Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આઘે મુરબ્બીશ્રી, ભાણવડ નિવાસી શેઠ હરખચંદ કાલીદાસ વાહીયાનું
જીવન ચરિત્ર,
આ સંસ્થાને રૂ. ૬૦૦ છ હજાર જેવી રકમનું વાતવાતમાં દાન આપનાર સ્વ. શ્રીમાન હરખચંદ કાલીદાસ વારીયા ભાણવડ નિવાસીનું ટુંક જીવનચરિત્ર અને આપવા પ્રયાસ કરીએ છીએ. સૂત્રમાં તેઓશ્રીને ફેટ આપવા માટે તેઓશ્રીની હયાતીમાં વાત થયેલ, પરંતુ તેઓ આ જાતની જાહેરાતથી વિરૂદ્ધ હતા. તેમના અવસાન બાદ તેમના સુપુત્ર આગળ પણ ફટાની માગણી કરી પરંતુ તેઓએ પણ તેમના પૂ. પિતાજીના પગલે ચાલી ફેટે આપવામાં નારાજી બતાવી. એટલે તેઓશ્રીનું ટુંક જીવન આપીએ છીએ. આશા છે કે આવા ઉદાર અને વિચારશીલ મહાનુભાવના જીવનમાંથી વાચકને ઘણું મળી રહેશે.
જન્મ સ્થાન : ઘડેચી (ઓખા મંડળ) તા. ૨૫-૧૧-૧૮૮૫. પિતાનું નામ: વારીયા કાલીદાસ મેઘજીભાઈ. માતાનું નામ કેશરબાઈ.
અરયાસ :
ભાણવડમાં અને પિરિબંદરમાં રહી ફકત જરૂર પુરતું ભણ્યા. પરદેશગમન
માત્ર બારવર્ષની વયે તેમના કાકા નથુભાઈ મેઘજીને ત્યાં જેલ ખાતે અનુભવ મેળવવા રહ્યા દરમ્યાન જેલા (બ્રી. સેમાલીલેન્ડ) જીબુટી (કૂચ સેમાલી લેન્ડ) એડન અને ઈધીએપીઆ તરફ પણ અનુભવ મેળવ્યે. પ્રથમ ભાગીદારી ?
બુલહારમાં શ્રી કાલીદાસ વેલજીના ભાગમાં ભળ્યા પરંતુ સંવત ૧૯૬૭માં તે દુકાન વીટી લીધી અને લગ્ન માટે સ્વદેશ આવ્યા.
લગ્ન :
સંવત ૧૯૬૭માં તેમનાં લગન બાજુના ગામ ગુદા મુકામે ખૂબ જ પ્રતિષ્ઠિત કુટુંબ મહેતા સુંદરજી પ્રેમજીના જયેષ્ઠ પુત્ર ભેવાન સુંદરજીનાં સુપુત્રી મણીબેન સાથે થયાં.