Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 259
________________ ४९० अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ३२ च परमानन्दस्य = प्रशमसुखस्य कारणं (=परमानन्दकारणम्) । अनेकस्वरूपाभ्युपगमे ह्यपुनर्बन्धकस्य किमप्यनुष्ठानं कस्यामप्यवस्थायां प्रशान्तवाहितां सम्पादयतीति । तदुक्तं- “अपुनर्बन्धकस्यैवं सम्यग्नीत्योपपद्यते । તત્તન્નોત્તમfઉત્તમવસ્થામે સંશ્રયાત્ II” (ચોવિંનું ર9) રૂતિ || રૂરી / રૂતિ પુનર્વત્રિશા || 9 માટે કે અપુનર્બન્ધકને અનેકસ્વરૂપવાળો માનેલો હોવાથી કોઈપણ અવસ્થામાં કોઈપણ અનુષ્ઠાન પ્રશાંતવાહિતાનું સંપાદન કરી શકે છે. આ વાત યોગબિંદુ (૨૫૧)માં કહી છે. આ રીતે અપુનર્બન્ધક જીવને, અવસ્થાભેદનો આશ્રય કરીને તે તે શાસ્ત્રમાં કહેલું બધું અનુષ્ઠાન શુદ્ધયુક્તિસ્વરૂપ સમ્યગુનીતિથી ઘટે છે. (૧) કારમી વિષયેચ્છા અને એનો પ્રયોજક “સુખ તો પૌલિક જ હોય” એવો તીવ્ર કદાગ્રહ.. એ અહીં અસદ્ગહ છે. ચરમાવર્તપ્રવેશે એ દૂર થયો હોવાથી તો જીવ અપુનર્બન્ધક બન્યો હોય છે. માટે અસદૂગ્રહ હોતો નથી. વળી મોક્ષના સ્વરૂપનો બોધ મળવાપર એ મેળવવાની ઇચ્છા જાગ્રત થઇ છે. આ સગ્ગહ છે. આવા અવસરે એ જીવ જો કોઈ એવા દર્શનમાં રહ્યો હોય કે જે એને “ભૃગુપાતાદિથી મોક્ષ થાય છે આવું સમજાવે છે, તો એ જીવ ભૃગુપાતાદિ વિષયશુદ્ધઅનુષ્ઠાન કરે છે. એમાં ગર્ભિત રીતે રહેલી મોક્ષની ઇચ્છા, તથા પ્રાણાંતકષ્ટ કરતાં પણ મોક્ષનું કરેલું અધિક મૂલ્યાંકન.. જીવને પ્રશમસુખનું-પ્રશાંતવાહિતાનું કારણ બની શકે છે. જે અપુનર્બન્ધક જીવ સુગતાદિ દર્શનમાં રહ્યો છે, એને યમનિયમાદિસ્વરૂપનો બોધ છે ને એ માટેનો ઉદ્યમ છે, તેથી એનું અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ બને છે. મોક્ષની ઇચ્છા ને સાથે અનુષ્ઠાનની નિરવઘતા એને પ્રશાંતવાહિતાનું કારણ બનાવે છે. પણ જે અપુનર્બન્ધક જૈનશાસનને પામ્યો છે, એ અન્યધર્મની વાત સાંભળીને ભૃગુપાતાદિ કરે તો એના માટે એ ભૃગુપાતાદિ પ્રશાંતવાહિતાનું કારણ બની શકે નહીં, એ ધ્યાનમાં રાખવું. ૩રા. પ્રશન: મોહનીયકર્મનો તીવ્રકષાય પ્રયુક્ત ઉત્કૃષ્ટસ્થિતિબંધ જે જીવ હવે પછી ક્યારેય કરવાનો નથી એ અપુનર્બન્ધક છે. મરુદેવામાતાએ તો ક્યારેય આવો બંધ કર્યો જ નથી. તો શું એ જીવને અનાદિકાળથી અપુનર્બન્ધક માનવાનો ? વળી ચરમાવર્તપ્રવેશથી તો બધા જીવો અપુનર્બન્ધક છે. પણ એ પૂર્વે પણ છેલ્લાં ઉત્કૃષ્ટસ્થિતિબંધ પછી જે જીવે એકેન્દ્રિયાદિ ભવોમાં ચરમાવર્તપ્રવેશપૂર્વે અનંતકાળ વિતાવ્યો છે, એ જીવને એ અનંતકાળમાં શું અપુનર્બન્ધક કહેશો? કારણકે એકેન્દ્રિયાદિભવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંભવતો હોતો નથી, ને પછી તો એ ચરમાવર્તમાં પ્રવેશી જવાથી ક્યારેય કરવાનો નથી. ઉત્તર : “પુનઃ ઉત્કૃષ્ટસ્થિતિબંધકત્વાભાવ=હવે પછી ક્યારેય ઉત્કૃષ્ટસ્થિતિબંધ ન કરે તે અપુનર્બન્ધક આ અપુનર્બન્ધક શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત છે. જ્યારે “ક્ષુદ્રતાદિદોષાપગમ= ભવાભિનંદીજીવોના ક્ષુદ્રતાદિદોષો દૂર થઈ ગયા હોય એ અપુનર્બન્ધક’ આ એનું પ્રવૃત્તિનિમિત્ત છે. વ્યવહારરાશિપ્રવેશથી કાળક્રમે પ્રતિ આવર્ત મળહાસ થતાં થતાં ચરમાવર્તપ્રવેશે અલ્પમલત્વભૂમિકા આવે છે.. ને એ આવતાંની સાથે જ મુક્તિષ-તીવ્રભવાભિમ્પંગ-ભવાભિનંદીપણું. રવાના થાય છે ને જીવ અપુનર્બન્ધક બને છે, પછી ભલે એ વખતે જીવ સંક્ષીપંચેન્દ્રિય હોય કે એકેન્દ્રિયદિ હોય. એ પૂર્વના કાળમાં એકેન્દ્રિયાદિભવના કારણે જીવ ઉત્કૃષ્ટસ્થિતિબંધ ન કરતો હોય તો પણ, આ અલ્પમલત્વભૂમિકા આવી ન હોવાથી અપુનર્બન્ધક કહેવાતો નથી. એટલે મરુદેવા માતાના જીવને પણ જ્યારથી ચરમાવર્તપ્રવેશ થયો હશે ત્યારથી જ અપુનર્બન્ધક માનવાનો, એ પૂર્વે નહીં.

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314