________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પછી લલિતા સાથે મેં પણ ભોજન કરી લીધું. પછી મેં એમને કહ્યું : “આપણે હવે આપણા સાથીદારોના પડાવ પર જ ઈએ. તેઓને આ બધી વાતની જાણ કરીએ કે જેથી તેઓ આપણી ચિંતા ના કરે અને આપણે એમને જે કંઈ આવશ્યકતા હોય તે પૂરી કરી આપીએ. આપણી પાસે અઢળક સંપત્તિ આવી ગઈ છે...'
તેમણે હા પાડી. લલિતાને ઘરે રાખીને, અમે બંને અમારા પડાવ તરફ ક્ષિપ્રા નદીના તટ પર ચાલી નીકળ્યાં. જોકે રસ્તો લાંબાં હતો, પણ નિસર્ગનું સૌંદર્ય અનુપમ હતું. લાંબા લાંબા વાંસના ઝુંડ, એની પર ઝીણા હલ્યા કરતા પડદાની જેમ ફેલાયેલી લજામણી. કોઈક કિશોરી સંતાકૂકડી રમતી હતી. ક્યારેક દેખાતી, ક્યારેક જંગલની હરિયાળીમાં છુપાઈ જતી. અમારી સાથે મિત્રતાની અદમ્ય ઇચ્છા, પણ શરમાળ! હાસ્યમાં કલકલ નાદ. પગમાં અભિલાષા અને પછી અરણ્યની નિર્જનતામાં વિલીન થઈ જાય છે, એનો અવાજ! હું ક્યાંય સુધી જોઈ રહી, પણ એ સામે નથી આવતી. મને થાકેલી જોઈને રાણા બોલ્યા : “જુઓ, આ અનાદિકાળથી અરણ્યના આ ફૂલછાયા રસ્તા પર દૂરદૂરના જન્મસ્થળથી સતત દોડતી આવે છે આ ગિરિકન્યા ક્ષિપ્રા! એ થાકી તો નથી! એનું લક્ષ્ય છે સાગર! વહેતી વખતે ઉજ્જડ ધરતીને હરીભરી કરતી જાય છે, આ જ છે જીવન! જીવનપથ પર પોતાના નિર્ધારિત સ્થળ તરફ જતાં જતાં માણસ જો પોતાનાં સ્વજનો-સ્નેહીઓ અને મિત્રોનું ભલું ન કરી શકે તો એ કેવું જીવન? શું મૂલ્ય આ માનવશરીરનું? સાગર તરસ નથી છિપાવતો, નદીનું મધુર જળ તરસ છિપાવે છે. જે સંપત્તિ બીજાની ગરીબાઈ દૂર ન કરે, એ સંપત્તિ શા કામની? દેવી, તમે આજે અહીં મારા ૭૦૦ સાથીદારો પાસે આવવાનો નિર્ણય કર્યો... એથી મને અનહદ આનંદ થયો છે!' એમણે ઉત્સાહમાં મારો હાથ પકડી લીધો... પણ તરત જ પાછો ખેંચી લીધો, જાણે ભૂલ થઈ ગઈ હોય!
વાંસના ગાઢ ઝુંડની પેલી તરફ ઝરણાં દેખાય છે. જંગલના હરિયાળા રંગ ઉપર નીલ આકાશમાં સૂર્ય ઝૂલે છે. આકાશ કેટલું ભૂરું છે! આકાશની નીલાશ કરતાં ય વધુ ગાઢ, ચંદરવાની ઝાલર જેવી આ પર્વતમાળાઓ છે. નીલાશની બાબતમાં એમની ને આકાશની વચ્ચે
૧૩૬
મય
For Private And Personal Use Only