Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ਗਈO.
श्री प्रियदर्शन
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સિદ્ધાંત માટે
ઝઝુમેલી
અથણા.
હસતા મુખે દુઃખ સહનારી
ચણા.
નવપદની આરાધિકા
મયાા.
www.kobatirth.org
પરમાત્મા ઋષભદેવની
ઉપાસિકા
થાય.
કુષ્ઠરોગીને પતિરૂપે સ્વીકારનારી
મયણા.
મયણા
શ્રી સિદ્ધચક્ર મહાયંત્રના દિવ્ય પ્રભાવો પામનારી મયણા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૦ કુષ્ઠરોગીઓને
નીરોગી કરનારી
લેખક
શ્રી પ્રિયદર્શન
For Private And Personal Use Only
મળ્યા.
ગુરુદેવની
કૃપાપાત્ર
ચણા.
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનઃ સંપાદન
જ્ઞાનતીર્થ - ઊંબા
બીજી આવૃત્તિ
વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૦૫, ૧૫ મે ૨૦૦૯ શ્રી બોરીજ તીર્થે સમવસરણ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે
મૂલ્ય ડીલક્સ : રૂ. ૧૭૦.૦૦ જનરલ : રૂ. ૫.00
આર્થિકસોજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર
પ્રકાશક
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર
કોબા, તા. જિ. ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨૫૨
email: gyanmandir@kobatirth.org
website : www.kobatirth.org © શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા
વાક
નવપ્રભાત પ્રિ. પ્રેસ, અમદાવાદ ફોન નં.: ૯૮૨પપ૯૮૮૫૫
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी
श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन-अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी. ४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन हिताय बहुजन सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया. जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેહ-સેવા અને સમર્પણની મૂર્તિસમાં
અશોકભાઈ કાપડિયાને દેવીબેન કાપડિયાને ધર્મલાભ” સાથે...
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન અને સંવેદન
શ્રીપાલ-મયણાની કથા સર્વપ્રથમ વિ. સં. ૧૪૨૮માં પ્રાકૃત ભાષામાં લખાઈ હતી. તેના લેખક હતા આચાર્યપ્રવરશ્રી રત્નશેખરસૂરિજી. ત્યાર પછી વિ. સં. ૧૫૧૪માં સંસ્કૃત ભાષામાં શ્રીપાલ-મયણાનું ચરિત્ર લખ્યું હતું પંડિતશ્રી સત્યરાજ ગણિવરે. આ બંને ચરિત્ર-ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ છે.
આ હૃદયંગમ પવિત્ર કથા સમગ્ર જૈન સંઘમાં સુપરિચિત છે. પ્રતિવર્ષ ચૈત્ર મહિનાની અને આસો મહિનાની શાશ્વતુ આયંબિલ-ઓળીના દિવસોમાં લગભગ પૂજ્ય સાધુ-સાધ્વીજી આ કથા સંઘને સંભળાવતા હોય છે.
આ કથા રાસ (કાવ્ય) રૂપે પણ મહોપાધ્યાયશ્રી વિનવિજયજી તથા મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ રચેલી છે. ‘શ્રીપાલરાસ’ના નામે તે પ્રસિદ્ધ છે. (વિક્રમની અઢારમી સદી, ૨૪ ઢાળ = ૭૪૮ ગાથા.)
મેં પણ અનેકવાર પ્રવચનોમાં શ્રોતાઓને આ કથા સંભળાવેલી છે. મને ખૂબ ગમતી કથા છે. આ કથા કહેતાં કહેતાં ઘણી વાર અનુપમ સંવેદનો મેં અનુભવેલાં છે. ઘણી વાર શ્રીપાલ-મયણા સાથે તાદાત્મ્ય સધાઈ ગયેલું છે. એટલે મૂળ ચરિત્રમાં જે કેટલીક ઘટનાઓ નથી વાંચવા મળતી એવી પણ ઘણી ઘટનાઓ, પ્રસંગો... જે મારા ભાવાલોકમાં ઉદ્ભાસિત થયા, તે મેં આ કથામાં લખ્યા છે... જ્યાં સુધી મારી સમજ અને બુદ્ધિનો વ્યાપ છે ત્યાં સુધી મેં મયણા અને શ્રીપાલના વ્યક્તિત્વને વિશેષરૂપે અજવાળવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ‘મયણા’ના અપૂર્વ નારીત્વને, સતીત્વને, એના સત્વને, ઓજસને... શ્રદ્ધાને અને જ્ઞાનને નવાજવા ઉઘત બન્યો છું. મારી એવી સમજણ છે કે ઊર્મિની સચ્ચાઈનો રણકો અને કલ્પનાની મૌલિકત્તા શબ્દોમાં અવતરે તો જ સહૃદય મનુષ્યને સ્પર્શે. અને જેટલું એ વાચકના હૃદયમાં ઉતરે છે એટલું જ યથાર્થ નીવડે છે.
વાત એની એ જ હોય છે, પણ કહેવાના અંદાજ જુદા-જુદા હોઇ શકે છે. એ અંદાજોને લક્ષમાં રાખી આ કથા તમે વાંચશો તો તમે દિવ્ય સંવેદનો અનુભવશો. આ કથા છે! એટલે એમાં વિવિધ રસોને પુષ્ટ કરવા જ પડે. જેથી વાચકના હૃદયને બાંધી રાખી શકાય.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કથા લખવામાં શારીરિક અસ્વસ્થતાનાં ઘણાં વિઘ્નો આવ્યાં. લગભગ ૧૫૦ પેજ લખ્યા પછી એક મહિના સુધી એકેય પેજ લખાયું ન હતું અને 'હવે કદાચ આ કથા હું પૂરી નહીં લખી શકું.' એવી શંકા પણ મનમાં જાગી ગઈ હતી... પરંતુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતની કૃપાથી, ગુરુદેવોના અચિંત્ય અનુગ્રહથી, સહવર્તી અંતેવાસી બંને મુનિવરો પદ્મરત્ન અને ભદ્રબાહુની અપાર હૂંફથી, અમારા શય્યાતર સુશ્રાવક અશોકભાઈ કાપડિયાદેવીબેન કાપડિયા પરિવારની સતત સુશ્રૂષાભક્તિ અને કાળજીથી... ડૉક્ટરોની સાવધાનીભરી સેવાથી... અને આવા અનેક પરિબળોના કારણે આ વાર્તા પૂર્ણ થઈ... સારી રીતે લખાઈ ગઈ!
છતાં ઘણી ત્રુટીઓ રહી ગઈ હશે... ક્યાંક પુનરુક્તિ-દોષ પણ દેખાશે... પરંતુ તમે મને દરગુજર કરજો. કારણ કે હું તો મારા મનને જ્ઞાનાનંદમાં રમતું રાખવા જ લખું છું... જેટલું તમને સારું લાગે તેટલું જ ગ્રહણ કરજો... આ પુસ્તકનો એકાદ શબ્દ, એકાદ વાક્ય... કે એકાદ પ્રસંગ પણ તમારા આત્મવિકાસમાં સહાયક બનશે તો મને ઘણો આનંદ થશે. જો કે લખતાં લખતાં મેં ખૂબ જ આંતર પ્રસન્નતા મેળવી જ છે. મારા રુગ્ણ દેહમાં મારું મન સદૈવ પ્રસન્ન રહે, મારો આત્મભાવ નિર્મળ રહે... તે માટે હું ઝઝુમી રહેલો છું. સહુ જીવો શાંતિ પામો... શાંતિ પામો... આ મારી આંતર ભાવના છે.
આ પુસ્તકનાં બધાં જ ફાઈનલ પ્રૂફો, વિદુષી મહાસતી પદ્માબાઈએ ખૂબ જ કાળજી ને આત્મીયભાવે જોઈ આપ્યાં છે... આ પ્રસંગે તેમને કૃતજ્ઞભાવે યાદ કરૂં છું.
જિનાજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તેવી કાળજી રાખી છે, છતાં છદ્મસ્થ છું... ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો મિચ્છામિ દુક્કડં...
અમદાવાદ
૭-૧૦-૯૮
ચુતજૂનિ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણાઠીય
પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરંતુ જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતુ લોકપ્રિય સાહિત્ય છે.
પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુન:પ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો.
વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુન:પ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા.
તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંસ્થાના શ્રુતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું.
શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુનઃપ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત મયણા ગ્રંથનું પુનઃ પ્રકાશન કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આ સાહિત્ય સર્વ-સુલભ બને એ માટે જ્ઞાનસારના પુનઃ પ્રકાશનથી લઈ વધુ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીમતવાળી ડીલક્સ આવૃત્તિ કે જે પાકા પૂંઠાની અને ઊંચા જાતના કાગળ પર છપાએલ હોય છે, અને ઓછી કીમતવાળી સાદી-જનરલ આવૃત્તિ કે જે કાચા પૂંઠાવાળી અને સામાન્ય કાગળ ઉપર છપાએલી હોય છે, એમ બે પ્રકારની આવૃત્તિઓ છાપવાનું ચાલુ કર્યું છે.
શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે.
આ આવૃત્તિનું પ્રૂફરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ શાહ તથા ફાઈનલ દૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જેન, શ્રી આશિષભાઈ શાહનો અને આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કયૂટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ તથા શ્રી સંજયભાઈ ગુર્જર તેમજ શ્રી મયુરભાઈ શાહનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.
આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડુ યોગદાન આપને લાભદાયક થશે.
અન્ન, નવા કલેવર તથા સજ્જા સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ.
પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી.
ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાતનો સમય હતો. ઉજ્જયિની નગરીના રાજપથ પર એક ક્ષીણકાય સ્ત્રી ધીમે પગલે ચાલી રહી હતી. તેનો દેહ કુશ હતો. તેના ગુલાબી ચહેરા પર સમયની કરચલીઓ ઊપસી આવી હતી. તેનાં વસ્ત્રો સાદાં હતાં. છતાં શ્વેત વસ્ત્રોમાં તે જાજરમાન લાગતી હતી. તેના દેહ પર સુવર્ણ ન હતું. તે નારી પ્રૌઢા લાગતી હતી. તેની ચાલમાં ડોલન ન હતું, પરંતુ નયનોમાં જ્યોતિ હતી, મસ્તક પર દૃઢતા હતી. ચાલમાં ગાંભીર્ય હતું.
ત્યાં અચાનક સામેથી ચાલ્યા આવતા એક યુગલે એ સ્ત્રીને જોઈ. યુવકે યુવતીનો હાથ દબાવી ઊભી રાખી. યુવકની આંખો વિકસ્વર થઈ... મુખ પર હર્ષ છવા... તે દોડ્યો. પાછળ યુવતી પણ દોડી... યુવક પેલી સ્ત્રીનાં ચરણોમાં આળોટી પડ્યો... “મા! મારી મા!” વત્સ તું?” એ સ્ત્રી મૂંઝાઈ ગઈ, “વત્સ! મેં તને...” ન ઓળખ્યો, મા? હું તારો પુત્ર!' બેટા શ્રીપાલ!'
એ પ્રોઢ સ્ત્રીએ પુત્રને બે હાથે ઊભો કર્યો... પુત્ર માતાની છાતીએ ચોંટી પડ્યો. હર્ષનાં અનરાધાર આંસુઓથી માતાએ પુત્રના મસ્તકને ભીંજવી નાંખ્યું..
બે હાથે પુત્રને અળગો કરી, એના ખભે બે હાથ મૂકી માતા પુત્રને નવા અભિનવ રૂપને જોઈ રહી. પડછંદ અને માંસલ દેહ! બંકી ગરદન પર ઝૂમતાં કાળાં જુલફા.. મધુર સ્વર.. કામદેવને પણ શરસંધાન કરવાનું મન થાય તેવું ભવ્ય લલાટ! આંખોમાં હજાર હીરાઓનું તેજ! “બેટા, આ ચમત્કાર સાચો છે? કે હું સ્વપ્ન જોઉં છું?' “મા, તું સ્વપ્ન નથી જોતી... વાસ્તવિકતા જુએ છે. આ ચમત્કાર તારી
માણા
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પુત્રવધૂનો છે!'
હજુ તો એ પ્રૌઢા સ્ત્રી યુવતી સામે જુએ, તે પહેલાં યુવતી એ સ્ત્રીનાં ચરણોમાં નમી પડી... પ્રૌઢાએ પોતાની એ પુત્રવધૂને બે હાથે ઊભી કરી ને એની સામે જોઈ રહી.
માતાજી, તમારા આ સુપુત્ર નીરોગી થયા, તે પ્રભાવ પરમાત્મા ઋષભદેવનો છે અને ગુરુદેવશ્રી મુનિચન્દ્રસૂરિજીનો છે.'
મા, એ બધી વાતો ઘરે ગયા પછી કરીશું... પરંતુ તારું ચંદ્ર જેવું મુખ કેમ વિલાઈ ગયું? મારે તો તારો નાગપાશ જેવો કેશકલાપ જોવો હતો.. કમળપુષ્પના રંગ જેવી તારી દેહયષ્ટિ નીરખવી હતી. નેહભર્યા તારા હાસ્યથી વર્ષોનો મારો થાક ઉતારી નાંખવો હતો...”
“વત્સ, એ બધી વાતો લાંબી છે. વાતો સંઘર્ષની છે.. આંતરબાહ્ય વિક્નોની છે... એ બધી વાતો સંભળાવીશ નિરાંતે.. પણ એ પહેલાં મારે, તને દેવકુમાર જેવો રૂપરૂપનો અંબાર બનાવનારી મારી આ પુત્રવધૂને ઓળખવાની છે. એનો પરિચય પામવાનો છે. એણે કેવી રીતે તને નીરોગી કર્યો... વગેરે બધું જ જાણવું છે!”
માતાજી, અત્યારે તો આપણે ઘરે જઈએ. તમને ખૂબ વિશ્રામની જરૂર છે. સ્નાન... ભોજનાદિથી નિવૃત્ત થયા પછી બધી વાતો કરીશું! હવે તો આપને અહીં જ રહેવાનું છે.”
એ પ્રૌઢા હતી રાણી કમલપ્રભા. અંગદેશના ચંપાનગરીના રાજા સિહરથની વિધવા રાણી. પેલો યુવાન હતો. શ્રીપાલ. રાજકુમાર શ્રીપાલ! રાણી કમલપ્રભાનો લાડકવાયો કુમાર! છેલ્લે છેલ્લે પુત્રને કુષ્ઠરોગથી ઘેરાયેલો જોયો હતો. આજે એને નીરોગી અને રૂપવાન જોયો! ઘણાં વર્ષો સંઘર્ષમાં પસાર થયાં હતાં. છેવટે કૌશામ્બીનગરમાં એક વિશિષ્ટ જ્ઞાની વિમલગુણસૂરિ મળ્યા. તેમણે કમલપ્રભાને કહ્યું :
હે દેવી, તારા કુષ્ઠરોગી પત્રને માલવપતિની પુત્રી પરણી છે. પત્નીના કહેવાથી સિદ્ધચક્રની આરાધના કરી. તેથી તારો પુત્ર નીરોગી થયો છે. તેનો પ્રબળ પુણ્યોદય પ્રગટ્યો છે! તારા એ પુણ્યશાળી પત્ર ભવિષ્યમાં સમ્રાટ રાજા થશે! પિતાનું રાજ પાછું મેળવશે.”
મયણા
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ્ઞાની મુનિનું કથન સાંભળીને કમલપ્રભા ઉજ્જયિનીમાં આવી અને આવતાં જ પુત્ર અને પુત્રવધૂ નગરના રાજમાર્ગ પર મળી ગયાં. મયણા અને શ્રીપાલ, કમલપ્રભાને લઈ નગરની બહાર દશપુરના માર્ગ પર આવેલા પોતાના ઘરે આવ્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘર નાનું હતું પણ સુંદર અને સુઘડ હતું. આંગણામાં ખડક કોરીને અને મોટા પથ્થરો ગોઠવીને સુંદર બગીચો બનાવવામાં આવ્યો હતો. સપાટ જમીન પર સુશોભિત મકાન ઊભેલું હતું. તેના પ્રવેશદ્વારે પહોંચવા માટે નૈસર્ગિક લાગે તેવાં પગથિયાં હતાં. મકાનની ચોતરફ બોરસલ્લી, આંબા અને અરીઠાનાં વૃક્ષો હતાં. લાલ રંગનાં નળિયાંના છાપરાવાળું મકાન અંદર અને બહારથી આછા લીલા રંગથી રંગેલું હતું. મકાનમાં પ્રવેશતાં પહેલાં સરસ મજાની અગાસી હતી. અગાસીના કઠેડાઓની પાસે વ્યવસ્થિત રીતે કૂંડાં ગોઠવેલાં હતાં. વચ્ચોવચ નેતરનાં અને લાકડાનાં સુખાસનો ગોઠવાયેલાં હતાં.
દીવાનખંડમાં સાદાઈ અને સુઘડતા દેખાતી હતી. જમીન પર આરસની ફરસ એકદમ ચકચકત હતી. ખંડનું બધું જ રાચરચીલું સફાઈબંધ હતું. જોતાં એમ જ લાગે કે આ નવા મકાનમાં મયણા અને શ્રીપાલ આજે જ રહેવા આવ્યાં હશે. છાપરાની નીચે છતમાં કરેલો રંગ પણ તાજો જ કર્યો હોય તેટલી ચોખ્ખી છત લાગતી હતી.
આ મકાન ઉજ્જયિનીના નગરશ્રેષ્ઠી અને આચાર્યશ્રી મુનિચંદ્રના પરમ ભક્ત ધર્મપાલનું હતું. ગુરુદેવના નિર્દેશથી તેમણે મયણા-શ્રીપાલને આ મકાન રહેવા આપ્યું હતું.
ચણા
માતા, પુત્ર અને પુત્રવધૂ મકાનમાં પ્રવેશ્યાં.
‘માતાજી, સર્વપ્રથમ આપ લાંબી યાત્રાનો થાક ઉતારવા સ્નાનઘરમાં જાઓ. શાંતિથી સ્નાન કરો અને આપના માટે આ નવાં વસ્ત્રો મૂકું છું, તે પહેરી લેજો. હું જાણું છું કે આપ વિધવા રાણી છો!'
કંઈ જ બોલ્યા વિના કમલપ્રભા વસ્ત્રો લઈ સ્નાનઘરમાં દાખલ થઈ ગઈ. મયણા રસોઈઘરમાં ચાલી ગઈ અને શ્રીપાલ (ઉંબર૨ાણો) દીવાનખંડમાં એક લાંબા સુખાસન પર બેઠો. તેણે ઘણા સમય પછી માને જોઈ હતી. તેનું હૃદય હર્ષથી રોમાંચિત હતું. તે પોતાનો સમગ્ર વૃત્તાંત માને કહેવા માટે તત્પર બન્યો હતો. મયણા પણ ભોજન બનાવતાં આ જ વાત વિચારતી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી કે, “મારી સાસુ બધી જ વાત પૂછશે, ને હું બધી જ વાત કરીશ.”
ક્ષિપ્રા નદીના તટથી દૂર, મયણા-શ્રીપાલના બંગલી જેવા ઘર પર સવારનો તડકો છવાયો હતો. ઘરના ઉગમણા ખૂણે ઊગેલી મહાકાય રાયણનાં લીલાંછમ પાંદડાંની ભીતરમાંથી જાણે સોનું વરસતું હોય તેમ રેશમના તાંતણા જેવાં કિરણો સરતાં હતાં અને એનું તેજ બંગલીની અગાસીમાં ગોળ ચકતામાં કે આકારવિહોણા પેજમાં ફેલાતું હતું. ક્ષિપ્રા નદી પરથી આવતો ધીમો ઠંડો પવન મકાનની બારીમાં લટકતા પડદાને છેડતો હતો. તડકાની સાથે બંગલીની આસપાસ બનાવેલી ફૂલની ક્યારીઓમાંથી ભીની ખુબૂ ઊભરાતી હતી. પવનના ઝોકા સાથે એ ફોરમ અંદર આવતી હતી.
કમલપ્રભા નાનગૃહની બહાર આવી. તેણે સુંદર શ્વેત વસ્ત્રો પહેર્યા હતાં. તેના શરીરમાં સ્કૂર્તિ આવી હતી.
એના શરીરમાંથી તેજ, આભા, પ્રકાશ, માધુર્ય, કોમળતા અને સૌરભનું અખંડ ઝરણું વહી રહ્યું હતું. એની દેહયષ્ટિ જાણે કોઈ દિવ્ય કારીગરે હીરાઓના અખંડ ટુકડાઓ કલાત્મક રીતે ખોદીને બનાવી હતી. આવું રૂપ, આટલું સૌષ્ઠવ અને આટલી અપૂર્વતા જોઈને મયણા સ્તબ્ધ થઈ ગઈ. શ્રીપાલ તો ટકટકી લગાવીને જોઈ રહ્યો. અને માતાને વળગી પડ્યો.
મા! મારી મા! હવે તું જેવી હતી... મેં તને જોઈ હતી, તેવી લાગે
હવે મા-પુત્ર પછી ખૂબ વાતો કરજો, પહેલાં આપણે માતાજીને ભોજન કરાવીએ!” મયણાએ શ્રીપાલને કહ્યું.
ના, ના, આપણે ત્રણેય સાથે જ ભોજન કરીશું. આજે ઘણાં વર્ષો પછી હું મારા લાડલાને ભોજન કરાવીશ.'
કમરામાં ખાનું અજવાળું રેલાતું હતું. એક તરફ કાષ્ઠાસન હતું. બીજી તરફ પલંગ હતો. એક ભીંત પાસે કોતરણી કરેલી ફ્રેમમાં મઢેલા અરીસાવાળું સુંદર ટેબલ પડેલું હતું. મયણાએ કમલપ્રભાને કોતરણી કરેલા પાયાવાળા અને મખમલની બેઠકવાળા સુખાસન પર બેસાડી.
‘બેટી! તું માલવપતિની રાજકુમારી અને આ મારો પુત્ર કુષ્ઠરોગથી ઘેરાયેલો વિરૂપ ચહેરાવાળો પુત્ર... આ કુ-યોગ કેવી રીતે થયો? એ તો
મયણા
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયો, પણ મારો પુત્ર નીરોગી કેવી રીતે થયો? વગેરે બધો જ વૃત્તાંત મારે તમારા બંનેના મુખે સાંભળવો છે.” “મા, મારે તારો પણ ગુપ્તવાસનો સંઘર્ષમય વૃત્તાંત સાંભળવો છે!' શ્રીપાલે કહ્યું.
પહેલાં તમારો વૃત્તાંત પછી મારો! બરાબર?' કમલપ્રભાના મુખ પર ઘણાં વર્ષો પછી સ્મિત રમવા માંડયું..
માણા
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલવ દેશ એટલે પૃથ્વી પરનો બગીચો. ખૂબ ખૂબ વૃક્ષો. વૃક્ષો અને વનરાજીથી ભર્યાભર્યા જંગલો. જંગલોના સુંદર બગીચા. ડુંગરો અને ખીણો. ખીણોની ગોદમાં રમતિયાળ બની વાંકીચૂકી ફરતી નદીઓ. વિશાળ અને સુંદર તળાવો; મીઠાં જળથી ભરેલાં. અને ડુંગરો ય કેવા મોહભર્યા ને આકર્ષક! ડુંગરાઓમાં ભરીભરી હરિયાળી.
કુદરતે એ ધરતી પર વિપુલ સૌંદર્ય વેર્યું હતું. ધરતી પરનાં વન્ય પશુઓની જેમ નિજાનંદે મસ્ત બની ત્યાંની પ્રજાએ પ્રકૃતિના ખોળે ઊછરી, સંસ્કૃતિને માણી, પ્રવૃત્તિમય જીવન જીવવાની કળા કેળવી હતી. માલવની ધરતી પર તેઓ સુખી, સમૃદ્ધ અને ધાર્મિક બનીને જીવન જીવતા હતા. પરસ્પરના સાથ-સહકારથી દેશની સમૃદ્ધિમાં ઑર વધારો થવા પામ્યો હતો. વળી એ ધરતી એવી તો ફળદ્રુપ હતી કે જ્યાં કોઈ પથ્થર સુધ્ધાં નાંખે તો એ પથ્થર પણ એની ધરતીની હૂંફ અને ઉષ્મામાં ધનધાન્ય અને ફળદ્રુપ પાક બની ઊગી નીકળે; આવું એ દેશ માટે કહેવાતું
“દુનિયામાં આવો કોઈ દેશ હશે કે કેમ?' એવું એ દેશ માટે કહેવાતું. ત્યાં પગ મૂકનારને એ ધરતીનું એવું તો આકર્ષણ જાગતું કે પછી એ ત્યાંથી પોતાનો પગ ખસેડવા વહેલો તૈયાર ન થતો. ભારતની પ્રજામાં આ દેશની પ્રજાની બિરાદરી અને બહાદુરીની વાતોના પડઘા પડતા રહેતા. એ ધરતીની ઉદ્યમી પ્રજાની કોઈનેય ઈર્ષ્યા આવે, એવું ત્યાંનું જીવન હતું. દેશનું પાટનગર હતું ઉજ્જયિની. ક્ષિપ્રા નદીના કિનારે વસેલું રશિયામણું પાટનગર.
એ દેશમાં ગરીબ જેવું કોઈ દેખાતું જ નહીં. કોઈની જરા સરખી બૂરી હાલત થતી તો બીજાઓ એની વહારે દોડી જતા. પડતાને પાછો ઊભો કરતા. એ સમાજ સાચા અર્થમાં ધાર્મિક સમાજ હતો. એ કાળે માલવમાં મુખ્ય બે ધર્મો પ્રજામાં પળાતા હતા - જૈન ધર્મ અને શૈવ ધર્મ, રાજમહેલથી માંડીને સામાન્ય માણસના ઘરમાં આ બે ધર્મોના
મયણ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયાકાંડ અને આચારો જોવા મળતા હતા.
ક્ષિપ્રા નદીના ડાબી તરફના તટ પર માલવ સામ્રાજ્યની રાજધાની ઉજ્જયિની વસેલી હતી. કુશળ શિલ્પીઓએ આ નગરીને મનોરમ અને સુંદર બનાવેલી હતી. નગરીની ચારે બાજુ મોટી અજેય દીવાલો બનાવેલી હતી. ઉત્તર અને પૂર્વ દિશા તરફ દુર્લંધ્ય પર્વતશ્રેણીઓ હતી. તે દક્ષિણ તરફ દૂર દૂર ફેલાયેલી હતી. રાજધાનીનાં જલ-વાયુ સ્વારથ્યકર હતાં. સ્થાને સ્થાને ગરમ પાણીના કુંડ આવેલાં હતા. ઉજ્જયિનીની શોભા અલૌકિક હતી અને એનો કિલ્લો દુર્લધ્ય હતો. રાજમહાલયમાં પરાપૂર્વથી ચાલી આવતી અઢળક સંપત્તિ હતી. નગરીની પૂર્વ દિશામાં એક વિશાળ શૈવ મંદિર અને શૈવ ધર્મના આશ્રમ આવેલાં હતાં. જ્યારે પશ્ચિમ દિશામાં ભગવાન ઋષભદેવનો ગગનચુંબી ભવ્ય પ્રાસાદ શોભતો હતો અને એની પાર્સના સવ્રત-ઉદ્યાનમાં જૈનાચાર્ય શ્રી મુનિચન્દ્ર અનેક શ્રમણોની સાથે બિરાજમાન હતા. ઉજ્જયિનીની અડધા ભાગની પ્રજા શૈવ ધર્મને અનુસરનારી હતી, અડધી પ્રજા જૈન ધર્મને માનનારી હતી.
માલવપતિ મહારાજા પ્રજાપાલ, બંને ધર્મો પ્રત્યે સમભાવ ધારણ કરતા હતા. બંને ધર્મના સાધુઓનો આદર કરતા હતા. પરંતુ એક રાણી સૌભાગ્યસુંદરી શૈવ ધર્મને દઢતાથી માનતી હતી. બીજી રાણી રૂપસુંદરી જૈન ધર્મની પરમ ઉપાસિકા હતી.
મયણાએ રાણી કમલપ્રભાને કહ્યું : “માતેશ્વરી, મારી માતાએ મારા ધાર્મિક અભ્યાસ માટે અને ધાર્મિક સંસ્કરણ માટે “સુબુદ્ધિ' નામના જૈન વિદ્વાન પંડિતને નિયુક્ત કર્યા હતા. જ્યારે રાણી સૌભાગ્યસુંદરીએ પોતાની પુત્રી સુરસુંદરી માટે “શિવભૂતિ’ નામના શૈવધર્મી પંડિતને નિયુક્ત કર્યા હતા. અમારા પિતા મહારાજા પ્રજાપાલે અમને ધર્મપાલનના વિષયમાં પૂર્ણ સ્વતંત્રતા આપેલી હતી. પરંતુ રાજકુમારીઓ માટે આવશ્યક નૃત્ય, ગીત, વાદન, ચિત્રકળા આદિ ૬૪ કળાઓ શીખવા, તેમનો દૃઢ આગ્રહ હતો અને અમે બંને બહેનો ૬૪ કળાઓમાં નિપુણ બની.” “હે મહાદેવી!' મયણા કમલપ્રભાને કહી રહી હતી.
અમારો રાજમહેલ તો આપે જોયો નથી! જો કે આપ પણ ચંપાનગરીના રાજમહેલમાં વસનારાં રાજરાણી છો. છતાં અમારો ઉજ્જયિનીનો રાજમહેલ મગધ, વત્સ, કોશલ, અવન્તિ આદિ દેશોમાં પ્રશંસાય છે!
મયણા
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારો રાજમહેલ “નીલપદ્મ પ્રાસાદના નામે પ્રસિદ્ધ છે. મહેલની બહારની ભીંતો પર અને મહેલની ફરસ પર મત્સ્ય દેશના ચમકીલા પથ્થરો જડેલા છે. દીવાલો પર ઉપરથી નીચે સુધી વિવિધ રંગનાં રત્નો જડાયેલાં છે. બહારના મેદાનથી મહેલ સુધી સુંદર પુલ બનેલો છે. એ પુલની બંને બાજુ સ્વર્ણ-દંડ લાગેલા છે. નીલ-પદ્મ સરોવરનું પાણી ખરેખર, નીલમણિની સમાન સ્વચ્છ અને ઉજ્વલ છે. અને એમાં મોટાં મોટાં નીલકમલ સદેવ ખીલેલાં રહે છે. સરોવરની વચ્ચે કૃત્રિમ ટાપુ બનેલા છે. એ ટાપુઓ પર હંસ, ચક્રવાક, બક, સારંગ.... વગેરે પશુ-પક્ષીઓના કૃત્રિમ આવાસ બનાવવામાં આવ્યા છે. એ પક્ષીઓનો કલરવ, નિર્મળ જળમાં નીલ કમલોની શોભા અને એના પર પડતી મહેલની કંપતી પરછાઈ.. (પડછાયો) અપૂર્વ સૌંદર્યનું દર્શન કરાવે છે.
હે માતા, ક્યારેક શુભ ચંદ્રની જ્યુસ્નામાં, શ્વેત વસ્ત્રો પરિધાન કરી, સરોવરના એક સ્વચ્છ શુભ્ર શિલાખંડ પર હું બેસી જતી. હું બાહ્ય જગતને ભૂલી જતી. મને ભગવાન ઋષભદેવની નયનરમ્ય મૂર્તિ દૃષ્ટિગોચર થતી... મારું મન પ્રભુના ધ્યાનમાં લીન થઈ જતું. મારા અધરો કંપવા લાગતા અને પ્રભુની સ્તવના પરિફુટ થતી... હું ધીમા... મધુર સ્વરે... આંખો બંધ કરીને ગાતી રહેતી. મને પ્રભુ ઋષભદેવનું સાંનિધ્ય પ્રાપ્ત થતું. મારા રોમરોમ વિકસ્વર થઈ જતા. મારી આંખો પ્રેમાશ્રુથી છલછલી જતી... આવા મધુર અનુભવો અનેક વાર મને થયાં છે. હે માતા! મારો ત્રાતા, ભ્રાતા, માતા ને સર્વસ્વ પ્રભુ ઋષભદેવ છે!
મહાદેવી, અમારા રાજમહેલની ખોટી પ્રશંસા નથી કરતી. ખરેખર, આ યુગમાં આ મહેલ નંદનવનની હોડ કરે છે! ત્યાંની સંપદા, સંપન્નતા, વિભૂતિ અને સજાવટ જોઈને મોટા સમ્રાટોને ઈર્ષ્યા થાય છે! આખો મહેલ શ્વેતા સંગેમરમરનો બનેલો છે. એમાં સાત ભવ્ય ખંડ છે અને સાત વિશાળ પ્રાંગણ છે. સહુથી ઊંચી અટ્ટાલિકા પર જડેલો સ્વર્ણકળશ, પ્રભાતના સોનેરી તડકામાં ખૂબ ચમકે છે અને દૂર દૂર સુધી શોભાનો વિસ્તાર કરે છે. મહેલ ખૂબ વિશાળ છે. એના દરેક કારોના કલાત્મક તોરણ પર હમેશાં સંધ્યા સમયે જૂઈ, ચંપો, ચંપક, માલતી અને શતદલની માળાઓ સુંદર રીતે ટીંગાડવામાં આવે છે. મહેલની બહારની ભીંતના ગોખલાઓમાં પોપટ, સારિકા, મયૂર, હંસ, સારસ, ચિત્તર આદિ પક્ષીઓ નિવાસ કરે છે.
મયણા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહેલના વિશાળ પ્રાંગણમાં સંધ્યાપૂર્વે સુગંધિત જલ છાંટવામાં આવે છે. મોટા મોટા સમ્રાટ આ રાજમહેલની શોભા એકાદ વાર જોવા લાલાયિત
રહે છે.
માતાજી, અમને રાજ કુમારીઓને રાજમહેલના કોઈ પણ ભાગમાં જવાની - ફરવાની છૂટ હતી. પરંતુ મને તો મારા અને મારી માતાના ખંડમાં જ રહેવાનું વધારે ગમતું હતું. કારણ કે મને જૈન ધર્મનું અધ્યયન કરાવનાર મારા પૂજ્ય પંડિત “સુબુદ્ધિ” મારા ખંડમાં જ મને ભણાવતા હતા!'
બેટી!' કમલપ્રભાએ પૂછ્યું. પંડિતજી પાસે તું શું શું ભણી?' ‘તેમણે મને સાચું પરમાત્મસ્વરૂપ, સાચું ગુરુસ્વરૂપ અને સાચું ધર્મસ્વરૂપ સમજાવ્યું. આત્માના અસ્તિત્વને તર્કથી અને શાસ્ત્રોથી સિદ્ધ કર્યું. આત્માની અજરા-અમરતા સમજાવી. આત્માની સ્વભાવ-વિભાવદશા સમજાવી. વિભાવદશાનાં કારણભૂત આઠ કર્મોનું જ્ઞાન આપ્યું. કર્મોનો બંધ, કર્મોનો ઉદય, કર્મોનું સંક્રમણ, કર્મોની સત્તા આદિ વિસ્તારથી કર્મોનું સ્વરૂપ સમજાવ્યું. કર્મોનો નાશ કરનાર ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ગૃહસ્થ ધર્મ સમજાવ્યો, સાધુધર્મ સમજાવ્યો! ચાર ગતિનું સ્વરૂપ બતાવ્યું. દેવગતિ, નરક્શતિ, તિર્યંચગતિ અને મનુષ્યગતિનાં સુખ-દુઃખ સમજાવ્યાં.”
“ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યની ત્રિપદી સમજાવી. નૈગમ-સંગ્રહ-વ્યવહાર આદિ સાત નયનું જ્ઞાન આપ્યું. નિશ્ચયનય અને વ્યવહારનય સમજાવ્યો. ક સપ્તભંગી સાત ભંગ સમજાવ્યા. આ ચાર પ્રમાણ - ચાર નિક્ષેપ સમજાવ્યા.
ખરેખર પંડિતજીએ મને ઘણું ઘણું જણાવ્યું. જૈન ધર્મ પ્રત્યેની મારી શ્રદ્ધાને અવિહડ કરી દીધી. તેમાંય આઠ કર્મોના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાની વાત તો અદ્દભુત રીતે સમજાવી છે.
માતાજી! આ બધું ભણતાં મનમાં કોઈ તત્ત્વની વાત ન સમજાય તો હું ગુરુદેવ મુનિચન્દ્રસૂરિની પાસે પહોંચી જાઉં! તેઓ મને ઓળખે છે. મારા પંડિતજીએ જ મારી ઓળખાણ કરાવી હતી. મોટા ભાગે હું મારી માતા રૂપસુંદરીની સાથે જ ગુરુદેવ પાસે જતી! તેઓ મારા પ્રશ્નોનું સમાધાન
માણ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતા. અહો! એ તો પરમ કરુણાની મૂર્તિ છે. અપૂર્વ શાસ્ત્ર-જ્ઞાની છે. મંત્રજ્ઞ છે, તંત્રજ્ઞ છે, યંત્રજ્ઞ છે! દિવ્યશક્તિઓના ભંડાર છે.
“હે માતા! તમારા આ પુત્રનો કુષ્ઠરોગ તે કૃપાળુ ગુરુદેવે જ મિટાવ્યો છે. હું... આપણે ગુરુદેવનાં દર્શને જઈશું. માતાજી! એમના ભવ્ય દેહને, એમની કરુણાભીની દૃષ્ટિને અને એમનાં મધુર વચનોને જોઈ-સાંભળીને તમે ભાવવિભોર થઈ જશો. તમે નતમસ્તક થઈ જશો. એમના પરમ ઉપકારને તમે મુક્ત કંઠે ગાવા માંડશ! દેવી! તેઓ મારી શ્રદ્ધા છે. તેઓ મારા શરણ છે! તેઓ જ મારા સર્વસ્વ છે! હું ભવોભવ એમનો ઉપકાર નહીં ભૂલી શકું!'
કમલપ્રભા બોલી ઊઠી : “ધન્ય છે મયણા તને! તું શ્રેષ્ઠ નારી છે!'
૧૦
પ્રય
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“હે સુશીલે! તેં મારા પુત્રને કેવી રીતે નીરોગી કર્યો, એ વાત જાણવાની મારી તીવ્ર જિજ્ઞાસા છે.”
હે માતેશ્વરી! એ વાત મારે કહેવી જ છે, પરંતુ એ વાત પર આપની શ્રદ્ધા થાય, તે માટે મારા જીવનની થોડી વાતો કરવી જરૂરી છે, કે જે વાતો આપના સપુત્રની આરોગ્યપ્રાપ્તિમાં સહાયક બની છે.
એમાં પહેલી વાત છે પરમાત્મા ઋષભદેવ પ્રત્યેના મારા અવિહડ પ્રેમની! મને બાલ્યકાળથી મારી માતા રૂપસુંદરીએ ભગવાન ઋષભદેવ સાથે સાચો સંબંધ બાંધી આપ્યો હતો. હું પ્રતિદિન એ પરમાત્માનાં દર્શન-પૂજન અને કવન કરતી હતી અને કરું છું. હું એ પ્રભુનાં ગીતો રચું છું અને ગાઉં છું! અને જ્યારથી હું નૃત્યકળા શીખી છું ત્યારથી ક્યારેક ક્યારેક ઋષભદેવ-પ્રાસાદમાં... જ્યારે ત્યાં કોઈ સ્ત્રી-પુરુષ ન હોય ત્યારે નૃત્ય પણ કરું છું!
હે માતા! આપણે એ ભવ્ય, સુંદર અને કલાત્મક ઋષભપ્રાસાદમાં રોજ જઈશું. એ પ્રાસાદના બાહ્ય ઉપવનમાં મને બેસવાનું ખૂબ ગમે છે. પ્રભુનાં દર્શન-પૂજન-સ્તવન-નર્તન કર્યા પછી હું એ ઉપવનમાં જઈને બેસું છું. આખુંય ઉપવન લગભગ ખાલી થઈ ગયું હોય, ચાલી જતી રમણીઓના નૂપુર ઝંકાર સંભળાતા બંધ થઈ ગયા હોય, વૃક્ષના ટોડલે બેઠેલી કોયલ ધીરુ ધીરું, મીઠું મીઠું ટહુકતી હોય, પાસેના સરોવરમાં બેઠેલું સારસ-બેલડું જ્યારે નિર્ભય બની ક્રિીડા કરતું હોય ત્યારે હું મારા પ્રિય લતામંડપમાં જઈને બેસું છું. પવનની ધીમી લહરીઓ મને ભેટતી હોય! એ પવનમાં ધ મસ્તી હોય! સુગંધ હોય! જાણે હું કોઈ નશાનો અનુભવ કરું! એવું કોઈ તત્ત્વ છે ત્યાં! માર ઘેરદાર ચણિયો ને આછું ઝીણું ઉત્તરીય વસ્ત્ર હવામાં ઊડતાં રહે! ને હું ચંપાની વૃક્ષઘટામાં પ્રવેશી જાઉં!
અમારા એ સુવ્રત-ઉદ્યાનના ઉપવનમાં દેશ-વિદેશનાં અનેક વૃક્ષો ઊગેલાં છે. એ વૃક્ષોને દેશ-દેશાન્તરોથી લાવવામાં, એની પ્રકૃતિને અનુકુળ જલવાયુ
અયા
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારા એ વૃક્ષોને પાળવામાં રાજ્યનું ઘણું દ્રવ્ય ખર્ચાયું છે. એની સિંચાઈ માટે, નિર્મળ જળની એક કૃત્રિમ નહેર, વાવડીમાંથી કાઢીને ઉપવનમાં ચારેય બાજુ વહાવી દેવામાં આવી હતી. એ કામપુષ્કરિણીમાં કુશળ શિલ્પીઓએ કેટલીક કૃત્રિમ પહાડીઓ, સ્તંભચિહ્નો અને કલાત્મક મૂર્તિઓનું સર્જન કર્યું હતું. એનાં પ્રતિબિંબ પુષ્કરિણીના સ્વચ્છ પાણીમાં પડતાં હતાં. જે લતાકુંજમાં હું બેસતી હતી તેમાં પ્રકાશ આવતો હતો. એ કુંજમાં હાથીદાંતના પાયાવાળી એક સુંદર શય્યા રહેતી હતી. તેમાં હું શાંતિથી આરામ કરતી હતી. ત્યાં રત્નજડિત સોનાની ધૂપદાનીમાં કિંમતી સુગંધી દ્રવ્ય સદા સળગતાં રહેતાં. મોટા સુંદર કુંડાઓમાં દુર્લભ રંગબેરંગી છોડ સજાવીને મૂકવામાં આવતા હતા. કોઈનાં ફૂલ લાલ રંગનાં, કોઈનાં ફૂલ પીળા રંગનાં તો કોઈનાં નીલ વર્ણનાં પુષ્પો હતાં. આવો અદ્દભુત લતાકુંજ હતો. મોટા ભાગે હું અને ક્યારેક સુરસુંદરી - મારી બહેન, આ લતાકુંજમાં આવીને બેસતાં.
એક દિવસની વાત છે. હું એ જ લતાકુંજમાં શય્યા પર આડી પડી હતી ત્યાં એક પ્રભાવશાળી પુરુષ મારી સામે આવીને ઊભો. મેં એને જોયો. એની ઉંમર યૌવનને વટાવી ગઈ હોય તેવી લાગી. પરંતુ એનો ગૌરવર્ણ, તેજસ્વી મુખ સૂર્યના જેવું દેદીપ્યમાન હતું. એના સઘન કાળા વાળ પાછળ વાળેલા હતા. એનું પ્રશસ્ત વક્ષ અને પ્રલંબ પુષ્ટ બહુ મૂલ્યવાન વસ્ત્રથી આવૃત હતાં. અધોઅંગ પર એક કોમળ પીત વસ્ત્ર સુશોભિત હતું. એની સઘન કાળી મૂછો એના દર્શનીય મુખ પર અદ્દભુત શોભા વિસ્તારી રહી હતી. એના કાનોમાં હીરાનાં કુંડલો હતો. એના ગળામાં અસાધારણ દુર્લભ ગુલાબી આભાવાળી મુક્તામાળા શોભાયમાન હતી. એની મોટી મોટી કાળી ચમકીલી આંખો અને પ્રફુલ્લ સરસ હોઠોમાંથી આનંદ અને પ્રેમની અતૂટ ધારા પ્રવાહિત થઈ રહી હતી.
એના એક હાથમાં અતિ મૂલ્યવાન અપ્રતિમ વીણા હતી. હું એ પુરુષને જોઈને શયામાંથી ઊભી થઈ ગઈ હતી. મેં આશ્ચર્યચકિત થઈ એની સામે જોયું. અચાનક એ પુરુષે મને પ્રભાવિત કરી દીધી. તે દિવસ સુધી હું કોઈ પુરુષથી પ્રભાવિત થયેલી ન હતી. તે દિવસે એ દિવ્ય પુરુષને જોઈ હું ક્ષણભર તંભિત થઈ ગઈ.
પુરુષે બોલવાની પહેલ કરી.
૧૨
મયમાં
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘માલવસુંદરી રાજકુમારી મદના પ્રસન્ન થાઓ! શું મેં તમારા આ એકાંત વિશ્રામમાં વ્યાઘાત કરીને તમને રૂષ્ટ કર્યાં છે?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નહીં, નહીં, પરંતુ આપ, ભંતે! અહીં આ સુરક્ષિત મંડપમાં અનુમતિ લીધા વિના કેવી રીતે આવી ગયા? શું પ્રહરી ઊંઘી ગયા છે? અથવા તો આપે એમને માયાથી વિમોહિત કરી દીધા છે?'
પુરુષે હસીને કહ્યું : નહીં, કુમારી! હું અદશ્ય થઇને આકાશમાર્ગે આવ્યો છું, બિચારા પ્રહરી મને જોઈ નહીં શક્યા હોય.'
હું આશ્ચર્યમૂઢ થઈને બોલી : ‘પરંતુ આપ કોણ છો, ભંતે? શું આપ ગંધર્વ છો?’
‘નહીં ભદ્રે, હું મનુષ્ય છું.'
‘પરંતુ આ રીતે આવવાનું શક્ય..?'
‘મને લોપાંજન-વિદ્યા અને ખેચ૨-વિદ્યા સિદ્ધ છે. એના બળે હું આવી શક્યો.'
‘આપ સાધારણ પુરુષ નથી. મહાનુભાવ! આપ કોઈ દેવ, દાનવ, યક્ષ... મને ઠગવા-છેતરવા આવ્યા છો શું?'
‘નહીં નહીં, હૈ કલ્યાણી! મેં તમારા અપ્રતિમ રૂપની, લાવણ્યની, અસહ્ય તેજની, દર્પની અને લોકોત્તર પ્રતિભાની ચર્ચા મારા દેશમાં સાંભળી હતી. કેવળ તમને જોવા માટે જ ઘણા દૂર દેશથી છદ્મવેશે આવ્યો છું. હવે મને ખબર પડી કે સાંભળેલી વાતોથી પણ પ્રત્યક્ષ વાતો ચઢિયાતી છે. તમારા જેવી રૂપવતી કુમારી કદાચ વિશ્વમાં બીજી નહીં હોય.'
મારું કુતૂહલ ઓછું થયું હતું. હવે મારામાં થોડી હિંમત આવી હતી. મેં મારા રૂપની પ્રશંસા સાંભળીને કહ્યું : ‘ભંતે! બીજાઓની પ્રશંસા કરવામાં અને પોતાનો ગુપ્ત પ્રેમ પ્રગટ કરવામાં આપ કુશળ લાગો છો. જેવી રીતે અદૃશ્યરૂપે આકાશમાર્ગે કોઈ સ્ત્રીના એકાંત-આવાસમાં પહોંચી જવા કુશળ છો તેવી...'
મણા
‘પરંતુ ભદ્રે મદના! મારા હૃદયમાં તમારો અસાધારણ પ્રેમ ઘણા સમય પહેલાં (મારા હૃદયમાં) ઘ૨ કરી ગયો હતો. તમે મને જીવન તથા આત્માથી પણ વધુ પ્રિય છો.’
મેં કહ્યું : ભંતે, જરા સંભાળીને આ પ્રેમમાર્ગ પર કદમ મૂકજો. કદાચ ત્યાં આપની વિઘાઓ કામ ન આપે!'
For Private And Personal Use Only
૧૩
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદ્ર, પ્રેમના સાચા માર્ગમાં બધી સિદ્ધિઓ તુચ્છ છે. પરંતુ મારો પ્રેમ વાસનાની આગમાં સળગતો પ્રેમ નથી. હું તમને ફળની સુવાસિત મદિરા કરતાં અધિક નિત્ય, અમર અને અખંડ સમજું છું.'
“ઓહ! તો ભંતે, આપનો આ પ્રેમ અલૌકિક લાગે છે!” મેં સ્મિતવિકસિત વદને કહ્યું : “પરંતુ ભંતે, આ કોરી પ્રશંસાથી મને શું મળવાનું?'
પ્રેમ! ભદ્ર, તમને વશ કરવાની એક અદ્ભુત વસ્તુ મારી પાસે છે!” તે શું છે! ભંતે?' તે ભવ્ય ને ભદ્ર પુરુષે અભુત વીણાને હાથમાં લીધી. વીણા પર આશ્ચર્યજનક હાથીદાંતની કોતરણી થયેલી હતી. એ વીણા, સાધારણ વીણાઓથી જુદી હતી. મેં કહ્યું :
‘ભંતે! અવશ્ય આ વીણા અદ્ભુત છેપરંતુ આપ મારું મૂલ્ય આ વીણાથી માપવાનો પ્રયત્ન ના કરશો.”
એનો તો હમણાં જ ફેંસલો થઈ જશે. જ્યારે આ વીણાવાદન સાથે રાજકુમારી મદના અવશ્ય નૃત્ય કરશે!
“અવશ્ય નૃત્ય?” નિશ્ચય!' ‘અસંભવ!” નિશ્ચય!”
તો પછી ચાલો ઋષભપ્રાસાદમાં! હું મારા પ્રભુ સિવાય કોઈની સામે નૃત્ય કરતી નથી.
ઋષભપ્રાસાદમાં બંને ગયાં. આગંતુક રહસ્યમય પુરુષ રંગમંડપમાં સંગેમરમરની ભૂમિ પર બેસી ગયો. એણે વીણાને ઝંકૃત કરી. હું મૂઢની જેમ બેસી રહી. એક ગ્રામ બે ગ્રામ... ઉપર જ્યારે એ પુરુષની આંગળીઓ નૃત્ય કરવા લાગી અને વાતાવરણમાં વીણાના સ્વર ઊભરાવા લાગ્યા તો હું મત્ત થવા લાગી! મને ચારેબાજુ મૂર્તિમાન સંગીત, એક પ્રિય સુખસ્પર્શી ઘોષ, એક સુષમાથી ઓતપ્રોત વાતાવરણ પ્રતીત થવા માંડ્યું.
વીણા વાગી રહી હતી. એની ગતિ તીવ્ર.. તીવ્રતર થતી જતી હતી. મને એવું લાગ્યું કે તંતુવાદ્યના કંપનથી જે સ્વરલહરી ઉત્પન્ન થઈ રહી છે, તે મારી ચામડીને વીંધીને મારા રક્તમાં પ્રવેશ કરી રક્તને ઉત્તપ્ત કરી
૧૪
અષણા
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહી છે. મારું મુખ લાલ થઈ ગયું. આંખોમાં મદ છવાયો, ગાત્રો કંપવા લાગ્યાં. હું મારી સંપૂર્ણ સાવધાનીથી એ પુરુષપુંગવના અસાધારણ વીણાવાદનને વિસ્ફારિત નજરે જોતી રહીં.
એકાએક એ વીણાવાદકે આંગળીઓની ગતિમાં ફેરફાર કર્યો. ત્યારે મેં મૂઢ બનીને જોયું તો તેણે એક જ સમયે વીણાને ત્રણ ગ્રામોમાં વગાડવી શરૂ કરી હતી. આવું ક્યારેય જોયું ન હતું કે સાંભળ્યું ન હતું. થોડી જ ક્ષણોમાં હું અવશ થઈ ગઈ. મને એમ લાગ્યું કે મારા શરીરમાં લોહીના બદલે ગરમાગરમ મદિરા વહી રહી છે. પછી હું સ્થિર ન રહી શકી. હું ઊભી થઈ, મેં ભગવાન ઋષભદેવને પંચાંગ નમસ્કાર કર્યા અને નૃત્યનો પ્રારંભ કરી દીધો. પહેલાં મંદ, પછી તીવ્ર અને પછી તીવ્રતર. હવે એ આંગળીઓ અને ચરણોમાં હોડ ચાલી હતી. નૃત્ય અને વાદન એકીભૂત થઈ ગયાં હતાં. વાદકની આંગળીઓ અને મારા ચરણ-ચાપ એકમૂર્ત થઈ ગયાં હતાં. કોણ નૃત્ય કરતું હતું. કોણ વીણાવાદન કરતું હતું? અને કોણ એ અલૌકિક દૃશ્યને જોતું હતું? જોનારા હતા માત્ર ભગવાન ઋષભદેવ! વિણાના સૂર ધીમા થતા ગયા, નૃત્ય ધીમું પડ્યું. ને હું પ્રભુનાં ચરણોમાં ઢળી પડી. વીણાવાદક રહસ્ય પુરુષ મને ઉઠાવીને રંગમંડપની બહાર પેલા લતાકુંજમાં લઈ ગયો. ધીરે ધીરે મેં આંખો ખોલી. પેલા વીણાવાદકે કહ્યું : રાજકુમારી મયણાસુંદરીનો જય હો!” હું હારી ગઈ, ભંતે!” મેં કહ્યું. “ભદ્ર, પ્રેમમાં જય-પરાજય ન હોય, ત્યાં તો ભેદ નષ્ટ થાય છે ને એકીકરણ સર્જાય છે!”
પરંતુ ભંતે, આ સમયે મને જે અનુભૂતિ થઈ તે અભૂતપૂર્વ હતી. શું આપ સ્વયં ગંધર્વરાજ ચિત્રરથ અલકાપુરીથી મને તત્ય કરવા પધાર્યા છો?'
ભદ્ર! હું પુરંદર છું!'
આ રાજગૃહીના રાજકુમાર પુરંદર છો? દેવ, અજ્ઞાનતામાં મારાથી થયેલો અવિનય ક્ષમા કરો.”
સત્ય પ્રેમમાં વિનય-અવિનય નથી હોતા, ભદ્ર!' દેવ, તમે કેવી રીતે ત્રણ ગ્રામોમાં એક જ કાળે વિણાવાદન કરવામાં સમર્થ છો? આવું તો ત્રણ લોકમાં કઈ ન કરી શકે!'
મયણા
૧પ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને, ત્રિલોકમાં કોઈ જીવધારી ઉજ્જયિનીની રાજકુમારી મદનાની જેમ ત્રણ ગ્રામોના તાલ પર નૃત્ય ન કરી શકે!”
પરંતુ દેવ, શું હું ફરીથી આવું નૃત્ય કરી શકીશ?' હા, જો આવું જ વીણાવાદન થાય તો!” પરંતુ, દેવ! આ વીણાથી તો જડ-જંગમ બધું અવશ થઈ જાય છે!” દેવી, તમારા નૃત્યથી પણ...!'
તો દેવ, શું આપના સિવાય બીજા કોઈ મનુષ્ય આવું વીણાવાદન કરી શકે છે?'
“હા, કેવળ ગંધર્વરાજ ચિત્રરથ. તેમણે જ મને આ વીણા સંપૂર્ણ વિદ્યા સાથે આપેલી છે.'
‘દેવ, રાજગૃહીના રાજ કુમાર! શું ફરીથી હું વીણાવાદન કરવાની આપને પ્રાર્થના કરી શકું?”
“નહીં ભદ્ર! પરંતુ હવે તમે દિવ્ય નૃત્ય ક્યારેય ભૂલશો નહીં. જ્યારે ત્રણ ગ્રામમાં આ વીણા કોઈ વગાડશે, તમે આવું જ અલૌકિક નૃત્ય કરી શકશો.”
તો દેવ, શું આપ આજે આપની આ શિષ્યા મદનાનું આતિથ્ય ગ્રહણ કરશો?'
નહીં, ભદ્ર! હું જે રીતે આવ્યો હતો તેવી જ રીતે ગુપ્ત ભાવથી ચાલ્યો જઈશ.”
શું મદના આપનું કંઈ પ્રિય કરી શકે?’
ભદ્ર! મેં તમને જોઈને મારાં નેત્ર સાર્થક કર્યા અને તમારું દેવદુર્લભ નૃત્ય મારી વીણાધ્વનિની સાથે અંગીભૂત કરી લીધું!”
આમ કહીને રાજકુમાર પુરંદરે પોતાના ગળામાંથી તે અલૌકિક મોતીની માળા ઉતારી મારા ગળામાં પહેરાવી દીધી. પુરંદર તત્ક્ષણ અદૃશ્ય થઈ ગયો.
હું વિમૂઢ... આશ્ચર્યચકિત બનેલી એ આમ્રકુંજમાં... એ લતામંડપમાં બેસી રહી... પુનઃ ભગવાન ઋષભદેવનાં દર્શન કરી, રાજમહેલમાં ચાલી ગઈ.
હે માતેશ્વરી! આ મારી પ્રભુપ્રીતિએ મારા પર અને તમારા આ પુત્ર પર કેવી પરમ કૃપા કરી હતી, તે વાત તમે સાંભળશો ત્યારે હર્ષથી ગદ્ગદ્ થઈ જશો!'
૧૬
અયણ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદ્ર! અદ્ભુત ઘટના કહી! ખરેખર અદૂભુત!' રાણી કમલપ્રભા બોલી ઊઠી. તેની આંખો વિકસ્વર થઈ ગઈ હતી. તેની રોમરાજી હર્ષથી ઉફુલ્લચ થઈ ગઈ હતી. “ભ, શું પુનઃ એ રાજ કુમાર પુરંદર તારી પાસે આવ્યો હતો?'
ના, ફરીથી એ ક્યારેય ન આવ્યો, પણ તે પછી હું અવારનવાર મારી માતા સાથે ભગવાન ઋષભદેવની અપ્રતિમ સૌંદર્યવાળી પ્રતિમા સમક્ષ ગીત-નૃત્ય કરતી રહી. એમાં હું સાનભાન ભૂલી પરમાત્મામાં તદાકાર થઈ જતી! પરમાત્માની અપાર્થિવ દુનિયામાં પહોંચી જતી!
કમલપ્રભાની સાથે શ્રીપાલ પણ મારી વાતો સાંભળીને ક્યારેક આશ્ચર્યથી... ક્યારેક હર્ષાતિરેકથી.. ક્યારેક અહોભાવથી ગદ્ગદ્ થઈ જતા હતા. હું એમની સામે જોઈ લેતી અને મારી વાત આગળ કહે જતી હતી.
માતાજી! મારા જીવનના ઘડતરમાં પહેલું સ્થાન મારી માતાનું છે. મારી માતાએ મને સુસંસ્કારોનું અમૃતપાન કરાવેલું છે. તે ખરેખર મહાસતી અને પરમ શ્રાવિકા છે. તેની મતિ સૂક્ષ્મ છે અને ધર્મતત્ત્વનું એને સારું જ્ઞાન છે. એણે જ મારા ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ માટે પ્રબુદ્ધ જ્ઞાની સુબુદ્ધિને નિયુક્ત કર્યા હતા.'
પંડિત સુબુદ્ધિ ખરેખર શાંત-દાંત અને ધીરગંભીર શ્રાવક છે. જિનમતના પ્રખર જ્ઞાતા છે. તેમના અગાધ જ્ઞાનના માનસરોવરમાં ક્રીડા કરવાનો મેં ઘણો આનંદ માણ્યો છે અને તેમણે જ મને ગુરુદેવશ્રી આચાર્ય મુનિચંદ્ર જેવા મહર્ષિનો પરિચય કરાવ્યો હતો. હે માતા! એ ગુરુદેવે જ મને અને તમારા આ પુત્રને ઘોર દુ:ખના દાવાનળમાંથી ઉગારી લેવાની કૃપા કરી હતી. એમના નિઃસીમ ઉપકારનો બદલો ક્યારેય વાળી શકાય એમ નથી. હે માતેશ્વરી! એ પ્રચંડ દુઃખનાં વાદળ કેવાં ઘેરાયાં હતાં, એ વાત તો પછી કહીશ, એ પહેલાં ગુરુદેવ પાસે હું કેવી રીતે ગઈ, તેમણે મને શો ઉપદેશ
માણા
૧૭
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યો... મારા મનમાં કેવાં સંવેદનો જાગ્યાં... વગેરે વાતો કરું છું.
એક દિવસ મારી માતા સાથે હું રથમાં બેસીને સુવ્રત-ઉદ્યાન”માં ગઈ. સુવ્રત-ઉદ્યાન ક્ષિપ્રા નદીના કિનારાની નજીક જ હતું. અમે રથમાંથી ઊતરી
જ્યાં આચાર્ય મુનિચન્દ્ર બેઠા હતા, ત્યાં પહોંચ્યાં, તેઓ એક વિશાળ વટવૃક્ષની નીચે માટીથી લીંપેલા ચોતરા પર બેઠા હતા. તેઓ સમાધિસ્થ હતા. તપશ્ચર્યાથી અને પરિસહ સહવાથી તેમનું શરીર કૃશ થઈ ગયું હતું, પરંતુ તેમની કાન્તિ તપેલા સુવર્ણ જેવી હતી. એમના શરીર પર શ્વેત અને પીત વસ્ત્રો હતાં. એમનું શરીર, એમની આંખો અને એમના શ્વાસ સ્થિર હતાં.
અમે માતા-પુત્રી થોડે દૂર ચૂપચાપ બેસી ગયાં, આચાર્યે આંખો ખોલી. સ્થિર દષ્ટિથી તેમણે અમને જોયાં. સુંદર મનોહર પ્રભાત હતું. વૈશાખી પૂર્ણિમાનો બીજો દિવસ હતો. આકાશ સ્વચ્છ હતું. સૂર્યનાં સોનેરી કિરણો ઉદ્યાનની શોભા વધારી રહ્યાં હતાં.
ભદ્ર! ધર્મલાભ!' આચાર્યે અમને આશીર્વાદ આપ્યા. મારી માતાએ તેમને સુખશાતા પૂછી, તેમના મુખ પર પ્રસન્નતા છવાઈ. મારી માતાએ કહ્યું :
ગુરુદેવ, આ મારી પુત્રી મદના છે.' રાજકુમારી મદનાસુંદરી? અહો! મેં સાંભળ્યું છે કે મદના ભગવાન ઋષભદેવની ગીત-નૃત્યથી શ્રેષ્ઠ ભક્તિ કરે છે!”
ભંતે, શ્રેષ્ઠ તો નહીં, પણ ભાવથી થોડી ભક્તિ કરી લઉં છું!' વત્સ, ગીત-નૃત્ય શ્રેષ્ઠ ભક્તિ છે! તેમાં તન્મયતા આવી જાય છે... તેમાં બાહ્ય દુનિયા વીસરી જવાય છે. પ્રભુમય બની જવાય છે!”
સત્ય છે, પ્રભો! મને એવો જ અનુભવ થાય છે...' તું ભગવપાને પાત્ર બની છે, ભદ્ર! તારા પ્રબળ પુણ્યનો ઉદય છે!” આપના આશીર્વાદ છે, ગુરુદેવ!' મારી માતા ગદ્ગદ્ સ્વરે બોલી. આચાર્ય થોડી ક્ષણ મૌન થઈ ગયા... આંખો બંધ કરી. તેમના મુખ પર ગંભીરતા ઊપસી આવી.. થોડી વાર પછી આંખો ખોલી... તેમણે સામે જોયું અને બોલ્યા :
ભદ્ર, ભગવાન ઋષભદેવ અરિહંત છે. વીતરાગ છે. સર્વજ્ઞ છે. ત્રિલોકપૂજ્ય છે. યથાર્થવાદી છે. એ ભગવંતે કહ્યું છે કે આત્મા અનાદિ છે. અનાદિકાળથી જીવ અને કર્મનો સંયોગ છે. અને એ સંયોગના કારણે દુઃખો છે. દુઃખોની પરંપરા છે. માટે આત્મા પર લાગેલાં કર્મોનાં બંધનોને
૧૮
માણા
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણવાં જોઈએ અને એ બંધનોને તોડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. હે રાજકુમારી! આ સંસારમાં પ્રત્યેક જીવાત્મા પોત-પોતાનાં શુભ-અશુભ કર્મોના આધારે સુખ-દુઃખ પામે છે. કોઈ જીવ કોઈને સુખી નથી કરી શકતો, કોઈ જીવ કોઈને દુઃખી નથી કરી શકતો. જીવાત્મા સ્વયં જ પોતાનાં કર્મોથી... જનમ-જનમમાં બાંધેલાં કર્મોથી સુખ-દુઃખ પામે છે. અનાદિકાળથી આ ચક્ર ચાલી રહ્યું છે.
આ કર્મોના ચક્રનો નાશ ધર્મથી થઈ શકે છે. શુદ્ધ ધર્મથી... ધર્મના આચરણથી થઈ શકે છે.
‘ભંતે! એ ધર્મનું સ્વરૂપ સમજાવશો?' મેં પૂછયું.
‘ભદ્ર, ધર્મનો પ્રારંભ શ્રદ્ધાથી થાય છે. વીતરાગસર્વજ્ઞ પરમાત્મા ઉપર શ્રદ્ધા, નિગ્રન્થ શ્રમણો પર શ્રદ્ધા અને સર્વજ્ઞભાષિત જિનમત પર શ્રદ્ધા આ ધર્મનો પાયો છે.'
-
‘ભંતે, આ શ્રદ્ધાભાવ હું મારા હૃદયમાં ધારણ કરું છું.' મેં કહ્યું. ‘સુશીલે! તેં સારો ને સાર્યો શ્રદ્ધાભાવ ધારણ કર્યો. હવે પછી તારે સભ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. જે તત્ત્વો પર તેં શ્રદ્ધા કરી, તે તત્ત્વોને યથાર્થરૂપે જાણવાં જોઈએ. મહાશ્રાવક સુબુદ્ધિ તને એ જ્ઞાન આપશે; અને હું પણ તને અવસરે તત્ત્વબોધ આપીશ.'
‘કૃતાર્થ થઈ, ભંતે! હું ગુરુદેવની કરુણાથી આર્દ્ર થઈ ગઈ.
‘વત્સે, ખરેખર તો તું ત્યારે કૃતાર્થ થઈશ કે જ્યારે ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતોનો સ્વીકાર કરીશ.'
‘ભગવન્! એ બાર વ્રતો કયાં છે?'
‘એ તને સુબુદ્ધિ સમજાવશે, ભદ્રે! પછી વિધિવત્ તને હું વ્રતો આપીશ. તું જિનમતની પ્રબુદ્ધ શ્રાવિકા બનીશ!'
For Private And Personal Use Only
‘આપની ૫૨મકૃપા, ગુરુદેવ!' મેં હાથ જોડી, મસ્તક નમાવી વંદના કરી. આચાર્યે મૌન ધારણ કર્યું. આંખો બંધ કરી. મેં પણ આંખો બંધ કરી ગુરુદેવના સૌમ્ય-શીતલ મુખનું ધ્યાન કર્યું. મેં અને મારી માતાએ ઊભાં થઈ, ગુરુદેવને વંદન કરી, ૨થ તરફ ચાલવા માંડ્યું.
અમે અમારા રાજમહેલમાં આવી ગયાં. મારા પંડિત સુબુદ્ધિ મારી રાહ જોતા હતા. મેં તેમનાં ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું : ‘ભંતે; અમે આચાર્યશ્રી મુનિચન્દ્રનાં દર્શન કરી આવ્યાં, મારાં માતા પણ સાથે હતાં.
ચણા
૧૯
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે પહેલી વાર જ ગુરુદેવનાં દર્શન થયાં. મન પ્રસન્ન થયું. તેમનો બોધ ગમ્યો અને તેમનું વ્યક્તિત્વ પણ આકર્ષક લાગ્યું.”
“ભતે ગુરુદેવે મને ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતોની સમજણ આપની પાસેથી લેવા કહ્યું છે!”
ભદ્ર, તમે શ્રમમુક્ત થાઓ. સ્વસ્થ થાઓ. પછી હું તમને અધ્યાપન કરાવું.'
એ દિવસે પંડિતશ્રી સુબુદ્ધિએ મને ગૃહસ્થ ધર્મ અને શ્રમહાધર્મ - બંને ધર્મોનું જ્ઞાન આપ્યું. બાર વ્રતો મને સારી રીતે સમજાવ્યાં. મેં મારા મનમાં વિચાર્યું : “હું આવતી કાલે ગુરુદેવ પાસે જઈને વિધિવત્ વ્રતોને ગ્રહણ કરીશ.'
રાત અંધારી હતી. રિમઝિમ વર્ષા થઈ રહી હતી. ઠંડી હવા વહી રહી હતી. મારો રાજપ્રાસાદ એટલે કે મારી માતા રાણી રૂપસુંદરીનો પ્રાસાદ દીપકોન મંદ આલોકથી આલોકિત અને ગંધદ્રવ્યોથી સુરભિત હતો. રાત ગહન થતી જતી હતી અને મારા મનમાં આચાર્ય મુનિચન્દ્રનાં ઉપદેશવચનો ઘુમરાવા લાગ્યાં.
મારા પિતાજી મહારાજા પ્રજાપાલ અમારા મહેલમાં હતા. મહેલમાં મૃદુલ વાઘોનો ઝંકાર રણકતો હતો. નૂપુર અને કંકણના પ્રિય ધ્વનિ ગુંજતા હતા. દાસીઓએ આવીને મને કહ્યું : “ભદ્ર, આપને પિતૃપાદ યાદ કરે છે. હવે શયનનો સમય થયો છે. આપ આજ્ઞા કરો તો ગીત-નૃત્યનો કાર્યક્રમ પણ થઈ શકશે. ઉજ્જયિનીની શ્રેષ્ઠ સુંદરી કાદંબરી નૃત્ય માટે પ્રતીક્ષા કરી રહી છે.'
મયણાએ કંઈક શ્રમિત સ્વરે કહ્યું : “શુભે! હમણાં ઊભી રહી. મને વિચારવા દો. આવું બધું તો હું વર્ષોથી જોતી આવી છું, ભોગવતી આવી છું. સુંદરીઓનાં નૃત્ય, કોકિલકંઠી કન્યાઓનાં કલગાન... તંત્રીની સ્વરલહરી... ના, ના, હવે મને આ બધાંથી તૃપ્તિ નહીં થાય. નૃત્ય નથી જોવું. ગીત નથી સાંભળવું, પીઠમર્થન નથી કરાવવું. પિતાજીને કહો કે તેઓ મારી પ્રતીક્ષા ન કરે અને તમે સહુ શયન કરો.”
દાસીઓ ચાલી ગઈ. રાત ગંભીર થતી ચાલી. રાજમહેલમાં શાંતિ છવાઈ ગઈ. સુગંધિત દીપકો સળગી રહ્યા હતા. સ્નિગ્ધ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો.
૨૦
માણા
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાશમાં કાળાં વાદળ ફરી રહ્યાં હતાં. થોડી થોડી ફુવાર વરસી રહી હતી, મારી વિચારધારા પ્રવાહિત થઈ. મેં દેવતાઓ, પ્રેતો, તાંત્રિકો, સિદ્ધ અને યોગીઓના વિષયમાં ઘણું બધું સાંભળ્યું હતું. હું એ બધી વાતો પર વિચારો કરતી રહેતી. ક્યારેક ક્યારેક મારી માતા સાથે, મારા પંડિત સાથે વાર્તાલાપ કરતી. પરંતુ છેવટે એ બધી વાતો તરફ વિરક્ત બનતી. મારું મન માનતું નહીં. હું આવી નીરવ રાતે આત્મચિંતન કરતી. જીવનનાં રહસ્ય પામવા માટે મેં જિનદર્શનનું, એનાં તત્ત્વોનું અધ્યયન કર્યું હતું. આ તત્ત્વોનું અધ્યયન અને પરમાત્માનું પૂજન - આ બે વાતો મારી ખૂબ પ્રિય વાતો હતી. આજે મારા મનમાં આચાર્ય મુનિચન્દ્રનો ગહન ધર્મબોધ ચિંતન કરવા પ્રેરિત કરતો હતો.
તેમણે કહ્યું હતું : “હે રાજકુમારી, આ સંસારમાં પ્રત્યેક જીવાત્મા પોતપોતાનાં શુભ-અશુભ કર્મોના આધારે સુખ-દુઃખ પામે છે. કોઈ જીવ કોઈને સુખી નથી કરી શકતો, કોઈ જીવ કોઈને દુઃખી નથી કરી શકત.' કેવી ગંભીર ને ગહન વાત કરી એ તેજસ્વી આચાર્યો? દરેક જીવ પૂર્વકૃત કર્મોને સુખરૂપે ને દુઃખરૂપે ભોગવે છે. દરેક જીવ સ્વયં શુભ કર્મ બાંધે છે, અશુભ કર્મો બાંધે છે. મારે હવે જાણવું જ પડશે કે કમ કેવી રીતે બંધાય છે! શુભ કર્મ કેવી રીતે બંધાય છે? અશુભ કર્મ કેવી રીતે બંધાય છે? સાથે સાથે, અનાદિકાળથી આત્મા સાથે જે કર્મોનો સંયોગ છે, અનાદિ સંયોગ છે, તે સંયોગ કેવી રીતે તોડી શકાય?
મારે આ તત્ત્વજ્ઞાનને મૂળથી જાણવું પડશે. પંડિત સુબુદ્ધિ અવશ્ય મને સમજાવશે,
શ્રીપાલની માતા બોલ્યાં : “વત્સ, આટલી નાની ઉંમરમાં તને રાજમહેલના ભોગ-સુખો... રંગ-રાગ.. આનંદ-પ્રમોદ આ બધું ન ગમ્યું? આ તો રાજમહેલમાં રહેલી તું એક સાધ્વી જ કહેવાય! શું તારા મનમાં ભોગેચ્છાઓ ન જાગી? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના દિવ્ય સુખો ભોગવવાની તીવ્ર ઈચ્છા ન જાગી? ધન્યવાદ આપું તને કે મૂર્ખતા કહું?'
માતાજી! મારી ઉજ્જયિનીની દુનિયા મને મૂર્ખ જ માને છે! હું રાજકુમારી હોવા છતાં સુંદર રાજ કુમારને પસંદ કરી તેની સાથે લગ્ન ન કર્યા અને કુષ્ઠરોગી એવા ઉંબરાણા સાથે ભરાયેલી રાજસભામાં લગ્ન કર્યો તેને દુનિયા મૂર્ખતા કહે છે! એક મારી માતા રાણી રૂપસુંદરી, બીજા
અધ્યક્ષ
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા અધ્યાપક પંડિત સુબુદ્ધિ અને ત્રીજા મારા ગુરુદેવ આચાર્ય મુનિચન્દ્ર - આ ત્રણેયે મને ધન્યવાદ આપ્યા છે. એ ત્રણેયે જ મને પ્રાજ્ઞ માની છે! મારા માટે તે ઘણું છે!”
ભદ્ર! હવે એ ત્રણેયની સાથે કમલપ્રભા પણ તને અંતરથી વધારે છે! પ્રેમથી થપથપાવે છે... અને સુખ-દુ:ખમાં સદૈવ સાથે રહેવાનું વચન આપે છે! “વત્સ, એક વાત પૂછું?' અવશ્ય પૂછો, ભંતે! શ્રીપાલ નીરોગી થઈ ગયાના સમાચાર શું રાજમહેલમાં નથી પહોંચ્યા?”
ના, માતાજી. હજુ મારી માતાને પણ સમાચાર નથી મળ્યા. મારી માતાએ તો મારી સાથે જ રાજમહેલ છોડ્યો હતો. એ મારા મામા પુણયપાલ કે જેઓ સામતરાજા છે, તેમના મહેલે ચાલી ગઈ હતી. હજુ તે મારા મામાના ઘરે જ રહેલી છે. તે માતેશ્વરી! મારે સામે ચાલીને કોઈને સમાચાર આપવા નથી. આપણે આ ઘરમાં સુખી છીએ. તમારા પુત્રને જોઈને હલ્વે કોઈ દુ:ખ યાદ આવતું નથી.”
કમલપ્રભાની આંખો ભીની થઈ ગઈ. તે મને ભેટી પડી. તેની આંખોમાંથી અવિરત અગ્રુધારા વહેતી રહી. મેં તેને ધીરે ધીરે શાંત પાડી.
“હે મહારાણી! પરમાત્માની. ભગવાન 28ષભદેવની અને ગુરુદેવ મુનિચન્દ્રની કેવી દિવ્ય કૃપા મારા પર, કે મને કુષ્ઠરોગીના રૂપમાં ચંપાનગરીનો રાજા ભર્તાર મળ્યો! અને રાજમાતા કમલપ્રભા જીવતીજાગતી અહીં આવી મળી! આ છે પુણ્યકર્મનો ખેલા પુણ્યકર્મ ઉદયમાં આવ્યા પછી મનુષ્યને કોઈ દુઃખી કરી શકતું નથી. હે ભગવતી! તમારો પણ કેવો શ્રેષ્ઠ પુણ્યોદય કે તમને તમારો પુત્ર નીરોગી મળ્યો!
અને બીજો શ્રેષ્ઠ પુણ્યોદય - ઉજ્જયિનીની રાજકુમારી અને પુત્રવધૂ મળી! એ પણ એક મહાસતી! મહાન સાત્ત્વિક અને પરમાત્માની પરમ ઉપાસિકા! સદ્ગુરુની કૃપાને પાત્રી"
હે ભગવતી, હજુ તો મારે ઘણી વાતો કરવાની છે... તમારા પુત્રની વાત તો ઘણી મોડી કરીશ... નારાજ નહીં થાઓને?'
કમલપ્રભા હસી પડી..
મયણા
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય સુબુદ્ધિએ શ્વેત કૌશેય ધારણ કર્યું હતું. એમના માથાના અને દાઢીના વાળ શુભ્ર રજત સમાન હતા. તેમનો ગૌરવર્ણ અને તેજસ્વી મુખમંડલ અત્યંત શોભાયમાન લાગતું હતું. તેમની સંપૂર્ણ દંતપંક્તિ મૂલ્યવાન મુક્તપંક્તિ જેવી શોભતી હતી. એમનું મૃદુ હાસ્ય શરદ કૌમુદીથી પણ શીતલ અને તૃપ્તિકારક હતું. તેઓ બહુ ઓછું શયન કરતા હતા અને દિવસમાં એક વાર જ આહાર લેતા હતા. એમની ખ્યાતિ માત્ર માલવદેશમાં જ નહીં, દેશદેશાંતરમાં ફેલાયેલી હતી. તેમની જ્ઞાનસંપદા અપાર હતી. તેઓ ક્યારે ય કુદ્ધ નહોતા થતા. એમનું પાંડિત્ય અગાધ હતું. એમના વિચાર હમેશાં અસંદિગ્ધ રહેતા. તેમની દાર્શનિક વિદ્વત્તા લોકોત્તર હતી.
તેમનો દેહ કંઈક લાંબો, દુર્બળ છતાં બલિષ્ઠ હતો. નાસિકા ઉન્નત, લલાટ પ્રશસ્ત, નેત્ર માંસલ સ્નિગ્ધ અને તેજસ્વી હતાં. તેમના હૃદયમાં ભૂતદયા હતી, દિવ્ય જ્ઞાન હતું અને સમદર્શિતા હતી. સર્વજ્ઞ શાસનને તેઓ સમર્પિત હતા. મેં તેમને ક્યારેય રોગી, પીડિત, થાકેલા કે ક્લાન્ત નથી જોયા.
આજે તેઓ સૂર્યોદય પછી તરત જ રાજમહેલમાં આવી ગયા હતા. મારી માતાએ તેમનું ઉચિત સ્વાગત કરી, દુગ્ધપાન માટે નિમંત્રણ કર્યું. હું પણ સ્નાનાદિથી પરવારી દુધપાન કરી અધ્યયનકક્ષમાં ચાલી ગઈ હતી. આજે આચાર્ય અને કર્મસિદ્ધાંત' વિસ્તારથી સમજાવવાના હતા. તેઓ અધ્યયનકક્ષમાં પધાર્યા. મેં ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું. તેમણે મને આશીર્વાદ આપ્યા અને આસન પર બિરાજમાન થયા. સૌમ્ય! આજ તને હું સર્વજ્ઞભાષિત કર્મસિદ્ધાંતની થોડી સમજ આપીશ.” ભંતે! આપ સમજાવશો તે હું એકાગ્ર મનથી ગ્રહણ કરીશ.” આચાર્યે પોતાનું કથનીય શરૂ કર્યું. ભદ્ર, કર્મબંધ રાગ-દ્વેષથી થાય છે. રાગ-દ્વેષની સાથે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને મન-વચન-કાયાના યોગો રહેલાં હોય છે. આ
માણા
૨૩
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મબંધ આઠ પ્રકારનો થાય છે. અર્થાત જીવાત્મા આઠ પ્રકારનાં કર્મોથી બંધાયા કરે છે.
તેમાં પહેલું કર્મ છે જ્ઞાનાવરણ. આ કર્મ આત્માના જ્ઞાનગુણને આવરે છે. ક્ષાયિક અને ક્ષાયોપથમિક - બંને આવરે છે. પરોક્ષ અને પ્રત્યક્ષ - બંને જ્ઞાનને આવરે છે. આ કર્મના કારણે જીવમાં અજ્ઞાનતા, બુદ્ધિહીનતા વગેરે દેખાય છે.
બીજું કર્મ છે દર્શનાવરણ. ચક્ષુદર્શન આદિ આત્માની દર્શનશક્તિને આવરે છે. આત્માના દર્શનગુણને આવરે છે. આ કર્મના ઉદયથી પાંચેય પ્રકારની નિદ્રાઓ આવે છે. - ત્રીજું કર્મ છે વેદનીય. સુખાનુભવ અને દુઃખાનુભવ - આ કર્મનાં આ બે કામ છે. આ કર્મ આત્માના સહજ-સ્વાભાવિક સુખનો અનુભવ કરવા દેતું નથી.
ચોથું કર્મ છે મોહનીય, જેનાથી જીવ મોહિત થાય તે મોહનીય કર્મ! ઊંધી સમજ અને ક્રોધ-માન-માયા-લોભ આ કર્મની દેન છે. હાસ્યાદિ “નોકષાયોની વિકૃતિ પણ આ જ કર્મની ભેટ છે. આઠેય કર્મોમાં આ કર્મની જાલિમતા-પ્રબળતા ગજબ હોય છે.
પાંચમું કર્મ છે આયુષ્ય. આ કર્મની કૃપાથી તો જીવ જીવે છે! પ્રાણ ધારણ કરે છે. જન્મ અને મૃત્યુ આ કર્મની કૃપાનું ફળ છે!
છઠ્ઠ કર્મ છે નામકર્મ. જીવને ગતિ (યોનિ) આપવી, જાતિ-એકેન્દ્રિયાદિ આપવી, સૂક્ષ્મત્વ-સ્થૂલત્વ, યશ-અપયશ, સૌભાગ્ય-દુર્ભાગ્ય, રૂપ-રસાદિ વગેરે આપવાનું કામ આ કર્મનું છે. સમગ્ર શરીરરચના આ કર્મને આભારી છે. આ કર્મ આત્માના અરૂપીપણાને આવરે છે.
સાતમું કર્મ છે ગોત્રકર્મ. ઉત્તમ કુળની પ્રાપ્તિ, ઉત્તમ જાતિની પ્રાપ્તિ, પ્રતિભા અને ઐશ્વર્ય... આ કર્મ આપે છે, તેવી જ રીતે નીચ કુળ, નીચ જાતિ વગેરે પણ આ જ કર્મ આપે છે. આત્માના અગુરુલઘુ ગણને આ કર્મ આવરે છે. ઉચ્ચતા અને નીચતા આ કર્મના અનુસાર પ્રાપ્ત થાય છે.
આઠમું કર્મ છે અંતરાય. આ કર્મ, સામે પાત્ર હોય અને પાસે આપવાની વસ્તુ હોય, છતાં આપવાનો ભાવ જાગવા ન દે તેવી રીતે ઇચ્છિત વસ્તુની, સુખની પ્રાપ્તિ ન થવા દે. પ્રાપ્ત થયેલાં સુખો ભોગવવા ન દે. આત્માની અનંત શક્તિને આ કર્મે આવૃત્ત કરી છે. રોકી છે, રોધી છે.
૨૪
અયા
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ રીતે, હે ભદ્ર! જીવાત્મા મિથ્યાત્વાદિ સહિત રાગ-દ્વેષથી મૌલિક કર્મબંધ કરે છે. એ કરેલા કર્મબંધ અનુસાર કર્મો ઉદયમાં આવીને પોતાનો પ્રભાવ બતાવે છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જીવોનું આંતર-બાહ્ય સમગ્ર વ્યક્તિત્વ, આ આય કર્મોનો જ પ્રભાવ છે. આત્માનું મૌલિક સ્વરૂપ જે અનંતજ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધ સ્થિતિ, વીતરાગતા, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુતા અને અનંત વીર્ય છે, તે આઠ કર્મોથી આવરાયેલું-દબાયેલું પડ્યું છે.
હે ભદ્ર, કર્મસિદ્ધાંત-કર્મવિજ્ઞાનની પાયાની વાત આ મૌલિક આઠ પ્રકારનો કર્મબંધ છે. સમગ્ર કર્મસિદ્ધાંતની આ આધારશિલા છે.
આત્માની સ્વભાવદશાને આવૃત્ત કરીને વિભાવદશામાં રમણતા કરાવનારાં આ આઠ પ્રકારનાં કર્મો, સમગ્ર જીવસૃષ્ટિ પર છવાયેલાં છે. કોઈ સંસારવર્તી જીવ આ કર્મોના પ્રભાવથી બચેલો નથી.
હે પ્રાજ્ઞકુમારી! હવે તને હું ચાર પ્રકારે કર્મબંધ કેવી રીતે થાય છે તે સમજાવું છું. તું એકાગ્ર મનથી શ્રવણ કરજે.”
હા ભગવંત, હું સ્થિર ચિત્તે શ્રવણ કરીશ.”
ભદ્ર, જ્યારે આ કર્મો બંધાય છે ત્યારે એની સ્થિતિ (કાળમાન), એનો રસ અને પ્રદેશો પણ સાથે જ બંધાય છે. સ્થિતિ-રસ અને પ્રદેશના બંધથી “પ્રકૃતિબંધ' વિશિષ્ટ બને છે.
જીવ જ્યારે તીવ્ર આશયવાળો હોય છે, તીવ્ર વિચારો કરતો હોય છે ત્યારે પ્રકૃતિબંધ તીવ્ર થાય છે. જ્યારે જીવ મંદ આશયવાળો હોય છે ત્યારે પ્રકૃતિબંધ પણ મંદ થાય છે. જ્યારે મધ્યમકોટિના વિચારો કરતો હોય છે ત્યારે કર્મો મધ્યમ રીતે બંધાય છે.
તીવ્રતાથી બંધાયેલાં કર્મો જ્યારે ઉદયમાં આવે ત્યારે જીવ તેનો તીવ્ર અનુભવ કરે. મંદ બંધાયેલાં કર્મો ઉદયમાં આવે ત્યારે જીવ તેનો મંદ અનુભવ કરે અને મધ્યમ બંધાયેલાં કર્મો મધ્યમ અનુભવ કરાવે છે. જેવો બંધ તેવો ઉદય!
બીજો છે સ્થિતિબંધ. કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોમાં જે અવસ્થાન તે સ્થિતિ' કહેવાય. અર્થાતુ કર્મોનો આત્મામાં અવસ્થાનકાળ (ઉત્કૃષ્ટ કાળ અને જઘન્ય કાળ) નો નિર્ણય જે થાય તેનું નામ સ્થિતિબંધ. ત્રીજો છે રસબંધ. શુભાશુભ કર્મોના બંધ સમયે જ “રસ' બંધાય છે.
મયણા
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનો વિપાક, નામકર્મનાં ગતિ આદિ સ્થાનોમાં રહેલો જીવ અનુભવે છે. સુખ-દુ:ખનાં તીવ્ર અથવા મંદ સંવેદનો, આ રસબંધ પર નિર્ભર હોય છે. તીવ્ર અધ્યવસાયથી શુભ કર્મ બાંધ્યું હોય તો એ કર્મનો ઉદય થતાં સુખનું સંવેદન પણ તીવ્ર થવાનું અને અશુભ કર્મ તીવ્ર અધ્યવસાયથી બાંધ્યું હોય તો દુઃખનો અનુભવ તીવ્ર કોટિનો થવાનો.
ચોથો છે પ્રદેશબંધ, મન-વચન-કાયાથી, આત્મા પોતાના સર્વ પ્રદેશોથી કર્મસ્કંધો ગ્રહણ કરે, તે પ્રદેશબંધ કહેવાય. એક-એક આત્મપ્રદેશમાં જ્ઞાનાવરણ આદિ દરેક કર્મના અનંત-અનંત જુગલો બંધાય છે. આ રીતે આત્મા સાથે કર્મ-પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણ આદિ કર્મપુદ્ગલોથી આત્માનું જે બંધાવું, અર્થાત્ પરાધીન થવું, તેને બંધ' કહેવામાં આવે છે. આત્માના અસંખ્ય પ્રદેશો અનંત-અનંત કર્મોથી બંધાયેલા છે. કર્મ અને આત્માની એકતા થવી, તેનું નામ પ્રકૃતિબંધ. તે એકતા થતી વખતે જ સ્થિતિરસ અને પ્રદેશના નિર્ણય થઈ જતા હોય છે. આ રીતે પ્રતિબંધ વિશિષ્ટ બને છે.
જ્યાં સુધી આત્મા આ રીતે કર્મબંધ કરતો રહે ત્યાં સુધી સુખ-દુઃખના Áદ્ધ ચાલતાં જ રહેવાનાં. સંસારપરિભ્રમણ ચાલતું જ રહેવાનું. ત્યાં સુધી આત્મા સ્વરૂપમાં પૂર્ણ રમણતા ન કરી શકે. કર્મબંધનું વિજ્ઞાન એટલા માટે સમજવાનું છે કે જીવ નવા કર્મબંધ ન કરે! આચાર્ય સુબુદ્ધિ બોલ્યા : મદના, કર્મબંધની આ વાતો તું સમજી રહી છે ને બેટી?' હા, ભંતે! મને સમજાય છે.' તો હવે તને કર્મબંધનાં કારણભૂત ત્રણ તત્ત્વો સમજાવું છું. તે તત્ત્વો છે : (૧) યોગ, (૨) કપાય, (૩) લેગ્યા.
કર્મપુદ્ગલો એમ જ અકારણ આત્મામાં આવી જતાં નથી. જીવ મનથી વિચારો કરે છે, વચનથી બોલે છે અને કાયાથી - પાંચ ઇન્દ્રિયોથી પ્રવૃત્તિ કરે છે, માટે કર્મયુગલો આત્મામાં આવે છે; ને રહે છે.
આ એક અત્યંત સૂક્ષ્મ પ્રક્રિયા છે. પ્રતિક્ષણ, પ્રતિસમય આ પ્રક્રિયા દરેક જીવાત્મામાં ચાલુ જ રહે છે. મન-વચન અને કાયાનાં યંત્રો નિરંતર ચાલુ રહે છે. માટે કર્મપુદ્ગલોનું આત્મામાં આવવું પણ નિરંતર ચાલુ છે.
ભદ્ર, તારા મનમાં પ્રશ્ન થતો હશે કે કર્મપુદ્ગલો ક્યાંથી આવીને
૨૬
માણા
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માને વળગે છે?
હા, ગુરુદેવ! એવી શંકા મનમાં ઊઠી.' ‘કર્મવર્ગણાનાં અનંત અનંત પુદ્ગલ આ સમગ્ર ચૌદ રાજલોકમાં ઠાંસીઠાંસીને ભરેલાં છે. અનંત-અનંત જીવો, એક ક્ષણનો વિક્ષેપ પાડયા વિના, પ્રતિસમય અનંત-અનંત કર્મપુદ્ગલો ગ્રહણ કરે છે. છતાં એ કાર્મણવર્ગણાનો વિપુલ જથ્થો ક્યારે ય ઓછો થતો નથી.
જેમ વિશ્વમાં કામણવર્ગણાનો અનંત જથ્થો ભરેલો છે તેમ બીજી પચ્ચીસ - કુલ છવ્વીસ વર્ગણાઓથી આ લોક ભરેલો છે. ખરેખર, આ વિશ્વમાં શું નથી? આપણે જાણી શકતા નથી એવું તો અનંત-અપાર ભરેલું છે. તેને સર્વજ્ઞો જાણે છે, જુએ છે!
મનથી-વચનથી કે કાયાથી કોઈ પણ સૂક્ષ્મ કે સ્થૂલ પ્રવૃત્તિ કરી કે આઠેય પ્રકારનાં કર્મપુદ્ગલો આત્મામાં આવી જવાનાં. એ કર્મયુગલોના સારાનરસા પ્રભાવોનો અનુભવ કષાય’ના માધ્યમથી થાય છે.
ભદ્ર! ક્રોધ, માન, માયા અને લોભ - આ ચાર મુખ્ય કષાયો છે અને કષાયોનું સ્વરૂપ તો મેં તને પૂર્વે સમજાવેલું છે. આત્મપ્રદેશમાં રહેલાં કર્મયુગલોનું સુખાત્મક અને દુઃખાત્મક સંવેદન, આ કષાયો વિના થઈ શકતું નથી. આત્માની સાથે બંધાયેલાં કર્મપુદ્ગલોની સ્થિતિનો નિર્ણય કષાયો નથી કરતા, તે કામ “લેશ્યા' કરે છે! આ રીતે -
* મન-વચન-કાયાના યોગોથી પ્રદેશબંધ. છે. ક્રોધાદિ કષાયોથી પ્રદેશબદ્ધ કર્મોનો અનુભવ.
લેશ્યાથી ઉત્કૃષ્ટ-મધ્યમ અને જઘન્ય સ્થિતિનું નિર્માણ. આ ત્રણ મુખ્ય વાતો યાદ રાખવાની છે. શા માટે મનને પાપ-વિચારોથી મુક્ત કરવાનો અને શુભ-શુદ્ધ વિચારોથી મનને નિર્મળ કરવાનો ઉપદેશ તીર્થંકર પરમાત્માએ આપ્યો છે, તે સમજાયું ને? શા માટે પામવાણી નહીં બોલવાનો અને હિત-મિત-પ્રિય અને પથ્ય બોલવાનો જ આગ્રહ જ્ઞાની પપાં કરે છે, આ વાત બુદ્ધિમાં ઊતરે છે ને? શા માટે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી ઇન્દ્રિયનિગ્રહ કેળવવાનો ઉપદેશ આચાર્યો આપે છે, તેનું રહસ્ય સમજાયું ને?
હે પ્રાજ્ઞા! શુભ વિચાર, વાણી અને વર્તનથી આત્મપ્રદેશો સાથે શભ કર્મો બંધાય, અશુભથી અશુભ બંધાય. સુખ-દુઃખનો અનુભવ કષાય કરાવે છે.
માણા
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કષાયોનો ક્ષય થયા પછી એ પ્રદેશબદ્ધ કર્મો આત્મામાં સુખ-દુઃખની લાગણીઓ પ્રગટાવી શકે નહીં અને પ્રશસ્ત લેશ્યાઓમાં રમતાં રહેવાથી એ પ્રદેશબદ્ધ કર્મોની સ્થિતિ પણ સારી બંધાય છે.
લેશ્યાઓનો વિષય તારા માટે નવો છે. આજે એ વિષય પણ સમજાવી દઉં છું.
એક ચિત્રકાર ભીંત પર ચિત્ર બનાવે છે, તે તેં જોયું છે ને? ચિત્રકાર લાલ-પીળા અને વાદળી રંગોથી અને બીજા મિશ્ર રંગોથી સુંદર નયનરમ્ય ચિત્ર ભીંત પર કે કેન્વાસ પર અથવા બીજા વસ્ત્ર પર બનાવે છે. તે તેં બરાબર નિહાળ્યું છે ને? અરે, તું પોતે જ ચિત્રકાર છે ને! તમને ખબર હોય છે કે આ રંગો ભીંત ઉપર, વસ્ત્ર ઉપર કે કાગળ ઉપર ટકશે કેવી રીતે? ભીંત ઉપર રંગોને ટકાવનારું, દીર્ઘકાળ સુધી ટકાવનારું તત્ત્વ તમે જાણો છો! માત્ર પાણીના સહારે રંગો દીર્ઘકાળ સુધી ટકતા નથી. પાણી સુકાઈ જાય એટલે રંગો ખરી પડે. એટલે ચિત્રકારો શ્લેષ, સરેશ, ગુંદરનો ઉપયોગ કરે છે. રંગોમાં એ સરેશ-ગુંદર જેવા પદાર્થો ઘોળી નાંખવામાં આવે છે. પછી એ રંગોથી ભીંત રંગવામાં આવે છે.
હવે આ વાતનો ઉપનય સમજવાનો છે. આત્મા ભીંત છે. કર્મપુદૂગલો રંગ છે. કર્મપુદ્ગલો એમ જ આત્માની ભીંત ઉપર ચોંટી જતાં નથી. વચ્ચે કોઈ શ્લેષ સરેશ ગુંદર જોઈએ. તે શ્લેષ-સરેશ-ગુંદર છે લેશ્યાઓ!
અમુક કર્મપુદ્ગલો આત્મા પર પચીસ વર્ષ ટકે, અમુક કર્મો પાંચસો વર્ષ ટકે, આ સમયમર્યાદાનું નિયંત્રણ લેશ્યાઓ કરે છે. આ લેશ્યાઓ છ પ્રકારની છે. ત્રણ લેશ્યા શુભ છે ને ત્રણ લેશ્યા અશુભ છે. કૃષ્ણ-નીલકાપોત આ ત્રણ લેશ્યાઓ અશુભ છે. તેજો, પદ્મ અને શુક્લ આ ત્રણ લેશ્યાઓ શુભ છે.
-
૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે કર્મબંધમાં તીવ્ર પરિણામવાળી અશુભ લેશ્યાઓ ભળે છે ત્યારે કર્મોની અતિ દીર્ઘ સ્થિતિ કે જે અતિ દુ:ખમયી સ્થિતિ હોય છે, તે બંધાય છે... કર્મબંધમાં જ્યારે શુભ લેશ્યાઓ ભળે છે ત્યારે વિશુદ્ધતમ શુભપરિણામવાળી કર્મસ્થિતિ બંધાય છે.
લેશ્યાની પરિભાષા આ પ્રમાણે ઋષિઓએ કરેલી છે
'कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं 'लेश्या' शब्द: प्रयुज्यते । ।'
For Private And Personal Use Only
મણા
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે રીતે સ્ફટિકમણિ વિભિન્ન વર્ગોનું સાંનિધ્ય પ્રાપ્ત કરીને તે વર્ષોમાં પ્રતિભાસિત થાય છે તે રીતે કૃષ્ણાદિ દ્રવ્યોનું સાંનિધ્ય પામીને આત્માના પરિણામ, તે રૂપમાં પરિણત થાય છે. આત્માની આ પરિણતિ “ભાવલેશ્યા' કહેવાય છે. જે કૃષ્ણાદિ દ્રવ્યોનો નિર્દેશ કર્યો તે દ્રવ્યલેશ્યા કહેવાય છે.
દ્રવ્યલેશ્યા પૌગલિક છે. ભાવલેશ્યા આત્મપરિણામરૂપ હોય છે. જોકે પરિણામ, અધ્યવસાય અને વેશ્યા - આ ત્રણેયનો ઘનિષ્ઠ સંબંધ છે, જ્યાં પરિણામ શુભ હોય છે, અધ્યવસાય પ્રશસ્ત હોય છે ત્યાં વેશ્યા વિશુદ્ધમાન હોય છે. કર્મોની નિર્જરામાં પરિણામોનું શુભ હોવું, અધ્ય-વસાયોનું પ્રશસ્ત હોવું અને વેશ્યાઓનું વિશુદ્ધ હોવું આવશ્યક હોય છે.
આનાથી વિપરીત, જ્યારે પરિણામ અશુભ હોય છે ત્યારે અધ્યવસાય અપ્રશસ્ત હોય છે અને વેશ્યા સંક્ષિપ્ત હોય છે. આથી એમ સમજાય છે કે કર્મબંધનમાં અને કર્મનિર્જરામાં પરિણામ, અધ્યવસાય અને વેશ્યાઓનું સમ્મિલિતરૂપે સંપૂર્ણ યોગદાન છે. આનો ફલિતાર્થ એ છે કે મનુષ્ય જો શુભ કર્મબંધ કરવો હોય, કર્મોની નિર્જરા કરવી હોય, તો એણે પોતાનાં પરિણામ, અધ્યવસાયો અને લેશ્યાઓને શુભ રાખવાં જોઈએ.
આચાર્ય અટક્યા. તેમણે બે-ચાર ક્ષણ આંખો બંધ કરી. મેં પણ મારા શરીરને થોડું મરડ્યું. આસપાસ જોયું. દ્વાર પર મારી માતા રૂપસુંદરી ઊભી હતી. તેના મુખ પર સ્મિત રમતું હતું. આચાર્યે પણ આંખો ખોલી હતી. મારી માતાએ તેમનું અભિવાદન કર્યું.
મેં આપના અધ્યાપનકાર્યમાં વિક્ષેપ કર્યો, ભંતે?' નહીં દેવી; આમે ય થોડી ક્ષણોનો વિશ્રામ આવશ્યક હતો.'
જાઉં છું. આપની પાવન ગિરા વહેવા દો... મારી મા મારી સામે હસી અને ચાલી ગઈ. હું આચાર્ય પાસેથી ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરું, એવું મારી મા ઇચ્છતી હતી અને હું એની ઇચ્છા પૂર્ણ કરતી હતી, તેથી એ રાજી થતી હતી. આચાર્યું અમારા વિષયનું અનુસંધાન કરતાં કહ્યું :
ભદ્ર, જે કર્મો જીવે બાંધ્યાં હોય તે જ કર્મ ઉદયમાં આવે. જ્યારે જીવ કર્મ બાંધે છે ત્યારે જ એ નક્કી થઈ જતું હોય છે કે આ કર્મ કેટલા સમય પછી ઉદયમાં આવશે. હા, એક વાત સમજી લેવી જોઈએ કે બંધાયેલાં બધાં જ કર્મ વિપાકોદયમાં ન પણ આવે. અર્થાત્ જ્યારે એ ઉદયમાં આવે ત્યારે
મયણા
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવને સુખ-દુઃખના અનુભવ ન પણ થાય. છતાં ઉદયમાં આવી જાય ને ભોગવાઈ જાય! આને ‘પ્રદેશોદય' કહેવામાં આવ્યો છે.
મદના! કર્મના આઠ પ્રકારોમાં જે નામકર્મ છે, તેના અવાંતર ૧૦૩ પ્રકાર છે. તેમાં “ગતિ-નામકર્મ' આવે છે. જીવ વર્તમાનમાં જે ગતિમાં હોય તે ગતિમાં આગામી ગતિનું નામકર્મ બાંધતો હોય છે. જેમ કે વર્તમાનમાં એક જીવ મનુષ્યગતિમાં છે, તે જીવ આ પછીની મૃત્યુ પછીની) ગતિ આ ભવમાં જ નક્કી કરી લે છે. જોકે મનુષ્યને એ જ્ઞાન હોતું નથી કે એણે ક્યારે ને કઈ ગતિનું નામકર્મ બાંધ્યું! પણ એ બંધાઈ જ જતું હોય છે. ગોત્રકર્મ પણ એને અનુરૂપ બંધાઈ જાય છે અને આયુષ્યકર્મ પણ એ જ ગતિનું બંધાય છે.
મૃત્યુ પછી જીવ એ ભવમાં, એ ગતિમાં ઉત્પન્ન થાય ત્યારે તે ભવને અનુરૂપ શરીરનું એ સ્વયં નિર્માણ કરે છે. એવું નથી હોતું કે શરીર તૈયાર હોય ને જીવ એમાં પ્રવેશી જાય! જીવ સ્વયં પોતાના શરીરની રચના કરે છે. નરકગતિમાં જાય તો નરકનું શરીર બનાવે ને દેવલોકમાં જાય તો દેવનું શરીર બનાવે. મનુષ્યગતિમાં જાય તો મનુષ્યનું અને તિર્યંચગતિમાં જાય ત્યાં તિર્યંચનું શરીર બનાવે.
શરીરનિર્માણની સાથે જ ઇન્દ્રિયોનું નિર્માણ થતું હોય છે. દેવ-નારક અને મનુષ્યના ભવમાં તો શરીરરચનાની સાથે જ પાંચ ઇન્દ્રિયોની રચના થતી હોય છે. તિર્યંચગતિ (પશુ-પક્ષી આદિનો ભવ) એવી છે કે જ્યાં એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયોની રચના થાય છે. કોઈ જીવને એક જ ઇન્દ્રિયો હોય, કોઈને બે, કોઈને ત્રણ, કોઈને ચાર અને કોઈને પાંચ ઇન્દ્રિયો હોય છે.
જીવાત્મા આ ઇન્દ્રિયોના માધ્યમથી વિષયો ગ્રહણ કરે છે. દરેક જીવને સ્પર્શનેન્દ્રિય તો હોય જ. શરીર બને એટલે સ્પર્શન-ઇન્દ્રિય તો બની જ જાય. શુભ અને અશુભ, સારા ને નરસા સ્પર્શનો અનુભવ આ ઇન્દ્રિયથી થાય. રસનેન્દ્રિયને પ્રિય વિષય મળે એટલે જીવાત્માને સુખનો અનુભવ થાય અને અપ્રિય વિષય મળે - અણગમતો રસ મળે એટલે દુઃખાનુભવ થાય. ધ્રાણેન્દ્રિયને સુગંધ મળે એટલે સુખ અને દુર્ગધ મળે એટલે દુઃખ! ચક્ષુરિન્દ્રિયને રૂપનો વિષય મળે એટલે જીવ રાજી અને કુરૂપ વિષય મળે એટલે નારાજ! શ્રવણેન્દ્રિયને મીઠો શબ્દ મળે એટલે જીવને આનંદ થાય
૩૦
માણા
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને કડવો શબ્દ મળે એટલે ઉદ્વેગ થાય છે. આ રીતે હે ભદ્ર! ઇષ્ટ વિષયનિમિત્તક સુખાનુભવ છે. અનિષ્ટ વિષયનિમિત્તક દુ:ખનુભવ છે.
એક વાત સ્પષ્ટ કરી દઉં. જે-તે વિષય ગ્રહણ કરવાનું કાર્ય ઇન્દ્રિયોનું છે. સુખ-દુઃખના અનુભવ કરવાનું કામ મનનું છે. જીવાત્મા ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ કરે છે અને મનથી સુખ-દુઃખના અનુભવ કરે છે. હા, સંસારમાં એવા અનંત જીવો છે કે જેમને શરીર છે, ઇન્દ્રિયો છે, પણ મન નથી! આવું મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જ હોય. દેવોને અને નારકોને તો પાંચેય ઇન્દ્રિયો અને મન હોય જ.
ભદ્ર! એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જે જીવોને મન નથી હોતું તે જીવોને સંજ્ઞા' તો હોય જ છે. મન વિનાના જીવોને ઇચ્છા તો હોય. ખાવાની ઇચ્છા, ચાલવાની ઇચ્છા... દ્રવ્ય ભેગું કરવાની ઇચ્છા... વગેરે. મન વિના પણ જીવ ઇચ્છાઓ કરી શકે છે. પણ એ ઇચ્છાઓ અને મનથી થતી ઇચ્છાઓમાં ઘણું અંતર હોય છે. કર્મબંધની દૃષ્ટિએ પણ અંતર પડતું હોય છે. આપણે મનવાળા માનવી છીએ! જો એ મન પ્રિય-અપ્રિય વિષયોમાં સુખ-દુઃખના અનુભવમાં ભટકતું રહેશે તો વર્તમાન જીવનમાં અશાન્તિ અને પરલોકમાં ઘોર દુઃખ લમણે લખાયેલાં સમજો!
આચાર્યે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું. તેઓ ઊભા થયા. મેં ઊભા થઈ તેમને બે હાથ જોડી મસ્તક નમાવી વંદન કર્યું. તેમણે આશીર્વચન આપ્યાં અને ચાલ્યા ગયા.
મારી સાસુ કમલપ્રભા એકાગ્ર ચિત્તે મારું કથનીય સાંભળી રહ્યાં હતાં. સાથે સાથે શ્રીપાલ પણ મુગ્ધ ભાવે શ્રવણ કરી રહ્યા હતા. આ બધી વાતો તેમના માટે નવી હતી, અપૂર્વ હતી, ગમે તેવી હતી. કમલપ્રભા બોલી ઊડ્યાં: “અદ્ભુત તત્ત્વજ્ઞાન છે કમનું!'
માણો
૩૧
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ દિવસ નહીં અને આજે શૈવપંથી સાધુ ભિક્ષા લેવા અમારા ઘરે આવી ગયા. મારી સાસુએ સાધુને ભિક્ષા આપી, સાધુ ચાલ્યા ગયા પછી મારી સાસુએ મને પૂછયું : “ભદ્ર, આ સાધુ જૈન સાધુ ન હતા... એમણે તો ગેરુવા રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને હાથમાં કમંડલ હતું.'
‘ભગવતી! એ શૈવમતના સાધુ હતા. અહીં નગરની પૂર્વ દિશામાં શૈવમતનો આશ્રમ છે. માલવપતિએ જ આશ્રમ માટે બાર એકર જેટલી જગા ભેટ આપેલી છે. ત્યાં યોગી અઘોરાનંદ આશ્રમના કુલપતિ છે, તેઓ જ આચાર્ય છે. તેમને “મહાકાશ્યપ' કહેવામાં આવે છે.”
માતાજી! મેં આપને કહ્યું હતું કે મહારાણી સૌભાગ્યસુંદરી અને એમની પુત્રી સુરસુંદરી શૈવમતમાં શ્રદ્ધા ધરાવે છે, એટલે તેઓ અવાર-નવાર શૈવમઠમાં જતાં-આવતાં રહે છે. તેમનાં કેટલાંક સ્નેહીં-સંબંધી પણ શૈવમતમાં માને છે.”
ભદ્ર! તું ક્યારેય એ મઠમાં ગઈ છો?
