________________
३५४
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - ३२ અનિત્યત્વ સ્વીકારી લીધું. ને સર્વ ક્ષણિક સૂત્રને પ્રાણ બનાવી દીધું.. (સ્વરૂપ બદલાય એટલે સ્વરૂપવાન એવી વસ્તુ બદલાય.. આ નિયમ બધાને માન્ય છે. આને ટૂંકમાં સ્વરૂપભેદે વસ્તુભેદ કહેવાય છે. વસ્તુતઃ આ વસ્તુભેદ પણ એકાન્ત નથી.. સર્વથા નથી. પણ કથંચિત્ છે. પણ અનેકાન્તવાદની સમજણ વિના એની કલ્પના સ્વપ્નમાં પણ શક્ય નથી. એટલે બધા એકાન્ત વસ્તુભેદ સ્વીકારી લે છે. અને જેઓ સ્વરૂપ-સ્વરૂપવાનું વચ્ચે સર્વથા ભેદ માને છે તેઓ સ્વરૂપભેદે પણ વસ્તુભેદ માનતા નથી.)
હવે વસ્તુ બિલકુલ ક્ષણિક હોય. બીજી ક્ષણે એક અંશરૂપે પણ એ વિદ્યમાન હોય જ નહીં. બીજી ક્ષણે અસ્તિત્વમાં આવનારી વસ્તુ સર્વથા ભિન્ન જ હોય, તો પૂર્વાનુભૂતનું સ્મરણ શી રીતે થાય? કોને થાય? પુણ્યપાપનું ફળ કોને મળે ? સાધના કોણ કરે અને એના ફળરૂપે મોક્ષ કોનો થાય ? આવા બધા ઢગલાબંધ પ્રશનો નિર્માણ થાય જ. એની સંગતિ માટે દીર્ઘકાળ ટકનારું કંઈક માનવું જ પડે. એટલે તેઓ પણ સંતાન-વાસના વગેરેની કલ્પના કરી આ સ્મરણ વગેરેની સંગતિ કરવા મથે છે. વળી આ સંતાન વગેરેને ક્ષણિક માનવાનો તો કોઈ મતલબ જ નથી, કારણ કે તો તો એ પણ ક્ષણિક વસ્તુ જેવા જ થઈ જવાથી સ્મરણ વગેરેની સંગતિનો પ્રશ્ન ઊભો જ રહે. અને જો એને અક્ષણિક માનવામાં આવે તો તો પોતાનો પ્રાણભૂત “સર્વ ક્ષણિક સિદ્ધાન્ત જ ઊડી જાય. એટલે સંતાનને કાલ્પનિક માને છે, અને એ સંતાનમાં (=પ્રવાહમાં ધારામાં) આવનારી તે તે ક્ષણીય વસ્તુઓને (સંતાનીઓને) પારમાર્થિક માને છે. ક્ષણિક માને છે. સ્મરણ વગેરેની સંગતિ સંતાનદ્વારા કરે છે. પણ જેમ કાલ્પનિક ગાય વાસ્તવિક દૂધ આપી શકતી નથી એમ કાલ્પનિક સંતાન વાસ્તવિક એવા સ્મરણ વગેરેની સંગતિ શી રીતે કરી શકે ? આવો બે ને બે ચાર જેવો વિચાર તેઓને ખુદને તો આવતો નથી, પણ બીજાઓ સમજાવવા માગે તો પણ સમજવા-સ્વીકારવા તેઓ તૈયાર હોતા નથી. આ બધો મિથ્યાત્વમોહનીયનો પ્રભાવ જાણવો.
આશ્ચર્ય તો એ છે કે, જેઓ એકાન્ત નિત્યવાદી છે, તેઓને પણ કેટલાય પ્રશ્નો નિર્માણ થાય છે, ને એની સંગતિ કરવા તેઓ પણ કંઈક કાલ્પનિક વાતો રજુ કરે છે. એ વખતે આવી “કાલ્પનિક વાતોથી કાંઈ આ રીતે સંગતિ ન કરી શકાય એવું તેઓને કહેનારા ક્ષણિકવાદી પોતાની કલ્પના અંગે આ તકને વિચારી શકતો નથી. આ દર્શન મોહનીયના ઉદયનો પ્રભાવ છે.
વસ્તુતઃ કેટલીય એવી બાબતો છે જે, વસ્તુને ક્ષણિક ન માનો તો કોઈ રીતે સંગત થઈ જ શકે નહીં. એમ કેટલીય એવી પણ બાબતો છે જે વસ્તુને નિત્ય ન માનો તો કોઈ રીતે સંગત થઈ શકે નહીં. માટે વસ્તુ પરમાર્થથી નિત્ય પણ છે ને પરમાર્થથી જ અનિત્ય પણ છે. એટલે કે નિત્યાનિત્ય છે. આ જ અનેકાન્તવાદ છે.
સાંખ્યદર્શન અને પાતંજલ યોગદર્શને આત્માને નિત્ય માન્યો છે. એમ તો નૈયાયિકોએ પણ આત્માને નિત્ય માન્યો છે. પણ તૈયાયિકોએ આત્માના જ્ઞાનાદિ ગુણોને સર્વથા ભિન્ન માનેલા છે. એટલે એમાં ફેરફાર થાય તો પણ આત્મા વગર ફેરફારે નિત્ય રહી શકે છે. પણ સાંખ્યદર્શન માટે એવું માનવું શક્ય નથી. એણે તો પરિણામનાશે પરિણામીનો પણ નાશ માન્યો છે. એટલે આપણને જે કાંઈ સંવેદનો થાય છે-જેવા કે “આ ઘડો છે', “આ કપડું છે'.. વગેરે જ્ઞાન, વિવિધ ઇચ્છાઓ, વિષયપ્રવૃત્તિઓ, એનાથી થનાર સુખ-દુઃખના અનુભવો.. ક્રોધ-માનાદિ કષાયો, રાગ-દ્વેષ-હાસ્ય-ભય વગેરે લાગણીઓ.. વિવિધ ક્રિયાઓનું કર્તુત્વ. આ બધા જ