________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને અનંત કાળથી કર્મચક્ર આપણા આત્મા પર ફરતું રહ્યું છે. એ ફરતા રહેલા કર્મચક્ર આપણને બરબાદ કર્યા છે. બેહાલ કર્યા છે. આપણા ભાવપ્રાણોનો નાશ કર્યો છે, હવે આ જીવનમાં એ કર્મચક્રનો નાશ કરવો હોય તો તેનો એક શ્રેષ્ઠતમ ઉપાય સિદ્ધચક્ર છે!
અપૂર્વ, અભુત અને અર્જડ ચક્ર પાસે હોય પણ ફેરવતાં ન આવડે, નિશાન લેતાં ન આવડે, તો ચક્ર કંઈ કામનું જ નહીં. શસ્ત્ર સારું હોય તેટલા માત્રથી શત્રુ ન જિતાય. શસ્ત્ર ચલાવવામાં પારંગતતા જોઈએ. સિદ્ધચક્રને ઘુમાવતાં આવડવું જોઈએ.. બરાબર ઘુમાવીને નિશાન લઈને ફેંકવામાં આવે તો કર્મચક્રના ચૂરેચૂરા થઈ જાય.
સિદ્ધચક્રને ઘુમાવવું એટલે હૃદયકમળમાં ધ્યાન કરવું. એ ધ્યાન કરતાં શીખી જાઓ... બસ, કર્મચક્ર નષ્ટ થયું સમજો.
કર્મો ગમે તેટલાં હોય, ગમે તેવાં હોય, પણ મારી પાસે સિદ્ધચક્ર છે, એ બ્રહ્માસ્ત્ર છે. હું કર્મચક્રથી ડરતો નથી.' આ વિચાર કરતા રહો તો ક્યારેય નિર્બળ નહીં બનો.
જેવી રીતે ગારુડીને પોતાની મંત્રશક્તિ પર શ્રદ્ધા હોય છે તો સામે ગમે તેવો ભયંકર સાપ આવે, છતાં ગારુડી ડરતો નથી. તેને પોતાની મંત્ર-શક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ હોય છે.
એવી જ રીતે સર્વતત્ત્વોમાં સારભૂત તત્ત્વ સિદ્ધચક્ર છે. નવપદ છે. આ તત્ત્વ પર આપણી શ્રદ્ધા નિ:શંક જોઈએ. નિઃશંકતા માટે જ્ઞાન જોઈએ. તે માટે જ્ઞાનપદની આરાધના કરવાની છે. આ આરાધનામાં મુખ્ય છે ધ્યાન. પરંતુ જ્ઞાન વિના ધ્યાન ન થઈ શકે. જ્ઞાનપદનું ધ્યાન એટલે વિશિષ્ટ જ્ઞાની પુરુષનું ધ્યાન કરવાનું. જ્ઞાની પુરુષોનો જ્ઞાનપ્રકાશ જોવાન. નિર્મળ સમ્યગ્દષ્ટિ ચારિત્રવંત જ્ઞાની પુરુષોનું ધ્યાન ધરવાથી આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરવા
વિશિષ્ટ જ્ઞાની પુરુષોનો વિનય કરવો. છે. એમની સેવા-ભક્તિ કરવી.
એમના ગુણોની પ્રશંસા કરવી. છે. એમના માર્ગદર્શન મુજબ જ્ઞાનારાધના કરવી.
અધ્યયન કરતાં શંકા પડે તો સમાધાન મેળવવું.
૨૧૬
માણસા
For Private And Personal Use Only