________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને મૃત્યુનાં દુઃખો જીવે ભોગવવાનાં રહે છે.
પરમ સુખમય મોક્ષદશાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવા જેઓ સંકલ્પ કરે છે તે સાધકો પોતાના જીવનમાં તપશ્ચર્યાને સમુચિત સ્થાન આપે છે. અર્થાત્ જીવનને તપોમય બનાવે છે.
તપશ્ચર્યાના મુખ્ય બે ભેદ બતાવવામાં આવ્યા છે : બાહ્ય તપ અને અત્યંતર તપ. જે તપ બીજા મનુષ્ય જોઈ શકે તેને બાહ્ય તપ કહેવાય છે અને જે તપ બીજા મનુષ્યો નથી જોઈ શકતા તેને અત્યંતર તપ કહેવાય છે. બંને તપના છ-છ પ્રકારો બતાવવામાં આવ્યા છે. પહેલાં બાહ્ય તપના છ પ્રકારો બતાવું છું :
પહેલો પ્રકાર છે અનશન. એક ઉપવાસથી માંડીને છ મહિનાના ઉપવાસની તપશ્ચર્યાને “અનશન' કહેવામાં આવે છે. આયંબિલ વગેરે તપનો સમાવેશ પણ આ પ્રકારમાં થઈ જાય છે.
બીજો પ્રકાર છે ઊણોદરી, ભૂખ કરતાં ઓછું ખાવું તેનું નામ ઊણોદરી. સામાન્યતયા પુરુષે ૩ર કોળિયાનો આહાર કરવાનો હોય છે. ઘટાડતાંઘટાડતાં આઠ કોળિયા આહાર કરે.
ત્રીજો પ્રકાર છે વૃત્તિ સંક્ષેપ. સાધુ-સાધ્વી માટે આ તપનો અર્થ છે ભિક્ષાનો સંક્ષેપ. અર્થાત્ ગૃહસ્થોનાં ઘરોમાંથી પરિમિત ભિક્ષા ગ્રહણ કરે. બીજ સામાન્ય અર્થ છે ખાવાની વસ્તુઓની સંખ્યાનું નિયંત્રણ કરવું.
ચોથો પ્રકાર છે રસત્યાગ. દૂધ, દહીં, માખણ, ગોળ, ઘી આદિ વિકૃતિઓનો ત્યાગ કરવો. શક્ય એટલી વિકૃતિઓનો ત્યાગ કરવો.
પાંચમો પ્રકાર છે કાયક્લેશ, કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહેવું. તડકામાં ઊભા રહેવું. આતાપના લેવી, કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર બની ઊભા રહેવું વગેરે શારીરિક કષ્ટો જાણીબૂઝીને સહન કરવાં.
છઠ્ઠો પ્રકાર છે સંલીનતા. આ તપના બે પ્રકાર છે : (૧) ઇન્દ્રિય-સંલીનતા, (૨) નોઇન્દ્રિય-સંલીનતા. (૧) જેમ કાચબો પોતાનાં અંગોપાંગ ગોપવીને રહે છે, તેવી રીતે સાધક આત્માઓ પોતાનાં અંગોપાંગ ગોપવીને રહે. અર્થાત્ શરીરનું અને ઇન્દ્રિયોનું નિમ્પ્રયોજન હલન-ચલન ન કરે. શક્ય પ્રયત્નથી કાયસ્થિરતા રાખે. શબ્દ-૩૫-૨સ-ગંધ અને સ્પર્શના વિષયોમાં જતી ઇન્દ્રિયોને રોકે. આનું નામ ઇન્દ્રિય-સંલીનતા.
૨૩૨
મયમાં
For Private And Personal Use Only