SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ મિચ્છામિ દુક્કડ’—લ ગડા ન હય મેં કહ્યું : હવે તમે ક્રમને આરંભ કરો. તમે આરાધનાની કુટિર બનાવી છે. હવે પાંચકની ક્રિયાના પ્રારંભ કરા. 'पडिक्कमामि, निंदामि गरहामि आलोएमि, मिच्छामि दुक्कड' " ~~આ પાંચ કમ છે. આરાધના ગ્રંથના પ્રત્યેક પદના ત્રીજા ચરણ પછી ચેાથું ચરણ છે. મિચ્છામિ દુૐ. તેમાં વારવાર આ પદા ઉચ્ચાર થાય છે. પંચકર્મ માટે આ જરૂરી છે. પંચકર્મની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. શેાધન થઈ ગયું. વમન, વિરેચન, સ્નેહન અને સ્વેદન—બધું જ કરી લીધું. શરીર શુદ્ધ થઈ ગયું. તેના બધા દાષા નાશ પામ્યા. મિચ્છામિ દુક્કડ'નું વારંવાર ઉચ્ચારણ કરીને મનને શુદ્ધ કરી લીધું. પરંતુ આગળની એક મહત્ત્વપૂર્ણ વાત બાકી રહી જાય છે. પંચકર્મ થી શરીર શુદ્ધ થઈ જાય છે. પરંતુ તે શુદ્ધિને ટકાવી રાખવા માટે પછી યેાગ્ય ઔષધિનુ સેવન આવશ્યક હેાય છે. તેવી જ રીતે મનને શુદ્ધ કર્યાં પછી ફરીથી તે દૂષિત ન બને, તેટલા માટે કંઈક કરવાનું બાકી રહી જાય છે, નહિ તેા ‘મિચ્છામિ દુક્કડ' કાંઈ ખીજું બની જાય છે. જેમ કે આજે બની રહ્યું છે, તે લંગડા બની જાય છે. માત્ર ‘મિચ્છામિ દુક્કડ'થી કંઈ થતું નથી. આગળની વાત થવાથી તેને પ્રભાવ ટકાઉ બની શકે છે. એક જાણીતી વાર્તા છેઃ એક ગુરુ પેાતાના નવદીક્ષિત શિષ્ય સાથે એક ગામથી ખીજે ગામ વિહાર કરી રહ્યા હતા. એક દિવસ તેએ નાનકડા ગામમાં આવ્યા અને એક કુંભારને ત્યાં રહ્યા. ભાજનથી નિવૃત્ત થઈને ગુરુ વિશ્રામ કરવા લાગ્યા. શિષ્ય બેઠે। હતા. કુ ંભાર ચાક પર ધડા ઉતારી રહ્યો હતા. કુંભારે એક ઘડા તૈયાર કરીને જમીન પર મૂકયો. શિષ્યનું મન કુતૂહલથી ભરેલું હતું. તેણે એક નાના કાંકરા ઘડા પર ફેકવો. ઘડા ફૂટી ગયા. કુંભારે કહ્યું ઃ મહારાજ! આ શું કર્યું ? શિષ્યે તરત કહ્યું : ‘મિચ્છામિ દુક્કડ” મારી ભૂલ થઈ ગઈ. કુ ભારે ખીજો ઘડા તૈયાર કર્યાં. જમીન પર મૂકો અને શિષ્યે ક્રીથી એક કાંકરા ફેકીને તેને પણ ફાડી નાંખ્યું. કુંભારે કંઈક ઊંચા સાદે કહ્યું : મહારાજ! આ શું? શિષ્ય ફરીથી બાલ્યા : ‘મિચ્છામિ દુક્કડ' ભૂલ થઈ ગઈ. ભારે ત્રીજો, ચોથા અને પાંચમા ઘડા તૈયાર કર્યો, શિષ્ય તેને ફાડતાં ફાડતાં ‘મિચ્છામિ દુક્કડ'નુ ઉચ્ચારણ કરતા રહ્યો. કુંભાર છંછેડાઈ ગયા. મહારાજનુ` ફક્ત ‘મિચ્છામિ Jain Educationa International ૧૮૬ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy