SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર શરણનું મહત્વ આટલું બધું બદલાઈ રહ્યું છે. અનેક ધારાઓ બદલાઈ ચૂકી છે, બદલાઈ રહી છે. પરંતુ પદાર્થ પ્રતિબદ્ધતાની ધારા હજી બદલાઈ નથી. જ્યાં સુધી ધર્મના શરણમાં જવાની વાત સમજમાં નથી આવતી, ત્યાં સુધી આ ધારા નથી બદલી શકાતી. હું સંપ્રદાયના શરણમાં જવાનું નથી કહી રહ્યો. હું ધર્મના શરણમાં જવાની વાત કરી રહ્યો છું. જૈન પરંપરામાં ચતુઃ શરણ ખૂબ પ્રસિદ્ધ છે. अरहंते सरणं पवज्जामि । સિદ્ધ સરળ vasણીમ साहू सरणं पवज्जामि । વપિન્નૉ ઘ— સU garMામ ! એમના શરણમાં જવું ખૂબ જરૂરી છે. પદાર્થોના શરણમાં જઈને સમગ્ર માનવજાતિએ પરિણામોનું અધ્યયન કરી લીધું, તેને ભેળવી લીધું. તે પરિણામોથી એ કંટાળી ગયા છે. હવે તે ધર્મનાં શરણમાં જઈને તેનાં પરિણામોને અનુભવ કરવા ઈચ્છે છે. તે સંયમ તરફ વળવા ઈચ્છે છે. પદાર્થોનું સમ્યફ નિયોજન અને પદાર્થોના સમ્યફ નિયોજનની પ્રક્રિયા જાણવા ઈચ્છે છે. પદાર્થોનું સમ્યફ નિયોજન ઘણું જરૂરી હોય છે, નહિ તે–સંયમ ફલિત થતું નથી. પદાર્થનું સમ્યમ્ નિયંજન હિન્દુ વિશ્વવિદ્યાલયના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. માલવીયજી એક શેઠના ઘરે ફાળે માંગવા ગયા. શેઠે તેમને આતિથ્ય સત્કાર કર્યો. આમતેમની વાતો થઈ રહી હતી. માલવીયજીએ જોયું કે શેઠને એક નાને છોકરો રમી રહ્યો છે. તેના હાથમાં દીવાસળી છે. રમતા રમતા છોકરાએ એક દીવાસળી સળગાવી અને ત્યાં પડેલા લાકડીના એક ટુકડાને સળગાવી દીધો. લાકડું બળવા લાગ્યું. શેઠ ઊઠયા. છોકરા પાસે ગયા અને એક તમાચો લગાવી દીધો. છોકરાના ગાલ લાલ થઈ ગયા. શેઠ આવીને માલવીયજી સાથે વાત કરવા લાગી ગયા. માલવીયજીએ કહ્યું : હું જઈ રહ્યો છું, નમસ્કાર. શેઠ બોલ્યા : આપે અહીં આવવાનું પ્રયેાજન નહિ બતાવ્યું. કંઈપણ જણાવ્યા વગર ચાલ્યા જાઓ છે. એમ કેમ? માલવીયજી બોલ્યા : આવ્યો હતો ફાળો લેવા માટે. પણ ૨૨૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy