SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ છે, અને તે ભૂમિકા પર પહેાંચીને આ કહેવામાં આવ્યું, નીચલી ભૂમિકાએ ઊભેલી વ્યક્તિ સાંભળી લે છે; શ્રદ્ધાવશ માની લે છે; સ્વીકારી લે છે; પરંતુ જ્યારે તે યથાની સ્થિતિએ પહેાંચે છે, ત્યારે ટકરાય છે. ભગવાન કહે છેઃ સુખ નહિ; સુખ અસાર છે; પરંતુ લાગે છે કે વિશ્વમાં એથી વધુ કાઈ સુખ નથી. આ ર્દૂ ઉત્પન્ન થાય છે; ચિત્ત ડામાડાળ થાય છે. આ હાલક-ડાલક સ્થિતિ કયારે સમાપ્ત કરી શકાય; જ્યારે આપણે સંવેદ-રસમાં લીન બની જઈએ, સ ંવેદ-રસને જાગ્રત કરી દઈએ; તાત્પ ની ભાષામાં રસાયણ બદલી દઈએ, તેા ચિત્તની ડામાડેાળ સ્થિતિ સમાપ્ત થઈ જાય છે. રસાયણ પરિવર્તનની પ્રક્રિયા : ધ્યાન રસાયણેાની પરિવર્તનની પ્રક્રિયા ધ્યાન વિના પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રેક્ષા ધ્યાનની પ્રક્રિયાથી રસાયણુ મદલાય છે. જ્યેાતિ-કેન્દ્ર પર શ્વેત રંગનું ધ્યાન ધરવાથી ત્યાંથી રસાયણ બદલાય છે. ત્યાં જે પિનિયલ ગ્વાડ છે, એને સાવ બદલાય છે અને વ્યક્તિ ઉત્તેજના અને આવેશથી મુક્ત થઈ જાય છે. ક્રેાવ આછા થઈ જાય છે; આપણ પ્રેક્ષા ધ્યાનનું ઊંડાણપૂર્વક અધ્યયન કરીએ અને એ સત્યને માનીને ચાલીએ કે ધ્યાન વિના રસાયણો બદલવા અત્યન્ત કઠિન છે. દ્વન્દ્વોને સમાપ્ત કરવા માટે તથા એ તટા પર થનાર સ ંવેદનાને સમાપ્ત કરવા માટે ધ્યાન પ્રબળ સાધન છે. ગાયની સ્થિતિ ડગમગ હેાય છે. આપણે એને સમાપ્ત કરીએ. ગાય એક કિનારે ધાસ ચરે છે; અને એ સામે કિનારે પુષ્કળ હરિયાળી જુએ છે. એનું મન લલચાય છે કે સામે કિનારે જઈને ધાસ ચરું. તે કિનારા સારા છે. આથી તે ગાય કયારેક અહીં જાય છે, કયારેક ત્યાં જાય છે, તે નથી આ બાજુ પૂરું ચરી શકતી, નથી પેલી બાજુ પૂરું ચરી શકતી. આજના ધાર્મિકાની પણ આ જ સ્થિતિ છે. એમને કયારેક એમ લાગે છે કે આ કિનારાનુ જીવન સારું છે. કયારેક એમને એમ લાગે છે કે પેલા કિનારાનુ જીવન સારુ છે. તે કદીક વિચારે છે કે ખૂબ ભાગ ભાગવું; આ જ આનંદમય જીવન છે. કયારેક તે વિચારે છે કે આ કિનારાનું જીવન ભયાનક છે; પેલે કિનારે જવુ જોઈએ; ત્યાં આનંદ જ આનં↓ છે. પેલા તટ પર જવાથી આ તરફના તટનું જીવન Jain Educationa International ३४ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy