SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. બધા જીવો મારા જીવ જેવા જ છે. માત્મવત્ સર્વભૂતેષુ એવી સમજણ એમની વિકસેલી હોય છે. સાધુજીવનની આ બે મુખ્ય આરાધનાઓ છે. ત્રીજી આરાધના છે દશ પ્રકારના સાધુધર્મની, યતિધર્મની. એ દશ પ્રકારના સાધુધર્મમાં લગભગ બીજી બધી વાતોનો સમાવેશ થઈ જાય છે. હે નાથ, રાગ-દ્વેષ અને મોહ – સર્વ દુ:ખો અને સર્વ લેશોનાં મૂળભૂત કારણો છે. આ કારણોને દૂર કરવા માટે, દોષોને આત્માથી નિર્મૂળ કરવા માટે દશ પ્રકારનો સાધુધર્મ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલો છે. ૧. પહેલો સાધુધર્મ છે ક્ષમા : કોઈ આપણને ગાળ દે, કોઈ આપણું અપમાન કરે, કોઈ પ્રહાર કરે... આપણે સહન કરવાનું. સાધુપુરુષ એ ગાળો દેનાર તરફ, અપમાન કરનાર તરફ, પ્રહાર કરનાર તરફ કરુણાભાવથી જુએ છે. એમના તરફ રોષ કે રીસ નથી કરતા. સહન કરવાની અને ક્ષમા કરવાની શક્તિ વધારતા રહે છે. ૨. બીજો સાધુધર્મ છે માર્દવ : માન-કષાય પર સાધુ વિજય મેળવવા ઝઝૂમે છે. મૃદુ બને છે. એમનું હૃદય કોમળ હોય છે. માન-અભિમાન હૃદયને કઠોર બનાવે છે. કઠોર હૃદયમાં સગુણનાં બીજ ઊગતાં નથી માટે સાધુ પોતાની નમ્રતાને કાયમ રાખવા પ્રયત્નશીલ રહે છે. એનો ઉપાય છે સ્વદોષદર્શન કરવાનો અને બીજાઓના ગુણ જોવાનો. ૩. ત્રીજો સાધુધર્મ છે આર્જવ : સાધુ સરલ હોય. બાળક જેવી તેમનામાં સરલતા હોય. જેમ બાળક જે કરે, જેવું કરે તે બધું માતાને કહી દે તેમ સાધુ પોતાના ગુરુને પોતાની ભૂલો સરળતાથી કહી દે. કોઈ પાપ હૃદયમાં છુપાવે નહીં. આવી સરળતાના કારણે સાધુપુરુષ સદેવ પ્રસન્નચિત્ત રહે છે. ૪. ચોથો સાધુધર્મ છે શૌચ : સાધુ પવિત્ર પુરુષ હોય છે. લોભ મનુષ્યને અપવિત્ર કરે છે. તૃષ્ણા ગંદા કરે છે. માટે સાધુ લોભ-તૃષ્ણાનો ત્યાગ કરે છે. આંતરિક પવિત્રતા - શુદ્ધિ પ્રાપ્ત કરવાને તેઓ કૃતનિશ્ચયી હોય છે. આંતરવિશદ્ધિના માર્ગે સતત પ્રયત્નશીલતા એ શૌચધર્મ છે. ૫. પાંચમો સાધુધર્મ છે સંયમ : સાધુ હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહથી વિરામ પામેલા હોય છે. પાંચ ઇન્દ્રિયોનો નિરોધ કરે છે. ચાર કષાયોને ઉપશાંત કરે છે. મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ રોકે છે. આનું નામ સંયમ! તેઓ દૃઢતાપૂર્વક આ સંયમધર્મનું પાલન કરતા રહે છે. ૨૦૨ માણા For Private And Personal Use Only
SR No.008914
Book TitleMayna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy