SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય છે, દેાડવા લાગે છે. આ વક્ર અશ્વ છે. આ અશ્વને સંભાળવાનું કામ ખૂબ મુશ્કેલ છે. નિય ત્રણથી ત હાથમાં નહિ આવશે. જ્યારે એને શિથિલ કરી દેવામાં આવે છે, નિયત્રણથી મુક્ત કરી દેવામાં આવે છે ત્યારે તે હાથમાં આવે છે. ધ્યાન : શિથિલીકરણ ધ્યાનને પ્રયાગ શિથિલીકરણને પ્રયાગ છે. ધ્યાનના પ્રારંભ કાયાત્સથી થાય છે. કાયાત્સના અથ શિથિલીકરણ. શરીરનું શિથિલીકરણ, વાણીનું શિથિલીકરણ અને મનનું શિથિલીકરણ, નિયત્રિત નહિ કરે. વિચાર આવે તા એને રાકે નહિં. આવે તે આવવા દે. એની પ્રેક્ષા કરી, તેને જુએ, પ્રેક્ષા જોવાની પ્રક્રિયા છે રોકવાની નહિ. વિચાર આવે તા એને જુએ; સંકલ્પ અને વિકલ્પ આવે તા એને જુઓ, કંપન આવે તેા કંપતાને જુઓ. કાંઈ પણ કરવાનું નહિં. માત્ર જોવાનું છે. જાણી લેવાનું છે કે આવું થઈ રહ્યું છે. જેવું વિચારાતે જોવાનું શરૂ કરીએ છીએ કે વિચારનું આગમન અટકી જાય છે. સંકલ્પાને જોઈએ તેા સકલ્પ સમાપ્ત થઈ જાય છે. પ્રેક્ષા માત્ર જોવાની પ્રક્રિયા છે, શિથિલનની પ્રક્રિયા છે. રાકવાની કે બળજબરીથી નિયંત્રણ કરવાની પ્રક્રિયા નથી. કઠેર પથ્થ આપણું શુદ્ધ રૂપ છે—કેવળ જ્ઞાતા ભાવ, કેવળ દ્રષ્ટાભાવ, કેવળ જાણવુ', કેવળ જોવું. આ મનના કાયાકલ્પનું સૌથી મહત્ત્વપૂર્ણ પથ્ય છે, ન પ્રિયતાનું સ ંવેદન, ન અપ્રિયતાનું સંવેદન—કંઈ પણ નહિ, કેવળ જાણવું, દેવળ જોવું. આ કઠેર પથ્ય છે. પરંતુ જો મનને કાયાકલ્પ કરવા હાય તે આ પૃથ્યનું પાલન કરવુ' પડશે. પથ્ય સાથે ખીજી પણ અનેક મહત્ત્વપૂર્ણ વાતા જોડાયેલી છે. મનનું ઘડપણું : ત્રણ કારણ આપણે આ કારણેા પર પણ વિચાર કરીએ કે મન ઘરડુ કેમ થાય છે? મન ખીમાર કેમ થાય છે? મન તૂટી કેમ જાય છે, તેના કાષા ખરાબ કેમ થાય છે, નવા કાષ! ક્રમ નથી બનતા ? શરીર ખીમાર થવાનું મૂળ કારણ એ જ છે કે નવા ટિસ્યૂ બનતા નથી અને જૂના ઋણું થઈ જાય છે. આ સમસ્યા મનની છે. Jain Educationa International ૧૯૧ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy