________________
३७०
पूर्वसेवाद्वात्रिंशिका १३ - ११, १२ नातुरापथ्यतुल्यं यद्दानं तदपि चेष्यते । पात्रे दीनादिवर्गे च पोष्यवर्गाविरोधतः ।।११।।
'नेति । यदातुरापथ्यतुल्यं ज्वरादिरोगविधुरस्य घृतादिदानसदृशं मुशलादिदानं दायक-ग्राहकयोरपकारि न भवति तहानमपि चेष्यते पात्रे दीनादिवर्गे च-पोष्यवर्गस्य मातापित्रादि-पोषणीयलोकस्याविरोधतो=वृत्तेरनुच्छेदात् (=વષ્યવાવિરોથત:) || 99 TI
लिङ्गिनः पात्रमपचा विशिष्य स्वक्रियाकृतः । दीनान्ध-कपणादीनां वर्गः कार्यान्तराक्षमः ।। १२ ।।
કરે છે તે પૂર્વસેવામાં પ્રવિષ્ટ થઈ શકે. સર્વ દેવની પૂજનીયતાકાળે મતિઅભિનિવેશ જ નહોતો, એ આ દ્વેષાભાવમાં પ્રયોજક બને છે. ૧૦ ગુરુપૂજા-દેવપૂજાનું નિરૂપણ કર્યું. હવે દાનની વાત કરવાની છે. આમ તો દાન એ પણ સદાચાર જ છે. એટલે સદાચાર પૂર્વસેવામાં એનો સમાવેશ થઈ શકે, પણ યોગબિન્દુમાં ગુરુદેવાદિપૂજન શબ્દમાં રહેલ આદિ પદથી આનું ગ્રહણ કરવાનું જણાવ્યું છે. તો આનો સમાવેશ પણ પૂજા પૂર્વસેવામાં કરવો. આ દાનને જણાવે છે -
ગાથાર્થ : જે દાન રોગીને અપધ્યતુલ્ય ન હોય તે, સ્વપોષ્યવર્ગને અવિરોધપણે પાત્રને કે દીનાદિવર્ગને થતું હોય તો પૂર્વસેવા તરીકે ઇષ્ટ છે.
ટીકાર્થ: વરાદિ રોગથી પીડિતને ઘી વગેરે આપવા તુલ્ય મુશલ વગેરેનું દાન છે. જે દાન દાતા અને લેનાર આ બન્નેને આવું અપકાર કરનારું ન હોય, તે દાન પણ પૂર્વસેવા તરીકે ઇષ્ટ છે, જો એ પોતાના પોષ્ય = પોષણ કરવા યોગ્ય માતાપિતા વગેરે પોષણીય લોકોને અવિરોધપણે = એમનો નિર્વાહ ઝૂંટવાઈ ન જાય, એ રીતે થતું હોય તો.
વિવેચન : તાવ આવ્યો હોય ને ઘી આપવામાં આવે તો એનો તાવ વધવાનો જ છે. માટે ઘી આપવું ઇચ્છનીય નથી. એમ કોઈને મુશલ વગેરેનું દાન કરવામાં એ અધિકરણ હોવાથી ભારે વિરાધનાઓ જ થવાની છે જેથી દાતા અને લેનાર એ બંનેના આત્માને અશુભકર્મનો બંધ થવાનું નુક્સાન થાય છે. માટે એનું દાન પણ ઇષ્ટ નથી. જે દાન આવું આતુરાપથ્યતુલ્ય નથી, એવું દાન પાત્રને સુપાત્રદાન તરીકે અને દીનાદિને અનુકંપાદાન તરીકે ઇષ્ટ છે. હા, જેને પોતે પોષવાના છે, એવા માતા-પિતા વગેરેને ભૂખે મરવાના દા'ડા આવે એ રીતે દાન આપવું ઇષ્ટ નથી. સીધી વાત છે, પાત્રને કે દીનાદિને પોતે ન આપે તો એટલા માત્રથી કાંઈ ભૂખે મરવાના નથી, કારણ કે એમને આપનારા અન્યપણ સંભવે છે. જ્યારે માતા વગેરે સ્વપોષ્યને પોતે ન આપે તો તો એમને તો ભૂખે જ મરવું પડે, જે લોકદષ્ટિએ નિર્ચે બને. માટે સ્વપોષ્યને તકલીફ ન પડે એ રીતે દાન આપવું. ./૧૧ સુપાત્રદાન અને અનુકંપાદાન કોને આપવું ? એ હવે જણાવે છે –
ગાથાર્થ સ્વક્રિયાઓને કરતા લિંગીઓ પાત્ર છે. સ્વયં નહીં રાંધનારા વિશેષરીતે પાત્ર છે. દીન-અંધકૃપણ વગેરેનો સમુદાય કે જે અન્ય કાર્યમાં અસમર્થ છે, તે દીનાદિવર્ગ છે.