નથી ઈચ્છતા, વિયેગની સ્થિતિમાં તું રડી રહ્યો છે. રડ નહિ, હું તને છોડીશ નહિ. શેઠે ફરીથી મુઠ્ઠી બાંધી અને શાકભાજી લીધા વગર ઘરે આવી ગયો. પારકા માટે ખર્ચ કરવાની આ માનસિક સ્થિતિ છે. નવા યુગનું સૂત્ર ધર્મ સરણં ગચ્છામિ'–આ નવી યુગધારાનું મહત્વપૂર્ણ સૂત્ર છે. આ જૂની ભાષામાં નિબદ્ધ છે, પણ શાશ્વત–સત્યનું પ્રતિપાદન કરનાર સૂત્ર છે. આપણે ધર્મની પ્રચલિત ધારણાને બદલીએ. ધર્મને પિતાનાથી ભિન્ન ન માનીએ. આપણે ધર્મને પિતાનાથી ભિન્ન માનીએ ૨૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ છીએ. આપણી ધારણાઓ ધર્મ સાથે જોડાઈ નથી. આપણી ધારણ પિતાને બદલવાની સાથે જોડાયેલી નથી. મૂછને ઓછી કરવી, સંસકાર બદલવા, આદતો બદલવી, ધારણાઓમાં પરિવર્તન લાવવું–આ આપણે ધર્મનું કાર્ય નથી માન્યું. આપણે ધર્મનું નાનું મોટું કામ માની રાખ્યું છે. ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા, પ્રણામ કરી લેવા, ભક્તિ કરવી, યાચના કરવી. બસ, ધર્મનું કાર્ય સમાપ્ત. એવું કરનાર ધર્મના શરણમાં નથી જતા, પરંતુ યાચના, કામનાનાં શરણમાં જાગ છે. માણસ કામનાને લીધે જ ધર્મ કરે છે. અને કામનાની પૂર્તિ થતાં ધર્મનાં ગુણગાન કરે છે. તથા કામનાની પૂર્તિ ન થતા ધર્મની નિન્દા કરતા સંકોચ અનુભવ નથી કરતો. ત્યારે તે ભગવાનને પણ ગાળ દે છે. ગુરુને પણ ગાળ દે છે. તેમની અવમાનના કરે છે. આ વૈજ્ઞાનિક યુગમાં બધી ધારણાઓ બદલાઈ રહી છે. વિજ્ઞાન મિથા માન્યતાઓ અને અંધવિશ્વાસ પર પ્રહાર કરી રહ્યું છે. જે આ સમયે પણ ધર્મના આચાર્યો અને ગુરુઓએ ધર્મના વિષયમાં નવું ચિંતન અને નવા પ્રયોગ નહિ કર્યા તે “ધર્મ સર રજિ ” વાળી વાત વિસ્મૃત થઈ જશે. માત્ર “gવાર્થ સરળ છામિ' વાળી વાત યાદ રહેશે. મનુષ્ય મને વિષાદથી ગ્રસ્ત થઈ જશે. આજે પરિવર્તનની ગતિ કેટલી તીવ્ર છે, તેને સમજવી જોઈશે. એક માર્મિક વ્યંગ છે. એક મહિલા કીમતી સાડી પહેરીને જઈ રહી હતી. સામે તેની એક સાહેલી મળી. કીમતી વેશભૂષા જેઈને તેણે પૂછયું–અરે, લાગે છે કે તારા પતિને સારી કરી મળી ગઈ છે ? તે બેલી–મારા પતિને સારી નોકરી નથી મળી, પરંતુ મને સારો પતિ મળી ગયો છે. કેવી મર્મની વાત છે. જૂની ભાષામાં પૂછી શકાય છે કે તમારા પતિને સારી નોકરી મળી ગઈ હશે, પરંતુ આ છૂટાછેડાના યુગમાં જ્યાં સવારે લગ્ન અને સાંજે છૂટાછેડા હોય છે, ત્યાં એ જ વાત હોઈ શકે છે કે મને સારો પતિ મળી ગયો. જ્યાં આટલી કુતગતિએ પરિવર્તન થઈ રહ્યું છે ત્યાં જે ધર્મની ધારણમાં પરિવર્તન નહિ આવ્યું તે મુશ્કેલી પડશે. ૨૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ધારણા–પરિવર્તનની પ્રક્રિયા પ્રેક્ષા-ધ્યાનનો પ્રયોગ ધારણ પરિવર્તનને પ્રગ છે. આ ધર્મની નવી ધારણ કરવાને પ્રગ છે. જૂની ધારણા તૂટે નહિ. નવી ધારણ નિર્મિત થાય. ૦ ધર્મને અર્થ છે–ચિત્તની એકાગ્રતા. ૦ ધર્મને અર્થ છે–ચિત્તની નિર્મળતા. ૦ ધર્મને અર્થ છે-ચિત્ત પર ચઢેલા મૂછના મેલનું શેાધન. ૦ ધર્મને અર્થ છે –સત્યની શોધ. ૦ ધર્મને અર્થ છે—બધા પ્રત્યે મૈત્રીભાવને વિકાસ. સમન્વયને વિકાસ. ૦ ધર્મને અર્થ છે–સમસ્ત માનસિક વિકૃતિઓથી મુક્તિ. છમ' નું યથાર્થ પાલન કરનાર વ્યક્તિ કદી માનસિક વિકારથી ગ્રસ્ત નથી થઈ શકતી. તે યથાર્થ માં માનસિક શાંતિ પ્રાપ્ત કરે છે. ધર્મ મને ચિકિત્સાનું સૂત્ર છે આજે અનેક સંસ્થાન છે. પ્રત્યેક સંસ્થાન સાથે-માનસિક ચિકિત્સાન વિભાગ જોડાયેલો રહે છે. એક મન ચિકિત્સક હોય છે અને તે સંસ્થાનના કર્મચારીઓની–વખતેવખત મનસુ ચિકિત્સા, કરે છે. માનસિક ચિકિત્સાને આ ઇતિહાસ ઘણે પ્રાચીન નથી. તે અર્વાચીન છે. પરંતુ ધર્મને પ્રયોગ જે મન ચિકિત્સાને પ્રયોગ છે. તે ઘણો જૂને છે. હજારો-હજારો વર્ષોથી હજારે-હુજારે ધર્મના સાધકે, અધ્યાત્મના આરાધકેએ અનેક પ્રયોગો કર્યા, સૂત્રે ખળ્યાં અને અનેક રહસ્યનું ઉદ્દઘાટન કર્યું. આજે જે તે પ્રયોગોનો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ લાભ થઈ શકે છે. તેનાથી માત્ર મનોરોગીને જ લાભ નહિ થાય કે મનશ્ચિકિત્સક પણ લાભાન્વિત થશે. હુ લાભાન્વિત થઈ - હમણું દિલ્હી પ્રવાસમાં એક આયોજન કરવામાં આવ્યું. તેને વિષય હતો-ન્યુ એન્ડોક્રિન સિસ્ટમ અને મેડિટેશન. તેમાં અનેક વિશિષ્ટ ચિકિત્સકે અને તે વિદ્યાના પ્રોફેસરોએ ભાગ લીધો. “એલઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટીટયુટ દિલ્હીએ પોતાના મનશ્ચિકિત્સક લેડી મ - ૧૫ ૨૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ઠેક્ટર શકુન્તલા દુબેને તે આયોજનમાં ભાગ લેવા મોકલ્યા. કાર્યક્રમ ચાલ્યો, પ્રવચન અને પ્રશ્નોત્તર થયા. લેડી ડોકટરે એક દિવસ એક પત્ર મોકલ્યા. તેમણે લખ્યું હતું ? મેં સેમિનારમાં ભાગ લીધો. હું ખૂબ લાભાન્વિત થઈ. હું ખુદ મનશ્ચિકિત્સક છું. અનેક રોગીઓને મેં સ્વસ્થ કર્યા છે; પરંતુ હું સ્વયં માનસિક તાણથી ગ્રસ્ત રહું છું. મેં સેમિનારમાં બતાવેલા પ્રયોગો કર્યા છે. તે સફળ સિદ્ધ થયા. મારી માનસિક તાણ ઘટી. ઊંઘ સુખદ થઈ છે. મને પત્ર વાંચીને આશ્ચર્ય થયું કે જે બીજા રોગીઓની માનસિક ચિકિત્સા કરે છે, તે મને ચિકિત્સક સ્વયં માનસિક તાણથી ગ્રસ્ત હોય તો જે પાછું આગને બુઝાવનાર છે, તેમાં જ જાણે આગ લાગી ગઈ હોય. એક સાધુ કે ધર્મની આરાધના કરનાર કોઈ ગૃહસ્થ જે માનસિક તાણથી પીડાતા હોય તો એવું થશે કે જે સૂર્યનાં કિરણો પ્રકાશ ફેલાવે છે, તે અંધકાર ફેલાવી રહ્યા છે. પ્રત્યેક કિરણથી અંધકાર ફેલાય છે. આ કેવી રીતે સંભવ હોઈ શકે ? ધર્મના આચાર્યોએ અને અધ્યાત્મના સાધકોએ માનસિક મેલને સાફ કરનાર, મનને શક્તિશાળી બનાવનાર સેંકડો-સેંકડે ઉપાય વિકસિત કર્યા છે. તે બધા ઉપાયના સંદર્ભમાં હું એ દઢતાપૂર્વક કહેવા ઈચ્છું છું કે “ધ કર છfમ” એક સુવર્ણ સૂત્ર છે—મનની નિર્મળતા લાવવા માટે. બધા ધર્મની શરણમાં જઈએ અને તેની યથાર્થતાને હૃદયંગમ કરીને જીવનમાં તેનો ઉપયોગ કરીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૬ મનની પ્રાકૃતિક ચિકિત્સા Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ प्रपथन:8 સંકેતિકા १ भव मांहै भमते, ऊँधी श्रद्धा धारी । मिथ्या मत सेव्यो, ते निन्दूं इह बारी ॥ २ वलि ऊँधी परूपी, घाली ओरां रै शंक । सगलां री साख सं. ते निन्दं तज बंक॥ ३ पंच आश्रव सेट्या, कीधी च्यार कषाय । सहु सारखे निन्दूं, दुर्गति हेतू ताय ॥ ४ वीतराग नो मारग, मैं ढांक्यो किह बार । प्रगट कियो कुमारग, ते निन्दू धर प्यार ॥ ५ ज्ञान दर्शन चारित्र तप भला, भव-दधि मांहि जिहाज । सम्यक प्रकारे सेविया, ते अनुमोदूं आज ॥ ६ अरिहंत सिद्ध ने आयरिया. उवज्झाया अणगार । तसु नमस्कार वंदना करी, ते अनुमोदूं सार ॥ ७ सूत्र सज्झाय कीधी बली ध्यायो वारू ध्यान । जती धर्म दश विच धयूं, ते अनुमोदूं जान ॥ (आराधना ६/१, २, ५ ६; ७/१, ५, ४) તર્ક ભયંકર રોગ છે. તેનાથી મુક્તિ મેળવવાને એક માત્ર ઉપાય છે–પ્રાકૃતિક ચિકિત્સા. 0 प्रति यिसि छ ० पोताना तिन कुमा. (पांयो) ० पोताना मायने मा. (वायो) ० अथे। पांयवानुम५ ४२।. ૦ પોતાની પ્રકૃતિની સમીક્ષા કરે-જે સારું નથી તે વિજાતીયની અવહેલના અને સારાનું સમર્થન કરો. 1 શ્લેષ્માહીન આહારની ઉપયોગિતા 0 यंत्रानु प्रथम मस्तित्व-सा मे छ। छे. 0 विति ५५ प्रति. 0 આરાધનાની ચેતના જાગે. २२८ Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ મનની પ્રાકૃતિક ચિકિત્સા પિત-પતાનું મૂલ્ય ઉપાદાન ખૂબ મૂલ્યવાન હોય છે. પણ નિમિત્તનું મૂલ્ય પણ ઓછું નથી હોતું. મોસમ સોહામણું છે. પ્રકૃતિ પુલકિત થઈ રહી છે. સંપૂર્ણ આકાશ વાદળોથી આચ્છન છે. સમગ્ર ધરતી શસ્ય-શ્યામલા છે. ચારે બાજુ હરિયાળી જ હરિયાળી છે. આકાશમાંથી એક નવી આભા. ભૂમિ પર ઊતરી રહી છે. દ્રવ્યનું પોતાનું મૂલ્ય હોય છે. ક્ષેત્રનું પિતાનું મૂલ્ય, કાળનું પિતાનું મૂલ્ય હોય છે. અને બદલાતી અવસ્થાઓનું પિતાનું મૂલ્ય હોય છે. આપણે કોઈ એક મૂલ્યમાં બંધાયેલા નથી રહી શકતા. આપણે કોઈ એક જ આગ્રહની જેલના કેદી નથી થઈ શક્તા. પણ કઈ કઈવાર માણસ આગ્રહી બની જાય છે. આગ્રહી વ્યક્તિ સમગ્રતાની ભવ્યતાથી વંચિત થઈને એક બિન્દુમાં પિતાની દૃષ્ટિને નિજિત કરીને પ્રકૃતિની મેહકતાથી સ્વયં વંચિત રહી જાય છે. તકની પણ મર્યાદા છે. તર્ક આપણું જીવનનું એવું જ એક બિન્દુ છે, જે વ્યક્તિને સમષ્ટિથી કાપીને વિચ્છિન કરીને તેને એકાંગિતાના ઊંડા ખાડામાં ફેંકી એક તર્કશાસ્ત્રીએ કહ્યું કે હું ચિકિત્સા ચાહું છું. તર્ક કરવાની મારી આદત ખૂબ વધી ગઈ છે. આદતની જટિલતાએ હવે વ્યવહારને સ્પર્શવાનો પણ પ્રારંભ કરી દીધો છે. હું વ્યવહારમાં પણ ખૂબ તર્ક તર્કની પણ સીમા છે. વકીલ ન્યાયાધીશની સમક્ષ તર્ક કરે છે. એ વાત સમજમાં આવી શકે છે. પણ તે પત્નીની સાથે પણ તર્ક કરવા લાગે તો ગૃહજીવન જટિલ બની જાય છે. તે પૂછે છે : આજે રોટલી કેમ બનાવી? પત્ની કહે છે : રોટલી નહિ બનાવું તો શું બનાવું? વકીલ કહે છે : હું બીજું સાંભળવા નથી ઈચ્છતે. મને તું એ સમજાવ કે આજે રોટલી કેમ બનાવી? હવે બિચારી પત્ની તેને કેવી રીતે સમજવે. આ તર્કનો વિષય નથી. પાણી પીતા તર્ક કરવા લાગે, પરસ્પરના બધા વ્યવહારમાં તર્ક કરવા લાગે તે ન્યાયાલય ચલાવી શકાય છે, પણ ઘર ૨૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ નથી ચાલી શકતુ. તે વેરાન થઈ જાય છે. તે કજિયાનું ધર બની જાય છે. વ્યવહાર તર્કનું ક્ષેત્ર નથી. સત્યની શોધ પણ તનુ ક્ષેત્ર નથી. તનુ ક્ષેત્ર તે જ હાય છે, જ્યાં બે મત હેાય છે. જ્યાં મતદૂત હાય છે ત્યાં એકમતની પસંદગીના પ્રશ્ન ઊઠે છે. તે પ્રશ્નનું સમાધાન ત દ્વારા જ થઈ શકે છે. ત્યાં તર્કના પૂરા ઉપયોગ થાય છે. તર્ક: એક ભયકર રાગ ત કરતા કરતા તે તાર્કિકે કહ્યું : તર્ક કરવાની આદતની જટિલતા એટલી વધી ગઈ છે કે હુ` પેાતાની પ્રત્યેક વાતનુ સમર્થન કરું છું. અને ખીજાની પ્રત્યેક વાતનું, પ્રત્યેક પ્રવૃત્તિનું ખંડન કરું છું. જટિલતાની સીમાનું આ જ બિન્દુ નથી. તે હજી આગળ છે. હું જે વાતનું સમર્થાંન કરું છું તે જ વાત જો કાઈ ખીજો કહે છે તેા એનુ પણ ખંડન કરી ઉં છું. એવુ થાય છે. આ તર્કની જટિલતા છે. એક તાર્કિક હતા. તેણે પોતાની વાત મૂકી. ઢાઈ ખીજી વ્યક્તિએ તે જ વાત દોહરાવી. તે તાર્કિક ઊંચો અને તરત જ તેનું ખંડન કરવા લાગી ગયા. તે ખંડન સાંભળીને તે વ્યક્તિએ કહ્યું : તાર્કિક મહેાદય, હું તમારી પાસેથી તે! આ ત શીખ્યા હતા, તમે એનુ ખ'ડન કરી છે? તાર્કિક ખેલ્યા : હું એ જાણતા નથી. હું તેા એટલું જ જાણું છુ કે ખીજુ કાઈ કંઈપણ કહે, તેનું મારે ખંડન કરી દેવાનું છે. ભલે તે વાત પહેલાં મેં પ્રસ્તુત કરી હેાય, એનું મને કાઈ પ્રયેાજન નથી. તમે જે કાંઈ કહેા છેા, તેનું ખડડન કરવુ. એ મારા ધર્મ છે. આ આદતની લાચારી છે. તાર્કિક ખેલ્યા : મારી આદત એટલે સુધી બગડી ગઈ છે. મેં અનેક ઉપાયા કર્યા. ચિકિત્સા પણ કરાવી. મનની િિકત્સા કરી, અનેક પ્રકારની દવાએ લીધી. અને ઉપચાર પણ કર્યા. પણ કાઈ ઉપાય સફળ નીવડયો નહિ, બધું વ્યર્થ, હું પરેશાન છું. હું જ નહિ મારે। સમગ્ર પરિવાર, મારા "ધા સ્વજને પરેશાન છે. આ પરેશાનીથી હું છુટકારા ઇચ્છું છું. આપ ઉપાય બતાવા. પ્રાકૃતિક ચિકિત્સા પ્રકૃતિનું વિશ્લેષણ છે મેં કહ્યું : તમે હવે પ્રાકૃતિક ચિકિત્સા કરાવેા. જ્યારે માણસ બધી ચિકિત્સા પદ્ધતિએના શરણમાં જઈને પણ ખીમારીથી મુક્તિ પ્રાપ્ત નથી કરતા, બધી પેથીએ'ની પાસે ભટકી આવે છે પછી તે નૅચરાપેથી' Jain Educationa International ૨૩૦ For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ —પ્રાકૃતિક ચિકિત્સાના શરણમાં જાય છે, તમે પણ હવે પ્રાકૃતિક ચિકિત્સાનું શરણુ લેા, જેથી ખીમારી મટી જાય. તેણે પૂછ્યું : પ્રાકૃતિક ચિકિત્સા કેવી રીતે થઈ શકે છે? મેં કહ્યું : તમે તમારી પ્રકૃતિને વાંચા, તેની સમીક્ષા કરી. તેનુ પૂરેપૂરું વિશ્લેષણ કરા. ખીજા શબ્દમાં, સ્વયંને વાંચેા. સ્વયંની સમીક્ષા કરા. સ્વયંનું વિશ્લેષણ કરે. ખીજાનું નહિ, સ્વયંનું. ખીજાનુ' ખ’ડન નહિં. સ્વયંની પ્રકૃતિનું ખંડન કરે.. જે વિજાતીય તત્ત્વ પેાતાની પ્રકૃતિમાં ઘૂસી આવ્યા છે, તેનું ખંડન કરે. અને જે પેાતાની શુદ્ધ પ્રકૃતિ છે તેમાં અવસ્થિત રહેા. આજે ચિકિત્સાનું વિજ્ઞાન ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. હવે પ્રાકૃતિક ચિકિત્સામાં પણ એમ નથી મનાતુ` કે માટી, પાણી, બાષ્પસ્નાનઅને ધૂપ-સ્નાન (સૂર્ય સ્નાન—તડકાસ્નાન) જ ચિકિત્સા માટે પર્યાપ્ત છે. તેઓ એ પણ માનવા લાગ્યા છે કે જ્યાં સુધી આહારની ચિકિત્સા નહિ થશે ત્યાં સુધી માટી અને પાણીની ચિકિત્સા પણ નકામી બની જશે. શ્રેમાહીત આહારની ઉપયેાગિતા ડૅાકટર અરનાલ્ડ ટ્રાવિસ્કીએ એક પુસ્તક લખ્યું છે‘આહાર ચિકિત્સા,' તેમાં તેમણે એ પ્રતિપાદિત કર્યું છે કે જ્યાં સુધી આહાર શ્લેષમાહીન નહિં થશે ત્યાં સુધી પ્રાકૃતિક ચિકિત્સાનાં બધાં સાધને પૂરે લાભ નહિ પહોંચાડી શકશે. માટી, પાણી અને તાપને ઉપચાર કરવા છતાં પણ સ્થાયી લાભ નહિ થશે. કેમ કે આપવામાં આવેલે આહાર એક તરફ ખીમારીને વધારશે, ખીજી તરફ તેની ચિકિત્સા ચાલશે તેા એક વાર રાગનું શમન થશે. પર ંતુ તેનું નિરાકરણ નહિ થશે. રાગનાં નિરાકરણ માટે આવશ્યક છે કે મૂળ આહારને બદલવામાં આવે. શ્લેષ્માહીન આહારનું નિરંતર સેવન ખૂબ મુશ્કેલ વાત છે. અમ્લતા વધારનાર આહારનું પરિવર્તન કેવી રીતે સંભવ થઈ શકે છે? ફળ અને પત્રશાક —આ બે એવાં છે જે શ્લેષ્માહીન આહારમાં પરિગતિ થાય છે. અનાજ પણ શ્લેષ્માને વધારે છે અને દૂધ પણ શ્લેષ્મા વધારે છે. બધા પ્રકારનાં ભાજન શ્લેષ્માવક હાય છે. ફક્ત ખાટાં ફળ અને પત્રશાક શ્લેષ્માને વધારતા નથી. આ સત્ય છે. એનેા અસ્વીકાર નહિ કરી શકાય. Jain Educationa International ૨૩૧ For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ મનની પ્રાકૃતિક ચિકિત્સાની વાત પણ એવી જ છે. ખૂબ ઓછી વાતો આપણી સમક્ષ બાકી રહી જાય છે. પછી તક માટે કોઈ અવકાશ નથી રહેતો. પોતાની પ્રકૃતિને જોવી, પિતાની પ્રકૃતિમાં રહેવું, પ્રાકૃતિક ભોજન કરવું, પ્રકૃતિની સ્થિતિમાં રહેવું ખૂબ મુશ્કેલ છે. પતાના દુષ્કતની નિંદા અને સુકૃતની પ્રશંસા જાચાર્યે આરાધનામાં બે વાત બતાવી. પિતાના દુષ્કૃતની નિંદા અને પોતાના સુકતનું અનુમોદન. આ પ્રકૃતિ પ્રવાસ છે, પ્રકૃતિમાં રહેવાના ઉપાય છે. ન કોઈનું સમર્થન, ન કેઈનું ખંડન. બીજાનું સમર્થન નહિ, બીજાનું ખંડન નહિ. પિતાનું સમર્થન પણ નહિ, પિતાનું ખંડન પણ નહિ. પિતાનું પણ ખંડન, બીજાનું પણ ખંડન. પિતાનું પણ સમર્થન, બીજાનું પણ સમર્થન. તે માત્ર દુષ્કતનું ખંડન કરે છે, પછી ભલે તે પિતાનું હોય કે પરાયું હોય. તે માત્ર સુકૃતનું સમર્થન કરે છે, પછી ભલે તે પિતાનું હોય કે પરાયું હેાય. સમર્થન અને અનમેદનમાં કઈ મુશ્કેલી નથી. કેમ કે આ બધું પ્રકૃતિના સ્તર પર હોય છે તે વિજાતીય તત્વને બહાર કાઢવા અને નવેસરથી તેને પ્રવેશ રોકવાનો ઉપાય છે. ઉખળ અને મૂસળને ઉપયોગ જ્યાચાર્યની આરાધનાના માધ્યમથી સાધક કહે છે: “મેં મંત્રાને પ્રયોગ કર્યો છે, ઊખળ અને મૂસળને પ્રયોગ કર્યો છે. હું આ કાર્યની નિદા કરું છું.' આ વાત કંઈક વિચિત્ર જેવી લાગે છે. આજના યાંત્રિક યુગમાં આ કૃતિ (આરાધના)ને વાંચનારના મનમાં શી પ્રતિક્રિયા થશે. તે શું–કેવી રીતે સમજશે? આજે આ સંસારમાં એક તરફ જ્યાં મનુષ્ય મહાન યંત્રોની શોધ કરી રહ્યો છે, યંત્રોનો પ્રયોગ કરી રહ્યો છે. ભીષણતમ અસ્ત્રશસ્ત્ર બનાવવામાં આવી રહ્યાં છે, તે યુગમાં જે આ વાત નજરમાં આવે કે ઊખળ અને મૂસળને પ્રયોગની નિંદા કરું છું, કેલું અને ચક્કીના પ્રયોગની નિંદા કરું છું. તે હાસ્યાસ્પદ લાગશે. જયાચાર્ય પણ તે પ્રાકૃતિક ચિકિત્સકોની ટિમાં ચાલ્યા જાય છે, જે પ્રકૃતિમાં રહેવાની કલા શીખે છે. પ્રકૃતિ જે કાંઈ આપે તે જ ખાઓ. ફળ આપે તે ફળ ખાઓ, પાંદડાં આપે તે પાંદડાં ખાઓ. તેમાં સંતુષ્ટ રહે. તે તે જમાનામાં આપણને લઈ જવા ઈચ્છે છે જે ૨૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ આદિવાસીઓને જમાને હતો. શું આજને વિકસિત મનુષ્ય તે અવસ્થામાં પાછા ફરશે? શું તે પાછો આદિવાસી બનશે? શું તે ફરી જંગલી બનશે? શું તે ફળ-ફૂલે પર પિતાનું જીવન ચલાવશે ? શું બધાં યંત્રને છોડીને તે ઊખળ અને મૂસળના પ્રયોગ પર આવી જશે? શું તે બધાં યંત્રોને બંધ કરી દેશે? જ્યાં ઊખલની જરૂર નથી ત્યાં મૂસળની પણ જરૂર નથી. ઊખલ અને મૂસળની જરૂર ત્યારે પડે છે જ્યારે માનવી રાંધીને ખાય છે, રાંધે છે, પ્રાકૃતિક ચિકિત્સક કહે છે : રાંધવાની કાંઈ જરૂર નથી. અનાજ ખાવું હોય તે કાચું જ ખાવ, રાંધો નહિ. દૂધ પીવું હોય તે એમ જ પીવો, ઉકાળે નહિ, અગ્નિને ઉપગ નહિ કરે. જે એક પ્રાકૃતિક ચિકિત્સક કહે કે ઊખલને પ્રોગ, મૂસળને પ્રવેગ, ચકકી વગેરેનો પ્રયોગ વ્યર્થ છે તે આ વ્યર્થતાની ભાષા સમજમાં આવી શકે છે. અને તે ભાષાના સંદર્ભમાં જયાચાર્યની ભાષા પણ સમજમાં આવી શકે છે કે મેં કઈપણ જન્મમાં જે ઊખલ, મૂસળ અને ચક્કીનો ઉપયોગ કર્યો હોય તો તેની નિંદા કરું છું. પરંતુ આજની સભ્યતામાં રહેનાર મનુષ્ય આ ભાષાને સહન પણ નથી કરી શકતો. તે એને અવિકસિત સમાજનું ચિત્રણ માનશે. ખૂબ જટિલ સમસ્યા છે. તર્કના આધારે આ વાત સમજમાં નથી આવી શકતી, આ તર્કને વિષય પણ નથી. પરંતુ અહિંસા અને પ્રકૃતિને આધારે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સ્પષ્ટ પ્રતીત થાય છે કે સચ્ચાઈ આ જ છે, કરી શકે કે ન કરી શકે, આ મનુષ્યની લાચારી છે. ડોકટરેને દષ્ટિકોણ બદલાઈ ગયે સચ્ચાઈને અસ્વીકાર નહિ કરી શકાય. સચ્ચાઈ એ છે, શ્લેષ્માહીન આહાર કરનાર જેટલો સ્વસ્થ રહી શકે છે તેટલો સ્વસ્થ શ્લેષ્માયુક્ત આહાર કરનાર નથી રહી શકતે. પ્રોટીન ન ખાનાર જેટલો સ્વસ્થ રહી શકે છે, તેટલે સ્વસ્થ પ્રોટીન ખાનાર નથી રહી શકતો. આજના ડોકટરોને એ સિદ્ધાંત જ બની ગયું છે કે જે પ્રેટીન ન મળે તે મનુષ્યનો વિકાસ નથી થઈ શકતો. તેઓ પ્રોટીનહીન આહારની વાત જ વિચારી નથી શકતા. તેઓ એ અવશ્ય જાણે છે કે પ્રેટીન કેટલી બીમારીઓનું જનક હોય છે. એક યુગ હતો જ્યારે પ્રોટીનને સેવન પર વધારે ભાર મૂકવામાં આવતા. આજે એટલે ભાર મૂકવામાં નથી આવત. ડોકટરોને દષ્ટિકેણ પણ બદલાઈ ગયો છે. ૨૩૩ Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ બે એકસ્ટ્રીમ પેઈટ આ સત્યનો સ્વીકાર કરવો જ પડશે કે આજને મનુષ્ય ભયભીત છે અણુશસ્ત્રોથી, ભયભીત છે ઝેરી ગેસથી, ભયભીત છે પ્રક્ષેપાસ્ત્રોથી. તેના મનમાં આશંકા છે કે ક્યારે પાંચ-સાત વ્યક્તિઓના મસ્તિષ્કમાં ગાંડ, પણ છવાઈ જાય અને ક્યારે લાખો કરોડો વ્યક્તિઓને મૃત્યુના મુખમાં ધકેલી દે. ખબર નથી પૃથ્વીને પ્રલય ઈશ્વર ક્યારે કરશે, પરંતુ આજે આપણી આ દુનિયામાં પાંચ-સાત ઈશ્વર એવા બેઠા છે, જે જ્યારે ઇચ્છે ત્યારે સૃષ્ટિને પ્રલય કરી શકે છે. હજી થોડાં વર્ષો પૂર્વે એક કેયૂટરે ખોટી સૂચના આપતો સંકેત આપે કે શત્રુના વાયુયાન પ્રક્ષેપાસ્ત્રોથી સજજ થઈને અમેરિકા તરફ આગળ વધી રહ્યા છે. તરત જ અમેરિકી વાયુયાન અણુશસ્ત્રોથી સજ્જ થઈને આકાશમાં ઘૂમવા લાગ્યા તે પ્રક્ષેપાસ્રોથી શત્રુના નગર પર આક્રમણ કરવાની તૈયારીમાં જ હતા કે કેયૂટરે ફરીથી સૂચના આપી કે પૂર્વ સૂચના ખોટી છે, કેાઈ જોખમ નથી. સંસારના પ્રલયની ક્ષણ ટળી ગઈ. જે આ સૂચના થોડી ક્ષણે સુધી મળતે નહિ તે ન જાણે શું થાત. આ બે એકસ્ટ્રીમ પોઈન્ટ, અન્તિમ છેડા છે. એક છે યંત્રોના પ્રબલ નાસ્તિત્વને અને એક છે યંત્રોના પ્રબળ અસ્તિત્વને. ભયનું મૂળઃ યંત્રને પ્રયોગ જયાચાર્ય જેવી અધ્યાત્મનિષ્ઠ વ્યક્તિ બતાવે છે કે પિતાની આરાધના માટે પિતાના દ્વારા કરવામાં આવેલ યાંત્રિક પ્રયોગોની નિંદા કરે. હું નથી કહી શકતા, અણુબોમ્બની શોધ કરનાર અને પ્રગ કરનાર શું અણુબોમ્બના પ્રયોગની નિંદા કરશે ? શું કદી તે નિદાના સ્વરમાં કહેશે કે મેં અણુશસ્ત્રોનું નિર્માણ કે પ્રયોગ કર્યો હોય તો હું તેની નિંદા કરું છું. મિચ્છામિ દુક્કડં? શું કદી તે આ ભાષામાં વિચારશે કે મેં હાઈડ્રોજન કે નાઈટ્રોજન બોમ્બનું નિર્માણ કે પ્રયોગ કર્યો હોય તે મિચ્છામિ દુક્કડં. આ નિંદા કરવાની વાત ક્યાં સુધી બેસશે. સમજાતું નથી. મનુષ્યના ભયનું મૂળ બીજ છે–યંત્રને પ્રગ. આતંકનું મૂળ કારણ છે–વંત્રને પ્રગ. યંત્ર પછી ભલે ઊખળ હાય, મૂસળ હાય, કેલુ હોય કે અણુબોમ્બ હોય. યંત્ર ગમે તે હોય. કાણું કાણું જ છે. રસ્તો રસ્તો જ છે. એક વખત નાની કેડી બની જાય તો મોટે રસ્તે ૨૩૪ Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ પણ બની શકે છે. એક નાનું સરખું બાકેરું બની જાય તો સમગ્ર બંધને તેડનાર રસ્તા પણ બની શકે છે. પ્રશ્ન નાના મોટાને નથી. પ્રશ્ન છે બીજને. એક વખત પ્રલયનું બીજ વાવી દીધું તો પછી તેને અંકુરિત કે પલ્લવિત થતા કેઈ રોકી શકતું નથી. આજે કોઈપણ વ્યક્તિ અણુશસ્ત્રોના નિર્માણને રોકવામાં અસમર્થ છે. અણુશસ્ત્રોનું નિર્માણ રોકવા માટે કેટલી બધી સંધિઓ થાય છે, કેટલા ઉપક્રમે થાય છે, પણ બધા વ્યર્થ બની જાય છે. સૌથી વધુ આશ્ચર્યની વાત તે એ છે કે જે રાષ્ટ્ર પાસે પ્રચુર માત્રામાં અણુશસ્ત્રોનો ભંડાર છે તે ઇચ્છે છે કે બીજ કોઈપણ રાષ્ટ્ર અણુશસ્ત્રનું નિર્માણ ન કરે. તે બધી મોનોપોલી પોતાના હાથમાં રાખવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં એકાધિકારની સ્થિતિમાં આ કેવી રીતે સંભવ થઈ શકે છે? એક વખત જે નિર્માણ થતું ચાલ્યું આવે છે, તેના પર નિયંત્રણ કરવું એ કોઈના હાથની વાત નથી રહેતી. | મૂળ વાત પર આપણે ધ્યાન આપીએ. જે પ્રવૃત્તિને શરૂઆતથી જ રોકવામાં નહિ આવે, પ્રારંભની ઉપેક્ષા કરવામાં આવે તો તેના વિકાસને કદી રોકી નહિ શકાશે. આરાધનામાં પિતાના દુષ્કતની નિંદા છે, ઘણું છે કે બીજાની નિંદા કરે છે, સમીક્ષા અને આલોચના કરે છે. નિંદની કક્ષાએ નથી જઈ શક્ત ટાગોર વિશિષ્ટ કવિ હતા. તેઓ વિચારક જ નહિ, શાંત સાધક પણ હતા, તેઓ અભય હતા. તેઓ મૃત્યુના ભયથી અતીત થઈ ચૂક્યા હતા. ખૂબ શાંત રહેતા હતા. પણ ગમે તેમ કહે નિંદકેને રોકી નથી શકાતા. ટાગોરની આલોચના અને નિંદા થવા લાગી. શરચંદે કહ્યું : અમારાથી આલોચના સહન નથી થતી. આપ તેનો પ્રતિકાર કરો. ટાગોરે શાંત ભાવે કહ્યું તમે જાણે છે. હું નિદકે અને ટીકાકારની કક્ષાએ નથી જઈ શકતા. મારું પોતાનું એક સ્તર છે. તેને છેડીને, હું આલોચના સ્તર પર જાઉં ત્યારે જ તેનો પ્રતિકાર થઈ શકે છે, નહિ તો નહિ. હું એવું કદી નથી કરી શકતા. વ્યક્તિ ગમે તેટલી શાંત હાય, હજુ હોય, સહજ હોય પરંતુ આલોચનામાં રસ લેનાર તેની પણ આલોચના કરી દે છે, નિંદા કરી બેસે છે. ૨૩૫ Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ આરાધના સ્વપ્રકૃતિનુ વિશ્લેષણ છે આ દુનિયામાં નિંદા પણુ ચાલે છે, પ્રશંસા પણ ચાલે છે, ખ`ડન પણ ચાલે છે, સમન પણ ચાલે છે. બંને ચાલે છે. પરંતુ આરાધનાની વાત પ્રાપ્ત થતી નથી. જ્યાં ખીજાની નિંદા અને ખીજાનું સમર્થન કે ખીજાની નિંદા અને સ્વયંનું સમર્થન—આ ત્રણ વાત ચાલે છે ત્યાં આરાધનાની વાત નથી ચાલતી. આરાધનાની વાત ત્યારે હોય છે, જ્યારે પોતાની નિંદા ચાલે છે, પેાતાની પ્રકૃતિનુ વિશ્લેષણ ચાલે છે. તર્કથી બચવાના સૌથી સારા ઉપાય છે—પેાતાનું વિશ્લેષણ, પેાતાની પ્રકૃતિની સમીક્ષા. આ મુશ્કેલ હેાય છે. માનવી પોતાની પ્રકૃતિને જાણવાને પ્રયત્ન જ નથી કરતા. માનવી નથી જાણતા કે તેની મૂળ પ્રકૃતિ શી છે. અનેક લે।। વિજાતીયને પણ મૂળ પ્રકૃતિ માની લે છે. છે વિનતીય, પરંતુ માનવી માની લે છે પેાતાની પ્રકૃતિ. જે પેાતાનું નથી, માનવી તેને પેાતાનું મા નતા ચાલ્યા આવે છે. સ્વાભાવિક—અસ્વાભાવિક માનવીની એ ધારણા બની ગઈ છે કે ક્રૂરતા વગર કોઈના પર નિયંત્રણ નથી કરી શકાતું. તેથી શેઠ કર પર, મેનેજર ક`ચારી પર, ગુરુ શિષ્ય પર રાબ જમાવે છે. એને આધાર એ જ ક્રૂરતાને ભાવ છે. માણસે તેને પ્રકૃતિ માની લીધી. તે માને છે કે એવું કરવું સ્વાભાવિક છે. એવું કર્યા વિના કામ નથી ચાલતું. એક માણસ ખૂબ લેાભી છે. તે વ્યાપાર કરે છે અને વ્યાપારમાં ખીજાને હિસ્સા પણુ રાખે છે. તે લાભને છુપાવે છે. શા માટે છુપાવે છે? એનું પણ કારણ છે. તેની ધારણા બનેલી છે કે એવુ... કરવુ' સ્વાભાવિક છે. એવું કર્યા વગર વ્યાપાર નથી ચાલી શકતા. સેાની એ વાત માટે પ્રસિદ્ધ છે કે ઘરેણાં બનાવતી વખતે વચ્ચે ઘેાડુ ખાઈ જ જાય છે. તે ભલે પછી પેાતાની મા-દીકરીનાં ઘરેણાં કેમ ન બનાવતા હેાય. પણુ એવુ' માની લેવામાં આવ્યું છે કે સેાની માટે એવું કરવું આવશ્યક છે, સ્થાવાવિક છે. આપણે કાણ જાણે કેટલી વાતાતે સ્વભાવગત માની લીધી છે, પ્રકૃતિગત માની લીધી છે. તેનું અતિક્રમણ વાંધાની વાત માનવામાં આવે છે. કાઈ માણસ પાસે કામ કરાવવાનું છે. કામના બદલામાં તેને ભેટ Jain Educationa International ૨૩૬ For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ આપવી સ્વાભાવિક માનવામાં આવે છે. આ ભેટ અને લાંચ વચ્ચે શો ભેદ થયો, માત્ર નામનું જ અંતર છે. જૂના જમાનામાં ભેટ ચાલતી હતી, આજે લાંચ ચાલે છે. એટલે ફેર જરૂર પડ્યો છે કે આજે માંગીને લેવામાં આવે છે, પહેલાં માંગવામાં નહોતી આવતી. પહેલાં કઈ માનવી રાજા પાસે જે તે રાજાને અવશ્ય ભેટ ચઢાવતો. તેનું કામ તરત જ પતી જતું. એટલા માટે કહેવામાં આવતું હતું–રિવતપર્વ પર રાળા, સેવ, હિમા' રાજા, દેવતા, ગુરુને ખાલી હાથે જોવા નહિ જોઈએ. પ્રયોજન એ જ હતું કે ખાલી હાથે જઈશ તો કામ બનશે નહિ. તેઓ પણ ભેટ ચડાવા અપેક્ષા રાખે છે. એવી સ્થિતિમાં સામાન્ય માણસની તો વાત જ શી ? મનુષ્ય આ નિયમને પ્રાકૃતિક માની લીધું છે કે કંઈક આપવાથી કંઈક મળે છે. તે વિનિમયને સિદ્ધાંત છે. એને પ્રાકૃતિક નિયમ કેવી રીતે માની શકાય. કંઈક કેટલીયે અપ્રાકૃતિક વાતાને મનુષ્ય પ્રાકૃતિક માની લે છે. એ જ કારણ છે કે મનુષ્ય પ્રાકૃતિકના સ્તર પર સચ્ચાઈ જેવામાં, સમજવામાં સમર્થ નથી હોતો. પ્રકૃતિ : વિકૃતિ - જયાચાર્યે પ્રકૃતિનું જે વિશ્લેષણ કર્યું છે તેનું જે સમર્થન કર્યું છે અને વિકૃતિની જે નિંદા કરી છે, તે ભાષાને આપણે ન પણ સમજી શકીએ. પરંતુ તે ભાષા પાછળ જે સચ્ચાઈ છુપાઈ છે તેને આપણે અસ્વીકાર નહિ કરી શકીએ. તેમાં ઘણી મોટી સચ્ચાઈ છૂપાઈ છે. સત્ય એ છે કે આપણું બુદ્ધિમાં હજી પણ તે ભેદવાળી બુદ્ધિ સમાયેલી છે. અભેદની બુદ્ધિ નથી જાગી. રાંકા-બાંકા રાંકાની પત્નીનું નામ હતું બાંકા. બંને ક્યાંક જઈ રહ્યા હતા. રાંક થોડે આગળ ચાલી રહ્યો હતો. તેણે જોયું, રસ્તામાં એક સોનામહાર પડી હતી. તેણે વિચાર્યું–પત્ની પાછળ આવી રહી છે. સોનામહોર જોઈને તેના મનમાં લાલચ જાગી ન જાય. તે એને ઉઠાવી ન લે. તેણે તે મહેર પર માટી નાંખી દીધી. પત્ની નજીક આવી. તેણે જોઈ લીધું. આવતા જ બોલીઃ પતિદેવ ! આ આપે શું કર્યું ? મહોર પર ધૂળ કેમ નાંખી દીધી? રાંકાએ કહ્યુંઃ ધૂળ એટલા માટે નાંખી કે તું એને ૨૩૭ Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ઊઠાવવા માટે ઉત્સુક ન થઈ જાય. આ પારકું ધન છે. આપણે એના પર કઈ અધિકાર નથી. બાંકા બેલીઃ પતિદેવ ! આપને સચ્ચાઈનું દર્શન નથી થયું. આપના મનમાં મહોર અને ધૂળમાં તફાવત છે. મારા મનમાં કંઈ એવો ભેદ નથી. જેવી મહેર છે તેવી જ ધૂળ છે અને જેવી ધૂળ છે તેવી જ મહોર છે. તક ક્યારે કયાં? આપણા મનમાં બહુ ભેદ છે. બહુ તર્ક છે. પ્રત્યેક ભેદને અર્થ છે પ્રત્યેક તર્ક. અભેદમાં કઈ તર્ક નથી હોતો. સમષ્ટિમાં કેઈ તક નથી હતા. તકને અર્થ થાય છે ભેદ અને ભેદને અર્થ થાય છે ત5. ભેદ જ તર્કને જન્મ આપે છે. જે બધી ચીજો સરખી હોય તે કઈ તર્ક પેદા નહિ થશે. આપણે બધા વ્યવહાર સમાન હોય તો કઈ તર્ક પેદા નહિ થશે. તક ક્યારે પેદા થાય છે? એક દિવસે એક પ્રકારનું આચરણ કર્યું. અને બીજા દિવસે બીજા પ્રકારનું આચરણ કર્યું તે તર્ક પેદા થશે. આવો પ્રશ્ન ઊભું થશે–કાલે આવું કર્યું હતું, આજે આવું કેમ? જેટલા ભેદ એટલો તર્ક. ભેદ તર્કનો જનક છે. અભેદમાં કઈ તર્ક નથી હેતે. આપણે એ સ્પષ્ટ જાણી લેવું જોઈએ કે આપણી પ્રકૃતિમાં કઈ ભેદ નથી. ત્યાં માત્ર ચેતના છે. કેવળ ચેતના. તેથી આપણે વારંવાર પ્રેક્ષાનો પ્રયાગ કરીએ છીએ. જેથી પોતાની પ્રકૃતિને જાણી શકીએ, સમજી શકીએ. પોતાની ચેતના સાથે સંપર્ક સ્થાપિત કરી શકીએ, જે આપણી મૂળ પ્રકૃતિ છે ચેતના તેને ઓળખી શકે. આપણે જે વિકૃતિને પ્રકૃતિ માની લીધી છે એ ધારણું સમાપ્ત થઈ જાય અને સચ્ચાઈ આપણને પ્રાપ્ત થાય. આપણી પહોંચ મૂળ સુધી પહોંચી જાય. જ્યારે આ અભેદની ચેતના જાગે છે ત્યારે તર્ક સમાપ્ત થઈ જાય છે. ચેતનાને વિકૃત બનાવતાં તરવે હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, પાંચ આશ્રવ, ક્રોધ, માન, માયા લેભ–આ ચાર કષાય અને એ પરિવારના અન્ય સભ્ય આ બધાં જ વિકૃતિ પેદા કરે છે. આ ચેતનાને વિકૃત બનાવનાર પરિવાર છે. પણ આપણે તેને સ્વાભાવિક માન્યો છે, પ્રકૃતિ માની લીધી છે. ૨૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ આજના માનસશાસ્ત્રીઓ કહે છે કે કામ મનુષ્યની પ્રકૃતિ છે. એ કાઈ છુરાઈ નથી. આજે લેાકાની એ ધારણા જ બની ગઈ છે કે બ્રહ્મચ વ્ય છે. જે કામનું સેવન નથી કરતા તે અવિક્ષિપ્ત થઈ જાય છે, પાગલ થઈ જાય છે. જે આ સ્વાભાવિક પ્રકૃતિનુ અતિક્રમણ કરે છે તે પેાતાને વિકાસ નથી કરી શકતા. તર્કનો આધાર છે ભેદ એક વખત એક વિચારક વ્યક્તિએ કહ્યું : સાધુ બૌદ્ધિક વિકાસ નથી કરી શકતા.' મેં પૂછ્યું : કેમ ? આપે આ ધારણા કેમ બનાવી દીધી? તેણે કહ્યું : કામ મનુષ્યની સ્વાભાવિક પ્રકૃતિ છે. જે કામનું સેવન નથી કરતા તેનામાં અનેક કુડાએ જન્મ લે છે. તે કદી બૌદ્ધિક વિકાસ નથી કરી શકતા. જુએ, કાલિદાસ આટલા મેાટા કિવ થયેા. અમુક આટલે વિશિષ્ટ વિચારક અને લેખક થયેા. તેઓ આટલા વિશિષ્ટ એટલા માટે થયા કે તેએ ગૃહસ્થ હતા. સંન્યાસી નહિ, જો તે સન્યાસી હેાત તેા તેમને આટલે વિકાસ કદી નહિ થઈ શકત. ત આખરે તર્ક હાય છે. તે ભેદ પર ચાલે છે. આજે મનેાવિજ્ઞાને પણ આ ધારણાને ખૂબ પુષ્ટ કરી છે. તે કહે છે કે જે માણસ ક્રોધ નથી કરતા. સંવેગાના પ્રયાગ નથી કરતા, તે સારી વ્યક્તિ, સારે। પ્રશાસક, સારા નિયંતા નથી થઈ શકતા, જે પેાતાના અહુને પ્રયાગ નથી કરતા તે સારા ચહ્નો અને સારા રાષ્ટ્રભક્ત નથી થઈ શકતા. આ સર્વંગા જીવન વિકાસનાં મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. પ્રકૃતિને સંચાલિત કરવા માટે, સૃષ્ટિને ચલાવવા માટે સંવેગ જરૂરી છે. કામનેા પ્રયાગ નહિ કરનાર ક્રાઈપણુ ક્ષેત્રમાં વિકાસ નથી કરી શકતા, કલા વિકાસ, સાહિત્ય અને શિલ્પા વિકાસ—આ બધા કામપ્રેરિત વિકાસ છે. એના વગર વિકાસ સભવ જ નથી. વિકૃતિ પણ પ્રકૃતિ આ રીતે અધ્યાત્મ જેમને વિકૃતિ કહી હતી, આજે તેને પ્રકૃતિ માની લેવામાં આવી છે. એમાં મતભેદ નથી. તેને પ્રકૃતિ માની શકાય છે. આપણા જીવન સ્તર પર આ બધાને પ્રકૃતિ માની શકાય છે. ક્રમ કે આ પણ સ્વભાવેા છે. એ શરીરના સ્વભાવેા છે. એમાં કાઈ સંદેહ નથી. ક્રોધ, અહંકાર, લાલય, કામ, ધૃણા, ઈર્ષ્યા આ બધાની ગ્રંથિએ Jain Educationa International ૨૩૯ For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ આપણું શરીરમાં છે. તે શું શરીરની પ્રકૃતિ નથી? નિશ્ચિત રીતિ જ શરીરની પ્રકૃતિ છે. જે આ ગ્રંથિઓ ન હોય, આ ગ્રંથિઓને સાવ ન હોય, ઘણું પેદા કરનાર ગ્રંથિઓ ન હોય તો માણસ ઘણું નથી કરી શકતો. જેની કામવાસના પેદા કરનાર ગ્રંથિ ન હોય, સ્ત્રાવ ન હેય તે માણસ કામી નથી થઈ શકે. આપણું શરીરમાં આ બધી પ્રકૃતિઓની ગ્રંથિઓ છે. અને એ આપણું શરીરની બધી પ્રવૃતિઓ છે. આપણું મનની બધી પ્રકૃતિઓ છે. અધ્યાત્મ જે ભાષામાં તેને વિકૃત માને છે અને આજનું મનેવિજ્ઞાન જે ભાષામાં તેને પ્રકૃતિ બતાવી રહ્યું છે તેમની ભાષા અને તેમના આધારને આપણે સમજવો જોઈએ. બંનેનો આધાર ભિન્ન છે. મને વિજ્ઞાન ચેતનાથી આગળ આત્મા જેવા કેઈ સ્થાયી તત્વને સ્વીકાર કરતું નથી. તેમાં કર્મ સિદ્ધાંતની સ્વીકૃતિ નથી. મનોવિજ્ઞાન માત્ર શરીર કે મનના સ્તર પર, સબકોન્શીયસ અને અનન્સીયસ ચેતનાના સ્તર પર, અવચેતન મનના સ્તર પર પોતાની બધી ધારણાઓ પ્રસ્તુત કરી રહ્યું છે. આપણે કેવી રીતે કહીએ કે તેમની માન્યતાઓ મિથ્યા છે. ભિન્ન ભિન્ન આધાર અધ્યાત્મને આધાર ભિન્ન છે. તે શરીર, મન, અન્તર્મન આ બધાથી દૂર થઈને પરાર્થ ચેતના, વાસ્તવિક ચેતના અને સ્થાયી તત્વ આત્માના સ્તર પર પિતાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. બંનેની આધાર ભિત્તિઓ ખૂબ ભિન્ન છે. બંનેના સિદ્ધાંતને અનેક પરિપ્રેક્ષમાં ખોટા નહિ કહી શકાય. પરંતુ એકબીજાના સંદર્ભમાં જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એ વિચારવું આવશ્યક થઈ જાય છે કે કેવળ મનોવિજ્ઞાનના આધાર પર જ આપણે જે પ્રકૃતિને માનીને ચાલીશું તો અધ્યાત્મ દ્વારા સંમત પ્રકૃતિને સંસ્પર્શ પણ નહિ થઈ શકશે. અધ્યાત્મ જે ગૂઢ અને રહસ્યમય તત્વ આત્માનું પ્રતિપાદન કર્યું છે, તેને અનાવૃત કર્યું છે, તે ભૂમિકા પર પહોંચીને જે આપણે વિચાર કરીએ છીએ તે એ સમજવામાં કોઈ મુશ્કેલી નથી આવતી કે સંવેગ પણ આપણે પ્રકૃતિ નથી અને આગ પણ આપણી પ્રકૃતિ નથી. આ જેટલા પેશન્સ અને ઇમોશન્સ તે સર્વ વિકૃતિઓ છે. યંત્રોનું નિર્માણ કે પ્રયોગ પણ આપણું પ્રકૃતિ નથી. વિકૃતિ છે, તે બધી ૨૪૦ Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ વિજાતીય વાત છે. આ સ્થિતિમાં એ બધાના પ્રયોગની નિંદા આપણી સમજમાં આવી જશે અને પછી જયાચાર્યની આરાધનાને સંદર્ભ અટપટે નહિ લાગશે. એવું નહિ લાગશે કે જયાચાયે આટલી નાની નાની વાતને ઉલ્લેખ કરીને આજના વિકાસશીલ યુગના યાંત્રિક ઉપકરણે પ્રત્યે અવહેલના પ્રદર્શિત કરી છે. આ વાત સમાપ્ત થઈ જશે. પ્રેક્ષા ઉભયમુખી દષ્ટિ છે હું ઈચ્છું છું કે આપણી દૃષ્ટિ ઉભયમુખી બને. આપણે દૃષ્ટિ દીપક ઊંબરા પર સ્થિર રહે, જેના વડે બહાર પણ જોઈ શકાય અને અંદર પણ જોઈ શકાય. તર્કશાસ્ત્રના બે ન્યાય ખૂબ પ્રસિદ્ધ છે. “દારોનાચાર અને દ્વીપવા જાય.” એનું – તાત્પર્ય છે—જ્યારે ઘંટ વાગે છે ત્યારે તેની વચ્ચેનાં લટકણિયાને સ્પર્શ ઘંટની બંને તરફ થાય છે. અહીંથી પણ અવાજ આવે છે, ત્યાંથી પણ અવાજ આવે છે. ઊંબરા પર મૂકેલા દીપકને અંદર પણ પ્રકાશ આવે છે અને બહાર પણ પ્રકાશ ફેલાય છે.. પ્રેક્ષાધાન દ્વારા એવી અન્તરદષ્ટિ ઉપલબ્ધ થાય જેના વડે આપણે આંતરિક ચેતનાને પણ જોઈ શકીએ અને જાણી શકીએ અને વ્યવહારમાં લિપ્ત ચેતનાને પણ જોઈ શકીએ, જાણે શકીએ. જેના વડે આપણે વ્યવહારની પ્રકૃતિને પણ જાણી શકીએ અને આત્માની પિતાની મૂળ પ્રકૃતિ પણ જાણી શકીએ. જે આ બધુ સ્પષ્ટ થાય છે તે આરાધનાનું આ સત્ય સ્વતઃ અનાવૃત્ત થઈ જાય છે કે માનવી પિતાના નાનામાં નાના દુષ્કતની નિંદા કરે અને પિતાના નાનામાં નાનાં સુકૃતનું અનુમોદન કરે. એકલી નિંદા પણ નહિ અને માત્ર અનુદન પણ નહિ, એકલી નિંદા કરવાથી હિનભાવના જાગ્રત થાય છે અને એકલી અનુમોદનાથી અહંભાવના જાગ્રત થાય છે. નિંદા અને પ્રશંસાનું સંતુલન હોય છે–તો નથી અહંકાર ઉભરાતે અને ન તે હીન ભાવના જાગે છે. સાધક આ ચેતનામાં પ્રવેશ કરે અને આગ્રહમુક્તિને પાઠ ભણે. આપણી એવી ચેતના જાગે, એક એવો નવો ઉન્મેષ ઉભરાય જેનાથી આપણે પિતાનું દુષ્કૃત નાનું હોય કે મોટું એની નિંદા કરી શકીએ અને સુકૃત નાનું હોય કે મોટુ–એનું–અનુમોદન કરી શકીએ. આ દૃષ્ટિ જ્યારે જાગે છે ત્યારે ક્ષીર નીર વિવેક પણ જાગે છે. દૂધનું દૂધ અને પાણીનું પાણ. દૂધ અને પાણીના પૃથક્કરણને સ્પષ્ટ અનુભવ થઈ જાય છે. મ-૧૬ ૨૪૧ Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ આરાધનાની ચેતનાની સ્મૃતિ દુષ્કતની નિંદા અને સુકૃતની અનુમોદનાની પાછળ રહેલી આરાધનાની ચેતનાને આપણે ભૂલી ન જઈએ—આપણે બધા પ્રયત્ન આરાધના માટે થાય છે. એ આરાધને છે મૃત્યુની આરાધના, એ આરાધના છે જીવનની આરાધના. તે છે સમગ્ર જીવનને હિસાબ. આરાધનાની જ્યોતિ, આરાધનાની ચેતના વ્યક્તિ વ્યક્તિના મનમાં જાગે અને જયાચાયે પિતાની આરાધનાની કૃતિના માધ્યમથી જે સૂત્રે આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા છે, તેમના હાર્દ સુધી આપણે પહોંચીએ અને તેમને જીવનગત બનાવીને પોતાની જાતને ધન્ય બનાવીએ. ૨૪૨ Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૭. મૈત્રી–શક્તિનું વરદાન Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ કવચન : ૭ સંકેતિકા १ गण में संत सती गुणवंता, सगलां भणी खमाय । - નિગ ઉતમ પ્રતિ નરમ રી ને, મદર ભાવ મિટાય २ किणहिक संत सती सूं आया, कलुष भाव जो ताम । • कठण वचन तसु कह्या हुवै तो, खामै ले ले नाम ॥ ३ कठिन सीख दीधी हुवै किण में, लैर वैर मन आण । खमत-खामणा म्हारा तेह थी, वदै मरम इम वाण ॥ ४ स्वारथ अणपूगां गणपति ना बोल्या अवरणवाद । ते पिण बारम्बार खमावै, मेटी मन असमाध ॥ ઝારાથની ૩/૨, , , 99) ઘ શત્રુતાને ભાવ ચિત્ત પર જામેલો કાટ છે. 1 ફ્લેષતા અને અસહિષ્ણુતાને ચિતમાંથી કાઢી નાખવાથી ચિત્તને શત્રતાને કાટ નથી લાગતા. n મિત્રીની આરાધનાનો અર્થ છે –શક્તિની આરાધના. n મૈત્રીની આરાધનાનું સૂત્ર છે—સાર્વભૌમ નિયમોનું જ્ઞાન હોવું. I શત્રુ અને મિત્ર વચ્ચે ભેદરેખા ક્યાં છે? n મૈત્રીને આધાર છે સહિષ્ણુતા 1 શક્તિ-વ્યયનાં પાંચ કારણે– ૦ ચિત્તવૃત્તિની કઠોરતા ૦ માત્સર્ય ૦ ચિત્તની કલુષતા ૦ વેરનું મોજુ ૦ સ્વાર્થ-ચેતના ૦ શક્તિ-સંચયનાં ત્રણ કારણો ૦ સંયમ ૦ ઠંડી-ગરમી સહન કરવી. ૦ સાર્વભૌમ નિયમોમાં આસ્થા. ૨૪૪ Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી : શક્તિનું વરદાન ઉત્તેજનાનું ઉષ્ણતામાન સોહામણું મોસમ. એક ઘનઘેર ઘટા છવાઈ. પાણે વરસ્યું. ધરતી પરની ગરમી શાંત થઈ ગઈ. બધે મેલ ધોવાઈ ગયે. બધા છોડઝાડ ચમકી ઊઠયા. અપેક્ષા છે, આપણે ચેતનાના આકાશમાં કઈ ધટા ઊમટે, વરસે અને વેગ સાથે વરસે, ગરમી શાંત થઈ જાય. ઉત્તેજનાની ગરમી ઓછી નથી. જેઠના ધોમધખતા તાપમાં જેટલી ગરમી હોય છે તેના કરતાં વધુ ગરમી ચેતનામાં રહેલી છે. તેનું ઉષ્ણતામાન ઘણું વધારે છે. ગરમીમાં માનવી દાઝી જાય છે, મુશ્કેલીઓને અનુભવ કરે છે. ઉષ્ણતામાન ઓછી મુશ્કેલી પેદા કરતું નથી. એક વૈજ્ઞાનિક શોધ કરી કે પ્રાચીન કાળમાં મનુષ્યના શરીરનું ઉષ્ણતામાન ઓછું હતું. તેથી તે દીર્ધાયુ બનતો હતો, ચિરંજીવ રહે તે હતો. આજે ઉષ્ણતામાન વધી ગયું. તે ૯૮ ડિગ્રી થઈ ગયું, તેથી ઉંમર ઘટી ગઈ. જે આ ઉષ્ણતામાન ઘટાડીને અડધું કરી શકાય, ૪૯ ડિગ્રી કરી શકાય તે માણસ હજાર વર્ષ જીવી શકે છે. ઉષ્ણતામાન–ગરમી ખૂબ ખરાબ હોય છે. તે ચેતનાને દઝાડી દે છે. તે શરીરના કણ કણને દઝાડી દે છે. અને પ્રાણશક્તિને સૂકવી નાંખે છે. આ સ્થિતિમાં એવી કોઈ ઘટા ઉમટે, વરસે અને ઉષ્ણતામાનને શાંત કરી દે. ગરમી ઘટે અને બધે મેલ ધોવાઈ જાય. ચેતનાની ભૂમિ પર મેલ પણ ખૂબ જામેલ છે. આ ચેતનાની સાથે ઉછરતા ઝાડ-છોડ પર પણ ખૂબ મેલ જામેલો છે. ધૂળ જામેલી છે. વરસાદથી બધી મલિનતા ધોવાઈ જાય. બધું જ ચમકી ઊઠે, બધામાં ચમક આવી જાય. એવી ઘણું મેટી અપેક્ષા છે. પ્રેક્ષા : ઘર ઘટા પ્રેક્ષાયાનની સમગ્ર પ્રક્રિયા એટલા માટે છે કે એવી કોઈ ઘટા ઊઠે. જ્યાં સુધી એવું નથી થતું ત્યાં સુધી મેલ જમા જ રહે છે, ગરમી વધતી જાય છે. સાધનામાં ગરમીને અર્થ એક સાધકે કહ્યું ઃ ગરમી ખૂબ છે. સાધકને પ્રશ્ન હતું. જે કેઈ બીજો કહેત તો જવાબ મળી જાતે કે પંખા ચલા, કૂલરને પ્રયોગ ૨૪૫ Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ કરી લે। અથવા એરક ડીશન મકાનમાં ચાલ્યા જાઓ, ખીન્ન પણ અનેક જવાબ હાઈ શકતુ. પરંતુ પ્રશ્ન હતા સાધકના, એટલા માટે જવાબ પણ સાધનાને અનુકૂળ હેાવા જોઈએ. ગરમી ખૂબ છે—મનમાં ખૂબ ઉત્તેજના છે, મનના ઉત્તાપ ખૂબ વધી ગયા છે. મનમાં વારંવાર શત્રુતાને ભાવ જાગે છે. હું મૈત્રીનું મૂલ્ય જાણું છું. તેની મહત્તાથી હું પરિચિત છું. મૈત્રીના વારંવાર પ્રયાગ પણુ કરું છું. પણ તે સ્થાયી નથી હેાતા. તે પ્રયાગ ટકતા નથી. પરિસ્થિતિ આવે છે અને પુનઃ શત્રુતાના ભાવ જાગી જાય છે. મૈત્રીનું મ`ત્રખીજ મને ખબર છે, પણ તે મ*ત્રખીજ મારામાં અંકુરિત, પુષ્પિત અને કુલિત નથી થતું. મારે શું કરવું જોઈએ? મેં પૂછ્યું : તમે દિલ્હીના લાહ-સ્તંભ જોયા છે? તેણે કહ્યું : જરૂર જોયા છે. તે અશોક લાટના નામથી પ્રસિદ્ધ છે. તેને કાણુ નથી જાણતું. દરેક વ્યક્તિ જાણે છે. મે' પૂછ્યું : તેને નિર્મિત થયે હારા વર્ષ વીતી ગયાં. તે ખુલ્લા આકાશમાં રહેલા છે. હારા વર્ષથી સીં અને વરસાદના ઝપાટા સહુન કરી રહ્યો છે. તાપણ તેના પર કાઈ કાટ ચડ્યો નથી. શા માટે? તેણે કહ્યું : શક છે કે જે લેાખંડને સ્ત`ભ નિર્મિત થયા છે તે લેાખડમાંથી સલ્ફર અને ફાસ્ફરસ કાઢી નાખવામાં આવ્યા હાય જ્યારે લેાખંડમાંથી આ બે ધાતુએ કાઢી નાખવામાં આવે છે ત્યારે લેાખંડ પર કાટ લાગતા નથી. ખૂબ જ આશ્ચર્યની વાત છે કે પ્રાચીનકાળમાં પણ આટલી વિકસિત ટેકનીક હતી. આજે પણ તે સ્ત ંભ તવા ને તેવા જ છે. મેં કહ્યું : વાત સાચી છે. આપણા ચિત્તમાં પણ કાટ નથી લાગતા જો તેમાંથી અસહિષ્ણુતાનેા ભાવ કાઢી નાખવામાં આવે, લુપતાના ભાવ દૂર કરવામાં આવે. એટલું થવાથી એ સંભવ નથી રહેતું કે ચિત્તમાં શત્રુતાના કાટ જામે. વાત સારી છે, પરંતુ પ્રશ્ન છે એ કે તેને કાઢવામાં કેવી રીતે આવે? મૈત્રીની આરાધના : શક્તિની આરાધના એને જવાબ એ છે કે શક્તિ વગર એવું નથી થઈ શકતુ. મૈત્રીની આરાધનાના અં છે—શક્તિની આરાધના સહિષ્ણુતા એક Jain Educationa International ૨૪ For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ શકિત છે. શક્તિની જ્યાં સુધી ઉપાસના નથી થતી, મૈત્રી ભાવ સ્થાયી નથી થઈ શકતો. બીજી વાત છે, શક્તિ વગર કલુષતાનું નિરસન પણ નથી થઈ શકતું. નબળો માણસ દિવસમાં સો વાર મૈત્રીને સંકલ્પ કરે છે અને શત્રુતાના ભાવને મનમાંથી કાઢી નાખે છે. ફરી પરિસ્થિતિ આવે છે અને તેને ચિત્ત પર શત્રુતાને ભાવ છવાઈ જાય છે. આ ચિત્તનું આકાશ કદી નિર્મળ થતું નથી. તેને નિર્મળ બનાવવા માટે સહિષ્ણુતાની શક્તિ જોઈએ, નિર્મળતાની શક્તિ જોઈએ. સાર્વભૌમ નિયમનું જ્ઞાન એનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ છે–સાર્વભૌમ નિયમનું જ્ઞાન. આપણે નિયમોને જાણીએ છીએ. પણ સાર્વભૌમ નિયમોને નથી જાણતા. સાર્વભૌમ નિયમોને જાણનાર વ્યકિત શત્રુતા વગેરે ભાવોનું કદી આરોપણ નથી કરતી. પણ જ્યારે સાર્વભૌમ નિયમ ખબર નથી હોતા ત્યારે પ્રત્યેક વાત વિપરીત થઈ જાય છે. આજે પ્રજાતંત્રને યુગ છે. ચૂંટણી થાય છે. એક સ્થાનથી દસેક ઉમેદવાર ઊભા હોય છે. કેઈ એકને ચૂંટી કાઢવામાં આવે છે. એક ચૂંટણી જીતી જાય છે અને બાકીના નવ ચૂંટણી હારી જાય છે. જે ચૂંટણી જીતી જાય છે તેના પ્રત્યે બાકીના ઉમેદવારોના મનમાં શત્રુતાને ભાવ જાગી ઊઠે છે. એવું કેમ થાય છે? ભારતમાં આ ભાવના વધારે ફાલીફૂલી રહી છે. અવિકસિત દેશોમાં આવું બને છે. વિકસિત દેશોમાં એમ નથી થતું. એનું કારણ ખૂબ સ્પષ્ટ છે. જે વ્યક્તિ ચૂંટણી જીતીને આવી છે, તેને કોઈ દોષ નથી. જનતાએ એને ચૂંટી, તે આવી ગઈ. આ છે માતાની સિદ્ધિ. જેને બહુમતિ મળી તે વ્યક્તિ આવી ગઈ. જેને નહિ મળી તે આવી. જે આ નિયમને જાણી લે છે, સમજી લે છે. તે જીતનાર ઉમેદવાર પ્રત્યે શત્રુતાનો ભાવ નથી રાખી શકતા તેના મનમાં શત્રુતાને ભાવ જાગે એ સંભાવના જ નથી. પરંતુ લાગે છે એવું કે આ સાર્વભૌમ નિયમ પ્રત્યે આપણે કોઈ શ્રદ્ધા નથી. વિભિન્ન વિકિરણ : વિભિન્ન પ્રભાવ પ્રાકૃતિક અને સાર્વભોમ નિયમોને જાણવા ખૂબ જરૂરી હોય છે. એક વ્યક્તિ કંઈપણ કરે છે, એક સ્થાન પર એક ઘટના બને છે, કઈ કાર્ય થાય છે, પરંતુ તે વ્યક્તિ, તે ઘટના કે તે કાર્ય પૂર્ણરૂપે સ્વતંત્ર ૨૪૭ Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ હતાં નથી. તે ઘણા બધા પ્રભાવોથી પ્રભાવિત હોય છે. આપણું સંપૂર્ણ જીવન હજારે-હજારે પ્રભાવથી જોડાઈને અને બનીને ચાલી રહ્યું છે. ધરતીના લેકે આપણને પ્રભાવિત કરે છે. ધરતીનું વાતાવરણ આપણને પ્રભાવિત કરે છે. આસપાસના ઝાડ છોડ આપણને પ્રભાવિત કરે છે. કંઈ કેટલાયે સૌરમંડળના કેટલાં વિકિરણ આવે છે અને માનવીને પ્રભાવિત કરે છે. જ્યોતિષીઓએ નવગ્રહના પ્રભાવોનું અધ્યયન કરીને તેનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે પરંતુ બીજા કેટલાયે ગ્રહ પ્રાણીઓને પ્રભાવિત કરે છે. કઈ પણ વ્યક્તિ જ્યોતિષ પર વિશ્વાસ કરે કે ન કરે તે એની પોતાની ઈચ્છા છે. જ્યોતિષ એક વિજ્ઞાન છે અને એ સૌર-વિકિરણોનું વિજ્ઞાન છે. કેવી રીતે આ સર વિકિરણ બને છે, કેવી રીતે એ પૃથ્વી પર પહોંચે છે અને કેવી રીતે એ પ્રાણીઓને પ્રભાવિત કરે છે. તે આપણુ, સુખ-દુઃખને લાભ-હાનિને પ્રભાવિત કરે છે. મનુષ્યનું ચિંતન પણ તેનાથી પ્રભાવિત થાય છે. મનુષ્યની પ્રવૃત્તિઓ પ્રભાવિત થાય છે. તે વિકિરણ વર્ષ અને ઉષ્ણતામાનને તથા આંધી અને તેફાનને પ્રભાવિત કરે છે. બીમારીઓ પણ એનાથી પ્રભાવિત થાય છે. એક વિકિરણમાં થોડો પણ ફેર પડવાથી ભયંકર વર્ષા થાય છે. રેગ મટી જાય છે, સ્વારથ્ય વરસી પડે છે. વિકિરણ અનેક પ્રકારનાં હોય છે. અને અનેક પ્રકારે મનુષ્યને પ્રભાવિત કરે છે. આ સ્થિતિમાં કઈપણ વ્યક્તિ સો ટકા સ્વતંત્ર છે, એવું નથી કહી શકાતું. એક વ્યક્તિના મનમાં એક વખત એક ઈછા ઉત્પન્ન થાય છે. બીજા પ્રકારનું વિકિરણ આવે છે અને તે ઈછા બદલાઈ જાય છે, ચિંતન બદલાઈ જાય છે. એક વ્યક્તિ મોટી મોટી કલ્પનાઓ કરે છે, જનાઓ બનાવે છે. પણ જો સાર્વભૌમ નિયમ તેને સાથ નથી આપતા તે બધી કલ્પનાઓ અને યોજનાઓ વ્યર્થ બની જાય છે. તે ફલપ્રદ નથી થતી. શત્રુ અને મિત્ર વચ્ચે ભેદરેખા નહિ આપણે એ બધા નિયમોને સમજીએ. જે સમજી લઈએ તે શત્રુતાને ભાવ ઓછો થઈ જાય છે. થાય છે એવું કે માનવી ઈચ્છે છે કે હું અમુક કામ કર્યું. ઈચ્છામાં કઈ વિદન આવે છે અને ખબર પડી જાય છે કે અમુક વ્યક્તિએ આ મુસીબત ઉભી કરી છે, તે તે તેને શત્રુ બની જાય છે. મનુષ્ય ઇચ્છે છે કે હું હમેશાં આગલી હરોળમાં જ બેસું. અને જે કેઈ બીજે ત્યાં આવીને બેસી જાય છે તો તે તેને શત્રુ બની જાય છે. ૨૪૮ Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ માણસ ઈચ્છે છે કે તેની વાતનું બધા સમર્થન કરે, પણ જે કાઈ તેનું ખંડન કરી દે છે તેની વિરુદ્ધ કંઈ કહી દે છે તે તરત જ શત્રુતાને ભાવ ઊભરાઈ આવે છે. પ્રેમની પૂર્તિ થાય છે ત્યાં સુધી મિત્રતાને ભાવ આવે છે અને જ્યારે એ નથી થતી ત્યારે શત્રુતાને ભાવ જાગે છે. મેં ખૂબ ચિંતન કર્યું છે પણ હજી સુધી સમજી નથી શક્યો કે કણ શત્રુ અને કોણ મિત્ર છે. શત્રુ અને મિત્રની વચ્ચે કઈ ભેદરેખા નથી. એક માણસ જીવનમાં સો વાર મિત્ર બને છે અને સો વાર શત્રુ બને છે. આ સ્થળ કથન છે. જે ઊંડાણમાં જઈએ તે એ કહેવું અતિશયોક્તિપૂર્ણ નહિ હશે કે એક વ્યક્તિ ચિંતનની ભૂમિકામાં એક દિવસમાં પચાસ વાર મિત્ર બની જાય છે અને પચાસ વાર શત્રુ બની જાય છે. ક્યાં છે ભેદરેખા ? મારા ચિંતનનું સમર્થન કર્યું. મારા મિત્ર બની ગયો. બે કલાક પછી ચિંતનને વિરોધ કર્યો, મારે શત્રુ બની ગયો. મારા તંબુમાં આવ્ય, મારો મિત્ર બની ગયો. મારા વિરોધી તંબુમાં ગયે, મારે શત્રુ બની ગયો. જેટલી વાર પ્રિયતા-અપ્રિયતાને ભાવ મનુષ્યમાં જાગતા રહે છે, તેટલી વાર હજારે માનવી શત્રુ અને મિત્ર બનતા રહે છે. મને લાગે છે કે શત્રુતા અને મિત્રતાએ ભાગીદારીની એક દુકાન ખોલી મૂકી છે. બંને સમકક્ષ પાર્ટનર છે. બંનેએ પિતાને ધંધો ચલાવવા માટે એક સમજૂતી કરી લીધી છે. દુકાન એક કામ બે બે માણસો મળ્યા. એક દુકાન ખોલી. બંનેને તે ધંધામાં સરખો ભાગ હતો. એક ભાગીદાર અનેક સંસ્થાઓ અને પ્રતિષ્ઠાનેમાં જાતે અને ધીરેથી ત્યાંના કાચ ઉપર રસાયણ લગાડો. તેના પ્રભાવથી બધા કાચ આંધળા થઈ જતા. પ્રતિષ્ઠાને ના માલિકે આશ્ચર્યચકિત થઈ જતા. બે દિવસ પછી બીજે ભાગીદાર જતા અને કહેતા : અમારી કંપની કાચની સફાઈ કરે છે. જે કોઈએ કાચ સાફ કરાવવા હોય તે અમારો સંપર્ક સાધે. લેકે તેને બેલાવતા. તે બીજું રસાયણ નાખો. કાચ નિર્મળ થઈ જતો. એક પાર્ટનર કાચને આંધળા બનાવતે અને બીજે પાર્ટનર તેને સ્વચ્છ કરતા. બંનેની દુકાન ભાગીદારીની હતી. એક જ દુકાનમાં બંને કામ ચાલતાં. ૨૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ એ રીતે મિત્રતા અને શત્રુતાએ પણ ભાગીદારીની દુકાન ખાલી દીધી છે. એક ભાવ આવે છે અને ચિત્તના કાચને આંધળા બનાવી દે છે, શત્રુતાને ભાવ જાગી જાય છે. બીજો ભાવ આવે છે અને ચિત્તના કાચને નિર્મળ બનાવી દે છે, મિત્રતાને ભાવ જાગી જાય છે. આ સંપૂર્ણ ચક્ર ભાગીદારીમાં ચાલી રહ્યું છે. દિવસમાં કેટલી બધી વાર આપણા ચિત્તનો કાચ આંધળો થઈ જાય છે અને કંઈ કેટલીયે વાર નિર્મળ થઈ જાય છે. કંઈ કેટલીયે વાર આપણું ચિત્તમાં શત્રુતાનો ભાવ આવે છે અને કેટલીયે વાર મિત્રતાને ભાવ આવે છે. આ ચક્ર છે. નિરંતર ફરતું રહે છે. કદી અટકતું નથી. શત્રુતા અને મિત્રતામાં કોઈ ભેદ જણાતો નથી. પ્રિયતા અને અપ્રિયતામાં ભેદ ક્યાં છે? બંને એક જ સિક્કાની બે બાજુ છે. પ્રિયતા, અપ્રિયતાથી અલગ નથી. અને અપ્રિયતા પ્રિયતાથી અલગ નથી. બંને જોડાયેલા છે. વાસ્તવમાં મિત્રતાને વિકાસ ત્યારે થાય છે જ્યારે પ્રિયતાનું સંવેદન સમાપ્ત થઈ જાય છે. સહિષ્ણુતાઃ મૈત્રીને આધાર જયાચાયે આરાધનામાં ચેતનાને જગાડવાનું, તે કાચને સ્વચ્છ કરવાનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું છે જે તે કાચને હરહંમેશ માટે સ્વચ્છ કરી દે છે. પછી તે ભાગીદારીને ધંધો પણ સમાપ્ત થઈ જાય છે તે સ્વર્ણિમ સૂત્ર છે–સહિષ્ણુતાની શક્તિનો વિકાસ આજનો માનવી એટલો અસહિષ્ણુ છે તે કંઈપણ સહન કરી શકતો. નથી. આજના યુગની આ ભયંકર બીમારી છે. તે કોઈપ ઘટનાને સહન નથી કરી શકતો. હીટર અને કૂલર કેમ ચાલુ થયા ? જ્યારે મનુષ્ય ઋતુના પ્રભાવને સહન કરવામાં અસમર્થ થઈ ગયો ત્યારે તેની શોધ થઈ. ઋતુના પ્રભાવને સહન કરવાની ક્ષમતા માનવીમાં ઓછી થઈ ગઈ છે. આજે જ્યારે થોડા સમય માટે વીજળી જતી રહે છે ત્યારે માનવી પરેશાન થઈ જાય છે. ગરમી છે, પંખો જોઈએ. ઠંડી છે, હીટર જોઈએ, જૂના જમાનાનાં મકાને જુઓ. તેના દરવાજ પણ નાના હતા અને બારીઓ પણ વધારે નહતી. અને જે હતી તે તે હતી નાની. આજે તે કદાચ પશુઓ પણ તે સ્થાનમાં રાખી નથી શકાતા. પશુઓમાં પણ માનવીની થોડી અસર આવી છે. તેઓ પણ ખુલ્લું સ્થાન પસંદ કરે છે. તેમને પણ મુક્ત સ્થાન જોઈએ છે. પણ નવાઈ એ લાગે છે કે લેકે મકાનમાં કેવી રીતે રહેતા હતા ? ૨૫૦ Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભિએ સિરિયારી ગામમાં પકકી હાટમાં ચાતુર્માસકાળ વિતાવ્યો. આજે પણ તે હાટ મોટે ભાગે મૂળ સ્થિતિમાં રહેલ છે. તે હાટમાં આજે કોઈપણ સાધુ ચાતુર્માસ તો શું એક દિવસ પણ રહેવા નહિ ઈચછશે. તે આખો દિવસ નવું સ્થળ ખેળવામાં વિતાવી દેશે, પણ તે હાટમાં નહિ રહી શકશે. તેનું કારણ શું છે ? કારણ ખૂબ જ સ્પષ્ટ છે કે તે જમાનાના લેકે ખૂબ શક્તિશાળી અને સહનશીલ હતા. તેઓ બધી ઘટનાઓને સહન કરી લેતા હતા. જેમ જેમ સુવિધાઓને વિકાસ થતો ગયો, મનુષ્યની સહનશક્તિ ઓછી થતી ગઈ. આજે સુવિધાઓનાં પ્રચુર સાધનો ઉપલબ્ધ છે. દરરોજ સાધનાની નવી નવી શોધો થઈ રહી છે. એને આપણે વિકાસની સંજ્ઞા આપીએ છીએ. હું પણ અસ્વીકાર નથી કરતો કે માનવીએ આ ક્ષેત્રમાં વિકાસ નથી કર્યો. તેણે વિકાસ કર્યો છે અને આજે પણ તે નવાં નવાં ક્ષેત્રો ખોલી રહ્યો, છે. પણ એ કહ્યા વગર પણ રહેવાતું નથી કે પદાર્થ-જગતમાં મનુષ્ય વિકાસ કર્યો છે અને આંતરિક ચેતનાના જગતમાં જ્યાં સહિષ્ણુતાને વિકાસ હતા, તેને ગુમાવ્યો છે. આજે કેટલું અધૂર્ય છે. અસહિષ્ણુતા અધૂર્યને જન્મ આપે છે. આજે જાણે કે મનુષ્યમાં ધૈર્ય છે જ નહિ, એવું લાગે છે. જે માલિક નેકરને બે સખત શબ્દ કહે છે તે નોકર તરત કહે છે : આ લો તમારી કરી. હું તો ચાલ્યો. માલિક વિચારે છે, નોકર ચાલ્યા ગયે તે શું થશે? તે જાતે નોકરને કહે છેઃ ચાલ, હવે પછી કંઈ નહિ કહું. આખું ચકરડું ઊલટું ફરી ગયું. પ્રાચીનકાળમાં માલિક નોકર પર કેટલું અનુશાસન રાખતો હતો અને નોકર સ્વામીને કેટલે વિવેક કરતો હતો. નકર કેટલે સહિષ્ણુ હતા. આજે પિતા પુત્રને કંઈ પણ કહેતા પહેલા દસ વાર વિચારે છે કે આ વાતની પુત્ર પર શી અસર થશે ? ક્યાંય તે ગુસ્સે થઈને ઘર છોડી ચા ન જાય. અસહિષ્ણુતા ન કરી લે. કઈ કોઈવાર તે પૂરી વાત કહી પણ નથી શકતા. અધૂરી વાત કહીને જ વિરામ લે છે. આજે પ્રત્યેક વ્યક્તિ અધીરી છે. અધીરાઈ સીમા ઓળંગી ગઈ છે. મનુષ્ય પ્રકૃતિની ઠંડી-ગરમીને સહન કરવાની ક્ષમતા જ માત્ર ગુમાવી નથી, તેણે સાર્વભૌમ ઠંડી-ગરમીની ક્ષમતાને સહન કરવાની ક્ષમતા પણ બઈ દીધી છે. ૨૫૧ " Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળ-પ્રતિકૂળ આચારાંગ સૂત્રના એક અધ્યયનનું નામ–શીતોષ્ણીય. એને અર્થ છે–ઠંડી અને ગરમી. અનુકૂળને સહન કરવાનું નામ છે ઠંડી અને પ્રતિકુળને સહન કરવાનું નામ છે ગરમી. ક્યારેક જીવનમાં ઠંડી આવે છે અનુકૂળતા આવે છે અને ક્યારેક જીવનમાં ગરમી આવે છે, પ્રતિકૂળતા આવે છે. કયારેક મનને અનુકૂળ ઘટના બને છે અને ક્યારેક મનને પ્રતિકૂળ ઘટના બને છે. સંયમી તે હેાય છે, સાધક તે હોય છે જે ઠંડી અને ગરમી, અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારની ઘટનાઓને સહન કરી લે છે. જે વ્યક્તિ આ અવસ્થા સુધી પહોંચી જાય છે તેના મનમાં શત્રુતાને ભાવ અંકુરિત થતો નથી. આજે સહિષ્ણુતાનું માનસ રહ્યું જ નથી. માણસ ઘણે વિચિત્ર છે. ગરમી વધારે હોય છે તે તે ગરમીને ગાળ દેવા બેસી જાય છે અને ઠંડી વધારે હોય છે તો તે ઠંડીને ગાળ દેવા લાગી જાય છે. માણસનું માનસ જ એવું બની ગયું છે કે પ્રત્યેક વાત મનને અનુકૂળ હેવી જોઈએ, કોઈપણ વાત મનને પ્રતિકૂળ નહિ હેવી જોઈએ. જ્યાં પણ મનને પ્રતિકૂળ કંઈપણ બનતું હોય છે, માણસના મનમાં શત્રુતાને ભાવ જાગી જાય છે. સ્વાર્થ ભાવના જ્યાચાર્યે લખ્યું છે–જ્યાં પિતાને સ્વાર્થ નથી સધાતે, માણસને શત્રુભાવ જાગી જાય છે. કોઈપણ વ્યક્તિ પ્રત્યે અનુરાગ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી પિતાને સ્વાર્થ સધાતો રહે છે. જેવો સ્વાર્થ પર ઘા લાગે છે, બધો જ પ્રેમ તૂટી જાય છે. ત્યારે દેવતુલ્ય પિતા યમરાજ બની જાય છે, સાસુ ડાકણ બની જાય છે અને ગુરુ પણ જુદા જ બની જાય છે. ખૂબ દયનીય સ્થિતિ હોય છે. સુવિધા પુષ્ટ : ચેતના દુર્બલ પદાર્થ જગતને વિકાસ ચરમ સીમા સુધી પહોંચી રહ્યો છે. સભ્યતા પણ વિકસિત થઈ છે. હું એવું નથી કહેતા કે આજે એવાં મકાન બને જેમાં બારીઓ ન હોય. હું એવું કહેવા નથી માંગતે કે માણસ પંખા, કૂલર અને અન્ય સાધનોને ઉપયોગ ન કરે. એવું કહેવું એ પ્રતિકૂળ વાત હશે. પણ એ હું ચોક્કસ કહીશ કે આજના માનવીએ ૨૫૨ Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ સુવિધાને પિતાનું લક્ષ્ય બનાવી દીધી અને સુવિધાવાદી સાધનેને એકઠા કરવાને સભ્યતા અને સંસ્કૃતિને આગળ વધારવાનું કામ માની લીધું. એનું પરિણામ એ આવ્યું કે માનવીનું ચેતના જગત એટલું જ દુર્બળ બની ગયું. સંતુલન આવશ્યક આપણી બે દુનિયા છેઃ એક છે પદાર્થની દુનિયા અને એક છે ચેતનાની દુનિયા. બંનેનું સંતુલન જ્યારે બગડે છે ત્યારે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આજે બંનેનું સંતુલન બગડતું જઈ રહ્યું છે, બગડી ગયું છે. પદાર્થ જગતને વિકસિત કરવાને અપાર પ્રયત્ન થઈ રહ્યો છે. મનુષ્ય ચેતના-જગતને ભૂલતે જઈ રહ્યો છે. સુખ અને દુઃખની અનુભૂતિ ચેતનાના-જગતમાં થાય છે. શત્રુતા અને મિત્રતાને ભાવ ચેતનાના જગતમાં ઉત્પન્ન થાય છે. આપણી બધી સંવેદનાઓ, ધારણાઓ અને માન્યતાઓ ચેતનાના જગતમાં બને છે. આપણું જ્ઞાનનું જગત એ ચેતનાનું જગત છે. આપણું અનુભૂતિનું જગત છે–ચેતનાનું જગત. વિકાસનું જગત છે પદાર્થનું જગત. મનુષ્ય પદાર્થ જગતને આડેધડ વિકસિત કરતે જઈ રહ્યો છે. અને જ્યાં બધી સંવેદનાઓ ઘટિત થાય છે તે ચેતના-જગતને ભૂલતા જઈ રહ્યો છે, કુકરાવી રહ્યો છે. પ્રકૃતિના પ્રાંગણમાં એટલું મોટું અસંતુલન પેદા થઈ ગયું છે. જે આ અસંતુલન દૂર ન થયું તે એક દિવસ એવો પણ આવી શકે છે કે મનુષ્યની પદાર્થ ચેતના તેની આંતરિક ચેતના પર એટલી સવાર થઈ જશે કે પદાર્થ જ બાકી રહેશે, ચેતના તેની નીચે દબાઈ જશે. મૈત્રીને જે આપણે વ્યાપક સંદર્ભમાં સમજીએ તે તેનો અર્થ એ થશે કે પદાર્થ જગત અને ચેતના જગતની વચ્ચે સંતુલન સ્થાપિત કરવું. આજે જે સંતુલન બગડી ગયું છે તેને ફરીથી સ્થાપિત કરવું એ મૈત્રી છે, સમન્વય છે. આ બંને–પદાર્થ જગત અને ચેતના જગત–ની વચ્ચે જે એક પ્રકારની અકલ્પિત શત્રુતા આવી ગઈ છે તે દૂર થાય અને સંતુલન બને, આ છે મૈત્રી. જે આ થઈ શકશે નહિ તે શક્ય છે કે માનવી ઊંધવા લાગશે, તેની જાગૃતિ ઓછી થઈ જશે. જાગૃતિમાં જ અપૂર્વ ઉપલબ્ધિ સૂફી સંત હફીજ અને તેના સાથીઓ પોતાના ગુરુ પાસે હતા. રાતને સમય હતો. શિષ્ય ગાઢ નિદ્રામાં પિઢી ગયા. ગુરુ જાગી રહ્યા ૨૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ હતા. તેમના મનમાં ચેતના જાગી. તેમણે શિષ્યને બોલાવીને કહ્યું : આવો, એક નવી ફુરણા જાગી. જ્ઞાનનું એક કિરણ પ્રફુટિત થયું છે. હું તમને સંભળાવવા ઇચ્છું છું. બધા શિખે સૂઈ રહ્યા હતા. હફીજ જાગી રહ્યો હતો. તે ગુરુ પાસે આવ્યા. ગુરુએ તેમનું નવું જ્ઞાન તેનામાં સંક્રાંત કરી દીધું. તે ધન્ય થઈ ગયે. તે બેલ્યો ઃ ખૂબ અપૂર્વ જ્ઞાન આપે આપ્યું. તે જતો રહ્યો. અડધો કલાક વીતી ગયે કે ફરીથી ગુરુએ શિષ્યોને બૂમ પાડી. બધા ગાઢ નિદ્રામાં હતા. કેઈ નહિ જાગ્યું. હફીજ જાગતો હતો. તે તરત જ ગુરુ પાસે આવ્યો. બોલ્યો : શા આદેશ છે? ગુરુએ કહ્યું : હમણાં હમણાં જ એક બીજું નવું જ્ઞાન-કિરણ ઉપલબ્ધ થયું છે. હું આપવા ઈચ્છું છું. હફીજ હાથ જોડીને ઊભો રહ્યો. ગુરુએ જ્ઞાન આપી દીધું. બે ત્રણવાર એવી ઘટના બની અને હફીજ નવા જ્ઞાનથી પરિપૂર્ણ થયો. હફીજને નવા જ્ઞાનની ઉપલબ્ધિ ત્યારે થઈ જ્યારે તેની ચેતના જાગતી રહી હતી. જાગૃતિમાં જ અપૂર્વ જ્ઞાન જાગે છે, નવો ઉન્મેષ આવે છે અને નવી ફુરણું જાગે છે સુપ્તિમાં બધું જ જ્ઞાન અજ્ઞાનમાં પરિવર્તિત થાય છે. ખમતખામણ આજે પદાર્થને વિકાસ થઈ રહ્યો છે. પરંતુ ચેતનાને નહિ. શક્ય છે કે મનુષ્યને એક દિવસે ઋતુઓ દ્વારા, પ્રકૃતિ દ્વારા અને વ્યક્તિઓ પાસેથી ખમતખામણ-ક્ષમાયાચના કરવી પડે કે મેં ચેતનાને સુવડાવી દીધી અને પદાર્થોને જાગતા રાખ્યા. આ મારા માટે અપરાધ થયું છે. તેને માટે ક્ષમાયાચના કરું છું. આરાધનાનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે—ખમતખામણ, ક્ષમા માંગવી, પિતાની ભૂલ માટે ક્ષમા માંગવી. આજના માનવીને પિતાની ભૂલ માટે બહુ ક્ષમા માંગવી પડે. સાધક નાની સરખી ભૂલ માટે પણ ક્ષમાયાચના કરે છે. આજના વૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને નેતા–એ બધા એટલા મોટા અપરાધો કરી રહ્યા છે–પદાર્થના એકાંગી વિકાસની પ્રક્રિયા ચલાવીને અને ચેતનાને સુવાડીને કે તેમણે એક દિવસ કહેવું પડશે કે અમે મનુષ્ય જાતિની સાથે મોટો અપરાધ કર્યો છે. અમે ક્ષમા ઈચ્છીએ છીએ. સંભવ છે તેમને ક્ષમા આપનાર એક પણ માનવી ૨૫૪ Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ નહિ મળશે કેમ કે અપરાધ અત્યંત ઘોર છે. તેઓ ક્ષમા માંગતા માંગતા મરી પણ જાય. ખમતખામણને વાસ્તવિક અર્થ ખમતખામણું આરાધનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. તેનું તાત્પર્ય એ છે કે કેઈપણ વ્યકિત પ્રત્યે તમારા મનમાં અસહિષ્ણુતાનો ભાવ આવી જાય, કલુષિતાને ભાવ જાગી જાય, તેને જ્ઞાત હોય કે ન હોય, તે જાણે કે ન જાણે, પરંતુ તમે પિતાના તરફથી ક્ષમા માંગી લે, સહન કરી લે. પિતાની મૈત્રી ગુમાવે નહિ. તેને શત્રુ માન નહિ. આ મહાન વ્યક્તિત્વની મહાન પ્રક્રિયા છે. તે એટલી વિરાટ વ્યક્તિ બની જાય છે કે તેની સામે પછી શત્રુ જેવી બીજી કોઈ વ્યકિત નથી રહેતી. ભગવાન મહાવીરને જુઓ. બીજ સાધકને જુઓ. તે બધા પિતાની સાધના દ્વારા જ મહાન બન્યા હતા. પરંતુ કેટલાક ગૃહસ્થો પણ એટલા મહાન હોય છે કે તેમના પ્રસંગ જોઈને વાંચીને આશ્ચર્યચકિત થઈ જવાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન એવી જ વ્યક્તિઓની ટિમાં હતા. તેમનામાં મૈત્રીનું બીજ એટલું વિકસિત થઈ ચૂકયું હતું કે તેની કલ્પના પણ નથી કરી શકાતી. કોઈપણ વ્યક્તિ રસ્તામાં મળે, અભિવાદન કરે તો સ્વયં લિંકન પોતાનો ટોપ ઉતારીને અભિવાદન કરતા. લેકે કહેતા, આપ રાષ્ટ્રપતિ છે, આપશ્રીએ પિતાના પદના ગૌરવનું ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય માણસનું અભિવાદન આપ ટોપ ઉતારીને કરે છે, એ શોભા નથી આપતું. લિંકન કહેતા : શિષ્ટતાના ક્ષેત્રમાં હું કેઈથી પાછળ રહેવા નથી ઈચ્છતે. શિષ્ટતા આપણો ધર્મ છે. શત્રની સમાપ્તિ કેવી રીતે? એકવાર કેટલાક લેકેએ લિંકનને કહ્યુંઃ આપના હાથમાં સંપૂર્ણ સત્તા છે. આપ તેને ઉપયોગ પિતાના શત્રુઓને સમાપ્ત કરવામાં શા માટે નથી કરતા? પિતાના વિરોધીઓને સમાપ્ત કરવાને આ સુવર્ણઅવસર છે. આપ તેમને કચડી કેમ નથી નાખતા ? રાજનીતિ કહે છે કે તે જ સમજદાર નેતા હોય છે જે વિરોધીઓના અસ્તિત્વને ઊખેડીને ફેંકી દે. આપ એવું ન કરીને એક ભયંકર ભૂલ કરી રહ્યા છે. આ ભૂલનું ભયંકર પરિણામ ભોગવવું પડશે. લિંકને કહ્યું કે જે આપ કહે છે તે જ હું કરી રહ્યો છું. હું પોતાના શત્રુઓને મારી રહ્યો છું. વિરોધીઓને સમાપ્ત કરી રહ્યો છું. આપ ચકિત ન થતા. જેટલા ૨૫૫ Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ મારા શત્રુ છે તે બધાને હું મારા મિત્ર બનાવી રહ્યો છું. તેમની સાથે શિષ્ટ વ્યવહાર કરીને તેની શત્રુતાને જોઈ રહ્યો છું. ઘેડા સમય પછી તે બધા મારા મિત્ર બની જશે. શું આ શત્રુઓ, વિરોધીઓને સમાપ્ત કરવું નથી ? આટલી વિરાટ ચેતના, આટલી વિરાટ કલ્પના જ્યારે કઈ ગૃહસ્થમાં જાગે છે ત્યારે પ્રતીત થાય છે કે ચેતનાનો વિકાસ ક્યાંય પ્રતિબદ્ધ નથી. જ્યારે તે ચેતના જાગે છે ત્યારે એક અકલ્પિત અવસ્થાની સ્થિતિ ઉપલબ્ધ થઈ જાય છે. ઇકેલેજી : અહિંસા જગતને વિકાસ આરાધનાનું કેટલું મહત્વપૂર્ણ સૂત્ર છે—મૈત્રીને વિકાસ. મૈત્રીના વિકાસ માટે શક્તિનો વિકાસ અને શક્તિના વિકાસ માટે સહિષ્ણુતાને વિકાસ, નિર્મળતાને વિકાસ-જ્યારે આ બધા વિકાસ આપણું ચેતનામાં ઘટિત થાય છે ત્યારે દષ્ટિનું રૂપાન્તરણ થાય છે. આપણે ત્યારે ખરેખર ધકેલેજીના સિદ્ધાંતની પરિધિમાં આવી જઈએ છીએ. આ આજની નવી શાખા છે. પરંતુ આ શાખાને વિકાસ જેટલો અહિંસાના જગતમાં થયો છે, આજે તો તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે ખૂબ જ ઘેડા અંશમાં. પરસ્પરાવલંબન, સહયોગ અને પરસ્પર નિર્ભરતા–આ બધા પ્રકૃતિના કણકણથી જોડાયેલા છે. આ બધા અહિંસાના સિદ્ધાંતમાં ખૂબ વિકસિત થયા છે. ઉદાસ ચેતનાની પરિણતિ જયાચાયે આ બધી ધારણાને ખૂબ સરળ શબ્દોમાં સુંદર અભિવ્યક્તિ આપી છે. જ્યારે સાધક પિતાની ઉદાત્ત ચેતનાની ભૂમિકા પર આરોહણ કરીને બેસે છે તો તે આ જ ભાવનાની અભિવ્યક્તિથી શરૂ કરે છે. દુનિયામાં જેટલા જીવ છે, તેમના પ્રત્યે જાયે-અજાણે મેં આ જન્મમાં કે ગયા જન્મમાં કેઈ અપરાધ કર્યો હોય, કેઈનું અતિક્રમણ કર્યું હોય તે હું બધાનું પ્રાયશ્ચિત્ત કરું છું, સહન કરું છું બધી નબળાઈઓને, અને તેમનાથી ક્ષમાયાચના કરું છું. જ્યારે આ સ્વર અંતર આત્માની ભૂમિકામાં મુખર થાય છે ત્યારે આવી વર્ષા વરસે છે જેનાથી બધે મેલ ધોવાઈ જાય છે. આપણું ચેતનાનું આકાશ પણ નિર્મળ અને ચમક્તા તારાઓથી યુક્ત થઈને દિગ દિગન્તને આલેક્તિ કરે છે. ૨૫૬ Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૮ બ્રેન વોશિગ Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન : ૮ સંકેતિકા in ધર્મ કરનાર વ્યક્તિમાં સુખ અને દુઃખ–આ બંને જ હોય છે. એની વચ્ચે કેઈ ત્રીજુ નથી હોતું-સુખ દુઃખ આપનાર કેઈ નથી હોતું. ધર્મ ન કરનાર વ્યક્તિમાં સુખ અને દુઃખ—એ બંને જ માત્ર નથી હતાં. એની વચ્ચે ત્રીજુ એક હોય છે–સુખ આપનાર પણ હોય છે. ધાર્મિક વ્યક્તિની વિશેષતાઓ૦ સુખ દુઃખની જવાબદારી પિતાના પર જ લઈ લે છે. ૦ કષ્ટમાં સંતુલન ગુમાવતા નથી. ૦ શારીરિક અને માનસિક સુખ-દુઃખને માનતા જ નથી. તેનાથી આગળ આત્મિક સુખના અસ્તિત્વને પણ સ્વીકાર કરે છે. તેનું લક્ષ્ય હોય છે–ઇન્દ્રિયાતીત, મને તીત અને બુદ્ધિથી અતીત સુખને ઉપલબ્ધ કરવું. ૦ ત્રણ પ્રક્રિયાઓ–ગનિદ્રા, સમેહન, કાર્યોત્સર્ગ. ૦ ભાવનાને અર્થ છે–બ્રેન શિંગ, મસ્તિષ્કની ધોલાઈ. ૦ મંત્રપ્રયોગ અને ભાવનાપ્રયોગ એક જ છે. ૦ ભાવના બળને વધારનાર સાધને. ૦ ભાવનાની પ્રક્રિયા અજ્ઞાત સુધી પહોંચવાની પ્રક્રિયા. ૦ આરાધનાનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે–ભાવનાગ, ૨૫૮ Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ બેન શિંગ બંને વચ્ચે અંતર શું છે? એક ધાર્મિક જિજ્ઞાસા કરી : એક માણસ ધર્મ કરે છે અને દુખ પણુ ભગવે છે. એક માણસ ધર્મ નથી કરતો, તોપણ સુખ ભેગવે છે. સુખ ઘણું ઉપલબ્ધ છે, તો પછી ધર્મ કરવાથી શો લાભ થયો? ધર્મ કરનાર પણ સુખ અને દુઃખ–બંને ભોગવે છે અને ધર્મ નહિ કરનાર પણ સુખ દુઃખ બંને ભેગવે છે, પછી બંનેમાં અંતર જ શું રહ્યું ? આપણે જીવનની બધી ઉપલબ્ધિઓની કસોટી સુખ અને દુઃખને માની લીધી છે. એક કસોટી સુખ છે અને બીજી કસોટી દુઃખ છે. એ બંનેને આધારે સમગ્ર દુનિયાની મીમાંસા કરીએ છીએ. સમગ્ર આચાર અને વ્યવહારની સમીક્ષા કરીએ છીએ. એ બેથી દૂર ત્રીજ પર આપણી દષ્ટિ જતી જ નથી. ત્રીજું પણ કઈ તત્વ છે, તેની આપણને ખબર જ નથી. આપણે બધી વાતોને સુખદુઃખની કસોટી પર કરીએ છીએ. છે અને ત્રણનું અંતર પ્રશ્ન સ્વાભાવિક હતો. આ પ્રશ્ન કેઈ એક વ્યક્તિને નથી. હજારો-હજારો ધામિકે આ પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નને લઈને ઘણી ગૂંચવણે પેદા થઈ છે. કંઈ કેટલીયે વ્યક્તિ આસ્તિકમાંથી નાસ્તિક બની જાય છે. પરંતુ એક વાત છે, ધર્મ કરનારમાં એક વિશેષ વાત જે હોય છે તે ધર્મ ન કરનારમાં કદી પણ નથી હોતી. ધર્મ કરનાર વ્યક્તિમાં સુખ અને દુઃખ આ બે જ હોય છે; ત્રીજુ કાઈ નથી હોતું. આ એક ખાસ વાત છે. અને એ એક આશ્ચર્યકારક ઘટના છે. ધર્મ ન કરનાર વ્યક્તિમાં સુખદુ:ખ–બંને જ હતાં નથી, ત્રીજુ પણ હોય છે. તે ત્રીજુ તત્વ–સુખદુઃખ આપનાર. ખૂબ મેટો તફાવત પડી ગયા. એક તરફ બે તત્વ કામ કરે છે અને બીજી તરફ ત્રણ તત્વ કામ કરે છે. જે વ્યક્તિમાં ધર્મનું આચરણ નથી, ધર્મની દષ્ટિ નથી, તે જ્યારે પણ દુઃખી થાય છે ત્યારે સર્વ પ્રથમ એ વિચારે છે–તેણે મને દુઃખી કરી દીધા. બધી વાત ત્યાં ગૂંચવાઈ જાય છે. તે પિતાના આચરણને જેવાને કદી પ્રયાસ જ નથી કરતા. સીધું બીજ પર ધ્યાન જાય છે. કલ્પનાની જાળ એટલી ફેલાય છે કે તેમાં અનેક વ્યક્તિ ફસાઈ જાય છે, ૨૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ અને તે બધા પ્રત્યે તેના મનમાં ઘણું અને દ્વેષને ભાવ જાગે છે. ત્યાં ત્રણ થઈ જાય છે–દુઃખ, દુઃખ પ્રાપ્ત કરનાર અને દુઃખ આપનાર. બધી જવાબદારી આપણું છે જે વ્યક્તિ ધર્મનું આચરણ કરે છે, જેની દષ્ટિ ધર્મ પર ટકેલી હોય છે, તેની સામે ત્રીજુ કાઈપણ નથી હોતું. તેની સામે માત્ર બે જ હેાય છે–સુખ કે દુઃખ. ત્યાં સુખદુઃખ આપનાર કોઈ ત્રીજું નથી હોતું. પિતાના સિવાય કોઈ સુખ દેનાર નથી અને ન કોઈ દુઃખ આપનાર. આ ઘણું મોટી ઉપલબ્ધિ છે. અહીં માત્ર બચે છે–પિતાનું આચરણ. બધું ધ્યાન પોતાના આચરણ પર કેન્દ્રિત થાય છે, પોતાના વ્યવહાર પર અને પિતાની ક્રિયા પર. તેને આચરણના પરિમાર્જનનો અવસર મળે છે. તેને વ્યવહારના શોધન અને ક્રિયાના પરિષ્કારને અવસર મળે છે. આ અવસર ધર્મમાં વિશ્વાસ ન કરનારને કદી મળતો નથી. તે પિતાના . આચરણ અને પોતાની ક્રિયાને કયા આધારે પરિસ્કૃત કરે ? તે વિચારતો જ નથી કે આ પરિણામ મારી પિતાની જ પ્રવૃત્તિનું છે. તે બધું જ બીજા સાથે જોડીને છુટી મેળવી લે છે અને પોતાને બચાવી લે છે. પિતાની જાતને બચાવી લેવાને આ સુંદર ઉપાય છે. ખૂબ અજ્ઞાનપૂર્ણ ઉપાય છે. બીજો સામે આવી ગયો, પોતે બચી ગયા. સસલું પણ આવું જ કરે છે. તે પિતાના લાંબા કાનોથી આંખને ઢાંકીને વિચારે છે–હવે મને કંઈ જોઈ શકતું નથી. હું સલામત છું. આ વિચારીને તે પિતાની જાતને છુપાયેલી અનુભવે છે. મને લાગે છે, જેની દષ્ટિ સમ્યફ નથી હોતી તે પણ બીજની ઓટમાં પિતાની જાતને છુપાવી દે છે. તે બધે જ આરોપ બીજા પર આરેપિત કરી દે છે. ધાર્મિક મનુષ્ય એવું નથી કરતો. તે બધી જ જવાબદારી પિતાના પર ઓઢી લે છે, બીજા કેઈને જવાબદાર નથી લખતો. બધાં પરિણામોની જવાબદારી તે પિતાના પર લઈ લે છે, બીજાને એને ભાગી નથી બનાવતા. તે વિચારે છે–કક્યાંક મારાથી ભૂલ કે ત્રુટિ થઈ છે. તેનું આ પરિણામ છે. જ્યારે વ્યક્તિ પિતે પિતાની જવાબદારીનો અનુભવ કરવા. લાગે છે ત્યારે દિશા બદલાઈ જાય છે, પ્રકૃતિ બદલાઈ જાય છે અને આચારને એક નવો આધાર મળી જાય છે. પિતાની જવાબદારીને અનુભવ કરવો એ ખૂબ મોટી વિશેષતા છે. એમાં કોઈ ત્રીજે વચમાં નથી આવતો. આ છે ધાર્મિક વ્યક્તિની વિશેષતા. Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ તેની બીજી વિશેષતા એ છે કે તે પ્રત્યેક કષ્ટને સમતા-ભાવથી સહન કરે છે. કચ્છમાં તે પિતાનું સંતુલન ગુમાવતા નથી. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કષ્ટ આવે છે. કષ્ટ સહન કરવાનાં હોય છે. એનાથી કોઈ બચી નથી શકતું. ભલે માણસ બીજાઓને ગમે તેટલો દોષ દે, ગાળા દે, કંઈ પણ કરે, કષ્ટ તો તેણે ભોગવવું જ પડે છે. કેટલીક વ્યક્તિ રડતાં રડતાં, વિલાપ કરતાં, કષ્ટ ભોગવે છે. તેમની સ્થિતિ ખૂબ દયનીય બની જાય છે. તે અસમ્યગદષ્ટિ છે. જે સમ્યગદષ્ટિ હોય છે, ધામિક હેાય છે, તે કષ્ટ આવે ત્યારે તેને શાંતભાવે સહન કરે છે. તે પોતાની સમતા ગુમાવતા નથી. રડવાની વાત તો દૂર, તે માંથી ઉફ સુદ્ધાં ઉચ્ચારતા નથી. તે પિતાના ભેદ વિજ્ઞાન દ્વારા કષ્ટને અકષ્ટમાં બદલી નાખે છે. બીજાને ખબર નથી પડતી કે તે કષ્ટમાં છે, કષ્ટ ભોગવી રહી છે. કષ્ટને સહન કરવાની પ્રક્રિયા અને કચ્છને અનુભવની પ્રક્રિયા વચ્ચે ઘણું મોટું અંતર છે. સુખના ત્રણ પ્રકાર ત્રીજી વિશેષતા આ છે : અજ્ઞાની કે અધાર્મિક મનુષ્યની સામે સુખ અને દુઃખ એ બે જ હોય છે. શરીરનું સુખદુઃખ અને મનનું સુખદુઃખ. બસ આ જ સીમા છે. એનાથી આગળ કેઈ સુખ નથી હોતું. કઈ દુઃખ નથી હોતું. ધાર્મિક મનુષ્ય સમક્ષ ત્રીજા પ્રકારનું સુખ વળી હોય છે તે છે–આમિક સુખ. શારીરિક અને માનસિક સુખ સિવાય પણ એક બીજું સુખ છે, તે છે, અનુભવનું સુખ, ચૈતન્યનું સુખ, આત્માનું સુખ. અજ્ઞાની મનુષ્યને આ સુખની કલ્પના પણ નથી આવી શક્તી. તે એક સીમાબદ્ધ સુખનો અનુભવ કરે છે. જીભને સ્વાદ આવ્યો. મેટું સુખ મળી ગયું. પ્રિય શબ્દો સાંભળ્યા, સંગીત સાંભળ્યું, મેટું સુખ મળ્યું. સારી ગંધ આવી, મન આનંદથી ભરાઈ ગયું, મોટું સુખ મળ્યું. આખો વડે સુંદર રૂપ જોયું, મોટું સુખ મળ્યું. આંખે તૃપ્ત થઈ ગઈ. કોમળ સ્પર્શ મળે, સુખની ચેતના જાગી ગઈ. પ્રશંસા મળી સન્માન મળ્યું, મોટી તૃપ્તિ મળી ગઈ. તેનાં બધાં સુખની કલ્પની ઇન્દ્રિયવિષયમાં સમાઈ જાય છે. ઈન્દ્રિય વિષયો સિવાય પણ સુખ અને આનંદ છે, તે વિચારી જ નથી શકતા. ધાર્મિક વ્યક્તિ સમક્ષ સુખ તે હોય છે, જે ઇન્દ્રિયો વડે નથી મળતું, ચિંતન અને કલ્પનાથી નથી મળતું. જે સુખ ઈન્દ્રિયોથી પર, મન અને બુદ્ધિથી પર હોય છે જ્યાં ઇન્દ્રિય, મન ૨૬૧. Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ અને ખુદ્ધિની સીમા સમાપ્ત થઈ જાય છે, ત્યાં તે જે ઉપલબ્ધ થાય છે તે છે વાસ્તવિક સુખ, આનંદ. અજ્ઞાત ચેતનાનું દ્વાર ખૂલે સદેહ થઈ શકે છે કે એવું કાઈ જગત છે જે ઇન્દ્રિયાતીત, મનાતીત અને બુદ્ધિથી અતીત હોય ? ખૂબ સ્વાભાવિક સ ંદેહ છે. આ સ્વાભાવિક એટલા માટે છે કે માનવી ઇન્દ્રિય, મન અને બુદ્ધિની સીમામાં જ પેાતાનું જીવન-યાપન કરે છે. તે એનેા ઉપયોગ કરે છે. એનાથી ખીજી કેાઈ દુનિયા છે, એનાથી દૂર કાર્ય અસ્તિત્વ છે, એનું એને જ્ઞાન જ નથી. આપણે એ જાણવું જોઈએ કે માનવીને જેટલી મેાટી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ તે બધી જ્ઞાત ચેતનાથી નહિ, અજ્ઞાત ચેતનાથી થઈ છે. જ્યાં સુધી જ્ઞાતને! ઝરૂખા ખુલ્લા રહે છે ત્યાં સુધી તેમાંથી કાઈ મેાટી વાત સામે નથી આવી શકતી. તે ઝરૂખામાંથી હવા આવી શકે છે. નાનાં મેટાં પંખી આવી શકે છે. ચકલી આવી શકે છે, કાગડા કે ખાજ આવી શકે છે. પરંતુ હાથી કદી આવી શકતા નથી. તેવી જ રીતે જ્ઞાત ચેતનાના ઝરૂખામાંથી સૂક્ષ્મ સત્યનુ અવતરણ નથી થઈ શકતું. જે ક્ષણે અજ્ઞાત ચેતનાનું દ્વાર ખુલે છે, જ્યારે આપણે જ્ઞાતથી અજ્ઞાત તરફ પ્રસ્થાન કરીએ છીએ ત્યારે આપણને એ ભાન થાય છે કે આપણું આ જાગ્રત મસ્તિષ્ક આપણા જ્ઞાનની ખૂબ નાની સીમા છે. આપણું સુપ્ત મસ્તિષ્ક ખૂબ મોટી સીમા છે. તે નાના અક્ષય ભંડાર છે, જે દિવસે આપણી અન્તર્દિષ્ટ જાગે છે. ઈન્સ્યૂશન પાવર જાગ્રત થાય છે ત્યારે માનવી અનુભવે છે કે જેને તે વિરાટ જગત માની રહ્યો હતા તે તે વિશાળ સાગરનું માત્ર એક બિન્દુ છે. સમ્યગ્દષ્ટ જાગવાથી સુખદુ:ખની કલ્પના બદલાઈ જાય છે. પ્રશ્ન છે, આંતરિક ચેતનાનું જાગરણ, અજ્ઞાત મસ્તિષ્કનું જાગરણ કેવી રીતે સાઁભવ થઈ શકે છે? આ દૃષ્ટ સુખથી દૂર પણ ખીજું એક સુખ છે, એ કેવી રીતે અનુભવાય છે? એ કેવી રીતે સ’ભવ થઈ શકે છે કે કષ્ટતે શાંત ચિત્તથી સહન કરી શકે? એ કેવી રીતે સાઁભવ હાઈ શકે છે કે સુખની ઘટના બનવાથી ત્રીજી વ્યક્તિને વચ્ચે ન લાવીએ. નિમિત્તને સામે ન લાવીએ અને ઉપાદાન સુધી જ રહી જઈએ ? Jain Educationa International ૨૬૨ For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ભાવનાચેાગના વિભિન્ન પર્યાય આ સંભાવના પર જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એક મહત્ત્વપૂર્ણ પ્રયાગ તરફ ધ્યાન જાય છે. તે છે ભાવનાયેાગના પ્રયોગ. જયાચાર્ય આરાધનાના પ્રકરણમાં ભાવનાયેાગનું ખૂબ માર્મિક વિશ્લેષણ કર્યુ” છે. મનુષ્ય ભાવના દ્વારા જૂના સસ્કારોને ધોઈ નાખે છે. શતાબ્દીઓથી જે જામી ગયેલા સંસ્કારા હેાય છે, તે ભાવનાયેાગથી ધાવાઈ જાય છે, નવા સૌંસ્કાર આવી જાય છે. ત્રણ પ્રક્રિયાએ છે—યાગનિદ્રા, સમ્મેાહન અને કચેત્સ, કેટલીક પર પરાઓમાં યેનિદ્રાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેટલીક પરંપરાએ સમ્મેાહનને મહત્ત્વ આપે છે. જૈન પર પરામાં કાયોત્સર્ગનુ ધણું મહત્ત્વ છે. આ ત્રણેયમાં ભાવનાનું મહત્ત્વ જોડાય છે. ભાવનાને સમ્મેાહન, સ્વસ`મેાહન પણ કહી શકાય છે, યોગનિદ્રા અને કાયાત્સગ પણ કહી શકાય છે. આજની ભાષામાં ભાવનાનેા અર્થ છે—બ્રેન વેશિંગ (Brain Washing). એને અર્થ છે—મસ્તિષ્કની ધેાલાઈ, રાજનીતિના ક્ષેત્રમાં બ્રેન વાશિંગની પ્રક્રિયા ખૂબ પ્રચલિત છે. એનું પ્રયાજન છે—જૂના વિચારાની ધેાલાઈ કરી તેને સ્થાને નવા વિચાર। ભરી દેવા. આ ખૂબ પ્રચલિત પ્રક્રિયા છે, જેના પ્રયાગ પ્રત્યેક રાષ્ટ્ર કરે છે. બ્રેન વાશિંગનું મુખ્ય સાધન—ભાવના ભાવના મસ્તિષ્કની ધોલાઈ કરવાનું ઘણું મેટું સાધન છે. એક જ વાતનુ` વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે, તેની પુનરાવૃત્તિ કરતા જાય, એવું કરતા કરતા એક ક્ષણ એવી આવે છે કે જૂના વિચારા છૂટી જાય છે અને નવા વિચારા ચિત્તમાં જામી જાય છે. જ્યાં સુધી આપણી આ ભાવના દૃઢ થયેલી છે, કે સુખ દુઃખ આપનાર કેાઈ ત્રીજી વ્યક્તિ છે ત્યાં સુધી માનવીનું રૂપાંતરણ નથી થતું. ભાવનાયેાગ દ્વારા જ્યારે આ વિચારની ધેાલાઈ થઈ જાય છે, તે વિચારને ઊખેડી નાખવામાં આવે છે ત્યારે સુખ દુઃખની ક્રાઈપણું ઘટના બનવાથી માનવી એ નહિ માનશે કે સુખ દુઃખ આપનાર પેાતાના સિવાય કાઈ ખીજી વ્યક્તિ છે. માનવી પછી એ જ વિચારશે, મેં એવું જ કાઈ કૃત્ય કર્યું. છે, કોઈ એવુ ૨૬૩ Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ આચરણ કર્યું છે, તેનું જ આ પરિણામ સામે આવી રહ્યું છે. સંપૂર્ણ દૃષ્ટિ પોતાની સીમામાં ચાલી જશે. ભાવનાગ એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે– પરિવર્તનની, દષ્ટિ બદલવાની. પ્રશ્ન થાય છે, શું એક વાત વારંવાર ઉચ્ચારવાથી તે સંસ્કાર ધોવાઈ જાય છે. નાઝીઓનું આ પ્રસિદ્ધ સૂત્ર હતું કે એ એક જૂઠાણાને હજારવાર દોહરાવવાથી સાચું બની જશે. હજાર વખત પુનરુચ્ચારણ કરવાથી એક અસત્ય સત્ય બની જાય છે. તો શું હજાર–લાખવાર પુનઃઉચ્ચારણ કરવાથી સત્ય સત્ય નહિ બનશે? આવૃત્તિનું પણ પોતાનું મહત્વ છે. આજે વિજ્ઞાનને વિદ્યાર્થી જાણે છે કે સૂકમ તથ્યને પકડવા માટે આવૃત્તિ પર જ ધ્યાન આપવાનું હોય છે. કઈ કઈ ફ્રિકવન્સીમાં શું શું પકડી શકાય છે તે જાણે છે. મંત્ર સિવિદ કેવી રીતે? સમગ્ર આકાશ સ્વનિઓના પ્રકંપનોથી ભરેલું છે. પરંતુ આપણા કાન કે અન્ય યંત્રો બધા વિનિઓને પકડી નથી શકતા. બધા અમુક અમુક ધ્વનિ-પ્રકંપનેને જ પકડી શકે છે. આ પણ આવૃત્તિના સિદ્ધાંત પર જ ફલિત થાય છે. તરંગોની દીર્ઘતા અને તરંગની હસ્વતા, લાંબા તરંગો અને ટૂંકા તરંગો, વેવલેંગ્યને પકડવી અને આવૃત્તિઓને પકડવી– આ બંને તથ્યોની જ્યારે ખબર પડે છે ત્યારે ભાવનાનું મૂલ્ય આપમેળે સમજાઈ જાય છે. આપણે ભાવનાની કેટલી આવૃત્તિ કરીએ છીએ, ક્યા તરંગની લંબાઈ-પહેળાઈની સાથે કરીએ છીએ, તેટલી જ આપણું સંસ્કારોની ધોલાઈ થતી જાય છે. મંત્ર વિજ્ઞાનનો આ જ સિદ્ધાંત છે. જે મંત્રનો પ્રયોગ કરનાર એ નથી જાણતા કે ક્યા મંત્રનું કઈ આવૃત્તિમાં ઉચ્ચારણ થવું જોઈએ, કેટલા તરંગ સાથે થવું જોઈએ, તે મંત્ર ખૂબ ઈષ્ટકારક નથી હોતો. તે લાભદાયી નથી હોતા. મંત્રને દેવતા હોય છે. મંત્રને છંદ હોય છે અને મંત્રને વિનિયોજક હોય છે. તેના વિનિયોગમાં તે બધી વાત આવે છે. અનુભવી મંત્ર સાધક પિતાના શિષ્યને બતાવે છે–મંત્રનું ઉચ્ચારણ કયા લયમાં કરવું જોઈએ? કેટલી વાર કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ? જ્યાં સુધી મંત્ર-સાધક ઉચ્ચારણના હસ્વ-દીધી, લુત, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત વગેરે ભેદ-પ્રભેદને પૂર્ણપણે જાણી નથી લેતો ત્યાં સુધી મંત્રનો જપ ઇષ્ટ પરિણામદાયક નથી બનતો. ૨૬૪ Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ સાધક એનું જ્ઞાન મેળવ્યા વગર દસવર્ષ પણ મંત્ર જાપમાં લાગી રહેવ. છતાં તેને કાઈ લાભ નથી થઈ શકતા. મંત્ર જાપથી જે વિદ્યુત ઊર્જા પેદા થવી જોઈએ તે નથી થતી અને મંત્ર સિદ્ધ પણ નથી થતા. ભાવનાને પ્રયાગ આ આધાર પર કરવામાં આવે છે કે વારંવાર તે ભાવનાની આવૃત્તિઓ કરે, તરંગા પેદા કરે અને એવું કરતા જ રહે, કરતાં કરતાં એક બિન્દુ એવું આવે છે જ્યાં પહેાંચીને જૂના સસ્કારી ઊખડી જાય છે અને નવા સૌંસ્કારી દૃઢ થાય છે. આ ચમત્કારના પણ માર્ગ છે અને આત્માના રૂપાન્તરણને પણ મા છે. ભાવના પ્રયાગના ચમકાર મંત્ર પ્રયાગને ભાવનાના પ્રયાગ પણ કહી શકાય છે. તે એનાથી ભિન્ન નથી. આ સમ્મેાહનના પ્રયાગ તા છેજ. જે વ્યક્તિએ પેાતાની પ્રાણશક્તિને પ્રખર કરી છે, તે જો સામેની વ્યક્તિને કંઈપણ સૂચના સુઝાવ આપે છે તેા સામેની વ્યક્તિની જાગ્રત ચેતના સૂઈ જાય છે અને ત્યારે તે પ્રત્યેક સુઝાવને (સૂચનાને) તેમ જ માનવા લાગી જાય છે. ખૂબ વિચિત્ર વાત છે. મેાટા ચમત્કાર છે. સૂચના આપનાર વ્યક્તિ સામેની વ્યક્તિના હાથમાં ફૅરી આપીને કહે છે કે તમે અંગારા ખાઈ રહ્યા છે. ન તા તેને કેરીના રસને સ્વાદ આવશે અને ન ખીજું કંઈ તે અગારાના જ અનુભવ કરશે. સમ્માહનના પ્રયાગ કરનાર કહેશે : અંગારાથી તમારું માં બળી રહ્યું છે, ફેાલ્લા ઊઠી રહ્યા છે. સમ્માહિત વ્યક્તિનું માં બળવા લાગશે, ફેાલ્લા ઊઠી જશે. જેમ ભળવાથી ફાલ્લા થાય છે, તેવા જ ફાલ્લા કેરી ખાવાથી ઊડશે. શું આ કંઈ ઓછે ચમત્કાર છે. હિપ્તાટિઝમના પ્રયાગ કરનાર આ પ્રકારની અનેક આશ્ચર્યકારક વાતા પ્રસ્તુત કરે છે. સસુદ્ધાત : માણુશક્તિના પ્રયાગ ચેતનાને સુવડાવી દેવાથી વિચિત્ર વાત બને છે. ચેગ-નિદ્રા દ્વારા જ્યારે ચેતનાને સુવડાવી દેવામાં આવે છે, કાયાત્સગ વડે જ્યારે ચેતનાને શાંત અને સમાધિસ્થ કરવામાં આવે છે ત્યારે વિચિત્ર અનુભવ થાય છે. વ્યક્તિ સૂતેલી છે પણ એને લાગે છે કે તે આકાશમાં તરી રહી છે, અદ્ધર લટકી રહી છે. આ બધા પ્રાણુશક્તિના પ્રયાગ છે. પ્રાણ બહાર Jain Educationa International ૨૬૫ For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ જઈ શકે છે, બીજામાં પ્રવેશ કરી શકે છે અને આશ્ચર્યકારક ઘટના કરી શકે છે. ભાવનાને પ્રયોગ પણ પ્રાણ સાથે સંબંધિત છે. યોગનિદ્રા, સમ્મોહન અને કાર્યોત્સર્ગ–આ બધા પ્રાણ સાથે સંબદ્ધ છે. બધા પ્રાણને ચમત્કાર છે, તેજસ શરીરના ચમત્કાર છે. ત્યાંથી તેજનાં કિરણો કુટે છે, નીકળે છે, ફેલાય છે અને વિવિધ પ્રકારની ઘટનાઓ બનતી જૈન દર્શનની ભાષામાં એને “સમુદ્યાત'ની પ્રક્રિયા કહેવામાં આવી છે. તે માત્ર સાધના દ્વારા જ નથી થતી, અન્ય પરિસ્થિતિઓમાં પણ થાય છે. વ્યક્તિ ખૂબ બીમાર છે, ખૂબ કષ્ટ ભોગવી રહી છે, આખું શરીર તરફડી રહ્યું હોય, અકળાઈ રહ્યું હોય, એ સ્થિતિમાં પણ પ્રાણુ શરીરમાંથી બહાર નીકળે છે. હું ઓપરેશન જોઈ રહ્યો હતો આજના પ્રોજેકશનને આ જ સિદ્ધાંત છે. સૂક્ષ્મ શરીરનું વિશ્લેષણ આજના અધ્યયનને વિષય છે. પરા-મનોવિજ્ઞાનના અધ્યેતા એને ઊંડાણથી જોઈ રહ્યા છે. મેં એક પુસ્તક વાંચ્યું–જેકશન ઑફ એન્ટ્રલ બેડી. એમાં એટલી વિચિત્ર ઘટનાઓ છે, જેને વાંચીને માણસ આશ્ચર્યચકિત રહી જાય છે. એક મેજર ઓપરેશન થઈ રહ્યું છે. રોગી ટેબલ પર બેહોશ સૂઈ રહ્યો છે. ડૉક્ટર પોતાનું કામ કરી રહ્યા છે. રોગીનું પ્રાણશરીર નીકળે છે. અને આકાશમાં અધર તરવા લાગે છે. ઓપરેશન કરતા કરતા ડોકટર ભૂલ કરે છે તરત જ એક ધીમો અવાજ આવે છે– ડોક્ટર! તમે ભૂલ કરી રહ્યા છે. ડોકટર સાંભળે છે અને અવાક્ થઈ જાય છે. તે આસપાસ જુએ છે, કેઈ બેલતું નથી. તે છે, તેમને સહયોગી ડેકટર છે, નર્સ છે. બીજો કોઈ માણસ નથી. કેણે કહ્યું – ડોકટર! તમે ભૂલ કરી રહ્યા છે. ખૂબ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પિતાની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું તો તેમને લાગ્યું કે ખરેખર તે ભૂલ કરી રહ્યા છે. પોતાની ભૂલ સુધારી. ઓપરેશન પૂરું થયું. રોગીને ભાન આવ્યું. રોગી બે : ડોક્ટર! તમે ઓપરેશન કરી રહ્યા હતા. હું ઉપરથી બધું જ જોઈ રહ્યો હતો. એકવાર મેં તમને ટોક્યા. તમે ભૂલ સુધારી લીધી. Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રાણશક્તિની સાથે ભાવનાની યુતિ આ બધે પ્રાણશક્તિને ચમત્કાર છે. બીમારી વખતે પ્રાણ શરીરની બહાર નીકળે છે. કેઈકવાર માણસ તીવ્ર ગુસ્સામાં હોય છે ત્યારે પણ પ્રાણશક્તિ બહાર નીકળે છે અને ખૂબ દૂર સુધી ચાલી જાય છે. તીવ્ર ક્રોધની સ્થિતિમાં જ્યારે માનવી કેઈને શાપ આપે છે ત્યારે પ્રાણશક્તિ વ્યક્તિના શરીરની બહાર નીકળે છે, અને જે વ્યક્તિ પર ક્રોધ આવ્યું છે ત્યાં જઈને કંઈક ને કંઈક અનિષ્ટ કરે છે. તેને એની ખબર જ નથી પડતી કે આ અનિષ્ટ કોણે કર્યું છે. ખબર કેવી રીતે પડે? કરનાર સ્થૂળ નથી. એ બને છે સૂક્ષ્મ દ્વારા. સમુદ્યાત છે. પ્રાણ વિસર્જનની પ્રક્રિયા, સંમેહનની પ્રક્રિયા, સમુદ્ધાતની પ્રક્રિયા અને ભાવનાની પ્રક્રિયા–આ બધામાં પ્રાણેને નિસર્ગ થાય છે. જેની ભાવના પરિપક્વ થઈ જાય છે, સિદ્ધ પુરુષ કે ભાવિતાત્મા થઈ જાય છે, તેનામાં અપૂર્વ સિદ્ધિઓ હોય છે તે અકલ્પિત ઘટનાઓ સર્જી શકે છે. તે ઈચ્છિત વસ્તુઓનું નિર્માણ કરી શકે છે, ભાવના દ્વારા પ્રાણની એટલી બધી ક્ષમતા વધી જાય છે કે તે સિદ્ધ પુરુષ બની જાય છે. ભાવિતામાં વ્યક્તિ જે પદાર્થ જગત પર પિતાને અધિકાર જમાવી લે છે, તેવો જ ચેતના જગત પર પણ અધિકાર મેળવી લે છે. તે ઈચછે તેવું રૂપાન્તરણું કરી શકે છે. ભાવનાને સાધવાની જરૂર છે. જ્યારે ભાવના સિદ્ધ થઈ જાય છે ત્યારે તેને બદલવાનું સરળ થઈ જાય છે. લોકવ્યવહારમાં આદતને બદલવી અસંભવ માનવામાં આવે છે. તેને આપણે અસંભવ ન માનીએ તાપણું અસંભવની લગભગ . તે છે જ. ગૃહસ્થની વાત છેડી દઉં છું. જે સાધુ સંન્યાસી છે, જે તપસ્વી અને એકાંતમાં સાધના કરનાર છે, જે દિવસભર સ્વાધ્યાયમાં રત રહેનાર છે, તે પણ આદતોનું રૂપાન્તરણ કરવામાં સક્ષમ નથી લેતા. તે એને અત્યન્ત મુશ્કેલ માને છે. હકીકતમાં એ છે પણ મુશ્કેલ, પરંતુ જે વ્યક્તિ ભાવનાના ચિરકાલીન પ્રવેશ કરે છે. પ્રાણશકિતને ભાવના સાથે જોડી દે છે, તે વ્યક્તિ જ્યારે છે ત્યારે આદતોમાં પરિવર્તન લાવી શકે છે. તેની સંકલ્પશકિત કે ભાવનાશકિત એટલી પ્રબળ થઈ જાય છે કે જ્યારે ઈચ્છા કરે, જે છે તે તરત જ બની જાય છે. પિતાને માલિક પ્રભુ છે પહેલો પ્રશ્ન આદતને બદલવાનું નથી. પહેલો પ્રશ્ન છે ભાવનાને જગાડવાન. ધાર જેટલી તેજ હશે, તેટલો જ તે ઊંડો ઘા કરશે. શસ્ત્રની ૨૬૭ Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ધાર જે તેજ હશે તો તે તેટલી જ તીવ્રતાથી કેઈપણ ચીજને કાપી શકશે. નહિ તો નહિ. જ્યારે આપણે પ્રાણશક્તિની ધાર તીવ્ર બનાવી લઈએ છીએ, ભાવનાની ધાર તેજ કરી લઈએ છીએ ત્યારે બદલવાની વાત સહજ પ્રાપ્ત થઈ જાય છે. ભાવનાની ધાર ત્યારે તેજ થઈ જાય છે જ્યારે ભાવનાને નિરંતર અભ્યાસ કરવામાં આવે છે. ભાવનાને શક્તિ મળે છે અવચેતન મન દ્વારા. આપણે ધ્યાન ધરવા બેસીએ છીએ, પ્રેક્ષાને અભ્યાસ કરીએ છીએ, ચિત્તને વિકપમુક્ત કરીએ છીએ, તો પ્રશ્ન થાય છે કે એનાથી શું થશે? એનાથી ઘણું બધું થશે. જેટલી શાંતિ, જેટલી સમાધિ, જેટલી નિર્વિકલ્પતા, જેટલું મૌન, જેટલી મનેગુપ્તિ, જેટલી વચનગુપ્તિ અને જેટલી કાયગુપ્તિ હશે, પ્રાણશક્તિ તેટલી જ પ્રબળ બનશે. ભાવનાનું બળ તેટલું જ વિકસિત થશે. ભાવનાની ધાર તીક્ષ્ણ હશે. પછી પ્રશ્ન થાય છે–એ શા માટે હશે? નિવિકલ્પતાની સ્થિતિથી જાગ્રત મસ્તિષ્ક સૂઈ જાય છે. અને સૂતેલું મસ્તિષ્ક જાગી જાય છે. જાગ્રત મસ્તિષ્કની શક્તિ ઓછી છે, તે એક સેવક સમાન છે. તે માલિક નથી. માલિક કોઈ ભીતર બેઠા છે જેની પાસે બધી ચાવીઓ છે. તે આખા ભંડાર પર અધિકાર કરી બેઠો છે, તેની પાસે તે સર્વ કાંઈ છે જે પ્રાપ્તવ્ય છે. માલિક ખૂબ ભીતર બેઠો છે. નિરંતર પ્રવૃત્તિ કરનાર મનુષ્ય, નિરંતર ક્રિયાશીલ રહેનાર પુરુષ, આ વાણીને, આ મસ્તિષ્કને અને આ શરીરને સદા ચલાવનાર મનુષ્ય કદી માલિક સુધી પહોંચી નથી શકતો. તેની પહોંચ ફક્ત બાહ્ય મસ્તિષ્ક સુધી જ હોય છે. તે નેકર સુધી જ હોય છે. આવી સ્થિતિમાં મોટી વાત કેવી રીતે બનશે ? મોટી વાત અને મોટી ઘટના બનવા માટે જરૂર છે માલિક પાસે પહોંચી જવાની. પિતાના પ્રભુ પાસે પહોંચી જવાની. અધિકારી પાસે પહોંચી જવાની, તેની પાસે પહોંચીને માનવી કહે છે કે મારે હવે આ નેકર પાસેથી કામ નથી લેવું, આપના શરણમાં રહેવું છે. આપની પાસેથી કામ લેવું છે. આપની પાસે અટૂટ ભંડારની જે ચાવીઓ છે તેને પ્રાપ્ત કરીને અમાપ ખજાનાને પ્રાપ્ત કરેલો છે. આપ વિજ્ઞાનનો ઈતિહાસ વાંચે. મોટા મોટા વૈજ્ઞાનિકે એ બતાવ્યું છે કે જ્યારે અમે સમાધિની સ્થિતિમાં હતા, અર્ધનિદ્રા જેવી સ્થિતિમાં હતા ત્યારે તે પરમ સત્યનું અવતરણ થયું. અમને તે સિદ્ધાંત જ્ઞાત થયો જે આજ સુધી અજ્ઞાત હતો. આ મેટી ઉપલબ્ધિ અચાનક થઈ. અમે ધન્ય થઈ ગયા. અમારો શ્રમ ફળ્યો. ૨૬૮ Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ આરાધના ભવનાગ છે ભાવનાની પ્રક્રિયા અજ્ઞાત સુધી પહોંચવાની પ્રક્રિયા છે આરાધનાનું એક ખૂબ મોટું સૂત્ર છે–ભાવનાગ. જે વ્યક્તિ ભાવનાયોગની સીમામાં ચાલી જાય છે, ભાવનાને અભ્યાસ શરૂ કરે છે, તે અજ્ઞાત શક્તિઓને જ્ઞાત જગતમાં લાવવાને માર્ગ ખેલી દે છે. આપણે આરાધના કરીએ. જ્ઞાન એક આરાધના છે. સ્વાધ્યાય એક આરાધના છે. આત્મનિરીક્ષણ અને આત્મવિશ્લેષણ એક આરાધના છે. પ્રેક્ષાધ્યાનને અભ્યાસ કરનાર વ્યક્તિ એ ન વિચારે કે દસ દિવસનો કીમતી સમય, મૂલ્યવાન સમય એમ જ વીતી ગયે. શું મળ્યું? તે એ વિચારે કે જીવનને બધો સમય એમ જ વીતાવી દીધા. દસ દિવસનો આ સમય સાર્થક થયો છે. પ્રભુ સુધી પહોંચવાની દિશામાં થયો છે. આ જ જીવનની સાર્થકતા છે. એનાથી મોટી બીજી કઈ સાર્થકતા હોઈ શકે છે? જે અપિણી દષ્ટિ સમ્યફ બની જાય, સાર્થકને સાર્થક અને નિરર્થકને નિરર્થક સમજવા લાગી જાય તો આપણને અનુભવ થશે કે જે ક્ષણ ચૈતન્યના સાન્નિધ્યમાં વીતે છે, તે ક્ષણ સાર્થક હોય છે. જે ક્ષણ પદાર્થના સાન્નિધ્યમાં વીતે છે, તે જીવનયાત્રા માટે સાર્થક થઈ શકે છે, પરંતુ અન્તર્યાત્રા માટે નહિ. પદાર્થની સનિધિ એક અપેક્ષા છે. એના વગર જીવન કેવી રીતે ચાલે? પરનું ચૈતન્યની સન્નિધિ એના કરતાં મૂલ્યવાન છે. આ વાત પ્રેક્ષાધ્યાનના વિભિન્ન પ્રયોગથી સમજમાં આવશે. આપણે જે વાતાવરણમાં જીવી રહ્યા છીએ, તેનાથી મુક્ત થઈને નવા વાતાવરણમાં જીવવાનું શીખીએ. હું આ ધ્યાન સાધનાને એટલી જ માનું છું કે વ્યક્તિ જીવન પર એક પ્રકારનું જીવન જીવે છે, હવે તે એનાથી દૂર જઈને એક નવા પ્રકારનું જીવન જીવવાનો પ્રારંભ કરે છે. જે તે આ તરફ પ્રસ્થાન કરવા માટે પગલાં માંડે તો તેને તે ક્ષણે એ અનુભવ થશે કે જે વિરાટ જગતને તેણે પહેલાં કદી જોયું ન હતું તે ચૈતન્યનું વિરાટ જગત પ્રત્યક્ષ થઈ રહ્યું છે. બસ, આપણે બધાં તે તરફ પ્રસ્થાન કરવાની તૈયારી કરીએ. ૨૬૯ Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ प्रेरणा वाता बडोदरा बम्बई सुरत दिल्ली कलकत्ता सुरत स्व. श्री मगनभाई नगीनभाई वकीलवाला स्व. श्री नेमचन्द नगीनभाई वकीलवाला स्व. श्री मनुबेन मोतीचन्द, झवेरी स्व. श्री जीवनभाई चुन्नीभाई श्रोफ श्री जतीनभाई जीवनभाई श्रोफ अ. सौ. भानुमति जतीनभाई श्रोफ श्री रमणिकभाई कपूरचन्द झवेरी श्री गुलाबचन्द मोतीचन्द झवेरी श्री किशोरभाई मोतीचन्द झवेरी श्रीमती शैलाबेन किशोरभाई झवेरी श्री बिरधीचन्द भैरुंदानजी छाजेड श्री गुलाबचन्द भैरुंदानजी छाजेड, श्री नोरतनमल भैरुंदानजी छाजेड, स्व. श्री जीवराजजी सेखानी शाह रतनलाल कर्मचन्द जैन श्री राजमलजी बांठिया सर्वश्री कोडामल बहादुरमल श्री रूपचन्द सेठिया श्री अम्बालालजी देवीचन्दजी जैन श्री लक्ष्मीलालजी बाफना, श्री फूलचन्दजी छोगालालजी श्री मोहनलालजी गहरीलालजी जैन श्री फतेहचन्दजी पारसमलजी रामपुरिया श्री बिहारीलालजी वृजलालजी जैन श्री चम्पकभाई के. महेता श्री प्रवीणचन्द रूपचन्दभाई वकील श्री नानालालजी मेडतवाल श्री सुवालालजी जीवराजजी बोल्या, शाह अम्बालाल मीठालाल, श्री मनरूपजी खेतीजी भोगर उधना सुरत उभेल उधना सुरत सायरा Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ श्री बाबूभाई वी. मेहता बाववाला श्री सेवन्तीलाल एन. मेहता बाववाला सर्वश्री सुमन पैकेजिंग सर्वश्री इस्ट इन्डिया सिल्क कोरपोरेशन सर्वश्री आशकरण कन्हैयालाल सर्वश्री ललितकुमार अशोककुमार एण्ड कं. श्री मदनलालजी गोयल श्री बाबूभाई वी. बाववाला श्री नोरतनमलजी बाघमलजी सुराणा श्री बिहारीलालजी जैन श्री घासीरामजी कोठारी श्री पुखराजजी कोठारी श्री फूलचन्दजी कोठारी श्री भंवरलालजी देवीलालजी मेहता श्री प्यारचन्दजी भंवरलालजी मेहता श्री कान्तिलालजी भंवरलालजी मेहता सर्वश्री अंजना एण्टरप्राईजेज, बोम्बे मार्केट सर्वश्री अशोक सिल्क मिल्स 39 सर्वश्री एलाईट कोरपोरेशन सर्वश्री पारस सिन्थेटिक्स श्री मांगीलालजी भंवरलालजी जैन श्री बसन्तकुमारजी भंवरलालजी जैन श्री शान्तिलालजी भंवरलालजी जैन सर्वश्री वी. हितेश एन्ड कम्पनी श्रीमती सुन्दरदेवी जसराज जैन सर्वश्री अशोक टैक्सटाईल्स सर्वश्री वन्दे ट्रेंडिंग कम्पनी सर्वश्री अलंकार सिल्क मिल्स श्री राजकुमार बरमेचा श्री महेन्द्रकुमार बरमेचा श्री पदमकुमारजी भादानी सर्वश्री अम्बिका कामर्शियल कारपोरेशन Jain Educationa International "" For Personal and Private Use Only सुरत " "" " "" 31 39 19 "" 19 رو 13 " " " 99 " "" او " "" "9 "" 31. "" "" " " " ** Page #282 -------------------------------------------------------------------------- ________________ सर्वश्री शुभ सिंथेटिक्स श्री बुधमलजी नाहटा श्री देवीलालजी गहरीलालजी शाह श्री टेकचन्दजी छगनलालजी शाह श्री शोभालालजी दलीचन्दजी राठौड़ रणजीत सिंहजी चोरडिया श्री चतुर्भुजजी बैद गुप्त नाम सर्वश्री निधी सिन्थेटिक्स श्री गणेशमलजी सुराणा श्रीमती इचरज देवी गणेशमलजी सुराणा श्री मदनलालजी धर्मेन्द्रकुमारजी कोठारी श्री मांगीलालजी बैद श्री हंसराजजी डागा श्री विजयसिंहजी बोथरा श्री पन्नालालजी चोरडिया श्री श्रीचन्दजी विनोदकुमारजी कोचर सर्वश्री इन्दर ट्रेडिंग कम्पनी श्री माणकचन्दजी पटावरी श्री राजेश टैक्सटाईल्स श्री दिलीपकुमारजी बच्छावत श्री सुरेन्द्रकुमारजी चोपडा श्री धर्मचन्द्रजी बच्छावत श्री अमृतलालजी स्वरूपचन्दजी दोशी श्री पारसमलजी मेडतवाल श्री शान्तिलालजी कालूलालजी मेडतवाल श्री किसनलालजी चन्दनमलजी मादरेचा श्रीमती कमलादेवी किसनलालजी मादरेचा श्री हंसमुख एन. संघवी बाववाला श्री जयन्ती डी. मेहता बाववाला श्री वाडीलाल यू. मेहता बाववाला श्री प्रवीण वी. मेहता बाववाला Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ सुरत . . चिकमंगलूर सुरत बेंगलोर सुरत सर्वश्री संजय इण्टरप्राईजेज श्री सुमेरमलजी चोरडिया श्री टी. ओकचन्दजी जैन सर्वश्री अभिनन्दन इण्टरप्राईजेज सर्वश्री आशीष इण्टरप्राईजेज सर्वश्री वी. मोतीलाल एण्ड कं. सर्वश्री आशीर्वाद इण्टरप्राईजेज सर्वश्री विशाल इण्टरनेशनल शाह कन्हैयालाल मुकेश कुमार एण्ड कं. शाह मोहनलाल उदसराज एण्ड कं. सी. जयन्ती एण्ड ब्रादर्स - सर्वश्री घेवरचन्द मोहनलाल श्री डूंगरमलजी कोठारी एडवोकेट श्री मोहनलालजी भंवरलालजी जैन शाह भंवरलालजी पूनमचन्दजी भोगर । सर्वश्री लेहरीलाल मीठालाल एण्ड कं. श्री डूंगरमलजी ललवाणी सर्वश्री दीपक ट्रेडिंग कम्पनी सर्वश्री वरदान सिल्क मिल्स शाह सोहनलालजी देवीलालजी मेहता सर्वश्री देवीलालजी अम्बालालजी बौराणा शाह मीठालालजी राठौड श्री राणमलजी जीरावला श्री सोहनलालजी मोहनलालजी जीरावला श्री बाबूभाई सी. मेहता-बाववाला श्री बाबुलालजी माण्डोत शाह सोहनलालजी फूलचन्दजी श्री मदनलालजी गादिया श्री हुकमचन्द ओसवाल जरीवाला श्री जैन ट्रेडिंग कम्पनी सर्वश्री बहादुरसिंह बिजेन्द्रसिंह श्री छगनलालजी चिण्डालिया बालोतरा सैमड़ सायरा सुरत सायरा सुरत उधना Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ श्री बाबुलालजी बैद श्री पारसमलजी हीरालालजी शाह सर्वश्री ललितकुमार महेन्द्रकुमार एण्ड कं. सर्वश्री संघवी टैक्सटाईल्स सर्वश्री राजस्थान जनरल प्राडक्टस श्री अम्बालालजी देवीचन्दजी श्रीमती कान्ता देवी सेठिया श्री सूरजमलजी लूणिया हेवन आईस्क्रीम सर्वश्री ज्योति स्टील सेण्टर गौतम जनरल स्टोर ३२२१० " श्री लक्ष्मीलालजी भैरूलालजी शाह श्री जेसराजजी सेखानी श्रीमती पन्ना देवी सेखानी श्री शैलेषभाई कुसुमचन्दभाई जवेरी श्रीमती चेतनाबेन शैलेषभाई जवेरी श्री चिन्तन शैलेषभाई जवेरी श्रीमती सुगनी देवी चोरड़िया श्री हड़मानमल चोरड़िया सर्वश्री नेशनल प्राडक्टस श्री घासीरामजी चोरडिया श्री शुभकरण बंद श्री रामलाल बैद श्री प्रेमकुमार बैद Jain Educationa International For Personal and Private Use Only सुरत उधना सुरत "" 39 "" "" 39 23 35 " "" " "" "" "" " " 93 ," 39 " 33 ,, Page #285 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only