________________
३१६
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - ९ प्रथमं हि विषयविषयं, द्वितीयं च गुणविषयमिति भेदः । बहि: बाह्यविषये वैमुख्यं= दोषदर्शनजत्वात् કરાવીને વૈમુખ્ય=પ્રવૃત્તિનો અભાવ કરાવે છે. આ રીતે એ નિરોધમાં=ચિત્તવૃત્તિ નિરોધમાં ઉપયોગી=ઉપકારક બને છે. (નિરોધમાં આટલો અંશ દસમી ગાથામાંથી લેવો.)
વિવેચન : (૧) ગુણો અંગે પણ તૃષ્ણા ન રહેવી એ આ બીજો પરવૈરાગ્ય છે. આમાં ગુણો એટલે શું ? તો કે પ્રકૃતિના સત્ત્વ-રજસુ-તમસુ ગુણો.. અથવા “પ્રકૃતિ કરતાં પોતે જુદો છે' આવી જે વિવેકખ્યાતિ એ જ ગુણ.. આવા ગુણ અંગે વૈતૃશ્ય એ જ પરવૈરાગ્ય.. આમાં બીજો જે અર્થ છે એનો મતલબ એ મળે છે કે અત્યાર સુધી વિવેકખ્યાતિ ઉપાદેય લાગતી હતી. સાધ્ય લાગતી હતી. હવે એના પ્રત્યે પણ ઉપેક્ષાનો ભાવ આવી ગયો છે, આવી ભૂમિકા આ વૈરાગ્યમાં સિદ્ધ થયેલી છે. આવા મતલબ પરથી (આપણી પરિભાષામાં) એવો પણ અર્થ કરી શકાય કે ક્ષાયોપથમિક ગુણો પ્રત્યે પહેલાં જે આદરભાવ હતો. ગૌરીવાસ્પદતા ભાસતી હતી.. પરમ આદેયતા ભાસતી હતી, તે આત્માનું શુદ્ધ સ્વરૂપ (સાયિક સ્વરૂપ) નજર સામે રમવા માંડતા હવે ભાસતી નથી. હવે આ ક્ષાયોપથમિક ગુણો પણ તુચ્છ ભાસે છે. કારણ કે શુદ્ધ ગુણો આગળ એ કાંઈ વિસાતમાં નથી. એટલે એ ગુણો પણ હવે ત્યાજ્ય ભાસે છે. (વાગ્યા સુસંગોત્યાર લાયોગશમિશ ના પ્રાણ વન્દ્રનામું સંચાલમુત્તમ જ્ઞાનસાર ૮-૪TI )
શંકા ? આવો અર્થ કાઢવાનો કોઈ આધાર ? કોઈ તર્ક ?
સમાધાન : અનેક. (૧) શબ્દ વગેરે પણ પ્રકૃતિના જ ગુણો છે... એના પ્રત્યે વૈતૃણ્ય પ્રથમ વૈરાગ્યમાં હોય છે. એટલે પરવૈરાગ્યમાં કોઈ વિશિષ્ટ ગુણો ત્યાજ્ય હોવા જોઈએ જે પ્રથમ વૈરાગ્યમાં ત્યાજ્ય ન હોય. આવા ગુણો ક્ષાયોપથમિક ક્ષમાદિ જ હોવા સુપ્રતીત છે.
(૨) રાગાદિથી આક્રાન્તવૃત્તિઓ ક્લિષ્ટવૃત્તિઓ છે. એટલે કે ક્રોધાદિથી સંકળાયેલી વૃત્તિઓ ક્લિષ્ટવૃત્તિઓ છે. એને અક્લિષ્ટવૃત્તિઓથી રુંધવાની હોય છે. ક્રોધાદિ, ક્ષમાદિથી રુંધાય છે. એટલે ક્ષાયોપથમિકક્ષમાદિ એ અક્લિષ્ટવૃત્તિઓ છે.
શંકા ? એને ક્ષાયોપશમિક ક્ષમાદિરૂપે કહેવાના બદલે ક્ષાયિક ક્ષમાદિરૂપે જ કહો ને !
સમાધાન ન કહેવાય, કારણ કે ક્રોધાદિની યોગ્યતા હોય તો જ એને રુંધવાના હોય.. એ યોગ્યતા હોવા છતાં પુરુષાર્થથી જે ક્ષમાદિ રખાય તે ક્ષાયોપથમિક જ હોય. ક્ષાયિક ક્ષમાદિ તો ક્રોધાદિની યોગ્યતા પણ નષ્ટ થઈ ગયા પછી જ આવે છે. એટલે ક્ષાયિક ક્ષમાદિએ ક્રોધાદિને રુંધવાનો અવસર જ હોતો નથી. વળી, પરવૈરાગ્યથી અક્લિષ્ટ વૃત્તિઓને રુંધવાની હોય છે. ક્ષાયિક ક્ષમાદિ કાંઈ રુંધવાના હોતા નથી. માટે અક્લિષ્ટવૃત્તિ તરીકે ક્ષાયોપથમિક ગુણો અભિપ્રેત છે. ને પરવૈરાગ્યકાળ એ રુંધવાયોગ્ય કહ્યો છે. એનો અર્થ એ ત્યાજ્ય છે.
(૩) આ યોગસૂત્ર (૧-૧૭)ની વ્યાખ્યામાં નાગોજી ભટ્ટ લખે છે- દુત્તર નિર્વિષયજ્ઞાનપ્રસવ માત્ર સમ્રજ્ઞાતિઃ સમરિતિ તાત્પર્યન્ અર્થાત્ જેની ઉત્તરમાં નિર્વિષયજ્ઞાનના પ્રસાદ (પ્રસન્નતા= નિર્મળતા) માત્રરૂ૫ અસંપ્રજ્ઞાતસમાધિ હોય તે પરવૈરાગ્ય છે. પાતંજલવિદ્વાનો જે નિર્વિષયજ્ઞાન કહે છે, તે વસ્તુતઃ સર્વવિષયકજ્ઞાનરૂપે કેવલજ્ઞાન છે. ક્ષાયોપથમિક ગુણોના સંન્યાસ પછી જ એ પ્રગટે છે. માટે સિદ્ધ થાય છે કે પરવૈરાગ્યકાળ એ જ ત્યાજ્ય હોય છે. એટલે કે એનું જ વૈતૃશ્ય હોય છે.
(૪) અન્યત્ર વિવેકખ્યાતિ શબ્દ હોવા છતાં પરવૈરાગ્યને જણાવનાર યોગસૂત્રમાં પુરુષખ્યાતિ શબ્દ છે.