________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ મહાયંત્રની આરાધના કરવાની અનુજ્ઞા આપી હતી, તેથી તે હર્ષિત હતી, પ્રફુલ્લિત હતી. મારો ઉપકાર માનતી હતી.
લલિતાએ મને ભદ્રાસન પર બેસાડી, પોતે જમીન પર બેસી, મને ધીમા સ્વરે પૂછયું :
સખી, એક વાત પૂછવી છે. તારી અંતરંગ વાત છે પણ મારે જાણવી છે. તું કહે તો પૂછું!” પૂછ!”
રાજસભામાં જ્યારે મહારાજાએ આક્રોશ કરીને તેને ઉંબરરાણાને સોંપી હતી ત્યારે તને, તારા મનમાં શું થયું હતું?'
હું હસી પડી. બોલી : “મારી પ્રિય સખી, દુઃખ આવી પડે ત્યારે આપણે એમાં કડવાશ અને રોષ ઉમરીએ તો દુઃખ ચાલુ રહેશે અને વધારામાં કટુતા અને ક્રોધ કાયમના મહેમાન બની જશે. પછી પરિસ્થિતિ શરૂઆતની પીડા કરતાં વધારે વિષમ લાગશે. આપણા કપરા કાળમાં પ્રેમ, શાંતિ અને મૈત્રીથી હૃદયને છલકાવી દઈએ તો આખીયે પરિસ્થિતિ આશ્ચર્યજનક રીતે બદલાઈ જાય છે! તું પ્રત્યક્ષ જોઈ રહી છે. પિતાજી માટે હું ક્યારે ય ઘસાતું બોલી નથી. અરે, મનમાં ય એ ઉપકારી તાત માટે અશુભ વિચાર્યું નથી! બાકી તો લલિતા, સુખ અને દુઃખની આ જુગલબંધી વગર વૃદ્ધ કે યુવાન, બંનેના જીવન ઊબડખાબડ, અશક્ત અને અવિકસિત જ રહે છે!
વળી, મેં મારા મનનું સમાધાન શોધી લીધું હતું. તેથી જે પરિસ્થિતિ ઊભી થાય તેની સાથે પનારો પાડતાં આવડી ગયું છે! દિલની ખટક ખામોશ થઈ ગઈ છે. મેં એક વાત પાક્કી માની લીધી છે કે જીવનમાં જે કંઈ છે તે પરમાત્મતત્ત્વ ને ગુરુતત્ત્વ છે! એની હૂંફ અને એનું શરણ જ પરમ શાંતિ આપે છે.
પરંતુ મયણા! તારા જીવનમાં કેવા અંધકારમય દિવસો આવ્યા? તારી આકરી તાવણી થઈ...”
પરંતુ આ કસોટીના પડખેપડખે હાસ્ય પ્રગટયું ને? આનંદ પ્રગટ્યો ને? ઊજળા દિવસો ઊગ્યા ને?'
સાચી વાત છે તારી, મયણા! તારા જેવી મને બનાવી દે ને! મને તારા વિચારો... તારું જીવન... તારી ધર્મ-આરાધના... બધું જ ગમે છે!'
કારણ કે તને હું ગમું છું!' અમે બંને હસી પડ્યાં. ને રાણા જાગી ગયા.
માણા
૧૯૩
For Private And Personal Use Only