હા, ભગવતી! એક વખતે મહારાજાની સાથે અમે સહુ આખો રાજપરિવાર મઠમાં ગયાં હતાં. ક્ષિપ્રા નદીના કિનારે ઘણા તાપસી તપ કરતા હતા, નદીકિનારે દૂરદૂર સુધી એ તાપસોની ઘાસ કુટિરો દેખાતી હતી. તેનાં છાપરાંઓમાંથી અગ્નિહોમનો ધુમાડો નીકળ્યા કરતો હતો. એ તાપસો વિવિધ વૈદિક સંપ્રદાયોમાં શ્રદ્ધા રાખતા હતા અને પોત-પોતાના શિષ્યોના સમૂહ સાથે ત્યાં રહેતા હતા.
એમાંના અનેક તાપસ નગરમાં ભિક્ષા લેવા જતા. પોતાના આશ્રમોમાં પશુપાલન કરતા અને શ્રદ્ધાવાન ભક્તો પાસેથી ખૂબ દાન લઈને સારી રીતે રહેતા હતા... એશઆરામની જિંદગી જીવતા હતા. જ્યારે કેટલાક તાપસો કઠોર વ્રત-તપ પણ કરતા હતા. કોઈ કોઈ તપસ્વી “કચ્છ ચાન્દ્રાયણ' તપ કરતા. અર્થાત્ ચંદ્ર જેમ ઘટે તેમ તેઓ ભોજન ઘટાડતા અને ચન્દ્ર વધે એટલે ભોજન એક-એક ગ્રાસ વધારતા. આ રીતે અમાસના દિવસે ઉપવાસ
મયુમા
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કરતા. પછી એક-એક દિવસ એક-એક ગ્રાસ આહાર વધારતા જતા. પૂનમે પંદર ગ્રાસ ભોજન કરતા. પછી એક-એક ગ્રાસ ઘટાડતા જતા.
કેટલાક તપસ્વી માત્ર દૂધનો જ આહાર લેતા. કેટલાક એક પગ ઉપર ઊભા રહેતા. કેટલાક વૃક્ષોની ડાળીઓ ઉપર ઊંધા લટકતા. કેટલાક ગળા સુધી પાણીમાં ઊભા રહીને ધ્યાન કરતા. કેટલાક કાંટાઓની શય્યા પર સૂઈ જઈને કાયાને કષ્ટ આપતા. આ રીતે વિવિધ પ્રકારે તેઓ કાયાને જાણીબૂઝીને કષ્ટ આપતા હતા.
કેટલાક તાપસો કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર બનીને જમીન પર પડ્યા રહેતા. કેટલાક તાપસો બળબળતા ઉનાળામાં પંચાગ્નિતપ કરતા. કેટલાક તાપસો જમીનમાં ખાડા કરીને તેમાં બેસી દિવસો સુધી સમાધિમાં રહેતા.
કેટલાક નાગા દિગંબર રહેતા. કેટલાક જટાવાળા તો કેટલાક મુંડિત મસ્તકવાળા હતા. નદીના તટથી થોડે દૂર પર્વતના શિખરમાં ઘણી ગુફાઓ છે. કેટલાક તાપસો એ ગુફાઓમાં એકાન્તમાં રહેતા અને મહિનાઓ સુધી ધ્યાનસ્થ રહેતા. ઘણા તાપસો પર્વતની કંદરાઓમાં નગ્નાવસ્થામાં પડ્યા રહેતા. આ તાપસો ભૂખ, તરસ, શીત... ઉષ્ણ આદિ ઇતિ-ભીતિઓથી પર હતા, આ બધા તપસ્વીઓ મોહત્યાગી હતા, વિરક્ત હતા. ઘણા સર્વત્યાગી હતા અને રાતભર ધ્યાનમગ્ન રહેતા.
ાયણા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ શૈવમઠમાં બીજો એક વિભાગ કાપાલિકોનો હતો. આ કાપાલિકો મડદાઓની ખોપરીઓની મુંડમાળા ગળામાં ધારણ કરતા. પશુઓના શરીરની રક્તનીતરતી ખાલ શરીર પર લપેટીને તંત્રશાસ્ત્રનાં વાક્યોનું ઉચ્ચારણ કરતા કરતા ઘૂમતા રહેતા. આ કાપાલિકો મોટા ભાગે સ્મશાનોમાં રાત્રિવાસ કરતા. ત્યાં તેઓ વિવિધ કુત્સિત, બીભત્સ અને કુટિલ ક્રિયાઓ કરતા. આ કાપાલિકો એવો દાવો કરતા કે તેમણે ઇન્દ્રિયોની વાસનાને જીતી લીધી છે અને તેઓ સિદ્ધ પુરુષ બની ગયા છે. આ શૈવપંથી કાપાલિકો સ્વાર્થસિદ્ધિ માટે તાંત્રિક મારણ, મોહન, ઉચ્ચાટનના અભિચાર કરતા રહેતા. આ કાપાલિકોથી સામાન્ય લોકો ડરતા રહેતા હતા. પરંતુ દૂરદૂરના દેશોથી રાજાઓ, રાજકુમારો, રાજમંત્રીઓ, શ્રેષ્ઠીપુત્રો વગેરે પોતાની સમસ્યાઓ લઈને આવતા.૧
કોઈના માટે મા૨ણપ્રયોગ થતા, કોઈના માટે મોહન-વશીકરણના પ્રયોગ થતા, કોઈના માટે ઉચ્ચાટનના પ્રયોગ થતા.
For Private And Personal Use Only
૩૭
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ કાપાલિકામાં ત્રણ કાપાલિક ખૂબ પ્રસિદ્ધ હતા. તેઓ જટાધારી હોવાથી જટિલ કહેવાતા. એમના શિષ્યો પણ મુંડન નહોતા કરાવતા. એમાં એક પાખંડ કાપાલિક હતા. તેમના ૫૦૦ જટિલ શિષ્યો હતા. બીજા અખંડ કાપાલિક હતા, તેમના ૩૦૦ જટિલ શિષ્યો હતા. ત્રીજા પ્રચંડ કાપાલિક હતા, તેમના ૨૦૦ શિષ્યો હતા. આ ત્રણ પાખંડ-અખંડ-પ્રચંડના નામે પ્રસિદ્ધ હતા. તેમના શાસ્ત્રજ્ઞાનની, તેમની દૈવી સિદ્ધિઓની, તેમની ઉગ્ર તપશ્ચર્યાની અને મહાન શક્તિઓની માલવદેશમાં ધાક વાગતી હતી. તેમને રાજા-મહારાજાઓ ને શ્રીમંત શ્રેષ્ઠીઓ સ્વર્ણ-રત્ન અને રજતના ઢગલા ભેટ આપતા હતા. લોકો તેમને મહાન શક્તિસંપન્ન અને મહાચમત્કારી માનતા હતા અને પેલા ત્રણેય કાપાલિકો પોતાને અર્હત્ કહેવડાવતા હતા.
આ ત્રણ કાપાલિકો મોટા મોટા યજ્ઞ કરાવતા હતા. તેમાં મગધ, કૌશલ, વત્સ, અંગ વગેરે દેશોના શ્રદ્ધાળુઓ અન્ન, ધૃત, રત્ન, કૌશેય, મધુ આદિ લઈને આવતા હતા. ત્યારે પંદર-પંદર દિવસોના મેળા ભરાતા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે ભગવતી! જેવા અમે શૈવમઠમાં દાખલ થયા, અમારું પેલા ત્રણ પાખંડ-અખંડ અને પ્રચંડે સ્વાગત કર્યું. અમારા મસ્તકે કંકુનાં તિલક કર્યાં અને અક્ષતથી વધાવ્યા. તે પછી અમને સ્વામી અઘોરાનંદની પાસે લઈ જવામાં આવ્યા. સ્વામી અવોરાનંદ પોતાના શિષ્યોની સાથે મૃગચર્મ પર બેઠા હતા. એમનું શરીર બિલકુલ કાળું હતું. છાતી વિશાળ હતી. આંખો ચમકદાર હતી. તેમણે કમર પર એક સુતરાઉ વસ્ત્ર લપેટેલું હતું અને તેનો રંગ સરી જેવો હતો. શરીર પર સ્વચ્છ જનોઈ હતી, માથે મોટી ચોટી હતી.
મારા પિતા મહારાજ પ્રજાપાલે બે હાથ જોડી, મસ્તક નમાવી નમ્ર વાણીમાં કુશલપૃચ્છા કરી.
‘ભદંત, આશ્રમમાં કોઈ અસુવિધા તો નથી ને?’
૩૪
‘નહીં, રાજેશ્વર! માલવપતિના સામ્રાજ્યમાં અમે નિશ્ચિંત છીએ. પરંતુ...’ ‘કહો, ભંતે! પરંતુ શું?'
‘આ રાજકુમારીને અહીં ક્યારેય જોઈ નથી, રાજ!' અઘોરાનંદજીએ મારી તરફ દૃષ્ટિ કરીને કહ્યું,
‘હા ભંતે, એ આજે પહેલી વાર જ આપનાં દર્શને આવી છે.’ મારા પિતાએ કહ્યું.
For Private And Personal Use Only
પ્રણા
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી ઇચ્છા આ મઠ જોવાની હતી અને આજે મહારાજા સપરિવાર પધારવાના હતા એટલે હું પણ આવી!' આવવાનું કારણ બતાવ્યું. મારી બહેન સુરસુંદરી પાસે જ બેઠી હતી, તે બોલી :
‘ભંતે, મારી આ બહેન તો જિનમતમાં શ્રદ્ધા ધરાવે છે એટલે રોજ સુવ્રતઉદ્યાનમાં જાય છે. ભગવાન ત્રકષભદેવનાં દર્શન-પૂજન કરે છે અને આચાર્ય મુનિચન્દ્રનો ઉપદેશ સાંભળે છે!'
મારે મારી માન્યતા ન કહેવી પડી! સૂરસુંદરીએ વાત કરી દીધી. અઘોરાનંદજી મારી સામે જોઈ રહ્યા. ત્યાં પિતાજી બોલ્યા :
“આચાર્યશ્રી મુનિચન્દ્ર પણ મહાન જ્ઞાની અને સિદ્ધપુરુષ છે... તેઓ પણ મોક્ષમાર્ગનો જ ઉપદેશ આપે છે!”
મારી બંને માતાઓ મૌન હતી. બંને જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને બેઠી હતી. મહારાજાની ઉપસ્થિતિમાં મારી માતા લગભગ મોન રહેતી હતી પણ સુરસુંદરી બોલકણી હતી. વળી તે આ આશ્રમમાં અવાર-નવાર આવતી-જતી રહેતી હતી. તેનું કારણ એને શૈવ ધર્મ ગમતો હતો અને જૈન ધર્મ નહોતો ગમતો, એવી વાત ન હતી. ખરું કહું તો સુરસુંદરીને કોઈ ધર્મ ગમતો ન હતો! એ આશ્રમમાં બીજા પ્રયોજનથી આવતી હતી.
કુરુદેશમાં શંખપુરી એની રાજધાની હતી. તેનો રાજા હતો દમિતારી. એ દમિતારી માલવપતિને આધીન હતો. માલવપતિ સાથે ઘનિષ્ઠ સંબંધ હતો એટલે અવારનવાર તે ઉજ્જયિની આવતો, તેની સાથે તેનો રાજકુમાર અરિદમન પણ આવતો હતો. અરિદમન રૂપવાન હતો. બળવાન હતો. આકર્ષક હતો. સુરસુંદરી એના તરફ આકર્ષાઈ હતી. અરિદમન ઉજ્જયિનીમાં આવતો ત્યારે તે શૈવમઠમાં જ વધુ સમય પસાર કરતો. એ અઘોરાનંદજીને પણ પ્રિય હતો. આશ્રમના તાપસો રાજકુમારને માન આપતા હતા. ઋષિકન્યાઓ પણ તેની સાથે હસતી-રમતી હતી.
પંદરેક વર્ષની અસ્કુટ કળી સમી સુકોમળ કન્યા અઘોરાનંદજી પાસે આવી. તેનો રંગ પાછલા શ્રાવણનાં વાદળાં જેવો આછો શામળો હતો. આંખો મૃગબાળ જેવી ચંચળ, નાચતી ને પ્રમાણમાં મોટી હતી. સ્વામીની એ નાની દીકરી હતી. આ લાડકી, મિજાજી ને ચંચળ છોકરીની હઠ આગળ આશ્રમમાં સૌને નમવું પડતું! પણ તેની નિર્દોષતા ને નૃત્યકળા બને એવાં
મયણા
૩૫
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિયંકર હતો કે તેની હઠવૃત્તિ સૌ વીસરી જતાં.
તે આવી, સ્વામી પાસે ઓટલા પર બેસી ગઈ. લાગલી જ બોલી : “પિતાજી, તમે જોયું? સુરસુંદરી.. અરિદમન સાથે..”
એ પૂરું કરે તે પહેલાં જ કુલપતિ કહે : “તને કોણે કહ્યું?” માધવી કોઈ ગુપ્ત ખજાનો પ્રગટ કરતી હોય તેમ આંખો પહોળી કરી ધીરા સાદે બોલી: કાલે રાત્રે વંદનૃત્ય પૂરું થયું તે પછી હું સુરસુંદરીને શોધતી શોધતી આવતી હતી ત્યાં મેં પેલી નવમલ્લિકાના મંડપમાં બંનેને અડોઅડ ઊભેલાં જોયાં.'
વળી વધારે ધીરા અવાજે પણ ખૂબ ઉત્સાહથી બોલી : “ને પિતાજી! તેઓ વળી આલિંગતા હતા!'
સ્વામી નીચી નજરે કપોતોને ચણાવતા હતા. તેમણે ઊંચું જોયું. માધવીના રમતિયાળ ચહેરા પર તોફાન ચમકતું હતું.
પકડાઈ ગયા એટલે રાજકુમાર મને કહે : “તું સ્વામીને ન કહેતી. હું જ કહેવાનો છું. અમે પરણવા માંગીએ છીએ! સ્વામી પછી મહારાજાને ભલામણ કરશે.' “તેં કંઈ રાજકુમારીને કહ્યું ન હતું ને?”
કેમ ન કહું? ચોરી કરતાં પકડાયાં એટલે કહેવું તો પડે જ ને!' કહી એ ખિલખિલાટ હસવા માંડી.
સુરસુંદરી માધવી કરતાં પાંચ વર્ષે મોટી, ઊંચી, ઉજ્વલ, સ્વચછ અને સરલ હૃદયની રાજકુમારી છે. આશ્રમમાં એ સૌને મદદ કરતી, સૌને વહાલ કરતી, સૌને આશ્વાસનના બે શબ્દો કહેવા એ તત્પર રહેતી. તે ખરેખર વાત્સલ્યઝરણી છે.
મહારાણી સૌભાગ્યસુંદરીને સ્વામી અઘોરાનંદજી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો અને ખાનગીમાં કહી પણ રાખેલું કે સુરસુંદરી માટે યોગ્ય રાજ કુમાર શોધવો. એટલે જ્યારે માધવીએ વાત કરી ત્યારે સ્વામી વિચારમાં ડૂબી ગયા. “રાજકુમારીને છેવટે અરિદમન ગમ્યો એ સારો યુવક છે. શીલવાન માતાનો પુત્ર છે, બલિષ્ઠ છે, બુદ્ધિશાળી છે. વાંધા જેવું તો નથી... તે છતાં
ક્યાં રાજકુમારી.. મંજરીપુષ્પ-પ્રફુલ્લ શોભાયમાન દેવદારૂના નવવૃક્ષ સમી ઊંચી, સદા નીરા સમી સુગંભીર ને યજ્ઞનુ સમી વત્સલ મારી રાજદુહિતા... ને ક્યાં અરિદમન? એ બંનેને કેમ સરખાવાય? વળી, રાજરાણીને આ સંબંધ
૩૬
મયના
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમશે ખરો? નાના રાજ્યના નાના રાજાનો આ કુમાર છે! માલવપતિની દુહિતા તો રાજગૃહી કે વૈશાલી... શ્રાવસ્તિ જેવાના રાજમહેલોમાં શોભે! ખેર, શું થાય? યૌવન છે ને! અને યુવાનોનો સંસર્ગ થોડો તો ફળે ને?'
સ્નાન કરતાં કરતાં સ્વામીએ આવા વિચારો કર્યા. સંધ્યા કરી, પરવારી એમણે સુરસુંદરીના ખબર કઢાવ્યા તો સમાચાર આવ્યા કે તે પછવાડેના ઉપવનમાં ગઈ છે. સ્વામી ચાખડી પહેરી તે તરફ ચાલ્યા. તાડ ને નાળિયેરીનાં પાનથી છાયેલા ગોગૃહની પછવાડે આમ્રકુંજમાં એક આંબાના મોરને સુરસુંદરી ચૂંટતી હતી. ચૂંટતાં ચૂંટતાં મોરને સુંઘતી જતી. તેની વેણીમાં પણ મોરની સિંદૂરિયા વર્ણની કલગી હતી. તેમાંથી ઝરેલા નાના નાના રજકણો પીળાં મોતીની રજ જેવા તેની ફૂલગુલાબી ગરદન પર પથરાયા હતા. સુંદરીએ ઉત્તરીયનો છેડો કેડે વીંટાળ્યો હતો. ખભે વાંસની ફૂલભરેલી ટોપલી હતી. મોર ચૂંટતી એ કંઈક ગણગણતી હતી. સ્વામી વાત્સલ્યથી સુંદરીને જોઈ રહ્યા. બબડ્યા : “આનામાં કશું અપવિત્ર છે જ નહીં.”
સુંદરી!” સ્વામી છેટેથી બોલ્યા. આવી, પ્રભો!” કહેતી સુંદરી હસતી હસતી સ્વામી પાસે આવી. તારે કોઈ વાત કરવાની છે, એમ માધવી કહેતી હતી.” સુંદરીના બંને ગાલ પર સહેજ રતાશ આવી, અંબોડામાં ખોસેલી મંજરી પર ભમતી મધમાખીને ઉડાડતી સહેજ મરકીને લજ્જાસહ બોલી : “હું આપને આજે જ કહેવાની હતી કે હું અરિદમનની સાથે.' આગળ તે લજ્જાથી બોલી નહીં.
જોડાવા માગે છે ને?” “હા, ભંતે! ‘અરિદમન બુદ્ધિમાન છે, બલિષ્ઠ છે, પણ તે તારી માતાને વાત કરી છે?' ભંતે, આપની સંમતિ મેળવીને તેને કહેવાની હતી.'
સ્વામીએ હસીને કહ્યું : “એટલે તને એ ખ્યાલ છે ને કે કામ કઠણ છે?' સુંદરી મુક્ત રીતે હસીને બોલી : “એ તો છે જ. પણ મારી માતાએ આપ જે ઇચ્છો તેમાં કોઈ દિવસે ના પાડી છે?” ‘પણ તારી આ છેવટની પસંદગી છે?” આપની અને મારી માતાની સંમતિ પર નિર્ભર રાખ્યું છે. મારા પિતા તો
મયણા
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી ઇચ્છા મુજબ જ કરવાના છે! આપ સંમત થશો ને?
મેં કશો ય નિર્ણય કર્યો નથી. પણ લગ્ન એ કેવું મોટું સાહસ છે!' ‘પરંતુ ભૂત! અરિદમનમાં કશી ય ખામી દેખાતી નથી.'
તે તર્કવાન છે, બુદ્ધિમાન ને બલિષ્ઠ છે; પરંતુ સંનિષ્ઠ કેટલો છે, તેની મને જાણ નથી.'
ઋષિના આ શબ્દો સાંભળતાં સુરસુંદરીના ચહેરા પરની બધી જ રંગપ્રભા ઓલવાઈ ગઈ, જાણે ઉદયોમુખ રક્ત સૂર્યનું કાળી વાદળીએ ગ્રહણ કર્યું.
“આપણે વળી આ અંગે વિચારીશું!' ઋષિએ સુરસુંદરીનો વાસ થાબડતાં કહ્યું. તેઓ ધીમે પગલે ચાલ્યા ગયા. સુંદરી ક્યાંય સુધી આંબાની ડાળ પકડીને ઊભી રહી. પૂરપાટ જતા અશ્વની લગામ ખેંચાય ને બેસનારની દશા થાય તેવી સુરસુંદરીની થઈ. તે તો મધુર સ્વપ્નોમાં વિહરતી હતી. રંગબેરંગી કલ્પનાચિત્રો તે ભાવિના ફલક પર આંકી રહી હતી પણ અઘોરાનંદજીના શબ્દોથી તેનું મન ઉદાસ થઈ ગયું. ખભા પરથી ફૂલોની ટોપલી નીચે સરી પડી. ફૂલો વેરાયાં.
આ તો દેવાર્શન માટેનાં ફૂલો હતાં! શંકાકુલ બનીને સુંદરી ફૂલ વીણવા માંડી. તેને થયું કે તેનું જીવતર આમ જ વેરાઈ જવાનું છે, તેનો તો આ દુર્દેવી સંકેત નહોતો? ઘડીભર તે ધ્રુજી ઊઠી. પણ પછી સ્વસ્થ થઈ સ્વગત બોલી : “મેં આ કંઈ અનીતિ કરી નથી, દુર્દેવ શાનું પ્રગટે ? સ્વામીએ કામ કઠણ છે, એટલું જ કહ્યું છે. કામ ખોટું છે, તેમ ક્યાં કહ્યું છે? મારી માતાને સમજાવવામાં વાર નહીં લાગે. આમ તો અરિદમન વિનયની મૂર્તિ છે. તે સાત ભવ સુધી પણ મારી રાહ જોશે ને હું તો ભવોભવ રાહ જઈશ.' તે નવાં ફૂલ વીણવા લાગી.
તેની કલ્પનામાં તો અરિદમનના માંસલ બાહુઓ, તેનું ગંધમાદનના શિખરસમું મસ્તક, તેનો શાલવૃક્ષના પાટિયા સમો વાંસો. આ બધું દેખાતું હતું. તેનું મન જાણે મેઘધનુષ્યના રંગે રંગાતું જતું હતું. આજુબાજુની સૃષ્ટિ પર જાણે એના નવરંગની બિછાત બિછાવતી હતી.
મયમાં
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ꮽ
માલવસમ્રાટ પ્રજાપાલ અચાનક જ અર્ધવિક્ષિપ્ત થઈ ગયા હતા, તેઓ રાજમહેલમાં જ રહેતા હતા. રાજસભાનું કામ મહામંત્રી સોમદેવ સંભાળતા હતા. લગભગ એક મહિનાથી મહારાજા મહેલની બહાર નહોતા આવ્યા. રાજદરબાર ભરતા ન હતા. મોટા ભાગે રાતોની રાતો તેઓ નગ્ન અવસ્થામાં ખુલ્લી તલવાર હાથમાં લઈ એકલા એકલા મહેલના ખંડોમાં ફર્યા કરતા હતા. રાજસેવકો ગભરાઈ ગયા હતા. કોઈ પણ વ્યક્તિ મહારાજાની આજ્ઞા વિના એમની સામે જવાનું સાહસ નહોતી કરી શકતી. પરંતુ છેવટે રાજ્યના વયોવૃદ્ધ મહામંત્રી વિષ્ણુધરે એમની સામે જઈને અભિવાદન કર્યું.
મહારાજાએ ખડ્ગ ઊંચું કરી મોટા સ્વરે કહ્યું : ‘તું ચોર છે. અહીં કેમ આવ્યો?'
,
વિષ્ણુધરે પોતાની મંત્રીમુદ્રા મહારાજાના હાથમાં મૂકીને કહ્યું : ‘મહારાજાનો જય હો. આપ મહેલના ગુપ્ત મંત્રણાગૃહમાં પધારો. ત્યાં એક મહા તેજસ્વી સંન્યાસી આપને મળવા બેઠા છે.' વિષ્ણુધરે મહારાજાનો હાથ પકડ્યો ને તેમને ગુપ્ત મંત્રણાગૃહમાં લઈ ગયા. ત્યાં ત્રણ કાપાલિકો બેઠા હતા. પાખંડ, અખંડ અને પ્રચંડ,
માણા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખંડે મહારાજાની દૃષ્ટિ સાથે દૃષ્ટિ મેળવી... થોડી ક્ષણો ત્રાટક કર્યું. મહારાજાનો ઉન્માદ કંઈક શાંત થયો. અખંડે વિષ્ણુધરને સંબોધીને કહ્યું : ‘મહામંત્રી! આ એક ક્ષુદ્ર વ્યંતરીનો ઉપદ્રવ છે. એ વ્યંતરીએ મહારાજાને અર્ધવિક્ષિપ્ત કરી દીધા છે.'
‘ભંતે, એ માટે શું કરવું જોઈએ?'
‘યજ્ઞ કરવો પડશે... બિલ આપવો પડશે એ વ્યંતરીને, ત્યારે અ મહારાજાને છોડીને જશે.'
‘કેવો યજ્ઞ, ભંતે?’
‘મહામંત્રી! અગ્નિહોમમાં નિરંતર ધૃતધારા કરવી પડશે. ઘીના સેંકડો
For Private And Personal Use Only
૩૯
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘડા જોઈશે. પછી વિભિન્ન વનસ્પતિ, ફળ, નૈવેદ્યનાં સેંકડો ભરેલાં પાત્ર જોઈએ. એ આગમાં હોમાશે. પછી યજ્ઞવેદીની પાસે ધૂપની ચારેય બાજુ એક મોટા વાડામાં દેશ-દેશાન્તરથી લાવેલાં વાછરડાં, બળદ, ભેડ વગેરે પશુઓને વિવિધ રંગોથી રંગવાનાં અને પુષ્પોથી શણગારવાનાં. પછી એ પશુઓની પૂજા કરવાની. તેમને લીલું લીલું ઘાસ ખવરાવવાનું અને પછી એ પશુઓને યજ્ઞની આગમાં હોમી દેવાનાં. દેવતાઓને, દેવીઓને માંસનો હવિભંગ અર્પણ કર્યા પછી જે માંસ બચે, તેમાં હરણ, વરાહ આદિ પશુઓનું માંસ મેળવવાનું કંદ-મૂળ-ફળ-તલ, મધ, ઘી વગેરે મેળવીને ‘ખાંડવરાગ' તૈયાર કરવાનો. એ ખાંડવરાગ વેદપાઠી બ્રાહ્મણો... તાપસો, કાપાલિકો વારંવાર માગીને ખાવાના! એક-એક દેવતાનું આહ્વાન કરીને વિવિધ પશુઓ, પક્ષીઓ, જલચરો અને વૃષભોની આહુતિ યજ્ઞકુંડમાં આપવાની હોય છે.'
બ્રાહ્મણ, ક્ષત્રિયો વગેરે યજ્ઞબલિનો પ્રસાદ શ્રદ્ધાપૂર્વક ખાશે. ગૃહસ્થાશ્રમી શ્રોત્રિય બ્રાહ્મણો માટે દૂધ, ખીર, ખીચડી, માંસ, વડાં, સૂપ વગેરે ખાનપાન બનશે. સાથે સાથે ભુંજાયેલા માંસ સાથે, સોનાનાં, ચાંદીનાં અને રત્નોનાં પાત્રોમાં મદ્યપાન કરશે. પછી નાચશે કે કૂદશે!
યજ્ઞની આ વાત, મંત્રણાગૃહની બહાર દ્વાર પાસે ઊભેલી રાણી રૂપસુંદરી સાંભળી રહી હતી. તેણે મંત્રણાગૃહમાં પ્રવેશ કર્યો કે મહામંત્રી વિષ્ણુધર ઊભા થઈ ગયા. મહારાણીને બેસવા માટે સુખાસન આપ્યું. ત્રણેય કાપાલિકો રૂપસુંદરીને જોઈ રહ્યા.
આ મહારાણી રૂપસુંદરી છે.' મહામંત્રીએ કાપાલિકોને પરિચય આપ્યો. અખંડ કાપાલિકે પૂછ્યું : “મહારાણી સૌભાગ્યસુંદરી નથી પધાર્યા?”
આવી રહ્યાં છે. મહામાત્ય સોમદેવ પણ આવી રહ્યા છે.' “મહારાજા પર આસુરી શક્તિનો પ્રભાવ છે, તેથી તેઓ અર્ધવિક્ષિપ્ત બન્યા છે. તેમને સારા કરવા માટે યજ્ઞ કરવાની વાત આ ત્રણ સિદ્ધપુરુષો કરી રહ્યા છે.'
“આ રાજમહેલમાં હિંસક યજ્ઞ નહીં થઈ શકે.' મહારાણી રૂપસુંદરીએ ગંભીરતાથી કહ્યું.
તો પછી?' વિષ્ણુધર બોલ્યા.
૪૦
મયણા
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘જેમાં જીવહિંસા ન થવાની હોય તેવો ઉપાય શોધવો જોઈએ.”
ત્યાં સૌભાગ્યસુંદરીએ મંત્રણાગૃહમાં પ્રવેશ કર્યો. મહામંત્રીએ રૂપસુંદરીની પાસે જ સુખાસન આપ્યું. સૌભાગ્યસુંદરીએ ગૃહમાં પ્રવેશતાં જ રૂપસુંદરીની વાત સાંભળી હતી. તેણે કહ્યું :
‘ઉપચાર કોઈ પણ હોય, હિંસક કે અહિંસક, મહારાજાને સારું થઈ જવું જોઈએ.”
‘પણ તે માટે સર્વપ્રથમ અહિંસક ઉપચારો કરવા જોઈએ. તે અંગે રાજવૈદ્ય મોહનગિરિની સલાહ લઈએ. બીજા પણ નજીકના રાજ્યોના કુશળ વૈદ્યોને બોલાવીને ઉપચારો કરીએ, જો એથી સારું થઈ જાય.'
પણ આ શારીરિક રોગ નથી, મહારાણી!' અખંડ કાપાલિક બોલ્યો : આ દેવી ઉપદ્રવ છે. માટે વૈદ્યો આનો ઉપચાર ન કરી શકે...'
તો પછી એવા માંત્રિકોને બોલાવી લાવીએ કે જેઓ મંત્રશક્તિથી દેવી ઉપદ્રવ દૂર કરી શકે. તેમાં કોઈ જીવની હિંસા ન થાય!'
‘પરંતુ મહાદેવી, યજ્ઞો તો સર્વત્ર થાય છે. મગધમાં થાય છે, શ્રાવસ્તિમાં થાય છે, ચંપામાં થાય છે... અંગદેશમાં થાય છે... ઘણા બધા રાજામહારાજાઓ મોટા મોટા યજ્ઞ કરે છે... મોટા શ્રેષ્ઠીઓ... બ્રાહ્મણો કરે
‘ભલે કરતા હોય, પણ તે ક્યારેય ઉપાદેય નથી. જીવહિંસા પાપ જ છે. ધર્મના નામે જીવહિંસા કરવી નરી અજ્ઞાનતા છે.'
પરંતુ બ્રાહ્મણગ્રંથોમાં અને તે પછી શ્રૌતસૂત્રોમાં યજ્ઞસબંધી બલિદાનોની વિસ્તારપૂર્વક વ્યાખ્યા છે... શતપથ અને તૈત્તિરીય બ્રાહ્મણોમાં પણ સોમવાદમાં અજ (બકરો), ગાય, અશ્વ આદિ પશુઓનો વધ કરી એમના માંસનું યજન કરવાનું વિધાન છે! અરે, બૃહદારણ્યક ઉપનિષદમાં લખ્યું છે કે, “કોઈ ઇચ્છે કે મારો પુત્ર વિદ્વાન, વિજયી અને બધા વેદોનો જ્ઞાતા થાય”, તો તેણે બળદના માંસમાં ચોખા-પુલાવ-ઘી નાંખીને ખાવું જોઈએ. અખંડ કાપાલિકે બ્રાહ્મણગ્રંથોનો હવાલો આપ્યો.
મહારાણી સૌભાગ્યસુંદરીનો રથ શૈવમઠમાં પ્રવેશ્યો. મઠના તાપસકુમારો તથા તાપસકુમારિકાઓએ રાણીનું સ્વાગત કર્યું. રાણી રથમાંથી ઊતરીને સીધી જ સ્વામી અઘોરાનંદજીની વિશાળ કુટિરમાં ચાલી ગઈ. મહારાણીએ સ્વામીને પ્રણામ કર્યા.
માણા
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામીએ મહારાણીને આશીર્વાદ આપ્યા : ‘ભદ્ર! તારા આગમનનું પ્રયોજન મને જાણવા મળ્યું છે. મહારાજાને દૈવી ઉપદ્રવથી અર્ધવિક્ષિપ્તતા પ્રાપ્ત થઈ છે અને એ માટે રાજમહેલમાં હિંસક યજ્ઞ ન થાય, એ વાત મને પણ જચી છે...'
ભલે, તો પછી મંત્રશક્તિથી કે બીજા કોઈ ઉપાયથી મહારાજાને સારું થઈ જાય, તેમ કરવું જોઈએ ને?'
હા ભગવતી, એ ઉપાય કરી શકાય. હું પ્રયત્ન કરી જોઉં!” પ્રયત્ન? એટલે સારું ન પણ થાય?'
આ બધી વાતો દેવી છે. દેવી શક્તિઓ સમાન નથી હોતી. જે દેવીએ આ ઉપદ્રવ કર્યો છે, તેની શક્તિ બીજી દેવીની શક્તિથી ઓછી હોય તો ઉપદ્રવ શાંત થઈ શકે.'
પ્રભો! આપ તો સર્વશક્તિસંપન્ન છો...”
દેવી, સર્વશક્તિસંપન્ન તો એક માત્ર ઈશ્વર છે. બીજા બધા તો અપૂર્ણ જ છે. છતાં હું પ્રયત્ન કરું છું.'
સૌભાગ્યસુંદરીને સંતોષ ન થયો. તે ઊભી થઈ. સ્વામીને પ્રણામ કરી તે કુટિરમાંથી બહાર નીકળી. ત્યાં એક મુનિ કુમારે પાસે આવીને કહ્યું : “ભગવતી, આપને અખંડ કાપાલિક યાદ કરે છે.'
સૌભાગ્યસુંદરી મુનિકુમાર સાથે અખંડ કાપાલિક પાસે પહોંચી. રાણીએ પ્રણામ કરીને પૂછ્યું :
દેવ! મને કેમ યાદ કરી?”
જો તમારી ઇચ્છા હોય તો મહારાજાને નિરામય કરવા માટે અમે અહીં આ આશ્રમમાં યજ્ઞ કરીએ! યજ્ઞમાં આવશ્યક સામગ્રીની વ્યવસ્થા મહામંત્રી વિષ્ણુધર કરી શકશે. મહેલમાં કોઈને ખબર નહીં પડે...”
ભંતે, મહેલમાં તો ખબર નહીં પડે, પણ અહીં આશ્રમમાં સ્વામી ગુરુદેવને તો ખબર પડશે ને? તેઓ યજ્ઞ ન થાય, એમ ઇચ્છે છે.”
રાણીની વાત સાંભળીને અખંડ કાપાલિકના મુખ પર નિરાશાનું વાદળ છવાઈ ગયું.
અંતે, આપ ચિંતા ન કરો. સ્વામી એમની રીતે મંત્રપ્રયોગથી મહારાજાને કષ્ટમુક્ત કરશે, એવી મને શ્રદ્ધા છે.' રાણી રથમાં બેસી રાજમહેલમાં આવી ગઈ. રાજમહેલમાં મહારાજા
૪૨
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રજાપાલ અર્ધવિક્ષિપ્ત અવસ્થામાં બૂમાબૂમ કરતા હતા. હાથમાંથી તલવાર છોડતા ન હતા, શરીર પ૨ એકેય વસ્ત્ર રાખતા ન હતા. એમના ખંડનાં દ્વાર બંધ રાખવામાં આવ્યાં હતાં. બહાર મહામાત્ય સોમદેવ ચિંતાગ્રસ્ત ચહેરે બેઠા હતા.
મહારાણી સૌભાગ્યસુંદરીએ આવીને મહામાત્યને શૈવમઠમાં થયેલી વાત કહી સંભળાવી.
મહાદેવી, આપણને પરિણામ ક્યારે જોવા મળશે? કેટલો સમય રાહ જોવાની? મહારાજાને જેમ બને તેમ જલદી સારું થવું જોઈએ...'
આજ રાત સુધી રાહ જોઈએ...' રાણીએ કહ્યું. ભલે.. રાત સુધીમાં સારું થઈ જાય તો ચિંતા ટળે...' રાણી રૂપસુંદરીને પણ આ સમાચાર મળ્યા. તેણે મને કહ્યું : “મયણા! આજની રાત સુધી રાહ જોવાની છે. જોકે મારું મન તો કહે છે કે આ કામ શૈવમઠમાં થવાનું નથી. આ કામ ગુરુદેવશ્રી મુનિચન્દ્ર જ કરી શકશે. તેઓ જ્ઞાની તો છે જ; મહાન માંત્રિક છે, મહાન તાંત્રિક છે. એમની પાસે ઘણી સિદ્ધિઓ છે. પણ તેઓ સાચે જ નિઃસ્પૃહ છે. નિર્લેપ છે એટલે સિદ્ધિઓના પ્રયોગ નથી કરતા. છતાં જિનશાસનની પ્રભાવના માટે જે કંઈ કરવું પડે, તે તેઓ કરે જ એવી મારી શ્રદ્ધા છે.”
મયણ
૪૩
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ሪ
રાત વીતી ગઈ.
મહારાજાની સ્થિતિ વધુ બગડી ગઈ.
મહામાત્ય સોમદેવે રાણી રૂપસુંદરીને કહ્યું :
‘મહાદેવી! હવે ગુરુદેવ મુનિચન્દ્રસૂરિજીને વિનંતી કરીને, આ ઉપદ્રવ દૂર
કરવાનો ઉપાય કરવો જોઈએ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ચાલો, આપણે ગુરુદેવ પાસે જઈએ.'
શૈવમઠના માંત્રિકો, તાંત્રિકો, કાપાલિકો મહારાજાના દૈવી ઉપદ્રવને શાંત નહોતા કરી શક્યા. મહારાણી સૌભાગ્યસુંદરી નિરાશ થઈ ગયાં હતાં. તેમની શ્રદ્ધા હચમચી ઊઠી હતી.
મારી માતા મહામાત્ય સાથે સુવ્રત-ઉદ્યાનમાં પહોંચી. ભગવાન ઋષભદેવના પ્રાસાદમાં જઈ પ્રભુવંદના-સ્તવના કરી ગુરુદેવની પાસે ગયાં. ગુરુદેવને વિધિવત્ વંદના કરી રાણી અને મહામાત્ય યોગ્ય સ્થાને બેઠાં, ‘ગુરુદેવ! આપે જાણ્યું તો છે જ કે મહારાજા દૈવી ઉપદ્રવથી અર્ધવિક્ષિપ્ત દશામાં રિબાઈ રહ્યા છે. એ ઉપદ્રવ આપ જ દૂર કરી શકો એમ છો. આપ કોઈ ઉપાય’
**
‘મહામાત્ય! મહારાજા માલવદેશના પ્રજાપ્રિય સમ્રાટ છે. તેઓ દેશના ને પ્રજાના, સમાજના ને ધર્મના આધાર છે. તમે ચિંતા ના કરો.'
'ગુરુદેવ, વૈદ્યોએ ઉત્તમ ઔષધોથી ઉપચાર કર્યા, પણ સારું ન થયું.' ♦ માંત્રિકોએ મંત્રપ્રયોગો કર્યા, પણ સારું ન થયું. * ગોત્રદેવીની વૃદ્ધ સ્ત્રીઓએ બાધાઓ કરી છે...
* સ્નેહીજનોએ તીર્થયાત્રાની બાધાઓ કરી છે...
બ્રાહ્મણોએ ડાકણ-શાકણોને બલિ-બાકળા આપ્યા છે... છતાં મહારાજાને સારું નથી થયું...
મહારાણી રૂપસુંદરીનો દૃઢ વિશ્વાસ છે કે ગુરુદેવ મુનિચન્દ્રસૂરિ જ આ પ્રબળ દૈવી ઉપદ્રવને શાંત કરી શકશે.
For Private And Personal Use Only
મણા
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવના મુખ પર સ્મિત ફરકી ગયું. ‘મહામાત્ય! તમે જઈ શકો છો. અમે રાજમહેલે આવીએ છીએ!”
આચાર્યશ્રી મુનિચન્દ્ર, મુનિ સિદ્ધેશ્વરની સાથે રાજમહેલમાં પધાર્યા. રાજપરિવાર અને મંત્રીગણે તેમનું સ્વાગત કર્યું.
આચાર્ય, સિદ્ધેશ્વરની સાથે સીધા જ મહારાજાના ખંડમાં ગયા. ખંડ અંદરથી બંધ કર્યો. મહારાજા બેભાન થઈને પડેલા હતા. આચાર્ય પોતાના જેત આસન પર ધ્યાનસ્થ થયા. તેમણે યોગબળથી જાણી લીધું કે આ દેવી ઉપદ્રવ છે. ધ્યાનપૂર્ણ કરીને તેમણે સિદ્ધેશ્વરને કહ્યું કે
આ બધો ઉપદ્રવ વ્યંતરદેવનો છે. રાજાએ દેવીને પશુબલિ આપ્યો નથી, તેથી દેવી રોષે ભરાઈ છે. દેવી મિશ્રાદષ્ટિ છે.'
મુનિ સિદ્ધેશ્વર મંત્રવિદ્યામાં પારંગત હતા. તેઓ ગુરુદેવની વાત સમજી ગયા. ખંડનો દરવાજો ખોલીને મહામાત્ય સોમદેવને અંદર બોલાવીને કહ્યું : “આજે અમે મહલના જ એક એકાંત ખંડમાં રોકાઈશું. મધ્યરાત્રિના સમયે ફળ, પુષ્પ, નૈવેદ્ય આદિ બલિ આપીને કોઈ વીર-નિર્ભીક પુરુષને અમારી પાસે મોકલજો.'
નગરની કુળદેવીનું મંદિર રાજમહેલથી થોડે દૂર ક્ષિપ્રા નદીના તટ પર આવેલું હતું. મધ્યરાત્રિએ ત્યાં જવાનું હતું.
સૂચના મુજબ રાત્રે બલિનો થાળ લઈને એક પડછંદ પુરુષ આચાર્ય પાસે આવી ગયો. સિદ્ધેશ્વરે આવનાર માણસ કે જેનું નામ જયરાજ હતું. તેને કહ્યું: “આપણે અહીંથી સીધા તપતીદેવીના મંદિર તરફ જવાનું છે. મારી સાથે જ ચાલજે. જરાય ગભરાયા વિના ચાલજે.'
મહારાજ! તમે કહેશો તો કાળિયા ભૂત સાથે મેં લડીશ. હું રાક્ષસથી ય ડરતો નથી!” જયરાજે પોતાની વાંકડિયા મૂછો પર હાથ ફેરવ્યો.
સિદ્ધેશ્વરના મુખ પર સ્મિત રમી ગયું. રાજમહેલના કિલ્લાના દરવાજે પહોંચ્યા. ત્યાં મહામાન્ય સોમદેવ પોતે હાજર હતા. તેઓ ગુરુદેવના પગમાં પડયા. ચોકીદારે દરવાજાની બારી ખોલી નાંખી.
બારી વાટે ગુરુદેવ, સિદ્ધેશ્વર અને જયરાજ બહાર નીકળી ગયા. બારી બંધ થઈ ગઈ. બહાર નીકળતાં જ સિદ્ધેશ્વરે એક ભયાનક દૃશ્ય જોયું.
મયણ
૪૫
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચકલાઓનું ટોળું અને અતિ કર્કશ અવાજ! ગુરુદેવ આદિ ત્રણેયને એ ટોળાએ ઘેરી લીધા. તુર્ત જ સિદ્ધેશ્વર મુનિએ જયરાજને કહ્યું : ‘બલિ-બાકળા ઉછાળ!' જયરાજે બે મુઠ્ઠી ભરીને બાકળા ઉછાળ્યા. ચકલાઓનું ટોળું અદૃશ્ય થઈ ગયું.
આગળ ચાલ્યા. થોડુંક ચાલ્યા અને હૂકું હૂક્... કરતા પીળા મોઢાવાળા વાંદરાઓનું ટોળું સામે મળ્યું. વાંદારાઓ ઘેરી વળે એ પહેલાં જ સિદ્ધેશ્વરે જયરાજને કહ્યું : ‘જયરાજ! મારા હાથમાં ચોખા આપ.' જયરાજે ચોખા આપ્યા. સિદ્ધેશ્વરે એ ચોખા અભિમંત્રિત કરીને વાંદરાઓ ઉપર ફેંક્યા. વાંદરાઓ અદૃશ્ય થઈ ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે તેઓ તપતીદેવીના મંદિર તરફ ઝડપથી ચાલ્યા. મંદિર થોડુંક જ દૂર હતું, ત્યાં મોટા યમરાજ જેવા બિલાડાઓનું જંગી ટોળું સામે આવતું જોયું. સિદ્ધેશ્વરે જયરાજને કહ્યું : ‘જયરાજ, લાલ રંગનાં ફૂલો આ બિલાડાઓ સામે ફેંક્!' જયરાજે ફેંક્યાં ને બિલાડાઓ જાણે હવામાં ઓગળી ગયા!
ત્રણેય જણા દેવીના મંદિરની સામે આવીને ઊભા. આચાર્યદેવે મંદિરના તોરણ આગળ ઊભા રહી ‘સૂરિમંત્ર'નું ધ્યાન કર્યું.
સિદ્ધેશ્વર મુનિ બોલ્યા : ‘હૈ તપતીદેવી! મોટામોટા અસુરો જેમના પગની રજ પોતાના માથે ચઢાવે છે તે આ મુનિચન્દ્રસૂરિનો આદરસત્કાર કર. તારા મહાન પુણ્યનો ઉદય છે કે આવા લોકોત્તર પુરુષ તારા અતિથિ બન્યા છે!'
ત્યાં અદૃશ્ય રહેલી વ્યંતરદેવીનું અટ્ટહાસ્ય સંભળાયું. ધરતી ધ્રૂજી ઊઠી. મંદિર ધણધણી ઊઠ્યું. પરંતુ ગુરુ-શિષ્યનું એક રુંવાડુંય ના ફરક્યું. જયરાજ પણ અડીખમ ઊભો હતો.
૪૬
દેવી પ્રગટ થઈ. રૌદ્ર-ભયંકર રૂપ કર્યું. લાંબી લાંબી જીભ કાઢી આચાર્યની સમક્ષ ચાળા પાડવા લાગી. આચાર્યદેવ તો ધ્યાનમાં લીન હતા પણ સિદ્ધેશ્વરે ત્રાડ પાડીને કહ્યું : ‘રે દુષ્ટ દેવી! તું મારા ગુરુદેવનું અપમાન કરે છે? મારી શક્તિની શું તને ખબર નથી? હું તને શાંતિથી સમજાવું છું એટલે તું આ બધા ચાળા કરે છે? શું તું
અમને ડરાવે છે? તો હવે જોઈ લે મારો ચમત્કાર!'
સિદ્ધેશ્વર મુનિએ બે પગ પહોળા કર્યા. બે હાથ કમર પર ટેકવ્યા.
For Private And Personal Use Only
શમણા
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને મોટેથી હૂ... ... હું... કરતો હુંકાર કર્યો. આખું મંદિર ધ્રુજવા લાગ્યું. બીજા હુંકાર કર્યો અને મંદિરની બધી દેવીઓ ખંભિત થઈ ગઈ. જાણે ચિત્રમાં ચીતરેલી ન હોય!
મુનિએ ત્રીજો હુંકાર કર્યો. હુંકાર થતાંની સાથે જ તપતીદેવી ભયભીત થઈને ઊછળી! ઊછળીને સીધી આચાર્યને પગમાં પડી. થરથર ધ્રુજતી દેવી બે હાથ જોડી આજીજી કરવા લાગી : “હું આપનાં ચરણોની દાસી છું. આપ કહો તે કરવા તૈયાર છું.”
સિદ્ધેશ્વર મુનિએ કહ્યું : “મહારાજા પ્રજાપાલને તેં સંમોહિત કર્યા છે. અર્ધવિક્ષિપ્ત કર્યા છે, તેમને મુક્ત કર અને સૂરિદેવની સેવા કર.”
દેવી બોલી : “મુનિરાજ, રાજાના શરીરના ભીતરથી ટુકડા કરવામાં આવ્યા છે, હવે છોડવાનું શું પ્રયોજન છે? તેઓ જીવી નહીં શકે.”
મુનિરાજે કહ્યું : “દેવી, આ તારી ચાલબાજી છે. તારી ચાલબાજી હું જાણું છું. તું જ્યાં સુધી મહારાજાને તારા સકંજામાંથી નહીં છોડે ત્યાં સુધી હું તને નહીં છોડું.' દેવી ગભરાઈ ગઈ. એને લાગ્યું કે લોખંડની સાંકળથી બંધાઈ ગઈ છે અને તેને કોઈ કરવતથી કાપતું હોય, એવી ઘોર પીડા થવા લાગી. તે ચીસ પાડવા લાગી.
ત્યાં સિદ્ધેશ્વરે સિંહનાદ કર્યો, ધરતી ધ્રુજી ઊઠી. આખું નગર જાગી ગયું. “શું થયું? શું થયું?' બોલતાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા, સહુ ગભરાઈ ગયાં.
મહારાજાને વળગેલી તપતીચંતરીની ડાકણો-શાકણો પણ ડરી ગઈ. તે બધી દોડીને તપતીદેવીની પાસે આવી. ત્યાં આવતાં જ સિદ્ધેશ્વરે તે બધી ડાકણ-શાકણોને મંત્રશક્તિથી બાંધી દીધી. ત્યાંથી જરાય ખસી ના શકે એ રીતે જમીન સાથે ચોંટાડી દીધી. સિદ્ધેશ્વરે કહ્યું :
‘રે દુષ્ટાઓ! મહારાજાને સતાવવાનું બંધ કરી, નહિતર હું તમને છોડીશ નહીં.”
ડાકણોના શરીરમાં એકસાથે હજાર-હજાર ભાલા ભોંકાતા હોય, તેવી ઘોર વેદના થવા લાગી. તેમની આંખો ભયથી વ્યાકુળ થઈ ગઈ. સિદ્ધેશ્વરના ભયથી થરથર કંપવા લાગી. સિદ્ધેશ્વરે ગર્જના કરતાં પૂછ્યું : “બોલો ડાકણો! શું વિચાર છે
મયણા
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારો? મહારાજાને મુક્ત કરવા છે કે નહીં?”
રોતી-કકળતી ડાકણોએ કહ્યું : “હે મુનિરાજ! અમને ક્ષમા કરો. અમે તમારા ભક્ત રાજાને છોડી દઈએ છીએ. પરંતુ પહેલાં અમને મુક્ત કરો.'
ના રે ના, તમે મને છેતરી ના શકો. તમારા જેવી ડાકણો પર હું વિશ્વાસ ન કરે. પહેલાં મહારાજાને મુક્ત કરો. તમને આટલું દુઃખ થાય છે તો મહારાજાને કેટલું દુઃખ થતું હશે? હજુ માની જાઓ. નહિતર નરકની વેદના અહીં જ સહેવી પડશે. જમીન પર માથાં પછાડી-પછાડીને મરી જશો!'
મુનિવર! અમારી વેદનાનો પાર નથી. અમે મહારાજાને મુક્ત કરીએ છીએ. હવે અમે પશુનું બલિદાન નહીં માંગીએ. આ આચાર્યદેવનું શરણ લઈએ છીએ. કૃપા કરી અમને મુક્ત કરો.'
અરે ડાકણો! તમારે આવા પરોપકારી પુરુષનું રક્ષણ કરવું જોઈએ કે ભક્ષણ? તમે જૈન ધર્મના દયાધર્મને માન. ગુરુદેવની સેવા કરો. જાઓ, તમે મુક્ત છો!'
બધી દેવીઓ આચાર્યદેવના પગે પડી. તપતીદેવીએ પણ આચાર્યના પગે પડી જૈન ધર્મ સ્વીકાર્યો. બધી દેવીઓ પોતપોતાના સ્થાને ચાલી
ગઈ.
ત્યાં રાજમહેલમાંથી સમાચાર આવી ગયા. મહામાત્ય સોમદેવ સ્વયં આવ્યા અને કહ્યું : “ગુરુદેવ! મહારાજા સ્વસ્થ બન્યા છે. તેમની વિક્ષિપ્તતા દૂર થઈ છે. તેમની વેદના શાંત થઈ ગઈ છે.'
સિદ્ધેશ્વર મુનિએ જયરાજને કહ્યું : “જયરાજ! હવે બધાં ફળ અને નેવંઘ તપતીદેવીને ધરાવી દે.'
જયદેવ દેવીની આગળ થાળ મૂકી દીધો. ગુરુદેવે કહ્યું : “આપણે અહીંથી સીધા સુવ્રત-ઉદ્યાનમાં જવાનું છે.' ત્રણેય ઉદ્યાનમાં પાછા આવ્યા. જયરાજે સિદ્ધેશ્વર મુનિને કહ્યું : ગુરુદેવ! મને તમારો શિષ્ય બનાવી ને આવી મંત્ર-વિદ્યાઓ મને આપો.. હું પણ આવાં પરોપકારનાં કામ કરી શકું! ગુરુદેવે તેને આશીર્વાદ આપ્યા, તે પોતાના ઘેર ગયો.
૪૮
માણ
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બીજા દિવસે સવારે રાજમહેલના વિશાળ પ્રાંગણમાં વાજિંત્રો વાગવા માંડ્યાં હતાં. રાજપુરુષો અને નગરશ્રેષ્ઠીઓ રાજમહેલમાં આવી રહ્યા હતા. રથ, પાલખી અને અશ્વો શણગારાઈ રહ્યાં હતાં. યુવાન કન્યાઓ સુંદર વસ્ત્રો પહેરી ગીત ગાઇ રહી હતી. સર્વત્ર હર્ષ હિલોળે ચઢ્યાં હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગરમાં જાહેર થયું હતું કે મહારાજાનો દૈવી ઉપદ્રવ દૂર થયો છે. જૈનાચાર્ય મુનિચન્દ્રસૂરિના પરમ પ્રભાવથી, તેઓની અપૂર્વ મંત્રશક્તિથી મહારાજા ઉપદ્રવ-મુક્ત થયા છે.
સમગ્ર રાજપરિવાર સાથે, શ્રેષ્ઠીગણ સાથે અને સામંત રાજાઓ સાથે, હાથી, ૨થ, ઘોડા અને પાલખી સાથે મહારાજા ભગવાન ઋષભદેવ-પ્રસાદમાં અને પછી ગુરુદેવ આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિનાં દર્શન માટે પધારી રહ્યા હતા. ઉજ્જયિનીના રાજમાર્ગો પર સુગંધી જલનો છંટકાવ થઈ રહ્યો હતો. ઠેર ઠેર સુંદર તોરણો બંધાઈ રહ્યાં હતાં. લોકોના મુખે જૈન ધર્મની પ્રશંસા થઈ રહી હતી. આચાર્ય મુનિચન્દ્રસૂરિનાં ગુણગાન ગવાઈ રહ્યાં હતાં.
બીજી બાજુ શૈવમઠમાં સન્નાટો છવાઈ ગયો હતો. મઠમાં ઉદાસીનતા ઘેરાઈ આવી હતી. શૈવધર્મીઓનાં મોઢાં કાળાં પડી ગયાં હતાં. જાણે કે તેમનાથી જૈન ધર્મનાં ઉત્કર્ષ સહન નહોતો થતો. તેથી તેઓ મૌન હતા. વાતાવરણ અને રાજમહેલ જૈન ધર્મથી પ્રભાવિત હતાં. મહારાણી સૌભાગ્યસુંદરી પણ મહારાજાની સાથે રથમાં બેસી ગયાં હતાં. સુરસુંદરી મારી સાથે રથમાં બેઠી હતી. આજે પહેલી જ વાર એ રાણી અને રાજકુમારી ઋષભપ્રાસાદમાં આવી રહી હતી. પહેલી જવાર ગુરુદેવ મુનિચન્દ્રસૂરિનાં દર્શને આવી રહી હતી.
શોભાયાત્રા ઉજ્જયિનીના રાજમાર્ગો પર થઈને ઋષભપ્રાસાદે પહોંચી. મહારાજા વગેરે સમગ્ર રાજપરિવાર પ્રાસાદમાં પ્રવેશ્યો. પંડિત સુબુદ્ધિ મહારાજાની પાસે આવી.નં ઊભા. તેમણે પરમાત્માની સ્તુતિપ્રાર્થના કરી-કરાવી. ફળ, પુષ્પ, નૈવેદ્ય, ધૃપ વગેરે મહારાજા પાસે સમર્પણ કરાવીને પછી પાંચ દીપ પ્રગટાવી આરતી કરાવી.
ચણા
મારા હૃદયમાં આનંદનો ઉદધિ ઘૂઘવતાં હતાં. મારા પગમાં ઝણઝણાટી વ્યાપી ગઈ હતી. નૃત્ય કરવા મન થનગની ઊઠ્યું હતું.
For Private And Personal Use Only
F
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ મંદિરમાં નૃત્ય કરવાની જગા જ ન હતી! સમગ્ર મંદિર અને બહારનો પરિસર લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો.
આરતી પૂર્ણ થઈ. મહારાજા મંદિરની બહાર આવ્યા અને જ્યાં આચાર્યદવ મુનિચન્દ્રસૂરિ બિરાજમાન હતા ત્યાં ગયા. પ્રજાએ ગુરુદેવનો જયજયકાર કર્યો. મહારાજાએ ગુરુદેવનાં ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. ગુરુદેવે માથે હાથ મૂકીને “ધર્મલાભના આશીર્વાદ આપ્યા.
બંને રાણીઓ, અમે બે રાજકુમારીઓ, મહામાય, મંત્રીમંડળ, નગર-શ્રેષ્ઠીઓ, સામંત રાજાઓ અને હજારો પ્રજાજનો સુવ્રત-ઉદ્યાનમાં બેસી ગયાં. ગુરુદેવે એક ઘટિકાપર્યત ધર્મોપદેશ આપ્યો. સભાનું વિસર્જન થયું. રાજપરિવાર બેસી રહ્યો. મહારાજાએ ગદ્ગદ્ સ્વરે કહ્યું :
ગુરુદેવ! આપનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. આપે મારા પર ને મારા પરિવાર પર પરમ કૃપા કરી!”
રાજનું! તમે તો પ્રજાના આધાર છો! ધર્મના પણ આધાર છો. સાધુ-સંતોના આપ ભક્ત છે. આપની રક્ષા કરવી એ અમારું કર્તવ્ય છે.”
ગુરુદેવ, મારા યોગ્ય કાર્યસેવાની આજ્ઞા પ્રદાન કરો.” રાજેશ્વર! તમારા રાજ્યમાં પ્રજા આનંદથી જીવે છે. દરેક ધર્માવલંબી નિર્વિઘ્નપણે પોત-પોતાના ધર્મનું પાલન કરે છે... કહો, આનાથી વિશેષ શું જોઈએ?” તે છતાં કોઈ વિશિષ્ટ કર્તવ્ય જ્ઞાતવ્ય હોય..” એક કામ કરવું જોઈએ.” આજ્ઞા કરો, ભંતે!” ‘હિંસક યજ્ઞો બંધ કરાવવા જોઈએ.” મહારાજાએ મહામાત્ય સામે જોયું. મહામાત્યે ઊભા થઈ કહ્યું : ભગવંત! માલવદેશમાં જાહેરમાં કોઈ હિંસક યજ્ઞ નહીં થાય, એની હું ખાતરી આપું છું.”
બહુ સંતોષ થયો, ભદ્ર! જીવોને અભયદાન આપવાથી પ્રજાનું પુણ્ય વધશે.”
મહારાજા ઊભા થયા. ગુરુદેવને વંદન કરી સહુ મહેલ તરફ રવાના થયાં. હું ત્યાં જ એક તરફ ઊભી રહી ગઈ. મારી માતાને
પ૦
અચણા
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં ઇશારાથી - સંકતથી સમજાવી દીધું કે હું મોડી આવીશ. મારે ગુરુદેવ સાથે થોડી વાતો કરવી હતી અને સહુના ગયા પછી હું મારી સખી લલિતાંની સાથે ગુરુદેવ પાસે ગઈ. એ દિવસે મારે બત્રીશે કોઠે દીવા પ્રગટી ગયા હતા. મારી પાંપણે હર્ષનાં તોરણો બંધાઈ ગયાં હતાં.
મેં ગુરુદેવને શૈવમઠમાં થયેલી વાતોથી જ્ઞાત કર્યા. ઈર્ષ્યાથી પ્રેરિત થઈ કાપાલિકો કોઈ ઉપદ્રવ ન કરી જાય, તે માટે સાવધાન કર્યા. ગુરુદેવે કહ્યું:
સુભગે! તું જરા ય ચિંતા ના કરીશ. એ બધા કાપાલિકોને ઘોળીને પી જાય એવો મારો સિદ્ધેશ્વર મુનિ છે! વળી ભગવાન ઋષભદેવની પરમ કૃપા છે... અમે નિર્ભય છીએ.' હું સંતુષ્ટ થઈ. સખી સાથે ત્યાંથી નીકળી મહેલે પહોંચી.
મય
પ૧
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી સાસુ રાણી કમલપ્રભા રસપૂર્વક મારી વાતો સાંભળી રહ્યાં હતાં. મારા પતિ શ્રીપાલ પણ મુગ્ધભાવે આશ્ચર્યચકિત નેત્ર મારી વાતોમાં તન્મય થઈ જતા હતા. મેં કહ્યું :
એક દિવસ ક્ષિપ્રાના તટ પર એક લીસી ચટ્ટાન પર જઈને હું મારી સખી લલિતા સાથે બેઠી હતી. દૂર દૂર ટેકરીઓની પાછળ કોઈ નવયૌવનાના ભાલપ્રદેશમાં રહેલા કુમકુમ તિલક સમો સૂર્ય અદશ્ય થતો જતો હતો. નગરના વનપ્રદેશ પર ગ્રીષ્મની સાંજનો વાયુ વ્યાકુળ બની, આમ્રવૃક્ષોમાં થઈને વાતો હતો. નદીના તીર પર ધેનુ ચારતા ગોવાળિયાઓએ હવે બંસીઓ બંધ કરી હતી. ગોધણ નગર તરફ ધસતું હતું.
મારું મન મારા અતીતમાં ભમી રહ્યું હતું. મારો જન્મ રાજમહેલમાં.. રાજરાણીની કૂખે થયો... કેમ રાજરાણીની કુખે થયો? કેમ હું જન્મથી જ રાજકુમારી કહેવાઈ? મારો જન્મોત્સવ થયો હતો. મને માતાના... પછી પિતાના... પછી સ્વજન-પરિજનોના પ્યાર-દુલાર મળ્યા હતા. સુંદર ને સુગઠિત શરીર! પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયો! અપ્સરા જેવું રૂપ અને મોરલીના સૂર જેવો સ્વર! શ્રેષ્ઠ વસ્ત્રો અને અતિ મૂલ્યવાન અલંકારો! મણિ-રત્નોથી જડાયેલું પારણું અને ઘૂઘરીઓથી ગૂંથેલી રેશમદોરી! ઝુલાવનારી મારી માતા માલવપતિની રાજમહિષી! આ બધાં સુખનાં સાધન મળ્યાં હતાં.
કેટલું બધું સુખ? બધું જ સુખ! મને એકેય દુઃખ યાદ આવતું નથી. આજે આટલી મોટી થઈ છું, પણ ક્યારેય હું વ્યાધિગ્રસ્ત બની નથી. ક્યારેય અપમાનિત નથી થઈ.. ક્યારેય કોઈએ મારી આજ્ઞા અવગણી નથી. મારી બધી જ ઇચ્છાઓ પૂરી થઈ છે ને થઈ રહી છે! ક્યારેક હું સુખનો ઉન્માદ અનુભવું છું! ક્યારેક મને વિચાર આવે છે કે આ દુનિયામાં મારા જેવી સુખી બીજી કોઈ સ્ત્રી હશે ખરી?
પ૨
મયાણા
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ... આ બધાં સુખો મને મારા આચરેલા ધર્મના પ્રભાવે જ મળ્યાં છે! પૂર્વેના જન્મમાં... ભવોમાં ધર્મપુરુષાર્થ કર્યો હશે.. એ કર્મપુરુષાર્થથી પુણ્યકર્મો બંધાયાં હશે, એ પુણ્યકર્મો આ ભવમાં ફળી રહ્યાં હશે ને! પુણ્યથી જ સુખ મળે – એ સિદ્ધાંત સાચી છે ને હું માનું છું. દરેક ધર્મો માને છે. પુણ્યકર્મ બંધાય છે ધર્મથી જ! મનથી, વચનથી અને કાયાથી કરેલા ધર્મ પુણ્યકર્મોનો સંચય કરાવે છે.
મેં પૂર્વજમોમાં જીવો પ્રત્યે દયા-કરુણા કરી હશે. કોઈ જીવોને હણ્યા નહીં હોય, દુભવ્યા નહીં હોય, દુ:ખી નહીં કર્યા હોય! હું અસત્ય બોલી નહીં હોઉં... કડવાં વચન નહીં કહ્યાં હોય, સાચું અને હિતકારી બોલી હોઈશ. ચોરી નહીં કરી હોય.. દુરાચાર નહીં સેવ્યા હોય... સુપાત્રદાન દીધું હશે, અનુકંપા કરી હશે... શીલ ધર્મનું પાલન કર્યું હશે. નાની-મોટી તપશ્ચર્યા કરી હરો! ગુરુજનોનો વિનય કર્યો હશે. ગ્લાન-રુણ જનોની સેવા કરી હશે... માતા-પિતા અને વૃદ્ધજનોનો આદર કર્યો હશે.” પરમાત્માની ભકિત કરી હશે. તીર્થોની યાત્રાઓ કરી હશે. આવો બધો ધર્મપુરુષાર્થ જરૂર કર્યો હશે! તો જ મને જન્મથી માંડીને આજ યૌવનના ઉબરે પગ મૂકતાં સુધીમાં સુખ જ સુખ મળ્યું છે!
રૂપ, સૌંદર્ય અને લાલિત્ય મળ્યું છે!
સુસ્વર, સૌભાગ્ય અને યશ મળ્યો છે! ( શ્રેષ્ઠ ધર્મ, સાચા ગુરુ અને વિશુદ્ધ પરમાત્મતત્ત્વ મળ્યું છે! મારા વિચારોની અવિરત ધારા વહી રહી હતી અને મારી સખી બોલી ઊઠી:
મયણા, ક્યારની તું શું વિચારી રહી છે? ક્યારનાં આપણે બંને મૌન બેસી રહ્યાં છીએ! અંધારું ઊતરી આવ્યું છે. હવે ઊઠીએ અહીંથી... મહેલ તરફ જઈએ.”
હું જાણે સ્વપ્નમાંથી જાગી... લલિતા સામે જોઈ રહી... તરત જ ઊભી થઈ. લલિતાનો હાથ પકડીને કહ્યું :
ચાલ, આપણે મહેલમાં જઈએ!” અમે બંને માનપણે ચાલતી રાજમહેલમાં પહોંચી.
હું લલિતાને વિદાય કરી મારી માતાના શયનખંડમાં ચાલી ગઈ. મારી મા રાણી રૂપસુંદરી ઊંચી છે, સશક્ત છે અને સુકેશી છે! ઊગતા અરુણની
અયો
પ૩
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભા જેવું એનું મુખ છે! અષ્ટમીના ચન્દ્ર જેવું એનું ભાલ છે અને અંબજપાંખડી જેવી એની આંખડીઓ છે. ગૌરવર્ણી મારી મા, દિવસની કુમુદિનીની જેમ પોપચાં ઢાળીને ધ્યાનમગ્ન બેઠી હતી. હું એની પાસે જઈને ધબ્બ કરતી બેસી ગઈ. તેણે મારી સામે જોયું. મારા મુખ પર સ્મિત ઊભરાયું. આંખો નાચી ઊઠી ને બોલી પડી
મારી મા! તું કેટલી બધી સુંદર છે! બ્રહ્માએ તને ઘડવામાં ઘણો સમય લગાડ્યો હશે, નહીં?' એના બે ગાલ મારા બે હાથમાં દબાવ્યા. તેણે મારા હાથ છોડાવીને કહ્યું : ‘મયણા, તારા પિતા અહીં આવ્યા હતા...” આવે જ ને! તારી પાસે.” મારી વાત સાંભળ, તારી શરારત હમણાં બંધ! “પ્રકાશો, મહારાણી!”
આજે તેમણે કહ્યું કે મયણા અને સુરા, બંને પુત્રીઓ મોટી થઈ છે. યૌવનમાં પ્રવેશી છે. વળી તેમનું અધ્યયન પણ પૂરું થયું છે. એટલે રાજસભામાં તમને બંને બહેનોને બોલાવવી અને તમારા જ્ઞાનની તથા બુદ્ધિની પરીક્ષા લેવી. રાજસભામાં તમારું બંને બહેનોનું માન વધે, તમારી શોભા વધે, કીર્તિ ફેલાય... અને તમને બંનેને યોગ્ય...
વર મળી જાય! એમ જ ને?'
હા, રાજકુમારી યૌવનમાં પ્રવેશે એટલે માતા-પિતાનું એ કર્તવ્ય બને છે. સુયોગ્ય વરની પસંદગી કરવાની... એની શોધ કરવાની.'
ઠીક છે મા, આ તો સંસારનો અનાદિકાળથી ચાલ્યો આવતો ક્રમ છે... બાકી, આવી બધી વાતો તો તે તે જીવનાં કર્મોને આધારે બનતી રહેતી હોય છે. ખેર, રાજસભામાં અમારી પરીક્ષા લેવાનો ક્યો દિવસ નક્કી થયો છે?”
તમે બે બહેનો જ્યારે કહો ત્યારે, તમારે પરીક્ષા આપવાની તૈયારી કરવી પડશે ને!'
આપણે તો પ્રતિદિન તૈયાર છીએ! અત્યારે તારે પરીક્ષા લેવી હોય તો અત્યારે બેસી જઈએ! હા, સુરાને પૂછવું પડે.”
આવતી કાલે સુરાને પૂછીને દિવસ નક્કી કરી લઈએ.” ભલે મા!' હું ઊભી થઈ. મારા શયનખંડમાં ગઈ.
પ૪.
માણા
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે મારી માતાએ મને ઍક નવો વિચાર આપ્યો હતો. મેં ક્યારેય વર અંગે વિચારેલું ન હતું. મને આશ્ચર્ય થયું હતું, ઘણું આશ્ચર્ય થયું હતું કે મેં ક્યારેય લગ્ન અંગે વિચાર્યું ન હતું! આજે મારી માતાએ વરની પસંદગી કરવાની, વરની શોધ કરવાની વાત કરી હતી. મારું મન થોડું ચંચળ બન્યું... મને મારું રૂપ જોવાનું મન થયું. શણગાર સજવાની ઇચ્છા જાગી અને તરત જ ઇચ્છાને કાર્યાન્વિત કરી.
મેં મારા ડાબા હાથમાં હીરાની ચમકતી બાર બંગડીઓ પહેરી. જમણા હાથમાં સોનાનું નકશીદાર કડું પહેર્યું ગુલાબી રંગનો ચણિયો પહેર્યો. તેની કળીએ કળીએ સોનેરી કસબની ઊભી પટ્ટીઓ ચોડેલી હતી. એના ઘરમાં કસબ ભરેલાં ગુલાબ કંડારેલાં હતાં. શરીર પર પારદર્શક આછા પીળા રંગની ઓઢણી નાંખી. ચણિયાના રંગની જ ચોળી પહેરી. કમર પર સોનાની સેરોમાં ગૂંથેલો કંદોરો બાંધ્યો. તેમાં અંતરે અંતરે ગોળાકાર ચાંદલામાં જડેલાં નીલમ, માણેક અને હીરાના બુટ્ટા જાણે આપમેળે ઓજસ વેરતાં હોય તેમ ચમકતાં હતાં. આ કંદોરાને લીધે હું વધુ મહિક લાગતી હતી. મારા હોઠ પરવાળા જેવા લાલ હતા. ચહેરા પર લાલી છવાયેલી હતી, કાજળમઢી આંખોમાં ચોખ્ખી સફેદી ચમકતી હતી. મેં મારા વાળ એક સેરમાં ગૂંચ્યા હતા. એ સેર મારી છાતી પર રમતી હતી...
આ બધું મેં મારા શયનખંડમાં જડાયેલા મોટા અરીસા સામે ઊભા રહીને જોયું હતું. મેં મારા સુશોભિત દેહને જોયો હતો! એ જોતાં જોતાં મારા હોઠ પર માદક ભીનાશ છવાઈ હતી. છાતીમાં જાણે શ્વાસ ભરાઈ ગયો હતો. પીઠમાં મગરૂબી દેખાતી હતી અને નિતંબમાં અવર્ણનીય ચુસ્તાઈ આવી હતી...
હું થોડો સમય સ્તબ્ધ બનીને જોઈ રહી. પહેલી જ વાર આવી ઘેલછા ઊઠી હતી. શયનખંડમાં હું એકલી જ હતી. મને લાગ્યું કે કોઈ રાજકુમાર દિવ્ય શક્તિથી અત્યારે મારા શયનખંડમાં આવી જાય તો મને જોઈને પાગલ થઈ જાય... મને ઉપાડી જાય એના દેશમાં અને મને પરણવા મારા પગમાં આળોટી પડીને પ્રાર્થના કરે! અને ખરેખર હું સ્વપ્નલોકમાં ઊતરી
પડી.
અહો દેવી! માલવદેશની રાજબાલાનું આ દેવકુમાર અભિવાદન છે.'
કરે
મયણા
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાંભળીને હું દેશ-કાળનું ભાન ભૂલી ગઈ. મારી પલકો ઢળી ગઈ. હું સ્તબ્ધ બનેલી ઊભી રહી... ત્યાં એ કુમાર બોલ્યો :
‘સંકોચ ન રાખો. દેવકુમાર તમારી સેવામાં છે. આજ્ઞા કરો.' આદેશ તો આપ કરો... મને લજ્જિત ન કરો, દેવ!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ખરેખર, તમે પરમ સુંદરી છો. એક વાર તમને પ્રત્યક્ષ જોવાની ઇચ્છા હતી. બધી જ રીતિ-નીતિ તોડીને અહીં ચાલી આવ્યો છું.'
‘કૃતજ્ઞ છું દેવ! આપ અહીં આવ્યા કેવી રીતે?'
‘આકાશમાર્ગે!’
‘ક્યાંથી?”
‘વૈતાઢ્યપર્વત ઉપરના રથનૂપુર નગરથી!'
‘તો શું આપ વિદ્યાધરકુમાર છો?' મારી આંખો વિકસ્વર થઈ ગઈ. ‘હો... તમારું અનુપમ રૂપ...’
‘પણ કુમાર, રૂપ તો રજ છે... એક દિવસ રૂપ રજ થઈ જવાનું! એવા રૂપને લઈને શું કરશો, કુમાર?'
‘તમે જે છો, જેવાં છો... મને ગમો છો. મેં સુંદરીઓ તો ઘણી જોઈ.. મનપસંદ સુંદરીની શોધમાં કેટલાય દેશ-દેશાન્તર ભટક્યો છું! પર્વતો પાર કર્યા, નદીઓ તરી અને સમુદ્રો પાર કર્યા... પરંતુ મારી કલ્પનાસુંદરી ક્યાંય ન મળી... પણ તમારી રૂપશ્રી અનન્ય છે... તમે જ છો મારી કલ્પનાસુંદરી''
‘આપ જે જુઓ તે સાચું! આવો દેહ ધારણ કરી હું કૃતાર્થ થઈ... પરંતુ હે કુમાર! હું એવો વ૨, એવો પતિ ચાહું છું કે જે જરા અને મરણનો શિકાર ન બને... શું તે છો તમે?'
‘એ હું શું જાણું?'
‘સાંભળો દેવ! વચન આપો કે તમે વૃદ્ધ નહીં થાઓ... તમે મરશો નહીં...'
‘સુંદરી! જરા અને મૃત્યુથી મુક્ત રહેવાનો દાવો તો કેવી રીતે કરી શકું? હું તો એક સાધારણ યુવક છું.'
‘તો સાધારણ યુવકથી મયણાનું કામ નહીં થાય દેવ!'
૫૬
'સુંદરી! જરા અને મૃત્યુથી મુક્ત કોઈ યુવકને મેં આજ સુધી જાણ્યો નથી... અને મારું જ્ઞાન કેટલું થોડું? દેવી, તમે શાની છો... તમે જાણો છો કે એ
For Private And Personal Use Only
ગણા
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરા-મૃત્યુથી મુક્ત કોણ છે? છે કાઈ? નથી ને? તો પછી ચાલો મારી સાથે. મને તમારો બનાવી લો. તમારી પ્રત્યેક ચાહના મુજબ હું ચાલીશ.. વિશપ તો શું કહ્યું?'
મારે તો કંઈ નથી કહેવું. તમે ચાહો તે કરો મારી સાથે, પ્રાણનાથ!'
મારા દેવ
અને દશ્ય અદૃશ્ય થઈ ગયું. પરંતુ સ્ફટિકની ફરસ પર અંકિત ચરણચિહુનાં પર માથું ઢાળીને હું પ્રણિપાત કરતી રહી... શયનખંડમાં દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ... ને એક દિવ્ય ધ્વનિ દૂર દૂર જતા સંભળાયા કર્યો...
મેં મારો શણગાર ઉતાર્યો નહીં. સ્વપ્નલોકમાંથી પાછી વળી... ને પલંગમાં પડી.. સુખદ નિદ્રામાં સરી પડી.
સવારે હું ઊઠી. ઊઠતાં જ મેં મારું શરીર જોયું. ફટાફટ બધા શણગાર દૂર કર્યા. વસ્ત્રપરિવર્તન કર્યું. સ્નાન કર્યું. પ્રભુપૂજનનાં વસ્ત્રો ધારણ કર્યા અને સખી લલિતા સાથે ઋષભપ્રાસાદ તરફ ચાલી.
મયણા
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
૫૮.
ઉજ્જયિનીના રાજમાર્ગ પરથી પોતાની સખી લલિતા સાથે રાજસુતા રૂપાંગના... એક ચિરંતન યૌવના મયણાસુંદરી પસાર થઈ રહી હતી. તે ઋષભપ્રાસાદ તરફ જઈ રહી હતી. તેના વાળનો બધો જથ્થો તેણે જમણી બાજુના કાન આગળથી છાતી પર લીધો હતાં. તેના વાળ નિતંબ સુધી આવતા હતા. તેનો એક હાથ છાતી પર હતો, તેની ઓઢણી ઊડી ન જાય તે માટે છાતી પર હાથ રાખ્યો હતો, તેના કપાળમાં સરસ મજાનો ચાંદલો કર્યો હતો. વાળ બે સેંથે ઓળેલા હતા. કાખમાં સોનાનાં ઝૂલણિયાં લટકતાં હતાં, બંને હાથના કાંડા પર લાલ-લીલી બંગડીઓ અને સોનાનાં કડાં હતાં. તેના બંને બાજુઓ પર કોતરણી કરેલી પહોંચીઓ પહેરેલી હતી. તેણે કિરમજી રંગની ચોળી અને કસબથી ભરેલો પીળો ચણિયો પહેર્યાં હતાં. લલિતાના હાથમાં સ્વર્ણથાળ હતો. થાળમાં પૂજનસામગ્રી હતી.
ઋષભપ્રાસાદના વિશાળ સભામંડપમાં અપૂર્વ નીરવતા વ્યાપ્ત હતી. પદાનીમાંથી અગ્રુપની સુગંધિત ધૂમ્ર-લહેરો એ મૌનને વધુ ગાઢ બનાવી રહી હતી. મયણાને લાગ્યું કે કંઈક અલૌકિક બનવું જોઇએ, તેનું આત્મસંવેદન હતું. તેણે ઋષભદેવની ભવ્ય, રમ્ય અને હસી રહેલી મૂર્તિ જોઇ. એની આંખોમાં અનુરાગ ઊભરાયો. પ્રભુમિલનની વ્યાકુળતાનો પ્રારંભ થયો. કોઈ અદૃશ્ય ફૂલોની વિચિત્ર અત્તનુભૃત ગંધમાં જાણે ચેતના મૂર્છિત થઇ રહી હોય તેમ લાગવા માંડ્યું. રત્નદીપકોનો સ્થિર લાગતો પ્રકાશ જાણે ચંચળ બની ગયાં અને એ પ્રકાશમાં ઇન્દ્રધનુષના રંગો પ્રતિબિંબિત થવા લાગ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અચાનક દૂરથી આવતી કોઈ ઝંકૃતિ સંભળાવા લાગી. અવકાશમાં અતિ સૂક્ષ્મ સંગીતની કોમળ... મૃદુ રાગિણી કર્ણગોચર થવા લાગી. વૃંદવાઘની સમવેત સુરાવલિઓમાં અસંખ્ય નક્ષત્રોનાં વિવિધરંગી કિરણો, એક અલૌકિક સંગીત બની ન્યાત્મક બનવા લાગ્યાં. ઉત્તરોત્તર વાતાવરણ પ્રકાશ, સૌરભ, સંગીત અને ઝંકારનાં અવિચલ કંપનોથી વ્યાપ્ત બનવા
For Private And Personal Use Only
ચણા
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંડ્યું. કોમલાતિ કોમલ અદૃશ્ય તરંગોમાં મયણાની ચેતના પોતાના વશમાં રહી નહીં.
સંગીતની મૂછ પર ક્ષણભર ઉન્મની તંદ્રામાં સરકી ગઈ. મયણાની આંખો કપભેશ્વરની આંખા સાથે આંખો મળી અને એ લાવણ્યસુંદરી રંગમંડપમાં નૃત્ય કરવા લાગી ગઈ. પ્રતિક્ષણ નૂતન રૂ૫, નૂતન ભંગ અને નૂતન મુદ્રાઓમાં એનું સૌદર્ય તરંગિત થવા લાગ્યું. એની કંચુકીઓના કિોશાવરણોમાં સાત સમુદ્રોની ગહરાઈઓ ઊભરાવા લાગી. એના અંચલોમાં આકાશના અનંત પટલ લહેરાવા લાગ્યા. એના અંગભંગોમાંથી ક્ષણઅનુણ નવા નવા અલંકાર પ્રગટ થવા લાગ્યા,
એના કટાક્ષ ચેતનાની ગહરાઈમાં પ્રવેશી જાય છે. અપૂર્વ અને અનંત છે એનું લાસ્ય! એની નૂપુરઝંકારોમાં જાણે પાંચેય મેરુ ડોલાયમાન થાય છે! ત્યાં અચાનક પ્રાસાદના દ્વાર પર એક સિંહાસન પર બિરાજિત દેવીની મૂર્તિ... નિશ્ચલ મૂર્તિ સહસા જાગ્રત થઈ! પ્રગટ થઈ.
‘આ કેવો આકસ્મિક ભવ્ય આવિર્ભાવ છે! આવું જ કંઈક નહીં કલ્પેલું, નહીં વિચારેલું. કંઈક વિચિત્ર ઘટિત થવાનું હતું કે હવે થશે? આ જ તે સૌંદર્ય છે, જેની ચિરકાળથી મને પ્રતીક્ષા હતી. પળ-પળ નિત નવીન આ સુંદરી કોણ છે? અહો... આ તો માતેશ્વરી! પ્રભુ ઋષભદેવની પરમ ઉપાસિકા! લાગે છે કે સમગ્ર લોકનું સારભૂત લાવાય, આ સુંદરીમાં સમાઈ ગયું છે. જાણે કે આ શરીર રક્ત, માંસ, મજ્જા અને અસ્થિનું નથી લાગતું!”
આટલી પ્રત્યક્ષ દેખાય છે છતાં તે પક્કડની બહાર છે! આટલી સૌંદર્યમૂર્તિ હોવા છતાં જાણે અમૂર્ત છે! પ્રત્યક્ષ હોવા છતાં જાણે પરોક્ષ છે! બહાર હોવા છતાં તે ભીતરમાં છે! તેની પહોંચની બહાર હોવા છતાં એ મારા હૃદય સુધી ચાલી આવી છે! મારી અગાધ ગહરાઈઓમાં ડૂબકી મારીને મારી પાસે આવી છે...
એ સમયે જ્યણાને લાગ્યું કે, ભગવાન ઋષભદેવના અદૃશ્ય બે બાહુ અવકાશમાં લંબાયા... અને પોતાને તેમના બાહુપાશમાં લેવા નજીક આવ્યા... અને અકસ્માતું, એક પલકમાં જ મયણા જમીન પર પડી ગઈ. વાજિંત્રો બંધ થઈ ગયાં. સંગીત, નૃત્ય-તાલ, નૂપુરઝંકાર વાઘધ્વાન... બધું દૂર દૂર જતું વિલીન થઈ ગયું!
માણા
પ૯
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષભેશ્વરની દષ્ટિ એકટ અપલક મયણા પર મંડાણી... અધિષ્ઠાયિકા દેવી ચકેશ્વરીના કોમળ હાથ મયણાના મસ્તક પર ફરતા રહ્યા.
પ્રભો! પરમ કૃપા આપની!' માતા! પરમ દયા આપની!' હું આપની.. આપ મારાં! મારા સર્વસ્વ! પ્રભો! આપ જ મારા પતિ, મારા દેવ, મારા સ્વામી! અજર-અમર અને અનંત!
મયણા અને લલિતાએ પ્રભુને અભિષેક કર્યો. સુગંધિત પુષ્પો ચઢાવ્યાં. સ્તુતિ કરી, સ્તવના કરી.
- સ્તવના ક્યારે લેશો પાસ ભગવંત! ક્યારે લેશો પાસ? વીત્યા જનમ અનંત, તોય ન છોડી આશ............ ભગવંત બહુ ભૂલ્યા-ભટક્યા ને ખોવાયા,
- અજ્ઞાનના ભવવનમાં, પાપ અને પુણ્યનાં કર્મો
વળગ્યાં આ જીવનમાં. પાસે લઈ પેટાવો દિલમાં, જ્ઞાન તણો અજવાસ......... ભગવંત પાપ થકી જે આવે કષ્ટો
દો સહવાની શક્તિ બધા મેલ ધોઈ શકું હું
એવી પ્રેરો ભક્તિ. સર્વત્ર જગતમાં રહો આપ સહવાસ...
..... ભગવંત) ઇચ્છાઓ ને મમતાઓના
ઘણા બોજાઓ ભીંસે માત્ર આપની કૃપાદૃષ્ટિમાં
કંઈક ઉગારો દીસે. તૂટી પડીએ તો પણ ટેકો દેજો ખાસ... .... ભગવંત) જીવન અમારું બન્યું અકારું
મરણ બનશે કેવું?
૬૦
મયણાં
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતિ ને સમતા શું રહેશે?
કે કૂતરાના જેવું? સપનામાં આજે તમે મળ્યાનો ભાસ... ......... ભગવંત બધું છતાંય કશું નથી!
- શાશ્વતું ને અવિનાશી. મનડું તેમાં નથી તરપાતું
ક્યાં જાઉં હું નાસી? શું કરવું? શું ના કરવું? મને ના કોઈ ક્યાસ........ ભગવંત એક વાર, બસ એક વાર
માથે હાથ પસારો! સ્મિત કરીને મનને પંજો
ધખે છે. પ્રાણ અમારો... કરો સ્વીકાર તો થવું છે ચરણશરણમાં દાસ..............ભગવંત) હું ભાવ-
વિહ્વળ બની ગઈ. મારાં નેત્રો નિમીલિત થયાં. મેં દિવ્ય અનુભવ કર્યો... નિરંજન-નિરાકાર ભગવાન ઋષભદેવ પોતાના સિદ્ધાસન પરથી ઊભા થયા... તેમનો જમણો હાથ ઊંચો થયો અને આશીર્વાદ-મુદ્રામાં મારા મસ્તક પર ફરવા લાગ્યો! બે-ચાર ક્ષણો હતી એ.. અપૂર્વ આફ્લાદ અનુભવ્યો, શબ્દોમાં એ અનુભવ બાંધી ન શકાય.
હું અને લલિતા ઋષભપ્રાસાદની બહાર આવ્યાં. આકાશમાં વાદળો ઘેરાયાં હતાં. મેં લલિતાને મહેલમાં મોકલી દીધી. મારે એકાંત જોઈતું હતું.
સુવ્રત-ઉદ્યાન પર આસો મહિનાનાં વાદળ ઘેરાઈ આવ્યાં હતાં. સમગ્ર વનાંચલ વાદળોની છાયામાં સ્તબ્ધ હતો. નીરવતા અપૂર્વ હતી. એ નીરવતાનો... એ શૂન્યનો સ્પર્શ.. મારા અણુ-અણુને જગાવી રહ્યો હતો... આવી રીતે... હું ક્યારેય એકલી નહોતી પડી. ઘનઘોર એકાંતમાં હું જ મારી સામે જોઈ રહી હતી... કોઈ આકૃતિ નહીં... બસ, એક આભાનો અસીમ વિસ્તાર.. એક નીલમનું વિરાટ દર્પણ! જાણે એની સામે એકલી હું ઊભી હતી. ન નામ, ન સંજ્ઞા, ન કુલ, ન દેહ... ન કોઈ... ના હું!
ઉદ્યાનના પલ્લવ પરિચ્છેદમાં જાણે કેવો લય જામ્યો હતો! વર્ષ ચાલુ થઈ ગઈ હતી. માટી પાણીથી ભીંજાઈ ગઈ હતી. માટીની એ સુગંધ જાણે મારું નામ પૂછી રહી છે... જાણે મારા અસ્તિત્વની એ યાદ અપાવે છે...
માણા
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨
મને બહાર જોવા પ્રેરિત કરે છે... અચાનક ‘મયણા!' કોઈનો અવાજ સંભળાયો. હા, યાદ આવ્યું... ‘હું જ મયણા છું!' માટીની એ ભીની ભીની સુગંધે મારા રૂપને આજે ફરીથી સો ગણું ખીલવીને મારી સામે પ્રગટ કરી દીધું. હું આત્મવિમોહિત થઈ ગઈ... કેટલી બધી યાદો અને કેટલાં બધાં સંવેદનોથી હું ભરાઈ ગઈ!
ત્યાં મારી માતા રાણી રૂપસુંદરીએ મારા ખભે હાથ મૂક્યો.
‘મયણા!’ તે બોલી.
‘મા?’
‘શું કરે છે, બેટી?’
‘આત્મા કંઈ કરતો નથી... અકર્તા છે...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કર્મોથી બંધાયેલો આત્મા કર્યા છે...' મારી મા પણ તત્ત્વજ્ઞાની હતી. ‘એટલે આત્મા કર્તા ય છે ને અકર્તા ય છે... ખરું ને?' 'હા, પણ શું અત્યારે અહીં આ બધી વાતો કરવાની છે?' ‘તો ક્યાં?’
‘રથમાં બેસી જા. આપણે મહેલમાં જવાનું છે.' હું મારી મા સાથે ચૂપચાપ રથમાં બેસી ગઈ.
For Private And Personal Use Only
મમણા
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નજીક ૧૧
નિયત તિથિએ, નિયત પ્રાભાતિક સમયે ઉજ્જયિનીની રાજસભા, સમગ્ર માલવદેશના પ્રતિનિધિ પુરુષોથી ખીચોખીચ ભરાયેલી હતી. એમાં રાજસિંહાસન પર માલવપતિ મહારાજા પ્રજાપાલ બિરાજમાન હતા. સામગ્ન રાજાઓ બેઠા હતા. શ્રેષ્ઠીગણ ઉપસ્થિત હતો. પ્રકાંડ પંડિતો હાજર હતા. બંને રાજકુમારિકાઓને કળાઓનું જ્ઞાન આપનારા ઉચ્ચ કોટિના પ્રાધ્યાપકો હતા. કુમારીઓની બે માતાઓ રાજરાણી સૌભાગ્યસુંદરી અને રૂપસુંદરી પણ સુંદર રેશમી પારદર્શક પડદાની પાછળ બેઠી હતી. તદુપરાંત એક હજારથી વધારે નાગરિક સ્ત્રી-પુરુષોથી રાજસભા ઠસોઠસ ભરાયેલી હતી.
રાજસભાના મધ્યભાગમાં એક ઊંચી વેદિકા બનાવવામાં આવી હતી. તેના પર બે સુંદર મયૂરાસન ગોઠવવામાં આવ્યાં હતાં. એ બે આસનો પર રાજકુમારી સુરસુંદરી અને રાજદુહિતા મયણાસુંદરી બેઠી હતી. બંને રાજકુમારીઓએ સુંદર વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારો પહેરેલાં હતાં.
શૈવમતના પ્રકાંડ પંડિત શિવભૂતિ પાસે સુરસુંદરીએ શૈવધર્મનું અધ્યયન કરેલું હતું. જ્યારે જૈનદર્શનના દિગ્ગજ વિદ્વાન સુબુદ્ધિ પાસે મયણાસુંદરીએ જૈન ધર્મના સિદ્ધાંતોનું તલસ્પર્શી અધ્યયન કરેલું હતું. આજે મહારાજા પ્રજાપાલ સ્વયં પુત્રીઓની પરીક્ષા લેવાના હતા. બંને રાજકુમારિકાઓના જ્ઞાનવૈભવનો ને બુદ્ધિવૈભવનો રાજસભાને પરિચય કરાવવાના હતા.
*મહારાજા બંને પુત્રીઓને શાસ્ત્રોના અગોચર અર્થ પૂછે છે! મહારાજા પ્રજાપાલ સ્વયં આત્મતત્ત્વના જ્ઞાતા હતા. પરમાત્મતત્ત્વમાં એમની શ્રદ્ધા હતી. શૈવ અને જૈન - બંને મતને જાણનારા હતા. મહારાજાએ રાજસભાનો પ્રારંભ કરવા પંડિત સુબુદ્ધિને વિનંતી કરી.
* અર્થ અગોચર શાસ્ત્રના પૂછે ભૂપતિ જેહ, બુદ્ધિબળે બેહુ બાલિકા, આપે ઉત્તર તેહ. - શ્રીપાલ રાસ
મધણા
૬૩
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુબુદ્ધિએ ઊભા થઈ, બે આંખો બંધ કરી. નત મસ્તકે અંજલિ જોડી અને ભગવસ્તુતિ ગાવા માંડી :
કેવલ્યની વિશુદ્ધ સૌંદર્ય-પ્રભાથી જેમનો દેહ ઉજ્વલ છે, કરોડો સૂર્ય જેમનામાં એકસાથે ઉદ્યોતમાન છે, સ્વર્ગનાં સુખો, નરકનાં દુઃખો અને મર્યલોકના બધા ભોગ, પરાક્રમ, સંઘર્ષ... વ્યથાઓ બધું જ જેમને પ્રત્યક્ષ છે, નિરંતર સંવેદિત છે, ત્રિલોક અને ત્રિકાળના અનંતદ્રવ્યો, અનંત પર્યાયો જેમની વિશુદ્ધ આત્મપ્રભામાં અનુક્ષણ તરંગિત છે... તેવા પૂર્ણપુરુષ પૂર્ણાનંદી પૂર્ણસુંદર અહંતુ ઋષભદેવનાં પરમ પાવન ચરણોમાં અમારા નમસ્કાર હો!”
આ પ્રમાણે મંગલગાન કર્યા પછી તેમણે જાહેર કર્યું : “રાજા-મહારાજા, શ્રેષ્ઠીઓ, પ્રજાજનો, રાજરાણીઓ, .. સામંતો અને સૈનિકો, સાંભળો! આજે બે રાજસુતાઓ-સુરસુંદરી અને મયણાસુંદરી, એમણે પ્રાપ્ત કરેલાં જ્ઞાન-વિજ્ઞાનની પરીક્ષા આપશે! પરીક્ષા તો ન કહું, તેઓ મહારાજાના પ્રશ્નોના ઉત્તર આપી જ્ઞાન-વિજ્ઞાનથી આપણું મનોરંજન કરશે. સાથે સાથે ધર્મતત્ત્વો સમજાવશે.” સર્વપ્રથમ મહારાજાએ સુરસુંદરીને પૂછ્યું : “વત્સ, વિશ્વમાં પરમ તત્ત્વ કયું છે?
હે તાત! શિવો ભૂત્વા શિવં નેત'' - સ્વયં શિવરૂપ થઈ શિવનું ભજનપૂજન કરવું અને રોમ-રોમમાં ‘શિવોSહં શિવોડë શિવોS૪'નો નાદ ગુંજતો કરવો એ પરમ તત્ત્વ છે. અનાદિકાળથી સ્વયંભૂ શિવલિંગ જ સ્વયં બ્રહ્માંડ છે. વિશ્વતત્ત્વ આ રૂપ ધારણ કરેલું છે. બીજું તત્ત્વ છે જગદંબા પાર્વતી! એમાં જ મારી પવિત્ર ચેતના, અનંત અનુકંપારૂપે, કરુણારૂપે, પ્રેમરૂપે પ્રગટ થઈ છે. એ પાર્વતી ચરાચર પ્રાણીમાત્રની અભયદાત્રી-શરણદાયિની છે. આ જ તો આદ્યશક્તિ આત્મતત્ત્વ છે અને એની પાસે જે મહાલિંગાધિષ્ઠિત વિશ્વનાથ છે તે જ વિશ્વતત્ત્વ છે.
ધૂર્જટિની જટામાંથી ભગવતી અહિંસાની-કરુણાની ગંગા નિરંતર વહેતી રહે છે,
સ્વયંભૂ વિશ્વનાથ કહે છે : 'તમે દંતના વિકલ્પોનો ત્યાગ કરી, અને મને જાણો. હું જ તું છું! “શિવોSÉ વિડë શિવોSt!' અરે, શિવસ્વરૂપ થઈ શિવનું પૂજન કરો, ભજન કરો, ભોજન કરો. તમારી બધી જ
૬૪
માણા
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવ્યાધિઓનો હું જ એક માત્ર શામક છું. તમે ગરૂપ, તપ, ચિદરૂપ થઈ જાઓ! શિવોડÉ શિવોSહં શિવોSહં.”
વાણીમાં વિનય, શબ્દોમાં ગાંભીર્ય અને કથનીય શાસ્ત્રીય! રાજા અને પ્રજાનાં મન પ્રસન્ન થયાં. મહારાજાએ સુરસુંદરીને બીજો પ્રશ્ન પૂછયો :
હે ભદ્ર! પુણ્યથી મનુષ્યને શું પ્રાપ્ત થાય છે?
હે તાત! પુણ્યથી મનુષ્યને બુદ્ધિનો વૈભવ મળે છે. તેને સુંદર સશક્ત શરીર મળે છે. મનોરમ રૂપસંપદા મળે છે. મદમસ્ત યૌવન પ્રાપ્ત થાય છે. મનગમતો પ્રિયતમ મળે છે અને અપાર ધન-સંપત્તિ મળે છે. હે તાતપાદ! અમારો જન્મ રાજ કુળમાં થયો તે પુણ્યથી! આપના જેવા વાત્સલ્યપૂર્ણ પિતા મળ્યા તે પુણ્યથી! અતિ સ્નેહસ્નિગ્ધ માતા મળી તે પુણ્યથી... અને પ્રેમ તથા મૈત્રી આપનારા સ્વજન-પરિજનો મળ્યા તે પણ પુણ્યથી! બધાં જ સુખ.. પિતાજી! પુણ્યથી પ્રાપ્ત થાય છે.”
મહારાજા બોલી ઊઠ્યા : “સરસ ઉત્તર આપ્યો સુરાએ! વિનયવિવેકભર્યો ઉત્તર આપ્યો સુરાએ! શાસ્ત્રષ્ટિથી સાચો ઉત્તર આપ્યો સુરાએ! હું સુરાને લાખ લાખ અભિનંદન આપું છું.”
મહારાજાના આ નિવેદન સાથે જ રાજસભાએ સુરસુંદરીનો જયજયકાર કરી દીર્ધા. મહારાણી સૌભાગ્યસુંદરી પણ ખૂબ પોરસાઈ. મહાપંડિત શિવભૂતિ સંતુષ્ટ થયા.
મહારાજા પ્રજાપાલ સુરસુંદરીના પ્રત્યુત્તરથી રાજીના રેડ થઈને બોલ્યા: સુરા, બેટી! હું તારા પર પ્રસન્ન થયો છું. તેં મારી કીર્તિમાં અભિવૃદ્ધિ કરી છે. માંગ, તું જે માગે તે આપું! આ દુનિયામાં હું જેના પર પ્રસન્ન થાઉ તેને હું જે માગે તે આપું! તેને ધનના ઢગલા આપે! તેને સુંદર સ્ત્રી આપું! તેને મોટા મહેલ આપું! માન-સન્માન આપું... એને ન્યાલ કરી દઉં! અને સાંભળી લે બેટી! હું જેના પર રોપાયમાન થાઉં, તેને ખેદાનમેદાન કરી નાંખ્યું. એનું નામોનિશાન ન રહેવા દઉં... મારી એટલી અગાધ શક્તિ છે.” રાજા પ્રજાપાલનાં મદછલકાતાં વચનો રાજસભામાં પડઘાયાં. સુરસુંદરી ઊભી થઈ, બે હાથ ઊંચા કરી મોટા સ્વરે બોલી ઊઠી : આપે કહ્યું તે સાચું છે, પિતાજી! આપે કહ્યું તે પરમ સત્ય છે. એમાં કોઈ શંકા જ નથી. આ જગતને જિવાડનારાં બે જ તત્ત્વો છે. એક રાજા અને
મયણ
૩પ
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી વર્ષા! હે પ્રજાપાલક સમ્રાટ! આપ જ પ્રજાને સુખી કરનારા છો...”
ત્યાં રાજસભામાંથી હજારો ઘોષ પડઘાયા : “સાચી વાત... સાચી વાત! રાજદુહિતાની વાત સાવ સાચી... મહારાજા પ્રજાપાલ જ અમારા પાલક છે. રાજદુહિતા સુરસુંદરી ખરેખર ચતુર છે, સમજદાર છે, તત્ત્વજ્ઞ છે.'
સુરસુંદરી વેદિકા પરથી નીચે ઊતરી મહારાજા પાસે જઈને ઊભી રહી. મહારાજાએ ઊભા થઈ ખૂબ વાત્સલ્યથી એના મસ્તકને સંધ્યું અને આશીર્વાદ આપ્યા. કહ્યું :
કહે બેટી! તને જે ગમે તે માગ! આજે તારી મનોકામના પૂર્ણ કરીશ. જરાય સંકોચ રાખ્યા વિના તું માગ!'
મહારાજાના સિંહાસનથી ત્રીજા જ સિંહાસન પર બેઠેલા રાજ કુમાર અરિદમન તરફ સહસા સુરસુંદરીની દૃષ્ટિ પડી. એ દૃષ્ટિમાં રાગ હતો, મોહ હતો, સ્નેહ હતો. મહારાજાને રાણી સૌભાગ્યસુંદરીએ અરિદમન અને સુરસુંદરીના શૈવ આશ્રમમાં થયેલા સંવનનની વાત કરેલી જ હતી. રાણીને સ્વામી અધોરાનંદજીએ વાત કરી હતી. અધોરાનંદજીની વાત સૌભાગ્યસુંદરી માનતી હતી એટલે સુરસુંદરીએ અઘોરાનંદજી દ્વારા રાણીને વાત પહોંચાડી હતી.
જોકે શંખપુરીનો રાજકુમાર અરિદમન રૂપવાન હતો, બલવાન હતો અને કામણગારો હતો. એટલે એ જ વખતે મહારાજાએ અરિદમનને આદરપૂર્વક પોતાની પાસે બોલાવી પૂછી લીધું.
આ મારી પુત્રી સુરસુંદરી તમને વરવા ઇચ્છે છે. તમે પણ મારી પુત્રીને વરવા ચાહો છો ને?” રાજ કુમારે સંમતિ આપી કે તરત જ મહારાજાએ રાજકુમારના લલાટે કંકુનું તિલક કરી ઘોષણા કરી :
‘હું મારી પુત્રી સુરસુંદરીના વિવાહ કુરુજં ગલ દેશના રાજકુમાર અરિદમન સાથે કરું છું.” રાજસભામાં હર્ષનાદ થયા.
બેટી મયણા, મેં જાણ્યું છે કે તેં પંડિત શ્રેષ્ઠ સુબુદ્ધિ પાસેથી જૈનદર્શનનું ગહન અધ્યયન કર્યું છે. તું જેવી અનુપમ સુંદર છે એવી જ તું અનુપમ વિદુષી છે. જાણે કે સ્વર્ગની મંજૂષામાં કસ્તૂરીની મહેક!'
નહીં તાત, હું એવી વિદુષી નથી બની કે આહત ધર્મનું એવું ગહન
મયા
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન પણ નથી કર્યું, છતાં ગુરુદેવ સુબુદ્ધિ પાસેથી કિંચિત્ આઈ. દર્શનનો પ્રસાદ જરૂર પ્રાપ્ત કર્યો છે. પિતાજી, સર્વજ્ઞ તીર્થકરોએ આ વિશ્વને... વિશ્વના પદાર્થોને સ્યાદવાદ દૃષ્ટિથી, અનેકાન્ત દૃષ્ટિથી જોવાનો અપૂર્વ સિદ્ધાન્ત આપ્યો છે.' બેટી, આત્માને અનેકાન્ત દૃષ્ટિથી કેવી રીતે જવાય?” હે તાત, આત્મા એક અપેક્ષાએ નિત્ય છે, બીજી અપેક્ષાએ અનિત્ય છે! એકાંતે નિત્ય નથી. એકાંતે અનિત્ય નથી!”
એ કેવી રીતે?' “હે દેવ! દ્રવ્યદૃષ્ટિથી આત્મા નિત્ય છે, પર્યાયદષ્ટિથી આત્મા અનિત્ય છે, આત્મતત્ત્વ અજર-અમર-અક્ષય છે. પરંતુ એની અવસ્થાઓ બદલાયા કરે છે.
એક દૃષ્ટાંતથી સમજાવ.”
જેમ સોનાનો હાર તોડીને, સોનું ગાળીને પછી એ જ સોનાનું કંગન બનાવવામાં આવે, તો સોનું એનું એ જ રહ્યું. સોનું નાશ ન પામ્યું પણ હાર નાશ પામ્યો, કંગનનો જન્મ થયો! તેવી રીતે મનુષ્ય મરીને પશુ થાય, તો આત્મા મરતો નથી. આત્માની જે મનુષ્ય-અવસ્થા હતી તે નાશ પામી અને પશુ-અવસ્થાનો જન્મ થયો. આ અવસ્થા એટલે પર્યાય! આત્મા દ્રવ્ય કહેવાય, મનુષ્યપણું, પશુ-પક્ષીપણું, દેવપણું, નારકપણું - આ બધા પર્યાય કહેવાય. આમ, દ્રવ્યદૃષ્ટિથી આત્મા નિત્ય-અવિનાશી કહેવાય, પર્યાયદૃષ્ટિથી અનિત્ય-વિનાશી કહેવાય. આનું નામ અનેકાંતદૃષ્ટિ!”
આવી જ રીતે એક દ્રવ્યમાં, એક પદાર્થમાં, એક વ્યક્તિમાં જુદી જુદી અપેક્ષાએ જુદાં જુદાં વ્યક્તિત્વ જોઈ શકાય.
એ કેવી રીતે બેટી?' મહારાજાને મયણાના તત્ત્વજ્ઞાનમાં અભિરુચિ જાગી. “પિતાજી, મારી દષ્ટિએ આપ પિતા છો! મારી માતાની દૃષ્ટિએ આપ પતિ છો! આપની બહેનની દૃષ્ટિએ આપ ભાઈ છો! પ્રજાની દષ્ટિએ આપ રાજા છો! મિત્રોની દૃષ્ટિએ આપ મિત્ર છો! શત્રુઓની દૃષ્ટિએ આપ શત્રુ છો!
મણા
ક૭
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ રીતે ભિન્ન ભિન્ન અપેક્ષાએ આપનામાં પિતૃત્વ છે, પતિપણું છે, ભ્રાતૃત્વ છે.. રાજત્વ છે, મૈત્રી છે, શત્રુતા છે... અને આવાં બીજાં અનેક વ્યક્તિત્વ છે! આ છે અપેક્ષાવાદ! આ છે અનેકાન્તવાદ!
એટલે એકાંત માન્યતાવાળાં દર્શન સમ્યગુ નથી, મિથ્યા છે. સર્વજ્ઞ તીર્થકરોએ જેમ આત્માના વાસ્તવિક સ્વરૂપને બતાવ્યું છે, તેવી રીતે એ આત્મા અનાદિકાળથી જે કર્મોથી બંધાયેલો છે, એ આત્મા અને કર્મોનો અનાદિ-સંબંધ પણ બતાવ્યો છે.
આત્મા અનાદિકાલીન છે. આત્મા અને કર્મોનો સંબંધ અનાદિકાલીન છે. આ સૃષ્ટિ અનાદિ-અનંત છે! આ સૃષ્ટિ પેદા થયેલી નથી કે એનો પ્રલય પણ થવાનો નથી! “પિતાજી! આ બધી તત્ત્વની વાતો મેં જાણી છે. અને તેથી મારા મનનું મને સમાધાન થયું છે. ગુરુદેવ આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિનો પણ મારા પર પરમ ઉપકાર છે. એમણે મને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ-સંવર, બંધ-નિર્જરા અને મોક્ષ - આ નવ તત્ત્વોનો બોધ આપ્યો છે. તેઓએ મને સમગ્ર વિશ્વરચના - ચૌદ રાજલોકનું સ્વરૂપ સમજાવ્યું છે”
મયણાસુંદરી અટકી. મહારાજા પ્રજાપાલે હર્ષથી ગદ્ગગદ્ થઈને કહ્યું: “હે પુત્રી, તારી શાસ્ત્રસિદ્ધાંતની વાતો સાંભળીને ખૂબ આનંદ થયો. બેટી, મને એક વાત કહે કે આ બધા શાસ્ત્ર-સિદ્ધાંતોમાં સમગ્ર જીવસૃષ્ટિ પર કયું તત્ત્વ રાજ કરી રહ્યું છે?'
કર્મો! આઠ કર્મો! પિતાજી, અનંત અનંત જીવો, અનંત અનંત કર્મો કે જે આઠ કર્મોના ભેદ-પ્રભેદ છે, તેનાથી બંધાયેલા છે, લેપાયેલા છે, જકડાયેલા છે, આવરાયેલા છે અને એ કમાં જ જીવોને સુખ-દુઃખ આપે છે!”
એટલે મારા કર્મો તને સુખ આપી શકે? તારા કર્મો મને દુઃખ આપી શકે ખરાં?'
ના તાત! દરેક જીવન પોતાનાં જ બાંધેલાં કર્મોથી સ્વયં સુખ કે દુઃખ પામે. પુણ્યકર્મો ઉદયમાં આવે તો સુખ પામે અને પાપકર્મો ઉદયમાં આવે તો દુઃખ પામે. પિતાજી! આ દુનિયામાં કોઈ કોઈને સુખી ન કરી શકે કે કોઈ કોઈને દુઃખી ના કરી શકે. એટલે કોઈ મનુષ્ય એવું અભિમાન ન
૬૮
માણા
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાખવું જોઈએ કે ‘હું બીજાને સુખી કરું છું કે હું બીજાને દુઃખી કરી દઉં!’ રાજસભા સ્તબ્ધ હતી. મયણાનો મધુર સ્વર દૃઢ થતો જતો હતો. તે પોતાના પિતા-મહારાજાને કર્મસિદ્ધાંત સમજાવવા ઇચ્છતી હતી. તેણે સ્વરમાં નમ્રતા લાવીને કહ્યું :
‘હૈ તાત! જન્મ-જીવન અને મૃત્યુ - ત્રણેય પર કર્મોનું આધિપત્ય રહેલું હોય છે. કર્મોની અપ્રતિમ પ્રબળતાની આગળ દેવેન્દ્રો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવો પણ ઝૂકી પડે છે... નમી જવું પડે છે! અરે, તીર્થંકરોને પણ પોતાનાં પૂર્વકૃત કર્મોના ઉદયથી આવતાં સુખ-દુઃખ ભોગવવાં જ પડે છે!'
‘હે તાત, બારમા દેવલોકના ઇન્દ્ર સીતેન્દ્ર. નરકમાં ગયેલા લક્ષ્મણજીને બચાવીને નરકમાંથી લઈ આવવા ગયેલા... પણ તેઓ ન બચાવી શક્યા. નરકની વેદનાથી લક્ષ્મણજીને સીતેન્દ્ર મુક્ત ન કરી શક્યા.'
‘માટે કે તાત, મારી શ્રદ્ધા તો આ સર્વજ્ઞભાષિત કર્મસિદ્ધાંત પર છે.’ ‘પરંતુ બેટી, મારે તારા માટે યોગ્ય વર શોધવો પડે ને? મારે તને સુખી કરવાની ભાવના તો હોય ને?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ભાવના તો સહુ જીવોને સુખી કરવાની ભાવવાની છે, પરંતુ ‘હું જ તને સુખી કરી શકું', એવી ધારણા ખોટી છે.'
‘તો શું હું ધારું એને સુખી અને ધારું એને દુ:ખી ન કરી શકું એમ તું કહેવા ચાહે છે?'
અમણા
‘હા તાત, હું એ મિથ્યા અભિમાન ત્યજવાનું કહું છું... જોકે આવી રાજસભામાં આવી તાત્ત્વિક વાત કરવી મને ઉચિત લાગતી નથી...'
આવી સભામાં એટલે કેવી સભા છે આ?’
‘જી-હજુરિયાઓની સભા છે આ! આપ જે કહો... તેમાં હા પાડવાની... સંમતિ આપવાની... બસ એક ખુશામત કરવાની. આવી છે આ રાજસભા.’
ખેર, જેવી હોય તેવી ખરી સભા, તું તારા માટે કોને પસંદ કરે છે? અથવા તું કહે તો હું તારા માટે યોગ્ય વરની પસંદગી કરું? પરંતુ હવે તારાં લગ્ન થવાં જોઈએ.'
મયણાની દૃષ્ટિ જમીન પર સ્થિર થઈ. તેણે મનોમન કંઈક નિર્ણય કર્યો, મહારાજા સામે જોયું. તે બોલી :
‘તાત! પસંદગી કરવાવાળી હું કોણ? પસંદગી તો મારાં કર્મો કરશે! મને મારાં કર્મો પર વિશ્વાસ છે...'
For Private And Personal Use Only
૩૯
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘એટલે એક પિતાએ પોતાની પુત્રીના વિવાહનો નિર્ણય નહીં કરવાનો? અને તું કર્મ... કરમ કર્યા કરે છે, તો શું અમે તારાં માતા-પિતા કંઈ જ નથી? અમે તને જન્મ આપ્યો... તને પાળી, પોષી, ભણાવી... પ્રેમ આપ્યો, રાજમહેલના વૈભવાં આપ્યા... આ બધું તારે મન ખોટું છે?’
મહારાજાની આંખો ક્રોધથી લાલ બની.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા જીવનમાં આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે મારા પિતાને મેં આટલા ગુસ્સે બનેલા જોયા હતા. આ રીતે રાજસભામાં વિસ્ફોટ થશે, એવી મારી કલ્પના ન હતી. પણ સુરસુંદરીના પ્રસંગે જ્યારે મારા પિતાનું મિથ્યાભિમાન ઊભરાયેલું મેં જોયું ત્યારે મારું માથું ધૂણી ઊઠયું હતું. મેં કહ્યું :
‘પિતાજી, આપને સહેજ પણ દુ:ખ થાય તેવું હું કરવા માગતી નથી... તો પણ...’
‘તો પણ શું?'
‘મારી સાચી વાતથી આપને દુ:ખ થાય તો હું બીજું શું કરી શકું?' ‘એટલે માતા-પિતા પોતાનાં બાળકો પર કોઇ ઉપકાર કરતા જ નથી? બાળકોને સુખી કરતા જ નથી? તો પછી અમે આટલાં વર્ષ તમારા માટે શું ?'
‘માતા-પિતાનો સંતાનો પર પરમ ઉપકાર હોય છે. આપને હું મારાં ઉપકારી માનું છું. આપનાં ચરણોમાં પ્રતિદિન પ્રણિપાત કરું છું... આપની સમક્ષ હું એક સામાન્ય પુત્રી છું... આ વાત જેટલી સાચી છે, એટલી જ વાત કર્મોની સાચી છે! હે તાત, મારાં પુણ્ય કર્મોએ આપના મહેલમાં મને જન્મ આપ્યો! તમે અને મારી માતા તો નિમિત્ત માત્ર બન્યાં છો! તમે મને બધાં સુખનાં સાધનો આપ્યાં, પણ મારા પુણ્યના ઉદયથી પ્રેરિત થઈને આપ્યાં....
૭૦
‘મયણા, આ તારો સિદ્ધાંતનો અહંકાર બોલે છે. નિમિત્ત પણ મળવું તો જોઇએ ને? નિમિત્તનું શું કોઈ મહત્ત્વ જ નથી હોતું? તારે કંઈ ઇચ્છવું તો પડશે... તો તું પામીશ. તું નમીશ તો કોઈ તને ઉઠાવશે. તારી ઇચ્છા મુજબનો પુરુષ તારે નક્કી તો કરવો પડશે ને?'
‘તાત, અભીષ્ટની પ્રાપ્તિમાં ઇચ્છા બાધક બને છે. નિરીહભાવથી પોતાની આત્મરમણતામાં રહેવાનું સુખ કેવું છે, તે કેવી રીતે સમજાવું,
For Private And Personal Use Only
સમણા
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાત? “કાળ’ અને ‘કર્મ' અનુકુળ બને છે એટલે આપોઆપ અભીષ્ટની પ્રાપ્તિ થાય છે, તે તાત, સાચી વાત કહેવી તે અહંકાર નથી પણ સ્પષ્ટવાદિતા છે.”
“ના, ના, મયણા! તારું આ સર્વનાશી અભિમાન છે. આજ સુધી મેં મારા દેશમાં તારા જેવી સ્વેચ્છાચારી કન્યા બીજી જોઈ નથી.” ‘ભલે તાત, આપ એમ માનો...' “તો શું તું જીવનપર્યત કુંવારી રહીશ? સ્વચ્છંદાચારી.. ચોખ્ખું કેમ બોલતી નથી?
‘તાત, હું કંઈ જાણતી નથી કે મારા કર્મો કેવાં છે... કેવા કર્મો ક્યારે ઉદયમાં આવશે? હા, એટલું જાણું છું કે યોગ્ય કાળે ને સમયે મને પ્રિયતમની પ્રાપ્તિ થશે... મારી સામે આવીને ઊભા રહેશે... મારે શોધવા જવાની જરૂર નથી કે આપે પણ...”
મયણા, તું. હદ વટાવે છે આ તારો સ્વેચ્છાચાર છે. શું તને જન્મ આપનારાં જનક-જનેતાનો તારા પર કોઈ અધિકાર નથી?
મહારાજાની ઉગ્રતા વધતી જતી હતી. સભામાં ઉત્તેજના વ્યાપતી જતી હતી. સભાજનોના શ્વાસ અધ્ધર બંધાયા હતા, હૈયાં ધકૃ-ધ થઈ રહ્યાં હતાં, આ રાજહઠ હતી! સામે સ્ત્રીહઠ હતી!
“હે તાત, જનક-જનેતા આપ આ મારા દેહના છો. તે પણ માત્ર નિમિત્તરૂપે! મારા આત્માના માતા-પિતા તો જુદાં છે! આત્માનો શુદ્ધોપયોગ મારા પિતા છે ને આત્મરતિ મારી માતા છે! આ માત્ર વિચાર નથી, સિદ્ધાંત છે, સત્ય છે.'
તો હું તારો જનક નહીં? અને તારી માતાએ તને જણી નહીં?
હા, જન્મ આપનારાં મારાં કર્મો હતાં! તમે બંને એમાં નિમિત્ત બન્યાં હતાં! હું તમારી કૃતજ્ઞ છું; મહારાજા! આપનો ઉપકાર માનવો તે ઉપચાર છે, વ્યવહાર છે. જ્યારે વાસ્તવિકતા એનાથી જુદી છે. દરેક જીવ પોતાના જન્મ-જીવન અને મરણના સ્વામી સ્વયં છે, બીજા કોઈ નહીં.'
‘નિર્લજ્જતાની હદ છે ખરી? મારા જ વીર્યનું બુંદ મારી સામે વિદ્રોહ કરે છે...”
હે રાજેશ્વર! આપ આપના અનન્ત વીર્યને... આપના આત્મસ્વરૂપને ઓળખતા હોત તો...'
મણા
૧
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘ઉદ્ધત છોકરી, હું જાણું છું. બધું જાણું છું. હું તને જન્મ આપનાર જનક છું. મારા વિના........
‘તાત! મારા જો જન્મના તમે માલિક છો તો મારા મરણના પણ માલિક કેમ નહીં? જે મારા જન્મના સ્વામી છે, તે મારા મરણના પણ સ્વામી હોવા જોઈએ. હે તાત! શું આપ મને મૃત્યુથી બચાવી શકશો? અથવા મારી સાથે મરી શકશો?'
૭૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ચૂપ રહે. પિતાની સાથે વિવાદ કરતાં તને શરમ નથી આવતી? હું પણ જોઉં છું કે તારો હાથ કોણ પકડે છે? તારાં કર્મો તને કેવો વર લાવી આપે છે... માતા-પિતાની આજ્ઞા અને મર્યાદાનો ભંગ કરનારી કુલાંગાર કન્યાનું મોં જોવા હું નથી ઇચ્છતો...'
મહારાજાનો ક્રોધ આસમાને પહોંચ્યો.
‘તાત, મારા પર રોષ ન કરો. આપની આજ્ઞા શિરોધાર્ય છે. આપની મર્યાદા મારી આંખો પર છે. આપ મારા માટે જે પતિ પસંદ કરી લાવશો તેને હું વરીશ!'
મેં પિતાજીની ચરણરજ માથે ચઢાવી, પ્રણામ કર્યા અને હું મારી માતા રૂપસુંદરી પાસે ચાલી ગઈ.
For Private And Personal Use Only
મગણા
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણપક્ષ હતો. આકાશ હજુ નિરભ્ર થયું ન હતું. અવારનવાર વાદળાં જામતાં, વરસતાં હતાં. શરદની ચાંદની પણ દર વર્ષ જેવી સોહામણી બની ન હતી. જાણે તેની ચંદ્ર જેવી શીતળતાને કોઈએ રોકી લીધી હતી. ચંદ્ર ઢંકાયેલો ને તારા ધુમાયેલા દેખાતા હતા.
અમે અમારા નાનકડા છતાં સુંદર ઘરની બાલ્કનીમાં બેઠાં હતાં. મારી સાસુ રાણી કમલપ્રભા, એમના સુપુત્ર એટલે કે મારા પ્રિયતમ અને હું - અમે ત્રણેય બેઠાં બેઠાં વાતો કરતાં હતાં. મારી રાજસભાની વાત સાંભળી કમલપ્રભા ક્ષણભર થરથરી ગયાં હતાં. મેં મારી વાત આગળ ચલાવી.
ઉજ્જયિનીના રાજમહેલના આકાશમાં મેઘાડંબર જામી ગયો હતો. રાજહઠ, અહંકાર અને બદલાની ભાવનાએ મહારાજાને યમરાજ જેવું કુરૂપ આપ્યું હતું. તેમણે મારો પીછો પકડ્યો હતો. આખું નગર ડહોળાયું હતું. ઘેરાયેલાં વાદળ વધુ ઘેરાં બનતાં ચાલ્યાં હતાં. વરસવા પહેલાં પ્રલયંકર મેઘતાંડવ મંડાઈ ગયું હતું. મેં વિચાર્યું :
વાદળ ભલે ઘેરાયું. ઘેરાવા દે. વરસી જશે એટલે ફરીથી નિરભ્ર બનશે અને સત્યનો સૂર્ય સહસ્ત્રકિરણોથી ઝગમગી ઊઠશે.”
મારા મનોભાવ નદીનાં નીર જેવા સ્વચ્છ અને નિરભ્ર આકાશ જેવા શુભ્ર-શુચિ અને નિર્દોષ હતા. મારા મનમાં મારા પિતા પ્રત્યે કોઈ દ્વેષ નહોતો જભ્યો. તેમ છતાં હું સમજી ગઈ હતી કે હવે પિતાના પ્યાર ને વહાલની દુનિયામાંથી મેં વિદાય લીધી હતી. સુખ-દુ:ખ, શોક-ભય વગેરે બધી લાગણીઓને જાણે મેં દૂર હડસેલી મૂકી હતી.
સંધ્યાનો સમય હતો. ક્ષિપ્રા નદીના તટ પર આવેલા રાજપવનમાં હું વિહાર કરવા પહોંચી ગઈ. મારી સાથે મારી સખી લલિતા મૌનપણે ચાલી રહી હતી. ઉપવનમાં લતામંડપો હતા. તેમાં અનેક ભદ્રાસનો હતાં. એક ભદ્રા-સન પર હું બેસી ગઈ. લલિતા જમીન પર મારા પગ પાસે નતમસ્તકે બેઠી.
માણા
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા મનમાં રાજસભામાં થયેલા વિવાદની વાતો ઘૂમરાતી હતી. મેં વિચાર્યું. “મારાથી મારા પિતાનો અવિનય તો નથી થયો ને? જોકે મારા શબ્દોથી એમને ખૂબ આઘાત થયો છે, પરંતુ ક્યારેક સત્ય એવું ધારદાર હોય છે... બીજાને વાગે છે, બળે છે. હા, જો મેં પિતાના અભિમાનને, એમના કર્તુત્વના અભિમાનને પુષ્ટ કર્યું હોત તો તેઓ મારા પર, સુરસુંદરીની જેમ પ્રસન્ન થઈ, મારા મનગમતા કોઈ રાજ કુમાર સાથે પરણાવી દેતા પણ ક્યાં હજુ કોઈ રાજ કુમારને મારા પતિ તરીકે પસંદ જ કર્યો છે? અને એ પસંદગી કરનારી હું કોણ? અથવા મારા પિતા પણ મારા માટે એ વરની પસંદગી શાને કરે ?'
મને એમનું કર્તુત્વનું અભિમાન જરાય ન ગમ્યું. એ બોલ્યા કે “હું ધારું તેને સુખી કરી શકું અને ધારું એને દુઃખી કરી શકું...' આ કથને મને અકળાવી મૂકી. મારું મન ખળભળી ઊઠ્યું... એટલે મારે વસ્તુસ્થિતિ... કર્મનો સિદ્ધાંત બતાવવો પડ્યો... પણ ત્યાં એમનો અહંકાર એમને નડ્યો! “હું પિતા અને તું મારી પુત્રી... પુત્રીએ તો પિતાની દરેક વાત નીચા મોઢે માની જ લેવાની... કોઈ તક નહીં કરવાનો... કોઈ ચર્ચા નહીં કરવાની!” આવી વાત કેમ ચલાવી લેવાય? વળી તેઓ તો રાજા છે ને! એક તો પિતા અને વળી રાજ! એટલે અભિમાનના પહાડ પર બેસી ગયા. મારા પ્રત્યે અત્યંત નારાજ થયા. કેટલો બધો પ્રકોપ પ્રગટ્યો હતો રાજસભામાં! - હવે તેઓ મને દુઃખી કરવાના ઉપાયો શોધશે! હવે તેઓ મને પુત્રીરૂપે નહીં પણ શત્રુરૂપે જોવાના. એટલે મારી સાન ઠેકાણે લાવવા, એમની માન્યતાને સિદ્ધ કરવા મને દુઃખ કેમ પડે, એના વિચારો કરવાના! ભલે કરે, મારાં કર્મો મારી સાથે છે. મારાં પુણ્યકર્મોનો ઉદય હશે તો તેઓ મને દુઃખી નહીં કરી શકે અને મારાં પાપકર્મોનો ઉદય હશે તો મને સુખી નહીં કરી શકે! હું વિચારોના પ્રવાહમાં તણાતી જતી હતી. ત્યાં લલિતા બોલી : હવે અંધારું ઊતરી આવ્યું છે. આપણે મહેલમાં જઈએ.”
હા, ચાલ, મહેલમાં જઈએ.” હું સહસા ઊભી થઈ ગઈ અને અમે બે સખીઓ મહેલમાં પહોંચી.
મારે મારી માતા રૂપસુંદરી પાસે જવું હતું. મને મારી માતા ખૂબ ગમતી
૭૪
માણા
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી અને હજુ પણ ગમે છે. હું જ્યારે પ્રભાતે નિદ્રાનો ત્યાગ કરું, આંખો ખોલું ત્યારે મને એની અર્ધવિકસિત કમળ જેવી આંખો... અને પરવાળા જેવા એના અધરસંપુટ દેખાતા. એનામાં હિમાલયની શીતળતા અને વસંતની ઉષ્મા વરતાતી... અને ઊજળાં દૂધ જેવાં સુંદર વસ્ત્ર પહેરેલી મારી માં રૂપસુંદરી દેખાતી. હું એને લગભગ ભેટી પડતી.
પણ આજે જ્યારે હું એના ખંડમાં પ્રવેશી ત્યારે એ પલંગ પર ગુમસૂમ બેઠી હતી. હતી, એ એકલી જ હતી, હું એની પાસે જઈને ઊભી રહી. “મા!' હું બોલી.
બેટી...” એણે મારી સામે ભીની આંખે જોયું. મેં એની આંખો જોઈ... ને હું ચોંકી ઊઠી...
“મા, તું રડી છે? જરૂર રડી છે મા... શા માટે મા?' અને મારો સ્વર આદ્ર બની ગયો. હું મારી માને વળગી પડી. ખરેખર, મારી માની આંખોમાંથી આંસુ સારવા લાગ્યાં હતાં. મારા ઉત્તરીય વસ્ત્રથી એની આંખો લૂછી, એણે મારી આંખોમાં આંખો પરોવી... એની આંખોમાં ઉદાસી હતી... અજંપો હતો... આક્રોશ હતો...
મયણા...” તે બોલી. હું પલંગ પર એની પાસે જ બેસી ગઈ હતી. તારા પિતા આવ્યા હતા..' હં...' તીવ્ર કષાયમાં હતા...” હશે જ...” ન બોલવાનું બોલી ગયા... બેટી!” કષાયથી પ્રેરિત મનુષ્ય ન બોલવાનું જ બોલે...”
પણ તેમના જેવા મોટા માણસે આવું બધું અણછાજતું બોલાય? બાળકો તો બોલી જાય, પણ માતા-પિતાથી અઘટિત બોલાય ખરું? પણ તેમને કોણ સમજાવે?'
મા, કષાયપરવશ જીવને સમજાવવાનો પ્રયત્ન વ્યર્થ જાય છે. એને સમજાવવા જતાં એનો રોષ બળવત્તર થાય છે.”
તે છતાં, તેમને ખોટું પગલું ભરતાં તો રોકવા પડશે...' એટલે?” ‘તેઓ તને તારાં કર્મોના હવાલે કરવાના બહાને, કોઈ દુઃખી, દરિદ્ર...
અયા
૭પ
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અપંગ... એવા યુવક સાથે...' મારી મા બોલી ન શકી... તેનાથી ડૂસકું
મુકાઈ ગયું.
‘મારી મા! તું આવી ચિંતા કરે છે? તું તો જિનમતની જ્ઞાતા છે. કોઈ કોઈને દુઃખી કરી શકતું નથી. કોઈ કોઈને સુખી કરી શકતું નથી. મા, આ સિદ્ધાંતની તો મારી લડાઈ છે! અને હું આ સિદ્ધાંતને વળગી રહેવાની છું! મારા પિતાનું કર્તૃત્વનું અભિમાન મારે તોડવું જ છે. એ ભલે એમ માને કે ‘હું મયણાને દુ:ખી કરી દઈ, એના સિદ્ધાંતને ખોટો સિદ્ધ કરી દઉં...!' ના, મા! ના, એમનાથી હું ડરતી નથી. દુ:ખોથી ડરવાનું શા માટે? પૂર્વજન્મોમાં પાપકર્મો બાંધ્યાં હશે અને એ કર્મો આ જન્મમાં ઉદયમાં આવશે તો દુઃખ આવશે જ! એ દુઃખોનો સમભાવે સ્વીકાર કરી લેવાનો. મન પર એ દુઃખોનો ભાર નહીં રાખવાનો, આ વાત હું સારી રીતે સમજેલી છું.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘એટલે બેટી, તારા પિતા તને કોઈ રસ્તે રઝળતા ભિક્ષુક સાથે...... અનાથ સાથે... અપંગ સાથે પરણાવી દેશે તો તું પરણી જઈશ?'
‘હા માતા! જરૂર પરણી જઈશ...! જો મારા પુણ્યકર્મનો ઉદય હશે તો એ ભિક્ષુકના દેહમાં કે વેશમાં કોઈ ભવ્ય આત્મા છુપાયેલો હશે! કોઈ ઉત્તમ પુરુષ રહેલો હશે! કોઈ રાજકુમા૨ આવેલો હશે! શા માટે ચિંતા કરે છે મા? સર્વજ્ઞ પરમાત્માના આ સિદ્ધાંત પર મારી અવિચલ શ્રદ્ધા છે!'
‘પણ ભદ્રે, મારી આવી ઊગતી કળી જેવી પુત્રીને દુઃખી થતી હું નહીં જોઈ શકું... નહીં જોઈ શકું, બેટી...' મારી મા આવેશમાં ઊભી થઈ ગઈ.
‘હું મહારાજાને સ્પષ્ટ શબ્દોમાં કહી દઈશ કે પુત્રી માત્ર તમારી જ નથી, મારી પણ છે. મારી સંમતિ વિના તમે એનાં લગ્ન નહીં કરી શકો.’
50
‘માતા, તો આપણી વાત... આપણો પડકાર ઢીલો પડી જશે. તું પણ મા, સર્વજ્ઞ-મતને માનનારી છે ને? ભગવાન ઋષભદેવની ઉપાસિકા છે ને? ગુરુદેવ મુનિચન્દ્રસૂરિની શિષ્યા છે ને? તું જરાય ન ગભરાઈશ, મા. આપણા માથા પર પરમાત્માની અચિંત્ય કૃપા છે અને સદ્ગુરુના આંતરિક આશીર્વાદ છે મા, પછી ડરવાનું શાનાથી?' મારી મા, તું સાંભળ :
For Private And Personal Use Only
માણા
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં, શું આને તું સુખ કહે છે? ધગધગતી રેતીના રણને તું સમજું, ફૂલઝાડ કહે છે? તું શું આને સુખ કહે છે?
ધન-યૌવન-જીવનના રંગો ઊઠતા-શમતા તરલ તરંગો ક્ષણજીવી... સ્વપ્ન જેવા શાશ્વતને એની ખાતર ખોવા?
મૃગજળને શું તું સુખ કહે છે?
મા, શું આને તું સુખ કહે છે? રોગો જેમાં સળવળે છે, ન ક્ષણભર કળ વળે છે... ને ક્ષણ ક્ષણ જે પીગળે છે...
દુર્ગધથી ભરેલી કાયાને તું સુખ કહે છે?
માં, આને તું સુખ કહે છે? ન કર પ્યાર, નથી એ રસની ધાર નથી એ પ્રેમ-અભિસાર આ બધો છે બેતાલ સૂર-અસાર એને તું મલહાર કહે છે?
તું શું એને સુખ કહે છે?
મારી મા, તું શું આને સુખ કહે છે? મારી માતા રૂપસુંદરી સ્થિર દૃષ્ટિએ જોતી રહી. મને લાગ્યું કે એને કંઈક કહેવું છે. “બોલ મા! શું કહેવું છે તારે?”
તો પછી વીરાંગના બનીને બેટી, ઝઝૂમવું પડશે. આ તો સત્તાધીશ છે.. રાજા-મહારાજા છે... એમના હાથ ઘણાં લાંબા હોય છે, બેટી..”
મા, તું પાછી ભૂલી ગઈ? બધાનાં હાથ કરતાં મારા પરમાત્માના હાથ ઘણા જ લાંબા છે ને આભ ઊંચા છે! મારા ગુરુદેવના હાથ વજ જેવા દઢ છે ને કમળ જેવા કોમળ છે! અને મારો ધર્મ - મારો શીલધર્મ.. મારી રક્ષા કરવા સદા-સર્વત્ર તત્પર છે.. માટે મારી મા! મારી વહાલી મા! તું
માણા
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પણ મારા પક્ષે છે ને! મારા પંડિત... મહામનીષી સુબુદ્ધિ પણ મારા પક્ષે છે. મહામાત્યની પણ મારા પ્રત્યે... તારા પ્રત્યે કેટલી બધી સહાનુભૂતિ છે!'
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો પછી તારા તાતને...'
કોઈ આજીજી કરવાની આવશ્યકતા નથી. કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી. એમને જે કરવું હોય તે કરવા દે!' અમે મા-પુત્રી મૌન થઈ ગયાં.
રાતનો પહેલો-બીજો પ્રહર વીતી ગયો હતો. અમે સૂઈ જવાનો નિર્ણય કર્યો. દીપકો ઝાંખા કરી દાસી બહાર ચાલી ગઈ.
For Private And Personal Use Only
માણા
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
ઉજ્જયિની રાત્રિના અંધકારમાં સ્તબ્ધ હતી. વાતાવરણમાં અપૂર્વ નીરવતા હતી. પરંતુ મારા અણુ-અણુમાં ઝંકાર હતો. સ્પંદન હતું. સંવેદનાસંચેતના હતી. કેટલી માર્મિક અને વેધક હતી એ સંચેતના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું મારી કથા સંભળાવતી જતી હતી... હવે કથામાં વળાંક આવતો હતો. એ વળાંકે ‘એ' ઊભા હતા! શ્રીપાલ! ના, ના, ઉંબરરાણા!
એ બોલી ઊઠયા : ‘હવે મને મારી કરમકથા કહેવા દો...'
‘ના, બેટા, ના, પહેલાં, તારી કથા નહીં, મારી કથા કહેવી પડશે. એ પછી તારી કથા શરૂ થશે, પહેલાં મારી કથા સાંભળો.'
મયણા
સંભારણાં! એ વીત્યા દિવસોનાં સંભારણાં! એ પાગલ જીવનના અવશેષો... એના ય ધ્વંસાવશેષ... વિસ્મૃતિના શ્યામલ પટ પર પણ કદી યે વિલુપ્ત નહીં થનારાં એ સ્મરણો... કેવી અને કેટલી માદકતા ભરી છે એમાં? કેવી વેદના અનુભવાય છે એમાં? કેટલું દર્દ ચૂંટાયેલું છે એમાં? સુખ-દુ:ખનું એ અજબ સંમિશ્રણ - ઉલ્લાસ અને નિશ્વાસ... વિલાસ અને વેદના, ઐશ્વર્ય અને દારિદ્રચનું ભીષણ અટ્ટહાસ્ય... આહ...! કેટકેટલા નિશ્વાસ ને નિસાસા ભર્યા પડ્યા છે એમાં?
મારું ગત જીવન એ તો એવું સંભારણું છે કે જે સુખ-દુઃખથી જર્જરિત તથા માનવીય આકાંક્ષાઓ અને ભાવનાઓથી છિન્નભિન્ન પ્રાસાદનું એક કરુણાપૂર્ણ અવશેષ છે. એવા અનેક અવશેષો પરથી કાળનો અસીમ પ્રવાહ વહી રહ્યો છે. તેમાં નિતનવા તરંગો ઊઠ્યા છે... ભરતી વધતી ગઈ છે અને મારા જીવનના એ અવશેષ જાણે જળમગ્ન ખંડેરો થઈ ગયા છે. જળની અંદર જ અનાયાસ ધોવાઈને નાશ પામ્યા છે... હવે રહી છે સ્મરણોની થોડી શી માટી.
પણ એ માટીમાં ય જીવન છે. ભાવનાઓ અને વાસનાઓ એને ઉદ્દીપ્ત કરે છે. વિસ્મૃતિની શીતળતા એને ઠારે છે અને સુખ-દુઃખની ભીષણ આંધી
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એ જીવન-કણોને વેર-વિખેર કરી નાંખે છે. શાંત બની જાય છે. એ સ્મૃતિકોની ઉવેખના કરી, એને વેરવિખેર કરી, એનો નાશ કરી કાળ શાંતિનો શ્વાસ લે છે. છતાં એ કણ એ સ્મરણો પર વહાવેલા સુખદુઃખના અશ્રુવારિએ પુનઃ અંકુરિત થાય છે અને એ નવઅંકુરિત કણોના આધારે સર્જાય છે એક સ્વપ્નલોક! અને એક વાર ફરીને આપણે એ વીત્યા દિવસોની માદકતા અને વેદનાની સૃષ્ટિમાં વિહરવા માંડીએ છીએ. એ અશ્રુપૂર્ણ જીવન માનવજીવનને જાળવી રાખે છે. પાષાણહૃદયી કાળ પણ પોતાના કઠોર અને પ્રલયંકર સ્વભાવને ભૂલી ગયો અને એ સ્વપ્નલોકમાં વિચરતાં વિચરતાં એ પોતે જ એક સંભારણું બની ગયો છે!
સંભારણાં! સ્વપ્નલોકનાં સંભારણાં! એના સુખમય દિવસોના ભગ્નાવશેષ છે. આ પાર્થિવ જગતમાં અવતરીને પણ સુંદર સ્વર્ગીય સ્વર્ગલોકને સ્વપ્નલોકને માનવી ભૂલી શકતો નથી. એ મૃગતૃષ્ણામાં દોડવાની ઇચ્છા... એ વિશુદ્ધ કલ્પનાલોકમાં વિહરવાની ઘેલછા... એ અદમ્ય ઇચ્છાની તૃપ્તિ કાજે માનવી આખું જીવતર દોડે છે. દોડ્યા જ કરે છે. અને એનું એ મનોહર આકર્ષક રૂપ માનવીને લલચાવતું આખરે ત્યાં લઈ જાય છે કે જ્યાં કલ્પનાનું સ્વર્ગ સ્થાયી નથી હોતું! એ અચિર સ્થાયી સ્વર્ગ ખંડિત થઈને માનવીને મર્માહત કરી એનો નાશ કરી શકે છે.
८०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં એ સ્વપ્નલોકમાં, એ સ્વર્ગમાં એક આકર્ષણ છે, એક મનમોહક જાદુ છે કે જે માનવીને નિરુપાય બનાવીને પોતાના તરફ ખેંચેતા જાય છે. એ સ્વપ્નલોકની દુઃખદ કરુણ કથા... ભગ્ન કથાની એ વ્યથાભરી વાત જાણે છે, તેની અસારતાને ઓળખવા છતાં માનવી એની તરફ જ ખેંચાતો ચાલ્યો જાય છે. હું પણ ચાલી રહી હતી.
એ સ્મરણો, ભગ્નાશાઓના એ અવશેષો... કેટકેટલા ઉન્માદક હોય છે? પ્રેમની એ કરુણ કથા જોતાં ન જાણે શાને આંખમાં આંસુ ભરાઈ આવે છે! એ ભગ્ન ખંડેરોમાં ફરતાં દિલમાં એક તોફાન ઊઠે છે. નિસાસો મૂકી દેવાય છે. હૈયું ભરાઈ આવે છે. આંસુ સરી પડે છે. ભગ્ન સ્વપ્નલોકના, ભાંગી પડેલ હૈયાના, વેરાન બનેલા સ્વર્ગના એ ખંડેરોએ પણ એક નવો માનવકલ્પનાલોક સર્જ્યો છે. હૃદય તલસે છે, મગજ બેહોશ બને છે. સ્મૃતિઓનું વાવાઝોડું ઊખડે છે, ભાવોનો પ્રવાહ છલકાઈ ઊઠે છે. આંખોમાં ઝળઝળિયાં ઊભરાય છે અને વિસ્મૃતિની એ માદક મદિરાનું પાન
For Private And Personal Use Only
મયગા
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને હું જાણે ક્યાંય તણાઈ રહી હતી. નસોમાં ધ્રુજારી ઊઠી હતી. મગજ કોઈ નવી તાજગી અનુભવી રહ્યું હતું.
પાગલપણું? દીવાનપણું? કંઈ યે સમજાતું ન હતું. આ શું થઈ ગયું? કેવી રીતે થઈ ગયું? કોઈ જ માર્ગ સૂઝતો ન હતો.
હું કોંકણદેશની રાજકુમારી કમલપ્રભા, લગ્ન કરીને ચંપાનગરીના રાજા સિંહરથની મહારાણી બનીને આવી હતી. ચંપાનગરીના સામ્રાજ્યના નવયુવાન સમ્રાટ સિંહરથનું એ મદભર્યું છલકતું યૌવન, એ મસ્તાની અદા... આજે એની સ્મૃતિ મનને પાગલ કરી મૂકે છે. રાજ્યની પ્રજા આખી એનાં ચરણે આળોટતી હતી. યવન-સાકી મદિરાનો જામ ભરાઈ ગયો હતો. રાજ્યશ્રી એના ચરણે નર્તનરત હતી. પણ દુર્ભાગ્ય.. એ મારો હૃદયનાથ એ પ્રેમી પોતાની પ્રેયસી-નગરીથી રિસાઈ ગયો... માત્ર બે વર્ષનો રાજકુમાર આપીને તેણે મને વિધવાનો વેષ અંગીકાર કરાવ્યો. તેણે પોતાનું ભગ્ન હૃદય મારા ઉસંગમાં અર્પીને મૃત્યુનું આલિંગન લીધું! સધવાવસ્થાનું એક માત્ર ચિહ્ન સેંથાનું સિંદુર ભૂંસાઈ ગયું... યૌવનની માદકતા ઠીંગરાઈ ગઈ.
મહારાજા સિંહરથની હું પહેલી પ્રેમકથા હતી. એ કથાનો માત્ર ચાર જ વર્ષમાં કચ્ચરઘાણ નીકળી ગયો. મારી ઊગતી જવાની અને મારા ભગ્ન હૈયા પર થતા કારમા કઠોર ઘા.. એમના હૃદયમાં વેદનાનો કોઈ પાર ન હતો. અમારું એ અસ્થાયી મિલન, ગણ્યાગાંઠ્યા દિવસોની એ સુખદ પળો અને પછી એમનો ચિરવિયોગ. પરસ્પરને ઝંખતા ને ઝૂરતા અમારા આત્માઓ નાહ્યા છતાં ય શાંત ન થયા અને આજે હું મારી છાતી પર પથ્થર મૂકી મારા વિદ્રોહી હૃદયને દાબી રહી છું.
કારણ, જ્યારે મારો પુત્ર શ્રીપાલ બે વર્ષનો થયો, રાજપરિવાર અને મંત્રીમંડળની સલાહ મુજબ શ્રીપાલનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો. હું રાજમાતા બની ગઈ. મહામંત્રી મતિસાગરે રાજ્યની સુવ્યવસ્થાનો સંપૂર્ણ ભાર ઉપાડી લીધો હતો. મારા દિયર અજિતસેન શ્રીપાલના - બાળરાજાના પડખે - અડીખમ થઈને ઊભા રહ્યા.
પ્રેમ અને કરુણાના, સ્નેહ અને સંબંધોના પ્યાલા ભરાતા રહ્યા... ભરાતા રહ્યા... એક વર્ષ, બે વર્ષ... પરંતુ પછી એ પ્યાલા ઢળવા માંડ્યા, ફૂટવા માંડ્યા. અને અમૃતની જગાએ માનવરુધિર વહેવાની
માણા
૮૧
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપ્ત મંત્રણાઓ શરુ થઈ. પયંત્ર રચાયાં.
અજિતસેન કાકાએ ભત્રીજાનો વધ કરી, સ્વયં રાજ્ય પ્રાપ્ત કરવાનું પડ્યુંત્ર રચ્યું. સેનાપતિઓને ફોડ્યા... મંત્રીઓને વશ કર્યા. દિયર દગાખોર બન્યો.
મહારાજા સિંહાથે જે ચંપાને વસાવી હતી, સજાવી હતી. જેને પાર્થિવ સ્વર્ગ બનાવ્યું હતું, જેને પોતાની ભાવનાઓથી, પોતાના અંતરનાં વારિથી સીંચ્યું હતું.. જે સૌરભ, સંગીત અને સૌંદર્યનો ચિરપ્રવાહ વહેતો કર્યો હતો, પ્રેમરસના એ સુંદર ઝગમગતા સ્ફટિક પ્યાલા... વર્ષો સુધી એ પ્યાલાઓ ભરાતા જ રહ્યા હતા. જીવનરસ એમાં ઠલવાતો રહ્યો હતો. પરંતુ એક દિવસે અજિતસેને એ સૌંદર્યની લાલીને માનવરુધિરની લાલીથી ફિક્કી પાડી દેવાનો પેંતરો રચી દીધો હતો. બાળકુમારના જીવનરસને સૂકવી નાંખનાર મૃત્યરૂપી હળાહળ ઝેર એમાં ઠલવવાની યોજના નિશ્ચિત બની હતી.
પરંતુ મહામંત્રી મતિસાગર, સ્વ. મહારાજાના પૂર્ણ ભરોસાપાત્ર પુણ્યપુરુષ હતા. તેઓ તેમના આવાસમાં રાત્રિના સમયે આંટા મારી રહ્યા હતા. સોના અને રૂપાની દીવીઓ ઉપર દીપશિખાઓ ઝાંખી પડી ગઈ હતી. સેવકો નિરાંતે સૂઈ ગયા હતા. મંત્રીરાજ પ્રાસાદની બારી વાટે ગૃહઉદ્યાન વીંધીને દૂરદૂર અંધકારમાં જોવા મથતા હોય તેમ નજર ફેંકતા, આંટા મારી રહ્યા હતા. ગ્રીષ્મનો અકળાવી નાંખનારો દિવસ હતો. આખા દિવસની રાજ કાજની લાંબી માથાકૂટ ને વીતેલી સુદીર્ઘ રાત્રિ.. છતાં આજે મહામંત્રી કોઈ ગંભીર વિચારણામાં હતા. ખંડમાં આંટા મારી રહ્યા હતા. તેમના મોટા ભરાવદાર સ્નાયુબદ્ધ પગ, વિરામખંડની પૃથ્વીને દાબવા મથતા હોય તેમ અવિશ્રાંત ચાલી રહ્યા હતા. તેઓ ગુપ્તમાર્ગે મારા રાજમહેલમાં, મારા શયનખંડમાં આવી પહોંચ્યા.
ક્ષણભર તો હું સ્તબ્ધ થઈ ગઈ. તેઓ મારી સામે આવીને ઊભા રહ્યા. તેમની દષ્ટિ નીચી હતી. હું આસન પરથી ઊભી થઈ ગઈ અને મહામંત્રીને બેસવા નિમંત્રણ આપ્યું. પણ આ શું?
એમની આંખોમાં આંસુ? હા, ઊનાં ઊનાં આંસુ. નિશ્વાસની ભઠ્ઠીમાં તપેલાં આંસુનાં બિંદુઓ!
૮૨
મુબા
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“બોલો, મહામંત્રી,.. જે વાત હોય તે નિ:સંકોચ કહો...” "દેવી, ધીમે બોલો... દીવાલોને કાન હોય છે...” હું મૌન થઈ ગઈ. “મહારાણી, આજે જ બાળરાજાને લઈ ગુપ્ત રસ્તે આપ જંગલમાં અદશ્ય થઈ જાઓ... અત્યારે જ આ રાત્રિમાં...'
નહિતર?' બાળરાજાની હત્યા... તમારી હત્યા... મારી હત્યા...”
હા! પડ્યુંત્ર ગોઠવાઈ ગયું છે.” “મહામાત્ય... આ બધું શું? બે વર્ષ પૂર્વે વિધવા બની અને આજે મારે રસ્તાની રઝળતી. ”
હાજી, આ બાળકુમારની રક્ષા ખાતર જંગલમાં ભાગી જવું પડશે. છુપાઈ જવું પડશે. રૂપપરિવર્તન કરવું પડશે... જંગલોનાં કષ્ટો સહવાં પડશે!'
મારી સ્વપ્નસૃષ્ટિ ભાંગી પડી. આંસુઓ વહેવા લાગ્યાં. એ આંસુઓમાં સ્વર્ગ મારું વહી ગયું. સ્વપ્નસૃષ્ટિમાં સ્વર્ગને વેરાન બનતું જોયું. સ્વપ્નમાં પણ હાય, એ સ્વર્ગ ચિરસ્થાયી થઈ ન શક્યું. સ્વપ્નલોકમાં એ જ રુદન!
માનવઆકાંક્ષાઓ ભગ્ન બને છે, નિરાશાઓ મોં ફાડીને એની સામે ઘૂરકે છે. કઠોર નિર્જીવ જીવન એ સ્વર્ગને હતું ન હતું, કરી મૂકે છે. છતાંય સ્વપ્નો જોવાની આ લત! આટલાં કઠોર સત્યોના અનુભવ પછી અને આવાં કરુણાજનક દ્રશ્યો જોવા છતાંય ફરીફરી એ સુખદ દિવસોને યાદ કરવા સ્વપ્નસૃષ્ટિમાં વિહરવાનું એ પ્રલોભન... એક વાર હોઠે લગાડી તરછોડી દેવું... કેટલી કઠોરતા? હૈયું દાખવી ન શકે તેવી નિષ્ફરતા જોઈએ.
પણ મારી એ સ્વપ્નસૃષ્ટિ મારા આશ્ચર્ય અને આનંદની એ વસ્તુ ભાંગી પડી... ઊડી ગઈ... પાર્થિવ સ્વર્ગને વેરાન બનતું જોયું, એ ખંડેરોનું કરુણ
દન સાંભળ્યું, એના એ મર્મભેદી નિસાસા સાંભળ્યા. એની સાથે હું પણ રડી પડી. મને લાગ્યું કે હું ખરેખર હું લૂંટાઈ ગઈ.
મને મહામંત્રીએ રાજમહેલમાંથી ગુપ્ત સુરંગના માર્ગે નગરની બહાર કાઢી. રાતનો પહોર હતો. મહામંત્રી માર્ગ ચીંધી, નમન કરી ચાલ્યા ગયા. કહેતા ગયા : “હવામાં ઓગળી જજો! શત્રુના હાથમાં ન આવી જશો...”
માણા
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્જન નદીકિનારે હું ચાલી. મારી છાતીએ રાજ કુમારને મેં ચીપકાવેલો હતો. તે ખરેખર ઊંઘી ગયો હતો. નિર્જન નદીનો કિનારો અને વારેવારે ઊભા થતા વનવગડાના ઠંડા હિમ વાવંટોળ... દૂર દૂર નગરના ગુંબજો પર લટકતા આકાશ-દીપકો ય આકાશદીપક જેવા દેખાતા હતા. નદીકિનારા પરનું સ્મશાન દેખાયું. સ્મશાનમાં ઘોરખોદિયાં જાનવરો લપાતાં-છુપાતાં ફરતાં હતાં. એમની હડફેટે ચડતી માનવીની ખોપરીઓ ને હાડકાં ચિત્ર-વિચિત્ર અવાજ કરતાં હતાં. આકાશમાં કોઈ ફણીધરના સળવળાટ જેવો વીજળીનો લસરકો થયો અને મારી આગળ કીચડભર્યું નાળું જોયું. એની બદબો-કીચડ, કાંટા.. ઝાંખરાં મને મૂંઝવી ન શક્યાં. હું ઉઘાડે પગે જાણે દોડી રહી હતી. મનમાં શત્રુનો ભય હતો. પુત્ર રક્ષાની ઝંખના હતી.
મેં મારી પોતાની જાતને જીવનની કોઈ સાંકડી ગલીમાં કોઈ નિર્જન અને ઉજ્જડ ભૂપ્રદેશ પર એકલી-અટૂલી બનીને ઊભેલી જોઈ. એ સાંકડી અને ઉજ્જડ ભૂમિની એક બાજુ ધસમસતો, ઉધમાત મચાવતો, ખળભળાટ કરતો પ્રચંડ પ્રવાહ વહેતો હતો. આ પ્રચંડ પ્રવાહમાં જ મારે તણાવાનું હતું. હું અકળવિકળ બનતી હતી. મારું દૈનિક જીવન ખળભળી ગયું હતું. મારું વ્યગ્ર મન અભાનપણે બોલી ઊઠતું હતું “આ સંસાર? આવી દુનિયા? આ કઠોર નિષ્ફર પાર્થિવ જગત મારું સર્વસ્વ લૂંટી ગયું.'
હું હીબકીહીબકીને રડી પડી. કઠોર પાર્થિવ જગતમાં આ કઠોર લોકમાં જ્યાં માનવભાવોની કોઈને કંઈ પરવા નથી; માનવઇચ્છા આકાંક્ષાઓનો ઉપહાસ કરવો એ એક સ્વાભાવિક વાત છે; જ્યાં માનવહૃદય પર ઘા કરવામાં જ મનોરંજન રહેલું છે ત્યાં ઓહ...! આથી વધારે હું વિચારી નથી શકતી.
મારે મારા પુત્રને સુરક્ષિત જગાએ મૂકવો હતો. રાજા અજિતસેન દુશ્મન બન્યો હતો. એ મને અને કુમારને ગમે ત્યાંથી શોધી કાઢીને મોતના ઘાટે ઉતારી દેવા ઇચ્છે છે. એવું કંઈ બને એ પૂર્વે મારે પુત્રને સુરક્ષિત જગાએ મૂકી દેવો જોઈએ.
એ અંધારી રાત હતી. આખી દુનિયા પર ઘોર અંધાર છવાયો હતો. છતાં જગત સૂતું ન હતું. ચંપાનો એ તાજ, ચંપાના સામ્રાજ્યનો એ સિતારો... માતા કમલપ્રભાના હૃદયાકાશનો એ ઉજ્જવલ ચન્દ્ર આજે સદાને
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માટે છુપાઈ જવાનો હતો. શિશુને જન્મ આપનારી માતાએ જીવસટોસટની બાથ ભીડી હતી. સ્નેહ અને જીવનની એ જાણે આખરી પળો હતી, એ રાજમહેલના સુખમય દિવસોનો, પ્રેમ અને આહ્લાદથી પૂર્ણ છલકતા એ જીવનનો હવે અંત આવનાર હતો. જગત કેટલું ક્ષણભંગુર છે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ભયથી વ્યાકુળ હતી. માર્ગ અજાણ્યો હતો. આંધી વધતી જતી હતી. ભાગ્યાકાશ દુર્ભાગ્યરૂપી વાદળોથી છવાઈ રહ્યું હતું. રોઈરોઈને આસમાને સર્વત્ર આંસુરૂપી ઝાકળબિંદુ વેર્યાં હતાં. આહોના ધુમ્મસમાં મને માર્ગ સૂઝતો ન હતો. એ વેરાન-ઉજ્જડ પ્રદેશમાં ચાલીચાલીને... દોડીદોડીને હું થાકી ગઈ હતી. છતાં મારા લાલને છાતીએ વળગાડીને હું ચંપાથી દૂર દૂર ચાલી રહી હતી. મને ખાતરી હતી કે મને અને બાળરાજાને પકડવા માટે અજિતસેન એના સૈનિકોને મારી પાછળ ચારેય દિશાઓમાં દોડાવશે જ.
ખરેખર મારા એ નાલાયક દિયરે મારા સ્વર્ગસમા સંસારમાં નરકનું વિષ ફેલાવ્યું હતું. અનંગયૌવના વિષકન્યા પણ હોય છે. એનો સહવાસ સેવીને કોણ ચિરંજીવ બન્યું છે? ખેર, દુઃખના ભૂતે સુખને સતાવ્યું છે. મસ્તી અને ઉન્માદને ક્ષયનો રાજયોગ વળગ્યો છે! મારી આશાઓ અને કામનાઓને નિષ્ઠુર સંસાર દ્વારા કચડાતી જોઈને હું રડી પડી હતી, મારું સજીવ કોમળ હૃદય ફાટીને જાણે ટુકડેટુકડા થઈ ગયું હતું... એ ટુકડાઓ મારા આખા યે ભગ્ન સ્વપ્નલોકમાં વિખરાયેલા નિર્જીવ થઈને પડેલા છે.
અરુણોદય થયો હતો.
હું એક ભીષણ અટવીમાં પ્રવેશી ગઈ હતી. ત્યાં મને ચારેય બાજુથી દુઃસહ દુર્ગંધ આવવા લાગી. મેં આસપાસ જોયું, દૂર દૂર નજર નાંખી... પરંતુ ખ્યાલ ન આવ્યો કે આવી ઘોર દુર્ગંધ ક્યાંથી આવી રહી છે... હું અટવીમાં ધીરે ધીરે આગળ વધતી ચાલી... ત્યાં એક એવો નદીકિનારો આવ્યો કે જેના તટ પર નાના-નાના પહાડો હતા. પહાડોમાં નાની-નાની ગુફાઓ હતી. મેદાનોમાં ઘટાદાર વૃક્ષો હતાં... અને ત્યાં સેંકડોની સંખ્યામાં માણસો હતા! માણસો હતા પણ કોલાહલ ન હતો.
મણા
એ સેંકડોની સંખ્યામાં કુષ્ઠરોગી પુરુષો હતા. કોઈ પહાડોની ગુફાના દ્વારે બેઠેલા હતા, કોઈ વૃક્ષોની છાયામાં બેઠેલા હતા. કોઈ પહાડની
For Private And Personal Use Only
૮૫
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બખોલામાં બેઠેલા હતા, સૂતેલા હતા. એમનાં અંગો-પ્રત્યાંગો ગળી ગયેલાં હતાં. તેમના હાથની આંગળીઓ ખરી પડી હતી અને તેમાંથી દુર્ગધમય રસી ઝરતી હતી. તેમનાં નાક-કાન સડી ગયેલાં હતાં. એમને જોવા આંખો રાજી થતી ન હતી. હાથ-પગની ચામડી સફેદ પડી ગઈ હતી અને એમાં છાલાં પડી ગયાં હતાં. તેમાંથી દુર્ગધ મારતું દ્રવ વહેતું હતું.
કુષ્ઠરોગીઓનું વસેલું એક ગામ જ હતું એ. કમલપ્રભા રાજપુત્રને ખભેથી ઉતારી, એક પાષાણ પર બેઠી. અજાણી સન્નારી.. તે પણ સુંદર વસ્ત્રાલંકારથી સુશોભિત સ્ત્રીને, પુત્ર સાથે એકલવાયી આવેલી જોઈ કુષ્ઠરોગીઓનો સરદાર પ્રભાતસિંહ કમલપ્રભા પાસે આવ્યો. તેણે નમ્રતાથી કમલપ્રભાને કહ્યું :
“હે દેવી! આપ ભૂલાં પડીને અહીં આવી ચડ્યાં છો? આ પ્રદેશમાં અમે સાતસો કુષ્ઠરોગીઓ રહીએ છીએ. અમે પણ નગરમાં જ જન્મ્યા હતા, પરંતુ આ ચેપી કુષ્ઠરોગના લીધે અમને શહેર-નગરો-ગામોથી દૂર રહેવાનો જનાદેશ છે. રાજાનો પણ આદેશ છે. અમે કેટલાક સમયથી અહીં રહીએ છીએ.
“હે ભ્રાતા! હું ચંપાનગરીની રાજરાણી કમલપ્રભા છું. ચંપામાં રાજવિદ્રોહ થયો છે. બાળરાજાનો વધ કરી, એનો કાકો અજિતસેન રાજા બનવા ઇચ્છે છે કે આજે બની પણ જશે. એ બાળરાજાની હત્યા ન કરી નાંખે, તે માટે, હું રાતોરાત રાજ કુમારને લઈને ભાગી છું... ને અત્યારે તમારા શરણે આવી છું. મારા વીરાઓ! તમે મારી અને મારા પુત્રની રક્ષા કરી શકશો? હમણાં જ નવા રાજા અજિતસેનના સૈનિકો આવી પહોંચશે. અમને જોશે તો જોતાંની સાથે જ એ અમારો વધ કરશે! એ મહારાજા સિંહરથનો વંશવેલો નષ્ટ કરવા ઇચ્છે છે. જ્યારે હું કોઈ પણ રીતે રાજ કુમારને જીવતો રાખવા ઇચ્છું છું. “જીવતો નર ભદ્રા પામે!” માટે મારી તમને વિનંતી છે કે તમે અમારી, માતા-પુત્રની રક્ષા કરો. અમને છુપાવી ઘો. "બહેન!' પ્રભાતસિંહે કમલપ્રભાને પોતાની સગી બહેન કરી.
બહેન, તું નિશ્ચિત રહે, અમે તમારા બંનેની સંપૂર્ણ રક્ષા કરીશું! અજિતસેનના ઘોડેસવારો ભલે આવે. તમને એ શોધી નહીં શકે. પણ એક વાત...'
૮૩
મયણા
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલો, શી વાત છે?' બાળરાજાને કુષ્ઠરોગ લાગી જશે!' ભલે લાગે!” “તો નિર્ભય રહો!'
જીવતો નર ભદ્રા પામે છે. એ જીવંત રહેશે તો એનો રોગ હું દૂર કરવા ગમે ત્યાંથી વૈદ્યરાજ લઈ આવીશ...'
તો ભલે પ્રભાતસિંહ અને શિખરસિંહ - આ બે સાતસો કુષ્ઠરોગીના સમૂહના આગેવાનો હતા. અલબત્ત તે બંને પણ કુષ્ઠરોગથી ગ્રસ્ત હતા જ; પરંતુ બુદ્ધિશાળી હતા.
સાતસો કુષ્ઠરોગીઓના કાફલાની વચ્ચે અમને મા-દીકરાને છૂપાવી દીધાં.
અજિતસેનના સૈનિકો આવ્યા! ચારેય બાજુ તપાસ કરી ન મળી પણ રાણી કે ન મળ્યો બાળરાજા. ઘણી શોધ કરવા છતાં ન મળ્યાં. નિરાશ થઈને સૈનિકો પાછા ચાલ્યા ગયા.
ચંપામાં સત્તાનું પરિવર્તન થયું. રાજસિંહાસને અજિતસેન બેઠો અને પોતાની આણ મનાવી. રાણી કમલપ્રભાને તથા બાલ રાજકુમારને સારી રીતે બચાવી લેવામાં આવ્યાં. ત્યારબાદ મેં સાતસો કોઢી પુરુષો સમક્ષ મારી કરમકથા કહી સંભળાવી. સહુની આંખો ભીની થઈ ગઈ. મેં કહ્યું:
મારા ભ્રાતાઓ! મારા લાલને. મારા રાજ કુમારને તમને સોંપીને જાઉં. છું. એ હજુ ચાર વર્ષનો છે. ચોવીશ વર્ષનો થાય ત્યાં સુધી તે ગુપ્ત જ રહેવો જોઈએ. એ ચંપાનો રાજ કુમાર છે - આ વાત ક્યારે ય કોઈના મુખે ન આવવી જોઈએ.... હવે એ તમારા જ કુષ્ઠીઓના કાફલાનો એક સદસ્ય બની ગયો છે. અવારનવાર હું એને જોવા જરૂર આવતી-જતી રહીશ.'
મેં પ્રભાતસિંહને તથા શિખરસિંહને શ્રીપાલની જવાબદારી સોંપી. બંનેએ રાણીને આશ્વાસન આપ્યું કે રાજ કુમાર અમારી પાસે સુરક્ષિત રહેશે. અલબત્ત આ રોગ સંસર્ગજન્ય હોવાથી કુમારને કુષ્ઠરોગ થશે ખરો. પણ એનું જીવન સલામત રહેશે...
હું તરત જ ત્યાંથી નીકળી ગઈ. અજિતસેનના ગુપ્તચરોથી બચવા મેં પણ મારા પિયર કાશી જવાના બદલે શ્રાવતિની પાસે સ્વામી બાદરાયણના
મયણા
૮૭
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશ્રમમાં જવાનું નક્કી કર્યું. મારી સાથે પ્રભાતસિંહ આવ્યો. મને બાદરાયણ આશ્રમમાં મૂકી તે પાછો પોતાના સ્થાને પહોંચી ગયો. પ્રભાત અને શિખરે વિચાર કરીને શ્રીપાલનું નામ “ઉંબર' પાડી દીધું. તેને પણ સમજાવી દીધું કે “તને તારું નામ કોઈ પૂછે તો કહેવાનું કે મારું નામ ઉબર છે!”
હું પુત્રને મૂકીને ચાલી તો ખરી... પણ પુત્રથી વિખૂટા પડવાની એ છેલ્લી પળો હતી. હું ચંપાની રાજરાણી હતાશ બની, હાથ પર હાથ મૂકી, વિવશ બની બેઠી બેઠી મારા અને કુમારના તકદીરને રોતી હતી. સિંહાસનારૂઢ થયે ત્યારે બે વર્ષ પણ પૂરાં થયાં ન હતાં, ત્યાં તો એને એના જ રાજ્યમાંથી વિદાય લેવાની વેળા આવી હતી. એની સમસ્ત આશાઓ પર એના બધાય ઉમંગ ને ઉત્સાહ પર જાણે હિમ પડી ગયું હતું. શું શું ઉમ્મીદો હતી, કેવાં કેવાં અરમાન હતાં? જ્યારે સમય આવ્યો એ ઉમ્મીદો અને અરમાનો પૂરાં થવાની જ્યારે આશા હતી, બરાબર ત્યારે જ મને છોડીને, સુખ-મદિરાનો પ્યાલો હોઠે અડ્યો ન અડ્યો ત્યાં તો એ નીચે પટકાયો અને ચૂરેચૂરા થઈ ગયો. એ સુખમદિરા માટીમાં મળી ગઈ. મારાં એ આંસુ, આહ ને નિસાસા વિફળ ન ગયાં! તપ્ત આંખો અને ધખધખતા હૃદયમાંથી નીકળીને તે આ બાહ્ય જગતમાં આવ્યા હતા. સમયના વહેવા સાથે એ પણ ઠંડા થવા લાગ્યા. સમયના શીળા સમીરની થાપલીઓ ખાઈને એણે કેવું સુંદર સ્વરૂપ આજે ધારણ કરી લીધું છે! આજે આ મારા લાલને જોઈને કોણ જાણે કેમ હૈયું ભરાઈ આર્વ છે! આંસુ સરી પડે છે અને હૃદયમાં તોફાન મચી ગયું છે!
કુષ્ઠરોગીઓનો કાફલો દિન-રાત પદયાત્રા કરતો, ચંપાની સીમાને અતિક્રમીને નિરંજના નદીની પેલી પારના ઘનઘોર અરણ્યમાં પહોંચી ગયો. જંગાનું નામ હતું “બૃહદારણ્ય'.
બૃહદારણ્યની અંદર જ ગિરિકંદરાઓ હતી. ગિરિકન્દરાઓમાં સાતસો કુષ્ઠરોગી નિવાસ કરી શકે તેટલી જગા હતી. જંગલમાં ખાદ્ય-ભક્ષ્ય ફળો વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય હતાં અને નિરંજના નદીનું પીવા માટે મધુર પાણી હતું. તેમનો જીવનનિર્વાહ સારી રીતે ચાલુ થયો. હવે ભિક્ષા માટે ગામનગરોમાં જવાની જરૂર નહોતી રહી.
૮૮
અપણા
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મણા
અવિચલપણ તેઓ તિતિક્ષાપૂર્વક પોતાની વ્યાધિજન્ય વેદના ધીર ભાવી સહવા લાગ્યા. પરંતુ બાળરાજા ઉંબર માતાનો વિરહ સહન કરી શકતો નથી, એ માતાને ઝંખે છે... એ રડે છે... માતાને શોધે છે... એ ખાતો નથી... પીતો નથી... એના શરીરને સંભાળવા છતાં રોગના ડાઘ તો પડવા શરૂ થઈ જ ગયા હતા. પ્રભાતસિંહે ઉંબરને રમવા-ખેલવા માટે બે બાળકો પણ લાવી દીધાં હતાં. ઉંબરને મિત્રો મળતાં તે હસી પડ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
re
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१४
‘મા, તું તો મને કુષ્ઠરોગીઓને ભળાવીને ચાલી ગઈ હતી. હું તો ત્યારે સાવ નાનો હતો. મા વિના ન જીવી શકાય, એવી મારી સ્થિતિ હતી. પણ તું મને કારણોસર કોઢી-વસ્તીમાં મૂકીને, પ્રભાતકાકાને ને શિખરકાકાને સોંપીને ચાલી ગઈ હતી. હું ઘણા દિવસ રહ્યો હતો. તારી પાસે આવવા ધમપછાડા કર્યા હતા. મેં ઘણા દિવસ સુધી ખાધું ન હતું... ભૂખ્યો ને તરસ્યો સૂઈ જતો હતો.
૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા! તારા વિના મેં માથાં પછાડ્યાં હતાં... મને ક્યાં ખબર હતી કે મારો કાકો દુશ્મન બનીને મને મારી નાંખવા ઇચ્છતો હતો! પ્રભાતકાકા અને શિખરકાકા મને જીવની જેમ જાળવતા હતા. મને એકલાને જરા ય દૂર જવા દેતા ન હતા. તેમણે મારા માટે એક સુંદર ગુફા પસંદ કરી હતી. એમાં સુંવાળું બિછાનું પાથરેલું હતું. જમવા માટે ચાંદીની થાળી રાખી હતી. તેઓ કેમ મારા માટે પક્ષપાત કરતા હતા, તે મને શરૂઆતમાં નહોતું સમજાતું.’
મારા શરીર પર પણ કુષ્ઠરોગ ફેલાવા લાગ્યો હતો. મારા એક હાથનાં આંગળાંનાં ટેરવાં ખરી પણ પડ્યાં હતાં. મારા પગની આંગળીઓ પણ સડવા લાગી હતી... છતાં મારા જમણા હાથની હથેળી અને આંગળીઓ નીરોગી હતી.
મારી મા, મને તારા પર ઘણી વાર ગુસ્સો આવતો. તેં મને આપેલું વચન તું ભૂલી ગઈ હતી. મેં કહ્યું : જા તારી કિટ્ટા છે! તું અહીં આવવાની હતી, ન આવી. સમાચાર પણ ન મોકલ્યા... અહીં કાકા કહે છે કે ત્યાં વૈશાલીમાં ખૂબ જ અશાંતિ છે. મગધ અને વૈશાલી બે મહાસત્તાઓ લડાઈના આરે આવીને ઊભી છે અને તેથી દરેક ભયભીત છે. આસપાસ એટલા ભય, આશંકા અને ગૂંચવાડો છે કે પત્રો પણ નિર્ધારિત સ્થાને પહોંચતા નથી.
મા, આ જંગલ હવે મને ગમ્યું છે. એ ખૂબ સુંદર છે. ચારેય તરફ
For Private And Personal Use Only
પ્રણા
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીલોતરી જ લીલોતરી છે. હવે મેં જોયું કે પ્રકૃતિ-સૌંદર્ય શું છે. સવારે અહીં જાતજાતનાં સુંદર પક્ષીઓ દેખાય છે. તું તો તેમને જોઈને પાગલ થઈ ગઈ હોત! તું અહીં અમારી સાથે કેમ નથી આવી જતી? આપણને અહીં એટલી બધી મજા પડી ગઈ હોત! હજુ મારે તને કશુંક વધારે કહેવું છે.
અમે અહીં એક પર્વતીય ગુફામાં રહીએ છીએ. આ ગુફા એક નાનકડી ટેકરી પર છે. આ એક અઘોરી બાવાની જગા હતી. અહીં ભોંયતળિયામાં એક કૂવો છે. શું કોઈ દિવસ કલ્પના પણ આવે? પણ કૂવાનું પાણી ખૂબ ગંધાય છે. તેથી અમે તેનો ઉપયોગ નથી કરતા. નજીકમાં જ એક ઝરણું વહે છે. તેમાંથી અમે પીવાનું પાણી ભરીએ છીએ. ઉનાળાના વૈશાખમાં પણ આ પાણી ઠંડુંગાર હોય છે.
અહીં અમારી સાથે એક બંગાળી કાકા છે. હું તેમને વૈદકાકા કહું છું. તેઓ આખો દિવસ હૂકો ગગડાવ્યા કરે છે! બાકી આમ બહુ સારા છે. તેઓ મારી પાસે વાતો કરે છે. પત્તાં રમે છે અને સરસ ગીતો ગાય છે.. પણ બિચારા... તેમનું નાક સડી ગયું છે. પગ પણ સડી ગયા છે. તેમનાં પત્ની બંગાળીના સુપ્રસિદ્ધ લેખિકા છે. તેઓ તેમના દીકરા સાથે મળવા આવ્યાં છે. દીકરો કીટુ ખૂબ જ મજાનો છે. મેં તેની સાથે દોસ્તી કરી છે. તેની સાથે રમવાની ખૂબ મજા આવે છે. તે મને “દાદા કહે છે ને મારી સાથે સાથે ફર્યા કરે છે.
મા, હું તને ખૂબ યાદ કરું છું. દિવસમાં હજાર વાર. તું મને યાદ કરે છે કે ભૂલી ગઈ? તે હજુ સુધી મને કેમ કાગળ લખ્યો નથી? અમારા પ્રભાતકાકા અઠવાડિયામાં બે વાર શહેરમાં જાય છે.... પાછા વળતાં પત્ર લેતા આવે છે. હું આતુરતાથી તારા પત્રની રાહ જોઉં છું. કોઈક દિવસ તો તેઓ તારો કાગળ લાવશે ને?
મારી મા, અહીં ઘનઘોર અંધારું છે. કઈ તિથિ છે તે ખબર નથી. તે દિવસે મેં જે અંધારાની વાત કરી હતી, તે હજુ ચાલુ છે. અમે આખો દિવસ પડ્યા રહીએ છીએ. જ્યારે ભૂખ લાગે ત્યારે ઊઠીને ખાઈએ ને પાછા સૂઈ જઈએ. અને શું ખાઈએ? માત્ર કઢી! રોજ કઢી જ! દિવસો વિશે વિગતવાર તને કહી ન શકું. કારણ કે કેટલા દિવસો વીતી ગયા
મા
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે જ મને ખબર નથી. આટલા દિવસોથી સૂરજ ઊગ્યો જ નથી. બધે અંધારું... ચારેય તરફ માત્ર અંધારું છે. હું ખૂબ કંટાળી ગયો છું. પણ હું શું કરી શકું? ' અરે, એક વાત કહેવાની તો ભૂલી જ ગયો. તને કાગળ લખ્યા પછી અમે અમારું રહેઠાણ બદલીને ભોંયરામાં રહેવા ગયા છીએ. કાકા કહે છે : યુદ્ધ શરૂ થઈ ગયું છે. જોકે હવામાં ખૂબ ધૂળ છે. પહેલાં થોડા દિવસ તો અમે શ્વાસમાં ધૂળ લેતા હતા. ખરેખર ધૂળ જ ખાતા હતા. રૂમાલને અમે ફિલ્ટર તરીકે વાપરતા. હવે ધૂળ થોડી ઓછી થઈ છે. પણ અંધારું એમનું એમ જ છે. આ કેવા પ્રકારની લડાઈ હશે?
કાકા કહે છે કે આ બધું ભારે બાણવર્ષાના લીધે થયું છે. જ્યાં સુધી વાતાવરણમાંથી ધૂળ હેઠી નહીં બેસી જાય ત્યાં સુધી પ્રકાશ નહીં થાય. ખરેખર પ્રકાશ આવશે? હું તો ગાંડો થઈ જઈશ. અમારા ભોંયરામાં જે પાણી છે તે તો સાવ ખરાબ છે. આ પાણી ખૂબ ગંધાય છે. અમારે તે પીવું પડે છે. બીજો કોઈ ઉપાય નથી. પરિણામે અમારો કુષ્ઠરોગ વધુ વકરી રહ્યો છે. જોકે હવે એ પાણી પીવામાં અમે ટેવાઈ ગયા છીએ. નહિતર બીજું કરી પણ શું શકાય? કાકા કહે છે : કેટલાક દિવસ અમારે આ પાણી જ પીવું પડશે.
ત્યાં બધું કેમ છે? ત્યાં પણ અંધારું છે? તમે તો ત્યાં આવું ગંદું પાણી નહીં જ પીતા હો, તમને તો ત્યાં ચોખ્ખું પાણી મળતું હશે? અહીંના જેવું ગંધાતું નહીં હોય?
જ્યારથી અહીં અંધારું થયું છે ત્યારથી મારો મિત્ર કીટુ માંદો પડ્યો છે. તે આખો દિવસ ઊંધ્યા જ કરે છે. અમે પણ દિવસનો મોટો ભાગ સૂતા જ રહીએ છીએ. પણ અમારી પાસે તો એકબીજાને કહેવા જેવી વાતો પણ હોય છે. જ્યારે ફીટુ તો કંઈ જ બોલતો નથી. આખો દિવસ તે દર્દના ઊંહકારા નાંખ્યા કરે છે. તેના આખા શરીરે કુષ્ઠરોગ ફેલાઈ ગયો છે.
મને મારો પત્ર અહીં જ પૂરો કરવા દે. હું થાકી નથી ગયો પણ બહાર એટલી બધી ઠંડી છે કે મારા હાથ લાકડાના થઈ ગયા છે. મા, તું સારી હશે. તારા ઉબરના પ્રણામ.
૯૨
મય
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય મા,
થોડી મિનિટો પહેલાં જ કીટુ ગુજરી ગયો. મને ખબર નથી કે તેને શી તકલીફ હતી. હું તેને આખો દિવસ રડતો જ જતો. તેના માથાના અને શરીરના બધા વાળ ખરી પડયા હતા. અને તેના નખ પણ ઉખડી ગયા હતા. તેની આંખો લોહી જેવી લાલઘૂમ થઈ ગઈ હતી. તેનું આખું શરીર ચકામાં અને ડાઘથી ભરપૂર હતું. બિચારો કીટુ! તેને આવી રીતે પીડાતો હું જોઈ શકતો ન હતો. હું ખૂબ જ ડરી ગયો છું ને હૃદયની બધી વેદના ઠાલવું છું. તારો ઉંબર. પ્રિય મા,
મને ખબર નથી કે હું તને શા માટે પત્રો લખ્યા કરું છું. મને એ પણ ખબર નથી કે એ તને પહોંચશે કે નહીં? ક્યારેક હાથમાં મશાલ લઈ કાકા બહાર જાય છે. બહાર અતિશય ઠંડી છે. અંદર પણ ઘણી ઠંડી છે. અમે ખૂણામાં અગ્નિ પેટાવીએ છીએ. અમારું બધું કામ અમે તેના પ્રકાશમાં જ કરીએ છીએ. બળતણ માટે લાકડાં લાવવાનાં હોય તો કાકા બહાર નીકળે છે. તેઓ બહાર જાય ત્યારે બુરખા જેવો વિચિત્ર પોશાક પહેરે છે. ત્યારે તેઓ ભૂત જેવા લાગે છે. તેમને આવા વેશમાં જોઈ મને હસવું આવે છે.
વૈદ્યકાકા મારી સાથે હવે રમતા નથી. કીટુના મૃત્યુ પછી તેઓ એકલાઅતડા જ રહે છે. અને હવે તેમનો તમાકુનો સ્ટોક ખલાસ થઈ ગયા પછી તેમના મનોરંજન માટે, પણ કંઈ બચ્યું નથી. કાકી બહુ બોલકાં ન હતાં. પણ હવે હું જોઉં છું કે તેઓ જાત સાથે વાતો કરતા હોય છે. કાકા પણ ઘણી વાર વાતો કરતા હોય છે પણ છાનીમાની; ગુસપુસ જ.
મારી સાથે કોઈ વાતો નથી કરતું. મને ખૂબ એકલું લાગે છે તેથી હું તાપણાના અજવાળે તને કાગળ લખું છું. મારા મનમાં જે કંઈ આવે તે હું તને લખું છું. આપણે મળીશું ત્યારે હું જ તને આ બધા કાગળો રૂબરૂ આપીશ. બરાબર ને?, તારો ઉંબર.
પ્રિય મા, કેટલાક દિવસો પહેલાં એક બપોરે પ્રકાશનો ઝબકારો થયો અને અમારું બપોરનું રોજિંદુ ખાણું પૂરું કરી પેલું ગંદું પાણી પીતા હતા, એટલામાં તો કાકીએ ઓચિંતાની ચીસ પાડી અને બહાર દોડી ગયાં. વૈદ્યકાકા તેને શાંત પાડવા બહાર દોડી ગયા પણ પ્રભાતકાકાએ તેમને રોક્યા. પેલો વિચિત્ર
માણા
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુરખો પહેરાવ્યો અને તે બંને કાકીને શોધવા બહાર નીકળ્યા. બે-ત્રણ કલાક પછી તેઓ આવ્યા. કાકીને ઘરમાં લઈ આવ્યા. પણ તેઓ ખૂબ માંદા પડી ગયાં હતાં. તેમને પેટમાં દુઃખાવો થયો અને બહારના ઝરણાનું પાણી પીવાથી ઊલટીમાં લોહી પડવા માંડ્યું. એ પાણી ઝેરી રસાયણથી દૂષિત થયેલું હતું. તેના લીધે એ પાણી પીનાર બીમાર પડી જતાં હતાં. એનો અર્થ એ જ હતો કે જીવનનો બાકીનો ભાગ અમારે કૂવાનું એ ગંધાતું પાણી જ પીવાનું હતું? ના, પીવાનાં ચોખ્ખાં પાણીની કોઈ આશા ન હતી. ઓહ.... કેવી દુર્ગધ છે એ પાણીની! કેવી ચીતરી ચડે છે એની? કોઈક ઉપાય વિચારીએ છીએ. શરીર પર કુષ્ઠરોગ વધી રહ્યો છે. સાતસોએ સાતસો પુરુષો રોગથી ત્રાસી ઊડ્યા છે. તારો ઉંબર.
પ્રિય મા, તને આ છેલ્લો કાગળ લખું છું. જોકે બધા કાગળ મારે તને હાથોહાથ જ આપવાના છે.
છેલ્લા કેટલાય દિવસોથી મને તાવ રહે છે અને પેટમાં સખત દુ:ખે છે. મને ખૂબ નબળાઈ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. હવે હું પત્ર નહીં લખી શકું. કદાચ હવે હું લાંબો સમય આ જગતમાં નહીં હોઉં. મા, ત્યાં સુધીમાં તું અહીં આવી જઈશ તો આપણે મળી શકીશું. તને અહીં આવવાનું મન નથી થતું? હા, અહીં ખરેખર નરક જ છે... અમે સાતસો કુષ્ઠરોગી નરકમાં જ જીવીએ છીએ... અમારાં શરીરોમાંથી લોહી અને પરું ઝર્યા કરે છે. શરીરનાં અંગોપાંગ સડી ગયેલાં છે. દુર્ગધનો કોઈ પાર નથી... પણ અમે તો વર્ષોથી ટેવાઈ ગયા ને! તમારાથી, નગરજનોથી આ દુર્ગધ સહન ન થાય તેવી છે.
મા, મને ક્યારેક તારા પર તિરસ્કાર છૂટે છે. તેં મને એ અજિતસેનના સૈનિકો દ્વારા મારો વધ થવા દીધો હોત તો સારું થાત... આ દુઃખભરી દુનિયાથી છૂટી જાત.. બાકી, આવા યાતનામય જીવનનો કોઈ અર્થ નથી. જીવનનો કોઈ આનંદ નથી,
મને પ્રભાતકાકાએ કહ્યું હતું કે હું ચંપાનગરીનો રાજા હતો. હું બે વર્ષનો હતો ને મારો રાજ્યાભિષેક થયો હતો... કારણ કે મારા પિતારાજા અચાનક મૃત્યુને ભેટ્યા હતા. હું બે વર્ષ સુધી રાજા રહ્યો અને
૯૪
મયણા
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પછી પરિસ્થિતિ પલટાઈ. તું મને લઈને રાતોરાત ભાગી. મને બચાવવા તેં આ કુષ્ઠરોગીઓના ટોળામાં મને સોંપી દીધો... મા, હું જીવી તો રહ્યો છું પણ કેવું ત્રાસમય જીવન છે મારું? તું ક્યારેક આવીને મને જોઈ જાય છે... મારું કુષ્ઠરોગથી ગ્રસિત શરીર જોઈને તારી આંખો ભરાઈ આવે છે... તું રડે છે... પણ તું મને અડી શકતી નથી... મારા માથે તારો હેતાળ હાથ ફેરવી શકતી નથી. તારા વાત્સલ્યભર્યા ખોળામાં મને લઈ શકતી નથી... તારી વિવશતા હું જાણું છું મા, છતાં મને તારા પર ગુસ્સો આવે છે... તારે મને જીવવા દેવો નહોતો જોઈતો... હું મરી જાત... તો તને થોડા દિવસ પુત્રવિરહની વેદના રહેત, પરંતુ પછી ધીરેધીરે એ વેદના દૂર થઈ જાત અને પછી કાકાનો ભય પણ તને ન રહેત... તું રાજમહેલમાં રહી શકત... આજે મારા જ કારણે તારે ગુપ્ત વેશે અને ગુપ્ત સ્થાને રહેવું પડે છે. તારા પર સતત ભયનાં વાદળ છવાયેલાં રહે છે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા, હવે તો વર્ષો વીતી ગયાં, મારો બાલ્યકાળ વીતી ગયો. કિશોરઅવસ્થા ચાલી ગઈ અને યૌવનમાં મેં પ્રવેશ કર્યો છે. જેમ જેમ હું મોટો થતો જાઉં છું તેમ તેમ મને મારા અને તારા વિચારો ખૂબ સતાવે છે. હું એક રાજકુમાર અને તું એક રાજરાણી! વર્ષોથી આપણે ક્રૂર કાળનો અને અદૃશ્ય દુર્ભાગ્યનો સામનો કરતાં જીવી રહ્યાં છીએ. ક્યારેક એ ક્રૂર દુર્ભાગ્ય પર રોષે ભરાઈને માથાં પછાડ્યાં છે, મારી વિવશતા ૫૨ ક્રોધ આવ્યો છે અને એ ક્રોધ આંખો વાટે અશ્રુરૂપે ટપકી પડેલો છે. નિરાશાના ઘોર અંધારા વચ્ચે આપણે ક્યાં સુધી જીવવાનું?
મારી મા, એક દિવસ વહેલી સવારે પ્રભાતકાકાએ અને બીજા સાથી પુરુષોએ મારી પાસે આવીને કહ્યું : ‘ઉંબર! અમે સહુએ એક સારો નિર્ણય કર્યો છે!'
સમણા
હું કંઈ બોલ્યો નહીં. એ સહુની સામે જોઈ રહ્યો.
અમે તને અમારો રાજા બનાવવાનો નિર્ણય કર્યો છે! અમે સાતસો માણસો... તને અમારો રાજા બનાવીશું! આવતીકાલે આ જ અરણ્યમાં તારો રાજ્યાભિષેક કરીશું!'
હું કંઈ ના બોલ્યો. મૌન રહ્યો. સાંભળતો રહ્યો. મારા મનમાં વિચારો ઝબક્યા : ‘હું રાજા બનું કે પ્રજાજન રહું, અહીં શો ફરક પડવાનો છે?
For Private And Personal Use Only
૯૫
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૬
આમે ય આ બધા જ સાથીદારો મને મારા બાલ્યકાળથી પ્રેમ આપી રહ્યા છે! મને માન આપી રહ્યા છે! પછી મારે બીજું શું જોઈએ? શા માટે પ્રભાતકાકા મને રાજા બનાવવાનો ઉપક્રમ રચે છે? શું હશે એમના મનમાં? હું સમજી શકતો નથી... એમના મુખ પર ઉલ્લાસ છે. રોગથી ગળી ગયેલી એમની કાયાએ જાણે નવું રૂપ ધારણ કર્યું હતું. મેં મારી મૌન સંમતિ આપી દીધી હતી.' તારો ઉંબર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
માણા
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
બીજા દિવસે ૭00 સ્વજનોની હાજરીમાં મારો રાજ્યાભિષેક થઈ ગયો હતો. મારું નામ “ઉબરરાણા રાખવામાં આવ્યું હતું. મને સવારી કરવા માટે એક ખચ્ચર આપવામાં આવ્યું હતું. મારા લલાટે લાલ કુમકુમનું તિલક કરવામાં આવ્યું હતું.
અમારો પડાવ માલવદેશ અને મધ્યપ્રદેશની સીમા પર નાંખવામાં આવ્યો હતો. નદી હતી. નદીમાં સ્વચ્છ પાણી હતું. નદીના કિનારે પહાડોની ટેકરીઓ હતી. ટેકરીઓમાં ગુફાઓ હતી... અને કયાંક કયાંક સપાટ મેદાન હતાં. અમારો સાતસો માણસોનો કાફલો ત્યાં ફેલાઈને ગોઠવાઈ ગયો હતો. પ્રભાતકાકાએ મારા માટે (હું રાજા હતો ને!) રસોડું બનાવ્યું હતું. ત્યાં રસોઈ બનતી હતી, રસોડાના ધુમાડિયામાંથી ધુમાડાની સીધી પાતળી સેર નીકળતી હતી. લાલ માટીના ધુમાડિયામાંથી નીકળતો ધુમાડો આસમાની હતો. પણ એ વસંતના આસમાની આકાશમાં સરતો ત્યારે રાખોડી રંગનો બની જતો. હું એ ધૂમ્ર સેર જોઈને કશીક ગણતરી માંડી રહ્યો હતો.
મારા માટે જે ઘાસની સુંદર ઝૂંપડી બનાવી હતી તેના દરવાજા પાસેના બોરડીના વૃક્ષ પર જંગલી મધમાખીઓ બેઠી હતી. જાણે એ વનરાજીમાં બીજા કોઈ પુષ્પો જ ન હોય તેમ એ બોરડી પરની મંજરીઓના ગુચ્છને ચૂસી રહી હતી. ચમેલીનાં અને ચંપાના ખીલતાં ફૂલોને જાણે આ મધમાખીઓ સાવ વિસરી ગઈ હતી. મને થયું કે આ કાળી અને સોનેરી મધમાખીઓની આવતી-જતી હારના રસ્તે ચાલ્યો જાઉં તો મધમાખીઓએ જે વૃક્ષ પર મધપૂડો બાંધ્યો હોય ત્યાં સુધી પહોંચી જવાય. મધપૂડામાં ખુલ્લા પીળા રંગનું મધ છલકતું હશે. મધપૂડો શોધવો એ મહત્ત્વનું કામ હતું, બીજાં કામ પછી પણ થઈ શકે.
બપોરનો નાજુક તડકો મારા હૃદયમાં સ્પંદન જગાવી રહ્યો હતો. બોરડી પરની મંજરીઓને વળગેલી મધમાખીઓની માફક બપોર મને વળગી! હવે
મયણા
૯૭
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૈયું હાથ કેમ રહે? હવે આ ઘર-ખેતર વટાવીને આમ્રવૃક્ષોની કતાર વીંધીને વિહેતી નદી તરફ જતા રસ્તા પર પહોંચ્યા વિના કેમ ચાલે? મધપૂડો એ નદીના ઝરણાની આસપાસના કોઈ વૃક્ષ પર જ બંધાયો હશે.
હું આમ્રવૃક્ષોને પાર કરી, આગળ વધ્યો. રેતીનો રસ્તો કોરે મૂકી હું પૂર્વ દિશામાં દોડવા લાગ્યો. દોડતી વખતે મને જરા ય પગનો દુઃખાવો ન થયો. આ રસ્તા પર દોડવાનું મને ગમ્યું. હું ધીમે ધીમે દોડતો રહ્યો. હવે વનરાજીનો છેડો આવી ગયો હતો. રેતીના પટમાં ગતિ આપોઆપ ઘટી ગઈ. હવે ઉતરાણ આવતું હતું. હું થોડી વાર અટક્યો. બદામી રેતી અને પાઈનવૃક્ષો આસમાની આકાશની કોર મઢી રહ્યાં હતાં. નાનાં સ્થિર વાદળાં રૂના પોલ જેવાં લાગતાં હતાં. હું જોતો હતો ત્યાં થોડી વાર માટે સૂર્ય વાદળ પાછળ છુપાઈ ગયો અને વાદળાં રાખોડી રંગનાં થઈ ગયાં. “રાત પડે એ પહેલાં વરસાદની ઝરમર આવશે! મેં વિચાર્યું.
ઢોળાવ મોહક હતો. એ રેતીનો ઘેરો પટ હતો. બંને બાજુ લીમડાનાં વૃક્ષો હતાં, તરેહતરેહનાં વૃક્ષો મહોરી ઊઠ્યાં હતાં. આ બધાં વૃક્ષો મારાં પરિચિત હતાં. એટલે એક એક વૃક્ષને પ્રેમથી મળતો... એક એક છોડને સ્નેહથી સ્પર્શતો હું ધીરે ધીરે ચાલતો હતો. રસ્તાની ઉગમણી કોરે ઢોળાવ હતો, ત્યાંથી વીસ ફૂટ દૂર એક ઝરણું હતું. કિનારો ભાતભાતની વનરાજીથી સભર હતો. આ ગીચ વનરાજીના શીતળ અંધકારમાંથી રસ્તો કરી એ ઝરણા તરફ હું આગળ વધ્યો. ઝરણા પાસે પહોંચતાં જ એક અનોખી પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યો. મજાની એકાંત જગા હતી.
કૂવાનું પાણી જેવું નિર્મળ ઝરણું રેતીમાંથી જ ફૂટી નીકળતું હતું. જાણે કિનારાઓના બે લીલાછમ હાથોમાં ઝિલાયું હોય એવું એ લાગતું હતું.
જ્યાંથી ઝરણું ફૂટતું હતું ત્યાં પાણી ભમરીઓ ખાતું હતું. અંદર રેતીના કણ કંપમાન લાગતા હતા. કિનારાની પેલી પારનું મુખ્ય ઝરણું જરા વધુ ઊંચાઈ પરથી ફૂટતું હતું. ચૂનાના સફેદ પથ્થરો વચ્ચેથી રસ્તો કરીને એ આગળ વધતું હતું અને ઢોળાવ પર વેગથી વહીને વળાંકમાં ઢળી જતું હતું. વળાંકમાં વહેતો પ્રવાહ શિવ-સરોવરમાં ભળી જતો હતો. શિવ-સરોવર ક્ષિપ્રા નદીના એક ભાગરૂપે હતું. નદી ઉત્તરે સમુદ્રમાં જઈ મળતી હતી. આ ઝરણું શરૂ થઈ અંતે મહાસાગરને મળે છે, એ કલ્પના જ મને ઉત્તેજિત કરી મૂકતી હતી.
મયણા
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોડવાના કારણે હવે મને થાક અને ઉકળાટ થવા લાગ્યો. પરંતુ પછી તરત જ ધૂસર રંગનાં કોતરોનો શીતલ સ્પર્શ મેં અનુભવ્યો. ભૂરા રંગના અધોવસ્ત્રને મેં ઊંચું લઈ લીધું અને મારા રજોટાયેલા પગ એ છીછરા ઝરણામાં બોળ્યા. પગની આંગળીઓ રેતીને અડતી હતી. પાણી એ આંગળીઓ અને મજબૂત ઘૂંટણ વચ્ચેથી વહી જતું હતું. પાણી ખૂબ ઠંડું અને ધારદાર હતું. મારા પગ સાથે રમત કરતું એ વહેણ કલનાદ કરી રહ્યું હતું. મેં વહેતા પાણીમાં આમથી તેમ ચાલી જોયું. મારા પગ સુંવાળા પથ્થરો જોડે ઘસાતા હતા. એકાએક મેં થોડેક આગળ ચળકતી માછલીઓનું ટોળું જોયું. છીછરા પાણીમાં છબછબિયાં કરતો હું ત્યાં ગયો. પણ માછલીઓ એકાએક અદૃશ્ય થઈ ગઈ. જાણે એ ક્યારેય હતી જ નહીં! લીમડાના વૃક્ષના મૂળ પાસે પાણી ઊંડું હતું. હું ત્યાં નમીને ઊભો રહ્યો... કદાચ માછલીઓ દેખાશે! પણ એકાએક કાદવ નીચેથી એક દેડકો કૂદી પડ્યો! એક ક્ષણ એ મારી સામે જોઈ રહ્યો, પછી ડરી ગયો હોય એમ પાછો વૃક્ષના મૂળ પાસેના ઊંડા પાણીમાં સરી ગયો. હું હસી પડ્યો!
ડર નહીં, હું તને પકડીશ નહીં.” હું બોલ્યો. હવાના કારણે ઉપરના વૃક્ષની બે ડાળી છૂટી પડી અને એની વચ્ચેથી તડકો મારા માથા પર ને ખભા પર ઢોળાયો. પગ પાણીમાં હોય ત્યારે માથા પર સૂર્યનો ઉષ્માભર્યો સ્પર્શ મને ગમ્યો. પણ વળી પવનની લહેરખી બંધ પડી ગઈ અને તડકો પાછો વૃક્ષ પર ચડી ગયો. હું સામે કિનારે ગયો, ત્યાં વૃક્ષો ઓછાં હતાં. નાનું ખજૂરીનું ઝાડ તેની સાથે ઘસાયું. મને અચાનક યાદ આવ્યું કે ખિસ્સામાં ચપ્પ પડ્યું છે. મેં જળચક્કી બનાવવાનો વિચાર કર્યો. જોકે મેં
ક્યારેય આવી જળચક્કી બનાવી ન હતી. દાદીમાનો પુત્ર ઓલિવર દરિયા પરથી ઘેર આવતો ત્યારે જળચક્કી બનાવી આપતો. હું તરત જ જળચક્કી બનાવવા બેસી ગયો. પાણી ઊંડું ન હતું, પણ વેગમાં વહેતું હતું. તાડનાં પાંદડાંની ચક્કી ગોઠવી, તેને વેગ આપવા આંગળાંથી ચલાવી. વહેતા પાણીનો વેગ-સ્પર્શ પાંખિયાને વેગ આપી રહ્યો અને પાંખિયાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર જવા માંડ્યાં, જળચક્કી ચાલુ થઈ ગઈ. બહુ સહજતાથી એ ચાલી રહી હતી,
મેં ઊંડો શ્વાસ લીધો અને પ્રવાહની પાસે જ રેતીમાં લંબાવ્યું. મારી આંખો જળચક્કીની ચમત્કારિક ગતિને નિહાળી રહી હતી. ઉપર-નીચે, નીચે-ઉપર
મયણા
૯૯
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતી એ જળચક્કી દિલચસ્પ હતી. પેટાળમાંથી પાણી ફૂટતું જ રહેવાનું. એનો આછો-પાતળો પ્રવાહ ક્યાં ય સુધી વહેતો જ રહેવાનો. વૃક્ષ પરથી ખરતાં પાંદડાંથી વિક્ષેપ ન પડે તો આ જળચક્કી ચાલુ જ રહેવાની. હું મોટો થાઉં, બાપુ જેવડો થાઉં ત્યારે ય આ ઝરણું એવું ને એવું જ વહેતું રહેશે, એમ મને લાગ્યું.
એક ખૂંચતો પથ્થર મેં હડસેલ્યો. જમીનમાં થોડો ખાડો કર્યો અને હાથનું ઓશીકું કરીને સૂતો. હળવી હૂંફાળી રજાઈ જેવો ઉષ્માભર્યો અને પાતળો તડકો મારા દેહ પર પથરાયો. રેતીમાં પડ્યો પડ્યો હું સુસ્ત આંખે જળચક્કી સામે જોઈ રહ્યો હતો. જળચક્કીની ગતિ તંદ્રામાં નાંખી દે તેવી મધુર હતી. તાડનાં પાંદડાંનાં પાંખિયાંની ગતિ સાથે મારી આંખો ઝિલમિલ થતી હતી. પાંખિયામાંથી એકીસાથે ટપકતાં જળબિંદુઓ ઉલ્કાથી દોરાતી તેજરેખાઓ જેવાં દેખાતાં હતાં. વહેતા પાણીનો અવાજ બિલાડીના બચ્ચાના બચકારા જેવો હતો. દેડકાનું સંગીત થોડી વાર વાતાવરણમાં પથરાયું. પણ પછી એ ચૂપ થઈ ગયો. રૂના પોલ જેવાં મોત વાદળોથી આચ્છાદિત આસમાની આકાશ મારા પર તોળાઈ રહ્યું હતું ને મારી આંખો મળી ગઈ!
હું જાગ્યો ત્યારે મને લાગ્યું કે હું કોઈ જુદી જ દુનિયામાં છું! એક ક્ષણ તો, આ સ્વપ્ન નથી, એવો વિચાર આવી ગયો. સૂર્ય અદૃશ્ય થઈ ગયો. હતો. એની સાથે તેજછાયાની લીલા પણ સંકેલાઈ ગઈ હતી. લીમડાનાં કાળાં થડ હવે અદૃશ્ય થઈ ગયાં હતાં. ચંપાનાં ચમકતાં લીલાં પાંદડાં પણ દેખાતાં ન હતાં. જંગલી ચૅરીની શાખાઓ વચ્ચે સૂર્યે પાથરેલી સોનેરી ભાત પણ હવે જણાતી ન હતી. આખું જગત ધૂસરવરણું થઈ ગયું હતું. ધોધમાંથી ઊઠતાં જળસીકરો જેવું ઝાકળ મારી ત્વચાને ગલીપચી કરી રહ્યું હતું. ઝાકળ એકીસાથે હૂંફાળું અને શીતળ હતું. હું ચત્તો ફર્યો અને પારેવાની નરમ ભૂખરી છાતી જેવા આકાશ પર મીટ માંડી.
કૂણો છોડ જેમ હળવી ઝરમરને સમાવી લે તેમ હું ઝીણી ઝરમર ઝીલી રહ્યો. મારો ચહેરો ભીંજાઈ ગયો અને ખમીસ પણ ભીનું લાગવા માંડ્યું, એટલે હું ઊભો થયો; પણ તરત અટકી ગયો. હું સૂતો હતો ત્યારે કોઈ હરણ ઝરણા પર આવ્યું હતું. પૂર્વ કિનારા પર તાજાં પગલાં દેખાતાં હતાં અને એ પાણીની કિનારી પાસે અટકતાં હતાં. પગલાં ઊંડાં અને અણીદાર
૧૦૦
મય
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતાં. એટલે એ કોઈ મોટી હરણીનાં હશે, એમ લાગ્યું. કદાચ એના પેટમાં બચ્યું હશે. વહેળા સુધી આવી હશે અને પાણી પીધું હશે. પછી એને ગંધ આવી હશે! એ ભયથી નાસી ગઈ હશે. એવું તો પગલાં પરથી ચોકકસ લાગતું હતું. હું મનોમન ઇચ્છતો હતો કે એ હરણી તરસી પાછી ન ફરી હોય તો સારું.
મેં બીજાં પગલાં પણ તપાસ્યાં. ખિસકોલીઓએ સારી એવી ધમાચકડી બોલાવી હતી. એક હિંસક પશ પણ અહીં આવ્યું હોય એમ એનાં અણિયાળાં નહોરવાળાં પગલાં પરથી લાગ્યું. પણ એ ક્યારે આવી ગયું હશે, એનો ખ્યાલ મને આવ્યો નહીં. મારા બાપુને (કાકાને) આવી બાબતોમાં ભારે સૂઝ હતી. એવું એક અનુમાન ખરું હતું કે કોઈ હરણી. અહીં આવી ભયભીત થઈ પાછી ફરી ગઈ હતી. હું ફરી પાછો જળચક્કી તરફ વળ્યો. એ જાણે સદાકાળ ત્યાં જ રહી હોય એમ ચાલી રહી હતી. આમ તો પાંખિયાં તાડપત્રનાં હતાં પણ આ છીછરા પાણીપ્રવાહમાં એ ટકી રહ્યાં હતાં અને આછા વરસાદના કારણે ચળકી રહ્યાં હતાં.
મેં આકાશ સામે જોયું. અત્યારે કેટલા વાગ્યા હશે કે પોતે કેટલું સૂતો હશે તે મારાથી નક્કી થઈ શક્યું નહીં. હું પશ્ચિમ કિનારે પહોંચ્યો. ત્યાં રોકાવું કે નહીં, એ વિચારતો ઊભો હતો ત્યાં વરસાદની ઝરમર સાવ અટકી ગઈ. વાયવ્ય દિશામાંથી હવાની લહેરખી આવી અને સૂર્ય બહાર નીકળ્યો. વાદળાં એકઠાં થઈ ગયાં અને પૂર્વ દિશામાં મેઘધનુષ્ય ખેંચાયું. મેઘધનુષ્ય એટલું મનોહર અને એટલું રંગભર્યું હતું કે એને જોતાં મારું હૃદય પ્રસન્નતાથી છલકાઈ ઊઠ્યું. ધરતી પર આછો લીલો રંગ પથરાયો હતો. વરસાદમાં ધોવાયેલી અદૃશ્ય હવાએ પણ સૂર્યપ્રકાશમાં સોનેરી રંગ ધારણ કર્યો હતો. જળસીકરોથી છંટાયેલાં વૃક્ષો, ઘાસ અને છોડવાઓ ચમકી રહ્યાં હતાં.
જેમ રેતીમાંથી ઝરણું ફૂટી નીકળે તેમ મારા અંતરમાંથી પણ આનંદનું ઝરણું ફૂટી નીકળ્યું. મેં હાથ પહોળા કર્યા અને ફેરફૂદડી ફરવા માંડ્યો. ક્યાંય સુધી ફરતો રહ્યો. ફૂદડીની ઝડપ વધતી ગઈ અને લાગ્યું કે હવે કદાચ પડી જવાશે ત્યારે શરીર ઢીલું મૂક્યું. આંખો મીંચી દીધી અને જમીન પરના કુણા ઘાસમાં ચત્તોપાટ ઢળી પડ્યો. નીચેની અને આસપાસની ધરતી ચકરાવા લાગી. મેં આંખો ખોલી. ભૂરું આકાશ અને રૂના પોલ જેવાં
મયા
૧૦૧
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાદળાં ચકરાવો લેતાં હતાં. હું ઊભો થયો. મને હજુ થોડી સુસ્તી લાગતી હતી, પણ અંતરથી હું ભારે મોકળાશ અનુભવી રહ્યો હતો.
હું પાછો ફર્યો. ઘરની દિશામાં દોટ મૂકી. ભીનાશથી મઘમઘતો પવન મારા ઊંડા શ્વાસોમાં સમાઈ રહ્યો હતો. વરસાદના કારણે પગ નીચેની રેતી કઠણ બની હતી. આથી પાછા ફરવામાં મને કશી જ તકલીફ ન પડી. સૂરજ આથમવા આવ્યો હતો. લાલ-સોનેરી રંગથી રંગાયેલા પશ્ચિમના આકાશને પડછાયે વૃક્ષો ઊંચાં ને કાળાં દેખાતાં હતાં. હું અમારા ખેતરમાં પ્રવેશ્યો. “સાંજનું ભોજન તૈયાર થવા આવ્યું હશે. પ્રભાતકાકા નગરમાંથી પાછા ન ફર્યા હોય તો સારું!” એમ હું મનોમન ઇચ્છી રહ્યો હતો. કારણ કે પછી જ મને ખ્યાલ આવ્યો કે કાકા બહાર ગયા હતા ત્યારે પોતે ઘેરથી આમ ચાલ્યા જવું જોઈતું ન હતું. ત્યાં તો મેં વૃદ્ધ ઘોડાનો હણહણાટ સાંભળ્યો. કાકા આવી ગયા હતા. તેઓ લાકડાં લેવા જતા હતા. મેં દોટ મૂકીને કહ્યું :
લાવો કાકા, હું લાકડાં લઈ આવું...” કાકાએ ટટ્ટાર થઈ મારી સામે જોયું. થોડું હસ્યા અને બોલ્યા : “મને હતું જ કે રાજા રખડવા નીકળી પડ્યા હશે!” ‘હું કોતર સુધી ગયો હતો.'
મેં પણ આવું જ ધાર્યું હોત. હું નગરમાં જતો હતો ત્યારે વિચારતો હતો કે “અત્યારે ઉંબરનું મન બીજા કોઈ કામમાં નહીં લાગે. હું પણ ઉબર જેવડો હોઉં તો આવા ફક્કડ દહાડે શું કરું?' અને એકાએક મારા પ્રશ્ન મને જવાબ આપી દીધો : “હું ભટકવા નીકળી પડું!”
નમતા સોનેરી સૂર્યમાંથી પણ ન સાંપડે એટલી ઉષ્મા મારા હૃદયમાં કાકાના શબ્દોથી છલકાઈ ઊઠી. મેં મસ્તક હલાવીને કહ્યું : “હું પણ એમ જ ભટકવા નીકળી પડ્યો!'
શ્રીપાલનું મન સ્મરણોની સૃષ્ટિમાં ડૂબી ગયું હતું. એણે શૈશવનો આનંદ માણ્યો જ ન હતો, એમ કહો તો ચાલે. એણે ઘણા દુઃખદ અનુભવોના ઉઝરડાઓ સહન કર્યા હતા. એકાંત જંગલની વિશાળતામાં એ સાતસો કુષ્ઠરોગીઓ સાથે વર્ષો સુધી રહ્યો હતો. તેને માનવનો સ્પર્શ ઈજા કરે તેવો લાગતો હતો, પણ વનરાજીનો સ્પર્શ જાણે પ્રફુલ્લતા અર્પતો હતો. જંગલનું
૧૦૨
મયણા
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વસમું હતું, છતાં આ સ્થળમાં એ પોતાની દુનિયા રચી શકતો. માણસો કરતાં જંગલનાં રાની પશુઓ ઓછાં હિંસક લાગતાં હતાં. રીંછ, વરુચિત્તો કે દીપડો ઓચિંતી તરાપ મારી જાય એ સમજાય એવું હતું, પણ માનવીની કૂરતાને એ કેમે ય જીરવી શક્યો ન હતો.
હમેશાં નગરોથી.. ગામોથી દૂર જંગલોમાં અમારો પડાવ રહેતો. કાકા શિખરસિંહે થોડું થોડું વાંચતાં-લખતાં શીખવ્યું હતું. બાકી તો કુમળાં હાડકાં દુઃખી આવે ને આંગળીઓ બહેર મારી જાય એટલું કામ કરવું પડતું હતું. હમેશાં અનાજની અછત રહેતી. એટલે ખેતરમાં સારી એવી મહેનત કરવી પડતી હતી. છતાં હું એ બધામાં રાજકુમાર હતો ને એટલે મને થોડી સગવડો વધારે મળતી હતી.
માનવસ્વભાવની એક વિચિત્ર ખાસિયત મને સમજાવા લાગી હતી. પૃથ્વી પરનાં પ્રાણીઓમાં એક માણસજાત જ એવી છે કે જે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ કે વાતાવરણને બહુ ઝડપથી અપનાવી લે છે. ગરમ પ્રદેશનું જનાવર ઠંડા પ્રદેશમાં જીવી શકતું નથી. ખુલ્લા ગગનમાં વિહરતાં પંખી પીંજરામાં ભાગ્યે જ બચ્ચાં પેદા કરી શકે છે. ખારા પાણીનાં માછલાં મીઠા પાણીમાં તરફડીને મરી જતાં હોય છે પણ માણસ તો ગમે તેવી હાડમારી કે હાલાકીને વશ થઈને જીવી જવાની પ્રકૃતિ ધરાવે છે! માનવી નામના પ્રાણીની આ મહાનતા હશે?
ભાદરવાના છેલ્લા દિવસો હતા, ક્ષિપ્રા નદીના તટ પર શીતળ અને પ્રસન્ન તેજસૃષ્ટિ પથરાઈ હતી. પીળી ચમેલી થોડી થોડી મહોરી હતી. આખા યે વિસ્તારમાં એની મહેક છવાઈ ગઈ હતી. પીચનાં વૃક્ષો પણ મહોરી ઊઠ્યાં હતાં. કોયલનું સંગીત આખો દિવસ ચાલુ રહેતું હતું. પારેવાંએ માળા નાંખ્યા હતા અને ઘૂ..ઘૂ..કરી એકમેકને બોલાવતાં હતાં. પ્રભાતનાં પ્રકાશ ઝળહળી રહ્યો હતો. હું એક વટવૃક્ષને અઢેલીને બેઠો હતો. ત્યાં પ્રભાતકાકા અને શિખરકાકા વગેરે દસપંદર મોટા પુરુષો મારી પાસે આવીને ઊભા. મેં ઊભા થઈ સહુને પ્રણામ કર્યા. એ બધા ત્યાં જ રેતીમાં બેઠા. હું પણ બેઠો. પ્રભાતકાકા બોલ્યા :
ઉંબરરાણા, કાલે સવારે આપણે ઉજ્જયિની નગરીમાં જવાનું છે.” “શા માટે?” પૂછ્યું.
મયણા
૧૦૩
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉજ્જયિનીના રાજા પ્રજાપાલ ઉદાર છે, દયાળુ છે.” તેનું શું પ્રયોજન છે?' રાણા માટે રાણી જોઈએ ને?' એટલે?' રાજા કોઈ યોગ્ય કન્યા આપે તો તારાં લગ્ન કરીએ!”
લગ્નની વાત સાંભળીને મને રોમાંચ થયો... યુવાન પુરુષે લગ્ન કરવાં જોઈએ, એવું મેં સાંભળ્યું હતું... પરંતુ કુષ્ઠરોગી માટે લગ્ન અસંભવ જ હોય! કુષ્ઠીને કોણ પોતાની કન્યા પરણાવે? અશક્ય! વળી, કુષ્ઠરોગથી ઘેરાયેલો હું.. કોઈ સ્ત્રીને સુખ આપી પણ ન શકું ને?” હું આવા વિચારો કરતો રહ્યો, ત્યાં કાકાએ આજ્ઞા કરી :
કાલે સવારે આપણે સહુએ ઉજ્જયિની નગરીમાં જવાનું છે. તારે ઘોડા પર બેસવાનું છે....'
૧૦૪
મય
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
૧૭
અમે ઉજ્જયિનીના ઉગમણા દરવાજેથી નગરમાં પ્રવેશ કર્યો. હું એક ખચ્ચર જેવા ઘોડા પર બેઠો હતો. ઘોડાની લગામ પકડીને જવાનસિંહ ચાલતો હતો. મારી પાછળ સાતસોએ સાતસો કુષ્ઠરોગી ચાલી રહ્યા હતા. રસ્તો ધૂળભરેલો હતો એટલે અમારા ચાલવાથી ખૂબ ધૂળ ઊડી રહી હતી.
ઉજ્જયિનીની પ્રજા માટે આ પહેલો જ પ્રસંગ હતો કે નગરમાં એક સાથે સાતસો કુષ્ઠરોગી આવી ચઢ્યા હોય કેટલાક રોગીના હાથ ખરી પડેલા હતા તો કેટલાક લંગડા હતા. કેટલાક ખાંસતા હતા તો કેટલાકનાં શરીર ગુમડાંથી ગ્રસિત હતાં. માખીઓ બણબણતી હતી. કોઈના મોઢામાંથી લાળ ટપકી રહી હતી... કોઈના માથાના વાળ ઊતરી ગયેલા હતાં. કેટલાકની ચામડી સડી ગયેલી હતી. તેમના શરીર પર મેલાં વસ્ત્રો હતાં. ભયંકર દુર્ગધ તેમના શરીરમાંથી ફેલાતી હતી. નગરવાસી લોકો ત્રાસ પામી રહ્યા હતા. નગરના કૂતરા ભસી રહ્યા હતા.
ત્યાં રાજ્યના મંત્રી સોમદેવ મારી પાસે આવ્યા. પ્રભાતકાકા મારી સાથે ચાલતા હતા. મંત્રીએ આજ્ઞા કરી : ઊભા રહો.' અમે ઊભા રહ્યા. તમે કોણ છો અને નગરમાં શા માટે આવ્યા છો?'
અમે કુષ્ઠરોગી છીએ. નગરથી દૂર ક્ષિપ્રાના તટ પર ગિરિ-ગુફાઓમાં રહીએ છીએ. આજે અમે એક વિશિષ્ટ પ્રયોજનથી નગરમાં આવ્યા છીએ. ક્ષમા કરજો. અમારે નગરમાં ન આવવું જોઈએ, એ અમે જાણીએ છીએ.. પણ..” પ્રભાતકાકા બોલતા હતા. ‘પણ શું? શા માટે નગરમાં આવ્યા છો?'
આ અશ્વ પર બેઠા તે અમારા રાજા છે, રાણા છે. અમે સાતસો કુષ્ઠરોગી છીએ. અમે આ યુવાનને અમારો રાજા બનાવ્યો છે..” મંત્રીએ મારી સામે જોયું અને બોલ્યા : ભલે રાજા બનાવ્યા, નગરમાં શા માટે આવ્યા? તમારે નગરમાં ન
મયમાં
૧૦૫
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આવવું જોઈએ, એ તમે નથી જાણતા?'
‘મહામંત્રી, અમારે અમારા રાજા માટે રાણી જોઈએ છે! અમને કોઈ કન્યા, મહારાજા આપે તો રાણા સાથે લગ્ન કરવા છે!'
‘ઓહો... એમ વાત છે? તમારે રાજા માટે રાણી જોઈએ છે કે બીજું કંઈ જોઈએ છે?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નહીં મહામંત્રીજી, બીજું બધું અમારી પાસે છે. અમારે માત્ર રાજા માટે રાણી જોઈએ છે!'
‘ભલે, હું મહારાજાને વાત કરું છું...'
