________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં ઇશારાથી - સંકતથી સમજાવી દીધું કે હું મોડી આવીશ. મારે ગુરુદેવ સાથે થોડી વાતો કરવી હતી અને સહુના ગયા પછી હું મારી સખી લલિતાંની સાથે ગુરુદેવ પાસે ગઈ. એ દિવસે મારે બત્રીશે કોઠે દીવા પ્રગટી ગયા હતા. મારી પાંપણે હર્ષનાં તોરણો બંધાઈ ગયાં હતાં.
મેં ગુરુદેવને શૈવમઠમાં થયેલી વાતોથી જ્ઞાત કર્યા. ઈર્ષ્યાથી પ્રેરિત થઈ કાપાલિકો કોઈ ઉપદ્રવ ન કરી જાય, તે માટે સાવધાન કર્યા. ગુરુદેવે કહ્યું:
સુભગે! તું જરા ય ચિંતા ના કરીશ. એ બધા કાપાલિકોને ઘોળીને પી જાય એવો મારો સિદ્ધેશ્વર મુનિ છે! વળી ભગવાન ઋષભદેવની પરમ કૃપા છે... અમે નિર્ભય છીએ.' હું સંતુષ્ટ થઈ. સખી સાથે ત્યાંથી નીકળી મહેલે પહોંચી.
મય
પ૧
For Private And Personal Use Only