________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२६९ कृतो भवति, एकस्या मोक्षानुपादानत्वादन्यस्याश्च फलविलम्बादिति ध्येयम् ।। २ ।।
न सन्मार्गाभिमुख्यं स्यादावर्तेषु परेषु तु । मिथ्यात्वच्छन्नबुद्धीनां दिङ्मूढानामिवाङ्गिनाम् ।।३।। નેતિ સ્પષ્ટ: II રૂ II तदा भवाभिनन्दी स्यात्सज्ञाविष्कम्भणं विना । धर्मकृत् कश्चिदेवाङ्गी लोकपङ्क्तौ कृतादरः ।।४।। तदेति । तदा = अचरमेष्वावर्तेष्वङ्गी = प्राणी (भवाभिनन्दी स्यात् । अत एव तदा) सज्ञाविष्कम्भणं
શંકા પુણ્યને પણ ઉપાદેય કહેલ છે. એટલે જો અચરમાવર્તવર્તી જીવની ધર્મક્રિયા પુણ્ય હેતુ બને છે તો એ જીવોને ઉપદેશ માટે યોગ્ય કેમ નથી કહ્યા ?
સમાધાન: એમની ધર્મક્રિયા મોક્ષમાર્ગરૂપ બની શકતી નથી, માટે.
શંકા છતાં પુણ્ય ઉપાદેય છે, ને તેથી એનું કારણ બનનારી એમની ધર્મક્રિયા પણ ઉપાદેય તો માનવી જ પડશે ને ?
સમાધાનઃ જે પુણ્ય એક બે ભવમાં પણ પુણ્યાનુબંધી પુણ્યનું, સદ્ગુરુ વગેરેના યોગનું, કે આંતરિક ભાવનું કારણ બનતું નથી, એ ઉપાદેય નહીં, પણ ઉપક્ષેણીય ગણાય છે. મુખ્ય વાત એ છે કે પ્રવચન=શ્રીજૈન શાસન મોક્ષ માટે છે. એટલે પ્રવચનમાં ઉપાદેય વગેરે જે વિભાગો દર્શાવવામાં આવ્યા છે, તે મોક્ષની અપેક્ષાએ જ છે. માટે અચરમાવર્તવર્તી જીવની ધર્મક્રિયાઓ ઉપાદેય નથી, યોગરૂપ નથી. તેમ છતાં એમની એ ધર્મપ્રવૃત્તિ નિષિદ્ધ નથી એ જાણવું. એટલે જ અન્યગ્રન્થમાં અનંતા ઓઘાને પણ નિષ્ફળ નથી કહ્યા, પણ સંખ્યાપૂરક તરીકે સાર્થક કહ્યા છે.
આમ, હેતુને બે રીતે મુખ્ય કહેવા દ્વારા અભવ્યની ધર્મક્રિયાની અને દૂરભવ્યની ધર્મક્રિયાની યોગમાંથી બાદબાકી કરી. આમાંથી અભવ્યક્રિયા મોક્ષનું અનુપાદાન હોવાથી અને દૂરભવ્યક્રિયા ફળપ્રત્યે વિલંબિત હોવાથી એ બંનેની ધર્મક્રિયા “યોગ' રૂપ નથી બનતી એ જાણવું. / ૨ //
ગાથાર્થ દિક્યૂઢ થયેલા જીવો જેમ વાસ્તવિક માર્ગને સન્મુખ થઈ શકતા નથી, એમ અન્ય(=અચરમ) પુદ્ગલાવર્તમાં રહેલા જીવો, તેમની બુદ્ધિ મિથ્યાત્વથી આચ્છાદિત હોવાથી સન્માર્ગને અભિમુખ થઈ શકતા નથી.
ટીકાર્થ: ગાથાર્થ સ્પષ્ટ છે.all (જીવ અચરમાવર્તમાં કેવો હોય છે ? એ જણાવે છે)
ગાથાર્થ ત્યારે જીવ ભવાભિનંદી હોય છે. એમાંનો કોક જ જીવ ક્યારેક લોકપંક્તિનો આદર કરનારો બનીને સંજ્ઞાઓનું વિખંભણ અટકાયત કર્યા વિના, ધર્મ કરતો હોય છે.
ટીકાર્થ: ત્યારે=અચરમાવર્તિમાં, અંગી=પ્રાણી–જીવ ભવાભિનંદી હોય છે. એટલે જ ત્યારે આહારાદિ સંજ્ઞાના ઉદયને અટકાવ્યા વિના, લોકપંક્તિમાં લોકોના જેવા બન્યા રહેવાની લાગણીમાં આવીને કોઈક જ જીવ ધર્મ કરનારો બને છે. એટલે કે લૌકિક-લોકોત્તર પ્રવજ્યાદિ ધર્મ કરનારો બને છે.