‘તો અમે આગળ વધતા નથી. આ ચોકમાં જ રોકાઈએ છીએ...’
‘ના, ના, નગરજનો દુર્ગંધથી ત્રાસી ગયા છે. તમે બે-ચાર ભાઈઓ જ રોકાઓ, બાકીના બધા જ લોકો તમારા પડાવમાં પહોંચી જાય તેમ કરો.' ‘ભલે, અમે એમ કરીએ છીએ.'
પ્રભાતકાકાએ પાંચ આગેવાનોને ત્યાં રાખીને બાકીના બધા રોગી પુરુષોને અમારા પડાવમાં મોકલી આપ્યા.
અમને પાંચને લઈને મહામંત્રી, મહારાજાની પાસે આવ્યા. મહારાજા પણ પોતાના રસાલા સાથે ફરવા માટે નગરની બહાર ઉઘાનમાં જઈ રહ્યા હતા. ઉદ્યાનમાં જ એક લતામંડપમાં તેઓ બેઠા અને અમને બોલાવ્યા. અમે દૂર ઊભા રહ્યા. મહામંત્રીએ કહ્યું :
‘મહારાજા, આ સાતસો કુષ્ઠરોગી છે. આપણી ઉજ્જયિનીથી ઘણા દૂર ક્ષિપ્રા નદીના તટ પર ગિરિગુફાઓમાં તેઓ વાસ કરીને રહેલા છે. તેમની પાસે ધન-ધાન્ય છે, ખાવા-પીવાનું છે, પહેરવા-ઓઢવાનું છે... પણ તેમના રાજાને રાણી નથી!'
૧૦૬
‘એટલે એમનો ય કોઈ રાજા છે?'
‘હા જી, આ ઉંબરરાણા અમારા રાજા છે!' મને પ્રભાતકાકા ઘોડા પરથી ઉતારીને મહારાજાની પાસે લઈ ગયા. મહારાજાએ મને પગથી માથા સુધી જોઈ લીધો! કુષ્ઠરોગથી વ્યાપ્ત મારા શરીરને જોઈ લીધું. મારા ડાબા હાથની ખરી પડેલી આંગળીઓ પણ જોઈ અને આખા શરીરે પડેલા ડાધોથી વહેતું પરું પણ જોયું.
‘મહારાજા, અમને અમારા રાજાને યોગ્ય કન્યા જોઈએ છે. અમે એને
For Private And Personal Use Only
માણા
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણી બનાવીશું. વિધિપૂર્વક લગ્ન કરીશું. આપ આપના વિશાળ રાજ્યમાંથી એકાદ કન્યા આપવા કૃપા કરી અમારા સાતસો ય માણસોની આ જ એક યાચના છે... અમે આપની કીર્તિ સાંભળી છે કે આપ કોઈ યાચકને ખાલી હાથ પાછો નથી કાઢતા. અમે આપની પ્રશંસા સાંભળી છે એટલે જ નગરમાં આવવાનું સાહસ કર્યું છે, મહારાજા! આ નગરની પ્રજા તો દયાળુ છે. નહિતર લોકો અમને ગામ-નગરમાં પ્રવેશવા દેતા નથી. પથ્થરો મારે છે. હડધૂત કરે છે... લાકડીઓના પ્રહાર કરે છે... પરંતુ અહીંની પ્રજાએ અમને દુ:ખ નથી આપ્યું...” મહારાજા પ્રજાપાલ ઊંડા વિચારમાં પડી ગયા. મહામંત્રી અને બીજા રાજપુરુષો પણ મૌન ઊભા રહ્યા. ત્યાં અચાનક મહારાજા જોરથી બોલી ઊઠ્યા : મળી જશે, તમને કન્યા મળી જશે! રાજકન્યા મળી જશે!' “તો પછી મહારાજા, આજે અમે જઈએ. આપ કહો ત્યારે અમે આવીએ...”
આવતી કાલે સવારે રાજસભામાં જ આવો. ત્યાં જ તમને તમારા ઉંબરરાણા માટે રાણી આપીશ!'
અવશ્ય?' પ્રભાતકાકા વાત નક્કી કરવા લાગ્યા.
અવશ્ય. ઉજ્જયિનીના રાજાનું વચન કદાપિ ન ફરે. તમને તમારા રાણા માટે રાણી મળશે જ!
અમે મહારાજાના ચરણે દૂરથી પ્રણામ કર્યા. એમનો ઉપકાર માન્યો અને અમારા મુકામે જવા પાછા વળ્યા.
“મહામંત્રી! મારી અભિમાની પુત્રી મયણા માટે એનાં કર્મો જ પતિ શોધી લાવ્યાં! આ કુષ્ઠરોગી યુવાન રાજા મારી પુત્રીનો પતિ બનશે! હું આજે એને બોલાવીને વાત કરું છું. હજુ પણ જો એ પોતાનો દુરાગ્રહ છોડે તો મારે એને વૈશાલીના સુંદર પરાક્રમી રાજકુમાર સાથે પરણાવવી છે. પણ જો એ પોતાનો હઠાગ્રહ છોડવાની જ ન હોય અને “મારા કર્મો જ મારા માટે પતિ લાવશે...' આ વાત પકડી રાખવાની હોય તો એનાં કર્મો આ કુષ્ઠરોગીને લઈ આવ્યાં છે. પરણે એને અને આનંદથી જીવન વિતાવે!”
મહારાજા...”મહામાત્ય સોમદેવ મહારાજાના ચરણો પકડીને બોલ્યા : “છોરુ
મયણા
૧૦૭
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છોરુ થાય... મા-બાપે એવા ન થવાય... મહારાજા... આવા કુષ્ઠરોગી સાથે મયણા જેવી રાજકુમારીને ન પરણાવાય. મહારાણી રૂપસુંદરી પણ પસંદ નહીં કરે.'
‘મહામંત્રી! તો શું હું પસંદ કરું છું આને પતિ તરીકે? ના, આ તો મયણાનાં કર્મોની પસંદગી છે! ‘કર્મ કરે તે થાય!' એમ એ છોકરી કહે છે ને? ‘પિતા કરે તે ન થાય!' એમ એ માને છે. હું એને સુખી ન કરી શકું, એનાં કર્મો જ એને સુખી કરી શકે! એમ એ માને છે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજા! આપ શાંત થાઓ. આપણે ફરીથી મયણાને બોલાવીને વાત કરીએ! એને સમજાવીએ. એનો દુરાગ્રહ છોડાવીએ... એ નાની છે! નાનાં બાળકો થોડું ભણે-ગણે એટલે ઉછાંછળાં થઈ જતાં હોય છે. છતાં મયણા તો સમજદાર છોકરી છે...’
‘ભલે, આપણે સમજાવીએ. બોલાવો એને.’
રાજમહેલના સુંદર સભાખંડમાં મહારાજા પ્રજાપાલ સિંહાસન પર બેઠા, બાજુમાં મહારાણી રૂપસુંદરી બેઠાં. બીજી ત૨ફ મહામંત્રી સોમદેવ અને પંડિતરાજ સુબુદ્ધિ બેઠા. નગરના પ્રમુખ શ્રેષ્ઠીઓ પણ પધાર્યા હતા. મયણા પોતાની માતા રૂપસુંદરીની પાસે બેઠી હતી. મહારાજાની નિકટ બેઠી હતી. ક્ષણભર સભાખંડમાં મૌન પથરાયું. ત્યાં મહારાજાએ મયણાને કહ્યું : ‘બેટી, કર્મોનો પક્ષ છોડી દે. ‘કર્મ કરે તે થાય', એવી માન્યતા ત્યજી દે. તું એમ બોલ કે 'પિતાજી! આપ જે કરશો તે અમારા સુખ માટે હશે! આપ જ અમારાં સુખ-દુઃખના વિધાતા છો. આપ ધારો તો અમને સ્વર્ગ આપી શકો, આપ ધારો તો અમને નરકમાં ધકેલી શકો!'
એક ક્ષણ... બે ક્ષણ... ત્રણ ક્ષણ... મૌન છવાયું.
ચોથી ક્ષણે વિસ્ફોટ થયો.
૧૦૮
‘પિતાજી! સર્વજ્ઞ પરમાત્માનું વચન છે કે કર્મો કરે તે થાય! આ સંસારમાં દરેક જીવ કર્મોથી બંધાયેલો છે. કર્મોને પરાધીન છે. કર્મ કરે તે જ થાય! સુખ અને દુ:ખ... યશ ને અપયશ... બધું જ કર્મોના પ્રસાદે થાય છે.
પિતાજી! આ દુનિયામાં આવીને પોતાની આશા-આકાંક્ષાઓ કોણ પૂર્ણ કરી શક્યું? ચિર-મિલનનું સુખ કોણે મેળવ્યું છે? થોડી જ પળોનો, થોડા જ દિવસોનો, થોડાં જ વર્ષોનો... યા યુગોનો સંયોગ... અને બસ, કર્મોની
For Private And Personal Use Only
સમણા
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રૂરતા અહીંથી સંસારની જીવનકથા, સુખવાર્તા સમાપ્ત કરે છે. વિયોગ.. વિયોગ... ચિરવિયોગ... અને એ પર વહાવેલાં આંસુ, બસ, એ જ શેષ રહી જાય છે, હૃદય સળગી ઊઠે છે. આંસુઓનાં પૂર ઊભરાય છે. ઊના ઊના ઉચ્છવાસો નીકળી પડે છે અને અંતે રહે છે સ્મૃતિરૂપ દીપકની અંક શ્યામલ ધૂમ્રરેખા.
જીવ તો પામર છે. કર્મોનાં બંધનોથી જકડાયેલો છે. ત્યાં “હું તને સુખી કરી દઉં!' એવી મિથ્યા કલ્પના કરવાનો કોઈ અર્થ નથી.' “એટલે મયણા, તું તારા નિર્ણયમાં અટલ છે ને?” “હા જી, હું મારા નિર્ણયમાં નહીં, સર્વજ્ઞ પરમાત્માના સિદ્ધાંતમાં અટલ છું. સંસારમાં રહેલા જીવોને સુખ-દુ:ખ એમના પોતાનાં શુભ-અશુભ કર્મોના ઉદયથી મળે છે - આ વાત તદ્દન સાચી છે ને હું એ વાતને માનું છું.”
તો ભલે, મહારાજાના મુખ પર ક્રોધની રેખાઓ તણાઈ આવી. તેમણે મહામંત્રીને કહ્યું :
‘તમે પેલા કુષ્ઠરોગીઓના રાજાને આવતીકાલે રાજસભામાં બોલાવી લેજો. હું એમને યોગ્ય રાણી આપીશ! એમનાં શુભ કર્મોના ઉદયથી એમને રાજકન્યા મળશે!'
સમાચાર કુષ્ઠરોગીઓના પડાવમાં પહોંચી ગયા. તેઓ બધા ખુશીથી નાચી ઊઠ્યા. સમાચાર રાજમહેલમાં ફેલાયા. મારી માતા રૂપસુંદરી અને મારા મામા સામતરાજા પુણ્યપાલને પણ મળ્યા. તે બંને અત્યંત નારાજ થયા.
સમાચાર નગરમાં ફેલાયા. કેટલાક લોકો રાજી થયા, કેટલાક લોકો નારાજ થયા. કેટલાકે રાજાની ભૂલ બતાવી, કેટલાકે મયણાની ભૂલ બતાવી. કેટલાકે આ વિવાદને જ અનુચિત માન્યો.
હવે એક વાત સર્વત્ર સ્પષ્ટ બની હતી કે મયણા જો પોતાના સિદ્ધાંતને વળગી રહે તો તેણે કુષ્ઠરોગી એવા ઉંબરરાણાને પતિ તરીકે સ્વીકારવાના હતા અને જો એ પોતાનો આગ્રહ છોડી દે તો એને એક રાજ્યના દેવકુમાર જેવા રાજકુમાર સાથે લગ્ન કરવાનાં હતાં દુનિયાની દૃષ્ટિએ મયણા જાણીબૂઝીને દુઃખનો માર્ગ લઈ રહી હતી, જ્યારે જ્ઞાનીની દૃષ્ટિએ મયણા સત્યના કાંટાળા માર્ગ પર પગલાં પાડી રહી હતી, કે જે સત્યનિષ્ઠ વ્યક્તિ માટેની નિયતિ હોય છે! મયણાને વૈષયિક સુખોનું આકર્ષણ ન હતું કે બાહ્ય
માણા
૧૦૯
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરિક દુઃખોની પરવા ન હતી. એક કુષ્ઠરોગથી ઘેરાયેલા યુવાનનો પતિ તરીકે સ્વીકાર કરવામાં એનું મન પાછું પડતું ન હતું. એ સ્વીકાર કરવા તૈયાર હતી, તત્પર હતી.
મયણાએ જીવતેજીવ મૃત્યુને આલિંગન આપવાનો નિર્ણય કર્યો. હાસ્યને ત્યાગી એણે હાહાકારને અપનાવ્યો. પ્રકાશને મૂકી એણે અંધકારનો આશરો લીધો. વિલાસને ઠોકર મારી એણે તપનો પ્રારંભ કર્યો. રંગબેરંગી વસ્ત્રો છોડી એણે શ્વેત વસ્ત્ર અંગીકાર કર્યા. વિનાશનો, ઓરા આવતા મૃત્યુનો એ કરુણ નિનાદ સાંભળવા છતાં ય એનું દિલ કંપતું ન હતું.
બીજા દિવસે રાજસભામાં જે તે નિર્ણય થવાનો હતો. ઉબરરાણાને રાજસભામાં આવવાનું નિમંત્રણ મળી ગયું હતું. નગરવાસી લોકો સવારથી જ રાજસભામાં ગોઠવાઈ જતા હતા. રાજસભામાં શૈવો અને જૈન, બધા જ પોતપોતાના સ્થાને બેસી ગયા હતા. મહારાજા પ્રજાપાલ સિંહાસન પર બિરાજમાન થયા હતા. પડદા પાછળ રાણીવાસ બેઠો હતો. મંત્રીઓ, મહામંત્રીઓ, પતિઓ, સાર્થવાહો ને શ્રેષ્ઠીઓ પોતપોતાના સ્થાને બેસી ગયા હતા, ત્યાં ઉબરાણાએ પોતાના સાતસ સાથીદારો સાથે રાજસભામાં પ્રવેશ કર્યો. ઉંબરાણા મહારાજાની પાસે જઈને વિનયપૂર્વક ઊભો રહ્યો.
ત્યાં માતા રૂપસુંદરી સાથે ગૌરવભરી દમામદાર ચાલે મયણા આવી રહી હતી. મયણાનું મસ્તક ઉન્નત હતું. એની આંખોમાં વીજળી ચમકતી હતી. મુખમુદ્રા પર એ જ દૃઢતા, એ જ પ્રતાપ અને એ જ વિભૂતિ હતી. પિતાની દષ્ટિ સાથે પુત્રીની દૃષ્ટિ મળી. રાજાએ હજારો ત્રિશૂળના ઘૂઘરા એકસાથે ઝણઝણી ઊઠે એવું અટ્ટહાસ્ય કર્યું. એના એક-એક પગલામાં વિજયનો અશ્રાવ્ય હુંકાર સંભળાવ્યો. સ્થિર અને દૃઢ પગલે તેણે મયણા પાસે આવી એના ખભા પર હાથ મૂકીને કહ્યું : “દીકરી! તારાં કર્મો તારા માટે કોઢિયો પતિ લઈ આવ્યાં છે.' “હે તાત! મને આ પતિ સ્વીકાર્ય છે!' વિણાના જેવા એ મધુર સૂર હતા. ભડભડતા અગ્નિ પર વરસતા એ આષાઢી મેઘ જેવા શીતલ શબ્દ હતા.
રાજકુળ, રાજ વૈભવ... નગર અને મનોહર ઉઘાનો... આ બધું છોડી, મયણા ઉંબરરાણાની સાથે નગરના બાહ્યપ્રદેશ તરફ ચાલી કે જ્યાં ઉપેક્ષાનો
૧૧0
માણા
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘોર અંધકાર પ્રસરેલો હતો. જ્યાં કીર્તિનો પ્રકાશ ન હતો. જ્યાં સૌંદર્યની છાયા ન હતી ને જ્યાં મમતાના પડછાયા પડતા ન હતા.
મહેલ આગળ લોકોની ગિરદી થઈ હતી. લોકોના ચહેરાઓ પર કોઈ જુદી જ રેખાઓ હતી. તેમની પ્રીતિપાત્ર બનેલી રાજકુમારી તરફ તેમની આસક્તિ આજે જાણે ઢળી પડી હોય તેવું લાગતું હતું. આજ મારા સૌંદર્યને, મારાં કોમળ અંગોને તેમની નજરથી લોકો પીતા ન હતા. મારા પ્રત્યેની દિલચસ્પી, પ્યાર, આકાંક્ષા અને સ્તબ્ધતા.. જે હરહંમેશ મને એ નજરોમાં દેખાતી હતી એ આજે જડતી ન હતી. કેટલાકના ચહેરા પર વિષાદ હતો. કેટલીક આંખોમાં આઘાત હતો. કેટલીક નિગાહોમાં ભડભડતો ધિક્કાર હતો. કેમ જાણે તેમની આરાધ્ય રાજકુમારીને તેમણે બહુ મોટી ગુનેગાર માની લીધી હતી. કેટલીક મિથ્યાત્વી નજરમાં લુચ્ચાઈભરેલો આત્મસંતોષ હતો. તેમ છતાં કેટલીક આંખોમાં ભીના ચમકારાઓમાં મને અનુકંપા પણ દેખાતી હતી. તેમની મયણા રાજકુમારી કોઈ અનેરા દૃશ્યમાં તેમની સામે ખડી હતી. રાજસભામાં દમ ભરવાની જગા ન હતી. નીચે ફેરસ પર જ્યાં જગા મળી ત્યાં લોકો આવીને બેસી ગયા હતા.
મેં આજે આછા આસમાની રંગની સાદાં ધોળાં ફૂલની છાપવાળી સાડી, અને સફેદ ચોળી પહેરી હતી. શરીર પર ફૂલોનો શણગાર હતો. અલંકારો મેં ઉતારી નાંખ્યા હતા.
હું રાજસભામાંથી મારા પતિ ઉંબરરાણા સાથે બહાર નીકળી. અમારા ૭૦૦ સાથીદારોએ ઉબરરાણાનો જયજયકાર બોલાવી દીધો. પણ ત્યાં ઉજ્જયિનીના રાજ કવિએ મારી પાસે આવીને, મને અને ઉંબરરાણાને ઊભા રાખીને હજારો લોકોની મેદની વચ્ચે એક ગીત લલકાર્યું કે
.: ગીત : ઉલ્કાપાત સમું જીવન તે મલયાચલ માની માણ્યું મયણા બેની! અમરતને તેં પીધું ને પાઈ જાયું! એક વાર ભલભલા ભૂપને થરથરાવી દઈ તારી હાક! અને રાજસભામાં સભાજનોને મુગ્ધ કરી ગઈ તારી હાક. સિદ્ધાંતોના સ્પષ્ટ જવાબો આપીને તે ગજવી હાક નાસ્તિકોના ને રાજાના હૈયે સર્જાવી ગઈ હોળી એ હાક
મયણ
૧૧૧
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સાહસ સ્મિત ભેર કરી પરિણામને જાણ્યું.
મયણા બેની અમરતને તેં પીધું ને પાઈ જાયું. હાર-જીતની નો'તી કલ્પના, કરવું'તું મદનું ખંડન, સદા રહે ઝળહળતી જ્યોતિ કરવું'તું જિનમતનું મંડન, સતત વહાવી જ્ઞાનની ધારા કર્યું તે મિથ્યામત-ભંડન હતું ભવ્ય ને દિવ્ય એક ચમત્કૃતિભર ઉરસ્પંદન.
તિરસ્કારના જલથી તેં તો શાંતિથી નાહી જાયું. - મયણા બેની અમરતને તેં પીધું ને પાઈ જાણયું. વંટોળાના તાંડવ સાથે હતો નિરંતર તારો પ્યાર હતો શ્રદ્ધાનો ક્ષત્રિયવટનો સપ્તરંગી શણગાર હૃદયે ઋષભ, મનમાં મુનિવર, હતી તારી બલિહાર ભક્તિની શક્તિથી પામી'તી તું પ્રભુનો પ્યાર.
જવાંમર્દીના જંગમાં દેવી! તેં રંગે રંગાઈ જાણ્યું.
મયણા બેની ! અમરતને તેં પીધું ને પાઈ જાયું. તેં હૈયામાં રુદન ભરીને, ચહેરે નિત પાથરિયાં હાસ, અંધકારમાં માર્ગ શોધવા પહોંચી તે સદ્ગુરુની પાસ. અણિશુદ્ધ સતીવ્રત અદાથી સાચવિયી અણનમ ઉલ્લાસ જરૂર પડી ત્યાં ઝેર પીધાં તેં પણ હતી હૈયે અમૃતની આશ.
તેં સંસારની શરશય્યા પર મુક્તિગીત ગાઈ જાણ્યું. મયણા બેની અમરતને તેં પીધું ને પાઈ જાયું.
ઉંબરરાણાએ મયણાને જોઈ. તેના ચહેરા પર બ્રહ્મનું ઓજસ હતું. એ એટલી જ સુંદર હતી, એટલી જ ચુસ્ત. તેના ચુસ્ત શરીરમાં ક્યાંય ખોટી ચરબી જમા નહોતી થઈ. તેનું રેશમ જેવું બદન, લંબગોળાકાર ચહેરો, સીધું ઘાટીલું નાક, કંડારેલા તાના જેવા હોઠ, સહેજ કઈ ઝાંયવાળી આંખો, લાંબી સપ્રમાણ ગ્રીવા, પાતળી કમરને ઓપે એવું વક્ષ:સ્થળ, કાચા રેશમના બુટ્ટા જેવી ચિબુક અને ગુલાબી ઢોળ પાથર્યો હોય તેવો નાજુક ઉરપ્રદેશ. ઉબરરાણા મયણાના શરીર તરફ અજબ આસક્તિથી જોઈ રહ્યો. બધું જ અદ્દભુત હતું... પણ તેના મનમાં પ્રશ્ન ઊઠ્યો : “આ સ્ત્રી શું મારા માટે યોગ્ય છે? હું એના માટે યોગ્ય છે ખરો? રાજાએ પોતાની આવી
૧૧૨
મુBI
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપ્સરા જેવી પુત્રી, મારા જેવા કુષ્ઠરોગીને આપી... તે રાજાનો રાજકુમારી પ્રત્યેનો પ્રકોપ જ હોવો જોઈએ. પિતાને પુત્રી પ્રત્યેનો તીવ્ર રોષ જ હોવો જોઈએ. પણ આ રીતે પુત્રીના જીવનને પીંખી નાંખવાના પિતાને અધિકાર નથી. હા, પિતા રાજા છે! સત્તાધીશ છે! એટલે એ પુત્રીના જીવન સાથે આવો કૂર ખેલ ખેલી શકે... પણ હું એના દેહને સ્પર્શ નહીં કરું... એની કાયાને રોગી નહીં કરું... અને મારા બંધનમાં નહીં બાંધું! એને હું મુક્તિ આપીશ. મારા સુખ માટે એના સુખનું બલિદાન નહીં લઉં.... હું મારું સુખ જતું કરીશ. આમેય આ કુષ્ઠી જીવન સુખભોગ માટે હોય જ નહીં.
ઉજ્જયિનીની સરહદ છોડી અમે અમારા પડાવે તરફ ચાલી નીકળ્યાં. એ પહાડીઓમાં ઊભેલાં વૃક્ષો, એ વૃક્ષોમાંથી ચળાઈને આવતો લહેરાતો પવન, ચટ્ટાનોમાંથી વહેતાં નાનકડાં ઝરણાં, ઘાસ પર જામેલાં પાણીનાં ચમકતાં ફોરાં, એ સૌમાં જે ચૈતન્ય હતું, નિસર્ગની જે અવિષમ રમણીયતા હતી, તેવું જ કંઈક મને ઉબરરાણામાં દેખાતું હતું. શી ખબર કે પછી હું ખરેખર સ્વપ્નમાં હતી! ગર્મ તેમ પણ તે દિવસે એ ગુફાની ભેખડના ઓછાયામાં મને કોઈ અકથ્ય અનુભૂતિ થઈ હતી. કદાચ એ ઘડી જ મારા પ્રેમની શરૂઆત હશે. એ અનુભૂતિના કારણે જ મને ઉબરરાણો મારો પુરુષોત્તમ લાગ્યો હશે? શી ખબર... પણ એ દિવસે હું કંઈક પામી હતી....
અમારા પડાવમાં તો ભવ્ય ઉત્સવનું વાતાવરણ હતું. સહુના મુખ પર અનેરો આનંદ ઊભરાતો હતો. અમારાં લગ્ન માટેની તૈયારીઓ થઈ રહી હતી નગરમાંથી પણ મારા પ્રત્યે સ્નેહ-સહાનુભૂતિ ધરાવતાં અનેક સ્ત્રી-પુરુષો અમારી પાછળ-પાછળ આવી રહ્યાં હતાં. ભલે, એ લોકોને મારો આ નિર્ણય ગમ્યો હશે કે નહીં ગમ્યો હોય, પરંતુ તેમણે મારી ઉપેક્ષા કરી ન હતી. મારી સખી લલિતા પણ આવી હતી. જોકે એ સહુના મુખ પર ઉદાસી છવાયેલી હતી... અણગમો પણ હશે... છતાં મારા પ્રત્યેની સહાનુભૂતિ તો હતી જ.
અમારો લગ્નોત્સવ ઊજવાયો. હું વિધિપૂર્વક ઉબરરાણાની પત્ની બની. ઉંબરરાણાના સાતસો સહવાસીઓ આનંદથી નાચી રહ્યા હતા. જ્યારે મારા પ્રત્યેના પ્રેમથી.. સ્નેહથી ને સહાનુભૂતિથી આવેલાં સ્ત્રી-પુરુષોની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં. મેં ઈશારાથી એ સહુને કહ્યું કે, “હવે
૧૧૩
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે નગરમાં ચાલ્યા જાઓ...” ઘણા લોકો ચાલ્યા ગયા. લલિતા ના ગઈ. મેં લલિતાને કહ્યું, “તું ચાલી જા અને મારી માતા રૂપસુંદરીને આશ્વાસન આપજે. એને કહેજે કે એની પુત્રી દુઃખી નથી... એને પસ્તાવો નથી.. એ એના લીધેલા માર્ગમાં દૃઢ છે.” - લલિતા પુનઃ આવવાનું કહીને ચાલી ગઈ.
હું ઉંબરરાણા સાથે અમારી ગુફામાં પ્રવેશી. ગુફાને પુષ્પોથી શણગારવામાં આવી હતી. સ્વચ્છ આસનો પાથરવામાં આવ્યાં હતાં. એમના સાથીદારોએ સ્વચ્છ પાણીનું માટલું મૂકેલું હતું અને બીજી બધી જ સગવડતાઓ ગોઠવી હતી. હું ગુફાના દ્વારે બેઠી હતી... મારા મનમાં વિચારોની વણઝાર ચાલી રહી હતી.
હું અગ્નિની સાક્ષીએ લગ્નની પવિત્ર ગાંઠે બંધાઈ છું. હું લગ્નબદ્ધ બની... મારા જીવન ફરતે લક્ષ્મણરેખા દોરાઈ ગઈ. મારે હવે નવા વાતાવરણમાં નવજીવન જીવી બતાવવાનું છે. મારે અહીં મારું નારીત્વ, સતીત્વ સતીનું જીવન જીવી બતાવવાનું છે. ગમે તેવા ઝંઝાવાત સામે અહીં મારે ટકી રહેવાનું છે. હવે મારે માત્ર મારો જ નહીં, આ મારા કુષ્ઠરોગી પતિનો પણ વિચાર કરવાનો છે. હું આજે જીવનના એક ખડકની ભેખડ. પર ઊભી છું. સામે જ ઘૂઘવતો દરિયો છે. નવા પવનના સુસવાટો છે. ઝંઝાવાત છે. વાવાઝોડા સામે ટક્કર ઝીલીને મારે ઝઝૂમવાનું છે. વરધીર બનીને જીવી બતાવવાનું છે. મારા સતીત્વની રક્ષા કરવાની છે. નારીજીવનનાં ચિરંતન મૂલ્યોની સાચવણી કરવાની છે. વળી, હું કોઈ મહાન નારી નથી. સામાન્ય રાજકન્યા છું અને હવે તો એક ઘરબાર વિનાના, ધરતી પર ભટકતા એક કુષ્ઠરોગી પુરુષની પત્ની માત્ર છું.”
હું કર્તવ્યવિમુખ નહીં બનું. શ્રદ્ધાથી ભરી ભરી બની, સૌપ્રથમ મારા પતિને કુષ્ઠરોગથી મુક્ત કરવાનું કામ મારે કરવાનું છે. મારી પ્રભુપ્રીતિ, મારી પરમાત્મભક્તિ, મારી ગુરુશ્રદ્ધા ને ગુરુસેવા... આ બધી મહાન શક્તિઓ મને ભારે હિંમત બક્ષે, એવી મારી મનોકામના છે.
અને છતાંય, સમયનાં પેલાં પ્રબળ પરિબળો ય મને ડરાવી રહ્યાં છે. મનમાં ઊઠતા ઝંઝાવાત સમા વિચારોનાં તોફાનો.... શું મારી હયાતીને, મારા અસ્તિત્વને ઉખેડીને ફેંકી દેશે? આ જોરદાર પ્રતિકૂળ પ્રવાહમાં ખેંચાઈ-ઘસડાઈને ડૂબી તો નહીં જાઉં? ના, ના, મને મારા ભગવાન
૧૧૪
મયા
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મા
ઋષભદેવ ૫૨ પૂર્ણ વિશ્વાસ છે! મને મારા ગુરુદેવ મુનિચન્દ્રસૂરિ પર એકાંતિક શ્રદ્ધા છે... હું એમની શરણાગત છું... એ હવે મારી ચિંતા કરશે... મારે મારી ચિંતા નથી કરવાની!
અંતરના અંધારે નાથ
દીપ બનીને આવો નાથ! દીપ બનીને આવો નાથ! પ્રાણો છે પરવશ સૌ મારા આશ બનીને આવો નાથ... દીપ બનીને આવો નાથ! પ્રગટો દેવ! જીવન-અંધારે કર્મ-આતમના બંધિયારે કારાગારે મુક્તિનું સંગીત બનીને આવો નાથ... દીપ બનીને આવો નાથ... હૃદય-વ્યથાના પારાવારે વ્યાકુળતા કેરી મઝધારે તારક ધારક નાવિક થઈને
આવો મારા નાથ
મને કો સનાથ! અંતરના અંધારે નાથ દીપ બનીને આવો નાથ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૧૫
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના ૧૭
ક્ષિપ્રા નદીનો તટ કોઢી-કાન્તાર રાતોરાત ઉત્સવના સ્વર્ગમાં બદલાઈ ગયો હતો. લોહી-પરુ ઝરતા શરીરવાળા સાતસો કોઢી કેશરિયા વેશમાં સામંત રાજા બની ગયા હતા. પ્રેમભરેલા કંઠોથી નગર-સ્ત્રીઓએ અને રાજ કન્યાઓએ વિવાહનાં ગીતો ગાયાં હતા. અને અનેકવિધ મંગલાચારમાં પોતાના હર્ષાશ્રુ સીંચ્યાં હતાં. રાજવાદ્યો વાગ્યાં હતાં, શંખધ્વનિ થયા હતા. અરણ્યોમાં પહેલાં હજારો વર્ષોનો અંધકાર ચૈતન્ય બની અંગડાઈ લઈ રહ્યો હતો.
વનફૂલોથી સજ્જિત પરિણયવેદીમાં, પોતાની ગળી ગયેલી આંગળીઓથી સૌંદર્ય સામ્રાજ્ઞી મયણાકુમારીનું પાણિગ્રહણ કરી, મહારાજા ઉંબરાણા ભીતરમાં જ કૃતજ્ઞતાનાં આંસુ વહાવી રહ્યા હતા. એમનું સુવર્ણખચિત ઉત્તરીય વસ્ત્ર ભીંજાઈ રહ્યું હતું. વિવિધ સુગંધિત અંગરાગને ભેદીને પણ એમની દેહદુર્ગધ બહાર ફૂટી પડી હતી. ઝૂકેલી આંખે મયણાએ શ્રીપાલને જયમાલા પહેરાવીને, મયણા એમનાં ચરણોમાં પડી ગઈ. શ્રીપાલનાં ચરણોની સાથે હૃદય પણ નમ્રીભૂત બની ગયું.
અરણ્ય-શિખર પર પ્રતિપદાનો પાંડુર ક્ષયી ચંદ્રમા ચાલતો ચાલતો અટકી ગયો. ગુફા-દ્વારના આમ્રતોરણની નીચે, ઉંબરરાણા અને મયણા કેટલોક સમય નિઃસ્તબ્ધ ઊભાં રહ્યાં... એ બે સિવાય ત્રીજું કોઈ ન રહ્યું ત્યારે ઉબરરાણાએ નીરવતાનો ભંગ કર્યો :
ભગવતી !' પરમ અનુકંપાથી ભર્યાભર્યા બે નયન ઉબરરાણાના વિદૂત ચહેરા પર વ્યાપ્ત થયાં.
મારા દેવ! મારા કામદેવ!' નહીં નહીં, કામદેવ નહીં, કોઢી કહ, દેવી...”
મારી અભીપ્સાનો ભંગ ન કરો, મારા દેવતા! મારા સ્વપ્નને તોડો નહીં!” મયણાનો ગંભીર ધ્વનિ ગુફામાં ફેલાયો.
૧૧૩
માણસા
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું તું મારા દેહને જોઈ નથી રહી? તારે જોવાયોગ્ય મારો ચહેરો નથી, દેવી!”
આ તમારો અસલી ચહેરો નથી, નાથ! નહીં, તમે તમારો ચહેરો જોઈ નથી શકતા. મારી આંખોથી એક વાર તમે તમને જુઓ...”
‘દેવી, તમે ગમે તે કહો, હું તમારા માટે યોગ્ય નથી... મારા સંપર્કથી તમારો સ્વર્ણસમાન દેહ કદરૂપો બની જશે. તે રૂપે રંભા જેવી છે, મારા પરિચયથી તારું રૂપ નષ્ટ પામશે. માટે મનમાં જરાય શરમ રાખ્યા વિના તું તારી માતા પાસે જા અને બીજા દેવકુમાર જેવા રાજકુમાર સાથે લગ્ન કરી રાજ્યલક્ષ્મીને ભોગવ! દેવી વિષયસુખો ભોગવ. મારા બંધનથી તમને મુક્ત કરું છું.'
ત્યાં મયણા બોલી - એહ વચન કેમ બોલીએ રે લો, ઈણે વચને જીવ જાય રે વાલેસર, જીવ-જીવન તુમે વાલા રે લો, અવર ન નામ ખમાય રે, વાલેસર, પશ્ચિમ રવિનવિ ઉગમે રે લો, જલધિ ન લોપે સીમ રે, સતી અવર ઇચ્છે નહીં રે લો... જો જીવે તો સીમ રે, વાલેસર. ઉદયાચલ ઉપર ચઢ્યો રે લો, માનું રવિ પરભાવ રે વાલેસર, મયણા મુખ જોવા ભણી રે લો, શીલ અચલ અવદાત રે, વાલેસર. ચક્રવાક દુઃખ ચૂરતો રે લોલ, કરતો કમલ વિકાસ રે વાલેસર, જગલોચન જન ઉગિયો રે લો, પસર્યો પુહરી પ્રકાશ રે, વાલેસર. (ઉંબરરાણાને મયણા કહે છે)
હે વહાલેશ્વર! તમે આવાં વચન કેમ બોલો છો? આવાં વચનો સાંભળતાં તો મારો જીવ જાય. તમે મારા જીવનના સાથી છો, વહાલા સાથી છો. એટલે તમારા સિવાય બીજાનું નામ પણ જીવનસાથી તરીકે હું સહન કરી શકું નહીં.
હે નાથ! જેમ સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગતો નથી અને સમુદ્ર પોતાની મર્યાદા મૂકતો નથી, તેમ સતી સ્ત્રી જ્યાં સુધી જીવે ત્યાં સુધી પરણેલા પતિ સિવાય બીજા કોઈ પુરુષને ઇચ્છે નહીં.
આવી અવિચલ ને ઉજ્જવલ શીલવાળી મયણાસુંદરીના મુખને જોવા જ જાણે. સૂર્ય પ્રભાત સમયે ઉદયાચલ પર્વત પર ચઢ્યો હોય, તેમ હું (કવિ) માનું છું!
આ પ્રમાણે ચક્રવાક ને ચક્રવાકીના વિરહનો નાશ કરનાર સૂર્ય-વિકાસી
મયમા
૧૧૭.
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમળોને વિકસાવતો અને જગતના જીવોને ચક્ષુ સમાન આ સૂર્ય ઉદય પામ્યો ત્યારે પૃથ્વી પર પ્રકાશ ફેલાયો.
મેં કહ્યું : “હે નાથ, આ તમારો અસલી ચહેરો નથી. તમે સ્વયં પોતાને જોઈ નથી શકતા. મારી આંખોથી એક વાર તમે તમને જુઓ, પ્રભુ!” અને ભક્તિભરપૂર નયનોથી મયણાએ દૂરથી જ પોતાના સ્વામીને અવિકલપણે પોતાના આંચલમાં બાંધી લીધા! અને પોતાના વલ્લભનો હાથ પકડી તે ગુફાના અંધકારમાં પ્રવેશી ગઈ. શ્રીપાલના શરીર પરના વ્રણો પર ધીરે ધીરે મયણા પુષ્પોની કળીઓથી સહેલાવવા લાગી.
ગુફામાં માત્ર બે જણાં હતાં.
મયણા, તમે કોણ છો? તમે મારી ભીતર એવી રીતે આવી ગયાં છો કે જાણે તમારા સિવાય અહીં બીજું કોઈ નથી! મારો જ આત્મા મને લારી રહ્યો છે.... નહિતર બીજું કોઈ અહીં શા માટે આવે? યાતનાઓનો આ દેશ માનવોથી ઘણો દૂર છે!”
“સાચું કહો છો સ્વામી, એક હું જ છું અહીં, બીજું કોઈ નથી. સ્વામી! મારા પોતાના જ સ્વરૂપને મળવા હું આવી છે અને એ પામીને હું ભરાઈ ગઈ છું! જનમજનમના મારા આ બધા ઘા, તમારા આ ઘાઓથી ભરાઈ ગયા છે. હું પૂર્ણકામ થઈ! હું પરિપૂરિત થઈ!'
મયણા! તમારી હથેલીઓનું ચંદન-કપૂર સહન નથી થતું. તે છતાં અતલમાં એવું કોઈ અગાધ સુખ છે... નિરાકુલ છે. તેને મારી ભીતર જ બધું પામી ગયો છું.... બહારમાં પામવાનું કંઈ બાકી રહેતું નથી. મયણા! ખરેખર તે અનન્યા છો! તારા સિવાય બીજું કોઈ નથી..” કંઈક સમય બધું મૌન પથરાયું. પાછી મધુર કંઠથી ચુપ્પી ભંગ થઈ. પછી સંકોચ શાને, મારા નાથ?” “મારી પાસે વક્ષ નથી, બાંહો નથી... દેહ જ નથી... દેવી!'
મારી બાંહો છે, મારું વક્ષ છે. મારું શરીર છે... હવે એ પરાયું નથી, દેવ! આપનું જ છે... આપનું જ રહેશે...!
નાથ! મારા અહંને તોડો અને ચાહો તો સોહં બનાવી લો! મારા વશમાં કંઈ જ નથી, બ!
તો ચૂપ રહો અને મને સહો!”
૧૧૮
માણા
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અથાક મોનમાં તદાકાર થવાનો સંઘર્ષ શરૂ થયો. અસહ્ય છે આ સુખ! કુષ્ઠરોગી આ કેવી રીતે સહે?
કોઢ તો મારા અંચલમાં લઈ લીધો છે! ભ્રમ ત્યજીને મારી નજીક આવો દેવ! મારા પરમ પુરુષ! હું તમને તમારું સ્વરૂપ બતાવું.'
એ રાતે વધારે પવન ન હતો, ધૂળની આંધી બહુ જલદી ઊડી ગઈ હતી. વરસાદ પછી તારા નીકળી આવ્યા હતા, બિલકુલ સાફ અને ધોવાયેલા! આંધી તો હવે ક્યાંય દેખાતી ન હતી. શીમળાનું વૃક્ષ સીધું ઊભું હતું. તેની ડાળીઓ પાણીમાં ભીંજાયેલી ચાંદીની ઝાલરો જેવી ચમકતી હતી.
હું ઉંબરાણાને લઈ ગુફાની બહાર આવી હતી. ધૂળ અને આંધી પછી તારા નીકળી આવ્યા હતા. એ એટલા ચળકતા હતા કે જાણે હવામાં સોનેરી જેવો ચૂરો ખરી રહ્યો હતો. ન પ્રકાશ, ન અંધકાર! વચ્ચેની કોઈ ચીજ! અંધારાને જુઓ તો એ રોશની જેવો બની જતો અને અજવાળાને જુઓ તો અંધકાર જેવો! ક્યારેક કોઈ પક્ષી વૃક્ષ પરથી ઊડીને ગુફાના દ્વારા પર ફડફડતું લાગતું. લોકોના અવાજો એની પાંખો નીચે દબાઈ જતા. એ હવામાં ઊડતું તો વાતોના ટુકડા ફરીથી જોડાઈ જતા. જાણે કશું જ બન્યું ન હોય... માત્ર હવામાં એક ધ્રુજારી કાંપતી રહેતી.
મેં ઉંબરાણાને કહ્યું : “જુઓ, આકાશમાં ચન્દ્ર નીકળી આવ્યો છે.” બહુ નાનો.. એક કાપેલા સફેદ નખ જેવો!”
પ્રભાત થયું હતું. ક્ષિપ્રાનો તટ સાતસો માણસોના કોલાહલથી બોલકણો બની ગયો હતો. સહુ પોતપોતાના નિત્યકર્મમાં પ્રવૃત્ત થયા હતા. હું પણ ઉંબરાણાને લઈ ક્ષિપ્રાના તટ પર જવાની તૈયારી કરતી હતી, ત્યાં લલિતા આવી પહોંચી. અમે નદીના તટ પર ગયાં. ત્યાં મેં અને લલિતાએ ઉંબરરાણાના ઘા સાફ કરી, તેના પર દવા લગાવી પાટા બાંધ્યા. બીજા પણ નજીકમાં રહેલા રોગી પુરુષોના ઘા સાફ કરીને દવા લગાડી, પાટા-પિંડી કરી.
લલિતા અમારા માટે દૂધ અને નાસ્તો લઈ આવી હતી. અમે આસપાસના પરિચિત બે-ચાર ભાઈઓને બોલાવીને દુગ્ધપાન કર્યું અને નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી લલિતાએ મયણાને કહ્યું : “દેવી! નગરનું
મહા
૧૧૯
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતાવરણ ઘણું નિંદાપ્રચુર અને આક્રોશભર રહેલું છે. એમાંય શૈવપંથીઓ તો ખૂબ રાજી થઈને ખુલ્લંખુલ્લા બોલે છે કે : “જુઓ જૈન ધર્મનો પ્રભાવ મયણા જૈન ધર્મને પ્રાણથી પણ અધિક માને છે. જિનમંદિરે જાય છે, જૈન સાધુઓ પાસે જાય છે... એ મયણાને કેવો પતિ મળ્યો? કુષ્ઠરોગી! જેના હાથપગની આંગળીઓ ખરી પડેલી છે. જેનું શરીર કોઢરોગથી અતિ ગ્રરત છે... જૈન ધર્મનો આ પ્રભાવ? મયણા મન-વચન-કાયાથી.. તન-મન-ધનથી જૈન ધર્મની આરાધના કરે છે... એ આરાધનાનું આ ફળ એને મળ્યું? આના કરતાં તો શૈવ ધર્મ કેટલો મહાન? કે રાજકુમારી સુરસુંદરીને મનપસંદ રાજકુમાર મળ્યો.'
જૈન ધર્મ કરતાં શૈવ ધર્મ મહાન છે!” આ વાત રાજમહેલમાં પણ શરૂ થઈ છે અને નગરમાં પ્રચલિત થઈ છે. જૈન ધર્મ એવો ચમત્કાર નથી કરી શકતો કે કુષ્ઠરોગી એવા ઉબરરાણાનો કુષ્ઠરોગ મિટાવી શકે!
મયણાને પણ આ વાત ખૂંચી ગઈ. ગમે તે ઉપાયથી ઉંબરરાણાનો કુષ્ઠરોગ મટવો જોઈએ! એ માટે હું ભગવાન ઋષભદેવના મંદિરમાં જઈશ. પછી ગુરુદેવ મુનિચન્દ્ર પાસે જઈશ, કુષ્ઠરોગ તો મટવો જ જોઈએ! જૈનેતરો - શૈવો જે રીતે નિંદા કરી રહ્યા હતા તે વાત અસહ્ય હતી. મયણાએ લલિતાને કહ્યું : લલિતા, કોઈ પણ ઉપાયે ઉબરરાણાનો રોગ દૂર થવો જ જોઈએ.’
ન કરીશ કકળાટ મનવા, કરીશ નહીં કકળાટ!
પકડી લેજે વાટ.. સમતાની વાટે ચાલીને પહોંચવું શિવઘાટ ભલે ને ગર્જે પ્રલય કડાકા, પામવી છે સુખશાત
મનવા કરીશ નહીં કકળાટ,
પકડી લેજે વાટ. કદમ કદમે કાંટા લાખો, પડશે ચત્તો પાટ પૃથ્વી બને ભલે પીડાગૃહ, ખાવી છો પછડાટ
મનવા! કરીશ નહીં કકળાટ...
પકડી લેજે વાટ.. અનિલ બને અંગાર ભલે ને ગાળોનો ઘોંઘાટ
૧૨૦
મયણ
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનવરનું ધર ધ્યાન હૃદયમાં સુખ આવે પૂરપાટ
મનવા! કરીશ નહીં કકળાટ... પકડી લેજે વાટ...
લલિતાના મનનું તો સમાધાન થયું, પરંતુ નગરમાં ચોરે ને ચૌટે જિનધર્મની નિંદા થઈ રહી છે. સાથે સાથે દેવી, તમારી પણ નિંદા થઈ રહી છે. તમારે તમારા પિતાજીની વાત સ્વીકારી લઈને 'પિતૃવો મવની સંસ્કૃતિ જાળવવી જોઈતી હતી. એક રાજ કુમારી જો પિતાના આદેશને અવગણે તો એની અસર સામાન્ય પ્રજાજનો પર પડે જ. છતાં ડાહ્યા માણસો આપની સિદ્ધાંતનિષ્ઠાની પ્રશંસા કરે છે. એક સિદ્ધાંત ખાતર તમે જે સુખ-ભોગનો ત્યાગ કર્યો છે, એની પ્રશંસા પણ નગરમાં ઠેર ઠેર થઈ રહી છે. આપની માતા દેવી રૂપસુંદરી અને આપના અધ્યાપક સુબુદ્ધિ આપના સિદ્ધાંતને સારી રીતે સમજાવી રહ્યાં છે.
મયણા
૧૨૧
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના ૧૮ હજી
આજે સુવ્રત-ઉદ્યાનમાં ભગવાન ઋષભદેવનો પ્રાસાદ હજારોની સંખ્યામાં સર્વસાધારણ સ્ત્રી-પુરુષ અને બાળકોથી ખીચોખીચ ભરાયેલો છે અને એમાં એવી ઉત્સુક નિસ્તબ્ધતા છે કે જો સોય પડે તો પણ સંભળાય. મંદિરના સભામંડપમાં એક ઊંચા આસન પર તેજોમાન દેવી મયણા પોતાના પતિ ઉબરાણા સાથે બેઠી છે. બાલસૂર્યની લાલ કાન્તિના મંડલની પવિત્ર રોશની મયણાની કાયા પર પથરાયેલી છે. મયણા મૃગશાવક જેવી નિર્દોષ છે અને મૃગેન્દ્ર જેવી પ્રચંડ-પ્રતાપી છે.
ભારતના, વિશેષ કરીને માલવદેશના ચુનંદા પંડિતો ત્યાં બિરાજમાન છે. હજારો આંખો, વિદ્યુતપ્રભા સમાન મયણા ઉપર લાગેલી છે અને ત્યાં અચાનક ગંભીર શંખનાદ સુણાઈ સાંભળાયો.
કેવલ્યની વિશુદ્ધ સૌંદર્યપ્રભાથી જેમનો દેહ દેદીપ્યમાન છે; કરોડો સૂર્ય જેમનામાં એકસાથે ઉદ્યોદિત છે; નારકોની અકથ્ય વેદનાઓ; સંઘર્ષ અને વેદનાઓ જેમને હસ્તામલકવતું નિરંતર સંવેદિત છે, ત્રિલોક અને ત્રિકાલના અનંત પરિણમન જેમની આત્મપ્રભામાં અનુસમયતરંગિત છે - એ પૂર્ણકામ અને પૂર્ણસુંદર અહિત્ ઋષભદેવના ચરણોમાં મયણાએ મન-વચન-કાયાથી પ્રણામ કર્યા.
તેણે કહ્યું : મારી સ્તવના પ્રતિપલ નવ-નૂતન હોય છે. વસ્તસૌંદર્ય પ્રતિક્ષણ પરિણમનશીલ હોય છે. એમાં પળેપળે નવા-નવા ભાવ અને નવાં નવાં રૂપે પ્રગટ થાય છે. ભગવાન ઋષભદેવ અનંત સુંદર છે. અગાધ અને અસીમ છે એમનું રૂપ અને લાવ! કેટલાક લોકોમાં જ એ વર્ણન પૂરું થઈ જતું નથી.
એ ત્રિભુવનમોહિની મા છે! પ્રતિક્ષણ મારી આંખો સામે નિત નવી બનીને પ્રગટ થાય છે. હમણાં જ અહીં, આ પળે સત્તાના અનંત સમુદ્રમાંથી અંગડાઈ લેતી, એક અપૂર્વ લાવણ્યપ્રભા સાથે એ પ્રતિમા પ્રગટ થાય છે!
૧૨૨
અપણા
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહો! શબ્દોના એકદેશીય કથનમાં, આ કરુણામાતાના અનંત રમણીયરૂપનું વર્ણન કેવી રીતે કરી શકાય? એની રૂપવિભા અનૈકાન્તિની છે. વિવિધ ભાવ, વિવિધ સંવેદન, વિવિધ ભંગિમાઓ, સંબંધો અને સંદર્ભોમાં એ એકસાથે અભિવ્યક્ત થઈ રહી છે. કાળથી અતીત તે પોતાના સમયની એક વારની રમણી છે, મા છે, ધાત્રી છે, વિધાત્રી છે, વધુ છે, સર્વાગના છે, ઉર્વશી છે, તિલોત્તમાં છે અને સર્વસંવારિણી પણ છે... એ શું નથી? સારાંશ એ છે કે એ પૂંજીભૂત રૂપવિગ્રહ છે. જે મનુષ્યની જેવી ચાહના છે, જેવા ભાવ છે, એને અનુરૂપ એની ચેતના પ્રગટ થાય છે.
અહા! કેવી પરમ અનુગ્રહવતી, અનુકંપાવતી ભગવતી છે આ પ્રતિમા ભગવાન ઋષભદેવની! જગદીશ્વરની! પરમેશ્વરની! હું અનુભવ કરું છું કે એની પરમ કૃપા આ ક્ષણે અમૃતના સમુદ્રની જેમ ચારે બાજુથી ઊછળીઊછળીને મને નવડાવી રહી છે. પોતાના નિરાવરણ શુદ્ધ સ્પર્શના જળથી એ મારા આ પ્રિયતમ રાણાના અણુ-અણુને અભિસિંચિત કરતી રહી છે. મારી અને મારા આ પ્રિયતમની સમસ્ત વાસના અને ચેતના એની કરુણા અને રમણીયતાના સંગ તદાકાર થઈને, એની અનુત્તર સૌંદર્યમૂર્તિની સાથે આલિંગિત થઈ ગઈ છે.
હે પ્રભો! બારે સ્વર્ગોના કમલવનોના સવર્ણિમ પરિમલપરાગ જે તમારા દેહમાં રૂપાયમાન થયો છે અને ભગવંત! તમામ અપ્સરાઓ અને દેવાંગનાઓની સારભૂત રૂપમાધુરી આપનાં અંગાંગોથી ઝરી રહી છે. તમે કલ્પલતાઓ જેવી લચીલી, તવંગી, મનચાહી, મનમાયી અને સર્વકામપૂરણ શક્તિશાળી છો.
તમારા મુખમંડળની સૌમ્ય સવર્ણ આભામાં, બધા સૂર્યો, બધા ચન્દ્રમાં, બધા ગ્રહ-નક્ષત્રોની જ્યોતિ, સમરસ, સંવાદી, સમંજસ બનીને વ્યાપ્ત છે. તમારા ભૂ-મધ્ય તિલકમાં, નિખિલના એકીભૂત આકર્ષણનું કેન્દ્ર બનીને રહેલું છે.
તમારી ભ્રમરીનાં ખેંચાયેલાં ધનુષ્ય, અમારા પ્રાણોનાં તીરની જેમ ખેંચીને વિવિધ કામ્ય વસ્તુઓને વીંધે છે. તમારી આંખોના સર્વસ્વહારી કટાક્ષ, અમારા મન-મદનના મર્મોને ભેદે છે. દષ્ટિના આઘાતથી અમારી વાસના ટુકડેટુકડા થઈ જાય છે. સર્વ દેશ-કાળના સહસ્ત્રદલ કમલોના માર્દવ, મકરન્દ અને સૌરભથી તમારા હોઠ સંમુદિત રહે છે. આ હોઠોના
મધણા
૧૨૩
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતાવરણમાં નિરંતર પ્રકૃતિ સાથેનું ચુંબન પ્રવાહિત રહે છે. તમારી ચિબુકની ગોળાઈમાંથી જાણે જંબુદ્વીપ પૃથ્વી પર ઉતરી આવ્યો છે. તમારી કંબુગ્રીવાની રેખાઓમાં જાણે કેટલા જન્મોની મમતા ઊભરાઈ રહી છે! લોકમધ્યમાં ત્રસ-નાડીના સમાન છે તમારો ગ્રીવાનો પ્રદેશ. એના રેખાપટલોમાં ચારેય નિકાયના રાશિત જીવ મમતાકુલ થઈ શરણ શોધે છે!
હે ભગવન્! આ સંસાર-આપના ક્લેશથી જીવો સંત્રસ્ત છે. એ જીવોને માટે આપના ચરણોની છાયા છત્ર બને છે. હે નાથ, જેમ સૂર્ય પરોપકાર માટે પ્રકાશે છે તેમ આપ પણ લોકહિતાર્થે આ પૃથ્વી પર વિચરણ કરો છો. હે જિનેશ્વર! જે કોઈ જીવ આપનાં દર્શન કરે છે તેઓ ધન્ય બની જાય છે અને જેઓ આપનાં દર્શન નથી પામતા તેઓ ભલે સ્વર્ગવાસી હોય, તો પણ અધન્ય છે. ત્રિભુવનપતિ! જેઓના હૃદયચૈત્યમાં આપ જ એક અધિદેવતારૂપે બિરાજમાન છો, તે ભાવિકો શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ છે. હે જિનેશ્વર? હે મરુદેવાનંદન, હું આપને પ્રાર્થના કરું છું કે આપ ક્યારેય મારું હૃદયસિંહાસન ખાલી કરશો નહીં.
પરમ પરમેશ્વર ભગવાન ઋષભદેવ! મોહનો વારુણી સમુદ્ર તમે તરી ગયા અને તેથી જ તમારા આત્મતટ પર કૈવલ્યસૂર્ય અવતીર્ણ થયો હતો! હે અનન્તકોટિ બ્રહ્માંડોની જનેતા અને અભય-શરણદાત્રી માતા! તમારાં શ્રીચરણોના પધસંચારથી પ્રતિપલ નિત્ય-નૂતન સૃષ્ટિઓની ઉષાઓ ફૂટતી રહે છે. ભવારણ્યમાં જીવી રહેલી જીવ રાશિ ને જીવ-યોનિને તમારા પાદસ્પર્શથી અજ્ઞાત, અબૂઝ અમરત્વનું આશ્વાસન મળતું રહે છે.
ઓ પરમાત્મા! ઓ પરમ મા! આત્મરમણી મા... આપની શિષ્યા મયણાને આપની શ્રીકમલગોદમાં ઉત્સગિત કરો! ચરમ આલિંગન કરો... પરમ ભક્તિનું સુખ પ્રદાન કરો! ઓ પરમ આત્મા! ઓ ભગવદ્ ષભદેવ!
સહસા મયણા નિર્વાફ થઈ ગઈ. પરાવાકુ થઈ ગઈ. રસસમાધિમાં અંતરલીન થઈ ગઈ. એક વિરાટ અને અખંડ નિઃસ્તબ્ધતા જાણે દિગન્તો સુધી વ્યાપ્ત થઈ ગઈ. વિશ્વની બધી ગતિવિધિ જાણે એકાએક વિરામ પામી ગઈ. અપને આપમાં વિશુદ્ધ અદ્વૈત મહાસત્તાના સિવાય ત્યાં જાણે કશું જ શેષ ન રહ્યું. આરાધક અને આરાધ્ધ, વક્તા અને શ્રોતા, કવિ અને ભાવક... એક અભેદ નીરવતામાં તદાકાર બની ગયાં. હજારો આંખોએ એકાગ્ર અપલક દૃષ્ટિથી જોયું : વચ્ચે રહેલા ઊંચા
૧૨૪
માણા
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસન પર એક સંભ્રાન્ત સ્ત્રી, નિશ્ચલ અને નિર્વિકાર દશામાં લીન છે. એની પાસેનો પુરુષ રુણ છે પણ નિર્મળ છે. દિવ્ય દૃષ્ટિમાં એ નિરતિશય કામદેવ છે! ઉજ્જયિનીનાં અનેક સેંકડો સ્ત્રી-પુરુષ ત્યાં સ્તબ્ધ બનીને બેઠા છે. એમને મયણાની પ્રભુશક્તિનો, પ્રભુભક્તિનો પ્રભાવ પ્રત્યક્ષ જોવો છે.'
મયણાએ કેશર, ચંદન, પુષ્પ અને કપૂર આદિ ઉત્તમ દ્રવ્યોથી પ્રભુની પૂજા કરી. સુગંધી પુષ્પોથી ભરપૂર હાર તેણે પ્રભુના કંઠે પહેરાવ્યો. ત્યાર પછી ચૈત્યવંદન કર્યું. ભાવના ભાવી. કાયોત્સર્ગધ્યાન કર્યું.... અને ત્યાં મયણાએ પરમાત્માની સ્તવના શરૂ કરી :
શરણ એક તમારું સાચું જિનવર! બીજું બધું છે કાચું.. શરણ એક તમારું સાચું... ,
વાચાળ કરે છે ભક્તિ જિનવરી સ્તવના કરવી છે પલભર. હે આદિ તીર્થકર જગના
ગાવાં છે ગીત આજે મનભર. સંસાર-દુઃખથી પીડિત લોકો
આવે છે શરણે દોડી અનિમેષ નયને નિરખી તમને
પામે છે શાંતિ થોડી... જેઓ સાંભળે આપનાં વચનો
કર્મવન બાળી જાતાં નામમંત્ર તમારો જપતા
સર્વ સિદ્ધિ તે પાતા... તમ ભક્તિનું બખ્તર જે પહેરે,
વજ પણ તેને ન વધે, ત્રિશૂળ પણ છેદે ન તેને
જાય મુક્તિમાં તે સીધે... શરણ એક તમારું સાચું જિનવર! બીજું બધું છે કાચું..
માણો
૧૨૫
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મયણા અને ઉબરરાણા!
પ્રભુમાં તન્મય બન્યાં...
બધું જ ભૂલીને પરમાત્મામાં લીન બન્યાં... હૃદયમાં અપૂર્વ આહ્લાદ પ્રગટ્યો!
તે જ વખતે પ્રભુના કંઠેથી પુષ્પમાળા નીકળી અને ઉંબર૨ાણા પાસે આવી. ઉંબરરાણાએ બે હાથે એ માળા ગ્રહણ કરી પોતાના કંઠમાં આરોપિત કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી જ પળે, ભગવંતના હાથમાં રહેલું બીજોરાનું ફળ ઊડીને ઉંબરાણાના હાથમાં આવ્યું! ઉંબર૨ાણાએ હર્ષથી તે ગ્રહણ કર્યું.
આ વખતે મયણા કાયોત્સર્ગધ્યાનમાં હતી. તેણે ધ્યાન પૂર્ણ કર્યું... તે નાચી ઊઠી! પ્રભુનો આ પરમ પ્રસાદ! તેણે ત્યાં જ ઉંબરરણાના કાનમાં કહ્યું : 'મારા દેવ! આ પ્રભુકૃપા થઈ. તમારો કુષ્ઠરોગ હવે ગયો સમજો! પરમાત્માની કૃપાથી શું નથી થતું? વિષ અમૃત બને છે. અગ્નિ જળ બને છે! શસ્ત્ર સરળ દંડ બની જાય છે ને સર્પ દોરડું બની જાય છે!'
૧૨૭
માટે હે મારા કામદેવ! પરમાત્માની ખૂબ ભક્તિ કરો. એમની પૂજા કરજો. આ આપણને શુભનો સંકેત મળ્યો છે. ઉજ્જ્વલ ભવિષ્યનો નિર્દેશ મળ્યો છે. પરમાત્મઅનુગ્રહની એક ઝલક મળી છે.
હવે અહીંથી આપણે ગુરુદેવ પાસે જવાનું છે.
For Private And Personal Use Only
મા
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિક ૧૯
ઋષભપ્રાસાદની પાસે જ પૌષધશાળા આવેલી હતી. અને એ પૌષધશાળામાં આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિ બિરાજમાન હતા. અમે - હું અને ઉંબરાણા ધીરે પગલે પૌષધશાળામાં પ્રવેશ્યાં. પૌષધશાળામાં ગુરુદેવનો ધર્મોપદેશ ચાલી રહ્યો હતો. આખો ખંડ શ્રોતાઓથી ભરાઈ ગયો હતો. અમે પણ સૌની પાછળ ચૂપચાપ બેસી ગયા અને ધર્મોપદેશ સાંભળવા લાગ્યાં.
વિષય ચાલતો હતો “મનુષ્યભવની દુર્લભતા'નો આ મનુષ્યજીવનમાં પ્રમાદનો ત્યાગ કરી, આત્મભાવમાં જાગ્રત બની ધર્મ-પુરુષાર્થ કરી લેવો જોઈએ. આત્મકલ્યાણ સાધવાની બધી જ સામગ્રી મનુષ્યને મળી છે, તે સામગ્રીનો સદુપયોગ કરી લેવો જોઈએ. પરંતુ સુખનો તીવ્ર રાગી જીવાત્મા સુખના સમયનો કે સુખની જાતનો વિચાર નથી કરી શકતો. જે સુખની એને તીવ્ર ભૂખ લાગે છે તે સુખ ભલે ક્ષણિક હોય, તે ભોગવી લે છે. તે સુખ હલકી જાતનું હોય તો પણ તે ભોગવી લે છે. સુખની તીવ્ર ભૂખ વિષયસુખોની ક્ષણિકતાનો વિચાર નથી કરવા દેતી.
પરંતુ તે છતાં, તમને અત્યંત પ્રિય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજન આપવામાં આવ્યું છે. તમે અત્યંત ક્ષુધાતુર પણ છો, ભોજનનો થાળ સામે છે; શ્રેષ્ઠ મીઠાઈઓ, પ્રિય વ્યંજનો, સ્વાદિષ્ટ ફરસાણ, મધુર શરબત-બધું સામે છે; પીરસનાર પ્રેમથી અને આગ્રહથી ભોજન પીરસે છે, તમે ખાવાની તૈયારી કરો છો ત્યાં તમારો વિશ્વાસપાત્ર અને નિકટનો મિત્ર દોડતો, હાંફતો તમારી પાસે આવે છે અને તમને કોળિયો મોંમાં નહીં મૂકવાનો ઇશારો કરી, તમને બહાર બોલાવે છે ને કાનમાં કહે છે : “આ ભોજનનો એક કણ મોઢામાં ન નાંખીશ. દગો થયો છે. આ ભોજનમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું છે', આટલું કહીને તે ઝડપથી ચાલ્યો જાય છે.
કહો, તમે શું કરશો? એ પ્રિય, સ્વાદિષ્ટ અને શ્રેષ્ઠ ભોજન તમે કરશો? એ ભોજન પર તમારો રાગ ટકશે? ના, હવે એ ભોજનમાં તમને ઝેર
મયમા
૧૨૭
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ દેખાવાનું! ચામડાની આ આંખોથી નહીં, મનની આંખોથી ઝેર દેખાશે. ભાજનના પદાર્થમાં એકમેક થઈને ભળી ગયેલા ઝેરને ચર્મચક્ષુ જોઈ શકતી નથી. મનની આંખો, જ્ઞાનની આંખો જોઈ શકે છે. એ ભોજ્ય પદાર્થમાં મોતનાં દર્શન થાય છે. શરીર ધ્રુજી ઊઠે છે. શરીરે પસીને થઈ આવે છે, આંખોમાં ભય તરી આવે છે. તમે એક ક્ષણનો ય વિલંબ કર્યા વિના એ ભોજનનો ત્યાગ કરી દેવાના.
મને ઝેર દેખાતું નથી, આ તો મારાં સ્વજનો છે, તેઓ દગો કરે નહીં, આટલી બહુમૂલ્ય સામગ્રી ફેંકી કેમ દેવાય? આ તો કોઈએ ઝેરની ખોટી શંકા કરી હશે...' આવા તર્ક-વિતર્ક તમે કરો ખરા? “આમાં ઝેર છે કે કેમ?' એ જાણવા થોડું ખાવાનો પ્રયોગ કરો ખરા? જરાય નહીં. એ પદાર્થોને સ્પર્શ પણ ન કરો!
વૈષયિક સુખો પણ ઝરમિશ્રિત ભોજન જેવાં છે. એમાંય સ્ત્રી-પુરુષનું સંભોગસુખ તો હલાહલ ઝેર સાથે ઘોળાયેલું સુખ છે.
માનો કે કોઈ રૂપસુંદરી પ્રત્યે તમારા મનમાં અનુરાગ જન્મ્યો. એ રૂપસુંદરીને પણ તમારા પ્રત્યે અનુરાગ જન્મે, એમ તમે ઇચ્છો છો. એને અનુરાગી બનાવવા તમે અનેક પ્રયત્નો કરો છો. ક્યારેક કોઈ ઉદ્યાનના લતામંડપમાં એ મળી ગઈ કે કાશ્મીરની યાત્રામાં, શ્રીનગરની કોઈ રમણીય હોટલમાં મળી ગઈ, તમે એને મનાવી લેવા આદરપૂર્વક એની ખુશામત કરવા માંડી, એનો પડ્યો બોલ ઉપાડી લેવા તત્પર બન્યા. એનું એકાદું મીઠું સ્મિત, એના એકાદ બોલનો ટહુકો મેળવવા તમે તલપાપડ બન્યા અને ચાર-પાંચ દિવસની એ “સેવાભક્તિના અંતે એ પ્રિયતમાએ તમને હસીને બોલાવ્યા. વિભિન્ન હાવભાવ કરીને તમારા દિલને બહેલાવવા માંડ્યું. એની સુંદરતામાં તમે અભિવૃદ્ધિ જોઈ, તમારો સ્નેહસાગર ઊછળવા માંડ્યો. મોહનાં મોજાં આકાશમાં ઊછળવા લાગ્યાં. ' હવે દર્શન અને શ્રવણ પછી, રૂપસુંદરીના સ્પર્શની વાસના ભભૂકી ઊઠી. તમે દીન બનીને, ભિખારી બનીને, એના દેહસુખની યાચના કરી. એણે પોતાનાં તન-મન તમને સમર્પિત કરવાની તત્પરતા બતાવી, તમે મોહના ઉન્માદમાં નાચી ઊઠ્યા અને સંભોગસુખ માણવા આતુર બની ગયા.
તે વખતે તમારા શયનખંડના બારણે ટકોરા પડ્યા. “કોઈ આવ્યું!” એમ સમજીને તમે દ્વાર ખોલ્યું. સામે શ્વેત વસ્ત્રોમાં સજ્જ, હાથમાં દંડ અને
૧૨૮
માણા
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્ર... આંખોમાં કરુણા અને વાણીમાં માધુર્ય... એવા સાધુપુરુષને ઊભેલા જોયા. તેમણે તેમને કહ્યું :
વત્સ, હું કંઈ લેવા નથી આવ્યો, કંઈક કહેવા આવ્યો છું!” તમે કહ્યું : “મુનિવર, આપને જે કહેવું હોય તે કહો.” મુનિવરે કહ્યું : “વત્સ, વિષયસુખો હલાહલ ઝેરથી પણ વધુ ખતરનાક છે. ઝેર તો એક મૃત્યુ આપે છે. આ વૈષયિક સુખો સેંકડો જીવનોને દુઃખમય બનાવશે. સેંકડો મોતને કમોત બનાવશે. માટે પાછો વળ મારા પ્રિય બાળ! શાંત થા, સ્વસ્થ થા. જે વૈષયિક સુખ ભોગવવા તું તત્પર થયો છે તેનો ત્યાગ કર.”
આટલું કહીને “ધર્મલાભનો આશીર્વાદ આપીને એ સાધુ ચાલ્યા ગયા. હવે તમે શું કરશો? તમને એ વૈષયિક સુખમાં હલાહલ ઝેરનાં દર્શન થશે? તમારી ઉદ્દીપ્ત કામવાસનામાં તાલપૂટ વિષનાં દર્શન થશે? હા, મનની આંખો ખૂલી ગઈ હોય તો જ એ દર્શન થાય. એ દર્શન થયા પછી ગાત્રો શિથિલ થઈ જાય. શરીરે પરસેવો વળી જાય, આંખો ભયથી પહોળી થઈ જાય.
જ્ઞાની પુરુષોએ ખૂબ રાગથી સેવેલા-ભોગવેલા વિષયોને સેંકડો, હજારો જીવનોની પરંપરામાં દુઃખોનું સાતત્ય આપનારા બતાવ્યા છે. જો એ વિષયોનું સેવન મંદ રાગથી, અલ્પ રાગથી થાય તો એ એ વિષયો એટલા બધા ભીષણ દુઃખદાયી નથી બનતા અને જો એ વિષયોનું સેવન સર્વથા ત્યજી દેવામાં આવે તો એ વિષયો એક ક્ષણનું પણ દુઃખ આપી શકતા નથી.
પાંચ ઇન્દ્રિયોના જે જે વિષયો સાથે આપણા રાગનો સંબંધ થાય છે, જે જે વિષયો સાથે હૃદય આસક્તિથી બંધાય છે, તે તે વિષયો આપણા આત્માનું અહિત કરનારા બને છે, અર્થાત્ આપણી રાગદશા અને આસક્તિ જ આપણું અધ:પતન કરે છે.
જ્યાં સુધી વૈષયિક સુખોનો આપણે સર્વથા ત્યાગ ન કરી શકીએ ત્યાં સુધી એ વિષયોનું સેવન તીવ્ર રાગથી ન કરીએ. રાગમાં તીવ્રતાને ન ભળવા દઈએ. “વિષયસંભોગમાં હલાહલ ઝેરનું દર્શન કરનારી દિવ્યદૃષ્ટિ ખૂલી ગયા પછી રાગમાં તીવ્રતા આવી શકતી નથી. “વિષયસંભોગ'ની ભૂખ સહન થતી નથી અને એ વિષયસેવન નાછૂટકે કરે છે, ત્યારે રાગ હોય, પરંતુ એ રાગમાં તીવ્રતા ન હોઈ શકે.
અયણ
૧૨૯
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“સમ્યગ્દષ્ટિ જીવાત્મા વિષયોપભોગ કરે, છતાં એ પાપકર્મોનો બંધ અલ્પ પ્રમાણમાં કરે છે.' આવું પ્રતિપાદન સર્વજ્ઞના શાસ્ત્રો કરે છે, એનું હાર્દ આ જ છે. જ્ઞાનદષ્ટિ કહો, દિવ્યદૃષ્ટિ કહો, યોગદષ્ટિ કહો કે સમ્યગ્દષ્ટિ કહો, એ દૃષ્ટિ વિષયરાગમાં તીવ્રતા ભળવા દેતી નથી. ષમાં તીવ્રતા ભળવા દેતી નથી. એ જ્ઞાનદૃષ્ટિ આ છે - વિષયો વિષ કરતાં ય વધુ ભયંકર છે. વિષ (ઝેર) એક જીવન નષ્ટ કરે છે, વિષયો અનેક ભવ અનેક જીવન બરબાદ કરે છે.
ઉપદેશ દેતાં દેતાં આચાર્યદેવે સહુથી પાછળ બેઠેલી મયણાસુંદરીને જોઈ. એની પાસે બેઠેલા એક તેજસ્વી પણ રુણ પુરુષને બેઠેલો જોયો. દેશના પૂર્ણ કરી. ગુરુદેવે મયણાને બોલાવી. ‘કુમારી! આજે કેમ એકલી આવી? તું તો હમેશાં રાજપરિવાર સાથે હાથી, ઘોડા ને પાલખીમાં આવતી હતી. તારી સાથે સૈનિકો અને પ્રબુદ્ધ પુરુષો આવતા હતા..'
‘ગુરુદેવ! રાજસભામાં પિતાજી સાથે વાદ-વિવાદ થયો... તેમનો અહંકાર ઓગાળવા અને સર્વજ્ઞસિદ્ધાંતને પાળવા માટે મેં આ કુષ્ઠરોગી પુરુષ સાથે લગ્ન કર્યો છે. ગુરુદેવ! નગરમાં શૈવ લોકો મારી તો નિંદા કરે જ છે, જૈન ધર્મની પણ નિંદા કરે છે. બોલે છે લોકો : “જુઓ, માણાએ જૈન ધર્મનો સિદ્ધાંત પકડી રાખ્યો તો એને કુષ્ઠરોગી પતિ મળ્યો! જ્યારે સુરસુંદરીને કેવો સોહામણો રાજકુમાર મળ્યો! કારણ કે એ શૈવમતને માનનારી રાજ કુમારી હતી... જિનમતમાં એવી કોઈ શક્તિ નથી... એવો કોઈ ચમત્કાર નથી કે જે કુષ્ઠરોગીને કામદેવ જેવો સુંદર કુમાર બનાવી દે!'
હે શુભદા મયણા રાણી અદીન રહીને કર્યા કરજે ગીતોની રસલહાણી હે શુભદા મયણારાણી! આભ તૂટે ને ધરણી ધ્રુજે, બને પવન તોફાની, ઝંઝાના તાંડવ પર ચઢજે ત્યજવી દુનિયા ફાની હે શુભદા મયણારાણી!
૧૩૦
મયણા
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમણા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તખ્તનશીનો કેરી તુમાખી માંહી કૈંક તણાણી
તું ગાંડી બની એવું ગાજે ભલે રહે ના શાણી હે શુભદા મયણારાણી.
તું જિનમતનું કરજે પાલન દૃઢ બની મસ્તાની કર્મોના બંધોદયની વાર્તા હૃદયહૃદયમાં સમાણી હે શુભદા મયણારાણી.
તું આરાધ્ય જિનવાણી મીઠી, તું મુક્તિની એંધાણી આતમધ્યાનની કરતી રહેજે નિતનિત એ જ કહાની હે શુભદા મયણારાણી!
ગુરુદેવ! મારું મન એક જ વાતથી વલોવાય છે. નગરજનો જૈન ધર્મની નિંદા કરી રહ્યા છે. જૈન ધર્મના આરાધકોની નિરાધારતા પર અનુકંપા વરસાવી રહ્યા છે... પ્રભો! મને કુષ્ઠરોગી પતિ મળ્યો, એનું મને જરા ય દુ:ખ નથી. મારા પિતાએ મારા માટે જે વરની પસંદગી કરી તે મેં સહર્ષ સ્વીકારી છે. મને વૈષયિક સુખનું એવું કોઈ આકર્ષણ પણ નથી. વળી મારું ભાગ્ય કેવું ઉજ્જ્વળ છે કે એમને, ઉંબરરાણાને પણ વૈયિક સુખની કોઈ તીવ્ર ઇચ્છા નથી. તેમનું શરીર નીરોગી ન બને ત્યાં સુધી મને સ્પર્શ કરવાની પણ તેઓ ના પાડે છે. ગુરુદેવ! તેમની ઉદારતા તો કેવી અદ્ભુત છે... તેઓ મને લગ્નના બંધનમાંથી સહજભાવે મુક્ત કરી, હું કોઈ બીજા રાજકુમાર સાથે લગ્ન કરી વૈયિક સુખ ભોગવું - તેવો આગ્રહ કરે છે... પરંતુ મારી દૃઢ શ્રદ્ધા છે કે તેઓનો કુષ્ઠરોગ આપની જ કૃપાથી દૂર થશે. અને આપે જ ગુરુદેવે, જિનશાસનની નિંદા ન થાય, જિનશાસનની પ્રશંસા થાય, એની કીર્તિ વધે, એનો યશ વધે, તેવો ઉપાય કરવો પડશે.
ગુરુદેવ! આપ જિનમાર્ગના જ્ઞાતા છો. મોક્ષમાર્ગના જ્ઞાતા છો. આપ ઉત્સર્ગમાર્ગ જાણો છો, આપ અપવાદમાર્ગ જાણો છો... હે પરમગુરુ! આપ મહાન શક્તિઓના ધારક છો. હા, આપ આપના પ્રભાવને વિસ્તારવા માટે આપની યોગશક્તિઓનો ઉપયોગ ન કરો, તે ઉચિત છે; કે અમારા જેવા સામાન્ય સ્ત્રી-પુરુષોના ઔષધિપ્રયોગો ન કરો, એ આપની મર્યાદાઓ છે. આપ કોઈ સાવદ્ય-પાપયુક્ત પ્રયોગ ન કરો, એ પણ એટલું જ સાચું છે. પણ પ્રસંગ આવી ઊભો છે એક રાજકુમારીના સિદ્ધાંતનો! આપે જે
For Private And Personal Use Only
૧૩૧
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપેલો એ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતની ખાતર મેં મારા ઉપકારી પિતા સામે જંગ માંડ્યો છે... એ જંગમાં હું વિજયી બનું છું તો જિનમત વિજયી બને છે. મારા ગુરુદેવ વિજયી બને છે..
મારા એ પતિ, એમનો કુષ્ઠરોગ મટી જાય તો હું એમની સાથે વૈષયિક સુખો ભોગવી શકું.” આવી મારી કોઈ ભાવના નથી અને મને એવી વિષયવાસના સતાવતી પણ નથી, ગુરુદેવ! ભગવાન ઋષભદેવની એ પરમ કૃપા માનું છું. આપ ગુરુદેવનો દિવ્ય અનુગ્રહ માનું છું! હું બહુ જ સરળતાથી બ્રહ્મચર્ય પાળી શકું છું. એટલું જ નહીં, તેઓ પણ (ઉંબરાણા) નિર્વિકાર રહી શકે છે. જુઓ ને તેમનાં નયનોમાં એક પણ લીટી છે વિકારની? ગુરુદેવ! અવિલંબ મારા પર કૃપા કરો. ઉંબરરાણાનો કુષ્ઠરોગ મટવો જ જોઈએ.
પ્રભો! હું જાણું છું કર્મોનો સિદ્ધાંત. અશાતાવેદનીય કર્મનો ઉદય પ્રવર્તે છે તેમને. પણ એ કર્મનો ઉદય નિકાચિત નથી લાગતો. એ કર્મોદય પરાવર્તનશીલ હોઈ શકે છે. અશાતાવેદનીય કર્મ, શાતાવેદનીય કર્મમાં પરિવર્તન થઈ શકે. આપ કરી શકો! આપ શક્તિશાળી છો. વિશિષ્ટ જ્ઞાનીપુરુષ છો.”
૧૩૨
માણા
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલતાં બોલતાં મારી આંખોમાં આંસુ ઊભરાયાં. હું અને તમારા પુત્ર ગુરુદેવની સામે બેસી ગયાં. ધર્મોપદેશ સાંભળવા આવેલાં સ્ત્રી-પુરુષો હજુ ત્યાં જ હતાં. ગુરુદેવે એ બધાને સંબોધીને કહ્યું :
હે મહાનુભાવો, જે ઉત્તમ સ્ત્રી-પુરુષો સાધર્મિકોની ભાવપૂર્વક ભક્તિ કરે છે, એમના પ્રત્યે હૃદયનું વાત્સલ્ય વહાવે છે તેઓ ખરેખર પોતાના મસ્તકે જિનાજ્ઞાને ધારણ કરે છે. સાધર્મિક-વાત્સલ્ય એક મહાન ધર્મ-આરાધના છે. તીર્થકરોએ કહ્યું છે :
___ “एगत्थ सव्वधम्मा साहिम्मअवच्छलं तु एगत्थ।
बुद्धितुलाए तुलिया दोवि अ तुल्लाई मणिआई।।' બુદ્ધિના ત્રાજવામાં એક તરફ બધા ધર્મો અને બીજા ત્રાજવામાં સાધર્મિક-વાત્સલ્ય રાખવામાં આવે તો બંને સમાન રહે છે. સર્વ ધર્મો એટલે દેવપૂજા, ગુરુદર્શન, તપશ્ચર્યા, દાન, શીલ વગેરે; એની સામે એક માત્ર સાધર્મિક-વાત્સલ્યનો ધર્મ બરાબરી કરી શકે છે. માટે તમારી શક્તિ અનુસાર સાધર્મિક-ભક્તિ કરવી જોઈએ.
સાધર્મિકને ઘરઆંગણે આવતાં જોઈને જે મનુષ્યને સ્નેહ ઉત્પન્ન થતો નથી, એ મનુષ્યમાં સમ્યગ્દર્શન છે કે કેમ એની શંકા રહે છે. અર્થાત્ એ માણસમાં પ્રાયઃ સમ્યત્વ-ગુણ ન હોઈ શકે. માટે વિશેષરૂપે જે સાધર્મિકો આપત્તિમાં ફસાયેલા હોય, દારિદ્રથી ઘેરાયેલા હોય, રોગ-શોકથી સંતપ્ત હોય તે સાધર્મિકોનો ઉદારતાથી ઉદ્ધાર કરવો જોઈએ. તેમને આપત્તિમાંથી બચાવવા જોઈએ, તેમની દરિદ્રતા દૂર કરવી જોઈએ. તેમના રોગ-શોક દૂર કરવાના ઉપાય કરવા જોઈએ.
સાધર્મિક પ્રત્યે હાર્દિક પ્રીતિ હશે તો જ તેમની ભક્તિ થઈ શકશે. પ્રીતિ વિના ભક્તિ ન થઈ શકે. પરમાત્મા જિનેશ્વરદેવના ધર્મશાસન પ્રત્યે શ્રદ્ધાવિશ્વાસ રાખનારો શ્રીમંત હોય કે ગરીબ હોય, તેમના પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ. પરમાત્મા પ્રત્યે પ્રીતિ હશે તો તેમના ધર્મશાસન પ્રત્યે પણ પ્રીતિ
માણા
૧૩૩
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગશે અને તો ધર્મશાસનના આધારભૂત સાધર્મિકો પ્રત્યે પણ પ્રીતિ થશે. આ મારા પરમાત્માના શાસનના પ્રત્યે શ્રદ્ધા રાખનારા છે, મારા ભાઈઓ છે, મારી બહેનો છે, હું તેમની ભક્તિ કરું.’ આવો ઉલ્લાસ તમારા હૃદયમાં જાગવો જોઈએ. જો તમે શ્રાવક છો, શ્રીમંત છો અને તમારા નગરમાં દુઃખી સાધર્મિક હોય, તો તેનો ઉદ્ધાર કરવાની ભાવના તમારા હૃદયમાં જાગવી જોઈએ.
આચાર્યદેવની પ્રેરણા પામીને નગરના નગરશ્રેષ્ઠી પુણ્યધન ઊભા થયા અને ગુરુદેવને પ્રણામ કરી કહ્યું : “ગુરુદેવ, રાજકુમારી મયણાસુંદરીને હું નગરની બહાર જે મારું ઘર છે, તે રહેવા માટે ભેટ આપું છું. એની ઇચ્છા હોય એટલો સમય એ ઘરમાં રહે. પોતાનું ઘર માનીને રહે...'
અને હે માતાજી.’ મયણાએ પોતાની સાસુ કમલપ્રભાને કહ્યું : ગુરુદેવની પ્રેરણાનો સંકેત પામીને, એ બધાં સુખી શ્રીમંત શ્રાવકશ્રાવિકાઓ પોત-પોતાના ઘરે જઈને સુંદર વસ્ત્રો, અલંકારો... સોનામહોરો અને ઘરમાં આવશ્યક એવી બધી જ સામગ્રી લઈને આવ્યાં અને અમારી સામે ખૂબ પ્રેમ અને આદરથી ઢગલા કરી દીધા.'
વચ્ચે શ્રીપાલે કહ્યું : “હે માતા, એ બધું જોઈને હું તો મૂઢ જેવો બની ગયો હતો. રાજકુમારી પ્રત્યેનો લોકોનો એ પ્રેમભાવ, ગુરુદેવની અનુપમ કરુણા અને એ બધું અપૂર્વ વાતાવરણ.. ખરેખર મારું હૃદય ગદ્ગદ્ થઈ ગયું હતું.'
મયણાએ વાતનું અનુસંધાન કરતાં કહ્યું : “ગુરુદેવે અમને કહ્યું : હમણાં તમે તમારા નવા ગૃહમાં પ્રવેશ કરો. બધું વ્યવસ્થિત ગોઠવી દો. આવતી કાલે તમારે મારી પાસે આવવાનું છે. વર્લ્સ! તું ચિંતા ના કરીશ. તારા પર ભગવાન ઋષભદેવનો દિવ્ય અનુગ્રહ થયો છે. એટલું બધું શુભ જ થશે.”
અને હે માતાજી, અમે આ મકાનમાં રહેવા માટે આવી ગયાં. અમને અમારા સાધર્મિક ભાઈ-બહેનોએ એટલી બધી સામગ્રી અને ધન-સંપત્તિ આપી હતી કે અમારે અમારી આજીવિકાની કોઈ ચિંતા રહી ન હતી અને તે જ ગુરુદેવે અમને જ વિશિષ્ટ ધર્મઆરાધના બતાવી હતી, તે અમે નિશ્ચિત બનીને કરી શક્યાં અને કેવું સારું પરિણામ આવવું જોઈતું હતું તે પરિણામ આવ્યું. તમારો પુત્ર રોગમુક્ત બન્યો.
૧૩૪
મયણા
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ પાસેથી પાછા વળતાં અમે શ્રી ઋષભપ્રાસાદમાં ગયા હતા, ત્યાંથી મેં એક લોટો ભરીને પ્રભુનું સ્નાત્રજ ળ લઈ લીધું હતું. આ ઘરમાં જ્યારે અમે આવ્યાં ત્યારે મારી સખી લલિતા અને નગરશ્રેષ્ઠીનાં ધર્મપત્ની સુભદ્રા હાજર હતાં. તેમણે અમારું સ્વાગત કર્યું અને તેઓ મારા માટે લાવેલાં મૂલ્યવાન વસ્ત્રો અને અલંકારો મને પહેરાવવા તૈયાર થયાં. મેં નમ્રતાપૂર્વક એમને કહ્યું :
“આપ મારાં માતાતુલ્ય છો, દેવી! પણ મારો સંકલ્પ છે કે આમનો (ઉંબરાણાનો) કોઢરોગ મટે પછી જ શણગાર સજવા. માટે મને ક્ષમા
કરો.”
‘પણ મહારાણી... આપની માતા રૂપસુંદરીની મને આજ્ઞા છે, આ બધા અલંકાર તને પહેરાવી દેવાના! તું એક રાજકુમારી છે...'
ના, ના, હું તો એક કુષ્ઠરોગીની પત્ની છું. મારે ગામમાં ઘર નથી કે સીમમાં ખેતર નથી! હું એક અકિંચન પુરુષની પત્ની છું.'
સુભદ્રાએ મારો હાથ પકડ્યો ને કહ્યું : “રાજ કુમારી મયણા, તારા હૃદયની જ્વાળા હું જોઈ શકે છે. કારણ કે હું નારી છું. તારા પિતાએ તારી સાથે જે વર્તન કર્યું એ કારણે મહારાણી ઓછાં દુઃખી નથી. હું એમની પાસેથી આવું છું. આખી રાત તેમણે વલોપાતમાં પસાર કરી છે. આખી રાત તેઓ પોતાની જાતને ધિક્કારતાં રહ્યાં. મહારાજાના અમાનુષી વ્યવહારથી અત્યંત વ્યથિત થઈ ગયાં..' બોલતાં બોલતાં સુભદ્રાની આંખો ભીની થઈ ગઈ. બીજી બાજુ લલિતા મારા નવા ઘરને વ્યવસ્થિત ગોઠવતી જતી હતી અને આંખો સાડીના પાલવથી લૂછતી જતી હતી.
મેં જ્યારે શણગાર સજવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો ત્યારે સુભદ્રાએ મારા માથે હાથ ફેરવીને કહ્યું : “કુમારી! તું મહાસતી છો! તારા પતિ જલદીથી નીરોગી બનો... મારા યોગ્ય જે કાંઈ કામ હોય તે મને કહેવરાવજે. આ લલિતા સાથે...' સુભદ્રા ચાલ્યાં ગયાં.
મેં તમારા પુત્રના શરીરે હળવા હાથે પરમાત્માનું સ્નાત્ર જળ લગાડવા માંડ્યું. એમના એકેએક ઘાને સાફ કરીને પછી પાટા બાંધી દીધા. લલિતાએ ભોજન બનાવી દીધું હતું. મેં એમને ભોજન કરાવ્યું
મયણા
૧૩૫
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પછી લલિતા સાથે મેં પણ ભોજન કરી લીધું. પછી મેં એમને કહ્યું : “આપણે હવે આપણા સાથીદારોના પડાવ પર જ ઈએ. તેઓને આ બધી વાતની જાણ કરીએ કે જેથી તેઓ આપણી ચિંતા ના કરે અને આપણે એમને જે કંઈ આવશ્યકતા હોય તે પૂરી કરી આપીએ. આપણી પાસે અઢળક સંપત્તિ આવી ગઈ છે...'
તેમણે હા પાડી. લલિતાને ઘરે રાખીને, અમે બંને અમારા પડાવ તરફ ક્ષિપ્રા નદીના તટ પર ચાલી નીકળ્યાં. જોકે રસ્તો લાંબાં હતો, પણ નિસર્ગનું સૌંદર્ય અનુપમ હતું. લાંબા લાંબા વાંસના ઝુંડ, એની પર ઝીણા હલ્યા કરતા પડદાની જેમ ફેલાયેલી લજામણી. કોઈક કિશોરી સંતાકૂકડી રમતી હતી. ક્યારેક દેખાતી, ક્યારેક જંગલની હરિયાળીમાં છુપાઈ જતી. અમારી સાથે મિત્રતાની અદમ્ય ઇચ્છા, પણ શરમાળ! હાસ્યમાં કલકલ નાદ. પગમાં અભિલાષા અને પછી અરણ્યની નિર્જનતામાં વિલીન થઈ જાય છે, એનો અવાજ! હું ક્યાંય સુધી જોઈ રહી, પણ એ સામે નથી આવતી. મને થાકેલી જોઈને રાણા બોલ્યા : “જુઓ, આ અનાદિકાળથી અરણ્યના આ ફૂલછાયા રસ્તા પર દૂરદૂરના જન્મસ્થળથી સતત દોડતી આવે છે આ ગિરિકન્યા ક્ષિપ્રા! એ થાકી તો નથી! એનું લક્ષ્ય છે સાગર! વહેતી વખતે ઉજ્જડ ધરતીને હરીભરી કરતી જાય છે, આ જ છે જીવન! જીવનપથ પર પોતાના નિર્ધારિત સ્થળ તરફ જતાં જતાં માણસ જો પોતાનાં સ્વજનો-સ્નેહીઓ અને મિત્રોનું ભલું ન કરી શકે તો એ કેવું જીવન? શું મૂલ્ય આ માનવશરીરનું? સાગર તરસ નથી છિપાવતો, નદીનું મધુર જળ તરસ છિપાવે છે. જે સંપત્તિ બીજાની ગરીબાઈ દૂર ન કરે, એ સંપત્તિ શા કામની? દેવી, તમે આજે અહીં મારા ૭૦૦ સાથીદારો પાસે આવવાનો નિર્ણય કર્યો... એથી મને અનહદ આનંદ થયો છે!' એમણે ઉત્સાહમાં મારો હાથ પકડી લીધો... પણ તરત જ પાછો ખેંચી લીધો, જાણે ભૂલ થઈ ગઈ હોય!
વાંસના ગાઢ ઝુંડની પેલી તરફ ઝરણાં દેખાય છે. જંગલના હરિયાળા રંગ ઉપર નીલ આકાશમાં સૂર્ય ઝૂલે છે. આકાશ કેટલું ભૂરું છે! આકાશની નીલાશ કરતાં ય વધુ ગાઢ, ચંદરવાની ઝાલર જેવી આ પર્વતમાળાઓ છે. નીલાશની બાબતમાં એમની ને આકાશની વચ્ચે
૧૩૬
મય
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્પર્ધા જામી છે. આકાશ કરતાં પર્વતોની નીલાશ વધારે છે. તેથી સફેદ વાદળોનાં ઝૂલ્ફાં છૂટાં છૂટાં બિછાવી દીધાં છે, પર્વતોની ઉપર. યોગસાધનામાં બેઠેલા મહર્ષિની જેમ શરીર પર ભસ્મની રેખા જેવી મનોહર દેખાય છે વાદળીની રેખાઓ!
યોગસાધનામાં બેઠેલા પર્વતને ધ્યાનભંગ કરવા માટે કૂલપાંદડાની વચ્ચે અનેક વૃક્ષો વર્ષાના જળના તાલમાં અપ્સરા બની ગયાં છે! પણ પર્વતોનું ધ્યાન તૂટતું નથી. વાદળાંની ભસ્મ ઝરતા ઝરતાં લપસી રહી છે, ધરતી પર આશીર્વાદની જેમ ચરણપાદુકા બનીને!
જંગલી પક્ષીની જેમ વાદળાં અહીં બંધનમુક્ત છે. મરજી મુજબ અહીં ત્યાં ફર્યા કરે છે. જીવનનો અર્થ શોધે છે?
ગાઢ જંગલમાં ૭૦૦ કુષ્ઠરોગીઓની નાનીનાની ઝૂંપડીઓ, જાત-જાતની નાની-મોટી વેલીઓ, વૃક્ષોને જાણે હાથમાં હાથ નાંખીને ગૂંથાયેલી હતી. નાનાં-મોટાં અનેક પ્રકારનાં ફૂલ, ફળ અને રૂપગુણનો કોઈ પાર ન હતો. વિશાળ પ્રકૃતિ ફેલાયેલી હતી. એકતા અને મૈત્રીનો સંદેશ લઈને, ધરતી પર ઊભેલાં વૃક્ષોને અસીમ પ્રકાશ મેળવવાનો જાણે નશો ચડ્યો હતો. બધાં સૂરજને પી જવા માટે ઊંચે ને ઊંચે જાણે વધી રહ્યાં હતાં. અહીં બધું પોતપોતાના સ્થાને ગરિમામય હતું. બધું ઉચ્ચ અને સુંદર હતું. અહીં રહેલા 900 માણસોનાં શરીર ભલે રોગગ્રસ્ત હતાં, પણ મન તંદુરસ્ત હતાં. આત્મા નિર્મળ હતા.
અમને જોતાં જ પ્રભાતકાકા, જવાનસિંહ વગેરે સામે દોડી આવ્યા. એકેએક ઝૂંપડી સળવળી ઊઠી. વાયુવેગે અમારા આગમનના સમાચાર બધે પહોંચી ગયા. સાતસો ય કુષ્ઠરોગી સાથીદારો અમને ઘેરી વળ્યા. મેં સહુને જમીન પર બેસી જવા વિનંતી કરી. સહુ બેસી ગયા. પછી ગુરુદેવની પાસે અમે ગયાં, એ પૂર્વે જિનાલયમાં ગયાં... ત્યાં બધે જે આશ્ચર્યકારી ઘટનાઓ બની તે બધી કહી સંભળાવી અને હવે અમે ઉજ્જયિનીની બહાર જે નગરશ્રેષ્ઠીના મકાનમાં રહેવાના છીએ, એ પણ બતાવી દીધું. બધાનાં મુખ પર આનંદનાં તોરણો બંધાયાં.
મેં પ્રભાતકાકાને કહ્યું : “તમે સહુ અહીં નિશ્ચિત બનીને રહેજો. હું તમને જોઈએ તે બધી સામગ્રી મોકલાવી આપીશ. થોડી સોનામહોરો
મયણા
૧૩૭
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારી પાસે રાખો.” મેં એક સોનામહોરો ભરેલી થેલી તેમની સામે મૂકી
દીધી.
હવે પરમાત્માની પરમ કૃપાથી અને ગુરુદેવના પરમ આશીર્વાદથી તમારા રાણાનો રોગ થોડા જ દિવસોમાં મટી જશે, એવી મારી શ્રદ્ધા છે અને જે ઉપાયથી એમનો રોગ દૂર થશે, એ જ ઉપાયથી તમારા સહુનો કુષ્ઠરોગ દૂર કરવાની મારી ભાવના છે. માટે તમે સહુ આજથી “શ્રી ઋષભદેવાય નમ:' મંત્રનો ખૂબ જાપ કરજો. અવાર-નવાર અમે તમને મળતા રહીશું...”
થોડોક સમય ત્યાં રોકાઈને અમે પાછા નગર તરફ ચાલ્યા. જવાનસિંહ અમારી સાથે અમારા ઘર સુધી આવી ગયો.
૧૩૮
મયણા
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખા રાજમહેલમાં ખળભળાટ મચી ગયો હતો. અંતેપુરના રખેવાળ, સેનાપતિઓ, મંત્રીઓ અને દાસ-દાસીઓનાં મોં જાણે સિવાઈ ગયાં હતાં. એમની બધી ચહલ-પહલ ચૂપચૂપ અને દબાયેલા પગલે થઈ રહી હતી. મહામંત્રીની બગી આવે, ન આવે ને જતી રહે. મહારાજાના અંગત મંત્રીનો ચહેરો ગંભીર અને તંગ હતો. બીજા રાજપુરુષો દોડાદોડ કરતા હતા ને રઘવાટમાં હતા. રાતે દીવા સળગ્યા, પણ જાણે ઉજાસ જ નહીં.
બે દિવસ પૂર્વે આખો રાજમહેલ રોશનીથી ઝળહળી ઊઠ્યો હતો. મહેલ જ નહીં, રાજધાનીની આખી નગરીમાં ઝળહળાટ હતો. આનંદ અને ઉત્સવનું પર્વ ઊજવાતું હતું. બ્રાહ્મણોના વેદગાનથી સવાર ઊગ્યું હતું. મહેલના દરવાજે ટંકાનિશાન ગગડતા હતા. બપોરના જમણવારમાં આખું નગર ઊમટ્યું હતું. રાજરજવાડાંના મહેમાનોથી અતિથિભવનો ધમધમતાં હતાં. જરકસી જામા અને લાલ-લીલા-કેસરી રંગના સાફાઓથી દરબાર ખંડ રોફ મારતો હતો. નજરાણાંની તાસકો સ્વીકારાતી હતી અને અંધારું ઊતરતાં તો નાચના છમ-છમાછમ-છમ અને તબલાના ધિન્નક-ધાના પડઘાથી મહેલ ગુંજી ઊઠ્યો હતો. રાજકુમારી સુરસુંદરીનાં લગ્ન થયાં હતાં.
અને આજે? બધું સૂમસામ હતું. ચહલપહલ હતી, આવનજાવન હતી, નિત્યના નિયમિત ક્રમ પ્રમાણે બધો વ્યવહાર ચાલતો હતો, પણ એમાં જાણે પ્રાણ જ ન હતો. એક વજનદાર બોજ મહેલ પર પડેલો હતો. જલદી ઊકલે નહીં એવી ગૂંચ પડેલી હતી. મહારાજા પ્રજાપાળ એમના ખંડમાં વ્યગ્ર બની આંટા મારતા હતા. ઘડીક ઘૂંવાંપૂવાં થતા હતા, હાથ મસળતા હતા. મંત્રીઓ ઉપર અને રાજપુરુષો પર રીસ ઉતારતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં એ બધાંને ખંડમાંથી ચાલ્યા જવા માટે બરાડા પાડતા હતા. બેચાર વાર મ્યાનમાંથી તલવાર કાઢી, હવામાં વીંઝી ખંડના દરવાજાની બહાર પહોંચી ગયા હતા, પરંતુ ગંભીર મહામંત્રી એમને સમજાવી-પટાવી ખંડમાં લાવતા હતા. મહામંત્રી સોમદેવ ખંડમાંથી ખસતા જ ન હતા.
મયણા
૧૩૯
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રીના દેખાવડા વૃદ્ધ ચહેરા પર વફાદારી અને થોડીક મુરબ્બીવટની ઝાંય ઊપસેલી હતી. મહારાજાને તેઓ અંદર-બહારથી બરાબર જાણતા. વિશ્વાસુ હતા અને પ્રજ્ઞાવંત હતા. મહારાજા એમના પર ગુસ્સો કરતા, ત્રાડ પણ પાડતા, પણ એમની વિનવણીને વશ પણ થઈ જતા.
મહામંત્રીએ મહારાજાને કહ્યું : “મહારાજા, વળી એક વખત દાસીને મહારાણી પાસે મોકલી જોઈએ?” મહારાજા મહામંત્રી સામે જોઈ રહ્યા અને મનોમન બોલતા હોય એમ કહ્યું : “દાસીથી શું વળશે?' છતાં તેમણે સંમતિ આપી. મહામંત્રીએ રાધાને બોલાવી રાણીવાસમાં રાણી રૂપસુંદરી પાસે મોકલી. દાસી જેવી ગઈ એવી જ પાછી આવી. તેણે બે હાથ જોડી કહ્યું : “મહારાજા, રાણીવાસના દરવાજા સજ્જડ બંધ છે. બંધ દરવાજા બહાર મહારાણીના પિયરથી લાવેલો ચોકીદાર ખુલ્લી તલવારે પહેરો ભરે છે. કોઈને અંદર જવા દેતો નથી. મને પણ ઘસીને ના પાડી અને કહ્યું મહારાણી દેવીએ કોઈને પણ અંદર જવાની ના પાડી છે.” મેં કહ્યું કે “મને મહારાજાએ પોતે મોકલી છે...” તો કહે - “મહારાજાને પણ અંદર જવાની મનાઈ છે... તો તારી શી વાત?' રાધા મહારાજા સામે જોતી ઊભી રહી. મહારાજાએ એને ઇશારાથી બહાર જવાનું કહ્યું. એ બહાર ગઈ એટલે મહારાજા તલવાર ખેંચીને તાડૂકી ઊઠયા : “મારા રાજમાં, મારા મહેલમાં મને... મહારાજાને રાણીવાસમાં જવાની બંધી? એ ચોકીદારનું માથું વાઢી નાખું.” મહારાજા ખંડની બહાર ધસી જતા હતા, ત્યાં મહામંત્રીએ મનાવી લીધા. તલવાર મ્યાન કરી. થોડા નરમ પડીને બોલ્યા: “મહામંત્રી, તમેય ડોસા થઈ ગયા. નહિતર તમે ચૂપ બેસી રહો?' મહામંત્રી મૌન રહ્યા. મહારાજા બોલ્યા :
સોમદેવ, મનેય ક્યાં અવળી મતિ સૂઝી? મારે શા માટે મયણા સાથે વાદવિવાદ કરવો જોઈતો હતો? એ રાજ કુંવરી ૧૪૧૫ વર્ષની અને હું ૬૦ વર્ષનો! મારે જિદ્દ કરવી જોઈતી ન હતી... છતાં મેં શું ખોટું કર્યું છે? એ છોકરીને એનાં પોતાનાં કર્મો પર ભરોસો છે... એ મને મિથ્યાભિમાની કહી જાય... શું મારે સાંભળી લેવાનું? એને કોઢીયા સાથે પરણાવી તે મેં ખોટું કર્યું છે? ના, મેં નથી પરણાવી, એનાં કર્મોએ એને પરણાવી છે! એ સુખી કે દુઃખી એનાં કર્મોથી થવાની છે. તો પછી એની માતાએ શા માટે
૧૪૦
મમણા
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આટલી બધી રીસ મારા પર ઉતારવાની?'
મહામંત્રીએ કહ્યું : “મારા નાથ! ક્ષમા કરજો, પણ મારું નમ્ર સૂચન છે કે આપ પોતે રાણીવાસમાં પધારો...”
ના, ના સોમદેવ, પેલો એના પિયરનો ચોકીદાર... મારાથી કંઈક આવું વેતરાઈ જશે... આવડા મોટા રાજ્યનો રાજા પોતાના રાણીવાસથી એમ ને એમ પાછો ફરે ખરો? સોમદેવ, મને તો એ રાણીનો આવાસ જ સળગાવી મૂકવાનું મન થાય છે. રાણીને ભાગીને એની દીકરી પાસે જવું હોય તો જાય કે એના પિયરમાં જાય, મને એની પરવા નથી.”
“તો પછી મહારાણીના ભાઈ સામતરાજા પુણ્યપાલને બોલાવીને એમને મોકલીએ તો?' મહામંત્રીએ નવો વિકલ્પ સૂચવ્યો. રૂપસુંદરીનાં માતા-પિતા તો મૃત્યુ પામ્યાં હતાં. ભાઈ પુણ્યપાલ સામતરાજા હતા. મહારાજાને મહામંત્રીનો આ વિકલ્પ ગમ્યો. અંગત મંત્રીને બોલાવીને સામંત રાજા પુણ્યપાલને બોલાવ્યા. તેઓ ઉજ્જયિનીમાં જ રહેતા હતા.
પુણ્યપાલ આવ્યા. મહારાજાને અને મહામંત્રીને મળ્યા. બધી પરિસ્થિતિ જાણી. મહારાણી રૂપસુંદરીએ મયણા સાથે થયેલા અન્યાયના વિરોધમાં મહારાજા સાથે રહેવાનો કે બોલવાનો પણ વ્યવહાર તોડી નાંખ્યો હતો.
ભાઈને આવેલો જાણી રૂપસુંદરીએ રાણીવાસનો દરવાજો ખોલ્યો. મહારાણીએ મોટાભાઈને પ્રણામ કર્યા. રાજા પુણ્યપાલે ખૂબ વાત્સલ્યથી રૂપસુંદરીને કહ્યું : “બહેન, મહારાજા સાથે સમાધાન કરી લે. મયણાનું તો જે થવાનું હશે તે થશે. એનાં કર્મો...”
મોટાભાઈ, એમ ન બોલો. મયણા મારી પુત્રી છે. મહારાજાની પુત્રી નથી? તમારી ભાણેજ નથી? શું એ કુંવરી અનાથ હતી કે એને આવા રસ્તે ભટકતા એક કોઢીયા સાથે પરણાવી દીધી? મારી પણ અનુમતિ ન લીધી?”
સહિષ્ણુતા નારીનું આભૂષણ છે, પણ અન્યાયને માથું ઝુકાવીને સહન કરી લેવો એ નારીધર્મ નથી. પતિ અન્યાયના માર્ગે ચાલે.... પત્ની ચૂપ રહીને સહન કરી લે, તો બધાને નુકસાન થશે. પૃથ્વી પર પાપભાર વધશે. એ પાપનાં ફળ નિષ્પાપ લોકોએ પણ ભોગવવાં પડે છે. તેથી એ ભયંકર લાંછન અને અસહ્ય અપમાન પછી પણ હું દેહ ધારી રાખીને જીવિત રહું, સુખ-સંપત્તિ અને રાજભોગ ભોગવું? એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું હવે અન્યાય, અધર્મ અને પાપની વિરુદ્ધ સંગ્રામ કરીશ. મેં પ્રતિજ્ઞા કરી છે કે
માણસા
૧૪૧
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારી મયણા જ્યાં સુધી એણે ખેડેલા સંગ્રામમાં વિજયી ન બને, એનો વર નીરોગી ન બને ત્યાં સુધી અને એના પિતા એની ક્ષમા ન માંગે ત્યાં સુધી હું આ મહેલનો ત્યાગ કરીશ અને મારા માથાના વાળનો અંબોડો નહીં વાળું. આ વાળ સદાય છુટ્ટા રહેશે. ભલે એ માટે જગત મને નારી નહીં, પણ રાક્ષસી કહે! પણ જગત જાણી લે કે નારી સૃષ્ટિ રચે છે. નારી કલ્યાણી છે. નારી પાપાત્માઓનો-દુરાત્માઓનો સંહાર કરનારી પણ હોય છે. નારીને દુર્બળ સમજીને મહારાજાએ ભરી રાજસભામાં રાજકુમારી મયણાને એક કોઢીયા સાથે પરણાવી દીધી, અપમાનિત કરી, અટ્ટહાસ્ય કર્યું... હું એનો બદલો લઈશ. જગત જાણશે કે નારીહૃદય કોમળ જરૂર હોય છે, પણ દુર્બળ નથી! મારી આ પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં મોટાભાઈ, તમે મને મદદ નહીં કરો તો તમારા ઉજ્વલ કુળને કલંક લાગશે.’
રૂપસુંદરીની દઢ વાણી સાંભળીને રાજા પુણ્યપાલ પ્રસન્ન થયા. તેઓ બોલ્યા: ‘બહેની, તારો રોષ ને પ્રતિજ્ઞા યોગ્ય છે. તારી પુત્રીએ ને મારી ભાણેજે જે સૈદ્ધાંતિક સંગ્રામ માંડ્યો છે, તે યોગ્ય જ છે. તે છતાં મને એમ લાગે છે કે મહાવિજ્ઞાન શ્રદ્ધેય અને આદરણીય ગુરુદેવ સુબુદ્ધિની સલાહ લેવી જોઈએ. અને તેઓ જો અનુતિ આપે તો હું કાલે જ તને મારા મહેલમાં પ્રેમથી લઈ જવા તૈયાર છું.'
