________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઘાડી રહી હતી. કોઈ કોઈ વાર એની ચતુરાઈ મને મોહિત કરી જતી. માયાની વાતોના જોરમાં વહી જાઉં? ક્ષણિક જીવનની દરેક પળને સુખમય કરું?
દરેક માણસના જીવનમાં અસ્થિર પળો આવે છે, પણ લક્ષ્ય હોય છે સ્થિરતા, શાંતિ અને પરિપૂર્ણતા. પણ મારી સ્થિરતા ક્યાં? પરિપૂર્ણતા કયાં? જેને નિકટ ઇચ્છું છું તે દૂર છે. નદીના વહેણમાં વહેતા ફૂલની જેમ... હાથથી સરકી જતી પળોની જેમ.
મને થયું, વીરપુરુષ શ્રીપાલ ભલે આખી પૃથ્વીની રાજ કન્યાઓને પરણે. એમાં એમનો શો દોષ? એમના હૃદયમાં મારું સ્થાન અવિચલ અને અપરિવર્તનીય જ છે, ને રહેશે, મારી એ શ્રદ્ધા છે! એમની હું શ્રદ્ધા છું. અને અમારી શ્રદ્ધા છે શ્રી સિદ્ધચક્રજી! ૐ શાંતિ... ૐ શાંતિ... ૐ શાંતિ..
માણા
૨૮૭
For Private And Personal Use Only