________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને કડવો શબ્દ મળે એટલે ઉદ્વેગ થાય છે. આ રીતે હે ભદ્ર! ઇષ્ટ વિષયનિમિત્તક સુખાનુભવ છે. અનિષ્ટ વિષયનિમિત્તક દુ:ખનુભવ છે.
એક વાત સ્પષ્ટ કરી દઉં. જે-તે વિષય ગ્રહણ કરવાનું કાર્ય ઇન્દ્રિયોનું છે. સુખ-દુઃખના અનુભવ કરવાનું કામ મનનું છે. જીવાત્મા ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ કરે છે અને મનથી સુખ-દુઃખના અનુભવ કરે છે. હા, સંસારમાં એવા અનંત જીવો છે કે જેમને શરીર છે, ઇન્દ્રિયો છે, પણ મન નથી! આવું મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જ હોય. દેવોને અને નારકોને તો પાંચેય ઇન્દ્રિયો અને મન હોય જ.
ભદ્ર! એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જે જીવોને મન નથી હોતું તે જીવોને સંજ્ઞા' તો હોય જ છે. મન વિનાના જીવોને ઇચ્છા તો હોય. ખાવાની ઇચ્છા, ચાલવાની ઇચ્છા... દ્રવ્ય ભેગું કરવાની ઇચ્છા... વગેરે. મન વિના પણ જીવ ઇચ્છાઓ કરી શકે છે. પણ એ ઇચ્છાઓ અને મનથી થતી ઇચ્છાઓમાં ઘણું અંતર હોય છે. કર્મબંધની દૃષ્ટિએ પણ અંતર પડતું હોય છે. આપણે મનવાળા માનવી છીએ! જો એ મન પ્રિય-અપ્રિય વિષયોમાં સુખ-દુઃખના અનુભવમાં ભટકતું રહેશે તો વર્તમાન જીવનમાં અશાન્તિ અને પરલોકમાં ઘોર દુઃખ લમણે લખાયેલાં સમજો!
આચાર્યે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું. તેઓ ઊભા થયા. મેં ઊભા થઈ તેમને બે હાથ જોડી મસ્તક નમાવી વંદન કર્યું. તેમણે આશીર્વચન આપ્યાં અને ચાલ્યા ગયા.
મારી સાસુ કમલપ્રભા એકાગ્ર ચિત્તે મારું કથનીય સાંભળી રહ્યાં હતાં. સાથે સાથે શ્રીપાલ પણ મુગ્ધ ભાવે શ્રવણ કરી રહ્યા હતા. આ બધી વાતો તેમના માટે નવી હતી, અપૂર્વ હતી, ગમે તેવી હતી. કમલપ્રભા બોલી ઊડ્યાં: “અદ્ભુત તત્ત્વજ્ઞાન છે કમનું!'
માણો
૩૧
For Private And Personal Use Only