૧૪૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઈ પુણ્યપાલ ગયા ને રાણીવાસના દરવાજા બંધ થઈ ગયા. મહારાજા અને મહામંત્રી વળી મથામણમાં પડી ગયા. ત્યાં રાજા પુણ્યપાલનો સંદેશો મળતાં પંડિત સુબુદ્ધિ રાજમહેલમાં પહોંચ્યા. તેઓ વિશ્વભરના સાહિત્ય, ધર્મ, તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. મયણાસુંદરીના વિદ્યાગુરુ હતા. રાણી રૂપસુંદરી પણ એમની પાસે જ ભણ્યાં હતાં. એમના ધર્મ-તત્ત્વજ્ઞાનની અનેક ચર્ચાઓનાં રસાયણોમાં મહારાણીના મનઃ કોષ ઘડાયા હતા. સર્વક્ષશાસનના સિદ્ધાંતો આત્મસાત્ કર્યા હતા. રૂપસુંદરીને હમેશાં એમના વત્સલ આધારની ખેવના રહેતી હતી. સુબુદ્ધિ પંડિતને પણ એમના માટે પોતાની દીકરી જેટલાં જ હેત-પ્રીત-માયા બંધાયાં હતાં. મહારાણીના જીવનમાં ઊભી થયેલી ગૂંચથી એમનું ચિત્ત પણ પારાવાર ગ્લાનિ અનુભવતું હતું. તેઓ સંદેશ મળતાં જ દોડી આવ્યા હતા. ‘હે મહાદેવી, કેમ અચાનક નોતરાં મોકલ્યાં?'
‘આપના મોઢે ‘મહાદેવી'? આપની તો હું રૂપા છું... રૂપુ છું... આપની
For Private And Personal Use Only
સમા
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રૂપુ!' શરૂઆતમાં સહેજ ગુસ્સો કરી રૂપસુંદરી પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. બંધ હૈયાનો વલોપાત આગળા ખોલીને વહી આવ્યો. કશું બોલ્યા વિના સુબુદ્ધિ રાણીના વાંસે વત્સલ હાથ ફેરવતા રહ્યા. એમને રડવા દીધાં. આંસુ લૂછી મહારાણી બાજુમાં બેઠાં. ચૂપ-ચૂપ. ચહેરા પર વિષાદ અને અસહાયતા છવાયેલાં હતાં. કેટલીક ક્ષણો મૌન રહ્યા પછી રાણી બોલ્યાં : ‘આપને માંડીને બધી વાત કરું.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુબુદ્ધિએ અટકાવીને કહ્યું : ‘મને બધી ખબર પડી છે, રૂપા!' ‘આપને શી ખબર પડી? આપે શું કર્યું?'
મેં બધું સાંભળ્યું છે, કર્યું કંઈ જ નથી. પણ મહારાણીએ શું કર્યું?’
‘મેં મહારાજા માટે મારા રાણીવાસના દરવાજા બંધ કર્યા છે. મારી પુત્રી સાથે તેમણે કરેલા અન્યાયનો મારે બદલો લેવો છે અને તે માટે વહેલામાં વહેલી તકે આ મહેલ છોડીને મારા ભાઈના મહેલમાં એક સાધ્વી જેવું જીવન જીવવું છે. આ માટે તમારી સલાહ લેવા તમને બોલાવ્યા છે.'
‘રૂપા, આપણા મહારાજા એટલા સારા છે, કુલીન છે ને ભલા છે. આ રાજકુળની દેશમાં મોટી પ્રતિષ્ઠા છે. એટલે અહીં તરકટો નથી કે અત્યાચારો નથી...'
‘આપ શું કહો છો? મયણા પર અત્યાચાર નથી થયો? એની સાથે ઘોર અન્યાય નથી થયો? હવે મને રસ્તો બતાવો. એટલા માટે તો આપને મળવા મન ધમપછાડા મારતું હતું.’
આટલો સમય બંધ રાણીવાસમાં તમે શું કરતાં હતાં?'
‘અંતરનાં દ્વાર ઉઘાડવા મથતી હતી... ઋષિ-મુનિઓના ઉપદેશોને વાગોળતી હતી.'
‘તો પછી નિર્ણય?’
મહેલ છોડવાનો... ભાઈના ઘેર જવાનો. મયણાને ગમે તે રીતે ઉપયોગી બનવાનો.’
આ નિર્ણય અફર?'
‘અફર! લગભગ અફર!'
મા
‘કેમ લગભગ?'
‘આપની સાથે વાત કર્યા પછી જ પાકો નિર્ણય થાય.' ‘એથી પિતા-પુત્રીનો સંઘર્ષ મટી જશે?'
For Private And Personal Use Only
૧૪૩
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના, એ સંઘર્ષમાં મારી પુત્રી વિજયી બનશે. તે માટે હું ભાઈના ઘેર રહીને એને ઉપયોગી બની શકું.' “પછી શું?'
મયણાનો પ્રશ્ન પતી જાય, એના પતિનો કુષ્ઠરોગ મટી જાય, બસ, પછી મારે... મારે સાધ્વી બની જવું છે!'
સાધ્વી? શા માટે?' આત્મસાક્ષાત્કાર માટે, બ્રહ્મસાક્ષાત્કાર માટે!” ભલે, એ સમયે જે ઉચિત લાગે તે કરજે . પણ મારી એક વાત માનજે.'
એક નહીં, આપ કહો એ બધી જ વાત માનીશ. પરંતુ આપ મને હવે આ મહેલમાં રહેવાની આજ્ઞા ના કરશો. આટલી મારી વિનંતી છે.”
ભલે, ભાઈના ઘેર જજે. સામતરાજા પુણ્યપાલ તને ખૂબ ચાહે છે. તું ત્યાં સ્વસ્થતાથી રહી શકીશ. પણ તારા મનમાં મહારાજા પ્રત્યે રોષ ના રાખીશ. એમના પ્રત્યે દુર્ભાવના ના રાખીશ. રૂપા! આ એક સંઘર્ષ છે. એક તરફ મહારાજાનો અહંકાર છે, કર્તુત્વનું અભિમાન છે, તો બીજી તરફ મયણાનો સિદ્ધાંત-સંઘર્ષ છે. વિવેકનો સંઘર્ષ છે.”
“રૂપા, તે છતાં મેં અહંકારી પુરુષની આંખો ભીની જોઈ હતી. એમના હૃદયમાંથી પુત્રી માટેની મમતાનો સ્પર્શ ગયો નથી. પરંતુ એ એક રાજા છે. સત્તાધીશ છે. હવે એ પાછળ પગલાં નહીં ભરી શકે. આપણે એમને ક્ષમા જ આપવાની છે.”
ક્ષમા? આવા અમાનવીય કર્મ કરનારને ક્ષમા? એ નહીં બને ગુરુદેવ.. મારી સમજુ અને સતી પુત્રીનું ઘોર અપમાન કરવાનો બદલો તો એમને મળવો જ જોઈએ. એમના અહંકારનો ચૂરો થઈ જવો જોઈએ.”
થશે રૂપા, તને પરમાત્મશક્તિ પર અને મહાન ગુરુના પ્રભાવ પર શ્રદ્ધા નથી? ઉંબરરાણાનો કોઢરોગ જે દિવસે મટશે એ દિવસે અહંકારીના અહંકારનો ચૂરો થઈ જ જવાનો છે. જૈન ધર્મના નિંદકોનાં મુખ સિવાઈ જવાનાં છે. તું રાહ જો. ધીરજ રાખ. મયણા કોઈ સામાન્ય સ્ત્રી-કન્યા નથી. એનું વ્યક્તિત્વ ભવ્ય છે, વિરલ છે અને દૈવી શક્તિથી સભર છે.” રૂપસુંદરીના મુખેથી એક વેદના-કાવ્ય સરી પડ્યું :
હે દેવ, ઝંખી'તી ઝરમર ઝાંખી ત્યાં એવી મુસળધાર વૈ
૧૪૪
મયણા
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિનું કોરું પાનેતર શેતાન-કરે ચોળાઈ ગયું... કોઈ શત-શત યુગથી નીકળ્યા'તા સુખની શોધમહીં યાત્રી અહીં સંસારે રમતાં રમતાં દોજખ જોને શોધાઈ ગયું... હું ફાટી આંખે શોધી રહી સોનેરી રજકણ સુખડાંની ત્યાં જીવનકેરા સૂત્રમહીં દુઃખ મોતી બની પરોવાઈ ગયું... અમૃત તો હાથે નહોતું ચઢયું પણ નીર હતું નિર્મળ થોડું દુર્ભાગ્ય જુઓ રે તે ય હલાહલ સંગાથે ઘોળાઈ ગયું...
રૂપસુંદરી રડી પડી. સુબુદ્ધિએ એના મસ્તકે પોતાનો હાથ મૂકી એને શાંત કરી. રૂપસુંદરી બોલી:
‘ગુરુદેવ, માનું હૃદય મા જ સમજી શકે. મારી લાડલી પુત્રી અત્યારે કેવી વિકટ સ્થિતિમાં છે... એની કલ્પના કરું છું ને મારું કાળજું કંપી ઊઠે છે. મારા મનમાં મહારાજા પ્રત્યે તીવ્ર રોષ સળગે છે. હું હવે એમનું મુખ પણ જોવા નથી ઇચ્છતી. એટલે આ મહેલનો ત્યાગ કરી ભાઈના ઘેર ચાલી જઈશ.”
ગુરુદેવ, મહારાજા ભલે શૌર્યથી, વીર્યથી, ઐશ્વર્યથી અને રૂપગુણથી ભરેલા હોય, પણ તેઓ પોતાની જ સુજ્ઞા પુત્રીની જ વાત ન સમજી શક્યા. એના જ્ઞાનપૂર્ણ કથનના હાર્દને ન સમજી શક્યા. એટલું જ નહીં, તેઓ ગમ પણ ન ખાઈ શક્યા. નાનકડી પુત્રીની સાથે વાદ-વિવાદની બાલિશ ચેષ્ટા કરી પુત્રીના ભવને બગાડવાનું ઘોર પાપ કર્યું...'
સુબુદ્ધિ રૂપસુંદરીના આક્રોશને આંખો બંધ કરીને, સૌમ્ય ભાવથી સાંભળી રહ્યા. થોડી ક્ષણો માટે ખંડમાં મૌન છવાયું. પછી ગંભીર સ્વરે સુબુદ્ધિ બોલ્યા:
માણા
૧૪૫
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“રૂપા! રાણી રૂપસુંદરી! તારો આક્રોશ સાચો છે. પોતાની પ્રિય અને નિર્દોષ પુત્રી સાથે એનો પિતા જ જ્યારે અન્યાય કરે ત્યારે માતાના હૃદયમાંથી આક્રોશ પ્રગટે જ. પરંતુ મારે તને એટલી જ વાત કહેવી છે કે તું મયણાના ભવિષ્યની ચિંતા ન કરીશ. એ પરમાત્મા ઋષભદેવના અચિંત્ય અનુગ્રહને પ્રાપ્ત કરેલી છે એ ગુરુદેવ મુનિચન્દ્રસૂરિજીની કૃપાનો પ્રસાદ એને પ્રાપ્ત થવાનો છે. એટલે એનું ભવિષ્ય ઉજ્વલ છે અને મને તો ભવિષ્ય દેખાય છે, કે..”
શું ગુરુદેવ?”
મયણા પોતાના દેવકુમાર જેવા પતિ સાથે આ જ મહેલમાં પાછી ફરશે! એના પર સ્વર્ગના દેવ કુસુમવૃષ્ટિ કરશે! રૂપા, ધીરજ રાખ અને સમયને પસાર થવા દે..”
ગુરુદેવ સુબુદ્ધિને આદરપૂર્વક વિદાય આપી.
સામતરાજા પુણ્યપાલ પોતાની બહેન રૂપસુંદરીને લેવા રથ લઈને રાજમહેલના દ્વારે પહોંચ્યા. રૂપસુંદરીએ બધા શણગાર ઉતારી નાખ્યા. શરીર પર બધાં જ શ્વેત વસ્ત્રો પહેરીને તે રથમાં જઈને બેસી ગઈ. રથ ઉજ્જયિનીના રાજમાર્ગ પર દોડવા લાગ્યો.
૧૪૬
માણા
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ દિવસે આકાશમાં વાદળાં છવાયાં હતાં. નીલમેઘમાં ફાલ્ગનીની શ્યામલ રૂપશોભાનું ચિત્રણ થતું હતું.
અચાનક આકાશમાં દિવ્ય પ્રકાશમંડળ ઊમટ્યું. મેં ઘરની અગાસીમાંથી જોયું તો એક સુસજ્જિત રથ મારા મકાનની આગળ આવીને ઊભો હતો. હું મટકું ય માર્યા વિના જોઈ રહી... એ રથમાંથી મારી મા રાણી રૂપસુંદરી ઊતરી રહી હતી! એનું અનુપમ રૂપ! એનું દિવ્ય સૌન્દર્ય! કુદરતી પ્રકાશમાં એ અતિ સુંદર દેખાતી હતી... જોકે તેના શરીર પર શ્વેત સ્વચ્છ વસ્ત્રો હતાં. કોઈ જ શણગાર ન હતો. હાથમાં સૌભાગ્યનાં માત્ર રત્નકંકણ દેખાતાં હતાં.
હું ઝડપથી ઘરની બહાર આવી. મારી મા પગથિયાં ચઢી જ રહી હતી. મેં એનો હાથ પકડ્યો. એ ઝડપથી ઉપર આવી મને ભેટી પડી. એની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યાં. તે રડવા લાગી હતી. ઉબરરાણા પણ ખંડમાંથી બહાર આવી ગયા હતા અને અમને મા--પુત્રીને એકબીજાને વળગી રોતી જોઈ રહ્યા.
હું માને ઘરના ખંડમાં લઈ ગઈ. તેને પલંગ પર બેસાડી. એ મન હતી. એની આંખો આંસુભીની હતી. હું માનું દુઃખ બરાબર સમજતી હતી. તે ખૂબ જ અસ્વસ્થ હતી... પુત્રીનું દુઃખ જોવાનું એના ભાગ્યમાં લખાયું હશે... પણ મને લાગ્યું કે મારી મા દુઃખથી ભાંગી પડી હતી. અલબત્ત, એમાં નિમિત્તકારણ હું જ હતી. હું જ એની પ્રગટ વેદના હતી. હું માની દશાનો અનુભવ કરતી હતી. મનમાં થતું હતું કે થોડી વેદના માગી લઉં. એની પાસેથી લઈને થોડું વધારે સહન કરી લઉં. માનો ભાર કંઈક હળવો કરવા મેં કહ્યું :
મા, તું શા માટે આટલી દુઃખી થાય છે? તું મને દુઃખમાં જુએ છે માટે? પણ ના, મારી મા, હું દુઃખી નથી.. હું તો પરમ સુખી છું. તને ખબર છે ઋષભપ્રાસાદમાં પરમાત્માનો કેવો અપૂર્વ અનુગ્રહ થયો?' મેં માતાને
મયમા
૧૪૭
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એ ઘટના કહી સંભળાવી. એની આંખો વિકસ્વર થઈ ગઈ! તે બોલી ઊઠી: ‘ખરેખર! અદ્ભુત! મારી દીકરી, આ તારું પરમ સૌભાગ્ય કહેવાય!' એ પછી મેં પૌષધશાળામાં ગુરુદેવના ઉપદેશથી સાધર્મિકોએ કરેલી અપૂર્વ ભક્તિની વાત કરી, તો મારી માની આંખો હર્ષથી વિકસ્તર થઈ ગઈ. અને ત્યાં જ એણે આંખો બંધ કરી, બે હાથ જોડી, મસ્તક નમાવી ગુરુદેવને ભાવવંદના કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માએ કહ્યું : ‘બેટી, તારા વિના મહેલમાં રહેવાનું મને ક્ષણભર પણ ન ગમ્યું, મેં તારા પિતાનું મોં જોવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. અંતેપુરના દરવાજા બંધ કરાવી દીધા હતા. છેવટે ગુરુદેવ સુબુદ્ધિ પધાર્યા. તેમણે ઘણી સાંત્વના આપી. તારા ઉજ્વલ ભવિષ્યની સચોટ વાત કરી... મહારાજાની ભૂલને ક્ષમા કરી દેવાની પ્રેરણા આપી... પણ એ પ્રેરણા મારા ગળે ન જ ઊતરી. મારા મનમાં હજુ પણ તારા પિતા પ્રત્યે તીવ્ર રોષની આગ સળગી રહી છે. તારી સાથે થયેલા ઘોર અન્યાયનો બદલો લેવા મન તલસી રહ્યું છે.'
‘મા, ગુરુદેવ સુબુદ્ધિની વાત સાચી છે, સારી છે. શા માટે મારા પિતા પ્રત્યે રોષ કરવાનો? એ એક પુરુષ છે. સત્ત્વશીલ પુરુષ છે. એમનામાં પૌરુષ ભરેલું છે. તેઓ પોતાની એક નાનકડી પુત્રીનું અપમાન સહન ન જ કરી શકે! એ એક પરાક્રમી પુરુષની સ્વાભાવિક નબળાઈ હોય છે. અને મારી મા! મને, મારા મનમાં મારા પિતા પ્રત્યે જરાય દુર્ભાવ નથી. આ તો એક સૈદ્ધાંતિક સંઘર્ષ છે. ‘કર્મ કરે સો હોય!' આ વાત મારે એમને મનાવવી છે, સમજાવવી છે.’
પણ બેટી, એ માટે પુત્રી પર પિતા આટલા ક્રૂર બની શકે? આવા પાષાણહૃદયી બની શકે? એક અરણ્યવાસી, અજાણ્યા અને કુષ્ઠરોગી યુવાન સાથે તને પરણાવી દીધી? આ તો જીવન-મરણનો સવાલ બની ગયો છે, બેટી...”
૧૪૮
મા, આને આપણે સિદ્ધાંતનું યુદ્ધ કહેવું જોઈએ. આવા યુદ્ધમાં રાગ-દ્વેષ ન હોવા જોઈએ. આમાં તો શાંત રીતે વિજયના માર્ગે પ્રયાણ કરવાનું છે.’
‘બેટી, તેં શું વિચાર્યું છે? તું ચાલ મારી સાથે, હું રાજમહેલ છોડી તારા મામાના ઘેર રહેવા ચાલી ગઈ છું. તું પણ તારા વર સાથે ચાલ. આપણે
For Private And Personal Use Only
મગણા
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્યાં સાથે રહીશું. હું તને લેવા જ આવી છું.’ ‘ના, મા! મારાથી મામાના ઘેર ન અવાય. મને આ ઘરમાં રહેવા માટે ગુરુદેવે આજ્ઞા કરી છે અને આ જ ઘરમાં તેઓ અમને બંનેને કોઈ નિર્દોષનિષ્પાપ ધર્મઆરાધના કરાવવાના છે!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપસુંદરી વિચારમાં ગરકાવ બની. પછી પોતાની સાથે લાવેલી એક રત્નજડિત નાની પેટી ખોલી. તેમાં એક રત્નપ્રતિમા હતી. નીલરત્નની સુરમ્ય પ્રતિમાનાં મેં દર્શન કર્યા. માએ કહ્યું : ‘બેટી, આ પ્રતિમાજી મારી પિતૃપરંપરામાં મને મળી છે. આ પ્રતિમા હું તને આપું છું. તું પ્રતિદિન આ પ્રતિમાની ત્રિકાળ પૂર્જા કરજે અને આનું અભિષેક જળ તમારા બંનેનાં શરીર પર છાંટજો.’
મેં ખૂબ ભક્તિભાવપૂર્વક પરમાત્માની પ્રતિમા ગ્રહણ કરી ને એ જ રત્નમય પેટીમાં મૂકી, એક સુંદર ગવાક્ષમાં પધરાવ્યા. માએ કહ્યું : બેટી, આ પ્રતિમાની રોજ અષ્ટપ્રકારી પૂજા કરજે. સંધ્યા સમયે આરતી કરજે. તારો શોક-ગ્લાનિ-નિરાશા બધું દૂર થઈ જશે.'
‘મા, તારી ભાવના ફળો, તું મારી ગુરુ પણ છે ને! ગુરુવાણી ફળતી હોય છે.'
બેટી, જલદી ઉંબરરાણા નીરોગી બને તો તારા પિતાનો અહંકાર ચૂરચૂર થઈ જાય... એ તારાં ચરણોમાં નમતા આવે અને જે અજ્ઞાની લોકો જૈન ધર્મની અને તારી નિંદા કરે છે, તે બધા મૌન થઈ જાય. જૈન ધર્મનો નગરમાં અને માલવદેશમાં જયજયકાર થઈ જાય!'
મગણા
‘થશે મા! થોડા દિવસોમાં જ થશે. તું ધીરજ રાખ અને મનને સ્વસ્થ રાખ, મારા પિતાજી આમ તો સરળ છે, એટલે પ્રગટ સત્યનો સ્વીકાર કરતાં વાર નહીં લગાડે. આમ તો ગુરુદેવ મુનિચન્દ્રસૂરિજીના તેઓ ભક્ત છે. ગુરુદેવની કૃપાથી જ તેઓ દૈવી ઉપદ્રવોથી મુક્ત થયા હતા ને? મા, એ જ ગુરુદેવ તારા જમાઈને નીરોગી કરશે જ. તને ખબર નથી. પૌષધશાળામાં ગુરુદેવે અમને બંનેને સાથે જોઈને પૂછ્યું હતું : ‘મયણા, તારી સાથે આ પુણ્યશાળી પુરુષ કોણ છે?' તેમણે એમને પુણ્યશાળીપ્રભાવશાળી કહ્યા છે... તો કોઈ રહસ્ય હશે ને એમના મનમાં? મા, કાલે સવારે અમારે એમની પાસે જવાનું છે. તેઓ અમારા માટે કોઈ એક આધ્યાત્મિક યાંત્રિક કે માંત્રિક ઉપાય બતાવશે. મને તો એકસો એક ટકા
For Private And Personal Use Only
૧૪૯
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વાસ છે કે તારા જમાઈ નીરોગી બની જશે. માટે તું શોક ન કરીશ. દુ:ખી ના થઈશ. આ સિદ્ધાંતના યુદ્ધમાં હું વિજયી બનીશ. એ તારા માટે મોટો મહોત્સવનો પ્રસંગ બની જશે.'
માતાએ શાંત અવાજે કહ્યું : “ધીરજથી સહીને કર્તવ્યપાલન કરવું, એ જ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ છે. જ્યારે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય, જે ભૂમિકા પ્રાપ્ત થાય ત્યારે તેને અનુરૂપ કર્તવ્યપાલનમાંથી પાછા ન હઠવું, જીવનનો આ જ ઉત્તમ માર્ગ છે. બેટી, મારા આશીર્વાદ છે તને... યશસ્વિની થાઓ.'
રાત્રિનું અંધારું પૃથ્વી પર ઉતરી આવ્યું હતું, મારી માતા ઊભી થઈ. મને છાતીએ ચાંપી આલિંગનોથી ભીંજવી દીધી. સડસડાટ તે મકાનની બહાર નીકળી ગઈ. રથમાં બેસી ગઈ. મેં એનાં ચરણોનો સ્પર્શ કર્યો અને રથ અંધકારમાં અદૃશ્ય થઈ ગયો.
હું રાણાની સામે આવીને ઊભી. મારા મુખ પર સ્મિત રેલાયું. પણ, કોઈક હસે છે, એના હાસ્ય અને આનંદનું કારણ જાણ્યા વિના બીજો માણસ હસી નથી શકતો. પણ કોઈકના આંસુ, શોક, દુ:ખ જોઈને એની વ્યથાનું મૂળ કારણ જાણ્યા વગર પણ માણસ એક વાર તો અચાનક વ્યથિત થઈ જાય છે. આંખ છલકાઈ જાય છે. માણસ પીગળી જાય છે.
વિષાદ વર્ષની જેમ બીજાઓને ભીંજવી દે છે. આકાશમાંથી આંસુ ઝરે છે ને પૃથ્વીનો ખોળો ભીનો થઈ જાય છે. સૂરજને વાદળાં ઢાંકી દે તો ધરતી પર કાળી છાયા ઊતરી આવે છે.
બરાબર એ જ રીતે, મારી માતાનાં આંસુ... શોક... વ્યથા જોઈને રાણાનું મન ભરાઈ આવ્યું હતું. એમણે પહેલી જ વાર મારી માતાને જોઈ હતી. તે જોતા જ રહી ગયા હતા. માતાના સુંદર ચહેરાની ખિન્નતાએ એમના મોઢા પર કાળી છાયા પાથરી દીધી હતી. તેમની આંખો છલકાઈ ગઈ હતી. અમારી માતા-પુત્રીની વાતો તેઓ સાંભળતા હતા, પરંતુ મારા ખ્યાલ મુજબ બધું સમજતા ન હતા. કારણ કે તેમનું જીવન જ જંગલોમાં, અરણ્યોમાં વીત્યું હતું! હજુ તો પહેલી જ વાર સુંદર અને પાકા મકાનમાં તેમણે વસવાટ કર્યો હતો. ચાર વર્ષની ઉંમરે તો તેઓ મહેલમાંથી જે ગલમાં પહોંચી ગયા હતા. એ મહેલ એમની સ્મૃતિમાં ન હતો.
૧૫o
માણા
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણા ભાવુક હતા. એટલું તો તેઓ સમજતા હતા કે એમની સાથે મારા પિતાએ મારાં લગ્ન કર્યા તે જરાય ઉચિત નથી કર્યું અને એટલે જ મારી માતા પણ દુઃખી-દુઃખી થઈ ગઈ છે.
એમની સામે સ્મિત ફરકાવતી ઊભી રહી, ત્યારે તેમના મુખ પર વિષાદ હતો. તેઓ દર્દભર્યા સ્વરે બોલ્યા :
દેવી, આપણા જ કારણે માતાજી દુઃખી-દુઃખી થઈ ગયાં છે... મારાથી એમનું દુઃખ જોયું ન ગયું..”
નાથ, એ મા છે ને? દીકરીનું દુઃખ માને બહુ દુઃખી કરે જ, એ મને દુઃખી માને છે...”
“તે સાચી વાત છે ને? મારી સાથે... મારા જેવા કુષ્ઠરોગી સાથે એક સામાન્ય કન્યા પણ લગ્ન કરીને દુઃખી થાય તો પછી તમે તો રાજ કુમારી છો! તમે ખરેખર, જાણીબૂજીને દુ:ખી થયાં છો...'
મેં કમલપ્રભાની સામે સસ્મિત જોઈને કહ્યું : “આ તમારા લાડલાના ડહાપણભરેલા શબ્દો હતા...” પછી એમની સામે જોયું... એમના ગોરા ગોરા મુખ પર શરમના શેરડા પડ્યા હતા. તેઓ મંદ-મંદ હસી રહ્યા હતા.
મેં એમને એ વખતે મધુર સ્વરે કહેલું : “મારા દેવ, સંઘર્ષ વિનાના જીવનનો કોઈ અર્થ ખરો? સંઘર્ષ વગર ક્યાંય જીવન હોય છે? વળી મારા જીવનમાં તો તમે મારી સાથે જ છો... અને આપણે જંગલમાં નથી, નગરમાં છીએ! આપણા પર પરમાત્મા ઋષભદેવની અને ગુરુદેવની પરમકૃપા છે! આપણને નગરના હજારો સાધર્મિક ભાઈ-બહેનોની હૂંફ છે! પછી આપણે દુઃખી કેવી રીતે?
પણ લગ્નજીવનનો અર્થ... વૈષયિક સુખ... તે તો મારાથી તમને નથી મળતું ને?'
ઓહો... તમે તો મારી દયા ચિંતવવા લાગ્યા! મને... મારા મનમાં વિષયવાસના જરાય સતાવતી નથી. તમે નિશ્ચિત રહો. જ્યાં સુધી તમે પૂર્ણ નીરોગી નહીં બનો ત્યાં સુધી સહજ રીતે આપણે બ્રહ્મચર્ય પાળવાનું છે અને પાળીશું. કારણ કે ગુરુદેવ આપણને જે કોઈ રોગનિવારણનો ઉપાય બતાવશે તેમાં બ્રહ્મચર્યપાલન તો કરવાનું હશે જ. એ પાલન વિના કોઈ સાધના સફળ નથી બનતી.” રાણી કમલપ્રભા એકાગ્ર ચિત્તે મારી વાતો સાંભળી રહ્યાં હતાં. શ્રીપાલ
મયણા
૧૫૧
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ શાંત ચિત્તે શ્રવણ કરતા હતા. તેમનું રૂપ ખીલ્યું હતું. તેમનું સૌંદર્ય પાંગર્યું હતું. શ્રી સિદ્ધચક્રજીની આરાધનાથી એમની સમજશક્તિ અને વિચારશક્તિ પણ વિકસી હતી. જોકે તેઓ ઓછું બોલતા હતા. “મને કોઢીયાઓના ટોળામાં મૂકી મારી જિંદગી બરબાદ કરી નાંખી', આ વિચાર મૂળમાંથી નીકળી ગયો હતો. “મને કાઢી લોકોને સોંપીને મારી માતાએ મારી જીવનરક્ષા કરી છે.” એ વિચાર એમના મનમાં દૃઢ થયો હતો.
કમલપ્રભાએ મને પૂછ્યું : “બેટી, પછી તમે બંને ગુરુદેવ પાસે ક્યારે ગયાં હતાં? ગુરુદેવે તમને રોગનિવારણનો શો ઉપાય બતાવ્યો હતો?'
૧૫૨
મયણા
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ ૨3 (
ત્યારે પ્રબુદ્ધ આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિને પોતાની અન્તર્મુખ આત્માનુભૂતિ અને શાસ્ત્રાનુભૂતિ, એક પુણ્યશાલી યુગલના દુઃખનિવારણ માટે ઉપયોગમાં લેવી પડી હતી. તે માટે તેમને આત્મલક્ષી બ્રહ્મ-શિખર પરથી નીચે ઊતરવું પડ્યું હતું. એ ઉત્તમ જીવો સમજી શકે એવી વાસ્તવિક સરળ ભાષામાં પોતાના ઉચ્ચતમ શાસ્ત્રજ્ઞાનને ખોલવું પડ્યું હતું. પરોક્ષ ને પરમ તત્ત્વને અહીં અને અત્યારે જ” પ્રગટ કરવા વિવશ થવું પડ્યું હતું. જ્યારે એકાંત અન્તર્મુખ આત્માનુભૂતિને, જીવનના પ્રતિપળના આચાર-વ્યવહાર અને માનવીય સંબંધોને આધાર આપવા માટે એ દિશામાં વાળવી પડી હતી.
તે યુગમાં ભારતીય આકાશમાં એક દિવ્ય વાણીની ગર્જના સંભળાતી હતી. તે ધ્વનિ ઉજ્જયિનીની વિશાળ પૌષધશાળામાંથી ઊઠી રહ્યો હતો
आचार्योऽहं कविरहमहं वादिराट् पण्डितोऽहं, दैवज्ञोऽहं भिषगहमहं मान्त्रिकस्तान्त्रिकोऽहम् ।
राजन्नस्यां जलधिवलयामेखलायामिलायां,
आज्ञासिद्धः किमिति बहुना सिद्धसारस्वतोऽहम् ।। હું આચાર્ય છું. હું કવિ છું. હું વાદીઓમાં સમ્રાટ છું. હું પંડિત છું. હું દૈવજ્ઞ છું. હું ભિષ-મહાવદ્ય છું. હું માંત્રિક ને તાંત્રિક છું. હું રાજાઓની સમુદ્રથી વીંટળાયેલી પૃથ્વીની મેખલા-કડીઓનું મિલન-તીર્થ છું. હું આજ્ઞા-સિદ્ધ છું. અર્થાત્ હું જે આદેશ આ તે સિદ્ધ થાય જ. અરે, હું સિદ્ધ સારસ્વત છું!”
હું અને રાણા, વહેલી સવારે સ્નાન કરી, શુદ્ધ શ્વેત વસ્ત્ર ધારણ કરી, ધર બંધ કરી શ્રી ઋષભપ્રાસાદમાં ગયાં. વિધિપૂર્વક પ્રાસાદમાં પ્રવેશ કરી, પ્રભુને ભાવપૂર્વક પ્રણામ કરી, ત્રણ પ્રદક્ષિણા આપી પ્રભુની સમક્ષ હાથ જોડી નતમસ્તકે ઊભાં રહ્યાં.
હું જે પ્રમાણે દર્શન-વંદન કરું એ જ રીતે તેઓ પણ કરતા હતા.
મયણા
૧૫૩
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુદર્શનથી એમના મુખ પર પ્રસન્નતા પ્રગટી હતી. અમે પ્રભુની સ્તવના કરી, જિનાલયમાંથી બહાર નીકળી પૌષધશાળામાં વિધિપૂર્વક પ્રવેશ કર્યો.
ગુરુદેવ પદ્માસનમાં ધ્યાનલીન હતા. એમના તેજસ્વી મુખમંડલ પર અપૂર્વ શાંતિનું આભા-વલય પ્રસારિત હતું. અમે નવ હાથ દૂર ઊભાં રહી ધીમા સ્વરે “નત્થણાવં” બોલ્યાં. તેમણે દૃષ્ટિ ખોલી. અમારી સામે જોયું. મારા હૃદયમાં તો જન્મ-જન્માંતરમાં સંચિત કોઈ અપૂર્વ પ્રીતિનું પૂર ઊભરાયું... અને મારી આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી. જાણે કે મારી અનાથ બની ગયેલી ચેતનાને આધાર-આશ્રય મળી ગયો! અમે બંને ગુરુદેવની નિકટ ગયાં. અમે બંને એમનાં ચરણોમાં પડીને રુદન કરવા લાગ્યાં... મારા મુખેથી એક કાવ્ય સરી પડ્યું -
જ્યાં દૃષ્ટિ પડી ત્યાં દાણ દવ
ને કાન પડ્યો કોલાહલ, અફસોસ મુનીશ્વર, કહું શું તમને
એક સપનું મુજ રોળાઈ ગયું... રે જિંદગીભર ભ્રમણામાં ભટકી
ને એક ઘડી એવી ઊગી કે કંચન છે કે કથીર
એ સ્પષ્ટપણે જોવાઈ ગયું... મેં ટીપું ટીપું સંચીને
માંડ ભરી પીયૂષની ગાગર, ત્યાં એક ધડાકો ને પળમાં
પીયૂષ બધું ઢોળાઈ ગયું.. દીસતાં' તો ઉદ્યાન અંધારે
તે રણ નીકળ્યાં અજવાસ થતાં હું કોને કહું? હસવા મથતા
આ હૈયાથી રોવાઈ ગયું.. મયણા! આયુષ્યમતી! તું આવી ગઈ? હું તમારા બંનેની જ પ્રતીક્ષા કરી રહ્યો હતો.
તારા આ પતિના કુષ્ઠરોગનું નિવારણ કરવા, સર્વજ્ઞભાષિત ગ્રંથોમાંથી એક વિશિષ્ટ યંત્ર શોધ્યું છે. એ યંત્રની વિધિપૂર્વક આરાધના કરવાથી
૧૫૪
અપણા
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવશ્ય આ પુણ્યશાળી પુરુષ નીરોગી બનશે.
મયણા, તું તો જિનમતની જ્ઞાતા છે. તું જાણે છે અમારા શ્રમણોના આચાર-વિચાર. અમારાથી ગૃહસ્થો માટે ઔષધોપચાર કે મંત્ર-તંત્ર-યંત્રના પ્રયોગો ન બતાવાય. પરંતુ તારો આ પતિ ભવિષ્યમાં જિનધર્મનો ઉદ્યોત કરનાર બનવાનો છે. આ પુરુષ જિનશાસનની મહામૂલ્યવાન સંપદા છે. આ મહાપુરુષ દ્વારા સર્વજ્ઞ શાસનની દેશ-વિદેશમાં શાન વધવાની છે. આ ઉત્તમ પુરુષનો અપૂર્વ અભ્યદય થવાનો છે, એટલે મેં શાસ્ત્રોનું પરિશીલન કરી સિદ્ધચક્ર મહામંત્ર” ઉદ્ધત કર્યું છે.
આ મહાયંત્રની આરાધના તમારે બંનેએ કરવાની છે. તે માટે તમારે ક્ષમાશીલ રહેવાનું છે. ઇન્દ્રિયોને શાંત રાખવાની છે. નવ દિવસ સુધી આરંભ-સમારંભ કરવાના નથી. બને એટલું મૌન રહેવાનું છે. તો જ આ મહાયંત્રની આરાધના થઈ શકશે.
મેં હાથ જોડી, મસ્તક નમાવી કહ્યું : “ગુરુદેવ, આપની આજ્ઞા મુજબ અમે મહાયંત્રની આરાધના કરીશું. આપ અમને એ મહાયંત્ર આપવાની કૃપા કરો અને ક્યારથી અને કેવી રીતે એની આરાધના કરવાની છે, એ સમજાવવાની કૃપા કરો.”
આચાર્યદેવે પોતાની સામે એક કાષ્ઠના બાજોઠ પર તામ્રપત્ર પર આલેખિત યંત્રને મૂક્યું. મયણાને સંબોધીને ગુરુદેવે યંત્રને સમજાવવાનો પ્રારંભ કર્યો :
ભદ્ર! આ સિદ્ધચક્ર મહામંત્ર છે. આ યંત્રના મધ્યભાગમાં અષ્ટદલ-કમલ હોય છે. તે કમળની કર્ણિકામાં “ૐ હ્રીં' મંત્ર બીજ સાથે અરિહંત પરમાત્માનો જાપ અને ધ્યાન કરવાનું છે. “ૐ' મોક્ષબીજ છે, “હ્રીં' માયાબીજ છે.
એ પૂર્વદલમાં સિદ્ધપદનું, દક્ષિણદલમાં આચાર્યપદનું, પશ્ચિમદલમાં ઉપાધ્યાયપદનું, ઉત્તરદલમાં સાધુપદનું, અગ્નિખૂણામાં દર્શનપદનું, નૈઋત્ય ખૂણામાં જ્ઞાનપદનું, વાયવ્ય ખૂણામાં ચારિત્રપદનું અને ઈશાન ખૂણામાં તપપદનું ધ્યાન કરવાનું છે. દરેક પદનો જાપ “ૐ હ્રીં' સાથે કરવાનો હોય છે.
આ અષ્ટદલકમલ, મહામંત્રનું પહેલું વલય કહેવાય. બીજું વલય સોળ પાંખડીનું હોય છે. તેમાં એક-એક દલના અંતરે
પ્રયા
૧૫
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટવર્ગનું - (----d--4-) ધ્યાન કરવાનું છે. ખાલી રહેલાં આઠ દલોમાં “ૐ નમો રિહંત'નું ધ્યાન કરવાનું છે.
ત્રીજા વલયમાં આઠ દિશા-વિદિશાઓમાં આઠ ‘અનાહત'નું ધ્યાન કરવાનું છે. બે-બે દલના અંતરે બે-બે લબ્ધિપદોની સ્થાપના કરવાની. એમ પ્રથમ પંક્તિમાં ૧૬ લબ્ધિપદ આવે. એવી રીતે બીજી અને ત્રીજી પંક્તિમાં પણ ૧૬-૧૬ લબ્ધિપદ આવે. દરેક લબ્ધિપદની સાથે “ૐ હ્રીં મર્દ નો ના' પદ બોલવાનું.
ત્યાર પછી યંત્રપીઠથી લબ્ધિપર્યત માયાબીજ (હ્રીં ) વડે ત્રણ રેખાઓથી ચારેય બાજુ વેખન કરવાનું. તેની પરિધિમાં આઠ ગુરુપાદુકાની સ્થાપના કરવાની અને તેને નમસ્કાર કરવાના. ચોથી અડધી રેખાના અંતે “' લખવાનું.
ચારેય દિશાઓમાં “જયા' વગેરે ચાર દેવીઓની સ્થાપના કરવાની અને વિદિશાઓમાં જંભા આદિ દેવીઓની સ્થાપના કરવાની.
ત્યાર પછી કળશાકાર યંત્રના ઉપરના ભાગમાં શ્રી વિમલવાહન આદિ અધિષ્ઠાયક દેવો તથા ચક્રેશ્વરી વગેરે દેવીઓની સ્થાપના કરીને તેમનું મંત્રપદો દ્વારા ધ્યાન કરવાનું છે.
૧૭ વિદ્યાદેવીઓની, ગોમુખ વગેરે ૨૪ શાસનદેવોની, ચક્રેશ્વરી આદિ ૨૪ શાસનદેવીઓની સ્થાપના કરવાની.
યંત્રકળશની નીચે મૂળ સ્થાને સૂર્ય વગેરે ૯ ગ્રહોની સ્થાપના કરવાની. ગળાના ભાગે “નૈસર્ષિક' આદિ નવનિધિની સ્થાપના કરી, એના મંત્રાક્ષરોથી ધ્યાન કરવાનું. તે પછી દશ દિપાલોની અને ચાર વરોની સ્થાપના કરવાની.
હે પુણ્યશાલિની, આ સિદ્ધચક્ર મહામંત્ર વિદ્યાનુવાદ' નામના દશમાં પૂર્વમાંથી ઉદ્ધત કરેલું છે. આ પરમ રહસ્યભૂત યંત્ર છે. એની આરાધના કરવાથી કેવા વિશિષ્ટ લાભ આરાધકને પ્રાપ્ત થાય છે, તે તમે બંને એકાગ્ર ચિત્તે સાંભળો : આ વિધિપૂર્વક આ મહાયંત્રની આરાધના કરનાર આરાધક પોતાનું વાંછિત
સુખ પ્રાપ્ત કરે છે. ધનનો અર્થી ધન પામે છે. પદનો ચાહક પદવી મેળવે છે. સ્ત્રીની ઇચ્છાવાળી સ્ત્રી મેળવે છે અને પુત્રની કામનાવાળાને પુત્ર મળે છે.
૧૫૩
માણા
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
♦ જેને સૌભાગ્ય જોઈએ તેને સૌભાગ્ય મળે છે. જેને માન-સન્માન જોઈએ તેને માન-સન્માન મળે છે. જેને રાજ્યના મહામંત્રી બનવું છે તે મહામંત્રી બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. રૂપ અને લાવણ્ય મળે છે. વિષપ્રયોગ મટે છે, તીવ્ર તાવ મટે છે, કુષ્ઠરોગ મટે છે. અઢારેય પ્રકારના કુષ્ઠરોગ દૂર થાય છે. ૮૪ પ્રકારના વાયુ-રોગ મટે છે અને નહીં રુઝાતા ઘા રુઝાઈ જાય છે.
* ભયંકર ભગંદર રોગ શાંત થાય છે. જલોદર મટી જાય છે. વિવિધ પ્રકારની વ્યાધિઓ અને જ્વર શાંત થઈ જાય છે.
♦ ખાંસી, ખસ, ક્ષયરોગ, આંખના રોગ, સન્નિપાત વગેરે રોગો નાશ પામે છે. * ચોર, ભૂત, ડાકણો, શાકણો સતાવી શકતાં નથી.
* મસા-રોગ, પાઠાં પડવાં, હેડકી આવવી, શરીરનાં અંગ-ઉપાંગમાં છેદ પડવા, નાસુર થવું, પેટની પીડા, દાંતની પીડા વગેરે પીડાઓ શાંત થાય છે.
ત્યાં સુધી જ વિપત્તિની ઘોર નદી પાર નથી કરી શકાતી કે જ્યાં સુધી સિદ્ધચક્રરૂપ કૃપાભરપૂર જહાજમાં બેઠા નથી!
* ત્યાં સુધી જ બંધન છે... ત્યાં સુધી જ ક્લેશ છે, જ્યાં સુધી આદરપૂર્વક શ્રી સિદ્ધચક્રનું સ્મરણ નથી કર્યું.
* આ મહાયંત્રના પ્રભાવથી સ્ત્રીઓને વૈધવ્ય નથી આવતું, ખોટાં કલંક નથી આવતાં કે બાલવૈધવ્ય નથી આવતું.
* આ સિદ્ધચક્રના આરાધનથી હે મયણા! વિકલતા, દુર્ભાગ્ય, કુરૂપતા, દાસીપણું વગેરે દૂર થાય છે.
* ભક્તિપૂર્વક મનુષ્યો જે કંઈ સુખ ઇચ્છે તે બધું એમને મળે છે. પરંતુ તે માટે તે ક્ષમાશીલ જોઈએ, જિતેન્દ્રિય જોઈએ, શાંત-ઉપશાંત જોઈએ, નિર્મળ બ્રહ્મચારી જોઈએ અને વિકારરહિત ચિત્તવાળો જોઈએ.
મમણા
* જે મનુષ્ય સિદ્ધચક્રનું આરાધન કરે છે તેણે જિનશાસનની આરાધના કરી કહેવાય. કારણ કે જિનશાસનનો સાર હોય તો સિદ્ધચક્ર છે! હે મયણા, જિનાગમોમાં સિદ્ધચક્રનાં નવ પદો સિવાય બીજું કંઈ નથી, માટે એ નવ પદને જાણવાનાં છે ને એમનું ધ્યાન કરવાનું છે. હું તમને બંનેને નવે પદો સમજાવીશ.
For Private And Personal Use Only
૧૫૭
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
܀
www.kobatirth.org
કારણ કે અત્યાર સુધી જે અનંત આત્માઓ મોક્ષમાં ગયા છે અને જે જવાના છે; વર્તમાનમાં જે મોક્ષમાં જઈ રહ્યા છે તે અહર્નિશ આ નવપદમય સિદ્ધચક્રની સમ્યગ્ આરાધનાથી જ જઈ રહ્યા છે. મન-વચન-કાયાની શુદ્ધિ જોઈએ! આ શુદ્ધિ સાથે આ નવ પદમાંથી એકાદ પદની આરાધના મનુષ્ય કરે તો વિશિષ્ટ સુખ-સંપત્તિ અને પદપ્રતિષ્ઠા મળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન-વચન-કાયાની શુદ્ધિ સાથે પહેલા પદની (અરિહંત) આરાધના કરીને દેવપાલ વગેરે શ્રેષ્ઠ માનવસુખ પામ્યા હતા, તો કાર્તિક વગેરે દૈવી સુખ
૧૫૮
પામ્યા હતા.
બીજા સિદ્ધપદની આરાધના કરીને પાંચ પાંડવો માતા કુંતી સાથે સિદ્ધાચલ પર મુક્તિ પામ્યા હતા.
♦ ત્રીજા આચાર્યપદની આરાધના કરીને નાસ્તિક રાજા પ્રદેશી મરીને દેવલોકમાં દેવ થયો હતો.
* ચોથા ઉપાધ્યાયપદની આરાધના કરીને આચાર્ય સિંહગિરિના શિષ્યો જ્ઞાન પ્રાપ્ત કરીને કૃતાર્થ થઈ ગયા હતા.
પાંચમા સાધુપદની આરાધના કરીને રુક્મિણી સુખી થઈ, વિરાધના કરીને રોહિણી દુઃખી થઈ.
છઠ્ઠા દર્શનપદની આરાધના કરીને શ્રીકૃષ્ણ અને રાજા શ્રેણિક વગેરે ક્ષાયિક સમકિતરૂપે પ્રશંસાપાત્ર બન્યા હતા. ભવિષ્યમાં તેઓ તીર્થંકર થવાના છે.
* સાતમું જ્ઞાનપદ આરાધીને શીલમતી મહાન પ્રજ્ઞાવતી બની હતી. આઠમા ચારિત્રપદની આરાધના કરીને જંબૂકુમાર વગેરે હજારો સ્ત્રીપુરુષો મુક્તિને વર્યાં છે.
* નવમા તપપદની આરાધના કરીને વીરમતી નામની મહાસતી શ્રેષ્ઠ પુણ્યફળ પામી હતી.
* હે ભદ્રે! હે મયણા! વિશેષ શું કહું? આ મહાયંત્રના સમ્યગ્ આરાધનથી મનુષ્ય ‘તીર્થંકર નામકર્મ પણ બાંધી શકે છે.
‘ભગવંત, અમારે ક્યારથી આ આરાધનાનો પ્રારંભ કરવાનો?'
For Private And Personal Use Only
માણા
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘વત્સ, આસો મહિનાની શુક્લા સપ્તમીથી પ્રારંભ કરવાનો છે. સાતમથી પૂનમ સુધી આયંબિલનું તપ કરવાનું.
* એ નવ દિવસ આ મહાયંત્રનું-અષ્ટપ્રકારી પૂજન કરવાનું. નવે નવ દિવસ નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવાનું.
* રોજ તમને એક એક પદ સમજાવીશ, તે પ્રમાણે જાપ અને ધ્યાન કરવાનું. તમારે આ બધી જ આરાધના તમારા ઘરમાં જ ગુપ્ત રીતે કરવાની છે. ♦ પહેલા જ દિવસથી આ તારા પતિનો રોગ દૂર થવા લાગશે. આરાધનાનો પ્રત્યક્ષ અનુભવ થશે. તમારે બંનેએ ખૂબ જ શાંતિથી આરાધના કરવાની છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મયણા, તારે તારા આ વનવાસી પતિને ખૂબ વાત્સલ્યભાવથી પાસે બેસાડીને પૂજન... જાપ... ધ્યાન કરાવવાનું છે.'
‘હે રાણા! તમે મયણા કહે તેમ કરશો ને?”
માણા
તેમણે હસતા મુખે હા પાડી. ગુરુદેવને સંતોષ થયો.
ગુરુદેવે મને મંત્ર આપ્યું. શુદ્ધ વસ્ત્રમાં પરિવેષ્ટન કરી અમે યંત્ર લીધું. ગુરુદેવને વંદન કરી અમે અમારા નિવાસ તરફ ચાલી નીકળ્યાં.
For Private And Personal Use Only
૧૫૯
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
૧૭૦
આજ આસો મહિનાની શુક્લા સપ્તમી હતી.
છઠની રાત્રે અમે બંનેએ સવારે વહેલા ઊઠી જવાનું નક્કી કર્યું હતું. પહેલાં હું જાગી ગઈ હતી. થોડી જ વારમાં તેમના મુખમાંથી ‘ૠષમાય નમ:' નો અસ્ફુટ ધ્વનિ અનાયાસ જ પ્રગટ થયો. તેમણે આંખો ખોલી, મારી સામે જોયું. હું આનંદવિભોર હતી.
ઊઠીને પહેલું કામ સ્નાનાદિથી પરવારવાનું હતું. લલિતા આવી ગઈ હતી. બાજુના નાના પણ સુંદર ખંડમાં ચાંદીના બાજોઠ ઉપર ભગવાન ઋષભદેવની રત્નપ્રતિમા પધરાવી હતી અને એની આગળ બીજા એવા જ મણિજડિત બાજોઠ પર સિદ્ધચક્ર યંત્ર સ્થાપિત કર્યું હતું. એની પાસે જ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી મૂકી હતી. ખંડ ધૂપથી સુવાસિત હતો. અમારે બંનેને પૂજામાં બેસવા માટે લલિતાએ શ્વેત ઊનનાં આસનો પાથરી દીધાં હતાં. બધું જ વ્યવસ્થિત ગોઠવી લલિતાએ અમને પૂજામાં બેસી જવાનો સંકેત આપ્યો. એ ઘરની બહાર દ્વારની પાસે જઈને બેસી ગઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે બંને ખૂબ પ્રસન્નચિત્ત હતાં. અમારું હૃદય હર્ષથી પુલકિત હતું. અમે પરમાત્માની સ્તુતિ કરી. પછી સિદ્ધચક્રની સ્તુતિ કરી :
સકલ મંગલ પરમ કમલા કેલિ મંજુલ મંદિર ભવકોટિ સંચિત પાપનાશન નો નવપદ જયકર, અરિહંત-સિદ્ધ-સૂરીશ-વાચક, સાધુ-દર્શન સુખકરું,
વર જ્ઞાન પદ ચારિત્ર તપ એ નમો નવપદ જયકરે ... શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ આપદા નાસે સવે, વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમો નવપદ જયકરું... સ્તુતિ કર્યા પછી, પહેલાં ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરી. તે પછી સિદ્ધચક્ર મહાયંત્રની પણ અષ્ટપ્રકારી પૂજા કરી. ત્યાર પછી ભક્તિપૂર્વક ભાવપૂજા કરી અને અરિહંતપદનો મનની એકાગ્રતાપૂર્વક જાપ કર્યો. આયંબિલ-તપનું પચ્ચક્ખાણ લીધું અને તે પછી હું ઊભી થઈ,
ચણા
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માના તથા સિદ્ધચક્ર મહામંત્રના અભિષેકનું પાણી ખોબામાં લઈ મેં રાણા ઉપર છાંટયું. તેમની આંખો બંધ થઈ ગઈ. તેમને સમાધિ લાગી ગઈ. મેં મધ્યમસૂરે મંત્રગાન શરૂ કર્યું :
ॐ ह्रीं नमो अरिहंताणं ॐ ह्रीं नमो सिद्धाणं ॐ ह्रीं नमो आयरियाणं ॐ ह्री नमो उवज्झायाणं ॐ ह्रीँ नमो लोएसव्वसाहूणं
ॐ ह्रीं श्री सिद्धचक्राय नमः ત્યારબાદ “શ્રી સિદ્ધવ ત૬ નમામિ' લોકપંક્તિનું વારંવાર ગાન કરવા માંડ્યું. લગભગ એક ઘટિકા (૨૪ મિનિટ) પર્યત હું આ ગાન કરતી રહી અને તેમણે આંખો ખોલી. બે હાથ જોડ્યા. પ્રભુના ચરણે અને મહાયંત્રના ચરણે પ્રણામ કર્યા. પછી મારી સામે હાથ જોડીને બોલ્યા:
દેવી! મને જે શરીરની અંદર બળતરા થતી હતી, પીડા થતી હતી, તે શાંત થઈ ગઈ છે. હે ભગવતી! આ ભગવાન ઋષભદેવનો અને આ ગુરુદેવે આપેલા સિદ્ધચક્ર મહામંત્રનો પ્રભાવ છે અને વિશેષ રૂપે તો તમારી શ્રદ્ધાનું આ પહેલું પુષ્પ ખીલ્યું છે! તમને પ્રણામ!”
અરે મારા નાથ, પ્રભુની સમક્ષ આમ મારા ગુણ ન ગવાય...”
ગવાય. પ્રભુ જ કહે છે કે ઉત્તમ સ્ત્રી-પુરુષોના ગુણ સર્વત્ર ગવાય. તારા ઉપકારોને તો કોઈ જનમમાં નહીં ભૂલી શકાય.
અમે આરતી ઉતારીને પૂજનવિધિ પૂરી કરી હતી. લલિતાને બોલાવીને એના મસ્તકે પણ પ્રભુનું અભિષેક-જલ છાંટ્યું. અમે ખંડની બહાર નીકળ્યાં.
અમે લલિતાને ઘર ભળાવીને જિનમંદિરે તથા પૌષધશાળાએ જવા નીકળ્યાં. એ જ પૂજનનાં શ્વેત વસ્ત્રો પહેરેલાં હતાં.
પહેલાં જિનમંદિરમાં જઈ પ્રભુનાં દર્શન-વંદન-પૂજન કર્યા. આજે અરિહંતપદ'ની આરાધનાનો પહેલો દિવસ હતો એટલે ખૂબ જ ઉલ્લાસથી પ્રભુની ભાવ-સ્તવના કરી :
મયણા
૧૧
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉતારો કર્મોનો ભાર જિનવર, ઉતારો કર્મોનો ભાર. પ્રાણ રે પંખેરું ઝૂરે પાંજરે ખોલો ને એનાં દ્વાર.... જિનવર ૦ ઉતારો વેદનાના ભાર ને આકુળ ઉરના ઓથાર... કુણાં રે કિરણો જ્ઞાનપ્રકાશનાં પ્રગટાવો તેજ ફુવાર... જિનવર ૦ આવો રે જિનવર દુઃખ વારતા હરતા જડતાનો ભાર સુખનાં સર્જન કરી સાચલાં રેલતા અમરત-ધાર... જિનવર 0
અમે વિધિપૂર્વક પૌષધશાળામાં પ્રવેશ કર્યો. પૂજ્ય ગુરુદેવ પાસે શ્રમણ બેઠા હતા. તેમનો વાર્તાલાપ ચાલતો હતો. અમે વંદના કરી. કુશળપૃચ્છા કરી. ગુરુદેવે જમણો હાથ ઊંચો કરી “ધર્મલાભ”ના આશીર્વાદ આપ્યા. તમે નિશ્ચિત સમયે આવી ગયાં છો.” ગુરુદેવ બોલ્યા. “પ્રભો! આપના માર્ગદર્શન મુજબ વહેલી સવારે અમે બંનેએ શ્રી સિદ્ધચક્ર મહાયંત્રની અષ્ટપ્રકારી પૂજા કરી. મંત્રજાપ કર્યો અને શ્રી અરિહંતપદનું ધ્યાન કર્યું.
ગુરુદેવ, હવે આપના શ્રીમુખે અરિહંતપદનો મહિમા સાંભળવાની ઇચ્છા છે. આ ઉંબરરાણા) તો ધર્મક્ષેત્રમાં સાવ નવા જ છે એટલે આપના મુખે શ્રવણ કરવાથી એમનો આત્મા વિશેષ જ્ઞાનપ્રકાશ પામી શકશે.”
પૂજ્ય ગુરુદેવે ખૂબ સરળ ભાષામાં તેઓ (રાણા) સમજી શકે એવી શૈલીમાં પહેલા “અરિહંતપદ્રને સમજાવવાનો પ્રારંભ કર્યો.
“હે મહાનુભાવ! આજે “રિહંત'નું ધ્યાન કરવાનો દિવસ છે. ધ્યાન કરતાં પહેલાં જેમનું ધ્યાન કરવાનું હોય તેમની ઓળખાણ કરવી જોઈએ. એ ઓળખાણથી એમના પ્રત્યે એવો રાગ-અનુરાગ હૃદયમાં પ્રગટ થઈ જાય કે આપણે તેમની સામે જોઈએ કે તેમના ધ્યાનમાં મગ્ન થઈ જઈએ. જેમના પર ખૂબ અનુરાગ હોય તેમનામાં સહજ રીતે લીન બની જવાય છે. આ ૧૬૨
માણા
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે પ્રેમની પરાકાષ્ઠા. તે પરાકાષ્ઠા મૌનમાં પરિણમે છે. અરિહંત પરમાત્માની સારી અને સાચી ઓળખ થાય એટલે એમના પ્રત્યે પ્રેમનાં પૂર ઊમટે. પછી એમના ધ્યાનમાં તન્મય બની જવાય.”
પરમાત્મા અરિહંતનો પ્રભાવ, એમનો મહિમા અનંત છે. આપણી કલ્પનાશક્તિ સીમિત છે. સીમિત કલ્પનાથી અનંત-અપાર મહિમા કેમ કરતાં સમજાય? તે છતાં થોડીક વાતોથી અરિહંત પરમાત્માનો પરિચય કરાવું છું.
આ સંસાર એક ભયંકર અટવી છે, જંગલ છે. તેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. જંગલમાં કોઈ રાજમાર્ગ નથી કે કોઈ પગદંડી પણ નથી. આવી અટવીમાં કોઈ માર્ગદર્શક જોઈએ. કોઈ ભોમિયો જોઈએ કે જે આપણને મોક્ષ સુધી, શિદ્ધશીલા સુધી પહોંચાડી દે! અરિહંત પરમાત્મા જ એવા પથપ્રદર્શક છે, ભોમિયો છે કે જેઓ મોક્ષમાર્ગ બતાવે છે. “મોક્ષ' એટલે અચલ... અક્ષય... અનંત.... અવ્યાબાધ સ્થાન. એ સ્થાને પહોંચવાનો માર્ગ બતાવે છે. મોક્ષ એટલે જ્યાં પરમ સુખ અને પરમ શાંતિ છે, ત્યાં જવાનો માર્ગ બતાવે છે. માર્ગ બતાવનારનું મહત્ત્વ તે સમજે છે કે જે જાણે છે : “હું ભૂલો પડ્યો છું...” જેને રસ્તો જડતો ન હોય. જેને જંગલનાં હિંસક પશુઓનો ભય લાગતો હોય.
આપણે ખરેખર ચૌદ રાજલોકમય વિશાળતમ વિશ્વના અરણ્યમાં ભૂલા પડેલા છીએ. આપણે મોક્ષમાર્ગે ચઢવા બેબાકળા બનીએ. માર્ગદર્શકને પોકારીએ તો અરિહંત પરમાત્મા મળી જાય. આપણે તેમને માર્ગદર્શકરૂપે ઓળખીએ. તેઓ પરમ કરુણાવંત છે.
તેઓ મોક્ષમાર્ગ ચીંધનારા છે, એટલું જ નહીં, તેઓ માર્ગમાં જીવોને - આપણને સાથ આપે છે માટે તેઓ “સાર્થવાહ” છે! સાથ આપે તે સાર્થવાહ કહેવાય. અરિહંત પરમાત્મા આ ભયાનક ભવના જંગલમાં આપણને સથવારો આપે છે. માર્ગનું જ્ઞાન તો આપે જ છે, સાથ પણ આપે છે. જંગલના માર્ગમાં પારાવાર મુશ્કેલીઓ આવી શકે, ડાકુ-લૂંટારા આક્રમણ કરી શકે, જંગલી પશુઓ પણ ધસી આવે, તે વખતે સાર્થવાહ આપણી રક્ષા કરે છે. હા, આપણે સાર્થવાહની સાથે ચાલવું જોઈએ.
તમે ભૂમિમાર્ગે મુસાફરી નથી કરતા, સમુદ્રમાર્ગે યાત્રા કરો છો. સંસારને સાગર કહેવામાં પણ આવ્યો છે. સાગરમાં તોફાન આવે. નાવડી-જહાજ
માણા
૧૬૩
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊછળે. તેમાં બેસનારા મુસાફરો ગભરાઈ જાય. “શું થશે? નાવ ડૂબી જશે તો?” ત્યારે કુશળ નાવિક યાત્રિકોને ધરપત આપે છે : “ચિંતા ના કરો. હું નાવને ડૂબવા નહીં દઉં. હા, તમે નાવમાંથી સાગરમાં કુદી ના પડતા. ગમે તેવી આંધી આવે કે ગમે તેવું તોફાન આવે, તો ય હું તમારી રક્ષા કરીશ.” જે અરિહંતના શરણે રહે છે તેને અરિહંત ડૂબવા દેતા નથી. કારણ કે તેઓ ભવસાગરમાં તરતી આપણી જીવનનૈયાના કુશળ નાવિક છે!
ભૂમિમાર્ગે ભવજંગલમાંથી પસાર થતા આપણા તેઓ “મહાગોપ છે', એટલે કે રખેવાળ' છે. સંસારમાં આધિ-વ્યાધિ-ઉપાધિ, જન્મ-જરા-મૃત્યુ વગેરે જંગલી પશુઓ છે. એ પશુઓથી બચાવનાર એક માત્ર મહાનગોપમહાગોવાળ અરિહંત પરમાત્મા છે. જેમ ગોવાળ એક બાજુ ઊભો રહી, પોતાના પશુઓ તરફ નજર ફેરવતો પશુઓની રક્ષા કરે છે, તેવી રીતે અરિહંત આપણી રક્ષા કરે છે. હા, આપણે તેમની આજ્ઞા માનવી જોઈએ, પશુઓ જેમ ગોવાળની આજ્ઞા માને છે તેમ! આપણે ઇચ્છતા હોઈએ કે અરિહંત પરમાત્મા અમારી રક્ષા કરે', તો તેઓ જરૂર રક્ષા કરે છે. આ રીતે ‘રિહંત' પરમાત્મા
મહાગોપ-મહાગોવાળ છે, આ મહાન નાવિક છે, આ મહાન સાર્થવાહ છે, આ મહાન માર્ગદર્શક છે.
આ ઓળખાણ “પરમાત્મા કેવી રીતે જીવોના ઉપકારી છે', એ દૃષ્ટિથી કરાવી. હવે અરિહંત પરમાત્માના વિશિષ્ટ ગુણવૈભવ દ્વારા એમની ઓળખાણ કરાવું છું.
અરિહંત પરમાત્મા રાગવિજેતા છે', આ એમની પહેલી અને અદ્વિતીય વિશેષતા છે. રાગ ત્રણ પ્રકારના હોય છે : કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો રાગ એ કામરાગ કહેવાય. કોઈ વ્યક્તિ પ્રત્યેનો રાગ હોય તે સ્નેહરાગ કહેવાય. પોત-પોતાના ધર્મ-દર્શનનો રાગ હોય તે દૃષ્ટિરાગ કહેવાય. આ ત્રણેય પ્રકારના રાગ પ્રશસ્ત (સારા) અને અપ્રશસ્ત (નરસા) બે
૧૬૪
માણા
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારના હોય છે. એક પુણ્યકર્મ બંધાવે, બીજો પાપકર્મ બંધાવે. અરિહંત પરમાત્મા આ બંને પ્રકારના રાગથી મુક્ત હોય છે, અર્થાત્ રાગવિજેતા હોય છે.
એવી રીતે પરમાત્મા ‘ષવિજેતા હોય છે. તેઓ પ્રશસ્ત દ્વેષ નથી કરતા, અપ્રશસ્ત હૈષ પણ નથી કરતા. અર્થાત્ તેઓ ક્યારેય ક્રોધ નથી કરતા, ક્યારેય માન-અભિમાન નથી કરતા. નથી જીવો પ્રત્યે દ્વેષ કરતા, નથી જડ દ્રવ્યો પ્રત્યે દ્વેષ કરતા. ન પાપો પ્રત્યે દ્વેષ, ન પુણ્ય પર રાગ.
અરિહંત પરમાત્મા ઇન્દ્રિયવિજેતા હોય છે. જેમ આપણને પાંચ ઇન્દ્રિયો છે તેમ અરિહંત પરમાત્માને પણ પાંચ ઇન્દ્રિયો હોય. ઇન્દ્રિયોના બે પ્રકાર હોય છે : દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય, પુદ્ગલમય જડ ઇન્દ્રિય દ્રવ્યન્દ્રિય કહેવાય. આત્મપરિણામરૂપ ઇન્દ્રિય ભાવેન્દ્રિય કહેવાય. “અરિહંત' પરમાત્મા બંને પ્રકારી ઇન્દ્રિયોના વિજેતા હોય છે.
આપણે આપણી પાંચેય ઇન્દ્રિયોથી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોનો બોધ અને ભોગ કરીએ છીએ. ઇન્દ્રિયો સાથે મન જોડાયેલું હોય છે. આત્મા, મન અને ઇન્દ્રિયો દ્વારા પાંચેય પ્રકારના અસંખ્ય વિષયોમાં ભટક્યા કરે છે અને ઘોર પાપકર્મ બાંધે છે. આપણે ઇન્દ્રિયોના દાસ છીએ. જો આપણે ઇન્દ્રિયો પર વિજય મેળવવો હોય તો અરિહંતનું ધ્યાન ઇન્દ્રિયવિજેતારૂપે કરવું જોઈએ.
પરમાત્મા અરિહંત પરિષહવિજેતા હોય છે. ૨૨ પ્રકારનાં કષ્ટો તે ૨૨ પરિષહ. સાધુપુરુષ સમતાભાવે આ ૨૨ પરિષહો સહન કરે. ભૂખ, તરસ, ગરમી, ઠંડી, ડાંસ-મચ્છર વગેરે કષ્ટોને અરિહંત સહજભાવે સ્વીકારે એવા અરિહંતનું પરિષહવિજેતારૂપે ધ્યાન કરવાથી આપણામાં પણ કષ્ટો સમતાભાવે સહન કરવાની શક્તિ પ્રગટે.
અરિહંત પરમાત્મા ઉપસર્ગ-વિજેતા હોય છે. ઉપસર્ગ એટલે સંકટઆપત્તિ-ઉપદ્રવ. દેવો તરફથી, મનુષ્યો તરફથી અને પશુ-પક્ષીઓ તરફથી આવા ઉપસર્ગ થતા હોય છે, એવા ઉપસર્ગો થાય ત્યારે અરિહંત પરમાત્મા મેરુપર્વતની જેમ અડગ, નિર્ભય અને નિશ્ચલ રહે છે. આ રીતે અરિહંતનું ઉપસર્ગ-વિજેતારૂપે ધ્યાન કરવાથી આપણામાં પણ કષ્ટો સહવાની શક્તિ પ્રગટે છે.
આ રીતે આપણે અરિહંત પરમાત્માની ગુણાત્મક ઓળખાણ કરી. હવે
મયણા
૧૯૫
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમના “તીર્થંકરનામકર્મના ઉદયથી એમનો જે પ્રભાવ પ્રગટે છે, પુણ્યકર્મનો ઉત્કૃષ્ટ ઉદય આવે છે ત્યારે એમની આસપાસની સૃષ્ટિ કેવી સર્જાય છે, એનો પરિચય કરાવું છું.
“તીર્થંકર નામકર્મના ઉદયથી અરિહંત પરમાત્માને આઠ પ્રકારની શોભા પ્રાપ્ત થાય છે. દેવો “સમવસરણ'ની રચના કરે છે. તેમાં અરિહંત બેસીને ધર્મદશના આપે છે.
સમવસરણમાં વિશાળ અશોકવૃક્ષની છાયા પથરાયેલી હોય છે. પ્રભુની ઉપર ત્રણ છત્ર હોય છે. પ્રભુના મસ્તકની પાછળ દેદીપ્યમાન ભામંડલ હોય છે. પ્રભુ રત્નજડિત સિંહાસન પર બિરાજમાન હોય છે. બે બાજુ ઊભા ઊભા દેવ ચામર ઢાળે છે. આકાશમાંથી દેવો પુષ્પવૃષ્ટિ કરે છે, દુંદુભિ વગાડે છે અને દિવ્ય ધ્વનિ કરે છે.
અદૂભુત વાતાવરણ સર્જાય છે. પ્રભુની દિવ્ય મહિમાવાળી વાણી વરસે છે. દેવો, મનુષ્યો, પશુ-પક્ષીઓ સહુ પોતપોતાની ભાષામાં અરિહંત પ્રભુનો ઉપદેશ સાંભળે છે ને સમજે છે.
સમવસરણમાં આઠ પ્રકારની શોભા સાથે અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું છે.
એવી જ રીતે અરિહંતનું ધ્યાન ચાર અતિશયોથી પણ કરવાનું છે. એ પ્રભુનું જ્ઞાન અનંત હોય છે. લોકાલોકવ્યાપી હોય છે. આને
જ્ઞાનાતિશય' કહેવાય. * અરિહંતનાં વચનો - તેમની વાણી દરેક જીવ પોતપોતાની ભાષામાં
સમજે, આને “વચનાતિશય' કહેવાય. જ દેવ-દેવેન્દ્રો અને રાજા-મહારાજાઓ વગેરે બધા જ શ્રેષ્ઠ લોકો
અરિહંતની પૂજા કરે છે, આને “પૂજાતિશય' કહેવાય. અરિહંત પ્રભુ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં આસપાસ રોગ-મારી-મરકી વગેરે દૂર થઈ જાય. આને “અપાયાપરમ અતિશયકહેવાય. અને છેલ્લે અરિહંત પ્રભુની એક વિશેષ ઓળખાણ કરાવું તેઓ ભયવિજેતા હોય છે! પરમાત્માને કોઈ ભય ન હોય. એમને કોઈનો ય ભય ન હોય. એટલું જ નહીં, એમના શરણે રહેનાર પણ ભયવિજેતા બને! માટે તમે બંને પતિ-પત્ની
૧૬૩
અયા
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'नमो जिणाणं जिअभयाणं' મંત્રનો જાપ કરતા રહેશો. તમે પણ તો ભયવિજેતા બનશો!
હૃદયકમલમાં કમલની કર્ણિકામાં-મધ્યભાગમાં અરિહંત પદનું આ રીતે શ્વેતવર્ણમાં ધ્યાન કરવાનું છે. આજની રાત “અરિહંત'ના ધ્યાનમાં વ્યતીત થાઓ!
ગુરુદેવે અરિહંતપદનું વર્ણન પૂર્ણ કર્યું. અમે હર્ષિત મનથી ને મુખથી વંદન કરી ઘર તરફ ચાલ્યાં.
માણા
૧૬૭
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫ સે.
અમે ઘેર આવીને આયંબિલ કર્યું. લલિતાએ ભાત રાંધીને તૈયાર રાખ્યા હતા. એક જ ધાન્યનું અમે આયંબિલ કર્યું હતું. તેમને (રાણાને) આયંબિલ સારી રીતે થયું હતું.
આયંબિલ કર્યા પછી એમણે, જે જે વાતો ગુરુદેવે કહેલી સમજાણી ન હતી, તે મને પૂછવા લાગ્યા. મેં પ્રેમથી એમના પ્રશ્નો સાંભળ્યા અને ખૂબ જ સ્નેહ-સહાનુભૂતિથી ઉત્તરો આપ્યા. કારણ કે મેં ઘણાં ઘણાં શાસ્ત્રોનું અધ્યયન કરેલું હતું. પૂજ્ય આચાર્યદેવે પણ મને ભણાવેલી અને મહાપંડિત સુબુદ્ધિએ પણ મને જ્ઞાન આપેલું હતું.
મારા પિતા અને ગુરુ, બંને કહેતા કે હું વિદુષી છું. જ્ઞાનપિપાસુ છું. હું બહુ જલદી અનેક શાસ્ત્રોમાં પારંગત થઈ ગઈ હતી. ગણિત, સંગીત, ચિત્રકળા, પાકકળા, કાવ્યરચના, ધર્મશાસ્ત્રો... વગેરે ઘણી વિદ્યાઓમાં નિપુણ થઈ હતી. કાવ્ય લખવાની ધૂન પણ મને હતી. પરમાત્માના મંદિરમાં તો સહજ રીતે કાવ્ય ફુરતાં રહેતાં. નૃત્યમાં તો મારી પૂરા દેશમાં શ્રેષ્ઠતા હતી. પણ મેં ક્યારેય રાજસભામાં નૃત્ય નથી કર્યું. પરમાત્માના મંદિરમાં જ નૃત્ય કરતી. છતાં ધર્મગ્રંથો ને અધ્યાત્મશાસ્ત્રો અંગે મારે પૂજ્ય ગુરુદેવ સાથે વાર્તાલાપ થતો. તેઓ મારી શંકાઓનું સરસ સમાધાન કરતા. એક દિવસ તો જરા અકળાઈને પૂજ્ય ગુરુદેવને પૂછી બેઠી હતી : “સૃષ્ટિના બધા ગ્રંથો, બધાં શાસ્ત્રોનું જ્ઞાન પામવા આજીવન પર્યાપ્ત ન હોય તો માણસ શો ઉપાય કરે ?'
ગુરુદેવ હસી પડ્યા. ‘તારું નામ મયણા નહીં પણ તૃષ્ણા વધુ યોગ્ય હોત! ભદ્ર, તૃષ્ણા દુઃખ દેનારી હોય છે, પરંતુ જ્ઞાનની તૃષ્ણા આનંદમયી હોય છે. એક જન્મમાં તો શું, હજાર જન્મોમાં ય નથી છિપાતી! જ્ઞાનપાન કરતા રહો, તૃષા વધારે પ્રબળ થતી જશે. તૃષ્ણા ન રહે તો જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ બંધ થઈ જાય!''
મેં હર્ષથી પૂછ્યું : “આપ પાસેથી અને પંડિતજી સુબુદ્ધિ પાસેથી ઘણા
૧૩૮
મયણ
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગ્રંથો ભણી... હવે કર્યો ગ્રંથ ભણું?'
ગુરુદેવ હસીને બોલ્યા : ‘જ્ઞાનના માટે ગ્રંથો ઓછા છે? આ વિશાળ વિશ્વ તો ગ્રંથાગાર છે. આ સૃષ્ટિમાં જીવાણુઓથી માંડીને ગ્રહ-નક્ષત્રો સુધી બધા એના એક-એક ગ્રંથ છે! એક-એક ચૈતન્ય સાથેની પળપળની અનુભૂતિ એ ગ્રંથનાં પાનાં છે. જીવનની પ્રત્યેક અનુભૂતિ અધ્યયનનો વિષય છે. બાકી તો હું સુભગે! જ્યારે આત્મા અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવળજ્ઞાની બનશે ત્યારે જ જીવનની શ્રેષ્ઠતમ જ્ઞાનસંપદા પ્રાપ્ત થશે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ જાણે ત્યારે મારા ભવિષ્યનું સાચું વર્ણન કરી ગયા હતા. હું અનેક કલ્પનાઓ કરતી હતી... એ કલ્પનાઓને કાર્યોમાં ગૂંથીને તૃપ્તિ પામતી હતી.
માણા
આજની જ કેવી અનુભૂતિ છે! શું આજનું પરમાત્મપૂજન, સિદ્ધચક્ર મહાયંત્રનું પૂજન... ગુરુદેવે કહેલું સમજાવેલું શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ... આયંબિલનું તપ... અને આ મારા ભર્તારના નિર્દોષ પ્રશ્નો... મારા હૃદય પરથી કદીય નહીં ભૂંસાય એવી આ અનુભૂતિ અંકિત થઈ ગઈ છે.
સંધ્યા સમયે અમે અમારા જ ઘરમાં બિરાજમાન કરેલા પ્રભુની સમક્ષ અને સિદ્ધચક્ર-મહાયંત્રની સમક્ષ આરતી ઉતારી. પ્રભુની સ્તવના કરી. (શંગ : આશાવરી)
આતમ! અરિહંતનાં ગીત ગાવો.
આતમ! ભગવંતનાં ગીત ગાવો.
જાપ જપો અરિહંત તણો સૌ અંતરના એક તારે, કર્મ ટળે, સહુ સુખ મળે ને, ઊતરો શિવના કિનારે, આતમ! અરિહંત ઉરમાં વસાવો...
પુરુષોમાં ઉત્તમ ને સિંહ, પુંડરિક ગંધહસ્તી,
લોકમાં ઉત્તમ, લોકના નાથ, હિતકારી બ્રહ્મમસ્તી... આતમ! અરિહંત શરણે જાવો...
દીપક સમ ને ઉદ્યોતકારી, અભય-નયનના દાતા, માર્ગ બતાવે, બોધિ આપે, શરણાગતના ત્રાતા. આતમ! અરિહંતપૂજા રચાવો... આતમ ૭
For Private And Personal Use Only
૧૩૯
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મના દાતા દેશક-નાયક, સારથિ સુંદર સોહે ચક્રવર્તી જિન ધર્મતીર્થના, નિરખત જન-મન મોહે, આતમ! અરિહંત-શાસન ગાવો.. આતમ ૦ કેવળજ્ઞાન ને કેવળદર્શન, ધારક તારક દેવા અનુભવ પ્રગટે અંતરમાં અભેદભાવે સેવા આતમ! અરિહંત ગુણ-ગણ ભાવો.... આતમ ૦
રાત ઊતરી આવી હતી.
લલિતા એના ઘરે ચાલી ગઈ હતી. એને મેં સાવધાન કરી હતી કે અહીંની કોઈ પણ વાત એના ઘરમાં નહીં કરવાની કે બીજા કોઈને ય નહીં કરવાની. આરાધનાની ગુપ્તતા જળવાવી અત્યંત જરૂરી હતી.
હવે ઘરમાં અમે બે જ હતાં. અમે સામસામે બેઠાં હતાં. અચાનક તેમની આંખો આંસુભીની થઈ ગઈ. મારી સામે જોઈને તેમણે કહ્યું :
દેવી, આ પૃથ્વી પર મનુષ્ય જ સૌથી વધુ દુઃખ પામે છે. કારણ કે સુખમાં ડૂબીને ય તે દુઃખ આપત્તિની આશંકા કરતો રહે છે. દુ:ખમાં ડૂબેલા હોય ત્યારે કેટલાક લોકો સુખની કલ્પના કરે છે. હા, દુઃખમાં જ સુખ છુપાયેલું રહે છે...'
મેં કહ્યું : “તમારી સાચી વાત છે. તમારી આંખનાં આંસુ એને જ સાબિત કરે છે. તમારાં આ અશ્રુબિંદુઓનું મૂલ્ય પણ વધી જાય છે. કારણ કે આ આંસ ઊગતા સૂર્યનાં સિંદુરી કિરણોને પ્રતિબિંબિત કરે છે! તમારા મુખની શોભા વધારે છે. સૂર્યકિરણો પોતે મહિમામય બની જાય છે. જીવનમાં આંસુનું ય મૂલ્ય છે. દુઃખની પાછળ સુખ લપાયું છે. જે બનવાનું છે તે તો બનશે જ. માટે સુખની ક્ષણોમાં આનંદ માણી લેવો!!
અમે વાતો કરતાં કરતાં નિદ્રાધીન થયાં. બીજા દિવસે બ્રાહ્મમુહૂર્તમાં હું જાગી ગઈ. પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી, એમના જાગવાની રાહ જોવા લાગી. હું આત્મસ્મરણમાં લીન બની. હું કોણ છું? હું ક્યાંથી આવી છું ? કઈ ગતિમાં જઈશ?અહીં હું કયો પુરુષાર્થ કરી રહી છું?
૧૭૦
માણા
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને કેવું પરમાત્મતત્ત્વ મળ્યું છે? મને કેવા સગુરુ મળ્યા છે?
આ બધું ચિંતન કરતાં કરતાં અરુણોદય થઈ ગયો. તેઓ જાગ્યા. જાગતાં જ “૮૫મધેવાય નમ:' બોલીને મારી સામે જોઈ ઇષત્ હસ્યા. ત્યાં દરવાજે ટકોરા પડ્યા. મેં દરવાજો ખોલ્યો. સામે લલિતા ઊભી હતી... મને ભેટી જ પડી. પછી મારા પગમાં પડી ગઈ. મેં એને બે હાથે પકડીને ઊભી કરી. તેને કંઈ બોલવું હતું પણ બોલી નહીં, સીધી એ ઘરમાં ચાલી ગઈ. કારણ કે એને પૂજનની બધી તૈયારી કરવાની હતી.
હું અને તેઓ - અમે સ્નાનાદિથી પરવાર્યા. પૂજાખંડમાં પ્રવેશ્યાં. લલિતાએ લગભગ બધી તૈયારી કરી દીધી હતી. અમે પહેલાં પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરી, પછી સિદ્ધચક્ર-મહાયંત્રની પૂજા કરી. આજે સિદ્ધપદની આરાધના કરવાની હતી. અમે “ૐ હ્રીં શ્રી સિભ્યો નમઃ સ્વાહા' મંત્રનો જાપ કરવા માંડ્યા. મેં એમને સિદ્ધ ભગવંતની સામાન્ય કલ્પના આપી હતી. લાલ રંગમાં સિદ્ધપદનું ધ્યાન કરવાનું સમજાવ્યું હતું. અમે બંને જાપ-ધ્યાનમાં લીન બન્યાં.
ધીરે ધીરે તેઓને ધ્યાનસમાધિ લાગી ગઈ. હું તેમની પાસે બેસીને મધ્યમ સ્વરે “ૐ હ્રીં શ્રી સિદ્ધેયો નકર વાહનો મંત્રજાપ કરવા લાગી. એક ઘડી સુધી તેમની સમાધિ રહી. તેમના મુખ પરથી કુષ્ઠરોગના ડાઘ દૂર થઈ ગયા. પછી ધીરે ધીરે તેમણે આંખો ખોલી. મારા શરીરે હર્ષનો રોમાંચ થયો. મેં સ્નાત્રજલ કળશમાંથી લઈને એમના શરીર પર છાંટ્યું. ધીરે ધીરે એમના હાથ-પગ ઉપરના કુષ્ઠરોગના ડાઘ દૂર થઈ ગયા. જાણે કે નવી ચામડી આવી ગઈ. અમે ભાવપૂજામાં પ્રવૃત્ત થયાં. સિદ્ધ ભગવંતની સ્તવના શરૂ કરી :
(: આશાવરી) ગાવો સિદ્ધ તણા ગુણગાન
પ્રગટે, પૂરા આતમભાન.. ગાવો ૦. આઠ કર્મને ભસ્મ કરીને, નિજ સ્વરૂપ સુહાયા, આઠ ગુણો પ્રગટ્યા આતમના, અનુપમ વૈભવ પાયા,
બનવું સિદ્ધગુણમાં ગુલતાન... ગાવો ૦ શિવપુરમાં શુભ સ્થાન જમાયા, શુદ્ધ સ્ફટિકમય શિલા,
મયણ
૧૭૧
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાંથી કોઈ પાછું ન આવે, કોઈ નહીં ત્યાં લીલા...
ત્યાં તો જ્ઞાન-અમૃતનાં પાન... ગાવો ૦ જ્ઞાન અનંતું, વીર્ય અનંd, દર્શન પણ ત્યાં અનંત, સુખ અનતું, ક્ષાયિક સમકિત, શિવરમણીના કંત,
પામ્યા અક્ષયપદનાં દાન.. ગાવો ૦. અનંત અવગાહના સિદ્ધની રે, અચલ અરૂપી શુદ્ધ, નિરાકાર નિરંજન ગાવો, એ છે આતમબુદ્ધ,
એ તો ચિદાનંદ ભગવાન.... ગાવો ૦ સિદ્ધચક્રના બીજા પદમાં સિદ્ધ તણા ગુણ ગાયા, પરમાનંદ ઊલસે અંતરમાં લાગી સિદ્ધની માયા,
જાગ્યું! આજે આતમ જ્ઞાન... ગાવો ૦
લલિતાને ઘઉંના આયંબિલની તૈયારી કરવાનું કહીને અમે શ્રી ઋષભપ્રાસાદમાં ગયાં, પરમાત્માનાં દર્શન-પૂજન કરી સીધાં પૌષધશાળામાં પહોંચી ગયાં. ગુરુદેવને વિધિપૂર્વક વંદના કરી યોગ્ય સ્થાને બેસી ગયાં.
ગુરુદેવે “ધર્મલાભ' આશીર્વાદ આપી અમને અમારી આરાધના અંગે પૃચ્છા કરી. ગઈકાલની અને આજ સવારની પૂજા વગેરેની વાત કરી.
ગુરુદેવ! આપની પરમ કૃપાથી એમના મુખ પરથી અને હાથ-પગ ઉપરથી રોગનાં ચિહ્નો મટી ગયાં! જેવું એમના પર સ્નાત્રલ છાંટયું કે તરત જ ચામડીનો રંગ બદલાવા લાગ્યો! શરીરની અંદરની બળતરા તો ગઈ કાલે જ શાંત થઈ ગઈ હતી. એટલે ઘણા સમય પછી એમને ગાઢ નિદ્રા આવી! આ બધો આપનો પ્રભાવ છે, ગુરુદેવ!'
મારો પ્રભાવ નથી સુભગે, આ પ્રભાવ શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રનો છે. હજુ એના ઘણા ઘણા પ્રભાવો તમે અનુભવશો. જિનધર્મની આરાધનામાં અને પ્રભાવનામાં તમને સિદ્ધચક્ર-મહાયંત્ર ખૂબ જ સહાયક બનશે. હવે આજે મારે તમને સિદ્ધપદનો પરિચય કરાવવાનો છે. મયણા! તું તો નવતત્ત્વોમાં મોક્ષતત્ત્વને સમજેલી છે, પરંતુ આ પુણ્યશાળી રાજાને સિદ્ધપદ સમજાવવું છે. પછી તું પણ એમને સિદ્ધપદની... મોક્ષની... વાત કરજે.”
‘ગુરુદેવ! ગઈ કાલે પણ તેની સાથે અરિહંતપદની વાતો કરી હતી. હવે તેમનો જ્ઞાનાવરણીય કર્મનો સારો ક્ષયોપશમ થયો હોય એમ લાગે છે.'
૧૭૨
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મયણા, કેમ ભૂલી જાય છે? પરમાત્મા ઋષભદેવનો રાજા પર કેવો દિવ્ય અનુગ્રહ થયો છે? પછી શું બાકી રહે?” ગુરુદેવે સ્નેહભરી દૃષ્ટિથી એમની સામે જોયું. તેઓ શરમાઈ ગયા. તેમણે બે હાથ જોડી મસ્તક નમાવ્યું.
હવે હું સિદ્ધપદ સમજાવું છું. એકાગ્ર મનથી સાંભળજો. જે આત્મા પોતાના પર લાગેલાં આઠેય પ્રકારનાં કર્મોનો નાશ કરે છે તે આત્મા “સિદ્ધ' કહેવાય છે. આઠ પ્રકારનાં કર્મોનાં નામ આ પ્રમાણે છે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય. નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. આમાં પહેલાં ચાર “ઘાતી કર્મો કહેવાય. પછીનાં ચાર “અઘાતી કર્મો કહેવાય.
આ આઠ કર્મોના ક્ષયથી આત્માના મૂળભૂત આઠ ગુણો પ્રગટ થાય છે : ૧. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંત જ્ઞાન પ્રગટે. ૨. દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શન પ્રગટે. ૩. મોહનીય કર્મના ક્ષયથી વીતરાગતા પ્રગટે. ૪, અંતરાય કર્મના ક્ષયથી અનંત વીર્ય પ્રગટે. ૫. નામકર્મના ક્ષયથી આત્મા અરૂપી બને. ૬. ગોત્રકર્મના ક્ષયથી આત્મા અગુરુલઘુ બને. ૭. આયુષ્યકર્મના ક્ષયથી આત્મા અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરે. ૮. વેદનીયકર્મના ક્ષયથી અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય. સિદ્ધ ભગવંતો અનંતજ્ઞાન અને અનંતદર્શનથી બાહ્ય અને આંતરિક સમગ્ર વિશ્વને અર્થાતુ લોકને અને અલોકને પ્રત્યક્ષ જુએ છે તે જાણે છે! એ જ એમનો પરમ આનંદ હોય છે. વિશ્વના યથાર્થ દર્શન અને યથાર્થ જ્ઞાનમાંથી અપૂર્વ આનંદ અનુભવાય છે. એ આનંદનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે.
જો કે મુક્તાત્માના સુખનું વર્ણન કરવું જ શક્ય નથી, છતાં “નમો સિદ્ધાપ'નો જાપ કરનારાઓને સિદ્ધોના સુખની કલ્પના ઘણી ગમતી હોય છે.
મુક્ત-સિદ્ધ આત્માના શ્રેષ્ઠ સુખને ત્રણ વિશેષણ આપવામાં આવ્યાં છેઃ (૧) સાદિ-અનંત, (૨) અનુપમ, અને (૩) અવ્યાબાધ. (૧) મુક્ત-સિદ્ધિ આત્માનું સુખ પ્રારંભવાળું હોય છે. એના સુખની
મયા
૧૭૩
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરૂઆત હોય છે. તેનું સુખ અનાદિ નથી હોતું. સર્વે કર્મોનો ક્ષય થાય છે ત્યારે આત્મામાં સુખ પ્રગટ થાય છે. માટે તેને “સાદિ' કહેવાય. સાદિ છે ને અનંત છે. સિદ્ધના સુખનો ક્યારેય અંત આવતો નથી. સિદ્ધ આત્માનું સુખ અનંત જ હોય.
(૨) બીજી વાત છે અનુપમ સુખની. સિદ્ધોના સુખને કોઈ ઉપમા આપી શકાતી નથી. એવી કોઈ ઉપમા જ નથી દુનિયામાં કે કહી શકાય - “સિદ્ધનું સુખ આના જેવું સુખ છે!” ના, કોઈ ઉપમા જ નથી.
(૩) ત્રીજું વિશેષણ છે અવ્યાબાધ. સિદ્ધોનું સુખ બાધારહિત હોય છે. પીડારહિત હોય છે. સંઘર્ષ વિનાનું હોય છે.
જો અમૂર્ત આકાશને આઘાત પહોંચે તો અમૂર્ત આત્માને આઘાત પહોંચે! સિદ્ધશિલા પર રહેલા અનંત સિદ્ધ ભગવંતોનું કોઈ પણ દુઃખ વિનાનું નિર્ભેળ સુખ હોય છે.
સિદ્ધ ભગવંતોને “બુદ્ધ' પણ કહેવાય છે. “પારંગત' પણ કહેવાય છે. અજર', “અમર” અને “અસંગ' પણ કહેવાય. » ‘બુદ્ધ' એટલે સમગ્ર વિશ્વને જાણનારા, » ‘પારંગત’ એટલે સંસારનો પાર પામી ગયેલા. હવે પાછા એમને
સંસારમાં આવવાનું જ નહીં. * “અજર' એટલે “જરા”રહિત. જરા એટલે વૃદ્ધાવસ્થા. સિદ્ધ ભગવંત
શરીરરહિત હોય એટલે વૃદ્ધાવસ્થા હોય જ નહીં. છે, “અમર'. સિદ્ધ ભગવંતોને મૃત્યુ નહીં. મૃત્યુ શરીરનું હોય છે. સિદ્ધોને
શરીર જ નથી હોતું એટલે મૃત્યુ ન હોય. » “અસંગ'. સિદ્ધ આત્માઓને કોઈ પુગલોનો સંગ ન હોય. એમની તો
આત્મજ્યોતિ અનંત આત્મજ્યતિઓમાં ભળી ગયેલી હોય છે. આપણે એવું ધ્યાન કરવાનું કે આપણી આત્મજ્યોતિ પણ સિદ્ધશિલા પર જઈને ત્યાં અનંત આત્મજ્યોતિમાં ભળી જાય છે!
ધ્યાન આપણા હૃદયમાં કરવાનું છે. હૃદયમાં કમળની કલ્પના કરો. અષ્ટદળ કમળની કલ્પના કરો. “કમળ'ની કલ્પના અર્થપૂર્ણ છે.
» કમળ જેવું કોમળ હોય છે, હૃદય તેવું કોમળ જોઈએ. * કમળ જેવું નિર્લેપ હોય છે, હૃદય તેવું નિર્લેપ જોઈએ. જે હૃદયમાં સિદ્ધચક્રનું ધ્યાન કરવાનું છે, નવપદોનું ધ્યાન કરવાનું છે, તે હૃદય
૧૭૪
મણા
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોમળ જોઈએ. કઠોર નહીં, કૂર નહીં. કઠોર હૃદયથી કે હૃદયમાં ધ્યાન ન થઈ શક. ક્રૂર અને કઠોર હૃદય સ્થિર નથી બની શકતું. તે ચંચળ, અસ્થિર અને સ્વસ્થ હોય છે.
બીજી વાત છે નિર્લેપતાની. કમળ કાદવ-કીચડમાં ઉત્પન્ન થાય છે, પાણીમાં તે વધે છે, પછી કાદવ અને પાણીને છોડી ઉપર રહે છે. કાદવ ને પાણીથી અલિપ્ત રહે છે. કમળદલ પર પાણી પડે કે નીચે સરી જાય, તેમ હૃદયને વિષયના વિકલ્પો, વિષયની વાસનાઓ સ્પર્શતાં જ નીચે સરી પડવી જોઈએ. “હૃદયકમળ’ પર વાસનાઓનું પાણી ટકે નહીં, વિકલ્પોનું પાણી ટકે નહીં. આવું હૃદયકમળ નવપદોનું નિવાસસ્થાન બને છે.
વિકલ્પો અને વાસનાઓ હૃદયને અપવિત્ર કરનારા છે. અસંખ્ય વિકલ્પવાસનાઓથી મલિન બનેલા હૃદયમાં નવપદનું ધ્યાન ન થઈ શકે. હૃદયકમળમાં નવપદોનું ધ્યાન કરવાનું છે. એ માટે તમને ‘કમળની કલ્પના કરતાં આવડવી જઈએ.
આંખો બંધ કરો. ખીલેલું કમળ જુઓ. ધીમે ધીમે કમળને નજીક લાવો. હૃદય પાસે લાવો. પછી એ કમળ હૃદયમાં ગોઠવાઈ જાય... તમે તમારા હૃદયને જ કમળરૂપે જુઓ. વચ્ચે કર્ણિકા અને એની આઠ પાંખડીઓ.
આ સિદ્ધ ભગવંતો ચૌદ રાજલોકના અગ્રભાગે આવેલી સિદ્ધશિલા પર અવસ્થિત હોય છે. રાજા! તમને મયણા ચૌદ રાજલોકનું સ્વરૂપ સમજાવશે. તેના અગ્ર ભાગે ૪૫ લાખ યોજન પહોળી સિદ્ધશિલા રહેલી છે. તે સિદ્ધોની ભૂમિ છે. તેનાં જુદાંજુદ્ય નામો છે : ઇષત્પ્રાગુભારા, મુક્તિ, સિદ્ધિ, મુક્યાલય, સિદ્ધાલય, લોકાગ્રા વગેરે.
આ સિદ્ધોની ભૂમિ
શંખચૂર્ણ જેવી વિમલ છે. જ મૃણાલ, ચંદ્રીકરણ, તુષાર, ગોકીર જેવી શ્વેત-ધવલ ઉજ્જવલ હોય છે. આ સમગ્ર પૃથ્વી શ્વેત-સુવર્ણ જેવી હોય છે. * નિર્મળ છે, નિષ્પક છે, દર્શનીય છે, પ્રાસાદિક છે, શુભ છે અને સુખપ્રદા
મહાનુભાવ! ઔદારિક, તૈજસ અને કાર્પણ - આ ત્રણ શરીરથી મુક્ત થયેલો અને જન્મ-જરા-મૃત્યુથી મુક્ત થયેલો આત્મા આ સિદ્ધભૂમિ પર, સિદ્ધક્ષેત્ર પર પહોંચી જાય છે.
મયા
૧૫
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવે સિદ્ધપદનું વર્ણન પૂર્ણ કરી મને કહ્યું : “હે ભદ્ર! સિદ્ધપદનું ધ્યાન કરવા માટે સિદ્ધોનું આટલું સ્વરૂપજ્ઞાન પર્યાપ્ત છે. તમારી તત્ત્વચર્ચામાં આ અંગે તું રાણાને તે તે વાતો સમજાવવાનો પ્રયત્ન કરજે .
વિશેષરૂપે તો સિદ્ધોનું લાલ રંગમાં એકાગ્ર ધ્યાન કરવાનું છે. મનને એક પદ્માસનસ્થ સિદ્ધની આકૃતિમાં સ્થિર કરી દેવાનું છે. પ્રયત્ન કરજો.'
અમે ગુરુદેવને વંદના કરી, ઊભાં થયાં. અન્ય મુનિવરોને વંદના કરી, પૌષધશાળાની બહાર નીકળ્યાં.
ઘરે આવ્યાં. લલિતાએ સસ્મિત અમારું સ્વાગત કર્યું. અમે એક ધાન્યનું (ઘઉનું) આયંબિલ કર્યું. લલિતાએ કહ્યું : મયણા! મારી ઇચ્છા થાય છે કે હું પણ આયંબિલ કરું!' ભલે, નવમા દિવસે આયંબિલ કરજે! બસ?' આયંબિલ કરીને તેમણે બે ઘડી વિશ્રામ કર્યો. તેમને ખૂબ સારી નિદ્રા આવી ગઈ. જ્યારે તેઓ જાગ્યા ત્યારે ખૂબ પ્રફુલ્લિત લાગતા હતા. હું વિચારવા લાગી :
દરેક માણસના જીવનમાં અસ્થિર પળો આવે છે, પણ લક્ષ્ય હોય છે સ્થિરતા, શાંતિ અને પરિપૂર્ણતા. હવે મારા જીવનમાં સ્થિરતા આવતી હોય એમ મને લાગતું હતું. શ્રી સિદ્ધચક્ર મહામંત્ર મારા હૃદયમાં સ્થિર થઈ રહ્યું હતું. તેઓ બોલ્યા : “શું વિચારમાં ડૂબી ગયાં, દેવી!' શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રનો વિચાર - એનો પ્રભાવ...' હું બોલી.
અદૂભુત છે એનો પ્રભાવ! હવે આ જીવનમાં કોઈ પળ એવી નહીં હોય કે હું એને ભૂલી શકીશ! તેઓ ગદ્ગદ્ થઈ ગયા.
પછી તો સિદ્ધપદ અંગે એમણે ઘણું પૂછયું. તેમને સમજાય એ રીતે ઉત્તર આપ્યા. તેમના મુખ પર તેજ પથરાયું હતું... સંતોષનું અજવાળુ રેલાયું હતું.
૧૭૬
અયા
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨છે.
અમારા ઘરની અટારીમાં અમે ત્રણેય બેઠાં હતાં. હું, રાણા અને રાણાની માતા કમલપ્રભા - મારાં સાસુ.
હું અમારો વૃત્તાંત સંભળાવતી હતી. દૂર ક્ષિતિજ નજીક વિશાળ ગગનની નીલિમા હરિયાળી ધરતીને ગોદમાં સમાવતી મને દેખાતી હતી. ચિત્ત પ્રસન્ન હતું. હું પવન જેવી હળવી ફૂલ બની ગઈ હતી. આસપાસ ભાવિ જીવનનાં સુખસ્વપ્નનાં વલયો વણાતાં જતાં હતાં. સમસ્ત જગત મંદિર જેવું પ્રસન્ન અને પવિત્ર ભાસતું હતું.
મેં મારી સાસુ કમલપ્રભાને કહ્યું : “માતાજી! અમે બીજું આયંબિલ પણ સુખપૂર્વક કર્યું. મધ્યાહ્નકાળથી સંધ્યા સમય સુધી સિદ્ધપદ અંગે હું એમને સમજાવતી રહી. સંધ્યાકાલીન પ્રભુપૂજન અને સિદ્ધચક્રપૂજન કર્યા પછી અમે અમારા શયનખંડમાં ગયાં. લલિતા ઘરનું બધું કામ પતાવીને એના ઘેર ગઈ.
તેમણે મને કહ્યું : “આજે તો મારે તમારા જીવનની કોઈ રોમાંચક ઘટના સાંભળવી છે!” હું તેમના સામે જોઈ રહી. તેમના સુંદર મુખ પર સ્નેહની રેખાઓ અંકિત થઈ હતી. મેં મારા ભૂતકાળમાં ડૂબકી મારી. મારી જલક્રીડાનો પ્રસંગ યાદ આવ્યો.
અમે ત્રણ સખીઓ - હું, લલિતા અને છાયા - એક દિવસ ક્ષિપ્રાના તટ પર ગયાં હતાં. ક્ષિપ્રામાં પાણીનાં પૂર આવ્યાં હતાં. પણ પૂર ઓસરી રહ્યાં હતાં. છાયાએ જલક્રીડાની તૈયારી કરવા માંડી. હું ગભરાતી હતી. મેં કહ્યું : “છાયા! શું પૂરમાં જલક્રીડા થઈ શકે?'
છાયાએ નિર્ભયતા દેખાડીને કહ્યું : “બીક શાની? આ નદી ઊંડી નથી. પ્રવાહ પણ વેગીલો નથી. કદાચ વહાવી દેશે તો પણ ભગવાન તને બચાવી લેશે.. કે પેલો રાજ કુમાર.. જે તારા મૃત્યુ સમયે આવી પહોંચ્યો હતો
હું ખિજાઈ ગઈ. કહ્યું : “બસ, બસ કર છાયા! તારી કલ્પનાશક્તિ તો
મયણા
૧૭૭
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નદીની ધારા કરતાં ય વેગવંતી છે.' પરંતુ છાયા મારો હાથ પકડીને જલપ્રવાહમાં ખેંચી ગઈ. પાછળ પાછળ લલિતા પણ આવી ગઈ.
સૌમ્ય શીતલ ક્ષિપ્રાનાં જળ શરીર અને મન, બંનેને પોતાના મધુર સ્પર્શથી વીંટળાઈ વળ્યાં. હું દુઃખ, ગભરાટ અને અભિમાન ભૂલી ગઈ. હસતાં હસતાં ત્રણેય સખીઓએ એકબીજા પર પાણી ઉડાડ્યું. જલક્રીડામાં બધું જ ભૂલી ગઈ. લલિતાએ ફૂલની એક ડાળ પાણીના પ્રવાહમાં ફેંકીને કહ્યું : “જુઓ, આ ડાળને પહેલાં કોણ પકડી લે છે?'
અમે ત્રણ તરતાં ડાળ પકડવા તરતાં આગળ વધ્યાં. અમે ત્રણેય શોર મચાવતી ઉત્સાહમાં આવી ગઈ હતી. જલસોતમાં હું કેટલી આગળ નીકળી ગઈ, એનો ખ્યાલ ન રહ્યો. ડાળી ક્યાં ગઈ, એ પણ જોઈ શકી નહીં. જાણે હું તરી શકતી ન હતી, પ્રયત્ન વગર નદીના પ્રવાહમાં વહી રહી હતી. કોણ જાણે ક્યાં? સખીઓ પાછળ રહી ગઈ હતી. એમનો અવાજ પણ સંભળાતો ન હતો. હું વહે જતી હતી. હું સ્વપ્નમાં હતી કે જાગ્રત... એ પણ જાણી શકી ન હતી. અચાનક મને થયું : “ઉજ્જયિનીની રાજકુમારીને આવી ચંચળતા શોભા નથી દેતી. ધીરમતિ સ્થિરચિત્ત મયણાને આ શું થઈ ગયું?'
પરિસ્થિતિ માણસને કેટલો અસહાય કરી દે છે, પછી માણસ પરિસ્થિતિને ય બદલી નાખે છે. હું ગતિ બદલીને કિનારા તરફ પાછા ફરવાનું વિચારતી હતી, પણ ત્યાં સુધીમાં ભૂલી ગઈ કે મારું પોતાની જાત પર નિયંત્રણ જ નથી. દેહ અવશ, શક્તિહીન થઈ ગયો હતો.
હવે ભાગ્યને પ્રવાહના ભરોસે છોડ્યા વિના બીજો કોઈ ઉપાય ન હતો. મૃત્યુ નિકટ આવી રહ્યું હતું. કોઈ પણ ક્ષણે વમળમાં ડૂબી જઈ શકતી હતી. સૂર્યાસ્તનો રંગ પશ્ચિમી આકાશને લાલ કરી રહ્યો હતો. મારા જીવનનો સંધ્યાકાળ થવા આવ્યો હોય, એમ લાગતું હતું.... એ ક્ષણે જીવન પ્રત્યે તીવ્ર મોહ પેદા થઈ ગયો! મન કહેતું હતું. બંને હાથ ફેલાવીને મને જ આલિંગન દઈને જળ સ્રોતમાંથી ખેંચી લઉં! જીવન કેટલું સુંદર છે, કેટલું પ્રિય છે! પોતાનું જીવન કેટલું કામ્ય હોય છે માનવીને! મનમાં ને મનમાં વિચારતી હતી... મારે મૃત્યુનો શીતળ સ્પર્શ કરવો પડશે.
હું આંખ મીંચીને સુસ્ત પડી પડી વહેતી હતી. લહેરો પર તરતા કોઈ ફૂલની જેમ હિલોળાતી હતી. ત્યાં તો સરયૂજળમાં સંધ્યાસ્નાન કરી
૧૭૮
માણા
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તાચળે જતા સૂર્યને પ્રણામ કરતા એક તેજસ્વી તપસ્વીએ મને જોઈ. એક છલાંગમાં આગળ વધી મારું બાવડું પકડીને બહાર ખેંચી. ભાન ગુમાવ્યું એ પહેલાં મને લાગ્યું કે કોઈનો અભય હાથ મને પાણીમાંથી બહાર ખેંચે છે. શરીર અચેતન બનીને તરતું હતું.
નજીક આવેલા મૃત્યુથી બચી ગઈ હતી. ભાન તો આવ્યું. હું ક્ષિપ્રાના કિનારે રેતીમાં ચત્તી પડી હતી. આંખ મીંચીને કંઈક વિચારું ત્યાં તો કાન પાસે ધીમો અવાજ સંભળાયો : “ઉજ્જયિનીની પ્રજ્ઞાવંત રાજકુમારી! શા માટે આત્મહત્યા કરતાં હતાં? શું ઓછું છે એમને? સાંજના સમયે છલકાતી ક્ષિપ્રામાં કૂદી પડ્યાં!”
હું ચોંકી ઊઠી, “કોનો અવાજ છે આ? કોણ છે આ રૂપરાજ તપસ્વી?” મેં ધીરે ધીરે આંખો ખોલી.. સામે ઊભા હતા રાજકુમાર અરિદમન! કુરુદેશના રાજા દમિતારિના પુત્ર અને મારી બહેન સુરસુંદરીના પ્રેમી!
હું લજ્જાસંકોચમાં ડૂબી ગઈ. ધીરે ધીરે ઊઠવાનો પ્રયત્ન કર્યો. પીઠ પર છૂટ્ટા વાળ પણ ભારે લાગતા હતા. શરીર પરનાં ભીનાં વસ્ત્ર પણ લજિત કરતાં હતાં. અરિદમન મારી દશા સમજી ગયા. તેઓ મૈત્રીભર્યા સ્વરે બોલ્યા: ‘તમે થાકેલાં છો. મારી દાસી અસ્મિતા રથ પાસે ઊભી છે. તમે રથમાં બેસી જાઓ. તે તમને ઉજ્જયિની પહોંચાડી દેશે.”
મેં કહ્યું : 'હે રાજ કુમાર, જલક્રીડા કરતાં કરતાં પૂરના પ્રવાહમાં તણાઈ ગઈ... આ એક દુર્ઘટના બની. એને આત્મહત્યા કહેવી તે અનુચિત છે. ખેર, તમે મારા પ્રાણ બચાવ્યા છે. બહુ મોટો ઉપકાર કર્યો છે. આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું, રાજકુમાર!' હું રથમાં બેસીને ઉજ્જયિની આવી ગઈ હતી. આ મારા જીવનની રોમાંચક ઘટના મેં કહી!” તેઓ વિસ્મય, આશ્ચર્ય અને પ્રફુલ્લિત વદને સાંભળી રહ્યા હતા. તેઓ બોલ્યા: ‘એ રાજકુમારે, તમારા પ્રાણ બચાવ્યા! મહાન ઉપકાર કર્યો.'
હા, એ પછી તો એનાં લગ્ન રાજકુમારી સુરસુંદરી સાથે મારા પિતાએ ધામધૂમથી કરાવી આપ્યાં હતાં.”
