________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂક્યા. અમે ત્રણેય બેસી ગયા. રાણા ઊભા રહ્યા.
થોડી જ વારમાં સાતસો કુષ્ઠરોગી ત્યાં ભેગા થઈ ગયા. સહુ ધારીધારીને રાણાને જોતા હતા... અને એમના રાણાને શોધતા હતા... મને જોઈને પ્રણામ કરતા હતા. ત્યાં જવાનસિંહ આગળ આવ્યો. સુભાષકાકા પણ નજીક આવ્યા. બીજા પણ તેમના બે પરિચિત મિત્રો આગળ આવ્યા. સુભાષકાકાએ મને પૂછયું :
દેવી! અમારા રાણા નથી આવ્યા?' આવ્યા છે ને!' “ક્યાં છે?' “આ ઊભા છે એ જ તમારા રાણા!' અને સહુ આંખો પહોળી કરી આશ્ચર્યથી મોં પહોળા કરી તેમને જોઈ રહ્યા... સુભાષકાકા તો ભેટવા જતા હતા, પણ અટકી ગયા... “ના, ના, મારો ચેપ લાગી જાય!' જવાનસિંહ એકદમ પાસે જઈને ઊભો રહ્યો. મેં સહુને સંબોધીને કહ્યું : ભાઈઓ, તમે સહુ બેસી જાઓ. હું તમને તમારા રાણાનાં દર્શન કરાવું છું.” સહુ બેસી ગયા. હું રાણા પાસે જઈને ઊભી રહી. મેં એ લોકોને સંબોધીને
આ જ તમારા ઉંબરાણા છે! ભગવાનની દયાથી અને ગુરુદેવની કૃપાથી તેમનો કુષ્ઠરોગ મટી ગયો છે. તેમનું શરીર પૂર્ણ નીરોગી બન્યું છે... બધાં જ અંગોપાંગ નવાં આવી ગયાં છે... તમે એમને પ્રત્યક્ષ જોઈ શકો છો!'
દેવજી! આ બધો ઉપકાર તમારો છે...' સુભાષકાકા હર્ષનાં આંસુ વહાવતા બોલી ઊઠ્યા.
“ના, ના, ઉપકાર બધો જ ગુરુદેવનો છે. તમને મારા એ ગુરુદેવનાં દર્શન કરાવીશ, પણ એ પહેલાં તમને સહુને પણ નીરોગી કરવાની ભાવનાથી રાણા અહીં આવ્યા છે! રાણા છે ને! એટલે પ્રજાને સુખી તો કરવી જ પડે ને! એ એકલા સુખી થાય, એમ કેમ ચાલે? એટલે બીજી બધી વાતો પછી કરીશું. પહેલાં તમે આ મેદાનમાં પચાસ/પચાસની પંક્તિમાં બેસી જાઓ. પલાંઠી વાળીને બેસી જાઓ, જવાનસિંહ, બધાને પંક્તિબદ્ધ બેસાડી દો. પછી તમારે આંખો બંધ કરી “ત્રાઉમદેવાય નમ:' બોલતા રહેવાનું. અમે
૨૪૦
માણા
For Private And Personal Use Only