________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨
મને બહાર જોવા પ્રેરિત કરે છે... અચાનક ‘મયણા!' કોઈનો અવાજ સંભળાયો. હા, યાદ આવ્યું... ‘હું જ મયણા છું!' માટીની એ ભીની ભીની સુગંધે મારા રૂપને આજે ફરીથી સો ગણું ખીલવીને મારી સામે પ્રગટ કરી દીધું. હું આત્મવિમોહિત થઈ ગઈ... કેટલી બધી યાદો અને કેટલાં બધાં સંવેદનોથી હું ભરાઈ ગઈ!
ત્યાં મારી માતા રાણી રૂપસુંદરીએ મારા ખભે હાથ મૂક્યો.
‘મયણા!’ તે બોલી.
‘મા?’
‘શું કરે છે, બેટી?’
‘આત્મા કંઈ કરતો નથી... અકર્તા છે...’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કર્મોથી બંધાયેલો આત્મા કર્યા છે...' મારી મા પણ તત્ત્વજ્ઞાની હતી. ‘એટલે આત્મા કર્તા ય છે ને અકર્તા ય છે... ખરું ને?' 'હા, પણ શું અત્યારે અહીં આ બધી વાતો કરવાની છે?' ‘તો ક્યાં?’
‘રથમાં બેસી જા. આપણે મહેલમાં જવાનું છે.' હું મારી મા સાથે ચૂપચાપ રથમાં બેસી ગઈ.
For Private And Personal Use Only
મમણા