Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 248
________________ ४७९ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ विचिकित्सा, निश्चयादसिद्धेश्च । द्वितीये तु देश-काल-स्वभावविप्रकृष्टे धर्माधर्मादौ भवन्ती सा महाऽनर्थकारिणी। यदागमः- “वितिगिच्छसमावन्नेणं अप्पाणेणं णो लहति समाहिं” (आचारांग ५/५/१६१) । अतश्चित्तशुद्ध्यर्थं शास्त्रमेवादरणीयमिति भावः । यत उक्तं- “मलिनस्य यथाऽत्यन्तं जलं वस्त्रस्य शोधनम् । અન્તઃસ્રરત્નસ્થ તથા શાસ્ત્ર વિદુર્વઃ II” (ચોવિન્ ૨૨૨) || ૨૦ || विषयात्माऽनुबन्धैस्तु त्रिधा शुद्धं यथोत्तरम् । प्रधानं कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ।।२१।। विषयेति । विषयेण = गोचरेण, आत्मना = स्वरूपेण, अनुबन्धेन तूत्तरत्रानुवृत्तिलक्षणेन (=विषयात्मानुबन्धैः) शुद्धं त्रिधा = त्रिविधं कर्म = अनुष्ठानम् । यथोत्तरं प्रधानं, यद्यत उत्तरं तत्तदपेक्षया આદિમાં થતી તે વિચિકિત્સા મહાનું અનર્થ કરનારી હોય છે. આચારાંગ આગમ (૫-૫-૧૯૧)માં કહ્યું છે કેવિચિકિત્સા પામેલો આત્મા સમાધિને પામતો નથી. તેથી ચિત્તશુદ્ધિ માટે શાસ્ત્રનો જ આદર કરવો જોઈએ, એ ભાવ છે. કારણ કે કહ્યું છે કે- જેમ પાણી મલિનવસ્ત્રને અત્યંત શુદ્ધ કરે છે, એમ શાસ્ત્ર મલિન અંતઃકરણને શુદ્ધ કરે છે એવું પંડિતો જાણે છે. (યોગબિન્દુ-૨૨૯) વિવેચન : ચિત્રમાં રૂપ-સુંદરતા છે કે નથી ? એ, ચિત્રકલામાં નિપુણ ચક્ષુષ્માન પુરુષ સહજતાથી જાણી શકે છે. અંધપુરુષનો તો એ વિષય જ હોતો નથી. જે દેખી શકે છે ને છતાં નિપુણ નથી, એને આ યથાર્થ નિર્ણય કરવો ઘણો મુશ્કેલ છે દુરધિગમ છે. આ વાત સ્પષ્ટ છે. એમ, જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનમોહનીય કર્મનો તેજ ક્ષયોપશમ ધરાવતા શ્રોતાને ગમે તેવી સૂક્ષ્મબુદ્ધિગમ્ય વાતો પણ સહજતાથી ગ્રાહ્ય બની જતી હોવાથી વિચિકિત્સા સંભવતી નથી. જે શ્રોતાનો આ ક્ષયોપશમ ઘણો મંદ છે, એને કશું સમજાતું જ ન હોવાથી એ સંભવતી નથી. પણ મધ્યમ ક્ષયોપશમવાળાને સ્થૂળ વાતો સમજાય છે. સૂક્ષ્મ વાતો અધકચરી સમજાય છે ને તેથી એમાં ચલચિત્તતા-સંદિગ્ધતા વગેરે સંભવે છે. અથવા જ્ઞાનાવરણનો ક્ષયોપશમ પર્યાપ્ત હોવા છતાં દર્શનમોહનો ક્ષયોપશમ પર્યાપ્ત ન હોય તો બુદ્ધિથી સમજાવા છતાં દિલથી સ્વીકાર મુશ્કેલ બનતો હોય છે. “જીવો મોક્ષમાં જવાના ચાલુ ને ચાલુ રહેવા છતાં આ સંસાર ક્યારેય ખાલી નહીં થાય” આવી બધી વાતો માટે દિલમાં રહી રહીને શંકાનો કીડો સળવળ્યા કરવો અશક્ય નથી. એવે વખતે શાસ્ત્રવચનોનું ફરી ફરી પરિશીલન જ આ શંકાચલચિત્તતા વગેરે ડહોળામણને દૂર કરીને ચિત્તને શુદ્ધ કરી શકે છે. //રoll (હવે ૧૯મી ગાથામાં કહેલા ત્રિધા શુદ્ધ અનુષ્ઠાનની ગ્રન્થકાર વાત કરે છે.) ગાથાર્થ : વિષય, આત્મા (=સ્વરૂપ) અને અનુબંધ એમ ત્રણ પ્રકારે શુદ્ધ કર્મ અનુષ્ઠાન યથોત્તર પ્રધાન છે. એમાં મોક્ષ માટે પતનાદિ ક્રિયા પણ પ્રથમ (=વિષયશુદ્ધ) અનુષ્ઠાન છે. ટીકાર્થ વિષય=ગોચર, આત્માસ્વરૂપ અને અનુબંધ=ઉત્તરોત્તર પરંપરા ચાલવી એ. આ ત્રણ પ્રકારે શુદ્ધ કર્મ અનુષ્ઠાન યથોત્તરપ્રધાન છે. એટલે કે જે જેની ઉત્તરમાં છે, તે તેની અપેક્ષાએ પ્રધાન છે. એમાં મુક્તિ માટેનું કર્મ એ પહેલું વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. એટલે કે “આનાથી મારો મોક્ષ થાઓ' આવી ઇચ્છાથી કરેલ

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314