________________
३१२
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - ७
स चाभ्यासाच्च वैराग्यात्तत्राभ्यासः स्थितौ श्रमः । दृढभूमिः स च चिरं नैरन्तर्यादराश्रितः ।। ७।।
'स चेति । स च=उक्तलक्षणो निरोधश्चाभ्यासाद् वैराग्याच्च भवति । तदुक्तं-“अभ्यासवैराग्याभ्यां तन्निरोध इति” (यो.सू. १-१२) । तत्राभ्यासः स्थितौ=वृत्तिरहितस्य चित्तस्य स्वरूपनिष्ठे परिणामे श्रमा यत्नः
કુતૂહલમાં માત્ર જિજ્ઞાસા હોય છે, આમાં ઇન્દ્રિયને ખુશ કરવાનું વલણ હોય છે. રૂ૫ આવ્યું નથી ને આંખ દોડી ગઈ નથી.. આવી બધી વૃત્તિઓ અનાદિકાળથી પડેલી જ છે, ને કોઈ પ્રતિબંધક ન હોય તો ઇન્દ્રિયને ખુશ કરવાની પ્રવૃત્તિ થઈ જ જાય છે. પણ હવે યોગને આત્મસાત્ કરવો છે. એટલે વિષય ઉપસ્થિત થવા પર ઇન્દ્રિય ગમે એટલા તોફાન કરે, એને વિષયમાં પ્રવર્તતી અટકાવવી, એટલે કે ચિત્તને તે તે ઇન્દ્રિય દ્વારા બહાર જતું ઇંધવું-એ આ બહિતિનામે વૃત્તિનિરોધ છે
જ્યારે અંદર ક્રોધાદિકષાયો માથું ઊંચકે છે, ત્યારે સાત્ત્વિક અને રાજસવૃત્તિની બહિર્મુખતા (પ્રકાશ અને પ્રવૃત્તિ) દબાઈ જાય છે. આશય એ છે કે જેની સાથે પોતાને કાંઈ લેવા-દેવા નથી એવા પણ દેશ-દુનિયાના સમાચાર વગેરે માટે ટી.વી. ને છાપું નહીં છોડનારો, જ્યારે એવા કોઈ નિમિત્તે ક્રોધનો ધમધમાટ થાય છે ત્યારે ટી.વી. વગેરે બધું છોડી દે છે. એટલે કે સાત્ત્વિકભાવની પ્રકાશબહિર્મુખતા દબાઈ ગઈ. એ જ રીતે વિષયોમાં પાગલ જીવ ક્રોધાદિકાળે વિષયોને પણ છોડી દે છે. એટલે કે રાજસભાવની પ્રવૃત્તિબહિર્મુખતા દબાઈ ગઈ. આમ બંને પ્રકારની બહિર્મુખતાનો અભિભવ થઈ મોહની મૂઢતા ધારણ કરવી એ તામસ ભાવની બહિર્મુખતા છે. એને નિયમ કહે છે. નિમિત્ત મળ્યું, અનાદિસંસ્કારવશાત અંદર ધમધમાટ થઈ ગયો. છતાં એને બહાર ન આવવા દેવો. રુંધવો એ આ બહિતિનામે વૃત્તિનિરોધ છે.
ટૂંકમાં, નિમિત્ત મળવાપર, અનાદિકાલીન સંસ્કારવશાત્ કુતૂહુલ-વિષય-કષાયની વૃત્તિઓ અંદર સળવળે છે. છતાં દ્રઢસંકલ્પપૂર્વક એ સળવળેલી વૃત્તિઓને સંધવી, બહાર આવવા દ્વારા સફલ નહીં થવા દેવી એ બહિતિનામે વૃત્તિનિરોધ છે. એના વારંવારના દ્રઢ અભ્યાસથી એવી અવસ્થા ઘડાય છે કે હવે નિમિત્ત મળવા છતાં વૃત્તિઓ બહાર આવવા સળવળતી જ નથી, આકર્ષણ જ ખતમ કર્યું હોવાથી વૃત્તિઓ અંદર સહજ રીતે શાંત પડી રહે છે. એ માટે કોઈ સંઘર્ષ કરવો પડતો નથી, આ અન્તઃસ્થિતિ નામે વૃત્તિનિરોધ છે. Iકા (હવે, આ નિરોધના ઉપાય જણાવે છે-).
ગાથાર્થ આ નિરોધ અભ્યાસથી અને વૈરાગ્યથી પેદા થાય છે. એમાં સ્થિતિમાં શ્રમ કરવો એ અભ્યાસ છે. આદરસહિત દીર્ઘકાળ નિરંતર પ્રયત્ન કરવાથી તે અભ્યાસ દ્રઢભૂમિ=સ્થિર થાય છે.
ટીકાર્થ છઠ્ઠી ગાથામાં કહેલો બન્ને પ્રકારનો વૃત્તિનિરોધ અભ્યાસથી અને વૈરાગ્યથી સંપન્ન થાય છે. યોગસૂત્ર (૧-૧૨)માં કહ્યું છે કે-અગાસ-વૈરાપામ્યાં તત્રિરોધ તિ. તેમાં અભ્યાસ એટલે વૃત્તિરહિત ચિત્તને સ્વરૂપનિષ્ઠ પરિણામમાં ફરી ફરી સ્થાપન કરવારૂપ પ્રયત્ન. યોગસૂત્ર (૧-૧૩)માં કહ્યું છે-તત્ર સ્થિત પત્નોડયાઃ આ અભ્યાસ જો ચિરકાળ સુધી આદરપૂર્વક નિરંતર સેવવામાં આવે તો દઢભૂમિ=સ્થિર થાય છે. યોગસૂત્ર (૧૧૪)માં કહ્યું છે તે તુ વીર્વાન-નૈન્તર્ય-સારાસેવિતો ટપૂમિ .