આજે આસો શુક્લ નવમીનો દિવસ હતો. શ્રી સિદ્ધચક્રજીની આરાધનાનો ત્રીજો દિવસ હતો. આજે “આચાર્યપદ આરાધના કરવાની
યણા
૧૭૯
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતી અને પીળા રંગના ધાન્યનું-ચણાનું આયંબિલ ક૨વાનું હતું. નિત્યક્રમ મુજબ લલિતાએ પૂજાખંડમાં પૂજનની બધી જ પૂર્વતૈયારી કરી દીધી હતી. અમે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી પૂજાખંડમાં ગયાં. વિધિપૂર્વક પરમાત્માની અને સિદ્ધચક્રજીની અષ્ટપ્રકારી પૂજા કરી. ચૈત્યવંદન કરી, ‘આચાર્યપદની સ્તવના કરી :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ : વાગેશ્વરી) આચારજ છત્રીશ ગુણધારી... આચારજ૦ પાંચ ઇન્દ્રિયોના વશકારી, બ્રહ્મવાડ નવ ધારી,
ચાર કષાયો દૂ૨ નિવાર્યા, પાંચ સમિતિ પ્યારી... આચારજ૦ ત્રણ ગુપ્તિને દિલમાં ધારી ગુણ છે તારા ભારી, જ્ઞાનાદિ આચાર-પ્રચારક, લે ભવિજનને ઉગારી... આચારજ૦ અદ્ભુત રૂપ ને જ્ઞાન અનુપમ, દર્શન શિવસુખકારી, મોહવિજેતા, નેતા મુનિગણના, જિનવાણી લલકારી..આચારજ૦ શ્રી સિદ્ધચક્રના ત્રીજા પદમાં સોહે શમદમકારી, અંતરપટ અનુભવ પ્રગટ્યો બનીએ સૌ ભવપારી... આચારજ
ભાવપૂજા પૂર્ણ થયા પછી ‘ૐ ર્રીશ્રી સૂરિમ્યો નમઃ સ્વાહા।' મંત્રનો જાપ શરૂ કર્યો. પહેલાં બોલીને જાપ કરવા માંડ્યો... પછી ધીરે ધીરે માનસજાપ શરૂ થયો. જાપ કરતાં કરતાં તેઓ (રાણા) સમાધિમાં લીન થઈ ગયા. હું એમને મધ્યમ સ્વરે મંત્ર સંભળાવતી રહી. લગભગ એક ઘડી સુધી તેઓ સમાધિમાં રહ્યા. તેમણે આંખો ખોલી. મેં સ્નાત્રજળ લઈ તેમના સંપૂર્ણ શરીર પર છાંટ્યું. તેઓ ભાવવિભોર બની ગયા...
તેમના હાથ-પગની આંગળીનાં ટેરવાં... નખ વગેરે જે ખરી પડ્યાં હતાં, તે આવી ગયાં. આંગળીઓ અખંડ થઈ ગઈ. સુંદર ગુલાબી ઝાંયવાળા નખ આવી ગયા. શરીરના કોઈ ભાગ પર રોગનો ડાધ ન રહ્યો.
અમે પૂજાખંડમાંથી અમારા શયનખંડમાં આવ્યાં. ત્યાં ભીંત પર એક મોટો અરીસો લાગેલો હતો. મેં રાણાને કહ્યું : ‘આ અરીસા સામે ઊભા રહો. તમે તમારા શરીરને જુઓ!'
૧૮૦
તેઓ અરીસા સામે ઊભા રહ્યા. પોતાના પ્રતિબિંબને જોતાં જ બોલી ઊઠ્યાં: ‘આ હું નથી... આ હું નથી... દેવી...! હું તો કોઢરોગગ્રસ્ત ઉંબરરાણો... આ તો કોઈ રાજકુમાર છે!'
For Private And Personal Use Only
મગણા
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ના ના, મારા નાથ, રાજ કુમાર નથી, રાજા છે!' તેમની આંખો હર્ષાશ્રુથી ભરાઈ ગઈ હતી. તેઓ બોલ્યા : દેવી, ગુરુદેવના આ ઉપકારનો બદલો કયા જનમમાં વાળી શકાશે?”
હું ગદ્ગદ્ હતી. ભાવાતિરેકથી અવાક્ થઈ ગઈ હતી. એમને જોતી જ રહી...
જિનમંદિરમાં પ્રભુને દર્શન-પૂજન કરી અમે પૌષધશાળામાં ગયાં. ગુરુદેવને વંદના કરી, કુશળપૃચ્છા કરી, યોગ્ય જગ્યાએ બેસી ગયાં. ગુરુદેવે અમારી આરાધનાનો વૃત્તાંત પડ્યો. રાણાના દેહ તરફ જોયું. સમગ્ર દેહ પર દૃષ્ટિ ફરી વળી. તેઓ બોલ્યા :
બહુ જ સરસ! શ્રી સિદ્ધચક્ર-મહામંત્રનો પ્રભાવ અદ્ભુત છે. આજે ત્રીજા જ દિવસે રાજાનો દેહ નીરોગી બની ગયો! હવે ક્રમશઃ પ્રતિદિન દેહ પુષ્ટ બનશે અને તેજસ્વી બનશે! દેવકુમાર જેવું રૂપ ધારણ કરશે.'
‘ગુરુદેવ! આપ વચનસિદ્ધ મહાપુરુષ છો. આપનાં વચનો અચૂક ફળે છે ને ફળશે. આપનો અમારા પર પરમ ઉપકાર છે. આપ અકારણ ઉપકારી છો. કરુણાના સાગર છો. પ્રભો! આજે અમને આચાર્યપદનો બોધ આપી કૃતાર્થ
કરો.”
ગુરુદેવે ‘આચાર્યપદનું વર્ણન શરૂ કર્યું. હે યશસ્વિની! આચાર્ય ચાર પ્રકારના બતાવવામાં આવ્યા છે. (૧) નામઆચાર્ય, (૩) સ્થાપના-આચાર્ય, (૩) દ્રવ્ય-આચાર્ય, અને (૪) ભાવઆચાર્ય. હવે આ ચારેય આચાર્યનો સંક્ષિપ્ત પરિચય કરાવું છું. (૧) નામ-આચાર્ય : જેનું નામ જ માત્ર આચાર્ય હોય. રસ્તા પર ફરતી વ્યક્તિનું નામ છાપી દીધું “આચાર્ય!' અટક બની ગઈ આચાર્ય! જેવી રીતે ભરવાડના છોકરાનું નામ “ઇન્દ્ર” પાડી દીધું! હરિજનના છોકરાનું નામ હનુમાન” પાડી દીધું! આ નામ-આચાર્ય કહેવાય.
(૨) સ્થાપના-આચાર્ય : આચાર્યની મૂર્તિ પ્રતિમાને સ્થાપના-આચાર્ય કહેવાય.
(૩) દ્રવ્ય-આચાર્ય : જે દુનિયાના શિલ્પશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર વગેરે વ્યાવહારિક શાસ્ત્રોનું જ્ઞાન આપનારા. તેવી રીતે શાળા
મયણા
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાશાળાના આચાર્યો, તે દ્રવ્યાચાર્ય કહેવાય
(૪) ભાવ-આચાર્ય : ભાવ-આચાર્ય જિનશાસનમાં હોય અને જ્ઞાનાચાર આદિ પાંચ આચારો પાળે અને પળાવે. આચાર્ય જે પાંચ આચાર પાળેપળાવે તે “પંચાચાર' કહેવાય. તે પણ તમને થોડુંક સમજાવી દઉં.
(૧) જ્ઞાનાચાર : પોતે જ્ઞાન મેળવે, જ્ઞાની બને અને બીજા આત્માઓને જ્ઞાની બનાવે. જ્ઞાનપ્રાપ્તિ માટે અને જ્ઞાનની પરિણતિ માટે આઠ આચારોનું પાલન કરવું જોઈએ : (૧) કાળનું લક્ષ રાખે. (૨) વિનય કરે. (૩) બહુમાન ધરે. (૪) ઉપધાન કરે. (૫) ગુરુસમર્પણ કરે. () સૂત્ર-શુદ્ધિ જાળવે. (૭) અર્થશુદ્ધિ જાળવે. (૮) સુત્ર-અર્થ બંનેનો યથાર્થ સ્વીકાર કરે. આચાર્ય આ આચારો પાળે ને શિષ્યો પાસે પળાવે.
(૨) દર્શનાચાર : સમ્યગ્દર્શનના આચારો સ્વયં આચાર્ય પાળે અને શિષ્યોને પળાવે. (૧) જિનેશ્વર ભગવંતનાં કથેલાં તત્ત્વો પ્રત્યે નિઃશંક શ્રદ્ધા હોય. (૨) અન્ય ધર્મો-મતો તરફ આકર્ષણ ન જોઈએ. (૩) “આ સાચું ને તે પણ સાચું', એવી અથિરતા ન જોઈએ. (૪) મૂઢતા ન જોઈએ. (૫) સત્કાર્યોની અનુમોદના કરે. (૬) ધર્મમાર્ગે ઢીલા પડેલાઓને પ્રોત્સાહિત કરે. (૭) આચાર્ય સ્વયં શ્રદ્ધાસંપન્ન હોય અને બીજાઓને શ્રદ્ધાવાન બનાવે. (૮) તીર્થંકર પરમાત્માના સ્થાપેલા ચતુર્વિધ સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા) પ્રત્યે હૃદયમાં વાત્સલ્યભાવ ધારણ કરે. શરણે આવેલા મનુષ્યોને કરુણાથી ઊંચે ચઢાવે, તેમના આત્માઓને નિર્મલ-પવિત્ર બનાવે.
ચારિત્રાચાર: પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ - આ આઠ છે ચારિત્રના આચાર. આચાર્ય સ્વયં સમિતિ-ગુપ્તિનું પાલન કરે અને શિષ્યો પાસે કરાવે.
મયણા! તું રાજાને સમિતિ-ગુપ્તિનું સ્વરૂપ સમજાવજે. તપાચાર : બાહ્ય તપ અને આધ્યેતર તપ ક૬ પ્રકારે છે. આચાર્ય સ્વયં તપમાં પુરુષાર્થ કરે અને શિષ્યોને પુરુષાર્થ કરાવે.
અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ એ કાયક્લેશ તથા સંલીનતા - આ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય - આ છ પ્રકારનો અભ્યતર તપ છે.
વીર્યાચાર : જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ - આ ચારેયમાં આચાર્ય વીર્યને ફોરવે. અર્થાત્ ચારેય આચારોમાં પુરુષાર્થશીલ રહે, આળસ ન કરે, પ્રમાદ ન કરે. બીજાઓને પણ પુરુષાર્થમાં પ્રેરણા આપે.
૧૮૨
માણા
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય ભગવંતનાં આમ તો આઠ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. તે લક્ષણો પણ સમજાવી દઉં. - પહેલું લક્ષણ છે પંચાચાર પાળવાનું ને પળાવવાનું. જ બીજું લક્ષણ છે તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્ય તીર્થકર સમાન હોય.
અર્થાત્ ચતુર્વિધ સંઘના આધારભૂત આચાર્ય હોય. આચાર્યનું સ્થાન આ રીતે ઘણું મહાન છે. જવાબદારીભર્યું છે. આચાર્યપદ મેળવવું સરળ છે પણ ભાવ-આચાર્ય બની રહેવું મુશ્કેલ છે. ત્રીજું લક્ષણ છે : આચાર્ય ચતુર્વિધ સંઘને કુશળ રાખે. સંઘની કુશળતાની જવાબદારી સમજે. આચાર્યની છાયામાં સંઘ નિર્ભય અને નિશ્ચિત રહી શકે, ચોથું લક્ષણ હોય છે-આચાર્ય શ્રુતજ્ઞાનમાં પારંગત હોય. જે કાળે જેટલું જ્ઞાન હોય તેમાં તેઓ પારંગત બને. જ્ઞાનના બળથી જિનશાસનની શાન વધારે. કોઈ પણ વાદી-પ્રવાદી આવે તો વાદ-વિવાદ કરવામાં આચાર્ય સમર્થ હોય, વિજયી બને. જિનશાસનનો વિજયધ્વજ ફરકતો
રાખે. છે પાંચમું લક્ષણ છે : આચાર્ય પથ્થરમાં પંકજ પેદા કરે! શિષ્ય મૂર્ખ હોય,
જ ડબુદ્ધિનો હોય છતાં આચાર્ય એવા મુનિને જ્ઞાની બનાવે, પોતાના જ્ઞાનના બળથી, વાત્સલ્યથી અને કરુણાથી કંટાળે નહીં. અજ્ઞાનીને
જ્ઞાની અને મૂર્ખને સમજદાર બનાવે. છ છછું લક્ષણ છે ઉપદેશ આપવાનું. આચાર્ય નિરંતર ધર્મનો ઉપદેશ આપે, થાક્યા વિના જીવોના ઉપકાર માટે આપે. આચાર્ય જાણે કે કેવો જીવ કેવી રીતે ધર્મ પામે. કોને કેવો ઉપદેશ આપવો. ઉપદેશ દેવામાં તેઓ કુશળ હોય. ઉપદેશ શ્રવણ કરનારની યોગ્યતા તેઓ માપી લેતા હોય. તેમની વેધક દૃષ્ટિ મનુષ્યની આંતરયોગ્યતા માપી લે. સાતમું લક્ષણ છે ભાષાજ્ઞાનનું. આચાર્ય દેશની સર્વ ભાષાઓ જાણનારા હોય, દેશના જે જે પ્રદેશમાં જાય તે તે પ્રદેશ-ભાષામાં તેઓ ઉપદેશ આપે, તે તે દેશના શિષ્યોને પણ એમની ભાષામાં ઉપદેશ આપે. અને ભણાવે. જે દેશની જે ભાષા હોય તે દેશમાં તે ભાષામાં ઉપદેશ અપાય તો ઉપદેશ વધુ અસરકારક બને.
મારા
૧૮૩
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠમું લક્ષણ છે સુંદરતાનું! આચાર્યનો દેહ સુંદર ને પ્રભાવશાળી જોઈએ. આચાર્યનું બાહ્ય શારીરિક રૂપ પણ ઘણું મહત્ત્વનું હોય છે. આચાર્ય રૂપવાન જોઈએ. રૂપવાનની સાથે સાથે કુળવાન અને લક્ષણવાન પણ જોઈએ. આચાર્યની પસંદગી માટે આ આઠ વાતો અગત્યની છે.
આચાર્યપદના ધ્યાનમાં એક પછી એક આ આઠ રૂપોનું-સ્વરૂપોનું ધ્યાન કરી શકાય. ચિંતન-મનન કરી શકાય.'
આચાર્યદેવે વર્ણન પૂર્ણ કર્યું. કેટલીક વાતો રાણાને મારે સમજાવવાની ભલામણ કરી. અમે સર્વે મુનિવરોને વંદન કરી પૌષધશાળાની બહાર નીકળ્યાં.
૧૮૪
માણા
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
મને લલિતાનું ત્યાગમય જીવન ગમે છે. એનું જીવન અને પ્રેરણા આપે છે. ક્યારેક એના તરફ આપોઆપ માથું ઝૂકી જાય છે. પણ લલિતાને મારી ભક્તિ નથી જોઈતી; જોઈએ છે મારી મૈત્રી અને મારું સાંનિધ્ય.
લલિતા ત્યાગ અને ઉદારતાની મૂર્તિ છે. લલિતાએ મારી મૈત્રીનું આદરપૂર્વક સ્વાગત કર્યું છે. એ સમજણી થયા પછી લગભગ મારી પાસે રહી છે! કારણ કે એ મહામાત્ય સોમદેવની લાડકી પુત્રી છે! લલિતાનાં સંયમ, ત્યાગ અને કર્તવ્યપરાયણતાથી મને શક્તિ મળતી હતી.
કોઈ કોઈ વાર એ મારી પાસે પોતાનું હૃદય ખોલતી. કોઈ કોઈ વાર પોતાની અધૂરી કામનાની વ્યથાની વાત પણ કરતી! પણ જાણે એ કામનાઓ અને વાસનાઓથી બહુ ઊંચે ગઈ હતી. કામનાઓનું દમન કર્યું હતું. વાસનાઓનું શમન કર્યું હતું. મને ઘણી વાર લાગતું કે જીવનની પ્રકાશમય બાજુ જ જાણે લલિતા છે. એની સાથે મારી ઘનિષ્ઠતા વધતી ગઈ હતી. અકારણ રાજ કુમારી તરીકેનું અભિમાન, અહંકાર, ક્રોધ, અધિકાર... ઓછાં થઈ ગયાં હતાં. લલિતા પાસે હમેશાં હું નાની બનતી ને એમાં જ મને સંતોષ થતો.
પણ લલિતા પોતાની ચિરપરિચિત ઉદારતામાં મહિમાવંત રહી. તે કહેતી : “સખી, તું માલવદેશમાં આદર્શ નારી છે. આર્યાવર્તમાં આદર્શ રાજ કુમારી છે. તારી પાસેથી ઘણું શીખવાનું છે. હજારો વર્ષ પછી પણ તારું સાહસ, વૈર્ય, બુદ્ધિમત્તા, સ્પષ્ટવાદિતા, સ્વાભિમાન, પરમાત્મપ્રેમ, પતિવ્રતા... ગુરુશ્રદ્ધા.... કર્મસિદ્ધાંતમાં નિષ્ઠા... આ બધું નારીજાતિનો આદર્શ બની રહેશે. તારા પવિત્ર સૌંદર્યમાં સમગ્ર પુરુષજાતિ તારું આધિપત્ય સ્વીકારે છે. એ કારણે સુરસુંદરી મનમાં ને મનમાં તારી ઈર્ષ્યા કરે છે. કરતી હતી.”
સુરસુંદરી મારી ઈર્ષ્યા કરતી હતી?' મને એના પતિ અરિદમન યાદ આવ્યા. એમનું શૌર્ય અને પૌરુષ સ્મૃતિમાં આવ્યું. સુરસુંદરી એમને વરી હતી. મેં લલિતાને કહ્યું :
માણસા
૧૮૫
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેર, હવે તો એ દૂર પ્રદેશમાં ચાલી ગઈ છે...' લલિતાએ મને કહ્યું : “સખી, એક માંગણી કરું?'
એક નહીં, બે! બે નહીં, ચાર! મારી સખી, તું જે માગે તે તને આપું. મારા પ્રાણ...”
ના બા, ના, મારે તારા પ્રાણ ન જોઈએ કે તારા પ્રાણનાથ પણ ન જોઈએ! મારે જોઈએ છે તારી આરાધના! તું જે સિદ્ધચક્ર-મહાયંત્રની આરાધના કરે છે, મને પણ એવી આરાધના કરાવ!”
હું ક્ષણભર વિચારમાં પડી ગઈ. “મારે પૂજ્ય ગુરુદેવને પૂછવું જોઈએ. તેઓ જો અનુજ્ઞા આપે તો લલિતાને પણ આરાધના કરાવી શકાય... મારી સખી છે. મનમાં દુઃખી છે. ભલે માલવદેશના મહામંત્રીની પુત્રી છે, પણ એનું ય સ્વતંત્ર મન હોય ને! એની ઇચ્છાઓ હોય, કામનાઓ હોય. અને બધું જ એણે મને દિલ ખોલીને કહ્યું છે.”
“શું ગંભીર વિચારમાં પડી ગઈ?” લલિતાએ મારો હાથ પકડી, મને વિચારોમાંથી જાગ્રત કરી.
લલિતા, હું ગુરુદેવને કાલે પૂછી જોઈશ. આ મહાયંત્ર છે! એટલે ખૂબ જ પ્રભાવશાળી છે. ગુરુદેવે ખાસ તો રાણા માટે જ આપ્યું છે. એટલે ગુરુદેવ હા પાડશે તો તને પણ મહાયંત્રની આરાધના કરાવીશ.” પણ તું શું માને છે? ગુરુદેવ હા પાડશે ને?”
લલિતા, આ મહાજ્ઞાની પુરુષનો વિષય છે. હું આમાં કોઈ કલ્પના ના કરી શકું. તે છતાં ઉપકારી કરુણાવંત ગુરુદેવ પ્રાય: ના નહીં પડે...' લલિતા રાજી થઈ ગઈ. અમને આયંબિલ કરાવ્યું. રાણાએ વિશ્રામ કર્યો. વર્ષોથી શારીરિક બળતરાના કારણે એમની નિદ્રા લગભગ ચાલી ગઈ હતી, પરંતુ આસો શિલા સપ્તમીથી એમને ઘસઘસાટ ઊંધ આવવા માંડી હતી. કારણ કે શરીરની અંદરની બળતરા શાંત થઈ ગઈ હતી. પછી તો બહારના રોગનાં ઘા-ગૂમડાં વગેરે મટી ગયું હતું. શરીર સંપૂર્ણ નીરોગી બની ગયું હતું.
જ્યારે તેઓ જાગ્યા ત્યારે સૂર્ય અસ્તાચલ તરફ ઢળી ગયો હતો. તેઓ પ્રસન્નચિત્ત હતા. હસીને બોલ્યા : “આજે તો ખૂબ ઊંઘ આવી ગઈ!
૧૮૬
મયણા
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘આવે જ. ઊંઘ આવવી તે નીરોગી શરીરની નિશાની છે. હવે આપ
નીરોગી બન્યા છો.' મેં કહ્યું.
તેમનો, મહાયંત્રના પ્રભાવે આશાતાવેદનીય કર્મનો ઉદય નાશ પામ્યો હતો. શાતાવેદનીય કર્મ ઉદયમાં આવ્યું હતું. પાપ કર્મ દૂર થયું હતું, પુણ્ય કર્મ ઉદયમાં આવ્યું હતું. જીવમાત્રના જીવનમાં આવું પરાવર્તન ચાલ્યા કરતું હોય છે. ક્યારેક એવું ય બને કે મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી દુઃખ અનુભવે! પાપકર્મોનો જ ઉદય ચાલ્યા કરે અને એવું પણ બને કે જીવાત્મા જન્મથી મૃત્યુપર્યંત સુખ અનુભવે! પુણ્યકર્મોનો જ ઉદય ચાલ્યા કરે. અને મોટા ભાગે એવું બને કે મનુષ્ય ક્યારેક સુખ અનુભવે, ક્યારેક દુ:ખ અનુભવે! કેટલીક વાતોમાં પુણ્યનો ઉદય ચાલતો હોય, કેટલીક વાર્તામાં પાપ કર્મનો ઉદય ચાલતો હોય!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી વિચારયાત્રા ચાલતી હતી, ત્યાં લલિતાએ આવીને કહ્યું : ‘દેવી, આરતીનો સમય થઈ ગયો છે.' અમે પૂજાખંડમાં જઈ આરતી ઉતારી. પરમાત્માની ભક્તિ કરી. લલિતા એના ઘેર ચાલી ગઈ. અમે બે અમારા શયનખંડમાં પ્રવેશ્યા, ખંડની બહાર ખુલ્લી અગાસી હતી. ત્યાં ભદ્રાસન મૂકીને બેઠાં. દૂર દૂર ક્ષિપ્રા નદીનું વહેણ ચમકતું હતું. આકાશમાં ચન્દ્ર ઊગી ગયો હતો. વાતાવરણમાં શાંતિ હતી, નીરવતા હતી. મેં રાણા સામે જોઈ સસ્મિત પૂછ્યું : ‘નાથ, આપને આપના ૭૦૦ સાથી યાદ આવે છે?’
રોજ યાદ આવે છે! એ બધા તો મારા પ્રાણ રક્ષક છે, ઉપકારી છે. એમના એટલા બધા ઉપકારો છે કે એનો બદલો હું કેવી રીતે વાળીશ... તે હું સમજી શક્તો નથી...’ તેઓ ભાવવિભોર થઈને બોલ્યા. તેમની તજ્ઞતાનું એ હૃદયસ્પર્શી કથન હતું.
મયણા
‘નાથ! આપણે જરૂર બદલો વાળીશું! આપની આવી ઉત્તમ ભાવના છે, તો જરૂર એ ભાવના ફળીભૂત થશે! આપની બધી જ ઇચ્છાઓ શ્રી સિદ્ધચક્રજીના પ્રભાવથી પરિપૂર્ણ થશે.'
પછી તો તેમણે વર્ષોના અરણ્યવાસની ઘણી ઘણી વાતો કરી. મન ભરીને વાતો કરી. મેં ખૂબ આતુરતાથી એ બધી વાતો સાંભળી, એ વાતોમાં એમનાં ઔદાર્ય, પરાક્રમ, પરોપકારિતા આદિ ગુણોનો મહિમા જાણવા મળ્યો.
રાત્રિનો બીજો પ્રહર શરૂ થઈ ગયો હતો. અમે નિદ્રાધીન થવા અમારા શયનખંડમાં પ્રવેશ્યાં.
For Private And Personal Use Only
૧૮૭
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિત્યક્રમ મુજબ ચોથા દિવસે અમે ઊઠીને સ્નાનાદિથી પરવાર્યાં. લલિતા આવી ગઈ હતી. બધી જ પૂજનસામગ્રી તૈયાર કરી દીધી હતી. અમે ખૂબ તન્મય બનીને પ્રભુની અને શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રની અષ્ટપ્રકારી પૂજા કરી. આજે ઉપાધ્યાય પદની વિશિષ્ટ આરાધના કરવાની હતી. મેં ભાવસ્તવના શરૂ કરી: વાચક પાઠક અધ્યાપક એ, અંગ-ઉપાંગના જાણ રે સહુ પ્રણમો જિનમત પાનિયા... ચરણ-કરણને ધારણ કરતા શિવપુરપંથે ચાલે,
ધ્યાન નિરંતર પાવન ધરતા, આતમજ્યોત પ્રજાળે (૨) જ્ઞાનદીપકને એ પ્રગટાવે, ગુણરત્નોની ખાણ રે... સહુO ઘોર તિમિર અજ્ઞાનનું ટાળે, સંશય સધળા છેકે, ઉત્તમ કુળ અવતંસ સલૂણા, આશંસા સૌ ભેદે (૨) શિવંકર ને અભયંકર એ, સૌમ્ય-શીતલ તસ વાણ રે... સહુ દેશ-વિદેશની ભાષા જાણે, પંચાચાર પ્રચારે, પૂર્ણ પ્રતિભા, લબ્ધપ્રતિષ્ઠા, પાપ અનંત પખાળે (૨) દેશ-કાળ ને ભાવના જ્ઞાતા, જ્ઞાનપ્રકાશી ભાણ રે... સહુ સૂત્ર-અર્થ સૌ કંઠે ધરતા, માયાને પરિહારે,
માન નહીં, મધ્યસ્થ સ્થવિર એ, તૃષ્ણાને પડકારે (૨) અંતરપટ પર અનુભવ પ્રગટ્યો, શિષ્યોના એ પ્રાણ રે... સહુ ભાવસ્તવના પૂર્ણ થયા પછી ‘ૐ હ્રીશ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ રવાહા ।' મંત્રનો જાપ શરૂ કર્યો. લીલા રંગમાં ઉપાધ્યાય ભગવંતનું ધ્યાન શરૂ કર્યું. રોજ મુજબ આજે પણ એમને ધ્યાનમાં સમાધિ લાગી ગઈ. હું એમને મંત્ર સંભળાવતી રહી. એક ઘડી પછી એમની આંખો ખૂલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ઊભી થઈ. કળશમાં ભરેલું સ્નાત્રજલ એમના શરીર પર છાંટ્યું. તેમણે રોમાંચ અનુભવ્યો. તેમનું મુખકમલ વિકસિત થઈ ગયું. તેઓએ પોતાનું મસ્તક મહાયંત્ર પર મૂકી દીધું... થોડી ક્ષણો ઉચ્ચતમ ભાવોમાં પસાર થઈ. અમે પૂજાખંડમાંથી બહાર નીકળી ગયાં.
૧૮૮
પરમાત્મમંદિરમાં દર્શન-પૂજન કરી અમે સમયસર ગુરુદેવ પાસે પહોંચી ગયાં. આજે ગુરુદેવ અમને ‘ઉપાધ્યાય પદ'નો પરિચય આપવાના હતા. અમે જઈને ગુરુદેવને ભાવપૂર્વક વંદન કરી, કુશળ પૃચ્છા કરી. ગુરુદેવે
For Private And Personal Use Only
સમણા
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘ધર્મલાભ’નો આશીર્વાદ આપ્યાં. અમે વિનયપૂર્વક અમારી જગાએ બેસી
ગયાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ ‘ઉપાધ્યાય પદ' સમજાવવાનો પ્રારંભ કર્યો :
‘હું મહાનુભાવ, જેમ તમે અરિહંતના ૧૨ ગુણ જાણ્યા, સિદ્ધના ૮ ગુણ અને આચાર્યના ૩૬ ગુણ જાણ્યા, તેમ ઉપાધ્યાયના ૨૫ ગુણ બતાવવામાં આવ્યા છે.'
૧૧ અંગ (શાસ્ત્ર) + ૧૨ ઉપાંગ (શાસ્ત્રો) + ચરણસિત્તરી-૧ (આરાધનાની ૭૦ વાર્તા) + ૧ કરણસિત્તરી (આરાધનાની ૭૦ વાતો) - ૨૫ ગુણ.
=
અગિયાર અંગશાસ્ત્રોનાં નામ આ પ્રમાણે છે : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અન્તકૃદ્દા, (૯) અનુત્તરોપપાતિક દશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, અને (૧૧) વિપાકસૂત્ર.
બાર ઉપાંગનાં નામ આ પ્રમાણે છે : (૧) ઔપપાતિક, (૨) રાજપ્રનીય, (૩) જીવાભિગમ, (૪) પ્રજ્ઞાપના, (૫) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૬) જંબુદ્બીપ-પ્રજ્ઞપ્તિ, (૭) ચન્દ્રપ્રજ્ઞપ્તિ, (૮) કલ્પિકા, (૯) કલ્પાવતંસિકા, (૧૦) પુષ્પિકા, (૧૧) પુષ્પચૂલિકા, (૧૨) વૃષ્ણિદશા.
આ શાસ્ત્રોનાં નામ છે. ઉપાધ્યાય આ શાસ્ત્રોના જ્ઞાતા હોય.
શ્રમણોના સમુદાયમાં ઉપાધ્યાયનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોય છે. આચાર્યને જો રાજાના સ્થાને સમજીએ તો ઉપાધ્યાયને યુવરાજના સ્થાને સમજવાના છે.
જિનશાસનમાં ઉપાધ્યાય પદ અતિ મહત્ત્વનું છે. કારણ કે આ શાસનમાં સમ્યગજ્ઞાનની આરાધનાને શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવેલું છે. સાધુ-સાધ્વી માટે દિનરાતના ૨૪ કલાકમાં ૧૫ કલાક જ્ઞાનારાધના માટે હોય છે. ડુ કલાક નિદ્રા માટે અને ૩ કલાક આહાર-વિહાર-નિહાર (સ્થંડિલ) માટે હોય છે.
માણા
ઉપાધ્યાયનું આદર્શ વ્યક્તિત્વ હોય છે. ભવ્ય વ્યક્તિત્વ હોય છે. શ્રમણશ્રમણી સમુદાયને નિર્મળ સમ્યગુજ્ઞાનની આરાધના કરાવવાનું મહાન કર્તવ્ય જે મહાન પુરુષના શિરે છે તે ઉપાધ્યાયના ઉત્તમ વ્યક્તિત્વને જાણો. તેઓ, ૧. અંગ-ઉપાંગ-શાસ્ત્રોને ભણાવવામાં ઉંઘત હોય છે.
૨. તેઓ પાપપરિવર્જક હોય છે.
For Private And Personal Use Only
૧૮૯
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. તેઓ ધ્યાનમાં લીન હોય છે. ૪. કર્મનાશ કરવામાં ઉદ્યમી હોય છે. ૫. તેઓ આચાર્ય પદને યોગ્ય હોય છે. આ એમની પાંચ વિશિષ્ટતાઓ હોય છે. માટે તેઓ ગોરવાહ હોય છે, ઉપાધ્યાયની એક બહુ મહત્ત્વની વાત છે! તેઓ જ્ઞાનદાન આપતાં જરાય કંટાળતા નથી; જરાય થાકતા નથી! તેઓનું જીવન પ્રમાદ વિનાનું હોય છે. ભાવકરુણાથી ભરેલા એ મહાપુરુષ સરૈવ સુયોગ્ય શિષ્યોને જ્ઞાનામૃત પિવડાવતા રહે છે. ભલે ને જિજ્ઞાસુ શિષ્ય રાત્રે બાર બે વાગે જઈને એમને પ્રશન પૂછે! પ્રેમથી ને ભરપૂર વાત્સલ્યથી જવાબ આપે છે! આવા ઉપાધ્યાયનું ધ્યાન કરવાનું છે.
બીજી વાત ઉપાધ્યાયના પાપમુક્ત હોવાની છે. તેઓ તો પાપમુક્ત હોય જ છે, પરંતુ એમના ચરણ-શરણે રહેનારા જીવાત્માઓ પણ પાપમુક્ત બને છે. આ રીતે, ઉપાધ્યાય પાપોનું પરિમાર્જન કરીને શિષ્યોને નિર્મળ-વિમલ બનાવે છે.
ત્રીજી વાત ધ્યાની હોવાની છે. જ્ઞાની પુરુષ ધ્યાની બની શકે. જ્ઞાન વિના ધ્યાન ન થઈ શકે. ન થઈ શકે ધર્મધ્યાન કે ન થઈ શકે શુક્લધ્યાન. ઉપાધ્યાયો ધર્મધ્યાન તો કરે જ, સાથે સાથે વિશિષ્ટ પ્રકારનાં આત્મધ્યાન પણ કરતા હોય છે. ક્યારેક જિનવચનનું રહસ્ય પામવા ધ્યાનમાં લીન બની રહસ્ય મેળવે છે.
ધ્યાનને અગ્નિ કહેવામાં આવ્યો છે. ધ્યાનના અગ્નિમાં અનંત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. ઉપાધ્યાય આ રીતે વિપુલ કર્મક્ષય કરી આત્મભાવને નિર્મળ કરે છે. ધ્યાનની આરાધના એક વિશિષ્ટ કોટિની આરાધના છે.
ચોથી વાત આચાર્યપદ પામવાની યોગ્યતાની છે. આવા ઉપાધ્યાય આચાર્ય પદને યોગ્ય બને છે માટે તેમને યુવરાજ કહેવામાં આવ્યા છે. આચાર્ય પદ માટે જેવી તેવી યોગ્યતા કામ ન લાગે. જિનશાસનમાં આચાર્યનું સ્થાન સર્વોપરી છે. “તિસ્થર સમો સૂર – આચાર્ય તીર્થંકર સમાન હોય છે. તીર્થંકરદેવના અભાવમાં આચાર્યને તીર્થંકરરૂપ માનવાના છે! પણ એ સામાન્ય આચાર્ય નહીં, ભાવ-આચાર્યને માનવાના. મહાન પુણ્યશાળી હોય તેમને માનવાના. જે તે આચાર્ય તીર્થકર સમાન ન કહેવાય.
હવે ઉપાધ્યાયની ઓળખ સ્થવિરરૂપે કરીએ.
૧૯૦
માણા
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનશાસનમાં ત્રણ પ્રકારના સ્થવિર હોય છે. (૧) વયસ્થવિર : જેઓ ઉંમરમાં મોટા હોય, વૃદ્ધ હોય. (૨) પર્યાયસ્થવિર : જેઓ શ્રમણપર્યાયમાં મોટા હોય. (૩) જ્ઞાનસ્થવિર વિશિષ્ટ જ્ઞાની હોય. આ વયસ્થવિર પર્યાયસ્થવિરને અને જ્ઞાનસ્થવિરને વંદન કરે. જો જ્ઞાનસ્થવિર
પર્યાયસ્થવિર પણ હોય તો. જ્ઞાનસ્થવિર દીક્ષાપર્યાયમાં નાના હોય, છતાંય પર્યાયમાં મોટા મુનિ, એમને વંદન કરે. જ્યારે જ્ઞાનસ્થવિર પાસેથી જ્ઞાન લેવાનું હોય ત્યારે જ વંદન કરે. જ્ઞાનવિરનું જિનશાસનમાં અદ્વિતીય સ્થાન છે.
આવા ઉપાધ્યાયનું આજે ધ્યાન કરવાનું છે. “અષ્ટદલ કમલ”ની કલ્પના કરો. કર્ણિકાની નીચેની પાંખડીમાં ઉપાધ્યાયની આકૃતિ જુઓ. લીલાછમ વર્ણમાં એમને જુઓ. ૐ શ્રી ન ૩વાયાvi પદથી એમનો જાપ કરો.
ઉપાધ્યાયનું ભાવનિક્ષેપથી ધ્યાન કરવા, એવી કલ્પના કરો કે “ઉપાધ્યાય અનેક સુવિનીત શિષ્યોને જ્ઞાનદાન આપી રહ્યા છે. એમના મુખ પર અદ્ભુત વાત્સલ્ય, અપૂર્વ કરુણા અને પરમ પ્રસન્નતા છવાયેલાં છે. શિષ્યો અપ્રમત્ત ભાવે અંજલિ જોડીને, સંભ્રમાદિ ભાવો સાથે જ્ઞાનપ્રાપ્તિ કરી રહ્યા છે. ક્યારેક તેમના મુખ પર “અદભુત-રસ'ની રેખાઓ ઊપસી આવે છે. ક્યારેક વૈરાગ્યરસની ગંભીરતા છવાઈ જાય છે, તો ક્યારેક શાંતરસની સૌમ્યતા મુખ પર તરવરે છે!”
બસ, આ દૃશ્ય, આંખો બંધ કરીને જોયા કરો અને જાપ કરતા રહો. “હે વિદુષી! શ્રી ઉપાધ્યાયના જાપ અને એના ધ્વનિના પ્રભાવથી મનુષ્ય નીરોગિતા પ્રાપ્ત કરે છે. પરંતુ ધ્યાન લીલા રંગમાં કરવું જોઈએ.'
ધ્યાન માટે આસન અને મુદ્રા પણ સિદ્ધ કરવાં જોઈએ. પદ્માસન, સિદ્ધાસન કે સુખાસને બેસીને જાપ-ધ્યાન કરવાનાં છે. આજે આયંબિલ પણ લીલા ધાન્યનું (મગનું) કરવાનું છે.
ઇચ્છાઓ અને વાસનાઓથી મન મુક્ત રહેશે તો જ શ્રી સિદ્ધચક્રજીના ધ્યાનમાં તમે લીન બની શકશો.
ગુરુદેવે વિવેચન પૂર્ણ કર્યું. મેં ગુરુદેવની નિકટ જઈને લલિતા માટે આરાધના અંગે પૂછ્યું. ગુરુદેવે પૂર્ણિમાથી એને આરાધના આપવાની અનુજ્ઞા આપી.
મયણા
૧૯૧
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ ૨૮
ફેર
એક દિવસ આપણે આપણી જિંદગીના વસ્ત્ર પર નજર ફેરવીશું તો લાગશે કે અલૌકિક આંગળીના સંસ્પર્શના કારણે આપણે પરમ પિતાની પ્રેરણાને મૂર્તિમંત કરી છે. આપણને એ ધન્ય ક્ષણે બોધ થશે કે પ્રેમની પીંછીથી કોઈ પણ પ્રકારના ડાઘડૂધ, ટપકાં કે ધાબાં વગરની સુંદર આકૃતિ ઊપસી આવે છે. એ વખતે દુનિયા એ ચિત્રને નહીં, પણ એના પર મહાશક્તિએ, પરમશક્તિએ કરેલી રંગપુરવણીને નિહાળશે અને તેને એક સુંદરતમ સાંગોપાંગ ચિત્રનું દર્શન થશે!
એ જીવંત ચિત્ર મારા પ્રાણનાથ રાજાનું! રાણાનું હતું ! સમી સાંજે અમારી મઢુલી જેવા ઘરના ખંડમાં અમે ત્રણેય બેઠાં બેઠાં વાતો કરતાં હતાં. મોટા ભાગે હું જ બોલતી હતી. મારાં સાસુ ઉત્સુકતાથી મારી વાતો સાંભળતાં હતાં. તેમના પુત્ર પણ ખૂબ સ્નેહથી મારા તરફ જોઈને એકાગ્રતાથી શ્રવણ કરતા હતા.
અચાનક તેઓ બોલ્યા : “હે મારી મા! હતું નહીં કંઈ સુંદર, હતું નહીં સારું લીધું જાણી આણે હતું જે નઠારું. હતું મારી પાસે નહીં કંઈ અર્પણને લાયક હતું બધું અપૂર્ણ અને અવાચ્ય
પરંતુ બનાવ્યું આણે જીવન મારું રોચક! મારી તરફ અંગુલીનિર્દેશ કરીને બોલ્યા : “પરંતુ બનાવ્યું આણે જીવન મારું રોચક!'
મને ઘણું આશ્ચર્ય થયું. એમના મનમાં કાવ્યની ફુરણા થઈ હતી. સુંદર કાવ્યની રચના થઈ હતી.
એક ધાન્યનું (મગનું) આયંબિલ કરીને પછી રોજના ક્રમ મુજબ તેમણે વામકુક્ષી કરી હતી. હું અને લલિતા વાતે વળગ્યાં હતાં. લલિતા માટે
૧૯૨
માણા
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ મહાયંત્રની આરાધના કરવાની અનુજ્ઞા આપી હતી, તેથી તે હર્ષિત હતી, પ્રફુલ્લિત હતી. મારો ઉપકાર માનતી હતી.
લલિતાએ મને ભદ્રાસન પર બેસાડી, પોતે જમીન પર બેસી, મને ધીમા સ્વરે પૂછયું :
સખી, એક વાત પૂછવી છે. તારી અંતરંગ વાત છે પણ મારે જાણવી છે. તું કહે તો પૂછું!” પૂછ!”
રાજસભામાં જ્યારે મહારાજાએ આક્રોશ કરીને તેને ઉંબરરાણાને સોંપી હતી ત્યારે તને, તારા મનમાં શું થયું હતું?'
હું હસી પડી. બોલી : “મારી પ્રિય સખી, દુઃખ આવી પડે ત્યારે આપણે એમાં કડવાશ અને રોષ ઉમરીએ તો દુઃખ ચાલુ રહેશે અને વધારામાં કટુતા અને ક્રોધ કાયમના મહેમાન બની જશે. પછી પરિસ્થિતિ શરૂઆતની પીડા કરતાં વધારે વિષમ લાગશે. આપણા કપરા કાળમાં પ્રેમ, શાંતિ અને મૈત્રીથી હૃદયને છલકાવી દઈએ તો આખીયે પરિસ્થિતિ આશ્ચર્યજનક રીતે બદલાઈ જાય છે! તું પ્રત્યક્ષ જોઈ રહી છે. પિતાજી માટે હું ક્યારે ય ઘસાતું બોલી નથી. અરે, મનમાં ય એ ઉપકારી તાત માટે અશુભ વિચાર્યું નથી! બાકી તો લલિતા, સુખ અને દુઃખની આ જુગલબંધી વગર વૃદ્ધ કે યુવાન, બંનેના જીવન ઊબડખાબડ, અશક્ત અને અવિકસિત જ રહે છે!
વળી, મેં મારા મનનું સમાધાન શોધી લીધું હતું. તેથી જે પરિસ્થિતિ ઊભી થાય તેની સાથે પનારો પાડતાં આવડી ગયું છે! દિલની ખટક ખામોશ થઈ ગઈ છે. મેં એક વાત પાક્કી માની લીધી છે કે જીવનમાં જે કંઈ છે તે પરમાત્મતત્ત્વ ને ગુરુતત્ત્વ છે! એની હૂંફ અને એનું શરણ જ પરમ શાંતિ આપે છે.
પરંતુ મયણા! તારા જીવનમાં કેવા અંધકારમય દિવસો આવ્યા? તારી આકરી તાવણી થઈ...”
પરંતુ આ કસોટીના પડખેપડખે હાસ્ય પ્રગટયું ને? આનંદ પ્રગટ્યો ને? ઊજળા દિવસો ઊગ્યા ને?'
સાચી વાત છે તારી, મયણા! તારા જેવી મને બનાવી દે ને! મને તારા વિચારો... તારું જીવન... તારી ધર્મ-આરાધના... બધું જ ગમે છે!'
કારણ કે તને હું ગમું છું!' અમે બંને હસી પડ્યાં. ને રાણા જાગી ગયા.
માણા
૧૯૩
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું અને લલિતા એમની પાસે જઈને ઊભાં રહ્યાં. તેઓ સસ્મિત બોલ્યા : તમે બેસો. આજે મને એક ખૂબ સારું સ્વપ્ન આવ્યું! તમને સંભળાવું છું.” અમે બંને નીચે જમીન પર બેસી ગયાં. તેમણે સ્વપ્નકથન શરૂ કર્યું :
સ્વપ્નમાં મેં જોયું તો જંગલની કેડી પર હું અને એક દિવ્ય પુરુષ સાથે ચાલી રહ્યા છીએ. અચાનક આકાશમાંથી એક તેજલિસોટો આવે છે. તેના પ્રકાશમાં મારા જીવનના પ્રસંગો અને બની રહેલી ઘટનાઓ સાકાર થયાં. પછી મેં કેડી પર પાછા ફરીને જોયું તો બે જણનાં પગલાંનાં નિશાન રેતી પર અંકિત હતાં. ત્યાર પછી અનેક દશ્યો માનસપટ પર સરકવા લાગ્યાં.
જ્યારે જિંદગીના અંતિમ પ્રસંગનું ચિત્ર પૂરું થયું ત્યારે મેં રેતીમાં પડેલાં પગલાં પર નજર નાંખી તો એક તફાવત દેખાયો. મારી જિંદગીના કેટલાક ચોક્કસ મુકામે પગલાંના નિશાનની હારમાળા એકસરખી ન હતી. ક્યારેક એક જ હાર દેખાતી હતી. સાથે સાથે મેં જોયું તો મારા જીવનના વસમાં, વિપરીત, વિમાસણભર્યા, દુઃખદ અને કપરા કાળ વખતે એક જ વ્યક્તિનાં - એટલે કે મારાં જ પગલાં દેખાતાં હતાં. આ જાણીને હું તો દુઃખી-દુઃખી થઈ ગયો. અને એ દિવ્યપુરુષને આક્રોશ કરી કહેવા લાગ્યો : “હે દિવ્યપુરુષ! તેં મને વચન આપ્યું હતું કે હું જો તને એકલાને જ અનુસરવાનું નક્કી કરું તો પછી દરેક વખતે તું મારી સાથે જ હોઈશ. પરંતુ આજે મને તારી વાતમાં વિશ્વાસ ન રહ્યો. કારણ કે મારા જીવનના ખૂબ જ ખરાબ સમયે હું એકલો અને અટૂલો હતો. રેતી પરનાં પગલાંનાં નિશાન એની સાબિતી છે. મને સમજાતું નથી કે જે વખતે મને તારી હાજરીની હજાર વાર જરૂર હતી ત્યારે તું મને તરછોડીને કેમ જતો રહ્યો?”
એ દિવ્ય પુરુષે શાંતિથી ને સ્વસ્થતાથી જવાબ આપ્યો કે “વત્સ! મારા મહામૂલા બાળક! હું તને ચાહું છું એટલે ક્યારે ય તને છોડીશ નહીં. તારા તાપના અને તાવણીના સમયમાં તને એક જ વ્યક્તિનાં પગલાં દેખાયાં, કારણ કે એ સમયે મેં તને ઊંચકી લીધો હતો!'
હું બોલી : “અદૂભુત સ્વપ્ન છે, મારા નાથ!' લલિતા બોલી : “કોઈ દેવની કૃપા થઈ આપના પર!' અને મારા મનમાં ફુરણા થઈ : “એ દિવ્ય પુરુષ, શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રના અધિષ્ઠાયક શ્રી વિમલેશ્વર દેવ
અયા
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ હોવા જોઈએ. હે નાથ, તમે ધન્ય બની ગયા. તેમને વિમલેશ્વર દેવનો જીવનપર્યતનો સાથ મળી ગયો! આપ નિર્ભય ને નિશ્ચિત બની ગયા!
‘દેવી, શ્રી સિદ્ધચક્રજી મળ્યા પછી જેમ મારું તન નીરોગી બન્યું છે તેમ મારું મન પણ શાંત, નિર્ભય અને વિષાદરહિત બન્યું છે.'
રાત્રિ અમારી ધર્મધ્યાનમાં પસાર થઈ હતી. રાત્રિના છેલ્લા પ્રહરમાં જ અમે નિદ્રાધીન થયાં હતાં. સવારે લલિતા આવીને પૂજા-સેવાની બધી તૈયારી કરી રહી હતી.
આજે શ્રી સિદ્ધચક્રજીના પાંચમા સાધુપદની આરાધના કરવાની હતી. અમે પરમાત્માની અને મહાયંત્રની અષ્ટપ્રકારી પૂજા કરીને પછી ભાવસ્તવના શરૂ કરી. સાધુપદની સ્તવના કરી. મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
જાણે ગંગાનું નીર રે.. પાપો પખાળે પાપી તણાં સૌ
પહોંચાડે ભવને તીર રે... નિર્વાણયોગો સાથે સૌહામણા ભવના ભોગો સૌ લાગે બિહામણા પંચ મહાવ્રત પાળે રળિયામણા
ધારે શ્રમણનાં ચીર રે... પાપો, ઇચ્છાકારાદિ સામાચારી સાચવે, ક્રોધાદિ દોષો તેમને ના પાલવે સાવદ્ય ભાષા સ્વને ય ના'વે..
કષ્ટો સહે થઈ ધીર રે... પાપો૦ અંતસિંહાસને ગુરુને પધરાવે, આજ્ઞા ગુરુની દિલમાં ધરાવે, સ્વાધ્યાય-ધ્યાને મનને ડોલાવે
જીવે જીવન થઈ વીર રે.. પાપો, ત્યાગી તપસ્વી યોગી અણગાર રે ભિક્ષુ-શ્રમણ-ઋષિ તરતા સંસાર રે, જિનવર-શાસનના મોંઘા શણગાર રે...
ગાવું બની સનૂર રે.. પાપો, માણા
૧૯૫
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપૂજા પૂર્ણ કરી, શ્યામવર્ણમાં સાધુપદનો જાપ અને એનું ધ્યાન શરૂ કર્યું. 'ॐ ह्रीं श्री सर्वसाधुभ्यो नमः स्वाहा ।'
આજે બે ઘડી સુધી અમે જાપ-ધ્યાન કર્યું. તે પછી તેમના દેહ પર સ્નાત્રજલનો છંટકાવ કર્યો. તેઓ ભાવવિભોર બની “શ્રી સિદ્ધવ તવ8 નમામિ' ગાવા લાગ્યા. વારંવાર ગાવા લાગ્યા. ઊભા થઈને નાચવા લાગ્યા. એમને નાચતા જોઈને મારા પગમાં ધ્રુજારી વ્યાપી ગઈ અને નૃત્ય શરૂ થઈ ગયું. ઘણા દિવસો... મહિનાઓ પછી હું નૃત્ય કરી રહી હતી. સાજ ન હતા; સાજીંદા ન હતા... છતાં જાણે કોઈ અદશ્ય તાલ મને સંભળાઈ રહ્યો હતો... ને હું નાચી રહી હતી. તેઓ બેસી ગયા હતા. આંખો બંધ કરી ધ્યાનમગ્ન બન્યા હતા.
આર્જ અમે થોડાં મોડા પડ્યાં હતાં. પૂજ્ય ગુરુદેવ અમારી પ્રતીક્ષા કરી રહ્યા હતા. અમે વંદન કરી મોડા પડવાનું કારણ બતાવ્યું. ગુરુદેવના મુખ પર પ્રસન્નતા પથરાઈ. તેઓ બોલ્યા :
કલ્યાણી! નૃત્યપૂજા તો શ્રેષ્ઠ પૂજા છે! એમાં આત્મા પરમાત્મામય બની શકે છે. તે આજે ઉત્તમ પૂજા કરી.”
પ્રભો! આજે પહેલાં તો તેઓ નાચી ઊઠ્યા હતા! એમને નાચતા જોઈને મારું નૃત્ય શરૂ થઈ ગયું હતું
ગુરુદેવે રાણાની પૂજાની ઉપબૃહણા કરી. ગુરુદેવે સાધુપદની વિવેચના શરૂ કરી.
આજે સાધુપદની આરાધના કરવાની છે. તે માટે સાધુનું બાહ્ય-આંતરિક સ્વરૂપ જાણવું જોઈએ. વિશેષ રૂપે આજે સાધુનું શ્યામરંગમાં ધ્યાન કરવાનું છે. તે માટે સાધુનું વાસ્તવિક કલ્પનાચિત્ર એમના ર૭ ગુણોના માધ્યમથી માનસપટ પર અંકિત કરવું જોઈએ.'
પહેલાં તમને સાધુના ૨૭ ગુણો બતાવી દઉં. તેઓજ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. આ છ કાયના જીવોની રક્ષા કરે છે.
પાંચ ઇન્દ્રિયો પર વિજય વરે છે. આ રાત્રિભોજન નથી કરતા. - લોભ નથી રાખતા.
મિયાણા
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ક્ષમાશીલ રહે છે. ક ચિત્ત નિર્મળ રાખે છે.
વસ્ત્ર-પાત્રની વિશુદ્ધ રીતે પ્રતિલેખના કરે છે. * સંયમયોગોમાં પ્રવૃત્ત રહે છે.
અશુભ મનોયોગ, વચનયોગ, કાયયોગના ત્યાગી હોય છે. ૨૨ પરિષદોને સહન કરે છે. સમતાભાવે ઉપસર્ગો સહન કરે છે, હે મહાનુભાવ! ગુરુદેવે રાણાને કહ્યું : સાધુના આ બધા ગુણોનું વિસ્તૃત વર્ણન કરીને મયણા તમને સમજાવશે. સાધુજીવનની આરાધનાનું આ વિશાળ ક્ષેત્ર છે. આ આરાધના દ્વારા સાધુ પોતાના આત્માને નિર્મળ કરતા રહે છે.
હવે સાધુની બીજી રીતે સત્તર પ્રકારના સંયમની આરાધના પણ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલી છે. તેઓ
પાંચ આશ્રવોથી વિરામ પામેલા હોય છે. પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા હોય છે.
ચાર કષાયો પર વિજય મેળવવા પ્રયત્ન કરે છે. * મન-વચન-કાયાના અશુભ યોગોથી વિરત હોય છે.
પૂજ્ય ગુરુદેવે મને કહ્યું : “હે ભદ્ર! તું રાજાને આશ્રવો, ઇન્દ્રિયો, કષાયો, મન-વચન-કાયાના યોગો વગેરે સમજાવજે.”
અવશ્ય સમજાવીશ, ગુરુદેવ.” હાથ જોડીને આજ્ઞા સ્વીકારી. ગુરુદેવે આગળ વિવેચન કરતાં કહ્યું :
હવે સાધુની સાત પ્રકારની વિશેષતાઓ બતાવું છું કે જેને સાધુ વિશેષ રૂપે પાળે છે.
પહેલી વાત છે -વિષયવિરાગની, સાધુ પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ વિરક્ત હોય, એને રાગ ન હોય.
બીજી વાત છે-સાધુ લોકસંજ્ઞાના ત્યાગી હોય. અર્થાત્ દુનિયાના લોકોને ખુશ કરવાની ઇચ્છા ન રાખે કે પ્રવૃત્તિ ન કરે. તેઓ તો મોક્ષમાર્ગને જ અનુસરે.
ત્રીજી વાત છે-ક્ષમાદિ દશવિધ ધર્મના પાલનની. સાધુ ક્ષમા, નમ્રતા, સરળતા આદિ ૧૦ ગુણોને આત્મસાત્ કરતા જીવે. તેઓ માન-અપમાનને
મયમા
૧૯૭
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમ ગણે. તેઓ કંચન અને કથીરને સમાન માને, કોઈ ગાળ આપે તો રોષ ન કરે, કોઈ માન આપે તો ગર્વ ન કરે. માન આપનાર ને અપમાન કરનાર, બંને સાધુને મન સમાન હોય.
ચોથી વાત છે-સહાયક બનવાની. સાધુ સ્વયં આત્મકલ્યાણની સાધના કરે અને બીજાઓને આરાધનામાં સહાય કરે. 'સહાય કરે તે સાધુ!' આ સાધુજીવનનો આદર્શ હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમી વાત છે- ગુરુ-આજ્ઞાના પાલનની. સાધુ ગુરુઆજ્ઞાના પાલનમાં તત્પર હોય. ઉપકારી ગુરુના પ્રત્યે હૃદયમાં અહોભાવ ધારણ કરે અને ઉચિત કાળે ઉચિત ગુરુસેવા કરે.
છઠ્ઠી વાત છે- મહાવ્રતમય સંયમજીવનના પાલનની. સાધુ પોતાનું સંયમજીવન નંદવાય નહીં, તેને દોર્ષા-અતિચારો લાગે નહીં, તે માટે જાગ્રત રહે.
સાતમી વાત છે- ભિક્ષાચરીની. ગોચરીની, સાધુ ભ્રમરની જેમ દરેક ઘરેથી થોડી થોડી ભિક્ષા લે. ગાય જેમ થોડું થોડું ચરતી જાય તેમ સાધુ પણ થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે. જો ઘણાં ઘર હોય તો એક-બે ઘેરથી બધી ભિક્ષા ગ્રહણ ન કરે.
સાધુ ભિક્ષાના ૪૨ દોષ ટાળીને ભિક્ષા ગ્રહણ કરે. ૪૨ દોષ મયણા બતાવશે. એ તો આ બધું ભણેલી છે.
વળી, સાધુને ‘જંગમતીર્થ' કહેવામાં આવ્યું છે. ‘જંગમતીર્થ’ એટલે હરતુંફરતું તીર્થ. તીર્થો બે પ્રકારનાં હોય છે
:
સ્થાવરતીર્થ અને જંગમતીર્થ.
અષ્ટાપદ, સમ્મેતશિખર... વગેરે સ્થાવરતીર્થ કહેવાય. જ્યારે સાધુ જંગમતીર્થ કહેવાય. તીર્થસ્વરૂપ સાધુપુરુષની મન-વચન-કાયાથી આરાધના કરી કર્મોનો નાશ કરવાનો છે.
ધ્યાનાગ્નિમાં કર્મોનાં લાકડાં નાંખીને બાળી નાંખવાનાં છે. ‘સાધુપદ’નું ધ્યાન કરવાનું છે. જોકે તમે પ્રભાતે ધ્યાન કરીને આવ્યાં છો, પરંતુ આજે જ્યારે મન-તન સ્વસ્થ હોય ત્યારે પુનઃ પુનઃ ધ્યાન કરજો.
૧૯૮
એક વાત ભૂલશો નહીં, સાધુતાથી જ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. જીવનનું લક્ષ્ય સાધુતા જોઈએ. આ માનવજીવનમાં જો સાધુતાની આરાધના થઈ જાય તો આત્માનું કલ્યાણ થઈ જાય.
For Private And Personal Use Only
સમણા
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધચક્રજીનું ધ્યાન ધરવા માટે મન સ્વસ્થ અને નિર્મળ જોઈએ. તન સ્વસ્થ અને નિર્મળ જોઈએ, મન વિકલ્પોથી અને વિકારોથી રહિત હોય તો તે ધ્યાન કરવા માટે ઉપયુક્ત બને છે. તન વિષયભોગથી વિરક્ત હોય, પાંચેય ઇન્દ્રિયના વિષયોના ઉપભોગથી મુક્ત હોય તો તે ધ્યાન ધરવા માટે ઉપયુક્ત બને છે. એવી રીતે આસનની સ્થિરતા પણ જોઈએ.
આ રીતે શ્રી સિદ્ધચક્રજીની આરાધના કરી પરમ કલ્યાણ પામો, એ જ મંગલ કામના.”
વિવેચન પૂર્ણ થયું. અમે પ્રફુલ્લિત વદને ગુરુદેવને અને અન્ય મુનિવરોને વંદના કરી પોષધશાળામાંથી બહાર નીકળ્યાં.
માણસા
૧૯૯
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ ૨૯
મારે આજે રાણાને સાધુપદની ઘણી વાતો સમજાવવાની હતી. એટલે ઘેર આવીને, વસ્ત્રપરિવર્તન કરીને અમે અમારા ખંડમાં બેસી ગયાં. હજુ આયંબિલ કરવાને વાર હતી. લલિતાને પણ મેં બોલાવી લીધી અને તત્ત્વોનું વિવરણ શરૂ કર્યું.
હે નાથ! ગુરુદેવે મને આજ્ઞા કરી છે કે જે વાતો તેઓએ માત્ર નામનિર્દેશ કરીને છોડી દીધી, તે વાતો મારે આપને સમજાવવી. એટલે સર્વપ્રથમ સાધુનાં પાંચ મહાવ્રતો સમજાવું છું.
મનુષ્ય સંસારનો ત્યાગ કરીને સાધુ બને એટલે એણે આ પાંચ મહાવ્રત ધારણ કરવાં જ પડે *
એ મહાવ્રતોમાં પહેલું મહાવ્રત અહિંસાના પાલનનું હોય છે. “હું મનવચન-કાયાથી કોઈ જીવની હિંસા કરીશ નહીં, કરાવીશ નહીં, જે કરતા હશે એની અનુમોદના કરીશ નહીં.'
બીજું મહાવ્રત સત્ય બોલવાનું હોય છે. હું મન-વચન-કાયાથી અસત્ય બોલીશ નહીં, બોલાવરાવીશ નહીં, જે બોલતા હશે એની અનુમોદના કરીશ નહીં.'
ત્રીજું મહાવ્રત ચોરીના ત્યાગનું હોય છે. હું મન-વચન-કાયાથી ચોરી કરીશ નહીં, કરાવરાવીશ નહીં; જે કરતા હશે તેની અનુમોદના કરીશ નહીં.'
ચોથું મહાવ્રત બ્રહ્મચર્યના પાલનનું હોય છે. “મન-વચન-કાયાથી અબ્રહ્મ (મથુન) સેવીશ નહીં, સેવરાવીશ નહીં, સેવનારની અનુમોદના કરીશ
* એ સમય ૨૨ તીર્થકરોનો હતો એટલે એ કાળે મહાવ્રત ચાર હતાં, પરંતુ વર્તમાનકાલીન વાચકને સંશય પેદા ન થાય એટલે પાંચ મહાવ્રત બતાવ્યાં છે. એ કાળે ચોથું ને પાંચમું મહાવ્રત એક હતું, ભેગું હતું.
માણમા
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમું મહાવ્રત અપરિગ્રહનું હોય છે. “મન-વચન-કાયાથી હું ધનધાન્યાદિનો પરિગ્રહ રાખીશ નહીં, રખાવીશ નહીં. જે રાખતા હશે તેમની અનુમોદના કરીશ નહીં.'
આ મહાવ્રતો સાધુનાં પ્રાણભૂત હોય છે. એના પાલનમાં કોઈ ભૂલ થાય, કોઈ ક્ષતિ થઈ જાય તો ગુરુદેવને કહીને એનું પ્રાયશ્ચિત્ત કરે. મનમાં પશ્ચાત્તાપ કરે.
સાધુજીવનની બીજી મહત્ત્વની આરાધના હોય છે છ પ્રકારના જીવોની રક્ષા કરવાની. અર્થાત્ એ જીવોની હિંસા ન થઈ જાય, એ જીવોને પીડા ન થાય એ રીતે જીવન જીવવાનું હોય છે! ૧. પૃથ્વીના જીવની, ૨. પાણીના જીવોની, ૩. અગ્નિના જીવોની, ૪. વાયુના જીવોની, ૫. વનસ્પતિના જીવોની અને
૬. ત્રસ (હાલતા-ચાલતા) જીવોની હિંસા વગેરે ન થઈ જાય, તેની સાધુપુરુષો પૂરેપૂરી કાળજી રાખે છે દસ પ્રકારની સાવધાની રાખે!
(૧) ઠોકર ન લાગે, (૨) ધૂળથી ઢંકાઈ ન જાય, (૩) જમીન સાથે ઘસાઈ ન જાય, (૪) પરસ્પર જીવો અથડાઈ ન જાય, (૫) એમને સ્પર્શ ન થઈ જાય, (૬) કષ્ટ ન પડી જાય, (૭) એમને ખેદ ન થાય, (૮) ભયભીત ન થઈ જાય, (૯) સ્થાનાંતર ન થાય કે (૧૦) મરી ન જાય. આટલી કાળજી રાખવાની હોય, આને “ષજીવનિકાયની યતના” કહેવાય.
વિરાધના થઈ જાય તો તત્કાલ “મિચ્છામિ દુક્કડું' આપે. અર્થાત્ “મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ!
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોના ૫૬૩ પ્રકાર થાય છે. એમની ઉપર કહ્યા મુજબ ૧૦ પ્રકારે વિરાધના થાય. રાગ-દ્વેષથી થાય, કરણ-કરાવણ -- અનુમોદનથી થાય, મન-વચન-કાયાથી થાય; ભૂતકાળ, ભવિષ્યકાળવર્તમાનકાળમાં થાય તો અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ અને પોતાના આત્માની સાક્ષીએ ‘
મિનિ કુર' કહેવાનું. કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુપુરુષો સર્વે જીવોમાં ચૈતન્યનું દર્શન કરે
૨૦૧
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. બધા જીવો મારા જીવ જેવા જ છે. માત્મવત્ સર્વભૂતેષુ એવી સમજણ એમની વિકસેલી હોય છે.
સાધુજીવનની આ બે મુખ્ય આરાધનાઓ છે. ત્રીજી આરાધના છે દશ પ્રકારના સાધુધર્મની, યતિધર્મની. એ દશ પ્રકારના સાધુધર્મમાં લગભગ બીજી બધી વાતોનો સમાવેશ થઈ જાય છે.
હે નાથ, રાગ-દ્વેષ અને મોહ – સર્વ દુ:ખો અને સર્વ લેશોનાં મૂળભૂત કારણો છે. આ કારણોને દૂર કરવા માટે, દોષોને આત્માથી નિર્મૂળ કરવા માટે દશ પ્રકારનો સાધુધર્મ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલો છે.
૧. પહેલો સાધુધર્મ છે ક્ષમા : કોઈ આપણને ગાળ દે, કોઈ આપણું અપમાન કરે, કોઈ પ્રહાર કરે... આપણે સહન કરવાનું. સાધુપુરુષ એ ગાળો દેનાર તરફ, અપમાન કરનાર તરફ, પ્રહાર કરનાર તરફ કરુણાભાવથી જુએ છે. એમના તરફ રોષ કે રીસ નથી કરતા. સહન કરવાની અને ક્ષમા કરવાની શક્તિ વધારતા રહે છે.
૨. બીજો સાધુધર્મ છે માર્દવ : માન-કષાય પર સાધુ વિજય મેળવવા ઝઝૂમે છે. મૃદુ બને છે. એમનું હૃદય કોમળ હોય છે. માન-અભિમાન હૃદયને કઠોર બનાવે છે. કઠોર હૃદયમાં સગુણનાં બીજ ઊગતાં નથી માટે સાધુ પોતાની નમ્રતાને કાયમ રાખવા પ્રયત્નશીલ રહે છે. એનો ઉપાય છે સ્વદોષદર્શન કરવાનો અને બીજાઓના ગુણ જોવાનો.
૩. ત્રીજો સાધુધર્મ છે આર્જવ : સાધુ સરલ હોય. બાળક જેવી તેમનામાં સરલતા હોય. જેમ બાળક જે કરે, જેવું કરે તે બધું માતાને કહી દે તેમ સાધુ પોતાના ગુરુને પોતાની ભૂલો સરળતાથી કહી દે. કોઈ પાપ હૃદયમાં છુપાવે નહીં. આવી સરળતાના કારણે સાધુપુરુષ સદેવ પ્રસન્નચિત્ત રહે છે.
૪. ચોથો સાધુધર્મ છે શૌચ : સાધુ પવિત્ર પુરુષ હોય છે. લોભ મનુષ્યને અપવિત્ર કરે છે. તૃષ્ણા ગંદા કરે છે. માટે સાધુ લોભ-તૃષ્ણાનો ત્યાગ કરે છે. આંતરિક પવિત્રતા - શુદ્ધિ પ્રાપ્ત કરવાને તેઓ કૃતનિશ્ચયી હોય છે. આંતરવિશદ્ધિના માર્ગે સતત પ્રયત્નશીલતા એ શૌચધર્મ છે.
૫. પાંચમો સાધુધર્મ છે સંયમ : સાધુ હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહથી વિરામ પામેલા હોય છે. પાંચ ઇન્દ્રિયોનો નિરોધ કરે છે. ચાર કષાયોને ઉપશાંત કરે છે. મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ રોકે છે. આનું નામ સંયમ! તેઓ દૃઢતાપૂર્વક આ સંયમધર્મનું પાલન કરતા રહે છે.
૨૦૨
માણા
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. છઠ્ઠો સાધુધર્મ છે ત્યાગ : તેઓ કોઈ જીવનો વધ કરતા નથી. કોઈ જીવોને બાંધતા નથી, જીવો સાથે દયામય વ્યવહાર રાખે છે. ત્યાગની આ એક વાત છે. બીજી વાત છે – સંયમી સાધુપુરુષોને કલ્પનીય ભોજન-વસ્ત્રપાત્ર આદિ આપવું. સાધુ, સાધુને પ્રાસુક ભોજનાદિ આપે!
૭. સાતમો સાધુધર્મ છે સત્ય : સાધુઓ હિતકારી જ બોલે. સ્વ-પર માટે જે હિતકારી હોય તે બોલે. તેઓ અહિતકારી ન બોલે. વિસંવાદી ન બોલે. અસત્ય ન બોલે, સત્યનિષ્ઠાને તેઓ મહાન ધર્મ માને છે. સત્ય બોલતાં તે ડરતા નથી.
૮. આઠમો સાધુધર્મ છે ત૫ : સાધુ તપ કરતા રહે છે ને તપ દ્વારા કર્મનિર્જરા કરતા રહે છે. બાહ્ય અને અત્યંતર - બંને પ્રકારનાં તપ તેઓ કરતા રહે છે.
૯. નવમો સાધુધર્મ છે બ્રહ્મચર્ય : બ્રહ્મસ્વરૂપ આત્મામાં રમણતા કરવા સાધુ મૈથુનથી નિવૃત્ત હોય છે. તેઓ મનથી પણ મૈથુન નથી સેવતા, બ્રહ્મચર્ય પાળી શકાય એવા સ્થાનમાં તેઓ રહે છે, તેવું જ ભોજન કરે છે, તેવી તપશ્ચર્યા કરે છે. એવું જ અધ્યયન કરે છે. આ રીતે બ્રહ્મચર્યનું પાલન કરતા તેઓ તન-મનથી તંદુરસ્ત રહે છે; અને પરમ બ્રહ્મની લીનતા તરફ આગળ વધે છે.
૧૦. દશમો સાધુધર્મ છે આકિંચન્ય : સાધુ અપરિગ્રહી હોય છે. મૂચ્છના ત્યાગી હોય છે. મમતાના ત્યાગી હોય છે. તેઓ માત્ર પોતાના સંયમનાં ઉપકરણો જ પાસે રાખે છે. કોઈ પણ પગલદ્રવ્ય પર મમતા ન થઈ જાય, એની સાવધાની રાખે છે.
ભૂતકાળનાં પાપોનો નાશ કરવા, વર્તમાનકાલીન જીવનને નિષ્પાપ બનાવવા અને ભવિષ્યના અનંત કાળને સુખપૂર્ણ બનાવવા માટે આ દશ પ્રકારનો સાધુધર્મ શ્રેષ્ઠ ઉપાય છે. જે સાધુ-સાધ્વી આ દશવિધ ધર્મને મનવચન-કાયાથી આરાધે છે, તેઓ અવશ્ય સુખ-શાંતિ અને ગુણસમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.'
આ રીતે મેં એમને - રાણાને સાધુપદની ઝાંખી કરાવી. તેમના મુખ પર પ્રસન્નતા પથરાઈ હતી.
બયા
૨૦૩
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિતાએ અમને આજે અડદનું આયંબિલ કરાવ્યું. આયંબિલ કરીને તેમણે વિશ્રામ કર્યો. હું અને લલિતા બીજા ખંડમાં જઈ ધીમા અવાજે વાતો કરવા લાગ્યાં. આજે લલિતા પ્રફુલ્લિત હતી. કુદરતે એને અપૂર્વ લાવણ્યમય કાયા આપી હતી. પ્રેમભર્યું હૃદય આપ્યું હતું. તે તેની સુંદર આંખોથી મારી તરફ જોઈ રહી... પછી સ્મિત કરીને બોલી :
મારી સખી! શ્રી સિદ્ધચક્ર-મહામંત્રની આરાધનાથી માત્ર રાજા જ નીરોગી બન્યા છે, એટલું નહીં, તારી દેહ કાંતિ પણ નીલકમલની પાંખડીઓ જેવી અતીવ સુંદર બની છે. સાગરની લહેરો જેવા તારા ગાઢા વાળ અને નીલપા જેવી ઉજ્જવલ ચમકતી મનમોહક તારી નિર્દોષ આખો! વિશ્વના શ્રેષ્ઠ શિલ્પકારના હાથે ઘડાયેલી પ્રતિમા જેવી સુંદર મુખશોભા. યોગ્ય અંગસૌષ્ઠવ, ઉન્નત-પુષ્ટ વક્ષ, પાતળી કટિ, રંભાત જેવા ગોળ ઘન ઊરુ, ચંપાકળી જેવી હાથ-પગની આંગળીઓ, લાલ શતદલપા જેવી હથેળી, પગનાં તળિયાં, મુક્તાવલી જેવી દંતપંક્તિ, વિદ્યુતને પણ શરમાવે એવી હાસ્ય-રેખા. ચન્દ્ર જેવા નખ.. અને તારા શરીરની કમળ જેવી ભીની ભીની મહેકથી ભ્રમરને પણ મતિભ્રમ થઈ જાય! તારા વાળના વાંકડિયા સૌંદર્યમાં પવન પણ બંધાઈને સ્થિર થઈ જાય.. તારું આવું સૌંદર્ય ખીલી ઊઠ્ય છે,
મારી સખી! તારા આ રૂપનું વર્ણન હું જ એકલી નથી કરતી. આજે નહીં, જ્યારે તું મહેલમાં હતી ત્યારે તારા રૂપની પ્રશંસા કવિઓ કરતા હતા. એક મહાકવિએ તો કહ્યું હતું : “રાજ કુમારી મયણાના રૂપનું વર્ણન ગમે તેટલું કરો, ઘણું બધું બાકી રહી જાય છે. જીવનભર કાવ્ય લખવા છતાં ય આ અનુપમ સૌંદર્યને યોગ્ય ઉપમા નહીં મળે! મયણાની ઉપમા મયણા પોતે જ છે!' લલિતા મારી પ્રિય સખી છે! મને ત્રાંસી આંખે જોઇ, હોઠ આમળીને હસી પડી. મેં એના માથે ટપલી મારીને કહ્યું : “તને સખીનું દિલ રીઝવતાં સારું આવડે છે! તને જે પુરુષ વરશે તે સ્વર્ગનું સુખ પામશે!'
સંધ્યાકાલીન આરતી કરી. લલિતા ઘરનાં બધાં કામ પતાવીને ચાલી ગઈ. અમે અમારા શયનખંડમાં ચાલ્યાં ગયાં. થોડીક અલક-મલકની વાતો કરી અને રાત્રિનો બીજો પ્રહર શરૂ થતાં જ અમે ઊંધી ગયાં.
૨૦૪
મયણા
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવારે અમે વહેલા જાગી ગયાં. મેં એમને કહ્યું : “નાથ, અત્યારે મન સ્વસ્થ હોય તો આપણે પાંચ પદોનું ધ્યાન કરીએ. આજે દર્શન-પદનું પૂજન કરવાનું છે એટલે પછી તો પૂજનઅર્ચન અને ધ્યાન-જાપ દર્શનપદનાં કરવાનાં છે. અત્યારે બે ઘડીનો સમય છે, તો પાંચ પદનું ધ્યાન કરી લઈએ. પહેલાં અરિહંતપદનું શ્વેત રંગમાં ધ્યાન કરવાનું છે. પછી સિદ્ધપદનું લાલ રંગમાં ધ્યાન કરવાનું છે. ત્યાર બાદ આચાર્યપદનું પીળા રંગમાં ધ્યાન કરવાનું. તે પછી ઉપાધ્યાયપદનું લીલા રંગમાં ધ્યાન કરવાનું અને પાંચમા સાધુપદનું કાળા રંગમાં ધ્યાન કરવાનું છે.
અમે બંને જમીન પર જ આસન પાથરીને પદ્માસને બેસી ધ્યાન લગાવ્યું. બે ઘડી સુધી અમારું ધ્યાન કોઈ વિઘ્ન વિના પૂર્ણ થયું અને લલિતાએ ઘરનો દરવાજો ખખડાવ્યો.
તેઓ બોલ્યા : “દેવી, આજે ધ્યાનમાં મારું મન લીન થઈ ગયું. હૃદયમાં રોમાંચ અનુભવ્યો. ધ્યાન પૂર્ણ થતાં એક દિવ્ય પ્રકાશનો લિસોટો આકાશમાંથી ઉતરી આવ્યો... ને તેમાંથી એક દિવ્ય સ્ત્રી-આકૃતિએ મારા પર અભય મુદ્રામાં હાથ મૂક્યો! બે ક્ષણ... ચાર ક્ષણ... અને બધું અદૃશ્ય થઈ ગયું!”
મેં તેમને કહ્યું : “હે પ્રીતમ! આપના ઉપર શ્રી સિદ્ધચક્રમહાયંત્રની અધિષ્ઠાયિકા દેવી ચકેશ્વરીની કપા થઈ છે. એ દિવ્ય સ્ત્રી-આકૃતિ બીજી કોઈ નહીં, દેવી ચકેશ્વરી જ હોવાં જોઈએ. બહુ જ ઉત્તમ સંક્ત પ્રાપ્ત થયો!'
પછી અમે નિત્ય ક્રમ મુજબ પરવારીને પૂજાખંડમાં ગયાં, પૂજાની બધી જ પૂર્વતૈયારી લલિતાએ કરી દીધી હતી. અમે બંનેએ અષ્ટપ્રકારી પૂજા કરી. સિદ્ધચક્ર-મહાયંત્રમાં વિશેષરૂપે “દર્શનપદ'ની પૂજા કરી. ત્યાર પછી ભાવપૂજામાં પ્રવેશ કર્યો. આજે શ્રદ્ધાની વીણા રણઝણી હતી... મેં ગદ્યગીત શરૂ કર્યું :
પ્રભુ! બધાની વચ્ચે તારો સ્વીકાર કરું છું. બધાંની વચ્ચે તને હૃદયથી વરી છું. માત્ર મારા મનમાં જ નહીં, મારા ઘરના ખૂણામાં જ નહીં, મારી કોઈ રચનામાં જ નહીં, તારો મહિમા જ્યાં ઉજ્વલ રહે તે બધાની વચ્ચે તારો સ્વીકાર કરીશ, ઘુલોકમાં અને ભૂલોકમાં હું તને જ હૃદયથી વરીશ.
માણસા
૨૦૫
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધું ત્યજીને તારો સ્વીકાર કરીશ. માત્ર તારા જીવનમાં જ નહીં, માત્ર સંગીતરવમાં જ નહીં, માત્ર નિર્જન ધ્યાનના આસન પર જ નહીં, પણ જ્યાં તારો સંસાર જાગ્રત રહે છે ત્યાં કર્મથી તારો સ્વીકાર કરીશ. પ્રિયઅપ્રિયમાં તને હૃદયથી વરીશ. અજ્ઞાતરૂપે તારો સ્વીકાર કરીશ. જ્ઞાતરૂપે હે નાથ, તને હૃદયથી વરીશ. માત્ર જીવનના સુખમાં જ નહીં, માત્ર હસતા મુખમાં જ નહીં, માત્ર સારા દિવસોના સહજ સુયોગમાં જ નહીં, પણ દુઃખશોક જ્યાં અંધારું કરી નાંખે છે, ત્યાં નમ્ર બનીને તારો સ્વીકાર કરીશ. આંખના આંસુ વડે તને હૃદયથી વરી છું!'
શ્રદ્ધાભાવનાં કુસુમ ચઢાવીને અમે “ૐ &નમો ' મંત્રનો જાપ અને ધ્યાન શરૂ કરી દીધાં. એક ઘડી સુધી જાપ-ધ્યાન કરીને, પછી સ્નાત્રજળ મેં રાજાના શરીરે છાંટ્યું. તેમના રોમરોમ ખીલી ઊઠડ્યાં. તેઓ બે હાથ જોડીને પ્રભુની સમક્ષ બેસી ગયા. તેમના કંથી એક ગીત સરી પડ્યું:
મારી શ્રદ્ધા હો તવ ચરણે તવ સ્મૃતિ રહે મુજ મરણે ભલે ને આવે ઝંઝાવાતો રહું હું જિનવર-ચરણે... મારી શ્રદ્ધાસુમન સ્વીકારો જિનવર, કરો ભક્તિસભર મમ અંતર. રહો હૃદયમાં આપ નિરંતર નહિતર ડૂબું ભવમાં ભયંકર... મારી0 ન ચાહું દોલત કે ન ચાહું માન ન માગું સુખ કે ન ચાહું દાન. માગું ઝઝૂમવાની હામ પહોંચવા મુક્તિ કેરા ધામ... મારી0 સર્વજ્ઞ દેવ ને સદ્ગુરુ પામું સર્વજ્ઞભાષિત ધર્મને કામું બસ, ભવને પાર જવું છે જ્યોતમાં જ્યોતને ભળવું છે!
૨૦૬
માણા
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે પરમાત્મા મંદિરે પૂજન- દર્શન કરી ગુરુદેવ પાસે પહોંચી ગયાં. વંદના કરી યોગ્ય સ્થાને બેસી ગયાં. આજે ગુરુદેવ અમને “દર્શનપદ” સમજાવવાના હતા. તેઓએ વિવેચના શરૂ કરતાં કહ્યું : “આજે હે મહાનુભાવ! તમને “સમ્યગુદર્શનપદનું સ્વરૂપ અને મહિમા સમજાવીશ.
સમ્યગુદર્શન કહો, સમકિત કહો, સમ્યત્વ કહો, બધા સમાન અર્થવાળા શબ્દો છે. સમ્યગદર્શન એટલે દેવ-ગુરુ-ધર્મ ઉપરની શ્રદ્ધા “અરિહંત મારા પરમાત્મા, સુસાધુ મારા ગુરુ અને સર્વજ્ઞભાષિત તત્ત્વો, તે મારો ધર્મ.” આવી શ્રદ્ધા તે સમ્યગુદર્શનની પ્રાથમિક ભૂમિકા છે. ભલે, આ ત્રણ તત્ત્વોનું સ્વરૂપ ન જાણતા હોય, છતાં શ્રદ્ધા થઈ શકે. આવી શ્રદ્ધાનું મહત્ત્વ પણ ઘણું હોય છે. આવો શ્રદ્ધાભાવ આત્માનું ઉત્થાન કરતો હોય છે.
આવું સમ્યગદર્શન કેટલાક જીવોને જન્મથી જ હોય. તેમને સહજભાવે દેવ-ગુરુ-ધર્મ ગમે અને શ્રદ્ધા થાય.
કેટલાક જીવો એવા હોય કે સગુરુનો સંપર્ક થાય, પરિચય થાય, શ્રદ્ધાવાન સાધર્મિકોનો પરિચય થાય અને સમ્યગદર્શન પ્રગટ થાય.
કેટલાક આત્માઓને જાતિસ્મરણશાનથી શ્રદ્ધાભાવ પ્રગટે. કોઈ વખતે પૂર્વજન્મ યાદ આવી જાય, પૂર્વજન્મમાં આરાધેલા પરમાત્માની, સદૂગુરુની અને ધર્મની સ્મૃતિ થઈ આવે! અને આ જન્મમાં જીવાત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ જાય,
આ સમ્યગ્દર્શનના જુદીજુદી અપેક્ષાઓથી ઘણા પ્રકારો છે. તે સમજવા માટે તો વ્યવસ્થિત અધ્યયન કરવું પડે. હે રાજા! તમને આ બધું મયણા સમજાવી શકશે. એણે અધ્યયન કરેલું છે.
આવું સમ્યગુદર્શન આપણામાં પ્રગટ્યું છે કે કેમ, તેનો તમે સ્વયં નિર્ણય કરી શકો છો! તે માટે પાંચ લક્ષણ બતાવવામાં આવ્યાં છે. હા, કોઈ અવધિજ્ઞાની મહામુનિ કે કેવળજ્ઞાની તો સ્પષ્ટ રીતે કહી શકે કે તમારામાં સમકિતગુણ પ્રગટ્યો છે કે નહીં. પાંચ લક્ષણ તમને સમજાવું છું. (૧) પહેલું લક્ષણ છે આસ્તિકતા : આસ્તિકતા એટલે શ્રદ્ધા. પહેલાં મેં સમજાવ્યું એ પ્રમાણે પરમાત્મા ઉપર, સદ્ગુરુ પર અને સધર્મ ઉપર શ્રદ્ધા
મયણી
૨૦૭
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગે. એવી સમજણ પણ આવે કે “આ દેવ-ગુરુ-ધર્મનું શરણ અક્ષયપદ આપે છે. માટે એ જ મંગલકારી છે, ઉત્તમ છે અને શરણભૂત છે.” સમકિતીના મનમાં આવો પાક્કો નિર્ણય થયેલો હોય.
ર્જ મંગલ કારી હોય તે જ ઉત્તમ હોય, અને તે જ શરણ્ય હોય. “ત્રણેય લોકમાં અરિહંત-સિદ્ધ-સાધુ અને ધર્મ જ મંગલકારી છે, કલ્યાણકારી છે અને હિતકારી છે. તેમનું હું શરણ સ્વીકારું છું.”
શ્રદ્ધાનુ-આસ્તિકતાનું આ સ્વરૂપ છે. જેના પ્રત્યે તમને શ્રદ્ધા થશે તમે એને શ્રેષ્ઠ સમજવાના અને તેના શરણે જવાના. એના શરણમાં તમે તમારી જાતને સુરક્ષિત માનવાના.
તમે આ ઉત્તમ વિભૂતિઓના શરણે જ શો એટલે તમારામાં બીજું લક્ષણ પ્રગટ થશે.
(૨) બીજું લક્ષણ છે વૈરાગ્ય : સંસારના ભૌતિક સુખો તરફ, પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ મન વિરક્ત બનશે. જેમ જેમ શરણાગતિનો ભાવ વધતો જશે તેમ તેમ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ તીવ્ર બનતો જશે.
વૈરાગ્યભાવ પ્રગટશે એટલે ત્રીજું લક્ષણ પણ આત્મામાં પ્રગટ થવાનું. (૩) ત્રીજું લક્ષણ છે સંવેગ : મોક્ષસુખની અભિલાષા જાગશે! એક સુખ પસંદ ન આવે તો બીજું સુખ ગમી જાય. સંસારના સુખ ન ગમ્યાં એટલે મોક્ષસુખ ગમે! “સંસાર અસાર છે', આ વાત સમજો તો “મોક્ષ સરસ છે, સારભૂત છે', એમ લાગે. ક્ષણિક સુખ પ્રત્યે વૈરાગ્ય જાગે તો શાશ્વત સુખ પ્રત્યે રાગ જાગે. સંસારનાં સુખોમાં જીવ અનાસક્ત બને તો મોક્ષસુખમાં આસક્તિ જાગે.
(૪) ચોથું લક્ષણ છે અનુકંપા : અનુકંપા એટલે દુ:ખી જીવો પ્રત્યે દયા, બીજાનું દુઃખ જોઈને આત્મા કંપી ઊઠે, તે અનુકંપા કહેવાય. સમકિતી આત્મા દયાથી ભરેલો હોય. એ બીજા જીવોનાં દુઃખ દૂર કરવાની ભાવનાવાળો હોય ...અને યથાશક્તિ દુઃખ દૂર કરવા ઉપાય પણ કરે.
(૫) પાંચમું લક્ષણ છે પ્રશમ : ઉપશમભાવ-પ્રશમભાવ સમકિતદૃષ્ટિ આત્માનું વિશિષ્ટ લક્ષણ છે. જિનધર્મની શોભા આ ઉપશમભાવથી હોય છે. સમકિતદષ્ટિ જીવમાં એટલી સમજણ આવેલી હોય કે “સુખ અને દુઃખ મારાં જ કર્મોનું ફળ હોય છે. મારાં પાપ કર્મોથી દુઃખ આવે, મારાં પુણ્ય
૨૦૮
મયણા
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મથી સુખ આવે.' તો પછી દુઃખ આપનાર પ્રત્યે દ્વેષ નહીં થાય. આ છે ઉપશમભાવ!
આશાતાવંદનીય કર્મના ઉદયથી શારીરિક દુઃખો આવે. * વિવિધ અંતરાય કર્મોના ઉદયથી જીવનમાં વિઘ્નો આવે. ભોગ-સુખો ન મળે, ઉપભગનાં સાધનો ન મળે, માગવા છતાં ભિક્ષા ન મળે, દાન ન મળે... શારીરિક શક્તિ ન મળ, ધન-સંપત્તિ ન મળે. આવી બધી સમજણ મેળવવાથી (ઉપશમભાવ' કેળવાય છે. હે રાજા! આજે “સમ્યગ્દર્શનપદની આરાધના કરી, એ ગુણને આત્મસાત્ કરજો! સમકિતદૃષ્ટિ જીવ સદ્ગતિ પામે છે!"
મચણા
૨૦૯
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
30 જે
અમે પૌષધશાળાથી ઘેર આવ્યાં. લલિતા દ્વાર પર જ ઊભી હતી. તેણે સસ્મિત વદને અમને આવકાર્યા, જાણે કે ધર એનું હોય!
રાણા અમારા ખંડમાં ગયા. લલિતાએ મારો હાથ પકડીને ઊભી રાખી અને કાનમાં બોલી : “આપણે બહાર જવાનું છે. એકાદ ઘડીમાં પાછાં આવી જઈશું!' પણ ક્યાં જવાનું છે?' હું લઈ જાઉં ત્યાં!”
ક્યાં લઈ જઈશ?” જંગલમાં. અહીંથી થોડે દૂર...” મેં રાણાને કહ્યું : “અમે જરા બહાર જઈ આવીએ છીએ. તમે વિશ્રામ
કરો.”
અમે બે જંગલની કેડીએ ચાલ્યાં. લલિતા બોલી : “એક યુવાન સંન્યાસી એક પર્ણકુટી બાંધીને રહેલો છે! પિતાજી (મહામંત્રી સોમદેવ) પાસે આવેલો. ભગવાન ઋષભદેવનો ભક્ત છે! છે ભગવાં વસ્ત્રધારી! મળવા જેવો છે. યુવાની છે પણ નિર્વિકાર છે! રૂપવાન છે પણ સંયમી છે. પિતાજી પ્રશંસા કરતા હતા. એટલે મને થયું કે તને દર્શન કરાવી દઉં!”
અમે પર્ણકુટી પાસે પહોંચી ગયાં. સંન્યાસી એક નાના બાળકની જેમ આઠ દિવસ પહેલાં જન્મેલા એક સુંદર નવજાત વાછરડા સાથે તોતડી ભાષામાં વાતો કરવામાં મગ્ન હતો. વાતો કરતાં કરતાં એ વાછરડાનું ભરાવદાર પૂંછડું પોતાના સ્વચ્છ ગાલ પર ફેરવી લેતો હતો! અમને જોઈને એણે ગંભીરપણે પેલા વાછરડાને કહ્યું : “વૃષભપુત્ર, આપણે ત્યાં કોણ આવ્યું છે એ તું જાણે છે? સિદ્ધાંતનિષ્ઠા ખાતર પિતા-રાજા સાથે સંઘર્ષ કરનાર અને પિતાએ જેને એક આરણ્યક કુષ્ઠરોગી સાથે પરણાવી છે તે રાજકુમારી મયણાસુંદરી છે! આચાર્ય મુનિચન્દ્રસૂરિની માનીતી શિષ્યા છે!
૨૧૦
માણા
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિદુષી છું! મંત્રીકન્યા એને લઈને આવી છે. તું એનું સ્વાગત કર! કેવળ લુખ્ખા સ્વાગતથી નહીં ચાલે, ભાઈ! તારા ભાગમાંથી અરધું ગરમગરમ દૂધ આજ તારે એને આપવું પડશે! આપીશ ને?' એણે વાછરડાના કાન પાસે માં રાખીને એને પૂછ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાછરડાએ પણ એની બોર જેવડી મોટી મોટી આંખો મારી સામે ટગટગાવીને કાન ઊંચા કર્યા. પૂંછડાના કોમળ કેશ ઊંચા કરી એણે લાડથી ઝટકો માર્યો અને તેણે મોટેથી હું...' કહી હોંકારો દીધો. જાણે કે એ સંન્યાસીની ભાષા સમજતો હોય તેમ! એણે જાણે સંમતિ આપી. સંન્યાસી એના ભાંભરડાથી ખુશ થઈ ગયો. એણે એના કપાળ પરની નાજુક રુવાંટી પર પોતાની લાંબી આંગળી પસવારી. હું એ બંનેને મુગ્ધપણે જોતી જ રહી! મને એ બંને ચૈતન્યતત્ત્વનાં આકર્ષક રૂપ લાગ્યાં. ઘડીભર મને થયું કે હું જો ઋષિકન્યા હોત તો મારું જીવન પણ આવું જ હોત ને!
એની પર્ણકુટીમાં ઘાસના આસન પર અમે બેઠાં. મેં અને લલિતાએ સંન્યાસીને પ્રણામ કર્યાં મેં પ્રશ્ન કર્યો :
‘હે ત્યાગીપુરુષ, જીવનનો શ્રેષ્ઠતમ્ આનંદ કયો છે, એ જાણવાની મારી તીવ્ર ઇચ્છા છે. શું મનનો આનંદ જ અંતિમ છે?'
નીચી દૃષ્ટિ અને મધુર વાણી... ગંભીર ધ્વનિ!
‘રાજકુમારી, મનનો આનંદ અંતિમ નથી. અંતિમ આનંદ તો આત્માનો છે! એ જ શ્રેષ્ઠ અને અખંડ આનંદ છે.'
માણા
આ જગતમાં આપણે શા માટે આવ્યા છીએ? ક્યાં જવાના છીએ? આ ચરાચર વિશ્વમાં કયા તાંતણે બંધાયા છીએ? આશ્રમની આ ગાયોનાં સુંદર વાછરડાં શા માટે નાચેકૂદે છે? એક જ દિવસનું જીવન જીવતાં ફૂલો વેલ પર વાયુલહરીની સાથે હસતાં હસતાં કેમ ડોલે છે? મેઘ શા માટે ગર્જે છે? વાયુ શા માટે વહે છે? વરસાદ શા માટે વરસે છે? સમસ્ત જગતના કણકણ ચેતનાનાં પ્રણયગીત ગાતાં ગાતાં અવિરતપણે કઈ રીતે ગતિમાન રહી શકે છે? આ વિશાળ જીવસૃષ્ટિ... વિવિધ જીવન...વિવિધ જીવનરસ... આ બધું જાણવા માટે, આ બધું જોવા માટે એક અદ્ભુત નેત્ર આપણી ભીતરમાં છે. એનું નામ આત્મા છે!
આ નેત્ર જ્યારે ખુલી જાય ત્યારે તમામ સમસ્યા દૂર થઈ જાય છે. આખું વિશ્વ હાથની હથેળીમાં દેખાય છે! મહાભયાનક લાગતાં વિનાશનું દુ:ખ
For Private And Personal Use Only
૨૧૧
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ત્યારે લાગતું નથી. મિથ્યા આનંદ પણ નામશેષ થઈ જાય છે. પછી રહે છે. માત્ર પ્રકાશ! માત્ર આનંદ! આત્માનંદ એ જ સર્વશ્રેષ્ઠ આનંદ છે.
સંન્યાસીએ પોતાની વિશાળ આંખો મીંચી દીધી. તેમના મુખમાં “ૐ નમો ઢષમવેવાય ની પ્રાર્થના સરી. પ્રાર્થનાનો ધીરગંભીર ધ્વનિ પર્ણકુટીના પ્રાંગણમાં જંગલમાં ગુંજી ઊઠ્યો.
અમે ઊભા થયાં. સંન્યાસીએ અભયમુદ્રાથી આશીર્વાદ આપ્યા અને અમે ઝડપથી ઘર તરફ ચાલી નીકળ્યાં.
‘લલિતા, ખરેખર આનંદ મળ્યો. તું મને યોગ્ય સ્થાને લઈ ગઈ હતી. સંન્યાસી જ્ઞાની છે, અનુભવી છે. મારી સમજ મુજબ ભગવાન ષભદેવના સમયમાં જે કચ્છ-મહાકચ્છ વગેરે રાજાઓ દીક્ષા લીધા પછી અરણ્યવાસી બની ગયા હતા અને ભગવાન ઋષભદેવને જ ભજતા હતા, તે પરંપરામાં આ સંન્યાસી હો જોઈએ.'
અમે ઘેર પહોંચ્યાં. આયંબિલ કરવાનો સમય થઈ ગયો હતો. આજે ચોખાનું આયંબિલ કરવાનું હતું. લલિતાએ ચોખાની ત્રણ-ચાર વાનગીઓ બનાવી હતી. અમે આયંબિલ કરી લીધું. રાણાએ વામકુક્ષિ કરી. હું અને લલિતા પૂજાખંડમાં ગયાં. મેં લલિતાને કહ્યું :
સખી! આજે તો અત્યારે પ્રભુભક્તિ કરીએ!” અમે ત્રણ ખમાસમણ દીધાં અને સ્તવના શરૂ કરી :
છોને કોઈ માન ન દેજે મોંધું કોઈ દાન ન દેજે ઊંચું કોઈ સ્થાન ન દેજે માગું તો માગું કેવળ હે વીતરાગી! ગુંજે ઉર ગાયન શ્રદ્ધાનું.. તેને ના થંભાવી દેજે... છોને૦ છોને ભાગ્યે જ મારા હોય ચાંદની રાતો, નવી કો, “સૃષ્ટિ માંહી વહેતી બધી પ્રેમ-બિછાતો, હૈયાબાળ ઘોર ઉનાળો વરસે આતમ કાળો
૨૧૨
મયણ
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાતમથી પ્રીત કરવાની જીવની મારી ટેવ પુરાણી તેને ના વિસરાવી દેજે... છોને, છો ન લલાટે લખેલ મારે મલયાનિલનો સાથ, ફૂલપથારી કામણગારી ને ફરતો હેતનો હાથ વીંઝાતા નિત વંટોળ કંટક-સેજના ખોળે સદ્ગુરુના ચરણો ચૂમવાની જીવની મારા ટેવ પુરાણી તેને ના વિસરાવી દેજે.. છોને,
લલિતાએ પણ ભાવપૂર્વક ગાયું. અમે પૂજાખંડમાંથી બહાર આવ્યાં. મેં લલિતાને કહી રાખેલું કે આ નવ દિવસ (આસો સુદ-૭થી આસો પૂનમ સુધીના) એણે રાજમહેલની કે મામાના મહેલની કોઈ વાત મને ન કરવી. અને અમારી કોઈ વાત એના ઘરમાં કે રાજમહેલમાં ન કરવી. એ બધી વાતો નવ દિવસ પૂર્ણ થયા પછી જ કરવાની હતી. નમતા પહોરે મેં રાણાને અને લલિતાને થોડું થોડું તત્ત્વજ્ઞાન સમજાવ્યું.
આત્મા શું છે? * કર્મો શું છે? આત્માને કર્મો બંધાયેલાં છે. કેવી રીતે કર્મો બંધાય? કેવી રીતે કર્મો તૂટે?
ધર્મ એટલે શું? જ પરમાત્માનું સ્વરૂપ શું? વગેરે વાતો સરળતાથી સમજાવી. સંધ્યાકાલીન આરતી કરી. તેઓ ખૂબ જ હર્ષિત હતા. મને કહ્યું : દેવી, પ્રભુને આપણા હૃદયની વાતો કરો ને! તેઓ જરૂર સાંભળે છે! મારા મુખમાંથી શબ્દો વહેવા લાગ્યા : “હે મારા પ્રભુ! એકલા ઘરમાં બેઠાં બેઠાં મારા જીવનમાં તેં કયો સૂર બજાવ્યો? નાથ, તારો પારસમણિ ગૂંથી ગૂંથીને ખુબ ચૂપકીથી તેં મને સજાવી!'
દિવસના પ્રકાશનો પડદો તાણીને તું ક્યાં સંતાયો હતો એ હું નથી જાણતી, પણ આથમતા રવિના તોરણમાંથી તે રાતનાં મારાં સ્વપ્નોમાં પગ લાંબો કર્યો હતો!
માણા
૨૧૩
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાનમાં તારી માલકૌંસી વાણી સંભળાય છે. રાત પૂરી થતાં ઝાકળથી ધોવાયેલાં પ્રથમ પ્રભાતે તારા કરુણાભર્યા કિરણોમાં હું મારાં બારણાં ઉઘાડાં પામીશ.
તારું ભુવનવ્યાપી આસન મારા હૃદયમાં બિછાવ! રાતના તારા, દિવસનો રવિ, અંધકાર અને પ્રકાશની બધી શોભા, આકાશને ભરી દેતી તારી બધી વાણી લાવીને મારા હૃદયમાં રેલાવ!
તારી ભુવનવીણાના સકલ સૂરથી મારા હૃદય અને પ્રાણને ભરી દે ને પ્રભુ!
દુઃખ-સુખનો બધો હર્ષ, ફૂલોનો સ્પર્શ, આંધીનો સ્પર્શ... તારી કરુણ શુભ ઉદાર હાથ... મારા હૃદયમાં લાવી દે ને! હે મારા સખા, તારાં દર્શન પામ્યા વિના એકલાં એકલાં મારા દિવસ જતા નથી.
અમે ત્રણેય આનંદવિભોર બન્યાં. લલિતા મને ભેટીને એના ઘરે ચાલી ગઈ. અમે બે અમારા ખંડમાં ચાલ્યાં ગયાં. તેમણે મને કહ્યું : “તમે અને લલિતા બહાર ગયાં હતાં ત્યારે નગરશ્રેષ્ઠી અહીં આવેલા. “રાજ કુમારી ક્યાં છે?' તેમણે મને જ પૂછ્યું. મેં તેમને કહ્યું કે તેઓ બહાર ગયાં છે. એક ઘડી પછી આવશે. આપ અહીં બિરાજો.” તેઓની નજર મયણાના કુષ્ઠરોગી પતિને શોધતી હતી. મારે મારી ઓળખાણ આપવી ન હતી. તેઓ થોડી વાર બેઠા અને કહ્યું : “હું ફરીથી આવીશ. તમે રાજકુમારીને કહી દેજો. બીજું તો કોઈ કામ ન હતું. એમને મારા આ ઘરમાં કોઈ તકલીફ નથી ને, એટલું જ પૂછવું હતું.'
સારું કર્યું આપે, આપની ઓળખાણ ન આપી. આપ નીરોગી બની ગયા છો, આ વાત જાહેર કરવાની નથી.”
અમે એક પ્રહર સુધી નવપદોની વાતો કરી અને પછી સૂઈ ગયાં.
સાતમા દિવસની સવારે નિત્યક્રમ મુજબ અમે પરમાત્માની પૂજા કરી અને સિદ્ધચક્ર-મહાયંત્રની પૂજા કરી. પછી ચૈત્યવંદન કર્યું. આજે “જ્ઞાનપદ'ની વિશિષ્ટ આરાધના કરી હતી. સ્તવના પણ જ્ઞાનપદની જ કરી :
૨૧૪
માણા
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે જગન્નાથ! હું અજ્ઞાની છતાંય છે ગુણ ગાવાના કોડ, હું બાળક છું કાલી વાણી કોણ કરે છે એની હોડ... હે૦ ભારે કર્મી છું હું સ્વામી, છતાં તમારું છું આશ્રિત લોહ અને સોનું જિમ જિનવર! તિમ કરો કર્મો પર જિત.... હે,
જ્યાં જ્યાં વિચરો હે તીર્થકર પ્રભાવ પ્રસરે ચારે કોર રોગી સૌ નીરોગી બનતા કર્મોનું ચાલે ના જોર... હે, વિતે રાગ ઘોર અંધારી ઊગે જ્ઞાનપ્રકાશનું વ્હાણું આપો એવી શક્તિ જિનવર!
પામી શકું મુક્તિનું ટાણું.. હે, ભાવસ્તવના પૂર્ણ કરી અને શ્રી જ્ઞાનપદનો જાપ અને ધ્યાન શરૂ કર્યું : ૐ હ્રીં નમો ના શે' આ મંત્રનો જાપ શરૂ કર્યો. ધ્યાન શ્વેતવર્ણમાં કરવાનું હતું.
જાપ-ધ્યાન પૂર્ણ થયા પછી મેં એમના પર સ્નાત્રજળ છાંટ્યું. આજે તેમણે પણ સ્નાત્રજળ મારા પર છાંટ્યું અને લલિતા પર પણ છાંટ્યું. તેઓ અતિ પ્રફુલ્લિત હતા.
અમે લલિતાને ઘર સોંપી ઋષભપ્રાસાદમાં ગયાં. ત્યાં દર્શન-પૂજન કરી, પૌષધશાળામાં ગયાં. ગુરુદેવને વંદના કરી યોગ્ય આસને બેઠાં. ગુરુદેવે ગંભીર સ્વરે “જ્ઞાનપદ'નું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો :
હે પુણ્યશાલિની! સિદ્ધચક્ર-મહાયંત્ર એવું અદ્ભુત યંત્ર છે, ચક્ર છે કે જે ચક્ર દ્વારા મનુષ્ય પોતાના કર્મચક્રને ભેદી શકે છે. કર્મચક્રના આરા આઠ હોય છે, સિદ્ધચક્રના આરા નવ છે! કર્મચક્ર આઠ કર્મોનું છે, સિદ્ધચક્ર નવ પદોનું છે.'
માણા
૧૫
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અનંત કાળથી કર્મચક્ર આપણા આત્મા પર ફરતું રહ્યું છે. એ ફરતા રહેલા કર્મચક્ર આપણને બરબાદ કર્યા છે. બેહાલ કર્યા છે. આપણા ભાવપ્રાણોનો નાશ કર્યો છે, હવે આ જીવનમાં એ કર્મચક્રનો નાશ કરવો હોય તો તેનો એક શ્રેષ્ઠતમ ઉપાય સિદ્ધચક્ર છે!
અપૂર્વ, અભુત અને અર્જડ ચક્ર પાસે હોય પણ ફેરવતાં ન આવડે, નિશાન લેતાં ન આવડે, તો ચક્ર કંઈ કામનું જ નહીં. શસ્ત્ર સારું હોય તેટલા માત્રથી શત્રુ ન જિતાય. શસ્ત્ર ચલાવવામાં પારંગતતા જોઈએ. સિદ્ધચક્રને ઘુમાવતાં આવડવું જોઈએ.. બરાબર ઘુમાવીને નિશાન લઈને ફેંકવામાં આવે તો કર્મચક્રના ચૂરેચૂરા થઈ જાય.
સિદ્ધચક્રને ઘુમાવવું એટલે હૃદયકમળમાં ધ્યાન કરવું. એ ધ્યાન કરતાં શીખી જાઓ... બસ, કર્મચક્ર નષ્ટ થયું સમજો.
કર્મો ગમે તેટલાં હોય, ગમે તેવાં હોય, પણ મારી પાસે સિદ્ધચક્ર છે, એ બ્રહ્માસ્ત્ર છે. હું કર્મચક્રથી ડરતો નથી.' આ વિચાર કરતા રહો તો ક્યારેય નિર્બળ નહીં બનો.
જેવી રીતે ગારુડીને પોતાની મંત્રશક્તિ પર શ્રદ્ધા હોય છે તો સામે ગમે તેવો ભયંકર સાપ આવે, છતાં ગારુડી ડરતો નથી. તેને પોતાની મંત્ર-શક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ હોય છે.
એવી જ રીતે સર્વતત્ત્વોમાં સારભૂત તત્ત્વ સિદ્ધચક્ર છે. નવપદ છે. આ તત્ત્વ પર આપણી શ્રદ્ધા નિ:શંક જોઈએ. નિઃશંકતા માટે જ્ઞાન જોઈએ. તે માટે જ્ઞાનપદની આરાધના કરવાની છે. આ આરાધનામાં મુખ્ય છે ધ્યાન. પરંતુ જ્ઞાન વિના ધ્યાન ન થઈ શકે. જ્ઞાનપદનું ધ્યાન એટલે વિશિષ્ટ જ્ઞાની પુરુષનું ધ્યાન કરવાનું. જ્ઞાની પુરુષોનો જ્ઞાનપ્રકાશ જોવાન. નિર્મળ સમ્યગ્દષ્ટિ ચારિત્રવંત જ્ઞાની પુરુષોનું ધ્યાન ધરવાથી આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરવા
વિશિષ્ટ જ્ઞાની પુરુષોનો વિનય કરવો. છે. એમની સેવા-ભક્તિ કરવી.
એમના ગુણોની પ્રશંસા કરવી. છે. એમના માર્ગદર્શન મુજબ જ્ઞાનારાધના કરવી.
અધ્યયન કરતાં શંકા પડે તો સમાધાન મેળવવું.
૨૧૬
માણસા
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનના ગ્રંથોનું અધ્યયન કરવું. છે શાસ્ત્રો, ગ્રંથો, પુસ્તકોને પણ સારી રીતે રાખવાં.
જ્ઞાન-જ્ઞાનીની નિંદા ન કરવી. ...તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયપશમ થાય છે. જ્ઞાનોપાસનામાં કંટાળો, નિરાશા કે ઉદાસીનતા - આ બધાં તત્ત્વો બાધક બને છે. જ્ઞાનાભ્યાસમાં મહેનત કરવી જ પડે. એમાં પ્રમાદ-આળસ ન જ ચાલે. મહેનત કરવામાં કચાશ રાખવાની નહીં.
સમ્યગુજ્ઞાન માટે યોગ્ય કાળ, વિનય, બહુમાન, ઉપધાનતપ, ગુરુનો અપલાપ ન કરવો, સૂત્ર, અર્થ અને તે બંનેના અભ્યાસરૂપ આઠ જ્ઞાનાચારનું પાલન કરવું જોઈએ.
જ્ઞાની બનવા જ્ઞાની ગુરુના ચરણે મન-વચન-કાયાથી સમર્પણ કરવું પડે. જ્ઞાનપ્રાપ્તિમાં પ્રમાદ દૂર કરવો જોઈએ. એક સૂત્ર યાદ રાખો - ‘વિદ્યાર્થીને આરામનું સુખ ન હોય ને સુખાર્થીને વિદ્યા ન હોય!
હે મહાનુભાવ! હવે હું સંક્ષેપમાં પાંચ જ્ઞાન સમજાવું છું. જ્ઞાનના પાંચય પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચ જ્ઞાન બે વિભાગમાં વિભાજિત છે : પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન.
પાંચ ઇન્દ્રિયો અને મનની સહાય વિના માત્ર આત્માનું જે જ્ઞાન, તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય અને પાંચ ઇન્દ્રિય તથા મનની સહાયથી જે જ્ઞાન થાય તે પરોક્ષ જ્ઞાન કહેવાય.
પહેલું જ્ઞાન છે મતિજ્ઞાન. તેને સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા... અભિનિબોધ વગેરે સમાનાર્થક નામ પણ છે. તેમાં થોડો થોડો અર્થભેદ છે.
વર્તમાનકાળવિષયક જ્ઞાનને મતિજ્ઞાન કહેવાય. આ પૂર્વકાળમાં અનુભવેલી વાત કે વસ્તુના સ્મરણને સ્મૃતિજ્ઞાન કહેવાય.
પૂર્વકાળમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ “સંજ્ઞાજ્ઞાન' છે. કે ભવિષ્યના વિષયની વિચારણાને “ચિંતાજ્ઞાન' કહેવાય.
આ ચારેય જ્ઞાનનું અંતરંગ કારણ “મતિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ' એક જ હોય છે.
આ મતિજ્ઞાનના ચાર ભેદ છે અને ૨૪ પ્રકાર પણ છે.
મચણા
૨૧૭
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજું જ્ઞાન છે શ્રુતજ્ઞાન. આત્મા વડે જે સંભળાય તે “શ્રત' કહેવાય. સાંભળીને જે જ્ઞાન મેળવાય તે શ્રુતજ્ઞાન કહેવાય. આ શ્રુતજ્ઞાન ઇન્દ્રિયો અને મનના માધ્યમથી થાય છે. શબ્દાર્થના પર્યાલોચનના અનુસાર જે બોધ થાય, તે શ્રુતજ્ઞાન કહેવાય.
આપ્તવચન, આગમ, ઉપદેશ, આમ્નાય, પ્રવચન, જિનવચન... આ બધા શ્રુતજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે.
ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી શ્રુતજ્ઞાનના જુદા જુદા પ્રકારો બતાવવામાં આવેલા છે. ૧૨ પ્રકાર, ૧૪ પ્રકાર, ર૦ પ્રકાર, ચાર પ્રકાર અને બે પ્રકાર
આ બધા પ્રકારો અનુકૂળ સમયે મયણા તમને સમજાવશે. ત્રીજું જ્ઞાન છે અવધિજ્ઞાન. અવધિ' એટલે મર્યાદા, દ્રવ્યની, ક્ષેત્રની અને કાળની મર્યાદાવાળું આ જ્ઞાન હોય છે. ઇન્દ્રિયો અને મનના માધ્યમ વિના આત્મા સાક્ષાત્ અર્થને જાણે.
આત્માની રૂપી પદાર્થોના પ્રત્યક્ષ જ્ઞાનની પ્રવૃત્તિ તે અવધિજ્ઞાન છે. ચોથું જ્ઞાન છે મન:પર્યવજ્ઞાન. મનની વાતો સર્વ પ્રકારે જાણવી, મન સંબંધી બધું જ જાણવું તે મન:પર્યવજ્ઞાન કહેવાય.
પાંચમું જ્ઞાન છે કેવળજ્ઞાન. આ એક જ જ્ઞાન છે (આના પ્રકારો નથી), શદ્ધ છે, પરિપૂર્ણ છે, અસાધારણ છે અને અનંત છે.
કેવળજ્ઞાન સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને જાણે છે. એવું કોઈ દ્રવ્ય નથી કે એવો કોઈ ભાવ નથી કે જે કેવળજ્ઞાન દ્વારા જાણી ન શકાય; જોઈ ન શકાય. લોકાલોકના અનંત પર્યાયોને જાણવાનું સામર્થ્ય હોય છે આ કેવળજ્ઞાનમાં. આ જ પરમ શ્રેષ્ઠ જ્ઞાન છે. હવે એક આત્મામાં એકસાથે કેટલાં ને ક્યાં જ્ઞાન હોય તે બતાવું છું: * ક્યારેક આત્મામાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન - બે જ્ઞાન હોય છે.
ક્યારેક આત્મામાં મતિ-શ્રત અને અવધિ - ત્રણ જ્ઞાન હોય. છે ક્યારેક આત્મામાં મતિ-શ્રુત અને મન:પર્યવ - ત્રણ જ્ઞાન હોય. * ક્યારેક આત્મામાં મતિ-શ્રુત-અવધિ ને મન:પર્યવ - ચાર જ્ઞાન હોય. કે ક્યારેક આત્મામાં એક જ કેવળજ્ઞાન હોય...
આ રીતે ગુરુદેવે “જ્ઞાનપદ' સમજાવ્યું. અમે ધન્યતા અનુભવી. ગુરુદેવનો ઉપકાર માની અમે ઊભાં થયાં. અન્ય મુનિવરોને વંદના કરી બહાર નીકળ્યાં.
૨૧૮
માણા
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા
૩૧
કે
નગરશ્રેષ્ઠીની આ મઢુલીમાં અમારું જીવન આનંદથી વ્યતીત થતું હતું. ક્યાં દિવસ ઊગે ને ક્યાં આથમે તેની ખબર સુધ્ધાં રહેતી નહિ. બાળપણથી પતંગિયાની જેમ પાછળ દોડતી લલિતા મારી પાસે હતી. રાજમહલની દીવાલો પર માથું પછાડતી મારી મા રૂપસુંદરી ક્યાંક લપાઈ ગઈ હતી. ખરે જ, વિસ્મૃતિ એ મનુષ્યજીવનની કેવી પ્રભાવક શક્તિ છે! રોજબરોજ મનુષ્યના જીવનમાં કેટકેટલા બનાવો બને, એ બધાય માણસના હૃદયમાં જળવાઈ રહે તો? તો એના પરસ્પર સંબંધોના તાણાવાણા જડતાં આંખે અંધારાં આવી જાય! પાગલ બની જવાય! એટલે જ કદાચ કુદરતે આ વિસ્મૃતિનું અણમોલ વરદાન આપ્યું હશે!
હું પોતે જ મારા ભાગ્ય પર ઓવારી ગઈ. અહીં મને કોઈ વાતની કમી નહોતી. મારા પતિ પણ પ્રેમાળ અને સુંદર હતા. મારા ગુરુદેવ જ્ઞાની, વત્સલ અને કરુણાસાગર હતા.
હું મારી મઢુલીન ગવાક્ષમાં ઊભી ઊભી ક્ષિપ્રા નદીને એકીટસે જોતી ઊભી હતી. પાછળથી કોઈએ આવીને અચાનક મારી આંખો દાબી દીધી. હું ગભરાઈ ગઈ. આંખ પર હાથની પકડ મજબૂત થઈ. ઓહ! આ તો લલિતાના હાથે હતા! હું હસી પડી... એ મને હર્ષથી ભેટી પડી. એણે કહ્યું : સખી, મારી વાત મારા પિતાજી માની ગયા!' કઈ વાત?' નહીં પરણવાની.!” “અરે ગાંડી, એમ તે ચાલે? તારે પરણવું તો પડશે જ!' “તો પછી હું તારી સાથે કેવી રીતે રહી શકીશ?” “તો શું કાયમ તું મારી સાથે રહેવાની છે?' ‘તું નહીં રાખે?' લલિતાની આંખો ભીની થઈ ગઈ. સ્વર આર્ટ થઈ ગર્યો. તેની મોટી મોટી મોહક આંખો મને જોઈ રહી.
માણા
૨૧૯
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું સમજદાર સખી છો. હું કહું તેમ તારે કરવાનું...' ભલે...' તે થોડી નારાજ થઈ. મેં એની પીઠ પસવારીને હેત વરસાવ્યું.
અમે આયંબિલ કર્યું. આજે પણ ચોખાનું આયંબિલ કરવાનું હતું. આયંબિલ કરીને રાણાએ વિશ્રામ કર્યો.
મેં લલિતાને સારી રીતે સમજાવી. મને પણ નિદ્રા આવતી હતી એટલે હું પણ સૂઈ ગઈ. લલિતા ગૃહકાર્યમાં લાગી ગઈ. સાંજે અમે ભાવપૂર્વક આરતી કરી. પ્રભુની સ્તવના કરી.
હ અરૂપ! તમારી વાણી મારા અંગમાં, મારા ચિત્તમાં મુક્તિ લાવી આપો. નિત્યકાળનો તમારો ઉત્સવ છે વિશ્વની દિવાળી. હું કેવળ તેનું એક માટીનું કોડિયું છું. તેમાં કદી ન બુઝાતી, પ્રકાશથી ઝળહળતી તમારી ઇચ્છા રૂપી શિખા પેટાવો.”
હે અનામ! જેમ તમારો વસંતવાયુ રંગેરંગમાં, પુષ્પોમાં, પાંદડાંમાં, વને વને અને દિશાએ દિશાએ ગીત અંકિત કરી જાય છે, તેમ મારા પ્રાણના કેન્દ્રમાં તમારી ફૂંક ભરી દો! તેના સૂનકારમાં પૂર્ણતા આપી સૂરથી ધન્ય બનાવો. તમારો દક્ષિણ કર મને પવિત્ર કરો...”
હે અક્ષય! “વિપત્તિમાં મારી રક્ષા કરો', એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ના પામું એમ ઇચ્છું છું. દુઃખમાં, તાપમાં કે વ્યથિત ચિત્તમાં ભલે સાંત્વના ના આપો, દુઃખ પર વિજય મેળવું, એમ હું ઇચ્છું છું. ભલે મને સહાય ન મળે, પણ મારું બળ ન તૂટે એમ ઇચ્છું છું. સંસારમાં ક્ષતિ પામી, વચના પામી, છતાં મારા મનમાં ક્ષતિ ન પામું તેમ ઇચ્છું છું. તું મારો બચાવ કરજે, એ મારી પ્રાર્થના નથી, તરી શકું એટલી શક્તિ રહે એમ ઇચ્છું છું. ભલે મારો ભાર હળવો ન કર, પણ હું એ ભાર વહી શકું એમ ઇચ્છું છું. નત મસ્તકે, સુખના દિવસે તારો ચહેરો ઓળખી લઈશ, દુઃખની રાતે સમગ્ર સંસાર જ્યારે વંચના કરે ત્યારે તારા પર સંશય ન કરું તેમ ઇચ્છું છું!
હ અનંત! બળ આપો, મને બળ આપો. હૃદયનું સર્વસ્વ લુંટાવીને તમને પ્રણામ કરવા, સુમાર્ગે ભ્રમણ કરવા, બધા અપકારો માફ કરવા, બધા ગર્વનું ખંડન કરવા, કુમતિને અવગણવા મારા પ્રાણમાં શક્તિ આપો. તમને હૃદયથી ઓળખવા, તમને જીવનમાં પૂજવા, તમારામાં મારા ચિત્તનું વાસસ્થાન શોધવા
૨૨૦
મયણા
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પ્રાણમાં શક્તિ આપો. તમારું કાર્ય સાથે લેવા, સંસારના તાપ સહેવા, ભવના કોલાહલમાં રહેવા, નીરવપણે ભક્તિ કરવા મારા પ્રાણમાં શક્તિ આપો. મન અને વચનથી પર એવી તમારી જ્યોતિમાં ભળી જવા, સુખ-દુખમાં, લાભ-નુકસાનમાં તમારી વાણીને સાંભળવા મારા પ્રાણમાં શક્તિ આપો.”
રાત્રિના પ્રથમ પ્રહરમાં મેં તેમને પાંચ જ્ઞાનની વાતો થોડી સરળતાથી સમજાવી. એમણે કેટલાક પ્રશનો પણ પુછુયા. મેં એમનું સમાધાન કરવા પ્રયત્ન કર્યો. તેમના મુખ પર સંતોષની છાયા ઊપસી આવી હતી. બીજા પ્રહરમાં અમે નિદ્રાધીન થયાં.
વહેલી સવારે ઊઠીને અમે ભગવાન ઋષભદેવનું અને શ્રી સિદ્ધચક્રનું સ્મરણ કર્યું. આજે અમારે “ચારિત્રપદની આરાધના કરવાની હતી. સાધુપદની આરાધના વખતે અમને “ચારિત્ર' અંગે થોડી સમજણ તો મળી જ હતી.
અમે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી પૂજાખંડમાં ગયાં. લલિતાએ રોજ મુજબ બધી જ પૂર્વતૈયારી કરેલી હતી. અમે પ્રભુનું અને સિદ્ધચક્રનું અષ્ટપ્રકારી પૂજન કર્યું. વિશેષરૂપે ચારિત્રપદનું પૂજન કર્યું. પછી ભાવપૂજામાં પ્રવૃત્ત થયાં.
સંયમમય જીવન હો! ભગવદ્ સંયમમય જીવન હો! સર્વ જીવોના પ્રત્યે મૈત્રી, દયા-કરુણા હોજો બનું ઉપયોગી સૌ જીવોને, એવો મનોરથ હોજો જીવન ગુણ-ઉપવન હો સંયમમય જીવન હો... પ્રિય, સત્ય ને પથ્ય વચન મુજ મુખની શોભા હો, અસત્ય ને અપ્રિય વચનોથી સદૈવ મન તોબા હો... જીવન સત્કંચન હો, સંયમમય જીવન હો. ન્યાય-નીતિને પ્રમાણિકતા મમ ગૃહનો શણગાર હોજો, કદી ન ચોરી કરવાનો મનમાં પણ વિકાર હોજો..
માણા
૨૨૧
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદેવ આતમ-ચિંતન હો સંયમમય જીવન હો.. બ્રહ્મચર્યનું પાલન કરવા મુજ મન તત્પર હોજો. કદી ન ઊઠે વિષયવાસના કર તુમ મુજ પર હોજો. પરમબ્રહ્મનું મંથન હો સંયમમય જીવન હો.. ન મમતા, ન મૂર્છા મનમાં રહે આ ભૌતિક અર્થોમાં નિર્મમ-નિર્લોભી બનવું, રમવું છે પરમાર્થોમાં જીવન સુગંધી ચંદન હો
સંયમમય જીવન હો..... સ્તવના પૂર્ણ કરીને અમે “ૐ શ્રીં નમો વારિત્તર' મંત્રનો જાપ અને ધ્યાન શરૂ કર્યું. શ્વેતવર્ણમાં ધ્યાન કર્યું. એક ઘડી સુધી ધ્યાન કર્યા પછી મેં સ્નાત્રજળ રાણાના શરીર પર છાંટ્યું. એમણે મારા પર છાંટ્યું. અમારાં ચિત્ત પ્રફુલ્લિત થયાં.
અમે બંને જિનમંદિરે ગયાં. દર્શન-પૂજન કરીને ગુરુદેવ પાસે પહોંચી ગયાં. વિધિપૂર્વક વંદન કરી ઉચિત જગાએ બેસી ગયાં. ગુરુદેવે “ચારિત્રપદ” સમજાવવાનો પ્રારંભ કર્યો :
મોક્ષમાર્ગની આરાધનામાં જેટલું મહત્ત્વ સમ્યગુદર્શનનું અને સમ્યગૂજ્ઞાનનું છે, એટલું જ મહત્ત્વ સમ્યક્ઝારિત્રનું છે. એટલે શ્રી સિદ્ધચક્રમાં દર્શન અને જ્ઞાન પછી ચારિત્રપદ બતાવવામાં આવ્યું છે.
ચારિત્રધર્મ બે પ્રકારનો છે : ક્રિયાત્મક અને ભાવાત્મક.
પ્રતિક્રમણ, આલોચના, સ્વાધ્યાય, પ્રતિલેખના, પ્રમાર્જના, નિગમ-પ્રવેશ વગેરે ક્રિયાત્મક ચારિત્રધર્મ છે.
ક્ષમા, નમ્રતા, સરળતા વગેરે દશ પ્રકારનો સાધુધર્મ ભાવાત્મક ચારિત્રધર્મ
આ બે પ્રકારના ચારિત્રધર્મમાંથી એક પણ ધર્મની ઉપેક્ષા ન કરી શકાય.
આ ચારિત્રધર્મના પાલનથી જ હું મોક્ષમાર્ગની આરાધક બની શકું. અર્થાત્ નિર્વાણ પામી શકું.” આવી દઢ શ્રદ્ધા હોવી જોઈએ.
૨૨૨
મયમાં
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ ચારિત્રધર્મની આરાધનામાં સતત જાગૃતિ જોઈએ. એક સમયનો પણ પ્રમાદ ન કરવો જોઈએ.
* યોગ્ય કાળે વિધિપૂર્વક - ભાવપૂર્વક પ્રતિક્રમણ કરવાનું છે. ૐ જ્ઞાની ગુરુદેવ સમક્ષ દોષોની આર્લોચના કરવાની હોય છે. *દિવસ અને રાતના આઠ પ્રહરમાં પાંચ પ્રહર સ્વાધ્યાય કરવાનો છે. * હૃદયમાં જીવદયાના ભવને અખંડ રાખી, વસ્ત્ર, પાત્ર વગેરેની પ્રતિલેખના કરવાની છે.
* કરુણાભર્યા હૈયે વસ્તીનું પ્રમાર્જન કરવાનું છે.
માર્ગે જતાં-આવતાં જીવરક્ષાનો ઉપયોગ રાખવાનો છે.
આ રીતે ભાવધર્મ અને ક્રિયાધર્મમાં શ્રદ્ધાપૂર્વક અપ્રમત્ત બનીને ઉદ્યમશીલ બને છે સાધુ. આ છે ચારિત્રધર્મ.
ચારિત્રધર્મની આરાધનામાં એક વિશિષ્ટ આરાધના છે સાધુસેવા. બાલ, વૃદ્ધ, બીમાર અને મહેમાન સાધુઓની આદરપૂર્વક સેવા-ભક્તિ કરીને તેમને સુખશાન્તિ આપવાની છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી જ રીતે જ્ઞાનવૃદ્ધ, પર્યાયવૃદ્ધ અને જિનશાસનના પ્રભાવક સાધુપુરુષોની પણ અવસરોચિત સેવા કરવાની છે. આ સાધુસેવાના ગુણને અખંડ રાખવા સાધુએ ગુણદ્રષ્ટા ને ગુણાનુરાગી બનવું પડે. દરેક સાધુપુરુષમાં ગુણો જ જોવાના. છદ્મસ્થ આત્માઓમાં દોષો તો હોય જ, છતાં દોષો નથી જોવાના. કારણ કે દોષદર્શન સદ્દભાવનો નાશ કરે છે. દોષદર્શનમાંથી દ્વેષ જન્મે છે.
ચારિત્રધર્મ એટલે આત્મગુણોમાં રમણતા કરવાની છે, ચારિત્રવંત મહાત્માને* મદ-માન સ્પર્શી શકતું નથી.
કામવાસના સતાવી શકતી નથી.
* મોહ ફસાવી શકતો નથી.
મણા
* મત્સર અભડાવી શકતો નથી.
* રોષ ભાન ભુલાવી શકતો નથી.
ૐ વિષાદ વ્યાકુળ કરી શકતો નથી.
હવે આ ચારિત્રધર્મની છ ભાવાત્મક વાતોને સ્પષ્ટતાથી સમજાવું છું. ૧. આત્મગુણોનું પ્રગટીકરણ કરવાની આરાધનામાં લીન એવા મહાત્માનું કોઈ ઘોર અપમાન કરે તો પણ એમનામાં અભિમાન ઊછળતું
For Private And Personal Use Only
૨૨૩
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. અહંકાર એમને ભરડો દઈ શકતો નથી.
૨, પરમ બ્રહ્મમાં મગ્ન એવા મહાત્માની સામે ગમે તેવી રૂપસુંદરીઓ આવીને ઊભી રહે, ગીત ગાય કે નૃત્ય કરે, છતાં એ મહાત્માના મનમાં કામવિકારનો એક ઝબૂકો પણ થતો નથી. કામદેવનું એકેય બાણ એમને વીંધી શકતું નથી.
૩. આત્મભાવમાં દૃઢપણે સ્થિર રહેલા મહર્ષિને પ્રિય-અપ્રિય વિષયમાં રતિ કે અરતિ થતી નથી. તેમનામાં હાસ્ય કે ઉગ હોતા નથી. ખેદઉદ્ધગથી પર રહે છે.
૪. મોક્ષમાર્ગની આરાધનામાં નિરત મુનિવરના હૈયે મત્સરનાં જાળાં બાઝેલાં ન હોય. ચારિત્રવંત આત્માના ચિત્તચંદ્રમાને મત્સર, ઈર્ષાનો રાહુ ગ્રસી શકતો નથી.
૫. ક્ષમાધર્મને મુનિજીવનનો પર્યાય માનનારા મહર્ષિને રોષ હોય જ નહીં. જેમને માન-સન્માનની અપેક્ષા નથી, આદર-સત્કારની આશા નથી. પ્રિયવચનોની અપેક્ષા નથી. અનુકૂળતાઓનો આશરો જોઈતો નથી કે કરેલા ઉપકારોના બદલાની અપેક્ષા નથી... એવા ચારિત્રવંત આત્માને રોષ આવે જ ક્યાંથી?
૬. ધીર-વીર બનીને વિશુદ્ધ આત્મપ્રદેશની પરિશોધમાં નીકળી પડેલા પરાક્રમી મહાત્માઓ, માર્ગમાં ગમે તેવાં વિઘ્નો આવે, સંકટો આવે, ઉપસર્ગો કે પરિષહો આવે, છતાં ખિન્ન નથી થતા. ઉત્સાહભગ્ન નથી થતા; કે ભયભીત નથી થતા. આવા ચારિત્રવંત મહાત્માઓના ગુણ ગાવા માટે સૃષ્ટિમાં કોઈ ઉપમા જડતી નથી!
હે સુશીલે! એક વાત પહેલાં સમજી લેવી જોઈએ કે ચારિત્રધર્મની પ્રાપ્તિનો સંબંધ “મોહનીયકર્મના ક્ષયોપશમ સાથે રહેલો છે. સર્વપ્રથમ દર્શનમોહનીય (મિથ્યાત્વ) કર્મનો ક્ષયોપશમ થવો જોઈએ. તે પછી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ક્ષયોપશમ થવો જોઈએ. આ ત્રણ જાતના ક્રોધ-માન-માયા અને લોભનો ક્ષયોપશમ થાય ત્યારે ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય.
અર્થાતુ પ્રશસ્ત મન-વચન-કાયાના યોગોથી બાર પ્રકારના કષાયોનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. આ કષાયો
૨૨૪
મયાણા
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* બુઝાઈ ગયેલા અગ્નિ જેવા ક્ષીણ કષાયો હોય. (ક્ષય)
♥ રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા ઉપશાંત કષાયો હોય. (ઉપશમ)
* કંઈક ઓલવાયેલા અને કંઈક રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ક્ષયોપશમ)
આવો ઉત્તમ ચારિત્રધર્મ જેમનામાં હોય તેવા ચારિત્રવંત વંદનીય સાધુપુરુષનું શ્વેતવર્ણમાં ધ્યાન કરવાનું. ગુણ અરૂપી છે, અરૂપીનું ધ્યાન ન થઈ શકે. ધ્યાનરૂપી દ્રવ્યનું થાય. એટલે ચારિત્રગુણવાળા મહાત્માનું ધ્યાન કરવાનું.
જે ચારિત્રવંત મહાપુરુષોનું ધ્યાન ધરવાનું છે તે સંપૂર્ણ સંયમીનું ધ્યાન ધરવાનું છે. જેમણે હિંસાદિ પાંચેય પાપોનો ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કરેલો હોય. મન-વચન-કાયાથી પાપો કરે નહીં, કરાવે નહીં, કરતાની અનુમોદના કરે નહીં.'
ગુરુદેવ ચારિત્રપદની વિવેચના પૂર્ણ કરીને મને કહ્યું : 'તું રાણાને કર્મોનો ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ સારી રીતે સમજાવજે. એમના માટે આ બધી વાતો નવી છે. પણ તેઓ સમજી શકશે.'
શમણા
ગુરુદેવ રોજ એમના (રાણાના) શરીર પર દૃષ્ટિ નાંખતા હતા. તેમના મુખ પર સફળતા મળ્યાનો સંતોષ દેખાતો હતો.
અમે અન્ય મુનિવરોને વંદના કરી પૌષધશાળામાંથી બહાર નીકળ્યાં.
For Private And Personal Use Only
૨૨૫
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના ૩૨ હ.
ઘેર આવીને, વસ્ત્રપરિવર્તન કરીને અમે અમારા ખંડમાં બેઠાં. મેં કહ્યું : અત્યારે હું તમને કર્મોનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ એક દૃષ્ટાંત આપીને સમજાવું છું.'
એક માણસને તરસ લાગી છે. જંગલમાંથી પસાર થઈ રહ્યો છે. એની પાસે પાણી છે, પણ કચરાવાળું છે. તેણે એ પાણી બીજા પ્યાલામાં ગાળી નાંખ્યું. ગરણામાં જે કચરો રહ્યો તે તેણે ફેંકી દીધો; પણ તે છતાં ય ગળેલા પાણીમાં સૂક્ષ્મ કચરો તો રહી ગયો હતો. તેણે તે પાણીનો પ્યાલો જમીન પર મૂકી દીધો. ધીરે ધીરે કચરો પાણીની નીચે બેસી ગયો.
આ થયો કચરાનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ! ગરણામાં જે કચરો રહી ગયેલો તેનો ક્ષય થયો, સૂકમ કચરો જે પાણીની નીચે બેસી ગયો, તે ઉપશમ થયો. આ બંને વાતો ભેગી કહેવી હોય તો “ક્ષયોપશમ થયો', એમ કહેવાય,
આ રીતે ચારિત્રમોહનીય કર્મ(કષાયો-૧૨)નો ક્ષયોપશમ થાય એટલે ક્ષાયોપથમિક ચારિત્રની પ્રાપ્તિ થાય.
કોઈ માણસ પાણીને ગાળી શકતો નથી. ગળવા માટે એની પાસે ધારો કે ગરણું જ નથી, એ પાણીના પ્યાલાને જમીન પર સ્થિર મૂકી દે છે. ધીરે ધીરે બધો કચરો પાણીની નીચે બેસી જાય છે! પાણી ચોખ્ખું થઈ જાય છે. આને ઉપશમ ચારિત્ર - ઔપશમિક ચારિત્ર કહેવાય,
કોઈ માણસ કચરાવાળા પાણીને ગાળીને, ઉકાળીને એકદમ શુદ્ધ કરે, એમાં જરા ય કચરો ન રહે, તેમ જે મનુષ્ય ચારિત્રમોહનીય કર્મનો (૧૨ કષાયોનો) ક્ષય કરી નાંખે, તેને “ક્ષાયિક' ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
આ રીતે ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી, ઉપશમથી અને ક્ષયોપશમથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થતી હોય છે, તેમને વાત સમજાઈ ગઈ. તેઓ બોલ્યા : હવે બરાબર સમજાયું!'
૨૨૬
મયા
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જોકે પહેલા જ આયંબિલથી હું આનંદિત હતી. પણ આજે આઠમા આયંબિલના દિવસે મારા આનંદની સીમા રહી નથી. દુઃખની રાત તો પૂરી થઈ ગઈ છે. જ્યારે રાણાની આરોગ્યપ્રાપ્તિના સમાચાર નગરમાં અને પૂરા માલવદેશમાં ફેલાશે ત્યારે જૈન ધર્મના નિંદકોનાં મોં સિવાઈ જશે અને પ્રજાને જૈન ધર્મનો ખરો પરિચય થશે.
જપ-તપ-પૂજા-ઉપાસના અને બ્રહ્મચર્યના કારણે એમનું તેજ વધ્યું હતું. શરીર કુદરતી સૌંદર્યથી તેજસ્વી બન્યું હતું. જૈન ધર્મના દ્વેષીઓનાં દિલ બાળવા માટે જાણે દૈવે બધું રૂપ એમનામાં ઠાલવી દીધું હતું!
વસંતનાં વધામણાં કરતા કો' વૃક્ષની ડાળે પહેલવહેલી કૂંપળો ફૂટતી દેખાય, યા છોડની ડાળે ઊગેલી કળી અચાનક જ એક સવારે ફૂલપાંખડી બની ખીલી ઊઠે, તેવી રીતે મારું હૃદય રાણાને નીરોગી જોઈ ખીલી ઊઠ્યું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા હૃદયને જે દુઃખ કોરી ખાતું હતું મારા ધર્મની નિંદા... મારાથી સાંભળી જતી ન હતી. અને એ માટે જ મેં ગુરુદેવને રોતી આંખે વિનંતી કરી હતી... ‘ગુરુદેવ! એવો ઉપાય બતાવો કે રાણાનો કુષ્ઠરોગ દૂર થઈ જાય... ને લોકો જિનધર્મની નિંદા કરવાનું પાપ ત્યજી દે...'
ગુરુદેવે કેવી અપૂર્વ કૃપા કરી! કેવો અનુપમ ઉપકાર કર્યો! આવા ગુરુદેવ મને મળી ગયા... એ મારા પુણ્યની પરાકાષ્ઠા છે... હું જનમોજનમ એમને ભૂલી નહીં શકું. એમના ઉપકારનો બદલો વાળવો અસંભવ છે મારા માટે.
અને જ્યારે રાજમહેલમાં આ સમાચાર પહોંચશે ત્યારે? મારા પિતા... મહારાજા પ્રજાપાલ... કેવા ભોંઠા પડી જશે? કર્મનો સિદ્ધાંત માન્યા વિના ચાલશે ખરું? માનવો જ પડશે; અને મારી અભિલાષા પૂરી થશે.
આમ તો તેમને, તેમના હૃદયમાં મારા પ્રત્યે પ્રેમ છે જ. એટલે રાણા નીરોગી બન્યાના સમાચાર મળતાં જ... તેઓ અવશ્ય દોડી આવશે! આમ તો તેઓ સરળ ને ભોળા છે!
ગયા
-
અને જ્યારે દુનિયાને વાસ્તવિકતાની જાણ થશે કે એ કુષ્ઠરોગી ઉંબરરાણા તો અંગદેશની ચંપાનગરીનો રાજા હતો ત્યારે લોકો પોતાની કાનપટ્ટી પકડીને માથાં ધુણાવશે! એમાં ય વળી પ્રત્યક્ષ પ્રમાણરૂપે સ્વર્ગસ્થ
For Private And Personal Use Only
૨૨૭
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા સિંહરથની રાણી કમલપ્રભાને જશે... ત્યારે ?
મારે તો જિનેશ્વરભાષિત, સર્વજ્ઞકથિત “કર્મસિદ્ધાંત' મનાવવાની વાત હતી. મનુષ્ય સુખ પામે છે પોતાના પુણ્યકર્મથી અને દુઃખ પામે છે પોતાના પાપકર્મના ઉદયથી! કોઈ કોઈને સુખી નથી કરી શકતું, કોઈ કોઈને દુઃખી નથી કરી શકતું.
હા, વ્યવહારધર્મમાં માતા-પિતાને ઉપકારી માનવાનાં છે. જે કોઈ સુખમાં સહાયક બને, નિમિત્ત બને, એ બધાંનો ઉપકાર માનવાનો છે. પણ ઉપકાર કરનારે તો ક્યારે ય એમ નથી માનવાનું કે “મેં આને સુખી કર્યો... મેં આને આબાદ કર્યો. હું ન હોત તો એ બરબાદ થઈ જાત, દુ:ખી થઈ જાત.” આવો અહંકાર કરવાનો જ નથી. મારા પિતાજી સાથે આ જ વાત પર વિરોધ થયો ને?
સંતાનો, આશ્રિતો ઉપકારીનો ઉપકાર માને જ. માનવો જ જોઈએ. માતા-પિતાના ઉપકારોનો બદલો વાળર્વો ઘણો મુશ્કેલ હોય છે. પરંતુ એથી ય વિશેષ ઉપકારી સદ્ગુરુ હોય છે! તેઓ આ ભવ અને પરભવ - બંને ભવના ઉપકારી હોય છે... એટલે એમના ઉપકારનો બદલો વાળવો તો અતિ - અતિ મુશ્કેલ છે.
છતાં ગુરુદેવ ક્યારે ય બોલ્યા નથી કે બોલશે નહીં કે “મયણા, મેં તારા પર કેવો ઉપકાર કર્યો! મેં જો તને સિદ્ધચક્ર-મહાયંત્ર ન આપ્યું હોત તો એક કુષ્ઠરોગી પતિ સાથેની તારી જિંદગી નરકની જિંદગી બની જાત... ક્યારે ય નહીં! જ્ઞાની પુરુષ ક્યારે ય માને નહીં કે “મેં આને સુખી કર્યો!' ન જ માને, ન જ બોલે. મેં જ્યારે ગુરુદેવને કહેલું : “ગુરુદેવ! આપના જ દિવ્ય અનુગ્રહથી રાણાને કુષ્ઠરોગ મટી ગયો. મારું દુઃખ ગયું..!” ત્યારે ગુરુદેવે કહેલું : “મયણા! એ દિવ્ય અનુગ્રહ પરમાત્માનો છે! સિદ્ધચક્રજીનો છે, હું તો નિમિત્ત માત્ર છું! તું પુણ્યશાળી છે. તારાં પુણ્યકર્મ ઉદયમાં આવ્યાં છે...'
મારી વિચારધારા તો વહેતી જ રહેત... પણ લલિતા વહેવા દે તો ને! સખી! આજે કંઈ ગંભીર વિચારમાં?' “હા લલિતા, આવતી કાલે છેલ્લે આયંબિલ! નવ દિવસની આરાધના પૂરી થઈ જશે!”
૨૨૮
મયણા
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એટલે?” પછીના વિચારો આવે ને?'
પણ અત્યારે આયંબિલ કરવાનો સમય થઈ ગયો છે, પધારો રાજકુમારી મયણાસુંદરી!' હું હસી પડી. લલિતા મારો હાથ પકડી મને રસોઈઘર તરફ લઈ ગઈ. રાણા આવી ગયા હતા.
અમે શાંતિથી ચોખાનું આયંબિલ કર્યું. નિત્યક્રમ મુજબ તેઓએ વિશ્રામ કર્યો અને હું તથા લલિતા ઘરની પરસાળમાં જઈને બેઠાં. થોડી આડી-અવળી વાતો કરી ત્યાં કુષ્ઠરોગીઓના પડાવમાંથી જવાનસિંહ આવીને દરવાજે ઊભો રહ્યો. મેં એને જોયો. “અરે જવાનસિંહ! અત્યારે....' ‘હા દેવજી, રાણાનાં દર્શન કરવાની તીવ્ર ઇચ્છા જાગી એટલે દોડી આવ્યો.' કેમ ચાલે છે ત્યાં બધાનું? કોઈ મુશ્કેલી તો નથી ને?'
ના દેવીજી, કોઈ દુઃખ નથી. બધું સારું ચાલે છે... પણ રાણા વગર બધું સૂનું સૂનું લાગે છે... ગમતું નથી.”
જવાનસિંહની આંખો ભીની થઈ ગઈ. મેં એને ઘરમાં બોલાવ્યો, બેસાડ્યો. લલિતાએ પાણી આપ્યું. મેં કહ્યું : “જવાનસિંહ, રાણા સૂઈ ગયા છે. હમણાં હમણાં તેમને ઊંઘ ઘણી આવે છે એટલે જગાડવા નથી..”
ના, ના, જગાડશો નહીં, હું દૂરથી જ જોઈ લઈશ..” હું શયનખંડ પાસે જવાનસિંહને લઈ ગઈ. તેઓ ચાદર ઓઢીને સૂઈ ગયા હતા. મુખ ખુલ્યું હતું. જવાનસિંહે મનપણે પ્રણામ કર્યા અને મેં એને વિદાય કર્યો.
જ્યાં સુધી આરાધના પૂરી ન થાય ત્યાં સુધી મારે એમને નીરોગી જાહેર કરવા ન હતા. બસ, બે દિવસ વચ્ચે હતા, આજ અને કાલ! પછી ભલે તેઓની નીરોગિતા જાહેર થઈ જાય!
જવાનસિંહના ગયા પછી લલિતા રાજમહેલની વાતો કરવા ઇચ્છતી હતી, પણ મેં ના પાડી. મેં કહ્યું કે અત્યારે આરાધનાના પવિત્ર દિવસો ચાલે છે. એમાં રાગ-દ્વેષ જાગે એવી કોઈ વાતો આપણે કરવી નથી. અત્યારે તો ભરપૂર ઉપશમભાવમાં જ રહેવું છે.'
સંધ્યા સમયે અમે આરતી કરી. પ્રભુની સ્તવના કરી.
મયણા
૨૨૯
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વાગે છે આજે ઉરની સિત્તાર ગાવું છું આજે રાગ મલ્હાર મૂર્તિ મનહર છે, મારી આંખો ઠરે
કેવો તું જિનવર છે! મારી આંખો ઠરે... રણઝણે આ તારો, જાણે ગુંજે છે ભમરા ફૂલો પર આલાપું હું આ સરગમ જાણે ટહુકે છે કોયલ ડાલો પર!
મનડાનાં ગીત છે આ, ગીતો મદભર છે... મારી આંખો હરે... રસ ઝરે દયાનો, જાણે વરસે છે મેઘ અષાઢી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસો પ્રભુ નિરંતર, અંતરના દ્વારો ઉઘાડી
અંતરનાં સુખ દોને, સુખો આ ક્ષણભર છે... મારી આંખો ઠરે... રૂપ છે અનુપમ, જાણે બ્રહ્માએ સરજ્યું ન હોય!
ધ્યાન ધરું જિનેશ્વર, જાણે કોઈ જુદાઈ ન હોયે...
દર્શન હો આતમને, દર્શન હિતકર છે, મારી આંખો રે...
સ્તવના પૂર્ણ કરી અમે અમારા ખંડમાં ગયાં. લલિતા એના ઘરે ચાલી ગઈ. અમે શ્રી સિદ્ધચક્રજીના પ્રભાવોની અહોભાવપૂર્વક એક પ્રહર સુધી વાતો કરતા રહ્યા. અમારાં બંનેનાં હૃદયમાં શ્રી સિદ્ધચક્રજીનું સ્થાન અવિચલ બની ગયું હતું.
આજે આશ્વિન પૂર્ણિમા હતી.
અમારી આરાધનાનો આજે છેલ્લો દિવસ હતો.
અમારો ઉલ્લાસ-ઉત્સાહ અપાર હતો. આજે લલિતાએ વિશેષરૂપે પૂજનસામગ્રી તૈયાર કરી હતી. અમે પૂજાખંડમાં પ્રવેશ્યાં.
સર્વપ્રથમ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા ખૂબ જ તન્મય બનીને કરી... પૂજન કરતાં કરતાં પૂજ્ય-પૂજકનો ભેદભાવ ઓગળી ગયો અને અભેદભાવે પરમાત્મમિલન થયું! શરીર રોમાંચિત થઈ ગયું! અનુષ્ઠાન ‘અમૃત અનુષ્ઠાન' બની ગયું.
૨૩૦
તે પછી શ્રી સિદ્ધચક્રજીનું પણ અપૂર્વ ભાવથી પૂજન થયું. જાણે કે અમને સર્વસ્વની પ્રાપ્તિ થઈ ગઈ હોય એવો ભરપૂર વિશ્વાસ પ્રગટયો. અમે પૂર્ણ અભયની અનુભૂતિ કરી. અમને જાણે દિવ્ય દ્રષ્ટિ મળી ગઈ હોય, એવાં નવપદનાં દિવ્ય દર્શન થયાં!
For Private And Personal Use Only
ચણા
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આજે નવમા ‘તપપદ’ની આરાધના વિશેષરૂપે કરવાની હતી. એટલે
‘તપંપદ’ની સ્તવના શરૂ કરી : કેવો આ સંસાર?
નથી કો ય સાર...
આરાધો તપના બાર પ્રકાર... આરાધો૦ તપથી થાયે કર્મનિર્જરા પાપો સહુયે સળગે મળે સુખ ને શાંતિ મનને, જાયે ઉદ્વેગ અળગે... પામો સમતાનો શણગાર... આરાધો મમતા તૂટે દેહભાવની, પ્રગટે આતમજ્યોતિ પુણ્યોદય ભરપૂર થાય ને પામો ગુણનાં મોતી બનવું એક દિન અણગાર... આરાધો
દિવ્ય તત્ત્વો સાંનિધ્ય કરે ને સહાય કરે સંકટમાં શક્તિ મળે એવી અદ્ભુત કે ચાલી શકો કંટકમાં... કરવો ગુરુ તણો સથવાર... આરાધો
સ્તવના પૂર્ણ કરીને ‘ૐ હ્રીઁ નો તવરન્સ' આ મંત્રનો જાપ શરૂ કર્યો. શ્વેતવર્ણમાં તપપદનું ધ્યાન કર્યું. આજે અમે બંને ધ્યાનમાં નિમગ્ન બની સમાધિમાં લીન બની ગયાં. બે ટિકા વીતી ગઈ. અમે જાગ્રત બન્યાં. અમારી આંખોમાંથી હર્ષનાં આંસુ વહેતાં હતાં. અમે ગદ્ગદ્ હતાં. ધીરે ધીરે ઊભાં થયાં, મસ્તક નમાવી, હાથ જોડી, પૂજાખંડમાંથી બહાર નીકળ્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે અમે ઋષભ-પ્રાસાદમાં વિશિષ્ટ ફળ-નૈવેદ્ય-પુષ્પ આદિ લઈને ગયાં હતાં, પરમાત્માની ભાવપૂર્વક પૂજા કરી હતી. પછી ગુરુદેવશ્રીની પાસે પૌષધશાળામાં ગયાં હતાં.
મણા
ગુરુદેવને વંદના કરી અમે ઉચિત જગાએ બેસી ગયાં. આજે ગુરુદેવ અમને ‘તપપદ' સમજાવવાના હતા. તેઓએ વિવેચના શરૂ કરી :
‘હે મહાનુભાવ, આજે તમને ‘તપપદ' અંગે સમજણ આપીશ. તમે એકાગ્રતાપૂર્વક સાંભળજો.'
જે કર્મોને તપાવે નાશ કરે તેને તપ કહેવાય. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ છે. જ્યાં સુધી આત્મા કર્મોથી બંધાયેલો છે ત્યાં સુધી તે સંસારી છે અને જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી જન્મ-જીવન
For Private And Personal Use Only
૨૩૧
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને મૃત્યુનાં દુઃખો જીવે ભોગવવાનાં રહે છે.
પરમ સુખમય મોક્ષદશાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવા જેઓ સંકલ્પ કરે છે તે સાધકો પોતાના જીવનમાં તપશ્ચર્યાને સમુચિત સ્થાન આપે છે. અર્થાત્ જીવનને તપોમય બનાવે છે.
તપશ્ચર્યાના મુખ્ય બે ભેદ બતાવવામાં આવ્યા છે : બાહ્ય તપ અને અત્યંતર તપ. જે તપ બીજા મનુષ્ય જોઈ શકે તેને બાહ્ય તપ કહેવાય છે અને જે તપ બીજા મનુષ્યો નથી જોઈ શકતા તેને અત્યંતર તપ કહેવાય છે. બંને તપના છ-છ પ્રકારો બતાવવામાં આવ્યા છે. પહેલાં બાહ્ય તપના છ પ્રકારો બતાવું છું :
પહેલો પ્રકાર છે અનશન. એક ઉપવાસથી માંડીને છ મહિનાના ઉપવાસની તપશ્ચર્યાને “અનશન' કહેવામાં આવે છે. આયંબિલ વગેરે તપનો સમાવેશ પણ આ પ્રકારમાં થઈ જાય છે.
બીજો પ્રકાર છે ઊણોદરી, ભૂખ કરતાં ઓછું ખાવું તેનું નામ ઊણોદરી. સામાન્યતયા પુરુષે ૩ર કોળિયાનો આહાર કરવાનો હોય છે. ઘટાડતાંઘટાડતાં આઠ કોળિયા આહાર કરે.
ત્રીજો પ્રકાર છે વૃત્તિ સંક્ષેપ. સાધુ-સાધ્વી માટે આ તપનો અર્થ છે ભિક્ષાનો સંક્ષેપ. અર્થાત્ ગૃહસ્થોનાં ઘરોમાંથી પરિમિત ભિક્ષા ગ્રહણ કરે. બીજ સામાન્ય અર્થ છે ખાવાની વસ્તુઓની સંખ્યાનું નિયંત્રણ કરવું.
ચોથો પ્રકાર છે રસત્યાગ. દૂધ, દહીં, માખણ, ગોળ, ઘી આદિ વિકૃતિઓનો ત્યાગ કરવો. શક્ય એટલી વિકૃતિઓનો ત્યાગ કરવો.
પાંચમો પ્રકાર છે કાયક્લેશ, કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહેવું. તડકામાં ઊભા રહેવું. આતાપના લેવી, કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર બની ઊભા રહેવું વગેરે શારીરિક કષ્ટો જાણીબૂઝીને સહન કરવાં.
છઠ્ઠો પ્રકાર છે સંલીનતા. આ તપના બે પ્રકાર છે : (૧) ઇન્દ્રિય-સંલીનતા, (૨) નોઇન્દ્રિય-સંલીનતા. (૧) જેમ કાચબો પોતાનાં અંગોપાંગ ગોપવીને રહે છે, તેવી રીતે સાધક આત્માઓ પોતાનાં અંગોપાંગ ગોપવીને રહે. અર્થાત્ શરીરનું અને ઇન્દ્રિયોનું નિમ્પ્રયોજન હલન-ચલન ન કરે. શક્ય પ્રયત્નથી કાયસ્થિરતા રાખે. શબ્દ-૩૫-૨સ-ગંધ અને સ્પર્શના વિષયોમાં જતી ઇન્દ્રિયોને રોકે. આનું નામ ઇન્દ્રિય-સંલીનતા.
૨૩૨
મયમાં
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) “નો-ઇન્દ્રિય' એટલે મન. જેવી રીતે ઇન્દ્રિયોની સંલીનતાનું તપ કરવાનું છે એવી રીતે મનની સંસીનતાનું તપ કરવાનું છે. આર્તધ્યાન અને રોદ્ર ધ્યાનથી મુક્ત મન સંલન કહેવાય. જ્યારે મનમાં ક્રોધ હોય, માન હોય, માયા હોય અને લોભ હોય ત્યારે તે મન સંલીન નથી હોતું. ઉગ્નિ અને અશાંત હોય છે. સાધક આત્મા ક્રોધાદિ કષાયોનો ઉદય જ રોકે. અર્થાત્ ક્રોધાદિ કષાયો મનમાં પ્રવેશે જ નહીં; એ રીતે મનને શાન-ધ્યાન અને ચારિત્રની આરાધનામાં જોડેલું રાખે.
તે છતાં પ્રમાદથી કે અસાવધાનીથી કષાયો મનમાં આવી જાય તો તેને ઉપશાંત કરવાના ઉપાયો કરે. કાયાથી એ કષાયો અભિવ્યક્ત થઈ જાય તો ક્ષમા, નમ્રતા, સરળતા અને નિર્લોભતાથી એનું વારણ કરે. આનું નામ નોઇન્દ્રિય-સંલીનતા.
તપશ્ચર્યાથી કર્મોની નિર્જરા થાય છે, તે કરીને આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરવાની ઝંખનાવાળા સાધકોએ આ બાહ્ય તપ આચરવુ જોઈએ.
હવે તમને છ પ્રકારના અભ્યતર તપ સમજાવું છું. પહેલો પ્રકાર છે પ્રાયશ્ચિત્ત. જેનાથી ચિત્તશુદ્ધિ થાય તેને પ્રાયશ્ચિત્ત કહેવાય. સદ્ગુરુનાં ચરણોમાં વિનયપૂર્વક નમ્રતાપૂર્વક પોતાનાં પાપો પ્રકાશિત કરવાં, અતિચારો પ્રગટ કરવા અને એ સાંભળીને ગુરુદેવ જે પ્રાયશ્ચિત્ત આપે તે વહન કરવું, અને પ્રાયશ્ચિત્ત-તપ કહેવામાં આવે છે.
બીજો પ્રકાર છે ધ્યાન. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ, તે પણ તપશ્ચર્યા છે. “ચિત્તનિરોધરૂપ ધ્યાન'ને તપ કહેવાય છે.
એવી રીતે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં એકાગ્રતા અનુભવતું ચિત્ત પણ ધ્યાન છે અને તે તપ છે.
ધર્મ ધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) આજ્ઞા વિચય, (૨) અપાય વિચય, (૩) વિપાક વિચય અને, (૪) સંસ્થાન વિચય.
હે રાજા! આ ચાર પ્રકારો તમને મયણા સમજાવશે. શુક્લ ધ્યાનનો સરળ અર્થ છે : જેનાથી શારીરિક અને માનસિક દુઃખ, શોક, સંતાપનો નાશ થાય તેને “શુક્લ” કહેવાય. તે શુક્લ ધ્યાન પણ ચાર પ્રકારનું હોય છે : (૧) પૃથકત્વ-વિતર્ક સવિચાર, (૨) એકત્વ-વિતર્કઅવિચાર, (૩) સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી, (૪) ભૂપતક્રિયા-અનિવૃત્તિ.
રાજા! આ ચાર પ્રકારો પણ તમને મયણા સમજાવશે.
મયણા
૨૩૩
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્લ ધ્યાનના પહેલા બે પ્રકારના અંતે જીવાત્મા કેવળજ્ઞાની બને છે. છેલ્લા બે પ્રકારોના અંતે આત્મા એકર્મા બને છે. સિદ્ધ મુક્ત બની જાય છે.
ત્રીજો પ્રકાર છે વેશ્યાવૃત્ય વેયાવૃત્ય એટલે સેવા. મુનિજનોએ ખૂબ નમ્રતાથી અને પ્રસન્નચિત્તથી આ વેયાવૃત્ય-તપ કરવાનું છે. આચાર્ય, ઉપાધ્યાય, બીમાર, બાલમુનિ આદિની શરીરસેવા કરવી, એમના માટે ભિક્ષા, પાણી, વસ્ત્ર-પાત્ર લાવી આપવાં વગેરે સેવા કરે, એવી રીતે ગૃહસ્થો પણ માતા-પિતાની અને ગુરુજનોની ઉચિત સેવા કરે, તે વેશ્યાવૃત્ય-તપ કહેવાય.
ચોથો પ્રકાર છે વિનય, જેઓ વિનય કરવાને યોગ્ય છે, તેમનો વિનય કરવાથી પાપકર્મોનો નાશ થાય છે, માટે વિનયને તપ કહેવાય છે. પૂજ્ય પુરુષો આવે ત્યારે ઊભા થવું, મસ્તકે અંજલિ જોડવી, ચરણ ધોવા, બેસવા આસન આપવું વગેરે વિનયના અનેક પ્રકારો છે.
પાંચમો પ્રકાર છે વ્યુત્સર્ગ. વ્યુત્સર્ગ એટલે ત્યાગ. મિથ્યાદર્શનોનો અનુરાગ ત્યજવાનો છે અને કષાયોને ત્યજવાના છે. કાયાની માયાનો ત્યાગ કરવાનો છે. અને સ્થિર થઈ કાઉસગ્ન કરવાનો છે. આ ત્યાગ પણ તપશ્ચર્યા જ છે.
છઠ્ઠો પ્રકાર છે સ્વાધ્યાય. શાસ્ત્રીસ્વાધ્યાય - અધ્યયન - પરિશીલન અત્યંતર તપ છે. આ સ્વાધ્યાય-તપના પાંચ પ્રકારો છે : (૧) વાચના : સદ્દગુરુની પાસેથી વિનયપૂર્વક સૂત્રાર્થ ગ્રહણ કરવા. (૨) પૃચ્છના : સંદેહ દૂર કરવા વિનયપૂર્વક પ્રશ્ન પૂછવા. (૩) અનુપ્રેક્ષા : મનમાં શાસ્ત્ર-તત્ત્વોનું. અનુચિંતન કરવું. (૪) આમ્નાય : સૂત્રપાઠનું શુદ્ધિપૂર્વક ઉચ્ચારણ કરવું. (પ) ધર્મોપદેશ : ધર્મતત્ત્વોનો ઉપદેશ આપવો.
હે મહાનુભાવ, બાહ્ય તપ અત્યંતર તપમાં સહાયક બને છે, એટલે અત્યંતર તપમાં સહાયભૂત બને એટલું જ બાહ્ય તપ કરવું જોઈએ. ઇન્દ્રિયોને ક્ષતિ ન પહોંચે તે રીતે બાહ્ય તપ કરવાનું છે. તપનું અભિમાન ન આવી જાય એની પૂરી તકેદારી રાખવી જોઈએ. તપથી કર્મોની નિર્જર કરવાની છે, આત્મભાવને નિર્મળ કરવાનો છે - આ વાત ખાસ યાદ રાખવાની છે.”
ગુરુદેવે “તપપદની વિવેચના પૂર્ણ કરી. અમે કૃતજ્ઞતા વ્યક્ત કરી ઊભાં થયાં. અન્ય મુનિવરોને વંદના કરી પૌષધશાળામાંથી બહાર નીકળ્યાં.
૨૩૪
અયમાં
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ' 33
-
આજે અમારા સમગ્ર આવાસમાં સિદ્ધચક્ર-મહાયંત્રની મહેક ભરી હતી. મારા જીવનમાં આ નવ દિવસો અપૂર્વ, રોમાંચક અને સર્વ શ્રેષ્ઠ વીત્યા હતા. ગહન સંયમ, વિધિવત્ નવપદ-આરાધના, એકાગ્રતાપૂર્વક ગુરુદેવના શ્રીમુખે નવ પરમ તત્ત્વોનું શ્રવણ... રોમરોમ વિકસી જતા એવી પ્રભુભક્તિ... ધર્મચર્ચા અને તત્ત્વચિંતન... મારું સમગ્ર અસ્તિત્વ અગોચર આનંદથી પ્લાવિત થઈ ગયું હતું.
મારા મનની ભીતરમાંથી એક ગહન ગંભીર અવાજ મને સંભળાયા કરે છે. જેમ જેમ હું મનથી નિર્ધાર કરીને એ અવાજને રૂંધવાનો પ્રયત્ન કરું છું તેમ તેમ વાયુના સુસવાટાની એક થપાટથી અગ્નિની જ્વાલા બુઝાતાં પહેલાં જોરથી ભડકી ઊઠે તેમ એ અવાજ જાણે મને ઠોકી ઠોકીને કહે છે: “મણા! તારા જીવનની કથા સૌને કહે, સૌને સમજાય એવી ભાષામાં આજ તું સૌને કહી દે. તારા જીવનની આજની પરિસ્થિતિ પણ એવી જ છે.” લોકો કહે છે “મયણા, તેં તારું જીવન એક ફાટેલું ચીંથરું કરી નાંખ્યું છે!' કહે, ગળું ફાડીને કહે કે ચીંથરું ન હતું, એ તો જરીના તાંતણે ગૂંથાયેલું એક નજાકત રાજવસ્ત્ર હતું. કેવળ પરિસ્થિતિની ક્રૂર કાંટાળી વાડમાં ઉઝરડા પડી પડીને એ ચીંથરેહાલ થઈ ગયું હતું. પણ હવે એ ચીંથરેહાલ નથી, સુંદર અખંડ રમણીય રાજવસ્ત્ર છે.. જોઈ લો આખો ખોલીને! કાળના ભયંકર ઝંઝાવાતની સામે એકલા ઝઝૂમતાં ફાટી ગયેલાં રાજવસ્ત્રોનું મૂલ્ય કંઈ ઓછું નથી. હવે સૌને ઉઘાડી આંખે જોવા દે! કાન ખોલીને સાંભળવા દે!
હા, સુંદર આદર્શકથા સાંભળ્યા પછી બીજી જ ક્ષણે એ કથાને અત્યંત આસાનીથી, બેફિકરાઈથી ભૂલી જનારા આ પાગલ સંસારને શું તારી આ કથા ક્યારેય હલબલાવી મૂકશે ખરી? એ કથામાં એટલું સામર્થ્ય છે ખરું?
અરે, આ શું કેવળ કથા છે? ના, આ તો એક મહાન સત્ય છે! અને
માણા
૨૩૫
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય, શ્રોતા કે દ્રષ્ટાની ઇચ્છાનો વિચાર ક્યારેય કરતું નથી. એ તો સદાય એના મૂળ સ્વરૂપે ઊગતા સૂર્યની જેમ જ આપણી સમક્ષ આવીને ઊભું રહે છે!
હું તો કેવળ જીવનના છેલ્લા શ્વાસ સુધી સિદ્ધાંત માટે લડનારી અને ગુરુદેવને સમર્પિત, સિદ્ધચક્રજીની પરમ ઉપાસિકા અને મારા રાણાની એક રાણી રૂપે રહીશ.
વૃક્ષ બતાવેલીથી અને પશુપંખીથી વીંટળાયેલું નિસર્ગ દેવતાની ગોદમાં લપાયેલું વિશાળ નગર ઉજ્જયિની! ચકોર, ચાતક, કોયલ, ભારદ્વાજ, સારંગ આદિ અસંખ્ય પક્ષીઓના મધુર કલરવથી પ્રાત:કાળે આળસ મરોડતી હું જાગી જતી.. જોકે બાલ્યકાળની એ સ્મૃતિ કેટલી બધી આકર્ષક હોય છે! સ્મૃતિમાત્રથી ક્ષિપ્રા-માતાનો ક્ષિતિજ સુધી વિસ્તરેલો પટ આંખ સામે આવી જાય છે. શુભ્ર નીલ જલનું ક્ષિતિજ સુધી પથરાયેલું વિશાળ સામ્રાજ્ય! એ જળનું એક એક બિંદુ મને ઓળખે છે અને હું પણ એક એક બિંદુને સારી રીતે ઓળખું છું. આ જ ક્ષિપ્રાના તટ પર પથરાયેલી ભીની રેતી પર દોડતા દોડતાં મારી નાની નાની નિર્દોષ પગલીનાં ચિહ્નો ઊપસી આવ્યાં છે. અહીં જ નટખટ વાયુએ મારા ઉત્તરીય વસ્ત્ર સાથે છેડછાડ કરી એને કેટલીય વાર મારા અંગ પરથી ઉડાડી મૂક્યું છે.
બાળપણ એટલે? કોઈ એને સુરેખ વ્યાખ્યામાં બાંધી શકશો? સૌ પોતપોતાની કલ્પનાથી બાળપણને વર્ણવે છે. પણ મને પૂછો તો કહું કે બાળપણ એટલે મુક્ત અને નિબંધ કલ્પનાઓના અશ્વોનો જોડેલો એક સ્વૈરવિહારી રથ! દૂર સુધી દેખાતું ક્ષિપ્રાનું પાણી ખરેખર નીલગગનને સ્પર્શતું નથી ને? એ જોવા માટે રથ એની અસંખ્ય લહેરો પર ચક્કર લગાવી બીજી જ ક્ષણે ક્ષિતિજને આંબવા દોડી જાય છે, તો ક્યારેક આ રથ આકાશમાં ટમટમતા અસંખ્ય તારા જડેલા છે, એ નીલ છત છોડીને પૃથ્વી પર ટપ લઈને કેમ નથી ટપકતા એની ખાતરી કરવા અંતરિક્ષમાં એ ખૂબ ઊંચાઈ સુધી છલાંગ મારે છે!
હું મારા વિચારોના રથમાં ઘૂમતી હતી, ત્યાં રાણા મારી સામે આવીને ઊભા. શાંત ચિત્તે મન ભરીને મારી સામે જોતા નિર્દોષભાવે બોલ્યા :
૨૩૬
માણા
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘દેવી!’ ‘કહો નાથ!’
‘ગઈ રાત મને ક્યાં ય સુધી ઊંઘ આવી નહીં. વિચારો દોડતા જ રહ્યા... આખી રાત પડખાં ફરીને વિતાવી.'
‘અવો તો કર્યો વિચાર વારંવાર સતાવતો હતો?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મારા જીવનરક્ષક, મારા જીવનસાથી સાતસો માણસોનો...’ ‘આપનો એમના પ્રત્યે સાચો પ્રેમ છે, નાથ!'
આ સાચો ત્યારે ગણાશે કે જ્યારે એ બધા જ સાથીદારો મારા જેવા નીરોગી બનશે!'
‘આપની ઇચ્છા, આપની ભાવના ઉત્તમ છે, નાથ...'
‘શું તેઓ નીરોગી થઈ શકશે એ પરમ પ્રભાવી શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રના સ્નાત્રજળથી?’
‘આપની શ્રદ્ધા શું કહે છે?’
‘નીરોગી બની શકશે, અવશ્ય બની શકશે! દેવી, જે સુખ મને મળ્યું એ સુખ મારા ઉપકારી, મારા જીવનરક્ષક મિત્રોને મળવું જ જોઈએ ને?'
એમના આ ઉદાત્ત વિચારો સાંભળી મારું મન આનંદથી ઊભરાઈ ગયું... મારી આંખો હર્ષનાં આંસુ વહાવવા લાગી. મેં કહ્યું : ‘હે સ્વામીનાથ આપણે આપણા ગુરુદેવને પૂછી લઈએ પછી એ કામ કરીએ.’
અમે આયંબિલ કરી લીધું હતું. મધ્યાહ્નકાળે ગુરુદેવ પાસે જવાનું નક્કી કર્યું. ત્રીજા પ્રહરના પ્રારંભે અમે ગુરુદેવનાં ચરણોમાં પહોંચ્યાં. વંદના કરી કુશળપૃચ્છા કરી અમે બેઠાં.
‘ગુરુદેવ! આપે અમારા પર પરમ કૃપા કરી. આપ જ અમારા પિતા છો, માતા છો, સખા છો... એક ક્ષણ પણ આપને ભૂલી નહીં શકાય. સદૈવ હૃદયમાં આપની છબી બની રહેશે.
પ્રો! આપ ન મળ્યા હોત તો...? એ કલ્પના ધ્રુજાવી દે છે. મન બહેર મારી જાય છે...
મધ્યા
ગુરુદેવ, હવે એમના મનમાં એક બીજો શુભ સંકલ્પ પ્રગટ્યો છે...! ‘દેવી, જાણું છું! આ રાણા મહાપુરુષ છે. રાજબીજ છે. એ કૃતજ્ઞ પુરુષ છે. એ એમના જીવનરક્ષક સાતસો કુષ્ઠરોગીઓને નીરોગી કરવા ઇચ્છે છે ને?’ હું અને રાણા એકબીજાને જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયાં! ‘ગુરુદેવને આ
For Private And Personal Use Only
૨૩૭
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતની ખબર કેવી રીતે પડી ગઈ?' ગુરુદેવના મુખ પર મંદ મંદ હાસ્ય રમતું હતું.. ગુરુદેવ, આપ અંતર્યામી છો...”
મયણા, રાણાની ઇચ્છા સફળ થશે. આવતીકાલે તમારે સાતસો માણસોને છાંટી શકાય એટલું સ્નાત્રજળ તૈયાર કરીને લઈ જવાનું. જ્યાં તેઓ છે, ત્યાં જઈને તમને જે વિધિ બતાવું તે વિધિથી સ્નાત્રજળ દરેક કુષ્ઠી પર છાંટવાનું. એ નીરોગી બની જશે. સાંગોપાંગ થઈ જશે! અને એ સાતસો પુરુષો ભવિષ્યમાં આ રાણાના જ સહયોગી બનશે!”
મેં અને રાણાએ વિચાર્યું : ગુરુદેવ દિવ્યદ્રષ્ટા છે. આર્યાવર્તના શ્રેષ્ઠ જ્ઞાનીપુરુષ છે! અમે ગુરુદેવને પ્રણામ કર્યા, અનુભવ કરી રહી હતી કે જાણે હૃદય સાવ હળવું ફૂલ જેવું થઈ ગયું છે.
લલિતા સવારે વહેલી આવી ગઈ હતી. ત્રણ મોટા ઘડા પાણી લાવવાનું હતું. મેં લલિતાને પૂનમના દિવસે જ સૂચના આપી દીધી હતી કે એક દાસીને સાથે લઈ આવે એટલે કામકાજમાં સરળતા રહે. પાણી અને પાણીમાં નાંખવાનાં વિશિષ્ટ દ્રવ્યો આવી ગયાં હતાં. અમે સ્નાન કરી, પૂજાનાં વસ્ત્રો પહેરી પૂજાગૃહમાં પ્રવેશ્યાં. આજે લલિતાને પણ પૂજામાં બેસાડવાની હતી. એટલે અમે ત્રણેયએ પહેલાં ભગવાન ઋષભદેવની રત્નમય પ્રતિમાનું અષ્ટપ્રકારી પૂજન કર્યું. પછી શ્રી સિદ્ધચક્રજીની સ્નાત્રવિધિ શરૂ કરી. લગભગ બે ઘટિકા સુધી અમે સ્નાત્રાભિષેક પૂર્ણ કરી, ત્રણ સ્વચ્છ ને સુંદર ઘડાઓમાં સ્નાત્રજળ ભર્યું, એના પર શ્રીફળ મૂકીને રેશમી વસ્ત્ર બાંધ્યું.
સિદ્ધચક્રજીની અમે અષ્ટપ્રકારી પૂજા કરી અને લલિતા પાસે કરાવી. એના આનંદનો પાર ન હતો. તે હર્ષથી ગદ્ગદ્ હતી. પૂજા પૂર્ણ કરીને સ્તવના કરીને, અમે પૂજાખંડની બહાર આવ્યાં. મેં રાણાને કહ્યું:
આપણે આ સ્નાત્રજળના ઘડા લઈને અત્યારે જ આપના સાતસો સાથીદારો પાસે પહોંચી જઈએ. પછી આવીને નવ આયંબિલનું પારણું
કરીશું!'
તેમણે સહર્ષ સંમતિ આપી. અમે પૂજાનાં વસ્ત્રોમાં જ પાણીના ત્રણ ઘડા લઈને નીકળી પડ્યાં. મેં, લલિતાએ અને એની દાસીએ એક-એક ઘડો માથે
૨૩૮
મયા
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઈ લીધો. રાણા આગળ અને અમે પાછળ. જંગલની કેડીએ ચાલતાં જાણે અમે ઊડી રહ્યાં હતાં!
અમે ઉપકારીઓના ઉપકારનો કિંચિત્ બદલો વાળવા જઈ રહ્યાં હતાં. અમે સુખી થયાં તો અમારા સાથીઓ પણ સુખી થવા જોઈએ.” આ ઉદાત્ત ભાવનાને લઈને અમે દોડી રહ્યાં હતાં.
અમે એ લોકોના પંડાવની નજીક પહોંચ્યાં ત્યાં દુર્ગધ આવવા લાગી. લલિતાએ મારી સામે જોયું.. પેલી દાસીએ પણ એક હાથે નાક દાખ્યું. લલિતાને કહ્યું : “મારી સખી, આપણે જેમના કામ માટે જઈ રહ્યા છીએ એ સાતસો કુષ્ઠરોગીઓનો પડાવ નજીક આવ્યો છે. એની આ દુર્ગધ છે... આજે એ દુર્ગધ દૂર થઈ જશે... લલિતા, આજે રાણાના એ સાતસો ય સાથીદારો શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રના પ્રભાવે નીરોગી બની જશે! તેમનાં ગળી ગયેલાં, સડી ગયેલાં, ખરી પડેલાં અંગ-ઉપાંગ નવાં આવી જશે!'
ઓહો! ઘણું સારું! સાતસો માણસો પર પરમ ઉપકાર થશે... એમને નવું જીવન મળશે!” લલિતા હાંફતી હાંફતી બોલી. માથે સ્નાત્રજળ ભરેલો ઘડો હતો! એ થાકી ગઈ હતી. એમ તો મારી ડોક પણ દુ:ખતી હતી પણ હર્ષના આવેગમાં એ દુઃખ લાગતું ન હતું.
અમે હવે પડાવની નજીક પહોંચ્યાં હતાં. ત્યાં તો દૂરથી એ લોકોએ અમને આવતાં જોઈ લીધા અને ચાર પાંચ આધેડવયના પુરુષો સામે દોડી આવ્યા!
તેમણે મને ઓળખી લીધી! પણ રાણાને ન ઓળખ્યા! તેઓ મને, લલિતાને અને દાસીને જોવા લાગ્યા...આગળ ઊભા રહેલા તેજસ્વી સુંદર યુવકને જોઈ તેઓ વિચારમાં પડી ગયા...
દેવી! આપ પધાર્યા? અમારા રાણા....?' ને પેલો તેજસ્વી સુંદર યુવક ખડખડાટ હસી પડ્યો! મેં આજે એમને પહેલી વાર જ આ રીતે મુક્ત મનથી હસતા જોયા! તેઓ બોલ્યા :
ચાલો આગળ. તમારા રાણા તમારા પડાવમાં તમને મળશે!'
અમે ત્વરાથી પગ ઉપાડ્યા... પેલા માણસો તો દોડતા ગયા અને પડાવમાં બૂમાબૂમ કરી મૂકી... રાજ કુમારી આવ્યાં છે! રાજકુમારી આવ્યાં છે... સહુ મેદાનમાં ભેગાં થાઓ! અમે ત્યાં એક ઘેઘૂર વૃક્ષની નીચે જઈને શુદ્ધ જગા જોઈને ઘડા નીચે
અમા
૨૩૯
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂક્યા. અમે ત્રણેય બેસી ગયા. રાણા ઊભા રહ્યા.
થોડી જ વારમાં સાતસો કુષ્ઠરોગી ત્યાં ભેગા થઈ ગયા. સહુ ધારીધારીને રાણાને જોતા હતા... અને એમના રાણાને શોધતા હતા... મને જોઈને પ્રણામ કરતા હતા. ત્યાં જવાનસિંહ આગળ આવ્યો. સુભાષકાકા પણ નજીક આવ્યા. બીજા પણ તેમના બે પરિચિત મિત્રો આગળ આવ્યા. સુભાષકાકાએ મને પૂછયું :
દેવી! અમારા રાણા નથી આવ્યા?' આવ્યા છે ને!' “ક્યાં છે?' “આ ઊભા છે એ જ તમારા રાણા!' અને સહુ આંખો પહોળી કરી આશ્ચર્યથી મોં પહોળા કરી તેમને જોઈ રહ્યા... સુભાષકાકા તો ભેટવા જતા હતા, પણ અટકી ગયા... “ના, ના, મારો ચેપ લાગી જાય!' જવાનસિંહ એકદમ પાસે જઈને ઊભો રહ્યો. મેં સહુને સંબોધીને કહ્યું : ભાઈઓ, તમે સહુ બેસી જાઓ. હું તમને તમારા રાણાનાં દર્શન કરાવું છું.” સહુ બેસી ગયા. હું રાણા પાસે જઈને ઊભી રહી. મેં એ લોકોને સંબોધીને
આ જ તમારા ઉંબરાણા છે! ભગવાનની દયાથી અને ગુરુદેવની કૃપાથી તેમનો કુષ્ઠરોગ મટી ગયો છે. તેમનું શરીર પૂર્ણ નીરોગી બન્યું છે... બધાં જ અંગોપાંગ નવાં આવી ગયાં છે... તમે એમને પ્રત્યક્ષ જોઈ શકો છો!'
દેવજી! આ બધો ઉપકાર તમારો છે...' સુભાષકાકા હર્ષનાં આંસુ વહાવતા બોલી ઊઠ્યા.
“ના, ના, ઉપકાર બધો જ ગુરુદેવનો છે. તમને મારા એ ગુરુદેવનાં દર્શન કરાવીશ, પણ એ પહેલાં તમને સહુને પણ નીરોગી કરવાની ભાવનાથી રાણા અહીં આવ્યા છે! રાણા છે ને! એટલે પ્રજાને સુખી તો કરવી જ પડે ને! એ એકલા સુખી થાય, એમ કેમ ચાલે? એટલે બીજી બધી વાતો પછી કરીશું. પહેલાં તમે આ મેદાનમાં પચાસ/પચાસની પંક્તિમાં બેસી જાઓ. પલાંઠી વાળીને બેસી જાઓ, જવાનસિંહ, બધાને પંક્તિબદ્ધ બેસાડી દો. પછી તમારે આંખો બંધ કરી “ત્રાઉમદેવાય નમ:' બોલતા રહેવાનું. અમે
૨૪૦
માણા
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
ના
.'
તમારા ઉપર પાણી છાંટતા રહીશું... તમારે આંખો ખોલવાની નહીં. હું કહું ત્યારે જ આંખો ખોલવાની.”
બધા પચાસ-પચાસની પંક્તિમાં બેસી ગયા. મેદાનની ચારે બાજુ વૃક્ષો હતાં એટલે સૂર્યનો પ્રકાશ પર્ણોમાંથી ચળાઈને આવતો હતો. પવન પણ શીતલ હતો.
અમે શ્રી સિદ્ધચક્રજીનું બે ક્ષણ ધ્યાન કરી, ઘડો ખોલ્યો. કળશમાં પાણી ભર્યું. બે કળશ હતા. એક કળશ મેં લીધો, બીજો રાણાએ લીધો . અને એક પંક્તિમાં એમણે જલછંટકાવ શરૂ કર્યો, બીજી પંક્તિમાં મેં જલછંટકાવ શરૂ કર્યો... લલિતા અને દાસ અમને કળશો ભરીભરીને આપતી જતી હતી... જાણે યક્ષરાજ વિમલેશ્વર અને દેવી ચકેશ્વરી હાજર હોય, એવો દિવ્ય પ્રકાશ મેદાન પર છવાઈ ગયો. “નૃપમવેવાય નમ:'નો સમૂહ મંત્રોચ્ચાર અરણ્યને મુખર કરી રહ્યો હતો. અમે “શ્રી સિદ્ધવ વિધાતુ સૌરળમ્' બોલતાં જતાં હતાં અને સ્નાત્રજળ છાંટતાં જતા હતાં. જાણે આકાશમાંથી, દિવ્ય ધ્વનિ રેલાતો હોય... કુસુમવૃષ્ટિ થતી હોય તેવો આભાસ થતો હતો.
લગભગ બે ઘટિકામાં સમગ્ર કાર્યક્રમ પૂરો થયો.
અમે પણ શ્રી સિદ્ધચક્રજીનું ધ્યાન કરતાં ઊભાં રહ્યાં... થોડી વારે લલિતા બોલી ઊઠી :
મયણા! મયણા.. જો તો... આ આગળની પંક્તિમાં બેઠેલા માણસોના હાથ-પગ સારા થઈ ગયા.. એમના નાક... કાન... બધું સારું થઈ ગયું... એમના શરીરની ચામડી પણ સારી થઈ ગઈ. કોઈ ડાઘ ન રહ્યો... સંપૂર્ણ શરીર સારું થઈ ગયું...”
અહો! દેવી... શ્રી સિદ્ધચક્રજીનો આવો દિવ્યપ્રભાવ! આ તે કેવો ચમત્કાર! મારી સખી... મને તો આજે જ સિદ્ધચક્રજી ફળ્યા! મેં આજે પૂજા કરી અને આજે જ આ અદ્ભુત પ્રભાવ જોવા મળ્યો...”
હું અને રાણા, અમારી પાછળ લલિતા અને દાસી... અમે બધી પંક્તિઓમાં દરેક માણસ પર દૃષ્ટિ નાંખતાં આગળ વધ્યાં.
ગુરુદેવના કથન મુજબ પરિણામ આવ્યું હતું! ૭૦૦ યે રોગી પુરુષો નીરોગી બની ગયા હતા. મેં મોટેથી બોલીને જાહેર કર્યું :
હે ભાઈઓ, તમે તમારી આંખો ખોલો. તમે તમારા શરીર જુઓ. તમે સહુ નીરોગી બની ગયા છો! તમારાં ખરી પડેલાં, સડી ગયેલાં અંગોપાંગ
મયણા
૨૪૧
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાં આવી ગયાં છે... ભગવાન ઋષભદેવનો અને ગુરુદેવ મુનિચન્દ્રસૂરિજીનો આ પ્રભાવ છે!”
સહુએ આંખો ખોલી. પોતાનાં અને બીજાનાં શરીર જોવા લાગ્યા. આશ્ચર્યથી, આનંદથી અને હર્ષાતિરેકથી તેઓ ઊભા થઈને નાચવા લાગ્યા! અમારી ચારેય બાજુ તેમણે નાચવાનું શરૂ કર્યું... અમે.. એમાંય રાણા તો અતિ હર્ષિત હતા.
હું આ વૃત્તાંત અમારી મઢુલીમાં બેસીને મારી સાસુ રાણી કમલપ્રભાને સંભળાવી રહી હતી. રાણા પણ હાજર જ હતા. જ્યાં આ ૭૦૦ સહયોગીઓની વાત ચાલી કે વાતનો દોર તેમણે પકડી લીધો અને તેમણે વૃત્તાંત કહેવા માંડ્યો.
મા, તે દિવસે એ સાતસો ય સાથીઓએ ત્યાં ભેગા મળીને રાજસભાનું દૃશ્ય ઊભું કરી દીધું! તેમનામાંથી જ જે ઓ હૃષ્ટપુષ્ટ પુરુષો હતા તેઓ રાજસભામાં કોશપાલ, અશ્વપાલ, સેનાપતિ, અમાત્ય સચિવ વગેરે પાત્રો ભજવવા તૈયાર થયા હતા. શી ખબર... રાજસભાની જાણકારી તેમણે ક્યાંથી મેળવી હશે?
મેદાનમાં એક ખાસ્સો મોટો પથ્થર હતો. એને રાજસિંહાસન બનાવ્યું. મને તેમણે સિંહાસન પર બેસાડ્યો. મયણાને મારી પાસે જ બેસાડી. લલિતા અને દાસીને મયણાની પાછળ ઊભી રાખી,
અત્યંત આદરથી ઝૂકીને સુભાષકાકા બોલ્યા : “ચંપાનગરીના અધિપતિ શ્રીપાલ મહારાજનો..' સૌએ હર્ષોલ્લાસથી સાદ દીધો - “જય હો!' સૌ નીચે બેસી ગયા. મારો હવે છૂટકો જ નહોતો. આથી હું રાજાની ઢબે બોલ્યો : અમાત્ય, સભાનું કામકાજ શરૂ કરવાની અનુજ્ઞા આપવામાં આવે છે!'
અમારો આ રમતોત્સવ બરાબર જામ્યો હતો, એટલામાં બાજુમાં ચરતા પશુઓમાંથી એક ખડતલ આખલો જયજયકારના અવાજથી ભડક્યો. એણે એની જાડી પૂંછડી ઊંચી ટટ્ટાર કરી અવાજની દિશા તરફ કાન માંડ્યા. નસકોરાં ફુલાવતો અને શિંગડાં ભરાવતો, કાનને ઊંચા કરતો સીધો અમારી તરફ ધસ્યો. એનું વિકરાળ રૂપ જોઈને સુભાષકાકા ભાગ્યા... એ હાથ ઊંચા કરીને મોટેથી બોલ્યા : “મહારાજા, ભાગી... ભાગો.... સંકટ..”
સમાચાર ચારેય બાજુ ફેલાઈ ગયા. મયણા મારો હાથ પકડી મને ખેંચવા
૨૪૨
માણા
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગી. પણ હું ફટાક દઈને પથ્થર પર અક્કડ ઊભો રહી ગયો. દેવીને ઊંચકીને મારી પાછળ ઊભી રાખી. ઝંઝાવાત સમ એ આખલો અમારી તરફ ધસ્યો. એની આંખોમાંથી અંગારા ઝરતા હતા.. અડફેટમાં આવે એને લાત મારીને એનાં ચીંથરેચીંથરાં ઉડાડી નાખવા એના મગજની નસેનસ તણાતી હતી. એના મોંમાંથી લાળ ટપકતી હતી. પથ્થર પાસે આવીને એ સહેજ વાર ઊભો રહ્યો. આગળના પગની ખરીથી ખરરર માટી ખોદી અને શિગડાં ઊંચાં કરી ધારદાર બાણની જેમ એકાએક ઊછળ્યો! મેં ક્ષણભર આકાશ સામે મીટ માંડી. વિમલેશ્વર યક્ષ અને ચકેશ્વરી દેવી શ્રી સિદ્ધચક્રને લઈને ઊભાં હતાં. મેં મસ્તક નમાવ્યું.
શ્રી સિદ્ધ તદ્દઉં નમા”િ બોલ્યો અને મયણાને પાછળ ધકેલી દઈ બીજી જ ક્ષણે મેં મારા હાથની મજબૂત પકડમાં આખલાનાં શિંગડાં જ કડી લીધાં! મયણાએ “ઓ સ્વામીનાથ.” એવી ચીસ પાડી તે સંભળાઈ, પછી શું શું થયું તે મને સ્પષ્ટ યાદ નથી. પરંતુ મને ઉલાળી મારવા જેમ જેમ એ પહેલવાન આખલો જોરદાર ઝીંક મારતો હતો તેમ તેમ બંને હાથની પકડ એનાં શિંગડાંને જોરદાર ભીંસમાં લેતી હતી. મને લાગ્યું કે મારું શરીર જાણે અગ્નિમાં શેકાઈને રથચક્રના લોહની જેમ તપી ગયું છે! પછી મયણા ક્યાં હતી, લલિતા ક્યાં હતી... એની મને સહેજે ખબર ન હતી.
હું જાગ્યો ત્યારે મેદાનમાં પડ્યો હતો. મારું મસ્તક મયણાના ખોળામાં હતું. બાજુમાં સુભાષકાકા અને બધા જ ૭૦૦ સાથીદારો ઊભા હતા. આખલાના માલિકના હાથમાં આખલાની રાશ હતી. થોડી વાર પહેલાં લાલઘૂમ ડોળા ફાડીને ઊછળતો આખલો અત્યારે થાકીને હાંફતો હતો. એના મોંમાંથી ફીણ નીકળતું હતું.
મેં આંખો ખોલીને જોયું. મયણા એકીટસે મને જોઈ રહી હતી. એના મુખ પર હાસ્યની લહેર ચમકતી હતી.
મને એકાએક રાજસભા યાદ આવી! મને વિચાર આવ્યો કે એકાએક મારા દેહમાં આટલી વિરાટ શક્તિ ક્યાંથી આવી? અને બીજી જ ક્ષણે એ
ક્યાં ચાલી ગઈ? હું તરત બેઠો થયો. મને ક્યાં વાગ્યું છે એ જોવા મારા શરીરને તપાસ્યું. દેહ પર એક નાનો ઉઝરડો પણ ન હતો. હું ઊભો થયો. પાસે ઊભેલા આખલા પર એક ચમચમાવીને થપાટ મારી. એનાં રૂંવાડાં ભયથી થથરી ઊઠ્યાં! પૂંછડાને સંકોરતો મારી પાસેથી ભાગ્યો.
મયણ
૨૪૩
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્યક્રમ પૂરો થયો હતો.
આ બધા સાથીદારોને ભગવાન ઋષભદેવનાં દર્શન કરાવું. પછી ગુરુદેવ પાસે લઈ જાઉં અને ઓળખાણ કરાવું કે - “આ બધા મારા પ્રાણરક્ષકો છે! જીવનરક્ષકો છે! મને પ્રેમ કરનારા છે. મને ચાહનારા છે. ગુરુદેવ! આપની કૃપાથી તેઓ નીરોગી થઈ ગયા... સુખી થઈ ગયા! એમનું જીવન ધન્ય બની ગયું”
દેવ-ગુરુનાં દર્શન કરી તે સાતસોને અમે સુંદર વસ્ત્રોની એક-એક જોડી આપી. ભાથું આપ્યું અને દરેકને પોત-પોતાના ઘેર જવાની આજ્ઞા કરી.
પછી અમને આપનાં દર્શન ક્યારે થશે?' સુભાષકાકાએ પૂછુયું.
હું બોલાવીશ તમને બધાને! હું તમને જીવનપર્યત નહીં ભૂલી શકું. મારાં માતાને પણ તમારી વાત કરીશ.. એ તમારી ધર્મની બહેન છે ને! આવશે અહીં! ક્યારેક અહીં આવશો તો એનાં દર્શન પણ થઈ જશે.”
આંખોમાં... એક આંખમાં હર્ષ અને બીજી આંખમાં વિરહનું દુઃખ લઈ એ સાતસો સાથીદારોને પ્રેમભરી વિદાય આપી.
અમે અમારી મઢુલીમાં આવી ગયાં હતાં. થાકી ગયાં હતાં. હું તો આવતાં જ પલંગમાં લાંબો થઈને પડી ગયો. મારા મનમાં એક જ વિચાર ઘૂમરાતો હતો. બે કલાક સુધી રાની પશનો સામનો કર્યો તો પણ મારા અંગ પર એક પણ ઉઝરડો નહીં! મેં મયણાને પૂછ્યું. તેણે કહ્યું : “આ જ શ્રી સિદ્ધચક્રજીનો પ્રભાવ છે. તમારું શરીર શસ્ત્રોથી અપ્રતિહત રહેશે!”
એટલે હું ઘાયલ નહીં થાઉં? પણ મરવાનો ય નહીં?' “ના! અમર કોઈ નથી રહેતું. મૃત્યુ તો નિશ્ચિત જ છે. પરંતુ સિદ્ધચક્રજીના પ્રભાવે આવા દિવ્ય ઘણા અનુભવો આપને થતા રહેશે. એટલું જ નહીં, શ્રી સિદ્ધચક્રજીના ધ્યાનમાં પણ અવનવા અનુભવો થતા રહેશે.”
હજુ અમે પારણું કર્યું ન હતું. પારણું યાદ પણ આવ્યું ન હતું! સૂર્ય અસ્તાચળ તરફ જઈ રહ્યો હતો. લલિતાએ દૂધ ગરમ કરી દીધું. થોડાંક ફળ પણ દાસી લઈ આવી હતી. અમે દૂધથી ને ફળોથી પારણું કરી દીધું.
હૃદયમાં જેટલો આનંદ હતો, તેથી વધારે શરીરમાં થાક હતો. અમે પથારીમાં પડતાંની સાથે જ નિદ્રાધીન થઈ ગયાં.
૨૪૪
અયા
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
38
મેં મારી સાસુ કમલપ્રભાને કહ્યું :
‘માતાજી! આજ સુધીનો સમગ્ર વૃત્તાંત અમે આપને કહી સંભળાવ્યો છે. હવે આપ અમારી સાથે જ છો. હવે જે ઘટનાઓ બનવાની છે, તેમાં આપની હાજરી રહેવાની જ છે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલપ્રભાએ કહ્યું : બેટી, આટલી નાની ઉંમરમાં તેં મેરુ જેટલો ભાર વહન કર્યો છે. તે મારા લાલને નીરોગી તો કર્યો જ, સાથે સાથે પરમાત્માનો ભક્ત કર્યો. ગુરુદેવનો પ્રીતિપાત્ર કર્યો અને શ્રી સિદ્ધચક્રજીનો પરમ આરાધકઉપાસક કર્યો. એને શ્રદ્ધાવાનુ, જ્ઞાનવાન અને ચારિત્રવાન્ કર્યો! સાચે જ બેટી, તેં મને પણ જિનમાર્ગની ઉપાસિકા બનાવી દીધી! સાચો મોક્ષમાર્ગ બતાવ્યો. તું મારી પુત્રવધૂ જ નહીં, પુત્રી જ નહીં, મારી ગુરુ પણ બની છે! બેટી, હવે પુત્રને હું શ્રીપાલ જ કહીશ. તારે પણ એ જ નામનો ઉપયોગ કરવાનો! આમ તો એ ચંપાનગરીનો રાજા જ છે! એનો રાજ્યાભિષેક થયેલો હતો!'
માણા
‘મા! એ બધું ભૂલી જા! હું એક કુષ્ઠરોગી હતો... ને હવે એક રાજકુમારીનો ભત્તર બન્યો છે. એણે મને સાચો મનુષ્ય બનાવ્યો છે! દેવગુરુ-ધર્મનો ઉપાસક બનાવ્યો છે! બસ, આટલી જ ઓળખાણ પૂરતી છે...!'
મેં કહ્યું : 'માતાજી, આવતી કાલથી રોજ આપણે પ્રભાતે શ્રી ઋષભપ્રાસાદમાં પ્રભુદર્શન માટે જઈશું. બરાબર ને?’
‘અવશ્ય, આપણે ત્રણેય સાથે જઈશું!'
‘પછી ગુરુદેવને વંદન કરવા પૌષધશાળામાં જઈશું!' ‘જઈશું! દર્શન કરીને પાવન થઈશું!'
કાર્યક્રમ ફરી ગયો હતો. ઘરમાં ભગવંતનું પૂજન અને શ્રી સિદ્ધચક્રજીનું પૂજન, દેરાસર ઉપાશ્રયેથી આવ્યા પછી કરવાનું નક્કી કર્યું જેથી ઉતાવળ ન કરવી પડે, રોજ એમ જ ચાલ્યું.
For Private And Personal Use Only
૨૪૫
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે એક દિવસે વહેલી સવારે દેરાસરે જવા નીકળી ગયાં. દેરાસરમાં પહોંચીને વિધિપૂર્વક દર્શન કર્યા. પછી રંગમંડપમાં પરમાત્માની ભાવપૂજા કરવા બેઠાં. હું આગળ બેઠી હતી. મારી સહેજ પાછળ એક બાજુ શ્રીપાલ અને બીજી બાજુ કમલપ્રભા બેઠાં હતાં. જાવું ઘણું યે દૂર મનવા
જાવું ઘણું યે દૂર... ઝંઝાવાતો આવ્યા મનવા, હોડી થઈ ગઈ ચૂર અનંતયાત્રા શિવની મનવા, સંકટથી ભરપૂર
જિનવર! બનવું શૂર
જાવું ઘણું યે દૂર સાથી આવ્યા કોઈક મનવા કૈંક ધીર ને વીર કોઈ રહ્યા ને પાછા ગ્યા કોઈ, મનમાં થઈ મજબૂર
પ્રભુવર! આપો પ્રેમનાં પૂર
જાવું ઘણું યે દૂર દીસે કિનારો, નહીં ઓવાર, જાવું દૂર-સુદૂર, આવો સુકાની! હિંમત રાખી, હૈયે શ્રદ્ધા-સૂર
જાવું ઘણું યે દૂર.. રંગમંડપના એક થાંભલાને અઢેલીને ઊભેલી એક રૂપવતી જાજરમાન નારી મયણાની સ્તવનાને નહોતી સાંભળતી... પણ મયણાની પાછળ લગભગ અડીને બેઠેલા રૂપ-લાવણ્યથી ભરપૂર યુવાનને જોઈ રહી હતી!
મયણા એની પુત્રી હતી... એ રાણી રૂપસુંદરી હતી. તેના મનમાં તુમુલ કોલાહલ જાગ્યો હતો... “મારી પુત્રી, શું એણે સ્વેચ્છાએ પરણેલા કુષ્ઠરોગીને ત્યજી દઈ, આ બીજા યુવાનને પરણી ગઈ? શું એના બધા આદર્શો હવામાં ઊડી ગયા? કર્મસિદ્ધાંત પરનો એનો વિશ્વાસ ડગી ગયો કે વિષયસુખની વાસનાએ એને ભ્રમિત કરી દીધી? શું એણે બીજો વર કરીને મારી કૂખ લજાવી? કુળને કલંકિત કર્યું? એ તો દુનિયામાં ઉપહાસપાત્ર બનશે, હું પણ ઉપહાસપાત્ર બનીશ. એની ખાતર તો મહેલ છોડ્યો, મહારાજાનો ત્યાગ કર્યો. અરે, જ્યારે મહારાજા જાણશે કે મયણાએ કુષ્ઠરોગી પતિનો ત્યાગ કરી બીજાં લગ્ન કર્યા છે, ત્યારે તેઓ પણ દુઃખી થઈ જશે. કર્મસિદ્ધાંતનો તિરસ્કાર કરશે. ધર્મની વાતોને ખોટી માની લેશે... અહો, ધિક્કાર છે મને,
૨૪૬
માણા
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે મેં આવી કુલકલંકિની પુત્રીને જન્મ આપ્યો..”
રૂપસુંદરી રડી પડી. એનું રુદન મયણાના કાને પડ્યું. સ્તવના પૂર્ણ થઈ ગઈ હતી. તેણે પોતાની માતાને ઓળખી. તેને રડતી જોઈ... એ ઊભી થઈ.. ઉતાવળી ઉતાવળી માતાની પાસે જઈ, એના બે હાથ પકડી.. એની આંખોમાં આંખો પરોવીને બોલી :
મારી મા, હર્ષિત થવાના બદલે તું દુ:ખી કેમ થઈ ગઈ? પરમાત્માની અચિંત્ય કૃપાથી અને ગુરુદેવના પરમ અનુગ્રહથી અમારાં બધાં દુઃખદુર્ભાગ્ય દૂર થઈ ગયાં છે! મા, જિનમંદિરમાં સંસારની વાતો ન કરાય. તે કરવાથી આશાતના લાગે. માટે અમે રહીએ છીએ એ ઘરે તું આવ. ત્યાં બધી વાત તું સાંભળીશ તો હર્ષથી નાચી ઊઠીશ તારી પુત્રી શું કોઈ ખોટું કામ કરે ખરી?'
બેટી, હું અત્યારે જ તારી સાથે તારા ઘેર આવું છું!
જીવનમાં અનેક પ્રસંગો બને છે. માણસ ગમે તેટલું મળે તો પણ તે બધા પ્રસંગો યાદ રાખવા મુશ્કેલ હોય છે. પરંતુ કેટલાક પ્રસંગો ભૂલવા મથીએ તો પણ ભુલાતા નથી. પાણીમાં મગરે પકડેલો શિકાર એ ક્યારેય છોડવા તૈયાર હોતો નથી તેમ મન પણ એવા વિશિષ્ટ પ્રસંગને ભૂલવા તૈયાર હોતું નથી. મનની મંજૂષામાં આવા અનેક મુલાયમ અને ખડબચડા પ્રસંગોનાં વસ્ત્રો પહેલાં હોય છે...
આજે એવી એક મંજૂષા ખૂલવાની છે. એ મંજૂષા છે ચંપાની વિધવા રાણી કમલપ્રભાની. પરંતુ એ પહેલાં હું મારી માતા સાથે થોડી વાતો કરી લઉં! કારણ કે એ સ્નેહમયી, કરુણામયી, સૌંદર્યમયી મારી જનની છે. અન્નપૂર્ણાની જેમ પરિપૂર્ણ અને ધરિત્રીની જેમ સર્વ સહનારી, મૂર્તિ જેવી સ્તબ્ધ, વિસ્મિત પશ્ચાત્તાપભરી અને મુગ્ધ દૃષ્ટિથી મને જોઈ રહી હતી. મેં નમીને માનો ચરણસ્પર્શ કર્યો. ઝરતા ફૂલને ઝીલી લેતી હોય એમ કોમળ હાથે મને પ્રયત્નપૂર્વક ઊભી કરી.... ક્ષીણ અને પશ્ચાત્તાપભર્યા અવાજે બોલી:
બેટી, મેં તારા માટે ખોટા વિચાર કર્યા... મને ક્ષમા....” મેં માના મુખે હાથ મૂકી બોલતી બંધ કરી, ત્યાં તો શ્રીપાલે આવીને માને પ્રણામ કર્યા. “મા, આ જ એ કુષ્ઠરોગી... તારા જમાઈ છે! એમને આશીર્વાદ આપ.”
અયા
૨૪૭
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી મા અપલક નેત્રે એમને જોઈ જ રહી! કામદેવ જેવા સુંદર... ઊંચી ને પુષ્ટ દેહ... પહોળું વક્ષસ્થળ.... નિર્મળ નેત્રકમળ... હાથ-પગ-હથેળી. બધું મનોરમ! વિશિષ્ટ સૌંદર્યથી પરિપૂર્ણ મુખ!
મા, પરમાત્મા ઋષભદેવનો પરમ અનુગ્રહ થયો... ગુરુદેવની અપરંપાર દયા વરસી... તેઓએ શ્રી સિદ્ધચક્ર-મહામંત્ર આપ્યું, એની આરાધના કરાવી... પરિણામે તારા જમાઈ નીરોગી બની ગયા. નવ દિવસ આયંબિલનો તપ કર્યું.. જપ કર્યો... ધ્યાન કર્યું અને બધાં દુઃખો ટળી ગયાં!”
અમે અમારા ઘરના મધ્યખંડમાં બેઠાં હતાં. રાણી કમલપ્રભા મારી બાજુમાં જ બેઠા હતાં. તેઓ બોલ્યાં :
મહારાણી! મારી આ પુત્રવધૂએ.. તમારી આ લાડલી બેટીએ તો મારા કુળનો ઉદ્ધાર કર્યો છે. મારા પુત્રને નીરોગી કરી અમારા પર મહાન ઉપકાર કર્યો છે. ખરેખર, મને અને મારા આ પુત્રને દુઃખોના મહાસાગરમાંથી પાર ઉતાર્યા છે. અમને જિનધર્મ પમાડ્યો છે. સુખના માનસરોવરમાં તરતાં કરી દીધાં છે... વધારે તો શું કહ્યું? ઘણા ઘણા જન્મોનું પુણ્ય સંચિત થયું હોય તો જ આવી પુત્રવધૂ મળે!'
વળી, આટલી નાની ઉંમરમાં તેણે પોતાના રાજા-પિતા સાથે ધર્મના સિદ્ધાંત માટે કેવો સંઘર્ષ કર્યો? મહાદેવી! તમે તમારી આ પુત્રીને ધાવણમાં જ ઘણા ઘણા સંસ્કારો આપેલા લાગે છે. કેવું એનું સ્વચ્છ ને વિશાળ હૃદય છે! કેવી ઉદારતા ને સહિષ્ણુતા છે! આ પૃથ્વી પર અનુપમ કહી શકાય એવા ગુણો અને એવું જ્ઞાન છે તમારી આ પુત્રી પાસે! તમારી પુત્રીએ તમારા વિશે પણ મને ઘણી વાતો કરી છે.'
મારી મા, રાણી કમલપ્રભા સામે અપલક દૃષ્ટિએ જોતી, એની વાતો સાંભળી રહી હતી. મારી માને હજુ માતા-પુત્રનો સામાજિક પરિચય મળ્યો ન હતો અને એ જાણવાની સ્ત્રીની ઇચ્છા પ્રબળ હોય છે! એટલે મા બોલી:
અમારા પરમ ભાગ્યોદયથી આવો ચિંતામણિ જેવો જમાઈ મળ્યો છે. એમને જોતાં જ એમના શૌર્યનું, વીરત્વનું, જ્ઞાનનું અને ઐશ્વર્યનું અનુમાન કરી લીધું... તે છતાં હે દેવી! એમનું કુળ, એમનું નગર... એમના વંશ.. વગેરે જાણવાની મારી તીવ્ર ઇચ્છા છે.”
કમલપ્રભાએ મારી સામે જોયું; પછી શ્રીપાલ સામે જોયું અને પોતાનો વૃત્તાંત કહેવો શરૂ કર્યો.
૨૪૮
માણા
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાણી! અંગદેશની રાજધાની ચંપાનગરી છે. એ નગરીના રાજા હતા સિંહથ. એમની હું રાણી કમલપ્રભા છું, કોંકણદેશના રાજા વસુપાલની હું બહેન થાઉં.
મહારાજા રૂપવાન હતા, પ્રેમાળ હતા. શૂરવીર હતા. અપરંપાર રાજ વૈભવ હતો. મને એમ લાગતું હતું કે હું કોઈ સ્વર્ગની અપ્સરા છું અને દેવેન્દ્ર સાથે સુખભોગ ભોગવી રહી છું! હું પોતે મારા ભાગ્ય પર ઓવારી જતી હતી. ત્યાં મને કોઈ વાતની કમી નહોતી. આદર-સત્કાર, સંપત્તિ, કીર્તિ, પ્રતિષ્ઠા મારાં ચરણોમાં આળોટતાં હતાં.
જીવન, માણસ સાથે ક્યારેક સુખની રંગપંચમી રમે છે. ક્યારેક સુખનો ગુલાલ એટલો બધો ઉડાડે છે કે જીવ ઘુંટાવા લાગે! હાથ ઊંચા કરી કહેવાનું મન થાય કે બસ થઈ હવે આ સુખની છોળો!”
પરંતુ વિધાતા મનુષ્યને સંપૂર્ણ સુખ ક્યાં આપે છે? એકાદ દુઃખ એવું આપે છે કે એ દુઃખની આગળ બધાં જ સુખ તુચ્છ ભાસે છે,
એક દિવસ મહારાજા માનસિક પરિતાપથી વિક્ષુબ્ધ બનેલા મને લાગ્યા. મેં ગભરાતાં ગભરાતાં પૂછ્યું : “આપ આજે ઉદાસ કેમ છો?”
કમલ, શું કહું તને? નિર્વશી રાજાનું આ જગતમાં સ્થાન નથી. તો પછી સ્વર્ગલોકમાં તો હોય જ ક્યાંથી? મૃત્યુ પછી એને સૌ ભૂલી જવાના. હું કોઈ સમ્રાટ નથી, હું તો વિધાતાના રાજ્યનો એક ભિખારી માત્ર છું. મારી સાથે મારું નામ પણ વિલીન થઈ જવાનું...”
શું એટલે જ આપ આટલા દુઃખી છો? એમ જ હોય તો ભારદ્વાજ ઋષિના મંત્રથી હું આપનો વંશવેલો ચાલુ રાખવા પુત્રનિર્માણ કરીશ. ઋષિ ભારદ્વાજે મને એક વિશિષ્ટ મંત્ર આપેલ છે. પછી મેં મહારાજાને ઋષિના યજ્ઞયાગની આવશ્યક માહિતી આપી. તેઓ બોલ્યા :
કમલ! આ સિંહરથને અપયશના ઊંડા ખાડામાંથી ઉગારવા માટે જ વિધાતાએ તને મારી પત્ની રૂપે મોકલી લાગે છે!”
“સ્વામીનાથ! થોડા સમયમાં જ આ રાજમહેલમાં તમને રૂપરૂપનો અંબાર પુત્ર જોવા મળશે!'
થોડા દિવસ બાદ એક પ્રાતઃકાળે મેં આચમન માટે પાણી હથેળીમાં લીધું અને આંખો મીંચી દીધી. મંત્રના શબ્દો મારા હૃદયકુંભમાં ગોળગોળ ફરવા લાગ્યા. એના પ્રત્યેક ઉચ્ચારે હું દેહભાન ભૂલતી ગઈ. આખા સંસારનો ભાર
મયણા
૨૪૯
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊંચકતી પૃથ્વીના નામનું સ્મરણ કરીને મેં યમદેવનું આવાન કર્યું. મારું સંપૂર્ણ અંગ એક જ્યોતિ બની ગયું. પૃથ્વીમાંથી એક જ્યોત આવી અને પેલી જ્યતમાં ભળી ગઈ. જતાં જતાં તેનું સંક્રમણ કરતી ગઈ. ધીમે ધીમે હું શુદ્ધિમાં આવી. મારો દેહ થરથર કાંપવા લાગ્યો. હું ફસડાઈને પલંગ પર બેસી પડી.
તે દિવસથી મેં મૌન લઈ લીધું. મને એકાંત વાતાવરણ ગમતું હતું. ફરી એક નવું જીવન શરૂ થયું. ક્રમશ: વિકસતું ગયું.
યોગ્ય સમય આવતાં મને એક દિવસ સવારે વેણ ઊપડી. હું માતા બની. એક તેજસ્વી છતાં શાંત મુખાકૃતિવાળા બાળકનો જન્મ થયો. મહારાજા રાજીના રેડ બની ગયા. સૌના મુખ પર આનંદ આનંદ છવાઈ ગયો.
સમગ્ર ચંપાનગરી હર્ષના હિલોળે ચઢી. ઘેરઘેર તોરણ બંધાયાં. પ્રજાએ ઘરો અને દુકાનો શણગારી, નગરશ્રેષ્ઠીઓ રાજ કુમાર માટે ભેટણાં લઈ રાજમહેલમાં આવવા લાગ્યા.
મહારાજાએ મન મૂકીને દાન આપવા માંડ્યું. જેલોમાંથી કેદીઓને મુક્ત કરાવી દીધા. દુશ્મનોને પણ પ્રેમથી જીતી લઈ, મૈત્રીના સંબંધ બાંધ્યા. રાજમહેલ ઉપર અસંખ્ય દીવા પ્રગટાવવામાં આવ્યા. ઢોલ-નિશાન વાગવા લાગ્યાં. નગરમાં ભવ્ય આનંદોત્સવ રચાઈ ગયો. નગરમાં ચોરે ને ચૌટે નૃત્ય-નાટક થવા લાગ્યાં.
મહારાજાએ સ્વજનોને, મિત્ર રાજાઓને, મંત્રીમંડળને, શ્રેષ્ઠીવર્ગને અને જ્ઞાતિજનોને ભોજન માટે નિમંત્રણ પાઠવ્યાં. ભોજનમાં બત્રીશ પકવાન્ન અને તેત્રીશ વ્યંજન પીરસવામાં આવ્યાં. તે પછી તે તે સંબંધને અનુરૂપ આભૂષણો, વસ્ત્રો આદિથી પહેરામણી કરવામાં આવી. દરેકને શ્રીફળ-પુષ્પ અર્પણ કર્યા. મુખવાસ આપ્યાં. કેસરનાં તિલક કર્યા અને ચંદન-ગુલાબજળ છાંટીને સહુને ખૂબ આનંદિત કર્યા.
ત્યાર પછી સ્વજનો ભેગા મળ્યા. ફોઈ આવી અને રાજકુમારનું નામ પાડયું શ્રીપાલકુવર.
કમલપ્રભાએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખ્યું હતું. મહારાજાના સહવાસમાં અને રૂપાળા રાજકુમારના સંગમાં મારા દિવસો આનંદથી પસાર થતા હતા. જીવન કેવું મોહક, આનંદમય, રોમાંચક અને
૨પ૦
માણા
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદાત્ત છે, એની પ્રતીતિ થતી હતી. મહારાજાના સાહચર્યથી એક જ ભાવ ઊમટતો હતો અને તે વિશદ્ધ પ્રેમનો! પ્રેમ જ મનની સૌથી પ્રભાવક પ્રેરણા છે. જીવન ઉદારતાથી મારા પર સુખનાં પુષ્પો વરસાવી રહ્યું હતું. શ્રીપાલ ચાર વર્ષનો થયો હતો.
એક દિવસ તેઓ મૃગયા ખેલવા જંગલમાં જવા તૈયાર થયા. મૃગયાની બધી તૈયારી થઈ ગઈ હતી. મહારાજા ઝડપથી મહેલની બહાર નીકળતા હતા, ત્યાં એમના મસ્તક પરનો સુવર્ણજડિત મુગટ દરવાજાના પડદામાં ભરાઈને નીચે ગબડી પડ્યો. મારા મનમાં ભયનું મોજું ફરી વળ્યું. આગળ આવી મેં તરત જ મુગટ ઊંચકી લઈને કહ્યું : “મહારાજ, આજ ન જાઓ તો ન ચાલે?'
‘કમલ, સ્ત્રી સ્વભાવે ડરપોક હોય છે! પરંતુ પુરુષો કૃતનિશ્ચયી હોય છે. હું જવાનો જ. તું મનમાંથી ભય કાઢી નાંખ, હું કંઈ યુદ્ધમાં નથી જતો, માત્ર મૃગયા માટે જાઉં છું.' મસ્તક પર મુગટ ચઢાવી તે ઝડપથી બહાર નીકળી ગયા. બીજા દિવસે તો તેઓ પાછા આવી ગયા. પરંતુ એમનો સદાય હસતો ચહેરો આજે પ્લાન પડી ગયો હતો. મેં માન્યું કે વનમાં ભટકીભટકીને થાકી ગયા હશે. મને જોઈને તેઓ ખુશમિજાજમાં આવી જશે, એમ સમજી હું હસતી હસતી એમની પાસે ગઈ. પરંતુ તેમણે મારી સામે પણ જોયું નહીં. નીચું મોં કરી સીધા તેઓ પોતાના ખંડમાં ચાલ્યા ગયા. હું પણ એમની પાછળ ગઈ. તેઓ સીધા જ પલંગમાં ચત્તાપાટ પડી ગયા. હું તેમના માથે હાથ ફેરવવા લાગી.
આપને શું થાય છે?' ધીરેથી પૂછયું. પેટમાં શુળ ભોંકાય છે... સહન નથી થતું.” મેં તરત દાસીને બોલાવીને, રાજવૈદ્યને બોલાવી લાવવા દોડાવી. પરંતુ વૈદ્યરાજ આવે તે પહેલાં તો મારું સૌભાગ્ય નંદવાઈ ગયું. મહારાજા મૃત્યુ પામ્યા. મારા પર જાણે વજપાત થયો... હું મૂછિત થઈ જમીન પર ઢળી પડી. જ્યારે ભાનમાં આવી ત્યારે સ્વજનોએ મને ઘેરી લીધી હતી. મહામંત્રી મતિસાગર મારી નિકટ બેઠા હતા. શ્રીપાલ તેમના ખોળામાં હતો.
હું સતત વિલાપ કરી રહી હતી.. ખાતી ન હતી, પીતી ન હતી. છાતી ફાટ રુદન ચાલુ હતું. ત્યાં મહામંત્રીએ મને કહ્યું :
મહારાણી, હવે હૃદયને મજબૂત કરો. આમ વિલાપ કરતાં રહેશો તો રાજ્યનું શું થશે? હવે રાજ્યની ધુરા આપે સંભાળવાની છે. રાજકુમાર નાના
મયણા
રપ૧
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, એટલે બધી જ જવાબદારી આપે ઉપાડવી પડશે.'
મને મહામંત્રીની વાત સાચી લાગી. રાજા વિના રાજસિંહાસન સૂનું રહે અને રાજસિંહાસન સૂનું રખાય નહીં. મેં મહામંત્રીને વિનંતીના સ્વરે કહ્યું:
“મહામંત્રીશ્વર! હવે રાજ્યના અને અમારા તમે જ આધાર છો. તમે રાજ કુમાર શ્રીપાલનો રાજ્યાભિષેક કરાવો, એની આજ્ઞા પ્રવર્તાવો અને તમે જ રાજ્યભાર સંભાળો. જ્યાં જરૂર લાગે ત્યાં મને પૂછી શકશો.'
બાર દિવસનો શોક પાળવામાં આવ્યો. ત્યાર પછી શુભમુહૂર્ત રાજ કુમારનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. મહામંત્રી મતિસાગરે રાજ્યનું સારી રીતે સંચાલન કરવા માંડ્યું.
રાજ્યાભિષેક થયે છ મહિના પણ વીત્યા ન હતા, ત્યાં એક દિવસ મહામંત્રી મારી પાસે આવ્યા.
મહારાણીજી, મારે એકાંતમાં આપની સાથે અગત્યની વાત કરવી છે.” મહામંત્રી મારા માટે પિતાતુલ્ય હતા. મને તેઓ ગુપ્ત મંત્રણાગૃહમાં લઈ ગયા અને કહ્યું :
મહાદેવી, તમે અજિતસેનને ઓળખો છો ને? રાજકુમારનો એ પિતરાઈ કાકો, આપણો દુશ્મન બન્યો છે. તેણે રાજ્ય પોતાનું કરી લેવા પડ્યુંત્ર રચ્યું છે. એણે સેનાપતિને ફોડી પોતાને વશ કર્યો છે. રાજમહેલના દરેક માણસને ફોડીને પોતાના કરી લીધા છે. એ રાજકુમારની હત્યા કરવા માંગે છે. મારો પણ વધ કરવા ઇચ્છે છે.
