SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ, શ્રીમદ્ રાયચન્દ્ર ઠીક જ લખ્યું છે ને હાની પૂતલી’—જે પુરુષ અધ્યાત્મમાં રસ લે છે, તે રૂપવતી યુવતીને પણ કાષ્ઠની પ્રતિમા માત્ર માને છે, શું આવું માનવુ સંભવ છે? એવું ત્યારે જ સંભવિત તે છે જ્યારે રસાયણામાં પરિવર્તન થાય—અન્યથા નહિ. આચાર્યાએ જે ભૂમિકા પર જઈને સચ્ચાઈનું પ્રતિપાદન કર્યું હતું, તે ભૂમિકા સુધી આપણે જ્યાં સુધી નથી જતા, ત્યાં સુધી આપણા ચિત્તની ડામાડાળ સ્થિતિ કદી પણ સમાપ્ત નથી થતી. કહેનાર કહે છે, પણ વાંચવાસાંભળવાવાળી વ્યક્તિ એને કદી સમજી નથી શકતી. ભલે વ્યક્તિ મહાવીર તે બુદ્ધને વાંચે, કૃષ્ણ અને રામને વાંચે, પરંતુ એને કશું જ પ્રાપ્ત થતું નથી. એ તા વિપરીત જ અર્થ લગાવશે. કેમ કે તેની એવી ભૂમિકા નથી, કે તે એ પરમ સત્યને સમજી શકે, જૈન મુનિ પ્રવચન કરી રહ્યા હતા. ભગવતી સૂત્રની વ્યાખ્યા થઈ રહી હતી. પરિષદમાં એક વૃદ્ધા હતી. ભગવતી સૂત્રમાં ગૌતમ અને મહાવીરના અનેક સૌંવાદ છે. મુનિજી વારંવાર ગાયમા! ગાયમા!'ને ઉચ્ચાર કરી રહ્યા હતા. આ ગૌતમનું પ્રાકૃત ભાષાગત સખેાધન છે. પ્રવચન પૂરું થયું. વૃદ્ધા ધરે ગઈ. તેણે પેાતાના પુત્રાને કહ્યું—દાડા, વૈદ્યને લઈને મુનિજીની પાસે ાએ; તેમના પેટમાં અસહ્ય દર્દ થઈ રહ્યું છે. આજે પ્રવચન વેળા તેમના મુખથી ‘ગાય માં આય માં’ને અવાજ મેં પચાસ વખત સાંભળ્યા છે. (ગોયમા’ ‘ગાય માં” બની ગયા.) કહેનાર જે ભૂમિકા સુધી પહેાંચીને કહે છે, જ્યાં સુધી એ ભૂમિકા સુધી નથી પહેાંચાતું, ત્યાં સુધી એના કથનના વાસ્તવિક અં—અભિપ્રાય Àાતાજનાને હસ્તગત નથી થતા. શ્વેતાની ભૂમિકા અલગ હેાય છે; તે પેાતાની સમજની ભૂમિકાને આધારે કથનના અર્થ તારવે છે. Àાતા જ્યાં સુધી કહેનારની ભૂમિકા સુધી પહેાંચતા નથી ત્યાં સુધી કહેનારની વાતાના કાઈ અર્થ જ નથી હેાતા. કહેનારની વાત શ્વેતાને ત્યારે સમજાય છે, જ્યારે તે કહેનારની ભૂમિકા સુધી પહેાંચી જાય. મહાવીરને સમજવા માટે મહાવીરની અવસ્થામાં પહેાંચી જવું આવશ્યક છે. કાઈપણ વ્યક્તિની વાત સમજવા માટે એની અવસ્થામાં પહેાંચી જવું આવશ્યક છે. જે વ્યક્તિએ કહ્યું છે—સુખ અનિત્ય છે, અસાર છે, નશ્વર છે, મૂલ્યહીન છે, તેણે જે રસાયણ બદલાઈ જવાથી તે ભૂમિકા પ્રાપ્ત કરી મ-૩ Jain Educationa International ૩૩ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy