________________
३१४
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - ८ चिरं चिरकालं नैरन्तर्येणादरेण चाश्रितो (=नैरन्तर्यादराश्रितः) दृढभूमि:-स्थिरो भवति । तदाह-स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमि रिति (यो.सू.१-१४) ।। ७।।
या वशीकारसंज्ञा स्याद् दृष्टानुश्राविकार्थयोः । वितृष्णस्यापरं तत् स्याद्वैराग्यमनधीनता ।। ८।।
વાર રુંધી. પાછા તાબે થઈ ગયા. આવું ન ચાલે. તથા ઉપર કહેલી ગફલત જો લંબાય છે, એટલે કે વૃત્તિઓને ચડી બેસવાની વારંવાર તક અપાય છે, અર્થાત્ વૃત્તિઓને રુંધવાના દઢ સંકલ્પને વિસરી જવાય, મનને ઢીલું મૂકી દેવાય, સંઘર્ષ કરવાથી થાકી જઈને વૃત્તિઓને શરણે થવાનું ચાલુ થઈ જાય, તો બની શકે છે કે સંકલ્પ અને સંઘર્ષદ્વારા વૃત્તિઓ પર જે કંઈક અંશે પણ વિજય મેળવેલો એને ગુમાવી દેવાનું થાય. જીવ જો હજુ પણ સાવધ ન થાય, વૃત્તિઓને તાબે થવાનું ચાલુ જ રાખે, તો બની શકે છે કે એ સંકલ્પથી (પ્રણિધાનથી) પણ ભ્રષ્ટ થઈ જાય. વારંવાર વૃત્તિઓને આધીન થઈ જવા પર નિરાશા આવી જાય કે “હું કાયર છું, નિઃસત્ત્વ છે. વૃત્તિઓ સામે ઝઝુમવાનું મારું કામ નહીં.. વૃત્તિઓને જેમ બેફામ બનવું હોય એમ બનવા દો...’ આનું જ નામ વૃત્તિઓ પ્રણિધાનને પણ તાણી ગઈ, ને પોતાનો વિજય થવા પર ફરીથી મુસ્તાક બની ગઈ.
એટલે, આ સ્પષ્ટ છે કે-વૃત્તિઓને બે ચારવાર રુંધી.. બે-ચારવાર તાબે થઈ ગયા.. આવું ન ચાલે... નિરંતર રુંધવાનો જ પ્રયાસ જોઈએ. અનાદિકાલીન સંસ્કારો જીવને (ચિત્તને) વિષયો તરફ પૂરા જોશથી તાણી રહ્યા છે. એ વખતે વિષયોથી પરામુખ રહેવું એ ધસમસતાવેગે ધસી રહેલા ઘોડાપુરમાં સામા પ્રવાહ તરવાનું છે. અત્યંત સાહસ, સત્ત્વ ને ધૈર્ય હોય તો જ આ સંભવિત બને. વળી આ સંઘર્ષ પણ બે-ચારવાર નહીં, દીર્ઘકાળ સુધી નિરંતર કરવાનો છે... માટે આ પ્રયાસ અત્યંત આદરપૂર્વક-સત્કારપૂર્વક હોય તો જ શક્ય બને છે. માટે અહીં દીર્ઘકાળ, નરન્તર્ય અને આદર-સત્કાર એમ ત્રણ શરતો જણાવી છે.
જીવને વિષયો તરફ તાણી જતા અનાદિકાલીન સંસ્કારો એ વ્યુત્થાનસંસ્કાર કહેવાય છે. જીવે જ વિષયો તરફ તણાતા રહીને ને એમાં સુખ માનતા રહીને આ વ્યુત્થાનસંસ્કારોને અતિઅતિ જોરાવર બનાવ્યા છે.. હવે જીવ, સંઘર્ષ કરીને પણ વિષયોથી પરામુખ થવા માંડ્યો છે. એનાથી આ વ્યુત્થાન સંસ્કારોનું જોર ઘટવા માંડે છે. એ ઘટતાં ઘટતાં એક એવી અવસ્થા આવે છે કે અત્યન્ત નબળા પડી ગયેલા આ સંસ્કારો હવે, વિષય ઉપસ્થિત થવા પર પણ જીવને આકર્ષી શકતા નથી... વિષયો તરફ ધસી જવાની તત્પરતાના બદલે અંદર શાંત પડ્યા રહેવાની પ્રેરણા અંદરથી જ મળે છે. એટલે કોઈ સંઘર્ષ નથી.. પરમ શાંતિ અનુભવાય છે. આ અન્તઃસ્થિતિ નામનો નિરોધ છે. આમ પ્રાપ્તિક્રમમાં બહિતિ પ્રથમ છે, પછી અન્તઃસ્થિતિ. છતાં અન્તઃસ્થિતિ એ વધારે પ્રબળ નિરોધ રૂપ હોવાથી શ્રી પતંજિલઋષિએ પહેલાં અન્તઃસ્થિતિ કહીને પછી બહિતિ કહી છે. વૃત્તિઓનું જોર નબળું પડ્યું છે, પણ સર્વથા ક્ષીણ થયું નથી. એટલે જીવે સાવધ રહેવું જ પડે છે. જો કુતૂહલપ્રમાદાદિને વશ થઈ જરા પણ વ્યુત્થાન સંસ્કારને વશ થાય, તો તો એ સંસ્કારો જીવને ફરીથી ગુલામ બનાવવા માટે ટાંપીને જ બેઠા હોય છે. માટે અન્તઃસ્થિતિ નામના નિરોધ માટે પણ દીર્ઘકાળ સુધી નિરંતર આદરપૂર્વકનો પ્રયત્ન જરૂરી હોય છે. // ૧૧-૭ // (નિરોધના એક ઉપાય અભ્યાસની વાત કરી. હવે બીજા ઉપાય વૈરાગ્યને વર્ણવે છે )