________________
એ રીતે એક દિવસ નહિ, બે દિવસ નહિ, પૂરા બાર માસ–ત્રણસે સાઠ દિવસ એ ને એ જ મુદ્રામાં ઊભા રહ્યા. શરીર સ્થિર, એક જ મુદ્રા, એક જ સ્થાન..બાર માસ વીતી ગયા. જે થવાનું હતું, તે થઈ ગયું; જે પ્રાપ્ત થવાનું હતું–કરવાનું હતું–તે મળી ગયું.
કાયોત્સર્ગનું પહેલું તત્વ છે—શરીરની શૂન્યતા, શરીરનું શિથિલીકરણ. સહિષ્ણુતા
કાયોત્સર્ગનું બીજું તત્વ છે. સહિષ્ણુતા; ધર્મનાં ચાર દ્વારમાં પ્રથમ દ્વાર છેઃ “ક્ષાન્તિ.” “ક્ષાન્તિનો અર્થ છે “સહન કરવું, “સહિષ્ણુતા. કાયોત્સર્ગમાં પણ એનું મહત્વ છે. સાધક કાયોત્સર્ગની મુદ્રામાં ઊભો છે. જે કંઈ થઈ રહ્યું છે તે થવા દે. પગને પીડા થઈ રહી છે, થવા દે. શરીર દુખી રહ્યું છે, દુખવા દે. પાણી વરસી રહ્યું છે, વરસવા દે. આંધી અને તોફાન આવી રહ્યાં છે, આવવા દે. કંઈક બહારથી (અંદર) આવી રહ્યું છે, એનેય આવવા દે. અંદરથી કંઈક (બહાર) આવી રહ્યું છે, તેનેય આવવા દો. સહિષ્ણુતા–સહન કરવું અને સહન કરતા રહેવું. તથાતા તથાતાની પ્રતિક્ષણ સ્મૃતિ અને આચરણ. જે થવાનું હોય તે થવા દોકેઈ ચિંતા નથી આ ચિંતાથી મુક્ત થઈ જવું—એ જ કાયોત્સર્ગ છે.
જેનામાં સહિષ્ણુતાને ભાવ વિકસિત નથી, તે કદી પણ કાર્યોત્સર્ગ કરી શકતો નથી. શરીરમાં દર્દ થતાં જ સ્થિરતા તૂટી જાય છે, આસન બદલી નાખવામાં આવે છે. માખી કે મચ્છરને સ્પર્શ થતાં જ હાથ ઊડી જાય છે. સમગ્ર શરીર અસ્થિર થઈ જાય છે–ચંચળ થઈ જાય છે. કાયેત્સર્ગ નથી સધાતા. અવાજ થતાં જ મસ્તક તે તરફ ફરી જાય છે. આગળ-પાછળ, ડાબે-જમણે જેવા પ્રયત્ન થાય છે.
સહિષ્ણુતા વગર કોત્સર્ગ નથી થઈ શકતો. ફાતિ વિના કાયોત્સર્ગ કદીય સંભવી શકતો નથી. સહિષ્ણુતા વિના કાયોત્સર્ગ થઈ શકતા નથી–કાયાને ત્યાગ થઈ શકતા નથી.
અભય, અભય અને અભય
જ્યારે સહિષ્ણુતા સધાય છે ત્યારે અભય ઘટિત થાય છે. સમગ્ર ધર્મનું રહસ્ય છે. “અભય” સમગ્ર ધર્મનું આદિ બિન્દુ છે. “અભય” અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org