________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો એ ક્ષમાપાત્ર બને ને?'
ભૂલ સમજાય તો ને? ભૂલ સમજાઈ હોત તો દીકરી જીવે છે કે મરી ગઈ છે - એની તપાસ પણ ન કરાવત? ક્યાં તપાસ કરાવી? ક્યાં કોને ખબર-અંતર પૂછુયા? એ એમના અહંકારના હાથી પર બેઠા બેઠા ઝૂલ્યા કરે છે...'
મહામંત્રી કહેતા હતા... “ક્યારેક ક્યારેક મહારાજા મયણાને યાદ કરી રડે છે... ભીંત સાથે માથું પછાડે છે.. ક્યારેક મહારાણીને યાદ કરીને પસ્તાવો કરે છે. એ પણ મને છોડીને જતી રહી.' એમ બોલીને આજંદ કરે છે... વળી પાછા રોષમાં આવી જાય છે... ક્યારેક તો લાગે કે મહારાજનું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે...'
“મામા, પિતાજીનું પણ હિત થાઓ! તેમને સારું થાઓ! એ મારા પરમ ઉપકારી છે. એમનો ઉપકાર હું ભૂલી નથી. એમણે મને આપેલો અપાર પ્રેમ ભૂલી નથી.. મેં ક્યારે ય એમનું બૂરું ઇછ્યું નથી. આ તો વાત ધર્મના સિદ્ધાંતની હતી! એટલે વાત પકડાઈ ગઈ. બાકી, માતા-પિતાના ઉપકારો ક્યારે ય ભૂલી ન શકાય. જે ભૂલે તે કપૂત કહેવાય. અવસર આવે હું પિતાના મનનું જરૂર સમાધાન કરીશ... આપ ચિંતા ના કરશો..'
૨૬૦
મયણા
For Private And Personal Use Only