SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યા છે! અને અપ્રાપ્ત તથા કાલ્પનિક ભવિષ્યના સુખની પ્રાપ્તિ માટે મુનિ બની રહ્યા છે.—શેરડીની આશા રાખી રહ્યા છે. આ બેવડી મૂર્ખતા હશે. આપની દશા એવી જ થવાની, જેવી પેલા ખેડૂતની થઈ હતી. રસાયણ-પરિવત ન જ્યાં સુધી સમ્યક્ દૃષ્ટિ જાગે નહિ, જ્યાં સુધી અન્તર્ ષ્ટિને વિકાસ થાય નહિ, ત્યાં સુધી મનુષ્યને એ અનુભવ થાય છે કે આટલાં વર્ષા સુધી ધ કર્યાં, પરન્તુ મળ્યું કશું નહિ; નવે। અનુભવ પણ થયે નથી. એનાથી સારું તેા એ હતું કે આપણે કંઈક બીજુ કરતે—પૈસા કમાતે. પરન્તુ ધર્મના સિદ્ધાન્ત માનીને ચાલ્યા; એટલે પૈસા ન મળ્યા. ન વૈભવ મળ્યા, ન ત્યાગની મા આવી, ન ભાગની મજા આવી. કેટલાય લેાકેાના મનમાં ઢળતી ઉંમરે આવા વિચાર આવે છે; અને તે જીવનમાં નિરાશ થઈ જાય છે. એવુ એટલા માટે થાય છે કે એ લેક સમ્યક્ દષ્ટિને જગાડવાના પ્રયત્ન કરતા નથી; અન્તર્ ચક્ષુ ઉદ્ઘાટિત કરતા નથી. તેએ રસાયણ બદલવાની પ્રક્રિયા નથી જાણતા; અને જ્યાં સુધી રસાયણ-પરિવર્તનની પ્રક્રિયા હસ્તગત થતી નથી, ત્યાં સુધી એ સ્થિતિ સાથે પતાવી શકાતું નથી. પ્રેક્ષા-ધ્યાનની સમગ્ર પ્રક્રિયા રસાયણ-પરિવર્તનની પ્રક્રિયા છે. એક પદાર્થના રસ છે, અને બીજો સંવેગને રસ છે. પદાર્થ ને રસ જ્યાં સુધી શિર પર સવાર રહે છે, ત્યાં સુધી સંવૈગને રસ નગતા નથી—સક્રિય થતા નથી. જે દિવસે સવેગના રસ જાગી જશે, તે સમયે પદાર્થ ના રસ આપમેળે સૂઈ જશે—નિષ્ક્રિય થઈ જશે. આ સ્થિતિમાં વ્યક્તિને લાગશે કે સાર કશે। જ નથી. પુત્રે કહ્યું : પિતાજી! આજે તા અભ્યાસમાં એટલે તન્મય થઈ ગયા હતા—એટલે લીન થઈ ગયા હતા કે વીજળી કચારે જતી રહી તેને ખ્યાલ સરખા આવ્યા નહિ; હું તા વાંચતા જ રહ્યો!’ આ વાત કા'માં ડૂબી જવાની છે, એ તન્મયતાની વાત છે, તન્મયતામાં ખબર જ નથી પડતી કે સામે શું થઈ રહ્યું છે! Jain Educationa International ૩૦ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy