SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ બાજુમાં જ બેઠા હતા. મેં સાંભળ્યું અને તેમના સહજ ઉત્તરથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયે. આલંબન અનેક છે. જે વ્યક્તિ એક મોટું આલંબન લઈ લે છે તે નાનાં-નાનાં સેંકડો આલંબન જાતે જ આવવા લાગે છે. સૈાથી મોટું આલંબન છે–વીતરાગ-ભાવને અનુભવ, શુદ્ધ ચૈતન્યને અનુભવ. જ્યારે આપણે પ્રેક્ષા-ધ્યાનની પદ્ધતિના માધ્યમ વડે શરીરના કણ કણમાં ચૈતન્યને અનુભવ કરવા લાગીએ છીએ; પ્રત્યેક કેશિકામાં ચૈતન્યને અનુભવ થવા લાગે છે ત્યારે સમગ્ર પ્રાણુધારા ચેતનાની દિશામાં પ્રવાહિત થવા લાગી જાય છે. તે સમયે આપણું શરીરનાં બધાં રસાયણો, શરીરને વિદ્યુતપ્રવાહ-એ બધા ચેતન્યની, અનુભવની દિશામાં વ્યાપ્ત થઈ જાય છે. સંલગ્ન થઈ જાય છે. તે વખતે આપણને અનુપમ અનુભવ પ્રાપ્ત થાય છે. એવી સ્થિતિમાં આહાર-સંયમ, ઇન્દ્રિય-સંયમ વગેરે સ્વયં ઘટિત થાય છે. તપ, શીલ, સ્વાધ્યાય, અને ધ્યાન–આ બધી ઘટનાઓ સહજ ભાવથી ઘટિત થવા લાગી જાય છે. આપણી સાધનાનું આદિબિન્દુ છે ચેતન્યને અનુભવ અને ચરમબિંદુ છે ચેતન્ય અનુભવ. આપણું સંપૂર્ણ યાત્રા ચૈતન્યના અનુભવની યાત્રા છે. આ યાત્રાનો પ્રારંભ આપણે ચૈતન્યના અનુભવથી કરીએ અને યાત્રાની સંપૂર્ણતા પણ ચૈતન્યના અનુભવની સાથે જ કરીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy