Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 247
________________ ૪૭૮ अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - २० शास्त्रमासन्नभव्यस्य मानमामुष्मिके विधौ । સેવ્ય દ્વિચિત્સિાયાઃ સમાયેઃ પ્રતિજ્ઞતા || ૨૦।। शास्त्रमिति । आसन्नभव्यस्य = अदूरवर्तिमोक्षलाभस्य प्राणिन आमुष्मिके विधौ = पारलौकिके कर्मणि शास्त्रं मानम् धर्माधर्मयोरतीन्द्रियत्वेन तदुपायत्वबोधने प्रमाणान्तरासामर्थ्यात् । अतः सेव्यं = सर्वत्र प्रवृत्तौ पुरस्करणीयं, न तु क्वचिदप्यंशेऽनादरणीयम् । यद् = यस्मात् विचिकित्सायाः = युक्त्या समुपपन्नेऽपि मतिव्यामोहोत्पन्नचित्तविप्लुतिरूपायाः समाधेः = चित्तस्वास्थ्यरूपस्य ज्ञान-दर्शन- चारित्रात्मकस्य वा प्रतिकूलता विरोधिताऽस्ति । = अर्थो हि त्रिविधः सुखाधिगमो दुरधिगमोऽनधिगमश्चेति श्रोतारं प्रति भिद्यते । चक्षुष्मतश्चित्रकर्मनिपुणस्य रूपसिद्धिः । द्वितीयः सैवानिपुणस्य । तृतीयस्त्वन्धस्येति । तत्र प्रथम-चरमयोर्नास्त्येव ૫રમાર્થથી યોગરૂપ બને છે, માત્ર કલ્પના=આભાસથી નહીં. ।।૧૯।। (સમ્યગ્દષ્ટિજીવ શાસ્ત્રસંશી કેમ હોય છે? એ સમજાવે છે-) ગાથાર્થ : આસન્નભવ્યજીવને પરલોકસંબંધી વિધિમાં શાસ્ત્ર પ્રમાણભૂત હોય છે, માટે એ સેવ્ય છે, કારણ કે વિચિકિત્સા સમાધિને પ્રતિકૂળ છે. ટીકાર્થ : જેને મોક્ષપ્રાપ્તિ દૂર નથી એવા આસન્નભવ્યજીવને પરલોકસંબંધી (તથા મોક્ષસંબંધી) વિધિમાંઅનુષ્ઠાનમાં શાસ્ત્ર પ્રમાણ હોય છે, કારણ કે ધર્મ-અધર્મ અતીન્દ્રિય હોવાથી તેના ઉપાયને જણાવવામાં બીજું કોઈ પ્રમાણ સમર્થ નથી. તેથી (પરલોક સંબંધી) બધી પ્રવૃત્તિમાં શાસ્ત્ર સેવ્ય=પુરસ્કરણીય=આગળ કરવા યોગ્ય છે, એ પ્રવૃત્તિના કોઈપણ અંશમાં એનો અનાદર કરવો યોગ્ય નથી. કારણ કે યુક્તિથી સંગત બાબતમાં પણ મતિવ્યામોહના કારણે થતી ચિત્તવિપ્લુતિરૂપ વિચિકિત્સા ચિત્તસ્વાસ્થ્યરૂપ કે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સમાધિને પ્રતિકૂળ=વિરોધી છે. વિવેચન : ધર્મ અને અધર્મ (એટલે પુણ્ય અને પાપ કે આત્માનું હિત અને અહિત) અતીન્દ્રિય હોવા સ્પષ્ટ છે. એટલે એ શાનાથી થાય - ન થાય વગેરે જાણવા માટે આપ્તવચનરૂપ આગમ જ પ્રમાણભૂત રહે છે. અને એટલે જ પારલૌકિક પ્રયોજનથી કરાતી કોઈપણ પ્રવૃત્તિમાં.. એના કોઈપણ અંશમાં આગમને અવગણવું ન જોઈએ. કારણ કે યુક્તિસંગત અર્થમાં પણ મતિવ્યામોહના કારણે ચિત્ત ડામાડોળ થાય છે. એની આ ડામાડોલતારૂપ વિચિકિત્સા ચિત્તસ્વાસ્થ્યની વિરોધી હોવી સ્પષ્ટ જ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની બધી સાધના છેવટે શાસ્ત્રને આધીન છે, અતીન્દ્રિય છે, એટલે ચિત્ત જ જો એ અંગે શંકાશીલ બની જાય, તો એ સાધનામાં પ્રશ્નો ઊભા થાય જ. તેથી વિચિકિત્સા ચિત્તસ્વાસ્થ્યસ્વરૂપ કે જ્ઞાનાદિત્રણસ્વરૂપ સમાધિની વિરોધી છે. ટીકાર્થ : શ્રોતાભેદે અર્થ સુખાધિગમ, દુરધિગમ અને અનધિગમ એમ ત્રણ ભેદવાળો થાય છે. જેમ કે ચક્ષુવાળા, ચિત્રકર્મમાં નિપુણ પુરુષને રૂપસિદ્ધિ આદ્યસુખાધિગમ છે. તે જ અર્થ ચક્ષુવાળા અનિપુણપુરુષને બીજો—દુરધિગમ છે. તથા તે જ અર્થ અંધપુરુષને અનધિગમ છે. આમાં પ્રથમને નિશ્ચય હોવાથી વિચિકિત્સા નથી, ચરમને અસિદ્ધિ હોવાથી વિચિકિત્સા નથી. બીજા પુરુષને દેશ-કાળ-સ્વભાવથી વિપ્રકૃષ્ટ ધર્મ-અધર્મ

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314