મહારાણી! આ મહેલમાં, આ નગરમાં આપણું કોઈ નથી...! માટે આજે રાત્રે જ તમે રાજ કુમારને લઈ, આ નગરથી દૂર દૂર ચાલ્યાં જાઓ... હવામાં ઓગળી જાઓ. અજિતસેન તમને બંનેને શોધવા આકાશ-પાતાળ એક કરશે... પણ તમે બંને એના હાથમાં ન આવો એ રીતે જંગલમાં ખોવાઈ જાઓ.'
પણ મહામંત્રીજી, એ અજિતસેન આપને પણ મારવા ઇચ્છે છે ને? આપ શું કરશો?’
હું મારો માર્ગ શોધી લઈશ. આપ ચિંતા ના કરશો' ‘તે છતાં, આપને ક્યારેક મળવું હોય તો...?' ‘ત્રકષિ બાદરાયણના આશ્રમમાં, મગધ દેશની સીમા પર...” એ આશ્રમ તો મારો જોયેલો છે અને પ્રષિરાજની મારા પર પરમ કૃપા છે...'
માણા
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તો એ આશ્રમ શ્રેષ્ઠ છે. અજિતસેન ત્યાં પહોંચી નહીં શકે.' આવશ્યક સૂચનાઓ આપી મહામંત્રી ચાલ્યા ગયા. હું સ્તબ્ધ બનીને ઊભી રહી ગઈ... સુખનું સપનું પૂરું થઈ ગયું હતું. દુ:ખની અંધારી રાત મારી સામે હતી... છતાં કાયર બને ચાલે એમ ન હતું.
રાજમહેલમાંથી નગરની બહાર નીકળવાનો ભૂગર્ભ માર્ગ હતો. મને એ માર્ગ મહારાજાએ બતાવેલો. મહામંત્રી પણ જાણતા હતા. મારે કુમારને લઈ મધ્યરાત્રિના સમયે એ ભૂગર્ભ માર્ગે નગરની બહાર નીકળી જવાનું હતું.
મારી અસહાયતા... પામરતા પર બે આંસુ ટપકી પડ્યાં. પણ તરત જ મારી અંદર ખળભળાટ થયો“હું ક્ષત્રિયાણી છું... વળી ચારિત્ર્યશીલ છું! મારે પુત્રની રક્ષા પ્રાણના ભોગે પણ કરવી જ રહી.”
કૃષ્ણપક્ષની ચૌદશની અંધારી રાત.... મારે રાતોરાત અંગદેશના વિકટ અરણ્યમાં ખોવાઈ જવાનું હતું. રાત પછી ધરતી પરપરોઢનું કિરણ ફૂટશે ત્યાં સુધી મારે અત્યંત ગુપ્ત સ્થાનમાં પહોંચી જવું પડશે.
મારાં બાકીના જીવનનાં બધાં સપનાં ધૂળમાં મળી ગયાં હતાં. ઈર્ષાળુ, અહંકારી, દુરાચારી અને રાજ્યલોભી અજિતસેનની ભ્રષ્ટ બુદ્ધિએ મોટો અનર્થ સર્યો હતો.
હું ધીમા પગલે મારા શયનખંડ તરફ ચાલવા લાગી. મારો લાલ શ્રીપાલ પલંગમાં નિશ્ચિતપણે ઊંઘતો હતો. હું એની પાસે જઈને બેઠી એ હવે થોડી ઘડીઓનો જ રાજ કુમાર હતો, મહેલવાસી હતો.. પછી તો શી ખબર એ અને હું ક્યાં હોઈશું? મારે પુત્રની સાથે જાણે ભડભડ બળતી અગ્નિશિખામાં પ્રવેશ કરવાનો હતો.. સાગરના અતળ ઊંડાણ તરફ આગળ વધવાનું હતું. હિંસક પશુઓના જંગલમાંથી પસાર થવાનું હતું. ક્ષણભર હું ધ્રૂજી ઊઠી.. પણ પછી મન મક્કમ કરીને, યોગ્ય સમય આવતાં, મેં શરીર પરથી બધા જ અલંકારો ઉતારી નાખ્યા. માત્ર થોડી સોનામહોરોની કોથળી કમરે બાંધી લીધી. એક તીક્ષ્ણ છરી પણ કમરમાં છુપાવી લીધી.
અજબ દૃશ્યોથી ભર્યો છે મારા જીવન-નાટકનો આ મજાક ઉડાડતો અંક! આંસુને રોક્યાં. હૃદયને પથ્થર જેવું કર્યું અને ઊંઘતા કુમારને મેં મારા ખભે લીધો. એના પર કથ્થાઈ રંગની ચાદર ઓઢાડી દીધી અને મહેલના ગુપ્ત માર્ગમાં મેં પ્રવેશ કર્યો. મેં મારા ઉપકારી ઋષિ ભારદ્વાજનું સ્મરણ કર્યું : ગુરુદેવ! મારા પુત્રની રક્ષા કરજો...”
માણા
૨૫૩
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ՅԱ
હું ચાલતી ન હતી. જાણે દોડતી હતી, જર્મીન પર સૂકાં પાંદડાંના ઢગલા હતા. મોટા-નાના પથરાઓ હતા... કાંટા હતા... ગીચોગીચ વૃક્ષો ઊગેલાં હતાં. પગમાં કાંટા ભોંકાતા હતા. અંધારામાં કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. પણ માર્ગ પરથી સર્પો... અજગરો... ઉંદરો... પસાર થતાં લાગતાં હતાં. વાઘ, ચિત્તા, વરુ જેવાં હિંસક પશુઓની ત્રાડો સંભળાતી હતી... ક્યાંક ક્યાંક આગના ભડકા થતા... કોઈ બિહામણી... ડરામણી આકૃતિઓ પ્રગટ થતી ને અદૃશ્ય થતી હતી, મારી છાતી ધÜË થતી હતી.
૨૫૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસ્તામાં નદી આવી, પણ પાણી છીંછરું હતું. હું નદી ઊતરી ગઈ... ત્યાં જંગલી વાંદરાંઓનાં ટોળાં વૃક્ષો પર કૂદાકૂદ કરતાં હતાં... ઝરણાં આવ્યાં... ઝરણાંના કિનારે થોડી વાર હું બેઠી. અરુણોદય થવામાં હતો. શ્રીપાલ જાગી ગયો હતો. જાગતાં જ તેણે દૂધ માંગ્યું... ને મારી આંખોમાંથી આંસુ વરસી પડયાં. મેં પુત્રને છાતીસરસો દાબીને કહ્યું : ‘મારા લાલ, તને હવે હું અહીં દૂધ ક્યાંથી આપું? આપણે રાજપાટ છોડ્યાં... મહેલ છોડ્યો... બધું છોડ્યું... હવે તો આપણા પ્રાણ બચી જાય એટલે બસ! વત્સ, તું ધીરજ રાખ... કંઇ ને કંઈ ખાવા-પીવાનું મળી જશે...'
વળી મેં પુત્રને તેડી લીધો અને આગળ ચાલી. અરુણોદય થઈ ગયો હતો. રસ્તો દેખાતો હતો. હું ઝડપથી ચાલી રહી હતી... ત્યાં મને થોડે દૂર ઘણા માણસો અને ઘણાં ઝૂંપડાં દેખાયાં. હું કંઈક આશ્વસ્ત થઈ.
નજીક પહોંચી મેં જોયું તો એ કુષ્ઠરોગીઓનો કાફલો હતો! મને જોઈને, મારા ખભે સુંદર બાળકને જોઈને, એ લોકો ઊભા રહી ગયા. મારી પાસે આવ્યા. તેમના આગેવાન દેખાતા માણસે મને પૂછ્યું : ‘માતા, તમે કોઈ ઊંચા ઘરનાં સ્ત્રી લાગો છો, આમ એકલાં ક્યાં જાઓ છો?'
મારું ગળું ભરાઈ આવ્યું. આંખો ભીની થઇ ગઈ. તે જોઇને પેલા પુરુષે કહ્યું : ‘માતા, તમે નિર્ભય રહો. તમને કોઈ દુઃખ હોય તો કહો...' હું આશ્વસ્ત બની અને મારો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. તે લોકોએ
For Private And Personal Use Only
ચણા
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર વાતચીત કરીને તરત જ મને કહ્યું : “મહાદેવી! તમે આ ખચ્ચર પર બેસી જાઓ. પુત્રને ગોદમાં લઈ લો. એના પર તમારી જ આ ચાદર ઓઢાડી દો.
મને એ રીતે બેસાડી, મારી ચારેય બાજુ એ સાતસો કુષ્ઠરોગી વીંટળાઈ વળ્યા. મને ખાતરી જ હતી કે સવારે અજિતસેન મને અને કુમારને રાજમહેલમાં નહીં જુએ એટલે અમને શોધી લાવવા ચારેય દિશામાં સૈનિકોને રવાના કરશે.
બે ઘોડેસવાર સૈનિકો અને જ્યાં હતાં ત્યાં આવી પહોંચ્યા. આવીને પૂછવા લાગ્યા :
અહીંથી તમે એક સ્ત્રીને નાના બાળક સાથે જતી જોઈ છે કે?' ના રે, અમે જોઈ નથી.” અમારે તમારા કાફલામાં તપાસ કરવી પડશે.' “કરો તપાસ, અમે બધા જ કુષ્ઠરોગી છીએ... અમને અડશો તો તમને પણ કુષ્ઠરોગ થશે. પછી જેવી તમારી ઇચ્છા...'
સૈનિકો ગભરાયા. ત્યાંથી જ પાછા વળી ગયા. મને પ્રભાતસિંહ બાદરાયણ-આશ્રમમાં પહોંચાડી ગયો. “આ બધી મારી કરમકથા મેં અહીં આવીને મયણા-શ્રીપાલને કહી હતી. આજે પુન: તમને કહી છે.'
પછી તમે આટલાં વર્ષો એ આશ્રમમાં જ પસાર કર્યો?” રૂપસુંદરીએ પૂછ્યું.
હા, તપસ્વિની બનીને ત્યાં રહી. કુલપતિ દયાના સાગર છે, અને તપસ્વિની માતા નંદિની પણ ખૂબ જ સાલસ સ્વભાવનાં, મૃદુ, કોમળ અને પ્રેમભર્યા શબ્દોથી વાત કરનારાં છે.
હા, મનમાં ક્યારેક પ્રચંડ તોફાનો જાગતાં. તેને દબાવી દઈ, જીવન સાથે સમાધાન સાધી સંતોષ માન્યો હતો. અસંતોષનો સંતોષ! ક્યારેક ચિત્તભ્રમ જેવું પણ થઈ જતું... વિચારોમાં ચઢી જતી. વિચારોનું કેન્દ્ર મારી પુત્ર હતો. તે કુષ્ઠરોગથી ઘેરાઈ ગયો હતો. હું એને ક્યારેક ક્યારેક મળી આવતી... એને જોતી ને મારું હૈયું ભાંગી પડતું હતું...' બોલતાં બોલતાં કિમલપ્રભાના ગળે ડૂમો બાઝયો.
રૂપસુંદરીએ સહાનુભૂતિભર્યા શબ્દોમાં કહ્યું :
અયા
૨પપ
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘રાણી! તમારું જીવન તો મને ઈર્ષ્યા ઉપજાવે એવું છે. હું જે તમારી જગ્યાએ હોત તો ભાંગી પડી હોત. તમારા જેવું સ્વમાની જીવન જીવનારા કેટલા? તમે તો નાની ઉંમરે સર્વસ્વ ગુમાવ્યું. છતાં વીરાંગના બનીને તમે જીવન સાથે જંગ ખેડેલો છે. મારે મન તો તમે કોઈ મહાન વીરાંગના છો.'
મારી માતાએ પોતાની સાડીના છેડાથી મારી સાસુની આંખો લૂછી, અને મને કહ્યું : “બેટી! તું સાચે જ મહાન પુણ્યશાળી છો... હવે દુ:ખના દહાડા ગયા... હું ઘેર જઈને તારા મામાને બધી વાત કરું છું. હવે તમારે અહીં રહેવાનું નથી. મામા તમને સન્માનપૂર્વક લેવા આવશે! કારણ કે ચંપાનગરીના રાજા-રાણીને પોતાના મહેલે લઈ જવાના છે! સાથે ચંપાની રાજમાતા પણ હશે! સમગ્ર ઉજ્જયિની નગરી હર્ષના હિલોળે ચઢશે.”
માલવદેશની પાટનગરી ઉજ્જયિનીની શોભા દેવોની અમરાવતીને ઝાંખી પાડે તેવી બની હતી. આજે મયણાસુંદરીનો શ્રીપાલ સાથે સામતરાજા પુયપાલના રાજમહેલમાં પ્રવેશોત્સવ હતો. એક અત્યંત તેજસ્વી રાજપરિવારમાં એક નવી યશકલગી ઉમેરાયાનો આનંદ પ્રજાના હૈયે સમાતો ન હતો,
રાજમાર્ગોને અત્યંત કાળજીથી સ્વચ્છ કરીને તેના પર જળછંટકાવ કરવામાં આવ્યો હતો. નગરીની હોંશીલી કન્યાઓએ આખા રાજમાર્ગને અનેક જાતની રંગોળીઓથી સુશોભિત કર્યો હતો. દુર્ગને ફરતાં આસોપાલવના તોરણ અને કાંગરે કાંગરે દીપાવલિઓ ગોઠવવામાં આવી હતી. દુર્ગના મુખ્ય દરવાજા અને રાજમહેલનાં પ્રવેશદ્વાર મણિમુક્તાઓનાં તોરણોથી અને કેળ વગેરેના સ્તંભોથી શણગારવામાં આવ્યાં હતાં. શ્રીપાલમયણાને વધાવવા માટે સોના-રૂપાનાં પુષ્પોના થાળ લઈને ખીલતી. કુસુમકળીઓ જેવી પુર કન્યાઓ હળવે સાદે મંગલગીત ગાઈ રહી હતી.
નગરજનોએ પોતાનાં ગૃહોને તોરણો, ધૂપશિખાઓ અને નાનાં નાનાં ચિત્રોથી અલંકૃત કર્યા હતાં. ગોખે ને ઝરૂખે, પ્રાસાદોની અગાસીઓ અને મકાનનાં છાપરાં પર પુત્રવધૂઓ પોતાના રાજમાઈને વધાવવા સર્વ સામગ્રી સાથે બેસી ગઈ હતી. કિલ્લાની પાછળ ઉગતા રવિનાં કેસરવરણાં કિરણો, એ નવયૌવનાઓનાં પુષ્ટ રક્ત કપોલ પ્રદેશ પર લાવણ્યની નવજ્યોત પ્રગટાવતાં હતાં.
૨૫૩
મયણા
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજસરોવરોમાં કમલપુષ્પો પૂર્ણપણે વિકસ્યાં હતાં. વાઘો દુર્ગની સાથે પડઘા પાડતાં ગાજવા લાગ્યાં. દુંદુભિના નાદ અને તૂરિઘોષ આકાશ ગજવવા લાગ્યો. ધૂળની ડમરીઓ આકાશમાં ચઢી. રાજ કુમાર શ્રીપાલનું સ્વાગત! મહારાજાના જમાઈનું સ્વાગત! મયણાસુંદરીના ભર્તારનું સ્વાગત! નગરવાસીઓનાં હૈયાં લાગણીથી અધ અર્ધા થઈ જતાં હતાં. એમનાં દિલ મંગલકામનાઓની આરતી ઉતારતાં હતાં.
ત્યાં તો રાજકાથી પર સોનેરસેલી ને મણિમુક્તાઓથી જડેલી અંબાડી નજરે પડી. અંબાડીમાં શ્રીપાલ અને મયણા બેઠેલાં હતાં. ઊગતા સૂર્યને પણ ઝાંખો પાડે તેવી તેજઆભા શ્રીપાલના મુખ પર ઝળહળી રહી હતી. શ્રીપાલની બાજુમાં જ મયણા બેઠી હતી. તેના હાથમાં રેશમી ઝૂલવાળો સુવર્ણપંખો હતો. હજી એની ઊઘડતી જુવાની હતી, પરંતુ એનો પ્રભાવ ઉજ્જયિનીની પ્રજા પર જામેલો હતો. એના પ્રવિત્ર ને સુંદર મુખને ક્ષણવાર પણ નીરખી લેવું, એ જીવનની અણમોલ પળ મનાતી હતી.
આજે મયણા નગરવાસીઓને અત્યંત પ્રતિભાવંત લાગી. તેમણે જાયું હતું કે ઉંબરરાણાના કુષ્ઠરોગનું નિવારણ અને એના ૭૦૦ સાથી કુષ્ઠરોગીઓના રોગનું નિવારણ મયણાએ કર્યું હતું. મયણાનું સ્વમાની, પ્રતાપી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ માલવપ્રજાનું પ્રબળ આકર્ષણ બન્યું હતું.
એ દિવસે ઉજ્જયિની નગરી અજબ ઉત્સાહ, અદમ્ય ઉલ્લાસ અને અમાપ હર્ષની તરંગાવલિઓમાં નાહી રહી હતી! આખા નગરમાં સૌ મયણાની પ્રભાવગાથા ગાઈ રહ્યાં હતાં.
સવારી સામતરાજા પુણ્યપાલના રાજમહેલના વિશાળ દ્વાર પાસે પહોંચી. રાજકુળની સ્ત્રીઓ અમારાં ઓવારણાં લઈ સ્વાગત કરવા ઊભી હતી. અમે હાથી પરથી નીચે ઊતર્યા. અમારું સ્વાગત થયું. અમે ભવ્ય રાજમહેલમાં પ્રવેશ કર્યો. મહેલ પૂર્વાભિમુખ હતો. ખૂણામાં એક નાનો બાગ હતો. મારી મામી વિશાલા મને ખૂબ ગમતી. એ પણ મને ખૂબ ચાહતી હતી. મારી માતા રૂપસુંદરી સાથે પણ મારી મામીને સારો પ્રેમ હતો. મામા, મામી, માતા.. અને બીજા સ્વજનો મહેલના સભાખંડમાં ભેગાં
માણો
૨પ૭
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયાં હતાં. મામાએ શ્રીપાલનો પરિચય આપ્યો. સહુ સ્વજનો, નગરશ્રેષ્ઠીઓ અને રાજ્યના અધિકારીઓ વિસ્મિત થયા. આનંદિત થયા. મયણાએ કરેલા રોગનિવારણની વાત સાંભળી સહુ મયણા તરફ અહોભાવ-ભરી દૃષ્ટિથી જોઈ રહ્યા!
મયણાએ કહ્યું : “હે પૂજ્યો, રોગનિવારણ મારાથી નથી થયું, એ બધો જ પ્રભાવ ગુરુદેવશ્રી મુનિચન્દ્રસૂરિજીનો છે. એમના જ અચિંત્ય અનુગ્રહથી બધું સારું થયું છે. ત્યારપછી મયણાએ રાણી કમલપ્રભાનો પણ સહુને પરિચય આપ્યો. સહુનાં મન રાજી થયાં. પ્રીતિભોજન કરી સહુ પોત-પોતાના સ્થાને ગયા.
જુઓ રાજ કુમાર, હવે આ રાજમહેલ તમારી જ છે, એમ સમજીને અહીં રહેવાનું છે.” રાજા પયપાલે શ્રીપાલને પોતાના મહેલમાં કાયમ માટે રહેવા આમંત્રણ આપ્યું.
મહેલ વિશાળ છે. તમને અને મયણાને મહેલનો જે ભાગ ગમે, ત્યાં તમે રહી શકશો. તમારી ઇચ્છા મુજબ ત્યાં બધી જ સગવડતાઓ થઈ જશે. જોકે લગભગ તો બધું વ્યવસ્થિત જ છે. છતાં મયણા જોઈ લેશે, ને જે કંઈ નવું કરવાનું હશે તે થઈ જશે.' પછી કમલપ્રભા સામે જોઈને પુણ્યપાલ બોલ્યા :
મહારાણીજી, આપે પણ હવે અહીં પુત્રની સાથે જ રહેવાનું છે. અહીં કોઈ વાતે સંકોચ રાખશો નહીં. રૂપસુંદરી અહીં છે, એની ભાભી પણ તમને સારો સાથ આપશે!'
ત્યાં વિશાલા બોલી : “આપે તદ્દન સાચું કહ્યું. ચંપાની મહારાણી મારા ઘેર ક્યાંથી? મને તો આનંદની કોઈ સીમા નથી... મયણા મારી ભાણેજ નથી, મારી પુત્રી છે! એ મને ખૂબ જ પ્રિય છે... રાજસભામાં જે દિવસે ઉલ્કાપાત થયો... મયણા ઉંબરરાણાનો હાથ ગ્રહીને ચાલી ગઈ... ત્યારથી મને શાંતિથી ઊંઘ નથી આવી, ભોજન નથી ભાવ્યાં...' બોલતાં બોલતાં વિશાલાનો કંઠ રૂંધાઈ ગયો. રૂપસુંદરીએ સાડીના પાલવથી વિશાલાની આંખો લૂછી.
કમલપ્રભાએ લાગણીભર્યા સ્વરે કહ્યું : “અમારી દુ:ખની અમાસની રાત વીતી ગઈ.. સુખનું પ્રભાત પ્રગટ્યું છે... કેવી રૂપવાન, ગુણવાન અને
૨૫૮
માણા
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાવવંતી પુત્રવધુ મળી! કેવાં સ્નેહછલોછલ સ્વજનો મળ્યાં.. ખરેખર, મનુષ્યનું જીવન એક સુખ-દુઃખનું ચક્ર છે! સુખ પછી દુઃખ, દુ:ખ પછી સુખ... અને પાછું..”
મા, હવે દુઃખની કલ્પના ના કરીશ!' શ્રીપાલ બોલી ઊઠ્યો. “બેટા, સુખને તું શું માને છે? પૂછ આ મયણાને! એ કહેશે સુખ તો ઝાકળના બિંદુ જેવું છે... જોતજોતામાં એ કમલપત્ર પરથી સરી પડે!”
હશે મા, સુખ ઝાકળના બિંદુ જેવું! પરંતુ એક બિંદુ ખરી પડશે કે બીજું બિંદુ બાઝી પડશે.. એ ખરી પડશે કે ત્રીજું બિંદુ આવી જશે! મા, હવે દુ:ખની કલ્પના જ ના કરીશ!'
સાચી વાત છે. પરમાત્મા ઋષભદેવનો અચિંત્ય અનુગ્રહ પ્રાપ્ત થયા પછી, ગુરુદેવની પરમ કૃપા મળ્યા પછી અને શ્રી સિદ્ધચક્રજીને હૃદયકમલમાં સ્થાપિત કર્યા પછી કોઈ દુઃખની તાકાત નથી કે જે આપણને હલબલાવી શકે!” મયણાએ દૃઢ સ્વરે કહ્યું.
મયણા, બેટી! તે ઘણાનાં દુઃખ દૂર કર્યા... હજુ એક વ્યક્તિનું દુઃખ દૂર કરવાનું બાકી છે!” રાજા પુણ્યપાલે કહ્યું.
કોનું ભાઈ?” રૂપસુંદરીએ પૂછુયું. ‘તું પૂછે છે કોનું દુઃખ?' મયણાના નિષ્કાસન પછી અને તારા અહીં આવ્યા પછી મહારાજા રાજમહેલમાંથી બહાર નીકળ્યા છે ખરા? ક્યારે ય રાજ સભામાં આવીને બેઠા છે ખરા? તેઓ પોતાના ખંડમાંથી બહાર જ નીકળતા નથી. એમની પાસે માત્ર બે જ વ્યક્તિ જઈ શકે છે, એક રાણી સૌભાગ્યસુંદરી અને બીજા મહામંત્રી સોમદેવ.
મારી બહેન! જાણે કે એમણે સંન્યાસ લઈ લીધો હોય, એ રીતે એ જીવે છે. આપણે મહામંત્રીના મુખે મહારાજાની હાલત સાંભળીએ તો ખરેખર, મહારાજા પ્રત્યે કરુણા ઊભરાઈ જાય એવી વાતો છે...'
‘ભાઈ, તમે કહો છો તે સાચું હશે. પણ એમાં અપરાધ કોનો છે? અપરાધી એ પોતે જ છે ને? પોતે કરેલા અપરાધની સજા પોતે જ ભાંગવવી રહી..' રૂપસુંદરીનો મહારાજ પ્રત્યેનો રોષ જરા ય ઓછો થયો ન હતો.
સાચી વાત છે તારી, બહેન! પણ માણસને પોતાની ભૂલ સમજાય ત્યારે
મો
૨પ૯
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો એ ક્ષમાપાત્ર બને ને?'
ભૂલ સમજાય તો ને? ભૂલ સમજાઈ હોત તો દીકરી જીવે છે કે મરી ગઈ છે - એની તપાસ પણ ન કરાવત? ક્યાં તપાસ કરાવી? ક્યાં કોને ખબર-અંતર પૂછુયા? એ એમના અહંકારના હાથી પર બેઠા બેઠા ઝૂલ્યા કરે છે...'
મહામંત્રી કહેતા હતા... “ક્યારેક ક્યારેક મહારાજા મયણાને યાદ કરી રડે છે... ભીંત સાથે માથું પછાડે છે.. ક્યારેક મહારાણીને યાદ કરીને પસ્તાવો કરે છે. એ પણ મને છોડીને જતી રહી.' એમ બોલીને આજંદ કરે છે... વળી પાછા રોષમાં આવી જાય છે... ક્યારેક તો લાગે કે મહારાજનું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે...'
“મામા, પિતાજીનું પણ હિત થાઓ! તેમને સારું થાઓ! એ મારા પરમ ઉપકારી છે. એમનો ઉપકાર હું ભૂલી નથી. એમણે મને આપેલો અપાર પ્રેમ ભૂલી નથી.. મેં ક્યારે ય એમનું બૂરું ઇછ્યું નથી. આ તો વાત ધર્મના સિદ્ધાંતની હતી! એટલે વાત પકડાઈ ગઈ. બાકી, માતા-પિતાના ઉપકારો ક્યારે ય ભૂલી ન શકાય. જે ભૂલે તે કપૂત કહેવાય. અવસર આવે હું પિતાના મનનું જરૂર સમાધાન કરીશ... આપ ચિંતા ના કરશો..'
૨૬૦
મયણા
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ
89 .
મણા!
આર્જ એમનો કેવો અપૂર્વ વેશ હતો! દીર્ઘ સુપુષ્ટ શરીર, સૌમ્ય કાંતિ, ઉજ્જવલ નેત્ર, ચંદનચર્ચિત મુખશોભા, ગળામાં શુભ્ર પુષ્પહાર, વાંકડિયા ગાઢા વાળમાં મેઘાભિષેકની છવિ, આંખોમાં નીલ સમુદ્ર-સ્વપ્નની સ્થિર તરંગમયતા.
એક જ વાર જોયું. લજ્જાથી આંખો નમી ગઈ. મન થતું હતું કે અનંત કાળ સુધી આ મનોહર રૂપ નિહાળતી રહું, પણ લજ્જા અસહનશીલ હોય છે! શ્રીપાલ ખૂબ કોમળતાપૂર્વક આસન છોડીને મારી તરફ આવી રહ્યા હતા. કંપિત હૃદયે હું સ્થિર રહી. મનમાં થયું... “આ પરમ કામ્ય પુરુષનાં ચરણોમાં મારું સર્વસ્વ અર્પી દઉ!” સાક્ષાત્ કામદેવ! સુંદર કામ્ય પુરુષ! મારી દૃષ્ટિ મારા હૃદય ઉપર સ્થિર હતી. ક્ષણભર હું ચોંકી ઊઠી. મારા હૃદય પર આ ચંદનચર્ચિત મુખશોભા કોની? એ તો દૂર હતા. મારા હૃદય પર કેમ જોઉં છું? આ લલિતા કેટલી દુષ્ટ છે! મારા કંઠના રત્નાહારના પદકમાં ઉજ્વલ મોતીનું નાનકડું દર્પણ જડી દીધું હતું. એ જ દર્પણમાં ઝલકી રહી હતી શ્રીપાલની છવિ! એ મંદ હાસ્ય કરે છે, હું લજ્જામાં વધુ ડૂબી જાઉં છું... દર્પણમાંથી નજર ખસેડી લીધી. હાથપગ પર નજર કરી, પણ ત્યાં યે એ જ દશા. ત્યાં દરેક પાંખડી પર જડેલા રત્નખંડમાં શ્રીપાલની છવિ ઝલકી રહી હતી. મારી રત્નચૂડીમાં, વીંટીમાં અને કર્ણફૂલમાં, માથા પરની કેતકીમાં, નાકની રત્નનથનીમાં શ્રીપાલનું મણિમય રૂપ શોભી રહ્યું હતું. મારા અંગઅંગમાં શ્રીપાલની છવિ ચિત્રિત હતી.
૦ ૦ ૦ શ્રીપાલ! નિશિગંધાનાં નાનાં નાનાં શ્વેત અને સુગંધિત ફૂલોમાં શોભતી મયણા કાળા સીસમના પલંગ પર સલજ્જ બેઠી હતી. હું શયનગૃહમાં દાખલ થયો
મયા
૨૬૧
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે તરત જ તે વસ્ત્રો સંકોરતી ઊભી થઈ. શરમથી મોં નીચું કરીને તે ઊભી હતી. હું અવાક્ થઈ ગયો. હું અટારીમાં જઈને ઊભો રહ્યો. ત્યાંથી આકાશમાં પૂર્ણચન્દ્ર દેખાતો હતો. પોતાની રૂપેરી ચાંદની ધરતી પર ખોબલે ખોબલે વરસાવી રહ્યો હતો. આખી ઉજ્જયિની નગરી કેવી શાંત હતી! ક્ષિપ્રા નદી તરફથી શીતળ પવનની લહેર મહેલ સુધી લહેરાઈ રહી હતી. મેં ક્ષિપ્રા નદી તરફ દૃષ્ટિ કરી. દૂર ચાંદનીમાં વહેતો એનો રૂપેરી પ્રવાહ ઘુમરાટી લેતાં કબૂતરો જેવો દેખાતો હતો.
હળવેકથી મેં અટારીનો દરવાજો બંધ કર્યો અને પલંગ પાસે પહોંચ્યો. એ મનમાં ને મનમાં હસતી હતી. એના ગાલમાં મોહક ખંજન પડ્યાં. તે કંઈ બોલી નહીં. હજી યે તે લજામણીની વેલની જેમ લજવાઈને ઊભી હતી. મેં કહ્યું :
આ રાજમહેલમાં અનેક પાષાણપ્રતિમાઓ કોતરેલી છે. એમાં તારે એક વધારો કરવો છે? ક્યાં સુધી આમ ઊભી રહીશ? બસ નીચે.’ તે સંકોચાઈને નીચે બેઠી. એની સાડીના સોનેરી બુટ્ટા મશાલના પ્રકાશમાં ઝગમગી ઊઠ્યા. મેં એને વિસ્મયથી પૂછ્યું :
મયણા! આ સાડી આજે તે કેમ પસંદ કરી? ખાસ કોઈ કારણ?' ‘તમને સિદ્ધચક્રજીમાં સોનેરી આચાર્યપદનું ધ્યાન કરવું વધુ ગમે છે ને એટલે!' તે અત્યંત હળવે સાદે બોલી. એનો અવાજ રૂપાની ઘંટડી જેવો મધુર હતો, પરંતુ એના અવાજ કરતાં ય મને એનો ઉત્તર બહુ ગમ્યો!
અરુંધતીને લઈ આકાશમાં પૂર્ણિમાનો પૂર્ણ વિકસિત ચંદ્ર ધીમે ધીમે ઊંચે ચડવા લાગ્યો. ગવાક્ષના અધખૂલા દરવાજાની તડમાંથી ક્ષિપ્રા નદીની શીતળ લહરીઓ નિર્ભયપણો શયનગૃહમાં મંદ મંદ પ્રવેશ કરી રહી હતી અને શીતળતાનો અનુભવ કરાવતી હતી.
મયણાના સહવાસમાં મારા દિવસો આનંદથી પસાર થતા હતા. તે એક આદર્શ પત્ની હતી. માત્ર પત્ની તરીકે જ નહીં, પણ બહેન, માતા, કન્યા, ભાભી.. તરીકેના બધા સંબંધોમાં પણ મને એ આદર્શ જ લાગતી હતી.
દિવસના મોટા ભાગનો મારો સમય શ્રી સિદ્ધચક્રજીની આરાધનામાં પસાર થતો. ક્યારેક હું ક્ષિપ્રા નદીના તટ પર જઈને પણ સિદ્ધચક્રજીના ધ્યાનમાં નિમગ્ન થતો. બાકીનો સમય રાજા પુણ્યપાલ, મહામંત્રી સોમદેવ, મારી માતા,
૨૬૨
મયણાં
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી સાસુ... વગેરેની સાથે વાતામાં પસાર થતો. નગરના શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠીકુમારો, રાજ્યના અધિકારીઓ વગેરે પણ મળવા આવતા. તેમની સાથે પણ ઘણી વાતો થતી.
મયણાના સહચર્યમાં રાત્રિ ખીલી ઊઠતી! જાણે હવે મારા માટે રાત્રિ રહી જ ન હતી! અખંડ દિવસ જ હતો! ચોવીસ કલાક ઉજાસ! પર્યકર્મ ઉદારતાથી મારા પર સુખનાં પુષ્પો વરસાવી રહ્યું હતું. મારી આસપાસ મારા પર પ્રેમ વરસાવનારા કેટલાંય સ્વજનો-પરિજનો અને નગરજનો હતાં. એમાં ય રાજા પુણ્યપાલનો પનોતા પુત્ર અશ્વિની તો સાગના ઝાડ જેવો સીધો, ઊંચા દંડ જેવો રુઆબદાર દેખાતો હતો! એ મને ખૂબ ગમતો. એ છોકરો વ્યાયામપ્રેમી, સ્વચ્છ, નિર્મળ અને નફિકરો જીવ હતો! મારો જાણે નાનો ભાઈ! શરીરે હૃષ્ટપુષ્ટ હતો. એના પ્રેમાળ સ્વભાવના કારણે સૌને એ વહાલો થઈ પડ્યો હતો.
ક્યારેક રાજા પુણ્યપાલ કે મહામંત્રી સોમદેવ મારી સાથે રાજકારણની ચર્ચા કરતા. પયપાલ મને કહેતા “શ્રીપાલ, હજી તમને રાજનીતિનું કશું જ્ઞાન નથી. રાજનીતિ એટલે કપટનીતિ! ત્યાં ભાવુકતા ચાલે નહીં. રાજકારણીઓનાં મન જંગલી ઘૂસના દર જેવાં હોય છે. એનું દર ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં જાય છે, એની કોઈને જાણ હોતી નથી, તેમ રાજકારણીઓનાં મન કળી શકાતા નથી.”
મને આ વાતો સાંભળીને, મારી માતાએ કહેલી મારા કાકા અજિતસેનને પર્યંત્રની વાત યાદ આવતી. મારું મન વિચારોમાં અટવાઈ જતું. નિયતિએ માનવને જીવન શા માટે આપ્યું હશે? જાતે બળીને, ખાખ થઈને જગતને ઉજાળવા માટે કે પોતાના તુચ્છ સુખને ખાતર બીજાઓને નિર્દયતાથી સળગાવી દેવા માટે? માણસને પ્રેમ અને સભાવથી જીવવું કેમ નહીં ગમતું હોય? તો પછી જીવનો મૂળ સ્વભાવ કયો? પ્રેમ કે ક્રૂરતા? પ્રકૃતિએ જ, કર્મોએ જ માણસમાં ક્રૂરતા પેદા કરી હશે ને? “દેહમાં આત્મા છે', એમ ઘણી વાર મયણા કહે છે. તો પછી ક્રૂરતા, દ્વેષ, અસૂયા, વેર... આ બધા આત્માના ભાવો હશે? મયણા “ઔયિક ભાવો”ની વાત કરતી હતી. જો એમ જ હોય તો પછી માણસનો શો દોષ? કે પછી આ બધા મનના ભાવો છે? મન કેટલું મોટું રહસ્ય આ બે અક્ષરોમાં છુપાયેલું છે?
મયમાં
૨૬૩
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ અમસ્તો જ હું ક્ષિપ્રાના કિનારે ફરવા નીકળ્યો હતો. ત્યાં શ્વેત વસ્ત્રધારી નીચી દૃષ્ટિએ ચાલતા હસમુખા મુનિવર સિદ્ધેશ્વર મને રસ્તામાં મળ્યા. તાજાં ખીલેલાં શ્વેત કમળ જેવો એમનો ચહેરો પ્રસન્ન અને પ્રફુલ્લ હતો. એમના એક હાથમાં સીસમના લાકડાનો દંડ હતો અને બીજા હાથમાં ભિક્ષાપાત્ર હતું. કદાચ તેઓ ભિક્ષા માટે કે જંગલ જવા માટે નીકળ્યા હોય.
મુનિ સિદ્ધેશ્વર, આચાર્યદેવ મુનિચન્દ્રસૂરિના પ્રીતિપાત્ર પુત્રવત્ શિષ્ય હતા. મને આ મુનિ સર્વગુણસંપન્ન લાગ્યા હતા. જીવનયાત્રામાં તેઓ મને સૌથી વધુ અધ્યયનશીલ અને દુરારાધ્ય છતાં વિનમ્ર યાત્રી લાગ્યા હતા. તેઓ જૈન મુનિ હતા. તેમની મર્યાદાઓ હતી છતાં મારા માટે તેઓ પ્રેમાળ મિત્ર હતા. કુદરતના રસિક ભોક્તા હતા. કેટલી ઝીણવટથી એમણે આસપાસની નાનીમોટી વાતોને જીવનમાં બૌદ્ધિકતાથી સ્વીકારી હતી એમના વિચારો વિશાળ હતા. હું એમને થોડો થોડો ઓળખતો થયો હતો. મારી સાથે કલાકો સુધી વાતો કરતા. ગુરુદેવ મુનિચન્દ્રસૂરિએ એમના વિકાસની બધી જ તકો આપી હતી. એમના વિરાટ વ્યક્તિત્વના વટવૃક્ષ હેઠળ એ મુનિ ભૂછત્રની જેમ ઊછર્યા હતા. મને એમનું અનોખું સ્વતંત્ર વ્યક્તિત્વ લાગતું હતું. આ ઉજ્જયિનીમાં એમના જેવું કોઈનું વ્યક્તિત્વ મેં જોયું નથી. ક્યારેક તો એ ગુરુદેવ કરતાં ય શ્રેષ્ઠ લાગતા! હિમાલયના શ્વેત શિખર જેવા ઊંચા! ગંગાના પટ જેવા વિશાળ!
મેં મારો રથ ઊભો રાખ્યો. હું નીચે ઊતર્યો. મુનિવરનાં ચરણે વંદના કરી કહ્યું: “હે મુનિરાજ, આપનાં દર્શનથી આજનો દિવસ સારો જ શે! આજ તો અકલ્પનીય દુર્લભ અતિથિનો ભેટો થઈ ગયો!
એમણે સહજતાથી હસતાં કહ્યું : “મારાં દર્શન શું આટલાં લાભદાયી છે? તો તો રોજ તારા ક્ષિપ્રા તટે જવાના માર્ગમાં આવીને ઊભો રહું.”
એ તો તમારા માટે શક્ય નથી, એ હું જાણું છું. પણ તમારાં દર્શન લાભદાયી છે એ ચોક્કસ! ચાલો, શું તમે ક્ષિપ્રાના તટ પર પધારો છો?'
નહીં મહાનુભાવ, સમય થઈ ગયો છે. મારે જવું જોઈએ. ગુરુદેવ મારી રાહ જોતા હશે.” “તો ચાલો, હું પણ તમારી સાથે આવું.' મારો રથ રાજા પુણ્યપાલનો પુત્ર અશ્વિની ચલાવતો હતો. મેં એને રથ રાજમહેલે લઈ જવા કહ્યું.
૨૯૪
ભયા
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં સિદ્ધેશ્વર મુનિને એક પ્રશ્ન પૂછ્યું :
મુનિરાજ! અનાસક્તભાવે એક પ્રશ્ન પૂછું છું. આપના ગુરુદેવે આપને કોઈ દિવ્ય અનુભવ કરાવ્યો છે ખરો?'
‘શ્રીપાલ! મને સાક્ષાત્ અનુભવ છે દિવ્ય તત્ત્વોનો! પણ મેં એ કોઈને જણાવ્યો નથી. આજ સુધી મને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નથી, પણ આજે હું તને જણાવીશ.”
કોઈ મહત્ત્વપૂર્ણ અને ગુપ્ત વાત કહેવાની હોય એમ ધીમા અવાજે મુનિવરે મને કહ્યું : “તેઓએ મને શ્રી સિદ્ધચક્રજીના અધિષ્ઠાયક વિમલેશ્વર યક્ષનું આહ્વાન કરી, તેમને પ્રત્યક્ષ બોલાવવાનો મંત્ર આપ્યો છે.'
ઓહો! ગુરુ શિષ્ય માટે શું નથી કરતા! ધન્ય છે તમને ગુરુ-શિષ્યને!' ‘શ્રીપાલ, તને પણ હું એ આહ્વાન-વિદ્યા અવશ્ય શીખવીશ.” આપનો પરમ ઉપકાર થશે, ગુરુદેવ!'
એટલામાં પૂર્વ દિશામાં પ્રકાશ પથરાઈ ગયો. અંધકારનું પેટ ચીરીને સૂર્યદેવ ઉપર આવ્યા. સોનેરી કિરણોએ સામ્રાજ્ય પાથર્યું. સૂર્યકિરણને જોઉં ત્યારે મને એના નિરાકાર સ્વરૂપ વિશે હમેશાં ખેદ થતો. એ જો સાકાર હોત તો મેં એને મારામાં સમાવી લીધાં હોત. એને સુગંધ હોત તો મેં એને મન ભરીને માણી હોત! એ કિરણોને વાચા હોત તો મેં એની સાથે કલાકો સુધી ગપ્પાં માર્યા હોત! તો પણ હું ધરાત નહીં. | સિદ્ધેશ્વર મુનિ બોલ્યા : “શ્રીપાલ, મેં તને થોડી વાર પહેલાં કહ્યું હતું ને કે જીવન અનંત છે. મને આ નદીકિનારે એની તીવ્ર અનુભૂતિ થઈ રહી
સોનેરી કિરણોથી ચમકતા શ્રીપાલના મુખ પર જોઈને મુનિવરે પૂછ્યું: સોનેરી કિરણોની પ્રભાથી તારી તેજસ્વી કાળી આંખો અનેરા તેજથી ચમકી રહી છે!'
આમ જો, સામે કિનારે હરિયાળાં ઘાસ પર ઝાકળબિંદુ કેવાં ચમકી રહ્યાં છે?' મુનિરાજે આંગળીથી સંકેત કર્યો.
હા”, જવાબ આપ્યો, “કાલે રાત્રે અહીં શંકર-પાર્વતી આવ્યાં હશે! તેઓ સંતાકુકડી રમ્યાં હશે અને રમતાં રમતાં પાર્વતીના ગળાંમાંની મોતીની માળા તૂટી ગઈ હશે! રમ્યા પછી બહુ વારે પાર્વતીનું એના પર ધ્યાન ગયું
માણા
૨૬૫
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હશે! જુઓ, આ તમારી કાયમની ખેંચાખેંચીનું પરિણામ!' એવી શંકર સાથે મીઠી તકરાર કરી હશે! અને લડવામાં સવાર પડી ગઈ હશે! પાછા જવાની ઉતાવળમાં હાથ લાગ્યા એટલાં મોતી જેમતેમ ભેગાં કરી પહોર થાય એ પહેલાં પતિના હાથમાં હાથ પરોવી તેઓ કૈલાસ પર્વત પર જવા નીકળી ગયાં હશે! બાકી રહેલાં આ મોતી અત્યારે ચળકી રહ્યાં છે. સવારના પહોરમાં આ ઝાકળબિંદુ શંકર-પાર્વતીના રહસ્યને સોનેરી કિરણ સમક્ષ હસતાં હસતાં ખુલ્લું કરી રહ્યાં છે!”
હું મારી કલ્પના પર ખુશ થઈ મુનિરાજ સામે જોવા લાગ્યો. મુનિ મંદ મંદ હસતા હતા.
નદીએથી હું મહેલમાં આવ્યો. મહેલમાં દાખલ થતાં જ મને એક અગત્યના સમાચાર મળ્યા. રાજા પુણ્યપાલે સંધ્યા સમયે મહેલના વિશાળ પ્રાંગણમાં એક સમારોહ આયોજિત કર્યો હતો.
સામતરાજા પુણ્યપાલના રાજમહેલે નગારાં વાગ્યાં. રાજમહેલના શિખર પર રેશમી રાષ્ટ્રધ્વજ ગર્વથી ફરકતો હતો. અમારું એટલે કે મારું અને મયણાનું સ્વાગત કરવાનો કોઈ કાર્યક્રમ ઘડાયો હતો.
સભાગૃહના મધ્યભાગમાં પૂર્વાભિમુખ નવ-દસ હાથ ઊંચું ભવ્ય રાજસિંહાસન મસ્ત હાથીની જેમ શોભતું હતું. એ પ્રાચીન હતું. ભવ્ય હતું. સંપૂર્ણ સુવર્ણથી મઢાયેલું હતું. સિંહાસનની બે બાજુ મહારાણી, રાજગુરુ, સેનાપતિ, પુરોહિત, અમાત્યોનાં આસન હતાં. રાજસિંહાસનની સામેનાં આસનો પર આમંત્રિત રાજાઓ અને નગરના યોદ્ધાઓ બેઠા હતા. મંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો.
મુખ્ય સિંહાસન પર મને અને શ્રીપાલને બેસાડવામાં આવ્યાં. સામતરાજા પુણ્યપાલે ઊભા થઈ મને સુવર્ણજડિત મુગટ પહેરાવ્યો. એક રૂપેરી મૂકવાળી તલવાર અને જરિયાન વસ્ત્રો આપ્યાં અને તે પછી તેમણે જ મારો પૂર્વપરિચય આપી લોકોને આશ્ચર્યચકિત કરી મૂક્યા :
ચંપાનરેશ મહારાજા શ્રીપાલનો જય હો!' નો ગગનભેદી સ્વર આકાશમાં ઊંચે ચઢઢ્યો. રાણી વિશાલાએ મયણાના શણગાર સજ્યા હતા. મયણાને સુગંધી પુષ્પોનો શણગાર સજાવ્યો હતો. મસ્તક પર કમળની અર્ધનિદ્રિત કળીઓનો મુગટ પહેરાવ્યો હતો. પીઠ પર લટકતા છૂટા કેશ
૨૬૩
મય
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્ષિપ્રા નદીના ઊંડા નીલવર્ણા પ્રવાહની ભ્રાન્તિ કરાવતા હતા. ભાલ પ૨ અર્ધચન્દ્રની આડ કરી હતી.
સૌ મયણાના ઉત્કટ રૂપને, છટાદાર યૌવનને નીરખી રહ્યા.
આ કાર્યક્રમ આનંદ-ઉત્સવનો જ હતો. નર્તકીનાં નૃત્ય અને સંગીતકારનાં ગીતોથી હર્ષ માણવાનો હતો. કાર્યક્રમ ખુબ સારી રીતે ચાલતો રહ્યો...
મહારાજા પ્રજાપાલના મહેલમાં મહામંત્રી સોમદેવે, મહારાજાને ખૂબ સમજાવી-પટાવીને આજે સંધ્યા સમયે નગરની બહારના કામદેવ-ઉદ્યાનમાં વિહાર કરવા જવાનું સમજાવ્યું. રાણી સૌભાગ્યસુંદરીએ પણ મહારાજાને સમજાવવામાં સાથ આપ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ઘણા દિવસોથી નાથ, આપ મહેલની બહાર નીકળ્યા નથી... નગરચર્ચા જાણી નથી. રાજપુરુષોને મળ્યા નથી... આજે તો આપને કોઈ પણ રીતે બહાર લઈ જવા છે! થદળ, અશ્વદળ ને હસ્તીદળ સાથે સવારી કાઢવાની છે...'
મહારાજા માની ગયા. મહામંત્રી અને રાજા પુણ્યપાલની યોજના પાર પાડવાની આશા બંધાઈ. રાજસવારીને પાછાં ફરતાં રાજા પુણ્યપાલના મહેલ આગળથી પસાર કરવાની યોજના ઘડાઈ હતી.
અને એ જ રીતે મહારાજા પ્રજાપાલની સવારી નીકળી. નગરમાં ફરી નગરજનોએ રાજા-રાણીને વધાવ્યાં... સવારી કામદેવના ઉઘાને પહોંચી. રાજા-રાણીએ કામદેવની મૂર્તિની પૂજા કરી અને સવારી પાછી ફરી. ધીરે ધીરે સવારી પુણ્યપાલ રાજાના મહેલની નિકટ પહોંચી. ત્યાં મધુર વાઘોના અવાજ રાજાના કાને પડ્યા : ગીતના શબ્દો કાને પડ્યા : નૃત્યના ઝણકાર કાને પડ્યા...
‘આ બધું શું સંભળાય છે, રાણી?'
‘આપણે મહામંત્રીને પૂછીએ...' રાણી સૌભાગ્યસુંદરીએ મહામંત્રીને ઇશારો કરી બોલાવ્યા.
મા
‘મહારાજા, આ તો આપણા સામંતરાજા પુણ્યપાલનો મહેલ છે. ત્યાં મહોત્સવ ચાલી રહ્યો છે!'
ત્યાં તો રથની સામે જ રાજા પુણ્યપાલ આવીને ઊભા.
‘મહારાજા, મારા મહેલને પાવન કરો!' મહારાજાનો હાથ પકડી પુણ્યપાલે મહારાજાને રથમાંથી ઉતાર્યા. વિશાલાએ સૌભાગ્યસુંદરીને ઉતારી.
For Private And Personal Use Only
૨૩૭
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંનેને મંડપમાં લઈ જવામાં આવ્યાં.
મહારાજાએ સિંહાસન પર બેઠેલી મયણાને તો ઓળખી, પણ શ્રીપાલને ન ઓળખ્યો. બસ, તેઓ સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા... મનમાં હાહાકાર થઈ ગયો.. “આ મારી પુત્રીએ બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કર્યા લાગે છે! છેવટે પાપ પ્રગટ્ય જ! આમાં દોષ મારો જ હતો. મેં ભયંકર ક્રોધમાં અવિચારી કૃત્ય કર્યું હતું. મારી અપ્સરા જેવી પુત્રી મેં કોઢીને પરણાવી દીધી હતી... એ છોકરી પણ કુળશંખણી નીકળી... મારા કુળને અભડાવ્યું.. પોતાના પતિને પરિહરી એ બીજા યુવાનને પરણી ગઈ...”
રાજાના મુખ પર વિષાદ છવાઈ ગયો. તેઓ ઘોર ગ્લાનિથી ભરાઈ ગયા. પરંતુ તરત જ રાજા પુણ્યપાલે વાતને સંભાળી લીધી! “મહારાજા, આપે વિચાર્યું તેવું નથી! “મયણા મહાસતી છે! ‘મયણાએ તપ-જપ, જ્ઞાન-ધ્યાન આદિ દ્વારા ગુરુદેવશ્રી મુનિચન્દ્રસૂરિની મહાન કૃપાથી એ જ કુષ્ઠી પતિને નીરોગી કર્યો અને તે રૂપવાન, શૌર્યવાન અને ગુણવાન બન્યો છે! રાજન, આપણો એ જમાઈ ચંપાનગરીના મહારાજા સિહરથના પુત્ર શ્રીપાલકુમાર છે! રાજમાતા કમલપ્રભા પણ અહીં મારા ઘેર જ રહેલાં છે. માટે શોક દૂર કરો ને નવદંપતીને હૃદયના આશીર્વાદ આપો. પછી બધી વાતો વિસ્તારથી થશે.'
૨૩૮
મય
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફો 39 હ
ગીત-નૃત્યનો કાર્યક્રમ પૂર્ણ થયો. પુણ્યપાલ, મારા મામા, મારા પિતાજીનો હાથ પકડી મહેલના મંત્રણાખંડમાં લઈ ગયા. ત્યાં તેમને રત્નજડિત સુવર્ણ સિંહાસન પર બેસાડી તેમનું ઉચિત સ્વાગત કરવામાં આવ્યું.
ત્યારપછી મારા મામાએ મારી અને શ્રીપાલની બધી જ કથા સંક્ષેપમાં સંભળાવી દીધી. પિતાજી સાંભળતા સાંભળતા અનેક આશ્ચર્યના આંચકા અનુભવતા હતા.
હું, શ્રીપાલ, મારી માતા, વિશાલા... કમલપ્રભા.. અમે સહુ ત્યાં ઉપસ્થિત હતાં, મહામંત્રી પણ હાજર હતા. બોલતા હતા માત્ર મારા મામા. મહારાજાના મુખ પર ભાવોનું પરિવર્તન સ્પષ્ટ દેખાતું હતું.
મામાએ જે કહેવાનું હતું તે કહી દીધું. થોડી વાર ખંડમાં મૌન પથરાયુંપછી ધીરેથી પિતાજી મારી સામે જોઈને બોલ્યા :
બેટી મયણા...' હું દૂર બેઠી હતી, ઊઠીને એમની પાસે બેઠી. તેમણે પોતાનો જમણો હાથ મારા માથા પર મૂક્યો અને બોલ્યા :
બેટી, આ અજ્ઞાની પિતાને ક્ષમા કરી દેજે. અહંકારવશ થઈને મેં તારી સાથે અન્યાય કર્યો હતો. રાજસભામાં તેં કહેલી વાત સાચી જ હતી. પણ મારા અભિમાને મને ભ્રમિત કર્યો. તારી સાચી વાતનો સ્વીકાર તો ન કર્યો, ઉપરથી તને દુ:ખી કરવા એક અનાથ અને કુષ્ઠરોગી પુરુષ સાથે તને પરણાવી દીધી...
‘પરંતુ જૈન ધર્મના પ્રભાવે તું દુઃખી ન થઈ. હું તને દુઃખી ન કરી શક્યો... તું સુખી થઈ! ચંપાનગરીના રાજાની રાણી થઈ! અને આ કામદેવ જેવં તને ભર મળ્યો! ખરેખર, જેને પુણ્યનો ઉદય હોય છે તેને કોઈ દુઃખી કરી શકતું નથી અને જેને પાપકર્મનો ઉદય હોય છે તેને કોઈ સુખી કરી શકતું નથી...
માણ
૨૬૯
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જોકે મેં તારી સાથે એવો દુષ્ટ વ્યવહાર કર્યો છે કે તું મારું મોઢું જોવા ય રાજી ન હોય, છતાં હું તારી વારંવાર ક્ષમા માગીને વિનંતી કરું છું કે તમે સહુ હવે રાજમહેલમાં ચાલો. નદીકિનારે આપણો જ શ્વેત મહેલ છે, તે મહેલ હું તમને આપું છું. આમે ય મારે તો બધું તમને જ આપવાનું છે ને!'
‘પિતાજી, અમને અહીં મામાના ઘરે ફાવી ગયું છે, અમને અહીં રહેવા દો.' પિતાજીની વિષાદગ્રસ્ત છવિ મારા હૃદયને કરુણાથી આર્દ્ર કરતી હતી. ત્યાં પણ ફાવી જશે. મામા-મામી ત્યાં પણ આવશે. હવે હું તમને મારી પાસે જ રાખવા ઇચ્છું છું. બેટી, જે બનવાકાળ હતું તે બની ગયું... પણ તને યાદ કરીને રાતોની રાતો હું રડ્યો છું... તરફડ્યો છું... કોને કહું? તારી માતા પણ મારાથી રિસાઈને અહીં ભાઈના ઘેર આવી ગઈ... સૌભાગ્યસુંદરી પણ સુરસુંદરીની ચિંતામાં ને ચિંતામાં રડ્યા કરે છે... સુરસુંદરીના ગયા પછી એના કોઈ જ સમાચાર નથી... હું તો મૃઢ બની ગયો છું...'
હવે મારી માતાથી ન રહેવાયું, ન સહેવાયું. તે જરા રોષમાં બોલી: ‘વિદુષી... વિદ્યાવતી નારીની વાતનો વિચાર જ નહીં કરવાનો? એના માટે સ્નેહ, સહાનુભૂતિ કે સમવેદના ન હોવાં જોઈએ? શું એ પથ્થર છે? નિષ્પ્રાણ પ્રતિમા હોય છે? તમે મૂઢ બન્યા, અમને પણ મૂઢ કરી નાંખ્યાં...' બોલતાં બોલતાં એનું ગળુ ભરાઈ આવ્યું. આંખ ભીની થઈ ગઈ.
મહારાજાની દિષ્ટ જમીન પર જડાઈ ગઈ હતી. મારી માતા બોલી: ‘ભલે મયણા-શ્રીપાલ આવતાં હોય તો તેમને રાજમહેલમાં લઈ જાઓ. હું રાજમહેલમાં નથી આવવાની.'
‘મહારાણી! અચાનક શ્રીપાલ બોલી ઊઠ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાણીજી! નવજાત શિશુનું મન એક સુવર્ણ તાસક સમું નિર્મળ હોય છે. એને દુન્યવી ગૂંચોની કંઈ ખબર હોતી નથી. પરંતુ આસપાસની પરિસ્થિતિએ એક વાર એના અંગ પર અમંગલ હાથ ફેરવ્યો કે એના હાથની રેખાઓ એ તાસક પર સ્પષ્ટપણે ઊઠવાની!
૨૭૦
અરે, રેખા માત્ર ઊઠતી નથી, સુવર્ણની તેજોમય પાર્શ્વભૂમિ પર એ રેખા સૂર્યપ્રકાશમાં ચમકી ઊઠે છે! ગુણોની સાથે અજ્ઞાત દોષો
For Private And Personal Use Only
મમણા
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ દેખાવા લાગે છે.
નવજાત શિશુનું મન ધોઈને સાફ કરીને સૂકવી નાખેલા વસ્ત્ર જેવું હોય છે. એમાં નામનાય સળ હોતા નથી. પરંતુ એ જ મન પ્રૌઢ થતાં કરચલી પડેલા વસ્ત્ર જેવું બની જાય છે. એમાંથી શ્રદ્ધા-જ્ઞાનનું પાણી વરાળ બની ઊડી જાય છે. એમાં દટાઈ પડ્યા રહે છે કેવળ મૂંઝવણના શુષ્ક તાણાવાણા! કેટલા તાણાવાણા! કેટલી કરચલીઓ! એનો કોઈ અંત જ નહીં! ઠેષ, તિરસ્કાર, આત્મશ્લાઘા, ઉદ્વેગ, આત્મપીડન, કામ, મત્સર, મોહ, નિરાશા, વિફળતા, પ્રેમ, મમતા, કરુણા, વાત્સલ્ય...! કેટલી અગણિત કરચલીઓ છે આમાં! પ્રત્યેક વ્યક્તિના જીવન-વસ્ત્ર સાથે વણાઈ ગયેલી!
મહાદેવી! જે કંઈ બન્યું છે તેમાં મહારાજાને અપરાધી માનવાની જરૂર નથી. આવું બધું બને આ સંસારમાં! ક્યારેક સારા માટે પણ ખરાબ બનતું હોય છે! એક કુષ્ઠરોગીના સ્વરૂપે તમને ચંપાનો રાજ કુમાર ને જમાઈ તરીકે મળી ગયો ! જો તમે આ વાતથી આનંદિત હો તો મહારાજાને ક્ષમા આપી દો!
હું તો એમનું તત્ત્વજ્ઞાન સાંભળતી જ રહી! આવી અભુત વાત તેમણે કેવી રીતે કરી? આટલું જ્ઞાન તેમને ક્યાંથી મળ્યું? શું એમની જ્ઞાનપદની આરાધનાથી થયેલા ક્ષયોપશમનું આ ફળ હશે! હું વિસ્ફારિત નેત્રે એમને જોઈ રહી.
મારી માતાના મનનું સમાધાન થતું લાગ્યું.
અમારો રથ રાજમહેલના મહાદ્વારમાં પ્રવેશ્યો. રથમાં હું, મયણા અને મારી માતા કમલપ્રભા - ત્રણેય બેઠાં હતાં. રથનો સારથિ હતો અશ્વિની, રથ મહેલના દ્વારે ઊભો રહ્યો, અશ્વિની રથમાંથી નીચે ઊતર્યો. મયણા અને મારી માતા પણ નીચે ઊતરી ગયાં. હું રથમાં જ બેસીને રાજમહેલ જોવા લાગ્યો.
સંપૂર્ણ રાજમહેલ સફેદ સંગેમરમરના આરસથી બાંધેલો હતો. એની સીમાને શ્યામ પાષાણથી જડી દીધી હતી. શ્યામ સીમાની વચ્ચે આ શ્વેત રાજમહેલ કેવો દેખાતો હતો? જાણે કાળી માટીની ગોળીમાં ઠાંસોઠાંસ ભરેલો માખણનો પિંડો!
મયાણા
૨૭૧
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું રથમાંથી નીચે ઊતર્યો. માતા અને મયણાં સાથે મહેલમાં પ્રવેશ્યો. મહેલમાં અનેક ખંડો હતા. વચમાં ગોળાકાર પાણીનું તળાવ હતું. એમાં અસ્ત થતા સૂર્યદેવનાં અસંખ્ય કિરણો સ્વેચ્છાએ વિહાર કરતાં હતાં. રંગીન માછલીઓ અને શેત તથા ઉન્નત ગ્રીવાવાળા રાજહંસો કિલ્લોલ કરી રહ્યા હતા. શ્વેત અને નીલ કમળો વાયુની લહરીથી અહીંતહીં ડોલતાં હતાં. તળાવના ચારેય ખૂણે શ્વેત પાષાણમાંથી કોતરેલી સિંહની આકૃતિઓ હતી. સામે રાજમહેલમાં જવા માટે ચડવાનાં સૌથી વધારે પગથિયાં હતાં!
ત્યાં તો મહારાજા પ્રજાપાલ સ્વયં સામે આવ્યા. તેમની ચાલ ગવલી અને મોહક હતી. તેઓએ જે વેશ પહેર્યો હતો, તેમાં તેઓ વિષ્ણુ જેવા શોભતા હતા. તેઓ પ્રભાવશાળી લાગતા હતા. હાથમાંથી અવારનવાર સરી જતા ઉત્તરીયને પોતાના હાથથી જાળવતા હતા. એમની માંજરી આંખો વેધક અને પાણીદાર હતી. વિશાળ ભાલપ્રદેશ હતો અને નાક સીધું અને અણીદાર હતું.
વીજળીની જેમ તેજગતિથી તેઓ રાજમહેલનાં પગથિયાં ચડવા લાગ્યા. ઉપર પહોંચીને તેઓ ઊભા રહ્યા. મારી સામે જોઈને બોલ્યા : “તમને આ રાજમહેલ ગમશે!” મહેલના પ્રત્યેક થાંભલા પર સુંદર નકશીકામ કોતરવામાં આવ્યું હતું. પ્રત્યેક થાંભલો અખંડ પથ્થરથી ઘડાયેલો હતો. મહેલની ભીંતો પર અનેક સુંદર ચિત્રો આલેખવામાં આવ્યાં હતાં. પ્રત્યેક ખંડના દરવાજે દાસ-દાસીઓ વિનમ્રભાવે ઊભાં હતાં. અનેક સ્થળે યોદ્ધાઓનાં સુંદર શિલ્પો વિભિન્ન મુદ્રામાં કંડારેલાં હતાં. ઠેકઠેકાણે લાકડાના પિંજરામાં મયૂર, કોયલ, કપોત, ભારદ્વાજ આદિ પક્ષીઓને રાખવામાં આવ્યાં હતાં.
‘શ્રીપાલ! મહારાજાએ કહ્યું : “હવે તમારે અહીં જ રહેવાનું છે. રોજ રાજસભામાં આવવાનું રાજ્યના મંત્રીગણ સાથે પરિચય કરવાનો. રાજ્ય અંગે જાણકારી મેળવવાની અને આનંદથી જીવવાનું”
મયણાની સાથે હું અને મારી માતા, મહેલના અમારા આવાસમાં પહોંચી ગયાં. અમારા પહેલાં લલિતા પહોંચી ગઈ હતી અને બધું જ વ્યવસ્થિત ગોઠવી દીધું હતું. મારી માતાનો રાણી રૂપસુંદરી સાથે સારો સંબંધ બંધાયો હતો. રાણી સૌભાગ્યસુંદરી પણ મારી માતા પાસે
૨૭૨
મયણા
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અવારનવાર આવતી-જતી હતી. મયણાનાં મામી વિશાલા પણ મારી માતા સાથે ઘનિષ્ઠ રીતે પ્રેમસંબંધથી બંધાયાં હતાં. સર્વત્ર આનંદ ફેલાયો હતો. મહેલમાં, નગરમાં અને રાજ્યમાં. સર્વત્ર મયણાની પ્રશંસા થઈ રહી હતી. જૈન ધર્મનો અપૂર્વ મહિમા ફેલાઈ રહ્યો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા દિવસો, મહિનાઓ... સુખભોગમાં પસાર થતા હતા. હા, અમારી ધર્મઆરાધના ક્યારેય ખંડિત થતી ન હતી. શ્રી સિદ્ધચક્રજીનું પૂજન, ધ્યાન બરાબર થતું હતું. શ્રી ઋષભપ્રાસાદમાં પ્રતિદિન અમે સહુ દર્શન-પૂજન-ગીત-નૃત્ય આદિ ભક્તિ-અર્ચના કરતાં હતાં. ગુરુદેવ મુનિચન્દ્રસૂરિજીનાં દર્શન-વંદન કરી એમની અમૃતવાણીનું શ્રવણ કરતાં હતાં. અવારનવાર ધર્મચર્ચા પણ કરતાં હતાં. મારી માતા અને રૂપસુંદરી પણ ધર્મચર્ચામાં ભાગ લેતી હતી.
મારા નિત્યક્રમ મુજબ રથમાં બેસી હું અને અશ્વિની ક્ષિપ્રા નદીના કિનારે જતાં હતાં. આ અમારો પ્રાભાતિક કાર્યક્રમ હતો. ક્યારેક સિદ્ધેશ્વર મુનિરાજ માર્ગમાં મળી જતા તો હું રથમાંથી ઊતરી જતો ને એમની સાથે ચાલતો.
એક દિવસ ન ધારેલી ઘટના બની. જોકે ઘટના આમ તો સાવ મામૂલી કહેવાય. પણ ક્યારેક નાનકડો કાંટો પગમાં ભારે વેદના કરતો હોય છે! એવી જ વાત બની.
રાજમાર્ગ પરથી અમારો રથ પસાર થઈ રહ્યો હતો. રથને અશ્વિની હંકારતો હતો. હું રથમાં બેઠો હતો. ત્યાં એક ઘરના બારણે એક કન્યા ઊભી ઊભી મને જોઈ રહી હતી. તેણે એની માતાને પૂછ્યું : 'મા, આ રથમાં આવો સુંદર પુરુષ કોણ જાય છે?' બેટી, એ આપણા મહારાજાના જમાઈ છે!'
મા
આ વાર્તાલાપ સવારના નીરવ વાતાવરણમાં મને સંભળાયો... ‘આપણા મહારાજાના જમાઈ!' મારી ઓળખાણ જમાઈ તરીકે આપવામાં આવી... મને વાત ન ગમી. લોકો મને સસરાના નામે ઓળખે છે... મારા માટે લાંછનરૂપ છે.'
જેઓ પોતાના ગુણોથી ઓળખાય છે તે ઉત્તમ પુરુષો કહેવાય. જેઓ પિતાના નામે ઓળખાય છે તેઓ મધ્યમ કોટિના પુરુષો
For Private And Personal Use Only
૨૭૩
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કહેવાય. જેઓ મોસાળ-પક્ષથી ઓળખાય તેઓ અધમ કોટિના પુરુષો કહેવાય અને જેઓ સસરાના નામે ઓળખાય તેઓ અધમાધમ પુરુષો કહેવાય.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ દિવસે હું અશ્વિની સાથે બોલ્યો નહીં. એ પણ મને ગંભીર મુખમુદ્રામાં જોઈને બોલ્યો નહીં. ક્ષિપ્રાનાં શીતલ પાણીમાં પણ મને ટાઢક ન વળી. મેં અશ્વિનીને કહ્યું : ‘આપણે પાછા રાજમહેલે જઈએ.'
મને રાજમહેલે ઉતારીને અશ્વિની રથ લઈને ચાલ્યો ગયો. હું સીધો મારા આવાસમાં પહોંચ્યો. મારું મન ઉદાસ હતું. મને પેલી સ્ત્રીના શબ્દો ભાલાની જેમ ભોંકાતા હતા. મન ચંચળ બની ગયું હતું. હું પલંગમાં પડી આળોટવા લાગ્યો. ત્યાં મયણાનો મધુર સ્વર સંભળાયો.
કેમ આજે થાકી ગયા?' તે મારી પાસે આવીને ઊભી રહી. પણ મેં એની સામે ન જોયું. એણે મારી સામે ધારીને જોઈ લીધું. ‘ઉદાસ લાગો છો... શું થયું?' હું મૌન રહ્યો. તે પલંગની કિનારે બસી ગઈ.
‘તબિયત તો સારી છે ને?' મેં માથું હલાવીને હા પાડી. ‘તો શું મનદુઃખ થયું?' ચિંતાભર્યા સ્વરે તે બોલી.
‘શું કોઈએ તમારું અપમાન કર્યું કે તમારી આજ્ઞા ન માની? જલદી બોલો... તમારી ઉદાસીનતા મારાથી જોઈ જતી નથી...’
મેં એને માર્ગમાં સાંભળેલો વાર્તાલાપ કહી સંભળાવ્યો, અને પૂછ્યું : ‘ભદ્રે! મારે અહીં શ્વસુરગૃહે રહેવું કેટલું ઉચિત છે? સસરાના નામે ઓળખાવું કેટલું ખરાબ છે?'
મયણા મારી વાત સાંભળીને વિચારમાં પડી ગઈં...
૨૭૪
‘તો પછી ચંપાનું રાજ્ય લેવું પડે... યુદ્ધ કરવું પડે... અને જો એમ જ કરવું હોય તો મારા પિતા પોતાની વિશાળ સેના આપને આપશે. આપ યુદ્ધ કરીને પોતાનું રાજ્ય પાછું મેળવો.'
'તો દુનિયા કહેશે સસરાની સહાયથી રાજ્ય લીધું! ના, ના, મારે તારા પિતાની કોઈ જ સહાય નથી લેવી. હું મારા જ પરાક્રમથી રાજ્ય લઈશ...’
For Private And Personal Use Only
મમણા
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“આપ વિચાર. ગંભીરતાથી વિચારીને જે પગલું ભરવું પડે તે ભરો.. આપ સ્વપરાક્રમથી યશસ્વી બનો, એ તો હું પણ ઇચ્છું છું.”
એક સ્ત્રીની નાનકડી જીભે મારા સુદઢ વ્યક્તિત્વનું ક્ષુલ્લક શબ્દોથી મૂલ્ય આંક્યું? એક રાજ કુમાર માટે આથી ભયાનક શરમ-બીજી કઈ હોઈ શકે? જોકે એ સ્ત્રી કંઈ મારું અપમાન કરવાના આશયથી એ શબ્દો બોલી ન હતી, છતાં એ મારા માટે તો ઘોર અપમાન જ કહેવાય. આવા શબ્દો અંતઃકરણને વીંધી નાખતા હોય છે. એ શબ્દો હું ભૂલવા પ્રયત્ન કરું તો પણ ન ભૂલી શકું. શાંતિની પળોમાં એ મને વિશેષ અસ્વસ્થ કરી મૂકે છે. હૃદયસરોવર ડહોળાઈ જાય છે.
કોઈ નિર્ણય કરતાં પહેલાં મારે મુનીશ્વર સિદ્ધેશ્વરને મળીને એમનું માર્ગદર્શન પણ લેવું જોઈએ. મયણા પણ આ અંગે ગંભીરતાથી વિચારતી તો થઈ ગઈ છે. એ સમજે છે “પતિના ગૌરવમાં પત્નીનું ગૌરવ સમાયેલું હોય છે.” અને બુદ્ધિશાળી તેજસ્વી રાજ કુમારી, હમેશાં પોતાના પતિના સૌંદર્યની સાથે સાથે શૌર્ય અને વીર્યની પૂજક હોય છે. એ ઇચ્છે કે એનો પતિ શૂરવીર હોય, પરાક્રમી હોય.. દિગંતવ્યાપી કીર્તિવાળો હોય!
વળી, જીવન, એક રાજકુમારનું જીવન માત્ર એશઆરામ માટે ન જ હોય. જીવનનો કોઈ ચોક્કસ આદર્શ હોય. કોઈ નિશ્ચિત ધ્યેય હોય. એ ધ્યેયને પાર પાડવા પુરુષાર્થ કરવો જોઈએ!
આજે હું એકલો જ નદીકિનારે જવા નીકળ્યો. આજે મારે સિદ્ધેશ્વર મહામુનિને મળવું હતું અને તેઓ નદીના કિનારે જ ધ્યાનસ્થ દશામાં જોવા મળ્યા. હું આનંદિત થયો. જેવું ધ્યાન પૂર્ણ થયું કે મેં જઈને વંદના કરી. તેમના મુખ પર સ્મિત રમી રહ્યું. એમની આંખમાંથી તેજના ફુવારા છૂટતા હતા. મુખ બ્રહ્મતેજથી ચળકતું હતું. મેં તેમને સીધો જ પ્રશ્ન પૂછ્યો : ‘ગુરુદેવ, જીવન એટલે શું? જીવનનું ધ્યેય શું?” ‘શ્રીપાલ, જન્મ અને મૃત્યુ વચ્ચે વહેતી એક સરિતા... તેને જીવન કહેવાય. સૃષ્ટિમાં જીવન તો અનંત પ્રકારનાં છે. પરંતુ કુમાર, મનુષ્યનું જીવન સર્વશ્રેષ્ઠ જીવન કહેવાય છે.”
મયણા
૨૭૫
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાથી મુનીશ્વર? આ જીવનમાં કઈ વાતની શ્રેષ્ઠતા છે? સુખની કે દુઃખની? યશની કે અપયશની?'
એમાંથી એકે ય નહીં! આ માનવજીવનમાં જ મુક્તિ પામવાનો પુરુષાર્થ થઈ શકે છે. જીવ શિવ બની શકે છે. આત્મા પરમાત્મા બની શકે છે. આ દષ્ટિએ આ જીવનની શ્રેષ્ઠતા છે.”
મુનીશ્વર, મેં મુક્તિની, મોક્ષની વાતો મયણાના મુખે સાંભળી છે. મને થોડી થોડી સમજાઈ છે. પરંતુ મહારાજ, મારે તો આ વર્તમાન જીવનમાં મુક્તિ જોઈએ છે! શ્વસુરગૃહમાંથી મુક્તિ જોઈએ છે. હવે મન અહીં રહેવામાં અકળાય છે...'
શ્રીપાલ, બધી જ વ્યથા, વેદનાઓ અને અકળામણોનો અંતિમ ઉપાય તો આધ્યાત્મિક જ છે. છેવટે તો એના જ શરણે જવું પડશે પણ અત્યારે હવે આ મારી વાતો ભૂલી જા! અને જીવનનો અર્થ કર્તવ્ય-પાલન કર! તું રાજકુમાર છે.... ચંપાનો ભૂતપૂર્વ રાજા છે! તારી રક્તવાહિનીઓમાં ક્ષત્રિયનું લોહી વહે છે! વળી અત્યારે તારી પુરુષાર્થ કરી લેવાનો કાળ છે! પુણ્યનો પ્રબળ ઉદય તારા પુરુષાર્થને સફળતાના શિખરે પહોંચાડશે! વળી, શ્રી સિદ્ધચક્ર જેવું અદ્વિતીય સિદ્ધયંત્ર તને મળેલું છે. તારી અવિચલ શ્રદ્ધા છે. તું વિદ્ગો પર વિજય મેળવી શકીશ.”
તો મારે ઉજ્જયિની છોડીને...” “હા, ગુરુદેવ કહેતા હતા કે પરદેશમાં જ શ્રીપાલની ભવ્ય ઉન્નતિના પ્રબળ યોગ છે!” ત્યારે મેં ગુરુદેવને પૂછેલું : “ગુરુદેવ, શ્રીપાલ ક્યાંથી પ્રયાણ કરે તો શુભ થાય?” ગુરુદેવે કહેલું : “ભૃગુકચ્છ બંદરથી એનું પ્રયાણ થશે! એને દૈવી શક્તિઓ પ્રાપ્ત થશે...”
સિદ્ધેશ્વર મુનિવરે મારા ખભા પર પોતાનો હાથ મૂકીને મને કહ્યું: ‘હૃદયમાં શ્રદ્ધા, સાહસ અને શૌર્ય ભરીને જીવનના માર્ગે પ્રયાણ કરજે.'
પછી અમે સાથે જ નગરમાં આવ્યા. રાજમહેલ આગળ હું ઊભો રહ્યો તો તેમણે કહ્યું : “કુમાર, ગુરુદેવનાં દર્શન કરીને આવ ને ! ચાલ, મારી સાથે..”
હું મુનિરાજ સાથે પૌષધશાળામાં ગયો. ગુરુદેવનાં દર્શન કર્યા.
૨૭૬
માણા
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીલેલા પારિજાત વૃક્ષ જેવા તેઓ શાંત અને પ્રસન્ન દેખાતા હતા. એમનો અવાજ મધુર હતો. ગંભીર હતો. એમને જોતાં જ મારું હૃદય અનેકવિધ ભાવોથી... નદીનાં પૂર જેવું ઊભરાઈ ગયું. હું એમને મારા ભગવાન માનતો હતો. એમાં અતિશયોક્તિ નથી. તેઓ મારા અને મયણાના અંતર્યામી છે. નહિતર તેઓ મારા માટે સિદ્ધેશ્વર મુનિની આગળ મારી ઉન્નતિની વાત શી રીતે કરે? હું કંઈ પણ બોલું એ પૂર્વે તો ગુરુદેવે કહ્યું :
વત્સ, તારો સંકલ્પ સાચો છે, તારું ભવિષ્ય મને પ્રત્યક્ષ ઉજ્વલ દેખાય છે. માતાના આશીર્વાદ ગ્રહણ કરીને, મયણાની શુભકામનાઓ લઈને શુભ દિવસે પ્રયાણ કરી દેવું જોઈએ.'
મારું મન દૈતમાંથી અદ્વૈતમાં સરી પડ્યું. વિચારોનું તુમુલ યુદ્ધ શાંત થઈ ગયું. મેં ગુરુદેવની પ્રેરણા અંતઃકરણમાં ઝીલી લીધી.
ત્યાં સિદ્ધેશ્વર મુનિવર મારી પાસે આવીને ઊભા રહ્યા. તેઓ ભાવવિભોર હતા. મારા પ્રત્યે અપાર સ્નેહ વહેતો મેં અનુભવ્યો. એમના વિશુદ્ધ સ્નેહનો જાણે મને સ્પર્શ થતો હતો. તેઓ બોલ્યા :
કુમાર, ધર્મને હૃદયમાં ધારણ કરીને શૂરવીર પુરુષ અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થને સાધે છે. વિપુલ અર્થ-કામની પ્રાપ્તિ થયા પછી, એનો પરિભોગ કર્યા પછી એ નિષ્કામ.. નિસ્પૃહ બને છે. પછી એના જીવનમાં મોક્ષ-પુરુષાર્થ આરંભાય છે, કે જે આ મનુષ્યજીવનનું અંતિમ લક્ષ્ય છે.”
શ્રી સિદ્ધચક્ર સર્વત્ર અને સર્વકાળ તારી રક્ષા કરશે અને તારા આ ભગવાન...” સિદ્ધેશ્વરની આંખોમાંથી આંસુની ધારા વહી રહી... “તારા આ ભગવાન સદૈવ તને આશીર્વાદ આપતા રહેશે!'
૨૭૭
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
3
)
પેલી દાસી પૂછી રહી છે, “રાજમાતા, આપ ઉદાસ કેમ છો? કઈ રીતે એને સમજાવું કે હું ઉદાસ કેમ છું? મારા જીવનમાં આંધીનું કેવું તોફાન મચી ગયું છે? એનું શું કારણ હશે? મનુષ્યને આ ચકરાવામાં કોણ ઘુમાવતું હશે? આનો સૂત્રધાર કોણ હશે? મયણા વારંવાર કહે છે : જીવ માત્રને કર્મો નચાવે છે. કર્મો જ દરેક જીવના સૂત્રધાર છે. પણ આવાં મારાં કર્મો?
આજે હું આ રાજમહેલની અટારીએ ઊભી છું. મારી આસપાસ વૈભવ છે. મારા દરેક આદેશને ઝીલવા તત્પર દાસ-દાસીઓ ખડે પગે ઊભાં છે. ઉજ્જયિનીનાં સૌ નગરજનો મને “રાજમાતા. રાજમાતા...” કહી આદર આપે છે. રાજા પ્રજાપાલ જેવા સાલસ ને બળવાન રાજા પણ મને આદર આપે છે. શ્રીપાલ જેવો સુંદર, સુશીલ, સંયમી, વીર પુત્ર હોવા છતાં મારા દુઃખનું કારણ શું હશે? કોઈ પણ સ્ત્રીને આથી વધુ શું જોઈએ? ઠીક છે, નાની ઉંમરમાં મને વૈધવ્ય આવ્યું. રાજ્ય ગયું... દુ:ખ આવ્યાં.. પણ દુખ ગયાં ને સુખ આવ્યાં છે ને! આનાથી વિશેષ શું જોઈએ?
પરંતુ વાત એમ નથી. કેવળ આવી બાહ્ય વાતો પર સુખ અવલંબતું નથી. મનની સ્વસ્થતા હોય તો જ જીવને શાતિ વળે. ત્યારે જ જીવન સુખી ગણાય. આટલા વૈભવોની વચ્ચે હોવા છતાં મને અંતરમાં શાંતિ નથી. જ્યારથી શ્રીપાલે પરદેશ જવાની વાત કરી છે ત્યારથી મારી છેલ્લી કેટલીય રાતો અજંપામાં વીતી છે.
મારું મન પવનની આંધીમાં ઊડતાં સૂકાં પાનની જેમ ક્યાંય દૂર સુધી પહોંચી જાય છે. છેલ્લાં પચાસ વર્ષોની યાત્રા કરીને મન ફરી પાછું દેહના પિંજરામાં પુરાઈ જાય છે. એમાં ય ગત પચીસ વર્ષોનો કાળ! પચીસ વર્ષોના લાંબા કાળમાં આ કમલપ્રભાએ કમલપ્રભારૂપે કેટલા દિવસો વિતાવ્યા હશે? એક પણ દિવસ નહીં! આ વર્ષો કેટલાં
૨૭૮
માણા
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃપણ અને કેટલાં શિથિલ?
મારા મનના સઘન આકાશમાંથી અતીતની સ્મૃતિઓની વર્ષા અનેક ધારાએ વરસવા લાગે છે. ક્યારેક એવી મુશળધાર વર્ષા થાય છે કે એના મારાથી મારું મન ચાળણી તો નહીં થઈ જાય, એવી ભીતિ જગાવે છે.
શ્રીપાલ વિદેશયાત્રાએ જવાનું કહે છે. સારી વાત છે એની. વીર, સ્વમાની અને પરાક્રમી રાજકુમાર બીજાના આશરે આનંદ-પ્રમોદનું જીવન પસાર કરવાનું પસંદ ન જ કરે. આમ તો મહારાજા પ્રજાપાલે પણ એને કહ્યું કે તારે ચંપાનું રાજ્ય લેવું હોય તો મારી વિશાળ સેના તને આપું. તું અજિતસેન સાથે યુદ્ધ કરી, એના પર વિજય મેળવી, તારું રાજ્ય પ્રાપ્ત કર. પરંતુ શ્રીપાલે ના પાડી. સસરાની સહાયથી રાજ્ય નથી મેળવવું કે સસરાના આશ્રયે રહેવું પણ નથી. એને વિદેશમાં જઈને ભાગ્યને ચમકાવવું છે અને એનો ભાગ્યોદય થશે જ, એમ મારું મન કહે છે...
છતાં એક માતા છું ને હું? વર્ષો સુધી પુત્રનો વિરહ મેં વેક્યો છે. પુત્રના રોગગ્રસ્ત દેહને વર્ષો સુધી જોઈને રડી છું... તરફડી છું. મેં એના બાલ્યકાળના લાડકોડ પૂરા કર્યા નથી. એના શૈશવકાળને આનંદથી ભર્યો નથી. હું એને કોઈ સુખ આપી શકી નથી. હવે
જ્યારે સુખના દિવસો આવ્યા છે ત્યારે એ મને છોડી જવાની વાત કરે છે. પહેલાં મેં એનો ત્યાગ કર્યો હતો, હવે એ મારો ત્યાગ કરવા તૈયાર થયો છે...
પણ હવે હું એનો વિરહ સહન કરી શકીશ? મારું મન કેવું આવ્યું બની ગયું છે. વારંવાર મને એનું મુખ જોવાની ટેવ પડી ગઈ છે. શું કરું? એક તરફ કર્તવ્યની ભાવના એને રોકવાની ના પાડે છે. બીજી તરફ એના તરફનો પત્રસ્નેહ એને જવા દેવાની ના પાડે છે... ઓહો... મનમાં કેવું વૈત પેદા થઈ ગયું છે? વિચારોનું વૈત!
કોઈ કોઈ વાર શ્રીપાલ જંગલમાંથી પાછા આવવામાં એટલી વાર લગાડતા કે હું ચિંતામાં પડી જતી. સખી લલિતા મારા મનની વાતનું અનુમાન કરી લેતી અને આશ્વાસન આપતી કહેતી, “સખી, તું મારા
માણા
૨૭૯
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય સખાનું અપમાન કરે છે!” હું તેની સામે જોઈ રહેતી. તે હસીને કહેતી, “શ્રીપાલ જંગલમાં એકલા શું શું કરી શકે છે, જંગલી હિંસક પ્રાણીઓને શક્તિહીન કરી દે છે, એ જ તું જાણતી હોત તો તું આટલી ચિંતા ન કરત. લાગે છે કે શ્રીપાલના બાહુબળ અને અસ્ત્ર કૌશલ પર તને ભરોસો નથી, આ શું શ્રીપાલનું અપમાન નથી? તું એમની ઘર્મપત્ની છો, તો પણ એમના માટે આવી કલ્પના કરે છે? તું એમની ચિંતા ન કર.”
લલિતાનું આશ્વાસન સાંભળીને હું મારી જાતને દિલાસો આપવાનો પ્રયત્ન કરતી હતી. એ દિવસે શ્રીપાલ પાછા આવ્યા ત્યારે લોહીતરબોળ અને જખમી હતા. આ કેમ થયું, એ કોઈ જાણતું ન હતું. એ દિવસે તેઓ કંઈક બેચેન હતા. એ હાલતમાં જ પાંચાલદેશના એક વેગવાન ઘોડા પર બેસીને તેઓ જંગલમાં ગયા હતા. ઘોડાએ વેગ પકડ્યો ને એ જંગલમાં અન્તર્ધાન થઈ ગયા. બહુ વાર પછી એ ઘોડો એકલો જ ઝડપથી દોડતો પાછો આવ્યો. સેવકો શ્રીપાલને શોધી શોધીને થાકી ગયા. આખરે પહાડની તળેટીમાં બેભાન પડેલા જોયા. જખમી દશામાં ઊંચકીને તેમને લઈ આવ્યા. રોમાંચક ઘટનાઓના નાયક બનવાની લાલસા શ્રીપાલમાં જન્મથી હશે? કદાચ આળસ ને ઉદાસી દૂર કરવા માટે એ ભયાનક ઘોડાની પીઠ પર એ વન-પર્વત-પ્રદેશનું સૌંદર્ય જોતાં જોતાં અસ્વસ્થ થઈ ગયા હશે. એ વખતે ઘોડો એમના કાબૂ બહાર ગયો હશે અને એ પડ્યા હશે.
કેવી રીતે શું થયું, એનો વિચાર કરવાનો સમય ન હતો. તરત જ સારવાર શરૂ કરી. રાજવૈદ્ય ચિકિત્સા કરી. તેમણે કહ્યું : “સતત લોહી વહી રહ્યું હતું પણ ચિંતા જેવું નથી. હમણાં ભાનમાં આવી જશે.”
એ વખતે લલિતાએ હસીને કહ્યું : “હવે સમજી, ઉજ્જયિનીની અશ્વશાળામાં બીજા આટલા અશ્વો હોવા છતાં પાંચાલનો દુષ્ટ અશ્વ લઈ જઈને શ્રીપાલે શા માટે આપત્તિ વહોરી લીધી! નહીં તો તન્વી પ્રિયતમા મયણાનું સાહચર્ય કેમ મળે? સદાચારી, સુશીલ અને બોલવામાં સંયમવાળા શ્રીપાલ, મયણા પાસે જબરદસ્તી સેવા... સાહચર્ય મેળવે નહીં ને!'
૨૮O
મયણ
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લલિતાની દરેક વાતમાં રસિકતા હોવા છતાં મારા દુ:ખ અને સંતાપની સીમા ન હતી. વિચાર કરતી હતી કે શ્રીપાલે આવું કામ ખરેખર શા માટે કર્યું? હું શ્રીપાલના પગ પાસે બેઠી હતી. માથા પાસે મા કમલપ્રભા બેઠાં હતાં. શ્રીપાલ ભાનમાં આવી રહ્યા હતા. આંખ ખૂલતાં જ મારા પર એમની નજર પડી. મારી આંખો ભરાઈ આવી. મા બેઠાં હતાં એટલે મેં મારી જાતને એકદમ સંભાળી લીધી. શ્રીપાલે એક વાર આંખો ખોલીને પાછી મીંચી દીધી, બીજી જ ક્ષણે મા સામે જોઈને હસ્યા અને બોલ્યા : નાની અમસ્તી વાતમાં તમે સૌ ગભરાઈ જાઓ છો? લોહી વહી જાય એ મારા માટે કોઈ નવી વાત નથી.' કમલપ્રભાએ કોઈ જવાબ ન આપ્યો. માત્ર એમના વાળ પર હાથ ફેરવતાં રહ્યાં. એમની આંખમાં આંસુ આવ્યાં. શ્રીપાલ માટે હળવું ભોજન કરવા એ ઊઠ્યાં. મને કહેતાં ગયાં કે શ્રીપાલના પગનાં તળિયાં ધીરે ધીરે પંપાળતી રહેજે.' હું પણ એ જ ઇચ્છતી હતી. ધીરેથી, હૃદયની બધી આર્દ્રતા સાથે નીલકમલની જેમ એમના પગને પંપાળવા માંડી. ત્યાં લલિતા બોલી ‘રાજકુમાર, મારા અહીં રહેવાથી તમારા આરામમાં મુશ્કેલી તો
નથી પડતી ને?'
શ્રીપાલના મુખ પર હાસ્ય ફરી વળ્યું. ત્યાં લલિતાએ પોતાની વાચાળતા આગળ ચલાવી ‘મયણાની સેવા અને સાહચર્યના લોભથી તો ઘોડાની પીઠ પરથી પડીને આ હાલત નથી કરી ને?'
હું લજ્જા અને દુ:ખથી બેવડ વળી ગઈ. શ્રીપાલ ગંભીર થઈ ગયા. તેઓ બોલ્યા : ‘લલિતા, કોઈ પણ યુદ્ધના કારણે પૃથ્વી ૫૨ લોહી વહેતાં આવ્યાં છે. દાનવત્વ નષ્ટ કરવા માટે થોડું લોહી વહેવડાવવું પડે છે!’
-
મણા
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘શું કહો છો? દાનવ કોણ? યુદ્ધ શાનું?' લલિતા ચોંકી ઊઠી. શ્રીપાલ સ્થિર નજરે લલિતા સામે જોઈ રહ્યા. ‘માણસની કામના ને વાસના જ દુષ્ટ દાનવ છે અને વિવેક વચ્ચે સંઘર્ષ થાય છે! કામનારૂપ દાનવ બળવાન થઈ જાય છે, ત્યારે માથા પર લોહી ચઢી જાય છે! વાસના ગળી જાય છે વિવેકને. બસ, માથા પરથી લોહી વહી જાય એટલે દાનવ હારી જાય છે!'
કોની વાત કરો છો?' લલિતાને કંઈ સમજાયું નહીં.
For Private And Personal Use Only
૨૮૧
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી વાત. માણસની વાત. માણસની વાસનાની વાત...! મન થતું હતું કે શ્રીપાલની છાતી પર માથું મૂકીને ખૂબ આંસુ વહાવી દઉં. પૂરા વિશ્વાસથી કહું - “સ્વામી! તમારા વિના ઉજ્જયિનમાં આ દેહ ધારણ કરીને કેવી રીતે જીવી શકીશ?' - હું ચૂપચાપ એમને જોતી જોતી શંનું શું વિચારતી રહી... એ શા માટે વિદેશ-પરદેશ જવાની હઠ લઈને બેઠા છે? મારા માટે આથી મોટી બીજી કઈ સજા હોઈ શકે? | વિદાયના હાવભાવથી એમણે કહ્યું : “હવે રજા આપો, મયણા! જીવતા રહીશું તો પાછાં મળીશું. વન-જંગલમાં એક વાર પગ મૂક્યા પછી ક્યાં શી આપત્તિ આવે, કોણ જાણે?'
આશંકા, ઉદ્વેગ અને ચિંતાથી મારું મોઢું સુકાઈ ગયું. મનમાં થતું હતું કે શ્રીપાલનાં ચરણોમાં નમી પડીને કહ્યું - “મને ઠોકર મારીને પરદેશ જાઓ... ઉદ્વેગ અને આશંકામાં થોડું થોડું મરવા કરતાં આપનાં ચરણોમાં મૃત્યુ કલ્યાણકારી થશે.'
પણ મને લાગ્યું કે મારો ઝાંખો ચહેરો જોઈને તેઓ મનમાં દુઃખી થશે. મેં મારા મનને કઠોર બનાવીને કહ્યું : ચંપાના અને ઉજ્જયિનીના શ્રેષ્ઠ વીર શ્રીપાલ અરણ્યમાં અણધારી આપત્તિની વાત કરે છે? પહેલી વાર સાંભળું છું. મને તો વિશ્વાસ છે કે વીર-શ્રેષ્ઠ શ્રીપાલ કોઈ પણ આપત્તિમાંથી મુક્ત થવા સમર્થ છે. પૃથ્વીની કોઈ શક્તિ એમને પરાજિત નહીં કરી શકે. શ્રી સિદ્ધચક્રજી આપને ક્ષેમકુશળ પાછા લાવશે. બસ, શ્રી સિદ્ધચક્રજી આપની પાસે છે, એટલું જ યાદ રાખજો.”
શ્રીપાલ કોમળ અવાજે બોલ્યા : “મયણા! તમે તમારું કર્તવ્ય પૂરું કર્યું છે. તમે માતાની સાથે રહેજો. તમને મારો અભાવ નહીં ખટકે. ગુરુદેવનું સાંનિધ્ય છે, પરમાત્મા ઋષભદેવની છત્રછાયા છે... દિવસો સુખચેનમાં પસાર થઈ જશે. હું પરદેશમાં ક્યાંય પણ રહું, શ્રી સિદ્ધચક્રજી તમારી પાસે રહેશે. તમને ચેન મળશે, મને પણ ચેન મળશે.'
હું ચૂપ. બીજું શું કહું? હું મૂંગી થઈ ગઈ. ઘણું બધું કહ્યા વગર રહી ગયું. શ્રીપાલે મારો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું : “તમે
૨૮૨
મયણાય
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદુષી છો, વિદ્યાવતી છો, તમને હું શો ઉપદેશ આપું? તો પણ થોડી વાત કહું છું. ક્યારેક મા કઠોર થઈ જાય તો ગેરસમજ ન કરશો. એમના મનને આઘાત ન આપશો. એવી જ રીતે મહારાજાની ઉપેક્ષા ન કરશો. તમારી માતા સર્વોપરી છે. એમના તરફનાં કર્તવ્યોમાં ઢીલાશ નહીં કરતા. મારા માટે તમે દુ:ખદર્દ સહ્યાં છે, માન-અપમાન સહ્યાં છે. એ ક્યારે ય ભૂલી શકીશ નહીં. રહી મારી વાત! મારા દુઃખનો હવે એક વિચાર પણ ન કરશો. એક રાજપુત્રે બચપણથી જ વનવાસ, આપત્તિ, ઉપવાસ, થોડું અન્ન, ગરીબી અને ભાગ્યની સાથે સંગ્રામ કર્યો છે! કર્મોનો યોગ હશે.. તો આપણે ફરી મળશે. હવે વિદાય આપો.”
શ્રીપાલનો એક એક અક્ષર સ્વીકારવા જેવો હતો. હું સાંભળતી જતી હતી. ધરાતી ન હતી. મેં કહ્યું :
મારા નાથ! વહેલા વહેલા પાછા આવજો. મને ભૂલી ન જ શો! તમે પરાક્રમી ને પુણ્યશાળી છો, અનેક રાજકુમારીઓ તમારી અર્ધાગના બનવા તલસશે. છતાં આ દાસીને વીસરી ન જશો.” છે. આજથી રોજ એકાસણાનું વ્રત કરીશ. છે. જમીન પર શયન કરીશ. જ સ્નાન અને શણગારનો ત્યાગ કરીશ. છે સચિત્ત - સજીવ વસ્તુઓનું ભક્ષણ નહીં કરું.
શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રની પ્રતિદિન આરાધના કરીશ. તમારી માતા અને મારી માતા પણ સિદ્ધચક્રજીનું આરાધન કરશે. અમે રોજ તમારા કુશળની કામના કરતાં રહીશું. આપનો માર્ગ કુશળ હો! નિર્વિઘ્ન હો....!
ત્યાં કમલપ્રભા આવ્યાં. તેઓ ભાવાવેશમાં હતાં. “વત્સ, હું તારી સાથે પરદેશમાં આવશે. ત્યાં હું તારી ખબર-અંતર રાખીશ... તને વત્સ, એક ઘડી પણ હવે મારાથી જુદો નહીં રહેવા દઉં...” કમલપ્રભા રડી પડ્યાં.
શ્રીપાલ ગંભીર સ્વરે બોલ્યા : “મા, પરદેશમાં તું કે મયણા સાથે હો તો મારા માટે મોટું બંધન રહે. મને તમારી ચિંતા રહે... હું મારાં
અપણા
૨૮૩
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્યા કાર્યો ન કરી શકે. માટે તમે સાસુ-વહુ અહીં જ સાથે રહેજો . શ્રી સિદ્ધચક્રજીની આરાધના કરજો.”
રોતી રોતી કમલપ્રભા બોલી : “પુત્રી શ્રી સિદ્ધચક્રજીના અધિષ્ઠાયક દેવો અને દેવીઓ તારી રક્ષા કરો! તારાં વિઘ્નો દૂર કરો...” કમલપ્રભાએ શ્રીપાલના ભવ્ય લલાટે કેસરનું તિલક કર્યું. ગળામાં પુષ્પહાર પહેરાવ્યો ને કમરે તલવાર બાંધી. વિજયમુહૂર્તે તેઓ પ્રયાણ કરી ગયા...
સમય વિતતો જાય છે. જોકે એ ક્યારે ય પૂરો નથી થતો. શરીરને દુઃખ સહવાની આદત પડી જાય છે, પછી એ ગમે તેટલું અસહ્ય હોય તો પણ! સૂરજ ઊગે છે ને આથમે છે. દિવસ પર દિવસ વીતતા જાય છે... વિચારતી રહેતી. શ્રીપાલ ક્યારે પાછા આવશે?
માતા કમલપ્રભા સાથે હું રાજમહેલના જ ઉદ્યાનમાં એક કુટીરમાં રહેતી હતી. અમે બંને બ્રહ્મચારિણી હતાં. મા અમારા બંને માટે ભોજન બનાવતી. અમે એક વાર જ ભોજન કરતાં. એ પણ સાવ સામાન્ય. દિવસનો મોટો ભાગ પૂજા-અર્ચનામાં અને સિદ્ધચક્રજીની આરાધનામાં પસાર થતો. રોજ પરમાત્માને અમે સાસુ-વહુ પ્રાર્થના કરતી કે “શ્રીપાલ જ્યાં હોય ત્યાં સુખી રહે! તેમનાં દુઃખો દૂર થાઓ!”
દેવર્ષિ નારદ પાસેથી કોઈ કોઈ વાર શ્રીપાલના ખબર મળી જતા. દેવર્ષિ નારદ ઘણા દિવસ પછી આવ્યા હતા. શ્રીપાલના સમાચાર લઈને આવ્યા હતા. મારો સંન્યાસિની જેવો વેશ જોઈને તેઓ હસ્યા. બોલ્યા :
હવે આ ઉદ્યાન-કુટીર છોડીને મહેલમાં પાછાં જાઓ. રાજનંદિની! આ બધાંની હવે શી જરૂર છે?”
મેં આશંકાથી પૂછયું : “દેવર્ષિ, શ્રીપાલ કુશળ તો છે ને?' ‘શ્રીપાલના કુશળતા સિવાય બીજા શા ખબર હોઈ શકે? કુટીરના આંગણામાં બેસીને નારદે કહ્યું : “શ્રીપાલ વીરપુરુષ છે. એ જ્યાં પગ મૂકે છે ત્યાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે! દરેક દેશમાં એમને વિવિધ પ્રકારના દુર્લભ ઉપહાર મળે છે, સન્માન મળે છે.”
નારદ હસીને બોલ્યા - “મયણા! માણસની કામના અવિનાશી છે.
૨૮૪
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારની દરેક ઉત્કૃષ્ટ વસ્તુથી ઘર સજાવ્યા પછી પણ મન ખાલી રહે છે. જેટલું પામે છે, એટલું જ વધુ પામવાની ઇચ્છા વધી જાય છે. એટલે શ્રીપાલ જેટલું વધારે મેળવશે એટલી જ તમારી આકાંક્ષા, મોહ, માયા અને સાથે સાથે દુઃખ તથા અભાવ વધી જશે. એટલે શ્રીપાલને શું શું મળ્યું તે ન પૂછો. કદાચ એથી તમને દુઃખ થશે!' ‘દુઃખ થશે?” હું આશંકાથી બાવરી બની ગઈ. દેવર્ષિએ કોમળ અવાજે કહ્યું : “મયણા, આપ કોઈ સાધારણ રાજકન્યા નથી. વિશિષ્ટ છો. તમે રાજાઓના અને શ્રેષ્ઠીઓના અંતેપુરોમાં અનેક ઉપપત્નીઓ જોઈ છે અને આ રાજાઓનું ગૌરવ ગણાય છે. એટલે શ્રીપાલ વિદેશયાત્રામાં જો પોતાના પૌરુષના બળે સુંદર રાજકુમારીઓ મેળવે તો એને તમારું ગૌરવ માનવું જોઈએ. શ્રીપાલ ભલે સો પત્નીઓ સ્વીકારે, પણ આપ એમની પ્રથમ પત્ની - પ્રિયતમાં રહેવાનાં જ. બીજી પત્નીઓની વચ્ચે તમારી શ્રેષ્ઠતા
સ્થાપિત કરવાનો મોકો મળશે. તેથી આપ શ્રીપાલને વધુ પ્રિય બની શકશો.’
હું ચૂપ હતી. નિર્વિકાર હતી. શ્રીપાલની હું પ્રથમ પત્ની છું જ, પણ એમની સાથે દામ્પત્યજીવનમાં સુખ, આનંદ, રાગ-દ્વેષ, વિરાગઅનુરાગની અનુભૂતિમાં ભાગીદાર થનાર એમના જીવનની પ્રથમ નારી હું નહીં? તો કોણ હશે એ ભાગ્યવાન રાજકન્યા જેને કારણે શ્રીપાલ પોતાનું બ્રહ્મચર્ય, જપ, તપ, વગેરે બધું ભૂલી ગયા?
નારદ હસીને બોલ્યા : “શ્રીપાલમાં એક અદભુત આકર્ષણશક્તિ છે. જે રાજ્યમાં તેઓ જાય છે એ રાજ્યની રાજકુમારી પોતાને એમની સમક્ષ અર્પિત કરી દે છે. શ્રીપાલ પુરુષ થઈને ના કેમ પાડી શકે?'
હું અવાક થઈ દેવર્ષિને જોઈ રહી. તેમણે હસીને કહ્યું : “વિદેશના તે તે રાજાઓ મહાબળવાન વીરપુરુષો છે. તેઓ પ્રાણનું બલિદાન આપવા સદાય તૈયાર રહે છે. તેથી શ્રીપાલે લગ્ન દ્વારા એ વીરભૂમિ સાથે મિત્રતા સ્થાપિત કરી છે. બીજા અર્થમાં, આવતા યુદ્ધ માટે એમને પત્રિકા આપી આવ્યા છે. આ રાજનૈતિક કારણોથી શ્રીપાલનાં લગ્નો આવકારવા યોગ્ય છે.”
મને આશ્વાસન મળ્યું. રાજનૈતિક કારણોથી જો શ્રીપાલ સો પત્ની સાથે
માણસા
૨૮૫
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લગ્ન કરે તો મને દુઃખ નથી. પણ બીજી કોઈ ૨મણીને મારા કરતાં વધારે સુંદર, વિદુષી કે પ્રેમમયી માનીને એના પ્રેમમાં અંધ થઈને લગ્ન કરે તો એ મારે માટે ઘોર અપમાન ઠરશે. મનમાં ને મનમાં પ્રભુને પ્રાર્થના કરતી હતી કે ‘દેશહિતમાં શ્રીપાલ ભલે સો નારીને વરે, પણ પ્રેમમાં પડીને કોઈની સાથે લગ્ન ન કરે!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી એક સખી હતી માયા.
માયાનો અર્થ છે. ઇન્દ્રજાલ. મમતા, મોહ, શઠતા! આ બધાંને ભેગાં કરવાથી જે અર્થ થાય છે તે જ છે જીવ! એટલે કે જીવન માયા છે!
દેવર્ષિ નારદના ગયા પછી હું કંઈક વ્યાકુળ થઈ ગઈ હતી. અજાણપણે ઈર્ષ્યાથી બળતી હતી. અભિમાનથી ક્ષીણ થતી હતી. રાજનૈતિક કારણોથી શ્રીપાલ એકથી વધુ પત્નીઓનો સ્વીકાર કરી રહ્યા છે એ પણ જિદ્દી મન સ્વીકારી શકતું ન હતું.
માયા મારું મનપરિવર્તન કરવા હજાર પ્રયત્ન કરતી રહી. મારા કાનમાં કહેતી હતી ‘મહારાણીજી! કોના માટે બ્રહ્મચારિણીનું જીવન! કઠોર તપસ્યા, સાદાઈભર્યું જીવન, નિદ્રાવિહીન રાતમાં કોની વ્યાકુળ પ્રતીક્ષા? નિષ્ઠુર શ્રીપાલ માટે? તેઓ તો આ દરમિયાન ત્રણ ત્રણ કન્યાઓ સાથે દામ્પત્યનો આનંદ લઈ ચૂક્યા છે. આપને ભૂલી ગયા હશે. આવશે ત્યાં સુધીમાં આપના માટેની ઉત્કંઠા, કુતૂહલ, આકર્ષણ ઓછાં નહીં થઈ ગયાં હોય? આપ રૂપવતી છો, વિદુષી છો, શ્રેષ્ઠ નારી છો. આ જીવન સુખ માટે છે. ઉપભોગ ને આનંદ માટે છે. સુખની આશામાં જ માણસ અસહ્ય દુઃખ સહન કરી લે છે. પણ આ સુખ તો શ્રીપાલે સમાપ્ત કરી નાંખ્યું છે. ભૂલી જાઓ એમની વાત... યૌવન આપની પાસે આવીને સ્થિર થઈ ગયું છે. વિપુલ વૈભવ આપનાં ચરણોમાં આળોટે છે...'
૨૮૬
જીવનની પળેપળ મૂલ્યવાન છે, પણ યૌવનની દરેક પળ અમૂલ્ય હોય છે! જીવનનો ઉપભોગ કરો, મહારાણી. શ્રીપાલ પાછા આવીને જુએ કે આપને દુઃખ દેવા માટે એમણે જે કાવતરું કર્યું હતું, એ નિષ્ફળ ગયું છે...'
માયા મધમાખીની જેમ મૃદુ ગુંજનમાં કહેતી હતી. જીવનનો અર્થ
For Private And Personal Use Only
મયણા
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઘાડી રહી હતી. કોઈ કોઈ વાર એની ચતુરાઈ મને મોહિત કરી જતી. માયાની વાતોના જોરમાં વહી જાઉં? ક્ષણિક જીવનની દરેક પળને સુખમય કરું?
દરેક માણસના જીવનમાં અસ્થિર પળો આવે છે, પણ લક્ષ્ય હોય છે સ્થિરતા, શાંતિ અને પરિપૂર્ણતા. પણ મારી સ્થિરતા ક્યાં? પરિપૂર્ણતા કયાં? જેને નિકટ ઇચ્છું છું તે દૂર છે. નદીના વહેણમાં વહેતા ફૂલની જેમ... હાથથી સરકી જતી પળોની જેમ.
મને થયું, વીરપુરુષ શ્રીપાલ ભલે આખી પૃથ્વીની રાજ કન્યાઓને પરણે. એમાં એમનો શો દોષ? એમના હૃદયમાં મારું સ્થાન અવિચલ અને અપરિવર્તનીય જ છે, ને રહેશે, મારી એ શ્રદ્ધા છે! એમની હું શ્રદ્ધા છું. અને અમારી શ્રદ્ધા છે શ્રી સિદ્ધચક્રજી! ૐ શાંતિ... ૐ શાંતિ... ૐ શાંતિ..
માણા
૨૮૭
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયક ોંઘ
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आचार्य श्री कैलाससागरमरि ज्ञानमंदिर कोबा तीर्थ Acharya Sri Kailasasagamur Gyanmandir Sri Mahavir Jain Aradhana Kondra Koba Tirth, Gandhinagar 382007 (Gul.) INDIA Website: www.kobatirth.org E-mail: syanmandirokobatirth.org ISBN 978-81-89177-03-4 AJIVA GRAPHICS - 925001918 For Private And Personal Use Only