SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વાસ પ્રેક્ષા, ચૈતન્ય-કેન્દ્ર પ્રેક્ષા—આ બધાં આ પ્રક્રિયાનાં અંગ છે. આ પ્રક્રિયાથી ચિત્ત નિર્મૂળ થાય છે. એનાં બધાં વિજાતીય તત્ત્વ સમાસ થઈ જાય છે. પછી તે નિર્મળ ચિત્ત દ્વારા સ્વ-પ્રેક્ષા કરેા, પોતાની જાતને જુઓ, પેાતાને અનુભવ કરેા. નિર્મળ ચિત્ત દ્વારા જેમ જેમ પ્રેક્ષા થશે. વિજાતીય કણ ચૈતન્યથી અલગ થવા લાગશે. જાગૃતિ વધતી જશે, શુદ્ધ ચેતનાને અનુભવ થશે. જેમ જેમ શુદ્ધ ચૈતન્યને અનુભવ વધતા રહેશે. ઉપાદાન પરિષ્કૃત થતું ચાલ્યું જશે; જડતા સમાપ્ત થશે અને એક ક્ષણ એવી આવશે કે જેમાં શુદ્ધ ચૈતન્ય અભિવ્યક્ત થઈ જશે. જ્યારે શુદ્ધ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે જ્યારે બધાં વિન્નતીય તત્ત્વ દૂર થઈ જાય છે, ત્યારે વંદના થવાથી પ્રસન્નતા નથી થતી અને નિંદા થવાથી ખિન્નતા નથી થતી. કેમ કે પ્રસન્નતાનું અને ખિન્નતાનું કારણ જ ત્યાં સમાપ્ત થઈ જાય છે. પ્રસન્ન થવુ પણ મૂર્ખ છે અને ખિન્ન હાવું પણ મૂર્છા છે. જ્યારે મૂર્છાજ તૂટી ગઈ છે તેા પ્રસન્ન અને ખિન્ન થવાનું મૂળ કારણ જ સમાપ્ત થઈ ગયુ. વંદના થવાથી રાગ નગવાને નથી અને નિન્દા થવાથી દ્વેષ જાગવાના નથી. જયાચાયે આ સ્થિતિનુ આલેખન કર્યું છે, આકલન કર્યુ” છે. તે સ્થિતિમાં પહેાંચીને જ આપણે તે અવસ્થાના અનુભવ કરી શકીએ છીએ. તે ચરમ અવસ્થા છે, પરંતુ પહેલા પણ તેના અનુભવ થવા લાગે છે, જ્યારે વ્યક્તિ ધ્યાનના અભ્યાસ કરે છે, ધ્યાનની સ્થિતિમાં જાય છે ત્યારે તેને સ્વયં અનુભવ થાય છે કે ક્રોધ શાંત થઈ રહ્યો છે, વાસના અને ઉત્તેજનાએ શાંત થઈ રહી છે, વૃત્તિઓ ક્ષીણ થઈ રહી છે, મૂર્છા તૂટી રહી છે. દસ વર્ષોંની મૂર્છા એકસાથે નથી તૂટતી. તેનું તૂટવું ધીરે ધીરે થાય છે. ધ્યાનનેા અભ્યાસ જેમ જેમ આગળ વધે છે, મૂર્છા ઓછી થઈ જાય છે. મનુષ્યમાં ભાજનની મૂર્છા છે, સ્થાનની મૂર્છા છે અને રહેણીકરણીની મૂર્છા છે. શિબિરમાં પહેલા બે દિવસ અટપટા લાગે છે. ભાજન પણ નથી રુતું અને સ્થળ પણ સારું નથી લાગતું. પરંતુ ત્રીજે જ દિવસે આ બધા પ્રશ્નો સ્વયં શાંત થઈ જાય છે. માત્ર ભૂમિકા-ભેદ સાધના કરનારાઓમાં હમણાં બે પ્રકારના લેાકેા છે. કેટલાક લેાકાના આગ્રહ રહે છે કે ગરમી ખૂબ છે, તેથી પંખા ચાલવે! જોઈએ. કેટલાક લેાકા ઈચ્છે છે કે \'ખે ન ચાલે તેા સારું. પ ́ખા ચાલે, તેમને Jain Educationa International ૧૨૧ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy