________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને, ત્રિલોકમાં કોઈ જીવધારી ઉજ્જયિનીની રાજકુમારી મદનાની જેમ ત્રણ ગ્રામોના તાલ પર નૃત્ય ન કરી શકે!”
પરંતુ દેવ, શું હું ફરીથી આવું નૃત્ય કરી શકીશ?' હા, જો આવું જ વીણાવાદન થાય તો!” પરંતુ, દેવ! આ વીણાથી તો જડ-જંગમ બધું અવશ થઈ જાય છે!” દેવી, તમારા નૃત્યથી પણ...!'
તો દેવ, શું આપના સિવાય બીજા કોઈ મનુષ્ય આવું વીણાવાદન કરી શકે છે?'
“હા, કેવળ ગંધર્વરાજ ચિત્રરથ. તેમણે જ મને આ વીણા સંપૂર્ણ વિદ્યા સાથે આપેલી છે.'
‘દેવ, રાજગૃહીના રાજ કુમાર! શું ફરીથી હું વીણાવાદન કરવાની આપને પ્રાર્થના કરી શકું?”
“નહીં ભદ્ર! પરંતુ હવે તમે દિવ્ય નૃત્ય ક્યારેય ભૂલશો નહીં. જ્યારે ત્રણ ગ્રામમાં આ વીણા કોઈ વગાડશે, તમે આવું જ અલૌકિક નૃત્ય કરી શકશો.”
તો દેવ, શું આપ આજે આપની આ શિષ્યા મદનાનું આતિથ્ય ગ્રહણ કરશો?'
નહીં, ભદ્ર! હું જે રીતે આવ્યો હતો તેવી જ રીતે ગુપ્ત ભાવથી ચાલ્યો જઈશ.”
શું મદના આપનું કંઈ પ્રિય કરી શકે?’
ભદ્ર! મેં તમને જોઈને મારાં નેત્ર સાર્થક કર્યા અને તમારું દેવદુર્લભ નૃત્ય મારી વીણાધ્વનિની સાથે અંગીભૂત કરી લીધું!”
આમ કહીને રાજકુમાર પુરંદરે પોતાના ગળામાંથી તે અલૌકિક મોતીની માળા ઉતારી મારા ગળામાં પહેરાવી દીધી. પુરંદર તત્ક્ષણ અદૃશ્ય થઈ ગયો.
હું વિમૂઢ... આશ્ચર્યચકિત બનેલી એ આમ્રકુંજમાં... એ લતામંડપમાં બેસી રહી... પુનઃ ભગવાન ઋષભદેવનાં દર્શન કરી, રાજમહેલમાં ચાલી ગઈ.
હે માતેશ્વરી! આ મારી પ્રભુપ્રીતિએ મારા પર અને તમારા આ પુત્ર પર કેવી પરમ કૃપા કરી હતી, તે વાત તમે સાંભળશો ત્યારે હર્ષથી ગદ્ગદ્ થઈ જશો!'
૧૬
અયણ
For Private And Personal Use Only