SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાસ્થ્ય મગળ છે मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम् ॥ મંગનું મતિમાત્ મિક્ષુ: મંગામજી: मंगलं रायचन्द्राद्या: मंगलं तुलसीगुरुः ॥ 1 સ્વાસ્થ્ય અને સમાધિ ચિંતન કરનાર અને ચિંતન ન કરનાર બધી વ્યક્તિ પોતાના જીવનને મૉંગલમય બનાવવા ઇચ્છે છે. અમંગળ કાઈ ઇચ્છતું નથી. મંગળનુ' સર્વ પ્રથમ ચરણ છે. સ્વાસ્થ્ય, આ શરીરનું મૉંગળ છે. મનનું મંગળ મનનું સ્વાસ્થ્ય. ભાવનાનું મ ́ગળ ભાવનાનું સ્વાસ્થ્ય. જ્યારે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય, અને એના કરતાં પણ વધારે ભાવાત્મક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે ત્યારે સમાધિ આપમેળે પ્રાપ્ત થાય છે. સમાધિ માટે વધુ પ્રયત્ન કરવાની જરૂર નથી. સમાધિ તેા આપણી સ્વાભાવિક અવસ્થા છે. વચ્ચે જે વિઘ્ન આવે છે, તે મુશ્કેલીઓને દૂર કરી દઈએ. શિલાચટ્ટાનેાને હટાવી દઈએ. તા તે સ્વાભાવિક અવસ્થા પ્રગટ થઈ જાય છે. સમાધિનું નિર્માણ નહિ કરવું પડે, તે તે અંદર સ્થિત છે. માત્ર મુશ્કેલીએ દૂર કરવાથી તે અભિવ્યક્ત થઇ જાય છે. ત્રણ મુશ્કેલીએ સમાધિની ત્રણ મુશ્કેલીએ છે : ૧ વ્યાધિ—શરીરની ખીમારી ૨ આધિ—મનની ખીમારી ૩ ઉપાધિ—ભાવનાની બીમારી આ ત્રણે ખીમારીએ એકખીજાથી ચઢિયાતી છે. આ ત્રણેને દૂર કરવાથી સમાધિની ઘટના સ્વયં અને છે. પ્રેક્ષાધ્યાનને ક્રમ છે. આ ત્રણે મુશ્કેલી કે બીમારીઓને સમાપ્ત કરવાના ક્રમ છે. અનેક સાધકને અનુભવ છે કે પ્રેક્ષાધ્યાનથી અનેક શારીરિક રોગ મટે છે, એનાથી આદતા બદલાય છે. અનેક વ્યક્તિએને પેાતાની ચિર-પેષિત આદતાથી છુટકારા મળે છે. Jain Educationa International ૧૪૧ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy