SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે ઔષધિ સેવનથી શું ? જે લાભ દવા નથી કરતી તેટલો લાભ પશ્ય કરે છે. શિબિરમાં રહેનાર વ્યક્તિ, સાધના કરનાર વ્યક્તિ પથ્ય પ્રત્યે જાગ્રત બની જાય છે. તેઓ માત્ર રસાયણને પ્રયોગ નથી કરતા, તેમાં પશ્યનો પણ પૂરો વિવેક જાગી જાય છે. એક સાધક કહી રહ્યો હતો. હું પાછલા શિબિરમાં ઘેડા પ્રાગ શીખ્યું હતું. દરરોજના ભોજનમાં પરિવર્તન કર્યું. મીઠું છોડી દીધું, ખાંડ છોડી દીધી. ભેજનની માત્રા ઓછી કરી દીધી. પણ મારી શક્તિ યથાવત્ બની રહી. આળસ ઘટી, ફૂર્તિ વધી અને કામ કરવાની ક્ષમતાને વિકાસ થયો. હવે સ્વાશ્ય પણ પહેલાં કરતાં વધુ સારું છે. આ બધું પથ્યનું જ પરિણામ છે. જે પશ્ય ન હય, ભોજનને ક્રમ ન બદલાય અને ધ્યાન પણ ચાલુ રહે તો કોઈ પરિણામ નહિ આવી શકે. પશ્યનો વિવેક હય, ભેજનનો ક્રમ બદલાય, ચય બદલાય, આળસ ન રહે, શ્રમ થાય તે ધ્યાન ફળદાયક થઈ શકે છે. તે જ સુથાર : તે જ ઓજાર દસ દિવસના શિબિરકાલીન પ્રયોગથી ખૂબ મેટો લાભ થઈ જશે–એવું માનવું ખૂબ મોટી ભ્રાન્તિ હશે. દસ દિવસને પ્રયોગ જીવનદિશા બદલવાને એક ઉપાય માત્ર છે. જે દસ દિવસ પછી ફરીથી પહેલાના જેવું જ જીવન ચાલશે તે દસ દિવસ સુધી કરેલો પ્રયાસ વ્યર્થ જ જશે. તે જ સુથાર અને તે જ એજાર –એનાથી કશું જ થવાનું નથી. ઘર ગયા પછી પણ જીવનની દિશા બદલે, આહાર બદલે, ચર્યા બદલે, જીવનનો ક્રમ બદલે, શ્રમને ક્રમ બદલે, નાના મોટાની ભાવના બદલે, શ્રમને હીન માનવાની ભાવના બદલે, જો આવું થાય છે તો નિશ્ચિતપણે ધ્યાન ફળદાયી બને છે. તેનાથી જ વ્યક્તિત્વનું રૂપાંતર સંભવ થઈ શકે છે. થાન છે-બદલવાની પ્રક્રિયા મૂળ વાત છે–દિશાનું પરિવર્તન. જે તે બનતું નથી, તે ગમે તેટલી સાધના કરવામાં આવે, માણસ તેવો ને તે જ રહે છે. કાળે કાગડો સાબુથી ગમે તેટલે નહાય તે કદી સફેદ નથી થઈ શકતે. દષ્ટિ બદલવી જોઈએ, ચિંતન અને વિચાર બદલવો જોઈએ, જીવનનો કાર્યક્રમ અને આચારસંહિતા બદલાઈ જવી જોઈએ. ૧૮૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy