________________
४७२
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - १८
निजाशयविशुद्धौ हि बाह्यो हेतुरकारणम् । शुश्रूषादिक्रियाऽप्यस्य शुद्धा श्रद्धानुसारिणी ।। १८ ।।
निजेति । निजाशयविशुद्धौ हि सत्यां बाह्यो हेतुः कुटुम्बचिन्तनादिव्यापारोऽकारणं कर्मबन्धं प्रति भवहेतूनामेव परिणामविशेषेण मोक्षहेतुत्वेन परिणमनाद् “जे जत्तिया य हेऊ भवस्स ते तत्तिआ य मुक्खस्स” (ગોપનિયુક્ત્તિ-૧૩) કૃતિ વચનપ્રામાખ્યાત્ ।
ननु किमेकेन शुभपरिणामेन ? क्रियाया अपि मोक्षकारणत्वात्तदभावे तस्याकिञ्चित्करत्वादित्यत आहशुश्रूषादिक्रियाऽप्यस्य = सम्यग्दृशः शुद्धश्रद्धानुसारिणी = जिनवचनप्रामाण्यप्रतिपत्त्यनुगामिनी ।
परिशुद्धोहापोहयोगस्य हि प्रकृतेरप्रवृत्ति - विरोधिप्रवृत्तियोगाभ्यां सम्यगनुष्ठानावन्ध्यकारणत्वात्तेनैव तदाक्षिप्यत इति भावः । तदुक्तं
કામની પ્રવૃત્તિ કર્મબંધ ન કરાવે ? આવી શંકાનું સમાધાન આપે છે-)
ગાથાર્થ : પોતાના આશયની વિશુદ્ધિ હોય ત્યારે બાહ્ય હેતુ અકારણ છે. આ જીવને શ્રદ્ધાનુસારિણી શુદ્ધ શુશ્રુષાદિ ક્રિયા પણ હોય છે.
ટીકાર્થ : નિજઆશયની વિશુદ્ધિ હોય તો કુટુંબચિંતનાદિપ્રવૃત્તિરૂપ બાહ્ય હેતુ કર્મબંધ પ્રત્યે અકારણ રહે છે, કારણ કે સંસારના હેતુઓ જ પરિણામવિશેષથી મોક્ષના હેતુ તરીકે પરિણમે છે. તે પણ એટલા માટે કે જે જેટલા સંસારનાં કારણો છે, તે તેટલા જ મોક્ષનાં કારણો છે એવું પ્રમાણભૂતવચન આ વાતને જણાવે છે. શંકા : માત્ર શુભપરિણામને શું કરવાનો ? કારણ કે ક્રિયા પણ મોક્ષનું કારણ હોવાથી તેના અભાવમાં તે (શુભપરિણામ) અકિંચિત્કર હોય છે. સમાધાન : આ સમ્યક્ત્વી જીવને શુદ્ધ શ્રદ્ધાનુસારિણી શુશ્રુષા વગેરે ક્રિયા પણ હોય છે. એટલે કે જિનવચનના પ્રમાણ તરીકેના સ્વીકારને અનુસરનારી ક્રિયા પણ હોય છે. પરિશુદ્ધ ઊહાપોહનો યોગ જીવની 'પ્રકૃતિની અપ્રવૃત્તિ અને વિરોધી પ્રવૃત્તિ દ્વારા સમ્યગ્ અનુષ્ઠાનનું અવંધ્ય કારણ હોવાથી તેનાથી જ ક્રિયા આક્ષિપ્ત થઈ જાય છે એવો ભાવ છે. યોગબિંદુ (૨૦૬, ૭, ૮)માં કહ્યું છે કે- મોક્ષની અભિલાષારૂપ આ ચિત્ત સુંદર જ છે, કારણ કે (૧) આ ભિન્નગ્રન્થિ જીવને ભવનો વિયોગ કઈ રીતે થાય ? વગેરે વિષયક ગ્રહ સ્વયં થયા કરતો હોય છે. (વળી) (૨) એ જીવ પરિશુદ્ધ શુશ્રુષા-ધર્મરાગ વગેરે સમ્યગ્ આચારને ભજનારો હોય છે. (આ વાતનો જ સમુચ્ચય કરવા કહે છે-) કર્મનામની પ્રકૃતિના અપ્રવૃત્તિ વગેરે ધર્મને છોડીને પહેલાં ભિન્નગ્રન્થિ જીવને તેવો ઊહ ઘટતો નથી. આ ઊહ ઝળહળતા રત્નસમાન નિર્મળ મનસ્વરૂપ હોવાથી સત્ત્વ પ્રબળ બને છે. સત્ત્વની પ્રબળતાથી ભાવÔમિત્ય આવવાના કારણે હંમેશાં શુદ્ધ એવું ધર્મશાસ્ત્રશુશ્રુષાદિ અનુષ્ઠાન પ્રવર્તે છે. અહીં ક્ષુદ્રતાદિ દોષોથી અક્ષોભણીયતા એ ભાવસ્તેમિત્ય છે.
વિવેચન : સામાન્યથી કુટુંબની સારસંભાળ વગેરે પ્રવૃત્તિ ગૃહસ્થને કર્મબંધનો હેતુ બનતી હોય છે. આ હેતુ પણ જ્યારે અંદરનો આશય શુદ્ધ હોય, ત્યારે કર્મબંધનું કારણ બની શકતો નથી. (પણ ઉપરથી નિર્જરાનું કા૨ણ બની જાય છે) કારણ કે સંસારના હેતુઓ જ એવા ચોક્કસ પ્રકારના શુભભાવો દ્વારા મોક્ષના હેતુ તરીકે પરિણમી જાય છે. આ વાતમાં જે જેટલા સંસારના કારણ છે, તે તેટલા મોક્ષના કારણ છે આવું ઓઘનિર્યુક્તિનું (૫૩) વચન પ્રમાણ છે.