SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થના ગુલામ નથી, માલિક છીએ. જ્યારે ઈચ્છીએ ત્યારે એને ત્યાગ કરી દઈએ છીએ. બીજાને આપી દઈએ છીએ. પદાર્થોનું વિયેાજન કે પ્રાણેનું? આ વિચાર પદાર્થની પ્રતિબદ્ધતાથી ભિન્ન છે. જે માણસ પદાર્થની પ્રતિબદ્ધતામાં જીતે છે તે પદાર્થ જવાથી એને એવો અનુભવ થાય છે કે પદાર્થને વિયોગ જ નથી થઈ રહ્યો, સાથે સાથે પ્રાણને વિગ પણ થઈ રહ્યો છે. બંને એક સાથે જવા લાગે છે. કેઈ કઈવાર એવું પણ વિચારવામાં આવે છે કે પ્રાણનું વિયોજન ભલે થઈ જાય, પદાર્થનું વિજન નહિ થવું જોઈએ. આ મેટી સમસ્યા છે. મનને વિષાદ શા માટે? ખરેખર કંઈપણ આપવામાં નથી આવતું. આપવું દુર્લભ છે. લેવું સરળ છે. પદાર્થની પ્રતિબદ્ધતા એટલી તીવ્ર હોય છે કે માણસ તેને છેડી નથી શકતા. ધર્મને અર્થ છે–એક એવી નવી ધારાને ઉત્પન્ન કરવી, જેનાથી પદાર્થની પ્રતિબદ્ધતા સમાપ્ત થઈ જાય. અને પ્રતિબદ્ધતાથી પેદા થનાર માનસિક રોગ અને માનસિક વિષાદ સમાપ્ત થઈ જાય. મનને વિષાદ શા માટે પેદા થાય છે? તે પેદા થાય છે મૂછ અને આસક્તિને કારણે, તથા તેમની ઉપજીવી ઈર્ષ્યા, ઘણું વગેરે વૃત્તિઓને કારણે એસ. ટી. એચ.ને પ્રભાવ શરીરમાં એક મહત્વપૂર્ણ ગ્રંથિ છે. પિટ્યુટરી. તેના સ્ત્રાવનું નામ છેઃ એસ. ટી. એચ. આ સ્ત્રાવ ઍડ્રીનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને ત્યારે વિવિધ પ્રકારની વિકૃતિઓ પેદા થાય છે. અર્ધ અને વિષાદ પેદા થાય છે. આતુરતા અને ગ્લાનિ પેદા થાય છે. વિવિધ પ્રકારની મનોવૃત્તિઓ વિકસે છે. તે ગ્રંથિ વિકૃત થાય છે ભાવનાના લોભ દ્વારા. જ્યારે મનુષ્ય વધારે લાલચુ હોય છે, વધુ આતુર હોય છે તે તે નિમ્ન વૃત્તિઓ પેિદા થાય છે.. ધર્મ અને ગ્રંથિઓ ધર્મને અર્થ છે મંથિઓનું સંતુલન. ભાવનાઓનું સંતુલન. જ્યારે ભાવનાઓનું સંતુલન હોય છે, ભાવનાના મહાસાગરમાં કઈ તરંગ ૨૧૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005278
Book TitleKayakalp Man nu
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1985
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy