SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કયારેક અન્ય કંઈક કરે છે, પણ તેથી સફળતા મળતી નથી. એથી એમાં નિરાશાય ઉત્પન્ન થાય છે; ને એવો ભાસ થાય છે કે ગણિત સાચું નથી; વિચાર બરાબર નથી. સૂત્રકારો, ગ્રંથકારો અને શાસ્ત્રકારોએ એવી જ કોળકલ્પિત બાબતો પ્રસ્તુત કરી દીધી. એમાં વાસ્તવિક્તા નથી. આ આરોપ એવા લેકે પર છે, જે જ્ઞાનને આધારે સચ્ચાઈને પ્રસ્તુત કરે છે, પરંતુ ક્રિયાત્મક રૂપે તેનું પાલન કરતા નથી. તેઓ ગણિતના ચક્રમાં ફસાઈ જાય છે. અધ્યાત્મના યાત્રી આ ગણિતીય પ્રક્રિયાથી અનેક ખાડા ખોદવાની વાત છેડી દે અને એક એવે ખાડો ખોદે, જે ઊંડો હોય, પાણીના સ્રોતને ઉપર લાવી દેતો હેય. એનાથી આત્મદર્શનની અંમિટ પ્યાસ છિપાવી શકાય છે. કાસગનાં ત્રણ ત - પ્રશ્ન છે–શું ખાડે છે? કેટલો મોટો ? કેટલો ઊંડો? કાત્સર્ગને એક ખાડો બાદો છે. તે અત્યન્ત વિશાળ અને ઊંડે હવે જોઈએ. એ સિવાયના અન્ય ખાડાઓ ખોદવાની કંઈ જ આવશ્યકતા નથી રહેતી. જે પ્રાપ્ય છે, તે આપોઆપ પ્રાપ્ત થઈ રહેશે. કોત્સર્ગના ત્રણ અર્થો છે– સહિષ્ણુતા, અભય અને શિથિલીકરણ. લકે કાર્યોત્સર્ગને ખૂબ જ સીમિત અર્થમાં સમજ્યા છે. કાર્યોત્સર્ગ અર્થાત્ શરીરનું શિથિલીકરણ. શરીરને સંપૂર્ણ શિથિલ કરી કાર્યોત્સર્ગ થઈ ગયે. આ સંપૂર્ણ અર્થ નથી. આ માત્ર પચીસ ટકા અર્થ છે. કાયોત્સર્ગને પચીસ ટકા અર્થ છેઃ સહિષ્ણુતા; અને પચાસ ટકા અર્થ છેઃ અભય; કાયોત્સર્ગ ત્રિમૂર્તિ છે. એ ત્રણ પ્રતિમાઓનો બનેલો છે. - ભગવાન ઋષભ પ્રવૃજિત થયા. તેમણે અધ્યાત્મની યાત્રા શરૂ કરી. સર્વપ્રથમ એમણે કાયેત્સર્ગ કર્યો. તેઓ કાયોત્સર્ગમાં ઊભા થઈ ગયા. બંને પગ થોડા ફેલાવી દીધા. પગની એડીઓ બરાબર એક બીજા સાથે અડાડી દીધી–ભીસી દીધી. પંજામાં ચાર આંગળાંઓનું અંતર રાખ્યું. બંને હાથને નીચે લટકાવી દીધા. કરોડરજુ ટટાર રાખી ઊભા થઈ ગયા. ડોક સીધી રાખી. આંખે અધીં મીંચી દીધી– કાર્યોત્સર્ગની મુદ્રા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy