________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવને સુખ-દુઃખના અનુભવ ન પણ થાય. છતાં ઉદયમાં આવી જાય ને ભોગવાઈ જાય! આને ‘પ્રદેશોદય' કહેવામાં આવ્યો છે.
મદના! કર્મના આઠ પ્રકારોમાં જે નામકર્મ છે, તેના અવાંતર ૧૦૩ પ્રકાર છે. તેમાં “ગતિ-નામકર્મ' આવે છે. જીવ વર્તમાનમાં જે ગતિમાં હોય તે ગતિમાં આગામી ગતિનું નામકર્મ બાંધતો હોય છે. જેમ કે વર્તમાનમાં એક જીવ મનુષ્યગતિમાં છે, તે જીવ આ પછીની મૃત્યુ પછીની) ગતિ આ ભવમાં જ નક્કી કરી લે છે. જોકે મનુષ્યને એ જ્ઞાન હોતું નથી કે એણે ક્યારે ને કઈ ગતિનું નામકર્મ બાંધ્યું! પણ એ બંધાઈ જ જતું હોય છે. ગોત્રકર્મ પણ એને અનુરૂપ બંધાઈ જાય છે અને આયુષ્યકર્મ પણ એ જ ગતિનું બંધાય છે.
મૃત્યુ પછી જીવ એ ભવમાં, એ ગતિમાં ઉત્પન્ન થાય ત્યારે તે ભવને અનુરૂપ શરીરનું એ સ્વયં નિર્માણ કરે છે. એવું નથી હોતું કે શરીર તૈયાર હોય ને જીવ એમાં પ્રવેશી જાય! જીવ સ્વયં પોતાના શરીરની રચના કરે છે. નરકગતિમાં જાય તો નરકનું શરીર બનાવે ને દેવલોકમાં જાય તો દેવનું શરીર બનાવે. મનુષ્યગતિમાં જાય તો મનુષ્યનું અને તિર્યંચગતિમાં જાય ત્યાં તિર્યંચનું શરીર બનાવે.
શરીરનિર્માણની સાથે જ ઇન્દ્રિયોનું નિર્માણ થતું હોય છે. દેવ-નારક અને મનુષ્યના ભવમાં તો શરીરરચનાની સાથે જ પાંચ ઇન્દ્રિયોની રચના થતી હોય છે. તિર્યંચગતિ (પશુ-પક્ષી આદિનો ભવ) એવી છે કે જ્યાં એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયોની રચના થાય છે. કોઈ જીવને એક જ ઇન્દ્રિયો હોય, કોઈને બે, કોઈને ત્રણ, કોઈને ચાર અને કોઈને પાંચ ઇન્દ્રિયો હોય છે.
જીવાત્મા આ ઇન્દ્રિયોના માધ્યમથી વિષયો ગ્રહણ કરે છે. દરેક જીવને સ્પર્શનેન્દ્રિય તો હોય જ. શરીર બને એટલે સ્પર્શન-ઇન્દ્રિય તો બની જ જાય. શુભ અને અશુભ, સારા ને નરસા સ્પર્શનો અનુભવ આ ઇન્દ્રિયથી થાય. રસનેન્દ્રિયને પ્રિય વિષય મળે એટલે જીવાત્માને સુખનો અનુભવ થાય અને અપ્રિય વિષય મળે - અણગમતો રસ મળે એટલે દુઃખાનુભવ થાય. ધ્રાણેન્દ્રિયને સુગંધ મળે એટલે સુખ અને દુર્ગધ મળે એટલે દુઃખ! ચક્ષુરિન્દ્રિયને રૂપનો વિષય મળે એટલે જીવ રાજી અને કુરૂપ વિષય મળે એટલે નારાજ! શ્રવણેન્દ્રિયને મીઠો શબ્દ મળે એટલે જીવને આનંદ થાય
૩૦
માણા
For Private And Personal Use Only