SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કાયક્લેશના સાથે અર્થ એક વ્યક્તિ એક જ આસન પર કલાક સુધી બેસી નથી શકતી. એના અર્થ એ છે કે એનું શરીર પર અનુશાસન નથી. ભગવાન મહાવીરે કાયલેશનું પ્રતિપાદન કર્યું છે. એને ખાટા અર્થ સમજી લેવામાં આવ્યા કે કાયકલેશના અર્થ છે—કાયાને કષ્ટ આપવું. કાયલેશના અર્થ શરીરને કષ્ટ આપવાના નથી થતા. એના ચાચા અર્થ છે—શરીરને અનુશાસિત કરવું. શરીરને એટલું સાધી લેવું કે દસ કલાક ઊભા રહી શકાય, બેસી શકાય. મહાવીરનું શરીર પર એટલુ' અનુશાસન હતું કે તે સેાળ-સેાળ દિવસ અને રાત ઊભા ઊભા ધ્યાન કરી લેતા હતા. તેમને શરીર પર અનુશાસન કરવાનાં અનેક સૂત્ર પ્રાપ્ત હતાં, એટલા માટે તેએ એવું કરી શકા, તે સિવાય એમ થવુ સભવ ન હતું. ભગવાન ઋષભે એક વર્ષ સુધી ઊભા ઊભા કાયાત્સ કર્યો. ભગવાન બાહુબલીએ લાંબા સમય સુધી કાર્યાત્સગ કર્યો. કહેવાય છે કે સમય એટલા લાંખા વીત્યા બાહુબલીના શરીર પર વેલે ચઢી, પક્ષીઓએ માળા બાંધી દીધા. સાપાએ દર ખેાદી કાઢવા. તેએ વનસ્પતિ જગતથી ઘેરાઈ ગયા. પ્રશ્ન થઈ શકે છે—શું આ સંભવ છે? હા, આ સંભવ ત્યારે છે જ્યારે શરીર પર અનુશાસન સ્થાપિત થઈ જાય છે. જ્યાં સુધી શરીર પર અનુશાસન સ્થાપિત નથી થતું ત્યાં સુધી આ અસંભવ જ ખતી રહે છે. મનુષ્ય જ યાત્રા નથી કરતા, શબ્દ અને અર્થ પણ યાત્રા કરે છે. કાયલેશના મૂળ અર્થ હતા—શરીરને અનુશાસિત કરવું. આ મૂળ અર્થ કાળની લાંખી અવધિમાં વિસ્તૃત થઈ ગયા અને એના અ—કાયાને કષ્ટ આપવું—પ્રચલિત થઈ ગયા. એના આધારે એ ધારણા બની ગઈ કે જૈન ધર્માં કષ્ટ આપનાર ધર્મ છે. તે કહે છે—શરીરને સતાવેા, શરીરને તપાવેા, શરીરને કષ્ટ આપે!. કેટલી ભ્રાન્ત ધારણા ? યથાર્થીમાં કાયકલેશ છે—શરીરના અનુશાસનની પ્રક્રિયા. જૈન દર્શનમાં એક તપનું નામ છે—પ્રતિસ લીનતા, આ ઇન્દ્રિય અનુશાસનની પ્રક્રિયા છે. વિનય આંતરિક તપનેા એક ભેદ છે. આ અહંકારની ગ્રંથિ તાડવાની પ્રક્રિયા છે, Jain Educationa International ૭ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy