Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 243
________________ ४७४ अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - १८ 'चारु चैतद्यतो ह्यस्य तथोहः सम्प्रवर्तते । एतद्वियोगविषयः शुद्धानुष्ठानभाक् स यत् ।। प्रकृतेरा यतश्चैव नाप्रवृत्त्यादिधर्मताम् । तथा विहाय घटत ऊहोऽस्य विमलं मनः ।। सति चास्मिन् स्फुरद्रत्नकल्पे सत्त्वोल्बणत्वतः । भावस्तैमित्यतः शुद्धमनुष्ठानं सदैव हि ।।' (योगबिन्दु २०६-७-८) । ननु सम्यग्दृष्टिपर्यन्तमन्यत्र द्रव्ययोग एवोच्यत इति कथमत्र भावतोऽयमुक्त इति चेत्? चारित्रप्रतिपन्थिनामनन्तानुबन्धिनामपगमे तद्गुणप्रादुर्भावनियम इति निश्चयाश्रयणात् । अल्पतदविवक्षापरेण व्यवहारेण त्वत्रायं नेष्यत एव । ___ "एतच्च योगहेतुत्वाद्योग इत्युचितं वचः । मुख्यायां पूर्वसेवायामवतारोऽस्य केवलम् ।।” (योगबिन्दु २०९) इत्यनेनापुनर्बन्धकातिशयाभिधानं तु सम्यग्दृशो नैगमनयशुद्धिप्रकर्षकाष्ठापेक्षमिति न कश्चिद्विरोध इति विभावनीयं सुधीभिः ।। १८।। ટીકાર્થ: શંકાઃ અન્ય ગ્રન્થમાં સમ્યગ્દષ્ટિ સુધી દ્રવ્યયોગ જ કહ્યો છે, તો અહીં ભાવથી યોગ શા માટે કહો છો ? સમાધાનઃ “ચારિત્રના વિરોધી અનન્તાનુબંધી કષાયો દૂર થવા પર ગુણ પ્રગટ થવાનો નિયમ છે” એવા નિશ્ચયનો આશ્રય કરીને ભાવથી યોગ કહ્યો છે. અલ્પ ગુણની અવિવક્ષા કરવામાં તત્પર વ્યવહારથી તો એ અહીં=સમ્યક્તીમાં મનાતો નથી જ. આ અનુષ્ઠાન યોગનો હેતું હોવાથી યોગ છે એવું વચન ઉચિત=સંગત છે. માત્ર, મુખ્ય પૂર્વસેવામાં આનો અવતાર જાણવો. યોગબિન્દુ (૨૦૯)ના આ કથન દ્વારા સમ્યગ્દષ્ટિને અપુનર્બન્ધક કરતાં અતિશયિત જે કહ્યો છે, તે નૈગમનયશુદ્ધિના પ્રકર્ષની ઉત્કૃષ્ટતાને નજરમાં રાખીને કહ્યો છે, તેથી કોઈ વિરોધ નથી એ બુદ્ધિમાનોએ ઊંડાણથી વિચારવું. વિવેચન : (૧) શંકા : યોગશતક, યોગવિંશિકા, યોગબિન્દુ, જ્ઞાનસાર વગેરે ગ્રન્થોમાં અધ્યાત્મ વગેરે યોગોનો પ્રારંભ દેશવિરતિગુણઠાણેથી કહ્યો છે. એટલે સ્પષ્ટ છે કે ચોથે અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણઠાણે ભાવયોગ ન હોય, દ્રવ્યયોગ જ હોય. જ્યારે તમે તો એને પણ ભાવયોગ કહો છો. તો વિરોધ નહીં થાય ? સમાધાન : મોહનીય કર્મની ૨૮ ઉત્તરપ્રકૃતિઓમાંથી સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય. આ ત્રણ દર્શનમોહનીય છે. બાકીની ૨૫ પ્રકૃતિઓ ચારિત્રમોહનીય છે. એટલે કે ચારિત્રનો ઘાત કરનારી છે. એટલે અનંતાનુબંધીની ચાર પ્રકૃતિઓ પણ ચારિત્રમોહનીય હોવાથી ચારિત્રની વિરોધી છે. ચોથે ગુણઠાણે આ ચારનો ઉદય હોતો નથી. તો એના ઉદયથી ઘાત પામનાર ચારિત્રગુણ પ્રગટ થવો જ જોઈએ. એમ નિશ્ચયનય કહે છે. આ પ્રગટેલા ચારિત્રગુણને નજરમાં લઈને અહીં એ સમ્યગ્દષ્ટિને ભાવયોગ કહ્યો છે એ જાણવું. પણ વ્યવહારનય અલ્પની વિવફા કરતો નથી. (એટલે કે અલ્પનો અભાવ તરીકે વ્યવહાર કરે છે.) જેમ કે જેની પાસે માત્ર પાંચ-પચ્ચીસ રૂપિયા જ છે એવા માણસને એ ધનવાનું ન કહેતાં નિર્ધન જ કહે છે. જ્યારે નિશ્ચયનય તો “જેની પાસે ધન હોય એ ધનવાનું’ આ વ્યુત્પત્તિને નજરમાં રાખીને એનો ધનવાન તરીકે ઉલ્લેખ કરે જ છે, કારણકે છેવટે પાંચ-પચ્ચીસ રૂપિયા પણ ધન તો છે જ. વ્યવહારનય, ચારિત્ર અને યોગ અંગે પણ આ જ રીતે વ્યવહાર કરે છે. ઉદયમાંથી માત્ર અનંતાનુબંધી કષાયો ખસ્યા છે. પણ અપ્રત્યાખ્યાનાવરણીય વગેરે ખસ્યા નથી, તો જે ચારિત્રગુણ પ્રગટ થયો છે અને ભાવથી યોગ પ્રગટ્યો છે, એ અતિઅલ્પ હોવાથી વ્યવહારનય એની વિવક્ષા કરતો નથી. અને તેથી ભાવયોગનો નિષેધ કરી માત્ર દ્રવ્યયોગ ત્યાં સ્વીકારે છે.

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314